SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ નવપદ પ્રકાશ સમ્યગ ચારિત્રની ઉપાસનામાં દા. ત. ઈન્દ્રો તીર્થકર ભગવાનના ચારિત્રગ્રહણને ઉત્સવ કરે છે. પ્રભુના દીક્ષાવરઘોડામાં પ્રભુની શિબિકાની બાહ પોતાના ખભા પર લે છે. ઉપરોક્ત દશાર્ણભદ્રના ચારિત્રના ભારેભાર ગુણ ગાય છે, સમ્યફ તપ પદની ઉપાસના-ઈન્ડે આ રીતે કરી. દા. ત. નાગકેતુએ જન્મતાં જ અઠઠમ કર્યો, અને એમાં એ નિશ્ચન્ટ મૃત જેવા થઈ જવાથી માતાપિતાએ એમને જંગલમાં ખાડે કરી એમાં મૂકી દીધા. ત્યાં નાગકુમાર દેવલોકના ઈન્દ્ર ધરણેન્દ્ર આવી અમૃત છાંટી સચેત કર્યો અને ત્યાં રાજાની સમક્ષ નાગકેતુના અઠમને પરિચય આપી એને ભારે ગુણ ગાયા, સારાંશ, આ રીતે ઈન્દ્રો પણ સિદ્ધચક્રની સેવાઉપાસના કરે છે-એ હકીકત છે, પણ સિદ્ધચકના ખાલી પ્રશંસાવાક્ય નહીં, ઉપશમસાગરસિદ્ધચક : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરેની પ્રશંસાદિને તે મોકો આવે, ત્યારે ઈન્દ્ર ઝૂકી પડે. સિદ્ધચક ઉપશમ રસને કંદો છે. (કંદોપાતાળ-સેર) સિદ્ધચકને મનમાં રાખો-નવપદને મનમાં રાખો, તે તેનાથી ઉપશમ રસ ઝર્યા કરશે. જમીન ફોડે, જમીનમાં પાણીની સેર ચાલતી હોય તે ઉપર આવે, ૨૪ કલાક ફવારે ચાલે, ઊંડું ખાવું હોય તે ત્યાંથી ભૂંગળા વાટે પાણી ઉછળે; તેમ નવપદની પાતાળ સેર રાખે તો ઉપશમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy