________________
૧૪૬
નવપદ પ્રકાશ
આરિહંતની કલ્યાણકની ઉજવણી વગેરેથી ઉપાસના કરે છે, એ પ્રસિદ્ધ છે.
કઈ મહાત્મા સિદ્ધ થાય, તે ત્યાં ઈન્દ્ર સ્મારક-પુષ્પવૃષ્ટિ વગેરેથી મહાત્માને મહિમા વધારે છે. એ સિદ્ધપદની ઉપાસના છે. અથવા સિદ્ધપદના આરાધકની પ્રશંસા કરવા દ્વારા પણ ઈન્દ્ર સિદ્ધપદના ઉપાસક ગણાય.
દા. ત. વીશ સ્થાનકના બીજા પદની કથામાં આવે છે કે પુરુષોત્તમ રાજા સિદ્ધપદને ઉપાસક બન્ય, યાવત ચારિત્ર લઈ, એ ઉપાસના વિશેષ વધારી, એમાં ભારે દઢતા ખીલવી અને ઈ દેવસભામાં એની ભારે પ્રશંસા કરી તો આ ઈન્દ્રની પણ સિદ્ધપદની ઉપાસના ગણાય.
આચાર્યપદની ઉપાસના. દા. ત. વજસ્વામીજી મહારાજ રથાવત્ત ગિરિ પર અનશન કરી સ્વર્ગે પહોંચ્યા, ત્યાં ઇન્દ્ર સ્થથી પ્રદક્ષિણા કરી. એટલા માટે તે ગિરિનું નામ થાવત્ત તરીકે પ્રસિદ્ધ થયું. આ આચાર્યપદની ઉપાસનાનું દ્રષ્ટાંત છે.
સાધુપદની ઉપાસના : દા. ત. દશાર્ણભદ્ર રાજાને પોતાને મહાવીર પ્રભુને વંદન અનન્ય ભકિત-ઉત્સવ કર્યાનેગર્વ થયે, પરંતુ એમાં જાણે અત્યાર સુધી અરિહંત પ્રભુને એવા ભક્તિઉત્સવથી વંદના કરનાર કેઈ મળે જ ન હતે, એમ અરિહંતની આશાતના દેખી ઇન્ડે એના કાળા ૫૦૦ હાથીની સામે આકાશમાં રૂના ગાભલા જેવા વિશાળ ૬૪ooo હાથી વિમુવી ઈન્દ્ર વંદન કરવા ઉતરી રહેલ છે; એ દરેકે દરેક હાથી પાછા કેવા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org