SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત પ્રભુના અતિશયની અસર: આ આઠ પ્રાતિહાર્યની વિશિષ્ટ સભાની જેમ બીજી પણે કેટલીક શોભા પ્રસંગવશ ઉપસ્થિત થાય છે. દા. ત. પ્રભુ ચાલતા હોય ત્યારે પ્રભુને આ પાપભી અને કચરાળી પૃથ્વી ઉપર પગ ન દેવા માટે, દેવતા માખણના પીંડા જેવા સુકમળ નવ સુવર્ણ કમળ એવી રીતે ગોઠવે છે કે પ્રભુના પવિત્ર ચરણ એના પર જ પડે. એમાં જેમ જેમ પ્રભુ આગળ ડગલાં માંડે, તેમ તેમ પાછળનાં બબ્બે સુવર્ણ કમલા અદશ્ય થઈ આગળ આગળ બબે સુવર્ણ કમળ પ્રગટ થતાં રહે છે. વળી પ્રભુ વિચરે ત્યાં છએ હતુ અનુકૂળ બની જાય છે, જેથી ત્યાં સૌને હતુઓને કેઈ ત્રાસ ન અનુભવાતા સૌમ્ય ગડતુઓનો અનુભવ છે. વળી પ્રભુ વિચરે તે માર્ગ ઉપરના કાંટા ઊંધા થઈ જાય છે, જેથી પ્રભુની સાથે ચાલતા કેઈને એ વાગે નહીં પ્રભુ વિચરતા હોય, ત્યારે બન્ને બાજુના અક્કડ ઝાડ પણ પ્રભુને નમસ્કાર કરતા હોય એમ ઝૂકતાં રહે છે. તેમજ પ્રભુના માથે આકાશમાં પંખેર પ્રદક્ષિણા દેતાં હેય એમ ઘુમરી લેતાં રહે છે. પ્રભુને દેશના દેવા માટે દેવતાઓ જમીન પરના ઝાડને આંચ ન આવે, એ રીતે ઝાડની ટોચ ઉપર આકાશમાં અદ્ધર ચાંદી, સોનું અને રત્નના મેટા ત્રણ કિલ્લા રચે છે, એને સાસરણ કહે છે. એમાં સૌથી નીચેને ચાંદીનો કિલ્લો હોય છે. એ કિલ્લાને સેનાના કાંગરા હોય છે, એ કિલ્લાની ઉપર વચમાં સેનાને કિ હોય છે, તેને રત્નના કાંગરા હોય છે. એની ઉપર વચમાં સ્તનને કિલે મણિના કાંગરાવાળો હોય છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy