SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ પ્રકાશ નીચે સિંહાસન, એની ઉપર (૨) પ્રભુની બે બાજુ વીંઝાતા ચામર, તેની ઉપર (૩) પ્રભુના મુખની પાછલી તેજસ્વી ભામંડળ એની ઉપર (૪) પ્રભુને માથે ત્રણ છત્ર, એની ઉપર (૫)અશોકવૃક્ષ, એની ઉપર, (૬) દેવ દુંદુભિ, એની નીચ(૭) પ્રભુની આસપાસ સુરપુષ્પ વૃષ્ટિ, એની વચમાં (૮) દિવ્ય ધ્વનિ અર્થાત્ પ્રભુની માલકેશ મુખ્ય રાગવાળી વાણીમાં વાજિંત્રના સૂર પૂરતી દેવતાઈ બંસરીના વિનિ. આમાં સિંહાસન ઝગારા મારતા રત્નોનું બનેલું અને બેસવામાં માખણના પીડા જેવું મુલાયમ હોય છે. સિંહાસન પર બેસી નીચે લટકતા પગને મૂકવા માટે સિંહાસનની આગળ રત્નજડિત સુકમળ પાદપીઠ હેય છે. પ્રભુ જ્યારે સિંહાસન પરથી ઊઠી ચાલવા માંડે છે, ત્યારે પાદપીઠ યુક્ત સિંહાસન આપમેળે આકાશમાં ચાલ્યું જઈ પ્રભુની સાથે સાથે ઉપરમાં આગળ આગળ વધતું (ચાલતું) રહે છે, અને જ્યાં પ્રભુ અટકીને બેસવાની તૈયારી કરે છે, ત્યાં જ એ નીચે ઉતરી પ્રભુને બેસવા માટે પાછળ જમીન પર ગોઠવાઈ જાય છે. વિહાર વખતે પ્રાતિહાર્યો : આઠે પ્રાતિહાર્ય સમોસરણ પર જોવા મળે છે. પરંતુ પ્રભુ જ્યારે વિહાર કરે છે, ત્યારે અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ સિવાયના પ્રાતિહાર્યાં પ્રભુની સાથે રહે છે. તેમજ વિહાર પછી પ્રભુ જ્યાં સ્થિરતા કરે છે, ત્યાં આગળથી સુગંધિત જલવૃષ્ટિ થઈને ઉડતી રજ વગેરે શાંત થઈ જાતાવરણ મઘમઘામય બને છે અને ત્યાં ઊંચે અતિ વિશાલ અરોકવૃક્ષ નામને પ્રાતિહાર્ય વિસ્તરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy