________________
નવપદ પ્રકાશ
સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુએ પાંચ ઉપાસ્ય પરમેષ્ઠિનાં પદ છે. અને દશન, જ્ઞાન, ચારિત્ર, તપ-એ ચાર ઉપાસનાનાં પદ છે.
પરમેષ્ઠિ એ ધમી છે અને ઉપાસના એ ધર્મ છે. ધમી અને ધમમય શ્રી જિનશાસન છે. શ્રી જિનશાસન એટલે શ્રી જિનેશ્વર ભગવાનનું શાસન અર્થાત પ્રવચન. જિન પ્રવચન મુખ્યતયા શ્રી દ્વાદશાંગી આગમને કહેવામાં આવે છે. શાસનને સાર સંયમ :
આ સમગ્ર દ્વાદશાંગીને સાર સંયમ છે. સંયમમાં દશન, જ્ઞાન, ચારિત્ર, તપનો સમાવેશ છે. આ સંયમ કયાં જોવા મળે? તે કે પંચ પરમેષ્ઠિમાં. એમાં અરિહંત અને સિદ્ધમાં સંયમનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ છે, ત્યારે આચાર્ય, ઉપાધ્યાય ને સાધુમાં સંયમની પૂર્ણ ઉપાસના ચાલુ છે. એટલે જ પાંચ પરમેષ્ઠિ મુમુક્ષુ જીવને ઉપાસ્ય બને છે, કેમકે સંયમ વિના મોક્ષ મળે નહીં એટલે સ્વાભાવિક છે કે મોક્ષના અથીને સંયમની ઉપાસના કરવી રહે અને એ ઉપાસનાના આલંબન માટે ઉપાસ્ય તરીકે પંચ પરમેષ્ઠિ લક્ષ્ય તરીકે રાખવા જોઈએ. સંયમ અને સંયમસંયમ : પ્ર-પરમેષ્ઠિમાં સાધુને લીધા તેમ વ્રતધારી શ્રાવકને કેમ
ન લીધા? તેમનામાં પણ દેશથી સંયમ તે છે જ. ઉ.-શ્રાવકમાં દેશથી સંયમ એટલે સંયમસંયમ છે.
અર્થાત સંયમ સાથે અસંયમ પણ છે અને મુમુક્ષુને આદશ તરીકે લેશ પણ અસંયમવાળાને રાખવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org