________________
અરિહંત
ઉ-વાત સાચી છે, નિકાચિત કર્મ ભેગવ્યા વિના, અરિહંતનમસ્કાર, અરિહંતધ્યાન માત્રથી ન તૂટે; પરંતુ એ નિકાચિત કર્મમાં રહેલ પાપ(અશુભ) અનુબંધે તૂટી જાય છે. એનું કારણ અશુભ અનુબંધ એ કર્મોમાં રહેલ જાણે બીજશક્તિ છે, એટલે કે મોહની પરિણતિરૂપ છે, જે પાપબુદ્ધિ જગાડી જીવને પાપિઠ જ બનાવે છે, આ અશુભ અનુબંધ સ્વરૂપ મોહપરિણતિ નિર્મોહી અરિહંત તરફના ઝકાવની આત્મપરિણતિથી નષ્ટ થાય એ સહજ છે.
આમ અરિહંતનમસ્કારથી નિકાચિત કર્મમાં રહેલ પાપાનુબંધ તૂટ્યા એટલે પછીથી નિરનુબંધ નિકાચિત કર્મ ઊભા રહી ગયા ખરા, પરંતુ હવે સાનુબંધને બદલે નિરાનુબંધ બનેલા એ નિકાચિત કર્મ ઉદય પામશે, ત્યારે માત્ર શારીરિક કષ્ટ દેખાશે, કિંતુ આમાનું કશું જ બગાડી શકશે નહિ, આત્માના શુભ ભાવને બગાડી નહિ શકે. એટલે પછી અરિહંતનમસ્કારથી નિકાચિત કર્મ તૂટવા જેવા જ છે એમ કહી શકાય,
દા. ત. ૫oo મુનિઓને પાલક પાપીની ઘાણીમાં પલાઈ ભયંકર વેદના ભોગવવાના નિકાચિત કમ હતાં, કિંતુ એ નિરનુબંધ હતાં,
પૂર્વ જન્મમાં અને અહીં અરિહંતનમસ્કાર, દુકૃતગહ આદિથી એ કમેના અનુબંધો તોડી નાખેલા. એટલે હવે અહીં એ કર્મોએ શરીરને જાલિમ વેદના આપવા સિવાય આત્માનું શું બગાડયું? ઉર્દ એ કર્મો હટી જતાં એની સાથે એના સાગ્રીત જેવાં ઘાતી કર્મો સમસ્ત ઊડ્યાં અને ક્ષણમાં કેવળજ્ઞાન પામ્યા. કદાચ એ મુનિઓ મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org