________________
૧૬૨
નવપદ પ્રકાશ ચંદનના વનમાં ઝાડની શાખાઓને વીંટળાઈ આરામથી રહેલા સાપના ઝુંડ ત્યાં વનમાં પેઠેલા એક મોરના એક ટહૂકાર પર ઢીલા ઘેંસ બની નીચે પડીને ભાગી જાય છે. એવી રીતે આ “આ અરિહંત પિતાના ગાદિ દોષ અને અહિંસાદિ પાપોને પ્રચંડ પુરુષાર્થથી નષ્ટભ્રષ્ટ કરી દેનાર છે, તે કરી દઈ, તેનાથી સંપૂર્ણ મુક્ત બનેલા છે.” એવું સચેટ આપણા મનમાં લાવીએ, તો એ દોષ અને પાપો ઢીલા ઘેંસ બની જાય અને આપણે એને ધક્કે ચઢાવી દઈએ, એમાં કશું અશક્ય નથી.
રાગાદિ પાપ ભલે જુગજનાં છતા આપણી ઈચ્છાથી આપણા મનમાં ઊભા કરેલાં છે. હવે જો અરિહંત મળ્યાથી આપણી એ ઈચ્છા જ મરી ગઈ કેમકે એ રાગાદિમાં આપણે ભયંકરતા દેખી તે પછી એ રાગાદિનું જોર લગભગ નષ્ટ થઈ ગયું. મન અને ઈચ્છાના જોર પર જ ઊભા થઈ શકનાર રાગાદિ ગમે તેટલા જૂના છતાં ઈચ્છા અને મન મરી જતાં એ એક ક્ષણમાં મરે એ સહજ છે,
અરિહંતને ભાવથી નમસ્કાર કરવામાં, મનમાં આવેલ અરિહંત, રાગાદિ ભાવોનું મન અને ઈચ્છા તોડી નાખે છે એટલે ઈચ્છા પર જ ઊભા થતા રાગાદિને તૂટતાં વાર લાગતી નથી, અરિહંતવંદન ને નિકાચિત કર્મ : પ્ર–ઠીક, પણ આવા જિનેશ્વર ભગવાનને નમવા માત્રથી પૂર્વનાં બંધાયેલ અશુભ કર્મરૂપી પાપ શી રીતે ટળે?
“પાપ” શબ્દને આ બીજો અર્થ અશુભ કર્યો, તે નિકાચિત અને અનિકાચિત-એમ બે પ્રકારના હોય છે. એમાં નિકાચિત તો ભેગાવ્યા વિના અરિહંત નમનથી તૂટે જ શાના ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org