SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ નવપદ પ્રકાશ સુવ્રત ભગવાન પાસે જ રહ્યા હોત તો કદાચ આટલું જલદી કેવળજ્ઞાન અને મોક્ષ ન મળતે એમ પરિસ્થિતિ જોઈને આપણને લાગે. ત્યારે નિરનુબંધ નિકાચિત કર્મોના “અવશ્યભાવી ઉદયને શ્રાપ આપવા? કે આશીર્વાદ આપવો ? સારાંશ, અરિહંત-નમસ્કાર ભલે નિકાચિત કર્મોને ન તોડી શકે, કંતુ એના પાપાનુબંધોને તોડે છે, એ એક ચમત્કારી જેવું કાર્ય છે, અને એથી ઈષ્ટ સિદ્ધ થાય છે. પ્રવઠીક છે, પરંતુ આરહંત-નમસ્કાર માત્રથી અનિકાચિત પાપકમોનાં ઝુંડ સાફ થાય એ કેમ બને? કારણ કે એ કર્મો દીર્ઘકાળના મિથ્યાત્વ, અવિરતિ, કષાયો તથા અહિંસાદ પાપયોગોથી ઊભા થયેલા હોય છે, અને નાશ કરવા માટે તો એવા પ્રચંડ સમ્યકત્વ આદિની દીર્ઘકાળની આરાધના જોઈએ. પ્રભુને નમસ્કાર માત્રથી એ કેમ તૂટે? ઉ–(૧) આરહંત ભગવાનને નમસ્કારનો ભાવ જ ચગાવતાં આવડે તો એમાં પ્રભુ પ્રત્યે અનન્ય શ્રદ્ધાને ભાવ હોવાથી જવલંત સમ્યફવને ભાવ છે, (૨) વીતરાગ અરિહંત તરફના હયાના અનહદ ઝુકાવી વિષયો પ્રત્યેની આસક્તિ તૂટી જતાં વાર ન લાગે. મહાન વિરતિને ભાવ આવી શકે છે. (૩) ઉપશમ રસથી ખચ ભરેલા અરિહંત તરફ ધ્યાન જતાં મન એવા ઉપશમ ભરેલા અરિહંતમાં ઠરી જવાથી સ્વયં ઉપશમને અનુભવ કરે એ પણ સહજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy