________________
પ્રકાશકીય નિવેદન અનંત ઉપકારી શ્રી જૈનશાસનમાં પરમ મંગળમય શ્રી અરિહંત-સિદ્ધ–આચાર્ય-ઉપાધ્યાય-સાધુ, અને દર્શન– જ્ઞાન–ચારિત્ર–તપ આ નવપદનો અપરંપાર મહિમા છે. નીચેની કક્ષાથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી પહોંચેલા તમામ સાધક આત્માઓ માટે શ્રીનવપદની મન–વચનકાયાથી આરાધના, ઉપાસના અને આલંબન એ પરમ કલ્યાણ કરનારા બને છે. શ્રી નવપદની આરાધના એ જ શ્રી જૈનશાસનને સાર અને સૂર છે. એના વિના મુક્તિ લભ્ય નથી.
વાચક–શિરોમણિ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે રચેલી શ્રી નવપદજીની પૂજામાં જૈનશાસનનાં સારભૂત આ નવપદનાં અનેક માર્મિક અને મહત્તવપૂર્ણ રહસ્ય છુપાયેલાં પડ્યાં છે. એને આસ્વાદ સામાન્ય પણ ભવ્યાત્માઓને સુગમતાએ પ્રાપ્ત થાય એ હેતુથી દર્શનશાસ્ત્રનિપુણમતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્દવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના શિષ્યવર્ગ સમક્ષ ચાલુ વર્ષે (વિ. સં. ૨૦૩૬માં) મહા સુદ ૬ના દિવસે દાદર મુકામે “શ્રી નવપદની પૂજામાં રહસ્યભા” આ વિષય પર અર્થગંભીર વાચનાઓ આપવાને શુભ પ્રારમ્ભ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org