________________
મલાડ પૂર્વ
વાચના મહા વદ ૧૩, ૨૦૩૬ ૩૦-૧-૮૦
અરિહંત (ગાથા ત્રીજી ચાલુ)
લેઈ દીક્ષા શિક્ષા દીયે જનને. તે નમીએ જિન નાણી રે.
ભ૦ સિ...૩ અરિહંત સંસારને ત્યાગ કરે છે, દીક્ષા લે છે, સંસાર ત્યાગ કરીને સંયમ સાધના કરતાં કરતાં કેવળજ્ઞાન પામે છે, અનંત રાની બનીને શિક્ષા દયે જનને લોકોને આત્માનું, આત્માના કલ્યાણનું શિક્ષણ આપે છે. આત્માનું કલ્યાણ છે મોક્ષમાર્ગની આરાધનામાં, ભગવાન અથી જીવોને મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે. ભગવાને પહેલા ભવથી મોક્ષમાર્ગની શરૂઆત કરી–તે આરાધનામાં જ્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યા, ત્યારે વીતરાગ બન્યા-કેવળજ્ઞાની બન્યા ને પછીથી મોક્ષમાર્ગ બતાવવાનું એને ઉપદેશ આપવાનું કામ કર્યું. એ છે કે પ્રભુની શિક્ષા–તે છે જીવનનું એકમાત્ર કર્તવ્ય, તેની શિક્ષા એટલે શિક્ષણઉપદેશ આપનાર અનંત જ્ઞાની એ જિનેશ્વર ભગવાનને આપણે નમીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org