________________
નવપદ પ્રકાશ
રેડાવેલું, તીવ્ર અશુભ બંધવાળા ઘોર અશાતા વેદનીય વગેરે નિકાચિત કર્મ ઊભાં કરેલાં, પરંતુ પછીના રર મા ભવથી નવપદ આરાધના કરતા ગયા તો એ અશુભાનુબંધ તૂટતાં ચાલ્યાં, અલબત, એ કર્મ નિકાચિત હોઈ સાધનાથી ન તૂટતાં ઊભાં રહેલાં પરિણમે છેલા ભવમાં એ અવશિષ્ટ કર્મના ફળરૂપે કાનમાં ખીલા ઠોકવાની તીવ્ર વેદના આવી. પરંતુ એ કર્મના દુર્મ અર્થાત અશુભાનુબંધશક્તિ નષ્ટ કરી નખાવેલ હોવાથી એમને હયાય વગેરે કશુય થયું નહીં.
પાલકપાપીએ ૫૦૦ મુનિઓને ઘાણીમાં પીલ્યા પરંતુ એમાં અશુભાનુબંધ શક્તિ નષ્ટ કરી નાખેલ હેવાથી “હાય ન થયું, પણ “હાશ થયું. તે “હાશ એટલે કે સમતા ભાવ એટલો બધે જોરદાર ઊભું થયું કે ગુરુ પાસે રહેતાં જે કેવળજ્ઞાન નહેતું થયું તે અહીં પ્રગટ થઈ ગયું.
નવપદ ધ્યાનથી આત્મપ્રગતિ કેવી રીતે?
નવપદધ્યાનથી કર્મના આ દુર્મ ભેદાઈ જવાથી જીવને ઉત્તરોત્તર આત્મપ્રગતિ વધ્યા કરે છે. એનું કારણ, દુર્મમ એટલે અશુભ અનુબંધ છેદાઈ ગયા, તેથી હવે એ કર્મના ઉદયમાં દુબુદ્ધિ નહિ થવાની, કિંતુ સદ્દબુદ્ધિ થવાની, જેના પ્રતાપે વિશેષ ધર્મ આરાધના અને સગુણાનો અભ્યાસ સૂઝવાના, એમાં નવપદઆરાધના પણ આવશે. એ આવવાથી વળી કેઈ અશુભ અનુબંધે છેદાશે, એના પર વળી સદબુદ્ધિ થવાથી વિશેષ ધર્મ આરાધના-સદ્ગુણ-સાધના ચાલવાના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org