________________
નવપદ પ્રકાશ
સ્થિરતા નથી. સંસારી અવસ્થામાં જીવને કર્મની પરવશતા
છે. તેથી જીવની કઈ Value નથી, | કર્મસત્તા ફૂટબોલની માફક જીવને ઉછાળે છે; એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે, કયાંય કે સ્થિરતા છે ખરી? ના, કેઈ શરીરમાં પણ સ્થિરતા નથી. માધાંતા પહેલવાનને પણ શરીર છોડી જવું પડે છે.
- મનુષ્ય શરીરને પાળી પોષીને સાચવ્યું, સરસ બનાવ્યું, પણ શરીર અંતે નાશવંત, એવું શરીર શું કામનું ? ભલે સે વર્ષ સારી રીતે સાચવો. છેવટે શું?
શેઠે હવેલી બંધાવી, હવેલી બંધાવતાં બાર વર્ષ લાગ્યા. શેઠ પિઈન્ટરને કહે: “એ રંગ લગાવજે કે સો વર્ષ સુધી તે જાય નહીં.”
પેઈન્ટર એવો તે કયો રંગ કે જે સે વર્ષ ટકા હશે ?
શેઠ: હવેલીને એકવાર રંગ લગાવ, પછી આરસથી રંગ ઘસી નાખ; ફરીથી રંગ લગાવ, ફરીથી ઘસી નાખ,
આમ સે કેટીંગ ચઢાવ, ભલે એમ કરતાં બાર મહિના લાગે, જે હવેલી બાંધતાં બાર વર્ષ લાગ્યા, તે રંગ લગાવતાં બાર મહિના જાય એ શું વધારે છે?
બસ, પછી નિરાતે તે હવેલીમાં આરામથી રહું,
આ વાત ચાલતી હતી, ત્યારે સાધુ મહારાજ ત્યાંથી પસાર થયા. તેઓ હસવા લાગ્યા. આ જોઈ શેઠને થયું ? મહારાજ કેમ હસ્યા હશે ? પૂછી તે જોઉં.
અવસર પામીને શેઠ સાધુ મહારાજને પૂછવા ગયા, શેઠ બોલ્યા: “મહારાજ સાહેબ! આપ હસ્યા કેમ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org