SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ પ્રકાશ સ્થિરતા નથી. સંસારી અવસ્થામાં જીવને કર્મની પરવશતા છે. તેથી જીવની કઈ Value નથી, | કર્મસત્તા ફૂટબોલની માફક જીવને ઉછાળે છે; એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે, કયાંય કે સ્થિરતા છે ખરી? ના, કેઈ શરીરમાં પણ સ્થિરતા નથી. માધાંતા પહેલવાનને પણ શરીર છોડી જવું પડે છે. - મનુષ્ય શરીરને પાળી પોષીને સાચવ્યું, સરસ બનાવ્યું, પણ શરીર અંતે નાશવંત, એવું શરીર શું કામનું ? ભલે સે વર્ષ સારી રીતે સાચવો. છેવટે શું? શેઠે હવેલી બંધાવી, હવેલી બંધાવતાં બાર વર્ષ લાગ્યા. શેઠ પિઈન્ટરને કહે: “એ રંગ લગાવજે કે સો વર્ષ સુધી તે જાય નહીં.” પેઈન્ટર એવો તે કયો રંગ કે જે સે વર્ષ ટકા હશે ? શેઠ: હવેલીને એકવાર રંગ લગાવ, પછી આરસથી રંગ ઘસી નાખ; ફરીથી રંગ લગાવ, ફરીથી ઘસી નાખ, આમ સે કેટીંગ ચઢાવ, ભલે એમ કરતાં બાર મહિના લાગે, જે હવેલી બાંધતાં બાર વર્ષ લાગ્યા, તે રંગ લગાવતાં બાર મહિના જાય એ શું વધારે છે? બસ, પછી નિરાતે તે હવેલીમાં આરામથી રહું, આ વાત ચાલતી હતી, ત્યારે સાધુ મહારાજ ત્યાંથી પસાર થયા. તેઓ હસવા લાગ્યા. આ જોઈ શેઠને થયું ? મહારાજ કેમ હસ્યા હશે ? પૂછી તે જોઉં. અવસર પામીને શેઠ સાધુ મહારાજને પૂછવા ગયા, શેઠ બોલ્યા: “મહારાજ સાહેબ! આપ હસ્યા કેમ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy