SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત સાધુ: ભાઈ, હવેલી બંધાવતાં બાર વર્ષ લાગ્યાં. હવે રંગાવતાં બાર મહિના લાગે, તે તું તે ભોગવી ક્યાં શકવાનો છે? શેઠ: કેમ? સાધુ: આજથી સાતમે દિવસે તારુ મૃત્યુ છે, શેઠ: કેવી રીતે ? સાધુ: તેની ખાતરી માટે ચેાથે દિવસે પેટમાં દુ:ખવાનું શરૂ થશે. ત્રણ દિવસ તે દુ:ખાવો સહવો પડશે, પછી મૃત્યુ! તું ચાલ્યા જવાને-ઉપડી જવાને શરીરની આ નધરતા જાણીને શેઠે આત્માના કલ્યાણ માટે ચારિત્ર લીધું, ભલે સાત દિવસ તે સાત દિવસ એટલું તે કલ્યાણ સધાઈ જશે. અનંત કાળ થઈ ગયા, કે શરીરમાં કર્યું નથી, કોઈ જીવ સ્થિર રહ્યો નથી. અહીંથી ઉખડી જવું પડે. આવો છે આ સંસાર! સંસાર એટલે પરિભ્રમણ ! એક પુદ્ગલ પરથી બીજા પુદ્ગલ પર, એમ એક કર્મના ઉદય પરથી બીજા કર્મના ઉદય પર. આજે યશ તે આવતી કાલે અપયશ. હમણું શાતા તે પછી અશાતા પ્ર-એક પુદગલ પરથી બીજા પુદગલ પર શી રીતે ? ઉદા. ત. જમવા બેઠા...હાથમાં રેલીનું બચકું લીધું, તરત કુદ્યા દાળ પર...ત્યાંથી શાક પર...પછી ચટણી રાયતા પર...આમ એક પુલ પરથી બીજા પુદગલ પર જીવની કુદાકૂદ ચાલે છે. એમ સુખમાંથી દુ:ખ પર, દુ:ખમાંથી સુખ પર, એમ એક ભાવથી બીજા ભાવ પર, દા. ત. હમણાં ક્રોધ તે પછી અભિમાન, પછી વળી ઈર્ષ્યા, પછી દીનતા... એમ ભાવમાં કૂદાકૂદ ચાલે છે? ક્યાંય સ્થિરતા નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy