________________
૭૨
નવપદ પ્રકાશ
સાધનામાં શું કરેલું ? તે કે ત્રિકાળ ભવ્યભાવથી નવપદનાં પૂજન કરેલાં, “પૂજન એટલે ભક્તિ કરેલી. ભક્તિના અનેક પ્રકાર છે: દર્શન, વંદન, સ્તુતિ, દ્રવ્યપૂજા, ભાવપૂજા, યાવત્ શ્રદ્ધા, આજ્ઞાસ્વીકાર, આજ્ઞાપ્રવૃત્તિ, વગેરે વગેરે. આ પૂજન ભવ્ય ભાવથી કર્યો. પ્ર—ભવ્ય ભાવથી એટલે કેવા ભાવથી? ઉ–ભવ્ય ભાવથી એટલે વિશુદ્ધ ભાવથી, પ્ર–વિશુદ્ધ ભાવ લાવવા શું જોઈએ? ઉo–આના માટે શ્રી ગદષ્ટ સમુચ્ચય શાસ્ત્ર કહે છે.
उपादेयधियात्यन्त सज्ञाविष्कम्भणान्वितम् ।
फलाभिसन्धिरहित संशुद्ध ह्येतदीदृशम् ॥ અર્થાત
૧. જે પૂજન અત્યંત ઉપાદેય બુદ્ધિથી કરાતું હોય ૨, જે આહારાદિ દશ સંજ્ઞાઓના અટકાયત સહિત
૩. જે ફળની આશંસા વિનાનું હોય
એવું પૂજન વિશુદ્ધ પૂજન છે. ભવ્યભાવથી પૂજા એટલે કે “કેઈ પણ ક્રિયા અત્યંત ઉપાદેય બુદ્ધિથી કરાતી પૂજા અર્થાત આ અત્યંત કર્તવ્ય છે. એને કર્યા વિના ચાલે જ નહિ, તે ઉત્તમ કોટિનું કર્તવ્ય છે. આની તોલે જગતનું કઈ કર્તવ્ય નથી, કેઈ કિયા નથી, કેઈ પૂજા નથી એવું સમજીને કરાતી પૂજા તે ભવ્ય ભાવથી કરી કહેવાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org