________________
અરિહંત “સપાડિહેરાસણ સંઠિયાણું)
કાવ્યના પહેલા ચરણથી પ્રભુને ઉત્પન્ન કેવળજ્ઞાન વાળા કહ્યા. કેવળજ્ઞાનવાળા બનીને પ્રભુ શું કરે છે? તો કે સમોસરણના મથાળે સિંહાસન પર બિરાજમાન થાય છે. એ કહેવા માટે “સપાડિહેરાસણ સંઠિયાણું. એવું બીજુ ચરણ કહ્યું :
આ ચરણમાં બતાવેલ વિશેષણનો અર્થ એ છે કે જિનેશ્વર ભગવાન સત પ્રાતિહાર્યરૂપ આસન-સિંહાસન ઉપર સ્વસ્થતાથી બિરાજમાન છે. અથવા “સપાડિહેરાસણ એટલે સપ્રાતિહાર્ય–આસન, અર્થાત્ પ્રભુ આઠ પ્રાતિહાર્ય સહિત સિંહાસન પર બિરાજમાન છે. એવા ભગવાનને હુ વારંવાર નમું છું.
તીર્થકર ભગવાનની વિશિષ્ટ શભા કરનાર આગવી વસ્તુઓને પ્રાતિહાર્ય કહેવામાં આવે છે.
તે વસ્તુ ભગવાન ભગવાન થાય, અર્થાત કેવળજ્ઞાન પ્રગટ થતાં જ તીર્થકર બને ત્યારથી ભગવાનના નિર્વાણ પામતાં સુધી સાથે જ હોય છે, એવા પ્રાતિહાર્ય આઠ છે. આઠ પ્રાતિહાર્યો :
અલબત્ત શાસ્ત્રાય શ્લોકમાં આઠ પ્રાતિહાર્યોમાં અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર” એ ક્રમ આવે છે. આઠ પ્રાતિહાર્યોનું કમ પ્રજન:
આ કમની પાછળ એક પ્રોજન આ રીતનું સમજાય છે.
૧. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી આઠ પ્રાતિહાર્ય પ્રગટ થાય છે, એમાં પહેલું પ્રાતિહાર્ય–અશોકવૃક્ષ એટલા માટે છે કે અશોકવૃક્ષ ભગવાનને પોતાની નીચે આશ્રય આપે છે. એ સૂચવે છે કે ભગવાન તીર્થકર બન્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org