SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ નવપદ પ્રકાશ પછી પહેલું તો જગતના જીવોને આશ્રય આપે છેઆલંબન આપે છે. આરિહંતને આશ્રય લે અર્થાત આરિહંતનું આલંબન કરે તેને, કલ્યાણની શરૂઆત થાય છે અને ભગવાન જે આશ્રય રૂપ બને છે, તેનું પ્રતીક અશોકવૃક્ષ છે, માટે તેને પહેલા પ્રાતિહાર્ય તરીકે મૂકયું. ૨. ભગવાન ભકતોને આલંબન આપ્યા પછી ભકતના દિલમાં ધર્મ અને ગુણેની રૂચી ઊભી કરે છે–સુવાસ ઊભી કરે છે, કેમકે “નમુત્થણમાં “અભયયાણું” પછી “ચકખુદયાણું પદ આવે છે, ત્યાં શ્રી લલિત વિસ્તરામાં “ચકખુ ને અર્થ ધર્મરૂચી (ધર્મનું આકર્ષણ) એ કર્યો છે ને એ અભય” એટલે કે ચિત્તના સ્વાર્થપૂર્વક જ ઉત્પન્ન થાય છે, આ ચિત્તસ્વાથ્યને અરિહંતના આલંબનથી પ્રાપ્ત કરી શકાય. એટલે અરિહંતનું આલંબન પહેલું પ્રાપ્ત કરવું જોઈએ, તે પછી ચક્ષુ એટલે કે ધર્મની રૂચી–આકર્ષણ પ્રાપ્ત થાય. એ આત્મામાં એક જાતની સુવાસ છે અને તેના પ્રતીક રૂપે પુષ્પવૃષ્ટિ છે. જેમ પુષ્પ સુવાસ ફેલાવે છે, તેમ ભગવાન ભકતોના દિલમાં ધર્મની ને ગુણેની સુવાસ ફેલાવે છે. ૩. ભકતોના દિલમાં ધર્મનું આકર્ષણ ઊભું કર્યા પછી પ્રભુ ધર્મનું સંગીત રેલાવે છે. એના પ્રતીક રૂપે દિવ્યવનિ છે. ૪. પ્રભુ પાસેથી ધમસંગીત-ધર્મદેશના મળ્યા પછી એ દેશના શું કરે છે? તે કે ભગવાન ભક્તના બન્ને પક્ષને એ દેશના દ્વારા ઉજજવળ કરે છે. (૧) સ્વપક્ષ અર્થાત ધર્મસાધનાદ્વારા ભક્તના પિતાના આત્માનું હિત અને (૨) પસ્પક્ષ અર્થાત ભક્ત તરફથી પરાર્થકરણ દ્વારા પર આત્માઓનું હિત ઉત્તેજિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy