SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ અરિહંત આમ પ્રભુ ના સ્વપક્ષ-પરપક્ષને ઉજજવળ કરતા હેવાથી તેના પ્રતીક રૂપે કુદરત (તીર્થકર નામ કર્મને ઉદય) એમને બે બાજુ સફેદ ચામર વીંઝે છે. (૫) આમ છે જ્યારે સ્વપરહિદ્યોત બને છે, ત્યારે એ હિતના-ઉત્કર્ષના પ્રભાવે અન્ય સૂક્ષ્મ પણ જીવને વિશિષ્ટ અભયદાતા બને છે. એટલે એ જીવને પોતાના હૃદયમાં નિર્ભય બેઠક મળી જાય છે. દા. ત. બળદેવ મુનિ પોતાના અલૌકિક રૂપથી આકર્ષાઈ નગરની સ્ત્રીઓ મોહના કારમા પાપમાં ન પડે એ ભાવદયાથી પ્રેરાઈને જંગલમાં રહેતા હતા, ત્યાં પણ જંગલી પશુઓ વગેરે પર એવી ઉચ્ચ કક્ષાની કરુણ ધરતા હતા અર્થાત એમના હૃદયમાં પરસ્પર વિરોધી સિંહ-હરણ, સાપ-નેળિયે, શિયાળ-સસલું વગેરે છે એવું સ્થાનએવી બેઠક પામ્યા હતા કે એમના સાંનિધ્યમાં એ બધા છે જ્યારે આવતા, ત્યારે વેરભાવ ભૂલી મૈત્રીભાવથી ત્યાં રહેતા આ બધું અરિહંત પરમાત્માના પ્રભાવે બનતુ હેવાથી, કહેવાય કે પ્રભુ જ પોતે જીવોના દિલમાં વેરી જીવોને પણ બેઠક આપતા એટલે તેના પ્રતીક રૂપે પ્રભુની પાસે હમેશાં દિવ્ય સિંહાસન બેઠક માટે હાજર રહે છે. (૬) જીવોના સ્વપક્ષ-પરપક્ષ અર્થાત સ્વહિત–પરહિત બંને ઉજવળ થઈ ગયા એટલે પરમાત્માના એ ઉપકાર દ્વારા જીવનનું ધર્મતેજ વધે છે; એ ધર્મતેજના પ્રભાવમાં બીજાઓ એવા પ્રભાવિત થઈ જાય છે કે આમની સામે કશે વિરોધ તે નહીં, પરંતુ એમને ફૂકતા ને ભજતા થઈ જાય છે. દા. ત. જન્મતાં અઠ્ઠમના આરાધક નાગકેતુ મોટા થયે અરિહંત પ્રભુના પરમ ભકત બન્યા હતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy