SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ નવપદ પ્રકા રા ગજબને ઉપકાર છે. દેશનાના દીવાથી જ આપણા હૃદયમાં ધર્મ અને તત્ત્વનાં અજવાળાં પથરાયાં છે. પ્રભુ તે કેવળજ્ઞાન પામીને કૃતકૃત્ય બનેલા હોઈ એમને શા સારૂ દીર્ધકાળ સુધી ગામ ગામ વિચરવું પડે અને રોજ સવાર સાંજ છે કલાક કે એક ટાઈમ ત્રણ કલાક દેશના માટે ગળું ખેંચવું પડે ? રષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયા પછી લગભગ એક લાખ પૂર્વનું આયુષ્ય બાકી છે. એક પૂર્વ એટલે ૭૦૫૬૦ અબજ વર્ષ. આવાં ૧–૨૦ પૂર્વ નહિ, ૧૦૦-૨૦૦ પૂર્વ નહિ, ૧૦૦૦–૨૦oo પૂર્વ નહિ, કિંતુ ૧૦૦ હજાર પૂર્વ અર્થાત્ ૧ લાખ પૂર્વ જીવવાનું બાકી છે, તે કેવળજ્ઞાન થયા બાદ એ ભરતચીના ઘરે જઈ ન બેઠા, ઘરે જઈ એમ ન કહ્યું : “વત્સ ભરત! જે મારે કેવળજ્ઞાન થઈ ગયું છે, સાધના પૂર્ણ થઈ છે, હવે જે અઘાતી કર્મ બાકી છે, તે ભોગવીને જ પૂરાં કરવાનાં છે, તે આ હું અહીં આવ્યો છું. અહીં નિરાંતે એક લાખ પૂર્વ વર્ષ સુધી ઠરીઠામ બેસીશ.” આમ ભગવાન શ્રી કષભદેવ ભગવાન ભરતને ઘેર જઈ ન બેઠા, કિન્તુ લગભગ એક લાખ પૂર્વ વર્ષ સુધી ગામ ગામ વિચર્યા અને દેશનાઅમૃતના ધોધ વરસાવ્યા આપણુ પર પ્રભુના આટલા બધા અગાધ ઉપકારની આપણે શી કદર કરીએ છીએ ? દેશનાનો અમલ તો પછી, પણ પહેલાં તે જગતના કેઈપણ ખાનપાન, હીરા માણેકનાં નિધાન, સ્વર્ગનાં વિમાન અને જનતાના ઉચ્ચ સ્વાગતસન્માન કરતાં કઈ અતિ ઉચ્ચ કેનુિં પ્રભુની દેશના રૂપી મહાનિધાન મળ્યું; એની કદર પણ ક્યાં કરીએ છીએ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy