________________
૨૨૬
નવપદ પ્રકાશ. અશુભ ભાવ છે, દુબુદ્ધિ છે, છતાંય બહારથી મન મારીને પણ કરેલ ગુણ-સુકૃતને અભ્યાસ ધીરે ધીરે પાપાનુબંધને તે આવે છે, અને એમ ક્રમશ: તૂટી જતાં હવે અંતરમાં શુભ ભાવ-સદબુદ્ધિ સહેજે જાગે છે.
દા. ત. શરૂ શરૂમાં ઉપવાસ-આયંબિલ-એકાસણું વગેરે તપ કરવાને ભાવ જ નહતો થત, ખાવાના ભાવ રહેતા હતા. એ શુભ ભાવ છે. પૂર્વના પાપાનુબંધનું એ ફળ છે. છતાં મન મારીને પણ તપને જે અભ્યાસ કર્યો જવાય તો, ભલે, શરૂ શરૂમાં તપ વખતે ખાવાના વિચાર આવી જતા હતા, છતાં મન મારીને પણ ચલાવેલ તપના અભ્યાસથી ખાવાના વિચાર મોળા પડતા જાય છે. અને એક દિવસ એવો આવી લાગે છે કે હવે ખાવાની લાલચે ઊઠતી નથી. બલકે તપના જ ભાવ જાગ્યા કરે છે, આ શું થયું ? પાપાનુબંધ તૂટયા, ખાઉ, ખાઉં ના કુસંરકારે તૂટયા તે જ ખાવાના ખરાબ ભાવ અટકળ્યા. આ કોણે કર્યું ? ભલે, પ્રારંભે અંતરમાં તપના શુભ ભાવ નહિ પણ ખાવાના અશુભ ભાવ હતા, છતાં મને મારીને બહારથી તપગુણતપ-સુકૃતને અભ્યાસ ચાલુ રાખ્યો. એણે એ પાપાનુબંધો તોડયે જવાનું કામ ચાલુ રાખ્યું, તે સરવાળે એ તૂટી જતાં હવે અંતરમાં જ તપના શુભ ભાવ જાગે છે, આત્માને નજર સામે રાખે:
આમ મન મારીને પણ બહારથી કરેલો આત્મગુણેનેઆત્મસુકૃતોને અભ્યાસ કુસંસ્કારને યાને અશુભ અનુબંધને તોડે છે. એ કરવામાં આત્મા નજર સામે છે. કેમકે વિચાર રહે છે કે “આ જાલિમ આહારસંડા, કોધસંજ્ઞા વગેરેથી મારા આત્માનું બ બગડી રહેલહુ છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org