________________
અરિહંત
૨૭ લાવ, તપ અને કોનિગ્રહ વગેરેના અભ્યાસ, ભલે અંતરમાં સંશા પીડતી હોય તોય, ચાલુ રાખ્યું.'
આમ ગુણ-સુકૃતના અભ્યાસમાં પણ આત્મધ્યાન ચાલુ જ છે, અને સરવાળે એવા બહુ અભ્યાસથી પાપાનુબંધ તૂટી જતાં અંતરમાં તપ-ક્ષમા વગેરેની આત્મસમૃદ્ધિ પ્રગટ થાય છે. એટલે અહીં કહ્યું: આતમ ને આમ રિદ્ધિ, મળે સવિ આઈ રે.
વાત આ છે : ભલે મનમાં ખોટા વિચાર આવતા હેય કે ચાલુ હોય, પરંતુ સારું આત્મહિત મન મારીને પણ કર્યું જાવ, એ મૂળ તો આત્માને નજર સામે રાખીને જ છે, એટલે કે આત્માનું ભલું થાય એ માટે જ કર્યું જવાનું છે, તેથી એમાં સાચું આત્મ-થાન જ છે. ઉપવાસ શબ્દનો મહિમા
આ જ હિસાબે ઉપવાસ શબ્દને મહિમા છે. અંતરમાં હજી ખાવાની લગાન-આહાર સંજ્ઞા ઊભી છે, છતાં એક દિવસ માટે પચ્ચક્ખાણથી ખાવાનું છોડ્યું એટલે “ઉપર એટલે કે આત્માની નિકટમાં “વાસ – વસવાનું થયું. આત્માની નિકટ રહેવાય, તો આત્મ-ભાવ-સ્વભાવ પ્રગટે, પછી એનો બહુ અભ્યાસ થતાં પરાકાષ્ઠાએ આત્મભાવમાં એકાકારતા આવી જાય છે. તુહિ, તું હિ; તું હિ માતા, તેહિ જાતા, એમ જે આત્માની એકાગ્રતા-તન્મયતા ઊભી કરાય છે, ત્યારે સહજ ભાવે એ બધી આસક્તિ છૂટી જાય છે, અને અનાસકત એગ લાધે છે.
પછી ઉપરની કક્ષામાં એક જ આત્મધ્યાન રૂપી વાવાઝોડું બસ છે. મોહનીય કર્મનાં છાબડાં ઊંચકાઈ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org