________________
અમિત
સ્વપર્યાય એટલે પિતાના ગુણે-પોતાની અનુવૃત્ત અવસ્થા છે, જે પોતાનામાં સદ્ભાવરૂપે વણાયેલી હોય છે અને પરપર્યાય એટલે જે પોતાનામાં વ્યાવૃત્ત-અભાવ રૂપે વણાયેલી છે, અર્થાત પોતાનામાં નથી, પણ બીજામાં છે. પ્ર.-જે પર્યાય પોતાનામાં નથી, પણ બીજાના પર્યાયે છે
તે પર્યાય આ વસ્તુના કેમ કહી શકાય? ઉ–વસ્તુમાં જેમ અમુક ધર્મો અનુવૃત્ત-અનુસ્મૃત એટલે કે વસ્તુમાં વણાયેલા હોય છે, તેમ એનાથી વિપરીત ધર્મો વ્યાવૃત્ત એટલે કે વસ્તુથી વિમુખ થઈને રહેલા હોય છે: એટલે અનુવૃત્ત ધર્મ જેમ વસ્તુના છે, તેમ વ્યાવૃત્ત ધમે પણ એ જ વસ્તુના છે. દા. ત. ઘડે માટીમય છે, તે જ ઘડે સુવર્ણમય નથી. માટીમય કોણ? તો કે “ઘ સુવર્ણમય કેણ નહીં? તો કે “ઘડો”
અર્થાત જે ઘડે માટીમય છે, તે જ ઘડો સુવર્ણમય નથી. એટલે ઘડાની જ બે અવસ્થા આવી: વિધિરૂપે માટીમયતા અને નિષેધરૂપે સુવર્ણમયતા.
તાત્પર્ય : માટીમયતા એ ઘડાને અનુવૃત્તિ પર્યાય અને સુવર્ણમયતા એ ઘડાને વ્યાવૃત્તિ પર્યાય છે. અનુવૃત્તિ પર્યાય એ સ્વપર્યાય છે અને વ્યાવૃત્તિ પર્યાય એ પરપર્યાય છે.
પરપર્યાય એ બીજાને સાપેક્ષ પર્યાય છે.
દા. ત. આ પેન્સિલ નાની કે મોટી ? તે મોટી છે, અને નાની પણ છે.
મેટા સાથે મૂકીએ તો તે નાની છે અને નાના સાથે મૂકીએ તે તે મોટી છે, તેથી કેઈને મોટા તરીકે જોઈએ તે આ નાની તરીકે ઓળખાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org