SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ પ્રકાશ આ પ્રથમ કાવ્યમાં ભગવાનનાં ત્રણ કારણસૂચક વિશેષણ છે. જિનેશ્વર ભગવાનને નમસ્કાર કેમ? બીજાને કેમ નહિ? જિનેશ્વર ભગવંતને નમસ્કારનાં કારણે : જિનેશ્વર ભગવાન “ઉપન્ન-સન્માણ મહેમા ” છે, અર્થાત ઉત્પન્ન થયેલ સમ્યગૂજ્ઞાન રૂપી ––મશ્ન તેજમય છે, મહેમય એટલે તેજોમય, સમ્યગૃજ્ઞાન રૂપી તેજમવ ફક્ત જિનેશ્વર ભગવાન છે, બીજા કોઈ ધર્મના દેવ ઈશ્વર એવા નહિ. અહીં “સન્માણ એટલે સમ્યગૂજ્ઞાન તે કેવળજ્ઞાન, તે અવધિજ્ઞાન નહિ. અહીં સ્થાને ભાવ સમજવાને છે. “સમને ભાવ શું છે? શાસે વચન છે કે– जो एगम् जाणइ सो सव्वं जाणइ જે એકને જાણે છે, તે સર્વને જાણે છે. જે એક-એક દ્રવ્યને-એક વસ્તુને જાણે છે, પૂરી રીતે જાણે છે, તે સર્વને જાણે છે. સ્વપર્યાય અને પરપર્યાય : જે સર્વ સમસ્ત વિશ્વના સમગ્ર દ્રવ્યોને જાણે છે, તે એક દ્રવ્યને પૂર્ણ રીતે સારી રીતે જાણે છે. પ્ર-વસ્તુ સારી રીતે કયારે દેખાય? ઉ-સમસ્ત વિશ્વને દેખીએ તે જ એક વસ્તુને સારી રીતે દેખી કહેવાય. દરેક વસ્તુમાં બે પર્યાય છે-બે અવસ્થા હેય છે: સ્વપર્યાય અને પરપર્યાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy