SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ નવપદ પ્રકાશ પ્ર–અરિહંત નમસ્કારનું ફળ શું ? ઉ૦-પાપને ત્યાગ, પાપનાશ. બેલાય જ છે: અરિહંત નમુક્કારે, સવ્વપાવપણાસણ, જે અરિહંતને ખરેખર નમીએ છીએ, તો આપણે પાપને ટાળવા જોઈએ, પાપ ટાળવાનું મન થાય જ. પાપ ટાળીએ તો ટળે. દા. ત. “હું ભગવાનને નમનારે છું, હવે મારાથી આ પાપ ન થાય, શંકા : ભગવાનને નમ્યા, એટલા માત્રથી પાપ ટળે? સમાધાન: હા, અહીં સમજવાનું છે કે જેમ કહ્યું તેમ, પાપના પ્રકાર : પાપ બે પ્રકારે : (૧) રાગદ્વેષાદિ કષાય ને હિંસાદિ દુષ્કૃતો એ પણ પાપ કહેવાય છે, (૨) આત્માને ચિટકેલાં અશુભ કર્મો એ પણ પાપ છે. આ બન્ને પ્રકારનાં પાપ ભગવાનને નમવાથી ટળે. એનું કારણ એ છે કે મનને એમ થાય કે–“ભગવાન એ કાંઈ સામાન્ય વ્યક્તિ નથી. તે ઉત્તમોત્તમ પુરુષ છે, એવા પુરુષનો સંપર્ક મળ્યા પછી મારે પાપ એમજ ઊભા રાખવા છે? ને છોડવા નથી? તો તે મારી પિઠાઈ છે - નિષ્ફરતા છે, નઠોરતા છે. ભગવાનની મને ઓળખ જ નથી ? આમ વિચારતાં જાગૃતિ આવે અને જીવનમાંથી પાપ ઓછાં કરાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy