________________
૧૬૦
નવપદ પ્રકાશ પ્ર–અરિહંત નમસ્કારનું ફળ શું ? ઉ૦-પાપને ત્યાગ, પાપનાશ. બેલાય જ છે: અરિહંત નમુક્કારે, સવ્વપાવપણાસણ,
જે અરિહંતને ખરેખર નમીએ છીએ, તો આપણે પાપને ટાળવા જોઈએ, પાપ ટાળવાનું મન થાય જ. પાપ ટાળીએ તો ટળે.
દા. ત. “હું ભગવાનને નમનારે છું, હવે મારાથી આ પાપ ન થાય,
શંકા : ભગવાનને નમ્યા, એટલા માત્રથી પાપ ટળે?
સમાધાન: હા, અહીં સમજવાનું છે કે જેમ કહ્યું તેમ, પાપના પ્રકાર :
પાપ બે પ્રકારે :
(૧) રાગદ્વેષાદિ કષાય ને હિંસાદિ દુષ્કૃતો એ પણ પાપ કહેવાય છે,
(૨) આત્માને ચિટકેલાં અશુભ કર્મો એ પણ પાપ છે.
આ બન્ને પ્રકારનાં પાપ ભગવાનને નમવાથી ટળે. એનું કારણ એ છે કે મનને એમ થાય કે–“ભગવાન એ કાંઈ સામાન્ય વ્યક્તિ નથી. તે ઉત્તમોત્તમ પુરુષ છે, એવા પુરુષનો સંપર્ક મળ્યા પછી મારે પાપ એમજ ઊભા રાખવા છે? ને છોડવા નથી? તો તે મારી પિઠાઈ છે - નિષ્ફરતા છે, નઠોરતા છે. ભગવાનની મને ઓળખ જ નથી ? આમ વિચારતાં જાગૃતિ આવે અને જીવનમાંથી પાપ ઓછાં કરાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org