________________
આત્માઓએ, તેને જે અક્ષરદેહ અપાઈ જાય અને તેનું વ્યવસ્થિત મુદ્રણ થાય તો અનેક પુણ્યાત્માઓને તેનાં વાંચનનો લાભ મળે એ ઉદ્દેશથી, તે તે સંઘના આગેવાને દ્વારા તેની મુદ્રિત પ્રતિએ લખાવી દીધી હતી. વિશેષ તે સમગ્ર નવપદનાં પુસ્તકનાં મુદ્રણ માટે અગાઉથી જ આર્થિક સગવડને લાભ શ્રીમતી શાંતાબેન લાલચંદ છે. ફાઉન્ડેશન તરફથી લેવાની શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તેમની આ ભાવનાને પૂજ્યશ્રીનું અનુમોદન પ્રાપ્ત થતાં ‘તરત દાન ને મહા પુણ્ય સમજીને સ્ટે આ “અરહંતપદ' વગેરે નવપદનાં પુસ્તકનું મુદ્રણ શરુ કરાવવાને મહાન લાભ ઝડપી લીધું છે, જે ખરેખર ધન્યવાદને પાત્ર છે.
પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન બાદ બીજા પણ આઠેય પદેના સ્વતંત્ર પુસ્તકમાં સમગ્ર વાચનાઓનાં સારભૂત અવતરણે શીધ્રાતિશીધ્ર શ્રી સંઘને અર્પણ કરવાની અમારી ઉત્કંઠા છે, જે શાસનદેવની કૃપાએ પૂર્ણ થશે એમાં શંકા નથી.
વર્ધમાન તપની ૧૦૮ ઓળીની આરાધના કરી ચુકેલા પ્રભાવક પ્રવચનકાર વાચના-પ્રદાતા પૂજ્ય આચાર્યદેવશ્રી આજે જૈનશાસનની રક્ષા-પ્રભાવનામાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે, અને વર્ષોથી તેમનું ગંભીર શાસ્ત્રાધ્યયન તેમજ આગમ શાસ્ત્રોનું પારાયણું અને તે ઉપર સતત અન્તસ્તલસ્પર્શી માર્મિક ચિંતન-મનન આ વાચનાએનાં પ્રત્યેક પૃષ્ઠ વાચક વર્ગને પ્રતીત થયા વિના રહેશે નહીં. પોતાની કુશાગ્ર બુદ્ધિરૂપી મનદંડ વડે નવપદશાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org