________________
૧૦૨
નવપદ પ્રકાશ અરિહા અર્થાત આઠ મહાપ્રાતિહાર્યની પૂજાને યોગ્ય છે, તેને નમસ્કાર કરું . . ધર્મધુરંધર :
..અરિહા નમું ધર્મ ધુરંધર ધીરેજી અરિહંતને કેમ નમું છું?
ભગવાન ધર્મ ધુરંધર ધર્મની ધુરાને ધારણ કરનારા છે માટે ધર્મના અગ્રણી છે, કેમકે એ સ્વયં ગુરુના ઉપદેશવિના ઉત્કૃષ્ટ ધર્મનું પાલન કરી, સંપૂર્ણ જ્ઞાની બની, ધર્મનીધર્મશાસનની સ્થાપના કરે છે.
ધર્મનું નામ લેવું એટલે પહેલાં નામ અરિહંતનું નામ લેવું. કારણ? તે ધર્મને પ્રારંભ કરનાર છે, એટલે તે ધર્મધુરંધર છે, ધર્મ આપનારા ઉપકારી છે, અને ઉપકારીનું નામ લેવું એ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા એ ધર્મને પાયે છે. ધર્મની ઈમારત રચવી હોય તે પાયે માંડવો જ જોઈએ ને ?
ધર્મ તે આપણને જોઈએ જ છે એટલે ધર્મધુરધરને નમીએ તો ધર્મ મળે; ગુરુને નમીએ તે ધર્મ મળે નમવાનું એટલા માટે કે એ આપણું ઉપકારી છે, ધર્મના દાતા છે, ધર્મના દેશક છે. દ્રવ્યની ઉપકારિતા અને નિયતિવાદ : પ્ર–શું એક દ્રવ્ય બીજ દ્રવ્યને કામ આવે ? બીજા દ્રવ્ય
પર ઉપકાર કરે ? અરિહંત દ્રવ્યને ઉપકાર આપણું આભ દ્રવ્ય ઉપર કેમ બને ? કારણ કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય પર અસર કરતું નથી. દરેક દ્રવ્યના પિતાના સ્વતંત્ર પર્યાય છે અને તે નિયત થઈ ગયેલા હેવાથી સ્વતઃ બનતા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org