________________
નવપદ પ્રકાશ. કારણ? મહા ઉદય થવામાં પિતાને પુરુષાર્થ નહિ, પણ ભગવાન કારણભૂત -એમ કેવી રીતે કહેવાય?
ઉ૦- ભગવાનનું શરણું લીધું તે પુરુષાર્થ કરવામાં કારણભૂત બન્યું, ને તેથી મહેદય થયે, પુરુષાર્થ જે બીજે લગાવ્યા હેત તો આ મહેાદય કાંઈ થાત નહીં; પણ પ્રભુનું શરણું એવું પાયાનું કારણ મળ્યું કે એના પર જ પુરુષાથ લેખે લાગે અરિહંત સર્વ શુભમાં અસાધારણ કારણ:
સેનાપતિ ભગવાન છે. લડાઈમાં જરૂરી લાગે બધા સૈનિકે, પરંતુ તેમને દોરનાર સેનાપતિ ન હોય, તો તે શું કરી શકે ? લડાઈમાં સેનાપતિની મુખ્યતા છે. સેનાપતિનાં માર્ગદર્શન અને વર્ચસ્વના હિસાબે જ સૈનિક સારું વ્યવસ્થિત લડી શકે છે, એટલે ભલે લડે સૈનિકે, તે સૈનિકે, પણ સેનાપતિ જીત્ય” કહેવાય, એમ ભગવત શરણના પ્રતાપે જ પુરુષાર્થ વગેરે સારું સફળ કામ કરે, ને મહદય થાય, એટલે એ મહાદય ભગવતશરણથી જ મળે ગણાય.
- બીજે દાખલે : યાત્રા અથે પાલીતાણું ગયા, રાત્રે ગાડીમાં સખત શરદી થઈ છતાંય સવારે યાત્રા કરવાની હામ ભીડી, ઉપર ચઢવા તે માંડ્યું, પગ લથડતા હતા, ધાસ જેરમાં હતો, આગળ ચઢતાં ચઢી ન શકાયું, તેથી પાછા વળ્યા, ત્યાં રસ્તામાં સંબંધી મળ્યા, તેમણે પૂછયું :
“કેમ ? યાત્રા થઈ ગઈ “શું થાય? આ શરદી હાંફ ઉધરસ, નથી ચઢાતું ઉપર.”
“અરે ! એમાં નિરાશે શું થાય છે ? પકડો મારે સુહાથ હુમાં યાત્રા કરાવી દઉં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org