________________
નવપદ પ્રકાશ અધૂરા જ્ઞાનથી જોઈ શકતા ન હોઈ, એ અંગે કલ્પનાના ઘેડા જ દોડાવવા પડે છે. દા. ત. મફતવ તે માન્યું, પરંતુ મોક્ષનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખી શકતા ન હોવાથી મેલના અવાંતર વિશેષ અંગે તાકાબાજી જ એમને કરવી પડે; જ્યારે જિનેશ્વર ભગવાનની ઉત્કૃષ્ટ અહિંસા-સંયમ–તપથી સમસ્ત જ્ઞાનાવરણને નાશ કરી, સર્વજ્ઞ બનેલા હોય છે, તેથી અતીન્દ્રિય દ્રષ્ટા અને અરૂપિદ્રષ્ટા છે, એટલે જ એ સંપૂર્ણ જ્ઞાનમાં વિશ્વ અને એની રીતભાત જેવી જુએ છે, તેવી જ પ્રરૂપે છે.
આ રીતે સત પદાર્થોની યથાર્થ દેશનાથી ભગવાન સજ્જનોને આનંદિત કરનારા હોય છે. પ્ર-સજ્જને એટલે કેણુ?
સજજને એટલે? ઉ–અલબત બુદ્ધિના નિધાન બુદ્ધિના વૈભવવાળા ઇંદ્રભૂતિ જેવા, માધાંતા, જે બીજા સાથે વાદ કરી શકે તેવા પ્રતિભાવાળા-ખૂબ પાંડિત્યવાળા-આવા સજનેને તો ભગવાનની દેશના આનંદ આપે જ છે.
કિન્તુ સજજને એટલે કે બુગ્રહ, પૂર્વગ્રહ, દુરાગ્રહ, મહામહ, મહામિથ્યાત્વ, વગેરે દૂષણેથી રહિત અને જિજ્ઞાસુ એ પણ સજ્જન છે. એમાં સામાન્ય મનુષ્ય ઉપસંત પંચેન્દ્રિય તિર્યંચા પણ આવે, જે સમોસરણ પર આવેલા હોય છે. આવા પણ સજનાં હૈયાંને ડોલાવે તેવી વાણી ભગવાન પીરસે છે, એટલે કે માત્ર પંડિતે જ નહિ, કિંતુ સામાન્ય પણ જીવોને સમ્ય દેશનાથી આનંદિત કરનાર-મુગ્ધ કરનાર વ્યક્તિ કરનારા જિનેશ્વર ભગવંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org