SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ પ્રકાશ અવસ્થા છે, તેથી અવશ્ય ભોગવવાના એ વેદનીય કર્મ જીવને શરીર દ્વારા ભવમાં પકડી રાખે એ સહજ છે, એમ આયુષ્ય કમ એ શરીરને ને આત્માના પ્રદેશને ક્ષીરનીરની જેમ અથવા લોહઅગ્નિની જેમ એકમેક રાખે છે, તેથી સહજ છે કે આયુષ્ય કર્મ હોય, ત્યાં સુધી શરીર પ્રદેશમાં આમ પ્રદેશને પકડાયા રહેવું પડે, એટલે આયુષ્ય કર્મ પણ સંસારમાં ભાવમાં પકડી રાખનારું કહેવાય, નામકમ એ પણ શરીરને તત્સંબદ્ધ ત્રસપણું, પ્રત્યેકપણું, યશ-અપયશ, વગેરેના અનુભવ કરાવે છે, એટલે નામ કમનો ભોગવટો હોય ત્યાં સુધી આ અનુભવરૂપ ભવમાં પકડાયા રહેવું પડે. માટે નામ કર્મ પણ ભોપથહી છે. ગેત્રકમ પણું શરીરધારી આત્માને આ ઊંચા કુળના, આ નીચા કુળના, એમ વ્યવહાર આપે છે, એટલે એ હેય ત્યાં સુધી આત્માને શરીરમાં પકડાયા રહેવું પડે, અને તેથી ભવમાં પકડાયા રહેવું પડે, માટે ગોત્રકમ પણ ભવોપગ્રહી કર્મ છે, ખેદ અને અસમાધિ: પ્રમાણસને કુબડું શરીર હોય તો અગર માથામાં શૂળ ઉપડે તો એને ખેદ થાય છે, અસમાધિ થાય છે, અને એ ખેદ-અસમાધિ પરમાત્મ સ્વરૂપના ઘાતક છે, તે આ કુબડું શરીર આપનાર નામ કર્મ તેમજ શૂળ આપનાર અશાતા વેદનીય કર્મઘાતી કેમ નહિ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy