________________
૨૦૦
નવપદ પ્રકાશ કઈ બીજા નિમિત્તથી પામી જાય છે. કોઈ એક જ વ્યાખ્યાન સાંભળીને પામી જાય છે, તો કઈ વધારે વખત સાંભળીને પામી જાય છે. સાધનામાં સાધનાના વેગમાં ફેર હોય છે. ઉપવાસમાં બધાની પરિણતિ સરખી ન હોય, કેઈની ઉચ્ચ હેય, કેઈની મંદ હેય. દરેકને કાળને ફરક હેય, વેગને ફરક હય, સાધનાના વિષયને ફરક હેય. કઈ તપ પાછળ પડે, તો કઈ વૈયાવચ્ચ પાછળ, કઈ જ્ઞાન પાછળ, તો કઈ સંયમ પાછળ... આવા ઘણ-અસંખ્ય વેગ મોક્ષના છે. એમાંથી મુખ્યપણે કઈ એક ભાગ લઈને પણ મોક્ષ પામી જાય, શ્રી મહાનિશીથ શાસ્ત્રમાં આવાં ઘણાં નિમિત્તના દૃષ્ટાંત છે. વિવિધ નિમિત્તનાં દૃષ્ટાંત:
૧. “મારૂં છૂપું પાપ છે, લાવ ગુરુ પાસે આલોચના કરવા જઉં...અહો! મારે આમા કે અધર્મ ! એને શુદ્ધ કરી દઉં' સાવીએ આટલે વિચાર કરતાં કરતાં ત્યાં જ એમને કેવળજ્ઞાન !
૨, બીજા સાધ્વી વિચારે છે: “જાઉં ગુરુ પાસે હમણું ને હમણાં, આલોચના બરાબર કરું! તોડી નાખું કેમ એકે એક !”...ભાવનામાં ચઢી, ને કેવળજ્ઞાન..!
૩. તો કેઈએ ગુરુ પાસે આલોચના કરવા જ્યાં પગલું ઉપાડી રસ્તામાં ચાલવા માંડયું, ત્યાં ભાવ ચઢ ને ત્યાં કેવળજ્ઞાન...!
૪. આચાર્ય પાસે ઊભી રહી “મારે આલોચના કરવી છે,' એમ પાપ કહેતાં કહેતાં કેવળજ્ઞાન પામી ગઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org