________________
૧૯૨
નવપદ પ્રકાશ ભગવાન નિયામક બની મિથ્યાદર્શનમાંથી સમ્યગદર્શનમાં લાવે છે, અને સાર્થવાહ બની અસત પ્રવૃત્તિમાંથી સમ્યફ ચારિત્રમાં લાવે છે.
નિર્ધામકમાં શું ?
જહાજમાં બેસી જવાનું, પછી જહાજ બધું કરે, તેમ સમ્યકુદર્શનમાં બેસી જવાનું પછી એ જ બધું કરે.
સાર્થવાહમાં શું ?
સાર્થમાં ચાલવું પડે, પાછળ પાછળ ચાલ્યા આવે, ગભરાતા નહિ એટલે પ્રભુના ચારિત્રને જોતાં જોતાં ચારિત્ર
પાળે.
ઉપમા એહવી જેહને છાજે. તે જિન નમીએ ઉત્સાહ આવી મહાગોપ વગેરે ઉપમાઓ જે ભગવાનને ભે છે, તેવા ભગવાનને ઉત્સાહ પૂર્વક નમીએ,
ઉત્સાહ પૂર્વક એટલે? નિત્ય નો સંગ એટલે કે પ્રભુને રાગ વધારીને નમીએ.
અહે! નમે જિણાણું નામ જણાવ્યું
આમ અંદર Power વધતો જાય, અહોભાવનો ઉત્સાહ, ઉલ્લાસ વધતો જાય,
આરહંત તત્ત્વ આજે મળ્યું છે તે મળ્યું ! કાલે તે રહેશે કે કેમ? કદાચ જીવતે રહું ને મગજની શક્તિ કુંઠિત થઈ જાય તો? ત્યારે ભગવાન મગજમાં નથી આવતા, પણ અત્યારે મળી ગયા છે.”
તે સંવેગ છે, સંવેગ એટલે વધતા ઊછળતા રાગબહુમાન, તેથી આંતરિક શુભ ભાવ વધતા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org