________________
અરિહંત
માટે ત્રીજી વાત ભાવિતતા મૂકી છે.
આત્માને સદા વાસિત-ભાવિત કરતા રહેવું, નવપદની સાધના, પૂજા અને ભાવિતતા એ નવપદને આત્મામાં ખેંચી લાવે છે. જેમકે દૂર મોક્ષમાં બેઠેલા પરમાત્માને આપણી ભક્તિ આપણું દિલમાં ખેંચી લાવે છે. મોક્ષમાં આપણાથી અળગા થઈ બેઠેલ પરમાત્માને કવિ કહે છે કે : અળગા કીધે કહે કિમ સરશે? ભક્તિ ભલી આકષી લેશે.
ગગને ઉડે દૂર પડાઈ દોરી બળે હાથે રહે આઈ. (રાજસ્થાની-કચ્છી ભાષામાં પતંગ ને પડાઈકહે છે). પતંગ અને ભાવિતતા:
પતંગ આકાશમાં હોય, પણ દોરી બાંધી હેય-તેથી ધારીએ તે તેને નીચે લાવી શકાય,
તેમ નવપદ ક્યાંય દૂરે ઊડે છે, પરંતુ ભાવિતતાની દોરા તેને આપણા આત્મામાં ખેંચી લાવે છે.
સમ્યગૂ દર્શન કયાંય આકાશમાં ઊડે છે, પણ ભાવિન તતાથી હૃદયસ્થ બનેલ નવપદ દોરી જેવા છે તે સમ્યગુ દર્શનને આત્મામાં ખેંચી લાવે છે,
તેમ તીર્થકર નામકર્મ આકાશમાં ઊડે છે, પણ આ વિશુદ્ધ સમ્યગ દર્શનરૂપી દોરી એને આત્મામાં ખેંચી લાવે છે.
કૃષ્ણ મહારાજાએ એમનાથ પાસે ભીખ ન માગી, પરંતુ પોતાના આત્માને નેમનાથ ભગવાનની ભક્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org