________________
અરિહંત
હલ ઉ(૧) અત્યંત વિશુદ્ધ સમ્યગૂ દર્શન
(૨) વીશ સ્થાનકની આરાધના (૩) જીવમાત્રની ભાવકરૂણા
આ ત્રણ ચીજ તીર્થકર નામકર્મ બાંધવા માટે જઈએ. પ્ર–સમ્યગુદર્શનની અત્યંત વિશુદ્ધિ કયાંથી લાવવી? ઉ –તે આવે છે નવપદની ભવ્ય સાધનાથી
તો નવપદની સાધના, નવપદની પૂજા, અને નવપદથી વાસિતતા: આ ત્રણ વસ્તુ સમ્યગ્દર્શનની વિશુદ્ધિ કરી આપે, ને તે કરવાપૂર્વક તીર્થકરનામકર્મ બંધાવી આપે, પ્ર—સાધના કહી તે પછી પૂજા કેમ બતાવી?
સાધનામાં પૂજા ન આવી જાય ?
ત્રિકાળ પૂજા જુદી કેમ બતાવી? ઉત્રિકાળ પૂજા એટલા માટે બતાવી કે પૂજા એટલે ઉચ્ચ કોટિનું પ્રભુનું બહુમાન-ગૌરવ છે. સાધના અને પૂજા :
કેટલાક સાધના તો કરે. ગુરુની સેવામાં ૨૪ કલાક ખડે પગે રહે, પણ ગુરુ માટે બહુમાન ન હોય, પરંતુ બહુમાન ભાઈબંધ સાધુનું કરે, ગુરુ આગળ મેહું દિવેલ પીધા જેવું કરે ! આ ગુરુનું બહુમાન કર્યું ન કહેવાય,
નવપદની સાધના સાથે ગૌરવની જરૂર છે, અર્થાત નવપદ પ્રત્યે હૃદયમાં ભારે ગૌરવ ને અત્યંત બહુમાન જોઈએ, શી વાત નવપદ! ” એમ થવું જોઈએ, શાસ્ત્રમાં આવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org