________________
નવપદ પ્રકાશ
છે, માટે એ ઊચ્ચ આલંબન આપે છે. એ ભગવાનની અસાધારણ કરુણા છે.
બાકી ભગવાનની કરુણાની શી વાત કરવી?
ચંડકેશિયા જેવા અતિ ક્રૂર અને ભગવાનના ચરણે વંશ મારનારા સાપને ભૂઝવી શાંત કર્યો અને અનશન તથા સર્વ પાપત્યાગ કરાવી સેંકડો હજારો કીડીઓના શરીર-આરપાર અત્યંત વેદનાદાયી પરિષહ સમાધિપૂર્વક સહાવી આઠમા દેવલોકન દેવ બનાવ્ય, એ શું ચંડલિયા પર પ્રભુની જેવી તેવી કરુણ છે? ભગવાનની મહાકરુણાની ભેટો:
શ્રી તીર્થકર ભગવાને (૧) જે સૂક્ષ્મ જીવવિજ્ઞાન આપ્યું છે, (૨) માટે એમણે જ જે સૂક્ષ્મ અહિંસા આપી છે.
(૩) “કરે તે ભરે–એમ નહીં, પણ “વરે તે ભરે એ સિદ્ધાંત પર પાપને વરેલાપણું હઠાવવા જે અનન્ય વિરતિમાર્ગ (પ્રતિજ્ઞાપૂર્વક પાપ ત્યાગ) દેખાડે છે.
() જે અનન્ય અને યથાર્થ સ્વાદુવાદ સિદ્ધાંત પ્રરૂપ છે.
(પ) બંધન-સંક્રમણ-ઉદય-ઉદીરણા-ઉદ્વર્તના-અપવર્તાના-નિધત્તિ-નિકાચન-ઉપશમના-ક્ષપણા-વગેરે કારણોથી ભરચક તથા પ્રકૃતિ-સ્થિતિ અનુભાગ (રસ)–પ્રદેશની વ્યવસ્થાથી અલંકૃત જે અદ્દભુત અને અનન્ય કર્મ સિદ્ધાંત આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org