________________
નવપદ પ્રકાશ અનંત બાળકની કરુણા ચિંતવનાર મોટા પુત્ર તીર્થકર જીવના ઊંચા સન્માન કેમ ન કરે ? કુદરતની પ્રભુ પર હજુ વધારે મહેર જુઓ :
દેવતાઓ સમવસરણું બનાવે તે ફક્ત ભગવન માટે જ, પિતાના માલિક ઈન્દ્ર માટે પણ નહિ ! વળી વિશેષ કુદરતના સન્માનમાં પૂર્વે કહ્યું તેમ વિહારમાં પગ મૂકવા નવ સ્વર્ણ કમળ, પંખેર પ્રદક્ષિણા દે, ઝાડ નમતાં જાય, હંમેશાં જઘન્યથી એક કરોડ દેવ સેવામાં હેય, વગેરે વગેરે પ્રભુનાં સન્માન કુદરત કરે છે. પ્રભુની અગાધ કરુણા :
પ્રભુની સર્વજીવકરુણા અને કુદરતના તની યથાર્થ શ્રદ્ધારૂપ સમ્યગદર્શનની અંતર્ગત જિનાજ્ઞા–પ્રતિબદ્ધતાના બળ ઉપર કુદરત એવા અલૌકિક સન્માન કરે છે, એ જોતાં આપણે ધડ લેવા જેવો છે અને દુ:ખિત કે પાપી જી પર લેશમાત્ર દ્વેષ કે કઠેરતા વિના નીતરતો કરુણ ભાવ અને સક્રિય દયા કરવા જેવી છે, તેમજ જિનાજ્ઞાપ્રતિબદ્ધતાને ખૂબ જ વિકસાવવા જેવી છે.
વળી તીર્થકર બનનારને જગતના મોટા ઇંદ્રાદિ કેવા નવાજે છે એ કહે છે –
સુરેશે નરેશે સ્તવ્યા બ્રહ્મપૂતા અર્થાત બ્રહ્મચર્ય-શુદ્ધ આત્મસ્વરૂપથી પવિત્ર એવા પ્રભુને સુરેન્દ્રો-નરેન્દ્રોએ સ્તવ્યા છે, એમની સ્તુતિઓ ખૂબ ભાવ ભરેલી હોય છે. સ્તુતિનું સામર્થ્ય :
આપણું જીવનમાં એ સ્તુતિ લાવવા ને વિકસાવવા માટે એક ઉપાય “અરિહંત પરમાત્માની અનેકાનેક પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org