________________
આરિહંત
૧૮૫ પિતાની પરિણતિ પર સખ્ત ચકી રાખે તે જ આ તોફાની જગતમાં બચી શકે.
વાત આ છે કે બાહ્ય શુભ આચાર પણ એટલા જ જરૂરી છે, ને આંતરિક શુભ પરિણતિ પણ એટલી જ જરૂરી છે.
ભગવાન જીવોને વીર્યાચાર સહિત જ્ઞાનાચાર આદિ પાંચ આચારનું પાલન અને એ આચારોને અનુરૂપ આંતરિક પરિણતિનું ઘડતર આપી જીવોનું રક્ષણ અને તુષ્ટિપુષ્ટિ કરે છે.
જેમ ગોવાળિયે ગાય-ભેંસોને સીમમાં ચરાવે છે, અને શિકારી પશુથી તેનું રક્ષણ કરે છે, તેમજ જંગલમાં ભટકી પડતી બચાવે છે, એવી રીતે તીર્થકર ભગવાન ભવ્ય જીવોને સંસારમાં દુષ્ટ ભાવોથી બચાવે છે. દર્શનજ્ઞાન-ચારિત્ર-તપ-વીર્યને ચાર ચરાવે છે, ધર્મ પરિણતિનું પિોષણ કરે છે, તેમજ સંસારની ચારે ગતિમાં ભટકી પડતા બચાવે છે, એ કામ દુનિયાના ગોવાળિયા-ગોપ નથી કરી શકતા, માટે ભગવાન મહાગોપ કહેવાય છે.
એવા પ્રભુ વળી કેવા કેવા બિરુદ ધરાવે છે તે હવે કહે છે:
મહામહ કહીએ, નિમક સત્યવાહ? ભગવાન મહામાહણ છે અરિહંત અને માહણ:
માહણ” શબ્દ ચક્રવતી ભરત મહારાજાના વખતથી ચાલુ થયું છે. એમના રસોડે જમતા લાખે સાધમિક શ્રાવકને આ એક કર્તવ્ય સંપેલું કે “તમારે હું રાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org