________________
અરિહંત
૧૪૩
“સઠ ઈ પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે.
આ જગતમાં અરિહંત પદ એવું છે કે અરિહંતપદ પ્રાપ્ત થતાં તે તીર્થકરની ૬૪ ઈન્દ્રો પૂજા કરે છે,
તપ કરે એટલે તપથી અશુભ અધ્યવસાયે મેળા પડે અને શુભ અધ્યવસાયો ઊભા થાય, એનું કારણ એ છે કે બાર પ્રકારનો તપ કરતાં કરતાં દેહાધ્યાસ યાને દેહમમતા, આહારાધ્યાસ-આહારસંશા, સુખશીલતાધ્યાસ, વિષયાધ્યાસ વગેરે મમતાએ મોળી પડતી આવે છે. આ મમતાઓના યેગે જ દેહ વગેરેના અશુભ અધ્યવસાય ચાલે છે, એ અધ્યવસાય મોળા પડતાં અશુભ અટકીને, શુભ અધ્યવસાય જાગતા થઈ જાય છે.
દા. ત. “બધાં કામ કરીશું, પણ મરીને નહિ થાય.” શરીર સુખી તો આપણે સુખી –તો આ દેહાધ્યાસ છે, દેહ મમતા છે.
“શરીર રૂપાળું તે આપણે રૂપાળા ” એ વિષયાધ્યાસ છે. “શરીરથી આપણે રૂપાળ નહીં, પણ આપણાથી શરીર રૂપાળું છે. આપણે તે ગુણથી રૂપાળા છીએ. બાકી શરીર તે અંદરમાં જીવ છે ત્યાં સુધી જ રૂપાળું, જીવ નીકળી ગયા પછી શરીર શોભા ગઈ. શરીર ગંદવાડ ન ફેલાવે માટે બાળી નાખવા લાયક. આ ભાવનાથી દેહાધ્યાસવિષયાવ્યાસ ઓછા થાય, આનાથી ઊંધી ભાવના હેય તે શરીરની ટાપટીપમાં શરીર–વિષયની મમતા વધે. સમાધિસુખ:
કામ બધું કરીશ પણ પછી; પહેલાં બરાબર ઊંઘી લેવા દે.. આ નિદ્રાધ્યાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org