________________
અરિહંત
પ્રણિધાન એટલે ધ્યાન ૧. સંભેદ પ્રણિધાન એટલે અરિહંત આવા ગુણ, આવા લાયક, આવા સ્વરૂપવાળા છે, એમ અરિહંતને પોતાનાથી ભિન્ન તરીકે મનની સામે લાવીને ધાવવા એ, આમાં ધ્યાતા પિત, પેય અરિહંત, અને ધ્યાન એ ચિંતનક્રિયા: ત્રણેય ભિન્ન ભિન્ન છે.
ધ્યાતા એટલે ધ્યાન કરનાર આપણે પિત; દશેય એટલે ધ્યાનનો વિષય તે અરિહંતને બતાવ્યા, તે આપણી સામે છે, અરિહંત આવા સ્વરૂપે છે. તેનું એકાગ્ર ચિંતન કરીએ તે અરિહંતનું સંભેદ પ્રણિધાન થયું કહેવાય,
આમાં ધાતા આપણે છીએ. અરિહંત આપણાથી જુદા છે. આપણાથી ભિન્ન સ્વરૂપવાળા અને ભિન્ન
વ્યક્તિને અરિહંતને સમજીને ધ્યાન ધરીએ છીએ કે “અરિહંત આવા પૂર્ણ સ્વરૂપ છે, ને હું એવો નથી. ૨. અભેદ પ્રણિધાનઃ
ધ્યાન એટલે ધ્યાન, ત્યાં બીજે કઇ વિચાર નહીં, બીજી કઈ પ્રવૃત્તિ નહીં, બીજુ કોઈ કામ નહીં. એકતાર, એકતાન, એકાકાર ! આ ધ્યાનમાં અરિહંત અષ્ટ પ્રાતિહાર્યથી ભતા દેખાય, મહાપ દેખાય, મહામાહણ દેખાય, મહાનિર્ધામક ને મહાસાર્થવાહ દેખાય. આવાં અરિહંતનું તન્મય ધ્યાન કરાય, એ સંભેદ પ્રણિધાન, એ તન્મય ધ્યાન કરતાં કરતાં ઉત્કૃષ્ટ તન્મયતા થાય કે કેવા અરિહંત વીતરાગ: સર્વજ્ઞ! અલભી ! નિર્મોહી! અક્રોધી! એમાં જ્યારે ઉત્કૃષ્ટ તન્મયતા થઈ જાય, ત્યારે આ સંભેદ પ્રણિધાન તે અભેદ પ્રણિધાન થઈ જાય છે. ત્યારે પછી પોતે દયેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org