________________
૧૩૦
નવપદ પ્રારા
ઉપાડ થશે વિજયજીકૃત પૂજાની દાળ. ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યું જિનનામ, ચોસઠ ઇ પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ; રે ભવિક! સિદ્ધચક ૫દ વંદે, જિમ ચિરકાળ નંદો.
અર્થ: છેલ્લા ભવના પૂર્વમાં ત્રીજા ભવે જેમણે શ્રેષ્ઠ વીસ સ્થાનને તપ કરીને તીર્થકર નામકર્મનું પુન્ય ઉપાર્જન કર્યું છે અને જે ૬૪ ઈન્દોથી પૂજાયેલા છે, એવા જિનેશ્વર ભગવાનને પ્રણામ કરે.
હે ભવ્ય જન! સિદ્ધચક્રના પદને વંદો.
શ્રી નવપદ પૂજામાં હવે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની રચેલી ઢાળ શરુ થાય છે.
અહીં પહેલાં નવપદ સિદ્ધચકના પ્રથમ પદ અરિહંત પદની સ્તવના કરવામાં આવે છે. એમાં અરિહંત શી રીતે બને છે?
ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી. વીસ વરસ્થાનકે:
અરિહંતના ભવના પૂર્વના ત્રીજા ભવે શ્રેષ્ઠ એવા ૨૦ સ્થાનકને તપ અર્થાત આરાધના કરી નામ કર્મનું પુણ્ય જેમણે બાંધ્યું છે એવા તે તીર્થકર ભગવાન ૬૪ ઈન્દ્રથી પૂજિત બને છે. એવા એ ભગવાનને પ્રણામ કરે. એમ પહેલી ગાથામાં બતાવ્યું છે.
શ્રી જૈન શાસનમાં શાસનના પ્રણેતા અને દેવાધિદેવ તરીકે આરાધ્ય વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાન છે. એ અરિહંત પરમાત્મા તરીકે પણ ઓળખાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org