SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo નવપદ પ્રકાશ લડાઈમાં તેમને રસ ન હતો તેથી જ સ્વેચ્છના અભિમાન ઉપર એમણે શિકસ્ત આપવાની ગાંઠ વાળી ન હતી. એટલા બધા પ્રભુ નિલેપ, અનાસક્ત ને જ્ઞાનપ્રધાન જીવનવાળા હતા. માનવતા : પ્લેચ્છ રાજાને શિખામણ જરૂર આપી, “આપણું જીવન જનાવર કરતા ઊંચું છે. આપણે ઊંચે માનવ જન્મ છે, તો આપણાથી જે નીચે હોય તેને સહાયતા કરવાની –એના પર અનુગ્રહ-કૃપા કરવાની એ આપણે ધર્મ છે; આપણું ઊંચું કૃત્ય છે, કિંતુ નીચાને કચડવાને ધર્મ નહિ; નીચાને –દુબળાને કચડવો એ હલકું કૃત્ય છે, પિશાચી કૃત્ય છે, પાશવી કૃત્ય છે. ઊંચું કૃત્ય તો નીચાને-નબળાને સહાય કરવાનું છે, તેનું નામ છે માનવતા ! ” આટલું અનાસક્ત જીવન હતુ પાર્શ્વકુમારનું. ૩૦ વર્ષના થયા એટલે તેમણે દીક્ષા લેવાની વાત કરી, પિતા ના કહે છે, પરંતુ ત્રણ જ્ઞાનથી પ્રભુ જુએ છે કે “હવે ભેગાવલી કર્મ ક્ષીણ થઈ ગયું છે, હવે ભગ કર્મ રહ્યા નથી, તેથી પાપ અને ઉન્માદભર્યા સંસારમાં બેસી રહેવાય જ નહિ. એટલે માતાપિતા ને પત્નીને દીક્ષા માટે સમજાવી લે છે. પ્રભુનું જ્ઞાન પ્રધાન જીવન હતું, તેથી જ્ઞાનથી જેનારા હતા. જ્ઞાનનો ઉપયોગ વિષયોથી ઉભગવા માટે હોય. સંસારના રંગરાગ, વિષયેની ઉજાણી ને પ્રમાદના આચરણના ભારમાંથી બહાર નીકળવા માટે હોય; કષાયોને નામશેષ કરી નાખવા માટે હેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy