SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ નવપદ પ્રકાશ, પ્ર-એમ તે દુનિયાના મહારથી માણસ ખૂનખાર લડાઈ કરી દુમનને જીતે કે ખતમ કરે, એમાં શું અખૂટ વીર્ય પ્રગટ કરનારા ન કહેવાય? જેમકે ત્રિપૃષ્ઠ વાસુદેવે જંગલમાં માત્ર બાહુબળથી ફાળ મારી આવતા મોટા સિંહના બે જડબાં પકડી ઊભો ચીર્યો. શું આમાં પિતાનું અગાધ વીય પ્રગટ ન કર્યું? ઉ0-ના. આમાં તે વીર્ય કરતાં પોતાના ઉત્કટ કષાયને પ્રગટ કર્યા અથવા કહે, પોતાના અશુદ્ધ કષાય વીર્ય તથા મલિન વેગ વીર્યને પ્રગટ કર્યું; જ્યારે પ્રભુએ ગોવાળ કાનમાં ખીલા ઠોકવા આવ્યો, તો જન્મતાં લાખ જેજનના ઊંચા મેરૂ પર્વતને ડોલાવવાની તાકાતવાળા છતાં તેને સામને કરવા મલિન વીર્ય ન પ્રગટાવ્યું નહિતર, એમની એક લાતે ગવાળિયે ગોઠંબડા ખાઈ ગયો હોત. પરંતુ આ ભયંકર કષ્ટ માત્ર સહી લેવા નહિ, કિંતુ આવકારી લેવા માટે એવું શુદ્ધ વીર્ય પ્રગટાવ્યું કે પોતાના મસ્તકને સ્થિર રાખ્યું, જેથી ગોવાળિયો એકલે છતાં કાનમાં ખીલે ઠેકતી વખતે બીજી બાજુમાં પ્રભુના માથાને કઈ મજબુત પકડી રાખનાર ન હતું, છતાં ખીલે ઠેકી ઠોકીને આ સાનીથી કાનને વીધી અંદરમાં ખાસી શકાય. આ હતું નિજ વીર જ અર્થાત પિતાનું શુદ્ધ વીર્ય પ્રગટાવવામાં વડવીર બન્યા. સારાંશ : દુનિયાને માણસ કષાય અને દુષ્કૃત વિકસાવવામાં વીર યુદ્ધસંગ્રામ કે સામનો કરવાની વીરતા બતાવે છે, ત્યારે પ્રભુ ક્ષમા-સમતા-સહિષ્ણુતાસુકૃત આદિનું શુદ્ધ વીર્ય વિકસાવવામાં વીરતા દાખવે છે. એ જ એમની વડવીરતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy