________________
૫૮
નવપદ પ્રકાશ
વડાઇ રંગરાગની નહિ, પણ ત્યાગની છે. વડાઈ સંયમની-સાધનાની-સુકૃતની છે,
પૈસાથી વટ પડે નહિ, સુકૃતથી વટ પડે. સુકૃત વિના એકલા પૈસાથી વટ પાડે તો તે ભૂખડી બારસ જેવા સમજવા
તારે વટ પાડવો હોય તો સિદ્ધચક પાસે પાડ કે આટલું દાન આપીશ. શિયળ પાળીશ, તપ કરીશ, સંયમ પાળીશ. સિદ્ધચક તો તે બધાના જ્ઞાતા છે. તે બધું જુએ છે.
સિદ્ધચકના ધ્યાનથી શ્રીપાલ ધવલને માફી આપવામાં વડાઈ માને છે. અપકારી પર ઉપકાર કરવામાં તે વટ માને છે,
સિદ્ધચક્રનું ધ્યાન છે એટલે શ્રીપાલ રાજા સલામતી શામાં માને છે ?
દુશમનને મારી નાખવામાં નહિ, પરંતુ દુશ્મનને જીવતો રાખી પોતાના દિલમાં એના પ્રત્યે નકરી મિત્રતા, સ્નેહભાવ બન્યો રહે, તેમાં શ્રીપાલ સલામતી માને છે. આત્માના ગુણોની સંપત્તિ કમાઈ લેવામાં તે સલામતી માને છે.
પ્ર–આત્માના મોટા ગુણ કયા ?
ઉ–આત્માના મોટા ગુણ : પરોપકાર, દયા ને ક્ષમા. ધવલને મારી નાખવા રાજા તૈયાર થાય છે, ત્યારે શ્રીપાલને થાય છે કે આ ધવલ દયાપાત્ર છે, હું જે વચમાં નહીં પડું તો ધવલને મરવું પડશે. દયાની કમાણી કરવાને આ સારો અવસર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org