SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ નવપદ પ્રકાશ વડાઇ રંગરાગની નહિ, પણ ત્યાગની છે. વડાઈ સંયમની-સાધનાની-સુકૃતની છે, પૈસાથી વટ પડે નહિ, સુકૃતથી વટ પડે. સુકૃત વિના એકલા પૈસાથી વટ પાડે તો તે ભૂખડી બારસ જેવા સમજવા તારે વટ પાડવો હોય તો સિદ્ધચક પાસે પાડ કે આટલું દાન આપીશ. શિયળ પાળીશ, તપ કરીશ, સંયમ પાળીશ. સિદ્ધચક તો તે બધાના જ્ઞાતા છે. તે બધું જુએ છે. સિદ્ધચકના ધ્યાનથી શ્રીપાલ ધવલને માફી આપવામાં વડાઈ માને છે. અપકારી પર ઉપકાર કરવામાં તે વટ માને છે, સિદ્ધચક્રનું ધ્યાન છે એટલે શ્રીપાલ રાજા સલામતી શામાં માને છે ? દુશમનને મારી નાખવામાં નહિ, પરંતુ દુશ્મનને જીવતો રાખી પોતાના દિલમાં એના પ્રત્યે નકરી મિત્રતા, સ્નેહભાવ બન્યો રહે, તેમાં શ્રીપાલ સલામતી માને છે. આત્માના ગુણોની સંપત્તિ કમાઈ લેવામાં તે સલામતી માને છે. પ્ર–આત્માના મોટા ગુણ કયા ? ઉ–આત્માના મોટા ગુણ : પરોપકાર, દયા ને ક્ષમા. ધવલને મારી નાખવા રાજા તૈયાર થાય છે, ત્યારે શ્રીપાલને થાય છે કે આ ધવલ દયાપાત્ર છે, હું જે વચમાં નહીં પડું તો ધવલને મરવું પડશે. દયાની કમાણી કરવાને આ સારો અવસર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy