________________
૧૫૮
નવપદ પ્રકાશ ઉહા, બને. નદી પરના પૂલ પરથી ચાલ્યા, તેથી નદી
પાર થઈ ગઈને અંગૂઠો ભીંજાય નહિ! તેમ આપણે તનું ચિંતન કરીએ, વાચના સાંભળીએ, છતાં તથી ભીંજાતા નથી. આ તત્ત્વના પૂલ ઉપરથી ચાલીએ છીએ, આપણે અંદર તત્ત્વમાં ડૂબતા નથી, પણ પ્રભુ એવા એટલા બધા ડૂબેલા કે ઉપદ્રવના ત્રાસમાં પણ એને વિચાર નહીં. આ પ્રભુને નાને સૂને અતિશય છે?
બધા સંકલજીવો કરતાં ચઢિયાતા ગુણ સ્વરૂપ અતિશયવાળા ભગવાન છે અથવા ચઢિયાતા ગુણવાળા અને અતિશયવાળા છે,
આવા સર્વકરતાં ઉત્કૃષ્ટ ગુણ ને અતિશયવાળા ભગવાનને પામીને આપણે શું ? આપણને શું લાભ ?
તે કે એમને નમસ્કાર કરવાથી આપણું પાપ ટળે છે. એ મહત્ત્વ છે, માટે કહ્યું: છે તે જિન નમી અઘ ટાળું રે...ભવિકા” પ્રભુને નમવાથી પાપ કયારે ટળે?
પ્રભુપર અત્યંત ભક્તિરસ ભર્યું, તેમજ સર્વોત્કૃષ્ટ બહુમાન આપણું દિલમાં ઉછળતું હોય ને એ માટે જ “સકલ અધિક ગુણ અતિશયધારી તરીકે પ્રભુને ઓળખાવ્યા છે, એ મન પર લઈએ તે અવશ્ય આપણું દિલમાં એવું બહુમાન ઉછળવા લાગે કારણ કે ભગવાન તે ભગવાન છે.
આ રીતે ભગવાનની ઓળખ કરીએ, સ્તવના કરીએ, એટલે ભગવાન પર સદ્દભાવ વધી જાય બહુમાન વધી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org