SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ નવપદ પ્રકાશ ઉહા, બને. નદી પરના પૂલ પરથી ચાલ્યા, તેથી નદી પાર થઈ ગઈને અંગૂઠો ભીંજાય નહિ! તેમ આપણે તનું ચિંતન કરીએ, વાચના સાંભળીએ, છતાં તથી ભીંજાતા નથી. આ તત્ત્વના પૂલ ઉપરથી ચાલીએ છીએ, આપણે અંદર તત્ત્વમાં ડૂબતા નથી, પણ પ્રભુ એવા એટલા બધા ડૂબેલા કે ઉપદ્રવના ત્રાસમાં પણ એને વિચાર નહીં. આ પ્રભુને નાને સૂને અતિશય છે? બધા સંકલજીવો કરતાં ચઢિયાતા ગુણ સ્વરૂપ અતિશયવાળા ભગવાન છે અથવા ચઢિયાતા ગુણવાળા અને અતિશયવાળા છે, આવા સર્વકરતાં ઉત્કૃષ્ટ ગુણ ને અતિશયવાળા ભગવાનને પામીને આપણે શું ? આપણને શું લાભ ? તે કે એમને નમસ્કાર કરવાથી આપણું પાપ ટળે છે. એ મહત્ત્વ છે, માટે કહ્યું: છે તે જિન નમી અઘ ટાળું રે...ભવિકા” પ્રભુને નમવાથી પાપ કયારે ટળે? પ્રભુપર અત્યંત ભક્તિરસ ભર્યું, તેમજ સર્વોત્કૃષ્ટ બહુમાન આપણું દિલમાં ઉછળતું હોય ને એ માટે જ “સકલ અધિક ગુણ અતિશયધારી તરીકે પ્રભુને ઓળખાવ્યા છે, એ મન પર લઈએ તે અવશ્ય આપણું દિલમાં એવું બહુમાન ઉછળવા લાગે કારણ કે ભગવાન તે ભગવાન છે. આ રીતે ભગવાનની ઓળખ કરીએ, સ્તવના કરીએ, એટલે ભગવાન પર સદ્દભાવ વધી જાય બહુમાન વધી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy