________________
નવપદ પ્રકાશ
ખાવાપીવામાં જે આનંદ તેમને નથી આવતો, તેથી વધુ આનંદ ખાવાનું ત્યાગવામાં આવે છે.
અબુધ રહેવામાં આનંદ નથી, પણ ખરે આનંદ શાસ્ત્ર પઢવામાં છે, શાસ્ત્રમાં લયલીન થવામાં છે.
દુન્યવી વિષયોની જમજામાં જે આનંદ નથી, તે આનંદ વિષય-ત્યાગમાં છે. વિષયના ઉપભોગમાં નહિ પણ ત્યાગમાં આનંદનાં કારણ:
વિષયના ઉપભેગમાં નહિ, પરંતુ વિષયના ત્યાગમાં આનંદ એટલા માટે છે કે(૧) ભેગવટા પછી વિષયે વહેલામોડા નાશ પામે છે.
અને ઉપભોગ તો તરત જ નાશ પામે છે. એટલે એને આનંદ પણ નાશ પામે છે, જ્યારે વિષયને ત્યાગ ચિરસ્થાયી છે, અમર છે, તેથી તેને આનંદ ચિરસ્થાયી અમર બને છે, વિષયભોગના આનંદ પછી બીજે અધિક આનંદ મળતાં પૂર્વનાં આનંદ પર ખેદ થાય છે, જ્યારે ત્યાગના આનંદમાં હંમેશાં, અધિક ત્યાગ મળે તોપણ
પૂર્વ ત્યાગની અનુમોદના જ રહે છે. (૩) વિષયભોગમાં સર્વ હણાય છે, એવા સર્વનાશમાં
આનંદ છે ? દાત. ક્ષત્રિય બચ્ચે યુદ્ધમાં અડધેથી પાછા આવી જીવતા રહ્યાનો આનંદ માને, પરંતુ ક્ષાત્રવટ ગુમાવ્યાથી ખરેખર તો અંતરમાં ખેદ થાય છે, એમ અહીં સવ ગુમાવ્યાથી સાચો આનંદ નથી, તામસી આનંદ છે; જ્યારે ત્યાગમાં સત્ત્વને વિકાસ થાય છે અને એથી સાવિક આનંદ પ્રાપ્ત થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org