________________
અરિહંત
૧૮૧ ભરત ચક્રવતી અનિત્યતાની ભાવના પર ધ્યાન નામના તપાચારમાં ચડયા ત્યાં સાથે વીર્યાચારનો વેગ આપતા ગયા ને કેવળજ્ઞાન પામ્યા.
આમ જ્ઞાનાચારના ૮ ભેદ, દશનાચારના ૮ ભેદ, ચારિત્રાચારના ૮ ભેદ, તપાચારના ૧૨ ભેદ મળી ૩૬ ભેદ તે વિચારના ૩૬ ભેદ છે, અને એ દરેકમાં પ્રબળ વીર્ય ફેરવવાનું છે,
જ્ઞાનાચાર વગેરે દરેકમાં વીચાર મેળવવાનો છે, તેથી તન્મયતા વધતાં ઉત્સાહ વધતું હોય છે, જેમ વધતું હેય છે, પછી સાધના થાય તે આત્મસાત થાય.
તપાચારમાં વીચાર :
દા. ત., અનશન ઉપવાસ કરે. એમાં વધતું જેમ હોય, એટલે ઉપવાસમાં Power આવે, ઉત્સાહ વધતો જાય, સાંજ પડતાં પડતાંમાં એટલો ઉત્સાહ વધી જાય કે એને થાય કે આવતી કાલે ઉપવાસ કરી લઉં. ” આ વિચાર -આવો ભાવ થાય. પ્રતો બીજે દિવસે તેવો ભાવ-વિચાર કેમ નથી કરતો? ઉ –બીજે દિવસે સવારે તે ભાવના ભાવે જ છે કે“ભગવાને
છમાસી તપ કહ્યો છે, તે સંયમ-યોગ સાધીને હું કરી શકીશ? સંયમ અને યોગને સલામત રાખીને તપ કરવાનું છે,
આમાં “સંયમ એટલે જીવજતના-જીવરક્ષણ તથા ઈન્દ્રિય સંયમ વગેરે. “ગ” એટલે સાધવાચાર–સાધુપણાને આચાર. તેમાં આવશ્યક ક્રિયા, સ્વાધ્યાય, સેવા, વૈયાવચ્ચે એ પ્રધાન આચાર છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org