________________
૨૨.
અનુભવ થાય છે. તેને ઇન્દ્રિયો જોઈ શકતી ન હોવાથી તે ઈન્દ્રિયાતીત છે. પૂર્ણ સ્વરૂપ પ્રગટયા પછી તે જતું નથી. કેવળજ્ઞાન સિવાય બીજું આત્માનું સ્વરૂપ શું હોઈ શકે ? અર્થાત તે સિવાય બીજું સ્વરૂપ નથી. ઈન્દ્રિયોની અપેક્ષામદદ વિના પિતાને પોતાના બંધ થા–અનુભવ થ. અને તે પણ કઈ વખત નાશ ન થાય તેમ ટકી રહે તે કેવળજ્ઞાન આત્માનું સ્વરૂપ છે.
રાગ બંધન કર્તા છે. જે મનુષ્યને આત્મા સિવાય અન્ય વસ્તુમાં જ્યાં સુધી એક અણુ જેટલો પણ રાગ છે ત્યાં સુધી પૂર્ણ સ્વરૂપ પ્રગટતું નથી, કદાચ તે આત્મસ્વરૂપને શાસ્ત્રો દ્વારા જાણતો હોય છતાં રાગાદિના કારણે તે પાપ વડે બંધાયા વિના રહેતું નથી.
ઉત્કૃષ્ટ પુન્ય બંધ. જે મનુષ્ય પોતાના આત્મ સ્વરૂપને મૂકીને પંચપરમેષ્ટિ –જે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપ છે તેની સેવા કરે છે, તેના ગુણ ગાય છે તે ઉત્કૃષ્ટ–ઉત્તમ પુન્ય બંધ બાંધે છે, પણ પોતાના શુદ્ધ આત્માના ધ્યાન સિવાય કર્મને ક્ષય કરી શકતો નથી. આત્માથી અન્ય બધાં પદ્રવ્યને દૂર કરીને આત્મતત્તવમાં રતિ–પ્રીતિ કર્યા વિના આવતાં કમ સેકવાને કોઈ પણ સમર્થ થતું નથી. આ વાત