Book Title: Prabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Author(s): Parmanand Kunvarji Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/525951/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૬ | Regd. No. MH. 17 વાર્ષિક લવાજમ રૂા. ૪ + + + - ઉ. પદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૧૭ T - મુંબઈ, જાન્યુઆરી ૧, ૧૯૬૪, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ ૨૫ પૈસા -------- - --- તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા શ્રી વિમલાબહેનનો એક પત્ર ? (શ્રી વિમલાબહેન ઠકારના નામથી અને તેમની પ્રવૃત્તિથી પ્રબુદ્ધ જીવનના વાચકે આજ સુધી સુપરિચિત રહ્યા છે. તેઓ યુરોપને લગભગ છ માસને પ્રવાસ કરીને ગયા વર્ષે ૨૪-૧૨-૬૪ ના રોજ મુંબઈ પાછા ફર્યા હતાં. તેમના એ પ્રત્યાગમનના સંદર્ભમાં તા. ૪-૧-૬૫ ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી વિમલાબહેનને વાર્તાલાપ ગઠવવામાં આવ્યું હતું અને તેની વિગતો તા. ૧૬-૨-૧૯૬૫ ના “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવી હતી. આ વાર્તાલાપમાં તેમના યુરોપના નિવાસ દરમિયાનનાં કેટલાંક સમરણ અને તે અંગે તેમના ચિત્તા ઉપર પડેલા સંસ્કારે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ આશરે દશ મહિના ભારતમાં અને તેમાં પણ મોટા ભાગે માઉન્ટ આબુમાં રહ્યા અને ગયા ઑકટોબર માસની ૧૯ મી તારીખે તેઓ યુરોપ તરફ વિદાય થયા. ત્યાંથી તેમના તરફથી ગત નવેંબર માસની ૧૨ મી તારીખને એક પત્ર મારી ઉપર આવ્યો છે. આ પત્રમાં ભારત ખાતેના તેમનાં નિવાસ દરમિયાન કોને કોને મળવાનું બન્યું તે અંગેની કેટલીક માહિતી આપવામાં આવી છે, ભારતની અદ્યતન પરિસ્થિતિ અંગે તેમના કેટલાક વિચારોનું તેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, અને હાલ યુરોપમાં તેઓ કઈ કઈ પ્રવૃત્તિમાં રાયલા રહે છે તેને પણ કેટલાક ખ્યાલ આપવામાં આવ્યો છે. પ્રબુદ્ધ જીવન’ના વાચકોના વિમલાબહેન અંગેનાં સ્મરણોને તેમની આ વચગાળાની પ્રવૃત્તિઓ સાથે અનુસંધિત કરવાના હેતુથી તેમને એ રસપ્રદ તેમ જ પ્રેરક પત્ર જે મૂળ હિંદીમાં છે તેને અનુવાદ નીચે આપવામાં આવે છે. આ પત્ર વિમલાબહેનના અતિ સમૃદ્ધ અને સૌહાર્દભર્યા વ્યકિતત્વને પરિચય કરાવવામાં પણ ઠીક ઠીક ઉપકારક બનશે. પરમાનંદ). હીવરસમ, હોલાંડ, તા. ૧૨-૧૧-૬૫ આવ્યું. સભા ચાલતી; પરિસંવાદ ચાલતા; મળવા - હળવાવાળાને પ્રિય ભાઈ, તંતુ ચાલુ રહેત; અને આ બધાની વચ્ચે અમારી ત્રણેની મહેફિલ પત્ર મળ્યું. ત્યાં આપનું સ્વાથ્ય નરમ રહે છે એ ગાળે ગાળે ચાલુ રહેતી. માર્ચમાં જવાનું બન્યું બનારસ, પંડિત જાણીને થેડી ચિન્તા થાય છે. વખતોવખત કુશળપત્ર લખતા કારનાથજી પાસે થોડો સમય રહેવા માટે. મારી વિદ્યાર્થી અવસ્થાથી રહેશે. મારું સ્વાગ્ય ઠીક છે. હું પંડિતજીની સંગીત સાધના ઉપર મુગ્ધ છું. એમની સ્વાયત્ત કન્યા - મિલન-પરંપરા બન્યાને લગભગ વીશ સાલ થવા આવી છે. દર સાલ યુરોપથી પાછા ભારતમાં આ વખતે હું લગભગ દશ મહિના રહી. આ સમય ફરતાં. બાપુની પાસે બે ચાર દિવસ રહું. બાપુ પિતાની આત્મના માટે જ્યારે ગાવા બેસે છે ત્યારે એ મજા આવે છે કે જે દરમિયાન માઉન્ટ આબુમાં છ મહિના રહેવાનું બન્યું. ચાર મહિના મજા તેમની કોઈ ઔપચારિક બેઠકમાં નથી આવતી. ' ભારતના વિભિન્ન વિભાગોમાં પરિભ્રમણ થયું. એ દિવસની યાદ આવે છે કે જે દિવસો પ્રિય વિનોબાજી પાસે પવનારમાં પસાર કર્યા આબુમાં આ વખતે સ્નેહીજનોએ સ્નેહ વરસાવ્યો. ત્રણ હતા. ત્રણ દિવસ ડિસેંબર ૧૯૬૪ માં; બે દિવસ ફેબ્રુઆરી ૧૯૯૫ મહિના મારી પાસે શ્રી શંકરરાવ દેવ શિવકુટીમાં રહ્યા. જયપ્રકાશમાં, તેમના ઉપવાસના સમયે. તેમની અને મારી વચ્ચે હવે શબ્દમય પ્રભાવતીજી એક અઠવાડિયું રહ્યાં. સંત તુકડોજી એક સપ્તાહ રહી સંવાદ માટે અવકાશ નથી રહ્યો. નિ:શબ્દ મૌન સહવાસમાં પરિ- ગયા. મારી બેનપણી ર્ડો. પ્રેમલતા શર્મા (બનારસ યુનિવર્સિટીની પૂતિને અનુભવ થાય છે. યાદ આવે છે ફેબ્રુઆરી ૧૯૬૫ ના બાર સંગીત અને લલિતકળાઓની અદયાપનશાખાની ડો) એક દિવસે કે જ્યારે પ્રિય કૃષ્ણમૂર્તિજીને મુંબઈમાં અનેક વાર મળવાનું અઠવાડિયું મારી સાથે રહી ગઈ. તેની સાથે સ્વામી પ્રત્યગાત્માનંદ બન્યું. ત્યાં પણ એ જ અનુભવ છે કે વાડમય વ્યાપાર માટે ગુંજા- સરસ્વતીનું જપસૂત્ર, સ્વામીશ્રી કૃષ્ણચૈતન્ય ભારતીનું . વૈદિક યશ નથી રહી. તેની અને મારી વચ્ચે એક એવી નિગૂઢ અખંડ એકતા મેથેમેટીક્સ,” બ્રહ્મર્ષિ દેવરાજીનું “છંદદર્શન', કવિરાજ ઝંકૃત બનતી રહી છે કે જેનું સંગીત મૌનની ભાષામાં જ વ્યકત થઈ ગોપીનાથના તંત્રવાડમયમની શાકત ઉપાસના—વગેરે ગ્રંથ શકે છે. માર્ચમાં રહેવાનું બન્યું ભાઈ જયપ્રકાશજી તથા પ્રભાવ- જોવાનું બન્યું. એક અમેરિકન મિત્ર ડે. ફૂડ બૂમ એક અઠવાડિયું તીજી સાથે. છ વર્ષ બાદ હું બિહાર ગઈ. નિમિત્ત હતું પ્રભાવતીજીની રહી ગયા. Mutations of the Mind-માનવ-મનના પર્યાય-ને મહિલા ચરખા સમિતિને રજત જયંતી મહોત્સવ. આત્મવિલેપન- લગતી સમસ્યા અંગે ચર્ચા કરવા માટે તેઓ આવ્યા હતા. શ્રી સુનંદાયોગની અદભુત સાધિક પ્રભાવતીજી; ઋજુતા - યોગના મહાન બહેન વેરા તથા કલ્યાણભાઈ શાહે સાત દિવસ રહી ગયા. સમાજઅધિકારી જયપ્રકાશજી. અમે પાંચ દિવસ સાથે રહ્યા, એમ છતાં સેવકોની માનરિક સમસ્યાઓ ઉપર વિચાર-વિમર્શ કરવા માટે આવ્યા પણ વાતને અંત ન આવ્ય; ન મિલનની ખુમારીની મજાને છેડો હતા. દિલીપ કોઠારી તથા તેમનાં પત્ની કાન્તાબહેન એક અઠવાડિયું Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આવી ગયાં. એ બેના સહવાસ એટલે સાહિત્ય સંગીત-કલાવિનેદના જીવંત સહવાસ. સંયોગવશાત એ જ સમયે આવ્યા હતા શ્રી. ગંગાશરણપ્રસાદ સિન્હા. ગંગાબાબુની અભિજાત રસિકતા, વિનોદશુકિત તથા રાજનૈતિક ક્ષેત્રની સેવાના અગણિત અનુભવોના આ વખતે પરિચય થયો. રાત વહી જતી અને દિવસ દાડયે જતા, પણ અમારી મહેફિલનો રંગ જામેલા રહેતા. કેટલું લખું? ઑગસ્ટમાં દાદા ( ધર્માધિકારી) આવ્યા, સાથે રહ્યા. પ્રભા મરચન્ટ, ડૉ. નિર્મલ ચૌધરી, પાર્વતી ધવન, પ્રભા ચૌધરી વિગેરે સખીએ આવી. સાથે રહી અને ગઈ. આપ આવ્યા હતા. આપ સર્વેએ સ્નેહવર્ષા વરસાવીને મને અનંત શકિતનું પ્રદાન કર્યું. ભલેને બહુ થોડા સમય માટે, આવ્યા હતા પરમમિત્ર વસુભાઈ તથા ચંદ્રાબહેન પારેખ, જેમની સાથેની મારી મૈત્રી પુરાણી હોવા છતાં નિત્યુનૂતન રહી છે. રાજસ્થાન સેવક સંઘની શિબિરના નિમિત્તે આવ્યા હતા સર્વી ગોકલભાઈ, સિદ્ધરાજજી, પૂર્ણચંદ્ર જૈન, કૃષ્ણરાજ મહેતા વગેરે સર્વ પુરાણા સાથી પ્રેમપૂર્વક મળ્યા. કારણવશ આવ્યા હતા અકબરભાઈ - મદીનાબહેન અને અમે ખૂબ મળ્યા, ભજન ગાયાં, મજા લૂંટી. પ્રબુદ્ધ જીવન દેશની અદ્યતન પરિસ્થિતિ વિષે આમ આ બધી મધુર ઘટનાઓ બનવા છતાં, આખા સમય મારૂં ચિત્ત ભારે રહ્યું, જે દિવસે (તા. ૨૪-૧૨-૬૪) મુંબઈમાં પગલાં માંડયાં તે દિવસથી ભારત છેડયું. તે દિવસ સુધી (તા. ૧૯-૧૦-૬૫)ની ક્ષણ સુધી ચિત્ત ઉપર બોજો રહ્યો ભારતની કુલ પરિસ્થિતિ અંગે વિશેષ ઉલ્લેખનીય છે કાશ્મીર સમસ્યા. ૧૯૬૫ના જુલાઈ માસમાં કાશ્મીર જવાનું બન્યું. અનેક લોકોને મળવાનું બન્યું. કેટલાંય ગામામાં ઘૂમવાનું બન્યું. હું ત્યારે સમજી ગઈ હતી કે કાશ્મીર સમસ્યાને એક જાગતિક પ્રશ્ન બનાવવામાં ઘણા લોકો વ્યસ્ત છે, વ્યગ્ર છે. મારી સમજમાં આવી ગયું હતું કે કોઈ ને કોઈ એક દિવસે ભારત સરકાર તથા કાશ્મીરી જનતાના નેતાઓ સાથે, એક સાથે બેસીને, આ સમસ્યાનો ઉકેલ લાવવા જ પડશે. આજ પણ મારા ખ્યાલ છે કે જેટલું જલ્દિથી આ કરવામાં આવે એટલું એ કાશ્મીરી જનતા, ભારત સરકાર તથા પાકિસ્તાની જનતાના વધારે હિતમાં હશે. પાકિસ્તાનને, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને તેમ જ અન્ય દેશને આપણે જરૂર કહીએ કે, ‘Hands off’ – ‘કાશ્મીરની બાબતથી દૂર હઠો' પણ જ્યાં સુધી કાશ્મીરી જનતાના સવાલ છે, તે અંગે તે લોકોને પૂરું આશ્વાસન મળવું જોઈએ, તેના નેતાઓની આપણે ઈજજત કરવી જોઈએ, તેમના પ્રત્યે આદરપૂર્વક જોતાં થવું જોઈએ. હું અહિં અહિંસાની બાબત આગળ વરતી નથી. માનવતાના હક્કમાં, એછામાં આછું આપણે શેખ સાહેબ, મૌલાના મસૂદી જેવા સમજપૂર્વક વર્તવાવાળી વ્યકિતઓ સાથે વાતચીત તે શરૂ કરીએ. આટલું જરૂર કરવું ઘટે છે. કાશ્મીરની બાબતમાં ભારતીય જનતાને સાચી હકીકતોની બહુ ઓછી જાણકારી મળે છે. ખેર ! ઑગસ્ટમાં કાશ્મીરમાં ધ્રુસપેઠ થઈ. પ્રતિકારાત્મક લડાઈનું પગલું ભારત સરકારને અનિવાર્યપણે ભરવું પડયું. કિન્તુ વિવશ બનીને લડવાવાળાની મનોવૃત્તિમાં હાય છે સંયમ. આ આંશિક લડાઈની, આંશિક સફળતાની ખબરો જ્યારે લોકસભામાં સંભળાવવામાં આવતી હતી, ત્યારે જે વાતાવરણ પેદા થતું હતું, જે તાળીઓ ઉચ્છ્વ ખલતાપૂર્વક પાડવામાં આવતી હતી, એ બધું કં ઈક બીજી જ બાબતનું ઘોતક હતું. આજે તો દેશ યુદ્ધની મઝધારમાં છે. એમ છતાં મારી જેવી અનેક વ્યકિતએ હશે કે જેમને આ હકીકતથી ગંભીર વેદના થતી હશે કે ૧૮ વર્ષ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે સુલેહ થઈ ન શકી, કાશ્મીરની સમસ્યાનો ઉકેલ શાન્તિથી નીકળી ન શકયા. આપણું સદ્ભાગ્ય છે કે શ્રી લાલબહાદુર શાસ્ત્રી જેવા જાગૃત બુધ્ધિ ધરાવતા મગજવાળી વ્યકિતના હાથમાં આજે ભારતનું નેતૃત્ત્વ છે. કુદરતની કૃપા છે કે આજ સુધી વિનાબા જ્યપ્રકાશ મૌલાના મસૂદી જેવા લાકનેતા દેશની સેવામાં ઉપલબ્ધ છે. સંભાળીને ચાલવાનો અવસર આજે પણ છે. તા, ૧૧-૯૬ નિરપેક્ષ સહજીવનને મૌલિક અર્થા ભારતના ખૂણે ખૂણે સમજાવવાવાળા દીપાંભાની, ચાતરફ ફરતા હરતા પ્રેમદૂતોની નીતાંત આવશ્યકતા છે. સામાજિક જીવનમાં બંધુતા, પરસ્પર વિશ્વાસ તેમ જ આદરની જ્યોતિ ફરીથી પ્રગટાવવાની આવશ્યકતા છે. મને આશા છે કે આ તરફ જાગરૂક નાગરિકોનું ધ્યાન કેન્દ્રિત બનેલું રહેશે. આ નાની સરખી લડાઈના કારણે જનતામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગી ઉઠી છે; ઝગડા ઊભા કરવાની, લોકોને ભડકાવવાની વૃત્તિ મંદ પડી છે; આ એક લાભ થયો છે. આ પરિસ્થિતિમાં ધર્મ ગમે તે કારણથી પણ, ભારતને અન્ન - સ્વાવલંબનનું મહત્ત્વ પ્રતીત થવા લાગ્યું છે એ એક શુભ લક્ષણ છે. કેટલું સારૂં થાત જો ભારતના નેતાએ શ્રી વિનાબાજીનો પોકાર ૧૯૫૧માં સાંભળ્યો હોત, જે આર્થિક સંયોજનની બુનિયાદ વિનાબાજીની સૂચના અનુસાર રાખવામાં આવી હોત? તટસ્થતાની નીતિ અને આર્થિક ક્ષેત્રમાં દયાજનક પરાવલંબન—આ આન્તરવિરોધ મટાડવા માટે વિનાબાજી વારંવાર ઉર્ધ્વબાહુ થઈને પોકાર કરતા રહ્યા છે. તેમનું ભૂદાન - ગ્રામદાન—આન્દોલન આ દિશામાં એક અદ્ભુત પ્રયાસ રહ્યો છે. પણ કોણ સાંભળે છે? આજે પણ રાજ્યસરકાર તેમ જ કેન્દ્ર સરકાર કૃષિકેન્દ્રિત અર્થયોજના એટલે કે ગ્રામદાનપ્રેરિત ભૂમિવ્યવસ્થાના શીઘ્રાતિશીઘ્ર સ્વીકાર કરશે તે અન્નસ્વાવલંબન ઉપલબ્ધ થશે, એટલું જ નહિ પણ, ગંભીર આન્તરવિરોધ મટશે. અરે ચીનના વૈચારિક આક્રમણના એક સશકત સમર્પક જવાબ દુનિયાની સામે રજુ કરી શકાશે. ૧૯૬૭માં ભારતમાં ચૂંટણી આવશે. જે નાગરિકો એમ ઈચ્છતા હાય કે દેશમાં જનતંત્રાત્મક ધર્મનિરપેક્ષ રાજ્યવ્યવસ્થા કાયમ રહે, તેમણે આજથી સજાગ બનીને જોવાનું રહેશે કે સંપ્રદાયવાદી લોકો દેશભકિતના નામ ઉપર ચૂટણીમાં જનતાને ભ્રમિત ન બનાવે. જ્યાં સુધી અમુક એક રાજનૈતિક પક્ષ સત્તા ઉપર છે, ત્યાં સુધી દેશમાં એક સશકત વિરોધી પક્ષનું હાળું અનિવાર્ય છે. એ વિરોધી પક્ષ સાંપ્રદાયિક ન હોય, કોઈ પણ અર્થમાં પ્રતિક્રિયાવાદી ન હાય, એ જોવાની જવાબદારી સાવધાન નાગરિકોની છે. આપ મારા વિચાર જાણવા ઈચ્છા છે. તેથી આ બધું હું લખી રહી છું. યુરોપ ખાતેની પ્રવૃત્તિ અહિંના મારો કાર્યક્રમ શરૂ થઈ ચૂકયા છે. આમસ્ટરડામમાં એક ‘પ્રોગ્રેસીવ ગ્રુપ’ છે, જેમાં સાહિત્યિક, કલાકાર, આધ્યાત્મપ્રેમી, સંગીતજ્ઞ લોકો મહિનામાં બે વાર એકઠા થાય છે, ચર્ચા કરે છે. આ ગ્રુપમાં મારી બે સભા થઈ. ચર્ચાવાર્તાલાપની એ સભા હતી. હોલેન્ડની ફ્રેન્સ ખ્યાતનામ અભિનેત્રી હરમ (Hens Hermus ) મારી સભાઓમાં બે વર્ષથી બરોબર આવે છે. તેણે ચર્ચા ચલાવી. સવાલ લખી લાવી હતી: એકાગ્રચિત્ત શું છે? ધ્યાન શું છે? ધ્યાનાવસ્થાના સત્ય અને પ્રેમ સાથે સંબંધ શું છે? બાકીના શ્રોતાઓ પણ સવાલ ઉપસ્થિત કરતા હતા. આ ચર્ચા આપે સાંભળી હાત તો આપ જરૂર ખૂબ પ્રસન્ન થયા હોત. આવતી કાલે હું અમર્સફોર્ટ (Amersfort ) જઈ રહી છે. ત્યાંના ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ઑફ ફીલેસેલ્ફીમાં સપ્તાહના અતે એક પરિષદ ગાઠવવામાં આવી છે. વિષય છે Encounter with the unconscious—અજાગ્રત મનની આલોચના. લગભગ ૧૨૫ વ્યકિતએ મારી સાથે શિન-રિવ પસાર કરશે. પ્રવચન બાદ ચર્ચા ચાલશે. સાથે ભાજન પણ હશે. સાથે સાથે હળવી વાતો પણ ચાલશે. એવી જ એક સપ્તાહના અતે પરિષદ હશે બિલ્થોવનના ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ઑફ સાઈકોલાજીમાં. ત્યાં ૧૦૦ ભાઈ બહેન મારી સાથે બે દિવસ પસાર કરશે. યુટ્ચના ઈન્ટરનેશનલ યોગ એસસીએશનમાં એક એવી જ પરિષદ મળશે. બિલ્થેાવનમાં વિષય રાખ્યા છે. The mutations of the mind ---માનવીચિાના પર્યાયો. યુદ્રે ચટમાં વિષય છે યાગનું હાર્દ, આ પરિષદોમાં ભાગ લેવા માટે બેલ્જિયમ, લગ ઝબર્ગ, નવે વગેરે દેશામાંથી શ્રોતાઓ આવે છે. હાલ ન્ડના વિભિન્ન ભાગામાંથી તે શ્રોતાઓ આવતા જ હોય છે. હેગમાં વર્લ્ડ ફેડરેશન ઑફ બ્રધરહૂ ડ મારફત એક પરિષદ છે, જેમાં The Psycological Content of International Co-operationઆન્તર રાષ્ટ્રીય સહકારનું મનોવૈજ્ઞાનિક રહસ્યએ વિષય ઉપર મારું ભાષણ થશે. હેગમાં પણ સૂફી સેન્ટરમાં સૂફિયાની પરિષદમાંThe Enigma of Time—‘કાળનો કોયડો'–એ વિષય ઉપર Page #3 -------------------------------------------------------------------------- ________________ , પ્રબુદ્ધ જીવન ૧૬૯ પ્રવચન થશે. હિલ્વરસમમાં સ્વતંત્ર પ્રવચનમાળા થશે. ગત વર્ષનાં આગ્રહપૂર્વકનું નિમંત્રણ છે. આગળના વર્ષમાં નિમંત્રણ હતું, હું પ્રવચનનું પુસ્તક પ્રેસમાં છે. જ્યારથી હું અહિં આવી છું ત્યારથી જઈ શકી નહોતી, આ વખતે પણ હું જઈ શકીશ કે નહિ તેને તેનાં પ્રફ જોવામાં લાગી રહી છું. પુસ્તક મારા હાથ ઉપર આવ્યું કઈ અંદાજ નથી. આપના માટે એક નક્લ મોકલીશ. એક બાબત વધારે લખીને આ પત્ર સમાપ્ત કરૂં. તે દિવસે મુંબઈમાં આચાર્ય રજનીશને મળવાનું થયું. ખૂબ પ્રસન્નતા અનુભવી. ગયાં ત્રણ વર્ષો સુધી હોલેંડમાં સભાઓ ખાનગી ઘરમાં ગોઠવી શકાતી હતી. આ વખતે શ્રોતાઓની સંખ્યા વધી ગઈ છે. સભાઓ તેમનું સ્વાથ્ય વારંવાર બગડે છે. પરિશ્રમનો અતિરેક થાય છે એ ઘરમાંથી નીકળીને સંસ્થાઓમાં, ઓરડામાંથી નીકળીને મેટી બાબત તરફ એમનું ધ્યાન ખેંચવા માટે મેં એક પત્ર તેમની ઉપર વ્યાખ્યાનશાળામાં ભરાવા લાગી છે. આ વખતે મારી મનાઈ હેવા લખ્યો હતો. તેના ઉત્તરમાં રજનીશજી લખે છે કે, “જ્યારે તમે પાછા આવશો ત્યારે એવી ફરિયાદ કરવાનું કારણ નહિ રહે. સ્વાસ્થ ઠીક છતાં પણ, ૨૦૦ સુધીની સંખ્યા સંયોજકોને સ્વીકારવી પડી છે. લાગે છે કે આવતા વર્ષે પ્રવચન કરવાનું મારે બંધ કરવું પડશે. રહે એ તરફ પૂરું ધ્યાન રાખીશ.” એ નિર્ભય આત્મનિર્ભર નૂતન કારણકે મેટી સભાઓ, ભાષણ, પરિષદ વગેરે માધ્યમોમાં મારી યુવક મિત્ર વિષે મને આદરયુકત આત્મીયતાને અનુભવ થાય છે. જરા પણ શ્રદ્ધા નથી. બીજી બાજુ સંયોજકોની સામે સમસ્યા ઊભી - બીજું શું લખું? આપના કારણે જે જે વ્યકિતઓને પરિચય થાય છે કે તેઓ કોને ના કહે અને કેવી રીતે ના કહે? થયો છે તે સર્વ વ્યકિતઓને નેહમરણ.બાને સાદર વન્દન. આપની - ડિસેંબરના અન્ત સુધી લંડમાં રહેવું છે. જાન્યુઆરીને આખે સર્વ તનુજાએને (સપરિવાર) એ સ્નેહાયત્ત કન્યાનાં પ્રેમસરમણ. મહિને ઈંગ્લેંડમાં પસાર થશે. ફેબ્રુઆરીમાં સ્વિટઝલંડ તથા ફ્રાન્સ આપની કુશળતાના સમાચાર વખતો વખત લખતા રહેશે. જવાનું છે. આગળને કાર્યક્રમ હજુ સુધી નક્કી થયું નથી. નક્કી થયે આપની કન્યાતુલ્ય આપને જણાવીશ. દક્ષિણ અમેરિકાથી વેનેઝુલાના યુવકે તરફથી વિમલનાં વંદન. >> દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ મુંબઈના પ્રખર કેળવણીકાર સ્વ. શ્રી તેઓ માર્ગદર્શન અને સહાય કરતા રહેતા. આજે એવા અનેક ભાઈ બહેને છે કે જેઓ મમતાપૂર્વક આ ઋણ પોકારીને સ્વીકારે છે. - મગનભાઈ ટી. વ્યાસ એમણે મુંબઈ, મદ્રાસ અને લંડનની યુનિવર્સિટીઓને લાભ મુંબઈની જાણીતી શિક્ષણ સંસ્થા ન્યુ એરા સ્કૂલના સ્થાપક ઉઠાવ્યો હતો. તેમાંયે ખાસ મદ્રાસ-અદિયારની ડે. એનીબીસેન્ટ શ્રી મગનલાલ ત્રિભુવનદાસ વ્યાસ લાંબી માંદગી ભોગવીને ૭૧ વર્ષની સ્થાપેલી નેશનલ યુનિવર્સિટીમાં એમના જીવનગુરુ ડે. જી. એસ. ઉંમરે તા. ૧૩-૧૨-૬૫ સેમવારના રોજ મુંબઈ ખાતે પિતાના જ એરૂન્ડેલના હાથે શિક્ષણક્ષેત્રની તેમણે જીવનદીક્ષા લીધી હતી અને નિવાસસ્થાને અવસાન પામ્યા. તેમની સાથે શુક્લતીર્થના સુરમ્ય સ્થળે શિક્ષણયજ્ઞને તેમણે મારો વર્ષોજૂને સંબંધ હતો. અમારાં પ્રવૃત્તિ પ્રારંભ કર્યો હતે. ત્યાંના લતામંડપમાં ચાલતી ક્ષેત્ર ભિન્ન હોઈને અમારું મળવાનું સમયનાં અને શિક્ષણની વિવિધ અવનવી ઉચ્ચ વસ્તુઓ લાંબા-ટૂંકા ગાળે બનતું. એમ છતાં જ્યારે 'રજુ કરતી આ શાળાને ત્યારના કેળવણી અધિમળવાનું બનતું ત્યારે તેમનામાં રહેલી ઊંડી કારીએ પણ એક અજોડ અને આદર્શ શાળારૂપે હાર્દિકતાનો સુખદ અનુભવ થતો, અને અમારી બિરદાવી હતી. ત્યાર પછી વિલાયત જઈ વચ્ચે વિચારોની સંવેદનાની લેવડદેવડ અતૂટ એમ. એ. એડ. થયા બાદ તેમણે મુંબઈ ખાતે ધારાએ ચાલતી. આ રીતે મેં નવા નવા ફેલેશીપ સ્કૂલ સ્થાપી ત્રણ વર્ષ ચલાવી હતી. વિચારોથી તરવરતા ઉષ્માભર્યા મિત્રને ગૂમાવ્યા તેમાં ચાલુ ક–અભિપ્રાયને ગૌણ ગણીને છે. તેમના વિચારસમૃદ્ધ વ્યકિતત્વને તેમ જ સહશિક્ષણ, પ્રારંભિક પ્રાર્થના, પર્યટન, શિબિરયશસ્વી કારકીર્દિને પરિચય આપવાની યોગ્યતા જીવન, ચિત્ર-સંગીત-નૃત્ય, નાટયાદિ, સાંસ્કૃતિક શ્રી વ્યાસને વધારે નિકટતાથી જાણનાર મુંબઈની પ્રવૃત્તિઓ તથા નૂતન શિક્ષણ પદ્ધતિ તથા શિક્ષક મ્યુનિસિપાલીટીના શિક્ષણ ખાતાના સેક્રેટરી ડૉ. શિષ્ય અને માબાપ વચ્ચેને કૌટુંબિક સંબંધ મધુરીબહેન શાહ ધરાવે છે એમ સમજીને તેમને તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેવા અનેક નૂતન મગનભાઈ વિશે એક પરિચય નેધ લખી આપવા સ્વ. શ્રી મગનભાઈ ટી. વ્યાસ * અને સર્જનાત્મક પ્રયોગો અજમાવવામાં આવ્યા મેં વિનંતી કરી. એ વિનંતીના જવાબમાં મળેલી નોંધ નીચે હતા અને તે સર્વને પછીથી પોતે સ્વતંત્રપણે સ્થાપેલી ન્યૂ ઈરા મુજબ છે: સ્કૂલમાં પોતાની આગવી ક૯૫ના મુજબ દ્રઢીભૂત કર્યા હતા. આજે શ્રી વ્યાસને જન્મ ભરૂચ જિલ્લામાં અવિધા ગામે થયે. તો આ ઉચ્ચ અને અતિ આવશ્યક પ્રણાલિકાઓ લગભગ સર્વમાન્ય તેઓ બાળપણથી જ નમ્ર, સાદા, પરોપકારી અને પ્રેમાળ તથા જેવી બની ગઈ છે. આદર્શસેવી હતા. વિદ્યાર્થી અવસ્થામાંથી જ તેઓ ગામને દુષ્કાળ, પિતાના જીવનધ્યેયને પરિપુષ્ટ કરવા અને અવનવું જોવા મરકી, પુર જેવી આફતમાં દક્ષતાપૂર્વક સંગીન સહાય મેળવી જાણવા, તેમણે જાપાન, ચીન, રશિયા, ઈંગ્લેંડ, અમેરિકા વગેરે દેશની આપતા અને ગામની સેવા બજાવતા. તેઓએ પિતાના ગામની શિક્ષણયાત્રા આદરીને તે સર્વને હિંદની શિક્ષણપ્રણાલિમાં રસ શાળાને પૂર્ણ હાઈસ્કૂલમાં ફેરવીને સરકારને હસ્તક ઑપી. ગામમાં લેતા પણ બનાવ્યા હતા અને હિંદમાં ન્યુ એજ્યુકેશન ફેલોશિપઅનેક પ્રકારની કલ્યાણ પ્રવૃત્તિઓ ચાલુ કરી અને રાજ્યભરની –વર્લ્ડની એક રાષ્ટ્રીય શાખા ખાલીને તેના તેઓ પ્રારંભથી આજ કેળવણીમાં અગત્યના સુધારાએ કરાવ્યા. બાળપણથી જ તેમને થિઓ- સુધી પ્રમુખ રહ્યા હતા. સેફદ્વારા સેવાનું સંસ્કરણ મળ્યું હતું. તેમણે પિતાના મિત્રોના તેઓ ડૅ. બેસંટના હરતે સ્કાઉટિંગની દીક્ષા પામ્યા ત્યારથી અંગત વિકાસમાંયે પિતાનાં તન, મન અને ધનને ગૌરવ અને તે આજ સુધી તે ક્ષેત્રને મુંબઈના મહારાષ્ટ્ર રાજ્ય તથા ગુજરાત પ્રસન્નતાપૂર્વક ભાગ આપ્યો હતો. તેમના સંબંધમાં જે કોઈ વ્યકિત રાજ્યમાં તેમણે ભારે સેવા આપી છે અને ભારત સ્કાઉટ ગાઈડ આવતી તેને પ્રેમ અને સુનિષ્ઠાથી બાંધી લઈ તેના સર્વ વિકાસમાં સંઘની પ્રવૃત્તિને સુપ્રતિષ્ઠિત બનાવી છે. વળી ૧૯૫૨માં ભારત Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧-૬૬ નથી ! સરકારે નિમેલા માધ્યમિક કેળવણી કમિશનના તેઓ સભ્ય હતા. ગુજરાતને વ્યાયામ પ્રવૃત્તિ પ્રત્યે વાળવામાં અને વ્યાયામ માટે મુંબઈ રાજયની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અભ્યાસક્રમ સમિતિ- સાચી રસ જગાડવામાં ઘણા મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ના તેઓ પ્રમુખ હતા. મુંબઈના અને મહારાષ્ટ્ર રાજ્યના આચાર્ય - શ્રી અખુભાઈને જન્મ સન ૧૮૯૩માં જામનગરમાં શિક્ષક મંડળના તેઓ પ્રમુખ હતા, તેમજ અનેક સંસ્થાઓ સાથે તેઓ પિતા શ્રી બાળકૃષ્ણને ત્યાં થયો હતો. વીસમી સદીની પહેલી પચી સીમાં ગુજરાતના નવયુવાનોને વ્યાયામદ્રારા દેહઘડનાર અને સક્રિયપણે જોડાયેલા હતા. આત્મનિષ્ઠ જીવનદર્શન દ્વારા એમનું માનસ ઘડનાર શ્રી અબુભાઈનું શ્રી વ્યાસ અનેક સંસ્થાઓના સર્જક કે સહાયક હતા, એટલું જ નામ અને કામ ગુજરાતના ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. નહિ, પણ માનવવ્યકિતત્વના પણ એક કુશળ શિપી હતા. અરવિંદ આશ્રમમાં સંબંધમાં આવનાર વ્યકિતનાં ગુણશકિત પિછાણી લઈ, સ્નેહ અને શ્રી અખુભાઈએ ૧૯૨૩માં ગુજરાત છોડ્યું અને પોંડીચેરી ધૈર્યથી તેને સદુપયોગ કરાવી, તેમાં તેવા ઈતર ઉચ્ચ ગુણે ખીલવી જઈ શ્રી અરવિંદ આશ્રમમાં પ્રવેશ કર્યો. ત્યાં એ મહર્ષિનાં સાન્નિ ધ્યમાં રહ્યા અને તેમને તથા માતાજીને પોતાનું જીવન સમર્પે તેમની તેને ઉચ્ચ સ્થાને પહોંચાડવાની તેમણે એક અજબ સિદ્ધિ પ્રાપ્ત ભકિતમાં રત રહ્યા. શ્રી અરવિંદની યોગસાધના અને તેમના જીવનકરી હતી. કાર્યને ગુજરાત તેમ જ બહારના જગત સમક્ષ સત્ય સ્વરૂપે રજૂ પિતાના મિત્રો તથા સહકાર્યકરો ઉપરાંત બીજી અનેક વ્યકિત- કરવા અને મૂલવવામાં શ્રી અખુભાઈએ જે પ્રદાન કર્યું છે તે ઘણું મહત્ત્વનું છે. શ્રી અરવિન્દ આશ્રમમાં પ્રવેશ્યા પછી પૂરા ત્રેવીસ એને તેમને પારસમણિ સ્પર્શે છે. તેમની બે દીકરીઓને તેમની વર્ષ સુધી શ્રી અબુભાઈ ત્યાં જ રહ્યા હતા, આકામ છોડીને તે અંગત રુચિને અનુલક્ષીને જ તેમણે ઉચ્ચ વિકાસ સાધ્યો છે. તેવીજ કયાંય ગયા ન હતા. ઈ. સ. ૧૯૪૬માં તેઓ આશ્રમની બહાર રીતે મારી અંગત વાત કરું તે કેટલાં વર્ષોથી મને પણ પિતાની નીકળ્યા અને ત્યાર બાદ તેમણે વિશ્વપ્રવાસ કર્યો. એક નાની બેન તરીકે, એક કલ્યાણવાંછુ સ્નેહાળ વડીલ બંધુના પૂર્ણયોગની સાધના રૂપે, મારા જીવનવિકાસમાં રસ લઈ મહત્વાકાંક્ષા જગાડી માર્ગદર્શન આધુનિક ગુજરાતી ગદ્યના પ્રથમ પંકિતના સર્જકોમાં શ્રી અબુભાઈનું સ્થાન ઘણું ગૌરવભર્યું લેખાય. સ્વભાવે બહાદુર, વ્યાયામઆપીને, મારા જીવનને ઘડવામાં તે મોટા ભાઈને જે તે ફાળે પ્રિય, શીલવંત, સાહિત્યકાર, દષ્ટિસંપન્ન, કલાવિદ અને ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા એ સર્વ એમના જીવનની વિશિષ્ટતા અલબત્ત તેઓ કેમ, ધર્મ, જાત, ભાતથી પર રહીને વિશ્વબંધુત્વ અને ખરી, પરન્તુ એમના જીવનનું સર્વોચ્ચ શિખર તે પૂર્ણયોગની સાધના જ આંતરરાષ્ટ્રિય ભાવના કેળવવાના અને ખીલવવાના આજીવન હિમા ગણાય. યતી હતા અને તે અંગે ૧૯૬૪માં ન્યુ યોર્કની યુનિવર્સિટીના શ્રી અરવિંદના પરમ ભકત એવા શ્રી અબુભાઈએ પિતાના આમંત્રણને માન આપીને તેઓ શિક્ષણશાસ્ત્રીઓનું એક મંડળ લઈને આરાધ્ય યોગીના મહાકાવ્ય “સાવિત્રી”નું અંગ્રેજીમાં વિવેચન કર્યું. એ એમનું એક મૂલ્યવાન પ્રદાન છે. યોગસાધના વિશે ગુજરાતના વિશ્વયાત્રાએ ઊપડયા હતા. સદભાગ્યે ત્યારે જ તેમના મંત્રી તરીકે યુવકને માર્ગદર્શન આપતા એમના “પથિકના પત્રો” અને “પથિહું તેમના બહુજ નિકટ અને સતત પરિચયમાં આવી, અને શ્રી કનાં પુષ્પ” સહુ કોઈને જાણીતાં છે. શ્રી અરવિંદના શ્રીમદ ભગમગનભાઈ વ્યાસ અને તેમનાં પત્ની શ્રીમતી સરોજબહેન વ્યાસના વદ્ ગીતા વિશેના નિબંધોનું ભાષાંતર કરવા ઉપરાંત શ્રી પરસ્પર સુમેળના અને તેમના સ્વભાવનાં પૂરક તેમજ વર્ધક અબુભાઈએ શ્રી અરવિન્દના “આત્મસિદ્ધિયોગ” “ભકિત યોગ” “જ્ઞાન યોગ”, “વિજ્ઞાન યોગ” અને “કર્મ યોગ” એ પાંચે ગ્રન્થનું પાસાનાં મન સુભગ દર્શન થયાં, ત્યારથી હું તે ચારિત્ર્યશીલ યુગલથી ભાષાંતર કર્યું છે. ખૂબ પ્રભાવિત બની છું. - આ ઉપરાંત “શ્રી અરવિન્દનું કાવ્યદર્શન”; “પૂર્ણયોગની ભારત સરકારે તેમની શિક્ષણક્ષેત્રની સેવાઓની કદરમાં તેઓ- ભૂમિકાઓ,” સમિત્પાણિ,” “દ રહસ્ય.” “સાવિત્રી ગૂંજન” શ્રીને “પદ્મશ્રી”નું જે બહુમાન આપ્યું છે તે જેટલું ગૌરવપ્રદ છે આ સર્વ એમનાં પુસ્તકો પણ મહત્ત્વનાં છે. તેટલું જ સમુચિત છે. તેમની સ્થાપેલી–તેમના જવલંત સ્મારક રૂપ પોંડિચેરીથી કવિ શ્રી સુન્દરમ્ ના સંપાદન હેઠળ પ્રસિદ્ધ થતા ન્યુ ઈરા શાળાને, તેમણે પોતાને હાથે ઘડીને તૈયાર કરેલા સુજ્ઞ, સામયિક “દક્ષિણા”માં શ્રી અબુભાઈનાં કલા અને યોગ વિશે દક્ષ અને સંનિષ્ઠ એવા પોતાના ભત્રીજા ડૅ. કાંતિલાલ વ્યાસનાં સંખ્યાબંધ લેખો પ્રસિદ્ધ થયા છે તે એમના તે વિષયના ઊંડા સબળ હાથમાં મૂકી છે. એટલે તે હજીયે સવિશેષ ફાલશે અભ્યાસના અને સમજદારીના ધોતક છે. ફલશે અને ફળશે એવી આપણને સૌને આશા રહે છે. આપણે સૌ એમના આદર્શોને સમજીને સેવા દ્વારા આપણા ક્ષેત્રમાં તેને વિસ્તાર વિષયસચિ કરીને કૃતકૃત્યતા પામીએ એ જ તેમનું સાચું તર્પણ છે. . * . -- મધુરીબહેન શાહ” ગરીબહેન શાહ, શ્રી વિમલાબહેનને એક પત્ર ૧૬૭ દિવગંત આત્માઓને શ્રદ્ધાંજલિ : વ્યાયામવીર અને પગના સાધક મુંબઈના પ્રખર કેળવણીકાર સ્વ. શ્રી સ્વ. શ્રી અંબાલાલ પુરાણી - મગનભાઈ ટી. વ્યાસ, વ્યાયામવીર અને પુર્ણયોગની સાધક સ્વ. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને વિકસાવનાર અને શ્રી અર શ્રી અંબાલાલ પુરાણી. વિંદના જીવનદર્શનને પાયામાં રાખીને સાહિત્ય, કલા, શિક્ષણ તથા મહા પ્રસ્થાનના પથ પર - ૩ થગસાધનાનાં સ્વરૂપે વિષે બુનિયાદી વિચારણા દ્વારા ગુજરાતી ભાષા શ્રી પ્રબોધકુમાર સંન્યાલ ૧૭૧ અને સાહિત્યને ખેડનાર તથા ખીલવેનાર શ્રી અંબાલાલ બાલકૃષ્ણ “ગ્રામદાન એક સંરક્ષણ પગલું” વિનોબા ૧૭૩ પુરાણી છેલ્લાં બે કે ત્રણ વર્ષથી હૃદયરોગથી પીડાતા હતા. તેમનું પ્રકીર્ણ નેધ: વિશ્વ હિંદુ સંમેલનમાં પરમાનંદ ૧૭૫ ગયા માસની ૧૧મી તારીખ અને શનિવારે સવારે શ્રી અરવિંદ મહામના મુનશીએ રજૂ કરેલા આઝામમાં જ અવસાન થયું છે. તેમના દેહવિલયથી ગુજરાતે એક વિચારે,વિશ્વ હિંદુ સંમેલનમાં રાષ્ટ્રપોતે પુત્ર ગુમાવ્યો છે; દેશને એક જ્ઞાનસમૃદ્ધ સંસ્કૃતિવિવેચકની પતિ ર્ડો.રાધાકૃષ્ણને કરેલું પ્રવચન, ખોટ પડી છે; શ્રી અરવિંદ આશ્રમને એક આધારસ્તંભ તૂટી પડે છે. સત્તર લાખનું તેનું સુવર્ણાબ ન્ડમાં તેમની લાંબી તથા ઉજજવલ જીવન કારકીર્દિને પરિચય આપતાં અર્પણ કરવા માટે મુંબઈની જૈન તા. ૧૨-૧૨-૬૫ના જન્મભૂમિ-પ્રવાસીમાં નીચે મુજબ નોંધ કર- મહિલાઓને ધન્યવાદ. વામાં આવી છે: વર્તમાન ભારત - અમેરિકી ચેસ્ટર બેલ્સ ૧૭૭ - શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અબુભાઈ પુરાણી એ વ્યાયામ- સંબંધે: એક સમીક્ષા. વીર બંધુ-બેલડી ગુજરાતભરમાં વિખ્યાત છે. આ બંને ભાઈઓએ આ તે ધર્માદા કે ફત ? પરમાનંદ ૧૭૮ ૧૬૯ Page #5 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૧૬ પ્રબુદ્ધ જીવન ૧૭૧ મહાપ્રસ્થાનના પથ પર–૩ યાત્રી અવાજ સંભળાતે હતો. વસંત ઋતુ પૂરી થવા આવી હતી, એટલે રસ્તા પાંદડાંથી સારી પેઠે છવાયેલો હતો. મનુષ્ય ક્યાંય દેખાતું - વૈશાખ ૧૯-૧૩-૩૯ તે દિવસે મેં યાત્રાની શરૂઆત કરી હતી. નહિ, કોઈને ય શબ્દ સંભળાતો નહોતે. નવા જોડા હતા, એટલે ખાંધ પર ઝાળી ને હાથમાં લાઠી લઈને બે મિત્રોને સાથે લઈને પગમાં આંટણ પડતાં હતાં. પીઠ પર જે કામળે બાંધ્યો હતો. તેને હું ચાલ્યો. પથ્થર ને કાંકરાવાળે રસ્તો હતા. ડાબી બાજુએ દર લીધે, અને ઝાળીની દેરડીથી ખભામાં વેદના થતી હતી, શરીર પર્વતશિખરે ટેહરીને રાજમહેલ, તાજમહેલ જેવો દેખાતો હતો. એની થાકી ગયું હતું. જાતજાતના લોકોએ તરેહ તરેહના ઉપદેશ આપ્યા નીચે દહેરાદુનનું મોટું જંગલ હતું. દક્ષિણ દિશાએ પ્રભાતસૂર્યન હતા, પણ એ શિખામણ તે શિખામણ આપવા પૂરતી જ નિ:શબ્દ સમારે આકાશમાં ફેલાતા હતા. પથ્થરમાંથી વહેતી સૂકી જેવી હતી. રસ્તો કાપતાં એ શિખામણની જરાય જરૂર ન લાગી. બેએક ચન્દ્રભાગા નદી પાર કરીને મૌનીવનમાં થોડે દૂર જવું પડયું. વનમાં ક્લાક ચાલ્યા હોઈશું એટલામાં પેલા બ્રહ્મચારીનું ગળું સુકાવા લાગ્યું, એક સામાન્ય ગામડું હતું. ત્યાં ભરત-શત્રુદનજીનું મંદિર હતું. મંદિર એણે કંઠે શેષ પડતા કહ્યું “ચાલો દાદા, જરા કયાંક બેસીએ, ખૂબ જ વટાવીને ધીરેધીરે મેં ચાલવા માંડયું. પહાડનું ચઢાણ શરૂ થયું. તરસ લાગી છે.” મારી ગતિ ધીમી પડી ગઈ. પહાડને રસ્તે ચાલતાં ચાલતાં વાત રસ્તામાં ઝાડની શીતળ છાયામાં અમે બને બેઠા. નીચે નદીને થઈ શકે નહિ. જ્યારે મોટું બંધ હોય ત્યારે મને પોતાનું કામ કર્યા કરે છે. બે માઈલ ચાલતાં ચાલતાં તો હું થાકી ગયો. નવા જોડા કલરવ આવતા હતા, પહાડ ગાઢાં જંગલોથી છયાય હતે, પાસે જ પગમાં ડંખતા હતા, બ્રહ્મચારી બગલાની જેમ ઠમક ઠમક ચાલતા એક નાનુંસરખું મંદિર હતું, ત્યાં એકાંત હતું, શાંતિ હતી. પૂજાહતો. ઘણે વખતે એણે પગમાં જોડા પહેર્યા હતા. એથી જોડા પહે- રીએ અમને પીવાનું પાણી આપ્યું. પાણી પીને બ્રહ્મચારીએ બીડી રવાના ઉલ્લાસમાં તે ચાલતો હતો, ત્યારે ચમચમ અવાજે સળગાવી. વાત કરવાને માટે કોઈ વિષય નહોતે. અને વાતે શી થતો હતો. રસ્તા ખૂબ ઊંચે જઈને પછી નીચાણમાં જતો હતે. પહાડી રસ્તા યાત્રીઓને પોતાની ઈચ્છા મુજબ જ લઈ જતા હોય કરવાની હોય ! ધીરે ધીરે પગ લાંબા કરીને ત્યાં જ આડા પડયા. એવા છે. સમતલ ભૂમિમાં ચાલનારને નિર્બધ સ્વતંત્રતા હોય છે, જ્યાં આ જગતમાં હૃદયના આવેગની કશી કિંમત નથી એ હું ખુશી હોય ત્યાં વાંકાચૂકા, આડાઅવળા તમે જઈ શકે, પણ અહીં જાણું છું, તો પણ આ રસ્તાની એક બાજુ સૂતાં સૂતાં કોણ જાણે તે એ પ્રમાણે ચલાય જ નહિ. અહીં તો તમે રસ્તાને આધીન, કયાંથી હૃદય ભાવાવેશથી ભરાઈ જતું લાગ્યું. શોખને લીધે દેશએ લઈ જાય તે પ્રમાણે તમારે જવાનું. ધીમે ધીમે પાણીને ભ્રમણ કરવું એ મારો ધંધો નથી. જેઓ ધમાચકડી મચાવી, ટોળી અવાજ કાનને ભરી દેવા લાગ્યું. મને લાગ્યું કે હવે હું નીચે ઉતર્યો જમાવી હવાફેર માટે જાય છે, તેમની વાત હું કરતો નથી. પ્રાકૃતિક છું. થોડે દૂર ચાલ્યા ત્યાં લક્ષ્મણઝલા આશું. ગંગાની નીલધારા પર સૌદર્ય જોઈને જે ભાવાવેશમાં તણાઈ જાય છે તે સ્વલ્પપ્રાણ પૂલ હતા, બન્ને બાજુએ લોખંડના દોરડાથી બાંધેલું હતું. બદરી- ઉલ્લાસમય લોકોને પણ હું પિછાનું છું. જોકે, એ લોકોથી હું જૉ નારાયણને રસ્તે લગભગ બધા પૂલ જ લમણઝુલાની ઢબે જ બંધા- છું એવું મારા મનમાં વસતું નથી. આજે મને બધા જ લોકો વહાલાં ચલા છે. પૂલ પસાર કરવા જઈએ એટલે આખો ડોલવા લાગે. લાગે છે. જે મિત્ર છે, જેએ, ધૃણાસ્પદ છે, જેમને છોડીને હું આપણને ડર લાગે, કે, જાણે પૂલ તૂટી પડશે. જો કે મઝા પણ ચાલ્યા આવ્યો છે, જે જન્મભૂમિ મને સંજીવની પાત્ર છે તે સમાજે આવે. પૂલ પાર કર્યો ત્યાં કેટલાંક બંગાળી સ્ત્રી-પુરુષ મળ્યાં. અમે જે લોકો પ્રસિદ્ધ નથી ને જેમને અનાદર થયો છે, કોઈ મને બદરીનારાયણ જઈએ છીએ એ સાંભળીને તેમને આશ્ચર્ય થયું, આજે પારકું લાગતું નથી. આજે મેં સંન્યાસીને વેષ ધારણ કર્યો અને શુભેચ્છા દર્શાવી, ને નમસ્કાર કરીને એમણે વિદાય લીધી. છે, પણ એ તો કેવળ બહારનું આવરણ છે, એ તે ઢાંકણ છે. સામે જ ગગનસ્પર્શી નીલકંઠ પર્વત હતા, એની નીચે દક્ષિણ કારણ કે આજે પણ દેશની વાત મનમાં આવે છે, ત્યાં મારા શરીરને અણુ એ અણુ ઝણઝણ કરતે આલાપી ઊઠે છે. નશીબજોગે તે દિશાએ સ્વર્ગાશ્રમનું સફેદ મંદિર હતું. હંસના પાંખ જેવું એ દિવસે જે માયા મમતા છેડીને આવ્યો હતો, વિરકત બનીને જેમની સફેદ હતું. પગ આગળ ગંગાને શ્વેત પ્રવાહ વહેતો હતે. મેં વિદાય લીધી હતી, આજ એ જ સન્યાસીના વાઘાના કૃત્રિમ મેં મનોમન કહ્યું “વિદાય સ્વદેશ, વિદાય સભ્યતા, વિદાય જન- આવરણ નીચે મારુ વિયોગદુ:ખી મન બોલી ઊઠે છે, “તમે મને સમાજ ! આત્મીયજને, મિત્ર, પરિચિત, એ સઘળની મનથી મેં ભૂલી ના જતાં, હું છું. હજી જીવત .” વિદાય લીધી. મારી આંખમાં દૂર દૂર જવાની ઝંખના હતી, અંતરમાં આમ તો એક દિવસ બધા મરવાના છે. પરંતુ, આપણને કઈ યાદ ન કરે, અને સંગીસાથી કોઈ આપણા માટે બે આંસુ ઉત્સાહ ને ઉત્તેજના હતાં, ને હૃદયમાં સાહસપૂર્ણ યાત્રાને માર્ગ ન સારે, એવું શાત્વના વિનાનું મૃત્યુ બીજું નથી. આપણે નિરૂલેવાને દુર્જય આનંદ હતે. મને તો ઘરની જંજાળ હતી નહિ, પાય છીએ, દુર્બલ છીએ, નશીબને રમવાનાં રમકડાં છીએ, આમ ને તે મારું મન કેમ લાગણીવિવશ બની ગયું? શા માટે મારા છતાં આપણે પ્રતિક્ષણ જીવવાની તો ઈચ્છા રાખીએ છીએ ને? પગમાં ધ્રુજારી આવે છે? અને ગળું કેમ અંદરથી સૂકાનું અને જીવવાની ચેષ્ટા તે, પૃથ્વીમાં રાતદિન ચાલ્યા જ કરે છે. કોઈ જીવે છે નવજીવનસૃષ્ટિદ્વારા, કોઈ કલા અને સાહિત્યદ્વારા પિતાની હોય એમ લાગે છે? કદાચ બધાને એમ જ થતું હશે. આ બધું જાતને અભિવ્યકત કરીને જીવે છે, કોઈ ખ્યાતિ અને યશ પ્રાપ્ત છોડીને ચાલી જતાં મનુષ્યના હૃદયમાં વેદનાને સૂર ઊઠતા હશે. કરીને જીવનને ટકાવે છે--આમ આ સમાજમાં, સભ્યતા, વિજ્ઞાન, આટઆટલી માયામમતા, આટલી બધી હૃદયની વિધવિધ ઊર્મિ, ક્ષમતા, પ્રતિષ્ઠા, એના મૂળમાં મનુષ્યની જીવન જીવવાની અનંત એ બધું હોવા છતાં વખત આવ્યે બધું છોડીને ચાલ્યા જવું જ પડે પિપાસા રહેલી છે. જેમાં જીવનને અસાર માનીને મોક્ષપ્રાપ્તિની છે, વિદાય લેવી જ પડે છે. એક દિવસ સવારના આ નિર્મળ તમન્નાથી તીર્થભ્રમણ કરવાને અગ્રસર થાય છે તેઓ પણ જીવવા તે ઈચ્છે છે, તેઓ રસ્તા પરની ધર્મશાળામાં પોતાનું નામ લખીને પ્રકાશ, ઉજજવળ તડકે, એ બધું આંખ આગળથી લુપ્ત થઈ જશે. ને કોતરીને અમર રાખવા કે તનતોડ પ્રયાસ કરે છે! હા, આમ જ એક દિવસ આ આકાશ, આ ગંગા, આ પર્વતમાળા, બ્રહ્મચારી શરીર ખંખેરત ઊઠયે, ને મને કહ્યું, “ચાલો દાદા, ચારે તરફ વિસ્તરેલ ધરતીને મનોરમ ઐશ્વર્યસંભાર એ બધું ખાઈને બાર વાગી ગયા હોવા જોઈએ, તમને જરૂર ભૂખ લાગી હશે.”. મારે વિદાય લેવી પડશે. એ દિવસને કદાચ હવે ઝાઝી વાર નહિ પણ - એક નિસાસા નાંખીને ઝોળી ને કામળે લઈને ઊભે થયો, હોય. એ દિને પણ આ મર્યલોકમાં તો આવે જ આનંદ ને કિલ્લેલ મેં પૂછયું, “આપણે કેટલા માઈલ ચાલ્યા હોઈશું બ્રહ્મચારી !” થતો હશે. પણ આ ક્ષુધા, આ આશા, આ સ્વપ્ન એ બધું જતી રસ્તામાં માઈલ જેની પર નોંધેલા હતા એવા પથરા હતા. વખતે રસ્તામાં જ ફગાવીને જવું પડશે, અને એની તરફ પછી. કોઈ નજર પણ નહીં નાંખે. બ્રહ્મચારીએ મનમાં ને મનમાં હિસાબ કર્યો ને કહ્યું, “પાંચેક માઈલ” રસ્તો ઘણે મુશ્કેલ હતો. વચમાં પથરા વેરાયલા પડયા હતા. - થોડે દૂર ગયા હઈશું ત્યાં ગરૂડચઠ્ઠી આવી. ત્યાં એક મોટી વચ્ચે પહાડમાં પાંદડાંઓની વચ્ચેથી આવતા એકલદોકલ ઝરણાંને ધર્મશાળા હતી. નીચે એક દુકાન હતી. દુકાનમાં બધું ખાવાનું મળતું હતું, Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પ્રબુદ્ધ જીવન જો કે ભાવ ઘણા વધારે હતા. ધર્મશાળાની પાસે એક સુંદર બાગ ને જળાશય હતાં. પાસે જ પહાડમાંથી ધીમે ધીમે વહેતું એક ઝરણું હતું. એનું પાણી આજળાશયમાં યાત્રીઓ માટે એકઠું કરવામાં આવ્યું હતું. ચટ્ટીમાં રાંધવ' માટે, ચટ્ટીવાળા પાસેથી લેાટ, ચેાખા, દાળ, ઘી, વગેરે ખરીદીએ તે। પિત્તળનાં વાસણો મળતાં હતાં. જેઓ કશું ખરીદવા માગતા ન હોય તેમને માટે ધર્મશાળામાં જગ્યા મેળવવી મુશ્કેલ હતી. ઘણી ધર્મશાળામાં માથાદીઠ બે પૈસા આપવાથી પણ જગ્યા મળતી હતી. બધી ધર્મશાળામાં ઘણુંખરું એક જ નિયમ હતો. આ વખતે તે અહીં જ આરામ લેવાના હતા, પછી પાછી યાત્રા શરૂ કરવાની હતી. ધર્મશાળાને બીજે માળે ઘણા યાત્રીઓ આવ્યા હતા. ઘેાડો આરામ કરીને અમે બન્ને મિત્રા, રાંધવાની કડાકૂટમાં પડયા. આમારી યાત્રા આ રીતે જ ચાલતી હતી. બે વાર રસાઈ કરવાની, બે વાર વાસણ માંજવાના ને બે વાર પદયાત્રા કરવાની, બપેારના વખતે જમી કરીને ઘેરી ઊંઘ લેતા, મચ્છરના ત્રાસથી પગથી માથા સુધી ઓઢી લેતા, ઊંધીને પાછા ચાલવાનું શરૂ કરતા, સાંજે કોઈ એક ધર્મશાળામાં આશરો લેતા, જમીને જનાવરની જેમ ઊંઘતા, અંધા થતાં થતાં તે અમે ગાઢનિદ્રામાં પોઢી જતા, ધર્મશાળા પણ રઢિયાળ હતી, એક દિવસ ઉઘાડી તે ત્રણ દિવસ બંધ. ઘાસ અને ઝાડના ઢાળપાંદડાથી એનું છાપરું છવાયું હતું, જમીન છાણમાટીથી લીંપેલી હતી, ઘર અત્યંત દરિદ્ર ને સામાન્ય હતું. અમે યાત્રીઓએ તો જઈને કપડાં ઉતારીને લંબાવી જ દીધું. થાક ને ખિન્નતાને લીધે મેઢામાંથી એક પણ અક્ષર બાલવાની અમને હામ નહેાતી. યાત્રીએ દૂર દૂરથી આવ્યા હતા. કોઈ દક્ષિણી, કોઈ સિંધી, કોઈ પંજાબી, હિન્દી, મારવાડી, ઉડિયા, ગુજરાતી, મહારાષ્ટ્રી તથા બંગાળીની મંડળી એમાં આવી હતી. બધા વ્યવહાર માટે હિન્દુ સ્તાનીના ઉપયોગ કરતા. બે ચાર જણ સિવાય બધાના પગમાં જોડા હતા. મોટા ભાગના જોડા કેનવાસના હતા. એને તળિયે રબરનાં સાલ હતાં. આ જાતના જોડાથી ઘણી સગવડ રહેતી હતી. હાથમાં એક લાકડી તો રાખવી જ પડે, નિહતે આખર સુધી રસ્તે કાપવા અસંભવિત બની જાય, ઘણા યાત્રીએ ગઢવાલી મજુરની પીઠ પર ચઢીને યાત્રા કરે છે. ગઢવાલીઓ ઘણા મજબૂત હોય છે. એમને કંડીવાળા કહેવામાં આવે છે. કંડી ઝાળી જેવી હોય છે. એ પીઠ પાછળથી બાંધેલી હોય છે. એમાં માલ પણ લઈ જવાય, ને માણસો પણ બેસી શકે. કંડીમાં યાત્રા કરનારી માટે ભાગે સ્ત્રી જ હોય છે. ઠંડી આરામખુરશી જેવી હાય છે. એની નીચે ચાર લાકડી જડી હોય એટલે ચાર જણ ખાંધ પર યાત્રીને લાકડી દ્વારા ઉંચકીને ચાલે. નરમ ને બીકણ યાત્રીઓ ઠંડીમાં જ યાત્રા કરે છે, કારણ કે બીજા બધા કરતાં એ વિશેષ આરામદાયક હોય છે. ઝાંપાંઓ પણ હોય છે, એ દેખાવમાં નનામી જેવી લાગે છે. એમાં ઉંટીયુંટૂંટિયું વાળીને બેસવું પડે. એમાં ચાલવાન શ્રામ તો બચે, પણ એમાં આરામ ન મળે. શરૂઆતમાં તો યાત્રીએ સાથીદારો હોય, એટલે ઉત્સાહમાં ને ઉત્સાહમાં ચાલી જાય, પણ બે ચાર છ દિવસમાં, એમની ચાલ ધીમી પડી જાય, કોઈ ખોડંગાતા ચાલે, કોઈ ચાલતા ચાલતા ઢીલાઢસ થઈ ગયા હોય, કોઈ પાછળ પડી જાય, કોઈ માંદગીમાં પટકાય, કોઈના ઉત્સાહ મેાળા પડી જાય, તો કોઈ પાછા ચાલી જાય, યાત્રાના આરંભ વખતે જેઓ તંદુરસ્ત, તાકાતવાળા પ્રફુલ્લ અને મિટ્ટભાષી હોય, તેઓ, થેાડા દિવસ પછી, સૂકાયલા, તડકાથી ને ધૂળથી ગંદા થઈ ગયેલા, કરુણતાભરી દષ્ટિવાળા બની જતા. એમના ઘુંટણ દુ:ખવા આવ્યા હોય, એમના મોઢા પર ને આંખમાં એક પ્રકારના કંટાળાના ભાવ નજરે Ꮽ તા. ૧-૧-૧૬ ચઢતા હોય, ને બગડેલા મિજાજવાળા જણાતા હાય. એમની પાસે ઊભા રહ્યા હોઈએ તે આપણને બીક લાગે. યાત્રીઓની આ દશા મજુરો બરાબર જાણતા હોય છે. આથી જ જેઓ બેકાર જૂરો હોય છે, તેઓ પેાતાની પીઠે ખાલી ઠંડી લઇને દિવસેાના દિવસેા, ધીરજથી યાત્રીઓની પાછળ પાછળ ચાલતા હાય છે. ક્રમે ક્રમે એમને એક પછી એક ગ્રાહકો મળતા જાય, અને ત્યારે એ યાત્રીઓની ગરજ જાણીને વધારે પૈસા માગે ને યાત્રીઓ ગરજના માર્યા આપે. ગરજને માર્યો માણસ બધું કરવા તૈયાર થાય. આ રસ્તે સભ્ય સમાજની જેમ, ચેરીચપાટી, છેતરપીંડી, દગાટકો એવું કશું ન મળે. યાત્રીઓને એ બાબતની ઉપાધિ હોતી નથી. મજુરો વિશ્વાસપાત્ર, સીધા ને સંસ્કારી હોય છે. પૈસાનો એમને લાભ હાય છે ખરા, પણ એને માટે એએ કોઇ દુષ્પ્રવૃત્તિ નહિ કરે. એક જીભાજોડી કરે, પણ છેતરપીંડી નહિ રમે. એ ગરીબ હોય છે, પણ ગરીબી એમના હૃદયને ક્લુષિત કરતી નથી. એઓ વિહીન હોય છે, પણ ચિત્તહીન નથી હોતા. ઉત્તરાખંડમાં ગંગાને કિનારે કિનારે અમારા રસ્તે જતા હતા. આ કિનારે બ્રિટીશ ગઢવાલ, ડાબી તરફ નદી, ને પેલે કિનારે ટેહરી ગઢવાલ. એ આમ તા સ્વતંત્ર રાજ્ય હતું, પણ બ્રિટીશરાજ્યના તાબામાં જ હતું એમ કહીએ તેા ચાલે. ગંગા, અલકનંદા, ને મંદાકિની સાધારણરીતે એ રાજ્યની સીમાઓને નક્કી કરતી હતી. ગઢવાલીઓનાં ગામડાં કોઈ કોઈ વાર તા પહાડમાં બે બે માઈલ ઊંચાં હતાં. ગામવાસીઓ મેાટે ભાગે સારી સ્થિતિના હતા. બધાજ · અનુવાદક : ડૉ. ચાંદ્રકાન્ત હૈ. મહેતા ખેડૂત, પહાડની ઢળાણ જમીનમાં ખાદાણ વગેરે કરીને એ બહુ આશ્ચર્યજનક રીતે અનાજ ઉત્પન્ન કરતા હતા. ઘઉં, બટાટા, હળદર, સરસવ વગેરે ઊપજાવતા હતા. જેઓ યુવાન હોય, અથવા તો ભાર ઉપાડી શકે એવા પ્રૌઢ કે વૃદ્ધ હાય, તેઓ ચૈત્ર પૂરા થતાં જ પહાડપરથી નીચે ઉતરી આવે, ને હરદ્વાર જઈને યાત્રીએને પડે, ને એમના સામાન ઉપાડીને પહાડ પર ચઢે. હરદ્વારથી મહલચારી સુધી એમના રસ્તા મુકરર જ કરેલા છે. એ રસ્તાથી બહાર જવાના એમને પરવાના નથી, મહલચારી એ ગઢવાલ જીલ્લાના છેલ્લા સરહદના પ્રદેશ છે. આ દુનિયામાં કયાંય પણ સમતલ પ્રદેશ હાઈ શકે, શહેર હાય, નાટકગૃહ હાય, શાળા અથવા હોસ્પીટલ હાઈ શકે, એવે તે એમને વિચાર સરખા પણ ન આવે. રેલના પાટા પરથી ટ્રેન દોડે, પાણીમાં જહાજ તર, શહેરમાં મેટરો દોડે, ખેતરમાં ફુટબોલ ખેલી શકાય એ બધું તો એમને માટે સ્વપ્ન જેવું. શિયાળાના દિવસેામાં એ કેવી રીતે જીવી શકે છે, તે તે મને ખબર નથી, પણ ઉનાળામાં કામળો ઓઢીને એ રાત્રી વિતાવે છે. આ મજૂરો મેટે ભાગે બ્રાહ્મણ કે ક્ષત્રીય હોય છે. એઓ યાત્રીઓ જોડે સૂએ, બેસે, વાતો કરે, બીડી પીએ, પણ એમનું અડેલું અન્ન એ લોકો ખાય નહિ, ખાવાપીવાની બાબતમાં એ લોકો ચોકખાઈનો ખૂબ આગ્રહ રાખે છે. માંસાહારને તો એ લોકો પાપ સમજે છે. જીવહિંસા તે એએ કદાપિ કરે જ નહિ, એમની સ્રીઓ કાંઈ ઘરકામ કરીને જ બેઠી ન રહે, એ પણ ખેતી કરે, પાળેલાં જનાવરોની બરદાશ્ત કરે, કામળા વણે, કપડાં સીવે, તેલ-ઘી બનાવે, પહાડી વનામાંથી લાકડાં કાપી લાવે, નાનાં નાનાં બાળકોને પીઠ પર બાંધીને ફરવાં નીકળે. રસ્તામાં જતાં જો કોઈ ગામડું આવે તો મોટાં ને છેછેકરીઓ, આવીને યાત્રીએ આગળ ભીખ માંગે તે કહે, “એ શેઠજી, એ રાણા, સાયદોરો આપે, પૈપૈસા આપા ! યે રાણા, આપાની રાણા.” સાયદોરા અને પૈપૈસા સિવાય તેઓ બીજી ક્શાની ભીખ ન માગે. જો એમને પુરો એક પૈસા મળ્યા તે તો એ લોકો રાજી રાજી થઈ જાય, જાણે મેટી સંપત્તિ હાથમાં આવી. સાયદારા માટે એમને ખૂબ જ આસકિત હોય છે. એ ચીજ ગઢવાલ જિલ્લામાં મળતી નથી. (ક્રમશ :) મૂળ બંગાળી : શ્રી પ્રબોધકુમાર સંન્યાલ Page #7 -------------------------------------------------------------------------- ________________ 512. 2-2-44 ✩ પ્રભુપ્ત જીવન “ગ્રામદાન: એક (ગતાંકથી ચાલુ) નહીં તો ગામડાં બેહાલ થશે આ દષ્ટિએ ગ્રામદાન અને ગ્રામઘોગપ્રધાન યોજનાઓ વિશે વિચારવું જોઈએ. ગાંધીવાદી પ્લાનિંગની દષ્ટિએ તે તે મહત્ત્વનું છે જ; પરંતુ એ દષ્ટિ હમણાં હું જતી કરું છું. રાષ્ટ્રીય આયોજનની દૃષ્ટિએ અને દેશને બચાવી લેવાની દષ્ટિએ, અર્થાત યુદ્ધની અસરો આપણા દેશ પર ઓછામાં ઓછી કેમ પડે, ઓછામાં ઓછા ગામડાં ત બચી જ જાય, અને શહેર પણ બને તેટલા બચી જાય તે વળી ઘણું સારું, એ દૃષ્ટિએ હું કહું છું કે આજે ગ્રામદાન અને ગ્રામેદ્યોગપ્રધાન યોજનાઓ અનિવાર્ય છે. એના વિના લડાઈના દિવસે માં ગામડાંના લોકો માર્યા જશે, ગામડાં બધાં બેહાલ થઈ જશે. યુદ્ધને વખતે સરકાર લાચાર સાબિત થશે અને આટલાં લાખા ગામડાંઓ તરફ તે ધ્યાન આપી શકશે નહીં. માટે ગામેગામને પગભર કરવું પડશે. તેના વિના દેશ ટકશે નહીં, ગામને પગભર કરવા ગામના લોકો એક થઈને યાજના કરે. આવી ગ્રામ-યોજના એ લોકો ત્યારે જ કરી. શકશે, જ્યારે ગ્રામદાન થશે. જ્યાં લગી ગામડામાં આજના જેવી દશા રહેશે, ત્યાં લગી ગામના લોકોનું દિલ એક નહીં થાય; અને જો દિલ એક ન થાય તો ગ્રામ-યોજના બને નહીં, ગ્રામ-યોજના વિના ગામડું સ્વાવલંબી ને પગભર થઈ શકે નહીં, અને આવી ગ્રામ-યોજના ગ્રામદાન વિના થાય નહીં. તેથી ગ્રામદાન જરૂરી છે. આ હું જે દર્શાવી રહ્યો છું તે દેશના સંરક્ષણના એક પગલાંની વાત કરી રહ્યો છું. ડિફેન્સ મેઝર તરીકેની ગ્રામદાનની જરૂરિયાતની વાત કરી રહ્યો છું. આપણા દેશની આઝાદી માટે, આપણા દેશના ગ્રામજનોની ઉન્નતિ માટે, અને દેશના સંરક્ષણ માટે ગ્રામદાન ખૂબ જ જરૂરી છે. સરકાર ને કર્યાં કર્યાં પહેોંચશે? લાકો સરકારના મોં સામે તાયા કરે છે. પણ સરકાર તે ક્યાં ક્યા પહોંચશે ? હમણાં બિહારના મુખ્ય પ્રધાને જાહેર સભામાં એવી ફરિયાદ કરી કે બિહારના ચાખા ચારીછૂપીથી ચીન પહોંચે છે. આ શી વાત છે? નરી લાચારી છે ! કોઈ નાગરિક ઊઠીને આવી ફરિયાદ કરે તો સમજી શકાય, પણ ખુદ મુખ્ય પ્રધાન ફરિયાદ કરે છે! પરંતુ આને અર્થ હું એવા કરું છું કે તેઓ આ ચીજને રોકવાને અસમર્થ છે, તેથી જનતા પાસે અપેક્ષા રાખે છેકે જનતા પોતે આવી વસ્તુને રોકે. હવે ખબર નથી કે કેટલા ચોખા જતા હશે. પણ જતા જરૂર હશે, કેમ કે સરહદ પર આ જાતની આવ-જા બધે જ ચાલે છે. ત્યારે મને વિચાર થાય છેકે સરહદ પરના આ બધા વિસ્તાર ગ્રામદાની થઈ જાય અને ગ્રામસભા સક્રિય બને, ગ્રામરાજ્યની ભાવના લોકોમાં જન્મે, તો ગામડાંઓની આયાત-નિકાસ પર નિયંત્રણ રાખવું સુલભ બને. એના વિના આવું બધું રોકવાનું બિલકુલ અશક્ય છે. આ બધી બાબતોના આપણે ગંભીરતાથી વિચાર કરવા ઘટે. આજે મોંઘવારી ઘણી છે. રોજબરોજની જરૂરિયાતની ચીજોનાયે ભાવ વધી રહ્યા છે અને ગરીબ લોકો માટે એ ચીજો ખરીદવાનું ખૂબ મુશકેલ બની રહ્યું છે. આનાથી દેશના પાયા જ ખાદાઈ રહ્યો છે. હવે આમાં લડાઈ ફાટી નીકળે તો તે ભાવા આસમાને જ ચઢી જાય ! જે પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવા સામાન્ય લોકોના ગજા બહારના થઈ જાય તે દેશની આર્થિક વ્યવસ્થા પડીભાંગે. એવે વખતે ગામડાંઓની શી સ્થિતિ થશે ? દેશમાં ગરીબી રાખીને, અનાજની અછત રાખીને, તમે કયે જોરે લડશે? ફ્કત સેનાને જોરે નથી લડાતું, લડવા સારું અંદરનું બળ જોઈએ. ગામડાંઓને આર્થિક આક્રમણમાંથી ઉગારી લ માટે શાણપણ તે એમાં છે કે આપણે જીવનની પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુ ગામમાં જ ઉત્પન્ન કરી લઈએ. પ્રાણ ટકા t ૧૭૩ સ ંરક્ષણ પગલું ’ ✩ વવા અન્ન, શીલ સાચવવા કપડાં, બાળકોને માટે દૂધ, બિમારોને માટે દવા—આ બધી ચીજો માટે આપણે બીજા પર નિર્ભર ન રહી શકીએ. આટલી ચીજોની બાબતમાં તે દેશનું ગામેગામ સ્વાવલંબી બની જવું જોઈએ. શહેરો તે જાણે આર્થિક આક્રમણમાંથી બચી જશે, કેમ કે ગામડાંમાંથી ચીજવસ્તુઓ શહેરમાં પહોંચી જાય છે અને એને ખરીદવા માટેના પૈસા પણ શહેરોમાં હાય છે. પણ જે ગામના લોકોને અનાજ ખરીદવાની નોબત આવે તા અનાજના ભાવ એટલા ઉપર ચઢશે કે લાખાને ભૂખે મરવા વારો આવે. શહેરો માટે વધારે ભય લશ્કરી આક્રમણના છે. ત્યારે જ્યાં સીધી લડાઈ ચાલતી હોય ત્યાંનાં ગામડાંઓ સિવાયના બધાં ગામડાંઓ લશ્કરી આક્રમણમાંથી। બચી જશે, પરંતુ એમને ખતરો આર્થિક આક્રમણના રહેશે. એ આર્થિક આક્રમણમાંથી એમને બચાવી લેવાય એવી કોઈ યોજના થવી જોઈએ. દેશનું ૠણ લશ્કરથી નથી થઈ શકતું. એ રક્ષણની વ્યવસ્થા તો ગામેગામ થવી જોઈએ. એનો અર્થ એ નહીં કે ગામેગામ સેના ઊભી કરો અને લશ્કરી તાલીમ લે. ગામેગામનું યથાર્થ રક્ષણ એટલે કે આર્થિક આક્રમણમાંથી એમને ઉગારી લેવાં. મુખ્ય માણસો પર મુખ્ય જવાબદારી હવે, ગામેગામના રક્ષણ માટે તમારે જ તૈયાર થવું પડશે. તમે તૈયાર નહિ થાએ તે! બીજું કોણ થશે ? અને આ ‘તમે’ એટલે કોણ ? જેમની પાસે પૈસા નથી, જમીન નથી, શિક્ષણ નથી, ઉત્સાહ નથી, તેઓ લોકશાહી અંગે અને આ બધી ચીજો અંગે શું વિચારવાના ? હજી ભારતમાં એટલી જન-જાગૃતિ કર્યાં આવી છે? તેથી ગામેગામના જે મુખ્ય માણસે છે, એટલે કે જમીનવાળા, સંપત્તિવાળા, વેપારી, શિક્ષક, સરકારી અમલદાર વગેરે. એમના પર ગામને સંભાળવાની આ બધી જવાબદારી આવે છે. ગામનું રક્ષણ કરવા માટે ગામમાં પરસ્પર સહાનુભૂતિ જોઈએ, એકતા જૉઈએ, સંપ જોઈએ, ગામનું આયોજન જોઈએ. એની શરૂઆત વીસમા ભાગ ગરીબા માટે દાનમાં દેવાથી કરાય તો સારું. એનાથી ગામના ભૂમિહિનો અને મુખ્ય માણસે વચ્ચે એકતા સધાશે. કટોકટીની પરિસ્થિતિમાં તે ઉત્પાદન વધારવાની જરૂરિયાત સહુને જણાય છે. પણ ગામેગામ ઉત્પાદન વધે કઈ રીતે ? તે માટે પ્રથમ તો મહેનતમજૂરી કરનારાઓમાં ઉત્પાદન વધારવાનો રસ પેદા થવા જોઈએને? આજે જે મહેનત–મજૂરી કરે છે તેની પાસે ન જમીન છે, ન ઉદ્યોગ છે, કામ સુદ્ધાં બારે માસ મળતું રહેશે તેની બાંહેધરી નથી, અને ન તે બારે માસ અનાજ મળતું રહેવાની મેં બાંહેધરી છે. આવી સ્થિતિમાં તેને ઉત્પાદન વધારવામાં રસ કેવી રીતે પડશે ? ગમે તેટલું ઉત્પાદન કરવા છતાં તે તે ભૂખ્યો જ રહેવાનો છે. અને એ વાત પણ સો ટકા સાચી છે કે ખેતરમાં કામ કરનાર મજૂરમાં રસ પેદા કર્યા વિના ઉત્પાદન નહીં વધારી શકાય. તેથી ગામમાં જે ભૂમિવાના છે એમણે ભૂમિહીના અને ઓછી ભૂમિવાળાઓને પેાતાની જમીનના થોડો ભાગ આપીને એમને પોતાના પરિવારમાં સામેલ કરી લેવા જોઈએ. તેમ કરવાથી જ ગામમાં પ્રેમ વધશે, ખેતી કરનારાએમાં રસ પેદા થશે અને ઉત્પાદન વધશે. એનાથી ગામના ભૂમિહીના અને મુખ્ય માણસા વચ્ચે એકતા સધાશે. તમે જો સારી જમીન, ખેડાઉ જમીન આપો તો સારું જ છે, પણ પડતર જમીન આપે તો એને તમારા બળદથી ખેડાવીને આપજો. એવી ખેડેલી જમીન જ્યારે ભૂમિહીનોને અપાશે ત્યારે તેઓ એ જમીન પર પાક લેશે. તમે એમને બિયારણ પણ આપજો. તે પાક સારો થશે. કોઈને ઠગવાથી કશું કામ નહીં થાય. સારાં કામેાથી જ શકિત આવશે તે વધશે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પ્રબુદ્ધ જીવન તા, ૧-૧-૬૬ આવી રીતે ગામેગામ ભૂમિહીનાનો પ્રશ્ન ઉકેલી દઈએ. એવી રીતે ભૂમિહીનેને આપ્યા પછી બાકીની જમીન તમારી પાસે રહેશે. ' દેશ નહીં બચે તે તમે બચશે કે? પછી ગામના બદ પુખ્ત વયના સ્ત્રી-પુરૂષોની એક ગ્રામસભા બને. ગ્રામસભાને કારભાર સર્વાનુમતિથી ચાલે. દર વર્ષે તમારી ઉપજને ચાલીસમે ભાગ ગ્રામસભાને દાનમાં આપે. એના આધારે ગામમાં ઉદ્યોગ-ધંધા ઊભા કરે. આમ એક પેટર્ન બનશે. ધીરે ધીરે બધા બદલાશે. પણ એને માટે પહેલાં મોટા માણસોએ ત્યાગ કરવો પડશે. દેશને માટે તમે થોડો યે ત્યાગ નહીં કરો તો પછી દેશ કેમ બચશે? અને જો દેશ નહીં બચે તે તમે પણ શું બચશે કે? પિતાના સ્વાર્થને જરા દૂર કરીને જુઓ, ત્યારે કામ થશે. રખે આ ઝેર દેશમાં ફેલાય! બીજી એક વાત તરફ પણ ધ્યાન આપવું પડશે. અમ્યુબખાંએ હમણાં પોતાના એક ભાષણમાં અલ્લાને અને મહમદ પયગમ્બરને યાદ કર્યા હતા. આ મારી સમજમાં નથી આવતું. આખરે રસુલને અને અલ્લાને આમાં તકલીફ આપવાની શી જરૂર હતી ? કાશ્મીરમાંની ઘુસણખોરી માટે શું મહમદ રફૂલ આશીર્વાદ આપવાના? આનો અર્થ એ જ કે હિંદુ-મુસલમાન વચ્ચે ઝેર પેદા કરવાનો એમનો ઈરાદો છે. એનું પરિણામ જેહાદ અને ધર્મઝનૂની યુદ્ધમાં જ આવે. આ એક બહુ મોટો ખતરે છે. તેથી આપણે સાવધાન થઈ જવું જોઈએ. હિંદુસ્તાનની અંદર આ ઝેર ન ફેલાય તે જોવું જોઈએ. પોતપોતાની જગ્યાએ શાંતિ જાળવી રાખવાની જવાબદારી આપણે સહુએ ઉપાડી લેવી જોઈએ. આ સંદર્ભમાં ગ્રામદાનના કાર્યક્રમ ઉપર વિચાર કરશો તો સંરક્ષણના પગલાં તરીકેનું તેનું મહત્ત્વ ધ્યાનમાં આવશે. મૂળ પર જ પ્રહાર કરવું જોઈએ આજે દેશ પર સંકટ આવ્યું છે. એ સંક્ટને બાહ્ય સામને કરવા આપણને જે કરવું પડે છે તે કરીએ જ છીએ. પરંતુ આખરે ઝઘડાનું મૂળ શું છે તે સમજવું જોઈએ, અને સીધો મૂળ પર પ્રહાર થવો જોઈએ. ફકત ડાળ પાંખડાં તોડવાથી વૃક્ષ તૂટતું નથી. સંસ્કૃતમાં કહે છે કે એક છે શાખાગ્રાહી પાંડિત્યમ અને બીજું છે મૂલગ્રાહી પાંડિત્યમ. માટે આપણે મૂળ પર જ પ્રહાર કરવો જોઈએ. કોમવાદ અને સામ્યવાદને બેવડો હુમલો ભારત પર આજે બેવડો હુમલો થઈ રહ્યો છે, એક પાકિન સ્તાન તરફથી અને બીજો ચીન તરફથી. આનું મૂળ શું છે? પાકિસ્તાન અને ચીન સપનામાંયે નહીં વિચારતા હોય કે દિલ્હી ઉપર કબજો કરવો. વાસ્તવમાં આ હુમલો થઈ રહ્યો છે એક બાજુથી કમ્યુનિઝમને અને બીજી બાજુથી કમ્યુનલિઝમને. પાકિસ્તાન તરફથી જે હુમલો થઈ રહ્યો છે તે કોમવાદને છે, જાતિવાદન છે; અને ચીન તરફથી જે હુમલો થઈ રહ્યો છે તે સામ્યવાદને છે. કોમવાદ અને સામ્યવાદ એ બે વચ્ચે આપસમાં મેળ નથી. તેમ છતાં બન્નેને હુમલે ભારત પર થઈ રહ્યો છે, કેમ કે ભારતમાં બન્નેને સામાન ભર્યો પડે છે. મને કોઈ પૂછે કે ભારતમાં કેટલી જાતિઓ છે, તે હું કહું છું કે સામેના ઝાડ પર જેટલા પાંદડાં છે તેટલી. તેથી કોમવાદના પિષણને પૂરી મસાલો ભારતમાં પડયો છે. બીજી બાજુ ભારતમાં અનહદ ગરીબી છે. મને લાગે છે કે ભારતની ગરીબીની બરોબરી કરનારો ભાગ્યે જ બીજો કોઈ દેશ હશે. કદાચ પાકિસતાન થોડી કરી શકે. તેથી સામ્યવાદ માટે પૂરી મસાલે અહીં ભર્યો પડયો છે. આ બેઉ હુમલાને આજે ખતરો છે. જે એકબીજાના હાથનું ખાશે નહીં, એકબીજાની આભડછેટ રાખશે, એકબીજાને નીચ સમજશે, તે ખભેખભા મિલાવીને લડશે શી રીતે ? આજેય હરિજનને કૂવેથી પાણી નથી લેવા દેતા, તો આફતને વખતે એમના મનમાં દેશને સારુ મરી ફીટવાને ઉત્સાહ કઈ રીતે પેદા થશે? અને દેશ જો. ગરીબીમાં સબડત રહેશે તો ચીન કે બીજા કોઈ દેશથી જે ખતરે છે, તેના કરતાં સોગણો ખતરો રહેશે. ત્યારે કરીશું શું? તે હવે આપણે શું કરવું જોઈએ? સેના તે મોકલી આપી છે. પણ એટલાથી કામ ચાલશે ખરું? દેશની અંદર આપણે શું કરવું પડશે ? એક તે ભારતની ગરીબી દૂર કરવી અને અસમાનતા ઓછી કરવી. આટલું આર્થિકક્ષેત્રમાં કરવાનું છે અને સામાજિક ક્ષેત્રમાં જાતિભેદ નાબૂદ કરવાનું છે અને ભાવાત્મક એકતા સાધવાની છે. આ બે વાત જો આપણે કરીશું તો બહારના આક્રમણને ખતરો નહીં રહે, અને એ ખતરો ઊભા થશે તોયે મક્કમતાથી આપણે તેને. મુકાબલો કરી શકીશું. હવે, આ બે વાત માટે સરકાર પણ કોશિષ કરી રહી છે. પરંતુ અંદર જનતામાં હૃદયની એકતા નહીં હોય તે સરકારના ઉપર-ઉપરના ઉપાયથી શું વળશે ? મુખ્ય કામ તો લોકેએ જ કરવું પડશે, અને તે એ કે, ગામેગામમાં અંદરની એકાત્મતા સાધવી પડશે, ગામના ભેદ મિટાવવા પડશે, ગરીબી અને અસમાનતા દૂર કરવી પડશે, ગામેગામનું અન્ન-સ્વાવલંબન અને વસ્ત્રસ્વાવલંબન સાધવું પડશે, અને એ રીતે ગામેગામને પગભર કરવું પડશે. તેના વિના દેશ ટકશે નહીં. આ માટે ગ્રામદાનને કાર્યક્રમ છે આ માટે ગ્રામદાનને કાર્યક્રમ છે. હું કહું છું કે ભાઈ, ગ્રામસભા બનાવે. જમીનને વીસમો ભાગ ગામના ભૂમિહીનાને આપો. દર વર્ષે તમારી ઉપજને ચાલીસમે ભાગ ગ્રામસભાને દાનમાં આપે. એ મૂડીના આધારે ગામમાં ગ્રામોદ્યોગો ઊભા કરે, ખાદી ઊભી કરી, ગામના બેકારને કામ આપે. ગામમાં ઝઘડા ન થાય, થાય તોયે કોર્ટમાં ન જાય, તેવું કરે. ઉત્પાદન વધારો. ગામ માટે જરૂરી અનાજ ગામમાં રાખી લે. ગામની આયાત-નિકાસ પર ગ્રામસભા દ્વારા નિયંત્રણ રાખે. આ હું ગામેગામ સમજાવી રહ્યો છું. આમાં જમીનની માલિકી ગ્રામસભાને સમર્પણ કરવી પડશે. તેથી તમારી જમીન વેચવાને અધિકાર જશે, પણ ખેડવાનો અને વારસાને અધિકાર કાયમ રહેશે. આ તમારો લાભમાં જ છે. બિહારની સરકારના ધ્યાનમાં આ વાત આવી ગઈ છે. તેથી જ એણે ઓર્ડિનન્સ બહાર પાડીને ગ્રામદાન એકટ એકદમ અમલમાં આણી દીધા છે. વટહુકમ જાહેર ક, એટલી બધી ઉતાવળ કેમ? કેમ કે આ ગ્રામદાનનું કામ જલદી થવું જોઈએ. કૃપા કરી મારું સાંભળે! લેકો પૂછે છે કે “બાબા, તમે આમ ગામડે ગામડે ફરો છો શા સારુ? તમે થાકતા નથી?' હું જવાબ આપું છું કે આ ઘડપણમાં મારે માટે થાવું સહેલું છે, પણ હું થાકતો નથી, કારણ હું મારી નજર આગળ દેશને વિનાશ જોઉં છું. હું જોઈ રહ્યો છું કે આપણે એક્બીજાને મદદ નહી કરીએ, મજૂરો અને ગરીબોને પોતાના કુટુંબના માણસો નહીં ગણીએ તે હિંદુસ્તાનની આઝાદીને નાશ થશે. જે આંધળો હોય છે તે Íત સાથે અથડાય છે, જ્યારે આંખવાળો ભીંતને જોઈ એને ટાળીને આગળ વધે છે. પરમાત્માની કૃપાએ મને આંખ છે. હું જોઈ રહ્યો છું કે આગળ ઉપર શું થવાનું છે. તેથી તમને ચેતવણી આપવા સારુ એક દિવસની યે રજા લીધા વિના હું ઘૂમી રહ્યો છું અને મારે નબળો અવાજ તમારા કાન સુધી પહોંચાડું છું. યુદ્ધને વખતે આજની પંચવર્ષીય યોજના ગંજીફના મહેલની માફક પડી ભાંગશે. તે વખતે તો ટકશે ગ્રામરાજ અને ગ્રામસ્વરાજ. માત્ર સેનાથી દેશ સુરક્ષિત નહીં રહી શકે. દેશને જો સુરક્ષિત બનાવ હોય તે દિલહીથી ગામની યોજના ન ઘડાવી જોઈએ, ગામનું જ પેતાનું પ્લાનિંગ’ હોવું જોઈએ. ગામ ઉપર તે જવાબદારી નાખવી --------- -----... :-- - . . . . . Page #9 -------------------------------------------------------------------------- ________________ મુદ્ધ જીવન તા. ૧-૧-૧૯૬ ટકા જોઈએ. ગામને તે અધિકાર હોવા જોઈએ. કેન્દ્રનું પ્લાનિંગ પણ પછી તે ઢબે ઘડાય. ગામના આવા સર્વાંગી આયોજન માટે આ ગ્રામદાનના કાર્યક્રમ છે. જરા વિચારવું જોઈએ. આજે આપણા દેશમાં ૨૦ ટકા લાકે શહેરમાં વસે છે. અને . ગામડામાં વસે છે, તેમ છતાં આજે સરકાર પર અને સરકારના પ્લાનિંગ પર રંગ શહેરના છે. આમ શું કામ થવું જોઈએ ? હું તો કહેવા માગું છું કે સરકારને અને સરકારના પ્લાનિંગનો રંગ આપણે બદલવા છે. સરકારનું પ્લાનિંગ પોતે જ ગ્રામદાનના પાયા ઉપર ખડું થવું જોઈએ. આપણા જેવા ગામડાંઓમાં વસેલા ખેતીપ્રધાન દેશનું પ્લાનિંગ તો ગ્રામાભિમુખ, ગ્રામમૂલક, ગ્રામનિષ્ઠ પ્લાનિંગ હાવું જોઈએ. આ તે જ થઈ શકે જો દેશમાં લાખો ગ્રામદાન એકી સાથે થઈ જાય. અને હું એ પણ કહેવા માગું છું કે આવી રીતે ગામેગામને પગભર નહીં કરીએ તે માત્ર સેનાથી આવડા મોટા દેશના કદી બચાવ નહીં થઈ શકે. સાંટને સમયે દેશ નહીં ટકી શકે. આજે ગામેગામ ગ્રામસ્વરાજની સ્થાપના કરવાનું કામ સંરક્ષણની દષ્ટિએ પણ અત્યંત તાકીદનું કામ છે. હિંદુસ્તાન સ્વાધીન ગામાના સ્વાધીન દેશ બનવા જોઈએ. જેમ કહેવાય છે ને કે યુ. એસ. એસ. આર.તે પ્રમાણે યુનિયન ઑફ સર્વોદય રિપબ્લિકસ રચાવું જોઈએ. પ્રત્યેક ગામ સ્વાધીન બનવું જોઈએ, એક સંપૂર્ણ પ્રજાસત્તાક બનવું જોઈએ, અને પછી એવા પ્રજાસત્તાકોનું એક સંયુક્ત રાષ્ટ્ર બને. બાપુના ગ્રામસ્વરાજના ખ્યાલ આવે છે. આજે દેશના સાંરક્ષણને માટે પણ આવા ગ્રામસ્વરાજ વિના આરો નથી. આ હજીયે નહીં સમજીએ તે ખત્તા ખાઈશું. આમ, દેશનું ગામડે ગામડું મજબૂત બનાવીશું ત્યારે દેશ સુરક્ષિત રહી શકશે. એક એક ગામ એક પરિવાર જેવું બને. સહુ નકકી કરે કે અમારા ગામની યોજના અમે બનાવીશું. અમારા ગામમાં કોઈ ભૂખ્યું નહીં રહે, બેકાર નહીં રહે. કોઈ દુ:ખી હશે તે એના દુ:ખમાં અમે સહુ ભાગ પડાવીશું. આમ થશે તો લડાઈની દષ્ટિએ તો જાણે લાભ થશે જ, પણ તે ઉપરાંત દેશ બહુ મજબૂત બનશે, અને તેના કાયમને સારુ લાભ મળશે. અને એ ખરુ સ્વરાજ્ય હશે. અત્યારે ભારતને સ્વરાજ્ય મળ્યું છે ખરું, પણ એના આનંદની અનુભૂતિ નથી થતી. જેમ સૂર્યોદય થાય તે તે માત્ર કલકત્તા કે દિલ્હીમાં જ નથી થતો, પણ તેનું દર્શન ગામેગામ અને ઘરેઘર થાય છે, અને નાનું બાળક પણ જાણે છે કે સૂર્યોદય થયા. એવી જ રીતે સ્વરાજ્યના સુખની અનુભૂતિ પણ ગામેગામના બાળકને થવી જોઈએ. સ્વરાજ્યમાં એક ઉષ્ણતા છે, એનો એક પ્રકાશ છે. એ પ્રકાશ ને એ ઉષ્ણતાનો અનુભવ દરેકને થવા જોઈએ. આમ થશે તે બહારના કોઈ આક્રમણના આપણે શાંતિપૂર્વક પ્રતિકાર કરી શકીશું. એને માટે નિર્ભયતા જોઈએ, પૂર્ણ પ્રેમ ને સહયોગ જોઈએ, ત્યારે અહિંસાની શકિત પાંગરી શકે. ગ્રામદાનના કાર્યક્રમ એ આવી અહિંસક લાક્શકિત નિર્માણ કરવાના કાર્યક્રમ છે. હું માનું છું કે આ કાર્યક્રમથી બહારના દેશોની આક્રમણવૃત્તિ પણ કુંઠિત થઇ શકે છે. પરંતુ રાજ્ય—વિસ્તાર-તૃષ્ણાની અંધતાને કારણે કદાચ આક્રમણવૃત્તિ કઠિત ન મૈં થાય, તો પણ તેનાથી આક્રમણની શક્તિ તો કુંઠિત થઇ જ જશે. આ દૃષ્ટિએ ગ્રામદાન એ એક અત્યંત મહત્ત્વનું સંરક્ષણનું પગલું છે. આજે દેશભરમાં નાદ ગાજી જવા જોઈએ. રાષ્ટ્ર રક્ષા કાજે ગ્રામદાન ! સમાપ્ત રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય રાજકારણી પરિસ્થિતિ વિનાબા શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૬-૧-૬૬ ગુરુવારના રોજ સાંજના ૬ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫૪૭, ધનજી સ્ટ્રીટ) સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “રાષ્ટ્રીય તેમ જ આતરરાષ્ટ્રીય પરિસ્થિતિ”એ વિષય ઉપર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવેલ છે. આ વિષયમાં રસ લેતા સર્વે ભાઈબહેન ને હાજર રહેવા વિનંતિ છે. મંત્રીએ, મુંબઇ જૈન યુવક સદ પ્રકી નોંધ 9 ૧૭૫ ✩ કરેલા વિચારો વિશ્વ હિન્દુ સંમેલનમાં મહામના મુનશીએ રજુ દિલ્હી ખાતે ડિસેંબર માસની તા૦ ૯, ૧૦, ૧૧, અને ૧૨ એમ ચાર દિવસનું વિશ્વ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા ૧૫૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતા. આ પ્રતિનિધિઓમાં બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ તથા શિખ ધર્મના અનુયાયીઓના તેમજ આદિવાસી નેતાઆના સમાવેશ થતો હતો. શ્રી નિત્યાનંદ બેનરજી આ સંમેલનની સ્વાગતસમિતિના પ્રમુખ હતા અને ગોવર્ધનપીઠના શંકરાચાર્ય શ્રી નિરંજન ધ્રુવ પ્રસ્તુત સંમેલનના અધ્યક્ષ હતા. પહેલા દિવસની બેઠકનું ઉદ્ઘાટન કરતાં શ્રી કનૈયાલાલ માણેલાલ મુનશીએ સૂચવ્યું હતું કે હિન્દુ ધર્મમાં નવા પ્રાણના સંચાર કરવા માટે તેમ જ પાયાનાં મૂલ્યાનો ભાગ આપ્યા સિવાય આધુનિક પરિસ્થિતિ સાથે હિન્દુધર્મના સુમેળ સાધવા માટે હિન્દુએની એક કેન્દ્રસ્થ સંસ્થા ઉભી કરવાની ખાસ જરૂર છે. પેાતાના પ્રવચન દરમિયાન તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે “આજની દુનિયાના સંદર્ભમાં હિન્દુ ધર્મની બળવત્તા અને નિર્બળતા અંગેના સાચા કયાસ કાઢવા માટેનો સમય પાકી ચુકયો છે. જો કે ભૂતકાળમાં અનેક અવરોધો ઉભા થવા છતાં, હિન્દુ ધર્મ હજારો વર્ષથી ટકી રહ્યો છે, એમ છતાં પણ, આજે તેના અસ્તિત્વ સામે કટોકટી તાળાઈ રહી છે. ઔદ્યોગિક ક્રાન્તિએ દુનિયાને સાંકડી બનાવી દીધી છે, ભૌતિક સંપત્તિ અને સફળતા જીવનનાં મુખ્ય ધ્યેય બની બેઠાં છે અને સ્કૂલ અને કેલેજો માત્ર ભૌતિક જીવનમૂલ્યોના વાતાવરણને પોષી રહેલ છે, ઉત્તેજિત કરી રહેલ છે. જેના ચોગઠામાં પુરાઈને હિન્દુ ધર્મ સદીઓથી આજ સુધી પોષાતા—સંવર્ધિત થતા રહ્યો છે તે વર્ણાશ્રામધમે પ્રાણ અને પવિત્રતા- બન્ને ગુમાવી દીધા છે. કેટલાક શિક્ષિત માનવીએ એમ માનવા લાગ્યા છે કે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે પાયાના વિરોધ છે, પણ એ તો પશ્ચિમે ઉભું કરેલું ભૂત છે. હિન્દુ ધર્મનું પાયાનું વલણ એ રહ્યું છે કે અસત્ય તરીકે પુરવાર થયેલાં તૂતો ઉપર ધાર્મિક માન્યતા લાંબા સમય ટકી ન જ શકે. વસ્તુત: વિજ્ઞાન અને ભૌતિકવાદ માનવીમાં રહેલી ધાર્મિક આકાંક્ષાઓને એષણાઓને સંતોષી શકે તેમ છે જ નહિ. આજે સુખસગવડો વધી છે, પણ ખરું સુખ વધ્યું નથી. ખરું સુખ પ્રાપ્ત કરવા માટે ક્રિયાશીલ ધર્મની જ જરૂર છે. હિંદુ ધર્મને પ્રાણવાન બનાવવા માટે, ધાર્મિક પ્રક્રિયાઓ આધુનિક માનસને સંતોષે તેવી હોવી જોઈએ, ક્રિયાકાંડ અને અનુષ્કાને ચિત્તનું ઉર્વીકરણ કરે તેવાં હોવાં જોઈએ અને ધાર્મિક પ્રતીકો પ્રેરણાદાયી હાવાં જોઈએ. મંદિરો સ્વચ્છ હાવાં ઘટે, તેના વાતાવરણમાં પવિત્રતા હોવી ઘટે, પ્રાર્થના સાથેનું સંગીત આત્મસ્પર્શી હોવું ઘટે, મંદિરના પુરોહિત વિદ્રાન તેમ જ કાવ્વાસંપન્ન હોવા ઘટે.” શ્રી મુનશીએ આગળ ચાલતાં જણાવ્યું કે “હિંદુ કુટુંબવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે મેટા પાયા ઉપરનું આન્દોલન ગતિમાન કરવાની જરૂર ઊભી થઈ છે. લગ્ન સાથે જોડાયેલી પવિત્રતાની ભાવના પુન : પ્રતિષ્ટિત કરવાની જરૂર છે. કેટલાક દેશમાં મરજી મુજબ લગ્નજીવનમાં પ્રવેશ કરવાનું અને તેમાંથી ફાવે ત્યારે છુટા થવાનું ચાલી રહ્યું છે તે પતિ જીવનનાં સર્વ મૂલ્યાને ઘાતક નિવડવાની છે.' શ્રી મુનશીનાં ઉપર આવેલાં વિધાને આપણા સર્વ માટે મનનીય તેમજ આદરણીય છે. વિશ્વ હિન્દુ સંમેલનમાં રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને કરેલું પ્રવચન ઉપર જણાવેલ વિશ્વ હિન્દુ સંમેલનના બીજા દિવસની બેઠ– કનું ઉદ્ઘાટન કરતાં ડૅ॰ રાધાકૃષ્ણને એક મનનીય પ્રવચન કર્યું હતું. તે પ્રવચન દરમિયાન તેમણે જણાવ્યું કે “ઉપાસનાના ભિન્ન ભિન્ન માર્ગ એક જ ઈશ્વર સમીપ લઈ જાય છે. કોણે કયા માર્ગે જવું એ બાબત અંગે ધાર્મિક પુરૂષોએ જરા પણ ઝગડો કરવાની જરૂર નથી. “હિન્દુ તત્ત્વજ્ઞાન સંબંધમાં સાંપ્રદાયિક કે રૂઢ માન્યતા જેવું કશું . નથી. એ એક એવું સૂત્ર છે કે જે સભ્યતાના પ્રારંભથી ભારતને પ્રાપ્ત થયેલ છે. હિન્દુ વિચારસરણી મુજબ, દુ:ખગ્રસ્ત માનવજાત ઉપર અનુગ્રહ કરવા માટે પરમ તત્વ અનેક રૂપે Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧-૬૬ - ધારણ કર્યાં છે. હિન્દુ તત્ત્વજ્ઞાનનું હાર્દ મહાન આધ્યાત્મિક સત્ય , આ પ્રસંગે વિશિષ્ટ વ્યકિતઓનાં પ્રસંગોચિત વિવેચને બાદ મુનિશ્રી તરફ લઈ જતા અનેક ઉપાસના માર્ગો વચ્ચેની સંવાદિતામાં રહેલાં છે. યશોવિજજી મહારાજની પ્રેરણા અને સદુપદેશના પરિણામે જૈન આજે અનેક સંસ્કૃતિઓ અને અનેક ધર્મો એકમેકની સમિતિની મહિલાઓએ એકત્ર કરેલી રૂા. ૧૭ લાખની કિંમતનું ખૂબ સમીપ આવીને ઊભા રહેલ છે. આજની દુનિયાની આ ૧૨૫૦ ૦૦ ગ્રામ સેનું સુવર્ણ બેન્ડ માટે શ્રી નંદાજીને અર્પણ વિશેષતા છે. આપણી દુનિયાએ એક સુગ્રથિત ઘટક બનવું જોઈએ. કરવામાં આવ્યું હતું. આવી પ્રેરણા આપવા માટે મુનિશ્રી થશેજે ધર્મોના બાહ્ય આકારે ઉપર મૂકાત ભાર માનવજાતમાં ભેદભાવ વિજયજીને અને આટલા મોટા પ્રમાણમાં સુવર્ણ બેન્ડ માટે સેનું વધારતો હોય તે ધર્મોના આધ્યાત્મિક રહસ્ય ઉપર મૂકાતે ભાર અર્પણ કરવાની પહેલ કરવા માટે મુંબઈની આ જૈન મહિલાઓને માનવજાતને એકત્ર બનાવવામાં મદદરૂપ બને તેમ છે. અનેક ધન્યવાદ ઘટે છે. આપણે આશા રાખીએ કે આ શુભ ઘટસદી દરમિયાન માનવી આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યો હતો અને નાથી પ્રેરિત બનીને અનેક જૈન-જૈનેતર બહેને સુવર્ણ-સંગ્રહના પાયાને પ્રશ્ન પૂછતો રહ્યો હતો કે એવી કોઈ ગૂઢ પરમ શકિત છે કે મેહને હળવો કરશે અને સંગ્રહિત સેનું ભારત સરકારના ચરણે. જેનું આ વૈશ્વિક પ્રક્રિયા ઉપર શાસન પ્રવર્તે છે? જડ દ્રવ્યમાંથી રજુ કરીને આજની કટોકટીને હળવી કરવામાં મદદરૂપ થશે. જીવન નિર્માણ થયું; જીવનમાંથી પાશવ ચેતના નિર્માણ થઈ અને પરમાનંદ ત્યાર બાદ માનવીની બુદ્ધિને આવિષ્કાર થયો. સાધના શિબિર” પણ માનવીની બુદ્ધિ માત્ર તેની જે અનાદિ કાળની શોધ સૌરાષ્ટ્રના ઉના જિલ્લામાં એક શાન્ત એકાન્ત ખૂણે તુલસીશ્યામ ચાલી રહી છે, તેને સંતોષ આપી શકે તેમ હતું જ નહિ. તર્કપુર:સર વિચાર કરતાં માલુમ પડે છે કે માનવીને પિતાના અત્તમ નામનું એક તીર્થધામ આવેલ છે. આ તીર્થસ્થળ ઉપર તુલસીશ્યામ વિકાસ સમિતિ તથા સેરઠ શિક્ષણ અને સંસ્કૃતિ સંઘના સંયુકત ઉપપ્રદેશમાં ઈશ્વરની વાસ્તવિકતાની અનુભૂતિ થવી જોઈએ. તે માટે ક્રમે આગામી ફેબ્રુઆરી માસની તા, ૪, ૫, ૬ એમ ત્રણ દિવસ અનાદિ અનન્ત એવું જે પરમ તત્વ છે તેને પ્રત્યક્ષ અનુભવ માટે આચાર્ય રજનીશજીના સાનિધ્યમાં ૩૦૦ જિજ્ઞાસુ ભાઈ–બહેને થવા ઘટે. તે માટે મનોમન્થન આવશ્યક બને છે. તે માટે ઉત્કૃષ્ટ માટે એક શિબિર ગોઠવવામાં આવી છે. આ શિબિરમાં મુંબઈથી આશરે પ્રકારના શિસ્તની અને હૃદયની પવિત્રતાની અપેક્ષા રહે છે. ૮૦ ભાઈબહેનને લાવવા લઈ જવાની ગોઠવણ વિચારાઈ રહી છે. જેમને સાક્ષાત્કાર થયો છે એવા માનવીઓ ઈશ્વર વિષે આ શિબિરને મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો લાભ લઈ શકે તે ભિન્ન ભિન્ન વિધાને કરતા રહ્યા છે, પણ તેમના પાયાના દર્શનમાં માટે ઉપર જણાવેલ ૮૦ માંથી આશરે ૪૦ નું ઘટક મુંબઈ જેન યુવક કઈ મૌલિક વિસંવાદ જોવામાં આવ્યો નથી. ભારતના ધર્મશાસ્ત્રો સંઘ દ્વારા ગઠવવું એમ નક્કી કરવામાં આવ્યું છે. શિબિરમાં હંમેશાં ભિન્ન ભિન્ન અભિગમ વચ્ચે રહેલી એકવાકયતા ઉપર જ જોડાનાર વ્યકિતએ તુલસીશ્યામ ખાતે નિવાસ વગેરેની સગવડ માટે ભાર મૂકતા રહ્યા છે. રૂા. ૨૦-૦૦ ભરવાના છે. ખાવા પીવાના ખર્ચની જવાબદારી સંયોજક “ઈશ્વર વિષેના માનવીના સનાતન પ્રશ્નને પ્રતીતિકર ઉત્તર સંસ્થાઓએ વહન કરવાની તત્પરતા દાખવી છે. શિબિરની પૂર્ણામેળવવામાં જ માનવીના જીવનની પરિપૂર્તિ રહેલી છે, અને તે હુતિ બાદ મુંબઈથી આવેલી મંડળીને એક દિવસ આસપાસના પ્રદેમાટે જે પાછળ આર્મદષ્ટિ રહેલી છે તેવો ધર્મ–Prophetic Religion શેમાં બસમાં ફેરવવાની ગોઠવણ વિચારવામાં આવનાર છે. મુંબઈથી સાક્ષાત્કારનું ઉતમોત્તમ સાધન લેખાયું છે. પુરોહિતો વડે પ્રચારિત જવા આવવાને લગતા પ્રબંધ ગોઠવાઈ રહ્યો છે, જેની માહિતી હવે પરંપરાગત ધર્મ અને તર્કઆધારિત ધર્મ મૂળ ધર્મનાં ઉતરતી પછી આપવામાં આવશે. આ પ્રવાસ છ થી સાત દિવસને હશે એમ કોટિનાં રૂપે છે. આર્ષદષ્ટિસંપન્ન ધર્મ જ એક એવો ધર્મ છે કે ધારણા છે. અહિંથી શિબિરમાં જોડાવા ઈચ્છતા ભાઈબહેનને તુલસીજે દરેક વ્યકિત માટે જીવનસંદેશને વાહક બનાવી શકે છે.” શ્યામ પહોંચાડવા તથા ત્યાંથી મુંબઈ પાછા લાવવા અંગે તેમ જ ત્યાર બાદ રાષ્ટ્રપતિએ ધાર્મિક ક્રિયાકાંડની ટીકા કરી છે, જે તુલસીશ્યામ ખાતે બસના એક દિવસના ગોઠવવા ધારેલ પર્યટન અંગે ક્રિયાકાંડે હિન્દુ ધર્મના પાયાના હાર્દને નાબુદ કરવાનો પ્રયત્ન વ્યકિત દીઠ કેટલી રકમ લેવી તે હજુ નક્કી કરવાની છે, પણ ઉપર ર્યો છે. જણાવેલ રૂા. ૨૦-૦૦ તથા પ્રવાસખર્ચ મળીને કુલ રૂ. ૮૫-૦૦ ત્યાર બાદ ધર્મના નામે જેમાં હિંસા કરવામાં માને છે તેવા આસપાસની તે રકમ હશે. તો સંધના જે કઈ સભ્યને એકલા કે પોતાના લોકોની ટીકા કરતાં રાષ્ટ્રપતિએ એક સંસ્કૃત શ્લોક રજુ કર્યો, કુટુંબ સાથે આ શિબિરમાં જોડાવાની ઈચ્છા હોય તેમણે જાન્યુઆરીની જેને અર્થ એ છે કે “જો હિંસા એ જ સ્વર્ગનું દ્વાર હોય તે ૧૫મી તારીખ પહેલાં સંઘના કાર્યાલયમાં (૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, પછી નરકનું દ્વાર બીજું શું હોઈ શકે ?” મુંબઈ૩) રૂા. ૮૫-૦૦ ભરી જવા વિનંતી છે. સંઘના સભ્યો માટે અન્તમાં ડે. રાધાકૃષ્ણને જ્ઞાતિપદ્ધતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું આ એક પ્રકારની જ્ઞાનયાત્રા છે. આ યાત્રા કેવળ આનંદકે “પરમ તત્વના સાક્ષાત્કારને કે મેક્ષની પ્રાપ્તિને કોણ કઈ જ્ઞાતિમાં લક્ષી વિહાર નથી. આથી સહજ પ્રસ્તુત બને છે કે જેના દિલમાં જ છે અથવા તો કોણ કઈ પરિસ્થિતિમાં જીવન ગાળે છે તે તત્ત્વજિજ્ઞાસા હોય તેવા જ સભ્ય અને તે પ્રકારના જ કુટુંબીજનેએ સાથે કશે પણ સંબંધ નથી. તમારામાં ઈશ્વરપ્રેમ હશે તો તમને આ શિબિરમાં જોડાવાનું છે. શિબિરમાં જોડાનાર પ્રત્યેક ભાઈબહેન મેક્ષ મળવાને જ છે.” શિબિરના દિવસે દરમ્યાન શિબિરના ગાંભીર્યને અનુરૂપ વર્તન દાખવે સત્તર લાખનું તેનું સુવર્ણ બેન્ડમાં અર્પણ કરવા માટે એ એટલું જ અપેક્ષિત છે. આ શિબિરમાં નાની ઉમ્મરનાં બાળકોને મુંબઈની જૈન મહિલાઓને ધન્યવાદ સાથે લાવવાના નથી. તા. ૧૯મી ડિસેંબર રવિવારના રોજ રાષ્ટ્રીય સહકાર જૈન પ્રવાસખર્ચ અંગે સંયોજક સંસ્થાઓ જે કાંઈ રકમ સમિતિના ઉપક્રમે મુંબઈ ખાતે પાયધુની ઉપર આવેલા ગોડીજીના નક્કી ક્રશે તે મુજબ સંઘ તરફથી હિસાબ સરખે કરી આપઉપાશ્રયમાં જૈનાચાર્યોની નિશ્રામાં જૈન મહિલાઓની એક જાહેર વામાં આવશે. આને લગતી વધારે માહિતી સંઘના કાર્યાલયમાંથી તેમ જ સભા મળી હતી અને આ સભામાં ભારત સરકારના ગૃહપ્રધાન જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨, માંથી મળશે. શ્રી ગુલઝારીલાલ નંદા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત થયા હતા. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ ઉપી હતી અને આ તરીકે ઉપસ્થિત Page #11 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૬૬ પ્રબુદ્ધ જીવન * ૧૭૭ વર્તમાન ભારત-અમેરિકી સંબંધો: એક સમીક્ષા [યુનાઈટેડ સ્ટેટ્સના ભારત ખાતેના અદ્યતન એલચી શ્રી ચેસ્ટર બોલ્સ ભારતના એક પુરાણા મિત્ર છે. ભારત આઝાદ થયું ત્યાર બાદ શ્રી ચેસ્ટર બાલ્સ ભારત ખાતે આવેલા યુનાઈટેડ સ્ટેટ્સના ત્રીજા એલચી હતા. તેઓ ગયા નવેંબર માસમાં અમદાવાદ ગયા હતા અને ત્યાંના લાસ્કી ઈન્સ્ટીટયુટમાં તેમણે ૧૭મી નવેંબરે એક વ્યાખ્યાન આપ્યું હતું. ભારત અને યુ. 'ઈડ સ્ટેટ્સના જ સુધીના સંબંધની આ વ્યાખ્યાનમાં સુન્દર સમીક્ષા કરવામાં આવી છે. આજ સુધીમાં ભારત માટે યુનાઈટેડ સ્ટેટ્સે શું શું કર્યું છે તે યથાસ્વરૂપે સમજવામાં આ વ્યાખ્યાન ઉપયોગી થશે એમ સમજીને તે વ્યાખ્યાનને તા. ૨૬-૧૧-૬૫ના ‘અમેરિકન સંદેશ'માં પ્રગટ થયેલ અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી.] હું આજે અહીં ભારતના મિત્ર તરીકે આવ્યો છું. તમારી ભારતની કરોડો એકર ખેતીવાડીની જમીન માટે સિંચાઈની સગવત આઝાદીના પ્રારંભિક દિવસથી જ ભારતના નેતાઓને અને હજારો કરવામાં, સાત આધુનિક કૃષિ-કૉલેજોની સ્થાપના કરવામાં, નાગરિકને હું ઓળખું છું. ડુંગરમાંથી રસ્તા કોરી કાઢવામાં અને ભારતમાં ભૂમિસૈન્ય તથા આ લાંબા સમયના અંગત સંબંધ ઉપર ભાર મૂકવાનું હવાઈ દળને સાધનસામગ્રી પૂરી પાડવામાં મદદરૂપ થઈ છે. કારણ એ છે કે આજે તમારી સમક્ષ નિખાલસતાથી પૂરેપૂરી વાત આ કેપીટલ લેન અને ગ્રાન્ટ ઉપરાંત છેલ્લાં ૧૪ વર્ષમાં કહી દેવાની જરૂર છે. અમેરિકાએ ભારતને ૩ કરોડ ૫૦ લાખ ટન અનાજ આપ્યું છે. પાકિસ્તાન-ભારત સંઘર્ષને પરિણામે નવી દિલ્હી અને રાવલ- અત્યારે આ અનાજ તમારા કુલ વાર્ષિક અનપુરવઠાના સાત ટકા પિંડીમાં જૂની નીતિ અને જૂના સંબંધોની સારા પ્રમાણમાં પુનવિચા- જેટલું થાય છે. એ અમેરિકાની ઘઉની કુલ પેદાશના આશરે ૧૮ રણા થાય એ અનિવાર્ય છે. વળી જેમનાં હિતે અને જેમના રાંબંધ ટકા જેટલું છે. ભારતની શાળાઓનાં એક કરોડ બાળકો દરરોજ ઉપર આ કરણ સંઘર્ષની અસર થઈ હોય એવા મારા દેશ જેવા બીજા અમેરિકાથી આવેલા પાઉડરનું દૂધ પીએ છે. દેશે પણ હવે નિર્માણ થનારી નવી પરિસ્થિતિ અને નવી વલણે સાથે ભારતના આર્થિક વિકાસમાં અમેરિકાએ લીધેલી વિશાળ જવાપિતાની નીતિ અને સ્વીકારેલી જવાબદારીઓને મેળ બેસાડવા, આ બદારીને ઉલ્લેખ કર્યા પછી હવે આપણે આપણને જુદા પાડનારા પુનમૂલ્યાંકનના પરિણામની રાહ જોતા હોય એ સમજી શકાય એવું છે. રાજકીય પ્રશ્નને તથા જેણે આપણને સહકાર કરવામાં મદદ નવી પરિસ્થિતિમાં બંધ બેસે તેવી નવી નીતિની ખેજ દર- કરી છે તેવા રાજકીય પ્રશ્ન સંપૂર્ણ નિખાલસતાથી વિચાર કરીએ. મિયાન તમામ દેશોના પ્રતિનિધિઓએ ઉતાવળાં નિવેદને કે પગ- ૧૯૫૦માં જોસેફ સ્ટાલિનના સહકારથી ચીને દક્ષિણ કરીલાંથી દૂર રહેવું યોગ્ય છે એમ મને લાગે છે. આવાં નિવેદન કે આનું રક્ષણ કરી રહેલાં સંયુકત રાષ્ટ્રોનાં દળ ઉપર મોટું આક્રમણ પગલાં તત્કાલીન ક્ષણિક ગરમી અને ગૂંચવાડામાં ભૂતકાળમાં બંધા- કર્યું. આ આક્રમણનું અંતિમ લક્ષ્ય તો નિ:શસ્ત્ર જાપાન હતું. જાપાન પેલા મૈત્રીસંબંધને અને ભવિષ્યમાં વધુ સારા સંબંધ બંધાવાની એશિયાના સૌથી અગ્રણી ઔદ્યોગિક રાષ્ટ્ર તરીકે ચીનની મહત્ત્વઆશાને કદાચ જોખમમાં મુકી દે. કંક્ષાનું લોભામણું લક્ષ્ય બન્યું હતું. તે પછીના નિર્ણાયક સંઘર્ષમાં આ ભચિકને લક્ષમાં રાખીને આપણે બે દેશના સંબંધને ભારતે તટસ્થ વલણ સ્વીકાર્યું અને એવી જ રીતે મુકત બલિના અસર કરતી કેટલીક ઐતિહાસિક હકીકતોને ટૂંકમાં વિચાર કરીએ. ઉપર ભારે દબાણ થયું ત્યારે પણ એણે તટસ્થ વલણ લીધું. - હું એ મત રજુ કરૂ છું કે આઝાદી પછી ભારતને અમે- તે પછીનાં વર્ષોમાં અમેરિકાની સરકારે ભારતને તથા બીજા રિકા કરતાં વધુ સારો કે વધુ એકધારે મિત્ર મળ્યું નથી. તમારા એશિયાઈ મિત્રોને અનેક વાર ચેતવણી આપી હતી કે સામ્યવાદી લાબાં સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન પણ અમેરિકાના ઘણા મોટા ચીનના નેતા વિશાળ વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાઓ ધરાવે છે ભાગના લોકોએ તમને મક્કમ ટેકે આપ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ તેમ છતાં યુદ્ધથી કંટાળેલું જાપાન અલિપ્ત જ રહ્યું એવી જ રીતે દરમિયાન પ્રમુખ ફ્રાન્કલિન ડી. રૂઝવેલ્ટે ભારતમાં એક પછી એક ભારત, ઈન્ડોનેશિયા અને પાકિસ્તાન એ ત્રણ મેટા એશિયાઈ દેશે મેલેલા ખાસ પ્રતિધિનિધિઓએ ગાંધીજી પ્રત્યે એટલી ખુલ્લી રીતે પણ અળગા રહ્યા, પાંચ વર્ષ પછી તિબેટ ચીનની આક્રમણખારીને ભાગ બન્યું. સહાનુભૂતિ વ્યકત કરી હતી કે વાઈસરોયે તેમને પાછા બોલાવી હજીયે ઘણા ભારતવાસીઓ શાંતિથી રહેવાની વાત ચીનને ગળે લેવાની વિનંતી કરી હતી. ઉતારી શકાશે એવી, સમજી શકાય તેવી છતાં મિથ્યા આશામાં, “હિન્દીઆઝાદી પછી ભારતની સરકારને ટેકનિકલ સહાય આપનાર ચીની ભાઈ-ભાઈ” રટી રહ્યા હતા. પહેલે જ દેશ અમેરિકા હ. અમેરિકી એલચી તરીકેની મારી આ લાંબા મુશ્કેલીભર્યા સમય દરમિયાન ચીનની સેનાનાં પહેલી અવધ દરમિયાન ૧૯૫૨માં મેં કોઈ પણ એશિયાઈ કે - ૧૦૦ જેટલાં મક્કમ અને તાલીમ પામેલાં ડિવિઝનને રોકી ચીની આફ્રિકી દેશ સાથેના કેપીટલ ગ્રાન્ટ અથવા લેન માટેના સૌથી પહેલા આક્રમણને ખાળવાની જવાબદારી લગભગ એકલા અમેરિકાને માથે કરાર પર સહી કરી હતી. આ નાણાં મેલેરિયાને નિર્મૂળ કરવાના અને આવી હતી. ચીનને ખાળવાના અમારા પ્રયત્ન ભારતમાં ખાસ ગ્રામવિકાસ જનાને પ્રારંભ કરવાના ભારતના વિશાળ કાર્યક્રમ કપ્રિય ન હતા. પણ મને વિચાર થાય છે કે એ નિર્ણાયક દિવસમાં માટે મદદરૂપ થયાં હતાં. આ વિકાસજીનાએ આજે ૫,૫૦,૦૦૦ અમેરિકાએ તમારી અનુમતિ મેળવવા ખાતર પિતાનાં મંતવ્યને ગામને આવરી લીધાં છે. ભેગ આપ્યો હોત તો આજે આપણે એશિયાને કેવી સ્થિતિમાં જોતા હોત? ત્યારથી આજ સુધીમાં અમેરિકાએ ભારતને ૧,૨૦૦ કરોડ ૧૯૫૦ પછીના દાયકાના ઉત્તરાર્ધમાં, અમે ભાખ્યું હતું તેમ, રૂપિયાને ઉત્પાદક માલસામાન અને ટેકનિકલ સહાય ધીરાણ કે ભેટ ચીને ભારતને હિમાલયની સરહદે “આક્રમક” ઠરાવવા માટે કેસ ઊભે તરીકે આપ્યાં છે. આ સહાય ભારતે આ સમય દરમિયાન વાપરેલી કરવા માંડે. આ દાવાઓ કેવળ જૂઠાણાં જ હતાં એટલે જવાહરકુલ વિદેશી સહાયના ૫૮ ટકા જેટલી થાય છે. લાલ નેહરુની નેતાગીરી નીચે ભારતે હિંમતપૂર્વક એને ઈન્કાર કર્યો વધારે ચોક્કસ વાત કરું તે અમેરિકાની સહાયે ભારતની અને સાથે સાથે શાંતિમય સમાધાનનાં પ્રયત્ન ધીરજથી ચાલુ રાખ્યા. વિધ તશકિતના વિકાસ માટે ૫૬ ટકા જેટલું વિદેશી હૂંડિયામણી * ૧૯૬૨ના ઍક્ટોબરમાં ચીનના રીન્યાએ તમારી ઉત્તર સરપૂરું પાડયું છે. એ ભારતના વાહનવ્યવહારને અદ્યતન બનાવવામાં, હદે એકાએક આક્રમણ કર્યું ત્યારે અમેરિકાએ સહાય માટેની તમારી Page #12 -------------------------------------------------------------------------- ________________ વ ૧૭૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧-૧૦ ટહેલને મક્કમ જવાબ વાળ્યો. ચીની ધસારા સામે ભારતની સરહદોનું –તા. ૨૦-૧૨-૬૫- શ્રી. શ્રમણ સંઘના ઉપક્રમે શ્રી પ્રેમસૂરીશ્વરજી રક્ષણ કરી રહેલા જવાનોને મદદ કરવા બે જ દિવસમાં અમેરિકી પન્યાસ, શ્રી મંગળવિજયજી પન્યાસ, શ્રી સુબોધસાગરજી પન્યાસ, હવાઈ દળના વિરાટકાય સી-૧૩૦ માલવાહક વિમાને ભારતીય શ્રી ભદ્રકવિજ્યજી, શ્રી સુરેન્દ્રવિજ્યજી મહારાજ વગેરે લગભગ હવાઈ મથકોએ મશિનગને, રાયફલે, પર્વતીય તપ, રેડિયો, દારૂ- . બધા જ ઉપાશ્રયના મુનિવરોની એક સભા મળી હતી. આ સભામાં ગાળે અને અન્ય લશ્કરી સામગ્રી ઢગલાબંધ ઠાલવી રહ્યાં. ધર્મચર્ચા થયા બાદ ઉપર્યુકત ધર્માદેશ અપાયો છે.” પણ, તમે કદાચ પૂછશે, પાકિસ્તાન સાથેના અમેરિકાના આ કહેવાતા ધર્માદેિશ અમદાવાદ ખાતે હાલ વિચરતા 2. લશ્કરી સંબંધનું શું? મૂ. સંપ્રદાયના અમુક ધર્માચાર્યો તરફથી આપવામાં આવ્યો છે, ૧૯૫૪ની શરૂઆતમાં અમેરિકાએ દક્ષિણ એશિયા અને આ ધર્માદેશ તેમને અને માત્ર તેમના અનુગામીઓને બંધનકર્તા પશ્ચિમ એશિયાના રક્ષણ માટે પાકિસ્તાન અને ભારત બન્નેને લશ્કરી હોઈ શકે. પણ આ ધર્માદેશ જાણે કે આખા જૈનસમાજને બંધનસામગ્રી અને સહાય આપવાની તૈયારી બતાવી. દક્ષિણ અને પશ્ચિમ કર્તા હોવાનું મનાવવું અને પ્રસ્તુત પ્રશ્નને લગતી ચર્ચાને એશિયા એ વખતે સામ્યવાદી સૈન્યાની વધુ ને વધુ ભારે રાજકીય આ ધર્માદેશના કારણે હવે અંત આવી ગયો છે એમ કહેવું કે મનાદબાણ હેઠળ હતાં. વવું એનાથી વધારે મોટું બીજા કેઈ અસત્ય હોઈ ન શકે. પાકિસ્તાને આ ઑફર સ્વીકારી પણ ભારતે એવી આશાથી - બીજા, આજને પ્રશ્ન જૈન મંદિરમાં એકઠું કરવામાં આવેલ એને અસ્વીકાર કર્યો કે તમારી સરકાર ચીનની આક્રમણખેરીને હળવી સુવર્ણને કોઈ પણ અન્ય - ધાર્મિક કે સામાજિક કાર્યોમાં ઉપયોગ પાડવાનો પ્રયાસ કરીને શાંતિનું વધુ અસરકારક પરિબળ બની શકશે. કરવાને લગતે છે જ નહિ, પણ આ સુવર્ણને ભારત સરકારે કાઢેલા . આ હેતુ ઉમદા હતો એના ના નથી. સુવર્ણ બૉન્ડમાં રોકી શકાય કે નહિ તેને લગત છે. આ સુવર્ણ અલઅમે પાસ્તિાનને આપેલી અમેરિકી શસ્ત્રસામગ્રી તમારી સામે વપરાઈ ત્યારે સ્વાભાવિક રીતે વિરોધ પ્રગટ. આ સંગમાં બત્ત દેવદ્રવ્ય છે, પણ જેમ દેવદ્રવ્યના નામે ઓળખાતી મુડી અને અમને લાગ્યું કે યુદ્ધવિરામ માટે અમે જે સૌથી વધુ અસરકારક મિલ્કતનું રોકાણ મકાનમાં અને સરકારી સીક્યોરિટીઝમાં કરવામાં ફાળો આપી શકીએ તે તે બન્ને દેશોને લશ્કરી સહાય આપવાનું આવે છે તેમ આ સુવર્ણ બૉન્ડ પણ એક પ્રકારની સરકારી સીકયોબંધ કરવું તે છે. આ પગલું તરત જ લેવાયું. રિટી છે અને તેથી આ સેનુ સુવર્ણ બૉન્ડમાં રોકવા સામે દેવદ્રવ્યના ઓગસ્ટ મહિનાથી અમે સલામતી સમિતિની અંદર, જગતની ઉપયોગ અંગે સ્થિતિચુસ્ત વિચારણા ધરાવતા ધર્માચાર્યો કે વે. મૂ. એક પંચમાંશ જેટલી વસ્તી ધરાવતા તમારા બે દેશો વચ્ચે ઝઘડો સમુદાયના આગેવાનોને કોઈ પણ પ્રકારને વાંધા કે વિરોધ હોઈ ન શકે. આ દીવા જેવું સ્પષ્ટ છે. શમાવવા ધીરજથી પ્રયત્ન કર્યો છે. અમે કોઈ ચોક્કસ યોજના રજ ઉપર જણાવેલ ધર્માદશ બહાર પાડયા બાદ પ્રસ્તુત પ્રશ્નને કરી નથી, પણ અમારી એવી ઊંડી માન્યતા છે કે સારા સંબંધ માટેને કોઈક પાય શોધી જ કાઢવો જોઈએ. અમે એમ પણ માનીએ લગતી બધી ચર્ચાને અંત આવી ગયું છે એમ કહેવું કે માનવું છીએ કે શાંતિ અંતે તે આ બે દેશોએ જાતે જ સિદ્ધ કરવાની રહેશે; એ કેવળ ભ્રમણા છે. ઉલટું આ ધર્માદેશે પ્રસ્તુત ચર્ચાને ગમે તે શુભ આશય ધરાવતી પણ બહારની કોઈ સત્તા એ શાંતિ નવો વેગ આપે છે. અને આજના સામયિકોમાં તેને લગતાં નવાં લાદી શકશે નહિ. નવાં ચર્ચાપત્રો પ્રગટ થઈ રહ્યાં છે. તાજેતરમાં તા. ૨૮મી ડીસેમ્બરના અમેરિકાની વતી બોલતાં હું કહું કે આ બધાં વર્ષો દરમિયાન રોજ જૈન-જૈનેતર સમાજમાં ખૂબ જાણીતા પુરાતત્વસંશોધનવંતા ભારતે રશિયા અને અમેરિકા વચ્ચેના ભંગાણને સાંધવા જેવો સહૃદય પ્રયત્ન કર્યો છે તે જ સહૃદય પ્રયત્ન પાકિસ્તાન અને ભારત વચ્ચેના મુનિ પુણ્યવિજયજી તરફથી અમદાવાદથી બહાર પાડવામાં આવેલા મતભેદો નિવારવા અમે કરવા ઈચ્છીએ છીએ. તેમના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે “મને જૈન ધર્મના 1 કરોડે અમેરિકન, અને મને ખાતરી છે કે કરોડો રશિયન અપસ્વ૯૫ અધ્યયનને અંગે એમ લાગે છે કે રાજ્ય અને પ્રજાને પણ, તમારા આ સેતુ-નિર્માણના કાર્ય પ્રત્યે શુભેચ્છા દર્શાવે છે. સંકટના સમયમાં સદાય પરસ્પર પૂરો સહકાર હોવો જોઈએ. આ જ મને એવી જ શ્રદ્ધા. છે કે કરોડો ભારતવાસીઓ આ ઉપખંડમાં આશયથી જૈન ધર્મકથાઓમાં ધાર્મિક પુરુષેએ પડોશીધર્મ, કુળધર્મ, વધુ સારા પાડોશી-સંબંધે પ્રગટાવવાના અમારા પ્રયત્નો સફળ થાય જ્ઞાતિધર્મ, સંઘધ, નગરધર્મ, દેશધર્મ રાજયધર્મ આદિ એવી આશા રાખે છે. ક્રમશ: ધર્મો પ્રસંગે પ્રરાંગે આચરેલા જોવામાં આવે છે. જૈનાચાર્યોએ - મૂળ અંગ્રેજી : શ્રી ચેસ્ટર બેલ્સ પણ પ્રસંગે પ્રસંગે આવા ધર્મોમાં સાથ આપ્યો છે. એટલે શેઠ આણં- આ તે ઘર્મા દેશ કે વિચારવહિન હતો? દજી કલ્યાણજીની પેઢીએ સુવર્ણ બંન્ડ ખરીદ્યા છે એ દેશકાલ નીચે મુજબના એક વિચિત્રસમાચાર મુંબઈના તા. ૨૩-૧૨-૬૫ ચિત અને પ્રજાધર્મ તેમ જ રાષ્ટ્રધર્મને છાજતી વસ્તુ છે. આથી જૈન ના દૈનિકમાં વાંચવામાં આવ્યા છે. ધર્મને, જૈન શાસ્ત્રોને કે જિનાજ્ઞાને ક્ષતિ પહોંચે છે એમ જરા પણ “દેવસ્થાની મિલકતો સુવર્ણ બૉન્ડમાં રેકવા અંગે ચાલી નથી. ઉલટું રાજય, આમપ્રજા અને ધર્મસંપ્રદાયમાં આથી પરસ્પર રહેલી ઝુંબેશમાં જૈન દેવસ્થાની મિલકતો રોકવી કે નહિ તે અંગે અમીદષ્ટિ વધે છે, અને પરિણામે વ્યવસ્થિત ધર્મમાં એકબીજાના જેને સમાજમાં ચાલતી ચર્ચાને અંત આવી ગયો છે. આ અંગે જૈન સહકારથી અભિવૃદ્ધિ થાય છે એમ મને લાગે છે.” ધર્માચાર્યો અને મુનિવરેએ એ ધર્માદેશ આપ્યો હોવાનું જાણવા | મુનિશ્રી પુણ્યવિજયજી જેવા પ્રતિષ્ઠિત અને વિદ્વાન મુનિમળે છે કે જેને શાસ્ત્રની મર્યાદા અનુસાર દેવદ્રવ્યને ઉપયોગ વરનું આ અધિકૃત નિવેદન ઉપર જણાવેલ જૈનાચાર્યો તરફથી બહાર. ધાર્મિક સિવાયના કોઈ પણ કાર્યમાં થાય એ કોઈને પણ હિતાવહ પાડવામાં આવેલ કહેવાતા ધર્માદેશને અથવા તે સમજણ અને વિવેકનથી. માટે ધાર્મિક સંસ્થાઓના વહીવટદારોએ શ્રી જૈન શાસનની વિહોણા ફતવાને પૂરતે જવાબ આપે છે અને તેથી એ સમજણ મર્યાદાને જ અનુસરવું ઉચિત છે.” વિનાના ધર્માદેશની વધારે આલેચના કરવાની જરૂર નથી. “આ પ્રશ્ન ઘણા વખતથી ચોળાતે હોવાથી ગયા સોમવારે પરમાનંદ. માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સઘઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ–8. મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #13 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૧૮ પ્રબુદ્ધ જીવને મુંબઈ, જાન્યુઆરી ૧૧, ૧૯૬૬, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા 3 રાષ્ટ્રવ્યક્તિત્વની આસ્થા (ગુજરાતી સાહિત્ય પરિષદના સૂરત ખાતે તા. ૨૫, ૨૬, ૨૭, ડિસેમ્બર ૧૯૬૫ ના રોજ મળેલા ૨૩ મા અધિવેશન પ્રસંગે સ્વાગતાધ્યક્ષ શ્રી વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીએ આપેલું પ્રવચન.) સરતને આંગણે મળતા ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનની કલેવર અને રાષ્ટ્રને સ્વ- ભાવ, તેનું અધ્યાત્મ, તેની સૂક્ષ્મ અવસ્થા સ્વાગત સમિતિ વતી આપને સૌને આવકારતાં મને આનંદ થાય છે. ને સંપત્તિ ખાંખાં પાડવા ન જોઈએ. આંતરજીવનને અનુરૂપ સાહિત્ય પરિષદનું નામ લોકહૃદયમાં વસી ગયેલું છે, કેમકે તેને બાહ્ય, રક્ષણીય કલેવર હોવું જોઈએ. આમ્રરસ સાચવ હોય તે ગોવર્ધનરામ, રણજિતરામ, નરસિંહરાવ, કેશવલાલ, રણછોડભાઈ, કોઠાનું ફ્લેવર નહિ ચાલે. સૂક્ષ્મ જીવનદ્રવ્યની ઓળખ, તેનાં શેધન, અંબાલાલ, આનન્દશંકર, રમણભાઈ, ગાંધીજી, હરગોવિન્દદાસ, સંવર્ધન અને અભિસરણ એ આવા સમારંભનું પ્રયોજન હોય છે. બળવંતરાય, કમળાશંકર, કૃષ્ણલાલ ઝવેરી, ખબરદાર, વિદ્યાગૌરી, એ બાહ્ય રૂપ ઉત્સવનું હોય. એ ઉત્કર્ષહેતુક ઉત્સવ છે. આપણી રામનારાયણ જેવા પવિત્ર નામની સુવાસની ભાવના મળી છે. સર્વ પ્રવૃત્તિઓ પાછળ જે પ્રેરક અને નિયામક સંકલ્પ અને વૃત્તિઓ પચાસ વર્ષે એવી પરિષદનું અધિવેશન સૂરતમાં મળે એ અમારે છે તેમને કેળવવાને આવા ઉત્સવોનો હેતુ હોય છે. માટે મહાન ઉત્સવને પ્રસંગ છે અને તેથી આપ સહુને સત્કારતાં - ભાષા: કોશિયો ને ઋષિ મને ખૂબ હર્ષ થાય છે. વળી, સમાનભાવી એકતા અને સામંજસ્ય સ્થાપવાનું પણ - સૂરતની સંસ્કા—સ્કૃદ્ધિ આવાં સંમેલનનું ગૂઢ પ્રયોજન છે. રાજકીય, સામાજિક, સાંપ્રદાયિક, લાટ પ્રદેશ કે ભરૂચ -સૂરતની ઈતિહાસ સામગ્રી ધરી આ ભૂમિનું આર્દિક હિતને અનુલક્ષીને સંમેલને થાય છે અને પોતપોતાની રીતે સ્તવન હું કરી શકું, પણ હવે આપણું જીવન એવું વિશાળ અને મર્યાદિત અર્થમાં એકરાગ સ્થાપે છે; પણ એમની પણ મર્યાદા ઓળસમરસ થતું જાય છે કે પ્રદેશ કે નગરની વિશિષ્ટતા-એની મહત્તા ગીને કોઈ એક તત્ત્વને આધારે આપણે સમુદાય તરીકે ભેળાં થઈ અને મર્યાદા સમેત–આપણા સમગ્ર ઈતિહાસ અને જીવનની મર્યાદા શકીએ, વર્તી શકીએ, તો આપણું જીવન સુદઢ થાય એમાં શંકા નથી. રૂપે જોવી એ જ યોગ્ય. જૂનાગઢ, ભાવનગર, પાટણ, અમદાવાદ, આ તત્વ હોઈ શકે, ઘણે અંશે છે- કેળવણીમાં, કળામાં, ભાષામાં, સાહિવડેદરા, મુંબઈ જેવી સૂરતને આગવી વ્યકિતમત્તા છે; તે મશહૂર ત્યમાં, તત્ત્વજિજ્ઞાસામાં. હૃદય ને મનની સૂક્ષ્મતમ, ઉચ્ચતમ, પ્રબળછે. સત્તરમાં સૈકામાં તે ભારતનું સર્વશ્રેષ્ઠ બંદર અને સૌથી ધનાઢય તમ સપાટી પર કામ કરવાને આમાં અવસર ને અવકાશ છે તેટલો નગર હતું તે જાણીતું છે. તેની ખાણીપીણીની તેમ જ કારીગીરીની બીજ નથી; મેઘા અને હૃદયધર્મનાં પ્રવર્તન આમાં જેટલાં સૂમ રસિકતા, તેના ધનદોલતમાં તેમ જ દિલમાં ઉદારતા, જાતિ, ધર્મ, પ્રસાદપૂર્ણ ને પ્રીતિપ્રદ છે તેટલાં બીજે નથી, અને ભાષા તો આ સંપ્રદાય આદિના ભેદને ભુલાવતી તેના સામાજિક સહકાર અને સર્વને ઉપસ્કર છે. ભાષા જેટલું આત્મીય બનેલું કોઈ કરણ, કોઈ સહચારની ભાવના, એ આપણા સમગ્ર પ્રજાજીવનને એનું સુંદર મન:સંચારી, મનેવેગી ને મન:સ્પર્શી વાહન માણસને મળ્યું નથી. "અર્પણ છે. ઈતિહાસે અને ભૂગોળે એને ખાનાખરાબી પણ આપ્યાં એ જેટલી મુલાયમ ને દઢ, એ જેટલી સમૃદ્ધ ને પ્રૌઢ, એ જેટલી છે. સંપત્તિની વાયકાએ એને ડારવામાં બાકી નથી રાખ્યું; એમ છતાં, સરલ, સુંદર, મધુર, ઓજસ્વી ને છટામય, તેટલી આપણા સર્વ સામાએના સૂક્ષ્મ જીવનમાં સ્વતંત્રતાની તેજવિતા, આત્મશ્રદ્ધાને પ્રભાવ, જિક વ્યવહારમાં, આપણા સર્વ ચૈતસિક આવિર્ભાવમાં સુવિધા. ભાષા બુદ્ધિની દૂરદર્શિતા, હૃદયનાં ઉલ્લાસ, શાણપણ અને માધુર્ય જેટલાં જ તો વિચારનું ઉપાદાન અને કરણ બેઉ છે એટલું જ નહિ, ભાષા વિના વરતાય છે. દુર્ગારામ અને મલબારીનું, કોટવાલ અને દયાળજીનું, વીર જાણે પ્રત્યગાત્માને અણસાર પણ અશકય છે. ભાડાની ગરજ નર્મદ અને ઘીટ ઈચ્છારામનું સ્મરણ આજની રાષ્ટ્રીય સંકટની ઘડીએ કોશિયાને છે તે ઋષિને પણ છે; પ્રતિભા અને પાંડિત્યને એની હૃદયને ઢંઢળવે અને વીરોત્સાહ ભરવે સમર્થ છે. સ્પૃહા છે તેટલી શાસન અને વાણિજયને પણ છે. વકતા, શિક્ષક વર્તમાન રાષ્ટ્રીય સંક્ટ મેં ઉલ્લેખ્યું, તે સહેજે પ્રશ્ન થાય કે અને પત્રકાર – તેમની નાણાવટ તે શબ્દકોશમાં છે. એટલે ભાષાઆ સાહિત્યસર્મય એને અનુવર્તત છે? ૧૯૨૦ માં એ જ પ્રશ્ન સાહિત્યના ઉત્કર્ષના કોઈ પણ અભિકમ કસમયને નથી; રાષ્ટ્રીય આનંદશંકરે પૂછયો હતો અને એમણે આપેલે ખુલાસે તે આપણે સંકટ અને રાષ્ટ્રીય પરિસ્થિતિ જેમ વિજ્ઞાન અને શાસ્ત્રને આહ્વાન પણ બચાવે છે. આપણું સકલ જીવન સર્વ અંગમાં બલિષ્ઠ હોવું છે તેમ ભાષા અને સાહિત્યને પણ છે. જોઈએ. હરકોઈ અંગેની પંગુતા તે હરેક અંગની પંગુતા છે. એક પણ , ગુજરાતના ભાષા - સાહિત્ય - કેળવણીના ઈતિહાસમાં દક્ષિણ અંકોડાની નિર્બળતા તે અખિલ જીવનના દારિદ્રની માત્રા છે. રાષ્ટ્રીય ગુજરાતનું અને ખાસ કરીને સૂરતનું અર્પણ વિશિષ્ટ અને અસરકારક Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રબુદ્ધ જીવન - તા. ૧૬-૧-૬૬ રહ્યું છે. અર્વાચીન યુગની પહેલી પચીસીમાં નર્મદ અને ટેઈલરે ગુજ- જનિક એજયુકેશન સોસાયટી સ્થપાઈ. કેટલીક બાબતમાં તે ગુજરાતી ભાષાની સેક્સ ઓળખ કરાવી; ગુજરાતીને કાયમી પ્રતિષ્ઠા રાતમાં અજોડ નીવડી. નેતૃત્વમાં, લેકના સહકારમાં, વહીવટની શુદ્ધિ આપતા એ સર્વપ્રથમ જવાબ હતે. નર્મદે જૂના સાહિત્યને પરિચય અને દક્ષતામાં, શિક્ષક અને અધ્યાપકને અપાતી પ્રતિષ્ઠામાં આ કરાવ્યો અને નવું રંગરાગી સાહિત્ય પણ રચી આપ્યું. જૂના અને નવા સંસ્થાએ સારો આદર્શ આપ્યો. ગુજરાતની અને હવે નવી દક્ષિણ બેઉ સાહિત્યને મૂલવવાની રીત નવલરામે દાખવી, તે આ સૈકાની ગુજરાત યુનિવર્સિટીની ભૂમિકા અને હવા નિપજાવવામાં આ સંસ્થાનું પહેલી પચીસીમાં કમળાશંકરે વ્યાકરણનું કામ આગળ ધપાવ્યું. સ્વ- કામ મહિમાવંત છે. ભાન, સ્વ-પષણ અને સ્વ-સંવર્ધન: ભાષાનાં એ ત્રણે કામ શરૂ થઈ તે, આવા ગતિશીલ, વિકાસશીલ ઐતિહાસિક સંદર્ભમાં આશંકા ગયાં; અને એ રાજમાર્ગે આજે પણ આપણે જઈ રહ્યાં છીએ. અને અનાસ્થા શાને વારુ? શબ્દસૃષ્ટિ નિશ્ચિત થાય, શબ્દછટાની ટેવ પડે, અપૂર્વ લલિત સાહિ - ગાંધીજી પ્રેરિત જીવનભાવના ત્યનું સર્જન થાય, અન્ય અન્ય સૌન્દર્યબાધક અનુવાદ થાય, એ બધી અપૂર્વ અવસર ઝીલવા, નવી શક્યતાને પહોંચી વળવા, ભાષારિદ્ધિની કસોટીઓ છે. એ તેની એક પરંપરા સ્થાપે છે. શેકસ- અભિનવ તકે આવકારવા, આપણામાં કેમ પૂર્ણ ઉત્સાહ નથી? પિયર અને ટૅટૅય, કાલિદાસ અને શંકર, ટાગેર અને શ્રી અરે- ' આપણા સામાજિક સત્ત્વમાં હજી, ક્યાંક નાનમભાવ ભરાઈ રહ્યો છે; વિન્દ ગુજરાતીમાં ઉતારી શકીએ એ, ભાષાની પરીક્ષા તેમ જ સિદ્ધિ આપણે કયાંક સસ્તી સલામતી શોધી રહ્યાં છીએ. ૧૯૨૦ થી ૧૯૫૦ છે. નર્મદથી માંડી આજની ઘડી લગી આહ્વાન અને જવાબની સુધીની ગાંધીજીપ્રેરિત જીવનભાવનાઓ સુકાઈ ગઈ છે. આદર્શનું વિચિમાળા ચાલુ છે. આજે પણ બુદ્ધિભ્રંશનું સંકટ નથી એમ સ્થાન દંભ, આત્મવંચનાએ વા જડાગ્રહ લીધું છે. હરેક વ્યકિત જાણે નથી; પણ જે પ્રક્રિયા શરૂ થઈ છે તે પૂર્ણ સિદ્ધિએ જ જંપશે, કેમ યુન્નચક્રે ચઢી સ્કૂલ, ધનદત્ત કિંવા સત્તાદત્ત સાફલ્યની પાછળ પડી કે એમાં જ આપણો સ્વાભાવિક, આપણા સકલ સૂક્ષ્મ શરીરને અનુકૂળ છે. આટલી બધી સિદ્ધિ અને પરાક્રમની શક્યતાઓ છતાં, મેધાવીને વિકાસ રહ્યો છે. લાગે છે કે તે બંધિયાર હવામાં છે. અપર્ધામાં પૂંજીપતિને સ્થાપિત જતીન્દ્રને સરળ પ્રસને ગધપ્રવાહ લાભ ચાલુ જ રહ્યો છે. વળી એક એવો મત્સરી ને દુર્વિદગ્ધ વર્ગ ગયા શતકમાં સૂરત. ત્રણ મુખ્ય ગદ્યશૈલી આપી; નર્મદે પણ છે, જેના વ્યવહારના ને મેટાઈના ખ્યાલ હજી પશ્ચિમમાંથી જ ઉછાળા લેતી, વકતાની ઉદંબોધક શૈલી; નવલરામે પ્રૌઢ મધ્યમાં ને રાજમાર્ગી શૈલી; અને નંદશંકરે ઉદારપ્રસ્તાર રમણીય શૈલી. નર્મદની આવે છે. સાહિત્યરસિક અને સાહિત્યકારો યુરોપી “નોબેલ” પારિશૈલીના સંસ્કાર પારસી લેખકોમાં, ઈચ્છારામમાં, નરસિંહરાવમાં, પિકવિજેતાઓને વૈશ્વદેવ કર્યા કરે છે; અને લઘુ જ ગણાય એવા બળવંતરાયમાં, મોહનલાલભાઈમાં, ચન્દ્રવદન મહેતામાં જણાઈ આવે વિચાર અને વિવેચકોના ખ્યાલથી પિતાને શણગારવામાં ધન્યતા છે. નંદશંકરની આરેહઅવરોહાત્મક શૈલીમાંથી, બાણ - બર્કના સંસ્કાર સમજે છે. આ હવા અને આ માનસિક સ્થિતિ ભાષા, સાહિત્ય અને સાથે ગેવર્ધનરામની મેઘગંભીર ભવ્ય શૈલી જન્મી. રામનારાયણભાઈ જેવા ઘણા અર્વાચીન લેખકોમાં નવલરામની મધ્યમાં શૈલી જણાય છે. શિક્ષણના સંવર્ધનને બાધક છે; તે તેના પાયામાં જ લૂણો લગાડે છે. એમના પિતાના યુગમાં મહીપતરામ અને છગનલાલ મોદીએ એને અનાસ્થાથી આશા પ્રગટશે નહિ; શ્રદ્ધા જ શ્રદ્ધા વધારશે. વિનિયોગ કર્યો છે. નર્મદ અને નવલરામની શૈલીઓ વર્તમાનપત્રોમાં વ્યાપક કેળવણી અને ઉત્તમ કેળવણી બેઉને માટે માર્ગ કરવા પડશે. વિસ્તરી. એમની અસર નીચે ઈચ્છારામે ઉબેધક, ચર્ચાત્મક અને ઉત્તમોત્તમ શિક્ષણ, તાલીમ અને ઉપાધિ માટે જર્મની, ઇગ્લેન્ડ અને વિવરણાત્મક, પત્રકારી લઢણા નિપજાવી, જે ગુજરાતી પત્રમાં સર્વત્ર અમેરિકા પર મીટ માંડાય એ કંઈ સામાજિક સ્વાથ્યની નિશાની જણાય છે. સૂરતનાં ‘ગુજરાતમિત્ર’, ‘પ્રતાપ’, ‘લોકવાણી'માં એ જ નથી. કેળવણીનાં સર્વ ક્ષેત્રમાં અને સ્તરમાં આપણી જ ભાષા શિક્ષલઢણો વિલસી છે. નર્મદ અને નવલરામની ટાક્ષ અને હાસ્યની પરં- મનું વાહન હોય એ આપણા રાષ્ટ્રીય વ્યકિતત્વમાં આસ્થા પ્રગપરા પણ - ચન્દ્રવદન, જ્યોતીન્દ્ર, ધનસુખલાલ જેવા થોડા બાદ કરીએ ટાવવાની પહેલી શરત છે. પણ સાથે જ શિક્ષણની ઉંચ્ચતા કે વિશિતે- મુખ્યત્વે વર્તમાનપત્રોએ જ જીવતી રાખી છે. નવલરામની શૈલીનું પ્રતા કુંઠિત ન થાય તે ખાતર હિન્દી અને અંગ્રેજીને ઉપયોગ કરો પૂર્ણ વિકસિત ચારુ રૂપ જ્યોતીન્દ્ર દવેના સરલ પ્રસન્ન ગદ્યપ્રવાહમાં જ પડશે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીને, સાંસ્કૃત તથા અરબીને, આપણે પામીએ છીએ. જર્મન ફ્રેન્થ રશિયન આદિને, આપણી નવી યુનિવર્સિટીઓ શિક્ષણના શૈક્ષણિક અને સાહિત્યિક ગતિશીલતા ધોરણની ઉચ્ચતાની દ્રષ્ટિએ તેમ જ આપણી આત્મશ્રદ્ધાના વિકાસની દ્રષ્ટિો, અને પૂર્ણ સ્થાન આપશે. કોઈ પણ શિક્ષણક્રમમાં માભાષા સાહિત્ય અને શિક્ષણ અંગે આપણી પ્રતીતિઓ હજી ભાષાને એવર પદ મળશે તો તે સ્વત્વઘાતક નીવડશે; અને જે સ્વત્વઝાંખી છે, નવી નવી પરિસ્થિતિઓમાં, હેતુઓના સંઘર્ષમાં બુદ્ધિભ્રંશ ઘાતક છે તે ભાષા - સાહિત્યને પ્રાણપ્રદ ન હોઈ શકે એ સાર્વત્રિક થાય છે, જૂના જ પ્રશ્ન નવા અને વધારે બળવાન રૂપે ઉદ્દ્ભવે છે અનાસ્થા વધારવાને રસ્તો છે. અને આપણને મૂઢ કરે છે. આપણાં વૈયકિતક અને સામાજિક ધ્યેય સૂરતનું અા અધિવેશન તેરણ બને! સ્પષ્ટ નથી, પૂર્ણ સ્વીકૃત નથી. તેથી કેળવણીની પ્રથા અને પદ્ધતિમાં આ સ્વાગત-પ્રવચનના ઉપસંહારમાં શ્રદ્ધાની જ વાત મૂકીશ. ખેંચતાણ થાય છે. કેઈ વાર તે જાણે આપણે ‘મ કૅલે યુગ' માં આપણા સમુદ્ધારમાં કોઈ અકળ બળ કામ કરતું જ હશે. કેવી વિષમ સરી પડયા હોઈએ એમ લાગે છે! પણ એવી મૂંઝવણ અયોગ્ય તેમ પરિસ્થિતિમાં રામમોહનરાય, વિવેકાનંદ, ટાગોર પ્રગટયા! દયાનંદ અયુકત છે. ‘મિશન’ની મર્યાદિત વ્યવસ્થામાંથી છૂટી શિક્ષણનું તંત્ર અને ગાંધીજી કેવી ભોંયમાં ઉદ્ભવ્યા! છેવટે તે ક્ષય, કવિ, સાહિસરકારી અર્ધસરકારી બન્યું તેમાં દેશહિતચિન્તકોએ સારું કામ આપ્યું. ત્યકાર, વિચારક-એકાકી અને મહાન– બધી વિષમતાઓ વિદારે છે, યુનિવર્સિટીના શિક્ષણક્રમે અને ખાસ કરીને મેટ્રિક્યુલેશનની પરીક્ષાએ બૃહત સમન્વય સિદ્ધ કરે છે અને પ્રજાકીય વ્યકિતત્વમાં તેમ ભાષાએક ઘેરણ તરફ બધી કેળવણી ખેંચી. એના લાભ અને ગેરલાભ સાહિત્યમાં પ્રાણ પૂરે છે. વળી, ખરું જોતાં, એ એકલે હોતે જ નથી. બેઉ હતા. એમાંથી બે ત્રણ રીતે શિક્ષણક્રમ અને શિક્ષણતંત્ર ઊગર્યા. કેટલાંય નાનાં નાનાં બળીને એ સ્ફોટક છે. આપણા જીવનમાં શિક્ષણમાં ઇતિહાસ, ભૂગોળ, પ્રયોગાત્મક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, એવો વ્યાપક સમુલ્લાસ આવે તેવી પરિસ્થિતિ સર્જવામાં આપણે નાના રાજકારણ વગેરે ઠીક પ્રવેશ્યાં. દેશભાષાનું મહત્ત્વ વધ્યું. આડ- મોટા સૌ અને આ આપણું અધિવેશન સહાયભૂત થાઓ ! સાહિત્ય કતરી રીતે ગાંધીજીના આદશે છાવત્તા ઝિલાયા; કેળવણી ઘણે અંશે પરિષદ એ મહા આગમનનું તારણ બને ! સરકારી તંત્રને જવાબદાર મટી સામાજિક તંત્રને જવાબદાર બધુઓ, હું આપ સૌનું આદર અને પ્રીતિથી સ્વાગત કરું થઈ. આ સર્વ શિક્ષણગતિમાં સૂરતનું કાર્ય હંમેશાં ગણનાપાત્ર રહેશે. છું; મારો આ અધિકાર એ મારો લહાવો છે. ગુજરાતમાં જયારે ચાર જ કૅલેજો હતી તે વખતે, ૧૯૧૨ માં, સાઈ વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી Page #15 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧-૬૬ પ્રબુદ્ધ જીવન રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય રાજકારણી પરિસ્થિતિ (શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રી મુંબઈ જૈન યુકવ સંઘના ઉપક્રમે તા. ૬-૧-૯૬નાં રોજ જાયલી સભામાં પાકિસ્તાન સાથે ગયા સપ્ટેમ્બર માસ દરમિયાન યુદ્ધ શરૂ થયું ત્યારથી આજ સુધીની રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય રાજકારણી પરિસ્થિતિની નીચે મુજબ સમીક્ષા કરી હતી. તંત્રી) આપણે છેલ્લાં મળ્યાં ત્યારથી આજ સુધીમાં આન્તરરાષ્ટ્રીય આપવા સુધીની તેણે દમદાટી કરી જોઈ, પણ આખરે તેને નાલેશી ક્ષેત્રે મહત્વની બે ઘટનાઓ બની છે. (૧) વિયેટનામમાં ચાલી ભરી રીતે પીછેહઠ કરવી પડી. ઈન્ડોનેશિયામાં ચીને ભારે ભૂલ કરી રહેલું યુદ્ધ (૨) દક્ષિણ રેડેશિયાએ કરેલી સ્વતંત્રતાની એકપક્ષી જાહેરાત. અને તેને નરાકાર અસફળતા સાંપડી. પ્રમુખ સુકર્ણોનું સામ્યવાદી તો આપણે પહેલાં વિયેટનામમાં ચાલી રહેલા યુદ્ધની ચીન પ્રત્યે અનુકુળ વલણ હોવા છતાં ઈન્ડોનેશિયામાં અનેક સમીક્ષા કરીએ. સામ્યવાદીઓની કતલ કરવામાં આવી છે અને સામ્યવાદી પક્ષ હાલ વિયેટનામનું યુદ્ધ તે દબાઈ ગયો છે. દક્ષિણ રેડેશિયાનું પ્રકરણ વિયેટનામમાં અમેરિકાના ઘણા પ્રયત્ન છતાં અને લડાઈનું દક્ષિણ રોડેશિયાએ બ્રિટનની ઉપેક્ષા કરીને એકપક્ષી સ્વપ્રમાણ તેણે ખૂબ વધારેલું હોવા છતાં ઉત્તર વિયેટનામને વાટા ત્રતાની જાહેરાત કરી તેની લાંબાગાળાની અસર ઘણી મોટી છે. ઘાટમાં ઉતરવાની સ્થિતિ ઉપર હજુ સુધી અમેરિકા લાવી શકહ્યું રંગભેદની નીતિને પ્રશ્ન દક્ષિણ આફ્રિકા પૂરતો સીમિત હતા તે નથી. અમેરિકાએ જાહેર કર્યું છે કે ઉત્તર વિયેટનામને હરાવવાને હવે આફ્રિકાનાં બે રાજને થયો છે. આ પરિસ્થિતિ બ્રિટન બળતેને કોઈ ઈરાદો નથી તેમ જ દક્ષિણ વિયેટનામમાં કાયમને માટે જબરીથી અટકાવી શકત કે નહિ તે કહેવું મુશ્કેલ છે. અલબત્ત, દક્ષિણ પગપેસારો કરવાને પણ તેને કોઈ ઈરાદો નથી; દક્ષિણ-પૂર્વ રોડેશિયામાં બહુમતીનું રાજ્ય અંતે થવું જોઈએ એમ બ્રિટન કહે એશિયામાં ચીનના સામ્યવાદનું વર્ચસ્વ વધે નહિ એટલા પૂરતી જ તેની નેમ છે. આમ છતાં પણ વિયેટનામના યુદ્ધ વિષે આજની છે, પણ બ્રિટનમાં બહુ મોટો એવો એક વર્ગ છે કે જે માને છે કે દુનિયાને અભિપ્રાય તીવ્રપણે વહેંચાયેલો છે, એટલું જ નહિ પણ, આજની કક્ષાએ દક્ષિણ રોડેશિયામાં ગેારા લોકોનું જ રાજ્ય હોવું જોઈએ અને તેમાં જ કાળી પ્રજાનું હિત રહેલું છે. દુનિયાને દેખાઅમેરિકામાં પણ એક મોટા જનસમુદાય માને છે કે અમેરિકાએ વિયેટનામમાંથી છૂટી જવું જોઈએ, નીકળી જવું જોઈએ. અત્યારના ડવા માટે બ્રિટને અમુક આર્થિક પગલાં લીધાં છે, પણ તે અસર કારક બની શકયા નથી, અને તે સંગમાં પ્રેસિડન્ટ જોનસન વિયેટનામ છોડી દે એ શકય નથી, સંભવ નથી, કારણ કે દક્ષિણ આફ્રિકા અને ચુંગલને દક્ષિણ રોડેશિયાને ટેકો છે અને આફ્રિપણ સુલેહ થતી હોય તો તેમ કરવા પોતે તૈયાર છે અને એ વિચારને તેણે છેલ્લા પંદર દિવસ દરમિયાન ક્રિસમસના દિવસે યુદ્ધવિરામની કાના સ્વતંત્ર દેશમાં દક્ષિણ રોડેશિયા ઉપર દબાણ લાવી શકાય એવી આર્થિક કે લશ્કરી તાકાત આજે છે નહિ. ફેર કરીને તેમ જ પિતાનું દષ્ટિબિન્દુ સમજાવવા માટે ખાસ પ્રતિનિધિઓ મેકલીને સારો વેગ આપ્યો છે અને આ માટે સંયુકત યુરોપની પરિસ્થિતિને વિચાર કરતાં ફ્રાન્સના પ્રેસિડેન્ટ દગલ ની ચૂંટણી આપણું ધ્યાન ખેંચે છે. આ ચૂંટણી એની પિતાની રાષ્ટ્રસંઘ તથા દુનિયાનાં અન્ય રાજયોની મદદ માગી છે. રશિયા દેખીતી રીતે ઉત્તર વિયેટનામના પક્ષમાં છે. એમ છતાં રશિયા એમ તથા દુનિયાની ધારણાથી જુદા પ્રકારની થઈ છે. પહેલા રાઉન્ડમાં નથી ઈચ્છતું કે વિયેટનામમાં ચીનનું વર્ચસ્વ વધે. રશિયા હેય ૫૧ ટકા પણ મત તેને ન મળે એથી આશ્ચર્ય થાય છે. તેની અને ઉપર આડકતરી રીતે દબાણ લાવી રહ્યું છે કે કોઈપણ રીતે સમાધાન તેના હરીફ વચ્ચે જે મતફેર રહ્યો તે ઉપરથી દગલનું વર્ચસ ફ્રાન્સમાં ઘટયું છે એમ કહેવાય. આમ છતાં પણ દગેલ યુરોપને એક અત્યન્ત થતું હોય તે કરવું. ઉત્તર વિયેટનામમાં અમેરિકા જે બેબીંગ કરી પ્રભાવશાળી નેતા છે. તેની બરાબરી કરી શકે એ રહ્યું છે તે તદ્દન બંધ થાય એમ ભારત ઈચ્છે છે. આ લડાઈને ત્યાં આજે બીજો કોઈ નેતા નથી. આજે પણ દગલ એટલે ફ્રાન્સ અને લીધે વિયેટનામની સમસ્ત પ્રજા જે પરેશાની ભોગવી રહી છે તે, ફ્રાન્સ એટલે દગલ એમ કહી શકાય. યુરોપિયન કોમન માર્કેટમાં તેનાં જે ચિત્રો અને વર્ણને આવે છે તે જોતાં, અકથ્ય છે. ૧૯૫૪ પાંચ દેશે એક હોવા છતાં દગલ સામે તેઓ પોતાનું કશું ધાર્યું ની સાલમાં જીનીવા કરાર થયા ત્યારથી ત્યાંની પ્રજા પારવિનાની કરી શકતા નથી આવું આજે દગલનું પ્રભુત્વ વર્તે છે. હાડમારી વેઠી રહી છે એ જોઈને આપણને પ્રશ્ન થાય છે કે આ આમ સમગ્ર રીતે વિચારતાં આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે પરિસ્થિતિ બધું શા માટે? પ્રમાણમાં શાન્તિભરી છે. તત્કાળ કોઈ સ્ફોટક ઘટના પેદા થવાને છેલ્લા સમાચાર મુજબ વિયેટનામમાં મુકત ચૂંટણી કરીને વિયેટ- સંભવ બહુ ઓછો છે. નામની આ પરેશાનીને અન્ત આણવો એવી સૂચના છે, પણ આમ રાષ્ટ્રિીય ક્ષેત્રે બનવાની સંભાવના ઓછી છે. અત્યારના સંગેમાં લડાઈને આપણે છેલ્લા મળ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે અન્ત નજીક દેખાતો નથી. અમેરિકન પ્રજા આ આર્થિક તેમ જ યુદ્ધવિરામ બલ્ક શસ્ત્રવિરામ થશે. આ શસ્ત્રવિરામ સંયુકત રાષ્ટ્રલશ્કરી લેજો કયાં સુધી સહન કરી શકશે તે એક સવાલ છે. ચીન સંઘ દ્વારા સ્થપાયો. આ હકીકત સંયુકત રાષ્ટ્રસંઘની ઉપયોગીતા પોતાની નિર્બળતા જાણે છે, એટલે ઉત્તર વિયેટનામની મદદે અને મહત્વ પ્રસ્થાપિત કરે છે. આવી સંસ્થા ન હોત તે આવો સીધી કે પ્રત્યક્ષ રીતે ગયું નથી, તે જઈ શકે તેમ નથી. સત્વર યુદ્ધવિરામ શકય જ નહોતે. આ શસ્ત્રવિરામ હજ અસ્થિર છેલલા ચાર મહિના દરમિયાન ચીનની ચારે બાજુએથી પીછે. હોવા છતાં શાતિની દિશામાં જરૂરી એક મોટું પગલું છે. શસહઠ થઈ રહી છે. અલજિરીયામાં જો કે શિખરપરિષદ થઈ ન શકી, વિરામ જાહેર થયો ત્યારે એ બે મહિના સુધી પણ ટકશે કે કેમ એમ છતાં એટલું તે સિદ્ધ થઈ ચુકયું કે આવી એશિયા- એ સવાલ હતો. આજે શસ્ત્રવિરામ તે ધીમે ધીમે સ્થિર થતો જાય આફિકા કોન્ફરન્સ જ્યારે પણ યોજાશે ત્યારે રશિયાને તેમાંથી બાકાત છે, બન્ને પક્ષના લશ્કરો છુટા પાડવાની દિશાએ હજુ કશું થયું નથી. રાખી નહિ શકાય. આફ્રિકાના દેશોની પણ આંખ ઉઘડી છે કે ચીનની આજે ચીન અને ઈન્ડોનેશિયાને બાદ કરો તે દુનિયાના બધા પડખે રહેવામાં કોઈ લાભ નથી. આપણી ઉપર પણ અલ્ટીમેટમ દેશે અંતરથી ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુલેહ થાય. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૬૬ શાંતિની સ્થાપના થાય. આ બે દેશો વચ્ચે ફરીથી યુદ્ધ ન થવું જોઈએ, કારણ કે તેથી વિશ્વશાંતિ જોખમાય છે, એટલું જ નહિ પણ, તેથી ચીન ફાવી જશે– એમ વિચારીને દુનિયાના બીજા બધા દેશો આપણી અને પાકિસ્તાન વચ્ચે સુલેહશાંતિ થાય એમ ઝંખી રહ્યા છે, પણ પરિસ્થિતિ એટલી બધી ગૂંચવાયેલી અને rigid છે કે તેમાંથી માર્ગ કેમ નીકળે, શું નીકળે તેની આજે કોઈ કલ્પના આવતી નથી. આજે રશિયાની પ્રેરણા અને પરિશ્રમથી તાત્કંદ ખાતે દેશના મુખ્ય પ્રધાન અને પ્રતિનિધિઓ આ મડાગાંઠ ઉકેલ લાવવા એકઠા થયા છે. આમ બે દેશના નેતાઓને રશિયા એકત્ર કરી શકયું. એ રશિયાને ભારે માટે વિજય ગણાય. આ યશ રશિયાને મળે, પણ આમ બનવામાં અમેરિકાએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યું હોય એમ અનુમાન થાય છે. અમેરિકાએ અટ્યુબખાનને સ્પષ્ટપણે જણાવી દીધું હોય એમ લાગે છે કે યુદ્ધ કરવું હોય તો આર્થિક કે લશ્કરી મદદ નહિ મળે. જો કે કાશ્મીરના પ્રશ્ન ઉપર અમેરિકાને તેમ જ બીજા દેશોને અભિપ્રાય આપણા વલણ અને અભિગમથી જુદો છે, એમ છતાં પણ, બન્ને દેશો વચ્ચે યુદ્ધ ન થાય એ જોવા અમેરિકા ઈન્તજાર છે. વળી કાશ્મીરના પ્રશ્ન અંગે આપણું વલણ અત્યન્ત મક્કમ રહ્યું છે તે કારણે તેમ જ યુદ્ધમાં ભારતના સૈન્ય જે કામ કર્યું તે કારણે પહેલાં બીજા દેશમાં જે ભારતવિરોધી વલણ હતું તેમાં ઘણો ફરક પડયો છે. અમેરિકાનું વલણ તો મૂળથી ભારતવિરોધી નહિ પણ તટસ્થ હતું, જ્યારે બ્રિટનનું વલણ ભારતવિરોધી અને પાકિસ્તાનપક્ષી હતું. એમ લાગતું હતું કે બ્રિટનનાં વલણમાં થોડો ફેરફાર પડયો છે. વનના છેલ્લા પત્ર ઉપરથી એમ લાગે છે કે બ્રિટિશ પ્રજાના વલણમાં કાંઈ ફેર પડયો હોય કે નહિ, પણ વીલસનનું ઘણું ખરાબ વલણ છે. યુદ્ધ દરમિયાન અને ત્યાર બાદ આજ સુધીમાં ભારતમાં જે રાષ્ટ્ર વ્યાપી એકતા જેવા - અનુભવવા મળી છે તેની દુનિયાના દેશે ઉપર ઊંડી છાપ પડી છે. - આજે આપણા દેશમાં અન્ન અંગેની જે તંગ પરિસ્થિતિ પ્રવર્તે છે તેને હળવી કરવાની દિશાએ અમેરિકાએ આપણને ૧૫૦ લાખ ટન અનાજ પૂરું પાડવાની અને જરૂર પડે તો તે હવાઈ માર્ગે પહોંચતું કરવાની જે તૈયારી દાખવી છે તે ભારતમાં અમેરિકા ભારત વિરોધી છે એવી જે કાંઈ આછીપાતળી છાપ છે તે ભૂંસી નાખવાના પ્રયત્ન રૂપ હોય એમ લાગે છે. આ ઉપરથી અનુમાન થાય છે કે આપણને જો કે લશ્કરી સહાય અમેરિકા તરફથી નહિ મળે, પણ આપણને આર્થિક સહાયનું તેણે જે વચન આપ્યું છે તેમાં ઘટાડો નહિ થાય. અલબત્ત, ભારત-પાકિસ્તાન વચ્ચે પાકી સુલેહ થાય તે પછી જોઈતી બધી સહાય મળવામાં પણ વાંધો નહિ આવે. આજે તાશ્કેદમાં ચાલી રહેલી વાટાઘાટેનું શું પરિણામ આવશે તે કહી શકાય તેમ નથી. હું એમ માને છે કે અયુબખાન અને લાલબહાદુર શાસ્ત્રી સમાધાનને માર્ગ કંઈ નીકળતું હોય તે કાઢવાના પ્રમાણિક આશયથી ત્યાં એકઠા થયા છે. પ્રારંભના ત્રણે પ્રવચનેરશિયાના મુખ્યપ્રધાન કોસિજન અને શાસ્ત્રીજી તથા અયુબખાનનાં -ઉદાત્તતાથી ભરેલાં હતાં. આપણા તરફથી ‘no war paet'કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. અયુબખાન કાશ્મીરની મડાગાંઠ ઉકેલવાની દિશાએ કાંઈક નિશ્ચિત પગલાની માગણી કરે છે. કાશ્મીર * ભારતમાં બધી રીતે સંલગ્ન હોઈને તે બાબત આ ચર્ચામાં તદ્દન અપ્રસ્તુત છે એમ આપણું કહેવું છે. આ ઊંડી ગૂંચને કાંઈ નિકાલ • આવે છે કે કેમ તે જોવાનું રહે છે. આ બૃહત મિલન પાસેથી બહુ આશા રાખવાને કોઈ કારણ નથી. શસ્ત્રવિરામ સ્થાયી થાય અને લશ્કર પાછાં હઠાવવાની દિશાએ કોઈ નક્કર, નિર્ણયો લેવાય અને વાતાવરણ સુધરે. આથી વધારે પરિણામની આશા રાખી શકાય નહિ. ટી. ટી. કૃષ્ણમચારીનું રાજીનામું : આ રાજીનામાના અનુસંધાનમાં જે વિગતો બહાર આવી છે તે જોતાં આ રાજીનામું અને તેને સ્વીકાર અનિવાર્ય હતો એમ લાગે છે. શ્રી કૃષ્ણામાચારીના નિવેદન ઉપરથી સ્પષ્ટ થાય છે કે કેબિનેટના બીજા સાથીઓ સાથે તેમને મેળ નહોતે, કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાને સાથે પણ વિચાર - વલણના મેળને અભાવ હતો. પાર્લામેન્ટના ૧૧ સભ્યોએ કૃષ્ણમાચારી વિરુદ્ધ જે નિવેદન રજૂ કર્યું તે સંબંધમાં લાલબહાદુરજીએ પોતે જ નિર્ણય લેવો જોઈએ-- એ બાબતમાં કોઈ બીજી વ્યકિતની તેઓ સલાહ માગે અને તે સલાહ આપે– એ યોગ્ય નથી – આ ટી. ટી. કે. નો આગ્રહ વજદવિનાને છે એમ હું નહિ કહું. સંભવ છે કે ટી. ટી. કે. ને શાસ્ત્રીજી છટા કરવા માગતા હોય; અને તેથી ‘કાં તે મને clean certificate આપે, નહિ તે હું છૂટે થાઉં છું એવા અલ્ટીમેટમને જવાબ શાસ્ત્રીજીએ તેમને છુટા કરવામાં આપ્યો. આ મુદ્દા પર શાસ્ત્રીજીએ આવી મક્કમતાથી પગલું લીધું અને તે પણ તત્કાલ–આથી તેમના પ્રભુત્વમાંstatureમાં-ઘણો વધારો થયે છે. ટી. ટી. કે. ની જગ્યાએ જે નવા અર્થસચિવની નિમણુંક કરી તે ભારે આશ્ચર્ય પમાડનારી છે. આથી વિશેષ તેમના વિશે અત્યારે કહેવાપણું રહેતું નથી. પૂરક નેધ: આ વ્યાખ્યાન અપાયું ત્યારે તાશ્કેદ મંત્રણાઓ ચાલતી હતી. ત્યાર પછીના બે દિવસ જે સમાચાર આવ્યા તે ઘણા નિરાશાજનક હતા અને મંત્રણાઓ લગભગ તૂટી પડી છે એવી છાપ પડી હતી. પણ આશ્ચર્યજનક રીતે ત્યાર બાદ અત્યારના સંજોગોમાં સંતોષકારક કહી શકાય તેવું સુખદ સમાધાન થયું, તેને યશ જેટલે શાસ્ત્રીજી અને અયુબખાનને જાય છે તેટલે જ, કદાચ તેથી વિશેષ પણ, કોસિનની ધીરજ, કુશળ મુત્સદીગિરી અને ખંતને જાય છે. તત્કાળ યુદ્ધને ભય નિવારી શકયા છીએ અને બન્ને દેશો વચ્ચેના સંબંધ ધીમે ધીમે સુધરશે એવી આશા બંધાઈ છે. યુદ્ધવિરામ કાયમ કરવું, લશ્કરો પાંચમી ઓગસ્ટની સ્થિતિ ઉપર પાછા ખેંચી લેવા, રાષ્ટ્રસમૂહના માળખામાં રહી, શાન્તિમયમાર્ગે જ બધા પ્રશ્નોને નિકાલ લાવ, વ્યાપાર અને આર્થિક સંબંધો શરૂ કરવા, હાઈ કમીશનર મેકલવા, લડાઈના કેદીઓ, એક બીજાની મિલ્કતને કજે કરી છે તેની વિચારણા, પરસ્પર વૈમનસ્ય વધે તે પ્રચાર અટકાવ, ઉચ્ચ કક્ષાએ વખતોવખત મંત્રણાઓ કરવી–આ બધી બાબતોને આ સમાધાનમાં સમાવેશ થાય છે. બન્ને દેશની પ્રજાઓનું હિત અને વિશ્વશાન્તિ લક્ષ્યમાં રાખી, એ સંયુકત જાહેરાત જાઈ છે. તેમાં રશિયાને મોટો વિજય છે, તેમ જ ભારત - પાકિસ્તાન માટે અત્યંત હિતકારક છે. પાંચમી ઓગસ્ટની સ્થિતિ ઉપર લશ્કર પાછા ખેંચવા તેથી હાજીપીર પાસ, તીથલાલ અને કારગીલનાં સ્થાને આપણે છોડવા પડશે, પણ એમાં એ વિશ્વાસ રહ્યો છે કે હવે ફરી સશસ્ત્ર સંઘર્ષ થવાને નથી, આ સમાધાનમાં રાષ્ટ્રસમૂહ-યુનાઈટેડ નેશન્સ – ના ઠરાવનું સમર્થન થયું છે અને ભવિષ્યને દોરે રાષ્ટ્ર સમૂહના હાથમાં, રહે છે. આ સંયુકત નિવેદનને પ્રમાણિક અમલ થાય તે બન્ને દેશે. મોટા સંકટમાંથી બચી જાય અને એશિયા અને દુનિયાની શાંતિમાં અસરકારક ફાળો આપી શકે. આ સુખદ સમાચાર મળે તે સાથે જ દેશ ઉપર વ્રજાઘાત પડશે. શાસ્ત્રીજીનું અકસ્માત તાર્કંદમાં જ અવસાન થયું. વિધિની કેવી વિચિત્રતા! મંત્રણા સફળતાપૂર્વક અને દેશની પ્રતિષ્ઠા પૂરી રીતે જાળવીને પૂરી કરી, જાણે પોતાની જીવનલીલા શાસ્ત્રીજીએ સમાપ્ત કરી લીધી! ચીમનલાલ ચકુભાઈ શાહ Page #17 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રસ્થાનના પથ પર જ ચોથે દિવસે સવારે ઉત્તરાપથમાં અમે બસના સ્ટેન્ડ તરફના ગાર્યનું પારાયણ સાંભળી સાંભળીને તે કાન પાકી ગયા. આટલી રસ્તે ચાલ્યા. પર્વતશિખર પરથી જાણે પાણીની ધારા છૂટતી બધી ગાયની માયા હતી, તો અહીં શું કરવા આવી? હું તો ટાઢથીહોય તેમ યાત્રીઓ ઉતરતા હતા. જયારે કઈ નદી પાર કરવાની ધ્રુજું છું... તારે કમળ મારા શરીરે ઓઢાડી દે” : " હોય, અથવા એક પહાડ પરથી બીજા પહાડ પર જવાનું હોય, તમારે ન સાંભળવી હોય તે મારી વાત ન સાંભળતા બાસુત્યારે રસ્તાનું ઉતરાણ શરુ થાય. રસ્તો ઉતરતાં જ બહુ મુશીબત નમાં! પછી સમજયાને મા ઠાકરન.”... ', ' , " ": ", નડે છે. ગબડવાને કે પગ સરકી પડવાને માટે ભય હોય છે. બહુ જ ' “રહે, રહે હવે, મુઈ..અમને અડીશ નહિ, ત્યાં જરા-ખસતી સંભાળીને સંભાળીને પગ મૂકવાના, અને કાળજી રાખી રાખીને બેસ, અમને અડકી અડકીને કાંઈ જાતિધર્મ રહેવા દીધું નહિ. કલાકોના ક્લાક ચાલવાથી ઉતરતાં ઉતરતાં ત્રાસી જવાય. ઘૂંટણને દેશમાં જઈને પ્રાયશ્ચિત કર્યા વિના છૂટકો નથી.” . . . જોર પડે, દુ:ખવા લાગે, ને આખે પગ લથડિયાં લેવા માંડે. ઉપર અસ્પૃશ્ય ચારૂની મા, ત્યાંથી દુર ચાલી ગઈ. .. ચઢવાનું હોય ત્યારે, ચઢતાં ચઢતાં ગરદન, પીઠ, કમર, બધું દુ:ખવા ' દાદાની જોડે અમરાસિંહ, હતા. એ પંડાઓને માણસ હતો, માંડે ને છાતીમાં પણ દુ:ખાવો શરૂ થાય, ને દાંત વડે હોઠ અને યાત્રીઓને માર્ગદર્શક બનીને યાત્રીઓને બદરીનાથ સુધી ચાવી ચાવી દર્દ સહન કરવું પડે. આગળ જતાં ચઢાણ છે એવા પહોંચાડવાની જવાબદારી લેતો હતે. એ શુદ્ધ આચરણવાળ બ્રાહ્મા-- ખબર મળતાં, અમે ગભરાઈને એક્બીજાની સામે જોતા–જાણે ણને છોકરો હતો. થોડું લખતાં વાંચતાં પણ આવડતું હતું. દેવકહેતા હોઈએ કે હવે મુશીબતના મોઢામાં જઈને પડવાનું છે. પ્રયાગથી થોડે દૂર એક પહાડી ગામમાં એનું ઘર હતું. વર્ષ પુરું . તે દિવસે આકાશ સવારથી જ વાદળાંથી છવાયેલું હતું. નયાર થતાં થોડી કમાણી કરવા એ હરદ્વાર જતા. યાત્રીઓની સુખનદી ને ગંગા નદીના સંગમ આગળ હહ કરતો પવન વાતે હતે. જાણે કઈ નવા જ રાજ્યમાં પ્રવેશતા હોઈએ એવું લાગતું હતું. સગવડ તરફ તેની દષ્ટિ હતી. વીશ ત્રીસ રૂપિયા માટે એ એ સાડાઆજ સવાર સુધીમાં અમે બત્રીસ માઈલનો રસ્તો કાપ્યો હતો. ત્રણ માઈલ ચાલવા તૈયાર થતું. એ માણસ સારા માણસના સમતલ જમીનમાં આટલે રસ્તે ચાલવામાં અમને ખાસ કાંઈ વેશમાં જંગલી નહોતે. પણ સાચા અર્થમાં ભદ્ર હતું. તે થાક ચઢતો નહિ, પણ પહાડ–દુર્ગમ, ચઢવામાં મુશ્કેલ પડે વ્યાસઘાટમાં કુદરતી સૌન્દર્ય અપૂર્વ હતું.. વિશાળ પર્વતએવે, અને રસ્તે , પથરાળા. આ રસ્તાને અંત નહોતે, રસ્તા કોણી, કાળાં વાદળાંથી છવાયેલા આકાશની છાયા નદીમાં પડતી કયાંય અટકતે નહોતે, એક્સરખો ત્રાસદાયક રસ્તો હતો. જયાર હતી, નદી પથ્થરને લીધે ફરતી ફરતી સર્પાકારે કર્લોલ કરતી નદીને પૂલ વટાવીને અમે વ્યાસગંગાને કિનારે એક ચટ્ટીમાં વહેતી હતી. દૂર સુધી પથરાયેલી રેતીના ઢગમાં કોઈ એકદો સંન્યાસી જઈ પહોંચ્યાં. આગલે દિવસે સાંજ સુધીમાં અમે કેટલીયે ચટ્ટી જપ કરતે બેઠો હોય, ઘનશ્યામ વનની રેખાઓ હતી, એની અંદર માંથી પસાર થયા હતા. નાઈમુહાના, વિજની, વાંદર, શેમાલુ, કાન્દી વગેરે. વાંદરચેટ્ટીમાં તે દિવસે રાત્રે એક સનસનાટી ઝરણાંને કલકલ અવાજ આવતો હતો, અને એક અનિચભરેલા પ્રસંગ બન્યો. અમે બે મિત્રો ઊંઘતા હતા, એક મોટો પહાડી નીય અવકાશ હતો. પણ અમારે માટે આરામ લેવાને સમય સાપ આવીને અમને પ્રેમથી વળગેલે, પણ અમારું સારું નશીબ નહોતા. આ સ્વપ્નરાજયની શોભા જેમ હું એક આંખે જોતો કે એ અમને ડો નહિ. લાઠીના એક ફટકાથી સાપ તે હતું, તે બીજી આંખે રસ્તાની આગ, અપરિમિત" દુ:ખ, અને . અસહ્યા કષ્ટ હતું. હું વિચાર કરતો હતો, કે શી રીતે પાછા ફરે. મર્યો, પરનું એ નિમિત્તે એક પંડિતજીની જોડે અમારી દોસ્તી જામી. પંડિતજીનું ધર મધ્ય ભારતનો બુરહાનપુર જીલ્લામાં હતું. બેચાર જણને પાછા ફરતાં મેં જોયા હતા, તો હું પણ જો પાછો જાઉં તે એ એકલદોકલ જ હતા. ને યાત્રાના ભારે શોખીન હતા. એકાદ એમાં એવું તે શું મોટો ગુન્હ હતો? હજીય વખત છે, હજીય ત્રણ દિવસ ચાલુ એટલે જન્મભૂમિને સ્પર્શ કરી શકે, હજી રસ વથી એ પરિવ્રાજક બનીને બધા તીર્થોમાં ઘૂમતા હતા. એમને વેશ સન્યાસીને–યોગીને હતો, તેથી રેલ્વે એમની પાસેથી કયારેય ઘણે કાપ્યો નહોતે, પછી પસ્તાવાને પાર નહી રહે. પાછા ફરવાથી લાકમાં શરમાવા જેવું છે, પણ શું લોકલાજને ખાતર હું મારા ભાડું વસુલ કરી શકતી નહોતી. વસુલ ન થઈ શકવાનું એક બીજું જીવનનું બલિદાન આપું? ના. હું મરી તો નહિ જ જાઉં. મરણની કારણ પંણ હતું. એની ચતુર અને મધુર વાતથી એ માણસને તે શું પણ જંગલનાં જાનવરોને પણ ખુશ કરી દેતા. એની મને ઘણી બીક લાગે છે. ઉમર. પીસ્તાળીસથી પાંસઠ વર્ષની વચમાં કયાંક હશે. પડછંદ * “બાબા, તમે તીર્થયાત્રા કરવા આટલી નાની ઉંમરમાં કેમ કાય હતી, થેડા દાંત પડી ગયા હતા, એની બન્ને આંખમાં ચાતુ આવ્યા? મેં કહ્યું, “હું કાંઈ તીર્થયાત્રા કરવા આવ્યો નથી.” રીનું અને ભગવશકિતનું સંમિશ્રિત તેજ હતું. ગળામાં ચારપાંચ “? તે આ મુશીબત શા માટે વહેરી? તું તે હજી છોકરું છે.” રૂદ્રાક્ષની માળાઓ પહેરેલી હતી. એ જપ કરવા બેસતા, અને થેલી “એમ જ ફરવા નીકળ્યો છું માજી...... ' ' ' ઉઘાડીને ચન્દન કાઢી, તિલક કરીને ભગવાનની સેવા કરતા, અને “ફરવા નીકળ્યો છે? તારું થશે શું? ફરવા માટે બીજી કોઈ મુખે સીતારામનું ઉચ્ચારણ તો સતત ચાલુ જ હોય. એવામાં અમે ત્યાંના યાત્રીઓમાં ભળ્યા. પેલા કાલીઘાટના યાત્રીઓ આવીને જગ્યા ન મળી? લગન થયાં નથી લાગતાં?” અમારી ભેગા થઈ ગયા હતા. મેટામેટા વાળવાળા, ગાંજો પીને ' મેં હસતાં હસતાં જવાબ આપ્યો, “શું કોઈ પરણેલો માણસ મસ્ત, બુઢાદાદા આવી પહોંચ્યા હતા, અને એની પાછળ પાછળ આ રસ્તે ન આવી શકે?” એક બુઢી આવી હતી. એ ડોસીને ઉત્સાહ, ધીરજ, ને સહનશીલતા એક જણે કહ્યું, “આહા! એ તે બાબા બદ્રીનાથની દયા છે. જોઈને આપણને નવાઈ ઉપજે. એ તે એ જેને પિતા તરફ ખેંચે તેજ.. ': ચારુની માની કમર ભાંગેલી હતી, એ વાંકી વળી ગયેલી હતી, મેં કહ્યું, “જેને ભગવાનની દયાની પડી નથી, તે શું કરવા, તદન સૂકલકડી શરીર હતું, એ કાલીઘાટમાં દૂધ વેચવાનો ધંધો આવે માજી?” કરતી હતી, એની પાસે અનેક ગાયો હતી. આ જગતમાં એક માજીએ આકાશ તરફ આંખ ઊંચી કરી ને કહ્યું, “ભગવાનની છક્કી અને કેટલીક ગાયો સિવાય બીજું એનું કઈ નહોતું. છાક- દયાની જેને પડી નથી એવો માણસ . એ તો નાસ્તિક કહેરીનું નામ ચારુ હતું. વાય ભાઈ.” “સાંભળો છો કે, મા ઠાકુરન, ભાદુ જે દિવસે વિયાઈ..? શું થોડા માઈલ રસ્તે ચાલ્યાં હોઈશું ત્યારે, રસ્તે લોકે છાનાવરસાદ, ને કેટલું બધું અંધારું, મને થયું કે હવે ભાદુ ફરી નહિ વિયાય. પણ પછી તે કાનિ, જમની, પાગલી, ને પછી પાછી..., છાના વાત કરતાં હતાં કે “આ નાસ્તિક તે આ દેશમાં . બીજો ચારની મા, એ શું બયાં કરે છે? તારો પટપટા ચાલુ જ કોઈ નહિ હોય.” નિન્દા થતી હતી, વ્યંગ, અણગમે એ બધાંને છે.” ડિસી બામણીએ ગુસ્સે થઈને વચ્ચેથી જ એને તોડી પાડી. અનુભવ થતું હતું. મારામાં માજીની શ્રદ્ધા હતી, ને સ્નેહ તને કાંઈ આ બકબક કરવાને જોડે નથી લઈ આવી, આ તારી હત, તે લુપ્ત થયાં. રસ્તામાં મારા જે અભિમાની, નાસ્તિક 1 Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન યાત્રી મળે એ એમને મોટું પાપ લાગ્યું. નીચું માથું રાખીને બ્રહ્મચારી જાણે પ્રસાદ મળવાને હોય એમ એકદમ ઊઠીને એમની વાત માની લેવી તે સિવાય અન્ય કોઈ ઉપાય નહોતે. “બેઠો થયો. ઉંઘતા પહેલાં ચલમની બે ફિક ને મારી હોય ત્યાં એ કાંઈ મનમાં ન લાવવું, સમજ્યા દાદા. એ તે બૈરાંબુદ્ધિ. સુધી એને ચેન ન પડે. પાગલ લેકો તે એવું જ બોલ્યાં કરે.” બ્રહ્મચારીએ કહ્યું. ચલમ ફેંકતાં ફૂકતાં દાદાએ કહ્યું “ગોપાલ શેષ માણસને “એ લોકો શું કહે છે? મેં તો કાંઈ સાંભળ્યું નહિ.” બરાબર ઓળખે, ગમે તેવા લોકો જોડે એ ભાઈબંધી કરે જ નહિને. આ “ન સાંભળ્યું એ જ સારું છે. એવે વખતે કાનમાં આંગળી તમને રસ્તામાં બરાબર પકડી પાડયા દાદા, તમારા જેવા માણસ કાંઈ નાંખી દેવી એ વધારે ઈરછવાયોગ્ય છે. એ બચ્ચાં લોકોની વાત. એમ સહેજે થોડા મળે છે!” એમ કહીને ચલમ મૂકીને એણે લાંબાવ્યું. સાંભળવી જ નહિ. એ લોકો તો ભારે પુણ્યસંચય કરવા આવ્યાં છે. - બ્રહ્મચારીએ એની વાતમાં સૂર પૂરાવતાં કહ્યું , “એટલા બધા તે દિવસે ઘણો રસ્તો કાપીને સાંજે દેવપ્રયાગ આવી પહોંચ્યા. ધાર્મિક છે ગોપાલદા, કે આખે રસ્તે મને ખવડાવતા ખવડાવતા રસ્તા પર એક સન્યાસી નિર્લિપ્ત, નિર્વિકાર રીતે બેઠો હતો. પાસે લઈ આવ્યા છે. તમારું ઋણ તો આ. જીવનમાં” એને એક ભકત શિષ્ય બે ઘૂંટણની વચમાં માથું રાખીને બેઠો હતો. નવા આવેલા યાત્રીઓને જોઈને એણે માથું ઊંચું કર્યું નહિ, આ રીતે ગુરુને શિષ્ય બન્ને જણાને ચલમને નશો ચઢયો હતે. મને લાગ્યું, કે એ એજ સ્થિતિમાં ઊંઘી ગયા હશે. પાસે મેં કહ્યું, “બ્રહ્મચારી, નિન્દા ને પ્રસંશા બન્ને હવે મારે માટે ધૂણી ધખતી હતી. એક પથ્થર પર કાચી ભાંગ તૈયાર કરવામાં એકસરખાં જ છે. પણ તમે યે આ રીતે આવા નકામાં વખાણ કરવા આવી હતી. ભકિતભાવથી એના પગ પાસે થોડી મિનિટ બંધ આંખે મંડીગયા.” બેસીને હું ઊઠીને ખસી ગયે. એ સાચા અર્થમાં સન્યાસી હતો. શું. દાદા? કેવી વાત કરો છો?” દેવપ્રયાગ એક નાનું સરખું પહાડી શહેર છે. અહીં અલકનંદા - “આ ત્રણની વાત કરવાની શી જરૂર હતી? સન્યાસીને તે ને ગંગાને સંગમ થાય છે. જાણે કે નીલવસ્ત્રધારી બે યક્ષકન્યા બહેને ઘણા વખતે એકબીજાને મળી છે, તેથી એકબીજાનાં મેટામાં મોટો ગુણ નિર્વિકાર થવું એ છે.” મોડી રાત સુધી બ્રહ્મગળામાં વીંટળાઈને પડી છે. અહીં રામચન્દ્રનું મંદિર છે, એમ ચારી જોડે વાતો ચાલી. ડું. એણે પોતાના મનને મોકળું કર્યું, તે થડે બકવાદ ને થોડી કલ્પના. એણે કહ્યું, “ભગવાનમાં પૂરો સાંભળ્યું કે દેવપ્રયાગમાં ઉત્તરપુરુષને આવતા જોઈને પૂર્વ વિશ્વાસ ન હોય છે. જે દિવસે હું મઠની પુરુએ પિતૃલોકમાં આનંદનૃત્ય કરવા માંડયું. એટલા માટે કે, સ્થાપના કરીશ ત્યારે તેને બધો ભાર તમારે માથે લેવો પડશે. મઠ તે એમણે માન્યું કે આપણા વંશવારસો પાસેથી પિંડ મળશે, કારણકે હું સ્થાપપિતૃલોકમાં હંમેશાં દુષ્કાળ વાને જ. હમણાં થોડો વખત ભિક્ષાવૃતિ કરીશ. પણ પૈસાની તે જેવી જ પરિસ્થિતિ હોય છે. શહેરમાં જરૂરી હોય એવી કેટલીક સામગ્રી અહીં. સામાન્ય જરૂર પડશે જ. પછી લે--બલે- કૌશલે ગમે તે રીતે...” પ્રમાણમાં દેખાઈ. કેટલીક ધર્મશાળાઓ, કમળીવાળાને આશ્રમ, - બ્રહ્મચારી, કોણ જાણે શાને થોડો સમય વિચાર કરતો બેસી અને દવાખાનું, એક નાનું સરખું બજાર, એક વિદ્યાલય અને રહ્યો. પછી એણે કહ્યું, “નશો કર્યો છે, છતાં તમને સ્પષ્ટ વાત પિસ્ટ ઓફિસ. કરી દઉં... કેટલાય દિવસથી તમારી સલાહ લેવાની મારી ઈચ્છા હતીહવે તમને કહી જ દઉં. ગેપાલદા! કેમ ઊંઘો છે કે?” - આજની યાત્રા પૂરી થઈ. થાકેલું મન અને થાક્લા ગોપાલદાએ કંઈ જવાબ આપ્યો નહિ, એટલે એમણે ધીરે શરીરથી અમરસિંહના માર્ગદર્શન અનુસાર અમે સૌ આવીને ધીરે કહ્યું, “ડા પૈસા ભેગા કર્યા છે દાદા! હજારેક રૂપિયા. બીજા બેએક એક ધર્મશાળામાં ઉતારો કર્યો. છૂટયા, શહેરથી છૂટયા, મનુષ્યને હજાર જોઈશે. શું વિચાર કરું છું તે ખબર છે? બંગાળમાં જ મારે તે સમાગમ અને લેકસમૂહથી છૂટયા. આ હિમાલયનું રાજય, ને જવું છે, જયાં પાણી ને હવાપાણીનું સુખ હોય એવા એક ગામમાં. મહાપ્રસ્થાનને માર્ગ જેને આરંભ છે પણ અન્ત નથી, ત્રણેક દિવસ પહેલાં રાતના વખતે સંતાતે આવીને ગામના એક ખેતરમાં એક ઝાડની નીચે...” એમાં કયાંક કયાંક મનુષ્ય રહેવા માટે ઘર બાંધ્યાં છે, સમાજ ( મેં મોટું ઊંચું કરીને એની સામે જોયું. રચના કરી છે. અહીં પણ જીવનસંગ્રામ તે છે, આશા, આનંદ, તમારી પાસે પેટછૂટી વાત કરી દઉં.” બ્રહ્મચારી જરા ખંચબધુંય છે, તે મને આગળથી સમજાયેલું જ નહિ. અમે તે સૌ કાઈને બે આંખ નીચી ઢાળીને બોલ્યો “એ ઝાડની નીચે માટી ઉદાસીન, સમાજથી વિખુટા પડેલા તીર્થયાત્રીઓ હતા. વાયુને હિલોળે ખોદીને એક શિવલિંગ અંદર ઘૂસાડી દઈશ, ને બધું, માટી અહીંથી ત્યાં ફરતાં સૂકાં અને વેરવિખેર પાંદડાં જેવાં હતાં. અમે પૂરીને ઠીકઠાક કરી દઈશ. ત્રણ દિવસ પછી એ જ ગામમાં સન્યાસીને શહેર તરફ વૈરાગ્યની દષ્ટિથી જોતાં. અમારા હૃદયની જોડે વેશ ધારણ કરીને જઈશ ને કહીશ, “કૈલાસથી એક સંદેશ લઈને આજ એને કયાંય મેળ નથી. આવ્યો છું. વડના ઝાડની નીચે શંકર ભગવાનની પ્રતિષ્ઠા થશે. સ્વયંભૂ થોડું ખાઈપીને કામળો પાથરીને અમે સૂતા. પડખે બ્રહ્મ ઝાડની નીચેથી જ પ્રગટશે. એ મંદિરની મારે સ્થાપના કરવી છે.” ચારી હત; માથા આગળ વૃદ્ધ દાદા હતા, પેલી બાજુ ડોસીઓ મેં ઉત્સાહીત થઈને કહ્યું, “ત બ્રહ્મચારી મને પણ એમાં બીલાડીની જેમ કકલાણ મચાવતી હતી. કોઈના શરીર પર કોઈને શામેલ કરી દે. હું તારી જાહેરાત કરીશ. જોજે ઝાડ ખૂબ જ જનું પગ પડતું હતું, કોઈને પૈસાટકાને હિસાબ મળતો નહોતે, કોઈ હોય, પ્રાચીનતાના આપણા લોકો જબરા ભકત છે.” દેશમાં કાગળ લખવાની વાત કરતું હતું, તે કોઈ જમાઈએ એને - બ્રહ્મચારી રાજી થઈને બોલ્યો, “સાળાઓ, દેશને ઓળખતા આવવાની મના કરેલી તેની વાત કરતું હતું. કોઈ મધમાખી નથી, દેવદેવતાને લઈને જ બધા કંઈ પણ કરવા તૈયાર થાય.” પગે કરડી હતી તેની ફરિયાદ કરતું હતું, ને દુ:ખે છે, દુ:ખે છે, ' મેં કહ્યું, “તું એક કામ કર બ્રહ્મચારી. સાથે સાથે પરચુરણ એવી બૂમ મારતું હતું. આ પ્રકારને જાતજાતનો કોલાહલ ત્યાં દવાનું કામકાજ પણ શરૂ કરી દે. જે સ્ત્રીને છોકરાં ન થતાં હોય, જેને થતો હતો. બામણીમાનો અવાજ આ બધા અવાજોમાંથી તીરની ધણી જોડે બનતું ન હોય, જેને હીસ્ટીરીયા અવતો હોય, જેને હૈયાંમાફક આવીને મનને સાંસરો વધતો હતો. છોકરા તરફથી ત્રાસ હોય તેવાને...” બહુ મહેનતથી ને આગ્રહથી એક નાની ચલમ તૈયાર કરીને ઉત્સાહને આનંદથી હસતો હસતે સન્યાસી બોલ્યો, “ચલન અંધારામાં દીવાસળી આગળ ધરીને દાદાને કહ્યું “સળગાવે દાદા ! મમાં સુલફા ભરું કે દાદા ?” . . તમે જ્યાં સુધી સળગાવી ન આપે ત્યાં સુધી ચલમ પીવાની અહીં ચરસને સુલફા કહેવામાં આવે છે. એને બ્રહ્મચારીને મા ન આવે. જુઓને અંદર મસાલો પણ સૂકાઈ ગયો છે!” ખૂબ ચડર્સ. '' ક્રમશ: ' ' . . . . . . .. મળ બંગાળી : -: એક મેલું કપડું ભીંજવીને એણે ચલમની નીચેના ભાગમાં અનુવાદક: - ... . . . . . . . . . . લપેટી લીધું. : - ડૅ. ચન્દ્રકાન્ત મહેતા . પી. પ્રબોધકુમાર સન્યાલ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન - - - 33 ગુજરાતી સાહિત્ય પરિષદ: ગ્રેવીસમું અધિવેશન સુરત - " (મુંબઈની એલિફન્સ્ટન કૅલેજના ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રાધ્યાપક શ્રી ભૂપેન્દ્ર ત્રિવેદીએ, મારી વિનંતિને માન આપીને, લખી આપેલી સમીક્ષા નીચે રજુ કરતાં આનંદ થાય છે. તંત્રી) . તા. ૨૫, ૨૬, ૨૭, ડિસેમ્બર ૧૯૬૫ના દિવસોએ સુરત ખાતે તથા વર્તાતી ઉણપને નિર્દોશી જણાવ્યું હતું કે “ઉત્તમોત્તમ શિક્ષણ, સુપ્રસિદ્ધ હાસ્યકાર અને સાક્ષર શ્રી જયોતીન્દ્ર હ. દવેના પ્રમુખપદે તાલીમ અને ઉપાધિ માટે જર્મની, ઈંગ્લેન્ડ અને અમેરિકા પર મીટ. ગુ. સા. પં. નું ોવીસમું અધિવેશન ભરાયું. સુરતની ઐતિહાસિક ને મંડાય એ કંઈ સામાજિક સ્વાસ્થની નિશાની નથી. કેળવણીનાં સર્વ સાહિત્યક્ષેત્રે અને સંસ્કારક્ષેત્રે મોખરાનું સ્થાન ભોગવનાર ભૂમિમાં ક્ષેત્રમાં અને સ્તરમાં આપણી જ ભાષા શિક્ષણનું વાહન હોય એ ત્રણેય દિવસ સાહિત્યકારો અને સાહિત્યરસિકોને મોટો મેળો જામ્યો આપણા રાષ્ટ્રીય વ્યકિતત્વમાં આસ્થા પ્રગટાવવાની પહેલી શરત છે. હતો. શિયાળો અને નાતાલની રજા બન્નેનો લાભ લઈ સાહિત્યચર્ચાના પણ સાથે જ શિક્ષણની ઉચ્ચતા કે વિશિષ્ટતા કુંઠિત ન થાય તે ખાતર આસ્વાદ સાથે સુરતનાં પ્રખ્યાત ‘પાંખ, પાપડી ને ઊંધિયુને સ્વાદ હિન્દી અને અંગ્રેજીને ઉપયોગ કરવો જ પડશે. ગુજરાતી, હિન્દી, લેવા ૭૫૦ ઉપરાંત પ્રતિનિધિઓ સુરતને આંગણે આવી રહેતાં સ્વાગત અંગ્રેજી અને સંસ્કૃત તથા અરબીને, જર્મન, ફ્રેન્ચ, રશિયન આદિને, સમિતિના કાર્યકરો અને અધિકારીઓ, એમણે આવડી મોટી સંખ્યાની આપણી નવી યુનિવર્સિટીઓ શિક્ષણના ધોરણની ઉચ્ચતાની દષ્ટિએ અપેક્ષા રાખી ન હોઈ, ઉતારા અને ભજનવ્યવસ્થાની બાબતમાં ભારે તેમ જ આપણી આત્મશ્રદ્ધાના વિકાસની દષ્ટિએ, યોગ્ય અને પૂર્ણ મૂંઝવણમાં પડી ગયા હતા અને તે કારણે કેટલાક પ્રતિનિધિઓને સ્થાન આપશે. કોઈ પણ શિક્ષણક્રમમાં માતૃભાષાને અવર પદ મળશે આરંભમાં થેડી તકલીફ ઊભી થઈ હતી, જે નોંધપાત્ર કુનેહથી તો તે સ્વત્વઘાતક નીવડશે અને જે સ્વત્વઘાતક છે તે ભાષા–સાહિઅને શાંતિથી વ્યવસ્થાપકોએ દૂર કરવામાં આવી હતી. ત્યને પ્રાણપ્રદ ન હોઈ શકે, એ સાર્વત્રિક અનાસ્થા વધારવાને અધિવેશનના પહેલા દિવસે સવારે સાર્વજનિક કૅલેજ ઓફ રસ્તો છે.” સાયન્સના મધ્યભવનમાં સા. પ.ની બેઠકો સાથે સંકળાયેલા પ્રદર્શન- સૌને આદરપૂર્વક સત્કાર કર્યા બાદ પ્રા. ત્રિવેદીએ અતિથિના ઉદ્ઘાટન વિધિ જાણીતા કવિ-વિવેચક શ્રી ઉમાશંકર જોષીના વિશેષ તરીકે પધારેલ વયેવૃદ્ધ પંડિતવર્ય પ્રજ્ઞાચક્ષુ શ્રી સુખલાલજીને હાથે થયો હતો. એમણે સાહિત્ય પરિષદ સાથે ક્લાપ્રદર્શન યોજ- બેલવા વિનંતિ કરી હતી. પંડિતજીએ મહાકવિ કાલિદાસના રધુવંશવાની પ્રણાલીને અગાઉના મહાસભાના અધિવેશન સાથે સમાજસુધા- ના પહેલા જ ગ્લૅકમાં રહેલ ચમત્કૃતિ વિગતે સમજાવી હતી. એમાં રાના અધિવેશનની થતી યોજના સાથે સરખાવીને સાહિત્યને વ્યાપક જેમ પાર્વતી અને પરમેશ્વર એટલે શિવને વંદન છે તે રીતે પાર્વતીપ” અર્થ કરી એમાં ભગિની કલાને સમાવેશ કેટલો સહજ રીતે શકય છે એટલે શિવ અને “રમેશ્વર' એટલે વિષ્ણુ એ બન્નેને વંદનને અર્થ તે દર્શાવ્યું હતું. જો કે એમણે સાહિત્ય સિવાયની બીજી કલાઓ પ્રત્યે પણ નીકળી શકે તે સમજાવી, વાણી અને અર્થની માફક સંકળાયેલ આપણે ઓછા જાગ્રત છીએ એવી ટકોર પણ કરી હતી, અને લલિત- એ યુગલની વન્દનાને તત્ત્વાર્થ સુંદર રીતે સમજાવ્યો હતો. કાલિદાસ કલાઓ પ્રત્યે અભિમુખ થવાની આવશ્યકતા પર ભાર મૂકયો હતે. અસામાન્ય કવિ હોઈ એ પિતાની તાત્ત્વિક દષ્ટિ પૌરાણિક રૂપે રજૂ તે પછી સુરતની નર્મદ સાહિત્ય સભાના આકાયે સભાના પ્રમુખ કરે છે. વૈદિક ઋષિઓએ કહ્યા પ્રમાણે “તેણે ઈચ્છા કરી, વયોવૃદ્ધ સાક્ષર શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવેના શુભહસ્તે તપ તપ્યા, એકમાંથી અનેક થયા.” એકમાંથી અનેક થવા માટે તપ ‘નર્મદ સુવર્ણચંદ્રક પ્રદાનને વિધિ થયું હતું. વયોવૃદ્ધ સાહિત્યકાર ' જરૂરી છે, કામનામાંથી ઉત્પન્ન થતું તત્ત્વ તે સ્ત્રીત્વ અને પુત્વ. શ્રી ધનસુખલાલ મહેતાને એમના કરુણ રસના નાટક “ગરીબની ઝુંપડી’ જ્યાં એ બને છે ત્યાં સૃષ્ટિ સર્જાય છે. લોકોને શ્રદ્ધા હોય એવાં માટે અને કવિશ્રી સુંદરજી બેટાઈને તેમના ઉત્તમ કાવ્યસંગ્રહ ‘તુલ પાત્રોનાં નામ લઈ કાલિદાસે આ વાત પ્રસિદ્ધ કરી છે. પુરાણોમાં સીદલ' માટે સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. જાણીતા રહસ્યોને સ્થૂળ રૂપે સમજાવવાની પ્રથા હતી તે કવિએ ચાલુ રાખી, નટ અને નાટયકાર શ્રી ચંદ્રવદન મહેતાએ પોતાની લાક્ષણિક શૈલીમાં પુત્વ અને સ્ત્રીત્વનું મિલન આવે ત્યાં તપ. એ બે વચ્ચે તપ ન શ્રી ધનસુખલાલ મહેતાને પરિચય આપ્યો હતો. કવિ વિવેચક શ્રી. હોય તે એ યુગલ આગળ ન આવે– ડાઈવર્સ થઈ જાય. મહાદેવ ઉશનસે શ્રી સુંદરજીભાઈનો પરિચય આપ્યો હતો અને તુલસીદલ'- પગારૂઢ તપસ્વી કામદહન કરે છે. પાર્વતીએ પણ એમને મેળવવા ત૫ ની વિશદ વિવેચના કરી હતી. શ્રી ધનસુખલાલ મહેતાએ પોતાના કર્યું હતું. આ તપ એટલે પરસ્પરનું સંવાદીપણું, વફાદારી, ગૃહસ્થાપ્રવચનમાં રંગભૂમિ પરિષદની આવશ્યકતા ઉપર ભાર મૂકયો હતો, શ્રેમ જ કાલિદાસને મન મુખ્ય છે. એ માટે એ યુગલને આગળ કરે છે. - જ્યારે શ્રી સુંદરજીભાઈએ વિવિધ સાહિત્યકારો અને ઘટના-પ્રવાહોના જગતને વ્યવહાર, લેવડદેવડ બધું ભાષા દ્વારા ચાલે છે. જગપિતા પર પડેલ પ્રભાવને ઉલ્લેખ કર્યો હતો. તને જ્ઞાનરાશિ સાચવવા ભાષા જ કામ લાગે છે. જેનાથી જગતનાં ' બપોરે સાડા ચારે સંમેલનના પ્રમુખશ્રી, અતિથિવિશેષ, વિભાગીય બધાં કામો સુસંવાદિત રીતે ચાલે છે તે ચૈતન્ય તત્ત્વ તે શબ્દ. ચૈતન્ય અધ્યક્ષ, પરિષદના પદાધિકારીઓ તથા સ્વાગત સમિતિના પદા- માંથી શબ્દ ઉત્પન્ન થાય છે અને શબ્દદ્વારા ચૈતન્ય આવિર્ભાવ ધિકારીઓ તેમજ કારોબારી સમિતિના સભ્યો કૅલેજના સભાખંડમાંથી પામે છે. તેથી બ્રહ્મને એ શબ્દતત્ત્વ કહે છે, એ ‘અક્ષર છેશબ્દ અધિવેશન માટે કૅલેજના વિશાળ ક્રીડાંગણ પર ખાસ તૈયાર કરેલ તત્ત્વ-ભાષાને–વિકાસ–વિવર્ત તે અભાવથી વિસ્તાર પામે છે. અર્થ વિનાની વાણી નકામી. તેથી વાણી અને અર્થ માતપિતા જેવાં અધિવેશનમંડપમાં આવ્યા બાદ અધિવેશનની ખુલ્લી બેઠકને આરંભ - થો હતો. મંડપ આખો સાહિત્યપ્રિય સ્ત્રીપુરુષથી ચિકાર ભરાઈ ગયો સંપૂકત. આમ પાર્વતી–પરમેશ્વર પ્રતીક છે–પુત્વ અને સ્ત્રીત્વ “ એ અકર્મક સકર્મક ધાતુ છે. કાલિદાસના પ્રસ્તુત શ્લોકમાં જે. પ્રાપ્ત હતો. આરંભમાં ડે. રતન માર્શલે શુભેચ્છાના સંદેશા વાંચ્યા હતા. કરવું છે તે માટે એ બે મૂળ ધાતુઓને વંદન કર્યું છે અને તેમને ' સ્વાગતપ્રમુખ પ્રા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પોતાના સ્વાગત જગતનાં માતપિતા તરીકે કવિએ વર્ણવ્યાં છે. ઋષિઓ અને વિદ્રાનેપ્રવચનમાં સુરતની આગવી વ્યકિતમત્તાનો ઉલ્લેખ કરી, ગુજરાતના એ પિતાને પ્રયત્ન વાણીદ્વારા સાધ્યો છે. સાહિત્ય પરિષદ વસ્તુ ઉપભાષાસાહિત્ય કેળવણીના ઈતિહાસમાં સૂરતનું વિશિષ્ટ અર્પણ દર્શાવ્યું રાંત શબ્દને સ્પર્શે છે. પરિષદના ક્ષેત્રતળે અનેક વિષયો આવે છે, હતું, ‘ભાષાની ગરજ કોશિયાને છે તે ઋષિને પણ છે.” એમ જણાવી, અનેક જાતના માનવીઓને સહકાર સાંપડે છે. માનવ વ્યવહારમાં ભાષાની મહત્તા દર્શાવી, કેળવણી ક્ષેત્રે થયેલા વિકાસ અને દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટી સુરતમાં થપાય તે ટાણે બે Page #20 -------------------------------------------------------------------------- ________________ - * પ્રબુદ્ધ જીવન તા. ૧૬- ૧૬ વિષય દાખલ કરવાનું પંડિતજીએ સૂચવ્યું હતું. ભારતમાં અનાજેની : એ સ્થાન વક્ષય પર નિરજુ શા ધંભુજી મતિ તાણ છે. આપણે ભણતો બહું જઈએ છીએ પણ શરીરમાં લોહી રમ્ય દશ્યો જોઈને અને મધુર કલરવ સાંભળીને પર્યત્સુકી થઈ જાય નથી. તે માટે દૂધ જોઈએ. તેથી પશુપાલન એ મુખ્ય વાત. અન્ન એ છે, એને કંઈનું કંઇ થઇ જાય છે. બીજાઓને પણ થાય છે, પણ તે બ્રહ્મ છે. મૂળે બ્રહ્મની સાધના તે આધ્યાત્મિક સાધના. પ્રાણ, મન, સમજતા નથી કે તેમને શું થાય છે. કવિ સમજે છે, સમજે છે વિજ્ઞાન, આનંદ એ બધામાં એકેકને અભાવે પાછળનું નહિ, એને એટલું જ નહિ પણ એના માનસમાં જે સંવેદને જાગે છે તેને આપણે ભૂલી ગયા. કૅલેજમાં તે ચેપડીએ જ આવે. આ યુનિવર્સિટી ઘરે છે, બરાબર ગોઠવે છે અને એ સંધરેલી સંવેદનશકિતને યથાઅન્નબ્રહ્મને પહેલાં રાખે. શારીરિક અને માનસિક બળ અને શકિત માટે કાલે પરિપાક થતાં, હેય-ઉપાદેયને વિવેક કરી, એને લાગેલાં બીજાં ગાયનું દૂધ જોઈએ, આપણે તો “ક્ષીરપા: આ બે શાખાઓ વગર વળગણો ખસેડી, જૂના સંદર્ભમાંથી એને ઉપાડી લઈ, એને કોઈક બધું અધૂરું. એ હશે તે એ આગળ આવશે. . નવા સંદર્ભમાં મૂકે છે અને વેરવિખેર પડેલી એ કાચી સામગ્રીમાંથી * સાહિત્ય પરિષદ પહેલેથી માતૃભાષા દ્વારા શિક્ષણની વાત કરતી એક સુશ્લિષ્ટ અને અખંડાવયવ આકૃતિની રચના કરે છે. જગતનું આવી છે; વિદેશી ભાષાને જોઈ આદર નથી. બીજી ભાષાઓમાંથી સતત સર્વ રમ્ય અને મધુર એના ચિત્તના સંસકારોને જગાડે છે એમ નથી. અધ્યયન-અધ્યાપન કરતા ફેસરો આજે આપણને નહીં મળે. માતૃ- જે જે હૃદયમાં સંભ પ્રેરે છે, તે તે સર્વ-નિકૃષ્ટ,વિરૂપ, અભદ્ર પણ ભાષા મારફતે પૂર્ણ શિક્ષણ આવે પણ વિચાર અને જ્ઞાન કયાંથી –એના સર્જનવ્યાપાર માટેનું સંચાલક બળ બની શકે છે.” આવશે? જ્યાં હોય ત્યાંથી–બીજા સમર્થભાષાઓના અભ્યાસમાંથી- સત્યનું સ્વરૂપ સર્વથા અને સર્વત્ર એકસરખું નથી” એમ તે આવે. આપણે તે જ્ઞાનસમૃદ્ધિ જોઈએ, વાગ્વિલાસથી નહીં ચાલે. જણાવી શ્રી જયોતીન્દ્ર કહ્યું: “દરેક કલાને અને શાસ્ત્રને પણ આજે થયેલ ભાષાવિકાસમાં સંસ્કૃત, પાલિ તથા અન્ય પ્રાકૃતેના પિતપેતાનાં સત્ય હોય છે. અથવા એમ કહેવું વધારે યુકત છે કે, અભ્યાસની આવશ્યકતા છે. આજે તે આપણા ભારતીય સાહિત્યને સત્યની અભિવ્યકિત કરવાની દરેકની રીત આગવી હોય છે. વ્યવહારની ઈતિહાસ લખવો હોય તે આપણને જર્મન વિદ્વાનને આકાયે જવું દષ્ટિએ સાચી ન લાગે એવી કેટલીયે વાતે સાહિત્ય ને ઈતર કલાપડે. પિતપેતાની પરંપરાની પૂર્ણતા ખાતર પણ તત્ત્વજ્ઞાન ઈત્યાદિને એના ક્ષેત્રમાં જ નહિ, પરંતુ આ સ્થૂળ વ્યવહાર જગતમાં પણ અભ્યાસ આવશ્યક છે. આ વિશે વિચાર કરજો. તે જ સાહિત્ય પરિ- સાચી હોય એ રીતે ચલાવી લેવી પડે છે.” “શું સાહિત્યસૃષ્ટિ અસત્યની ઉદની બેઠક યથાર્થ થશે. સૃષ્ટિ છે?” એવો પ્રશ્ન ઊભું કરી એમણે કહ્યું: “ના, એ કાલ્પનિક પંડિતજીના આ પ્રેરક ને ઉ ધક મંગલ પ્રવચને પછી શ્રી. છે, પણ અસત્ય નથી. જે ભેદ છે, તે સત્ય - અસત્ય વચ્ચેને નહિ, ઉમાશંકર જોષીએ પરિષદના વરાયેલા પ્રમુખ સૌના લાડીલા હાસ્યકાર પરંતુ વાસ્તવિક ને કાલ્પનિક વચ્ચેને.. દિકાલ વિષે જેની સત્તા શ્રી જ્યોતીન્દ્ર દવેને પરિષદનું સુકાન સંભાળી લેવા વિનંતી કરી (સ +તા હયાતી-Existence) હોય, તે વારતવિક જગતના હતી, અને ઉત્તમ નિર્દેશ હાસ્યકાર તરીકે એમને બિરદાવી દિકાલથી જુદા જ છે. વાસ્તવિક જગતમાં થયેલા અનુભવને આધા“ભેદોને હસી નાખી અમને પણ હસી નાખતાં શીખવજો” રે જ સાહિત્યજગતનું સર્જન થઈ શકે એ સાચું છે. વાસ્તવિકતાની એવી ઈચ્છા પ્રગટ કરી હતી. પ્રસ્તાવને અનુમોદન આપતાં ભૂમિ પર જ સાહિત્યની ઈમારત ચણી શકાય છે એ ખરું; પરંતુ શ્રી ચંદ્રવદન મહેતાએ શ્રી જ્યોતીન્દ્રને વિચારક વિવેચક સર્જક ઉપરાંત સાહિત્યસૃષ્ટિ એ વારતવિક રાષ્ટિથી સર્વથા વિચ્છિન્ન નથી. વાસતવિક અજાતશત્રુ તરીકે ઓળખાવ્યા હતા. તે બાદ નિવૃત્ત થતા પ્રમુખ શ્રી સૃષ્ટિ સાથે અવિચ્છિન્નતા નહિ, પણ વિભિન્નતા જ એનું ધર્મવૈશિષ્ય છે.” રસિકલાલ પરીખે શ્રી યેતી-દ્રને પુષ્પહાર અર્પી પ્રમુખસ્થાને એમણે ઉમેર્યું: “સાહિત્યસૃષ્ટિ આત્મસૃષ્ટિ છે. એ સૃષ્ટિમાં નિરૂપાયેલા આરૂઢ કર્યા હતા. શ્રી પરીખે પરિષદે હાથ ધરેલાં ને હાથ ધરવા પ્રસંગ બનતા નથી, એ બનાવેલા અથવા બનાવી કાઢેલા હોય છે. જોઈતાં કાર્યોને ઉલ્લેખ કર્યો હતો અને પરિષદમંત્રી શ્રી યશવંત એ જગતનાં સ્ત્રીપુરુષની હસ્તી હોય છે, પણ એ વાસ્તવિક જીવન શુક્લે પરિષદની બે વર્ષની પ્રવૃત્તિઓને અહેવાલ આપ્યો હતો. પ્રતિ- જીવતાં માનવીઓ હોતાં નથી. કોઈ સમર્થ નવલકથાકાર કે નાટકનિધિઓની સંખ્યાની બાબતમાં સુરતે ૭૫૦ ઉપરાંતની સંખ્યા દ્વારા કારનાં દક્ષ અથવા ખલ પાત્ર જીવતાં હોય, હાડમાંસ ચામનાં બનેલાં મુંબઈ–ક્લકત્તાના આંકને વટાવી વિક્રમ સરજા હોવાનું એમણે હોય એવાં લાગે છે; એ વાસ્તવિક જગતનાં કોઈ પણ જીવતાં માણસ જણાવ્યું હતું. જેવાં છે, એમ આપણે કહેતાં નથી... જેના વિના વાસ્તવિક જગતમાં * શ્રી અરવિંદ આશ્રમ તથા શ્રી હરિ ૐ આકામ તરફથી તેમની માણસ જીવી જ ન શકે, તે બધા વિના સાહિત્યનાં નરનારીઓ જીવી ઉત્તમ કૃતિઓ “ભારતરત્ન’, ‘ભરતી અને એટ’ તથા ‘પાંદડે પાંદડે શકે છે. જીવવા માટે જમવું જોઈએ; કેટલાક જમવા માટે જીવે છે; માતી”. માટે હૈં. ઉપેન્દ્ર રાય સાંડેસરા, શ્રીમતી રંભાબહેન ગાંધી તથા પણ સાહિત્યની સૃષ્ટિમાં કોઈ દિવસમાં બે વાર તે શું, એક વાર પણ શ્રીમતી વસુબહેન ભટ્ટને, પ્રમુખને હસ્તે પારિતોષિકો અપાયાં હતાં. જમતાં નથી ! અને તેથી જ, આપણી સંખ્યાબંધ નવલકથાઓ, એ પ્રસંગે શ્રી રંભાબહેન તથા શ્રી વસુબહેને પિતાને ઈનામરૂપે નાટકો, અને ટૂંકી વાર્તાઓની પાત્રસૃષ્ટિમાં વધારો થતો જ રહે છે. મળેલી ચાંદીની કિંમતની રકમ સંરક્ષણ ફાળામાં પિતે આપશે એવી એની વસતિસંખ્યાનું કોઈ કરતાં કોઈ પ્રમાણ જળવાતું નથી ! પ્રશસ્ય જાહેરાત કરી હતી. છતાં એને કારણે, આપણે દેશમાં વધતી જતી વસતિને અને અન્ન. . એ પછી પરિષદના પ્રમુખ શ્રી જ્યોતીન્દ્ર દવેએ પોતાનું પ્રવચન ને પ્રશ્ન ખાસ ઉગ્ર બનતા નથી. દેશમાં વ્યાપેલાં દીનતા, હીનતા, રજૂ કર્યું હતું, જેમાં છાપેલ વ્યાખ્યાનમાં મૂળ લખાણમાં કરવામાં આવેલ કંગાલિયત, ભૂખમરો, આદિ દૂર કરવાના, એ સૌ નામશેષ કરવાના * ફેરફારને પણ એમણે ઉલ્લેખ કર્યો હતો. પિતાની હાસ્યશૈલીની અનેક પ્રયત્ન આપણે આરંભ્યા છે; પરંતુ આપણી સાહિત્યસૃષ્ટિમાં અવતાર આવકારપાત્ર વિશિષ્ટતાઓને રજૂ કરતા પિતાના વિદ્રત્તાભર્યા પ્રવચન- લઈને આવેલાં ભૂખ્યાં, દીન, હીન, દરિદ્ર, કંગાળ નરનારીઓને આપણે વધાવી લઈએ છીએ ! એમને હૈયાસરસા ચાંપતીએ છીએ ! એમની "માં શ્રી જ્યોતીન્દ્ર સાહીત્યસર્જન, સાહિત્યનું સત્ય તથા સાહિત્યનું દરિદ્રતા સાહિત્યની સમૃદ્ધિ બને છે; એમની ભુખ સાહિત્યિક જીવની .ઉપાદાન વગેરેની કેટલીક સુંદર, રમૂજબ્રેરક ઉદાહરણ સાથેની, સંગીન દરિદ્રતા બને છે; એમની હીનતા સાહિત્યનું ગૌરવ બને છે.!” વિચારણા રજૂ કરી હતી.. સાહિત્યસંબંધી પ્રવર્તતા અનેક અભિ સાહિત્યનું ઉપાદાન શું? ભાષા? કે માનવીનાં ભાવ, વિચાર, પ્રાયોને ઉલ્લેખ કરી એમણે સર્જનપ્રક્રિયા અંગે કહ્યું હતું: અનુભૂતિ, વર્તન આદિ ?” એ પ્રશ્ન રજૂ કરી એમણે કહ્યું “ભાષા- - “સર્જકનું ચિત્ત, બીજાઓ કરતાં વધુ સંવેદનશીલ હોય છે. દ્વારા મનુષ્યનાં ભાવ, ભાવના, વર્તન આદિ કલામય સ્વરૂપ પામે છે. - અ માં છપ કર્યો હતો વિદ્વતાભન્મ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ભાષા સાહિત્યનું સત્ત્વ છે. મનુષ્યનાં સ્વભાવ, વર્તન, વૃત્તિ, વલણો. વિલણ વર્તમાન ભારત-અમેરિકી સંબંધો : આદિ સાહિત્યના પદાર્થ છે. એ મળીને જે રચનાવિશેષ બને છે, તેનું નામ સર્જન છે.” આકાર અને અન્તસ્તત્ત્વ બેમાંથી કોનું – એક સમીક્ષા = - મહત્ત્વ એ પ્રશ્ન સમજાવી એમણે કહ્યું કે, “બન્ને વચ્ચે કોઈ (ગતાંકથી ચાલુ) જાતનો વિશ્લેષ કરવો તે સમગ્ર કૃતિને ધ્વંસ કરવા જેવું છે. વિશિષ્ટતા, આપણ સૌની મુખ્ય ચિંતા તો એ છે કે ભારત અને સુશ્લિષ્ટતા અને અકિલષ્ટતા એ ત્રણ કોઈ પણ ઉત્તમ સાહિત્યકૃતિના પાકિસતાન ઝડપી આર્થિક વિકાસની પોતપોતાની સમસ્યા ઉકેલી પ્રધાન ધર્મો છે. વાણીના વિનિયોગમાં વિશિષ્ટતા, વસ્તુગૂંથણીમાં સુશ્લિષ્ટતા શકે તેમ છે કે નહિ. અને વર્ષ વિષયના નિરૂપણમાં અકિલષ્ટતા એ સર્વ શિષ્ટ સાહિત્યનાં ભારતમાં એ કોઈ જીવનમરણની સમસ્યા નથી. ભારત હજારો લક્ષણ છે.” વર્ષથી ટકયું છે અને ગમે તે થાય તે પણ, બીજાં હજારો વર્ષ સુધી સાહિત્યની દુનિયા વાણીની દુનિયા હોઈ એમાં વાણીથી-શબ્દોથી- ટકવાનું છે. મુખ્ય પ્રશ્ન તે આ છે : ભારત, પ્રત્યેક નાગરિકને વધુમાં વધુ સ્વાતંત્ર્ય અને ગૌરવ મળી રહે તે માટે, પિતાના અર્થતંત્રને નિરપેક્ષ કંઈ પણ આવતું નથી એમ જણાવી ભાષાનું મહત્ત્વ દર્શા પૂરતી ઝડપથી અને લોકશાહી પદ્ધતિએ વિક્સાવી શકશે ?' વતાં એમણે કહયું હતું કે “ભાષાના પ્રભાવે જ માણસ માણસ બન્ય તમે આ હેતુ પાર પાડી શકશે એ તમે પણ જાણો છો છે એવું એક વિદ્વાનનું વિધાન સર્વથા યથાર્થ છે ... પેઢી દર પેઢી અને અમે પણ જાણીએ છીએ. વધુ ચોક્કસ વાત કરું તો, તમે પાંચઆપણે જે પ્રગતિ કરી શકયા છીએ તે ભાષાના સાધન વિના ન જ છ વર્ષમાં વિદેશી આયાતમાંથી મુકત થવા જેટલું અનાજ ઉગાડી કરી શકયા હોત . ભાષા સાહિત્યનું ઉપાદાન છે તેમ જ વ્યવહારનું શકશે એમ અમે માનીએ છીએ. સાધન પણ છે. અન્ય કલાનાં ઉપાદાને કરતાં આ એની વિશિષ્ટતા અમે માનીએ છીએ કે દસ વર્ષમાં, તમારા પિતાના મક્કમ પ્રયત્નોથી અને તમારા મિત્રની મદદથી, તમે મૂડી સંચય માટે એટલી છે.” શાસ્ત્રની, જ્ઞાનવિજ્ઞાનની ભાષા તથા સાહિત્યની ભાષા અંગે બચત કરી શકશે કે પછી તમારે વિદેશી આર્થિક સહાયની બિલકુલ સેદાહરણ ચર્ચા કરી એમણે કહ્યું, “શાસ્ત્રની ભાષા પતિવ્રતા નારી જરૂર નહિ રહે. જેવી જ છે. જે અર્થ સાથે એ સંલગ્ન થઈ છે તેને છોડીને, એ બીજે અમે અમેરિકને આ વાત માનીએ છીએ એટલું જ નહિ; નજર ફેરવતી નથી. એ એકને જ વફાદાર રહે છે. સાહિત્યની ભાષા અમે તે આટલાં વર્ષથી ભારતનાં બંદરમાં સતત ઠલવાઈ રહેલી કોડભરી મુગ્ધ કન્યા સરખી છે. એ કુલીન છે, સંસ્કારી છે, પણ અમેરિકી આર્થિક સહાય આપીને એની ઉપર ભાર મદાર રાખી રહ્યા સ્વતંત્ર સ્વભાવની છે; પિતે નક્કી કરેલા નિયમો અને નિયંત્રણ છીએ. સિવાય, એ બીજા કોઈના નિયમ નિયંત્રણ સ્વીકારતી નથી.” તે હવે, આ અમેરિકી સહાયને હેતુ શો છે? સાહિત્યમાં આવતાં પ્રતીકો માટે એમણે કહ્યું: “એક ઈન્દ્રિયના એટલું ચોક્કસ કે અહીં કોઈએ આક્ષેપ કર્યો તેમ ભારતની અનુભવનું જુદી જ ઈન્દ્રિયના અનુભવ રૂપે નિરૂપણ અથવા એક સરકાર ઉપર રાજકીય દબાણ લાવવાને તે અમારો હેતુ છે જ નહિ. સાથે એકથી વધારે ઈન્દ્રિયોના અનુભવેનું આલેખન–એ બે ઉપરાંત અમેરિકાના હિતોને સાવ સીધી રીતે અસર કરતા મહત્વના પ્રશ્ન કવિ પિતાના વકતવ્યને સચોટ બનાવવા સારૂ પ્રતીકોને પણ આશ્રય વિષે પણ ભારતે કયારેક અમારાથી જુદુ વલણ અપનાવ્યું છે. લે છે. . પ્રતીકપૂજા આપણા માટે નવી નથી, સાહિત્યમાં દાખલા તરીકે, વિયેટનામના પ્રશ્ન અંગે. મને એક પણ એવા તેમ જ સંસારમાં, પરંતુ સાહિત્યમાં યોજવામાં આવેલાં એ પ્રતીકો ભારતીય નેતા મળ્યા નથી જે અગ્નિ એશિયામાં ચીનને પગદંડ જૂનાં થઈ ગયાં છે, ઘસાઈ ગયાં છે. સાહિત્યની દુનિયામાં ઘણો જામવાના જોખમ વિશે સચિત ન હોય. આમ છતાં કેટલાકે, દક્ષિણ સમય ગાળીને ઘરડાં થઈ ગયેલાં કોયલ અને બુલબુલને, થોડા સમયથી વિયેટનામમાંના ઉત્તર વિયેટનામ-સંચાલિત દળો માટેની હેઈની તાજામાજાં થઈને આવેલાં દડુવડને કાબરે મારી હઠાવ્યાં છે! ચંદ્ર, પુરવઠા-હળો કાપી નાખવાના અમારા પ્રયત્નની ટીકા કરી છે. કમળ, સ્ના, શમાં, પતંગ, મેર, ચાતક, હંસ: એ સૌ ગયાં એ પણ વિધિની વકતા છે કે ગયા સપ્ટેમ્બરમાં ચીને ભારતને અથવા જવાની તૈયારીમાં છે અને એને સ્થાને આવ્યાં છે. “ખવાયેલાં આપેલી ધમકીને ટેકો આપનારા દેશમાં ઉત્તર વિયેટનામ મેખરે હતું. શબ, અસ્થિપિજર, સીત્કાર, કીડા, તીવ્ર દુર્ગધ, કાળા કાંટા, સૂનકાર, મેં ભારતના કેટલાંક વર્તમાનપત્રોમાં એમ પણ વાંચ્યું કે વધ્યત્વ, નપુંસકતા, ઉઝરડા, વગેરે” . દિક કાલની સીમાથી પર અમેરિકા ભારતની રાજકીય વિચારણાને કેઈક રીતે વળાંક આપવા એવા સાહિત્યના વિશાળ પ્રદેશમાં એ સૌને સ્થાન છે. અન્યથા સુi પી. એસ. ૪૮૦ ના અનાજને ઉપયોગ કરી રહ્યાં છે. મારે ખૂબ વેદ્ય અને આસ્વાદ્ય બનાવવી મુશ્કેલ એવી વિશિષ્ટ અનુભૂતિઓને ભારપૂર્વક કહેવું જોઈએ કે આ આક્ષેપ સંપૂર્ણ અને નિર્ભેળપણે સાકાર બનાવવા માટે, ઉદાત્ત કે સુંદર પ્રતીકોને બદલે, હીન ને વિરૂપ વાહિયાત છે. લાગે એવાં પ્રતીકોની યોજના કરવી પડે, તો તેમ કરવામાં કંઈ ખોટું સપ્ટેમ્બરમાં, પાકિસ્તાન અને ભારત વચ્ચેનું યુદ્ધ પરાકાષ્ઠાએ નથી. પરંતુ પ્રતીકોજના, માત્ર પ્રતીકયોજના, એ કાવ્યરચના બની જતી નથી, પ્રતીકેની પાછળ જે અર્થચ્છછાયા વિકસે અને એ પહોંચ્યું હતું ત્યારે, ૩૪ જહાજો ૫,૩૭,૦૦૦ ટન અનાજ લઈને ભારતનાં બંદરમાં આવ્યાં હતાં. ઓકટોબરમાં ૩૫ જહાજો ૫,૮૬,૦૦૦ ટન અર્થની પાછળ પણ વ્યંજનાને જે ઢૌર્વતીર્થો વાપર: આઘે ને આઘે લઈ જાય એવો વ્યાપાર ચાલે તો જ અને ત્યાં જ અનાજ લાવ્યાં હતાં. નવેમ્બરમાં પણ અમેરિકાથી આ જ વેગે કવિતા અવતાર લઈને આવે.” ઘઉં આવી રહ્યા છે. અને આગામી મહિનાઓમાં પણ આ જ પ્રમાણે તે આવવા ચાલુ રહેશે. પરિષદ અંગે એમણે જણાવ્યું: “સાહિત્યના ઉત્કર્ષ અર્થે સ્થપાયેલી અલબત્ત, અમે અનાજની વ્યવસ્થાને ૩૦ દિવસના ધારણ આ પરિષદ સાઠ વર્ષ પૂરાં કરી ચૂકી છે. હવે એ વૃદ્ધ બની ગણાય. પર મૂકી છે, પણ એને પાકિસ્તાન-ભારત સંઘર્ષ સાથે કશે સંબંધ ત્યારે, મુંજે મૃણાલવતીને ઉદ્દેશીને જે વચન કહ્યાં તે સંભારવા જેવાં નથી. લાગે છે. ... મુંજ કહે છે, “યૌવન ભલે ગયું, તેમાં તું મૃણાલવતી, આમ ઝૂરે છે શું? સાકરના સે ટુકડા થઈ જાય તેથી શું? એને યુદ્ધ શરૂ થયું તેના કેટલાય મહિના પહેલાં આ નીતિ અમલમાં પ્રત્યેક ટુકડો શું મીઠો નથી લાગતો?” પરિષદના વાકયને કાળ મૂકવામાં આવી હતી. એનું સાદુંસીધું એક જ કારણ હતું : અમારા નિષ્ક્રિયતા અને નીરસતાને નહિ, પણ પ્રવૃત્તિપરાયણતા ને સ-રસ ઘણા કૃષિનિણાને ભારત પોતાનું અન્ન ઉત્પાદન વધારવા માટે તાથી ભર્યો ભર્યો બની રહો એવી વાÈવીને પ્રાર્થના સહિત શ્રી કરવું જોઇતું અને કરી શકાય તેટલું બધું કરી છૂટે છે એવી ખાતરી જ્યોતીન્દ્રભાઈએ પોતાનું, અગાઉના પ્રમુખના પ્રવચને કરતાં સાવ નહોતી થઈ. જુદી જ ભાત પાડતું, પ્રવચન પૂરું કર્યું હતું. શ્રી ઈશ્વરલાલ દેસાઈનાં જે વિકાસલેન, ગ્રાન્ટ અને ટેકનિકલ સહાય અંગે અગાઉ આભારવચન બાદ જ્યા જય ગરવી ગુજરાત' એ ગીત મીઠી હલકથી કરાર થયા છે તેની બાબતમાં કશે વિક્ષેપ પડયો નથી. એવા કરાર ગવાયું હતું. રાત્રે સુરતના રાષ્ટ્રિય કલાકેન્દ્ર “વળામણાં” નાટક નીચે ભારતને ૨૫૬.૨ કરોડ રૂપિયાની સહાય મળનાર છે. - ભજવ્યું હતું. . મુખ્ય પ્રશ્ન આર્થિક વિકાસને અપૂર્ણ ભૂપેન્દ્ર ત્રિવેદી અમે જે અટકાવ્યા છે તે તે ભારત અને પાકિસ્તાન બન્નેને Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રભુ ભવિષ્યમાં લાન આપવા અંગેના કરારો. અમે આ વલણ લીધું છે તેનું કારણ એ છે કે આ ઉપખંડમાં ચાલી રહેલા સંઘર્ષ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નાણાં પૂરાં પાડવાની અમારી ઈચ્છા નથી. અમારી ઊંડી માન્યતા છે કે ઉકેલ માગતા મુખ્ય પ્રશ્ન આર્થિક વિકાસના છે. જીવનધારણ ઝડપથી ઊંચે જવાં જોઈએ અને કૃષિઉત્પાદનને વિસ્તૃત કરવાનો તથા આધુનિક સ્વાવલંબી ઔદ્યોગિક કારખાનાનાં વિકાસના પાયા નંખાવા જોઈએ. લોકોનું ધ્યાન ફરીવાર ચોક્કસપણે વિકાસ ઉપર કેન્દ્રિત થાય ત્યારે જ ભાવી સહાય અસરકારક બની શકે. હવે એક વધુ મુદ્દા ઉપર હું ભાર મૂકવા ઈચ્છું છુ. ભારતને અપાતી અમેરિકી સહાયને કોઈ રાજકીય બંધના જોડેલાં નથી, તેમ છતાં મારા દેશને, સૌથી વધુ અસરકારક નીવડી શકે તેવી વિકાસવિષયક રાજકીય નીતિને લગતા ઠીક ઠીક અનુભવ ૬૦ વિકસતા દેશામાં મળેલા છે. અમેરિકાની પ્રજાને અને અમેરિકાની સંસદને ખાતરી કરાવવી પડે છે કે અમારી સહાયનાં નાણાં સારી રીતે વપરાય છે. અમેરિકાનાં નાણાં જે વિકાસયાનાઓમાં વપરાતાં હોય તે યોજનાઓને ચીવટથી તપાસ્યા કરવાની અમારે માથે જવાબદારી છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતની આર્થિક કામગીરી એકંદરે સારી છે અને કેટલાંક ક્ષેત્રામાં તે ખાસ ધ્યાન ખેંચે તેવી છે. પણ જે ભારતીય અર્થશાસ્ત્રીઓ અને રાજકીય નેતાએ આ કામગીરી વધુ સારી થઈ શકે અને થવી જોઈએ એમ માને છે તેમની સાથે અમે મળતા થઇએ છીએ એ મારું નિખાલસપણે કહેવું જોઇએ. ખેતીને પ્રથમ સ્થાન દાખલા તરીકે, અમે એમાં સંમત થઈએ છીએ કે ખેતીને સૌથી ઉચ્ચતમ સ્થાન આપવું જોઇએ અને વસ્તીવધારો નિયંત્રિત કરવાના પ્રયાસે વધુ બળ અને વિસ્તૃત બનાવવા જોઈએ, આમ થાય તે જ પ્રત્યેક ભારતીય નાગરિકને આધુનિક ઉદ્યોગવિદ્યાએ શક્ય બનાવેલા ઉચ્ચતર જીવનધારણની ખાતરી આપી શકાય. જેને ભાવે અત્યારે ભારતનાં હજારો કારખાનાંને પાતાની શકિત કરતાં ઓછું કામ કરવાની ફરજ પડે છે તે છૂટા ભાગેા અને કાચા માલની આયાત માટે સગવડ કરવી આવશ્યક છે એવું જે ભારતીય નિષ્ણાતા માને છે તેમની સાથે પણ અમે સંમત છીએ. અંતમાં, અમને ખાતરી થઇ છેકે જો ભારત નાના-મોટા દેશીવિદેશી ખાનગી ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપી રહેલા અને ઝડપથી વિકસી રહેલા જાપાન, ઇટલી અને અન્ય લોકશાહી દેશોના અનુભવમાંથી બોધપાઠ લેશે તે તેનું અર્થતંત્ર વધુ ઝડપથી વિકસશે. વિદેશી મૂડી સૌએ લીધી છે ભારત અને અમેરિકા એકબીજાના હેતુ, સ્વાવલંબન અને સહાયનો પરસ્પર સંકળાયેલા પ્રશ્ન વિચારે ત્યારે એ યાદ રાખવું ઉપયોગી છે કે દક સમૃદ્ધ દેશે પોતાના વિકાસ માટે ઘણે અંશે વિદેશી મૂડી અને વિદેશી નિષ્ણાતો પર આધાર રાખ્યો છે. અમેરિકાની રેલવે માટે મોટા પ્રમાણમાં બ્રિટિશ મૂડીએ નાણાં પૂરાં પાંડયાં હતાં. ફ્રેન્ચાએ અમને રાસાયણિક ઉદ્યોગ ઊભા કરવામાં મદદ કરેલી. અમેરિકાના વ્યાપક આધુનિક નવા ઉદ્યોગના પાયા નાખવામાં અન્ય દેશે!માં જન્મેલા હજારો ઇજનેરો, વિજ્ઞાનીઓ અને ટેકનિશિયનેને મદદ કરી છે. આજે અમેરિકામાં કુલ ૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલું વિદેશી મૂડીરોકાણ છે. બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ યુરોપ મોટે ભાગે અમેરિકી મૂડીથી ફરી ઉભું થયું છે. ગઇ લડાઈ દરમ્યાન અમે રશિયાને લેન કે ગ્રાન્ટ તરીકે ૬,૦૦૦ કરોડ રૂપિયા જેટલી સહાય કરી હતી. યુદ્ધ પછી અમે બીજા ૧૨૫ કરોડ રૂપિયા અન્ન અને રાહત માટે રશિયા માલ્યા હતા. વિદેશી મૂડી અને ટૅકનિશિયનોના પ્રવાહે અમેરિકા, યુરોપ કે જાપાનને નુકસાન પહોંચાડયું હોય એવા કોઈ ખુરાવા નથી. મુકત ભારતને પણ એ નુકશાન પહોંચાડશે એવા ભય રાખવાની જરૂર નથી. સંબંધો ઓછા ન આંકીએ હવે અંતમાં, મને જે એક પાયાનું સત્ય જણાય છે તે ભાર જીવન તા. ૧૬-૧૨ પૂર્વક રજૂ કર્યું. આગે જગતભરમાં ભારતવાસીઓ અને અમેરિકનોની સામે ખડા થયેલા અનેક જટિલ પ્રશ્નોમાંથી બધા વિષે એકમત થવાની આશા તો આપણે ન રાખી શકીએ, પણ આપણી બે પ્રજાઓને, જગતની બે મેટામાં મોટી લોકશાહીનાં નાગરિકોને, જોડતા પ્રબળ સંબંધોનો આંક પણ આપણે ઓછા ન મૂકવા જોઈએ. છેલ્લાં પંદર વર્ષમાં હજારો અમેરિકના તમારી યુનિવર્સિટીઓમાં શીખવવા, તમારા બંધો બાંધવામાં મદદ કરવા, તમારી ઈસ્પિતાલામાં કામ કરવા અને તમારા ગ્રામ વિકાસમાં સહાય કરવા ભારત આવ્યા છે. આમાં ૫૪૨ અમેરિકી શાંતિસેનાના સ્વયંસેવકો છે. તેમાંથી ઘણાખરા અત્યારું જ ભારતના ખેડૂત સાથે ખભેખભા મિલાવીને ગ્રામપ્રદેશમાં મરઘાઉછેરનું, શાળામાં ભણાવવાનું અને ચિકિત્સાલયામાં આરોગ્યનું કામ કરી રહ્યા છે. આ હજારો અમેરિકનામાંથી લગભગ બધા ભારતની પ્રજા માટે ઊંડા માનની અને મૈત્રીની લાગણી લઈને અમેરિકા પાછા ફરે છે.. આ જ સમય દરમિયાન ૫૫,૦૦૦થી વધુ ભારતીય નાગરિકો ટેકનિકલ તાલીમ અથવા શિક્ષણ માટે અમેરિકા ગયા છે. અત્યાર અમેરિકાની યુનિવર્સિટીઓમાં ૮૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ છે. બહારના બીજા કોઈ પણ દેશમાં ભણતા વિદ્યાર્થીઓ કરતાં આ સંખ્યા ઘણી મોટી છે. આ ઉપરાંત ૧,૦૦૦થી વધુ ભારતીય પ્રાધ્યાપકો અત્યારે અમારી યુનિવર્સિટીઓમાં ભણાવે છે. આ સાથે ગાંધીજીના અહિંસક પ્રતિકારના વિચારે અમેરિકન હબસીઓને વધુ તક અને ગૌરવ અપાવવા માટેના ગેારા અનેહબસી લોકોના સામુદાયિક, શાંતિમય, ક્રાન્તિકારી પુરુષાર્થની પ્રેરણા આપી છે. આમ છતાં ગમે તેટલી શુભેચ્છા હોય તો યે મેટાં રાષ્ટ્રો વચ્ચે ખરેખરો સહાનુભૂતિયુક્ત સંબંધ સહેલાઈથી બંધાતા નથી. વિવિધ સાંસ્કૃતિક ભૂમિકા, વિવિધ ભાષાઓ, અનુભવ અને મંતવ્યો ઘણીવાર આડશા ઊભી કરે છે, અને તે સમજદારી માટેના જોરદાર પ્રયાસથી અને કયારેક ક્યારેક બન્ને પક્ષે થાડીક સ્પષ્ટ વાતોથી જ દૂર કરી શકાય છે. ભારત અને અમેરિકા જેવા લોકશાહી સમાજોમાં જ્યાં બધા માણસે પોતાના મનની વાત ખુલ્લેખુલ્લી કહી દેતા હોય અને (હંમેશાં તેના પરિણામની પરવા ન કરતાં હોય ત્યાં તે) આ વાત ખાસ સાચી છે. સરમુખત્યારશાહી દેશમાં, જ્યાં સરકારો ટીકા અને જાહેર રજૂઆતોને દાબીને મતભેદોને ઢાંકે છે ત્યાં ઘણી વાર એકમતીના દેખાવ ઊભા થઈ શકે છે, પણ તે પાયાના મતભેદને ઉકેલવાને બદલે તેની ઉપર ફકત અંચળો ઓઢાડે છે. ભારત અને અમેરિકા વચ્ચે કોઈક મતભેદો તે હંમેશા રહેવાના, પણ આપણી વચ્ચે જે સમાન ધ્યેય છે તે અનેકગણાં વધુ મહત્ત્વનાં છે. અહીં ભારતમાં મને આ હકીક્તનો ઊંડા ખ્યાલ આવે છે; અને અમેરિકાની મુલાકાતે જનાર અને ત્યાં અમેરિકનામાં ભારત માટે એવી જ લાગણીનો અનુભવ ન કરનાર ભારતના માણસ પણ તમને ભાગ્યે જ મળશે. અમારું દઢ મંતવ્ય છે કે મુકત, સમૃદ્ધ અને શાંતિમય ભારત સ્થિર અને મુકત એશિયા માટેની સૌથી પહેલી આવશ્યકતા છે અને લોકશાહી ભારત લાશાહી અને મુકત વિશ્વસમાજની દિશામાં એક મેટા પગલાંરૂપ હશે. અમે એમ પણ માનીએ છીએ કે આ હેતુ સિદ્ધ કરવા માટે પાયાની શુભેચ્છા ને પરસ્પર હિત વિચાર સારા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે. આથી જ અમે અમેરિકને છેલ્લાં ૧૫ વર્ષથી ભારતને રાહાય કરી રહ્યા છીએ; એ થી જ અમે અમારી સહાય ચાલુ રાખ વાની ધારણા રાખીએ છીએ. આપણી સામે કપરો સમય ખડા થયા છે, જ્યારે તમામ દેશને અટપટા અને અણધાર્યા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. કોઈક દિવસે આપણે આ ખળભળતી નવી દુનિયાને જરાક જુદા દષ્ટિકોણથી જોવાના એ ચોક્કસ છે. પણ આપણે સમાન ભૂમિકા શોધતાં શોધતાં એ કદિ ન ભૂલીએ કે અમેરિકા અને ભારત એક જ લક્ષ્યો સિદ્ધ કરવા મથી રહ્યાં છે; એ લક્ષ્યો તે મુકત સમાજમાં જીવવાના અધિકાર, પ્રત્યેક વ્યક્તિના પૂરેપૂરા ગૌરવ અને આર્થિક ન્યાય માટેના અધિકાર અને તમામ માણસા માટે શાંતિમય જગતમાં જીવવાના અવસર. શ્રી ચેટર બાલ્સ સમાસ. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ જીવન દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ ભારતના મહાઅમાત્ય સ્વ. લાલબહાદુર શાસ્ત્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની તા. ૧૩-૧-’૬૬ ના રોજ મળેલી સભા ભારતના મહાઅમાન્ય લાલબહાદુર શાસ્રીના તાસ્કંદ ખાતે એકાએક નીપજેલ અવસાનથી ઊંડા શેક અને દુ:ખની લાગણી અનુભવે છે. તેમનું જીવન પ્રારંભથી દેશની સેવાને સમર્પિત હતું; તેમણે દેશની આઝાદી અર્થે અનેકવાર જેલવાસ ભોગવ્યો હતો; સ્વરાજ્ય બાદ નવી નવી રાજકારણી જવાબ દારી સ્વીકારીને દેશના નવનિર્માણમાં તેમણે મહત્ત્વનો ફાળા આપ્યો હતો; પાકિસ્તાન સાથેના યુદ્ધનું તેમણે સફળ અને યશસ્વી સંચાલન કર્યું હતું; તાસ્કંદ ખાતેની મંત્રણાને પાકિસ્તાન સાથે સમયોચિત કોલકરાર કરીને દેશના ગૌરવમાં વધારો કર્યો હતો. ભારતના ઈતિહાસમાં ભારતના મહાઅમાત્ય તરીકેની ૧૯ માસની ટૂંકી છતાં અસાધારણ મહત્ત્વ ભરી કારકિર્દી તેમને જરૂર ચિરસ્મરણીય બનાવશે; તેમનું નામ અને કામ સદાને માટે સુઅંકિત બનશે. તેમના કુટુંબીજના પ્રત્યે મુંબઈ જૈન યુવક સંઘ આ દુ:ખમાં સહાનુભૂતિ દર્શાવે છે; ઈશ્વર તેમના આત્માને ચીરશાંતિ આપે એવી પ્રાર્થના કરે છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ દાખવ્યું તે જોતાં શાસ્ત્રીજી પણ ગાંધી-જવાહરની પરંપરાના યોગ્ય વારસદાર હતા એમ આપણે નિ:શંકપણે કબુલ કરવું જ રહ્યું. ગાંધીજી તે યુગપુરુષ હતા અને આઝાદી મળ્યા બાદ તેમણે તા વહીવટી જવાબદારીમાં પડવાનો સાફ ઈન્કાર કર્યો હતા; પણ જવાહરલાલજીએ આ દેશના ૧૭ વર્ષ વહીવટ કર્યો અને શાસ્ત્રીજીએ માત્ર ૧૯ મહિના વહીવટ કર્યો. જવાહરલાલજી બીજી અનેક રીતે અનુપમ હતા. તેમની વિશ્વસ્પર્શી સંવેદનશીલતા, ગગનલક્ષી કષ્નાશીલતા એક મહાન યુગના નીચેાડ રૂપ સંસ્કાર - આયતા તથા તેમની કરુણાપૂર્ણ માનવતાનાં દર્શન બહુ વિરલ માનવીઓમાં થવાના સંભવ છે. પણ વહીવટી ક્ષેત્રે, રાજ્યસંચાલન ક્ષેત્રે શાસ્ત્રીજીમાં જે નિશ્ચિતતા, મક્કમતા, સ્વસ્થતાનાં આપણે દર્શન કર્યાં તે તે શાસ્ત્રીજીની જ વિશેષતાઓ હતી. તા. ૧૬-૧-૧ દક્ષિણ રશિયાના મુખ્ય શહેર તાકદમાં રશિયાના મુખ્ય પ્રધાન શ્રી કાસિજીનના સાન્નિધ્યમાં ભારત અને પાકિસ્તાનના પ્રમુખ રાજ– પુરુષો મહાઅમાત્ય શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને પ્રમુખ અટ્યુબખાન વચ્ચે જાન્યુઆરીની ચોથી તારીખથી શરૂ થયેલી મંત્રણાઓના સુખદ સમાધાનીમાં અન્ત આવ્યો એની ભારે રાહત અનુભવતા આપણે દશમી જાન્યુઆરીની રાત્રે સૂતા હતા અને ભારત અને પાકિસ્તાન બન્ને તત્કાલ યુદ્ધના ભયથી મુકત બન્યા અને વિશ્વશાંતિની દિશાએ એક મહત્ત્વનું પગલું ભરાયું એ કારણે આપણાં દિલ રાચી રહ્યાં હતાં, ત્યારે સવારે વહેલાં ઉઠવાની સાથે ભારતના આ મહાન શિલ્પીએ એકાએક આપણી વચ્ચેથી વિદાય લીધી છે એવા સમાચાર સાંભળવાના છીએ એવી કલ્પનાને કોઈ સ્થાન હતું જ નહિ. આમ છતાં આ સમાચારનું તથ્ય સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એમ પ્રતીતિ થતાં રાત્રીના પ્રારંભનો આનંદ અત્યન્ત ઊંડા શાકમાં - અકલ્પ્ય ગ્લાનિમાંફેરવાઈ ગયો; અને હર્ષનાં આંસુ શાકના આંસુમાં પલટાઈ ગયા. સાધારણ રીતે કલ્પના વાસ્તવિકતાની સીમાને વટાવીને ચાલતી હોય છે; પણ કદિ કદિ કલ્પનાને પણ વટાવી દે એવું વાસ્તવિકતાના ક્ષેત્રમાં બનતું હોય છે. જે પરિસ્થિતિમાં શાસ્ત્રીજી અવસાન પામ્યા તે પરિસ્થિતિ કાંઈક આવી લાગે છે. આ આખી ઘટના કોઈ કુશળ નવલકથાકાર પણ પેાતાની કથાવસ્તુમાં કલ્પી ન શકે એવી વિલક્ષણ, હૃદયદ્રાવક અને આશ્ચર્યજનક ભાસે છે. ગાંધીજી ગયા; જવાહરલાલજી ગયા. જવાહરલાલજીના સ્થાન ઉપર શાસ્રીજીના આવવાનું નિશ્ચિત હતું, પણ એ મુજબ જ જ્યારે બન્યું ત્યારે કર્યાં. ગાંધીજી અને જવાહરલાલ અને કાં આ વામન–દેહધારી શાસ્ત્રીજી.-આમ આપણે એ બન્નેના વ્યકિતત્ત્વ વચ્ચે રહેલા અસીમ અન્તરની આંકણી કરતા હતા અને યુગે યુગે વિરલ પાર્ક એવા ગાંધી કે જવાહરલાલ હવે ઓછા જ મળવાના છે એમ વિચારીને તેમજ લાલબહાદુર શાસ્ત્રી જેવા છે તેવાથી આપણે ચલાવી લેવું જ રહ્યું એમ ચિન્હવીને શાસ્ત્રીજીને આપણે અપનાવી રહ્યા હતા, પણ તેમના ૧૯ મહિનાના વહીવટ દરમિયાન તેમણે જે સત્ત્વ તેમ જ સામર્થ્ય ૧૮૯ શાસ્ત્રીજી કદમાં નાના હતા; એક માનવી તરીકે ગાંધી - જવાહરની અપેક્ષાએ તેમને જરૂર નાના ગણી શકાય. પણ શાસ્ત્રીજીમાં ગાંધીજીનું ખમીર હતું. તેમના વાણીસંયમ, ચિતની સ્થિરતા અને પ્રસન્નતા, સાહસિકતા અને મક્કમતા ગાંધીજીના હતાં, જે સ્થિતપ્રજ્ઞના આદર્શ આપણે ગાંધીજીમાં મૂર્તિમન્ત થયેલા નિહાળતા હતા એ જ સ્થિત— પ્રજ્ઞનું નાનું સ્વરૂપ શાસ્ત્રીજી હતા. જવાહરલાલ પૂર્વ અને પશ્ચિમના મિશ્રણરૂપ હતા; શાસ્ત્રીજી શુદ્ધભારતીય સત્ત્વના પ્રતીકરૂપ હતા. તેમણે જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનું સંચાલન કર્યું તેમાં તેમની સ્થિર અને સ્થિત એવી પ્રજ્ઞાનું આબેહુબ દર્શન થતું હતું. તેમનામાં નહાતા રોષ કે આવેશ. ઘેર સંગ્રામ ચાલતો હતા ત્યારે પ્રતિપક્ષી પણ વિષે તેમણે એક નાના સરખા પણ હીણા ઉદ્ગાર કાઢયો નહોતો; હકીકતના આધાર ઉપર દેશને પ્રજાજનોને લાલબહાદુર શાસ્ત્રી શ્રી અયુબખાન તથા કોસીજીનની કાંધ ઉપર સ્પષ્ટમાર્ગદર્શન આપવું અને જરૂરી. બલિદાન આપવા માટે પ્રેરવા એજ તેમના યુધ્ધકાલીન સર્વ પ્રવચનોનો સુર હતા. આથી પણ વધારે મક્કમતા તેમ જ કુશળતા, આગ્રહપરાયણતા તેમ જ જરૂરી બાંધછોડ કરવાની કુશળતા તેમણે તાશ્કંદ ખાતે ચાલેલી મંત્રણાઓ દરમિયાન દાખવી અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તત્કાળ યુદ્ધની સંભાવના ન રહે એવી પરિસ્થિતિ તેઓ સરજી ગયા. આ રીતે તે ભારત માટે ચિરસ્મરણીય બની ગયા છે. તા. ૧૨મી જાન્યુઆરીના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પ્રબુદ્ધ જીવન સ્થૂ ચરને રહ્યા ફોટોગ્રાફ પ્રગટ થયા હતા. ગઈ કાલ સુધી જે એકમેકના દુશ્મન લેખાતા હતા, તેમાંના એક શાસ્ત્રીજીના શબને ધારણ કરતી તેમાંના બીજા અચ્યુબખાન હાથ આપી રહ્યા છે, ઊંચકી છે. આંખા માની ન શકે એવું આ દ્રશ્ય છે. આખરે માનવી માનવી વચ્ચે શત્રુતા ઉપરની વસ્તુ છે; મિત્રતા એ પાયાની વસ્તુ છે. જ્યારે અયુબખાને શાસ્ત્રીજીને પોતાની કાંધ ઉપર લીધા ત્યારે તેનું અંતર પણ હલી ઊઠ્યું હશે અને તેને પણ જરૂર પ્રશ્ન થયો હશે કે આ બધા વિખવાદ - શત્રુવટ - શાને માટે? આપણે આશા રાખીએ કે કદિ કદિ દુર્ઘટનામાંથી સુઘટના સરજાય છે તેમ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદો મિટાવવા માટે આપણે પશુબળના આશ્રય નહિ લઈએ એવી પરસ્પરની પ્રતિજ્ઞા ઉપર સહીઓ થયા બાદ તરતમાં નીપજેલું શાસ્ત્રીજીનું મૃત્યુ આ પ્રતિજ્ઞાને પરિપક્કવ બનાવશે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધોનું નિર્માણ કરશે. સ્વ.ન્યાયમૂર્તિ શ્રી રતિલાલ ભાઇચંદ મહેતા ગુજરાત સ્ટેટ રેવન્યુ ટ્રીબ્યુનલના પ્રેસીડેન્ટ શ્રી રતિલાલ ભાઈચંદ મહેતાનું મુંબઈ ખાતે ૬૩ વર્ષની ઉમ્મરે આ માસની છઠ્ઠી તારીખે થોડા દિવસના હૃદયરોગના પરિણામે અવસાન થયું. આ સમાચારે તેમના બહોળા પરિચિત મંડળમાં સ્વાભાવિક રીતે ઊંડા ખેદની લાગણી પેદા કરી છે. ગુજરાતને એક ગૌરવપ્રદ ગુજરાતીની ખાટ પડી છે. ગુજરાત સંયુકત મહારાષ્ટ્રથી છુટું પડયું ત્યાર પહેલાં તેઓ બૃહદ મુંબઈના પ્રીન્સિપાલ સેશન્સ જજ હતા, તેમની એ કારકિર્દી દરમિયાન બહુ ચકચારને પાત્ર બનેલેા નાણાવટી કેસ ચલાવવાની જવાબદારી તેમના શિરે આવી હતી. આ કેસમાં નેવીના કમાન્ડર કે. એમ. નાણાવટી સામે મુંબઈના એક વ્યાપારી શ્રી પ્રેમ આહુજાનું ખૂન કરવાના આરોપ મૂકાયો હતો.જ્યુરીએ કમાન્ડર નાણાવટીના પક્ષમાં પેાતાના અભિપ્રાય જાહેર કર્યો હતો. પણ આ અભિપ્રાયને–જ્યુરીના વીકટને—perverse વિકૃત માનસ દાખવતજાહેર કરીને આ કેસને વધારે વિચારણા માટે હાઈકોર્ટ તરફ તેમણે રવાના કર્યો હતા. આ કેસને અંગે તેમણે બહુ મોટી નામના પ્રાપ્ત કરી હતી, ઘણી મોટી હીંમત દાખવી હતી. ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું વિભાજન થયા બાદ શ્રી રતિલાલ ભાઈચંદ મહેતા ગુજરાતની હાઈકોર્ટના જજ તરીકે નીમાયા હતા જે સ્થાન ઉપરથી ૧૯૬૧ની આખરમાં તેઓ નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ ૧૯૬૨ની શરૂઆતમાં ઉપર જણાવ્યા મુજબ ગુજરાત સ્ટેટ રેવન્યુ ટ્રીબ્યુનલના પ્રમુખ નીમાયા હતા અને તેમના અવસાન સુધી તે સ્થાન ઉપર તેઓ ચાલુ હતા. તેમનો જન્મ પાલણપુરમાં થયા હતા. તેમણે ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં રહીને કર્યો હતો. ૧૯૫૦ થી ૬૦ ના દશકાની શરૂઆતમાં તેઆ મુંબઈમાં સેશન્સ જજ નિમાયા હતા. તે પહેલાં મુંબઈ હાઈકોર્ટની આરીજીનલ સાઈડે તેઓ પ્રેકટીસ કરતા હતા. શ્રી રતિલાલભાઈ એક વિનયનમ્ર, શીલસંપન્ન અને સૌજન્યપૂર્ણ વ્યકિત હતા. તેમનું ન્યાયપ્રદાન એકાન્ત સત્યનિષ્ટાથી પ્રેરિત અને પ્રભાવિત હતું. એક શાન્ત, ગતિશીલ અને નિર્મળ જળને વહાવતા ઝરણા જેવું તેમનું જીવન હતું. જાહેરાત કે ધાંધલધમાલથી તેઓ સદા દૂર હતા. યથા શકિત કર્તવ્યપાલન અને સત્ય આચરણ એ જ માત્ર તેમના જીવનનું ધ્યેય હતું. સ્વ. સાહિત્યાચાય શ્રી ખાલચંદ હીરાચીઁ મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી બાલચંદ હીરાચંદનું નવમી જાન્યુઆરીના રોજ લાંબી માંદગી ભાગવ્યા બાદ ૯૨ વર્ષની પરિપક્કવ ઉંમરે માલેગાંવ ખાતે અવસાન થયું છે. તેઓ જૈન સમાસમાજના એક પ્રૌઢ આગેવાન હતા, તથા સારા કવિ, લેખક અને વિવેચક હતા, અનેક જૈન સામિયકામાં તેમનાં કાવ્યો અને લેખો પ્રગટ થતાં હતાં. તેમને, તેમની સાહિત્યસેવાની કદર બદલ, ‘સાહિત્યચંદ્ર'નું બિરુદ આપવામાં આવ્યું હતું. ગુજરાતી તેમ જ મરાઠી ભાષા ઉપર તેઓ સારૂં પ્રભુત્વ ધરાવતા હતા. તેમના પરલોકગમનથી દેશને—ખાસ કરીને જૈન સમાજને—એક સાચા ચિન્તક, વિચારક અને સેવાભાવી સજજનની ખોટ પડી છે. તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાપ્ત થા! પરમાનંદ સાધના શિબિર સૌરાષ્ટ્રના દક્ષિણ પ્રદેશમાં આવેલા તીર્થાધામ તુલસીશ્યામ ખાતે આચાર્ય રજનીશજીના સાન્નિધ્યમાં ફેબ્રુઆરી માસની ૪, ૫, તથા ૬ એમ ત્રણ દિવસ માટે યોજાયેલી શિબિર અંગે પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં જે જાહેરાત કરવામાં આવી છે તેના અનુસંધાનમાં વિશેષ જણાવવાનું કે આ શિબિરમાં જોડાવા ઈચ્છતાં ભાઈ - બહેનોએ વ્યકિતદીઠ રૂા. ૮૫ ને બદલે ૧૦૦ નીચે જણાવેલ ઠેકાણે ભરીને પાતપોતાનાં નામ નોંધાવવાના છે અને આ ભાઈ - બહેનેાએ મુંબઈથી અમદાવાદ પહોંચવાની ગાઠવણ પાતે જાતે કરવાની છે. તેમના માટે અમદાવાદના નવા સ્ટેશને પશ્ચિમ બાજુએ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની તુલસીશ્યામ પહોંચવા માટે ખાસ રિઝર્વ કરેલી બસ ફેબ્રુ આરીની ત્રીજી તારીખે સવારે બરાબર ૭-૩૦ વાગ્યે ઉપડશે અને સાંજના સાડાસાત વાગ્યા લગભગ તુલસીશ્યામ પહોંચશે. આ બસ બપોરના ભાજન માટે અમરેલી મુકામે દાઢથી બૅ કલાક ખેટી થશે. શિબિરની પૂર્ણાહુતિ થયા બાદ સાતમી તારીખે આ બસમાં આવેલા ભાઈ-બહેનોને આસપાસ આવેલાં કેટલાંક જોવાલાયક સ્થળોને ફેરવવામાં આવશે. આઠમી તારીખે સવારે તુલસીશ્યામથી આ બસ ઉપડશે અને સાંજના સમયે અમદાવાદ પહોંચશે. અમદાવાદી મુંબઈ યા અન્ય સ્થળે પહોંચવાની સગવડ દરેક ભાઈ- બહેને જાતે કરવાની રહેશે. 12 તા. ૧૬-૧૯૬૬ અમદાવાદથી તુલસીશ્યામ પહોંચવાનો બીજો માર્ગ એ છે કે અમદાવાદથી રાત્રે નવ વાગ્યા લગભગ ઉપડતી સામનાથ મેલમાં નીકળીને અમરેલી પહોંચવું અને ત્યાંથી તુલસીશ્યામ માટે ઉપડતી બસમાં બેસી તુલસીશ્યામ પહોંચવું અને એ મુજબ તુલસીશ્યામથી અમદાવાદ પાછા આવવું. ઠે. : જીવન જાગૃતિ કેન્દ્ર, ઍડવર્ડ સિનેમાની સામે, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨. આ શિબિરમાં જોડાનાર ભાઈ - બહેનો માટે તુલસીશ્યામમાં રહેવા, ખાવા, પીવા તથા સુવા વગેરેને લગતી સર્વ પ્રકારની સગવડ હશે. આ સંબંધમાં વધારે માહિતી મેળવવા તથા શિબિરમાં જોડાવા ઈચ્છનારે નીચે જણાવેલ ઠેકાણે સંપર્ક સાધવા : વિષયસૂચિ રાષ્ટ્ર વ્યક્તિત્વની આસ્થા રાષ્ટ્રીય તેમજ આન્તરરાષ્ટ્રીય રાજકારણીય પરિસ્થિતિ શ્રી રમણલાલ સી. શાહ, ઍક્સિ : ટે. નં. ૩૫૮૪૫૧ ૩. નં. ૨૨૩૩૧ ધર : મહાપ્રસ્થાનના પથ પર–૪ ગુજરાત સાહિત્ય પરિષદ : ત્રેવીસમું અધિવેશન, સુરત વર્તમાન ભારત-અમેરિકી સંબંધો: એક સમીક્ષા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પરમાનંદ શ્રી પ્રબોધકુમાર સન્યાલ ભૂપેન્દ્ર ત્રિવેદી ચેસ્ટર બાલ્સ ૧૭૯ વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૮૧ પૃષ્ઠ ૧૮૩ ૧૮૫ ૧૮૩ ૧૯૦ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુ’—૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ Page #25 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૪ ← પ્રબ જીવન પ્રબુદ્ધ જૈન'તુ નવસસ્કરણુ વર્ષ ૨૭ : અક ૧૯ મુંબઈ, ફેબ્રુઆરી ૧, ૧૯૯૬, મગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા મહામના લાલબહાદુર શાસ્ત્રી : એક મૂલ્યાંકન "For a brief time in our nation's history, the meek inherited a large part of this small planet" “આપણા રાષ્ટ્રના ઈતિહાસમાં થોડી ઘડિ માટે, એક વિનમ્ર આદમીનું આ નાનાસરખા ગ્રહના મોટા ભાગ ઉપર શાસન પ્રવર્યું હતું. (તા. ૨૦-૧-૬૬ના રોજ એલ ઈન્ડિયા રેડિઓ મુંબઇ ઉપરથી પ્રસારિત કરવામાં આવેલ પ્રવચનના અનુવાદ.) , લોકશાહી તંત્રમાં રાજકારણ અવશ્ય અત્મ્યન્ત મહત્ત્વનુંજેની ઉપેક્ષા થઈ ન શકે એવું—તત્ત્વ છે; આ રાજકારણ આપણા ચાલુ જીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને તે પ્રજાના સ્થાયી રસના હંમેશા, વિષય રહ્યો છે. અને એમ છતાં આજ રાજકારણ અમુક અંશે આપણને અવનત બનાવે છે; સાલાભ, અધિકારતૃષ્ણા, અંગત હરીફાઈઓ અને મેલી ખટપટ- આવા માનવી પ્રકૃતિમાં રહેલાં હીણાં તત્ત્વો બહાર લાવવામાં રાજકારણ હંમેશા નિમિત્તભૂત્ત બનતું રહ્યું છે. શ્રી મુ`બઇ જૈન યુવક સૌંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા આમ છતાં પણ, સદ્ભાગ્યે, વખતો વખત અનેક દેશોમાં એવા માનવીઓ પાકતા જોવામાં આવે છે કે જેઓ પોતાનાં વચના અને વર્તન વડે જાહેર જીવનને ઊંચી કક્ષા ઉપર લઈ આવે છે અને સંસ્થાઓ અને સામુદાયિક પ્રવૃત્તિઓને નવા પ્રાણનૂતન અર્થમયતા-અપે છે. આવા એક માનવી લાલબહાદુર શાસ્ત્રી હતા. તેઓ નાની અને અતિ સામાન્ય શરૂઆતથી માંડીને દુનિયાની સૌથી મોટી લોકશાહીના માળખામાં રહેલા સર્વોચ્ચ અધિકારસ્થાન ઉપર પહોંચ્યા હતા. પણ કાશીની એક ઝુંપડીમાંથી નવી દિલ્હીમાં આવેલા નં. ૧૦ જનપથ સુધીનું તેમનું ઉર્વારોહણ જન્મના કોઈ અકસ્માતના કારણે અથવા તે વિશિષ્ટ કોટિની કોઈ કૌટુંબિક પ્રતિષ્ઠાના કારણે, અથવા તો કાવાદાવા કે મેલી ખટપટના પ્રતાપે બનવા પામ્યું નહાળું, પણ કેવળ પેાતાના ચારિત્ર્યબળના કારણે, સખ્ત પરિશ્રમને કારણે અને ધર્મશાસ્ત્રોની પ્રેરણા દ્રારા અને ગાંધીજી જેવા મહામાનવ સાથેના વર્ષોભરના સંપર્કના લીધે તેમનામાં જે પ્રકારની શિસ્તવૃત્તિ કેળવાઈ તે શિસ્તવૃત્તિના પરિણામે આમ બનવા પામ્યું હતું. શાસ્ત્રીજીએ રાષ્ટ્રીય આઝાદીના આન્દોલનમાં ભાગ લીધા હતા, કોંગ્રેસની હીલચાલના એક અગ્રગણ્ય નેતા બન્યા હતા, અને તે દિલ્હીમાં આવીને સ્થિર થયા તે પહેલાં સરકારી ક્ષેત્રની અંદર તેમ જ બહાર તેમણે અનેક અધિકારો અને સાસસ્થાનો ધારણ કર્યાં હતાં. પણ જો કે તેઓ કોઈ પણ જવાબદારીથી કદિ દૂર ભાગ્યા નહાતા, એમ છતાં પણ, તેમણે કદિ પણ કોઈ અધિકાર કે સત્તાસ્થાન પ્રાપ્ત કરવાની લાલસા ધરાવી હોય એમ બન્યાનું કદિ પણ જાણવામાં આવ્યું નથી. તેમણે સહજપણે જે જવાબદારી પોતાની સામે આવી તે સ્વીકારી હતી અને તે મુજબ પ્રાપ્ત થતી ફરજનું પાલન કર્યું હતું. તેઓ સંવેદનશીલ પ્રકૃતિના અને સહૃદય માનવી હતા અને નૈતિક જવાબદારી અંગે તેઓ તીવ્રપણે સભાન હતા. ૧૯૫૬ની સાલમાં જ્યારે આપણા દેશમાં રેલ્વેના અકસ્માતોની પરંપરા નિર્માણ થઈ હતી ત્યારે, જો કે ખરી રીતે આ ઘટના તેમની કોઈ સીધી જવાબદારી સાથે સંબંધ ધરાવતી નહોતી, એમ છતાં પણ, પોતાના હાદાનું તેમણે એકાએક રાજીનામું આપ્યું હતું. જ્યારે પણ માંગણી કરવામાં આવી ત્યારે પોતાના સ્થાન ઉપરથી તેઓ નિવૃત્ત થયા હતા અને જરૂર પડી ત્યારે કશી પણ ધાંધલ કે ધમાલ કર્યા સિવાય અધિકાર પર તેઓ પાછા ફર્યા હતા. ૧૯૬૪ના જાન્યુઆરી માસમાં ભુવનેશ્વર ખાતે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં, જ્યારે નહેરુની તબિયત એકાએક લથડી પડી હતી ત્યારે, શાસ્ત્રીજીએ કોંગ્રેસ અધિવેશનનું કુશળતા, ધીરજ તેમ જ ભારે દક્ષતાપૂર્વક સંચાલન કર્યું હતું. ત્યારે જ લોકોની સમજમાં આવી ગયું હતું કે નહેરુના વારસદાર શોધવામાં મુશ્કેલી નહિ પડે. જ્યારે નહેરુ વિદાય થયા ત્યારે તેમના જવાથી પેદા થયેલું ખાલીપણું શાસ્ત્રીજીએ એવી રીતે પુરી દીધું કે સત્તાપરિવર્તનને દેશના વહીવટને નાનાસરખા પણ આંચકો ન લાગ્યો. ભારતના સામાન્ય માનવીમાં જે શ્રેષ્ઠ તત્ત્વ રહેલું છે તે કોષ્ઠ તત્ત્વના તેઓ પ્રતિનિધિ હતા; તેઓ ખરેખર અસામાન્ય એવા એક સામાન્ય માનવી હતા. કશી પણ અતિશયોકિતના જોખમ વગર કહી શકાય કે પોતાના પક્ષ સાથે વાટાઘાટ કરીને અને જરૂર જણાતાં વિરોધપક્ષના અભિપ્રાયાની જાણકારી મેળવીને સમગ્ર અભિપ્રાયની તારવણી કરવાના પ્રયત્નો દ્વારા તેમણે કેટલીક રીતે આપણા દેશમાં લોકશાહીના ઊંડા પાયા નાંખ્યા હતા. જ્યારે પોલીટીશ્યન રાજકારણી નેતા—આગામી ચૂંટણીના જ વિચાર કરે છે ત્યારે સ્ટેટ્સમેન–રાજકીય સૂત્રધાર—આવતી પેઢીના વિચાર કરે છે. શાસ્ત્રીજી દેશનાં સામાન્ય સ્ત્રી - પુરુષોની જરૂરિયાતા, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, અને હાડમારીઓ—જેથી તેઓ પોતે સારી રીતે વાફેક હતા—આ બધાના વિચાર કરતા હતા; તે વિષે પૂરી ચિંતા ધરાવતા હતા. જ્યારે છેલ્લા ઑગસ્ટ–સપ્ટેમ્બર માસ દરમિયાન દેશ ઉપર લડાઈ લાદવામાં આવી ત્યારે શાસ્ત્રીજીએ જરા પણ ખચકાયા સિવાય અને તેમના પ્રશંસકો પણ આશ્ચર્યચકિત બની જાય એવી નિશ્ચળતાપૂર્વક તેમણે લડાઈનું સંચાલન કર્યું હતું. જે લોકો ૧૯૬૨ ની આખર દરમિયાન ચીની હુમલાના પ્રસંગે મળેલા પરાજ્યના કારણે હતાશ બન્યા હતા તેમના દિલમાં પાકિસ્તાન સાથેના કમનસીબ સંઘર્ષ દરમિયાન શાસ્ત્રીજીની નેતાગીરીએ અને દારવણીએ નવા આત્મવિશ્વાસ પેદા કર્યો હતો. આ બધું છતાં શાસ્ત્રીજી લડાયક વૃત્તિના કોઈ ભાગ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર પ્રબુદ્ધ જીવન તા. ૧-૨-૬૬ પરમાનંદ બને તેમ હતું નહિ તેમ જ અંગત ફાયદા માટે આ દુશ્મનાવટભરી પ્રવૃત્તિને લાભ ઉઠાવવાની ઈચ્છા સેવે એ પણ તેમના વિશે શકય હતું નહિ.. પાકિસ્તાન સાથેને આ સંઘર્ષ ભારત ઉપર લાદવામાં આવ્યા છે અને આક્રમણને સામને કરો એટલે જ માત્ર સીમિત હેતુ આ સંઘર્ષને છે અને આખરે તે, ભારતને પિતાના પડેટશી સાથે શાંતિપૂર્વક રહેવાનું જ છે–આ હકીકત ઉપર તેઓ સતત ભાર મૂકતા રહ્યા હતા. સાંકડી દષ્ટિથી પ્રેરાયેલી ટીકાટીપ્પણીની સામે થઈને પણ, કચ્છ અંગે થયેલી સમાધાનીને વળગી રહેવાની તેમણે નૈતિક હિંમત દાખવી હતી; અને ઈન્ડસ બેઝીન–સિધુ નદીના પાણીને લગતા કોલકરારને તેઓ એટલી જ મક્કમતાપૂર્વક વળગી રહ્યા હતા. સુલેહ- શાંતિ પુન: પ્રસ્થાપિત કરવાના સર્વ કોઈ સ્વમાનભર્યા માર્ગો ટુંઢવા તેઓ પ્રયત્નશીલ રહ્યા હતા, જેનું તાશ્કેદનું જાહેરનામું આબાદ સાક્ષી- , રૂપ છે. “ The last of life for which the first was made.” જે હેતુ માટે તેમણે જન્મ લીધો હતો તે હેતુની અંતિમ પરિપૂતિ–આવી એક કવિની ઉકિત તેમના વિષયમાં સંપૂર્ણપણે સાચી પૂરવાર થઈ હતી. શાસ્ત્રીજી પિતાના અંગત સંબંધમાં વિનમ્ર હતા અને પૂરી ધીરજવાળા હતા. તેઓ ભારતના મહા અમાત્ય બન્યા ત્યાર બાદ તેમને મારે બે વાર મળવાનું બનેલું. આ અંગે મારા મન ઉપર એવી છાપ પડી હતી કે આપણે જે કાંઈ કહેવા માગતા હોઈએ તેને તેઓ પૂરી ધીરજ અને ધ્યાનપૂર્વક સાંભળતા હતા અને આપણા મુદ્દા અંગે પિતે બંધાઈ જાય એવો ઉત્તર તે સ્વાભાવિક રીતે ન આપે અથવા તે તે અંગે પોતાના વિચારો મુકતપણે આપણને ન જણાવે તે પણ, પિતાના દષ્ટિકોણથી જુદા પડતા દષ્ટિકોણની તેઓ પૂરી કદર કરતા હતા અને નવા વિચારો અને ખ્યાલોને તેઓ પૂરી આદર કરતા હતા. મને યાદ છે કે તેમણે આપણને મળવા માટે આપેલા સમયથી ત્રણ કે ચાર મિનિટ પણ મોડું થયું હોય તે પણ તે માટે તેઓ દિલગીરી દર્શાવતા હતા અને ક્ષમા માગતા હતા, જ્યારે છેલ્લી ઘડીએ આપેલી એપેઈન્ટમેન્ટ (મળવાને સંકેતો રદ કરવામાં અથવા તો લોકોના ટોળાને એક કે બે કલાક ખાટી કરવામાં પોતે કશું જ ખોટું કરતા નથી એવા આપણા આગેવાન રાજકારણી પુર ની વાત સાવ જુદી જ છે. શાસ્ત્રીજીની સાદાઈ સાચા દિલની હતી. એમાં કોઈ દેખાવ કરવાની વૃત્તિ નહોતી. તેમની નમ્રતા મુગ્ધ બનાવે તેવી હતી, તેમની અંતરનિષ્ટ પારદર્શક હતી. જેમ જેમ તેમને અનુભવ વધતો ગયે અને એક પછી એક કટોકરીને તેઓ સામનો કરતા ગયા, તેમ તેમ તેમને વિશ્વાસ અને અંતરગત તાકાત વધતાં ગયાં જેનું, જો તેઓ વધુ જીવ્યા હોત તે, દેશ માટે પારવિનાનું મૂલ્ય હતું. કમનસીબે, તેમને મળેલા મહાન નૈતિક વિજયની સર્વોત્કૃષ્ટ ઘડિએ આપણી વચ્ચેથી તેઓ એકાએક હંમેશને માટે વિદાય થઈ બેટા ! મૃત્યુ સૌ કોઈને સરખા બનાવે છે, પણ એ જ મૃત્યુ મહાન માનવીની મહત્તાને કાંઈ જુદી જ આભા અર્પે છે. જે સંદર્ભમાં શાસ્ત્રીજીનું મૃત્યુ નીપજ્યું એ સંદર્ભે શાસ્ત્રીજીને દુનિયાની નજરમાં મહામાનવ બનાવી દીધા છે. પિતાના ૧૮ મહિને નાના રાજકીય સૂત્રધારણ દરમિયાન શાસ્ત્રીજીએ રાષ્ટ્રની પાયાની એકતા, અને ધૃતિપૂર્ણ તાકાતને પ્રતિબિંબિત કરી છે. જેટલી શાંતિપૂર્વક જીવવાની ઈરછા છે એટલે જ પ્રબળ પોતાને મળેલી સ્વતંત્રતા ટકાવી રાખવાનો નિશ્ચય છે–એવી પ્રજાસમુદાયની–રાષ્ટ્રની – ઈચ્છા અને નિશ્ચયમયતાને શાસ્ત્રીજીએ મૂર્તરૂપ આપ્યું છે. બાઈબલની પરિભાષામાં કહું તો For a brief time in our nation's history, the week inherited a large part of this small planet :' આપણા રાષ્ટ્રના લાંબા ઈતિહાસમાં થોડી ઘડિ માટે, આ ના નાસરખા ગ્રહના એક મોટા ફલક ઉપર ઈશ્વરને પ્યારા એવા એક વિનમ્ર આદમીનું શાસન પ્રવર્યું હતું. અનુવાદક: મૂળ અંગ્રેજી: - શ્રી ગગનવિહારી લ. મહેતા - પૂરક નોંધ: લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થયે આજે લગભગ ૨૦ દિવસ થવા આવ્યા એમ છતાં તેમના અવસાન અંગેની આપણા દિલની વેદના હજ જરા પણ શમી નથી. જેમ જેમ તેમને વિચાર કરીએ છીએ, તેમના વિશે વધારે સાંભળીએ છીએ, જાણવા પામીએ છીએ તેમ તેમ તેના વિષેને આપણે આદર વધતું જાય છે, તેમની મહત્તા વિશેને આપણે આંક ઊંચે ચઢતે જાય છે, સામાન્ય દેખાતો આદમી શું આટલો બધો અસામાન્ય હતો એવું કૌતુક અને કુતૂહલ આપણાં ચિત્તને ઘેરી વળે છે. એમાં પણ જ્યારે આપણને ખબર પડે છે કે તેમના અવસાન સમયે તેમની પાસે કોઈ બેકબેલેન્સ નહોતી–કોઈ મૂડી નહોતી – ત્યારે આપણા આશ્ચર્યને કોઈ પાર રહેતા નથી, અને આપણું મસ્તક તેમના ચરણમાં સહજભાવે નમી પડે છે. કોઈ પણ દેશને મહાઅમાત્ય અને તે પણ આવી પાટ ઉમરે ગુજરી જાય ત્યારે તેની પાસે મૂડીમાં કશું જ ન હોય – આવો બીજો દાખલો ઈતિહાસમાં મળવા મુશ્કેલ છે. આવા અપરિગ્રહ ભાગ્યે જ અન્યત્ર જોવા, જાણવા કે સાંભળવા મળે તેમ છે. - અલબત્ત, જૈન સાધુએ પરિગ્રહી હોવાનો દાવો કરી શકે તેમ છે, પણ તેઓ સંસારથી નિવૃત્ત છે, અકર્મક છે, અને ભિક્ષેપજીવી છે. શાસ્ત્રી પ્રવૃત્ત હતા, કર્મયોગને વરેલા હતા, સકર્મક હતા અને સ્વાવ- . લંબી હતા. ચેતરફ ભાગ વૈભવથી વીંટળાયેલા અને પારવિનાની સત્તાના ધારક અને એમ છતાં આવો અપરિગ્રહી-આવે અનાસકત માનવી દુનિયામાં ભાગ્યે જ પાકે છે. તેનું ખરું મૂલ્ય, શ્રી ગગનવિહારી મહેતા કહે છે તેમ, તેના મૃત્યુ બાદ જ જગતના જાણવામાં આવ્યું છે. આવી એક વ્યકિતની મહત્તાના અનુમાપક બે ત્રણ નાના છતાં રહસ્યપૂર્ણ પ્રસંગે નીચે રજૂ કરતાં ઊંડી પ્રસન્નતા અનુભવું છું. પરમાનંદ શાસ્ત્રીજી અને રામનાથ લાલબહાદુર શાસ્ત્રીને રામનાથ નામને એક નોકર હતો. તે શાસ્ત્રીજીની છેલ્લાં ૪૫ વર્ષથી નોકરી કરતો હતો. શાસ્ત્રીજી પોતાના બધા પ્રવાસમાં તેને સાથે રાખતા હતા અને મોટા ભાગે તે તેમની રસોઈ કરતા હતા અને સારસંભાળ પણ લેતે હતે. તાશ્કેદની યાત્રા પ્રસંગે પણ રામનાથ શાસ્ત્રીજીની સાથે હતે. તાશ્કેદ રામનાથ ગયા સાથે અને પાછા આવ્યા એકલે. શાસ્ત્રીજીની અંતિમ યાત્રા નીકળી ત્યારે તે બેહોશ થઈ ગયું હતું. શાસ્ત્રીજી સાથે રામનાથને સંબંધ શેઠ નોકરને નહિ પણ અમુક અંશે બાપ - દીકરા જે હતે. આ બાબતનો પત્તો લાગતાં જન્મભૂમિને પ્રતિનિધિ લાલબહાદુર શાસ્ત્રીના નિવાસસ્થાને ગયો અને આ રામનાથને મળ્યો. તેની સાથે વાત કરતાં રામનાથે આંસુભરી આંખેએ શાસ્ત્રી સાથેના સંબંધને જે રીતે વર્ણવ્યો તે તેના જ શબ્દોમાં નીચે મુજબ હતો: “મારી બા ભગવાનને ઘેર ગઈ ત્યારે હું તો એક વર્ષના હતા, હું અને મારી બહેન એમ અમને બંનેને અહીં આ કુટુંબમાં આધાર મળી ગયું. મને બાબુજીની રસોઈ કરવાનું કામ સોંપાયું અને એમની બીજી તજવીજ સાચવવાનું પણ સોંપાયું. બાબુજી મને પોતાના દીકરા જેવા જ સમજતા. આટલું કહેતાં કહેતાં રામનાથને અવાજ ગળગળે બની ગયો. મેં એને પૂછ્યું:“તે ભાઈ રામનાથ, શાસ્ત્રીજીની કઈ વસ્તુ તને ખૂબ જ ગમી ગઈ હતી?” મારો સવાલ સાંભળી રામનાથ બે ક્ષણ ... વિચારના રૂપમાં ઊતરી ગયે... પણ તુરત જ બહાર આવ્યું: “બાબુજીની એવી તે કઈ વસ્તુ નહોતી જે મને પ્રિય ન હોય ! એ હા, કેવા માયાળુ હતા એ! ન કોઈ દિવસ એ એ ગુસ્સે થાય. તમને કહું, હમણાં થોડા દિવસ પર અમે અલાહાબાદ Page #27 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૨-૬૬ પ્રબુદ્ધ જીવન + ૧૯૩ ગયેલા. ત્યારે હું એમના સામાનમાં એમની સ્વચ્છ ધોયેલી ટેપી વિમાનમથકે લઈ જવાનું ભૂલી ગયેલ. બાબુજી તે એવા કે ટોપી પહેર્યા વિના એ કદી બહાર ન નીકળે. વિમાનમથકેથી હું સીધે જ ઘેર દેડ. અને ટોપી લઈને પાછા ફર્યો તેમાં એક કલાક નીકળી ગયો. એક કલાક વિમાન ખાટી થયું. પણ બાબુજી જેનું નામ, એ જરા યે ગુસ્સે ન થયા અને મને કશો ઠપકેએ ન આપે. હું ટેપી લઈને વિમાનઘરે પહોંચ્યો ત્યારે બાબુજી તે હસતા હતા. અને બીજી વાત કરું.” રામનાથ હવે બાબુજીમય થઈ ગયે હતે. બાબુજીને પોતાના ગુરુ માટે અનહદ માન. મારી સાથે બાબુજી ઘણી વાતો કરતા. થોડાંક વર્ષ પહેલાં એમના ગુરુ ગુજરી ગયા ત્યારે બાબુજી ગુરુને ગામ ગયા હતા. અને ત્યાં ઘણાં દિવસ રહ્યા હતા. શાસ્ત્રીજીના જીવનના આખરી દિવસનું રામનાથે વર્ણન કર્યું તે પણ જાણવા મળે છે. એણે કહ્યું: “પરોઢિયું થયું ત્યારે વાતાવરણ સ્વચ્છ હતું. એવી કિંઈ ઠંડી ન હતી. બાબુજી સૂતા હતા. આમ તે રોજ વહેલા ઊઠવાને એમને નિયમ છે, પણ તે દિવસે તેઓ સવારે નવ વાગ્યા સુધી સૂઈ રહ્યા. મને અચરજ થયું. પણ કામે ય કેવું સતત કર્યે રાખેલું એટલે થાકેય લાગે જ ને! ઊઠયા પછી બાબુજી પાછા કામમાં પરોવાઈ ગયા. અને સાંજે મને કહ્યું:“રામનાથ તારે મારી સાથે પાર્ટીમાં આવવાનું જ છે.” હું પાટીમાં ગયો તે ખરો પણ વહેલો ઘેર આવી ગયો. બાબુજીએ ઘેર આવ્યા પછી મને કહ્યું : “રામનાથ ચાલ તો જરા બટેટાનું શાક બનાવી નાખ.” થોડુંક જમ્યા ત્યારે રાત્રિના બાર વાગેલા. મને કહ્યું : “અલ્યા જો બાર વાગી ગયા, બત્તી બૂઝાવી નાખ, હમણાં કંઈ સામાન બાંધો નથી. પણ જો આવતી કાલે મારે વિમાનમાં જવાનું છે તે મારો ઊનને ધાબળે લેવાનું ભૂલીશ નહિ.” આમ કહીને બાબુજી સૂઈ ગયા, ઊંઘી યે ગયા. એક કલાક રહીને હું જાગી ઊઠયો અને ખાંડની બહાર જઈને જોયું તે બાબુજી શર્માજીના ખોળામાં સૂતેલા હતા. પછી શું થયું તે મને ખ્યાલ નથી.” આટલું બોલ્યા પછી રામનાથ વિશેષ બલવા જતું હતું પણ ત્યાં વાણી કંઠમાં અટકી ગઈ હતી. પણ રામનાથની આંખ ઘણું ઘણું કહેતી હતી. શાસ્ત્રીજી અને ટાંગાવાળે પિતાની આખી જિંદગી દરમિયાન શાસ્ત્રીજી બે વાર ગુસ્સે થયાનું – મીજાજ ગુમાવ્યાનું–જણાવવામાં આવે છે. એક વાર, વર્ષો પહેલાં, અલાહબાદમાં એક ટાંગાવાળાએ તેમને છેતરીને બહુ લાંબા રસ્તા ઉપર ફેરવીને સૂચિત સ્થાને પહોંચાડયા હતા અને આને લીધે તેઓ જે સમયે જેમને મળવા ઈચ્છતા હતા તેમાં ઠીક ઠીક મોડું થયું હતું. આથી શાસ્ત્રીજી ખૂબ ખીજાઈ ગયા અને આવી છેતરપીંડી કરવા માટે ટાંગાવાળાને તેમણે પૂબ ધમકાવ્યો અને પછી તે અંગે ખૂબ પસ્તાવ અનુભવતા હોય અને પોતાને મીજાજ ગુમાવવા બદલ પ્રાયશ્ચિત કરતા હોય તેમ શાસ્ત્રીજીએ ટાંગાવાળાને તેની સાથે આઠ આના ભાડું નક્કી કરેલું તેના બદલે એક રૂપિયા આપ્યો. શાસ્ત્રી અને તેમને બાળ-હરિ ગુસ્સે થવાને બીજો પ્રસંગ આ મુજબ હતું. તેમના મોટા દીરા હરિએ, તે બહુ નાનો હતો ત્યારે, કાંઈ અટકચાળું કરેલું, અને શાસ્ત્રીજી આ કારણે તેના ઉપર ખૂબ ખીજાયા. એક સેટી લઈને હરિને મારવા માટે તેની પાછળ પડ્યા અને સેટીના મારથી બચવું હોય તે બાથરૂમમાં સંતાઈ જવાનું પણ બૂમ પાડીને શાસ્ત્રીજી કહેતા રહ્યા. છે શાસ્ત્રીજી વિશે શ્રી. ડી. આર. માંડેકર ન જાણીતા પત્રકાર શ્રી ડી. આર. માંડેકરે તા. ૧૬-૧-૧૯૬૫ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં સ્વ. લાલબહાદુર શાસ્ત્રીને અંજલિ આપતી એક વિસ્તૃત સ્મરણનેધ લખી છે. તેના અંત ભાગમાં શાસ્ત્રીજી વિષે ઘેરું દર્દભર્યું અંત:સંવેદન રજૂ કરતાં તેઓ નીચે મુજબ જણાવે છે: “મને અંગત રીતે, આપણને આરપાર નીરખતાં તે મૃદુ નયને, એ મીઠો મધુર અવાજ જે સાંભળતાં આપણે એક પ્રકારની સ્વસ્થતા અનુભવતા હતા અને આપણાથી કોઈ ચડિયાતી વ્યકિતની નહિ પણ સમકક્ષાના બંધુની પ્રતીતિ થતી હતી, પણ જેમાં, રાજકારણના ક્ષેત્રે આગેવાન લેખાતી મોટી મોટી વ્યકિતઓમાં જે મૂટિને આપણને આજે ચાલુ અનુભવ થાય છે તેવી કોઈ અહંતા, આત્માભિમાન કે વિચિત્રતાઓને લેશ માત્ર અનુભવ થતે નહોતે એવા એ કર્ણમધુર અવાજની અને દર્શનમધુર નયનેની તીવ્રપણે ખાટ સાલે છે. છેલ્લાં ત્રીશ વર્ષના ગાળા દરમિયાન જાહેર જીવનમાં આગળ આવેલી એવી અનેક વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું મારા ભાગે આવ્યું છે. આ વૈવિધ્યભર્યા અનુભવોમાં શાસ્ત્રીજી સૌથી વધારે માનવતાથી ભરેલા વ્યકિતવિશેષ હતા. દુ:ખ સાથે કહેવું પડે છે કે નવી દિલ્હીમાં કે અન્યત્ર આપમને શાસ્ત્રીજીની સભ્યતા ફરીથી જેવા કે અનુભવવા નહિ મળે. કાર કે શાસ્ત્રીજીને સરજીને ઈશ્વરે જાણે કે એ મેલ્ડ - એ ઢાળ-ભાંગી નાંખે છે. એમની જોડ બીજી કઈ છે જ નહિ.” “ખુદા હાફિઝ” તા. ૧૦ મી જાન્યુઆરીના રોજ તાશ્કેદ મંત્રણા પૂરી થયા બાદ પ્રમુખ અયુબખાન અને વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ એક બીજાની વિદાય ભારે પ્રેમભરી રીતે લીધી હતી. સોવિયેટ વડા પ્રધાને કોસિજીને યોજેલા ભોજન સમારંભ પછી એક બીજાની વિદાય લેતી વેળાએ પ્રમુખ અટ્યુબખાને કહ્યું : “ખુદા હાફિઝ” (ખુદાને આપને સાથ હે !) શ્રી શાસ્ત્રીએ આના જવાબમાં જણાવ્યું. “ખુદા હાફિઝ” (ઈશ્વરને આપને સાથ હો !) શ્રી શાસ્ત્રીએ વધુમાં કહ્યું : “અચ્છા હી હો ગયા!” અયુબખાને જવાબ આપ્યો. ખુદા અચ્છા હી કરેગા!” આવા હતા આપણા લાલબહાદુર શાસ્ત્રી ! પરમાનંદ દશ મુદ્દાની ઐતિહાસિક તાશ્કેદ જાહેરાત સોવિયેટ રશિયાના વડા પ્રધાન કોસિજીનની દરમિયાનગિરી નીચે તાદ ખાતે તા. ૪ જાન્યુઆરીથી તા. ૧૦ જાન્યુઆરી સુધીની સતત વાટાઘાટોના પરિણામે ભારતના મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રીની અને પાકિસ્તાનનાં પ્રમુખ જનરલ અયુબખાન વચ્ચે જે દશ મુદ્દાની સમજૂતી થઈ તે દશ મુદ્દાઓ, અત્યંત મહત્વના હોઈને તેમ જ તેને હવે પછીની મંત્રણાઓમાં અવારનવાર ઉલ્લેખ થવાની શકયતા હોઈને, તેની પૂર્વભૂમિકા સાથે, નીચે આપવામાં આવે છે: “વડા પ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને પ્રમુખ અમ્યુબખાન વચ્ચે જે તાન્કંદ જાહેરનામાં પર સહીઓ થઈ હતી, એ જાહેરનામું અક્ષરસ: આ પ્રમાણે છે: ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના પ્રમુખ તાકંદ ખાતે મળ્યા હતા અને આ દરમિયાન એમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન સંબંધો વિશે ચર્ચા કરી હતી. આ બાદ બન્ને પિતાના એવા દઢ નિરધારની જાહેરાત કરે છે કે તેઓ એમના બંને દેશ વચ્ચે મૈત્રીભર્યા અને સમજદારીપૂર્ણ સંબંધો વિકસાવશે. આ રીતના સંબંધો વિકસાવવાના ધ્યેયને તેઓ ભારત અને પાકિસ્તાનના ૬૦ કરોડ લોકોના ભલાને માટે અત્યંત મહત્ત્વનું ગણે છે. (૧) ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના પ્રમુખ એ બાબતમાં સંમત થાય છે કે બંને દેશે સંયુક્ત રાષ્ટ્રસંસ્થાના ખતપત્ર અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા પડોશી તરીકેના સંબંધો વિક્સાવવા સર્વ પ્રયાસ કરશે. તેઓ ખતપત્ર મુજબ બળનો આશ્રય' , Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪. પ્રબુદ્ધ જીવન તા. ૧-૨-૬૬ નહિ લેવાનું અને પોતાની વચ્ચેના સઘળા પ્રશ્ન શાંતિમય રીતે ઉકે મહાપ્રસ્થાનના પથ પર-૫ લવાની પિતાની જવાબદારીનું પુન: ઉચ્ચારણ કરે છે. એમને લાગે છે કે એમના પ્રદેશમાં શાંતિના હિતો અને ખાસ વહેલી સવારે ઊંઘ ઊડી ગઈ. શરીર થાક અને ખેદથી કળતું કરીને ભારત અને પાકિસ્તાનના ઉપખંડ તેમ જ ભારત અને પાકિ- હતું. માથું ઊંચું કરવાની પણ ઈચ્છા નહોતી, ગરદનમાં દુ:ખાવો સ્તાનના લોકોનાં હિતની, બંને દેશો વચ્ચે તંગદિલી ચાલુ રહે તે, થત હતો. ખભા, પીઠ, કમર બધું દુ:ખતું હતું, ને પગની દશા જરાય જાળવણી થતી નથી. આ પૂર્વ ભૂમિકામાં જમ્મુ અને કાશ્મીરની જોઈને તે આંખમાં પાણી આવ્યાં. એને બિચારાને કેટલા હેરાન ચર્ચા થઈ હતી અને આ વિશે બંને પક્ષે પોતપોતાનાં વલણે રજૂ કરું છું. પ્રભુભકત બન્ને પગ દુ:ખ સહન કરતા હતા, જરા કર્યો હતો. જેટલે ય વિરોધ કરતા નહતાં. (૨) ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના પ્રમુખ એ ઊઠીને બેઠો થશે. શરીર અકડાઈ ગયું હતું. જાણે શરીર પર બાબતમાં સંમત થયા હતા કે બંને દેશોના સશસ્ત્ર માણસને ૧૯૬૬ની કોઈએ લાઠીમાર માર્યો હોય એમ લાગતું હતું. આજે બધા કરતાં ૨૫ મી ફેબ્રુઆરી સુધીમાં, તેઓ ૧૯૬૫ ની પાંચમી ઑગસ્ટે જ્યાં મેટામાં મોટો આનંદ એ હતો કે ચાલવાનું નહોતું. અહીં હોય ત્યાં, ખસેડી લેવામાં આવશે અને બંને પક્ષો યુદ્ધવિરામ હરોળ જો નિયમિત રીતે ખાવાનું અને કપડાં મળી રહેતાં હોય તે પછી પર યુદ્ધવિરામની શરતનું પાલન કરશે. સ્વર્ગમાં પણ જવાની મારી ઈચ્છા નહોતી. (૩) ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના પ્રમુખ એ પૃથ્વીમાં જે માણસ બધાથી સુખી હોય એવી આપણી ધારણા બાબતમાં પણ સંમત થાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ એકબીજાની આંતરિક બાબતમાં દરમિયાનગિરી નહિ કર હોય છે, તો પણ જયારે મળે ત્યારે એના આત્માને શાંતિ મળે વાના સિદ્ધાંત પર આધારિત હશે. એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. મનુષ્ય આમ તો પૃથ્વીમાં (૪) ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના પ્રમુખ એ અંગે જન્મ ધારણ કરીને દુઃખી થાય છે, એવી આપણી ધારણા છે. સંમત થયા હતા કે બંને પક્ષો એકબીજા દેશ સામે થતા વિરોધી અહીં એને શાન્તિ નથી, એ વાતને જાતે અનુભવ કરે છે. એટલે પ્રચારને ઉત્તેજન નહિ આપે, એટલું જ નહિ પણ, બંને દેશો વચ્ચે તે એ દેવદેવતાની દુનિયા, સ્વર્ગની ભાવના, પરલોકમાં શાતિની મૈત્રીભર્યા સંબંધો વિકસે એ પ્રકારના પ્રચારને ઉત્તેજન આપશે. ભાવના વગેરેની એ કલ્પના કરે છે. કલા, સાહિત્ય, સંસ્કૃતિ, (૫) ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના પ્રમુખ એ બાબ સભ્યતા, એ બધું હોવા છતાં માણસની દષ્ટિ ઉર્ધ્વગામી હોય છે. તમાં સંમત થયા હતા કે પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈકમિશનર અને ભારત ખાતેના પાકિસ્તાની હાઈકમિશનર એમના હોદ્દાઓ પર ગંભીરતામાં એ શાંત્વનાની વાણી શોધે છે, આશાને આશરો ખોળે પાછા ફરશે અને બંને દેશનાં રાજદ્વારી એલચી ખાતાઓ પૂર્વવત છે. જીવનના અન્તની પાછળ પણ એ દૂરદૂરની વેદનાને હમેશાં કામકાજ કરતાં થશે. રાજદ્વારી વિનિમય માટે બંને દેશે ૧૯૬૧ ના અનુભવ કરે છે. જીનિવાના કરારનું પાલન કરશે. નિર્મળ તડકાથી ચારેબાજુ છવાઈ ગઈ છે, મધુર પવન વાય (૬) ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના પ્રમુખ બંને છે. આકાશ કોમળ, ભૂરું હતું, કયાંક કયાંક સફેદ વાદળાં આકાશમાં દેશે વચ્ચેના આર્થિક અને વેપારી સંબંધો તેમ જ સાંસ્કૃતિક વિનિ આમતેમ આંટા મારતાં હતાં. તેમાનાં કોઈ કોઈ પર્વતશિખરને મયની પુન: શરૂઆત કરવાનાં પગલાં વિચારવા તેમ જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની અત્યારની સમજૂતીએના અમલ માટે પગલાં લેવા સ્પર્શ કરતાં હતાં. એ પર્વતશિખરોએ ઘેરા લીલા રંગનું અરણ્યસંમત થયા છે. રૂપી ઉત્તરીય પહેર્યું હતું. પવનને લીધે એ ઉત્તરીય આકુળ હોય (૭) યુદ્ધકેદીઓની ફેરબદલી માટે પિોતપોતાના સત્તાવાળા તેમ હાલતું હતું. અને સૂચનાઓ આપવા ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના ગંગા ને અલકનંદાના સંગમમાં પાપીઓનું દલ શ્રાદ્ધ અને પ્રમુખ સંમત થયા છે. તર્પણ કરવા બેસી ગયું હતું. ગોપાલદા, બ્રહ્મચારી તથા પ્રેસા(૮) નિર્વાસિત, સ્થળાંતરિત અને ગેરકાયદેસર રીતે ઘૂસી ડોસીનું ટેળું માથું મુંડાવવા બેસી ગયું હતું. પંડાઓએ મંત્ર ભણાવ્યા, આવેલાઓને લગતા પ્રશ્નોની વિચારણા બન્ને પક્ષે ચાલુ રાખવા પિતૃલોકમાંથી પુરુષોએ આવીને ભકત એવાં વંશજોના હાથમાટે ભારતીય વડા પ્રધાન શ્રી શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ શ્રી અયુબખાન સંમત થયા છે અને લોકોની હિજરત અટકી જાય તેવી માંથી લોટના ગાળા ખાઈને સંતોષ પામીને ફરી પ્રસ્થાન કર્યું. પરિસ્થિતિ બન્ને પક્ષે ઊભી કરવા માટે પણ તેઓ સહમત થાય છે. બધા પ્રયોગોમાં શ્રાદ્ધ ને પિંડદાન કરવું એ શાસ્ત્રને આદેશ સંઘર્ષ સાથે સંકળાયેલી હોય તેવી કબજે લેવામાં આવેલી મિલકતો છે, અને આ તે શાસ્ત્રની જ ભૂમિ. અને અસકયામતો એકબીજાને પાછી આપવા સંબંધમાં ચર્ચા - વિચા દિવસ મજાને લાગતો હતો. આટલી હેરાનગતિ, આટલો થાક રણા કરવા માટે પણ તેઓ સંમત થાય છે. હોવા છતાં આવી સુંદર સવારની રેખાએ રેખાને હું ઉપગ * ) બંને દેશોને સીધી રીતે સ્પર્શતી બાબતે સંબંધમાં સહુથી ઉચ્ચ કક્ષાએ તથા ઈતર કક્ષાએ બન્ને પક્ષે ચર્ચા - વિચારણા કરતે હો, પાસે જ નદીની પેલી પાર કાઠમલ્લિકાનું ઝાડ પવ-. કરવા અને તે ચાલુ રાખવા માટે પણ તેઓ સંમત થાય છે અને હવે નથી ઝોલા ખાતું હતું. નદી ઘણી નીચે હતી, શરીરપર પવનની પછી વધુ કયાં અને કેવાં પગલાં લેવાં તે સંબંધમાં બંને દેશને ભલા- લહરી અનુભવતે હું અલકનંદાના પૂલપર ફરતો હતો. મનમાં મણ કરવા માટે ભારત અને પાકસ્તિાનની બનેલી સંયુકત સંસ્થા ને મનમાં ગીત ગૂંજતો હતો. “કેવળ અકારણ પુલકિત થઈ જાઉં ઊભી કરવાની જરૂરિયાતને બંને પક્ષ સ્વીકાર કરે છે. છે. આ દિવસના ક્ષણજીવી તેજમાં, હે પ્રાણ, ક્ષણિક ગાન ગાઈ લે.” " (૧૦) ભારતના વડા પ્રધાન અને પાકિસ્તાનના પ્રમુખ સેવિયેટ સંઘના નેતાઓ પ્રત્યે અને સોવિયેટ સંધના વડા આ કવિતાને જે વ્યંગ્યાર્થ હતા, તે જ દરેક દિશામાં ધ્વનિત પ્રધાન તથા અન્ય પ્રધાન પ્રત્યે, તેમણે આ મંત્રણાઓ થતા મેં અનુભવ્યો. સવારનું આ ચિત્ર જાણે કોઈ, કલાકારે પિતાના જવા માટે મૈત્રી - સહકારની સક્રિય ભાવનાથી પ્રેરાઈને જે સમસ્ત જીવનની સાધનાથી અંકિત કર્યું હતું. મારું સમસ્ત મન કાર્ય કર્યું છે તે માટે ઊંડી આભારની લાગણી વ્યકત કરી છે. ઉઝબે- ' આ ચિત્રના પટમાં પૂર્ણતૃપ્તિની તંદ્રા અનુભવતું હતું. કિસ્તાનની સરકાર તથા પ્રજાએ બતાવેલી ઉદાર આતિથ્થભાવના માટે તેને ઊંડા અંત:કરણપૂર્વક આભાર માને છે અને તેઓ સોવિયેટ સંઘના ઘણી વાર થઈ ગઈ હતી. રસોઈની તૈયારી કરીને અલકનંદામાં વડા પ્રધાનને આ જાહેરનામાના સાક્ષી બનવા માટે આમંત્રણ આપે છે.” સ્નાન કરી આવ્યું. બ્રહ્મચારીને આજે રામચન્દ્રને પ્રસાદ લેવાને ભારતના વડા પ્રધાન: શ્રી લાલબહાદુર શાસ્ત્રી. હતો. એ આજે મારી જોડે જમવાને નહોતે, એ મંદિરે ગયો પાકિસ્તાનના પ્રમુખ : શ્રી મહમદ અટ્યુબખાન. હતો. હું રસોઈ કરવાની તૈયારીમાં બેઠો હતો. એવામાં ગેપાલદાએ * તાકંદ, તા. ૧૦-૧-૧૯૬૬, કહ્યું, “નોટના છૂટા ન મળી શકયા, ચારેક આનાના પૈસા આપો Page #29 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૨-૯ પ્રબુદ્ધ જીવન :૧૫ મદભરવાડ મીમલી પાનું વર = તે દાદા! દુકાનદારને હિસાબ પતાવી દઉં, પાછા આપી દઈશ.” નહોતે, આકાશ આખું વિષમય બની ગયું હતું. સમગ્ર કુદરત - લાકડાના ચૂલામાં ફૂંક મારી મારીને આંખમાં આગ બળતી જાણે વિષમય બની ગઈ હતી. હું સન્યાસી નથી, મારો ભગવાનમાં હતી. આંખમાંથી પાણી પડતું હતું. મેં કહ્યું “જરા ઊભા રહે પૂર્ણ વિશ્વાસ નહોતો. બાબા બદરીનાથની દયાની આશાથી મેં આપું છું.” કાંઈ આ યાત્રા માટે તૈયારી કરી નહોતી, દેવેની ઉપર મને જરા રૂમાલ બાંધેલા પૈસા ટૂંકમાં જ રહેતા હતા, ને દિનરાત મારી જેટલો પણ વિશ્વાસ નહોતે; મને ભૂખ તરસ હતાં, મારું જીવન સાથેસાથે જ ફરતા હતા. પૈસા બહાર કાઢવા જતાં મેં જોયું અને બધા કરતાં વધારે વહાલું હતું. દારિદ્રયથી, દુ:ખથી, હતાશાથી ટૂંક ખાલી હતી. રૂમાલની તે કોઈ નિશાની જ નહોતી એનો અર્થ મને વેદના થતી હતી. બધું ગુમાયાથી હું આફતમાં આવી પડી શું? ચારે બાજુ જોયું અને મારા મેઢાંની શક્લ એક મિનિટમાં હતે. ગ્રહની દુર્દશાને લીધે, દેવોને શાપ લાગવાને લીધે, મારી બદલાઈ ગઈ. ઊઠીને ઝાળીને ઝાટકીને જોયું, કામળે ઝાટક, આંખમાં પાણી આવ્યાં. મારી અંદર વિષયલાલસાભર્યું મન હતું. કફનીનાં ખીસ્સાં વારંવાર તપાસી જોયાં. ગળાની અંદર જાણે કોઈ સ્વાર્થ અને સુવિધા માટે મને લોલુપતી હતી, મારે મારા વતનમાં ધકેલા મારતું હતું. છાતીમાં જાણે કોઈ સુપડાંથી ઝાટકનું પાછા ફરવું હતું. સમાજમાં, માણસમાં, સ્નેહ, મમતા, દયા-દાક્ષિણ્ય, હોય તેવો અવાજ આવતો હતો. ચીસ પાડીને ઊઠવાને મેં લેભમેહ, કલહ, કલંક, ગ્લાનિ ને માલિ...--એ બધાની વચ્ચે પ્રયન કર્યો, પણ ચીસ પાડી શકાઈ નહિ. નાસી જવાની ઈચ્છા રહીને એક સંસારીની જેમ જીવવાનું મને ગમતું હતું. મારું આખું થઈ, પણ જવું ક્યાં? સત્યાનાશ ! અરે, ભગવાન, આ શું થઈ ગયું? શરીર ભય અને હતાશાથી કંપવા લાગ્યું. જો હું મદદ માગવા જાઉં કૂતરાના માથા પર કોઈએ ખબર ન પડે એમ જોરથી લાઠી તો બધા મારાથી દૂર જ ભાગશે, મૌખિક પ્રેમને બુરખો ઉતરી મારી હોય અને એ જેમ લથડિયું ખાઈને પાગલની જેમ આમ જશે અને બધા એમના સાચા રૂપમાં પ્રગટ થશે બધા મારી તેમ ચકકર લગાવે તેવી જ થોડી ક્ષણ ચેતનવિહિન બનીને હું ધર્મ- અવગણના કરશે, મારા દુર્ભાગ્યની તરફ આંગળી બતાવી મોઢું શાળામાં આંટા મારવા લાગ્યા. ફેરવીને ચાલી જશે. એ સિવાય બધું હતું, કામળો હતો, ઝાળ જમનોત્રી પણ યાત્રીઓ યાત્રા દરમિયાન હતો, લાઠી લોટો હતાં, નહોતી બદ્રીનાથ પોતાના નભાવે પૂરતા જ પૈસા ફકત એ બધા કરતાં જે વધારે લાવે, તીર્થપૂજને ખર હોય, ઉપયોગી ને બધાના મૂળમાં શૌરીકુંડ - કેદારનાથ " * 61- Vછટાદાર ગરીબ પુણ્યાકાંક્ષીઓ એ બધા, હતી તે તરતુ–સર્વકોષ્ઠ ધન. ના પૈણ ઉઠીમહ એમને કરવી હોય તેય મારા મારાં સુખ સ્વપ્ન, આનંદવેદના, સુતકાશીપીપલટી જેવા અસહાયને મદદ કરવાની પથામ ને તીર્થયાત્રા, સ્વપ્ન જ નંદyયાગ = કર્ણપ્રયાસ તેમની સ્થિતિ જ ન હોય ને? અને સૌંદર્યબોધ, સહાનુભૂતિ ઠેરાદુન અને અનુપ્રેરણા, બધાના મૂળમાં ક્રિનિંગ જેઓ શહેરમાં રહેતા હોય છેનરેન્દ્રનગર પૂજારી, પંડા, દુકાનદાર, તે જે રહેલું છે તે, મેલા રૂમાલમાં હુપી દેવપ્રયાગ હિમાલય યાત્રાનો વર્ષમાં આ વખતે જ યાત્રી • નકશોબાંધેલા પૈસાટકા જ નથી એ મન - ૨લ્વે માર્ગ ઓનું શોષણ કરવા અહીં આવે વાત મારા મનમાં ઘોળાયા જ સડક રસ્તો છે. સંઘરો કરવાની ને જેટલું પગ ૩તો. કરી, મારા પ્રાણને રસ એક બને તેટલું ધન ભેગું કરવાની ક્ષણમાં જ બધો સૂકાઈ ગયો, તેમને અધીરાઈ હોય છે. શરીરમાં ટીપું પણ લેહી રહ્યું નહોતું, આખું શરીર બરફ જેવું એઓ વળી દાન શાના કરે? ઠંડું હતું, એમાં ચૈતન્ય નહોતું-જાણે મારું અપમૃત્યુ થયું હતું. એકાએક મનમાં વિચાર આવ્યું. બ્રહ્મચારીએ તે મારા પૈસા મારી આ દુર્દશાને વિચાર કરતાં કરતાં મારે જાણે શ્વાસ રૂંધાઈ ગયે. લીધા નહિ હોય ? આ વિચારથી હું આકુળવ્યાકુળ થઈ ગયો. આ માર્ગમાં નહોતી કોઈની સહાનુભૂતિ, નહોતી કોઈની મમતા, ને ગુસ્સાથી મારી બંને આંખે રાતી થઈ ગઈ. હવે બરાબર પક-જે થોડી હોય તે કેટલી મૌખિક હતી-સ્નેહરીન, પુણ્યલાભી યાત્રી- ડાય છે. ગઈકાલે મારા રૂમાલ વિશે એ ઈશારો કરીને તરત જ ઓનું દિલ-ઉદાસીનતાથી મને છોડીને ચાલી જશે – આજથી અટકી ગયો હતો. બસ એના સિવાય બીજું કોઈ નહિ, એને ઘણા દિવસે સુધી મારી સ્થિતિ નિર્વાસિત જેવી થઈ જવાની. આ જ ધંધો ને આ જ રીતિ લાગે છે. કાલે રાત્રે એના અંતરમાં ચારે તરફના પહાડો, રાક્ષસની જેમ, મારી સામે આવીને ભયાનક રહેલે લેભાનુર માણસ મેં જોઈ લીધું હતું. એ સાધુના રૂપમાં ત્ય કરતા હતા. માણસને છેતરે છે, એ સાપના જેવો છે, એની આંખે શિયાળના કેમ દાદા ! મારે ઉતાવળ છે, પૈસા આપોને?” જેવી છે, અને ગરૂડના જેવો એ તકવાદી છે. એને જે આશરે મેં કહ્યું, “મારી પાસે છૂટા પૈસા નથી ગોપાલદા! તમારે આપે તેના જ ઘરમાં એ આગ લગાડે. વિશ્વાસઘાતી,. બાયલે, નોટ વટાવવી પડશે..” . એનું ગળું ટૂંપીને. . “તે તે પછી બજારમાં જ જાઉં, નેટ વટાવી લાવું. અહીં “દાદા ! ઊભા ઊભા શું વિચાર કરો છો ?” કહેતે કહેતે બ્રહ્મ નેટ વટાવવી બહુ મુશ્કેલીનું કામ છે.” કહીને ગોપાલદા ચાલી ગયા. ચારી પાસે આવીને ઊભે. મારા ખભા પર હાથ મૂકીને મારી હડ' ડોસીઓ પેલી તરફ ખાવા બેઠી હતી. મારા ચૂલામાં આગ પચી ઊંચી કરીને બોલ્યો. “ઘણા દિવસ પછી આજે પાન ખાધું. કરવા લાગી, ને ધૂમાડો નીકળવા લાગ્ય, સેંકડો માખીઓ ચારે રોટલા ને બટાકા ખાઈ ખાઈને મેટું ખરાબ થઈ ગયું હતું.” બાજુ છવાઈ ગઈ હતી. ખાવાની વસ્તુ લઈ જઈ શકાય મેં એના મેઢા તરફ તાકીને જોયું. એણે ફરીથી કહ્યું, “હું એમ હતું જ નહિ. એમની સામે જોતે હું પથ્થરની જેમ તમારે માટે એક પાન લાવ્યો છું; આ શું ! તમે હજી ખાધું નથી! ઊભાં રહ્યો. નદી જાણે મરી ગઈ. સ્ત્રોત સૂકાઈ ગયે, ચારેબાજુ હજી નાહૃાા નથી ?” ભેંકાર હતો. કયાંય છાયા નહોતી, આંખમાં તેજ નહોતું, આનંદ નહાવાની વાત કરે છે? આ ચાલે.” પ્રયાગ રર. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ “હા, અલકનંદામાં નહાવાની ખૂબ મજા આવે છે, પાણી છે... ખૂબ આરામદાયક છે.” પ્રબુદ્ધ જીવન ચળકતું લાગલાજ હું નદી તરફ દોડીને ગયા. જો પડી જાઉં તે મરી જાઉં, થોડે દૂર જઈને ડાબે હાથે વળવાનું હતું, તે પછી પથ્થરો મૂકીને એક સીડી બનાવી હતી, નદી ઘણે નીચે હતી. ગાંડાની જેમ સીડી ઉતરીને નીચે ઉતરીને આવ્યા, સામે રેતીને વિશાળ પટ હતો, ઝડપથી ચલાય એવું નહાતું, ચારેબાજુએ નાના મેટા પથરા રેતીમાં પડયા હતા, પગમાં ઠોકર વાગવાથી લાહી નીકળ્યું હતું. એમ કરતાં કરતાં પાણી સુધી આવી પહોંચ્યા. એક મોટા પથ્થર પર નિશાન કર્યું હતું. એની પાસે ઝડપથી ગયો ને નીચા વળીને એને તળીયે રેતીમાં મેં હાથ નાંખ્યો. હા, આ જ મારાં સેના ને રતન, મારા સાત રાજયનું ધન, મારું સ્વર્ગ, હે બદરી ભગવાન, તમે મને બચાવી લીધા. નહાતી વખતે રૂમાલને આની નીચે છૂપાવી રાખ્યો હતો. એ વાતને હું સદંતર ભૂલી ગયેલા, ધન્યવાદ તને બ્રહ્મચારી, હે વેગવતી અલકનંદા, તને ચે. ધન્યવાદ. આનંદ ઉભરાતાં ભાન રહ્યું નહિ, આલ્હાદમાં સંયમ રહ્યો નહિ. સ્નેહ અને પ્રેમના આવેગમાં ઉત્તેજીત થઈને આનંદાશ્રુથી રૂમાલ મોઢામાં લઈને મેં એને હૃદયસરસો ચાંપ્યો. બદરીવિશાલક કી જય જય બાબા બદરીનાથ, તમારે ચરણે રાખો બાબા.” જેનું અમને ખૂબ પ્રયોજન હતું, તેમને સમય થતાં અમારે છેડીને જવું પડયું. તે દિવસે બપોરે દેવપ્રયાગનો આપવાલેવાના હિસાબ ચૂકતે કરીને, યાત્રીઓનું દલ એ જ પરિચિત પથે આવી પહોંચ્યું. આ રસ્તો જોઈને જ ડર લાગતા હતા, એ બધાને દૂરદૂર દુર્ગમપથમાં તાણી લઈને, પછી ધકેલે છે. સાપના જેવા શીર્ણ ને કઠણ એના દેહ છે, સામેની અને પાછળની દુર્ગમ એવી પર્વતમાળાને વીંટીને અજગરની જેમ એ ચિરનિદ્રામાં ઊંધે છે. ગ્રીષ્મ વર્ષા કે બરફ જામ્યો હોય ત્યારે એમાં ચાંચલ્ય નથી. રસ્તે આવીને ધર્મશાળા તરફ મે એક નજર નાંખી, પણ એ ઝાંખી જ નજરે પડતી હતી. જેણે મને આશરો આપ્યો, સ્નેહથી જેના ખેાળામાં બે દિવસ હું રમ્યો. એણે મારી અવળચંડાઈ સહન કરી, પણ એના પ્રતિકાર કર્યો નહિ. આજે એની તરફ મોઢું ફેરવ્યા છતાં હું જોઈ પણ શકતા નથી. એ દેખાતી નહતી. દુનિયામાં એવું જ થાય છે. હવે કેટલાય દિવસ સુધી ત્યાં કદાચ દીવા નહીં સળગે, જયાં બીક લાગે એવી શૂન્યતા વ્યાપશે. કદાચ કોઈ જંગલી જાનવર આવીને ત્યાં આશરો લેશે. રાતના અંધકારમાં કોઈ ધૂળીયા પવન આવીને એના ખૂણેખૂણામાં વિયોગના નિસાસા નાંખી જશે, ને તોયે અમારી પ્રિય ધર્મશાળા એવી ને એવી નિર્વિકાર રહેશે. અકૃપણ, આદરયુકત, સ્થાયી સન્યાસીના જેવી રહેશે, પ્રત્યેક અગ્રગતિની પાછળ એક પ્રકારનો ઉત્સાહ, પ્રાણના વૅગ, એક ચેતનમય ઉદ્યમ હાય છે, પણ આ તત્વ જેમનામાં હોતું નથી તેઓ પણ અટકી શકતા નથી. તેઓ જાણે તણાતા હાય એમ ચાલે છે, ઠેલાતા હોય એમ એમને જવું પડે છે, અંદરથી પ્રતિક્ષણે, એમને એક પ્રતિજ્ઞા ઠેલે છે, શા માટે જાઉં? ચાલા ચાલા, જીવન ભલે પાછળ રહ્યું, ભલે મૃત્યુ આવે, રહેવા દો, મારી ઈચ્છાઓ ને મારી પ્રાપ્ત કરવાની વસ્તુઓ—ચાલા, ગૌરીશંકર સીતારામ ! જય બદરીવિશાળલાલની જય. “મહારાજજી ?” માઢું ફેરવીને જોયું. કૌપીનધારી, એક સાધુ ચીપટો હાથમાં લઈને હસતા હસતા બોલ્યા “સીતારામ મત બાલા, રાધેશ્યામકા નામ લે. રાધેશ્યામ કહેાંગે તો ચિમટા બજાકર લેાંગે, સીતારામ કહેાંગે તો ધરમે બૈઠકે કહે ંગે, હા, હા હા, ... ચલા ભાઈ ચકાચક.’ વિરકત અને નિ:સ્વાર્થ સાધુજી પરમ સ્ફ ુર્તિ અને આનંદ ગદ્ગદ્ હસીને ઉલટપાલટ ખાઈને આગળ આગળ ચાલવા લાગ્યા. પોતાની જાત ઉપરના વિજ્યું એ પ્રાપ્ત કરી શકયા હતા. 6 તા. ૧૨-૬૬ અત્યારસુધી હું તપાલાકમાં ભ્રમણ કરતા હતા, હવે મેં દેવભૂમિમાં ડગ દીધો. ડાબી તરફ આ વખતે નવી નદી હતી. દક્ષિણ દિશાએ વહેતી અલકનંદા, ગંગાના જેવા જ એના વહેણના અવાજ હતા, નીલનિર્મળ પ્રવાહ હતા. જલપ્રવાહના સતત અવાજથી નીરવતા વિશેષ ગંભીર બનતી હતી. ચઢાઈને માર્ગે અમે ઉત્તરદિશામાં જતા હતા. ક્રમશ: અમારી ગતિ ઉત્તર દિશા તરફ જ હતી. મહાન યોગીની જટાને સ્પર્શ કરવા માટે જાણે એના દેહ પરથી કીડીઓનું દળ ઉપર ચઢતું ન હેાય ! તીર્થના આ લાંબા માર્ગ જ અમારી તપશ્ચર્યાપ હતો. રસ્તા પૂરો થતાં જ બધાને મુકિત મળવાની હતી. જીવનમાં પણ એવું જ હોય છે. અવિચ્છિન્ન અગ્રગતિ જ આપણા આરા છે. આપણી સાધના છે ચશ્મ પરિણામને સ્પર્શ કરવા આપણે આગળ ધપીએ છીએ. ક્યાં જઈને પહોંચીશું એ આપણને ખબર નથી. શિયાળા પૂરો થતાં આરંભાતી વસંત ઋતુના જેવું વાતાવરણ હતું. વનની ઔષધિલતા અને જંગલી ફ્લાની એક પ્રકારની મિશ્રા વાસથી ક્યાંક ક્યાંક માર્ગ આચ્છાદિત હતા. પવન એ ગંધને દૂર દૂર સુધી ફેલાવી યાત્રીઓને રાજી કરતા હતે. પર્વતના શિખરની શ્યામથી ઉપર જ લાલ સૂર્યરેખા ધીમે ધીમે વિપુલ થતી હતી. નીચે નદીના નિર્જન સ્થાનમાં સંધ્યાની છાયા શાંત રીતે ઉતરતી હતી. આ વખતે તે થાડુંક જ ચાલવાને વિચાર હતા. એક દિવસ વિશ્રામ લેતાં આરામ લેવાના મારો લાભ મારામાં ઊઠયા હતા. પહેલી તકે સગવડ મળતાં હું_જરૂર આરામ લૅવાનું વિચારતા હતા. આશરે ત્રણેક માઈલનો રસ્તો હતા. ઉતાવળ નહોતી, સમય વિષેના મનમાં અંદાજ આવી ગયો હતા. વિઘાકુટી ચટ્ટીએ પહોંચતાં બહુ મેાડું નહિ થાય. પણ ગ્રહ પાધરા નહાતા. આજે સવારથી જ મારાં ઘૂંટણમાં દર્દ થતું હતું. આ વખતે દર્દ વધતું જ જતું હતું. જે લોકોને ઊંચાણ ને નીચાણવાળી જમીનમાં ચાલવાની ટેવ નથી, તેમને આ પ્રમાણે ઘૂંટણમાં દર્દ થાય છે એમ સાંભળ્યું છે. પગે ચાલીને બદરીનાથ જવામાં આ દર્દ જ મોટે ભાગે લોકોને આડું આવે છે એ વાત બધાને ખબર છે. ચઢાણ વખતે ઉપર જતાં આ દર્દ ઉત્પન્ન થાય છે, ને ઉતરતાં એની પ્રતિક્રિયા થાય છે. મને ડર લાગવા માંડયા ને એ ડર કેવા હતા, તે આજે લખતી વખતે હું સમજાવી શકતા નથી. આસ્તે આસ્તે ચાલતાં મારા પગ લથડિયાં લેતા હતા, બધા આગળ ચાલી ગયા હતા, બ્રહ્મચારી ને ગોપાલદા નજરથી દૂર ચાલી ગયા હતા. શા માટે ન જાય? જે માંદો ને અશકત હોય તેની સાથે સાજાસમા માણસ સથવારો કરે અને પેાતાને તેઓ પાંગળા શા માટે કરે? એમને શાનું ઋણ? હું લંગડાતા લંગડાતા ચાલતા હતે. સાંભળ્યું હતું, કે પોતાની જાતને ભૂલી જવાથી થાšઅંશે વ્યાધિ શમે છે. પણ હું પેાતાની જાતને શી રીતે ભૂલી શકું? જેમને ભૂલી જવાની જરૂરિયાત છે, તેઓ જ મારા મનમાં સૌથી પહેલાં આવે છે. જો અરીસો હાત તો હું જોઈ શકત કે મારી જાતને મેં કેવી કરી નાંખી છે? ધૂળ અને તડકાથી માથાના વાળ સૂકા ઘાસની જેમ મેલા થઈ ગયા હતા. ચામડી વિવર્ણ ને લાહીવિનાની થઈ ગઈ હતી. આંખો ખાડામાં ઊંડી ઊતરી ગઈ હતી. હાથપગ જેવા ન ગમે એવા ને દૂબળા થઈ ગયા હતા. લાકડાની આગથી બે હાથના વાળ સફાચટ થઈ ગયા હતા, કફની અને ધોતિયામાં ને માથાના વાળમાં એક પ્રકારનું દુ:ખ થાય એવી જ પડી ગઈ હતી. તેની અશાન્તિ અને પીડાના કારણે રાત્રીના ઊંઘ આવતી નહાતી ને એક વાર એને ઝાટકી નાંખતાં છતાં કોણ જાણે કર્યાંથી પાછી માથામાં ભરાઈ જતી હતી. એની સાથે સાથે માખીઓને ત્રાસ પણ બહુ પ્રબળ હતા, લાખલાખ, કરોડ કરોડ માખીઓ હતી. આખું વાતાવરણ માખીમય હતું. જાણે માખીઓના દરિયા નહાય ! માખીના ડંખથી જેના હાથપગ બચ્યા હૈય એવા એક પણ યાત્રી નહેાતા. પાણીની ઉપર પણ માખીઓ ભસ્યા કરે એ દૃશ્ય અહીં પહેલવહેલાં જોયું. ક્રમશ : અનુવાદક : ૐા. ચન્દ્રકાન્ત મહેતા મૂળ બંગાળી : શ્રી પ્રમેાધકુમાર સન્યાલ Page #31 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-ર-૧૬ પ્રબુદ્ધ જીવન ૧૯૭ Eા પક્ષનેતા તરીકે શ્રીમતી ઇન્દિરા ગાંધીની વરણી : સ્વ. લાલબહાદુર શાસ્ત્રીના અવસાન બાદ તત્કાળ પ્રશ્ન નમ ઊભા રહ્યા. કહેવાય છે કે કામરાજે પ્રાદેશિક પ્રધાનમંત્રીઓ ઊભે થયે શાસ્ત્રીજીના સ્થાને પાર્લામેન્ટના કેંગ્રેસ પક્ષના સભ્યોના દ્વારા તે તે પ્રદેશના પાર્લામેન્ટના સભ્યો ઉપર ઈન્દિરા ગાંધીની નેતાની પસંદગીને અથવા તો ચૂંટણીને. આ સંબંધમાં બંધારણની રીતે તરફેણમાં દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આવી સમસ્યા અંગે સામાન્ય સીધે રસ્તો બન્ને ધારાસભાના કેંગ્રેસી સભ્ય મળીને શક્ય કેંગ્રેસ પ્રમુખની સ્થિતિ બહુ નાજુક બને છે. જે પક્ષને એટલે કે હોય તે સર્વાનુમતીથી અને એ શકય ન હોય તે બહુમતીથી નેતાની જે સંસ્થાને આખા દેશ ઉપર વહીવટ ચાલે છે તે સંસ્થાના પ્રમુખે પસંદગી અથવા ચૂંટણી કરે તે છે. પણ જ્યારે પંડિત જવાહરલાલનું પાર્લામેન્ટના કેંગ્રેસ પક્ષને કોણ નેતા બને તે અંગે કેંગ્રેસી સભ્યોને અવસાન થયું ત્યારે આ સીધી ચૂંટણીને માર્ગ અપનાવવાને બદલે કેંગ્રેસ એગ્ય માર્ગદર્શન આપવું એ તેની અવશ્ય ફરજ છે. આ રીતે વિચાપ્રમુખ શ્રી કામરાજે જેને કોન્સેન્સસ પદ્ધતિ' કહેવામાં આવે છે એટલે કે રતાં તેની સ્થિતિ લોકસભાના સ્પીકર જેવી કેવળ તટસ્થતાની નથી. આવા મહત્ત્વના સ્થાન ઉપર નીમવાની કે ચૂંટવાની જેની જવાબદારી પણ બીજી બાજુએ પિતાને મનપસંદ વ્યકિતને ચૂંટવા માટે કેંગ્રેસહોય અને તે પ્રકારે નીમાનાર કે ચૂંટાનાર સાથે જેમને સીધી કે આડ- સભ્ય ઉપર કોઈ પણ પ્રકારનું કેંગ્રેસ પ્રમુખ તરફથી દબાણ લાવવામાં કતરો સંબંધ હોય તેવી વ્યકિતઓ સાથે વ્યકિતગત કે સમૂહગત આવે તે તેણે પોતાની ફરજની વિવેકરેખા જરૂર ઓળંગી કહેવાય. મંત્રણા કરીને તે દ્વારા તેમના સમગ્ર માને તાગ મેળવવા અને વળી તેમણે પ્રાદેશિક પ્રધાનમંત્રીઓને વ્યકિતગત અભિપ્રાય આ સમગ્ર મત જે વ્યકિત તરફ ઢળે એવી વ્યકિતની પ્રસ્તુત સ્થાન જાણવાની કોશિષ કરી તે સામે આપણે કદાચ વાંધો ન લઈએ, ઉપર સર્વાનુમતે નિમણુક કરવી-આવી પદ્ધતિ અખત્યાર કરી હતી કારણ કે પાર્લામેન્ટના કેંગ્રેસી સભ્યો જેટલા જ આ પ્રાદેશિક પ્રધાનઅને એ રીતે સ્વ. લાલબહાદુર શાસ્ત્રીની ચૂંટણી નહિ પણ સર્વાનુ- મંત્રીઓને કેન્દ્રના કોણ મુખ્ય પ્રધાન થાય છે તેમાં રસ ધરાવવાને મતિથી નિમણુક અથવા તે પસંદગી કરવામાં આવી હતી. અને તે અંગે પિતાનું ચોક્કસ વલણ દાખવવાને હક્ક છે. પણ આ ભારતના મહાઅમાત્યનું પદ અસાધારણ મહત્વનું તેમ જ સમગ્ર વલણની જાણકારીને ઉપયોગ પક્ષના નેતા અંગે માર્ગદર્શન પાર વિનાની જવાબદારીનું છે. આ પદ માટેના ઉમેદવારો વચ્ચે અંદર આપવા પૂરતે તેમણે કર ઘટતે હતા, પણ રીતસરની ચૂંટણી થયા અંદર હરીફાઈ અને રસાકસી ન થાય અને જે કોઈ વ્યકિત બહુજન- પહેલાં તેની જે જાહેરાત કરવામાં આવી તે યોગ્ય લાગતું નથી. કારણ સંમત હોય તેની સર્વાનુમતીથી નિમણુક થાય એ દેશ માટે તેમ જ કે, ધારે કે આ પ્રાદેશિક મુખ્ય પ્રધાનેએ અમુક એક વ્યકિતનું નામ લોકશાહી માટે ભારે ગૌરવપ્રદ લેખાય અને તેથી કેંગ્રેસ પ્રમુખે આ સૂચવ્યું હોય અને ચૂંટણી અન્ય વ્યકિતની થઈ હોય તો તેવી પરિવખતે પણ ‘કોન્સેન્ટાસ પદ્ધતિ દ્વારા દેશના પ્રધાન મંત્રીની નિમણુક સ્થિતિમાં આવી જાહેરાતનું પરિણામ આ ચૂંટાયેલી વ્યકિત અને પ્રાદેકરવાનું વિચાર્યું, પણ આ વખતની અને આગળની પરિસ્થિતિ વચ્ચે શિક પ્રધાને વચ્ચે પ્રારંભથી જ વૈમનસ્ય પેદા થવામાં આવે. મોટું અંતર હતું. જવાહરલાલજી ન હોય ત્યારે તેમની જગ્યાએ લાલ- મેરાજીભાઈએ પ્રસ્તુત પદ માટે ઉમેદવારી કરી તે સંબંધમાં બહાદુર શાસ્ત્રી આવે એ નિશ્ચિત જેવું હતું અને તેથી જવાહરલાલજી બે શબ્દ લખવાનું મન થાય છે. આજની લોકશાહીમાં વિચિત્ર અને જતાં કોને પ્રધાનમંત્રી બનાવવા એ અંગે કોઈ સ્પર્ધા કે હરીફાઈ જેવું સ્વત્વ ધરાવતી વ્યકિતને મૂંઝવે એવું એક તત્ત્વ એ છે કે તેને લગતી નહોતું. આ વખતની પરિસ્થિતિ આવી સરળ નહોતી. આ વખતે ચૂંટણીઓમાં ઊભા રહેવા ઈચ્છનાર ઉમેદવારને પોતાની યોગ્યતા પ્રધાનમંત્રીના પદ માટે ત્રણ ચાર કેંગ્રેસી નેતાઓ વચ્ચે હરીફાઈ આગળ ધરવી પડે છે; પિતાની યોગ્યતાની મુખ્યપણે પોતે જ જાહેહતી. લાલબહાદુરનું અવસાન થયું કે તરત જ શ્રી ગુલઝારીલાલ રાતે કરવી પડે છે. અમુક વ્યકિત ગમે તેટલી યોગ્યતા ધરાવતી હોય, નંદા પ્રધાનમંડળમાં શાસ્ત્રીજી પછીનું સ્થાન ધરાવતા હોઈને, પણ જ્યારે કોઈ એક સત્તાસ્થાન ઉપર આવવાની આકાંક્ષાપૂર્વક તેમની કામચલાઉ પ્રધાનમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી ઉમેદવાર બનીને તે પોતે જ જાહેર જનતા સમક્ષ પોતાની સ્તુતિ હતી અને તે સ્થાન ઉપર ચાલુ રહેવાની તેમની ઈચ્છા હતી. અથવા તે ગુણવત્તાની જાહેરાત કરવા માંડે છે ત્યારે ઔચિત્યને આ ઉપરાંત શ્રી મેરારજી દેસાઈ આ પદના ઉમેદવાર હોવાનું ભંગ થાય છે અને પરિણામે તે વ્યકિત હોય તે કરતાં ઘણી નાની લાગે જાહેર થઈ ચૂકયું હતું. વળી શ્રી ચવ્હાણ, શ્રી જગજીવનરામ છે. વાતો કરવામાં આવતી હોય છે સેવાની તમન્નાની, પણ મોટા તથા શ્રી એસ. કે. પાટિલનાં નામ પણ ઉમેદવાર તરીકે સંભળાતાં ભાગે હોય છે સત્તાની મહત્ત્વાકાંક્ષા. આ મહત્ત્વાકાંક્ષાનું જાહેર પ્રદહતાં. આ ઉપરાંત આ પદ માટે શ્રી ઈન્દિરા ગાંધીનું નામ પણ ર્શન માનવીને નાને - હીણે બનાવે છે. મેરારજીભાઈના સ્ટેચરવાળીએકથી વધારે દિશાએથી સૂચવાઈ રહ્યું હતું. ગુલઝારીલાલ નંદાને ભાવાળી-વ્યકિત માટે ઉચિત એ જ લેખાય કે તેમને લોકો - જનચાલુ રાખવાની બાબતમાં કેંગ્રેસના મોવડીમંડળને ટેકો નથી એમ તાના પ્રતિનિધિઓ-વિનવણી કરે કે આપ આ પદ સ્વીકારે અને જાણવા મળતાં તેઓ ઉમેદવારીમાંથી ખસી ગયા, પણ મોરારજીભાઈ અમને આપની શકિત અને સેવાને લાભ આપે. પણ પ્રસ્તુત પિતાની ઉમેદવારીમાં મક્કમ રહ્યા. એમ લાગે છે કે તેઓ કોઈ રીતે પરિસ્થિતિમાં પક્ષનેતા બનવા માટે જાહેર રીતે મેરારજીભાઈને વિન આ પદ ઉપર ન આવે એ હેતુથી બાકીના બીજા ઉમેદવારો પણ હરી- વનાર કોઈ બહાર આવ્યું જાણવામાં આવ્યું નથી. તેમને પોતાને ફાઈમાંથી ખસી ગયા અને કામરાજે તેમ જ અન્ય આગેવાનોએ પ્રચાર પોતે જ કરો પડયો છે. આમ છતાં સંભવિત છે કે તેમણે શુદ્ધ પિતાનું વજન ઈન્દિરા ગાંધીના પલ્લામાં નાંખ્યું. લાલબહાદુર શાસ્ત્રી સેવાભાવથી પ્રેરાઈને અને આજે આ ઉચ્ચ પદ ઉપર મારી જરૂર છે વખતે બન્યું હતું તેમ કામરાજે આ વખતે પણ પ્રાદેશિક પ્રધાન- અને તે માટે મારી જાતને આગળ ધરવી એવી મારી ફરજ છે એવી મંત્રીઓને અભિપ્રાય મેળવવાની કોશિષ કરી અને આ મંત્રીઓ પ્રામાણીક માન્યતાપૂર્વક ઈન્દિરા ગાંધી સામે સ્પર્ધામાં ઉતરવું મોટા ભાગે ઈન્દિરા ગાંધીની તરફેણમાં છે એમ તેમણે જાહેર પણ કરી ઉચિત માન્યું હોય. એ પણ આપણે ધ્યાનમાં લેવું જ જોઈએ કે આ દીધું. લોકસભા તથા લેકપરિષદના કેંગ્રેસી સભ્યો પણ મોટા ભાગે સ્પર્ધામાં ઉતરીને તેમણે પોતાના આજ સુધીના જાહેર જીવનને હોડમાં ઈન્દિરા ગાંધીની તરફેણમાં છે એમ જણાવીને, પ્રસ્તુત નિમણુક સર્વ- મૂકયું હતું અને ધારો કે ચૂંટણીમાં તેમને ૧૦૦ અથવા તે તેથી નુમતિથી થાય તે સારૂં એ હેતુથી, શ્રી મોરારજીભાઈને ઈન્દિરા પણ એછા મત મળ્યા હતા તે તેમની આજ સુધીની પ્રતિષ્ઠા અને ગાંધી સામેની હરીફાઈમાંથી ખસી જવાનું કેંગ્રેસ પ્રમુખ તરફથી સ્થાનને ભારે હાનિ પહોંચી હત. આવું જોખમ ખેડીને તેઓ ઊભા સૂચવવામાં આવ્યું. પણ મેરારજીભાઈ પોતાની ઉમેદવારી અંગે અણ- રહ્યા હતા. આમ છતાં પણ, મોટી બહુમતી ઈન્દિરા ગાંધી તરફ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૨-૧૬ છે એમ સ્પષ્ટ થઈ ચૂકયા બાદ કામરાજની ઈચ્છાને માન આપીને 2) બાળી ખાયા છે તે તેમના પક્ષે જરા પણ ખોટું ને દેખાત અને પક્ષનેતાની ચૂંટણી માટે સર્વાનુમતનું જે ગૌરવ છે તે આપણા દેશને પ્રાપ્ત થાત. પણ તેઓ તે સ્પર્ધાને વળગી જ રહ્યા અને હાર્યા. આ બધું છતાં, ચૂંટણીનું જે પરિણામ આવ્યું તે જોતાં એટલું જરૂર કબૂલ કરવું ઘટે કે તેમણે ઈન્દિરા ગાંધીને મળેલા ૩૫૫ મતની સામે ૧૦૮ મત મેળવ્યા અને તે પણ કામરાજે ઊભી કરેલી આટલી મોટી પ્રતિકૂળતા સામે – આ રીતે વિચારતાં મોરારજીભાઈને મળેલો પરાજ્ય એક રીતે તેમના નૈતિક વિજય જેવો લેખ ઘટે. આજના ભારતના કેંગ્રેસના રાજકારણમાં મોરારજીભાઈની ઉપેક્ષા થઈ શકે તેમ છે જ નહિ એમ આ પરિણામ ઉપરથી જરૂર પુરવાર થઈ ચૂકયું છે. મોરારજીભાઈના પક્ષે આ ગૌરવપ્રદ હકીકત છે. આ ચૂંટણીના પરિણામને વિચાર કરતાં એમ લાગે છે કે આ ચૂંટણીમાં મતપ્રદાન થયું તે ઉમેદવારની વ્યકિતગત ગુણવત્તાને અનુલક્ષીને નહિ પણ ઉમેદવારો સામેના અંગત વિરોધને અનુલક્ષીને થયું છે. અને એ રીતે જે ઈન્દિરા ગાંધીના પક્ષકાર નહિ પણ મોરારજીભાઈના વિરોધી હતા તેમણે મોટા ભાગે ઈન્દિરા ગાંધીને મત આપ્યા છે અને જેઓ મોરારજીભાઈના પક્ષકાર નહિ પણ ઈન્દિરા ગાંધીના વિરોધી હતા તેમણે મારારજીભાઈના પક્ષમાં મત આપ્યા છે એમ ન હોત અને કેવળ ગુણવત્તા જ મતપ્રદાનને માપદંડ હોત તે આજની ક્ટીકટીમાં મોરારજીભાઈ અને ઈન્દિરા ગાંધી વચ્ચે મારારજીભાઈના ચડિયાતાપણા અને સવિશેષ યોગ્યતા વિષે બે મત હત જ નહિ. કોંગ્રેસ પ્રમુખ કામરાજ વિષે અહિ બે શબ્દો કહેવામાં ન આવે તે આ નોંધ અધૂરી ગણાય. જવાહરલાલજીના અવસાન વખતે કેંગ્રેસ પક્ષની નેતાની ચૂંટણી અથવા પસંદગીનું કાર્ય એટલું બધું વિકટ નાનું, કારણ કે તેમની પછી લાલબહાદુર શાસ્ત્રીની કરવામાં આવેલ પસંદગી લગભગ પૂર્વનિણિત જેવી હતી. પણ આ વખતની કટોકટી એવી સરળ નહોતી. કૅન્સેન્સસ પદ્ધતિની વાત ટકી શકે તેમ નહતી, કારણ કે ઉમેદવાર આગેવાનેમાંથી અમુકને તેમનામાં વિશ્વાસ નહોતે. પરિણામે ઉમેદવારો વચ્ચે સ્પર્ધા નિશ્ચિત હતી. તેમની સાથે જરૂરી વાટાઘાટો કરીને આ પદ માટેની સ્પર્ધા બને તેટલી હળવી કરવી અને તેને કશા પણ સંઘર્ષ વિના સરળ રીતે ઉકેલ લાવવા, અને બને ત્યાં સુધી સર્વાનુમતિથી પક્ષના નેતાની ચૂંટણી કરવી એ કેંગ્રેસ પ્રમુખને ધર્મ હતો. આ સંબંધમાં શ્રી કામરાજે પૂરી કુશળતાપૂર્વક અને મક્કમતા વડે કામ લીધું છે એમ કહેવામાં જરા પણ અતિશયોકિત થતી નથી. સૌથી પ્રથમ તો કેટલાક આગેવાન તરફથી તેમને પક્ષનેતા બનવાની કરવામાં આવેલી માંગણીને તેમણે પિતે સાફ ઈન્કાર કરી દીધા હતા અને પોતાની જાતને સ્પર્ધામુકત. કરી હતી. ત્યાર બાદ પક્ષનેતૃત્વ માટેના ઉમેદવારોને સમજાવટપૂર્વક એક પછી એક ખસી જવાનું કહેવામાં તેમણે સારી સફળતા મેળવી હતી અને આખી સ્પર્ધાને માત્ર બે વ્યકિતઓ વચ્ચે જ કેન્દ્રિત બનાવી દીધી હતી. આ સ્પર્ધા ટાળવા માટે પણ તેમણે શક્ય તેટલો પ્રયત્ન કર્યો હતો, પણ એ શકય નથી એમ માલુમ પડતાં મતદાનને લગતી સભાનું કાર્ય તેમણે ભારે દક્ષતાપૂર્વક પાર પાડયું હતું અને વાતાવરણમાં કશી કડવાશ પેદા થવા દીધી નહોતી. અલબત તેમણે પક્ષનેતા તરીકે કરેલી પસંદગી વિવાદાસ્પદ છે. વળી તે પસંદગીને સ્વીકાર કરાવવા માટે ધારાસભ્ય ઉપર તેમના તરફથી આડકતરું દબાણ લાવવામાં આવ્યું હતું–આશ્રી મોરારજીભાઈ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે ડૉ. જીવરાજ મહેતાની બાબતમાં આવું જ દબાણ લાવનાર શ્રી મોરારજીભાઈને આવી ફરિયાદ કરવાને હક્ક નથી, તે પણ આ આક્ષેપમાં જે તથ્ય હોય તે તે પણ શ્રી કામરાજના પ્રમુખસ્થાનને ગૌરવ આપનારું ન જ ગણાય. આ બધું છતાં પણ લાલબહાદુર શાસ્ત્રીનું ભારે કવખતનું મૃત્યુ અને તે કારણે પક્ષનેતા નકકી કરવા અંગે ઊભી થયેલી અણધારી વિષમ કોટીને તેમણે ભારે મક્કમતાપૂર્વક તેમ જ કુશળતાપૂર્વક સામને કર્યો છે અને તેમાં તેમણે સફળતા પ્રાપ્ત કરી છે. તેમને જોતાં અને તેમની કાર્યવાહીનું નિરીક્ષણ કરતાં, સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે છે. તેમના હાથમાં કોંગ્રેસની નૌકા સહીસલામત છે એવી આપણને પ્રતીતિ થાય છે. તેમને આપણ ના હાદિક ધન્યવાદ ઘટે છે. હવે શ્રીમતી ઈન્દિરા ગાંધી કેંગ્રેસના પાર્લામેન્ટરી પક્ષના નેતા. બન્યા છે એટલે આખા ભારતના નેતા બન્યા છે એ નિશ્ચિત હકીકત. છે. આ નેતૃત્વની અપાર જવાબદારી છે. આ જવાબદારીઓને નવા નિમાયેલા પક્ષનેતા આજની અત્યંત કટોકટીભરી પરિસ્થિતિમાં પહોંચી શકશે કે કેમ એ સવાલ આજે અનેકના દિલમાં ખટકયા કરે છે. જ્યારે લાલબહાદુર શાસ્ત્રી આ સ્થાન ઉપર આવ્યા ત્યારે પણ આવી જ શંકા સૌ કોઈના મનમાં ઊભી થઈ હતી, અને એ શંકા શાસ્ત્રીજીએ પોતાની કુશળ કામગીરીથી ખાટી પાડી હતી. પણ અનેક જટિલ સમસ્યાઓને હલ કરવાની હથરોટીને શાસ્ત્રીજીના સંબંધમાં આપણને થોડો ઘણો અનુભવ હતો. ઈન્દિરા ગાંધી વિશે હજુ આપણે આવો કોઈ અનુભવ નથી. એમ છતાં પણ દેશનું ભાગ્ય ઘણ મેટું છે. જેને ઈશ્વર આવા સ્થાન ઉપર મુકે છે તેને મોટા ભાગે જરૂરી સૂઝ પણ ઈશ્વર આપે છે. આપણે આશા રાખીએ કે જેમ શાસ્ત્રીજીના સંબંધમાં આપણી અટકળે ખેટી પડી તેમ ઈન્દિરા ગાંધી વિશેની આપણી અટકળો પણ ખૂટી પડે અને તેમના નેતૃત્વ નીચે દેશ વધારે આબાદ બને અને તાન્કંદ મંત્રણાઓએ જે સુલેહશાંતિની ભૂમિકા પેદા કરી છે એ ભૂમિકા ઉપર સૂલેહશાંતિની નક્કર ઈમારતનું ઈન્દિરા ગાંધીના હાથે નિર્માણ થાય. આ લાંબી આલોચનાના અંતે એક જ વાત કહેવાની બાકી રહે છે કે દેશની સર્વોત્કૃષ્ટ નેતા આપણી વચ્ચેથી એકાએક વિદાય થાય અને નવા નેતાની પસંદગી કરવાની પરિસ્થિતિ ઊભી થાય—આ કોઈ પણ દેશ માટે એક મોટી કટોકટી પેદા થઈ ગણાય. આવી કટોકટીને આટલી બધી સરળતાથી આપણી લોકશાહી પહોંચી વળી શકી, ન કોઈ સંઘર્ષ, ન કોઈ અથડામણ, ચૂંટણી કરવી પડી તે પણ પૂરી ખેલદિલીથી, જીતનારના મોઢા ઉપર કઈ વિજેતાને ગર્વ નહિ, હારનારના મેઢા ઉપર પરાજિતની કોઈ હતાશા નહિ, આગળ કે પાછળ ન મળે કઈ કડવાશ, ન મળે કોઈ અશિષ્ટ પ્રચાર -આ કોઈ સામાન્ય ઘટના નથી. આ જે કાંઈ બન્યું તે પુરવાર કરે છે કે આપણે – આપણા દેશે-લોકશાહીને પુરેપુરી પચાવી છે. સાચી લોકશાહી એટલે ઉદાત્ત સ્પર્ધા, ખેલદિલી અને વિનયપૂર્ણ સંયમ. આ તત્વોનું પક્ષનેતાની આ ચૂંટણીમાં આપણને સુભગ અને ભારે ગૌરવપ્રદ દર્શન થાય છે. આસપાસ પ્રવર્તતી સરમુખત્યારશાહી વચ્ચે પણ આપણે ત્યાંની લેકશાહી સુરક્ષિત છે, સુનિશ્ચળ છે એવી પ્રેરક પ્રોત્સાહક શ્રદ્ધા આપણા દિલમાં પેદા થાય છે. ઈન્દિરા ગાંધીએ રચેલા નવા પ્રધાનમંડળ વિષે ખાસ કાંઈ કહેવાનું પ્રાપ્ત થતું નથી. ફેરફારો નજીવા તે પણ નિરર્થક નથી. આ પ્રધાનમંડળની મદદ વડે ઈન્દિરા ગાંધીનું શાસન યશસ્વી બને અને દેશની જટિલ સમસ્યાઓ હળવી બને, તાશ્કેદ મંત્રણાઓ દ્વારા સ્વપાયલી શાંતિ ચિરપ્રતિષ્ઠિત બને અને આર્થિક અકળામણમાંથી દેશ ઊંચે આવે એમ આપણે અંતરથી ઈચ્છીએ અને પ્રાર્થીએ! - પરમાનંદ સંધિ સમાચાર - તા. ૨૧-૬૬ના રોજ રાત્રીના ૮ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંધના સભ્યો તથા તેમના કુટુંબીજનોને મુંબઈ ખાતે મરીન લાઈન્સ સ્ટેશનની પાછળ આવેલા તારાબાઈ હાલમાં ભારત સરકારના ફિલ્મ ડીવીઝનના સહકાર વડે ભારતના સ્વર્ગસ્થ મહાઅમાત્ય લાલબહાદુર શાસ્ત્રી પ્રધાનમંત્રીના પદ ઉપર આવ્યા ત્યાર બાદ તેમણે લીધેલી કેનેડા તથા બ્રિટનની મુલાકાત, ૧૯૪પના મે માસમાં તેમણે કરેલે રશિઆને પ્રવાસ, જાન્યુઆરીના પ્રારંભમાં રશિયામાં તાશ્કેદ. ખાતે યોજવામાં આવેલી ભારત પાકિસ્તાનની શિખર પરિષદ, અને શાસ્ત્રીજીના જીવનની અન્તિમ યાત્રાને લગતા ચિત્રપટ દેખાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંઘના ઘણાખરા આગેવાન સભ્ય ઉપસ્થિત થયા હતા અને આશરે પાંચ ભાઈબહેનોએ ભાગ લીધે હતે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. Page #33 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૨-૬૬ પ્રબુદ્ધ જીવન ૧૯૯ 3 3 ગુજરાતી સાહિત્ય પરિષદ: ત્રેવીસમું અધિવેશન, સુરત [૨] સ્વીકારવું ઘટે.” ફિલ્મના આગમનથી નાટકોની પડતી થઈ એ કથનને તેમણે અર્ધસત્ય કહ્યું હતું. ૧૯૨૦ પછી આપણે ત્યાં ઊભા થયેલા સંમેલનના બીજા દિવસે સવારે કૅલેજને સભાખંડ વિભાગીય બે ક્રાન્તિકારો-કયાલાલ મુનશી અને ચન્દ્રવદન મહેતા -- -ના પ્રમુખનાં વ્યાખ્યાનો પ્રસંગે શ્રોતાઓથી ચિકાર ભરાઈ ગયો હતો. અમદાવાદ ખાતે જયંતી દલાલ તથા રાજેન્દ્ર ઠાકોરના પ્રદાનને, શ્રી વિજયરાય વૈદ્ય, શ્રી જુગતરામ દવે, શ્રી પોપટલાલ શાહ, તેમજ યોગેન્દ્ર દેસાઈ, અવિનાશ વ્યાસ, દિલીપ ઠારી: અદી શ્રી બચુભાઈ રાવત અને શ્રી ધનસુખલાલ મહેતા-અનુક્રમે સાહિત્ય, મર્ઝબાન, ચન્દ્રવદન ભટ્ટ, વગેરેની આ ક્ષેત્રે સમર્પાયેલ સેવાને શિક્ષણ, સમાજવિદ્યા, પત્રકારત્વ, અને રંગભૂમિ, એ પાંચ વિભા ઉલ્લેખ કરી ૧૯૫૨માં ગુજરાતી રંગભૂમિની શતાબ્દી ઉજવાઈ ગોના પ્રમુખ હતા. શ્રી અનંતરાય રાવળે શ્રી વિજયરાય વૈદ્યને, તેની થોડી વિગતો આપી ‘હાસ્યપ્રધાન સિવાયનાં નાકે ચાલે જ. શ્રી ગુલાબદાસ બ્રોકરે શ્રી ધનસુખલાલ મહેતાનો, શ્રી સ્નેહ નહિ' એવી પરિસ્થિતિ ઊભી થઈ છે તે બદલ ટકોર પણ કરી. રશ્મિ” એ શ્રી જુગતરામ દવે, શ્રી મનસુખલાલ ઝવેરીએ શ્રી પરિસ્થિતિ કાંઈક સુધરે તે માટે ઈલાજ દર્શાવતાં એમણે જણાવ્યું બચુભાઈ રાવતનો તથા ડો. ભેગીલાલ સાંડેસરાએ શ્રી પોપટલાલ કે “હાલ જે થોડી ઘણી સંસ્થાઓને સરકાર ‘સબસીડી આપે શાહનો પરિચય આપ્યો હતો. છે તે અમુક સંસ્થાઓને આપવાને બદલે અમુક નાને - સાહિત્યવિભાગના પ્રમુખ શ્રી વિજયરાય વૈદ્યો, ‘અર્વાચીન જ નામ આપવામાં આવે તો જે નાટક સુંદર હોય, તપ્તાવિવેચનપ્રવાહ ઉપર વ્યાખ્યાન આપ્યું તેમાં નર્મદથી માંડીને શ્રી સુરેશ લાયકી ધરાવતાં હોય, પણ આ હાસ્યયુગમાં રજૂ નહિ થઈ જોષી સુધીના વિવેચકોની વિવેચનપ્રવૃત્તિને વિગતે ચિતાર આપ્યો. આપણી વિવેચનાના, પ્રથમ સિમાચિહ્ન તરીકે નોંધપાત્ર અને શકતાં હોય, તેવાં નાટક મંડળ રજૂ કરી શકે.” રંગભૂમિ ક્ષેત્રે અભ્યાસપાત્ર નર્મદાશંકરની વિવેચના, વિચારપરાયણ અને સમતોલ થયેલ ફેરફારોમાં સ્ત્રીઓના પાત્રો સ્ત્રીઓ ભજવતી થઈ છે તે ચિત્ત વિઘોપાસક નવલરામ લ. પંડિતનું નિષ્પક્ષપાત અને ઉપરાંત સન્નિવેશ, કોમ્પોઝિશન તથા પ્રકાશયોજનામાં થયેલ પ્રગતિ તરફ ધ્યાન ખેંચી, એકાંકીઓની હરીફાઈઓને નિર્દેશ કરી, સર્જકતાની છાંટને અનુભવ કરાવતું વિવેચનકાર્ય, તથા વિચારપ્રધાન કવિતાને કવિતાસૃષ્ટિમાં દ્વિજોત્તમ માનનાર સર્જક-ચિન્તક વિલક્ષણ “અભિનયની બાબતમાં આપણે ખાસ વધ્યાં હોઈએ તેવું જણાવ્યું પ્રતિભાવન્ત સાક્ષર બ. ક. ઠાકોર, ઉપરાંત ગોવર્ધનયુગના બીજા નથી.” એમ કહાં મેયુલેશન્સ-સ્વરપરિવર્તનનું મહત્ત્વ દર્શાવી, વિવેચકો ન્હાનાલાલ, નરસિંહરાવ, રમણભાઈ, મણિલાલ, આનંદ અભિનય કેવો હોવો જોઈએ તે અંગે ફ્રાન્સના અદાકાર કેકેલિન, શંકર તથા કેશવલાલના વિવેચનકાર્યને એમણે બિરદાવ્યું. તે પછી ઈંગ્લેન્ડના અભિનેતા હેનરી ઈરવિંગ અને આઈરિશ અભિનેતા ગાંધીજી અને મુનશીજીની પ્રેરણા પામેલા ‘મહયુગ'ના વિવેચકોમાં બુસીકલહના લેખામાંથી ત્રણેનાં મત ટૂંકમાં રજૂ કર્યા. રંગભૂમિની કાકાસાહેબ કાલેલકર, રામનારાયણ વિ. પાઠક, બટુભાઈ ઉમરવાડિયા, પરિભાષાને મુંઝવતો પ્રશ્ન આગળ કરી, “એન્ટ્રી, ઍક્ટિ જેવા મેઘાણીના કાર્યને નિર્દેશ કર્યો, ૧૯૨૦ની આસપાસ જેમની અતિપ્રચલિત શબ્દોના પર્યાય ગુજરાતીમાં છે જ નહિ' એમ લેખનપ્રવૃત્તિને આરંભ થયો હતો એવા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જણાવી Tempo માટે ‘લય’, Rhythm માટે ‘લયસંવાદ', Compoવિશ્વનાથ ભટ્ટ, સ્વ. નવલરામ ત્રિવેદી તથા વકતા પિતે, એ ચાર sition માટે ‘પાત્ર-સંસ્થિતિ’ જેવા નવા વપરાશમાં આણાયેલા ઉપરાંત પ્રવર્તમાન યુગના ત્રણ પાંડિત્યપંડિત વિવેચકો સર્વશ્રી શબ્દોની નોંધ લીધી. નવી વૈતનિક રંગભૂમિ ૪૫ વર્ષની પ્રૌઢા ડ્રાલરરાય માંકડ, રામપ્રસાદ બક્ષી તથા રસિકલાલ પરીખના કાર્યને થઈ છે અને જૂની રંગભૂમિ તે વૃદ્ધા થઈ છે તે સમયે ગુજરાતી ઉલ્લેખ કર્યો. તે પછી અંબાલાલ પુરાણી, સુંદરજી બેટાઈ, અનંતરાય સાહિત્ય પરિષદના એક વિભાગ તરીકે એને ગણવા કરતાં એક રાવળ, મનસુખલાલ ઝવેરી, ધીરૂભાઈ ઠાકર, વ્રજરાય દેસાઈ જેવાના. સ્વતંત્ર પરિષદ ભરવાને એને હક્ક મળવા જોઈએ, એમ જણાવી વિવેચનકાર્યની નોંધ લઈ, છેલ્લાં થોડાં વર્ષમાં જેમના વિવેચન- દર “બબે વર્ષે સ્વતંત્ર રંગભૂમિ પરિષદ પણ ભરાવી જોઈએ” સંગ્રહ પ્રગટ થયા છે એવા ભાઈલાલ કોઠારી, રમણ કેકારી, અને ‘પ્રથમ રંગભૂમિ પરિષદના પ્રમુખ તરીકે આ ક્ષેત્રના આદ્ય ગુલાબદાસ બ્રોકર, ચૂનીલાલ મડિયા, ઉમાશંકર જોષી તથા સુરેપ ક્રાન્તિકારી ચં. ચી. મહેતાને જ ચૂંટી કાઢવા’ એમ પણ કહ્યું. રંગજોષીનાં કાર્યને સંક્ષિપ્ત પરિચય આપી અંતમાં ઉમાશંકરભાઈ તથા ભૂમિના નિષ્ણાત થવા ઈચ્છનારાને ઉપયોગી સૂચનો કરી, તપ્તાસુરેશભાઈનાં થોડાંક નોંધપાત્ર મનાવ્યો રજુ કરી પોતાની મીમાંસા લાયકીવાળાં મૌલિક નાટોની અછતમાં ‘રૂપાંતરિત નાટકે ભલે પૂરી કરી. ભજવાતાં’ એમ જણાવી છૂટ મૂકી, પણ મૌલિક નાટકોના લેખન ને રંગભૂમિ વિભાગના પ્રમુખ શ્રી ધનસુખલાલ મહેતાએ ‘જની અદાકારી અંગે લેખકો ને રંગભૂમિના નિષ્ણાતોના સહકાર ઉપરાંત અને નવી રંગભૂમિ ઉપર વ્યાખ્યાન આપતાં જુનાં અને તાજાં સારા સારા નિષ્પક્ષપાત વિવેચકોને પણ અસ્તિત્વમાં આણવાની અનેક સંસ્મરણો રજૂ કર્યા. જન્મે કાયસ્થ અને કમે કલાકાર જરૂર ઉપર ભાર મૂકો. આ પ્રસિદ્ધ નાટકકારે પોતે છ વર્ષના હતા ત્યારથી પોતાને શિક્ષણ વિભાગના પ્રમુખ શ્રી જુગતરામ દવેએ કેળવણીરંગભૂમિને જે પરિચય થયો તેની અને રંગભૂમિ ઉપરના પિતાના દ્વારા ગ્રામ–સ્વરાજ્યને પ્રયોગ’ ઉપરના પિતાના વ્યાખ્યાનમાં કાર્યની અનેક વિગતે રજૂ કરતાં રંગભૂમિવિષયક કેટલાક મુદ્દાઓ કેળવણીક્ષેત્રના પિતાના અંગત અનુભવેનું મર્મસ્પર્શી ને વિચારપ્રેરક ચર્ચા. “કઈ રંગભૂમિ પ્રથમ શરૂ થઈ? વૈતનિક કે અવૈતનિક? બિયાન કર્યું. આપણા દુ:ખો અને વિકૃતિઓનું કારણ “આપણને આ એ કળાની શરૂઆત ધંધા તરીકે થઈ હશે કે આર્થિક દષ્ટિના કરતાં દેશમાં શુદ્ધ શાસ્ત્રીય એવું જીવન જીવવાની કળા કેઈએ શીખવી વિદના આકર્ષક સાધન તરીકે ?” એવા પ્રશ્નો ઊભા કરી નથી... આ કળા વગર આપણા સંક્ષિો તેમ જ નિરક્ષરા અનેક શુભ જુદા જુદા દેશોમાં નાટકની શરૂઆત ધાર્મિક કે સામાજિક અશુભ પ્રવાહથી ધસમસતા વિશાળ રાષ્ટ્રજીવનથી જાણે કે અસ્પષ્ટ ઉત્સવને પ્રસંગે ઉભવતા આનંદ-ઉલ્લાસને સ્વયંસ્ફર્નિથી પ્રકટ જેવા રહી જાય છે” એમ જણાવી, સ્વ. નાનાભાઈ ભટ્ટના શિક્ષક કરવાના સાધન તરીકે થઈ હશે એવું અનુમાન કરી, રમતગ- અને ગૃહપતિજીવનના આરંભકાળને એક અનુભવ જણાવ્યો જેમાં મતમાંથી ધંધો શરૂ થયો એમ જણાવીને એવા કલાકારોને અનેક પ્રકારની મુંઝવણ અને મથામણ અનુભવતાં નાનાભાઈએ મંદિરમાંથી અથવા રાજ્ય તરફથી પેટગુજારો મળવાની શકયતા વિદ્યાર્થીને ચેકડીમાં થઈ ગયેલ ઝાડે જાતે સાફ કર્યો હતે. રજૂ કરી. આપણે ત્યાં નાટકના આરંભની બાબતમાં એમણે કહ્યું વેડછી અને અન્ય આશ્રમમાં પતે તથા બીજા ‘બાપુધી કે “ભવાઈની પ્રેરણામાંથી નહિ પણ તે પ્રત્યેના તિરસ્કારમાંથી જીવનકળા’ કઈ રીતે ખીલવી રહ્યા છે તે દર્શાવતાં એમણે બાળશિક્ષણ આપણે ત્યાં નાની શરૂઆત થઈ એમ માનીએ તે બહુ ખાટું તથા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંગે નિવેદન કર્યું : “ આપણી નથી... આપણા ૧૯મી-૨૦ મી સદીના પ્રયોગો ઉપર ભવાઈની કેળવણી એવી હોવી જોઈએ, જે આપણા સમાજના એકેએક કિંઈ જ અસર નહોતી એ સત્ય હકીકત છે... ઉત્તર ગુજરાતના મનુષ્યના મનને નિર્ભય બનાવે, તેના હૃદયને વજ જેવું દઢ બનાવે, તરગાળાનાયકે-ભેજકે ભવાઈની સપાટ ભેય છેડીને મુંબઈ તેના જીવનને સત્યનિષ્ઠ બનાવે” એવાં હૈ રાધાકૃષ્ણનનાં જેવા શહેરોના ઊંચા તતા ઉપર આવ્યા, ત્યારે તેમને વંશપરંપરાથી વચને ટાંકી, “આપણી હાઈસ્કૂલ અને કૅલેજોમાં આપણે આ સાંપડેલી અભિનયની આવડત સાથે લેતા આવ્યા અને એ ઉદેશવાળી તેજસ્વી કેળવણી આપીએ છીએ શું?” એવો પ્રશ્ન તતા પર સારા ઝળક્યા, એટલું જ ત્રણ આપણને ભવાઈનું કર્યો હતો બુનિયાદી શિક્ષણ અંગેની એમની પ્રવૃત્તિઓ માટે Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૨-૬૬ એમણે કહ્યું: “અમે તે દેશનાં કિશોરો અને કિશોરીઓના ચારિત્ર્યનું અને તેમની સૂઝ-સમજનું ઘડતર થાય તેવી એક શિક્ષકપ્રણાલી ચલાવવા અને લોકપ્રિય બનાવવા મથી રહ્યા છીએ. કિશેરોના બાહુ મજબૂત થવા સાથે અનેક કળાઓ તેમની આંગળીઓમાં રમતી થાય, તેમની બુદ્ધિનું બંધારણ વિજ્ઞાન ઉપર રચાય, તેઓ જીવનમાં મહેનતુ અને સ્વાવલંબી રહી આપબળની, ખુમારીની તેજસ્વી કેળવણી લેવાના પાઠ શીખે, તેઓ શીખતા જાય તે સાથે દેશના નવનિર્માણનાં કામમાં પણ પિતાને ફાળો આપતાં જાય અને તે કામમાં પિતાના ઉત્સાહપૂર્ણ સહકારથી પ્રાણ પૂરતા જાય, આસપાસના જનસમાજમાં જીવન વિષે આશા અને ઉત્સાહ રેડતાં જાય એ દિશામાં અમે.. પુરુષાર્થ કરી રહ્યાં છીએ.” દેશને પૂણે ખૂણે ઉચ્ચ શિક્ષણના ફેલાવાની વાત અંગે એમણે કહ્યું: “ આપણે ચિતા કરવા જેવી વાત એ છે કે ગ્રામપ્રદેશમાં, વનપ્રદેશમાં અને તટપ્રદેશમાં હજુ એટલાં બધાં તરુણો અને તરુણીઓ ઊછરી રહ્યાં છે, જેમને પોતે ઉચ્ચ શિક્ષણ સુધી પિતાની લાયકાત કદી લઈ જઈ શકશે એવું સ્વનું પણ આવી શકતું નથી. એ સૌને માટે એવા શિક્ષણની કલ્પના પણ આપણાં આયોજનમાં કરવામાં આવતી નથી.. આવાં સૌને કેળવણીનું અમૃત પહોંચાડવાને ધર્મ આપણે બજાવતાં નથી તે મને ઘોર પાપરૂપ ભાસે છે..” એમણે કેટલાક પ્રશ્ન કર્યા : “આ બધા વિદ્યાપ્રવાહ હજુ શહેરોમાં જ કેમ અટકી પડયો છે? દર ચાર-પાંચ ગામ વચ્ચે એક ઉત્તર બુનિયાદી કેમ નહિ? દર તાલુકે અને પરગણે એક મહાવિદ્યાલય કેમ નહિ? અને દર બે ત્રણ તાલુકા વચ્ચે એક વિદ્યાપીઠ કેમ નહિ ? ” ભારતમાં શિક્ષણ વ્યાપક બનાવવામાં વિજ્ઞાન આપણી વહારે ધાશે એવી આશા સેવનારાઓને સ્પષ્ટતા કરી કે “વિજ્ઞાન આપણને ઊંચામાં ઊંચી ટોચે લઈ જશે ત્યારે પણ એમણે (વિલાયતે) શમ ઉપર અને શિક્ષણ પદ્ધતિના પરિવર્તન પર ભાર મૂકયો છે તે જ આપણો સાચો તરણાપાય થવાનો છે; આર્થિક દષ્ટિએ જ નહિ, શિક્ષણની ગુણવત્તાની દષ્ટિએ પણ.” આજની પરિસ્થિતિ અંગે એમણે કહ્યું : “પ્રતિષ્ઠાના અને મોટાઈના આપણા ખ્યાલે જ ફરી ગયા છે. સૌનું જીવનધોરણ સમાન હોય એમ આપણે ઈચ્છીએ છીએ. એક શિક્ષક ઈચ્છે છે કે તેનાં ઘરબાર, ખાનપાન, નોકરચાકર, એ બધું એક રાજાના સમાન, એક લખપતિના સમાન હોવું જોઈએ. એક શિક્ષક કે મજૂરના સાદા જીવન કરતાં રાષ્ટ્રપતિનું કે સર્વોચ્ચ ન્યાયાધીશ ખાનપાન આદિ વધારે ન હોય એવા આદર્શ રાખીએ તે તો આપણાં સ્વમાન-ગૌરવ-સાચવીને આપણે તે પ્રાપ્ત કરી શકીએ અને ઉત્તમમાં ઉત્તમ કેળવણી આપણે ગામડે ગામડે પહોંચાડી શકીએ.” કેળવણીના ક્ષેત્રમાં યુરોપીય ધોરણે લાગુ કરવાની ભૂલ ન કરવાનું સૂચવી વકતાએ આચાર્ય વિનોબાના શબ્દો ટાંકયાં : “નવા રાજ્યમાં જેમ જૂને ઝંડો એક દિવસ પણ ન ચાલી શકે તેમ નવા રાજ્યમાં જૂની તાલીમ પણ એક દિવસ માટે ન ચાલવી જોઈએ.” પત્રકારત્વ વિભાગના પ્રમુખસ્થાનેથી શ્રી બચુભાઈ રાવતે દોઢ સૈકાના ગુજરાતી પત્રકારત્વની વિવેચના કરી પત્રકારે લોકશિક્ષણનું યજ્ઞકાર્ય ઉત્તમ રીતે કયારે કરી શકે તેની ઉત્તમ મીમાંસા કરી હતી. આ જ સામયિકમાં પ્રવચન આપ્યું હવે પછીના અંકોમાં છપાવાનું છે, તેથી તેને અહિં સાર આપવાની મને જરૂર લાગતી નથી. સા. પ.ના આ અધિવેશનમાં જ અસ્તિત્વમાં આવેલા સમાજવિદ્યા વિભાગના પ્રમુખપદેથી શ્રી પોપટલાલ ગે. શાહે પિતાના વ્યાખ્યાનમાં સમાજવિદ્યાની તાલીમ માટે આગ્રહ કર્યો હતે. “એ માટે આપણી યુનિવર્સિટીઓ, કૅલેજો અને શાળાઓમાં પણ આપણી સામાજિક સ્થિતિને યોગ્ય ફેરફાર થવા જોઈએ. સમાજને ઊંચે ચઢાવવા માટે સમાજના ઊંચા થરનાં સ્ત્રી-પુરુષને એવી ટેવ પાડવાની સરળતા મળવી જોઈએ, કે જેથી તેમાં સમાજના પછાત વર્ગોની સેવામાં પોતાની નવરાશના સમયમાં મદદ આપી શકે. રાજ્ય તરફથી પછાત વર્ગોના - શિક્ષણ, ઉન્નતિ અને વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં યોગ્ય કાર્યકરોની ઊણપને લીધે ઘણાં નાણાં વ્યર્થ જાય છે.. એવી અસંખ્ય જાતિઓને સુધારવા માટે દઢ વૃત્તિવાળા, સમજશકિતવાળા અને દૌર્યશીલ કાર્યકરોની જરૂર છે.” તે માટે ગામે ગામ Social work ના Diploma classesની હિમાયત વકતાએ કરી. સમાજવિધા, સમાજકલ્યાણ અને સામાજિક કાર્યની તાલીમ વધારે વ્યાપક કરવાના પ્રશ્નને એમણે મુખ્ય ગણ્યો. સરકાર, સમાજસંરક્ષણ સંસ્થાઓ, સ્ત્રીમંડળો તથા મુખ્યત્વે ગુજરાત સંશોધન મંડળના આ દિશામાંના પ્રયત્ન અને સેવાઓની સમીક્ષા કરી. જ્ઞાતિની ઉત્પત્તિના ઈતિહાસ, જ્ઞાતિબળનું ઊર્ધ્વકરણ, સામાજિક અર્થશાસ્ત્ર સંબંધી વિચારપૂર્વક સંશોધન, ઔદ્યોગિક વ્યવસ્થા, પગારધોરણોની અસમાનતા વગેરે બાબત છેડી વકતાએ “આપણી સમાજવિઘાને વિકસાવી, સમાજકલ્યાણના આદર્શોને પ્રચાર કરવાનું અને તેમને અમલમાં મૂકવાનું કાર્ય કરવું પડશે.” એ ઉદઘોષ કર્યો હતો. વિભાગીય પ્રમુખના પ્રવચને પત્યા પછી સૂરત જૈન પુસ્તક ભંડારો તરફથી સંમેલન અને પરિષદના અગ્રણી કાર્યકરોને સત્કાર શહેરના શ્રી દેવચંદ લાલચંદ પુસ્તકાલય ખાતે થયો હતો, જેમાં સાહિત્યકારો અને સંશોધકોએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. બપોરે સાયન્સ કૅલેજના જુદા જુદા ખંડોમાં એક સાથે વિભાગીય બેઠકો મળી હતી જેમાં સાહિત્ય, શિક્ષણ, અને પત્રકારત્વ વિભાગોમાં નિબંધવાચન થયું હતું, જ્યારે રંગભૂમિ અને સમાજવિદ્યા વિભાગેમાં પરિસંવાદોની યોજના હતી. શ્રેતાઓને ધસારો' રંગભૂમિ વિભાગમાં થતાં ત્યાં ખંડના દરવાજા બંધ કરાવી દેવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. - સાંજે અધિવેશનખંડમાં ‘સર્જક કલાકારો અને આજના જગતની ચેતના” એ વિષય ઉપર યોજાયેલા પરિસંવાદમાં સર્વશ્રી જયંતી દલાલ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ગુલાબદાસ બ્રોકર તથા સિતાંશુ મહેતાએ ભાગ લીધો હતો. સંચાલન શ્રી ઉમાશંકર જોષીએ કર્યું હતું. આ વિષે હવે પછી. ક્રમશ: ભૂપેન્દ્ર ત્રિવેદી આચાર્ય રજનીશજીનાં ટેપ રેકર્ડ કરેલાં પ્રવચન જીવનજાગૃતિ કેન્દ્રના મંત્રીઓ જણાવે છે કે આચાર્ય રજનીશજીનાં મુંબઈ તથા અન્ય સ્થળોએ અને સાધના શિબિરોમાં થયેલાં પ્રવચને જે ટેપ રેકર્ડ કરી લેવામાં આવ્યાં છે તે સાંભળવા માટે જીવનજાગૃતિ કેન્દ્ર તરફથી મુંબઈમાં નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લાભ લેવા દરેક જિજ્ઞાસુ ભાઈ - બહેનને નિમંત્રણ છે. સ્થળ : મરીનલાઈન્સ સ્ટેશનની પશ્ચિમે, અણુવ્રત સભાગાર. સમય : દર અંગ્રેજી મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે, - રાત્રે ૭-૦ ૦. વિષયસૂચિ મહામના લાલબહાદુર શાસ્ત્રી : શ્રી ગગનવિહારી લ, મહેતા ૧૯૧ એક મૂલ્યાંકન. પૂરક નોંધ: શાસ્ત્રીજી અને પરમાનંદ ૧૯૨ રામનાથ, શાસ્ત્રીજી અને ટાંગાવાળો, શાસ્ત્રીજી અને તેમને બાળ-હરિ, શાસ્ત્રીજી વિશે શ્રી. ડી. આર. માંકર, ખુદા હાફિક્ઝ. દશમુદ્દા ઐતિહાસીક તાશ્કેદ જાહેરાત ૧૮૩ મહાપ્રસ્થાનના પથ પર–પ પ્રબોધકુમાર સન્યાલ ૧૯૪ પ્રક્ષનેતા તરીકે શ્રીમતી પરમાનંદ ૧૯૭ ઈન્દીરા ગાંધીની વરણી ગુજરાતી સાહિત્ય પરિષદ,. ભૂપેન્દ્ર ત્રિવેદી ૧૯૯ ઐવિશમું અધિવેશન, સૂરત. માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંઘઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩. મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #35 -------------------------------------------------------------------------- ________________ @ प्रजुद्ध भवन શ્રી મુ`બઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જૈન’તુ નવસસ્કરણ વર્ષ ૨૭ : અંક ૨૦ મુંબઈ, ફેબ્રુઆરી ૧૬, ૧૯૬૬, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ભસ્મ વિસર્જનની ક્રિયામાં ઐચિત્ય કેટલું ? ✩ મારી વાત અંગે મોટી ગેરસમજૂતી ઊભી થવાનું જોખમ વહારીને પણ મને લાગે છે કે આપણા દેશના મહાન નેતાઓ અને શાસકોના દેહવિસર્જનની બાબતમાં ઊભી થયેલી પ્રણાલિકાના વિરોધમાં ઉચ્ચારાતી વાતમાં હું પણ સૂર પુરાવ્યું. માનવી પોતાના જીવનકાળ દરમ્યાન ગમે તેવા મહત્ત્વપૂર્ણ હાયતા યે એના અવસાન પછી એને દેહ સંપૂર્ણપણે ને એક માત્ર રીતે એના કુટુંબનો બની રહે છે. સામાન્ય નિયમ તરીકે તે કુટુંબના રૂઢિ રિવાજ કે પ્રણાલિકા પ્રમાણે એની ગતિ થાય, જો કે વ્યકિતએ પેાતાના દેહ વિષે અગાઉથી કશી સૂચનાઓ આપી હોય તે તેના અમલ થાય. મને લાગે છે કે આ વાત સૌ પ્રથમ મહાત્મા ગાંધીની કરૂણ હત્યા પ્રસંગે ઊભી થઈ હતી. સરકારે આગળ પડી એમના દેહનો કબજો લઈ લીધા ને તે પછી જે કંઈ થયું એની સાથે એમના કુટુંબને જાણે કશી ખાસ લેવાદેવા ન હતી એ રીતે વર્તાયું. સ્વાભાવિક હતું કે એવા મહાન નેતાની વિદાય વેળાએ અંજલિ આપવા માનવમહેરામણ ઊમટે, પરંતુ જ્યાં દેહની અંતિમ ક્રિયાના જ સવાલ હતા ત્યાં કુટુંબને જ આગળ આવવા દેવું જોઈતું હતું. પણ તેમ બન્યું ન હતું. મહાત્મા ગાંધીની રાષ્ટ્રસન્માનિત સ્મશાનયાત્રા નીકળી હતી. એમાં લશ્કર પાતાની સઘળી રૂઢિઓ અને સઘળા કાફલા સાથે હાજર હતું. બંદૂકો ઊંધી કરી દેવામાં આવી હતી અને એવી બીજી રૂઢિઆને અનુસરવામાં આવી હતી. મહાત્મા ગાંધી અત્યંત વિશિષ્ટ વ્યકિત હતા અને એમના કિસ્સાને પણ વિશિષ્ટ ગણવો જોઈએ. પરંતુ ત્યાર પછી બીજા કિસ્સાઓમાં આ શિરસ્તા બની ત જવા જોઈએ. ૧૬ વર્ષ પછી એમના મહાન અનુગામી જવાહરલાલ નહેરુ મૃત્યુ પામ્યા. અને એમની પ્રતિષ્ઠા રાષ્ટ્રીય જીવનમાં જ નહીં, આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ ગાંધીજી કરતાં જરાયે વિશેષ ઓછી ન હતી. પરિણામે એ આખીયે પ્રક્રિયાનું પુનરાવર્તન થયું અને એમની અત્યંષ્ટિ ક્રિયા લશ્કરી દોરદમામ અને ગંભીર ઔપચારિકતા સાથે કરાઈ. એમના કુટુંબના સભ્યો ત્યાં હાજર હતા, પણ તેઓ ચિતાને આગ ચાંપી શકે તેટલાં નજીક ન હતાં. દેખીતી રીતે જ તેમને ફાળે ઘણું ઓછું કામ હતું. સરકારે સઘળું હાથમાં લઈ લીધું અને કુટુંબની સલાહસૂચના લીધા વગર જ અસ્થિકુંભને એકલા પ્રયાગમાં જ નહિ પરંતુ દેશના વિવિધ સ્થળોએ મોકલી આપવાની વ્યવસ્થા કરી દીધી. એમ કહી શકાય કે એમના વીલમાં જવાહરલાલે એવી ઈચ્છા વ્યકત કરી હતી કે તેમની રાખ ધરતીની માટીમાં ભળી જાય તે રીતે વિખેરી દેવી. જોકે એ વીલમાં એ સ્પષ્ટ નથી કે એમની ઈચ્છા પૂરી કરવાનો ભાર જેમને માથે હતા એમણે એ એરોપ્લેન દ્વારા પૂરી કરવી કે કેમ. ગમે તેમ હોય, ગમે તેટલા સમૃદ્ધ કે સાધનસંપન્ન કુટુંબ માટે પણ મરનારની ઈચ્છાઓ પૂરી કરવાનું એ ✩ કામ શકય બન્યું ન હાત. તે સરકાર માટે શક્ય છે અને એ પણ રાજ્યને ખર્ચે જ! બે વર્ષ વીત્યાં હશે અને જવાહરલાલના અનુગામી આપણા બહુ જ પ્રિય શ્રી લાલબહાદુર શાસ્ત્રીને વિદેશી ભૂમિ પર દુ:ખદ અને એકાએક અંત આવવાથી વધુ દુ:ખદ ઘટના સર્જાઈ. યુજમાન દેશે તેમના મૃતદેહને સ્વદેશ માકલ્યો, પરંતુ એક વખત દિલ્હીમાં તે આવી ગયા પછી પેલી રૂઢ થતી જતી બધી જ જૂની પ્રણાલિકાએનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું અને જવાહરલાલના મૃત્યુ પ્રસંગે જે વિધિઓને વિસ્તૃતપણે અનુસરવામાં આવી હતી તેનું લાલબહાદુર શાસ્ત્રીના કિસ્સામાં પુનરાવર્તન થયું. મારો ખ્યાલ છે ત્યાં સુધી આ બાબતમાં કુટુંબને બહુ લક્ષમાં રાખવામાં આવ્યું ન હતું. કુટુંબની ઈચ્છાઓનું પાલન થયું ન હતું અને જે બધું થયું તેમાં કુટુંબને બહુ ઓછા ભાગ ભજવવાના હતા, ગમે તે થયું, પરંતુ જે વાત આજે મને બહુ દુ:ખ પેદા કરી રહી છે તે દેશના જુદા જુદા સ્થળે મૃતમાનવીની ભસ્મ વિસજૈન કરવાના જે રિવાજ અને પ્રણાલિકા સ્થાપિત કરવાનો પ્રયાસ થયો છે તે અંગે છે. ધાર્મિક માન્યતા અને રાજકીય દષ્ટિબિંદુને માન આપીને આ સ્થળની પસંદગી કરવામાં આવી હશે. સવાલ એ છે કે આ વસ્તુ યોગ્ય છે કે કેમ અને આ બધા કાર્યમાં રાજ્ય સક્રિય રીતે રસ લઈ રહ્યું છે તે માટે કોઈ સત્તાવાર મંજૂરી આપવાની જરૂર છે કે કેમ ? જો લોકો પોતાના મૃત સગાવહાલાંઓની ભસ્મને દેશના દૂરદૂરના ભાગોમાં મેાકલવા કે લઈ જવાનું ચાલુ કરે તે તેમાંનાં ઘણાં પોતાની સંપૂર્ણપણે બેહાલી કરી બેસશે. એ ભૂલવું ન જોઈએ કે મિલ્કતવેરા હેઠળ અંતિમવિધિ માટે વધુમાં વધુ રૂા. એક હજા રના ખર્ચ મંજૂર રાખવામાં આવ્યો છે. સરકાર લાખો રૂપિયાના જાહેર નાણાંના આટલા બધા ખર્ચ શી રીતે કરી શકે અને પોતાના જ કાનૂનને વેગળા મૂકે તે હું સમજી શકતો નથી. જ્યાં લાગણીના પ્રશ્ન હોય ત્યાં પૈસાના મુદ્દો ઊભા કરવા એ હંમેશાં અઘટિત છે. છતાં હું માનું છું કે બિનજરૂરી દુર્વ્યય .દૂર થવા જોઈએ. સરકાર જો આ પદ્ધતિ ચાલુ રાખશે તેા એક મુંઝવણભરી પરિસ્થિતિના તેણે સામનો કરવા પડશે કે જ્યારે જુદા જુદા લોકો પોતાનાં સગાંવહાલાંઓની ભસ્મનું વિસર્જન કરવા માટે, રાજ્યે આપણા મહાન વડાપ્રધાનો જેઓ આપણા મહાન દુ:ખ વચ્ચે ઝડપથી પસાર થઈ ગયા છે તેમની જેમ છૂટછાટો માગશે. આ પ્રક્રિયા ખચિતપણે બંધ થવી જોઈએ અને મૃત્યુ પામેલાના શબા, પછી તે ગમે એટલા મહાન હોય તે મેં કેટલીક ખાસ વિધિઓ કે જેને વડાપ્રધાનો કે અન્ય ઉચ્ચ પુરુષોના સન્માન માટે રાજ્ય જરૂરી માનતું હોય તે પતાવીને તેમની અંતિમ વિધિ માટે તેમના કુટુંબીઓને સોંપી દેવા જોઈએ. સરકારના સભ્યો તથા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-ર-૬૬ અન્ય વ્યકિતએ ખાનગી વ્યકિતઓ તરીકે આ શોક–પ્રસંગમાં જોડાઈ શકે. રાષ્ટ્રપતિનું પ્રસાદપૂર્ણ પ્રવચન જે રીતે થઈ રહ્યું છે તેથી હું ચોક્કસ રીતે દુ:ખી છું અને (પ્રજાસત્તાક દિન તા. ૨૬મી જાન્યુઆરીના રોજ ઑલ ઈન્ડિયા મારો અવાજ ગમે તેટલો નિર્બળ હોય છે કે મારે અવાજ ઉઠાવ રેડિયો ઉપરથી પ્રસારિત કરવામાં આવેલા રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનના જોઈએ. (“સંદેશ સાપ્તાહિકમાંથી સાભાર ઉધૃત) શ્રી શ્રી પ્રકાશ પ્રસન્નગંભીર અને પ્રસાદપૂર્ણ પ્રવચનને અનુવાદ જગ્યાના અભાવે પૂરક નોંધ આગળના અંકમાં પ્રસિદ્ધ કરી શકાય નહોતો. એ અનુવાદ જરા મૃતદેહને અન્તિમ નિકાલ અગ્નિસંસ્કાર વડે જેમ બને મોડો પ્રસિદ્ધ થાય છે, તેમ છતાં તેની મૂલ્યવત્તા કે સામયિક તેમ જહિદથી કરવો એ પ્રકારની પરંપરા સ્વીકારવા સાથે મહત્વમાં કશો પણ ફેર કે ઘટાડો થતો નથી. આવું સુંદર અને માર્ગદર્શક મૃતદેહ કે તેના અવશેષનું તેમ જ ભસ્મીભૂત થયેલા દેહની ભસ્મ પ્રવચન આપણને ઘણા લાંબા વખતે પ્રાપ્ત થયું છે. તંત્રી) કે અસ્થિનું કશું પણ મહત્ત્વ નથી એ પ્રકારની ધારણાને સ્વીકાર આ ૧૭ મા પ્રજાસત્તાક દિન ઉપર, ભારતમાં તેમ જ ભારત રહેલો જ છે. આમ છતાં આચારમાં હિન્દુઓ કે જેમણે અગ્નિ- બહાર વસતા આપણા પ્રજાજને જોગ થોડા થોડા શબ્દો કહેવાને સંસ્કારની પ્રથા સૈકાઓથી અપનાવી છે તેમના દિલમાંથી અસ્થિનું અવરસ મળતાં હું આનંદ અનુભવું છું. મહત્ત્વ હજુ પણ નાબૂદ થયું નથી આ ભારે આશ્ચર્યજનક છે. તાજેતરમાં પૂરું થયેલું વર્ષ આપણા માટે ભારે વિષમતાભર્યું આમાં પણ ઉપરના લેખમાં જેને ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે. નિવડયું છે. શ્રી લાલબહાદુર શાસ્ત્રી જેમનું નામ ઈતિહાસમાં ચિરમુજબ ગાંધીજીના અવસાન સાથે ભસ્મવિસર્જનની જે નવી પદ્ધતિ સ્મરણીય બની ગયું છે તેમને આપણે ગુમાવ્યા છે. માનવીને શરૂ થઈ છે અને જે પદ્ધતિન પંડિત જવાહરલાલજી તથા લાલ લોકો યાદ કરે છે તે તેમની ધનસંપત્તિ માટે નહિ, તેમના સત્તાબહાદુર શાસ્ત્રીના મૃતદેહની ભસ્મ અંગે અમલ કરવામાં આવ્યો છે, પ્રભાવ માટે નહિ, જે મહાન અધિકારણે તેમણે ભેગવ્યા હોય તે માટે એટલું જ નહીં પણ, ગુજરાતના પ્રધાનમંત્રી સ્વ. બળવત્તરાય નહિ, આ બધું ક્ષણભંગુર છે. બહાદુરી ભરેલાં પરાક્રમો અને લોકોના મહેતાના દેહાવશેષની ભસ્મ અંગે નાના પાયા ઉપર પણ જે પદ્ધતિનો દિલમાં ખળભળાટ પેદા કરતી ઘટનાઓ પણ સમય જતાં વિસરાઈ અમલ કરવામાં આવ્યો છે તે પદ્ધતિ અને તે પાછળ કરવામાં જાય છે. આપણી પાછળ નૈતિક મહત્તા દાખવતું જે કોઈ દષ્ટાંત આવતો અનર્ગળ દ્રવ્યવ્યય આજના તબકકે ખાસ વિચારણા માગી મૂકી જઈએ તે જ માત્ર ટકે છે, ચિરસ્મરણીય બને છે. લે છે. એ ભસ્મને અને એ અસ્થિને મૃતાત્માની ભવ્યતા સાથે | શ્રી લાલબહાદુર શાસ્ત્રી ભારતની પ્રજાના એક મહાન સેવક કશો જ સંબંધ હોઈ ન જ શકે એમ તાર્કિક વિચારણા દ્વારા કોઈને પણ હતા અને શાંતિ અને પ્રગતિને તેમનું સમગ્ર જીવન સમર્પિત હતું. સહજ સમજાય તેવું છે. આમ છતાં કોઈ પણ પયગંબરની દાઢ, પાકિસ્તાન સાથે થયેલા કમનસીબ સંઘર્ષ દરમિયાન ન્યાયપૂર્ણ એવા અરિથ કે બાલની પવિત્રતા અંગે ચાલી આવતો વહેમ આજે આ આત્મરક્ષણના કાજે બળને ઉપયોગ કરતા તેઓ અચકાયા નહોતા. ભસ્મવિસર્જનના વિધિ સાથે નવા આકારે જીવતો થાય છે અને આપણાં સશસ્ત્ર દળેએ હિંમત અને હોશિયારીભર્યા શૌર્ય અને જીવનઆવી બાબત પાછળ રહેલી લોકમાનસની ઘેલછા નવા નવા રૂપે સમર્પણ દાખવતા અનેક પરાક્રમ વડે પોતાની આબરૂ અને પ્રગટ થાય છે. આ વહેમ અને આ ઘેલછા આગળ વધવા ન પામે પ્રતિષ્ઠા વધારી છે. એ એક ભારે કરુણતા છે કે જેમ માનવીના તે ખાતર તે સામે લાલબત્તી ધરવાની ખાસ જરૂર ઊભી થઈ છે. જીવનમાં તેમજ પ્રજાના જીવનમાં, આપણે શાંતિના રાહ ઉપર " આમ મૃતદેહ અને તેના અવશેષોને એક યા બીજા પ્રકારે મહત્વ સ્થિર થઈએ તે પહેલાં, કેટલીકવાર બળને ઉપયોગ કરવાની અને આપતા વિશાળ જનસમુદાયમાં, મારી જાણ મુજબ, જૈન સમુદાય માત્ર યુદ્ધો ખેલવાની આપણને ફરજ પડે છે. સોવિયેટ યુનિયન અને તેના એક એવો સમાજ છે કે જેને આ બાબતને લગતે આચાર તેમ જ પ્રધાનમંત્રી કોસિજીનને આપણે આભાર માનીએ કે પાકિસ્તાનના વ્યવહાર કેવળ વૈજ્ઞાનિક અને તર્કશુદ્ધ છે. જેના અન્ય આચાર પ્રમુખ અને આપણા પ્રધાનમંત્રી, જયાં જ્યાં શક્ય હોય ત્યાં વ્યવહારમાં વહેમ અને અંધશ્રદ્ધાને નાનું મોટું સ્થાન હશે, પણ ત્યાં પરસ્પરના મતભેદોને ચર્ચાદ્રારા નિકાલ લાવવા માટે તાશ્કેદ મૃતદેહ અંગે તેને સ્પષ્ટ સમજણ છે કે દેહમાંથી ચેતનાનું વિસર્જન ખાતે એકઠા થયા. શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ અભુત સ્વસ્થતાને અને થયા બાદ તેમાં અને અન્ય જડ પદાર્થમાં કશે પણ તફાવત રહેતો શાંતિસાધના પ્રત્યેની એકાંત નિષ્ઠાને આપણને પરિચય કરાવ્યું. નથી અને એ દેહને વધારે સમય રાખી મૂકવામાં આવે છે તે તાશ્કેદના જાહેરનામાદ્વારા બન્ને સરકારોએ પોતપોતાની સર્વ સમસ્યાઓની હવે પછીના શાંતિ અને સદભાવભર્યા વાતાવરણમાં ફલવા માંડે, ગંધાવા માંડે તેથી તેને અગ્નિસંસ્કાર દ્વારા જેમ બને તેમ જદિથી નાશ કરવો એ જ માત્ર કર્તવ્ય રહે છે. મૃતદેહને ચર્ચા - વાર્તા કરવાને પોતાને ઈરાદો જાહેર કર્યો છે. અગ્નિસંસ્કાર કર્યા બાદ જૈને નથી તેમાં અવશેષ રહેલા અસ્થિને જાહેરનામું સંચય કરતા કે નથી તેની ભસ્મનું નદી યા દરિયામાં વિસર્જન આ જાહેરનામું એક સંપૂર્ણ દસ્તાવેજ છે એમ કોઈ દાવો કરી કરતા. અને મુતદેહના નિકાલ અંગે આ જ એક તર્કશુદ્ધ માર્ગ છે. - શકે તેમ નથી. તેની અંદર લેવડ-દેવડનાં, બાંધછોડ અને સમાધાનીનાં અને આથી અન્યથા વિચારવું કે વર્તવું એક અર્થશૂન્ય ભાવુકતા કે તત્ત્વ રહેલાં છે. પણ આપસઆપસના ઝઘડાઓ મીટાવવા માટે લાગણીઓનું બેવકૂફીભર્યું વેવલાપણું છે. આજના વૈજ્ઞાનિક યુગમાં બળને ઉપયોગ કરવાને ઉભય પક્ષે સ્પષ્ટ ઈનકાર, ગ્રસ્ત્રવિરામની આ વિચાર પૂરો સ્પષ્ટ થવા જોઈએ અને સંપૂર્ણ અંશમાં સ્વીકાર્ય હરોળનું પાલન અને આંતરિક બાબતમાં દરમિયાનગીરી નહિ કરવાની બનવો જોઈએ. કબુલાત - આટલી બાબતને પ્રામાણિકપણે અમલ કરવામાં આવે તો - આમ છતાં ભલે મૃતદેહ અંગે આવી વિવેકજાગૃતિ પેદા તે દ્વારા મૈત્રીભર્યું વાતાવરણ જરૂર પેદા થશે અને સારા પાડોશી થતાં વાર લાગે. વિવેક મુજબ વ્યવહારમાં પરિવર્તન આપણે ઈચ્છીએ તરીકે રહેવામાં તે મદદરૂપ થશે.' તે મુજબ સિદ્ધ થતું નથી. પણ ગાંધીજીથી માંડીને લાલબહાદુર જો કે યુદ્ધ માત્રને સદાને માટે જો અંત આવે તો તેના જેવું શાસ્ત્રી સુધી જે ભસ્મવિસર્જનને દબદબાભર્યો વિધિ શરૂ થયો છે બીજું રૂડું શું? પણ, જ્યાં સુધી ઈર્ષ્યા, કટુતા, ભય અને રાષ્ટ્રીય અને તે પાછળ સરકાર કે પ્રજા જે પુષ્કળ દ્રવ્યને વ્યય કરે છે તેની તે એકાએક અટકાયત થવી જ જોઈએ. સરકારે આ બાબત રાગદ્વેષ માનવીના દિલમાં અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી અંતિમ અંગે હવે પછીના આવા પ્રસંગો માટે પિતાની નીતિ સત્વર નકકી ધ્યેય દૂરનું દૂર જ રહેવાનું. તાશ્કેદનું જાહેરનામું સુલેહશાંતિના વિકટ કરવી જોઈએ અને તેની યોગ્ય જાહેરાત કરવી જોઈએ. પરમાનંદ માર્ગે આગળ લઈ જનારું એક ભારે મહત્ત્વનું પગલું છે. પાકિ Page #37 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૨-૧૯ પ્રબુદ્ધ જીવન ૨૦૩ સ્તાન સાથેના આપણા સંબંધોમાં એક નવા પ્રસ્થાનની આશા જાગૃત કરે છે. આપણા કાર્યમાં આપણે વિનમ્રતાપૂર્વક આગળ વધીએ. નાનાં રાષ્ટ્રો સાવ નિર્દોષ હોતાં નથી તેમ જ મહાન રાષ્ટ્રો કદિ ભૂલ ન જ કરે એમ પણ હોતું નથી. ૧૯૬૪ ના જૂનમાં આપણે નહેરુથી શાસ્ત્રી પ્રત્યેનું પરિવર્તન સરળપણે સાધી શકયા. એ આપણી લેકશાહીની તાકાતનું દ્યોતક છે. ગયા અઠવાડિયા દરમિયાન શિદતા, ગૌરવ અને વ્યવસ્થિતતાપૂર્વક શાસ્ત્રીના અનુગામીની આપણે પસંદગી કરી શકયા એ પણ એટલું જ ગૌરવપ્રદ છે. આ ચૂંટણી સ્પર્ધાયુકત હતી અને તેનું સંચાલન આપણા જાહેર જીવનમાં વ્યાપેલી ઉચ્ચ કોટિની સભ્યતાના વિજયરૂપ હતું. બન્ને ઉમેદવારો કશી પણ કટુતા કે લુષિતતાથી મુકત હતા. તેઓ બન્ને દેશના ચાહક છે અને આપણા આદર્શોના પૂજક છે, અને આપણી સામે જે ભવ્ય અને ભીષણ સમસ્યા છે તેને પહોંચી વળવામાં આપણા લોકો એકરૂપ બની રહેશે એવી આપણી શ્રદ્ધા છે. આપણે આશા રાખીએ કે ભવ્ય આદર્શવાદના વાતાવરણમાં જે ઉછરેલ છે તેવા આપણા નવા સુકાનીથી સંચાલિત થનાર નવી સરકાર સ્વાતંત્ર્ય અને લેકશાહીની મશાલને આગળ ને આગળ લઈ જશે, સતત પ્રજવલિત રાખશે અને સામાજિક, આર્થિક તેમ જ રાજકીય ક્ષેત્રે, જ્યાં જ્યાં અન્યાય હશે ત્યાં ત્યાં, તે અન્યાયને ર્ય, પ્રામાણિકતા તથા અનુકંપાપૂર્વક સામને કરશે. બીજી સમસ્યાઓમાં પણ અન્ન-સમસ્યા તરફ સરકારે તરતમાં જ પોતાનું ધ્યાન અને શકિત કેન્દ્રિત કરવાનાં રહેશે. - આજની દુનિયા ધનતૃષ્ણા કે પરિગ્રહના કારણે એટલી બધી હેરાન પરેશાન નથી, જેટલી હેરાન પરેશાન સત્તાની ભૂખના કારણે થઈ છે. માનવીની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવા માટે, પરસ્પરના હક્કોનું રક્ષણ કરવા માટે, માનવી જીવનની પરિપૂર્તિ અર્થે જરૂરી તકો અને સગવડોની પુરવણી તથા વૃદ્ધિ કરવા માટે પ્રતિનિધિત્વયુકત લેકશાહીની વૈજના કરવામાં આવી છે. તેની સફળતા માટે એવા જવાબદાર લોકનેતાઓની જરૂર છે કે જેએ, જે સ્વતંત્રતા હજારો નિષ્ઠાવાન નરનારીઓની બહાદુરી અને બલિદાન વડે પ્રાપ્ત કરવામાં આવેલ છે તે સ્વતંત્રતાને દષ્ટિ અને કલ્પના વડે સુરક્ષિત રાખવા અંગે સતત પ્રયત્નશીલ હોય અને ભેડા લોકો જ સ્વાર્થ પ્રેરિત દરમિયાનગીરી કે દખલગીરીના કારણે મેળવેલી સ્વતંત્રતાને જરા પણ હાનિ ન પહોંચે એ અંગે જેઓ સતત જાગૃત હોય. આપણા નેતાઓએ લોકોને દોરવણી આપવી ઘટે અને નહિ કે લોકોથી તેમણે દેરવાવું ઘટે. લોકો ક્ષણિક આવેશને વશ બની ન જાય અથવા તો જે તે બાબત અંગે મીજાજ ગુમાવી ન બેસે એ પ્રકારે તેમને આપણા નેતાઓએ કેળવણી આપવી જોઈએ. જે લેશાહીના પાયામાં રહેલું સ્વાતંત્ર્ય આપણે હસ્તગત કર્યું છે તે સ્વાતંત્ર્યનું મૂલ્ય તેમ જ તેની નાજુકતા–બન્નેની બરોબર કદર કરવામાં આવે એવી તેમને આપણે તાલીમ આપવી જોઈએ. આપણી લોકશાહી આત્માની ગુલામીની-વ્યકિતગત દાસત્વનીકટ્ટર વિરોધી છે. માનવીનું સંસ્થા વડે દમન થવું ન ઘટે, સત્તા અમુક ગણીગાંઠી વ્યકિતઓના હાથમાં કેન્દ્રિત થવી ઘટે, રાજનીતિ એવી હોવી ન ઘટે કે જે અન્યને તિરસ્કાર કરવાને આપણને આદેશ આપે, માનવીનું જીવન યંત્રવત – રોબેટ જેવું બની જવું ન જોઈએ. આપણા દેશને આપણે ચાહીએ છીએ- એટલા માટે કે આપણે પ્રેમ અને સત્યના ચાહક છીએ. સાચો કે ખેટ મારો દેશ એ મારો દેશ - આવો કોઈ સવાલ જ નથી. આપણા દેશ અંગે આપણા ચિત્તમાં જે ભાવાત્મક ચિત્ર છે તે ચિત્રને - તે છબીને – આપણા દેશ મૂર્ત કરે એ જ ખરો પ્રશ્ન છે. . ! સમાજના આપણા સમાજ પ્રત્યે આપણી વફાદારી અને નિષ્ઠા હોવી જ જોઈએ, કારણ કે તે દ્વારા આપણને અમુક સગવડો મળે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - એ જે ચાર પુરુષાર્થ છે, માનવજીવનનાં જે મુખ્ય ધ્યેય છે તે સિદ્ધ કરવામાં તે દ્વારા આપણને સહાય પ્રાપ્ત થાય છે. આ હેતુઓ સિદ્ધ કરવા માટે, સ્વતંત્ર અને સર્જનાત્મક વ્યકિતત્વ પેદા ભરવા માટે, દેશમાં વ્યાપી રહેલ ભૂખમર, અપૂરતું પોષણ, વ્યાપક બીમારી, નિરક્ષરતા, સામાજિક અસમાનતાઓ અને ઔદ્યોગિક પછાતપણું – આ સર્વના આપણે અંત લાવવાનું રહે છે. માનવીને માનવીથી વધારે મહત્ત્વનું બીજું કશું છે જ નહિ. આપણી લેકશાહીનાં પરિણામો આપણાં ગામડાંઓમાં, ખેતરોમાં અને ફેકટરીમાં, નિશાળામાં અને ઈસ્પિતાલમાં પ્રત્યક્ષ થવાં જોઈએ. એ દિવસ દૂર નથી કે જ્યારે દુનિયા શિક્ષણ, આરોગ્ય, વસવાટ અને નાનાં, ઘરડાં તેમ જ અસહાય લોકોની સારસંભાળને સૌથી વધારે મહત્વ આપશે. આપણે જીવનની બાહ્ય પરિસ્થતિમાં સુધારો કરીએ તે પણ માનવીના આંતરજીવનની આપણે ઉપેક્ષા કરી ન જ શકીએ. તેની અસંયમી પ્રકૃતિ, તેનામાં રહેલાં આસુરી બળે-આ જ તેનાં મુખ્ય શત્રુઓ છે. આપણે કામનાઓને અને વાસનાઓને અને ભેગલક્ષીવૃત્તિઓને ખૂબ ઉત્તેજન આપીએ છીએ. પ્રેમ એટલે કે દિલની અનુકંપા આ દુનિયામાં વિરલ બનતી જાય છે. તે વધારે વ્યાપક તેમ જ વધારે ઊંડાણવાળી બને એ અત્યંત આવશ્યક છે. ' * સદિચ્છા | સર્વ કોઈ સદિચ્છા-શુભ ભાવ–ધરાવતા માનવીઓના દિલમાં શાંતિની ઝંખના રહેલી જ હોય છે. આપણી સમસ્યાઓ હલ કરવા માટે આપણને આંતરબાહ્ય - ઉભય પ્રકારની – શાંતિની જરૂર છે. જો માનવીની સભ્યતા દ્વારા વિકસેલાં મૂલ્ય ટકાવવા હોય તે આપણે આપણા પાડોશીઓ સાથે સમાધાનીપૂર્વક રહેતા શીખવું જોઈએ અને વિશ્વબંધુત્વની દિશામાં કાર્ય કરતા થવું જોઈએ. આજના વિચારશીલ માનવીઓની ગંભીર સંવેદનાત્મક ચિતા દુનિયાની વર્તમાન સ્થિતિ પરત્વે છે. આપણે દુનિયાની સામે જોતાં જે ઊંડી બેચેની અનુભવતા હોઈએ તે એ એટલું જ સૂચવે છે કે આ દુનિયા કોઈ એક મહાન પરિવર્તનને ઝંખી રહેલ છે. આપણે તે પરિવર્તનને અડકીને ઉભેલા છીએ અને તે કારણે ન સમજી શકાય એ કંપ અનુભવીએ છીએ. આ પરિવર્તન આપણને અમાપ આબાદી તરફ આગળ લઈ જનારૂં છે કે જંગલીપણા તરફ પાછળ લઈ જનારૂં છે તેને આધાર વિજ્ઞાન અને ટેકનોલોજી (તંત્રવિદ્યા) ની અદ્ભૂત સિદ્ધિઓને આપણે કે ઉપયોગ કરીએ છીએ તેના ઉપર રહે છે. આપણી આગળ પૂરતા પ્રમાણમાં સફોટક સામગ્રી છે કે જે આ દુનિયામાં સમગ્ર જીવનને અંત આણવા માટે સમર્થ છે. • જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં ન્યાય અને શાંતિભર્યા સમાધાને માટે તેમ જ સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ અંગે આવશ્યક એવીઆણવિક શસ્ત્રોની અભિવૃદ્ધિ માટે આપણે પ્રયત્નશીલ બનીએ. તે જ માત્ર શાણપણને સારો માર્ગ છે. અનુવાદક : પરમાનંદ ' મૂળ અંગ્રેજી: ર્ડો. રાધાકૃષ્ણન . પાયા વિનાની માન્યતાઓ અને વહેમની ગ્રંથિઓને વિદારનાર અને વિચારપ્રેરક . - ચમત્કાર અને વહેમ લેખક: રતિલાલ મફાભાઈ શાહ મુ. માંડલ, વિરમગામ થઈને ઉત્તર ગુજરાત) | કિંમત રૂ. ૧, પટેજ ૦-૩૦ પ્રાપ્તિસ્થાનઃ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, "ા ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–8. . Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રભુપ્ત જીવન ગુજરાતી સાહિત્ય પરિષદ: [3] ગયા અંકમાં જેના ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબ બીજા દિવસની સાંજે અધિવેશન મંડપમાં શ્રી ઉમાશંકર જોષીના સંચાલન નીચે યોજવામાં આવેલ ‘સર્જક ક્લાકારો અને આજના જગતની ચેતનાર’ એ વિષય ઉપરના પરિસંવાદનો આરંભ કરતાં શ્રી જયંતી દલાલે બે પ્રશ્ના રજૂ કર્યા હતા કે ‘એકલા સર્જકે એવા ગુના કર્યો છે કે સાંપ્રત સમયના પ્રત્યાઘાતા—ગમાઅણગમા ચુકાવવાની વાત એને માથે આવી છે ? અને ‘બીજા કોઈ પણ યુગ કરતાં આજના જમાના સર્જકને ચોક્કસ વધારે સંવેદનશીલ કરે છે એ વાત સાચી છે?” એમણે કહ્યું : ‘સર્જનવ્યાપાર આજે શરૂ થયેલી પ્રવૃત્તિ નથી, ઘણા સૈકાઓથી એ તો એ જ રીતે ચાલ્યો આવે છે. સામાજિક દૂષણભૂષણોની સારી એવી જાણ અને ઉકેલ સર્જકે બતાવેલ છે અને જેમને આવું થયું હોય તેમની આગળ એ રજૂ કરતા આવ્યો છે. આજે જે બને છે તેથી સંવેદનશીલ આત્માને જરૂર કંઈક થાય છે. એનું મન પાચું બન્યું છે, નાનકડી વાતે ઉશ્કેરાય છે. માણસને દુ:ખ થાય તેની નવાઈ નથી, પણ વિશેષ એ છે કે આજના સર્જકને સંવાદો રચવાની સગવડ જ રહી નથી. આજે તા ‘સાલિલ કિવી’– આત્મસંતાષણ- વધી ગયેલ છે. જ્યારે અંદરો અંદર કરી શકીએ એવી Meaningful Dialogue સ્થિતિ નથી ત્યારે લખાણના આખા ઝાક આત્મસંભાષણ પર જાય છે. Absurd નાટકમાં નાટકોના સંવાદ નથી. બે પાત્રો પોતપોતાની અંગત અલગ અલગ વાત કરે છે. જ્યાં સંવાદના સારો મોકો હોવા જોઈએ ત્યાં માત્ર આત્મસંભાષણથી જાતને-મનને—સંતોષવાનું રહે છે. માણસ પેાતાના સિવાય બીજાની સાથે બાલી પણ ન શકે એવી પરિસ્થિતિમાં બીજું શું થાય ? મનોવિજ્ઞાન આજે split personality ની વાતો કરે છે, જેમાં વ્યકિત એક અને વ્યકિતત્વ વિભિન્ન છે. Three Faces of You' માં એક જ બાઈમાં ત્રણ પાસાં રજૂ થાય છે. માનસિક પીડાનો અનુભવ સૌ કોઈ કરે છે. માણસ પોતાના વ્યકિતત્વથી પણ અલગ થતા જાય છે. ધર્મનું- શ્રાદ્ધાનું- આશ્વાસન પણ આજે નથી રહ્યું. આવી ક્ષણે સર્જક પરિસ્થિતિ સામે આંખમીંચામણાં કરે તો એ સર્જક નહીં રહે. આજે તો વિવેચનમાં પણ સાલિલાકવી જેવી સ્થિતિ છે. વાંચ્યાં વિના ખાટાં વખાણ થવાથી બગાડો થાય છે. અવિચારની નહિ તો ન—વિચારની ભૂમિકાએ આપણે પહોંચ્યાં છીએ. આજે તો Alienation - અળગાપણું થતું જાય છે. જમાના સર્જક પાસે એવી રીતે પહોંચ્યા છે કે સર્જક બિચારો પેાતાના ખૂણામાં ધકેલાઈ ગયો છે. પરિણામે soliloquy પણ નહિ; માત્ર રહ્યા છે અંતરના ઉદ્ગારો. પાતાનું મન હળવું કરવા માટે, કોઈક તો પોતાને સમજનાર નીકળશે એ આશાએ પણ, આજે એક માત્ર સહારો છે આત્મસંભાષણ. શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ આજે પ્રવર્તતી વિચ્છિન્નતા, એકલતા, નિર્ભ્રાન્તિને એક ઈમેજ દ્વારા સમજાવતાં કહ્યું કે આજના સર્જક લહેરાતા સાગરમાં એક હિમશિલા પર ઊભેલા માણસ છે. એ શિલા કયારે ઓગળી જશે એની એને ખબર નથી. શ્રાદ્ધાની આધારશિલા ન છોડવાનું એને કહેવામાં આવે છે, પણ એ શિલા પથ્થરની છે કે બરફની છે તેની ચકાસણી એણે જ કરવાની છે. આજના સર્જકની વેદના છે તે આ, પૂર્વજો અમુક કહી ગયા છે માટે એનું પાલન કરો એમ કહેવામાં આવે છે, પણ આજે તો સંદર્ભ જ જુદો છે. કોઈ પણ સત્ય મારા પૂરતું સત્ય હોય તો જ મને તે ખપનું છે. સર્જક નકલી માલ નથી શોધતો. એલેા ઊભા રહી તા. ૧૬-૨-૯૨ ગ્રેવીશમું અધિવેશન, સુરત પોતાની અંદર એ જે શોધી રહ્યો છે તે શોધ જેવી તેવી નથી. પરંપરાગત મૂલ્યા સામે એ પ્રશ્ન કરે છે. આપણે કૃતિને વિવેચનના ચોકઠામાં મૂકીએ છીએ, પણ કૃતિ માટે વિવેચનનું નવું ચોકઠું ઊભું થવું જોઈએ. નવી કૃતિ અને વિવેચનને પ્રશ્નાર્થમાં મૂકતાં વિવેચનના સિદ્ધાંતને ફેરતપાસની એક તક મળે છે. સર્જકે સર્જકપશુ. દાખવવામાં-પોતાપણું સિદ્ધ કરવામાં—જાતને ઓળખવામાં જો કશું ઉપયોગી ન હોય તો તેની અવગણના કરવી. ભૂતકાળના વારસા કે પરંપરાને પચાવીને આપણે જે અવાજ કાઢીએ તે અવાજ આપણા જ છે, આપણા પૂર્વજોનો છે કે આપણા સમકાલીનાનો ? ‘હું”નો અવાજ પારખવા એ આજના સર્જકનો મોટામાં મોટો પ્રશ્ન છે. પ્રત્યેક સર્જકનો પેાતાના નાખો અવાજ છે. કશુંક જુદું કહેવાનું હોય ત્યારે જ એમ બને. મારો અવાજ બીજા કરતાં જુદો ન હોય તે હું માનવી કર્યાંથી ? માનવી તરીકે માનવીનું શોધન કરવા માટે માત્ર સાઉન્ડ નહિ,વિાઈસ જોઈએ. પોતાની ચેતનાને વ્યકત કરવા યોજાતો શબ્દ સર્જકની સૃષ્ટિના અંતરંગમાં આપણને પહોંચાડે છે. પોતાના તળમાં પડેલાની રજૂઆત એ આજના સર્જકનો મોટો પ્રશ્ન છે. ઈલિયટે જે ત્રીજા અવાજની વાત કરી છે તે આ. આત્માભિવ્યકિત - અંતરના અંધારા ખૂણાની શોધ. સર્જાતા સાહિત્યમાં સમાજનું પ્રતિબિમ્બ પડે છે એમ કહે વાતું રહ્યું છે. પણ એરિસ્ટોટલે કહ્યું છે તે પ્રમાણે તો સર્જાતા સાહિત્યના વિરોધ ઈતિહાસની સામે છે. એનો ઝોક ફિલસૂફી તરફ હોય છે. કૃતિમાં જ આકાર લેતું કૃતિનું સ્વતંત્ર તત્ત્વજ્ઞાન હેાય છે. સર્જકનું એ સાહસ છે. માટે જ એ નિધતા ભાગવવા ઈચ્છે છે. ઈતિહાસની છાયામાં થતું સર્જન એ સર્જન નથી રહેતું; એમાં ફિલસૂફિ તરફનું ખેંચાણ હોય છે ખરું, પણ એ તત્ત્વજ્ઞાન ઉછીનું હોય છે. યવતુશેન્કો કહે છે કે ઉછીના લીધેલા આશાવાદ કરતાં અમારો નિરાશાવાદ બહેતર છે. આજના જમાનાએ સર્જેલી એકલતાને પરિણામે વિષાદયોગ અનુભવતો આજના પ્રત્યેક સર્જક અર્જુન છે. શ્રી ગુલાબદાસ બ્રોકરે જણાવ્યું કે યુગચેતનાનો પડઘો સાહિત્ય-કલાની કૃતિઓમાં પડતા જ આવે છે. નવે યુગે નવી ચેતનાના પડઘો પાડનારા કલાકારો એને મળે છે. નવા કલાકારોને જૂના સાથે અથડામણ થાય છે. કલાની સૃષ્ટિમાં આ ચાલતા આવેલા ક્રમ છે, અને આમ ચાલતું રહે તેમાં કલાનું ોય છે. કાલિદાસ અને શેકસપિયર જેવા કલાકારોએ પણ પોતપોતાના યુગની ચેતનાના પ્રતિઘોષ પાડવા મથામણ કરી છે. આજના યુગ પલટાઈ ગયો છે. માનવજાત અને તેનાં મૂલ્યોનું કલા-સાહિત્યમાં પરિવર્તન થયું છે. જીવનમાં પણ પલટો આવ્યો છે. મુંબઈમાં ફ્લોરા ફાઉન્ટન જેવા માનવાથી ઉભરાતા લત્તામાં પણ એકલતા લાગે છે. કયાંય આપણ પ્રતિબિંબ મળવાની વાત નથી, માટે પોતાની સાથે વાતચીત કરવી રહે છે. સંવાદ નહિ પણ મોનોલોગ શકય. આજે એવા જમાના આવ્યો છે અને એનું પ્રતિબિંબ આપણી કૃતિઓમાં પડે જ. સર્જકને પાતાના અંતરના ઊંડા અંધારા ખૂણામાં જઈ કશુંક શોધી લાવવાની ઈચ્છા છે. એ ખૂણા એના એકલાના નથી, આપણા સૌના છે. જેટલું આજનું જગત સત્ય છે તેટલું જ આગલા જમાનાઓનું પણ છે. જગતમાં સનાતન Monologue ચાલ્યાં જ કરે છે, પણ યુગે યુગે તે જુદી જુદી રીતે આવિષ્કાર પામી રહ્યો છે. શ્રદ્ધાઅશ્રદ્ધાને નામે આપણે પરિસ્થિતિને વિરોધ ન કરીએ. કલાકારને પોતાની કલામાં જ્યાં સુધી શ્રદ્ધા છે ત્યાં સુધી કશું ગભરાવાનું નથી. Monologueમાંથી જ આપણે Dialogue કરી રહ્યા છીએ. વાત ન Page #39 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૨-૨-૯૯ પ્રબુદ્ધ જીવન એટલી જ છે કે આપણને નવી ચેતનાનો પડઘો પાડનાર કલાકારો જોઈએ છે. શ્રી સિતાંશુ મહેતાએ કહ્યું કે સર્જકે પોતાની આજુબાજુ જે કાંઈ છે તેમાંથી નવા આનંદનું સર્જન કરવાનું છે. મૂલ્યા—જૂનાં કે નવાં--તે તપાસવાનાં નથી. આજના સર્જકે સર્જકતાને નહિ, વિસર્જકતાના આનંદ માણવાનો છે. આ વિસર્જકતા એટલે ઘટનાએના સંબંધાને વિનાશ. મારી આસપાસ એવું ઘણું બની રહ્યું છે જે દુ:ખ આપે, પણ મારે એવી સૃષ્ટિ સર્જવી છે જે મને આનંદ આપે. હું આ સૃષ્ટિને બદલી ન શકું, પણ ઘટનાઓ વચ્ચેના સંબંધનો નાશ કરું, નવા સંદર્ભો યોજી તેમાંથી નવી સૃષ્ટિ પેદા કર્યું, જે મને આનંદ આપે. પરિસંવાદના સંચાલક શ્રી ઉમાશંકર જોષીએ કહ્યું : આજના સાહિત્યકારોને કશું વળગ્યું છે એમ કહે છે. આપણે સુરતમાં છીએ, પાંખ ખાઈએ છીએ, ઊંધિયું આપણી રાહ જુએ છે, તે શું આ લોકો ઉછીની વેદના મેળવવા મથે છે? ના, એમના શબ્દો જ કહી આપતા હતા કે એમાં કશું કૃત્રિમ નથી, એમની યાતના બનાવટી નથી, યંત્રયુગની મહાન ભીંસમાં સપડાયેલા વિશ્વના આપણે બધા નાગરિક છીએ. ક્લાકારો અગ્રયાયી છે. એમની ચેતના આગળ ચાલતી હોય છે. કવિઓ કંઈક એવું કરે છે કે જે મેટામોટા બેન્કરો ને ધર્મગુરુએ પણ નથી કરતા. આ ગાંડાધેલા માનવીએ પોતાની રીતે સમાજનું કામ કરતા હાય છે. સમયમાં પૂરાઈ રહેવું એ કવિતાનું કામ નથી—સમયને એણે વટાવી જવાનો છે. કલાકૃતિ એ સમયની જ પેદાશ છે, પણ એનું આયુષ્ય સ્વતંત્ર, સ્વાયત્ત છે. તેથી એ આનંદ આપે છે. કલા ને ઈતિહાસના ફરક એ છે કે ઈતિહાસ વાસ્તવિક હોય છે, છતાં તે ફરી થતા નથી. ફિલસૂફી યુનિવર્સલ છે, પણ પર્ટીકયુલર નથી. કલા પર્ટીકયુલર છે, એકમેવ છે, સાથેાસાથ તે યુનિવર્સલ-સાર્વજનીન છે. કલા પેાતાના સાચા અવાજ પ્રગટાવે છે ત્યારે એ વિશ્વને અવાજ બની જાય છે. કલાના આ કીમિયો છે. વિષાદયોગ એ ગીતાના પહેલા અધ્યાય છે, પણ ગીતામાં છેલ્લે બે આંતરરૂપ વચ્ચે જે સંવાદ થાય છે તે માનવજીવનની આશા છે. આજના સર્જક જે વિષાદયોગ અનુભવે છે તે અર્જુનના વિષાદયોગ છે એ ખરું, પરંતુ આખરે તો એ વિષાદમાંથી સંવાદ સર્જવાના છે. પ્રભુસ્થાનેથી શ્રી જ્યોતીન્દ્ર દવેએ સમાપન કર્યું હતું. શ્રી સિતાંશુ મહેતાએ ઘટનાઓને જૂના સંદર્ભોમાંથી કાઢી નવા સંદર્ભોમાં યોજી આનંદ સાધવાની જે વાત કરી તેને અંગે એમણે બાળક જન્મે તે વખતે થતી નાળ છેદવાની ક્રિયાનું ઉદાહરણ આપ્યું હતું. નાળછેદન પછી જ બાળકનો સ્વતંત્ર વિકાસ થાય છે એ વાત પર ભાર મૂક્યા હતા. આજના સર્જક પોતાના અંતરના અંધારા ખૂણાને શોધી ત્યાંથી પ્રકાશ મેળવવા મથે છે તે અંગે એક બીજું ઉદાહરણ પણ ફ્રી દવેએ આપ્યું હતું. ઘરના ઓરડામાં માણસ છે. ઓરડામાં અંધારું છે. પ્રકાશની જરૂર છે. માણસ ઊભા થઈ ઓરડાના ખૂણામાં રહેલી વીજળીની સ્વીચ દબાવી અજવાળુ' કરવા જાય છે. ખૂણે જઈ અંધારામાં મથામણ કરી એ સ્વીચ શોધી કાઢે છે.ને અજવાળું કરે છે. પણ એ પ્રકાશ એટલા એ જ ખૂણાને અજવાળતા નથી, આખો ઓરડો એનાથી ભરાઈ જાય છે. અંતરના અંધારા ખૂણાને શોધી તેમાંથી સર્જકે મેળવેલા પ્રકાશ આ જ રીતે વ્યાપક બની સૌના અંતરને અજવાળે છે. પરિષદના પ્રમુખશ્રી તથા પરિષદમાં હાજરી આપવા આવેલ અન્ય પ્રતિનિધિઓને સન્માનવા એક સમારંભ સુરત સુધરાઈએ યોજ્યા હતા. પરિસંવાદ પૂરો થતાં સૌ સુરત સુધરાઈના પટાં کی ૨૦૫ ગણમાં ગયા હતાં. શ્રી ઉમાશંકરભાઈએ પરિચયવિધિાવ્યા બાદ શ્રી જ્યોતીન્દ્ર દવેએ એમની લાક્ષણિક શૈલીમાં પ્રવચન કરતાં કહ્યું હતું કે “સુધરાઈએ શહેરનાં જે કામા કરવાનાં છે એમાં શહેરમાંથી ક્ચરો કઢાવવાના છે, પીવાના પાણીના પ્રબંધ કરવાના છે, અને દીવા પ્રગટાવવાના છે. કોઈને કદાચ એમ થાય કે સુધરાઈને સાહિત્યકારો સાથે શું સંબંધ ? પણ સાહિત્યકારોનું પણ એ જ કામ છે. એમણે જીવનમાંથી ક્ચરો કાઢવાને છે, પ્રેરણાનું પાણી પાવાનું છે, અને હૃદયના દીવા પ્રગટાવવાના છે. એટલે અમે સાહિત્યકારો પણ આમ તે સુધરાઈ જેવા જ છીએ.” સુરતનાં પાતાનાં અનેક સંસ્મરણાને રજૂ કરી શ્રી દવેએ હાસ્યના ધોધ વહાવ્યા હતા અને અંતમાં સાહિત્યકારોનું આવું ઔદાર્યપૂર્વક સન્માન કરવા બદલ નગરપાલિકાના પ્રમુખનો આભાર માન્યો હતો. તે પછી સુધરાઈના પ્રમુખ શ્રી ગારધનદાસ ચાખાવાળાએ સૌ આમંત્રિતાનું સ્વાગત કર્યું હતું અને સુરતના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી હતી. તથા શહેરનાં વિકાસકાર્યાના ખ્યાલ આપ્યો હતો. શ્રી પોપટભાઈ વ્યાસે આભારવિધિ કર્યો ને તે પછી અલ્પાહાર ને ચાપાણી બાદ સૌ છૂટા પડયા, રાત્રે નવ વાગે રજ થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકનૃત્ય, સુગમ સંગીત તેમ જ રાસ-ગરબાનો સમાવેશ થતા હતા. એકાદ અપવાદ સિવાયને આખા કાર્યક્રમ ઠીક ઠીક મનોરંજક બન્યા હતાં. [૪] સેમવાર, તા૦ ૨૭મી ડિસેમ્બર ૧૯૬૫, પરિષદના અધિવેશનના ત્રીજો અને છેલ્લા દિવસ હતો. સવારે નવ વાગે કાલેજના ખંડોમાં વિભાગીય બેઠકો ચાલુ થઈ તેમાં એક વાત ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. કેટલાક વિભાગીય પ્રમુખાએ તેમને સ્થાને અવેજી પ્રમુખો મૂકી કારભાર તેમને પૂર્ણપણે સોંપી દીધા હતા. રંગભૂમિ વિભાગમાં તો અવેજી પ્રમુખે બીજા અવેજીઓને અધિકાર સુપ્રત કર્યાની વાત બહાર આવી. આ પરિસ્થિતિ દુ:ખદ છે. જે વિભાગેામાં આ પરિસ્થિતિ જન્મી તેના વરાયેલા પ્રમુખાએ પોતાની અશકિત અને મર્યાદા પહેલેથી જ જાહેર કરવાં જોઈતાં હતાં એમ કહેવું પ્રાપ્ત થાય છે. ભવિષ્યમાં આ રીતના કારભાર ચાલતા અટકે એ જોવાની ગંભીર ફરજ વ્યવસ્થાપકોને માથે આવી છે. આ અધિવેશનમાં એક અત્યંત આવકારપાત્ર કાર્યક્રમ સવા અગિયાર પછી શરૂ થયો. એમાં દરેક વિભાગના પ્રમુખે પોતાના વિભાગની કાર્યવાહીનો ટૂંકો અહેવાલ આપ્યો, જેને પરિણામે એક બે વિભાગમાં જ હાજરી આપી શકનાર સૌને અન્ય વિભાગામાં શું શું થયું તેના આધારભૂત અહેવાલ પ્રાપ્ત થયો. – સાહિત્ય વિભાગમાં ૩૮ નિબંધા આવ્યા હતા, અને તેમાંથી ૨૨ નિબંધ। વંચાયા. શિક્ષણ વિભાગમાં ૧૮ નિબંધ આવ્યા હતા, પણ માત્ર ત્રણ જ નિબંધ વંચાયા અને તેને લગતી ઉપયોગી અને રસપ્રદ ચર્ચાઓ થઈ. પત્રકારિત્વ વિભાગમાં માત્ર ત્રણ નિબંધો આવ્યા હતા, જેમાંથી બે રજૂ કરવા જેવા પણ ન હતા. એ વિભાગમાં યોજાયેલ પરિસંવાદમાં હાજરી વધારે હતી. ચર્ચા માટે આપણા પત્રકારત્વને લગતા ચાર વિષયા હતા: એના પ્રશ્નો શાને એ કેમ પાંગરે ?, વિચારપત્ર ને તેમના વિકાસ, પત્રકારત્વ પક્ષનિષ્ઠ કે લોકનિષ્ઠ હોવું જોઈએ ? અને પત્રકાર સાહિત્યકાર ખરો? આ બધા વિષયો પર સુંદર ચર્ચા થઈ હતી અને પત્રકારોના પોતાના પ્રશ્નોની છણાવટ માટે સ્વતંત્ર પત્રકારત્વ પરિષદ યોજાવી જોઈએ એવા સૂર ઊઠયો હતા. સમાજવિદ્યા વિભાગમાં હાજરી ઓછી હતી. સમાજશાસ્ત્રવિષયક ૧૪ નિબંધો આવ્યા હતા. પરિસંવાદની વ્યવસ્થા કરવા છતાં હાજરીમાં ફેર પડયો ન હતો. રંગભૂમિ વિભાગની કાર્યવાહીની કથા શ્રી જયંતી દલાલે કહી. એ વિભાગમાં પરિસંવાદ માટેનો વિષય ‘આજનું લખાતું ને ભજવાનું નાટક—એની કોટિ ઊંચી વધી છે કે નહિ ?” એવે હતા. સર્વશ્રી જયંતી દલાલ, જ્યંતી પટેલ, પીતાંબર પટેલ, શિવકુમાર જોશી, ભાનુશંકર આચાર્ય, ધીરૂભાઈ ઠાકોર વગેરે અને Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પરિસંવાદનું સંચાલન કરતા ‘પાંચ પાંચ મિનિટે બાલતા’ શ્રી ચંદ્રવદન મહેતાએ પોતપોતાના વક્તૃત્વ અને અદાકારીથી રંગભૂમિનું વાતાવરણ સરજ્યું હતું. આઠ નિબંધોમાંથી ચાર નિબંધો વંચાયા હતા. સાહિત્યવિભાગની કાર્યવાહીનો ખ્યાલ શ્રી યશવંત શુકલે આપ્યા હતા. એ વિભાગ હેઠળના પરિસંવાદ ખુલ્લી બેઠકમાં યોજવા માટેનું સૂચન શ્રી ચન્દ્રવદન ચુ. શાહ તરફથી આવ્યું હતું. આ પરિસંવાદની વિગતો અગાઉ આવી ગઈ છે. પ્રબુદ્ધ જીવન પ્રમુખશ્રી જ્યોતીન્દ્ર દવેએ આ કાર્યવાહી અંગેની બેઠકનુંસમાપન કર્યું હતું. બપોરે સરદાર વલ્લભભાઈ સંગ્રહાલયની મુલાકાત યોજાઈ હતી. સંમેલનની છેલ્લી બેઠક સાંજે પાંચ વાગે મળી હતી. એમાં રાબેતા મુજબ કેટલાક ઠરાવો પસાર થયા હતા. પહેલા ઠરાવ ભારતીય દળના વીર જવાના અંગે, બીજો વિદેહ સાહિત્યકારો અંગે, અને ત્રીજો ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી બળવંતરાય ગા. મહેતાના અવસાન અંગે હતો. થા અને પાંચમા ઠરાવામાં પ્રજાના સર્વતામુખી સાંસ્કૃતિક ઉત્કર્ષ માટે સુયોગ્ય સ્થાને ગુજરાતનું સમૃદ્ધ પ્રાદેશિક સંગ્રહાલય ઊભું કરવાની દિશામાં રાજ્ય સત્વર પ્રબંધ કરે, તથા સાહિત્ય અને સંસ્કારક્ષેત્રે કામ કરનારી સંસ્થાઓની આર્થિક મર્યાદાઓ ધ્યાનમાં લઈને વર્ષોથી જેના અભાવે ગુજરાતની વાડ્મય પ્રવૃત્તિને ભારે નુકસાન પહોંચતું રહ્યું છે તેવા સાધનગ્રંથો અને સંદર્ભગ્રંથા તૈયાર કરાવી તેના પ્રકાશન માટે માતબર રકમ કઢાવીને આ પાયાનું કામ કરવામાં અગ્રેસર થાય' એવી વિનંતી ગુજરાત રાજ્ય સરકારને કરવામાં આવી હતી. છઠ્ઠામાં ‘ગુજરાત પ્રદેશની પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચસ્તરે કામ કરતી શિક્ષણસંસ્થાઓમાં ભાષાશિક્ષણનું અને વિશેષત : ગુજરાતી ભાષામાં અભિવ્યકિત સાધવા માટેનું કાર્ય કેવુંક ગાઠવાયું છે તેના ખ્યાલ મેળવી રાજ્ય સરકાર તથા શિક્ષણસંસ્થાઓને યોગ્ય સૂચના કરવા' સમિતિ નીમવાની વાત હતી. સાતમામાં (૧) રંગભૂમિ ઉપર ભજવાયેલાં નાટકોની જે હસ્તપ્રતો અપ્રગટ રહી હોય તે એકત્ર કરવાનું, (૨) વિશ્વસાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદોનાં પ્રકાશનોની, તે બેવડાય નહિ તે રીતે, યોજના કરવાનું, (૩) પ્રકાશનકાર્યો માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની તેમ જ નાગરિકોની આર્થિક સહાય મેળવવાનું, અને (૪) મકાનફંડની રચના માટેની પૂર્વભૂમિકા તૈયાર કરવાનુંએ ચાર કામેા હાથ ધરી હવે પછી મળનાર જ્ઞાનસત્રમાં તે અંગે થયેલ પ્રબંધનો હેવાલ રજૂ કરવાની વાત હતી. ઠરાવા બાદ શ્રી યશવંત શુકલે ને પીતાંબર પટેલે આભારવિધિ કર્યો હતો, જેમાં શ્રી પટેલે વ્યવસ્થા અંગે હળવી રીતે ટકોર કરી હતી જે અંગે વ્યવસ્થાપકોમાંથી ડૉ. રતન માર્શલે તેમ જ શ્રી ચન્દ્રવદન શાહે પરિસ્થિતિની દર્દભરી ચોખવટ કરીને રદિયો આપ્યો હતા. પ્રમુખસ્થાનેથી સમાપનવિવિધ થયો હતો. હવે પછીની પરિષદની બેઠક માટે દ્વારકા, રાજકોટ, દિલ્હી અને શારદાગ્રામમાંથી આમંત્રણા આવ્યાં હતાં, જેમાં છેલ્લા સ્થાનની જ્ઞાનસત્ર માટે પસંદગી થવાની સ્પષ્ટ શકયતાનો નિર્દેશ થયા હતા. ચેાથે દિવસે ગુજરાત રાજ્ય સરકાર તરફથી થયેલ પ્રબંધ અનુસાર ‘સાપ-ઉતારા’ જવાના કાર્યક્રમ બહારગામના પ્રતિનિધિઓ માટે રખાયો હતો. માગણી વધી જતાં એક વધારાની બસને પણ પ્રબંધ થતાં દોઢસો ઉપરાંત પ્રતિનિધિઓએ દક્ષિણ ગુજરાતના રમણીય પ્રદેશમાં ડાંગના જંગલ ખાતે લગભગ ૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા સાપ ઉતારાના સૌન્દર્યધામનો લાભ લીધો હતા; સાપ ઉતારાને હવા ખાવાના ગિરિશિખર તરીકે વિકસાવવાના પ્રયત્નો રાજ્ય સરકાર કરી રહી છે. ડાંગપ્રદેશનું કુદરતી સૌન્દર્ય ને મહાબળેશ્વરા ખ્યાલ આપતું સાપ ઉતારાનું ગિરિશિખર એ બે ઉપરાંત પ્રતિનિધિઓને ‘ડાંગના વાઘ' ગણાતા શ્રી છોટુભાઈ નાયકની આહવા ખાતેની મુલાકાતનો સવિશેષ લાભ સાંપડયો હતા. રાજ્ય સરકાર તરફથી ભાઈ ધનંજય શાહે વ્યવસ્થા સંભાળી હતી અને ડાંગના જંગલ ખાતે જંગલ અધિકારી શ્રી દવેએ મહેમાનાના સત્કાર કર્યો હતો. ભેાજનપ્રબંધનું કપરું કાર્ય સ્વાગતસમિતિએ નિષ્ઠાપૂર્વક બજાવ્યું હતું. સમાપ્ત ભૂપેન્દ્ર ત્રિવેદી તા.૧૯-૨-૧૮ મહાપ્રસ્થાનના પથ પર ૬ લાઠીના ટેકે ટેકે ધીરે ધીરે વિઘાકુટી આગળ આવી પહોંચ્યા. તે વખતે સાંજ પડી ગઈ હતી. પાસે જ એક કેળનું જંગલ હતું. સુદ પાંચમની ચાંદની કેળના ઝાડના પહેાળાં પાંદડાંની ઉપર ઊતરી આવી હતી, રૂપાંનાં પાંદડાં હોય તેમ એની પર ચાંદની ચમકતી હતી. અંધારામાં નજર નહિ પડતી અલકનંદાના ઝરઝર અવાજ કાને સંભળાતો હતો. ચારે બાજુએ કુદરતની રોમાંચકર વસત શાભા હતી. થોડી વાર આરામ લઈને બ્રહ્મચારી રોટી શેકવાની તૈયારી કરવા લાગ્યો. શરૂઆતમાં કેમે કરીને પાણી ગરમ કર્યું. એમાં મીઠું નાંખીને, પગે માલિશ કરવા હું બેસી ગયો. આ દેશમાં આ જ રિવાજ હતા. મીઠું અને ગરમ પાણીના જેવી પગને માટે દવા બીજે કોઈ ઠેકાણે નથી. બ્રહ્મચારીએ કહ્યું, “તમારું દર્દ હું સારું કરી દઈશ. આ દવાથી જો ન મટે તો બીજી એક દવા મારી જાણમાં છે.” " રસોઈ, ભાજન, ને ઊંઘમાં રાત વીતી ગઈ. વહેલી સવારે પાછી યાત્રા શરૂ થઈ. ડોસીઓએ નાસ્તિક અને ધર્મત્યાગી કહીને મારો સાથ છેડી દીધા હતા. એમને મારા તરફ જરા જેટલી પણ સહાનુભૂતિ નહોતી. કમરથી વળી ગયેલી ચારુની મા બધાથી છાની છાની કહી ગઈ કે, “હું કાંઈ તમને છોડવાની નથી, બાબા ‘ઠાકુર હું તમારા ચરણે જ છું. કાલીઘાટના ચક્રવર્તીના ઘરમાં હું ત્રણ પાશેર દુધ આપતી હતી, પૈસાટકા તે ચારુ જ રાખતી હતી, ... હાં, તેને ઘેર તમારા જેવા જ એક છોકરો છે.... અહા! જે દિવસે મારો નિવારણ મરી ગયો, તે એકજ મારો ભત્રીજો હતો,... તે જ વર્ષમાં હું દુધ દોહવા બેઠી, હાબસીના પગ છૂટી ગયો ને એની લાતથી મારો ઘૂંટણ ભાંગી ગયો..... હું, ત્યારે જાઉં, પેલા લોકો મને વઢશે. બાબા ઠાકુર. ‘પગનો દુ:ખાવો કેમ છે?' એમ કહીને ચારુની મા લાઠી પકડી કેડથી નમેલી એવી એ લાંબાં લાંબાં ડગલાં ભરતી ચાલી ગઈ. એ ડોસીને સિત્તેર વર્ષ ત કયારનાંય વીતી ગયાં હતાં. હું ધીમે ધીમે ચાલતો હતો. રસ્તો ઘણા લાંબા હતો, ચાલ્યા વિના છૂટકો નહોતો. હું સાધારણ રીતે બધાથી આગળ રહેતા હતા, પણ હવે તો એમ થઈ શકે એમ નહોતું. હવે તે પાછળ જ રહેવું પડશે. ગેાપાળદા ડોસીને લઈ ગયા હતા. બ્રહ્મચારી પણ થોડો વખત મારી સાથે રહ્યો, ને પછી આગળ ચાલી ગયો. પાછળ પાછળ જે હિન્દુસ્તાની અને બિહારીઓનું ટોળું આવતું હતું, તેમણે પણ સ્નેહથી એકવાર મારા પગ તરફ નજર કરી મારી પાસેથી ચાલી ગયા, હવે કોઈ પાછળ હાય એવું મને લાગ્યું નહિ. બધા એક જ શબ્દ બોલતા, આગળ ચાલો, આગળ ચાલે. આજનો રસ્તો ઘણા દુર્ગમ અને ચાલતા મુશીબત પડે એવા હતા. કયારેક કયારેક નદીના કિનારા તરફ રસ્તા ધસી જતા હતા, ક્યાંક કાંક, પથ્થરનો મોટો ઢગલા, બીક લાગે એવી દશામાં ભીંતની જેમ પહાડને અઢેલીને પડયા હતા. જો એકાએક ગબડયા, તે એની નીચે એક સામટા દશ યાત્રીઓના ભુક્કો નીકળી જાય. ઝાળીના તથા કામળાના ભાર હવે ઊંચકાતા નહોતા. ખભા દુ:ખતો હતો. મારી જાતને જ ભાર ઉપાડવામાં મુશ્કેલી પડતી હતી. હવે આ બોજો ઉઠાવું શી રીતે? સામાન્ય રીતે એક શેર વજન ઉપાડવાનું આ દુર્ગમ માર્ગમાં અત્યંત મુશ્કેલ હતું, ત્રાસદાયક અને થકવે એવું હતું, ત્યારે મારી ઝોળીનું અને કામળાનું વજન લગભગ સાત શેર હતું. યાત્રાનો આનંદ નહાતા, શરીર કળતું હતું, પગ પાંગળા બની ગયા હતા, ખાવાનું કાંઈ હતું નહિ, પગમાં જોડાને લીધે આંટણ પડવાથી ફોલ્લા થયા હતા, આખા શરીર પર ફોડકીઓ થઈ હતી, ને તેમાં દુ:ખાવો થતો હતો, મન નિરુત્સાહી બની ગયું હતું, પૂણ્ય સંચય કરવાની ઈચ્છા નહોતી, તો આ બધી હાડમારી વેઠીને હું શા માટે આગળ ચાલું? પણ આમ કરતાં કરતાં જ તે પહાડનો એશી માઈલ રસ્તો કાપ્યો હતો. એક અફ્ટ આર્તનાદ સાંભળીને મે' પાછળ જોયું. રસ્તામાં એક પથરાનો ટેકો લઈને બે જણ—એક સ્ત્રી અને એક પુરુષ Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ૨e૭ યાત્રી બેઠા બેઠા હાંફતા હતા. હું સમજી ગયા કે એમને પીડા થાય છે ને એ ચાલી શકતા નથી. બસ એટલે સુધી જ એએ ચાલી શક્યાં. લાઠી ઠક ઠક કરતો આગળ જતો હતો ત્યાં એક જણે હાથ હલાવીને બૂમ પાડી. હાથ હલાવવાથી કંઈ એકદમ પાસે ડું અવાય છે, એટલે મેં ગુસ્સામાં બૂમ મારી “કહે, કયા બેલતા હૈ?” કોણ જાણે એ શું બોલ્યો તે કાંઈ સમજાયું નહિ કઈ ભાષા છે ને કઈ જાતને છે? છેવટે એમાંથી એક જણ ઊયું ને મારા લેટાને સ્પર્શી ઈશારાથી પૂછયું, કે, અંદર પાણી છે કે નહિ? પાણી થોડુંક હતું , રોગીના મેઢામાં એ થોડું પાણી રેડીને હું આગળ ચાલ્યો. મને લાગ્યું કે પાછળથી કોઈએ આશીર્વાદ આપ્યા, પણ ભાષા સમજાઈ નહિ. એના આશી- વંદની કિંમત મારે મને એક કાણી કોડી જેટલી પણ નહોતી. જ્યાં સુધી મારા પગનું દર્દ મટે નહિ ત્યાં સુધી હું આખી દુનિયાને શુભદષ્ટિથી જોઈ શકવાને નથી. * હાં, સંસારને નિયમ એ જ છે. આપણા મનના ચશ્માને જે રંગ હોય તે રંગે જ આપણે બધું જોઈએ છીએ. દુનિયા કોઈને સુંદર લાગે છે, કોઈને કઢંગી લાગે છે. પગનું દર્દ હોવાથી જ તે દિવસને તીર્થયાત્રાને રસ્તે, રસ્તામાંનું કુદરતી સૌંદર્ય, હિમાલયને વિપુલ ઐશ્વર્યસંભાર એ બધું મારી દષ્ટિએ અત્યંત નીરસ લાગ્યું. મેં સ્વસ્થ મન, સહજ ઉપલબ્ધિ, ને સરળ દષ્ટિ ગુમાવ્યા. અવજ્ઞા ને વિરકિતથી આકાશ ને પૃથ્વી છવાઈ ગયાં. કદાચ જગતમાં એમ જ બનતું હશે. કલા અને સાહત્યિની સમાલોચનામાં જોઉં છું તે એક જ વસ્તુ સંબંધે સમાચકોને ભિન્ન ભિન્ન મત હોય છે. વિભિન્ન મતની કિંમત છે તે હું જાણું છું. પરંતુ જ્યાં સાહિત્ય, કલાનું સ્થાન લઈને અભિવ્યકત થાય છે, અને જ્યાં ગંભીર અનુભૂતિને નિર્મળ આનંદ પ્રગટ થાય છે, ત્યાં ભિન્ન મતને મન સ્વીકાર કરતું નથી. પિતાના ભિન્ન મતને લીધે સુંદર સાહિત્યને મલિન કરવા, ને અન્યાય કરવાની પ્રવૃત્તિમાં જેઓ પડયા રહે છે, તે સમાલોચકે આજે મારી જેમ ખેડંગતા ચાલે છે એ જાણી લેવું જોઈએ. પિતાના ખેડંગતા પગની ગ્લાનિથી તેઓ પોતાની સમાલોચનાને રંગે છે. કેમ દાદા! બહુ પીડા થાય છે?” ઘણા પાછળ પડી ગયાને? તમારી રાહ જોતે અહીં હું બેસી રહ્યો છું. સારું થયું કે એક સાથી મળી ગયે.” મેં મોટું ઊંચું કર્યું. જોઉં છું તે એક લાંબે, પહોળ, કાળે બંગાળી ગ્રહસ્થ પથ્થર પર બેઠો બેઠો બીડી ફકત હતે. એકબીજાને નમસ્કાર કર્યા પછી સામાન્ય વાતચીત શરૂ થઈ. વાતવાતમાં ખબર પડી કે તે એકલો નહોતે, એની પત્ની ને સાસુ સાથમાં હતાં, તેઓ આગળ ચાલી ગયાં હતાં. રોજ દશ માઈલ ચાલવું તેમને માટે કઠણ હતું. એનું નામ અઘરબાબુ હતું. તેમણે કહ્યું, “મેં કેટલીયે વાર કહ્યું કે ઠંડી કે કાંડિમાં જાઓ, એમાં તે શું એટલે બધો ખર્ચ થઈ જવાને છે? પણ માન્યા જે નહિ ને? સ્ત્રીઓ માટે તે માર્ગ ભયાનક જ ને? રસ્તાની વચ્ચે અટકી પડવું પડે એ મને ગમતું નથી. પગે ચાલે પછી પગમાં દર્દ તે થાય જ ને?” મેં પૂછ્યું “ઠંડીમાં બેસતાં શું વાંધ આવ્યું?” તે પુણ્ય ન મળે એટલે. ચાલતા જવાથી ભગવાનની કૃપા વધારે મળે. - બ્રહ્મચારીએ કહ્યું, “એ વાત તો સાચી છે. એમ નમે નારાયણાય. ભગવાનમાં પૂરો વિશ્વાસ ન હોય ને ચાલ્યા હોઈએ,.............તમે લોકો આ આ બાજુ...હું જરા આગળ ચાલું છું.” એમ કહીને એ ઝોળ તથા કામળી લઈને ચાલવા લાગ્યો. અઘોરબાબુનું ઘર કલકત્તામાં હતું. એને ધંધો હતા, પણ હમણાં વેપાર પાણીમાં મંદી હતી, એટલે પત્નીને લઈને એ યાત્રા કરવા નીકળ્યો હતો. નશીબજોગે એને છોકરાંÖયાં નહોતાં. એટલે મને કહ્યું, “તમે તે સંન્યાસી લેક છે. તમારે તે સંસારની ઉપાધિ નથી. તમે મને કહોને કે આ બ્રહ્મચારી કેવો માણસ છે? મેં તે સાંભળ્યું છે કે તમે એને ખવડાવતા ખવડાવતા અહીં સુધી લાવ્યા છો. એ માણસ છે કે? ઠગારોબગારો નથીને?” .." મેં કહ્યું, “ઠગારો હોય તો આપણે એનું શું? બધા જ સારા માણસે હોય તે સંસાર ચાલે કેમ?” “પણ એ જ કહેતે હતે. હું આપને સેજ પૂછતો હતે. એણે મારી આગળ પોતાના દુ:ખની વાત કરી. થોડી મદદની માગણી પણ કરી, પપૈસા તે મારાથી અપાય એમ નથી. થોડા દિવસ એને ખવડાવી શકું.” તે તે બહુ સારું.” મેં કહ્યું, “એને તમે રસ્તામાં ખવડાવે એ પણ ઘણું છે.” હા, તેથી જ કહું છું. માણસને ઓળખ ઘણું મુશ્કેલ છે, એક વાર એક નેકરને મેં રાખ્યો હતો. સાલો કહે કે ખાધા બદલ કામ કરીશ, મારે પગાર નથી જોઈત. બહુ સારી રીતે રહેતો હતો. એવામાં એક દિવસ ભાગ્યે. પેટી તોડીને ઘરેણાંગાંઠા લઈને ભાગ્યે હતા. હું બીજાનાં ઘરેણાં ગીરએ રાખી પૈસા ઉધાર આપતા હતો. તમે જ કહો કેવી મુશીબત આવી પડી?” મેં હસતાં હસતાં કહ્યું, “એને પગાર ન આપ્યો, તેની તે એ મુશીબત હતી.” મારી વાત સાંભળીને એ ગૃહસ્થ રાજી થયા નહિ. પણ પિતાની જાતને સંભાળીને બોલ્યા, “એમ પણ હોય, લેભીને ગોળ કીડીઓ હજમ કરી ગઈ.” ' વાત કરતાં કરતાં અમે કાળચટ્ટીએ આવી પહોંચ્યા. આની પહેલાં રાણીબાગ આવતું હતું. સામે જ એક મોટું ઝરણું પહાડપરથી નીચે વહેતું હતું. એની આસપાસ કેટલીક ચટ્ટી હતી. રસ્તા પર જ એક મોટી ચટ્ટી પાસે જ અઘોરબાબુની પત્ની તથા સાસુ દેખાયાં. રસ્તાના થાકથી બન્ને જણ થાકેલાં ને મેલાં લાગતાં હતાં. પણ ભસ્મારછાદિત અગ્નિના જેવી તે સ્ત્રીના દેહની સુંદરતા જોઈ બધા આકર્ષાયા. એના મુખની સુંદરતા કમનીય અને શાંત હતી. બ્રહ્મચારી પાસે જ ઊભે હતે. એણે ઉત્સાહભેર કહ્યું, “દાદા! આ જુએ, આ મારી મા. અન્નપૂર્ણા મા. અને આ મારી દાદીમા.” એમ કહીને એણે પાસે ઊભેલી ડોશી તરફ અંગુલિનિર્દેશ કર્યો. મેં હસીને તેમના તરફ જોયું, પણ એમની જોડે વાત કરવાનું કાંઈ કારણ નહોતું. રસ્તામાં જેટલી સ્ત્રીપાત્રી મળી હતી તેમાં આ સ્ત્રી એ નાનામાં નાની અને રૂપવતી હતી. મેં પૂછ્યું, “મારે માટે કાંઈ ચટ્ટીમાં વ્યવસ્થા કરી છે. બ્રહ્મચારી ?” “આ ચટ્ટી, અહીં જ સારું છે દાદા! ગેપાલદા પણ આવી પહોંચ્યા છે.” અચ્છા, પહેલાં તે હું બેસી જાઉં. પગમાં ઘણી પીડા થાય છે.” આખા શરીરમાં દુ:ખાવો થતો હતે. મારી ઉદાસીનતા જોઈને અઘોરબાબુ જરા ખિન્ન થયા. પણ બોલવાનું પણ શું હોય? એકાએક વ્યસ્ત થઈને બોલ્યા, “અહીં દૂધ નહિ મળે? અમારી પાસે ચા ને ખાંડ છે. દૂધ મળે તે ચા પીએ.” ચાની વ્યવસ્થા માટે એ ચાલી નકળ્યા એટલે એની વહુએ સ્નેહાળ હસીને મને પૂછયું, “તમને શું પગમાં ઘણી પીડા થાય છે?” મેં કહ્યું, “હા. બહુ હેરાન થઈ ગયો.” ડોશીએ કહ્યું, “ચાલ, રાધારાણીને એક દુ:ખમાં સાથી મળે. મારી દીકરીના ડાબે પગે પણ ભારે દર્દ થાય છે.” હું જરા હસ્યો, ને પછી કાંઈ બોલ્યો નહિ. પછી મેં બ્રહ્મચારીને પૂછયું, “તમે તે અમારી જોડે ખાવાના નહિ ને?” ક), * Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રબુદ્ધ જીવન બ્રહ્મચારીએ પોતાના સરીજતા માથાના વાળ ઊંચા કરીને કહ્યું, “હું એ જ વાત તે તમને કહેતા હતા. મા અન્નપૂર્ણાના પ્રસાદ મળ્યો એટલે મારું ગાડું તો ગબડશે. તમે તે મારી બાબતમાં બધી ખબર રાખી છેને? “હવેથી આ લોકો જ ...... “બહુ સરસ .” “હું તમને રાંધી આપું દાદા?” 33 “ના, ના, રાંધવામાં મને કષ્ટ નહિ પડે. એટલામાં ગેાપાળદા દેખાયા. તેઓ એક તરફ બેસીને નિરાંતે તમાકુમાં ચૂના મેળવતા હતા. એણે છાના છાના કહ્યું “બહુ સારા ઘરની કરી છે. ખરુંને? એ શા માટે આટલું દુ:ખ વહારીને આવી હશે? એનાથી સુખ સહન થયું નહિ હાય. તમે તેલમાં બાળેલું પાનું ધરો, હું દીવાસળી સળગાવું. "3 પાસે પાસે જ અમે બધા રાંધવા બેઠા. અદ્યારબાબુ છરી લઈને બટાકા છેાલતા હતા. બ્રહ્મચારી કોણ જાણે કયાંથી મસાલા લઈ આવ્યો હતા ને પથ્થર પર પીસવા બેઠો હતો. પરંતુ કર્યાંય ઉત્સાહ નહોતો, તે બરાબર સમજાયું. મા ને દીકરી અધમૂઆંની જેમ બેઠાં હતાં, મને લાગ્યું કે હવે તેમનામાં ઉઠવાની શકિત નથી. એમનું આખું શરીર ધૂળિયું થઈ ગયું હતું. શરમ લાગે એવાં મેલાં કપડાં હતાં, માથાના વાળ તો જટા જેવા થઈ ગયા હતા, જાણે મડદાંને બાળીને સ્મશાનથી આવતા હોય તેવા, ખરેખર કોણ કોના તરફ જુવે? જ્યાં નજર ફેરવીએ, ત્યાં થાક, રસ્તાનો ત્રાસ, લાથપોથ થયેલાં શરીર, ને રોળાઈ ગયેલાં મન હતાં. એમાંનાં કેટલાક પુરુષો ને સ્ત્રીઓ ચાલી ન શકવાથી વધારે પૈસા આપીને નાકલીટી તાણીને મજૂરોની પીઠ પર કંડીમાં બેઠાં હતાં. ખીદીરપુરવાળાં માસીના પગ કપાયો હતો, કંડીમાં બેસતાં ને ઊતરતાં એમના ચીત્કાર સાંભળીને બીક લાગતી હતી, નિળા તો અનાહારે મરવા પડી હતી, રસ્તો કાપીને રાંધવાની તેની હામ રહી નહોતી, પાણીને ખાંડ લઈને એ લોટ મેળવીને ખાતી હતી, પણ પેટ એ કેમ સહન કરે? એટલે એને ઝાડા થયા હતા. આ ઉપરાંત માખીનો ત્રાસ જબરો હતો, અને કોઈ કોઈ તો ગાંડાની જેમ એનાથી દૂર ભાગતા હતા. મને થયું કે ઝરણાંનાં પાણીમાં કાંઈ દોષ રહ્યો છે, પહાડના નાની મોટી વેલ ને પાંદડાંવાળું પાણી વાપરવું એ સલામત નહોતું. હવાપાણીના ગુણ કેટલા આશ્ચર્યજનક છે! અરધા કલાક આરામ લીધાં પછી મરેલું શરીર જાણે બધી અશકિત ખંખેરીને ઊભું થયું. રાંધવાનું, જંજાળ, ગપ્પાં, બીજાની ચર્ચા, એ બધામાં ઉત્સાહનું મેાજ આવેલું વર્તતું હતું. જમી કરીને બધા વાસણ ધોઈને ચટ્ટીવાળાની જોડે હિસાબ કરવા બેસી ગયા. એક જણને સાધારણ રીતે ખાવાનો ખર્ચ ચારેક આના થતા હતા. પણ જ્યાં બધી ચીજવસ્તુ બરાબર મળતી ન હોય ત્યાં છએક આના જેટલું ખર્ચ થાય. ઘી અને દૂધ વિષે જે ખર્ચની બીકથી કરકસર કરે તેને છેવટસુધી પથારી વશ જ રહેવું પડે. પાતાને હાથે તૈયાર કરેલું હોય તે સિવાયનું બીજું કાંઈ ખાવું એ અહીં હેરાનકર્તા છે. દરેક વર્ષે આહાર વગેરેના અત્યાચારથી કેટલાય યાત્રી પાંગળા ને મરણેાન્મુખી બને છે, તેના કાંઈ હિસાબ નથી. “આ રીતે કેટલા બધા લોકો કષ્ટ ભાગવે છે? મને તા જોઈને રડવું આવે છે. એ લોકો શા સારું અહીં દુ:ખી થવા આવતા હશે? ’’ વહુ ’દિના અવાજ સાંભળીને મે મારું એ તરફ ફેરવ્યું. એના અવાજમાં' જે કરુણતા હતી, ને એના વચનમાં જે આત્મીયતા હતી તેને શરૂઆતમાં કોઈએ જવાબ આપ્યા નહિ, પણ તે પછી અધારબાબુ જરા ઊંચે સાદે બોલ્યા, “તું જ કહેને શા માટે આવી? ઘરમાં બેઠાં બેઠાં પૂજા કરી હોત તો શું કાંઈ પુણ્ય મળવાનું નહોતું !” હસતાં હસતાં રાધારાણીએ કહ્યું, “મરવા માટે પણ કોઈ સારી જગ્યા જોઈએને?” તા. ૧૯૬૨-૬૬ “તા છાનીમાની બેસી રહેને, નકામી બક બક ન કર.” સાસુએ કહ્યું : “ બદ્રીનારાયણ અમને રસ્તો ભૂલાવીને અહીં લઈ આવ્યો ભાઈ! એ બહુ લુચ્ચા છે. અમારો કાંઈ વાંક નથી.” આટલા થાકમાં પણ વહુ’દિ હસી પડી. થોડીવાર પછી બાલી, “ઠીક, પગની દવાનો કાંઈ પત્તા લાગ્યો ને ? બહુ હેરાન થયા! નહિ?” મેં કહ્યું : “ સાંભળ્યું છે, કે શ્રીનગરમાં હાસ્પિટલ છે ત્યાં જોયું જશે. ” “ જુઓને, તમારો તા જમણા પગ ખરાબ થઈ ગયો છે, જ્યારે મારો ડાબો પગ. ઉપર ચઢતાં તો સહન કરી શકાય પણ ઊતરતી વખતે .. એરે બાબા ! મારા ઘૂંટણ જાણે ભાંગી પડે છે, આંખમાં પાણી આવી જાય છે. લાઠીની ઉપર ભાર દઈ દઈને એ હાથ તો હવે હલાવાતો પણ નથી. વારૂ! એક વાત પૂછું?” મેં મોંઢું ઊંચું કર્યું. તે અનેક દ્વિધા અને સંકોચ સહિત મારા માઢા તરફ જોઈને બોલી, “ કયારની ય હું વિચાર કરું છું...... આપ સ્વામી વિવેકાનંદના કોઈ સગા થાઓ છે?” " “ના જી.” પાછી થોડી વાર જે તે વાર્તામાં વીતાવી. હું રાંધતા હતા ત્યાં વહુ'દિએ અઘારબાબુ જોડે કાંઈ મસલત કરી. અઘારબાબુ કહેતા હતા, “તું નહિ કહી શકે ? કેવી નવાઈની વાત ! એ વાત તેં તારે જ કહેવી જોઈએ. ” તે ફરીથી ઊભી થઈને મારી પાસે આવી. હું મોંઢું ઊંચું કરું તે પૂર્વે જ એ સ્નેહાળ, તેજસ્વી, અને ભાળી સ્ત્રી એના સ્વાભાવિક કોમળ, શરમાળ અવાજે વિનયપૂર્વક બોલી, “રસ્તામાં કેરીનું ઝાડ જોઈને થાડી કાચી કેરી તોડી લાવી છું. મેં ચટણી બનાવી છે. તમે ખાશો?” પૃથ્વીમાં કયાંય સ્નેહનું બંધન છે, કયાંય છે વણમાગી આત્મીયતા, અને માણસની માણસને માટે ઉદ્વેગ, ને હિતકામના, એ વાત જ હું ભૂલી ગયા હતા. મારા મનમાં થયું, આ બંગાળની કમનીયતા લઈને ને માટીની મમતા લઈને આવી છે. તો પણ મેં વિનમ્રતાથી કહ્યું, “શાસ્ત્રમાં કહ્યું છે, કે તીર્થયાત્રા વખતે કોઈની ચીજ લેવી યોગ્ય નથી.” “તા રહેવા દો, મને એ વાતની ખબર જ નહિ.” બેાલતાં બોલતાં તે માથું નમાવીને ચાલી ગઈ. અનુવાદક : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા • વર્તમાન રાષ્ટ્રીય રાજકારણ ’ શ્રી સુ`બઈ જૈન યુવક સધના ઉપક્રમે સધના કાર્યોલયમાં (૪૫, ૪૭, ધનજી સ્ટ્રીટ, સુ'બઇ, ૩) તા. ૧૯-૨-૬૬ શનિવારના રોજ સાંજના ૬ વાગ્યે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વતમાન રાષ્ટ્રીય રાજકારણની જાહેર સમીક્ષા કરશે. આ વિષયમાં રસ ધરાવતાં ભાઇ-બહેનને સાદર નિમત્રણ છે. મંત્રીઃ મુબઈ જૈન યુવક સા મૂળ બંગાળી : શ્રી. પ્રબોધકુમાર સન્યાલ વિષયસૂચિ ભસ્મવિસર્જનની ક્રિયામાં ઔચિત્ય કેટલું? શ્રી શ્રીપ્રકાશ પૂરક નોંધ. પરમાનંદ ડૉ.રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિનું પ્રસાદપૂર્ણ પ્રવચન ગુજરાતી સાહિત્ય પરિષદ : વેવિશનું અધિવેશન, સુરત મહાપ્રસ્થાનના પથ પર ૬ જાણીતા જાદુગર શ્રી કે. લાલ : સંઘ તરફથી કરવામાં આવેલું બહુમાન તુલસીશ્યામ ખાતે યોજલવામાં આવેલી સાધનાશિબિર પૃષ્ઠ ૨૦૧ ૨૦૧ ૨૦૨ ભૂપેન્દ્ર ત્રિવેદી ૨૦૪ શ્રી પ્રબોધકુમાર સન્યાલ ૨૦૬ ૨૦૯ .૨૧૦ . પ Page #43 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૨-૧ પ્રબુદ્ધ જીવન જાણીતા જાદુગર : શ્રી. કે. લાલ સધ તરફથી કરવામાં આવેલુ બહુમાન ☆ તા. ૩૧-૧-૧૯૬૬ના રોજ સાંજના સમયે ધી બાઁ મ્બે ગ્રેન એન્ડ ઑઈલ સીડ્ઝ એસોસીએશનના સભાગૃહમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે મુંબઈમાં થોડા સમયથી આવેલા અને મુંબઈની પચરંગી પ્રજાને પોતાના અજાયબીભરેલા જાદુના ખેલાથી મુગ્ધ કરી રહેલા સુવિખ્યાત જાદુગર શ્રી કે. લાલ સાથે સંઘના સભ્યોને મિલન-સમારંભ ગોઠવવામાં આવ્યો હતો. સમારંભના સમયે સભાગૃહ સંઘના સભ્યો વડે ચીક્કાર ભરાઈ ગયા હતા. સ્વાગતનિવેદન સમારંભના પ્રારંભમાં શ્રી કે. લાલનું સ્વાગત કરતાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું હતું કે:– “સંઘ તરફથી આજ સુધીમાં અનેક મિલન સમારંભા – સત્કાર સમારંભા-ગોઠવાતા રહ્યા છે, પણ આજે જે વ્યકિતના અંગે આ મિલન સમારંભ ગોઠવવામાં આવ્યો છે તે વ્યકિત આગળના સર્વ વ્યકિતવિશેષો કરતાં અલગ પ્રકારની – ભિન્ન કક્ષાની છે. આજના આપણા મહેમાન શ્રી કે. લાલનું આખું નામ છે શ્રી કાંતિલાલ ગિરધરલાલ વોરા. પણ જાદુગર તરીકે તેઓ પોતાને શ્રી કે. લાલના નામથી ઓળખાવે છે. તેઓ એક જાણીતા જાદુગર છે, પણ જાદુગરના આપણા ચાલુ ખ્યાલાથી આ જાદુગર જુદી કોટિના છે. આપણા ચાલુ ખ્યાલ મુજબ જાદુગર એટલે કોઈ ગૂઢ વ્યકિત. તેના સીધા પરિચયમાં આવતાં આપણને સંકોચ થાય, બીક લાગે. મંતરજંતર અને મેલી વિદ્યા જાદુગર સાથે જોડાયેલી હોય છે. વ્યસનો વિનાના જાદુગર કલ્પી શકાતા નથી. તેની મુખાકૃતિ પણ લાંબી દાઢી મૂછોથી શાભતી હોય છે. આમાંનું કશું પણ શ્રી કે. લાલમાં આપણને જોવા મળતું નથી. તેમની ઉમ્મર ૩૯ વર્ષની છે. તેમનું કુટુંબ મૂળ કાઠિયાવાડમાં આવેલા બગસરાનું વતની છે. જાણીતા સામાજિક કાર્યકર શ્રી લાલચંદ વારા તેમના કાકા થાય. જન્મે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક. કલકત્તામાં તેમને – તેમના કુટુંબના - કાપડનો વ્યવસાય. વ્યસન તેમને કોઈ મળે નહિ. નિયમબધ્ધ જીવન, ભાવનાશાળી વૃત્તિ. શીલસંપન્નતા અને જાદુગરપણાનો અદ્ભુત અને વિરલ સુયોગ શ્રી કે. લાલમાં આપણને જોવા મળે છે. સ્વભાવે પ્રસન્ન, સરળ, સાદા, હસમુખા, આવા સજ્જન આજના આપણા મહેમાન છે. આવી વિશિષ્ટ વ્યકિત સાથે સંઘના સભ્યોનો સમાગમ થાય અને સંઘ તેમનો આદર કરે તે માટે આ સમારંભ આપણે યોજ્યો છે. સંઘ તરફથી શ્રી કે. લાલને હું આવકારૂ છું અને શ્રી બાલાભાઈ વીરચંદ જે સાહિત્યના પ્રદેશમાં ‘ જય ભિખ્ખુ ના તખલ્લુસથી ઓળખાય છે અને જે આજના આપણા અતિથિને બહુ નિકટતાથી ઓળખે છે અને જેમણે તેમનો પરિચય આપતી એક નાની પુસ્તિકા પણ લખી છે તેવા શ્રી બાલાભાઈ અહિં ઉપસ્થિત હાઈને, તેમને કાંતિલાલભાઈના વિશેષ પરિચય આપવા હું વિનંતિ કરૂં છું. યભિખ્ખુએ આપેલા પરિચય શ્રી બાલાભાઈ (જયભિખ્ખુ)એ તેમને શ્રી કે. લાલના પરિચયમાં આવવાનું શી રીતે બન્યું તેનો ખ્યાલ આપતાં જણાવ્યું કે “ જ્યારે થોડાં વર્ષો પહેલાં કલકત્તામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે હું કલકત્તા ગયેલા અને ત્યારે તેમના તરફથી મને ભાજનનું નિમંત્રણ મળેલું. ત્યારથી અમારા પરિચયની શરૂઆત થઈ અને પછી તો તેઓ સમયાંતરે અમદાવાદમાં આવ્યા અને તેમના વિષે, તેમની જાદુવિદ્યાની ઉપાસના વિષે મને વધારે જાણવાનું મળ્યું અને જેમ જેમ તેમના વિષેની મારી જાણકારી વધતી ગઈ તેમ તેમ તેમના ૧ ૧૦૯ વિશિષ્ટ વ્યકતત્વથી હું વધારે ને વધારે પ્રભાવિત બનતો ગયો. આજે અમે બન્ને એટલા બધા નિકટ છીએ કે અંતરમાં જડાયલી વ્યકિત વિષે બહુ કહેવું મારા માટે મુશ્કેલ છે. તેમને ભગવાને સુરત અને સીરત બન્ને આપેલ છે. તેઓ કલાકાર છે અને એમ છતાં, સાધારણ રીતે કલા અને વ્યસન સાથે ચાલતા જોવામાં આવે છે, જ્યારે ભાઈ કાંતિલાલને મઘ, ધૂમ્રપાન તે શું – ચાનું પણ વ્યસન નથી. ખાવા – પીવામાં અત્યંત મિતભાજી અને વ્યવહારમાં ઉદાર તેમ જ ખૂબ જ પ્રેમાળ છે. વળી તેમનું આખું કુટુંબ રાષ્ટ્રીય ભાવનાથી તેમ જ ધાર્મિક સંસ્કારોથી રંગાયેલું છે. “આપણે ત્યાં મદારીની સંસ્થા પરાપૂર્વથી ચાલી આવે છે. તે અત્યંત અવમાનિત–ઉપેક્ષિત હોવા છતાં તેના જેવી પુરાણી અને દઢમૂળ આપણા દેશમાં બીજા કોઈ કલાકારની સંસ્થા નથી. ” આમ જણાવીને કે. લાલ. આ મદારીઓ પાસેથી જાદુવિઘા કેવી રીતે શિખ્યા અને તે ખાતર તેમણે કેવી તપશ્ચર્યા કરી, કષ્ટો ખમ્યાં તેમની ઉપાસનાની આવી કેટલીક વિગતો શ્રી બાલાભાઈએ રજૂ કરી. આગળ ચાલતાં તેમણે જણાવ્યું કે, “આમ અનેક ગુરુઓ દ્વારા, તેમણે આ વિદ્યા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત તેમને સાધુ–સંતને મળવાના, તીર્થયાત્રાએ કરવાનો શોખ છે. વળી જે લીધું તે પૂરુ કરવું એવી તેમની આગ્રહી પ્રકૃતિ છે. જાદુવિદ્યાના તંદુરસ્ત રીતે ઉપયોગ કરવા એ એમના જીવનના મંત્ર છે, અને આખરે જાદુ શું છે? જે તમે ન જાણી શકો તે જાદુ, એનું તમે રહસ્ય જાણા એટલે તે વિજ્ઞાન બની જાય છે. વિજ્ઞાન અને જાદુમાં માત્ર આટલા જ ફરક છે. “આપણા દેશમાં આવા કે. લાલ એટલે કે આવા જાદુગર અનેક હશે પણ આ લાલના અંતરમાં જે ગુલાબ છે તેવું ગુલાબ ભાગ્યે જ અન્યત્ર જોવા મળે છે. આપણે આજે આ ગુલાબની સુગંધ માણવા એકઠા થયા છીએ. આવું સન્માન કોઈ જૈન સંસ્થાએ યાજેલું મારા ધ્યાનમાં નથી તેથી આવા પ્રસંગ યોજવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને હું ધન્યવાદ આપું છું.” શ્રી કે. લાલનું નિવેદન ત્યાર બાદ શ્રી કે. લાલે ઉપસ્થિત સભાજનોને સંબાધીને જણાવ્યું હતું કે “આપણા ગુજરાતમાં બહુ ઓછા જાદુગરો થયા છે. મહુવાવાળા સ્વ. નથ્થુ મંછાચંદ, ભાવનગરના સ્વ. એલ. કે. શાહ, સુરતના આલવારો - આમ આપણી બાજુ ગણ્યાગાંઠયા, જાદુગરો પાકયા છે, જ્યારે બંગાળા તો પ્રાચીનકાળથી જાદુગરોના જ દેશ છે. અંગ્રેજ સરકારની હકુમત પહેલાં બંગાળ, બ્રહ્મદેશ અને આસામ મળીને એક જ દેશ ગણાતા હતા. આ દેશ અને ખાસ કરીને આસામ, કામરૂ દેશ તરીકે ઓળખાતા હતા, જેનું મણિપુર મુખ્ય મથક હતું. કામરૂ દેશના ભાવાર્થ એવા છે કે ત્યાં એવી વિદ્યા છે કે જેને લીધે પુરુષને સ્ત્રી, સ્ત્રીને પુરુષ, એટલું જ નહિ પણ, માણસને કોઈપણ પ્રકારના જાનવર બનાવી શકાય છે. આ મણિપુરમાં બહુ જ જાણીતી એવી ભાનુમતી નામની જાદુગરણ થઈ ગઈ. અને તેણે અનેક સ્ત્રીઓને જાદુવિદ્યા શિખવી અને જાદુગરણ બનાવી. આમ એ પ્રદેશ જાદુવિઘા માટે જાણીતો છે. જ્યાં હું વસું છુ તે પ્રદેશના આવા ઈતિહાસ મારા જાણવામાં આવતા હું જાદુવિદ્યા તરફ આકર્ષાયા અને તેની મેં આજથી પચ્ચીસ વર્ષ પહેલાં ઉપાસના શરૂ કરી. “આમ તે કલા સિદ્ધ થતાં મેં જાદુગરના વ્યવસાય શરૂ કર્યો. પણ ચાલુ જાદુગરો કરતાં મારી પદ્ધતિમાં થેાડા ફેરફારો કર્યાં જે ફેરફારો આ મુજબના છે: (૧) ચાલુ જાદુગરા બોલે છે બહુ, કામ ઓછું દેખાડે છે. મેં ઊલટી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રમુદ્ધ જીવન રીત પકડી. બાલવું ઓછું, કામ વધારે દેખાડવું. આખરે તે આપણું કામ જ બોલે છે. (૨) જાદુગરો ઑડિયન્સને પ્રભાવિત કરવા માટે નાભિમાંથી શ્વાસ ખેંચીને મોટા પણ કૃત્રિમ અવાજથી બોલતા હોય છે. હું મારા સ્વાભાવિક અવાજથી જ બોલું છું. (૩) ઑડિયન્સ - પ્રેક્ષકગણ બુદ્ધુ છે એવો ખ્યાલ કેળવીને જાદુગરો એક superman – લોકોત્તર માનવી – માફક વર્તવાના પ્રયત્ન કરતા હોય છે. આવું કશું ઘમંડ ન સેવતાં “ આપ મેરે હા, મે” આપકા હું” એવા ભાવથી પ્રેક્ષકો સાથે હું વ્યવહાર કરું છું. (૪) જાદુગરો મેઢું ગંભીર બિહામણું કરીને બોલતા ચાલતા હોય છે. મેાટી મૂછે અને લાંબી દાઢી જાદુગરના આવશ્યક અંગા ગણાય છે. હું હસીને બાલું ચાલું છું અને પ્રેક્ષકોને હસાવું છું. દાઢી મૂછની મને કોઈ જરૂર લાગી નથી. (૫) જાદુના વ્યવસાય સાથે હિંસા સારા પ્રમાણમાં જૉડાયલી હોય છે. દા. ત. પારેવાને મારી નાંખીને જીવતા કરવામાં આવે છે. આમાં મારેલું પારેવું મરેલું જ ફેકાઈ જાય છે, અને તે જ જગ્યાએ નવાં જ જીવતાં પારેવાં આપણી સામે રજૂ થાય છે. ઉપરવાળો એક જ જાદુગર છે કે, જે મરેલાને જીવતાં કરી શકે છે. આવી હિંસા જેમાં હોય એવા એક પણ પ્રયોગ હું કરતા નથી. જે પક્ષીઓનો અમે પ્રયાગમાં ઉપયોગ કરીએ છીએ તેમને પણ અમે બહુ જ સારી રીતે રાખીએ છીએ. (૬) જાદુગરો માટા ભાગે અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. હું કદિ પણ અશ્લીલ કે અશિષ્ટ ભાષાનો ઉપયોગ કરતો નથી. જાદુ પદ્ધતિસરનું વિજ્ઞાન છે. આંગળીઓને રીયાઝ કરીને તૈયાર કરવી પડે છે. મારુ જીવન શુદ્ધ બની રહે, ઊંચા ધારણ ઉપર ટકી રહે એ માટે હું હંમેશાં સંત – સાધુઓને સમાગમ શોધતો રહું છું. ખાન - પાનમાં મિતાહારી રહું તે જ આ વ્યવસાય લાંબા વખત ચલાવી શકું એ વિષે હું પૂરો સભાન છું. શરીરસૌષ્ઠવનું અમારા માટે ખૂબ મહત્ત્વ છે. કોઈ પણ વ્યસન તો મને છે જ નહિ, પણ મારા દાંત સારા સફેદ ટકી રહે એ માટે પાન પણ હું ખાતા નથી. જાદુમાં આત્મવિશ્વાસ સૌથી મહત્ત્વનું તત્ત્વ છે. ગાંધીજી અને જૉન ઑફ આર્ક બન્ને દુનિયાના મોટા જાદુગરો હતા. તેમના આત્મવિશ્વાસ ટકયા ત્યાં સુધી દુનિયામાં તેઓ મહાન કાર્યો કરી શકયા. ચીન - લીંગ - ફ્એ આત્મવિશ્વાસ ગુમાવ્યો અને બંદૂકની જેગાળી તે રમતમાં મેામાં ઝીલી શકતા હતા તે જ ગાળીએ તેના જીવ લીધા હતા. આ આત્મવિશ્વાસ એ મારી સૌથી મોટી મૂડી છે. આ મારો આત્મવિશ્વાસ ટકી રહી, સદા વધતા રહે અને જનતાની મનેરંજનદ્ગારા વધારે ને વધારે સેવા કરતો રહું એવા આપના હું આશીર્વાદ માંગું છું.” અન્ય વકતવ્યો આ સમારંભમાં ઉપસ્થિત થયેલા શ્રી શાંતિલાલ હ. શાહે, શ્રી કે. લાલના જાદુ ના પ્રયોગોથી ખૂબ પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું અને પરદેશના જાદગરો કરતાં તે ચડિયાતા છે એવી કે. લાલની જાદુગરી અંગે પાતા ઉપર છાપ પડી છે એમ પણ જણાવ્યું. જેમ પરદેશના જાદુગરો અહીં આવે છે એમ કે. લાલે પોતાના ખેલો પરદેશમાં જઈને રજૂ કરવા જોઈએ એમ જણાવીને તે દિશાએ પોતાથી શકય હોય તેટલા મદદરૂપ થવાની તેમણે ખાત્રી આપી, સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રી કે. લાલના ખેલા બે વર્ષ પહેલાં તેઓ અહિં આવેલા ત્યારે, જોયા હોવાનું અને તેમની સાથે પરિચય હાવાનું જણાવ્યું. “તે કોઈ આપણાથી અલગ દૂરના ચિત્રવિચિત્ર લેખાતા જાદુગર નથી પણ આપણામાંના જ એક સ્વજન સમા છે. તેમણે જાદુગરના વ્યવસાયને સુચારિત્ર્ય અને ભાવનાશીલતાવર્ડ શાભાવ્યો છે, વધારે પ્રતિષ્ઠિત બનાવ્યા છે. તેઓ આપણા સર્વના સ્નેહ અને આદરના અધિકારી છે. આ રીતે બહુમાન કરીને સંધે યોગ્ય વ્યકિતની ઉચિત કદર કરી છે.” જણાવીને તેમનું ફ્ લહાર વડે સન્માન કર્યું. આમ ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે આભારદર્શન કરતા કહ્યું “જગતના મોટામાં મેટા જાદુગર પરમાત્માની તા. ૧૬-૨-૬૬ માયાજાળમાં જેમ આપણે ફસાયા છીએ અને ફસાવું ગમે છે તેમ શ્રી કે. લાલની માયાજાળમાં ફસાવું ગમે છે અને એના આપણને આનંદ છે. તેઓ પ્રથમ મુંબઈ આવ્યા ત્યારે તેમના પ્રયોગની ટિકિટ મને મહામુશ્કેલીએ મળેલી. તેમની ક્લકા ખાતેની કાપડની દુકાનની પણ મે મુલાકાત લીધી હતી અને ત્યાંથી મને છા - સાતો રૂપિયાની સાડીઓ વળગાડવામાં આવી હતી. આમ એમની જાળમાં હું બે વાર ફસાયેલા. આજે તેમણે મુંબઈને ઘેલું કર્યું છે. તેમના જાદુના ખેલા જોતાં આપણને અદ્ભુત આશ્ચર્ય – આનંદ – થાય છે. તેમણે તેમનું નામ કાન્તિલાલ વારા રાખવાને બદલે તખલ્લુસ કે. લાલ નામ રાખ્યું એ એમની સફળતાનું નિમિત્ત બન્યું છે. અને મારા એક મિત્ર કાંતિલાલે એનું નામ કે. મગનલાલ દેસાઈ રાખ્યું છે અને આજે એમની સંપત્તિનો પણ અસામાન્ય વિકાસ થયા છે. “શ્રી કે. લાલ ફકત ધંધાદારી જાદુગર નથી, સાથે સેવાની પણ ભાવના રાખે છે. તેમણે અનેક સંસ્થાઓને એમનો શ આપીને ફંડ ભેગું કરવામાં સહાય કરી છે. આજે જે ાતા અહીં ઉપસ્થિત થયા છે એમનાં સૌના દિલની ઈચ્છા છે કે શ્રી કે. લાલ અહીં પણ એકાદ બે જાદુની આઈટેમ બતાવે.” ત્યારબાદ શ્રી કે. લાલે માઢામાંથી એક પછી એક ગાળા કાઢી બતાવ્યા હતા અને રૂમાલા એક પછી એક કાઢી બતાવ્યા હતા અને આમ આનંદના વાતાવરણમાં સભા વિસર્જિત થઈ હતી. તુલસીશ્યામ ખાતે ચેાજવામાં આવેલી સાધના શિખિર સૌરાષ્ટ્રના દક્ષિણ પ્રદેશમાં આવેલા તીર્થધામ તુલસીશ્યામ ખાતે ‘તુલસીશ્યામ વિકાસ સમિતિ’ તથા ‘સારઠ શિક્ષણ અને સંસ્કૃતિ સંઘ'ના સંયુકત ઉપક્રમે આચાર્ય રજનીશજીને અનુલક્ષીને ચાલુ ફેબ્રુ આરી માસની તા. ૪-૫-૬ એમ ત્રણ દિવસ માટે એક સાધના શિબિર ગાઠવવામાં આવી હતી. આ શિબિરનો લાભ લેવા માટે મુંબઈ, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી લગભગ ૪૫૦ ભાઈબહેને ઉપસ્થિત થયા હતા. આ શિબિરનું આયોજન સૌરાષ્ટ્રના જાણીતા અગ્રગણ્ય કાર્યકર્તા શ્રી રતુભાઈ અદાણી તથા તેમના સહકાર્યકર્તાઓ તરફથી કરવામાં આવ્યું હતું અને શિબિરના સ્થળે એક સુંદર નાની સરખી રચના કરવામાં આવી હતી. ત્યાં આવેલા ભાઈ બહેનો માટે રહેવા ખાવા પીવા વગેરે માટે ઉત્તમ પ્રકારની સગવડ કરવામાં આવી હતી. શિબિરના દિવસેાની શરૂઆત સવારના પહોરમાં ઐચ્છિક શ્રમદાન દ્વારા કરવામાં આવતી સાફસૂફીથી થતી હતી. શિબિરનું પ્રમુખસ્થાન પૂજ્ય રવિશંકર મહારાજે લીધું હતું. શિબિરના પ્રારંભ ખરી રીતે ત્રીજી તારીખે રાત્રે નવ વાગે એકત્ર થયેલા સંમેલનથી થયા હતા, જ્યારે આચાર્ય રજનીશજીએ પ્રસ્તુત શિબિરના ઉર્દૂ શ સમજાવ્યો હતો. ત્યાર બાદ શિબિરના નિયત દિવસે દરમ્યાન સવારના ૯થી ૧૦, બપારના ૪થી ૫ તથા રાત્રીના ૯ થી ૧૦, એમ હંમેશા આચાર્ય રજનીશજીનાં ત્રણ પ્રવચનો થતાં હતાં. આ ઉપરાન્ત તા. ૪ સાંજના સમયે અમદાવાદવાળા શ્રી ચંદુલાલ સતિયાના હાથે બાજુએ આવેલ ટેકરી કે જેના શિખર ઉપર જવા માટેનાં રૂક્ષ્મણિ માતાનું મંદિર છે ત્યાં નીચેથી ઉપર પગથીયાં અંગે શિલારોપણ કરવામાં આવ્યું હતું. તા. ૫મીની સવારે શેઠ નાનજીભાઈ કાળીદાસના હસ્તે ગૌસંવર્ધન કેન્દ્રનું શિલારોપણ કરવામાં આવ્યું હતું. એ જ દિવસે સાંજે શ્રી નારણદાસ ગાંધીના હાથે મોટા પાયા ઉપર તૈયાર કરવામાં આવેલા ગેાબરગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તા. ૬ સવારના ભાગમાં શ્રી ગુલાબચંદ તલકચંદ શેઠના હાથે આજના ખ્યાલા મુજબ તૈયાર કરવામાં આવેલ ભાજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપર જણાવેલ શિબિરના સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા ભાઈ બહેનાએ રસપૂર્વક ભાગ લીધા હતા અને રજનીશજીનાં પ્રવચનોએ એક નવી વિચારચેતના પેદા કરી હતી. આ શિબિરમાં સૌરાષ્ટ્રનું જેને સત્વ કહી શકાય એવી વિચારલક્ષી અનેક વ્યકિતઓના સમુદાયે ખૂબ રસપૂર્વક ભાગ લીધા હતા અને ત્રણે દિવસ આનંદપ્રમોદમાં અને પ્રેરક વાતાવરણમાં પસાર થયાં હતાં. આ સાધના શિબિરના સવિસ્તર અહેવાલ હવે પછીના અંકમાં આવશે. માલિક: શ્રી મુખઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાન ંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫--૪૭, ધનજી સ્ટ્રીટ. મુ ંબઇ-૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુ ંબઇ ĕ Page #45 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MR. 117 વાર્ષિક લવાજમ રૂ. ૪ = પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૨૭ ; અંક ૨૧ - - - - - - - મુંબઈ, માર્ચ ૧, ૧૯૬૬, મંગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા શ૬ “કટેકટીની પળે પ્રગટેલું માટીનું કેડિયું:” એક “An Earthen Lamp in an Hour of Destiny? (યુનાઈટેડ સ્ટેટ્સના ઉપ-પ્રમુખ શ્રી હ્યુબર્ટ એચ. હું ફરીએ પ્રધાનમંત્રીના પદ ઉપર આવ્યા બાદ તરતમાં જ તેમણે ભારતના મહા અમાત્ય સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીના માનમાં ગયા પોતાના સાથી મંત્રીઓને જણાવ્યું હતું કે સામાન્ય માનવીની જીવનજાન્યુઆરી માસની ૨૮મી તારીખે વૈશિગ્ટન ખાતે યોજવામાં આવેલી જરૂરિયાત અન્ન, આશ્રયસ્થાન, વૈદકીય રાહત અને રોજગારી– ‘મેગેરિયલ સર્વિસ” દરમિયાન કરેલા મનનીય પ્રવચનને નીચે આ બાબતો જ રાષ્ટ્ર માટે પ્રથમ વિચારણા માગે છે. અનુવાદ આપવામાં આવે છે -તંત્રી) નાની ઉંમરે તેમણે એવી ગરીબી ભેગવી હતી કે હોડીનું ભાડું આજથી બરાબર સોળ દિવસ પહેલાં, પ્રમુખ જોન્સનની ચૂકવવા પૂરતા પૈસાના અભાવે, પેતાની ચોપડીઓ માથા ઉપર પટ્ટાથી ઈચ્છાને માન આપીને, અમેરિકાના યુનાઈટેડ સ્ટેટ્સના પ્રતિનિધિ- બાંધીને તેઓ ગંગા તરીને ઘણી વાર નિશાળે પહોંચતા હતા અને મંડળને ન્યુ દિલ્હી ખાતે પવિત્ર યમુના નદીના કિનારે લઈ જવાની જ્ઞાન માટે વિદ્રત્તા માટે તેમને એટલે બધે આદર હતો કે તેમને ખેદજનક જવાબદારી વહન કરવાનું મારા ભાગે આવ્યું હતું. પ્રધાન શાસ્ત્રીની જે પદવી મળી હતી તે નામથી જ તેઓ ત્યાર બાદ સર્વત્ર મંત્રી લાલ બહાદુર શાસ્ત્રી અંગેની અંતિમ ક્રિયાઓમાં ભાગ લેવા ઓળખવા લાગ્યા હતા. માટે ત્યાં એકઠા થયેલા લાખો લોકોમાં હું આ રીતે જોડાયો હતો. ગાંધી, નહેરુ અને કેંગ્રેસ પક્ષ સાથે ભારતની આઝાદી પ્રાપ્ત આજે આ સ્થળે આપણે એટલા માટે એકઠા થયા છીએ કે કરવા માટે તેમણે ભાષણ કર્યો, કામ કર્યું અને સહન કર્યું હતું, અને જેઓ ભારત જેટલે દૂર લાંબે પ્રવાસ ખેડી શકે તેમ નહોતું તે આ મહાન ધર્મકાર્ય માટે કુલ સાત વર્ષને તેમણે જેલવાસ ભોગવ્યો અહિ ઉપસ્થિત થઈને તેમને કાંઈક યોગ્ય અંજલિ આપી શકે. હતા. આઝાઠી જંગમાં આ તેમને ભારે મહત્ત્વપૂર્ણ ફાળે હતે. આ અંજલિપ્રદાન પ્રસંગે, તેમના સ્થાન ઉપર આવેલા, પોતાના ઉત્તર પ્રદેશમાં તેમ જ કેન્દ્રમાં એક પછી એક નવી સુવિખ્યાત શ્રીમતી ઈન્દિરા ગાંધીને, જે ગુણ વડે લાલ બહાદુર નવી જવાબદારીઓ ધારણ કરતા અને એ રીતે આગળ ને આગળ શાસ્ત્રી પોતાની મહાને જવાબદારીઓને પહોંચી વળવામાં સમર્થ વધતા જતા જેમણે તેમને જોયા છે તેમની નજરમાં આટીઘૂંટીને નિવડયા હતા તે તાકાત, સુદ્રઢ નિશ્ચયશકિત અને નિરાડંબર નિષ્ઠા પ્રાપ્ત મધ્યમ માર્ગ કાઢતાં, વિકટ પરિસ્થિતિને પોતાની આગવી સૂઝ થાય એવી શુભેચ્છા આપણે જરૂર પ્રગટ કરીએ ! વડે પહોંચી વળતા અને જરૂર પડે ત્યાં બાંધછોડ કરીને આગળ ભારતના એક દષ્ટિસંપન્ન નિરીક્ષકે પ્રધાન મંત્રી શાસ્ત્રીને ચાલતા એવા એક પ્રજ્ઞાસંપન્ન પુરુષ તરીકે તેઓ તરી આવ્યા હતા. ‘an earthen lamp in an hour of destiny.' 'oula-il કારણ કે શાસ્ત્રી સ્વભાવથી અને આત્મપ્રતીતિથી લોકશાહીને અંધકાર ભરી કટોકટીની પળે પ્રકાશ પૂરો પાડતા કોડિયાના દીવા’–સાથે વરેલા હતા અને કોઈ પણ કદમ ઉઠાવતા પહેલાં સૌ કોઈના અભિસરખામણી કરી છે. પ્રાયોને લાભ ઉઠાવવા તેઓ સદા આતુર રહેતા. તે સહિષ્ણુ હતા, તેમણે મહાન હિંદુ કવિ રવીન્દ્રનાથ ટાગેરમાંથી આ ઉપમા ઉદાર હતા અને દરેક વસ્તુ યા વિષયને ઊંડાણથી સમજવા માટે તેઓ શોધી કાઢી છે. તેમના એક કાવ્યમાં, જ્યારે સૂર્ય આથમે છે અને તત્પર રહેતા હતા. ચેતરફ અંધકાર વ્યાપી વળે છે અને હવે શું થશે એમ સૌ કોઈ પૂછે છે તેમનામાં અક્ષુબ્ધ પ્રતિભા હતી, પોતાનામાં પૂરો વિશ્વાસ હતો ત્યારે બધાં મૌન ધારણ કરી બેસે છે, પણ એટલામાં એક માટીનું અને વિચારપૂર્વકના આશાવાદી હતા, જેને લીધે વિકટમાં વિકટ ઘડિકોડિયું ધીમે રહીને બોલે છે: “મને પ્રગટાવ! મારાથી થશે એટલું એમાં પણ પોતાના માર્ગે તેઓ સ્વસ્થપણે આગળ વધી શકતા હતા. હું જરૂર કરી છૂટીશ.” માનવીના મનના અને ચેતનાના આ સર્વ ગુણની તેમને પૂરી જ્યારે પ્રધાનમંત્રી નહેરુને ઝળહળતો સૂર્ય સદાને માટે અસ્ત જરૂર હતી. કારણ કે આપણે કે જે પ્રમાણમાં ઘણી વધારે સુખ પામ્ય, ત્યારે એ અસાધારણ આફતની ઘડિએ લાલબહાદુર શાસ્ત્રી, સગવડો અને સલામતીભર્યું જીવન જીવી રહ્યા છીએ તેમને, આ પિતાના પ્રજાજને માટે માર્ગ અજવાળવાની દિશાએ પિતાથી શકય માનવી અને તેની પ્રજાને જે બેજા વહન કરવાના છે તેને ખ્યાલ તેટલું બધું કરી છૂટયા હતા. પણ આવા શકય નથી. * તેઓ કશા પણ આડંબર વિનાના એક વિનમ્ર માનવી હતા; એ એવા બેજાઓ હતા કે જેનું પરિણામ, બીજા દેશે અને તેઓ જનસમુદાયના એ અંગ હતા કે જેણે ભારતના લાખો મનુષ્યની બીજા પ્રકારની નેતાગીરી નીચે, લેકશાહીના વિસર્જનમાં જ આવ્યું. ગરીબી જોગવી હતી અને એક ક્ષણ માટે પણ પિતાનાં પ્રજાજને હોય. એમ છતાં આ બધાં વર્ષો દરમિયાન ભારતમાં વિચાર, વાણી સાથે આ સંપર્ક જેણે ગુમાવ્યો ન હતો. અને પત્રકારત્વને લગતી પાયાની સ્વતંત્રતા આજ સુધી એક સરખી Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૬૬ જળવાઈ રહી છે. પોતાના પ્રતિનિધિએ ચૂંટવાની તેમજ તેમને ફેંકી દેવાની સ્વતંત્રતા તેઓ ભેગવતા રહ્યા છે અને આ બંને રાષ્ટ્રીય રાજકારણ પ્રકારની સ્વતંત્રતા તેમણે પૂર્ણ રૂપમાં દાખવી છે, અભિવ્યકતા (શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૧૯-૨-૬૬ કરી છે. શનિવારના રોજ સંધના કાર્યાલયમાં રાષ્ટ્રીય રાજકારણ ઉપર શ્રી નહેર અને શાસ્ત્રીની નેતાગીરી નીચે તેમણે લોકશાહી માર્ગ ચીમનલાલ ચકુભાઈ શાહે વ્યાખ્યાન આપ્યું હતું, અને તેમાં તાશ્કેદ ભારે પ્રયત્નથી વિકસાવ્યો છે. આ માર્ગ તત્કાલ ઘણે ભાગ માગી લે મંત્રણાઓ, પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીનું અણકણું અવસાન, છે, પણ લાંબે ગાળે સારા પ્રમાણમાં લાભદાયી નીવડે છે. પણ, એ તેમના સ્થાને થયેલી ઈન્દિરા ગાંધીની ચૂંટણી અને જયપુર કેંગ્રેસસર્વથી વિશેષ, પ્રધાન મંત્રી શાસ્ત્રીએ એક અદ્ભુત ધૃતિનાં આપણને આટલા મુદ્દાઓ ઉપર વિવરણ કર્યું હતું. તેમના વ્યાખ્યાનો ટૂંકો સાર દર્શન કરાવ્યા છે. યુદ્ધ વખતે આપણ સર્વ પાસેથી અપેક્ષિત હોય નીચે મુજબ છે. – તંત્રી) તે કરતાં પણ વધારે મહત્ત્વ ધરાવતી વૃતિનાં તેમણે આપણને દર્શન કરાવ્યાં છે અને એ છે પ્રતિપક્ષ સાથે સુલેહ શાંતિ કરવાની વૃતિ. ગયા જાન્યુઆરી માસની છઠ્ઠી તારીખે આપણે આ સ્થાને મળ્યા તાäદથી મળેલી છેલ્લી છબીઓ મારા ચિત્તને હલાવી નાખે હતા અને મેં વચગાળાના રાષ્ટ્રીય તેમ જ આંતર રાષ્ટ્રીય રાજકારણની છે, મારામાં અભૂતપૂર્વ સંવેદને પેદા કરે છે. તેઓ એક સજજન આલોચના કરી હતી. એ વખતે તાત્કંદ ખાતે આપણા પ્રધાનમંત્રી લાલપુરુષ હતા જેમણે એક મહાન કાર્ય સિદ્ધ કર્યું હતું અને તે વિષે બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રેસિડેન્ટ જનાબ અયુબખાન સંતોષ આત્મગૌરવ દાખવવામાં તેમણે કોઈ સંકોચ અનુભવ્યો નહોતો. ' વચ્ચે મંત્રણાઓ ચાલતી હતી. તે ઘટનાને આજે દોઢ મહિનો થયો. એ અકયું લાગે છે કે આ માનવી–આટલે બધો જીવંત માનવી- ' આ દોઢ મહિના દરમિયાન એટલી બધી ઘટનાઓ એક પછી એક વસ્તુત: પોતાના મૃત્યની આટલો બધો સમીપ હતો. બનતી ગઈ છે કે તે ઘટનાઓને આટલા ટૂંકા સમયના ગાળામાં જો તેઓ જીવ્યા હોત તો, શાસ્ત્રીજી આ શહેરમાં થોડા દિવસ ક૯૫ના વડે પણ સમાવવી મુશ્કેલ છે. બાદ આવ્યા હોત અને પ્રેસિડેન્ટ જોન્સન સાથે અને અન્ય સવ. લાલબહાદુર ક્ષાસ્ત્રી સરકારી અધિકારીઓ સાથે વાટાઘાટો કરતા હોત. આપણી વચ્ચેથી આવો એક વિનમ્ર, ભલે, દીન માનવી ચાલ્યા જાય તે અંગે આઘાત તાશ્કેદ મંત્રણાઓ વિશે કાંઈ કહું તે પહેલાં તા. ૧૧-૧-૬૬ ના અને વેદના સિવાય આપણા દિલમાં બીજી કઈ લાગણીઓ હોઈ શકે? રોજ નીપજેલા લાલ બહાદુર શાસ્ત્રીના એકાએક અવસાન વિષે | મારા પૂરનું કહું તે તેમના આ પ્રકારના મૃત્યુનો વિચાર કરતાં થોડે ઉલ્લેખ કરી લઉં. જેમ જેમ તેમને હું વિચાર કરું છું અને આપણું જીવન કેટલું ક્ષણભંગુર છે તે મને ફરી ફરીને યાદ આવ્યા તેમની પ્રધાનમંત્રી તરીકેની દોઢ વર્ષની કારકીર્દિનો ખ્યાલ કરું છું તેમ તેમ તેમના આમ એકાએક જવાથી કેટલી મોટી અને ન પુરાયા અને એમ છતાં પણ, જે લોકો એમ વિચારે છે કે આ દુનિયા એવી આપણને ખેટ પડી છે તેની વાસ્તવિકતાને ખ્યાલ આવે છે માત્ર અંધ અને અચેતન બળ વડે ધકેલાઈ રહી છે અને કોઈ એક વ્યકિત - પછી તે ભલેને ગમે તેટલી મહાન અને મહામના હોય તો અને અંતર ઊંડી ગમગીનીથી છવાઈ જાય છે. તેમના વ્યકિતત્વનું પાણ-તેમાં તે કશે પણ તફાવતે કરી શકતી નથી–આવા લોકોનો હું મૂલ્યાંકન કરું તે કરતાં યુનાઈટેડ સ્ટેટ્સના ઉપપ્રમુખ શ્રી હ્યુબર્ટ ખ્યાલ બરોબર નથી એમ મને સ્પષ્ટપણે દિસે છે. હંફરીએ લાલબહાદુર શાસ્ત્રીના માનમાં વૈશિંગ્ટન ખાતે જાયેલી કારણ કે આ વિનય માનવીના અસ્તિત્વથી પિતાના લોકોના મેમોરિયલ સર્વિસ પ્રસંગે આપેલી અંજલિને ઉલ્લેખ કરું તે વધારે જીવન અંગે તેમ જ આખરે દુનિયામાં શાંતિ સ્થાપવા અંગે ભારે યોગ્ય લાગે છે. કારણ કે આટલી બધી ભાવભરી–સંવેદનપૂર્ણ-- મહત્ત્વનો તફાવત પડયો છે. અંજલિ હજુ સુધી લાલ બહાદુર શાસ્ત્રીને અન્ય કોઈ વ્યકિતએ આપી આખરે, મને મારી અંદર નિશ્ચિતપણે ભાસે છે કે આ દુનિયામાં આપણે બધા માનવીઓ આપણી વચ્ચે અંદર અંદર ગમે નથી. આ અંજલિને પરમાનંદભાઈ અનુવાદ કરવાના છે અને તેવી કાલ્પનિક સીમાઓ રચીએ અને રેખાઓ દોરીએ તો તે અનુવાદ પ્રબુદ્ધ જીવનના આગામી અંકમાં પ્રગટ થવાને છે. એટલે પણભાઈઓ છીએ, બંધુએ છીએ. તેનો વિસ્તારથી ઉલ્લેખ નહિ કરું. તે વિષે એક બે બાબતે જ લાલબહાદુર શાસ્ત્રી, જો માનવ જાતના બંધુ નહિ તે, બીજું જણાવીશ. રવીન્દ્રનાથ ટાગેરે એક કાવ્ય લખ્યું છે અને તેમાં જણાવ્યું શું હતા? છે કે પ્રખર તપતો અને પ્રકાશ આપતા સૂર્ય આથમે છે અને સર્વત્ર અને જે માનવ જાતના કલ્યાણ માટે નહિ તે બીજા શેના ગાઢ અંધકાર ફેલાઈ જાય છે અને હવે શું થશે એમ સૌ ચિતા ભરી માટે તેઓ મૃત્યુ પામ્યા હતા? નજરે એકમેક સામું જુએ છે એવામાં એક માટીનું કોડિયું બોલી એવા લોકો છે કે જેઓ ઈતિહાસમાંથી અંધકારભર્યું ચિત્ર ઉપસાવે છે અને જેઓ ચાલુ માનવજાતની નાબુદીની અને માથે ઊઠે છે કે “મને પ્રગટાવે અને આખા પ્રદેશને મારા પ્રકાશથી અજઝઝુમતા સર્વનાશની આગાહી કર્યા કરે છે. વાળી દઈશ.” આમ જણાવીને હ્યુબર્ટ હંફરીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેઓ સાચા હોય એમ પણ બને. કારણ કે પિતાને નાબૂદ જવાહરલાલના ઝળહળતા સૂર્યના આથમવા પછી વ્યાપેલા અંધકારને કરવાની અને પિતાનાં સર્વ સર્જનને નાશ કરવાની સાધનસામગ્રી વિદારતા માટીના કોડિયા સાથે An earthen lamp in an આજના માનવીએ જરૂર હસ્તગત કરી છે. hour of destiny સાથે સરખાવ્યા છે. લાલબહાદુર વિશે છે પણ મને પિતાને લાગે છે કે આ રીતે વિચારવાવાળા ખેટા છે. આથી વધારે ભવ્ય કલ્પના બીજી શું હોઈ શકે? વિશેષ વિગતો કારણ કે તેમને ખોટા પુરવાર કરવા માટે, આપણી વચ્ચે, શાસ્ત્રી જેવા પરમાનંદભાઈના અનુવાદમાંથી જોઈ લેશે. માનવીઓ અવતરે છે, જેઓ એવી શ્રદ્ધા ધરાવે છે કે આ સિવાય બીજાં કશું જ ન બને એમ માની લેવાને કોઈ કારણ નથી અને જે તાન્કંદ મંત્રાણા માને છે કે જ્યારે માનવીઓ અન્ય માટે પોતાના જીવનનું સમર્પણ હવે તાશ્કેદ મંત્રણા વિશે. એ દિવસોમાં લગભગ છેલ્લા દિવસ કરવાને તૈયાર થાય છે ત્યારે માણસની સ્વતંત્ર ચેતના માણસ જાતને સુધી આવતા સમાચાર આપણને એક જ અનુમાન ઉપર લઈ જરૂર બચાવી શકે છે, ઉગારી શકે છે. જતા હતા કે આ મંત્રણા ભાંગી પડવાની અને જ્યાં હતા તે જ સ્થિતિ, શાસ્ત્રીનું માટીનું કોડિયું વાસ્તવિક અર્થમાં ઓલવાઈ ગયું છે, ઉપર આપણે પાછા આવવાના. પણ જાન્યુઆરીની ૧૦ મી તારીખે પણ મને શ્રદ્ધા છે કે તેઓ જેવા હતા તે કારણે તેમ જ તેઓ જેવી રીતે જીવ્યા અને મરણ પામ્યા તે કારણે આપણા બધાના દિલમાં એટલે વસ્તુત: આપણે ત્યાં તે ૧૧ મી તારીખે આ મંત્રણાઓ સફળ તે કોડિયું વધારે તેજસ્વીપણે સદાને માટે પ્રજજવલિત રહેશે. થયાના અને બન્ને દેશો વચ્ચે સુલેહ શાંતિ સ્થાપિત થાય એવા કરારો અનુવાદક: મૂળ અંગ્રેજી: થયાના સમાચાર આવ્યા. આ એક ચમત્કાર જ બન્યો છે અને તેને પરમાનંદ હJબર્ટ એચ. હંફરી યશ જેટલે લાલ બહાદુર શાસ્ત્રીના ફાળે જાય છે તેટલે જ યશ Page #47 -------------------------------------------------------------------------- ________________ તા ૧૩-૬ પ્રભુ અયૂબખાન અને રશિયાના પ્રધાનમંત્રી કોસિનિના ફાળે જાય છે. આ કરારનામાંથી આપણે શું મેળવ્યું? તેની જમા બાજુ તેમ જ ઉધાર બાજુએ બન્ને રજૂ કરી શકાય તેમ છે. . ઉધાર બાજુમાં કહી શકાય કે આપણે યુદ્ધની શરૂઆતમાં ઑગસ્ટમાં માસની પાંચમી તારીખે જ્યાં હતાં ત્યાં આપણા લશ્કરી દળોને પાછાં ખસેડવાનું આપણે કબૂલ કર્યું છે. આપણે જીત્યા એમ માનવા છતાં, આપણને પારવાર આર્થિક નુકશાન છે થયું અને કબજે કરેલા પ્રદેશ છોડી દેવા પડયાં, છે, ખાસ કરીને હાજીપીર, કારગીલ અને તિથવાલ પણ છેાડી દેવાનું કબૂલ કરવું પડયું છે. આમ છે તે પ્રશ્ન થાય છે કે પછી આપણે મેળવ્યું શું? તાકંદ કરારના હાર્દને સમજવા માટે સંયુકત રાષ્ટ્રસંસ્થાની સિક રિટી કાઉન્સિલના સપ્ટેમ્બર ૧૯ મી તારીખના ઠરાવને આપણે યાદ રાખવા જોઈએ. કારણ કે આ ઠારાવ અમુક reservations સાથે આપણે બન્નેએ સ્વીકાર્યા હતા. આ કરારનામામાં જે કાંઈ નક્કી કરવામાં આવ્યું છે તે સીક્યારીટી કાઉન્સિલના ઠરાવના ચોગઠામાં રહીને કરવામાં આવેલ છે. આ કરારથી સિકય પરિટી કાઉન્સિલના ઠરાવ બન્નેને પૂરા અર્થમાં બંધનકર્તા બને છે. આવી પરિસ્થિતિમાં જે કાંઈ કરાર થાય તેમાં બાંધછોડનાં તત્ત્વો તો હોવાનાંજ. આથી યુદ્ધવિરામ પાકો થયો છે. આ કરારનામાને દુનિયાના બધા દેશોએ અલબત્ત ચીન સિવાય – વધાવ્યો છે, આવકાર્યો છે. આથી ભારતની પ્રતિષ્ઠા ખૂબ વધી છે. ધૂસણખોરો સંબંધમાં આ કરારનામામાં કશા સીધા ઉલ્લેખ નથી, પણ પરસ્પરના ઝઘડા પતાવવામાં બળના ઉપયોગ કોઈ પણ પક્ષે કરવામાં નહિ આવે એવી બાંયધરીના ગર્ભમાં હવે પછી ધૂસણખારો મોકલવામાં નહિ આવે એવી કબૂલાત સૂચિત છે. બીજું દુનિયાના આગળ પડતા દેશોમાં આપણા વિશે એવી છાપ છે કે કાશ્મીરની બાબતમાં આપણે જીદ કરી બેઠા છીએ અને તે ખાતર યુદ્ધ નેતરતા પણ આપણે અચકાતા નથી. કાશ્મીર સંબંધનું આપણું વલણ સ્પષ્ટ અને મક્કમપણે કાયમ રાખીને, તાકંદ કરારથી આપણે દુનિયાને બતાવી આપ્યું છે કે યુદ્ધના વિજયથી મળતા લાભ જતો કરીને પણ જોખમ ખેડીને પણ આપણે શાંતિ ને— યુદ્ધવિરામને–ઝંખીએ છીએ. આપણે હાજીપીર, કારગીલ અને તિથવાલ છેડવાને રાજી ન હોઈએ એ સ્વાભાવિક છે, પણ એ બાબતમાં અયૂબખાન નમતું આપે તો પાકિસ્તાનમાં જઈને તે શું મોઢું બતાવે એનો પણ આપણે ખ્યાલ રાખવો ઘટે છે. પાકિસ્તાને પણ આપણા પ્રદેશ ખાસ કરીને રાજસ્થાનમાં અને જમ્મુમાં કબજે કરેલા જ હતો તે તેણે પણ છેડ વાના જ છે. યુદ્ધના કેળવાયલા માનસમાંથી શાન્તિ તરફ અભિમુખ બનવું એ સહેલું નથી. શાસ્ત્રીજીએ યુદ્ધ સંબંધમાં જેટલી મક્કમતા અને નિડરતા દાખવી છે તેટલી જ મક્કમતા, નિડરતા અને શાન્તિઅભિમુખતા શાસ્ત્રીજીએ આ કરારનામું સ્વીકારવામાં દાખવી છે. આમ ભારતની પ્રતિષ્ઠિા તાકંદ મંત્રણાના કારણે આખી દુનિયામાં ખૂબ વધી છે. આ કરારનામાને અમલી બનાવવામાં ભારત જેટલું જ–બલકે વધારે—આતુર પાકિસ્તાન રહેશે. જોતજોતામાં લશ્કરી દળે! મૂળ યુદ્ધવિક્રમ રેખા સુધી પાછાં ખસી ગયા છે, એટલું જ નહિ પણ, બન્ને બાજુએ તેનું ચાલુ પ્રમાણ ઘટાડવાંનું પણ કબુલાયું છે; હાઈ કમિશનરો પોતપોતાના સ્થાને પાછા ગયા છે; કેદીઓ પાછા સોંપાયા છે અને પરસ્પર વ્યાપારી સંબંધો પણ સુધરવા લાગ્યા છે. પાકિસ્તાનની આતુરતા આ સંબંધમાં એટલા માટે વધારે હાવાની કે આ બધી બાબતો પતે તો અને ત્યાર બાદ જ કાશ્મીરના પ્રશ્ન તે ઊભા કરી શકે. આ કરારનામું સીકયોરીટી કાઉન્સીલના ઠરાવના માળખામાં થયેલું હોઈને આથી સીકયારીટી કાઉન્સીલ અને સંયુકત રાષ્ટ્રસંઘની પ્રતિષ્ઠા વધી છે.. આપણે ભારત પાકિસ્તાન વચ્ચે no war pactની માગણી કરેલી. કાશ્મીરની સમસ્યા ઉભેલી હાઈને આવી કબૂલાત આપવાની સ્થિતિમાં અયુબખાન નહોતા. એમ છતાં યુનાઈટેડ નેશન્સ ચાર્ટરમાં બળનો ઉપયોગ નહિ કરવાની જે કબૂલાત રહેલી છે એ ''''' ૧ જીવન २९३ કબૂલાતને આ કરારનામામાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ બાબત પણ એટલી જ અગત્યની છે. આટલી લાંબી આલોચનાના અન્ત, હવે પછીના મતભેદોનો નિકાલ પણ શાન્તિ અને સમજાવટભરી વાટાઘાટોથી થશે અને યુદ્ધના કારણે વધારે તંગ બનેલી આર્થિક પરિસ્થિતિ જેવી આપણી તેવી જ પાકિસ્તાનની—તે સુધારવા તરફ આપણે આપણી શકિતઓને વધારે કેન્દ્રિત કરી શકીશું. દુનિયાના દેશે પણ ભારત પાકિસ્તાનનાં સંબંધા સુધરે–શાન્તિભર્યા બને—એમ ખરા અન્તરથી ઈચ્છી રહ્યા છે. કારણ કે તે ઉપર આખરે કાયમની વિશ્વશાન્તિનો મોટો આધાર છે. ઈન્દિરા ગાંધીની ચૂંટણી હવે આપણા નવા પ્રધાનમંત્રીની જે ચૂંટણી થઈ તેના વિચાર કરીએ. નહેરુના જવાથી પક્ષના નેતા ચૂંટવાની જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તે કરતાં આ વખતની પરિસ્થિતિ વધારે વિકટ હતી; કારણ કે તે સમયે લાલબહાદુર શાસ્ત્રીની ચૂંટણી લગભગ નિશ્ચિત જેવી હતી. આ વખતે એ સ્થાન માટે એકથી વધારે હરીફો હતા. સૌથી પહેલાં તે એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે પક્ષનેતાના સ્થાન માટે તીવ્ર હરીફાઈ હોવા છતાં આપણે આ પ્રશ્નના ઉકેલ આઠ કે દસ દિવસના ગાળામાં લાવી શકયા એ આપણા માટે ગૌરવના વિષય ગણાય. આ હકીકત દેખાડે છે કે આપણે ત્યાં લોકશાહીની જડ બરોબર જામેલી છે અને પૂરી સભ્યતા અને સંયમપૂર્વક અને લોકશાહીની રીતરસમને સંપૂર્ણપણે વળગી રહીને આપણે આવી કટોકટીના નિકાલ લાવી શકીએ છીએ. આવા સુખદ પરિણામ માટે સવિશેષ યશ કોંગ્રેસના પ્રમુખ શ્રી કામરાજને ઘટે છે. તેમણે જે મક્કમતા અને કુનેહથી કામ લીધું છે તેને લીધે આટલું સુખદ, સંતોષજનક અને ત્વરિત પરિણામ આવ્યું છે. consensus પક્ષ નેતાની ચૂંટણી અંગે વિચાર કરીએ અને આગામી ભારતવ્યાપી ચૂંટણી એક સવા વર્ષમાં આવવાની જ છે એ હકીકતનો ખ્યાલ રાખીએ તે એમ લાગતું હતું કે કદાચ શ્રી ગુલઝારીલાલ નંદાને આગામી ચૂંટણી સુધી ચાલુ રાખવામાં આવશે. પણ તેમ બની શક્યું નહિ. શ્રી નહેરુના અવસાન સમયે પદ્ધતિ સ્વીકારીને શ્રી મેારારજીભાઈએ પેાતાની ઉમેદવારી પાછી ખેંચી હતી, પણ આ વખતે ચૂંટણી માટે યોગ્ય રીતે તેમનો આગ્રહ હતો. ગમે તે કારણે શ્રી કામરાજનો એ નિર્ધાર હતા કે શ્રી મારારજીભાઈ પ્રધાનમંત્રીપદે આવવા ન જોઈએ. તેથી તેમણે એવા ઉમેદવારની પસંદગી કરવી રહી કે જેને શ્રી મારારજીભાઈ સામે સફળતા મળે અને તેથી શ્રી ઈન્દિરા ગાંધીને તેમણે આગળ કર્યાં અને તેઓ માટી બહુમતીથી ચૂંટાયા. આ સ્થાનની ઉમેદવારી અંગે ચવ્હાણ, એસ. કે. પાટીલ વગેરેનાં નામો પણ સંભળાતાં હતાં. પણ આ સર્વને ઉમેદવારીમાંથી ખસી જવા કામરાજ સમજાવી શકયા એ શ્રી કામરાજની કુનેહનું પરિણામ છે. શ્રી કામરાજે આ ચૂંટણીમાં આટલા બધા અને આવી રીતે સક્રિય ભાગ લીધે તે યોગ્ય ન હતું એવા કેટલાકના અભિપ્રાય છે. કામરાજ દેશનું શાસન કરતા રાજકીય પક્ષના વડા હોઈને કોણ વ્યકિત આ દેશના પ્રધાન મંત્રી બને છે એ જોવાની તેમની ખાસ જવાબદારી છે અને એ રીતે તેમનું વર્તન અયોગ્ય ન કહેવાય. રાજ્યોના મુખ્ય મંત્રીઓએ પણ આ ચૂંટણીમાં ઘણા સક્રિય ભાગ ભજવ્યો. લાલબહાદુર શાસ્ત્રીની ચૂંટણી વખતે પણ કેટલેક દરજજે આમ બન્યું હતું, પણ આ વખતે મેટા પ્રમાણમાં અને અસરકારક રીતે આવું બન્યું. મુખ્ય મંત્રીઓએ જે કર્યું તે વિષે મતભેદને અવકાશ છે. સમવાયતંત્રમાં અને ખાસ કરી એક જ રાજકીય પક્ષ બધા રાજ્યામાં સત્તાસ્થાને હોય ત્યારે દેશના વડા પ્રધાન કણ થાય તેમાં રાજ્યોના મુખ્ય મંત્રીઓને ઊંડો રસ હોય તેમાં આશ્ચર્ય નથી. પ્રધાનમંત્રીની ચૂંટણી કોંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષના સભ્યો જ કરી શકે, છતાં કોંગ્રેસના બધા આગેવાનોનું તેમાં હિત છે તે સ્પષ્ટ છે. પક્ષના સભ્યો પર કોઈ અયોગ્ય દબાણ, ભય કે લાલચનો ઉપયોગ થવા ન જોઈએ, પણ તેમને માર્ગદર્શન આપે તેવા અથવા તેમને સમજાવવા પ્રયત્ન કરવામાં આવે તેમાં કાંઈ અનુચિત નથી. મને એમ પણ લાગ્યું છે કે ઈન્દિરા ગાંધીએ આ પદ ઉપર આર્થવાની સ્વત; ઈચ્છા દર્શાવી હોય એમ નહાનું. ઉલટું જ્યારે પોતાને Page #48 -------------------------------------------------------------------------- ________________ । પ્રબુદ્ધ જીવન ૨૧૪ બહુમતી મળવાની ખાત્રી થઈ ત્યારે જ તેમણે આ પદ માટેની હરીફાઈમાં ઊભા રહેવાની સંમતિ આપી જણાય છે. આ વખતે જેને કૉન્સેન્સસ પદ્ધતિ' કહેવામાં આવે છે માટેના આગ્રહને તે અવકાશ જ નહોતો, પણ સર્વાનુમતીથી જ ચૂંટણી થવી જોઈએ એવો આગ્રહ રાખવો જરૂરી છે એમ પણ મને લાગતું નથી. ઊલટું શ્રી મેરારજીભાઈએ હરીફ તરીકે ઊભા રહીને ચૂંટણી કરાવી અને એ રીતે લેાકશાહીની પરંપરાને જાળવી રાખી તે યોગ્ય જ થયું છે. તેમની સામે આટલી બધી પ્રતિકુળતા હોવા છતાં તેઓ ઈન્દિરા ગાંધીને મળેલા ૩૫૫ મત સામે ૧૬૯ મત પેાતાની તરફેણમાં મેળવી શકયા એથી મારારજીભાઈનું સ્થાન પક્ષમાં ઘણું મહત્ત્વનું છે અને ચૂંટણીમાં ઊભા રહેવાનો તેમનો આગ્રહ અસ્થાને ન હતા એમ જણાઈ આવે છે મતપ્રદાનમાં જે મત શ્રી મોરારજીભાઈને મળ્યા તે શ્રી મેારારજીભાઈને જ નજરમાં રાખીને આપવામાં આવ્યા છે એમ કદાચ ન પણ હોય. જેઓ કામરાજ અને તેમની દ્રારા સંચાલિત આજની કાગ્રેસના વિરોધી છે તેમણે પણ મારારજીભાઈના પક્ષમાં મત આપ્યા હોય એમ બનવા જોગ છે. ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ ખેલદિલીભર્યું મોરારજીભાઈએ ભાષણ કરેલું, જેમાં તેમણે ઈન્દિરા ગાંધીને પૂરો ટેકો આપવાની જાહેરાત કરી છે અને ત્યાર બાદ પોતે કોઈ જુદા પક્ષ સ્થાપવાના નથી એમ પણ જાહેર કર્યું છે. આ ભાષણ અને વલણ મોરારજીભાઈ વિષે આપણા દિલમાં સવિશેષ આદર પેદા કરે છે. આ ચૂંટણીમાં ઊભા રહીને મારારજીભાઈએ પોતાનું બળ માપી લીધું છે. આ રીતે ઊભી થયેલી પરિસ્થિતિનો આ ચૂંટણીના પરિણામ સાથે અન્ત આવે છે એમ હું માનતો નથી. આગામી ચૂંટણીના પ્રસંગે પણ મોરારજીભાઈ હરીફાઈમાં ઉતરે તો નવાઈ નહિ, ઈન્દિરા ગાંધી પોતાને મળેલી જવાબદારીને પહોંચી વળી શકશે કે નહિ તે અંગે આજે કશું કહી શકાય તેમ નથી. તેમની ઉંમર નાની છે, અનુભવ આછે છે, પણ પોતાના પિતાદ્નારા તેમને સારી કેળવણી મળી છે. કૉંગ્રેસના મોવડી મંડળના તેમને સાચે ટેકો છે. અલબત્ત, આજની અન્ન પરિસ્થિતિ જરૂર વિકટ છે અને કોઈની પણ કસાટી કરે તેવી છે, એમ છતાં પણ શાન્ત પડેલું યુદ્ધ ફરીથી સળગે એવા હાલ સંભવ નથી અને દુનિયાના દેશની, અન્ન પરિસ્થિતિને પહોંચી વળવાની દિશાએ, પૂરી સક્રિય સહાનુ" ભૂતિ છે. તેથી તેને પહોંચી વળવામાં મુશ્કેલી નહિ આવે એવી હું આશા સેવું છું. જયપુર કોંગ્રેસનું અધિવેશન હવે જયપુરમાં તાજેતરમાં મળેલા કૉંગ્રેસ અધિવેશન અંગે બે શબ્દો કહું, કામરાજનું પ્રમુખ તરીકેનું ભાષણ વાંચીને પ્રતીતિ થાય છે કે કામરાજ અન્તર્ગત તેમ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ વિષે પૂરા સભાન છે. તેમણે પેાતાના ભાષણમાં સમગ્ર પરિસ્થિતિનું સચોટ આકલન કર્યું છે. કામરાજની કાર્યપદ્ધતિ જોતાં સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે છે. બોલવું આછું પણ મક્કમપણે કામ કરવું અને કામ લેવું—આ બન્નેના વ્યકિતત્વમાં રહેલું સમાન તત્વ છે. કાગ્રેસમાં જે કાંઈ બન્યું તે વિષે એટલું જ કહેવાનું કે કેંગ્રેસના કારભાર વિષે લોકોના દિલમાં વધતા જતા અસંતાપ આ કાગ્રેસમાં સારા પ્રમાણમાં જાહેર થયા છે. હવે વાતો માત્ર કર્યું નહિ ચાલે, કાંઈ નક્કર કામ કરી બતાવવું જ પડશે એ આ વખતના કોન્ગ્રેસ અધિ વેશનની ફ્લભૂતિ છે. બજેટ માથા ઉપર છે, આવતું વર્ષ ચૂંટણીનું વર્ષ છે. હું ધારું છું કે આ બજેટમાં મોટા ફેરફારો નહિ આવે અને નક્કી કરાયલી રાજનીતિમાં પણ કોઈ મોટા ફેરફારો નહિ થાય. ઈંદિરા ગાંધી લેફ્ટીસ્ટ હોવાનું માનવામાં આવે છે; કામરાજ વિશે પણ એ જ માન્યતા પ્રવર્તે છે. ભૂવનેશ્વર કૉંગ્રેસના ઠરાવને વધારે ને વધારે અમલી બનાવવા તરફ બવી રાજ્ય રચના ઢળેળતી જશે એવી માન્યતા સર્વત્ર રાખવામાં વામાં આવે છે. ચીમનલાલ ચકુભાઈ શાહ તા. ૧-૩-૬૬ તુલસીશ્યામ સાધનાશિબિર સૌરાષ્ટ્રનાં સાર શિક્ષણ અને સંસ્કૃતિ સંઘ તથા તુલસીશ્યામ વિકાસ સમિતિના સંયુકત ઉપક્રમે આચાર્યશ્રી રજનીશજીનાં આધ્યાત્મિક પ્રવચનો અને ધ્યાનના કાર્યક્રમ માટે તા. ૪, ૫ અને ૬ ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૬૬ ના રોજ તુલસીશ્યામમાં એક સાધના શિબિર યોજવામાં આવી હતી. બિનસાંપ્રદાયિક ક્રાંતિકારી વિચારો, તત્ત્વના ગહન પરામર્શ, વિષયની વિશદ અને તર્કસંગત રજૂઆત, રોચક શૈલી અને પ્રસન્ન મધુર અસ્ખલિત વાક્--પ્રવાહને કારણે આચાર્ય શ્રી રજનીશજીનાં પ્રવચને જ્યાં જ્યાં થયાં છે ત્યાં ત્યાં લોકપ્રિય નીવડયાં છે. જબલપુરની મહાકોશલ વિદ્યાપીઠના દર્શન વિભાગના આચાર્ય શ્રી રજનીશજીનાં પ્રવચનોનો લાભ જુદા જુદા પ્રદેશના લોકોને પણ મળે એ માટે છેલ્લા કેટલાક સમયથી એમનાં પ્રવચનોના કાર્યક્રમ અથવા ધ્યાનના પ્રયોગા સાથે પ્રવચનો માટે શિબિરના કાર્યક્રમ ભિન્ન - ભિન્ન સ્થળે યોજવામાં આવે છે. શિબિર માટે પ્રકૃતિના કોઈ એકાંત અને રમણીય સ્થળની પસંદગી માટે આચાર્ય શ્રી રજનીશજી આગ્રહ રાખે છે, કારણ કે રોજિંદા જીવનની જંજાળ અને વ્યગ્રતાથી માણસ મુકત થાય તો જ તે અધ્યાત્મ જેવા ગહન વિષયને ગ્રહણ કરવા માટે અધિકારી બને. વળી શિબિરમાં વ્યાખ્યાનને અંતે ધ્યાનની તાલીમના પણ કાર્યક્રમ હોય છે, જે માટે નિસર્ગની શાંતિ અને રમણીયતા પણ સાનુકૂળ અને પ્રેરક બને. આથી આવી શિબિરનો અનુભવ પણ વિશિષ્ટ પ્રકારના, આહ્લાદક અને સ્મરણીય બની રહે છે અને વિચારશીલ વ્યકિતઓને તો ત્યાંથી કંઈક ચિત્તનું પાથેય પણ મળી રહે છે. આ વખતે શિબિરનો કાર્યક્રમ સૌરાષ્ટ્રમાં તુલસીશ્યામમાં યોજવામાં આવ્યો હતો. શિબિરની વ્યવસ્થા ઉપર જણાવેલ તુલસીશ્યામ વિકાસ સમિતિ અને સારઠ શિક્ષણ અને સંસ્કૃતિ સંઘ તરફથી કરવામાં આવી હતી અને તેના સંયોજનની મુખ્ય જવાબદારી શ્રી રતુભાઈ અદાણી અને તેમના અન્ય સહકાર્યકર્તાઓએ ઉપાડી લીધી હતી. શિબિરમાં જોડાનાર વ્યકિતએ માટે વિમાન, ટ્રેન, બસ વિગેરે દ્વારા જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારી મંડળી, જેમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો મુખ્યત્વે હતા) અમદાવાદથી ખાસ બસ દ્રારા તુલસીશ્યામ જવાની હતી. તા. ૩ જી ફેબ્રુ આરીએ સવારે લગભગ સવા આઠ વાગે, ધાર્યા કરતાં લગભગ પોણા કલાક મેાડા, અમે અમદાવાદ સ્ટેશનેથી રવાના થયા. શ્રી પરમાનંદભાઈ કાપડિયા, શ્રી બચુભાઈ રાવત (‘કુમાર’ના તંત્રી), શ્રી લવણપ્રસાદ શાહ, શ્રી મથુરાદાસ મિશ્રા ( બિહારના એમ. પી.), શ્રી માણેકલાલ દલાલ, શ્રી મફતલાલ શાહ, શ્રી ભાગીલાલ શાહ, શ્રી કમળાબહેન પટેલ, શ્રી શાન્તાબહેન પટેલ, શ્રી મધુરીબહેન શાહ, શ્રી શાંતાબહેન પાટડિયા વગેરે અમારી સાથે હતાં. શિયાળાની શીતળતાના ખુશનુમાભર્યા વાતાવરણમાં ઠીક ઠીક ઝડપે જતી બસે અમને લગભગ સાડા અગિયાર વાગે વળા (વલ્લભીપુર) પહોંચાડયા. અમે સૌ અમારી વાતામાં મગ્ન હતા, કોઈ પ્રવાસના આનંદ માણી રહ્યા હતા, કોઈ વાંચી રહ્યા હતા, કોઈ ચર્ચામાં મગ્ન હતા. શ્રી બચુભાઈ રાવત પાસે મને બેસવાનું મળવાથી સાહિત્યિક ગોષ્ઠીના ઠીક ઠીક લાભ મળતા હતા. સંયોજકો તરફ્થી અમારે માટે વળામાં ચા-પાણીના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધાર્યા કરતાં અમને લગભગ કલાકેક મેાડું થઈ ગયું હતું. વળાના ઠાકોર સાહેબ અમારી ઉત્સુકતાથી ચા - પાણી માટે રાહ જોઈ રહ્યા હતા. પહોંચ્યા કે તરત એમણે અમારું ભાવભીનું સ્વાગત કર્યું. અમારાં બધાંને એમને પરિચય કરાવવામાં આવ્યો. વળાના આ વયોવૃદ્ધ ઠાકોર સાહેબે પંડિત નહેરુ સાથે હેરોમાં અભ્યાસ કર્યો હતો. હેરોમાં તે વખતે હિંદી વિદ્યાર્થીઓમાં તેઓ જ હતા. એ સમયે હેરોમાં પડાવેલી એમના વર્ગની છબીએ પણ એમના દીવાન Page #49 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૩-૬૬ પ્રિબુદ્ધ જીવન ૨૫ કરીએ વી એક જ અત્ય ખાનામાં ટાંગેલી હતી. એ શિક્ષણ-સંસ્કારમી રાજવી અને એમના યુવરાજ અમને ઠેઠ બસ સુધી વળાવવા આવ્યા હતા. વળાથી રાજકોટને રસ્તે, સ્વર્ગસ્થ કવિ કલાપિના ગામ લાઠી ઉપર થઈને અમે લગભગ અઢી વાગે અમરેલી પહોંચ્યા. સંજકો તરફથી અમરેલીની ધર્મશાળામાં અમારી ભોજન તથા આરામની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશાળ ધર્મશાળામાં આરામ માટે પલંગ બિછાવીને તૈયાર રાખવામાં આવ્યા હતા. ભાજન પછી અમારામાંના ઘણા ખરા ગામના દેરાસરના દર્શને જઈ આવ્યા હતા. અમરેલીથી લગભગ સવા ચારે ઊપડી, ધારી ગામ ઉપર થઈને અમે સાંજે સરસિયા ગામે પહોંચ્યા. ગામ ઘણું જ નાનું હતું, પરંતુ લોકોમાં જાગૃતિ ઘણી જણાતી હતી. ગ્રામ રક્ષક દળના સભ્યો દ્વારા લશ્કરી ઢબની કવાયત તથા સલામી અને બેન્ડ સાથે અમારું સ્વાગત કરવામાં આવ્યું. સરસિયામાં શ્રી શ્યામજી ભગવાનના મંદિરના ચોતરા ઉપર અમને ચા તથા ફળાહાર આપવામાં આવ્યાં. ગામના મુખ્ય મુખ્ય આગેવાને તથા તાલુકા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરસિયાના મંદિરની પ્રતિમા પણ જૂની છે, અને તુલસીશ્યામની જેમ એનું પણ માહામ્ય છે એની માહિતી અમને આપવામાં આવી. વર્તમાન મંદિર મરામત અને વધુ બાંધકામ માગે એવી સ્થિતિમાં હતું. સરસિયાના ગ્રામજનોનો આભાર માની અમે બસમાં બેઠા. હવે લગભગ પંદરેક માઈલને રસ્તો હતો, પરંતુ રસ્તે કાચો હતે. ગિરના જંગલને પ્રદેશ હવે શરૂ થતો હતો, અને આસપાસ નાની મોટી ટેકરીઓ આવતી હતી. ધીમે ધીમે અંધારું થવા આવ્યું હતું. અડધા કલાક પછી ફરી એક નાનકડા ઝરણા આગળ દસેક મિનિટ માટે અમે બસ થોભાવી. વાતાવરણ અત્યંત શાંત અને પ્રસન્ન હતું, અંધકાર ગાઢ થતે જતા હતા. આકાશમાં ચાંદની ચમક્વા લાગી હતી. ઝરણાનું પાણી ખળ ખળ વહેતું હતું. પાણીમાં પગ પખાળી, સ્વસ્થ થઈ ફરી બસમાં સફર ચાલુ કરી, અને લગભગ સાડા સાત વાગે અમે તુલસીશ્યામ પહોંચી ગયા. તુલસીશ્યામમાં જાણે કોઈ મેળે ભરાયો હોય એવું દશ્ય હતું. વ્યવસ્થા પણ મોટા પાયા ઉપર, દષ્ટિપૂર્વક કરવામાં આવી હોય એવી છાપ પડી જતાંની સાથે અમને કાર્યાલયમાંથી અમારા નામ પ્રમાણે કયાં કયાં ઉતારાની સગવડ કરવામાં આવી છે. તેની માહિતી, બિલ્લો, ભેજનની પાસ, રોજના કાર્યક્રમની પત્રિકા, તુલસીશ્યામ અને આસપાસનાં પ્રાચીન સ્થળો વિશે માહિતી આપતી પુસ્તિકાઓ વગેરે આપવામાં આવ્યાં. સૌરાષ્ટ્રના ગિરના જંગલમાં નાનકડા રળિયામણા ત્રણ ડુંગર વચ્ચે, નાનકડી શાંત ચાસી નદીને કિનારે આવેલ તીર્થધામ તુલસીશ્યામ ભારતનું એક પ્રાચીન તીર્થ છે. ભારતભરમાંથી શ્રદ્ધાળુ યાત્રાજુઓ ત્યાં યાત્રાએ આવે છે. પ્રકૃતિસૌન્દર્યની દષ્ટિએ આપણા રાણકપુરની કંઈક યાદ અપાવે એવું આ રમણીય સ્થળ છે. મંદિરની અડોઅડ આવેલા ગરાઓ જાણે તીર્થધામની ચકી ન કરતા હોય તેવા શોભી રહે છે. ડુંગરાની ગાળીમાં વનસ્પતિની ઘટા છે. ઉના તાલુકામાં આવેલું આ સ્થળ યાત્રાળુઓમાં અને આસપાસના પંથકમાં શ્યામજીના ધામ તરીકે જાણીતું છે. તુલસીશ્યામનું મંદિર પ્રાચીન છે. એની પ્રતિમા હજારેક વર્ષ જૂની ગણાય છે. દંતકથા પ્રમાણે લગભગ બસો વર્ષ પહેલાં સરસિયા ગામમાં સ્થિર થયેલા એક દૂધાધારી મહારાજને સ્વપ્નમાં આ પ્રતિમાનાં દર્શન થયેલાં અને તે પ્રમાણે દટાયેલી મૂર્તિને ધરતીમાંથી બહાર કાઢવામાં આવેલી અને તેની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવેલી. પ્રતિમા થેડીક ખંડિત થયેલી જણાય છે. મંદિર સામાન્ય હિંદુ મંદિરો હોય છે એવું જૂની ઢબની બાંધણીનું છે. એનાં પગથિયાંની રચના એવી છે કે દૂર ઊભેલા યાત્રાળુ પણ દર્શન કરી શકે. મંદિરની પડખે કાલમેઘનું નાનકડું મંદિર છે. - બાજુમાં તપ્તદક કંડ છે. ગરમ પાણીનાં આ કુંડમાં ભાવિક યાત્રાજુઓ સ્નાન કરે છે. કુંડની બહાર પણ હવે તો ગરમ પાણીના નળ : મૂકવામાં આવ્યા છે. કુંડ પાસે એક નાની ટેકરી છે, જેના ઉપર હાલ વિહારધામના કેટલાક બ્લોક બાંધવામાં આવ્યા છે. મંદિરની સામેની ટેકરી ઉપર રુકમણી દેવીની જીર્ણપ્રાય દેરી છે. ત્રણે ટેકરીઓમાં એ ઊંચી છે અને ત્યાંથી ગિરના જંગલની ઝાડીના અને આસપાસ આવેલા ડુંગરાઓના લગભગ પચ્ચીસેક માઈલના વિસ્તારનું મનહર દર્શન થાય છે. નીચે શ્યામજીના મંદિર પાસે અન્નક્ષેત્ર-જનશાળા છે, જ્યાં યાત્રાળુઓને મંદિર તરફથી મફત ભેજન અપાય છે. મંદિરને વહીવટ મહંત ગુરુ રામપ્રસાદદાસજી સંભાળે છે. મંદિરની પાસે દીવની ધર્મશાળા છે. ડુંગરોની ગાળીમાં એક રસ્તો ઉના તરફ જાય છે અને બીજો રસ્તા ધારી તરફ જાય છે. ઉના, પચપચિયા, ધારી, અમરેલી, સાવરકુંડલા, જૂનાગઢ વગેરે સ્થળેથી તુલસીશ્યામ રોજ કેટકેટલી બસ આવે છે. એક યાત્રાના ધામ ઉપરાંત, એની આબોહવા વાતાવરણ તથા પાણીના ગરમ કુંડને લક્ષમાં રાખીને એક વિહારધામ (holiday camp) તરીકે પણ એને વિકસાવવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. તદુપરાંત તુલસીશ્યામ વિકાસ સમિતિ તરફથી પણ આ સ્થળને વિકસાવવા માટે ઠીક ઠીક પ્રયત્ન "થઈ રહ્યા છે. અમારો ઉતારો દીવની ધર્મશાળામાં, વિહારધામના બ્લેકમાં તથા પાસેની ટેકરી ઉપર ખાસ બાંધવામાં આવેલા મંડપમાં રાખવામાં આવ્યા હતા. લાલ કાપડના બાંધેલા એ મંડપમાં (કુટિરમાં) પ્રત્યેકમાં દસથી પંદર જણ માટે ગાદલા અને પલંગ સાથે સૂવા રહેવાની સુંદર સગવડ કરવામાં આવી હતી. પાણી, શૌચ, સ્નાન, ભેજન વગેરેની વ્યવસ્થા પણ એટલી જ ચીવટપૂર્વક કરવામાં આવી હતી. શિબિર સાચા અર્થમાં શિબિર લાગતી હતી. તારીખ ત્રીજીએ સાંજ સુધીમાં લગભગ બધા શિબિરાર્થીઓ આવી ગયા હતા. મુંબઈ અને અમદાવાદ કરતાં સૌરાષ્ટ્રમાંથી ઘણા મોટા પ્રમાણમાં માણસો આવ્યા હતા, જેમાંના કેટલાક તે તે તરફના કાર્યકર્તાઓ હતા. પૂ. રવિશંકર દાદા અને કવિ શ્રી દુલા કાગ આ શિબિરમાં હાજરી આપવા માટે ખાસ પધાર્યા હતા. તી. ત્રીજીએ રાત્રે, ભેજન પછી, નવ વાગે શિબિરનું ઉદ્ઘાટન થયું હતું. પૂ. રવિશંકર મહારાજ, કવિશ્રી દુલાકાગ, શ્રી દુર્લભજી ખેતાણી, શ્રી રતુભાઈ અદાણી વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતાં તથા શિબિર અંગે કેટલુંક માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય શ્રી રજનીશજીએ શિબિરની પેજના પાછળને હેતુ દર્શાવ્યો હતેતથા બીજા દિવસથી શરૂ થનાર પોતાનાં પ્રવચનની આધ્યાત્મિક વિચારભૂમિકા વિગતે સમજાવી હતી. વસ્તુત: એમનું એ વકતવ્ય પણ એક પ્રવચનરૂપ બની ગયું હતું. તેમ છતાં આખા દિવસના સતત પ્રવાસથી થાકેલ્લા શિબિરાર્થીઓ માટે રાતના નવથી તે અગિયાર સુધી એ ઉદ્ઘાટન કાર્યક્રમ કંઈક ભારે બની ગયો હતો. બીજે દિવસે સવારે પ્રાત: વિધિ તથા ચા-પાણી પછી બરાબર નવ વાગે આચાર્ય શ્રી રજનીશનાં પ્રવચનનો કાર્યક્રમ શરૂ થયો હતે. ખુલ્લામાં બાંધવામાં આવેલા સભા મંડપનું વાતાવરણ આસપાસના વૃક્ષને લીધે પ્રસન્ન, શાંત, શીતળ અને પ્રેરક હતું. લગભગ સાડા ચારાની સંખ્યાના રોતાવર્ગની આવા ગંભીર વિષયને ગ્રહણ કરવા માટેની શાંતિ પણ પ્રશસ્ય હતી. વળી, પિતાના વિષયને વિશદ, તર્કસંગત અને સચોટ રીતે તથા ઉદાહરણો વડે રોચક રીતે રજૂ કરવાની આચાર્યશ્રીની 'શૈલીને લીધે તથા એમની ભવ્ય મુખમુદ્રા અને અખલિત કર્ણપ્રિય વાણીપ્રવાહને લીધે શ્રેતાઓ મંત્રમુગ્ધ બનીને સાંભળી રહેતા. સવારે નવથી દસ વાગ્યા સુધી, સાંજે ચારથી પાંચ સુધી અને રાત્રે નવથી દસ સુધી એ રીતે ત્રણ દિવસ સુધી આચાર્યશ્રીએ આપેલાં પ્રવચને અને પ્રશ્નના ઉત્તરો તથા તે દરેકને અંતે દસ મિનિટ માટે કરાવેલ ધ્યાનના પ્રયોગને વિગતવાર અહેવાલ આપવાનું અહીં શકય નથી. પરંતુ ત્રણ દિવસનાં એમનાં પ્રવચનનું મુખ્ય વકતવ્ય શું હતું તે અહીં આપણે તેમણે આપેલાં સંખ્યાબંધ ઉદારણામાંથી કેટલાંક નમૂનારૂપ ઉદાહરણો સાથે જોઈશું. આચાર્ય શ્રી રજનીશનાં પ્રવચનોને મુખ્ય વિષય સત્યની ખોજ એટલે શું અને તે કેવી રીતે થઈ શકે તે હતે. તેમણે કહ્યું હતું કે પ્રત્યેક મનુષ્ય જીવનમાં કંઈક ને કંઈક મેળવવા માટે કે શોધવા માટે પ્રયત્ન કરે છે. આવા પ્રયત્ન કરતો માનવી પોતે સત્યની ખેજ કરે છે એમ કેટલીક વાર માનતા હોય છે, પરંતુ વાસ્તવમાં તે સત્યની Page #50 -------------------------------------------------------------------------- ________________ શીગ ૨૧૬, પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૬૬ ખેજ નહિ, પણ સુખની કે સંતુષ્ટિની ખોજ કરતે હોય છે. મનુષ્યને ચાર દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ પિતાને જ કયારેક તો ખબર નથી હોતી કે પિતે શાની ખોજ કરે છે અને એથી ઘણાની ખેજ અધૂરી રહે છે. પરંતુ સત્ય શોધનારે સ્પષ્ટ શ્રી ગુજરાતી કેળવણી મંડળ, (માટુંગા), દ્વારા કેટલાક સમયથી રીતે સમજી લેવું જરૂરી છે કે તે પોતે સત્યની શોધ કઈ રીતે કરી શકે. ઊભી કરવામાં આવેલી વ્યાખ્યાન માળા સમિતિ તરફથી ફેબ્રુઆરી સત્યની શોધ કંઈ સહેલી નથી. એને માટે તે જરૂર પડે તો પિતાના માસની આખરમાં ચાર દિવસ દરમિયાન અમુલખ અમીચંદ ભીમજી પ્રાણ આપવાની પણ મનુષ્યની તત્પરતા હોવી જોઈએ. વિવિધલક્ષી વિદ્યાલયના શ્રી સમતાબાઈ સભાગારમાં નીચે મુજબ - સત્યને સમજવા માટે જીવન શું છે અને જીવનનો અર્થ શું છે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ જાણવું જરૂરી છે. જીવનનો અર્થ જાણ્યા વગર જે જીવે છે તે તા. ૨૪-૨-૬૬ ના ગુરુવાર રાત્રિના ૯-૦૦ પ્રિન્સીપાલ રામ નિરર્થક જીવે છે અથવા તો જીવતા જ નથી એમ કહેવાય. આપણે જોષીનું ‘ભારત મેં લોકતંત્રના વિકાસ’ એ વિષય ઉપર વ્યાખ્યાન. જેને જીવન કહીએ છીએ તે વાસ્તવમાં તે કેટલાય મનુષ્યો માટે જીવન નથી. જીવન એ ક્રમશ: મૃત્યુની જ સ્થિતિ છે. કયારેક કદાચ મૃત્યુ તા. ૨૫-૨-૬૬ ના શુક્રવાર, રાત્રિના ૯-૦૦ ડૅ. ઉમંગલાલ વખતે જ વિચાર આવે કે આપણે જે જીવી ગયા તે વાસ્તવમાં જીવન સી. મહેતા એમ. એસ. નું વિજ્ઞાની અને તત્ત્વજ્ઞાન ઉપર વ્યાખ્યાન. હતું નહિ. ઈશુ ખ્રિસ્તે એક માછીમારને કહ્યું, “કયાં સુધી માછલાં તા. ૨૬-૨-૬૬ ના શનિવાર રાત્રિના ૯-૦૦ શ્રી જ્યોતીન્દ્ર મારતો રહીશ? જીવનમાં બીજું કંઈ કરવું છે કે નહિ? જીવન વ્યર્થ દવેની અધ્યક્ષતા નીચે કવિ સંમેલન. ચાલ્યું જાય છે.” માછીમારને સત્યનું દર્શન થયું અને તે ઈશુ ખ્રિસ્તની તા. ૨૭-૨-૬૬ ના રવિવાર રાત્રિના ૮-૦૦ સાજા નરવા સાથે ચાલી નીકળ્યો. તે વખતે ગામના કોઈક માણસે માછીમારને કહ્યું: રહો’ એ વિષય ઉપર કેટલાક નામી ડૉકટરોને પરિસંવાદ. તું જાય છે, પરંતુ તારો પિતા મૃત્યુ પામ્યો છે. એની અંતિમ ક્રિયા સ્વરાજ્ય મળ્યા પછી શું થશે? કરીને પછી જા.” ઈશુએ માછીમારને કહ્યું, “તારે ત્યાં જવાની જરૂર ભારતનું તાત્કાલિક ભાગ્ય જેના હાથમાં હતું એવા સેક્રેટરી નથી. ગામનાં બીજાં મડદાં એ મડદાંને નિકાલ કરી નાખશે.” આમ, જે માણસે જીવનને અર્થ જાણતા નથી હોતા તે મડદાં કરતાં વિશેષ ઍફ સ્ટેટ ફેર ઈન્ડિયા વેજવૂડ બેન ભારતમાં આવ્યા હતા. ભારતના નથી હોતા. એવી રીતે ભગવાન બુદ્ધ એક વખત એક વૃદ્ધને તેની પ્રમુખ નેતાઓને એમણે મળવા બેલાવ્યા. નેતાઓ નવા નવા બૂટઉંમર પૂછી. વૃદ્ધે કહ્યું, “ચાર વર્ષ” , કોઈકે પૂછયું, “અરે, તને સૂટ પહેરી વેજવૂડ બેનને મળવા ગયા. દેશી પોશાકમાં બે જ જણા સિત્તેર વર્ષ થયાં અને ચાર વર્ષ કેમ કહે છે? “વૃદ્ધ કહ્યું, “જે મળ્યા હતા. લોકમાન્ય તિલક અને મહાત્મા ગાંધી. શિષ્ટાચાર પ્રમાણે જીવન નિરર્થક ચાલ્યું ગયું તેની ગણતરી શું કામ કરવી ? જયારથી જીવન બેન મહાશયે બધા સાથે હાથ મેળવ્યો, પણ વાત કરી ફકત ભારતીય શું છે તે સમજતાં શીખે ત્યારથી તેની ગણતરી કરવી જોઈએ.” પિશાકવાળા બે નેતાઓ સાથે જ. તેમણે લોક્માન્યને પૂછયું : “તમે આમ, જીવન શું છે એ જ્યાં સુધી માણસ જાણતા નથી ત્યાં સુધી તે વસાહતનું સ્વરાજ્ય માંગે છે. તમે માને છે કે એવું સ્વરાજ્ય મળસત્યની સાચી શોધ કરી શક નથી. અપૂર્ણ વાથી તમે સુખી થશો?” લોકમાન્ય તિલકે દૂરંદેશી, તેજસ્વી અને ડૉ. રમણલાલ ચી. શાહ સાચો જવાબ આપ્યો: “ના, સુખી તે આજે છીએ; પણ એવું સુખ મહાપ્રસ્થાનના પથ ઉપર અમને જોઈતું નથી. આજે અમને કશી ચિંતા નથી. આરામમાં છીએ. ' ' આ મથાળાની લેખમાળીના આજ સુધીમાં ૬ હપ્તા પ્રબુદ્ધ ભારતનું રક્ષણ તમે કરે છે. રાજ્ય તમે ચલાવે છે. અમને એથી જીવનમાં (ક્રમશ:) પ્રગટ થયા છે. આ અને આવતા અંકમાં તુલશી શ્યામ ખાતે યોજાયેલી સાધના શિબિરને લગતું વર્ણન પ્રગટ થનાર હૈયાબળતરા નથી. સ્વરાજ્ય મળશે ત્યારે અમારા દુ:ખને પ્રારંભ હોઈને ઉપર જણાવેલ લેખમાળાનાં હવે પછીના હફતાઓ એપ્રિલ થશે, પણ એમાં જ અમે રાચીશું. વિદને આવશે એમને પહોંચી માસની પહેલી તારીખને અંકથી ક્રમશ: પ્રગટ કરવામાં આવશે. વળવામાં અમારું પૌરુષ કેળવાશે. અમે ભૂલ કરીશું તે સુધારતાં રાધા -તંત્રી : પ્રબુદ્ધ જીવન રતાં જ અમે ઘડાઈશું. અમારે એ બધી હાડમારી જ જોઈએ છે.” તે નિરર્થક ચાલ્યું ગયું ત્યારથી તેની ગણતરી થતાં સુધી તે રજીસ્ટ્રેશન ઑફ ચૂસપેપર્સ (સેલ) રૂલ્સ ૧૯૫૬ના અન્વયે પ્રબુદ્ધ જીવન’ સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ૧. પ્રસિદ્ધિસ્થળ : ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. " ૨. પ્રસિદ્ધિ ક્રમ : દરેક મહિનાની પહેલી અને સેળમી તારીખે. ૩. મુદ્રકનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા. ' કયા દેશના : ભારતીય ઠેકાણું : ૪૫,૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. ' પ્રકાશકનું નામ છે કયા દેશના કે ઉપર મુજબ ઠેકાણું તંત્રીનું નામ ) ક્યા દેશના ઉપર મુજબ લોકમાન્યને એમના સાથીઓમાંથી કોકે પૂછેલું:“બળવંતરાવ! સ્વરાજ્ય આવશે ત્યારે તમે કયા ખાતાના મંત્રી–મિનીસ્ટર-થશો?” કસાણું મે કરી લેક્ઝાન્ય જવાબ આપ્યો: “ના રે, એ ગંદા કામમાં કોણ ઊતરે? તમે માને છે કે રાજદ્વારી વાતેમાં મને રસ છે? હું તે સ્વરાજ્ય થયે ગણિતને અધ્યાપક થઈશ. થીઅરી ઓફ નંબર્સમાં મારે ઘણું સંશોધન કરવાનું છે, આ તો ભારતમાતા પરદામાં રીબાય છે, તે એના કપાળ પરની કાળી ટીલી ભૂંસી નાખવી છે. એટલા માટે આ રાજદ્વારી ગંદવાડમાં હું ઊતર્યો છું.” * મકાસાહેબ કાલેલકર ખરે અર્થ કયો સમજે? शहीरे जर्जरीभूते व्याधिग्रस्ते कलेवरे। औषधं जान्हवीतोयं, वैद्यो नारायणो हरिः॥ આને સામાન્ય અર્થ આ મુજબ કરવામાં આવે છે: શરીર જ્યારે જર્જરિત થાય અને દેહ જ્યારે વ્યાધિગ્રસ્ત થાય ત્યારે ગંગાજળ એ જ ઔષધ છે અને નારાયણ–હરિ એ જ વૈદ્ય છે. પણ શ્રી જ્યોતીન્દ્ર હ. દવે પોતાના એક લેખમાં આ કને નીચે મુજબ અર્થ કરે છે: “શરીર જ્યારે ઘરડું, દુબળું, ઢીલું થઈ જાય, દેહ રોગો વડે ઘેરાઈ જાય ત્યારે દવા એ જ એના માટે ગંગાજળની ગરજ સારે છે અને ડોક્ટર, એ જ એના સાક્ષાત ભગવાન બની જાય છે.” * . ઠેકાણ સામયિકના 1 શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, માલિકનું ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. નામ હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂં છું કે, ઉપર આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બબર છે. તા. ૧-૩-૬૬ પરમાનંદ કુંવરજી કાપડિયા-તંત્રી. Page #51 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૩-૧ પ્રભુ જીવન આત્મપરિચય તમારી જાતના આપા તમે જાતે પરિચય ', તમારું વાકય એ વાંચી મને આશ્ચર્ય ઉપજે; જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સુખે? જાણે જે જાતને તે યે જણાવે નહીં અન્યને, તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું માન રાખવા; જાણુ ના જાણું... હું તો યે મથું જાત જણાવવા. જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિએ શુદ્ર છું: કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી. શૈશવે ખેલતા ખેલો, શાળામાં ભણતો વળી બ્રહ્મચર્યાશ્રામે ત્યારે સ્થિતિ મારી ગણી હતી. શાળાને છાડીને જયારે ‘સાળાની બહેનને વર્યા, ગાર્હસ્થ્ય આશ્રામ જ્યેષ્ઠ તદા પ્રેમે હું સંચર્યા. પ્રભુતામાં ધર્યા પાદ, પૃથ્વીને રસ - પાટલે; પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા કે પછી ગૃહે. દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું, પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું .બની રહ્યું. વર્ણાકામ તણા આમ બધા હું ધર્મ પાળતો, જાળવવા મથું નિત્યે આર્ય સંસ્કૃતિ - વારસો. અરિને માદ અર્પ, દ્રવ્ય અર્પનું વૈઘને, વ્હાલાંને અર્પનું ચિંતા, મને પીડા `સમર્પતું. પૃથ્વીય ખેંચતી જેને બહુ જોર થકી નહિ, ભારહીશુ. મને એવું ઈશે શરીર આપયું. રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું, એવું શરીર આ મારું, દવાઓથી ઘડાયેલું. સાટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે, વિઘા ને વેદના બે મે એક સાથે જ મેળવ્યાં. મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યા, મને કિંતુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું! વિદ્યાને પામવા પહેલાં અર્થના ય મેં કર્યો, પછીથી અર્થને કાજે વિદ્યા વિક્રય આદર્યો. ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી, ભર્યું ભાગ઼ નિહાળીને, ભૂખ મારી મરી નંતી. સાભાર તનમનિયાં: લેખિકા તથા પ્રકાશક: શ્રી જ્યવતી કાજી, એમ.એ, ૪૦ એ, રીજ રોડ, મલબાર હીલ, મુંબઈ-૬, કિંમત રૂા. ૫-૭૫. તિબેટના ભીતરમાં : મૂળ અંગ્રેજી લેખક: હેનરિક હેરર; અનુવાદક શ્રી મહેન્દ્ર મેઘાણી, પ્રાપ્તિસ્થાન: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ. કિંમત રૂા. ૩. રંગ રાગ વિરાંગ : લેખક: વૈદ્ય મેોહનલાલ ચુનીલાલ ધામી, પ્રાપ્તિસ્થાન: નવયુગ પુસ્તક ભંડાર, નવા નાકા રોડ, રાજકોટ -૧, કિંમત શ. ૬-૭૫. એક જબગજબનું બુલબુલ : મૂળ ડેનિશ બાલકથાકાર હેન્સ એન્ડરસનની પરિકથાનું ગુજરાતી નાટય રૂપાન્તર કરનાર શ્રી. લીના બહેન મંગળદાસ, શ્રેયસ, અમદાવાદ-૭; કિંમત રૂા. ૨/. તત્ત્વચિન્તન અથવા નિત્ય પાઠ શિક્ષાપત્રી: મૂળ અંગ્રેજી લેખક શ્રી જેમ્સ એલન કૃત ‘મેડિટેશન્સ’ નું ભાષાન્તર કરનાર સ્વ. વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર, પ્રકાશક :સસ્તું સાહિત્ય વર્ધક મંડળ, ભદ્ર પાસે અમદાવાદ, કિંમત રૂા. ૩/-. ગાંવ કા વિદ્રોહી : આચાર્ય રામમૂર્તિ; પ્રકાશક: સર્વ સેવા સંઘ, વારાણસી, ઉત્તર પ્રદેશ, કિંમત રૂા. ૧/ જમાને કી ચુનૌની ઔર ગ્રામદાન: લેખક શ્રી ધીરેન્દ્ર મજુમદાર પ્રકાશક: ઉપર મુજબ, કિંમત રૂા. ૨૫ પૈસા. ઉપદેશસરિતા: લેખક: મુનિ ન્યાયવિજ્યજી, માંડલ, વિરમગામ. મંગળ સંદેશ: લેખક મુનિશ્રી ન્યાયવિજ્યજી માંડલ, વિરમગામ. ક્રાન્તિબીજ: મૂળ હિંદી: લેખક આચાર્ય રજનીશજીના પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરનાર શ્રી પૂર્ણિમા પકવાસા, પ્રકાશક: જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨, કિંમત રૂા. ૨/ ઘરશાળા પ્રકાશન મંદિર, તખ્તેશ્ર્વર પ્લાટ ભાવનગર, સૌરાષ્ટ્રનાં ચાર પ્રકાશના: જાતક કથાઓ ભાગ-બીજો લેખક : શ્રી હરભાઈ ત્રિવેદી, કિંમત ૬૦ પૈસા. વૃત્તિ મારી સદા એવી હોય .તે ના ગ્રહે કી, હોય ના તે સદા માંગે, મળ્યે, માગ્યું ય ના ગમે! સાહિત્ય, સંગીત – કલા વિષે મેં ધરી રૂચિ, કિન્તુ ન સિદ્ધિ આવી. ગાઉં ન હું, કારણ માત્ર તેનું આવે દયા કૈં સુણનાર કાનની. કર્યું હતું એક જ વેળ જીવને અપૂર્વ મેં નૃત્ય વિના પ્રયાસે, હુ એકદા માર્ગ ઉઘાડ પરે નિરાંતે પાદે ફરતા હતા, ત્યાં અર્ધી બળેલી બીડી કોક મુખે ફેંકી હતી તે પર પાદ મૂકયા; અને પછી નૃત્ય કરી ઉઠ્યો જે તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ. સાહિત્યની કંટકવાડ ભેદવા કરે ગ્રહી કાતર કાવ્ય કેરી, પાડી છીંડું નાનડું એક ત્યાં હું ખુલ્લે ઉભા, કાતર ફેંકી દીધી 7 ૨૧૭ આનંદ; રૂપિયા--૨. દેહ દાતણના જેવા, મન મર્કટના સગું, આત્મા કિન્તુ ગણુ` મારો વો બ્રહ્માન્ડ જેવડો. નાના રૂપ ધરી હું એમ ખીલવું માયામયી સૃષ્ટિને, ખેલું ખેલ અનંત ભ્રાન્ત જગમાં દિકકાલને કંદુકે, હું ચૈતન્ય ચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો, જેદેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી, કુજે કોકિલ કૂજતી કલરવે તે નાદ મારો નકી, નિદ્રાભંગ કરત શ્વાન ભસતાં, તે યે ક્રિયા માહરી; દાતા હું જ સુવર્ણ ચંદ્રક તણા, લેનાર મેં હું જ છું, હું ક્ ટસ્થ, અનસ્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું. રજમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ મને સખે! મહાયોતિ પરબ્રહ્મ દીસે જ્યોતીન્દ્ર હ. દવે. જ્યાતીન્દ્ર હ. દવે. સ્વીકાર ગીરની શૌર્યકથાઓ અને બીજી વાર્તા લેખક: શ્રી બી. જે, કાપડી કિંમત : રૂા. ૧-૫૦. બે નાટકો : લેખક: શ્રી મુનિકુમાર મ. ભટ્ટ. કિંમત ૮૫ પૈસા. ત્રણ નાટકો : લેખક: મુનિકુમાર મ. ભટ્ટ કિંમત : ૭૫ પૈસા. લોકગંગા: ભારત-પાકિસ્તાન સંઘર્ષ : સંપાદક શ્રી મહેન્દ્ર મેઘાણી, પ્રાપ્તિસ્થાન: લેાકમિલાપ કાર્યાલય, પા. બા. ૨૩, ભાવનગર કિંમત રૂા. ૧. સાંસ્કૃતિ કે પરિવ્રાજક : કાકાસાહેબ કાલેલકર સમર્પણ ગ્રંથ: પ્રકાશક: શ્રી માર્તંડ ઉપાધ્યાય, મંત્રી, સસ્તુ સાહિત્ય મંડળ, નવી દિલ્હી, કિંમત રૂા. ૨૦. Understanling India': શ્રી ગગનવિહારી લ. મહેતાના અમેરિકા ખાતેનાં વ્યાખ્યાના તથા લખાણોના સંગ્રહ : બીજી આવૃત્તિ: પ્રકાશક: એશિયા પબ્લીસીંગ હાઉસ, મુંબઈ. કિં. રૂ. ૧૨-૭૫ આકાશનાં પુષ્પો : લેખક : શ્રી. ગગનવિહારી લ. મહેતા, બીજી સંવર્ધિત આવૃત્તિ; પ્રકાશક મેસર્સ વેારા એન્ડ કંપની, પબ્લીશર્સ પ્રાઈવેટ લિમિટેડ, ૩ રાઉન્ડ બિલ્ડિંગ, મુંબઈ -૨. કિંમત : રૂા. ૩-૫૦. વિદ્યા વિહાર ગીતમાલા: ૧૦૮ સ્વરાંકિત ગીતોના સંગ્રહ : સંયોજક શ્રી ભાઈલાલ શાહ, પ્રકાશક: શેઠ ચીમનલાલ નગીનદાસ વિઘાવિહાર, અમદાવાદ ૬, કિંમત રૂા. ૭. અમરસાધના : લેખક : શ્રી અમરચંદ માવજી શાહ, (પચ્છેગામવાળા) તળાજા, સૌરાષ્ટ્ર. અભયદાનના અનુભવો : લેખક: શ્રી અમરચંદ માવજી શાહ સર્વોદય વિચારણા : લેખક: શ્રી શિવાજી ભાવે તથા સ્વામી પ્રકાશક: યજ્ઞપ્રકાશન, હુાતપાગા વડોદરા-૧, કિંમત : Economic Trends and Indications Vol. VI. લેખક : શ્રી ભીખાલાલ કપાસી, બી-૫ પેન્ડારા રોડ, ન્યુ દિલ્હી-૧૧; કિંમત રૂા. ૭-૫. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રબુદ્ધ જીવન - તા. ૧-૩-૧૬ અકાળે વિચ્છેદાયલી એક આશાસ્પદ જીવનયાત્રા મુંબઈમાં સાયણ ખાતે શ્રી ભાણબાઈ નેણસી મહિલા હતી. સમયાન્તરે સુશીલા બી. એ. થઈ અને વખત જતાં સંસ્કૃત વિદ્યાલય નામનું એક કન્યાછાત્રાલય છે. આ છાત્રાલયમાં હાઈ- તથા હિંદી લઈને એમ. એ. પણ થઈ ગઈ. સ્કૂલમાં ભણતી લગભગ ૧૫૦ વિદ્યાર્થિનીઓ વસે છે. આ છાત્રી- - ત્યાર બાદ ૧૯૫૭ની સાલમાં સુશીલા મુંબઈ આવેલી અને લયનાં ગૃહમાતા તરીકે સેવા બજાવતાં સુશીલાબહેન પટ્ટણી ગયા તેનાં માશી સાથે અમારા મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી ડિસેમ્બર માસની ૯મી તારીખે અવસાન પામ્યાં. તેમના મૃત્યુ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેણે એક શ્રોતા તરીકે ભાગ લીધે. વખતે તેમની ઉમ્મર ૪૦ વર્ષની અંદર હતી. આઠ વર્ષ સુધી એ દિવસ દરમિયાન એ બન્ને બહેને મને મળવા માટે મારે ઘેર તેમણે ઉપર જણાવેલી સંસ્થાની ગૃહમાતા તરીકે સેવા બજાવી આવેલાં અને એ રીતે સુશીલા સાથે મારી ઓળખાણની–પરિચયની– હતી અને નાની સરખી માંદગીના પરિણામે એક આશાસ્પદ શરૂઆત થઈ. તેઓ મુંબઈમાં કોઈ છાત્રાલયની નિયમિકાનું કારકિર્દીને એકાએક અનન્ત આવ્યો હતો. અવસાનના કારણે અધુરી કામ મળે એમ ઈચ્છતાં હતાં કે જેથી એ સ્થાન ઉપર રહીને રહેલી આ જીવનયાત્રાની કેટલીક વિગતે જાણવામાં આવતાં પ્રેરણા- પિતાને અભ્યાસ પણ આગળ વધારી શકે. યોગાનુયોગ દાયી માલુમ પડી. તેથી તે વિગતે એક કથાના આકારમાં નીચે મારા મિત્ર અને સહકાર્યકર્તા શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆ આપતાં હું પરમ સંતોષ અનુભવું છું. તેમની હસ્તકના ભાણજી નેણશી મહિલા વિદ્યાલય માટે ગૃહમાતાની તેમનું આખું નામ સુશીલાબહેન માણેકચંદ પટ્ટણી. મહારાષ્ટ્રમાં શોધમાં જ હતા. તેમને મેં સુશીલાબહેનને પરિચય કરાવ્યો અને આવેલું એવલા ગામ તેમનું જન્મસ્થાન. એ દિવસોમાં માણેકચંદ પરિણામે તેમની ૧૫૭ના નવેમ્બર માસમાં ઉપર જણાવેલ અધિરૂપચંદના નામથી તેમના પિતાની પેઢી બહુ ધીખતી ચાલતી હતી. કાર ઉપર નિયુકિત થઈ. ત્યાં તેમણે એકધારાં આઠ વર્ષ કામ ચાલુ રીતરીવાજ મુજબ તેર વર્ષની ઉમ્મરે આ સુશીલાનું ભાઈ કર્યું અને સંસ્થાના કાર્યવાહકો તેમ જ સંસ્થામાં રહેતી બાળાઓરતિલાલ રંગીલદાસ દેવચંદ સાથે લગ્ન કરવામાં આવેલું, સુશીલા બન્નેનાં મન પોતાની અસાધારણ કાર્યનિષ્ઠા અને સ્વાભાવિક પૂરતી પોતાની જવાબદારી પૂરી થઈ સમજીને પિતા માણેકચંદે વત્સલતા વડે જીતી લીધાં. તેઓ આ સંસ્થાના ગૃહમાતા હતાં તે દીક્ષા લીધી અને તેઓ ‘મુનિ ધન્યવિજય’ બન્યા. દરમિયાન B.Ed.ની પદવી તેમણે પ્રાપ્ત કરી હતી. તદુપરાન્ત વિધિયોગે સુશીલા એક વર્ષમાં વિધવા થઈ. નાની ઉમ્મરે એ વર્ષો દરમિયાન સેલાપુરની ગલર્સ કોલેજની પ્રીન્સીપાલવૈધવ્ય પ્રાપ્ત થતાં શ્વસુરગૃહે જેનાં તેનાં મેણાં ટોણાં ખાવાની શીપ માટે તેમની માંગણી થઈ હતી અને આજે જયારે કોઈ સ્થિતિમાં તે મૂકાણી. આ સ્થિતિમાંથી તેને મુકત કરવા માટે પણ કન્યા છાત્રાલય માટે ગૃહમાતા મળવાની ભારે મુશ્કેલી તેના મામા પોપટલાલ ચુનીલાલ તેને પોતાને ત્યાં અમલનેર છે ત્યારે તેમના માટે અનેક દિશાએથી કંઈ કંઈ માગણીઓ આવ્યા જ લઈ ગયા. મામાનાં છોકરાંઓને શ્રી પ્રકાશ મહાડીકર નામના કરે એ સ્વાભાવિક હતું. પણ સુશીલાબહેન કન્યા છાત્રાલય સાથે એક ભાવનાશીલ શિક્ષક ભણાવતા હતા. તેમણે સુશીલાને આટલી તેમ જ ત્યાં રહેતી બાળાઓ સાથે એટલામાં બધાં ઓતપ્રોત બની નાની ઉમ્મરમાં વિધવા થયેલી અને કશા પણ વ્યવસાય વિનાનું ગયાં હતાં કે કોઈ પણ પ્રકારનું આર્થિક પ્રલેભન કે અન્ય સંસ્થાનું જીવન વિતાવતી જોઈ અને તેમના દિલમાં લાગણી ઉભરાઈ આવી. મહત્ત્વ તેઓ જયાં હતાં ત્યાંથી તેમને કદિ પણ વિચલિત કરી સુશીલાને ભણવાની તેમણે ખૂબ પ્રેરણા આપી. પણ એ દિવસોમાં શકયાં નહોતાં. તેઓ ૧૪૫ના માસિક પગારથી કન્યા છાત્રાલયમાં બાળવિધવાને ભણવા મોકલવાની ગોઠવણ કરવાનું સહેલું નહોતું. જોડાયા હતાં. છેલ્લે તેમને રૂ. ૨૭પને માસિક પગાર બધી સમાજને વિરોધ તે હોય જ. સદ્ભાગ્યે જાણીતા ચિત્તક ગાંધી- સગવડો સાથે મળતું હતું. તેઓ છેલ્લાં બે એક વર્ષથી નરમવાદી સાને ગુરૂજી એ દિવસમાં અમલનેરમાં રહેતા હતા. તેમણે ગરમ રહેતાં હતાં. છેલ્લા પખવાડિયા દરમિયાન તેમની તબિમામાને સમજાવ્યા અને તેમનું મન સુશીલાને ભણાવવા માટે યત લથડવા લાગી. તા. ૩૦-૧૧-૬૫ના રોજ તેમને જે. જે. તૈયાર કર્યું. પણ શું ભણવું અને કયાં ભણવું એ પ્રશ્ન હતે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ત્યાર બાદ ટાઈફોઈડના સુશીલાના બીજા મામા ભાઈ ભેગીલાલ સેલાપુરમાં રહેતા હતા. ચિ દેખાવા લાગ્યાં. પેટનો દુખાવો ખૂબ વધી ગયો. તા. ૭-૧૨-૬૫ તેમની સોલાપુરમાં મેટી પેઢી અને ધીકતો વ્યાપાર હતા. એમણે ના રોજ તેમના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું. પણ તેમની સોલાપુરના દિંગંબર શ્રાવિકાશ્રમમાં સુશીલાને દાખલ કરાવી અને બીમારી વધતી જ ચાલી. તા. ૯-૧૨-૬૫ના રોજ તેમણે દેહ આ રીતે તેનું ભણતર શરૂ થયું. છાડો અને પ્રારંભમાં જણાણાવ્યું તેમ એક આશાસ્પદ અને જ્યારે જયારે રજાઓ પડતી ત્યારે ત્યારે, સુશીલા પિતાના પિતા સતત વિકસતી કારકીર્દીને આમ એકાએક અન્ત આવ્યો. મુનિ ધન્યવિજયજી જ્યાં હોય ત્યાં તેમને વન્દન કરવા ગયા વગર તેમના ગુજરી જવાને બે મહિના પહેલાં તા. ૧૨-૧૦-૬૫ના રહેતી નહિ અને જયારે જતી ત્યારે થોડા દિવસ તેમના સહવા- રોજ તેમના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવેલ ‘શ્રીપાળરાજ સમાં ગાળતી. સાધુ પિતા સુશીલાને દીક્ષા લેવાની પ્રેરણા આપતા મયણાસુંદરી’ની નુત્યનાટિકા સંસ્થાની બાળાઓએ ભજવી બતાવી હતા અને સુશીલાના મનમાં પણ તેવા ભાવ જાગવા લાગ્યા હતા. હતી અને તેમાં તેમણે ખૂબ સફળતા પ્રાપ્ત કરી હતી અને કચ્છી 'એક વાર સુશીલા નાતાળની રજાઓમાં મુનિ ધન્યવિજયજીને- સમાજનાં તેઓ ભારે પ્રીતીપાત્ર બન્યા હતા. તેમના ઉપર મદાર પોતાના પિતાને વન્દન કરવા ગયેલી, ત્યારે ત્યાં જતાં તેને માલુમ બાંધીને સંસ્થાના કચ્છી કાર્યવાહકોએ વીલે પારલે ખાતે સ્કુલ, પડયું કે કોઈ કારણસર પિતાના ગુએ પિતાને ડાંડાવતી સારી પેઠે માર માર્યો હતો અને એમના આખા શરીર ઉપર સોજા આવ્યા કૅલેજ તથા હોસ્ટેલ વગેરે સંસ્થાઓનું એક મોટું શૈક્ષણિક હતા. આ ઉપરાંત સુશીલા દિક્ષીત સાધ્વીઓના સહવાસમાં પણ કેન્દ્ર ઉભું કરવા માટે વિશાળ જમીનની ખરીદી કરી હતી. પણ પણ સારી પેઠે આવતી હતી. ત્યાં પણ તેણે ઝગડા અને કંકાસ જ એ બહોળું ક્ષેત્ર તૈયાર થાય એ પહેલાં સુશીલા બહેને ઈતર લોક જોયાં. આથી તેના દીક્ષા લેવાના ભાવ એકાએક એંસરી ગયા અને તરફ પ્રયાણ કર્યું હતું. પિતાના ભણતરમાં જ આગળ વધવાની તેની ઈચ્છા વધારે સુદઢ બની. - સમય જતાં સુશીલા મેટ્રીક થઈ અને કૅલેજમાં દાખલ થઈ. આપણા દેશમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા વહે છે. તેને અહિ તેને કર્ણાટકના ખ્યાતનામ પંડિત શ્રી અણસા બેંદ્રના પુણ્ય સૌ કોઈ જાણે છે અને તેની સૌ કોઈ નોંધ લે છે. પણ લેકપરિચય પ્રાપ્ત થયો. સુશીલાની રીતભાત અને જ્ઞાનનિષ્ઠા જોઈને કલ્યાણ સાધતી આવી અનેક નાની લ્યાણ સરિતાઓ પણ દેશભરમાં શ્રી અણા બેન્દ્ર પણ સુશીલા તરફ આકર્ષાયા. આ રીતે ખૂણે ખૂણે વહેતી હોય છે, અને કઈ થડે પંથ કાપીને કે કોઈ લાં સુશીલાને અણા બેન્દ્રની પ્રેરણા તથા માર્ગદર્શનને પિતાના પંથ વટાવીને આખરે ભૂતકાળમાં કે મહાસાગરમાં લીન થાય છે, જેની અભ્યાસકાર્યમાં સારો લાભ મળવા લાગ્યા. ' , , , , . અહીં જણાવવું અસ્થાને નહિ ગણાય કે સુશીલાને ઉછેર નોંધ ભાગ્યે જ લેવાય છે. સુશીલા બહેન આવી એક નાની કલ્યાણ ગાઢ ધાર્મિક વાતાવરણમાં થયેલો અને તેથી કૅલેજમાં ભણવા સરિતા હતી. તેમણે પોતાના પુરૂષાર્થ વડે શૈક્ષણિક આત્મત્કર્ષ છતાં સુશીલા'રાત્રી ભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ વગેરે અનેક ધાર્મિક સાધ્યો, સાંપ્રદાયિક સાધ્વી બનીને . જીવનને રૂંધાવા દીધું; જીવવ્રત નિયમોનું પાલન કરતી હતી. નના અન્ત સુધી સેવા કરીને જે કાંઈ ટુંકું જીવન મળ્યું તે – - વકતૃત્વમાં પણ તેણે ભારે કુશળતા પ્રાપ્ત કરી હતી. અને આ કારણે વકતૃત્વને લગતું જે શિલ્ડ આજ સુધી પુનાથી બહાર જીવનને તેમણે ચરિતાર્થ કર્યું. આવી એક મંગળ મૂર્તિને - સેવા જતું નહોતું તે શિલ્ડ સોલાપુર કૅલેજમાં સુશીલા: ખેંચી લાવી પરાયણ ભગિનીને – આપણા અનેક વન્દન હો..! પરમાનંદ Page #53 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૩૬ સ્વર્ગસ્થ શ્રી ઉમેદચંદ ઢાલતચંદ બરાડિયા શ્રી ઉમેદચંદ દોલતચંદ બરોડિયાનું મુંબઈ વિલે પારલે ખાતે તા. ૧૧–૨–૬૬ના રોજ વૃદ્ધાવસ્થાની જર્જરિતતા અને કેટલાક સમય માંદગીની વ્યથા ભાગવીને ૮૩ વર્ષની ઉમ્મરે અવસાન પામ્યા. તેમની સાથે આમ વર્ષોજૂના સંબંધ અને અમુક વર્ષો સુધીના સહકાર્યકર્તા—આવા એક વડિલ સ્વજનને ગુમાવતાં અંગત રીતે હું ઊંડી ગ્લાનિ અનુભવું છું. પ્રભુ જીવન તેમના પિતાશ્રી દોલતચંદ બરોડિયા આજીવન શિક્ષકના વ્યવસાયને વરેલા હતા અને જૂનાગઢમાં જ તેમણે જિંદગી પસાર કરી હતી. તેમના પુત્ર ભાઈ શ્રી ઉમેદચંદ પણ જૂનાગઢમાં જ મોટા થયા હતા અને ત્યાંની બાઉદીન કાલેજમાં બી. એ. થયા હતા. ત્યાર બાદ તેઓ મુંબઈ આવ્યા અને દશ બાર વર્ષ તેમણે મુંબઈની એક યા બીજી હાઈસ્કૂલમાં વિજ્ઞાન અને ગણિતના શિક્ષક તરીકે કામ કર્યું. આ કામગીરી દરમિયાન તેમણે શ્રી ગોકુળભાઈ મૂળચંદ જૈન હોસ્ટેલના ગૃહપતિ તરીકે તેમ જ મહાવીર જૈન વિદ્યાલયના ધાર્મિક અધ્યાપક તરીકે કામ કરેલું. ત્યાર બાદ જૂના શેર મેનેજર બજારના એસિસ્ટન્ટ તરીકે ૨૫ વર્ષ સુધી તેમણે સેવા બજાવી અને પોતાની નિષ્ઠા અને કાર્યકુશળતા અંગે શેર બજારના જૂના અને જાણીતા પ્રમુખ શ્રી કે. આર. પી. શ્રોફની પ્રીતિ અને વિશ્વાસને પાત્ર તેઓ બન્યા. ૧૯૨૮--૩૦ દરમિયાન મુંબઈ તેમ જ ગુજરાતમાં બાલદીક્ષાવિરોધી એક ભારે મોટી ઝુંબેશ ચાલેલી અને એ ઝુંબેશને વેગ આપવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરવામાં આવેલી. સંધના સ્થાપના કાળથી શ્રી ઉમેદચંદભાઈ સંઘમાં સભ્ય તરીકે જોડાયેલા અને તે વખતે ચાલતા સંઘના મુખપત્રના તેઓ થાડા સમય માટે સંપાદક બનેલા અને તત્કાલીન ઉગ્ર આંદોલનમાં તેમણે સક્રિય ભાગ લીધેલા. આ ઉપરાંત વર્ષો સુધી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી જૈન શ્વે. મૂ. કૉન્ફરન્સની કાર્યવાહિઓમાં પણ તેઓ સારો રસ લેતા રહ્યા હતા. શેરબજારની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ અગાસ ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં રહેતા થયા અને ત્યાં તેમણે આશરે ૨૫ વર્ષ પસાર કર્યા. આ પ્રકારના વાનપ્રસ્થ જીવન દરમિયાન તેમણે શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનું તેમ જ અન્ય ધાર્મિક તથા આધ્યાત્મિક સાહિત્યનું બહોળા પ્રમાણમાં અધ્યયન કરેલું. આના પરિણામે વિલેપારલેમાં ઊજવાતા નવદુર્ગા મહાત્સવમાં કેટલાક સમય પહેલાં શ્રીમદ્ રાજચંદ્રની જીવનકલા ઉપર તેમણે બે વ્યાખ્યાનો આપેલાં. તેઓ લેખક અને અભ્યાસી પણ હતા. ‘હીસ્ટરી ઑફ જૈન લીટરેચર' એ નામનું તેમનું લખેલું પુસ્તક બ્રીટીશ પબ્લીશીંગ હાઉસ પ્રગટ કર્યું હતું. વધતી જતી ઉમરના કારણે સંપૂર્ણ નિવૃત્તિ સ્વીકારીને તેઓ છેલ્લાં ચાર વર્ષથી પોતાના બહાળા કુટુંબ પરિવાર સાથે વીલે પારલેમાં આવીને રહ્યા હતા. તેમના મોટા દીકરા ભાઈ કાન્તિલાલ આઈલ સીડઝ એન્ડ ઑઈલ એકસચેન્જના સીનીયર એસિસ્ટન્ટ સેક્રેટરી છે અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના વર્ષોથી એક સભ્ય છે. તેઓ પણ સારા લેખક તેમ જ વિચારક છે. હજી લગભગ એક મહિના પહેલાં સ્નેહીવર્યઉમેદચંદભાઈની લથડતી જતી તબિયતના ખબર સાંભળીને તેમને ખાસ મળવા માટે હું વીલેપારલે ગયેલા. આ પ્રસંગે અમે ઠીક સમય સાથે ગાળ્યો હતા અને અનેક જૂની વાતો અને ઘટનાઓ યાદ કરી હતી અને એક પ્રકારની સ્મરણ્યાત્રાના આનંદ અનુભવ્યા હતા. એ વખતે જ મને ખબર પડી કે તેઓ કેટલાક સમયથી કૅન્સરના વ્યધિથી પીડાય છે અને જીવન લાંબું ટકવાની બહુ આશા નથી. આખરે એ જીવનદીપ તા. ૧૧-૨-૬૬ના રોજ ઓલવાયા અને આપણી વચ્ચેથી એક શાન્ત, સરલ, પ્રસન્ન, શીલસંપન્ન અને જૈન વિચારસરણીને વરેલી એવી એક વ્યકિતએ આપણી ૮૩ વર્ષની પરિપકવ વયે હંમેશાને માટે વિદાય લીધી. શ્રીમદ્ રાજચંદ્ર વિષેની નિષ્ઠા એ તેમના જીવનની વિશેષતા હતી. તેમના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ એવી આપણા અન્તરની પ્રાર્થના હા! પરમાનંદ ૨૧૯ વેદાન્તનું સમ્યક્ સ્વરૂપ (ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સ્વામી પ્રણવતીર્થે આપેલું વ્યાખ્યાન) આ વ્યાખ્યાનના વિષયનું નામ પાડવા સાથે જ, વેદાન્ત નામે ઓળખાતા દર્શનનાં મૂળ તત્ત્વામાંના એકનું સ્પષ્ટીકરણ થઈ જવાન પ્રસંગ આપેોઆપ ઉપસ્થિત થઈ જાય છે. વાસ્તવમાં સિદ્ધાંત એ છે કે, કોઈ પણ વસ્તુના સમ્યક્ અને અસમ્યક્–એવાંબે સ્વરૂપ ન હોઈ શકે. સમ્યક્ પદનો ધાત્વર્થ જોતાં આ હકીકત ઉપસી જ આવે છે. સમ્યક્ એટલે સાચું, વાસ્તવિક, યથાતથ, અને અસમ્યક્ એટલે તેનાથી વિપરીત, ખોટું, અયથાર્થ. વસ્તુનું સમ્યક્ સ્વરૂપ એક જ હોય. મતલબ કે, અહીં આપણે જે વિચારવાનું છે તે એ યથાર્થ સ્વરૂપ, એ સ્વરૂપનાં જે ખરેખરાં લક્ષણા છે તે; નહિ કે એ વસ્તુથી અપરિચિત અથવા અર્ધપરિચિત પૃથઞ્જના દ્વારા ઘણી વાર પ્રમાણિક ભાવે પરંતુ ખોટી રીતે તેના જે અર્થઘટનો થયા કરતાં જોવામાં આવે છે તે. આ વિષયની અસમ્યક્ રજૂઆત જ્યાં અને જ્યારે થાય છે, ત્યાં અને ત્યારે તેમાં કા’ક વાર પ્રમાણિક ગેરસમજ, કો'ક વાર સાવ અણસમજ હોવા છતાં અપાઈ જતા અભિપ્રાયો, અને ’કવાર પૂર્વાગ્રહગ્રસ્ત મતધારણે પણ કારણ બની શકે, અને તે રીતે જે કહેવા— સમજવામાં આવે, તે અસમ્યક્ બની જાય. આ પરિસ્થિતિ માત્ર વેદાન્તસિદ્ધાંત પરત્વે જ પ્રવર્તતી નથી જાણવાની. જીવનની એવી કઈ બાબત હશે, કે જેના બારામાં આવા મામલા બન્યા કરતા ન હોય ? અને જો તેવું ન બનતું હોય, તે જગતમાં ઝગડારગડાને અવકાશ શેના જ રહે ? પરન્તુ તેવા અવકાશ છે, પુષ્કળ છે; અને એ તેવા હાવાને કારણે તે એના કલેશમાંથી “મુકત ” થવા રૂપી મેાક્ષની ઈચ્છા,— અર્થાત્ મુમુક્ષુતા જાગે છે; અને તે જાગે છે તે કારણે તો માનવી તે માટેનાં સાધના શોધે છે; અને તેવી શેાધને કારણે તે આ નાનાવિધ દર્શના સંપ્રદાયો, પંથે...અને તેને લગતાં અનંત શાસ્ત્રો, કર્મકાંડો, તે માટેના વિધિનિષેધા, આગ્રહા, તે અંગેની અસહિષ્ણુતાએ, રાગદ્વેષ ઈત્યાદિ કલેશાના રાફ્ટા ફાટે છે, અને ઔષધ વ્યાધિ કરતાં પણ અતિવધારે વસમું થઈ પડે છે! આમ જીવ - જન્તુ, પીડાથી છૂટવા માટે બમણી પીડા વેંઢારતો જતો હોવાના મહા વિષ— વર્તુલમાં ભમે છે. એનું જ નામ મેહ; એ જ સંસારી ભાવ; એ જ દેહાધ્યાસ; એ જ ભવાટવ; અને ટૂંકામાં, એ જ અવિદ્યા, એટલે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન. આ કુંડાળા - વ્યૂહને ભેદવાનું એક માત્ર શસ્ત્ર તે એ અવિઘાના નાશ એટલે કે પેાતાના સાચા રૂપના જ્ઞાન વડે તેના અજ્ઞાનના નાશ, અને તે સાથે અવિઘાના કલેશપરિવારના ડાંસ, ભિન્નતામાં તથા નાનાત્વમાં જ ભય રહેલો છે. બધું કેવળ એકમાત્ર સત્-ચિત્ પરમ આત્મતત્ત્વરૂપ જ જણાવા માંડે, કે તરત “ ભેદ”નામક સંસારી આસકિત તથા તજજન્ય તૃષ્ણાનો નાશ થઈ જાય ૩:હસ્યાન્ત નિતિ. એવે છે વેદાન્તનિષ્ઠાના પાયાના વિચાર, આમ આપણે આ વિષય અને તેનું પ્રયોજન ટૂંકામાં સિદ્ધ કર્યા; હવે એના આદિ અને અંતનાં એંધાણ માંડીને, આપણે તેનું વચલું કલેવર પૂરવા મેદાને પડીએ. વેદાન્તનો હેતુ “મેક્ષ” કહ્યો છે. એને કૈવલ્યમેક્ષ પણ કહે છે, કેમકે તેમાં કેવળ સુખ - આનંદથી પૃથક્ કશું અભીષ્ટ નથી, અને તેની સિદ્ધિના પ્રત્યક્ષ સાધન તરીકે જ્ઞાનના સ્વીકાર, એટલે કે જીવજગત - ઈશ્વરમાં અનુસ્પૂત તથા તે સર્વના આધારરૂપ જે એક જ સત્યતત્ત્વ છે, અને જે પ્રાણીમાત્રનું અંતરતમ સ્વરૂપ છે, તેના અનુભવના જ સ્વીકાર...ટૂં કામાં કહીએ તો, વિચારના જ સ્વીકાર, છે. અન્ય જે કંઈ કરવા - કહેવા - યોજવામાં આવે, તે સર્વ એ સદ્ગુજ્જુ વિચારનાં ઉપકરણા જ, અને તેથી મેાક્ષનાં પરોક્ષ સાધનસામગ્રી જ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ૨૨૦ " હાવાં ઘટે. તેથી તે “મનુષ્ય ” અથવા “ માનવ” શબ્દનું સાર્થકય બને છે. મનુતે કૃતિ. “માણસાઈ ” લક્ષણ મનન એટલે કે વિચારશકિત તથા તેનો ઉપયોગ છે. તેથી તે કહેવાયું છે કે મન:પૂત સમાજરત . યથાર્થ વિચાર જ જીવનનાં લૌકિક તેમ જ પારમાર્થિક ક્ષેત્રામાં વ્યવહારને સુખરૂપ સિદ્ધ કરી શકે છે; અને જે અશાસ્ત્રીય હાય, જે ન્યાય તેમ જ પદ્ધતિ અને સમજપુર:સરના ન હોય, તેવા અયથાર્થ વિચાર સર્વ ક્ષેત્રમાં માનવી માટે ક્લેશ ઉપજાવીને, આ ખરેખર આનંદમય સુખમય જીવ તથા જગતથી માનવીને ખાટી રીતે ત્રસાવે છે. આ છે પાયાના મુટ્ટો; અને તેથી, સમજંદારી તથા તટસ્થ ભાવે માહિતીપૂર્વક જીવનની સર્વ વ્યવસ્થાઓની વિચારણા વડે જ માનવી જીવ-જગતના આનંદમય સ્વરૂપનો અનુભવ સાધી શકે છે, અને તે અનુભવ તો સર્વત્ર, સર્વ સ્થળે, સર્વ કાળે એક જ છે, સુખભાવરૂપે, બે નહિ, એમ જાણવું, એનું નામ જ જ્ઞાન. આથી કરીને વેદાન્ત મુખ્યત્વે જ્ઞાનનિષ્ઠ છે; જ્ઞાન ચિત્તશુદ્ધિનિષ્ઠ છે; શુદ્ધિ નિરહંતાનિષ્ઠ છે; નિરહંતા છે વિચારનિષ્ઠ; અને વિચાર છે નીતિનિષ્ઠ. આ છે જીવનના સમ્યક્ નિર્વહણની સીડી, પાછળ આપણે ઈશારો કર્યો છે તેમ, વેદાન્તસિદ્ધાંત વિશે કેટલાક બુદ્ધિમાન અને શુભાશયી જનવર્ગોમાં પણ ખરી માહિતીને અભાવ પ્રવર્તે છે; એમાં કંઈ વેદાન્તનો ઈજારો નથી; પરન્તુ અહીં આપણા વિષય વેદાન્તના હોવાથી, તેના પરત્વે જ એના ઉલ્લેખ કરવા રહ્યો. પ્રત્યેક વિચારશીલ મનુષ્ય જાણે છે, અનુભવે છે, અને ખૂબ દુ:ખપૂર્વક પાકારે છે કે અજ્ઞાન ભયંકર વસ્તુ છે, પરન્તુ અપજ્ઞાનતા તેથીયે વધારે ભયાનક છે. એ બે વચ્ચેનો ફરક એ—બામ્બુ અને એચ - બામ્બ વચ્ચેના ફરક જેવા છે! એક છે “ફિશન ” ને બીજું છે “ ફ્યુશન ''! અહીં ભર્તૃહરિના તદ્રિષયક પ્રસિદ્ધ શ્લોકા યાદ આવે જ, પરંતુ તે એટલા બધા જાણીતા છે, કે સુજ્ઞા માટે અહીં તેના ટાંચણની જરૂર નથી. વેદાન્તસિદ્ધાંતાનુસાર, સર્વત્ર એક જ “ અતિ - ભાતિ ’ રૂપે પ્રિય તત્ત્વ પ્રવર્તી રહે છે, અને તે છે સર્વના અંતરતર “આત્મા”, અને એનું વિસ્મરણ જ કલેશપંચકની જનેતા છે; તેથી, આપણે એ અવિદ્યાકલ્પિત માયાવી દીવાલાને આતમ - બમ્બ વડે ઉરાડી દઈએ કે જે સર્વ બામ્બાના બામ્બેશ્વર છે; અને તેમ કરીને આપણે એકબીજાના અંતરને પાતાનું અંતર કરીએ ... તો જ “ માનવ” સંજ્ઞા સાર્થક થાય; વળી, સહાનુભૂતિ વડે જ સામાના અંતરમાં પ્રવેશ સંભવે; સહ+અનુભૂતિ, સામાની દષ્ટિથી જ તેના અનુભવને અનુભવવાની તન્મયતામૂલક આવડત તથા તેવું આચરણ, અને તેવી ટેવ પાડવાનાં સાધન. આને વેદાન્ત સિદ્ધાન્તનો સરવાળા કહી શકાય: તેમાં ભિન્નત્વ જ બાધક છે; અને ભિન્નત્વ કેવળ અજ્ઞાનનું સંતાન છે. એ અજ્ઞાનનો ધ્વંસ તેના પ્રતિદ્રુદ્બી જ્ઞાન વડે જ બને. એક જ ભારતીય દર્શનનાં વિવિધ પ્રસ્થાનો (– એક જ સમુદ્ર પહોંચવાના અનેક જળપ્રવાહોના પ્રયત્નાની રીતે ) એક જ ધ્યેયલક્ષી છે, એ હકીકત, તેને જરાક ખુલ્લા દિલે વિચાર કરતાં, પકડાઈ આવે છે. અને તેમ હોવાથી, ધર્માની કે દર્શનોની સરખામણી કરવાની તથા “ એ બધા એક જ છે ને” એવું પ્રતિપાદન કરવાની ચેષ્ટાઓ વસ્તુત: હિતકર નથી; તેવી ચેષ્ટાએ એ સર્વની એકતા સ્થાપિત કરવાને બદલે, તેમના ભિન્નત્વનું જ સ્મરણ કરાવ્યા કરે છે: જે દેશમાં શક્તિની જરૂરત તથા તે માટેની દવાઓની વિચારણા અને તેના ઈલાજોની ચર્ચા વધારે થાય, ત્યાં તેમ થવાનું કારણ એ દેશમાં શકિતની ઊણપ જ હોઈ શકે, નહિ કે વિપુલતા. બધાં શ્રેયસ્સાધક પ્રસ્થાનોની એક્વાક્યતાને સહજ તરીકે ચૂપચાપ સ્વીકારી લેવી - take for granted, ને તેને ચર્ચાનો વિષય · · બનાંવવાના . વિચાર સરખો પણ ન કરવો, એ તે સર્વના એકત્વના વાસ્તવિક અસ્તિત્વનું સમુચિત લક્ષણ છે. તંદુરસ્ત માણસને શરીરને વિચાર કે. તેની તા. ૧-૩-૬ ' સ્થિતિની ચર્ચા કરવા.. સુઝે નહિ; તેવી ચર્ચા તો રોગી જ કરે ! આમાં શ્રી રામકૃષ્ણના પ્રયોગા કેવું સુન્દર દષ્ટાંત પૂરૂ પાડે છે! એ ભાવૈ આ વેદાન્તસિદ્ધાંતને પણ સમજવા અહીં આપ સર્વને મારું નિમંત્રણ છે, નહિ કે કશા પણ સરખામણીના ખ્યાલથી. આપ જો તેમ કરશેા, તે આપને લાગશે કે, હું આપના જે હોય તે સંપ્રદાયના હાર્દની જ વાત કરી રહ્યો છું. કદાચ થોડા જુદા શબ્દોમાં, પરન્તુ એજ, એજ! અને તેથી આ વિષયની રજૂઆતમાં બને તેટલા સરળ થવાના મારો આશય છે. સમયાદિની મર્યાદા વ્યવહારમાં પ્રબળ છે. પરમાર્થમાં તેને ઈન્કાર જ સર્વસાધક છે, તેમ સમાજવ્યવહારમાં તેના કડક સ્વીકાર જે કાર્યસાધક બને છે. અહીં એની જહાંગીરી આપણે સ્વીકાર્યે જ છૂટકોઅને તે પણ સહર્ષ. તેથી બહુ જ સંક્ષેપમાં બે- ચાર વાત ઉપર, ઊડતી છતાં યથાશકય મર્મસ્પર્શી નજર આપણે નાખી લઈએ. પ્રથમ એ કહેવું પ્રાપ્ત થાય છે, કે વેદાન્ત શું છે એ જાણવા કરતાં, વધારે સ્પષ્ટીકરણની જરૂર છે વેદાન્ત શું નથી, એ જાણવાની. પ્રથમ તો, વેદાન્ત કોઈ “ધર્મ” નથી, કે જે અર્થમાં ધર્મ શબ્દનું સામાન્યત: ગ્રહણ કરવામાં આવે છે. એટલું જ નહિ પણ, એ કોઈ પણ તેવા ધર્મથી ખાસ સંકલિત નથી; વૈદિક સંપ્રદાયથી પણ નહિ. એ વર્શન છે; જેને ફિફ્લાસ ફી કહેવાય છે, તે છે. તત કહેતાં જીવજગત-ઈશ્વર; તેનું પણ જે સ્વ, તેની સમજ, તેને અનુભવ, તદનુસાર જીવન જીવવાની હૈયાઉકલત – તે એ છે. આંતરજીવનના મેાક્ષનિષ્ઠ ઘડતરની એ એક સાંમગ્રી છે. દર્શન એટલે પરમ સુખનો અનુભવ. ધર્મ અને ફિસૂફી—એ બે શબ્દોની આપણી અંગ્રેજીમાં જ વાણીવિચાર કરવાની આત્મઘાતક આદતે કેવી સત્યાનાશી વાળી છે! ધર્મ શબ્દનો અર્થ આપણે “ રિલિજ્યન” અને “ દર્શન ’” ના માયનો “ ફિલોસ ફી ’” શબ્દ મારફત જાણી શકીએ છીએ; અને ભારતીય ધર્મક્લ્પના તથા દર્શનલક્ષણ બતાવવા એ ઊભય શબ્દો સાવ અસમર્થ, બલકે ઊંધી દિશામાં લઈ જનારા છે. પરન્તુ આ અંગ્રેજીના મહે સર્જેલી ભારતીય ભાવનાના આત્મઘાતક નાશની કરુણતાનો વિચાર અહીં પ્રસ્તુત નથી. ‘દર્શન ’ એટલે જીવનના પરમ લક્ષ્યના સિદ્ધાંતનું પારમાર્થિક જ્ઞાન, બલકે તેના સ્પષ્ટ આંતરિક અનુભવ – “સગ્ગી આંખે દેખ્યા ” જેવા, સચાટ; અને ‘ધર્મ’ એટલે કે દેહસ્થિત જીવને એવા દર્શનાનુસારી બતાવવાની દેશ – કાળ - સંજોગાથી મર્યાદિત વિધિનિષેધયુકત રીતરસમા, તે અંગેની કાર્યાકાર્યની વ્યવહારક્ષમ વિચારણા, તથા તેનું તદનુસાર આચરણ. આ ઉભયનું ધ્યેય એક જ સુખાનુભવ. “ ધર્મ” સમગ્રપણે જીવનવ્યાપી હાઈ, તેમાં ચારેય પુરુષાર્થા સમાઈ જાય છે; અને તે કેવળ ચેાધા આત્મદર્શનસંજ્ઞક મેક્ષ રૂપી પરમપુરુષાર્થને સિદ્ધ કરવાની સામગ્રી જ હોવાનું જાણવું, એ જ્ઞાનનિષ્ઠા છે. એને તેથી વધારે મહત્વ અપાય, તેટલી જ્ઞાનમાં ઊણપ જાણવી. એનું લક્ષ્ય એક જ, ઉપર કહ્યું તેમ, સુખાનુભવ, અર્થાત નિત્ય સુખની પ્રાપ્તિ તથા દુ:ખની આત્યંતિક નિવૃત્તિના જીવતાંજીવત અનુભવ. એને સર્વાત્મભાવ કહ્યો છે. અપૂર્ણ સ્વામી પ્રણવતીર્થ પૃષ્ઠ વિષયસૂચિ કટોકટીની પળે પગટેલું માટીનું કોડિયું ૨૧૧ હ્યુબર્ટ હૂંફરી ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૧૨ ડૉ. રમણલાલ શાહ. જ્યોતીન્દ્ર દવે ૨૧૪ ૨૧૭ રાષ્ટ્રીય રાજકારણ તુલસીશ્યામ સાધનાશિબિર આત્મપરિચય (કાવ્ય) અકાળે વિચ્છેદાયેલી એક આશા સ્પદ જીવનયાત્રા સ્વ. ઉમેદચંદ દોલતચંદ બરોડિયા પરમાનંદ પરમાનંદ વેદાન્તનું સમ્યક સ્વરૂપ સ્વામી પ્રણવતીર્થ પત્રકારત્વ : લાકશિક્ષણનું યજ્ઞકાર્ય બચુભાઈ રાવત ૨૧૮ : ૨૧૯ ૨૧૯ ૨૨૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ Cll. 2-3-4F પ્રબુદ્ધ જીવન પત્રકારત્વ : લાકશિક્ષણનુ યજ્ઞકા ✩ (ગુજરાતી સાહિત્ય પરિષદના સૂરત ખાતે મળેલા ૨૩મા અધિવેશન પ્રસંગે પત્રકારત્વ વિભાગના પ્રમુખસ્થાનેથી ‘કુમાર’ના તંત્રી શ્રી બચુભાઈ રાવતે આપેલું વ્યાખ્યાન ચડું ટુંકાવીને નીચે આપવામાં આવે છે. તંત્રી) અરધા અરધા લાખના ફેલાવાવાળાં પત્રાના તંત્રીઓને પડછે મારા જેવા એક નાનકડું માસિક ચલાવનારને આ સ્થાન આપવામાં, હું તો મારા પ્રત્યેનો આપનો સદ્ભાવ જ જોઉં છું, કેમ કે આ વ્યવસાય અંગેની મારી સૂઝ અને શકિતની મર્યાદા હું સમજું છું. એટલે આપની અપેક્ષાઓ હું પૂરી નહિ કરી શકું એની ક્ષમાયાચના સાથે આપના સદ્ભાવ માથે ચડાવું છું. પત્રકારત્વની કેડી '' " આ ક્ષેત્રના બહોળા અનુભવ કે ઊંડા ચિંતનની તક મને મળી નથી. મારી પાસે તેા થોડાંક આદર્શો અને સ્વપ્નો છે, જેની પાછળ ઘણા ગુરુજનાનું ૠણ છે. કૌટુંબિક સંજોગોએ કાલેજ કેળવણીનું માં જોવા ન દીધું એટલે શિક્ષણકાર્ય કરતાં કરતાં સાહિત્ય અને કલાનો છંદ સંતોષવા માટે સાધેલા, “બિબિઝ એન્યુઅલ ”, “ગાલ્ડન હાઈન્ડ ”, ‘ફોર્મ ”, આદિ જેવાં વાર્ષિકો – ત્રૈમાસિકાના સંપર્કમાંથી મને સામયિક પત્રકારત્વની નાનકડી કેડી હાથ લાગી ગઈ. જીવનના એ ઘડતરકાળ જેમની પ્રત્યક્ષ મૂતિઓને અભાવે એમનાં પા “ સ્ટ્રેન્ડ ” અને “ પીઅર્સન ”, “વિન્ડસર” અને “લંડન ”, “ નેશન” અને “પ્લપ લિ ”, “ જૈન આ લંડન ” અને “એગ્રીમ ન ” સામયિકોને એકલવ્યની પેઠે નજર સમક્ષ રાખીને સાધના કરી અને સ્વપ્ના ઘડયાં તે અજ્ઞાત મંત્રીઓ, તથા જે પત્રા તથા તેના તંત્રીઓ મારા પ્રેરણાસ્રોત બન્યાં તે ‘બુકમ ન ’ના સેન્ટ. જૉન એંડકાક, ‘પંચ ’ ના બર્નાર્ડ પૅટ્રિજ, ‘માઈ મેંગેઝિન ' ના આર્થર મી, ‘જૅન બુલ ના એ. જી. ગાર્ડિનર, ‘ઑબ્ઝર્વર ’ના જે. એલ. ગાર્વિન, મન્ચેસ્ટર ગાર્ડિયનના સી. પી. સ્કોટ, સ્પેક્ટેટરના જે. એ. સ્પેન્ડર, ‘નૅશન ઍન્ડ ઍથીનીઅમ ' ના એચ. જે. મેસિંગહામ, ‘ન્યુ લીડર ’ ના એચ. એન. બ્રેઈલ્સફર્ડ, ‘લંડન મકર્ક્યુરી ’ના સર જૉન વાયર અને ‘ઍડેલ્ફી’ના જૉન મિડલટન મરી, તેમ જ ભારતવર્ષમાં ‘સરસ્વતી ’ના મહાવીરપ્રસાદ દ્વિવેદી, મોડર્ન રિવ્યૂ'ના રામાનંદ ચેટરજી, ‘ગુજરાતી’ના ઈચ્છારામ અને મણિલાલ દેસાઈ, ‘ વીસમી સદી'ના હાજીમહંમદ અલારખિયા શિવજી અને જેમણે મને કામ કરવાની તક તથા ક્ષેત્ર આપ્યાં તે મારા મુરબ્બી મિત્ર શ્રી રવિશંકર રાવળ – એ સર્વના ઋણનું હું કૃતજ્ઞતાભાવે સ્મરણ કરું છું. એ આરાધનામાંથી જે થોડા શા આદર્શો અને સ્વપ્નો મને લાધ્ધાં એટલે કે અનુભવ અને સિદ્ધિ મારાથી પામી શકાયાં નથી. પત્રકાર : પ્રજાને ગુરુસ્થાને પત્રકારત્વના જે તત્ત્વવિચાર આ અગાઉ મારા ઘણા સમર્થ પુરોગામીઓ આપની આગળ મૂકી ગયા છે, એમાં મારે ભાગ્યે જ નવું ઉમેરવાનું છે. પત્રકારત્વનો અર્થ, સામાન્ય રીતે તો, સમાચારો આપવાનું તથા તેને અનુષંગી વિચારો દ્વારા પ્રજામત ઘડવાનું કાર્ય. એવા આપણે ત્યાં થતો જણાય છે. વસ્તુત: તે પ્રજાની સર્વાંગી કેળવણીની જવાબદારી પત્રકારને માથે છે. પ્રજાના જીવનના એકેએક પાસાને ઉપસાવીને ઊજળુ' ને સુરેખ કરવાની દષ્ટિવાળા પ્રજાશિક્ષણનો એક સુચિતિત, નિશ્ચિત ને વ્યવસ્થિત કાર્યક્રમ પત્રકાર પાસે હોવા જોઈએ. પ્રજાનાં રાષ્ટ્રીય તેમ જ સામાજિક દષ્ટિબિંદુ ઘડવા તથા વિકસાવવા ઉપરાંત, તેનામાં રાષ્ટ્રીય અસ્મિતા અને સાંસ્કૃતિક ગૌરવ પ્રગટાવવાની સાથે સાથે તેનાં દેહઘડતર ને આરોગ્ય, આચારવિચાર અને વ્યવહાર—સંસ્કાર, ખોરાકોશાક અને ગૃહશાભન—વ્યવસ્થા, વેપારવણજ અને અર્થકારણ, રંગરાગ અને મનોરંજન, નીતિમત્તા અને ધર્મદષ્ટિ, જ્ઞાનવિજ્ઞાન અને સાહિત્યકલા – એમ જીવનને સ્પર્શતા એકેએક વિષયમાં પ્રજાની સૂઝ અને સમજદારી વધારતાં જઈ તેની બુદ્ધિશકિતનું ધારણ પત્રકારે ઊંચે લાવવાનું છે. આવી વિશાળ અને ગંભીર જવાબદારી જેના શિરે છેતે પત્રકાર તે પ્રજાને ગુરુસ્થાને છે. સમસ્ત જનસમુદાયનું ઉદ્ધરણ કે પતન તેના હાથમાં છે. તે સત્યસંકલ્પપૂર્વક ધારે તો એક સુચિંતિત, રેખાઉતાર કાર્યક્રમ દ્વારા, ધીમા પણ સ્થિર ને નિશ્ચિત રૂપમાં આવી પરોક્ષ કેળવણી વડે એકાદ - બે તપમાં તે આખા પ્રજાસમુદાયનું માનસ સ્વસ્થ, નિરામય, વિકિસત ને ૨૨૧ ઉન્નત કરી શકે. પાતાના આવા ગુરુસ્થાનની જવાબદારીના ભાનવાળા પત્રકાર, એક કર્તવ્યનિષ્ઠ શિક્ષકની જેમ, સચિત ધર્મબુદ્ધિપૂર્વક પ્રજાશિક્ષણના વિવિધ માર્ગો અને સાધનાનો વિચાર કર્યા જ કરે છે. ઓગણીસમી સદીની પહેલી પચ્ચીસીમાં પ્રારંભાયેલું આપણુ પત્રકારત્વ આજ લગભગ દોઢસો વર્ષ કયાં લગી પહોંચ્યું છે? સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેના ભગીરથ પ્રયાસાની સાથે નવનિર્માણની પણ જે ભાવના પ્રજ્વલી ઊઠી હતી તેની જ્યોત આજ મંદ તો નથી થઈ ગઈને? સ્વાયત્ત થયા પછીના સાનુકૂળ સંજોગમાં વ્યાપની દૃષ્ટિએ આપણું પત્રકારત્વ વિકસ્યું છે બેશક, પરંતુ સવા બે કરોડની પ્રજાનાં બેચાર પત્ર અરધા લાખના ફેલાવાને આંબે એટલાથી જ હરખાઈને બેસી જઈશું? કેરળના નાના રાજ્યનાં પત્રાના ફેલાવા સાંભળ્યા છે? એકાદ દિશામાં બે ડગલાં આગળ ગયાના અલ્પસંતોષી થઈ બેસી ન રહીએ. જાગૃત પ્રજા પોતાની પ્રાપ્તિઓને પસવાર્યા નથી કરતી, પણ પોતાની ઊણપને શોધે છે; પાતાની સિદ્ધિઓથી સંતોષ માનીને બેસી નથી રહેતી; પણ નવા નવા દિશાદર સાંધે છે. આજે આપણે મળ્યા છીએ તો એવી થોડી ઊણપો ને નવી દિશાઓના વિચાર કરીએ. આપણે ત્યાંની એક ઊણપ તે પ્રાંતીય પત્રોની. પ્રાંતીય પત્રો આપણે ત્યાં બિલકુલ નથી એવું નથી. વસ્તુત: તળ ગુજરાતના પત્રકારત્વની શરૂઆત પ્રાંતીય પત્રોથી જ થઈ. ૧૮૨૨ની પહેલી જુલાઈએ અઠવાડિક ‘મુંબાઈના સમાચાર' શરૂ થયું. ત્યાર પછી ગુજરાતમાં સૌ પહેલું પત્ર અમદાવાદમાં ૧૮૪૯માં ગુજરાત વર્નાકયુલર સાસાએટી (હાલની ‘ગુજરાત વિદ્યાસભા)’ તરફથી ‘વરતમાન’ નામથી નીકળ્યું. તે પછી સૂરતમાં ૧૮૫૦માં ‘સૂરત સમાચાર,' ૧૮૬૧માં ભરૂચમાં ‘ભરૂચ વર્તમાન ’ અને ખેડામાં, ‘ખેડા વર્તમાન,’ ૧૮૬૩માં સૂરતમાં ‘સૂરતમિત્ર,’ ૧૮૬૪માં રાજકોટમાં ‘કાઠિયાવાડ સમાચાર,’ ૧૮૮૨ માં લીમડીમાં ‘સુબોધપ્રકાશ’ અને ૧૮૮૫માં મહુધામાં ‘સ્વદેશબંધુ ' નીકળ્યાં. આ સર્વ તળ ગુજરાતનાં પ્રથમ પ્રાંતીય પત્રકારત્વનાં જન્મવર્ષ છે. ઓગણીસમી સદીના ઉત્તરાઈની એ જાગૃતિની જે જૂની મશાલા હજી પણ જલતી રહી છે તેમાં ૧૮૬૧નું ‘ખેડા વર્તમાન’, ૧૮૬૩ નું ‘સૂરતમિત્ર’ આજે ‘ગુજરાતમિત્ર' તરીકે, ૧૮૭૯ નું ‘ભરૂચ સમાચાર’ અને ૧૮૮૮ નું રાજકોટનું ‘ કાઠિયાવાડ ટાઈમ્સ' એટલાની માહિતી છે. એ પ્રાચીનમાં જો કોઈએ આ યુગને અનુરૂપ પૂરો વિકાસ સાધ્યો હોય, તો તે ‘ગુજરાતમિત્રે’. આજે એ તળ સૂરતનું જ નહિ પણ સમસ્ત દક્ષિણ ગુજરાતનું પ્રમુખ પત્ર બની રહ્યું છે. પ્રાંતિય પત્રો પણ અહીં આપણને જે પ્રાંતીય પત્રકારત્વ અભિપ્રેત છે તે તો ગામ - તળનાં અને જિલ્લા - તાલુકાનાં પત્રો. આજે પણ અમરેલી અને ભુજ, પેટલાદ અને ખેડબ્રહ્મા, ભરૂચ અને નડિયાદ, ખંભાત અને રાજપીપળા, મહેસાણા અને ડીસા, પાટણ અને મેડાસા, ઊંઝા અને પાલનપુર, હિંમતનગર અને પ્રાંતીજ, ગોધરા અને કપડવણજ, વાડાસિનાર અને નંદરબાર, સુરેન્દ્રનગર, વાંકાનેર અને છેક બગસરામાંથી ગામ - તાલુકાનાં પત્રા નીકળે છે, પરંતુ એમની ખીલવટ થઈ નથી. એમનું ગજું વધવું જોઈએ. યુરોપ - અમેરિકા - જાપાનનાં પત્રોની માફક પ્રજા એને પાટનગરનાં પત્રો કરતાં પણ પ્રાધાન્ય આપતી થવી જોઈએ, અને એના અવાજ એટલા પ્રબળ હોવા જોઈએ કે ગામ – તાલુકાની સત્તાઓએ એને લેખવવાની ફરજ પડે. એ અવાજ બ્લૅકમેઈલ કરીને લાકને ફફડાવતા પીળા પત્રકારત્વનો નહિ, પણ પ્રજાના સાચા હમદર્દ સેવકની, એના સંકટ સમયના રક્ષણહાર અને હક માટેના લડનારનો, એના વિકાસના વાલેસરી અને પ્રગતિના અગ્રચારીનો હોવા જોઈએ. એના તંત્રી પ્રજાનું પૂછવા - ઠેકાણુ અને સરકારનો પણ સલાહકાર બની શકે એવા હોય. ગામ - શેરીઓની સફાઈના પ્રશ્નોથી માંડીને છેક દિલ્હી - યુનેસ્કોમાંથી પેાતાના તાલુકા માટે વિકાસભંડોળની રકમા ખેંચી લાવવાની તેની પહોંચ હોવી જોઈએ. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પ્રમુદ્ધ જીવન ગામ—તાલુકાની શાળા—ઈસ્પિતાલાનાં ઉદ્ઘાટન કોઈ પ્રધાનને હાથે નહિ, પણ તેને હાથે કરાવવાની ઊલટ અને ગૌરવ લાકમાં પ્રકટે એવા તે સંસ્કારમૂર્તિ હોય, તેમ આગ ધાડ જેવા સંકટ સમયે આગળ પડીને જળબંબાનો પંપ ચલાવવા જેટલા ને હથિયારબંધ સામનાના મેાખરે રહેવા જેટલા છાતીડો અને મજબૂત કાંડાં—બાવડાંવાળા તે હાય. એની હિંમત અને નૈતિક પ્રભાવ આગળ ગામના ગુંડાએ પણ નમી પડતા હોય અને ખટપટી અમલદારો તથા લાંચિયા નેકરોમાં એના પત્રની ઝુંબેશને ફફડાટ હોય. શેરી-ચૌટાના નાના બનાવથી માંડીને ફિલિપાઈન્સના ધરતીકંપ અને યૂનાની ચર્ચાસભા સુધીના ખબર પણ એના પત્રમાં તાટસ્થ્યથી અને ટૂંકામાં તારવીને મૂકેલા મળી આવે. મ્યુનિસિપલ કાયદાઓની, રેવન્યુની આંટીઘૂંટીઓની કે યુનિવસિટીના અભ્યાસક્રમેાની માત્ર માહિતી જ નહિ પણ સૂઝ પ્રજાને પાડી શકે એટલા એ બહુશ્રુત હોય. એના પત્રમાં ગામ - તાલુકાની પ્રજાને સીધા ને પ્રથમ સ્પર્શતા પ્રશ્નો અને બનાવાની માહિતી, સાચી અને ઝીણામાં ઝીણી વિગતો ઠાંસીને એટલી વિશદતાથી આવતી હોય કે ગામનો પાનબીડીનો દુકાનદાર, રેણ દેનારો વહારો, કે હળખેડૂ પણ તે સમજે ને તેમાં રસ લે; બલ્કે એ પાટનગરનાં પત્રા કરતાં પણ પોતાના ગામનું પત્ર વાંચવાનું ઝંખે; કેમ કે એમાં ગામની ઘાસની ગંજી સળગાવવાની જાસાચિઠ્ઠી મોકલનારનું પગેરું કાઢવાથી માંડીને રોડેશિયાના રાજકીય બળવા સુધીના એક પણ સમાચાર બાકાત રહ્યા ન હાય; સ્થાનિક હોય તે વિગત અને છણાવટથી ભરપૂર, અને દેશ - પરદેશના હોય તે ટૂંકા, પણ તણખા મૂકી જનારા. એ સાચું છે કે આજે મોટાં શહેરોનાં દૈનિકો પાછલી રાતથી મોટરો દોડાવીને પોતાની આસપાસના છેક દુરના જિલ્લાઓનાં ગામ - ગામડાં સુધી પહોંચી જાય છે, પરંતુ તળપ્રદેશના એવા ઘણા સ્થાનિક પ્રશ્ન અને સમાચારો હોય છે જે એ શહેરી પત્રાના રસ અને પહોંચની બહારના હોય છે, પણ ગામ - કસ્બાના લોકોને માટે મહત્ત્વના અને જિજ્ઞાસાપ્રેરક હોય છે. ઉપર કહ્યો તેવા તાલુકા - પત્રનો કાબેલ તંત્રી જરૂર પેતાના પત્રને શહેરી પત્રાની હરીફાઈથી પર મૂકી શકે. બલ્કે શહેરોમાં પણ પેાતાની લોકપ્રિયતા સ્થાપી શકે. વિચારપત્રો આપણે ત્યાં બીજી અછત છે ‘વિચાર—પત્રા’ની. સમાચાર - પત્ર—ન્યુસપેપરો આપણે ઠીક ઠીક ખીલવ્યાં, પણ વિચાર—પત્ર— વ્યુઝપેપરો, એટલે કે રાજકારણ, અર્થકારણ, સમાજ, શિક્ષણ, વ્યાપાર, સંસ્કાર આદિ ક્ષેત્રાના ચાલુ બનાવો, પ્રશ્નો ને સમસ્યાઓની ચર્ચા કરતાં, તેની ગૂંચ ઉકેલતાં, તેની બદીઓ સામે પ્રબળ ઝુંબેશ ઉઠાવતાં, ચાતરી જતી પ્રજાના કાન પકડીને તેને ઠેકાણે લાવતાં અને તેના સંકટકાળે તેને હૈયાધારણ આપી, તેના ખમીરને ઉત્તેજિત કરી સંકટમાંથી મુકત થવાની સૂઝ અને શકિત પ્રકટાવતાં તથા પ્રગતિના માર્ગ બતાવતાં પત્રો આપણે ત્યાં કેટલાં? ‘નવજીવન ’ અને ‘હરિજનબંધુ’ વિલીન થયા પછી પ્રકટેલું ‘સત્યાગ્રહ ’, ‘વિનાબા - વિચારસરણીનું પુરસ્કારક ‘ભૂમિપુત્ર’ તથા ‘પ્રબુદ્ધ જૈન ’ના સાંકડા વાડામાંથી બહાર નીકળી વિશાળ વિચારપ્રદેશમાં વિચરતું ‘પ્રબુદ્ધ જીવન ’ એ દિશામાં પોતપોતાની મર્યાદાઓ સાથે મથી રહ્યાં છે ખરાં; પણ ઈંગ્લેંડનાં ‘ન્યૂ સ્ટેઈટ્સમ ન ’, ‘સ્પેક્ટેટર’, ‘ઈકન મિસ્ટ ’ અથવા અમેરિકાનાં ‘ન્યૂ રીપબ્લિક’ કે ‘સર્વે ગ્રાફિક’, આદિ જેવાં, અથવા ‘ટાઈમ’ કે ‘ન્યૂસ વીક' જેવું પણ સંગીન કામ કરતાં સામિયકો કેટલાં ? બંગાળીમાં વર્ષોથી ચાલતું સાપ્તાહિક ‘દેશ ’, હિંદીમાં હમણાં પ્રકટેલું ‘દિનમાન । અથવા મહારાષ્ટ્રમાં ત્રણ પેઢીથી ત્યાંની પ્રજામાં અરમાન પ્રકટાવતું અને તેની આકાંક્ષાઓને પોષતું ‘કેસરી’, આજે જે વિકાસ કરી ગયું તે આપણુ એક કાળનું ગૌરવાન્વિત ‘ગુજરાતી’ કેમ ન કરી શકયું, ને તેને મરવા કેમ દીધું? અરે, આપણા પાટનગરના ‘પ્રજાબધું ’ને આપણે કેમ મારી નાખ્યું? અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીનું ‘સૌરાષ્ટ્ર’ સૂઈ ગયા પછી ‘ફુ લછાબ ’ તા. ૧-૩-૧૬૬ એવું કેમ ફાલી ન શક્યું? ‘ જ્યોતિર્ધર ' જર્જરિત કેમ થઈ ગયું અને ‘સોપાન ’નું ‘સુકાની’ સૂકાતું કેમ જાય છે? સામળદાસ ગાંધીએ ‘કર્મભૂમિ’ માંથી ‘ જન્મભૂમિ’ અને ‘વંદેમાતરમ ’દૈનિકોના દારા કરી, ઈંગ્લેંડના ‘ઑબ્ઝર્વર' જેવું કાઢવાના કોડ સાથે ‘આસોપાલવ ” શું તારણ બાંધ્યું એવું જ કેમ કરમાઈ ગયું? એક કાળે ઊજળી ‘રેખા આંકતા જયંતી દલાલ, નવતર 'ગતિ' ના માર્ગ છોડીને માત્ર ‘ચાલ અને ચીલા’ તથા ‘વહણ અને વમળ ’ માં જ કેમ અટવાઈ રહ્યાં હશે? ‘જન્મભૂમિ ’એ રવિવારે ‘પ્રવાસી ’ ભેળવીને કરેલી અઠવાડિક આવૃત્તિ પેઠે ‘મુંબઈ સમાચાર ’, ‘સંદેશ ’ અને ‘ગુજરાત સમાચાર ’ આદિ પેાતાની સાપ્તાહિક આવૃત્તિઓમાં ફાળ ભરતાં લાગે જરૂર, પરંતુ એ ફાળ થોડાક સિન્ડિકેટેડ લેખા, થોડીક તારવેલી માધુકરી અને અમુક નિશ્ચિત વિભાગ દ્રારા પ્રજાને રવિવારની નિરાંતમાં વિવિધ રસના વિષયાનું વાચન આપવાની દિશામાં જ છે. એમાં મોટા ભાગે માહિતી હોય છે, માર્ગદર્શન જવલ્લે જ; અને વૈચારિક ઘડતર કેટલું એ પ્રશ્ન રહે છે. ગુજરાતી ભાષામાં આજે નીકળતાં ૧૦૪ સાપ્તાહિકોમાં આપણાં અવસન્ન ‘ગુજરાતી’ અને ‘પ્રજાબંધુ' ની જેમ, દેશાવર વસતા ગુજરાતીઓને વતનના વિચાર અને સમાચાર પહોંચાડતાં તથા પોતપોતાના જિલ્લા - તાલુકાની પ્રજાની મશાલ બની રહેતાં સાપ્તાહિકો પણ કેટલાં તે મશાલ લઈને શોધવું પડશે. ગુજરાતી માસિકો અને પાક્ષિકો સાપ્તાહિક - પાક્ષિકથી આગળનાં સામયિકોના વિચાર કરીએ તો અંગ્રેજીમાં જેને ‘ પીરીડિકલ વિથ આ પરપઝ ’ અથવા ‘પ્લેન્ડ પીરીઆડિકલ ' કહે છે એવાં હેતુલક્ષી અને ચોક્કસ આયોજનપૂર્વક ચાલનારાં સંગીન સાયમિકો—માસિક ત્રિમાસિકો કેટલાં? અથવા બીજી બાજુએ, સાહિત્ય અને સંસ્કારક્ષેત્રમાં નવનિર્માણ કરનારાં, સમર્થ પણ પોતાની જાતને નમ્રતાપૂર્વક ‘લિટ્લે મેં ગેઝીન્સ ' કહેવડાવનારાં સર્જન અને વિવેચનનાં, અભ્યાસ અને આલોચનનાં પત્રો કેટલાં? આચાર્ય આનંદશંકરના ‘વસન્ત’ કે મણિલાલના ‘સુદર્શન’ અથવા ‘સમાલાચક’, ‘યુગધર્મ’કે હાજી મહંમદના ‘વીસમી સદી’ જેવું વ્યકિતત્વ આજે જણાય છે ? ‘ બન્ધુસમાજ ’ના ‘સુન્દરીસુબોધ ' અને કાંટાવાળાના ‘સાહિત્ય ’ની સૌરભનું તે સ્મરણ રહી ગયું. વિજયરાયનાં ‘ચેતન ’ – ‘કૌમુદી ’ – ‘માનસી’ના ચોથા અવતાર ‘રોહિણી ’ને હજી પ્રતિષ્ઠાન પ્રાપ્ત થતું જણાતું નથી. રામનારાયણ પાઠકનું ‘પ્રસ્થાન’ એની જૂની જાહોજલાલીની યાદ કરાવવા માટે જ જાણે જીવતું લાગે છે. પહેલી આંગળીના વેઢા પર ‘સંસ્કૃતિ ’ને આંકતો અંગૂઠો એથી આગળ જઈ શકે છે ખરો ? હા, ‘બુદ્ધિપ્રકાશે ’ સાપની માફક ફરી એક વાર જૂની કાંચળી ઉતારી છે અને ‘સ્વાધ્યાય’, ‘અભ્યાસ’, ‘રુચિ’ તથા ‘ગ્રંથ’ ઊજળા પ્રભાતની આગાહી આપે છે ખરાં; સાથે ‘સમર્પણ’ પણ દેખાય છે અને યુવાસહજ ઉત્સાહપૂર્વક નવસર્જનની કેડીએ પશ્ચિમી સાહિત્યના અહાભાવમાં જરા વધુકું દૂર જતું ‘ક્ષિતિજ’ પણ પૂર્વાકાશમાં છે. ‘મિલાપ ’ અને ‘વિશ્વમાનવ’” એ બે હેતુલક્ષી માસિકોને પણ ગણવાં જોઈએ. આશા રાખીએ કે એ સૌના મધ્યાહ્ન તપે. બીજી બાજુએ, અન્ય સામયિકોને માટે મોટાં દૈનિકોની રવિવારિયા આવૃત્તિઓ ચેતવણીની લાલ બત્તી છે. રાજકારણ – અર્થકારણ આદિ પ્રાસંગિક વિષયો પરના સિન્ડિકેટેડ લેખો ઉપરાંત ટૂંકી વાર્તા, ચાલુ વાર્તા, સ્ત્રી વિભાગ, બાળ વિભાગ, સાહિત્ય, કળા, કાયદો, વિજ્ઞાન, આરોગ્ય, સિનેમા – રંગભૂમિ, જ્યોતિષ અને વ્યંગવિનોદ સુધી વિસ્તરેલા એના વિભાગો તથા યુરોપ – અમેરિકાનાં ફીચર્સની વાનગીઓ, જૂનાં પીઢ સામયિકો અને ડાયજેસ્ટો માટે પણ ચાનકરૂપ છે, તે ફકત લેખકો તરફથી તેમના ગજા પ્રમાણેની જે કાંઈ લેખસામગ્રી ટપાલમાં મળે તે છાપી નાખવાની પદ્ધતિએ ચાલતાં સામિયકો કેમ નભી શકશે ? અપૂર્ણ બચુભાઈ રાવત માલિક : શ્રી મુંબ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક:.શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. સુ`બઈ-૩, મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલઃ પ્રેસ, કાટ, મુંબઇ 2 Page #57 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MR. વાર્ષિક લવાજમ રૂા. ૪ : - + પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૨૨ બુદ્ધ જીવન મુંબઈ, માર્ચ ૧૬, ૧૯૬, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા ---- તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા તાજેતરમાં મુંબઈમાં અપાયેલી બાલદીક્ષા વિશે એક અનુભવ મુંબઈ ખાતે એક કચ્છી ગૃહસ્થ વેલજી ડુંગરશીના દીકરા ને કોઈ સોદા જેવું હોવાને દેશો હોય–આમ બન્ને રીતે આ દીક્ષા જયંતને તા. ૨૩-૨-૬૬ ના રોજ મુંબઈમાં વર્ષોથી સ્થિરવાસ ધારણ યોગ્ય નથી લાગતી–આ બાબત તરફ આપનું ધ્યાન ખેંચવા અને કરી રહેલા શ્રી વિજયધર્મસૂરિના શિષ્ય મુનિ યશોવિજયજીના શિષ્ય શકય હોય તો આ દીક્ષા આપવાનું મુલતવી રાખવા માટે વિનંતિ. મુનિ જયાનંદ વિજયજીએ શ્રી નેમિનાથજીના જૈન મંદિર સાથે જોડા- કરવા અમે આવ્યા છીએ.” તેના જવાબમાં તેમણે જણાવ્યું કે પેલા ઉપાશ્રયમાં દીક્ષા આપી છે. આ દીક્ષા સંબંધમાં જૈન સમાજ “છોકરાની ઉમ્મર ૧૪ - ૧૫ નહિ પણ ૧૬- ૧૭ વર્ષની છે અને બે સમક્ષ થોડીક વિગતે રજૂ કરવાનું જરૂરી લાગે છે. વર્ષ પહેલા ચાલેલી દીક્ષા આપવાને લગતી વાટાધાટોમાં લેવડદેવડ પ્રસ્તુત ઘટના બની તેના થોડા દિવસ પહેલાં કોઈ ૧૪-૧૫ કાંઈ હશે, પણ અમારી સાથેની વાતમાં આવું કશું જ નથી. છોકરો વર્ષના એક છોકરાને દીક્ષા અપાવાની છે એમ કર્ણોપકર્ણ જાણવામાં અમારી સાથે એક વર્ષથી રહે છે અને દીક્ષા લેવા માટે પૂરા યોગ્ય આવ્યું અને તે અંગે તપાસ કરતાં એ મુજબની ખબર મળી કે માલૂમ પડે છે અને તેના બાપે પૂરી રાજીખુશીથી સંમતિ આપી ઈ. સ. ૧૯૬૪ની સાલ દરિમયાન પ્રાર્થનાસમાજની બાજુએ છે.” મેં જણાવ્યું કે “જો આગળ અપાનારી દીક્ષાની વાટાઘાટમાં આવેલા ઉપાશ્રયમાં મુનિ કુશળવિજ્યજી ચોમાસું કરી રહ્યા હતા લેવડદેવડની વાત હોય તો આ વખતે અપાનારી દીક્ષામાં આવું કશું તે દરમિયાન તેમની પાસે ઉપર જણાવેલ વેલજી ડુંગરશીએ ન હોય એમ અમારાથી માની શકાતું નથી.” અમારામાંના એક પિતાને દીકરો જેની ઉંમર એ વખતે આશરે ૧૩ વર્ષની સાથીએ પૂછયું કે “પણ આગળ અપાનારી દીક્ષામાં છોકરાના બાપને હતી તેને સ્વીકારવા એટલે કે તેને દીક્ષા આપવા વિનંતિ કરેલી અને રૂા. ૧૩,૦૦૦ જેટલી રકમ આપવાની વાત હતી તે તો બરોબર છે તેના બદલામાં, પોતાની સ્થિતિ આર્થિક ભીડવાળી હોઈને, આશરે રૂા. ને?” મુનિશ્રીએ જણાવ્યું કે “આ બાબત હું ચોક્કસ કહી ન શકું, ૧૩,૦૦૦ ની જોગવાઈ કરી આપવા ભાઈ વેલજીએ સૂચવેલું, પણ પણ તેના બાપે એ મતલબનું કહેલું કે મારે એ વખતે આર્થિક જોગમુનિ કુશળવિજયજીએ આવી બાલદીક્ષા સામે પિતાને વિરોધ વાઈની ખાસ જરૂર હતી અને તે કારણે એવી વાટાઘાટ થયેલી, પણ જાહેર કરીને અને તેમાં પણ આવા સોદાની જ્યાં વાત હોય ત્યાં દીક્ષા આ વખતની દીક્ષામાં તે હું ખાત્રીપૂર્વક જણાવું છું કે એવું કશું આપવાના વિચારને સ્વપ્ને પણ સ્થાન ન હોઈ શકે એમ મક્કમપણે નથી.” આ સાંભળીને મેં જણાવ્યું કે “આટલી નાની ઉમ્મરનાને જણાવીને ભાઈ વેલજીની ઉપર જણાવેલી વિનંતિને સાફ સાફ અસ્વી આપ દીક્ષા જેવા ભારે કઠણ આજીવન વ્રતથી બાંધી લે તેના બદલે કાર કર્યો અને એ રીતે દીક્ષાની વાત એ વખતે અદ્ધર રહી. ત્યાર તેને સાથે રાખી ક્ષિશણ અને ધાર્મિક તાલીમ આપે અને તે પરિબાદ પછીનું ચોમાસું એટલે કે ગત વર્ષનું ચોમાસું જેમને ઉપર પકવ ઉમ્મરને થાય પછી તેને દિક્ષા આપે તો અમે પણ આપને ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ મુનિ જયાનંદવિજયજીએ—એ જ ઉપા- એવી દીક્ષામાં સાથ આપીએ.” તેમણે જવાબ આપ્યો કે “તેની કાયમાં કર્યું અને એ દરમિયાન આ છોકરાને દીક્ષા આપવાનાં ચક્રો ઉમ્મર ૧૭ વર્ષની છે અને જો બીજી બધી રીતે યોગ્ય લાગે તે પછી પાછાં ફરીને ગતિમાન થયાં. એ ચક્રો અંગે એવી વાત વહેતી સાંભ- આ ઉમ્મરે દીક્ષા આપવામાં અમને કશું અયોગ્ય લાગતું નથી. આ ળવામાં આવી કે આ છોકારાને દીક્ષા આપવાના બદલામાં રૂા. ૧૩,૦૦૦ બાબતમાં અમારા અને તમારા વિચારમાં તફાવત છે એ તમે જાણ થી પણ વધારે મોટી રકમ–આશરે રૂા. ૧૬,૦૦૦–આ છોકરાના છો.” મેં જણાવ્યું કે “આમ જાણવા છતાં પણ અમે આપની પાસે બાપને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને પરિણામે ફેબ્રુઆરી એમ સમજીને આવ્યા છીએ, કે આપને સાધુસમુદાય જમાનાને માસની ૨૩મી તારીખે તેને દીક્ષા આપવાની છે. પીછાણનારો છે અને ઘણી બાબતમાં આપણી વિચારભૂમિકા સરખી આ બધી માહિતી મળી કે તરત જ એટલે કે તા. ૨૧ મી ફેબ્રુ છે. જો આપની જગ્યાએ વિજયરામચંદ્રસૂરિ હોત તે આવી બાબઆરીની સાંજે, ઉપરની વાતમાં કેટલું તથ્ય છે એ અંગે જાણકારી તેમાં તેમનું અક્કડ અને જડબેસલાટવલણ અમે જાણતા હોઈને અમે તેમની પાસે આ માટે ન જ ગયા હોત.” મુનિશ્રીએ કહ્યું કે “આ મેળવવા તેમ જ ધારો કે એમાં કશું પણ તથ્ય ન હોય તે પણ આટલી નાની ઉંમરના છોકરાને દીક્ષા ન આપવાની વિનંતિ કરવા માટે હું બધું બરોબર છે, પણ અમારા ગુરુના ગુરુ વિજ્યધર્મસૂરિ અહીં અને અમારા મુંબઈ જૈન યુવક સંઘના બે સહકાર્યકર્તાઓ શ્રી બાજુએ જ છે, તેમની સાથે આ બાબતની ચર્ચા કરો.” એટલે અમે તેમની પાસે ગયા. તેમની તબિયતના ખબર પૂછીને અમારા આવરતિલાલ ચીમનલાલ કોઠારી અને શ્રી ચંદુલાલ મેહનલાલ ઝવેરી વાને ઉદ્દેશ તેમને જણાવ્યો અને આવી બાલદીક્ષા મુલતવી રાખવા નેમિનાથજીના ઉપાશ્રયે મુનિ જયાનંદજીને મળવા ગયા અને ઉપરની અમે વિનંતી કરી. તેમણે ઉશ્કેરાટપૂર્વક અમારી સાથે આ બાબતની વિગતો તેમની સમક્ષ રજૂ કરીને મેં મુનિશ્રીને જણાવ્યું કે “આવા ચર્ચા કરવાની સાફ સાફ ના ફરમાવી. અમે ફરીફરીને અમારી વાત ૧૪-૧૫ વર્ષના છોકરાને આપ દીક્ષા આપે અને તે પાછળ કોઈ સમજાવવા પ્રયત્ન કર્યો પણ અમે તેમને તેમના મક્કમ નકારમાંથી Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રબુદ્ધ જીવન ચલાયમાન કરી ન શકયા અને તેમનાં આવા વર્તનથી આઘાત પામીને પાછા ફર્યા. અમારા મુંબઈ જૈન યુવક સંઘ માટે બાલદીક્ષાની અટકાયત એ પાયાનો પ્રશ્ન છે અને તેથી આ સંબંધમાં બનતું કરી છૂટવું જોઈએ એમ સમજીને બીજે દિવસે સાંજે અમારા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, એક મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ અને હું સંઘનો ઉપપ્રમુખ–એમ ત્રણ સાથીઓ નેમિનાથજીના ઉપાશ્રયે ગયા અને મુનિ જયાનંદવિજયજીને મળ્યા અને તેમની સાથે કેટલીક ચર્ચા કરી, પણ તેમના વિચાર વલણ ઉપર અમે કશી અસર પાડી ન શકયા, એટલે અમે તેમની રજા માંગી. પછી ગઈ કાલના અમારા અનુભવ ઉપરથી અમારી અનિચ્છા હોવા છતાં મુનિ જયાનંદવિજયજી અમને આગ્રહ કરીને પેાતાના ગુરુના ગુરુ શ્રી વિજયધર્મસૂરિ પાસે લઈ ગયા. તેમને નમસ્કાર કરીને અમે બેઠા એટલે આગલે દિવસે પાતે અખત્યાર કરેલા વલણ અંગે દિલગીરી દર્શાવતાં તેમણે જણાવ્યું કે તમે જાણો છે કે આમ મારી તબિયત જોઈએ એટલી સારી રહેતી નથી અને ગઈ કાલે હું બહુ થાકી ગયો હતો. આમ છતાં પણ સાધારણ રીતે કોઈ વખત હું ઉશ્કેરાĞ નહિ, અને ગઈ કાલે કોણ જાણે કેમ મારાથી આમ વર્તાઈ ગયું જે માટે હું ખરેખર દિલગીર છું.” આવી તેમની સરળતા અને ઉદારતાથી અમે પ્રસન્નતા અનુભવી અને આવી બાલદીક્ષા સંબંધમાં અમારૂં દષ્ટિબિંદુ રજૂ કરીને આ ૧૪ - ૧૫ વર્ષના બાળકને દીક્ષા ન આપવા અમે તેમને વિનંતી કરી. એટલામાં મુનિ જયાનંદવિજયજીએ જણાવ્યું કે “છે.કરાની ઉમ્મર ૧૪ - ૧૫ વર્ષની નહિ પણ ૧૭ – ૧૮ વર્ષની છે.” મેં` ટકોર કરી કે “બે દિવસના ગાળામાં છોકરાની ઉમ્મર ૧૬-૧૭, ૧૭ અને ૧૭–૧૮ વર્ષ એમ ફરતી રહી છે, પણ છેકરાને નજરે જોનારા તેની ઉમ્મર ૧૪-૧૫ વર્ષથી વધારે આંકતા નથી.” આચાર્યશ્રીએ વચ્ચે પડીને જણાવ્યું કે “જ્યાં બાલદીક્ષાના પ્રશ્ન ઉપર અમારી અને તમારી વચ્ચે પાયાના મતભેદ છે ત્યાં આ છેકરાની ઉમ્મર ૧૪-૧૫ હાય કે ૧૭- ૧૮ હોય તે પ્રશ્ન અમારા માટે કોઈ ખાસ મહત્ત્વના નથી. અમારા માટે તે। દીક્ષા લેનાર જીવની યોગ્યતાનું અને તેના દિલમાં ઊઠેલા ભાવનું મહત્ત્વ છે અને આ છેકરામાંબન્ને પ્રકારે અમને પૂરી યોગ્યતા ભાસી છે અને તેથી તમે અમારી સાથે સહમત ન થાઓ તે પણ અમને આવી દીક્ષા આપવામાં કશું પણ અજુગતું લાગતું નથી. અને તમે તે જાણે છે કે અમારામાંના ઘણાખરા બાલદીક્ષિત છીએ, છતાં અમને તે અંગે કોઈ પસ્તાવા કરવાનું કારણ મળ્યું નથી.” આના ઉત્તરમાં શ્રી ચીમનભાઈએ જણાવ્યું કે “આપણા વડીલા બહુ નાની ઉમ્મરે પરણતા હતા તે ઉપરથી જેમ આજે કોઈ બાળલગ્નની હિમાયત કરતું નથી તે ગુજબ જ જૈન દીક્ષા જેવું ગંભીર જવાબદારીભર્યું અને આજીવન વ્રત લેવા માટે પરિપકવ ઉમ્મર આવશ્યક છે એમ અમને સુદઢપણે લાગે છે. અને એ ઉપરથી અમારી સ્થાનકવાસી કોન્ફરન્સે કોઈ પણ દીક્ષાર્થી માટે ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉમ્મર કેટલાંય વર્ષથી નક્કી કરી છે. હવે થાડા સમય પહેલાં જ એમ બન્યું કે અમુક ત્રણ બહેનો એક સાથે દીક્ષા લવા ઈચ્છતી હતી. આમાંની એક બહેનની ઉમ્મર પૂરી ૧૮ વર્ષની નહોતી. આ બાબત વિચારણા માટે અમારા સંઘ આગળ રજૂ થતાં સૌથી નાની બહેનની ઉમ્મર અઢાર વર્ષ પૂરાં થાય ત્યાર બાદ જ ત્રણેને દીક્ષા અપવી એવા નિર્ણય કરવામાં અવ્યો અને પરિણામે એ દિક્ષાએ ચાર મહિના આગળ ઠેલવામાં આવી.” આમ જણાવીને આવી કોઈ ઉમ્મરને લગતી મર્યાદા દીક્ષા સંબંધમાં આજે હોવી ઘટે છે એ બાબત આગ્રહપૂર્વક તેમણે રજૂ કરી. પણ એક વખત મક્કમપણે બંધાયેલા અભિપ્રાયો અને વલણેામાં તત્કાળ ફેરફાર કરવાનું લગભગ અશકય બને છે એ મુજબ આ આચાર્યશ્રીના નિરધારમાં ફેરફાર કરાવવામાં અમે નિષ્ફળ નિવડયા. આમ છતાં પરસ્પર કશી પણ કટુતા અનુભવ્યા સિવાય અમે પ્રસન્નતાપૂર્વક એકમેકથી છૂટા પડયા. તા. ૧૬-૩-૬ પલટાના કારણે આખા જૈન સમાજના – વિશેષત: જૈન શ્વે. મૂ. સમાજના – એક વંદનીય સાધુ બની ગયો. આ દીક્ષાપ્રકરણની વિગતા બે મુદ્દા આગળ ધરે છે. એક તા આ દીક્ષા આપવા સાથે છેકરાના બાપ સાથે કોઈ આર્થિક સાદો કરવામાં આવ્યો છે કે કેમ? જો મુનિ જયાનંદનજી સાથેની વાતચીતમાં તેમણે લગભગ કબૂલ કર્યું છે તે મુજબ આગળ અપાનારી દીક્ષામાં આ પ્રકારની વાટાઘાટો ચાલી, તો પછી બાપની આર્થિક પરિસ્થિતિ આજે પણ લગભગ એ જ પ્રકારની ચાલુ હાવા છતાં આજે એવું કશું વિચારવામાં કે નક્કી કરવામાં આવ્યું ન હોય એમ સહેજે માની શકાય તેમ નથી. અને જો એમ બન્યું હોય તે આવી દીક્ષાને સાદાબાજી સિવાય બીજું શું કહી શકાય? અને તે પછી પ્રશ્ન થાય છે કે આ પ્રકારની સાદાબાજી જૈન દિક્ષાના ગૌરવમાં વધારો કરે છે કે ઘટાડો? ધર્મકૃત્ય કરવા જતાં ધર્મને જ હાનિ પહોંચતી હાય તો એના જેવું અધર્મમય બીજું શું હોઈ શકે? બીજો મુદ્દો ઉમ્મરના છે. આ બાબતમાં તપાસ કરતાં માલુમ પરે છે હું નવદીક્ષિત જયંત, મુંબઈની કબુબાઈ હાઈસ્કૂલમાં આઠમાં ધારણમાં ભણતા હતા અને તે નિશાળમાં તેને જન્મદિવસ તા. ૧૩-૯-૫૧ નોંધાયો છે. આ રીતે તેની ઉમ્મર ૧૫ વર્ષ નીચે ગણાય, જ્યારે દિક્ષાગુરુએ તેની ઉમ્મર ૧૭-૧૮ ની હોવાનું જણાવ્યું છે.* આ તફાવતના ખુલાસા એ રીતે કરી શકાય કે જેમ કોઈ વિવાહ સંબંધ નક્કી કરવાની વાટાઘાટો દરમિયાન સૂચિત વરની ઉમ્મર મોટી હોય તે કન્યાની વાસ્તવિક ઉમ્મર હેાય તે કરતાં તે સહેજે બે ચાર વર્ષ મોટી હાવાનું જણાવવામાં આવે છે અને સૂચિત વરની ઉમ્મર નાની હાય તો કન્યાની ઉમ્મર સહેજે બે–ત્રણ વર્ષ ઘટી જાય છે, તેમ બાલદીક્ષા-વિરોધી સાથે વાત કરતાં દીક્ષાર્થી, ઉપરના કિસ્સામાં બન્યું તેમ, બે - ત્રણ વર્ષ મોટો થઈ જાય છે અને બાલટીક્ષાના અનુમોદક સાથે વાતો કરતાં તેને થોડા યા વધારે નાના લેખાવવામાં ગૌરવ અનુભવાય છે. આ આખા પ્રકરણ દ્વારા સૂચિત થતા અર્થા વિવેકી વાચક સહજમાં તારવી શકે તેમ છે. તેથી આ પ્રકરણની વિશેષ આલોચના કરવાની જરૂર લાગતી નથી. પરમાનંદ આખરે પૂર્વનિર્ધારિત મુજબ તા. ૨૩-૨-૬૬ના રોજ ભારે ધામધુમપૂર્વક આ છે.કરાને દીક્ષા આપવામાં આવી અને ગઈ કાલના છેકરો જયંત આજે મુનિ જયશેખરવિજયજી બન્યો અને માત્ર વેશ પૂરક નોંધ : ઉપરની નોંધ લખાયા બાદ મુનિ કુશળવિજયજી મુંબઈમાં જ વસતા હાઈને તેમને થોડા દિવસ પહેલાં મળવાનું બન્યું અને તાજેતરમાં જે છારાને દીક્ષા આપવામાં આવી છે તે જયંત, સંબંધમાં મુનિ કુશળવિજયજી અંગે આ નોંધની શરૂઆતમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે વિષે પૂછતાં તેમણે જણાવ્યું કે “મારા વિષે ઉપર જે વિગત આપવામાં આવી છે તે બરોબર છે, એટલું જ નહિ પણ, વેલજી તો પોતાનાં બન્ને બાળકોને (બીજું બાળક આશરે દશ વર્ષનું હતું) વહેારાવવાને તૈયાર હતા અને તેને તે તમે જણાવી તેવા નક્કર આર્થિક ટેકાની જરૂર હતી અને તેથી તાજેતરમાં જેદીક્ષા આપવામાં આવી છે તે દીક્ષા સાથે આર્થિક વળતર જોડાયલું હેય એ પૂરું સંભવિત છે. બાકી ખરેખર શું બન્યું છે તે તો દીક્ષા આપનાર ગુરુ સિવાય બીજું કોણ કહી શકે? ' પરમાનંદ * આ દીક્ષામહોત્સવના તા. ૫-૩-૧૯૬૬ ના “ જૈન” માં પ્રગટ થયેલ સત્તાવાર અહેવાલમાં આ છેકરાની ઉમ્મર ૧૬ વર્ષની જણાવવામાં આવી છે. વિષયસૂચિ તાજેતરમાં મુંબઈમાં અપાયેલી બાલદીક્ષા વિષે એક અનુભવ વેદાન્તનું સમ્યક્ સ્વરૂપ તુલસીશ્યામ સાધનાશિબિર પત્રકારત્વ વીર સાવરકર ભસ્મવિસર્જનની ક્રિયામાં આચિત્ય કેટલું ? પરમાનંદ સ્વામી પ્રવણતીર્થ ડૉ. રમણલાલ ચી. શાહ બચુભાઈ રાવત સાહમ પરમાનંદ પૃષ્ઠ ૨૨૩ ૨૨૫ ૨૬ ૨૨૯ ૨૩૧ ૨૩૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯૩-૬૬ પ્રબુદ્ધ જીવન ૨૨૫ >> મૂલક આ અભિદાજ સહિત) નિશ વેદાન્તનું સમ્યક્ સ્વરૂપ છે (ગતાંકથી ચાલુ) આત્મા, અવતિ તિ; સદ્ રાજે; જે સમગ્ર જીવનનું જીવના સંસ્કાર તથા દેશકાળાદિને કારણે એ લક્ષ્યની સિદ્ધિના ધારણ કરનારું ચેતન તત્ત્વ છે કે જે કેવળ આનંદરૂપ જ રાહ અનેક હોય; . તેથી શું? જુગામે વારંવમસિ છે તે. સુખની જ આશાએ જીવ “જીવે ” છે; તેવી આશા પસંમffવ રૂવ. કામ મમ્મ જોડે છે; ટપ - ૮પ તે જે હોય તે! ઊડી જતાં, જીવવામાંથી રસ ઊડી જઈ, માનવી પ્રાણત્યાગ કરવા મંજિલે પહોંચવાના રાહરતા તે, સંયોગવશાત ને શ્રદ્ધાનિષ્ઠા- તત્પર બને છે; એ જ માનવીનું મૂલ સ્વ-રૂપ છે, કે જેના વિના તેનું નુસાર, સ્વ સ્વ ક્ષેત્રે ઉત્તમ જ હોય છે. પેટમાં. અન્નને પહોંચાડવું, અસ્તિત્વ જ અસંભવ છે ઈત્યાદિ. એ સર્વ ભજનોને સમાન એવો પરમ સિદ્ધાંત છે; જમવાની રીતે શ્રી શંકરાચાર્યે વ્યાવહારિક સત્તા અર્થાત જીવ- જગતની કે વાનીઓના પ્રકાર ભલેને સહસ્ત્રાવધિ હોય; તેમાં એકબીજા પ્રત્યે વ્યાવહારિક સન્યતાની દઢ પ્રતિષ્ઠા કરી આપી છે, તેનું સમ્યક સ્વરૂપ આગ્રહ કે દબાણ શા માટે? જેને જેમ જમવું હોય તેમ જમે સ્થાપી દીધું છે; અને “બધું જ બ્રહ્મ છે; તું, આ જીવાત્મા, જ્ઞપ્તિ.. ટેબલ - ખુરસીએ, પાટલે, ઊંધા પડીને, ઊભા રહીને, આડા પડીને.. તવત: બ્રહ્મ જ છે,” એ સિદ્ધાંતોષણાને નક્કર વ્યાવહારિક ફ્લેવર આપવા સાથે પારમાર્થિક દષ્ટિએ સર્વ દશ્યમાન જગતનું મિથ્યાત્વ પણ એક વાતને આગ્રહ જરૂર, કે જમે! આ વેદાનતને મુદ્દો હોવાથી, સમજી લઈને વીતરાગભયક્રોધ થઈને માનવી સંસારમાં પ્રવર્તતા છતે, એ દર્શનને કોઈ “અન્ય” સામે વાંધો નથી, કેમકે તેને કોઈ ઉભય લોકને જીતી શકે – પછી ભલેને એ ગમે તે વિધિનિષેધ - “અન્ય” છે જ નહિ. તે કારણે તે. એ અભેદદન કહેવાયું છે, મૂલક આચારસંપ્રદાય પાળતો હોય—એ છે શાંકર અદ્વૈત સિદ્ધાંતઅને કોઈ પણ સંપ્રદાય કે પંથના સરહસ્યપાલનમાં એ અભેદ દર્શન. એ અભેદાનુભવ, એ વેદાન્તજ્ઞાનનું ફળ છે. લક્ષ્ય છે, દર્શન સાધક જ બને છે, કદી પણ બાધક નહિ. તે કહે છે કે વેદ દુ:ખની સમૂલ (=અવિદ્યાસહિત) નિવૃત્તિ, અને સુખની નિત્યએટલે જ્ઞાનનું જ્ઞાન એટલે જાણવું, “જાણવું” તો સ્વત: હમેશાં પ્રાપ્તિ, પ્રત્યેક “રિલિજ્યન” એ દર્શનની સિદ્ધિ અર્થે ની પ્રક્રિયાનિર્દોષ અને પવિત્ર જ હોઈ શકે, એને “ગ” પરમ હિતકારી જ માત્ર છે. તેથી સુરેશ્વરાચાર્ય કહે છે કે “જેના જેના વડે મનુષ્યને હોય, પરંતુ ભિન્નતા આવે છે એ જ્ઞાનના ઉપયોગમાં, તેના સંસારા- અંતરાત્માની વ્યુત્પત્તિ થવા પામે, તે તે પ્રક્રિયા તેને માટે ઉત્તમ જ સકત જીવભાવ સાથેના અવિચારી જોડાણમાં. ભેદમાત્રનું મૂળ એ છે;” જેનાથી તારું કામ સરે, તે સાધન તારું, અર્થાત , ધર્મ-સંપ્રછે. શ્રી શંક્રાચાર્યે મુમુક્ષુ માટે વેદના મોક્ષભાગને, વિશાળ સંસારી દાયાદિ તે, પ્રત્યેક બુદ્ધિમાન મનુષ્ય માટે, પિતતાની રુચિની અર્થાત જનસમુદાયના ઉપયોગ અર્થે યોજાયેલા તેના કર્મકાંડાદિ ભાગથી ફવટની બાબત છે, નહિ કે અન્યોથી વૈમનસ્યની. એ અભદદર્શનને ખાસ તારવી લઈને તેને ફેટ તથા તેની વ્યાખ્યા કરી આપ્યાં છે. અભિપ્રાય છે. મહત્વની બાબત ત્યાં એ જ છે કે પ્રાપ્તવ્યને નિર્ણય બધું જ શ્રેયસ્કર ઘણું ખરૂં બધાં જ દર્શનેમાં સમાવિષ્ટ હોય છે; સ્પષ્ટ થઈ જવો જોઈએ. તેને માટે એક સ્થળે સુંદર પ્રકારે કહ્યું છે ફરક જ્યાં હોય ત્યાં માત્ર તેમાંના અમુક અમુક અંગો ઉપર ઓછા કે, “ઋત, આત્મા, પરબ્રહ્મ, સત્ય ઈ. પદો વડે જ્ઞાનીજનેએ વત્તે ભાર મૂકાયા પૂરતો, તથા પ્રક્રિયાઓના વૈવિધ્ય પૂરતો, વિગ- માત્ર વ્યવહારના નિર્વહણ અર્થે એ મહાત્મા (- પરમોય) ની તોને જ હોય છે. સંસારમાં સર જેવા રહ્યા છતાં માનવી પૂર્ણત: સંજ્ઞાએ કલ્પી આપી છે, એ જ સાંખ્યદષ્ટિને પુષ, વેદાન્તવાદીનું આંતરિક સ્વરૂપજ્ઞાનજન્ય તાદ્રશ્ય અર્થાત સાક્ષીભાવ ધારણ કરીને ત્રા, વિજ્ઞાનવાદીઓ (બૌદ્ધો)નું વિજ્ઞાન એકાત નિર્મલ વિજ્ઞાનપ્રસન્નતામાં અવિચળ રહે, એ પાસાને વેદાન્તસિદ્ધાંત ખાસ મહત્વ માત્ર, મહાદેવિયાઓને શિવ, કાળના પૂજક જ્યોતિષીએને ૧૪... આપે છે. અને એવી ચિરસ્થિતિની સિદ્ધિ, તે વેદાન્તને “સદેહે છે.” અરે, જમીન ખેડવાની ઈચ્છકના ઈશ્વર કોદાળી, સુતારને મક્ષ” છે, કે જેની પ્રતિષ્ઠા અર્થે શાંકરભાષ્યો પ્રવર્તે છે. તેથી તેમાં લાકડું, લુહારને લેટું..એમ ઈશ્વરોને પાર નથી... અને મોક્ષેચ્છનો કયાંયે વિધિનિષેધનું માળખું નથી, અને આચાર્ય મુક્તકંઠે મોક્ષમાર્ગ ઈશ્વર છે સ્વાત્મસ્થિત બ્રહ્મ!.. અન્યત્ર કહ્યાં છે કે “જેને શૈવ sudi बस छ। चांडालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा શિવ નામે, વેદાન્તીઓ બ્રહ્મ નામે, બૌદ્ધો બુદ્ધ નામે, તર્કપટુ નૈયાનની મH; જેમ શ્રી હેમચંદ્રાચાર્યે ગાયું કહેવાય છે કે ચિકે કર્તા નામે, જૈનો અહંત નામે, મીમાંસકો કઈ નામે... ઉપાસે શિવ હોય કે વિષણુ હોય કે ગમે તે નામ હોય, પરંતુ જે કોઈ છે, તે સર્વ કલેશહર ત્રિલોકીનાથ તત્ત્વ આપનું રક્ષણ કરો.” એને વીતરાજs vમુ તત્ત્વ સત્તવ હોય તેને મારા નમસ્કાર છે તેના - વેદાન્તને સાર કહી શકાય. જેવું! વેદાન્તસિદ્ધાંત આમ પરમાર્થમાં જાતિવર્ણભેદને છેદ ઉરાડી એવું જ ભૂમા, (– સમગ્ર ભૂ કહેતાં વિશ્વને માપે જેનું માપ દે છે; અને જે સંપ્રદાયમાં એવા ભેદ હોવાનું ભાસતું હોય ત્યાં પણ છે તેવો સર્વાત્મભાવ), સમત્વ (- સર્વત્ર સર્વ કંઈ સ્વ=આનંદ વેદાનતની દષ્ટિ પ્રકટતાં એ ભેદ ગૌણ, નિ:સત્ત્વ અને તેથી નહિવત રૂપે સમાન જ ભાસવું તે-), નિર્દોષતા, પ્રેમ, રસ, સત્ય ઈત્યાદિ વેદાન્તના બની જઈ, કંઈ જ હાનિ કરવા અસમર્થ થઈ જઈ, છેવટે નાશ જ “બ્રહ્મ”ના પર્યાયનું વિશ્લેષણ સુજ્ઞો સમુચિત ભાવે કરી લ્ય, પોતપામે છે. એ અભેદ સ્થાનની રીત છે. પતાને માટે. . આપણે એ અભેદશાસ્ત્રના ચાવીરૂપ પદમાંના કેટલાંકને નાણી મેટા વાદવિવાદ “માયા” તથા “મિથ્યા” શબ્દો પર થતા જોવામાં આવે છે, અને તે બધા પાયા વિનાના છે. માયાને અર્થ જોઈએ–બહુ જ ટૂંકામાં, માત્ર નમૂનારૂપે જ, સ્થળમર્યાદાના “વસ્તુ ખરેખર જેવી હોય તેવી ન જણાતાં વિપરીત અથવા અન્ય કાયદામાં રહીને. દા. ત. બ્રહ્મ; , = વધવું, એ ધાતુ, જે રૂપે ભાસવી, અને તે સાચેસાચ તેવી જ હોવાનું ચિત્તમાં અભિનિવેશ સદૈવ બધાથી વધીને, વધારેમાં વધારે મહત્તવનું રહે છે, તે તસ્વ. એ થો તે”; એથી વિશેષ કંઈ નહિ. જે વસ્તુ અંતે ખરેખર અનિષ્ટ કયું? ચરાચર સમગ્ર વિશ્વમાં નિરપવાદ સ્પૃહણીય વસ્તુ કઈ હતી, હોય તેને ઈષ્ટ લેખીને તેની સ્પૃહા થવી, તેમ જ વસ્તુત: જે હિતકર છે, ને રહેશે? સુખ, આનંદ, પ્રસન્નતા, સંપૂર્ણ દુ:ખાભાવ! એ જ શ્રેયસાધક હોય તેને “નથી ગમતી” સમજીને ત્યજી દેવી, એ પ્રકાર સર્વેશ્વર તત્ત્વ છે. “ગુરુ”, એટલે જે કદીયે, કયાંયે, ને કશાથી લધુ જીવનમાં સર્વત્ર પ્રવર્તત દેખાય છે જ. એમ થવું, એ “માયા.” એને નથી, તે. એ કયું? એ સુખેચ્છાની, નિત્ય પ્રસન્નતાની સ્થિતિ જેના આ દર્શન સ્વરૂપાજ્ઞાન અથવા અવિદ્યા પણ કહે છે; એવી અવિઘા દ્વારા પ્રાપ્ય હોઈ શકે તે, આધ્યાત્મિક રાહબર ! “ગુરુ - ગોવિન્દ દોનો અથવા ભ્રાંતિ જ સર્વ “પાપ”નું મૂળ છે, બીજું કશું જ નહિં; અને ખડે...” વાળી ઉકત અનુસાર, બ્રહ્મ - લયને એ હાજરાહજુર એવો જે અવિદ્યાજન્ય જાદુ જેવો છળ થાય છે, તે જે શંકરકથિત દેહધારી પથપ્રદર્શક, વિદ્યમાન કે વિદેહ, જે હોય તે, તેમ જ ઉભય, “માયા” છે. એ છે અજ્ઞાનને પર્યાય, અને આત્મા છે જ્ઞાનને પર્યાય; આત્મશ્રેયસાધનનો ગુરુ છે; અને તેને સર્વ ઉપનિષદે “બ્રહ્મ સ્વરૂપજ્ઞાન વડે જ આ અજ્ઞાનજન્ય મોહરૂપી માયા નષ્ટ થઈ શકે એવ” કહે છે, કેમ કે સુખ અને તેને નિર્દેશક અભિન્ન જ છે. છે, અન્ય કોઈ રીતે નહિ. આ નકરી હકીકત, ઈહ કે ઈતર સર્વ ક્ષેત્રો Page #60 -------------------------------------------------------------------------- ________________ २२६ પ્રબુદ્ધ જીવન તા. ૧૧-૩-૬૬ પરત્વે શું છે એ સો ટકા સત્ય નથી? જગત “મિથ્યા” છે, તે તુલસીશ્યામ સાધના શિબિર તેની અનિત્યતાને કારણે, પારમાર્થિક મૈક્ષની દષ્ટિએ જ; દેહની વિદ્યમાનતાને લાગે વળગે છે ત્યાં સુધી જગત નક્કર સત્ય જ છે, કેમકે (ગતાંકથી ચાલુ) એવા “મિથ્યા” “જીવ-જગત ”ના યથોચિત ઉપયોગ દ્વારા જ પાર- જીવન અને મૃત્યુ વિષે સમજાવતાં આચાર્ય શ્રી રજનીશે માર્થિક “સત્ય” સચ્ચિદાનંદ સ્વરૂપતાની સિદ્ધિ સંભવે છે, અન્યથા કહ્યું કે “જે જીવનને ઓળખે છે તે મૃત્યુના ભયથી મુકત હોય છે. નહિ જ, એ રખે કોઈ જિજ્ઞાસુ ભૂલે – એવી શાંકરદર્શનની છાપરે જેને આપણે જીવન સમજીએ છીએ તે વસ્તુત: મૃત્યુની જ ગતિ ચઢીને બધાયા કરતી ચેતવણી છે. આની જેને જાણ ન હોય, અથવા હોય છે. જન્મ એનું પ્રથમ ચરણ છે અને મૃત્યુ એનું છેલ્લું અમુક મતાંતરના પૂર્વગ્રહને કારણે એ તરફ જેનું જાણે કે અજાયે ચરણ છે. આત્મા અમર છે એમ સૌ કહે છે, પરંતુ તેમ માનવું પણ દુર્લક્ષ થતું હોય, તેવા જ માયા અને મિથ્યા શબ્દો વિશે વાદ- અને જાણવું એ બન્ને વચ્ચે બહુ મોટો ફરક છે. માનવાથી કંઈ જ૫ - વિતંડા કરે. વેદાન્તદને તે આચાર્યોની સ્પષ્ટ આજ્ઞા વળતું નથી. જ્ઞાનનું મૂલ્ય જ સાચું છે. આત્માને અમર કહેનારા છે કે અભેદમાં ભેદને સ્થાન ન હોવાથી, જ૯૫ કે વિતંડાને તે ત્યાં પણ ઘણીવાર મૃત્યુથી ડરતા હોય છે. અવકાશ હોય જ કેવી રીતે! જે કોઈ જે રીતે જે કંઈ માને, તે સર્વ મૃત્યુને ભય શું છે? દેહ નષ્ટ થવાની શંકા તે ભય. દેહના અભેદદનની સર્વગ્રાહી દષ્ટિમાં યથાસ્થાને, જેને તેને માટે હિતાવહ ઉપર પોતાના સ્વામીત્વને ભાવ જ દેહ નષ્ટ થવાની શંકામાંથી અને ઈષ્ટ જ છે; અને તેવા જીવાત્માને આત્મવિકાસના અટલ સિદ્ધાન્તી- ભયને જન્માવે છે. જેને સત્યની ખોજ કરવી છે તેણે ભયમાંથી નુસાર યથાકાળ વ્યુત્પન્નમતિત્વ પ્રાપ્ત થશે જ. તેથી, અભેદના મુકત થવું જ જોઈએ. શારીરિક તાકાત કે સત્તાથી ભયનું નિવારણ બોધથી ઈતર ભેદમૂલક ચર્ચા વિવાદ કે આગ્રહ જેવું કશું પણ કરવાની થતું નથી. વસ્તુત: બીજા ઉપર બળ દાખવનારા માણસ અંદરસિદ્ધાંત ના પાડે છે. પારમાર્થિક મૂલ્યો અશુદ્ધ, એટલે કે અહંભાવથી ખાને બીકણ હોય છે. જે માણસ ભયભીત હોય છે તે જ ઘણીવાર વ્યાપ્ત ચિત્તને અગમ્ય હોય જ. ચિત્તની શુદ્ધિ વિનાનું વેદાન્તનું વધુ હિંસક કે જુલમી હોય છે. ચંગીઝખાન માટે કહેવાય છે કે જ્ઞાન, જ્ઞાન નહિ પણ, તેની માત્ર માહિતી છે; ઈન્ફર્મેશન છે, નૉલેજ તે ઘણે ક્રુર અને ઘાતકી હતું, તેણે ઘણા માણસની કતલ કરેલી, નહિ; અને તે મહાઅનર્થકારી છે; તેથી તો જ્યાં ત્યાં બ્રહ્માવિઘાને પરંતુ ભયને લીધે તે રાત્રે ઊંઘી શકતો ન હતો. પોતાની આસપાસ ગુહ્ય, ગેખ, પુત્ર-શિષ્યાદિ સિવાયના કે કોઈ પણ અસાધનશુદ્ધ દિવસરાત પહેરેગીરો રખાવતા હોવા છતાં તે ઘણે ભયભીત રહે માનવીને નહિ કહેવાયગ્ય કહેલી છે. બધાં જ જીવસટોસટના રહસ્ય- અને ભયને લીધે જ એક રાત્રે તે ભાગ્યો અને મૃત્યુ પામ્યો. જ્ઞાને અધિકારીના હાથમાં ઉપદ્રવકારક બને છે, તેને આજના ભયમુકિતને ઉપાય એ છે કે ભય પ્રત્યે સતત જાગૃતિ રાખવી અણુશાધનના મામલા કરતાં વધારે ઉત્તમ દાખલ કયો અને ભયને ઓળખવાની અને સમજવાની કોશિષ કરવી. જે મળવાને હતા? વેદાન્ત કહે છે કે જગતના મિથ્યાત્વના પારમાર્થિક જ્ઞાનભાનની માણસ ભયમુકત હોય છે તે જ બીજાને પ્રેમ આપી શકે છે. ભૂમિકાની સ્થાપના આડે વ્યાવહારિક જીવન જીવવું, એ જ “બ્રહ્મ” નું જેની પાસે અભય ન હોય તે બીજાને પ્રેમ નહિ પણ ધૃણા જ રહસ્ય છે. મિથ્યા એટલે જેની ત્રણેય કાળમાં વિદ્યમાનતા ન હોય આપી શકે. તે; અથવા, નિત્ય સુખનું જે સાધક ન હોય તે. આ વ્યાખ્યાની, આંતર જીવન અને મૃત્યુમાં બહુ અંતર નથી. જીવન સાધના બને સમજ હોવી જોઈએ. તેવી સમજણવાળો માનવી જગતમાં સારી પેઠે તે મૃત્યુ મેક્ષ બની જાય છે. પરંતુ જીવન અને મેક્ષમાં તો પ્રવર્તતા હોવા છતાં, ઉભય અસ્પૃદય - નિ:શ્રેયસ સહજે સાધી જાય. અનંત અંતર છે. હું શરીર છું એવો ભ્રમ જ્યાં છે ત્યાં મૃત્યુ અને તે પણ જુઠ્ઠ, જીવતાં જીવતે જ; આ દર્શનમાં દેહોત્તરકાળના વાયદાના સેદાને સ્થાન નથી. એને જીવનમુકિત જ ખપે છે. પાપ છે અને હું આત્મા છું એવો જ્યાં સાક્ષાત્કાર છે ત્યાં મેક્ષ એટલે રાગજનિત કામ્ય કર્મ કર્યકારણનો નિયમ વેદાન્ત અટલ છે. પરંતુ એ સાક્ષાત્કાર સહેલ નથી, કારણ કે દરેક માણસ પાગલેખે છે. જેનાથી કલેશ ઉપજવાને સંભવ હોય તે પાપ કર્મ. પાપ, લની જેમ પોતાના સુખની સંતુષ્ટિ માટે દોડાદોડ કરી રહ્યો છે. સંતાપ, દુરાચર ઈ. સર્વ કંઈ, જીવ તથા જગત ના અંતરતર અવિ- દોડતાં દોડતાં જે કંઈ મળે તે એને મેળવવું છે, તે એને જેવું છે, નાશી સત્ય “હું” સ્વરૂપના અજ્ઞાનને જ પરિવાર છે. બધું દશ્ય સાંભળવું છે. કદાચ એ ઊભું રહેશે તે પણ એનું મન ભાગતું જ નાશવંત, તેથી, મિથ્યા છે, અને તે સર્વને દ્રષ્ટાસાક્ષી, એક માત્ર રહે છે. આવી ઉતાવળ અને અધીરાઈથી પરમાત્માની પ્રાપ્તિ થતી સુખ જ જેનું સ્વરૂપ છે તે “હું”, નિત્ય સત્ય છે; એ બ્રહ્મત્વ, નથી. ઊલટાનું ઉતાવળ જેટલી વધારે હશે તેટલું તે કામ મુશ્કેલ એ આત્મત્વ, કેવળ પારમાર્થિક “હું” ના જ પર્યાય છે. બનશે. જે માણસ સમતા રાખી, ધીરી ગતિએ વિશ્વાસપૂર્વક જાય “હું” નાં ભ્રાંતિજન્ય રૂપે, તેમ જ તે સર્વની પાછળ રહેલા છે તે પોતાના ધ્યેય પર પહોંચી જાય છે. માણસની દષ્ટિમાં પણ સર્વસાક્ષી - ચેતન સ્વરૂપ “હું” ની વિચારણા અહીં શક્ય નથી. ઉપ- કેટલો બધે ફેર હોય છે તે વિશે ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે નિષદ, એટલે વેદાન્તગ્રન્થ. તેમાં કહેવાયેલી આત્મદર્શનની “એક ગુરુ અને શિષ્ય ગામબહાર ઝૂંપડીમાં રહેતા હતા. તેઓ વિદ્યા, તે બ્રહ્મવિદ્યા; તેનું લક્ષ્ય , તે “ઔપનિષદપુરુષ”; એ બહાર ગયા ત્યારે વાવાઝોડું થયું અને અડધી ઝૂંપડી તૂટી ગઈ. સર્વને મંત્ર છે “શાન્તિ’, અર્થાત શમાદિ તપશ્ચર્યારૂપી સાધન ગુરુ અને શિષ્ય પાછા ફર્યા ત્યારે તૂટેલી ઝૂંપડી જોઈ શિષ્ય બોલ્યો, વડે પ્રાપ્ત થઈ શકતી ચિત્તના સમાધાનની સુખદ સ્થિતિ. તેથી તે “અરે, ભગવાન, તે આ શું કર્યું ? જે લોકો અધર્મ કરે છે અને ઉપનિષદાદિના પઠન કે વ્યાખ્યાનના પ્રારંભ તેમ જ તેની પુણ- જેમની પાસે સંપત્તિ છે તેમનું બધું સલામત રાખ્યું અને હુતિ સમયે શાતિપાઠની વિધિ છે, જેમાં જગત ની, કોયના સાધનરૂપે, અમારી એક ઝૂંપડી હતી તે પણ તોડી નાખી ?” ત્યારે ગુરુ ભારોભાર મહત્ત ગાઈ છે. વેદાન્ત એટલે “જાણવાને છેડો”; બોલ્યો, “હે ભગવાન! તું કેવ દયાળુ છે ? અડધી ઝૂંપડી તે મેં બધું જ જાણવાપણું, જે કાંઈ હોય તે, એ સર્વનું પ્રયોજન - પરમ બચાવી લીધી. એમાં બેસીને હવે તારું ભજન સારી રીતે કરી શકાશે. સુખની પ્રાપ્તિ - “ધ એન્ડ ઓવ ધ ચેઈઝ”, અને સુખાનુ કારણ કે હવે તૂટેલા ભાગમાંથી આકાશના તારાઓ અને ચંદ્રના ભવને પ્રારંભ. એ પરમ રસાસ્વાદ વેદાન્તદર્શનને વિષય છે; અને સૌન્દર્યમાં પણ તારા દર્શન કરી શકાશે.” તે જીવતાં જીવત જ મેળવવાનો છે. તે આપ સર્વને પોતપોતાની રીતે સત્ય વિષે બોલતાં આચાર્યશ્રીએ કહ્યું કે “આપણે બિલકુલ ને રસ્તે પ્રાપ્ત થાઓ! ઓમ - તત સત ! તથા !! શાંત બની, ચિત્તમાં બીજી કોઈ પણ ધારણા કે કલ્પના વગર સત્યની સમાપ્ત સ્વામી. પ્રણવતીર્થ પાસે પહોંચવાનું હોય છે. મનુષ્ય જેની ખોજ કરે છે તે બહાર નથી Page #61 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૩-૧૬ પ્રબુદ્ધ જીવન ૨૨૭ પણ તેની ભીતર છે. એ વસ્તુની ખેજ કરવાની રહેતી નથી, કારણ જશભાઈ પટેલ, રતુભાઈ અદાણી, પરમાનંદભાઈ કાપડિયા વગેરેએ કે તમે એને કદી ખાઈ નથી કે તમે કદી એને ખાવાના નથી, કારણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. રોજ રાતના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કે એ છે તે તમારું અસ્તિત્વ છે. એ એવી ચીજ છે કે જે ઈ રખાયું હતું, જેમાં મેરુભા ગઢવી, દુલા કાગ વગેરેએ પિતાની શકાતી નથી. લોકસાહિત્યની પ્રસાદી પીરસી હતી. “સત્ય એક છે અને એની અનુભૂતિ પણ એક જ છે. એટલે છેલ્લે દિવસે રાતના આભારવિધિને કાર્યક્રમ રખાયો હતો. જે એને જાણવા ઈચ્છે છે એણે બીજી અનેક ધારણાઓ અને ક૫- જેમાં સંયોજકો અને શિબિરાર્થીઓ તરફથી પ્રાસંગિક પ્રવચન નાએ છોડી દેવી પડે છે. થયાં હતાં. તુલસીશ્યામની સાધના શિબિરની પૂર્ણાહુતિ પછી બીજે દિવસે સત્યદર્શનની સાધના વસ્તુત: સ્વપ્નમુકિતની સાધના છે. ઉના, અજારા પાર્શ્વનાથ, પ્રાચી, વેરાવળ અને શારદાગ્રામના પ્રવાઆપણે જ્યારે આપણા ખ્વાબમાંથી મુકત થઈ જઈએ ત્યારે જ સને અમારો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતે. ઉના પાસેના ગુપ્તસત્યનું દર્શન થાય છે. જ્યાં સુધી આપણે આપણા સ્વપ્નમાં પ્રયાગ, દીવ અને દેલવાડાને, સમયના અભાવે તેમાં સમાવેશ થઈ રાચીએ છીએ ત્યાં સુધી સત્ય ઉપસ્થિત હોવા છતાં અનુપસ્થિત શકતો નહોતે. એથી શ્રી મફતભાઈ શાહ અને ભેગીલાલ શાહ અને જેવું જ હોય છે. વસ્તુત: આપણે જ એના તરફ અનુપસ્થિત હોઈએ એમના કુટુંબના સભ્યો સાથે મેં પણ આગલી રાતે ઉના પહોંચી છીએ. એટલા માટે, સત્યની કોઈ કલ્પના કરવાની હોતી નથી, જઈ, એ ત્રણે સ્થળો વહેલી સવારમાં જોઈ, મુખ્ય મંડળી સાથે પરંતુ ચિત્તમાં જ્યારે કોઈ જ કલ્પના નથી હોતી ત્યારે ચિત્ત સત્યમાં ઉના અથવા અજારામાં જોડાઈ જવાને વિચાર કર્યો અને તે મુજબ, હોય છે. સત્યની ખોજમાં અજ્ઞાન જેટલું વિદનકર હોય છે તેટલું જ એક મિત્રની મેટર મળી જતાં અમે તા. છઠ્ઠીએ રાત્રે ઉના પહોંચી પાંડિત્ય કે મિથ્યાજ્ઞાન પણ વિદનકર હોય છે. પાંડિત્ય, શાસ્ત્રજ્ઞાન, ન જાણવા છતાં હું જાણું છું એવી ચિત્તની દશા એ બધું જ ગયાં. ઉનામાં પાંચ દેરાસરો બાજુ બાજુમાં આવેલાં છે. વળી ઉના સત્યાનુભવમાં બાધક નીવડે છે અને એટલા માટે સત્યની ખેજ ગામ પણ ઠીક ઠીક વિકાસશીલ જણાયું. ત્યાને ટાવર, બગીચા અને કરનારાઓએ એ બધામાંથી મુકત થવાની પ્રથમ જરૂર છે.” જાહેર જનતા માટે વોટરકૂલરવાળી પરબ વગેરેની જનોમાં ગામના યુવાનોના ઉત્સાહની પ્રતીતિ થતી હતી. આચાર્યશ્રીએ સત્યની ખેજ વિશેના મુખ્ય વિષય ઉપર આપેલા બીજે દિવસે સવારે અમે ગુપ્તપ્રયાગ ગયા. ઉનાથી પાંચેક પ્રવચનમાં અને પ્રશ્નોત્તરીમાં ગુરુની આવશ્યકતા, મૂર્તિપૂજા, બાળ માઈલના અંતરે, સમુદ્રકિનારાથી થોડું અંદર આવેલું આ સ્થળ કોને અપાતું ધાર્મિક શિક્ષણ, ભકિત, જ્ઞાન અને કર્મ વગેરે ભિન્ન નાળિયેરી અને તાડનાં વૃક્ષનાં ઝુંડ વચ્ચે મનહર લાગે છે. નદી, ભિન્ન બાબતે વિશે પોતાના મૌલિક વિચારો દર્શાવ્યા હતા. કુંડો, મંદિર, ધર્મશાળા અને બીજાં એક બે મકાને, એક બે દુકાને, “પ્રવચનને અંતે ધ્યાનની તાલીમ અપાતી હતી. ધ્યાન વિષે એટલું હોવાથી આ તીર્થસ્થળ શાંત અને પ્રસન્ન લાગે છે. અહીં સમજાવતાં એમણે કહ્યું હતું કે “ધ્યાન’ શબ્દથી રખે કોઈ માને કે ગુપ્ત રીતે ગંગાજી વહે છે, માટે એને ગુપ્તપ્રયાગ કહેવામાં આવે છે. એ એક પ્રકારની ક્રિયા છે. એ કોઈ ક્રિયા નથી. એટલા માટે “હું ભગવાન વિષણુએ પ્રયાગરાજ વગેરે તીર્થો સાથે અહીં ગુપ્ત વસવાટ ધ્યાન ધરું છું કે “ધ્યાન કરું છું એમ કહેવું ખોટું છે. ‘હું ધ્યાનમાં કર્યો હતો એમ પણ મનાય છે. અહીં નદીના શાંત વહેતા પાણીની છું એમ કહેવું સારું છે. જેવી રીતે ‘હું પ્રેમ કરું છું એ પ્રયોગ આસપાસ મોટા કુંડ બાંધી લેવામાં આવ્યા છે, જેથી સ્થળની ખે છે. હું પ્રેમમાં છું એમ કહેવું સારું છે. તેવી રીતે ધ્યાન રમણીયતા વિશેષ લાગે છે. શાંત, નિર્મળ, શીતલ અને કાચ જેવા એ પણ ચિત્તની એક અવસ્થા છે. જ્યારે એ અવસ્થાને અનુ લીલા રંગના પાણીમાં માછલીઓનાં ટેળાં અને કાચબાએ દોડાદોડ - ભવ થાય છે ત્યારે ત્યાં “ખરાપણાને” નહિ પણ ફકત “હોવાપણાના કરતા હોય છે, અને પાણીમાં કોઈક કંઈક ખાદ્યપદાર્થ નાખે કે ભાવ હોય છે. એ એક પ્રકારની વિચારશૂન્યતાની દશા છે, જ્યાં તરત તરાપ મારતાં હોય છે. અહીં શેષશાયી ભગવાનની કાળા સત્યદર્શનની સ્થિતિ શરૂ થાય છે અને જયાં આત્મા સાક્ષીભાવે આરસમાથી કતરેલી મૂતિ સુંદર લાગે છે. ગુપ્તપ્રયાગનું મહાભ્ય સંસારને નિહાળે છે.” બીજી એક રીતે પણ ગણાય છે, કારણ કે શુદ્ધત પુષ્ટીમાર્ગના આચાર્યશ્રી રજનીશના આધ્યાત્મિક વિચારોમાં ઘણી જ સ્થાપક શ્રી વલ્લભાચાર્યે વિક્રમના સોળમા સૈકામાં ભારતમાં ભિન્ન સૂક્ષમતા અને ધાર્મિકતા રહેલી છે. પરંપરાગત વિચારોમાં ક્રાન્તિ ભિન્ન સ્થળે સ્થાપેલી ૮૪ બેઠકોમાંની ૬૭મી બેઠક આ સ્થળે આણનારા એમના વિચારો છે અને જ્યાં વિચારોની જડતા છે ત્યાં આવેલી છે. તેવા પ્રહારોની આવશ્યકતા છે. આમ છતાં આચાર્ય રજનીશના ગુપ્તપ્રયાગથી અમે દીવ જેવા ઉપડયા. પ્રભાતનું વાતાવરણ વકતવ્યમાં ક્યારેક આત્યંતિક લેટિનાં વિધાને થાય છે ત્યારે બે ખુશનુમા હતું. રસ્તે પણ સારો હતો. આ બાજુ તાડનાં ઝાડ, ભિન્ન ભિન્ન કોટિની વચ્ચે વચલી સ્થિતિ કે સ્થિતિએને પણ સંભવ સામાન્ય રીતે બીજે જોવા મળે છે તેના કરતાં કંઈક વિશિષ્ટતાવાળાં રહે છે એ ભૂલવું ન જોઈએ. આચાર્ય રજનીશ પણ એને અસ્વીકાર હોય છે. આ તાડના ઝાડ ઊંચાં અને ઉત્તરોત્તર વિભક્ત થતી, નથી કરતા, પરંતુ એ સમજવા માટે ઘણી ઊંચી બૌધિક ભૂમિકાની ક્યારેક તે મૂળથી જ વિભકત થતી ડાળીઓવાળાં, પંખાળા આકારના અપેક્ષા રહે છે અને એટલા માટે, આચાર્ય રજનીશની વારંવાર ચેત હોય છે. ગુપ્તપ્રયાગથી ચારેક માઈલને રસ્તે અમે ઘેઘલા બંદરે વણી છતાં, સામાન્ય કક્ષાના પ્રેતાઓ તેમના વિચારોને કયારેક અતિ- પહોંચ્યા અને ત્યાંથી લાંચમાં બેસી ખાડીને સામે કિનારે આવેલા દીવમાં શ્રદ્ધાથી તે કયારેક અભિનિવેશથી ગ્રહણ કરીને એટલા પૂરતું જ પ્રવેશ્યા. દીવ ગામ ઘણું નાનું છે, પરંતુ આખા ગામમાં પાકા સત્ય માનીને ઈતર શકય સ્થિતિએને અસ્વીકાર કરે એ કોંક્રીટના રસ્તા અને તેને લીધે જળવાતી સ્વચ્છતા આપણું તરત ધ્યાન સંભવ કે ભય રહે છે. એ તરફ દુર્લક્ષ ન થવું જોઈએ. ખેંચે છે, અહીંને ëિ પણ જોવા જેવો છે. દીવમાં દેરાસરનાં સાધના શિબિરની સાથે સાથે તુલસીશ્યામ વિકાસ સમિતિ દર્શન કરી અમે પાછા ફર્યા અને દેલવાડા થઈને અજારા પાર્શ્વનાથ તરફથી ગેસંવર્ધન કેન્દ્ર, રુકિમણી માતાની ટેકરીનાં પગથિયાંની શિલા પહોંચ્યા. તે સમયે તુલસીશ્યામથી અમારી મંડળી બસમાં આવી પહોંચી ભેજનાલય, ગેસ પ્લાન્ટ વગેરેનાં ખાતમુહૂર્ત ઉઘાટન, ઈત્યાદિના હતી, અને ઉના તરફ જતી હતી. અજારામાં અમીઝરા પાર્શ્વનાથ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં પૂ. રવિશંકર ભગવાનનાં દર્શન કરી, હજારેક વર્ષ જૂનો ઘંટ જોઈ, થોડુંક ભાતું મહારાજ, કવિ દુલા કાગ, દર્લભજી ખેસણી, બાબુભાઈ વાપરી અમે અમારી મંડળી સાથે જોડાવા ઉના તરફ ઊપડયા, પરંતુ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮, પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૧૬ રસ્તામાં નદી ઓળંગતાં પાણીમાં અમારી મેટર બગડી. પ્રયત્નો કર્યા, લીધે પથ્થર જલદી ખવાઈ જતો જોઈ શકાય છે અને એને લીધે બહારના પરંતુ તરત મોટર ચાલુ થાય એવી આશા નહોતી, એટલે મોટરવાળા ભાગમાં આવેલી કેટલીક શિલ્પાકૃતિઓ પણ બગડવા લાગી છે. યોગ્ય મિત્રની વિદાય લઈ, સામાન સાથે ચાલતા ચાલતા અમે ઉના ગામમાં પથ્થર ને વપરાવાને લાભ એ થશે કે બહુ ઓછા વખતમાં આ મંદિર પહોંચ્યા અને બસમાં બેઠા. અમારે કારણે અમારી મંડળીને કેટલુંક અર્વાચીન હોવા છતાં પ્રાચીન જેવું લાગવા માંડશે ! મોડું થયું, પરંતુ તેમાં પણ કંઈ સંકેત જ હશે, કારણ કે તે જ વખતે પ્રભાસમાં જૈન દેરાસરનું બાંધકામ પણ નવેસરથી થયેલું છે. સંદેશો આવ્યો કે અજારાને રસ્તે બસમાંથી કોઈકને બિસ્તરો પડી ગયો એ દેરાસરનાં દર્શન કરી, તથા શિલ્પ સ્થાપત્યનું મ્યુઝિયમ જોઈ અમે છે. એ લેવા માટે ફરી અમારે બસને પાછી લેવડાવવી પડી. નદીમાં લગભગ સાડાચાર વાગે શારદાગ્રામ જવા માટે રવાના થયા. કેશોદ બગડેલી મિત્રની મેટર ત્યારે ચાલુ થઈ ગઈ હતી, એટલે એમની અને માંગરોળ થઈને અમે લગભગ પોણાસાત વાગે શારદાગ્રામ મોટર બિસ્તરો લઈ આવવા માટે અમને કામ લાગી. આમ ધાર્યા કરતાં પહોંચ્યા. એક શિક્ષણસંસ્થા તરીકે શારદાગ્રામની ખ્યાતિ તો એ લગભગ દોઢેક કલાકનું મોઢું અમને ઉનામાં જ થઈ ગયું. સંસ્થા કરાંચીમાં હતી ત્યારની છે. એના પ્રાણસમાં શ્રી મનસુખરામ ભાઈ જોબનપુત્રાએ અહીં પણ આ સંસ્થાને ખૂબ વિકસાવી છે. - ઉનાથી લગભગ સાડા અગિયાર વાગે ઊપડી અમે વેરાવળને રસ્તે લગભગ એક વાગે પ્રાચી પહોંચ્યા. પ્રાચી એ એક પ્રાચીન શારદાગ્રામમાં પ્રવેશતાં જ જાણે કોઈ તપોવનમાં પ્રવેશતાં હોઈએ પૌરાણિક તીર્થસ્થળ છે. આ તીર્થની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ એવો અનુભવ થાય છે. પ્રત્યેક નાનીમોટી બાબતની દષ્ટિપૂર્વકની જના, વિવિધ પ્રકારની, માવજતપૂર્વક ઉછેરવામાં આવેલી હરિયાળી કરી હોવાનું મનાય છે. ઋષિમુનિઓના શાપના ફળ રૂપે યાદવાસ્થળી વનસ્પતિ, રસ્તા ઉપર પાથરેલી દાણાદાર ચળકતી રેતી અને બધે જ રચાઈ અને યાદ અંદરોઅંદર કપાઈ મર્યા તે પછી શ્રીકૃષ્ણ ભગ જોવા મળતી અસાધારણ સ્વછતા આપણા ચિત્તાને પ્રભાવિત કરી દે 1 વાન પ્રભાસપાટણ આવ્યા અને ત્યાંથી અહીં આવી તેમણે પિતૃતર્પણ છે. પહોંચીને તરત અમે પ્રાર્થનામાં ગયા, પછી ભોજન લીધું અને કર્યું. પ્રાચી પાસેથી સરસ્વતી નદી વહે છે. ભારતના પશ્ચિમ કાંઠાની નદી સામાન્ય રીતે પૂર્વમાંથી પશ્ચિમ તરફ વહે છે. ત્યારે આ સ્થળે ત્યાર પછી પુસ્તકાલય, પ્રયોગશાળા, ગૌશાળા વગેરે જોયાં. ચાંદની રાત હતી એટલે આસપાસનું વાતાવરણ પણ ઉલ્લાસમય લાગતું સરસ્વતી નદી પશ્ચિમમાંથી પૂર્વ દિશા તરફ – ઉગમણી બાજુ - વહે છે. આ પૂર્વભાગા નદીના કિનારે પીપળાનું પ્રાચીન વૃક્ષ આવેલું હતું. સંસ્થાના કાર્યકર્તાઓએ અને શ્રી મનસુખરામભાઈએ અમને સંસ્થાને સવિગત પરિચય કરાવ્યું. એકબાજુ ગ્રામજીવનની છે અને કથા કહે છે તે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને અહીં નદીમાં, સ્નાન કરીને પીપળાને પાણી રેડયું હતું અને યાદવ આત્માઓને સાદાઈ, રવાય, શુદ્ધ પૌષ્ટિક ખોરાક, વ્યકિતગત દેખરેખ એ બધું હોવા છતાં વૈજ્ઞાનિક સાધનાની દષ્ટિએ જરા પણ પછાત. ન રહે અને ઉદ્ધાર કર્યો હતે. વળી એમ પણ મનાય છે કે આ જ સ્થળે પરીક્ષિત વિદ્યાર્થીઓને એને લાભ મળી રહે એ રીતે સંસ્થાને વિકાસ સાધરાજાના પુત્ર જનમેજયે બ્રાહ્મહત્યાનાં પાપ નિવાર્યા હતાં. અહીં જ કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને મોક્ષજ્ઞાન આપ્યું હતું અને અહીં જ વેદ વામાં આવ્યો છે. અહીંની ગૌશાળા પણ નમૂનેદાર છે. ગાય દોહતી વ્યાસે જગતને ભગવતજ્ઞાન આપ્યું હતું. આ રીતે પ્રાચી તીર્થનું વખતે સંગીત, રંગોળી, ધૂપ અને ફલોરણા વગેરેની યોજના પણ માહામ્ય પ્રાચીન સમયથી ગવાતું આવ્યું છે અને ‘સે વાર કાશી તે કેટલીક મૌલિક છે. ગૌશાળાની સ્વચ્છતા પણ એટલી ચીવટપૂર્વક રખાય છે કે ત્યાં પણ એક માંખ કે મચ્છર દેખાતાં નથી. એક વાર પ્રાચી’ એવી કહેવત પડી ગઈ છે. બીજે દિવસે સવારે પાંચેક વાગ્યાથી માઈક ઉપર શરૂ થયેલી - પ્રાચીમાં પીપળા પાસેથી વહેતી નદી આગળ ઘાટ અને પગ વેદ - ઉપનિષદના મંત્રોની મધુર વાણી ઊઠતાંની સાથે કાનમાં ગુંજવા થયાં બાંધવામાં આવ્યાં છે તથા કુંડ જેવી રચના કરવામાં આવી છે, લાગી. રસ્નાન વગેરે પતાવી છ વાગે અમે પ્રાર્થનાસભામાં ઉપસ્થિત જેથી બારે માસ ત્યાં પાણી રહે. સામી બાજુ મંદિર છે. મંદિરનાં દર્શન થયા. પ્રાર્થના પછી વિદ્યાર્થીઓને બે શબ્દો કહેવા માટે શ્રી બચુભાઈ કરી, નદીના પાણીમાં પગ પખાળી અમે બસમાં બેઠા અને પ્રભાસ તરફ રાવત તથા મને કહેવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધન ઊપડયા. કરી, નાસત કરી, અમારા ભાવભર્યા સ્વાગત માટે આભાર માની અમે " રસ્તે સારો હતો, છતાં બપોરનો તાપ વધતો જ હતો. બસમાં બેઠા. લગભગ અઢી વાગે અમે પ્રભાસપાટણ પહોંચ્યા. અહીંની અમારી શારદાગ્રામથી સવારે સાડાસાત વાગે બસ ઊપડી અને અમે મુલાકાત ઊડતી જ કહી શકાય. જે સ્થળે ભગવાન શ્રી કૃષ્ણને શિકા- જૂનાગઢ પહોંચ્યા. અહીં અમારામાંના કેટલાક ગિરનાર જવા માટે રીએ તીર મારેલું અને જ્યાં ભગવાને દેહ છોડે તે ભીલ્લતીર્થ છૂટા પડયા. બાકીના અમે વીરપુરમાં જલારામ બાપાના મંદિરનાં દર્શન. અથવા ભાલ : તીર્થ અને દેહ છોડયા પછી હિરણ્ય, સરસ્વતી અને કરવા દસેક મિનિટ રોકાઈ, સાડા બાર વાગે રાજકોટ પહોંચ્યા અને ત્યાંની કપિલા એ ત્રણ નદીઓના સંગમ ઉપર ભગવાનના દેહને અગ્નિ- રાષ્ટ્રીય શાળામાં ભેજન લઈ, સાંજે સાડાસાત આઠ વાગે અમદાવાદ સંસ્કાર કરવામાં આવ્યું તે દેહોત્સર્ગ અથવા ત્રિવેણીસંગમ, બળદેવ- આવી પહોંચ્યા. શ્રી બચુભાઈ રાવતની બાજુમાં બેસવાનું મળ્યું જીની ગુફા, ગીતામંદિર, મહાકાલિકાનું મંદિર વગેરે જોઈ, ભેજન હોવાથી આખે રસ્તે એમની પાસેથી ‘કુમાર’ના આરંભથી તે વર્તલઈ અમે સેમિનાથના મંદિરનાં દર્શન કર્યા. ભગવાન શંકરના આ માન સમય સુધીના ઈતિહાસની રૂપરેખા જાણવા મળી અને બીજી મંદિરની ચડતી પડતીની ગાથા ઐતિહાસિક છે. એ પ્રાચીન જીર્ણપ્રાય ઘણી સાહિત્યિક માહિતી અને ગેષ્ઠીને લાભ મળે. મંદિરની, સ્વતંત્રતા મળ્યા પછી, પુનર્રચના કરવાનો સંકલ્પ સરદાર - અમદાવાદ પહોંચતા અમારી સામૂહિક કાર્યક્રમ પૂરો થશે અને પટેલે કર્યો હતો અને તે મુજબ ૧૯૫૦ માં જામસાહેબના હરતે તેને અમે સૌ છૂટા પડયાં. શિલારોપણ વિધિ થશે અને ૧૯૫૧ માં રાષ્ટ્રપતિ ર્ડો. રાજેન્દ્રપ્રસાદના આમ, તુલસીશ્યામની સાધના શિબિર શ્રી રજનીશજીનાં આધ્યાહસ્તે મંદિરમાં લિંગનું પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું. આ મંદિર ઘણું જ ત્મિક પ્રેરક પ્રવચને ઉપરાંત, એની શિબિરની ચીવટપૂર્વકની થેજના, વિશાળ, ઊંચું અને ભવ્ય છે. એક બાજુ વિશાળ પટાંગણ અને બીજી રમ્ય નૈસર્ગિક વાતાવરણ તથા સેરઠના એ પ્રદેશનાં ભિન્ન ભિન્ન બાજુ નીલ સમુદ્ર અને વિશાળ લાંબા તટ વચ્ચે શોભતા આ મંદિ- પ્રાચીન તીર્થસ્થળોના પ્રવાસ તથા શારદાગ્રામ જેવી નમૂનેદાર રની ભવ્યતા અનેરી છે. મંદિરનું બાંધકામ પૂરું થવા આવ્યું છે, છતાં સંસ્થાનાં દર્શન વગેરેને કારણે અમારી સાથે આવેલા સૌ કોઈને માટે હજુ કેટલુંક પરચુરણ કામ બાકી છે. પરંતુ મંદિર બાંધવા માટે યોગ્ય અવશ્ય એક ચિરસ્મરણીય અનુભવ બની રહેશે એમાં સંશય નથી. પથ્થરની પસંદગી થઈ લાગતી નથી, કારણ કે દરિયાની ખારી હવાને સમાપ્ત ડૉ. રમણલાલ ચી. શાહ Page #63 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬૩-૧૬ પ્રબુદ્ધ જીવન ૨૨૯ જ પત્રકારત્વ: લોકશિક્ષણનું યજ્ઞકાર્ય (ગતાંકથી ચાલુ) ને અક્ષરની છાપ પડે એટલી ત્વરાથી, કોઈ પણ વિષય હાથ આવતાંનાનાં કદનાં ન્યૂસપેપર વેંત તેને લગતી સામગ્રીઓની હારમાળા તેની નજર આગળ ખડી “ થઈ જવી જોઈએ. વળી કાપલીઓ, ચિત્ર, નકશાઓ, આકૃતિઓ, ભલભલાં માતબર દૈનિકોને આજે મૂંઝવતા પ્રાણપ્રશ્ન કાગ ફોટોગ્રાફ, આંકડાના કોઠા વગેરેને તેને સંગ્રહ અને તેની લાયબને છે. વિદેશી હૂંડિયામણને અભાવે ઊભી થયેલી કાગળની એ બ્રેરી પણ તેની સ્મરણશકિત જેટલાં જ સમૃદ્ધ હોવાં જોઈએ. કારમી તંગીમાં અને આ ગરીબ દેશમાં, નાના કદનાં ન્યુસ પેપરનો અને સચિત્ર પત્રકારત્વ એટલે માત્ર ચિત્રો અને ફોટોગ્રાફ જ અખતરો પણ કરવા જેવું છે. અમેરિકન માહિતી સંસ્થામાં કામ કરતા એક મિત્રે કહ્યું હતું કે સવારે અહીંનું કોઈ પણ દૈનિક છાપી મારવાં એમ નહિ. તે ઉપરાંત નકશા, આકૃતિઓ, આલેખે, હાથમાં લેતાં માત્ર થોડી મિનિટોમાં જ તેમાંથી જાણવા જેવું બધું માનચિત્રો, પાન-ચિત્રો, ચિત્રવૃ, સંકેતચિત્રો, એવી એ સાધવંચાઈ રહે છે. એકાદ કૉલમમાં જ સમાઈ જાય એટલા એ સમા નેની એક આખી વૈવિધ્યભરી સૃષ્ટિ પશ્ચિમે ઊભી કરી છે, અને તે ચારોને બૂમરાણ કરતાં મથાળાં અને શબ્દોના સાથિયા વડે મલાવી દ્વારા જ્ઞાનને આકાર આપીને અને સરલ કરીને પ્રજાને કેળવવા ફ લાવીને મોટા કરી ભરેલાં પાનાને બદલે લાઘવપૂર્વક લખાયેલાં ગણતરીનાં વાકયમાં બધા જ મહત્ત્વના મુદ્દાઓ ઠાંસીઠાંસીને ભરીને તેઓ મથે છે. એમાં એ વિષય જેમ અઘરો તેમ એમની મથામણ વધારે. સૌવપૂર્વકનાં મથાળાં સાથે ક્રમબદ્ધ ગોઠવવામાં આવે, તે ઘણી આપણી ફરજ છે, એમને મુકાબલે, ઊલટી વધારે છે, કેમ કે આપણે નિરર્થક મહેનત, પૈસા અને સમયને બચાવ થાય અને ગરીબ ત્યાં કેળવણીનું પ્રમાણ ઘણું ઓછું છે અને જે સામાન્ય કેળવાયેલ પ્રજાને તથા વ્યવસાયી વર્ગને અડધી કિંમતે સસ્તું અને સંગીન વર્ગ છે તેની સમજદારીનું ધોરણ હજી ઘણું નીચુંબાળકની કક્ષાનું વાચન મળી જાય. નાના કદનાં આવાં ન્યૂસપેપર-રેબ્લોઈડ-ને ઢાંચે પ્રાંતીય પત્રોને પણ અનુકૂળ થઈ પડે. છે. એટલે આપણે તે બાળશિક્ષણની ઢબે સરળ અને પુષ્કળ ચિત્રાત્મક પત્રકારત્વ ચિત્રો છૂટે હાથે ને અવનવી શૈલીથી આપીને, જ્ઞાનને સામાન્ય હવે એક નવી દિશા આપણે ત્યાં જેને સદંતર અભાવ છે જનતા માટે સુલભ અને સાકાર કરી આપવું જોઈએ. તે ‘ચિત્રાત્મક પત્રકારત્વની-ઈલસ્ટ્રેટેડ અને પિકટોરિયલ જર્નાલિ ફોટોગ્રાફને અર્થ આપણે માત્ર જાણીતી વ્યકિતઓ કે બનતા બનાવની છબીઓમાં જ પર્યાપ્ત થયેલે સમજીએ છીએ ! પણ કટઝમની. અગાઉ એક પ્રસંગે મેં એની વિગતે વાત કરી છે. ચિત્રની કટીના પ્રસંગે, યાત્રાનાં તથા ઐતિહાસિક સ્થાને, કિલ્લાઓ અને અમેઘ શકિતને આપણે પત્રકારત્વના ક્ષેત્રમાં નહિવત વિનિયોગ યુદ્ધભૂમિ, આપણા ઉદ્યોગ - કારીગીરીની ક્રિયાઓ, વિશિષ્ટ ચહેરા કરીએ છીએ, ત્યાં સમગ્રતયા ચિત્રમયતાનું તે સ્વપ્ન ય કયાંથી મહોરાવાળી આપણી વિવિધ જાતિઓ ને વર્ણો, સુંદર સ્થાપત્ય તથા હોય? ભાષાને-લેખિત શબ્દને–એક મોટી મર્યાદા છે: અભણ શિલ્પ, રળિયામણી ગુર્જરી કુંજોનાં નૈસગિક દો, આપણાં પ્રાણી પંખી અને તેમની ખાસિયત એવી તે અસંખ્ય વૈવિધ્યભરી સૃષ્ટિ, કે ઓછું ભણેલાના ક્ષેત્રને તે આવરી શકતી નથી. શ્રાવ્ય રૂપમાં પણ, ફોટોગ્રાફીથી અણસ્પર્શી પડી છે. એ બોલાય ત્યારે પણ, તે ચિત્રના જેટલી પ્રતીતિજનક નથી બની નકશાઓ અને માનચિત્રોની કલાને પણ હજી કોઈએ પૂરી શકતી. હા, તે લાગણીઓને ઉદ્રક જગાડી શકે છે, પણ જ્ઞાન- સંકોરી નથી. સંકેતચિત્રો અને સપાનચિત્રોનું ક્ષેત્ર એવું જ અણવિતરણના કાર્યમાં તે ચિત્રની શકિત નિ:સંશય ચડી જાય છે. ખેડાયેલું પડયું છે. દેશનું બજેટ બહાર પડે ત્યારે આવક - જાવકના આપણે જવાળામુખી પર્વતનાં ઉદ્ભવ અને રચના વિશે પૃથ્વીના નિરસ આંકડાને બદલે તેનાં પ્રમાણ દર્શાવતી નાણાંની થેલીઓનાં કે એવા બીજા સંકેતેના આલેખો વડે આંકડાની ભેજાંદખણ અને પેટાળમાં થતી ક્રિયા-પ્રક્રિયાઓનું વ્યાખ્યાન સાંભળીએ, અને એ જ ભૂલભુલામણી સરળ બનાવી શકાય. ધરતીકંપનાં કારણે તરીકે વિષયને સિનેમા-ફિલ્મ દ્વારા તાદ્રશ કરીએ, એ બેમાં કયું વિશેષ પ્રતી- પૃથ્વીના પેટાળમાં થતા કેવા કેવા ફેરફારો જવાબદાર હોય છે, આપણે તિજનક છે, તે સમજાય એવું છે. ખેરાક લઈએ છીએ ત્યાંથી તે મળરૂપે બહાર નીકળે ત્યાં સુધીમાં સચિત્ર પત્રકારત્વના બે પ્રકાર છે. એક તે લેખનસામગ્રીને શરીરમાં તે કેવાં કેવાં રૂપ ધારણ કરે છે અને આપણી પાચનક્રિયા કેવી વિશદ અને પુષ્ટ કરવા માટે તેની સાથે ચેડાં આનુષંગિક ચિત્રો રીતે કામ કરે છે, વિવિધરંગી સૂતરના માત્ર ધાગામાંથી ખૂબસૂરત આપવાં તે; બીજો, તે કેવળ ચિત્રો દ્વારા જ્ઞાન-વિતરણ, વિવિધ અને અને બહુમૂલા ગાલીચા કેવી ખૂબીથી વણાય છે, એ બધું વિપુલ; લખાણ તેને માત્ર સ્પષ્ટ અને પુષ્ટ કરે એટલું જ. આ ક્ષેત્ર સંપાનચિત્રો વડે સાકાર કરાવી શકાય. જુદાં જુદાં ફળો અને અના જમાં રહેલાં વિટામિને દર્શાવતા ચિત્રકોટા, કે ઍલ્યુમીનિયમની ધાતુ ખર્ચાળ છે અવશ્ય, પણ માતબર પત્રો એમાં દષ્ટિ અને આયોજન કેવી રીતે ઉત્તરોત્તર બનતી જઈને, કેટલા વિવિધ ઉપયોગમાં આવે પૂર્વક પ્રસ્થાન કરે, તો સફળતાનું ઉદાહરણ ‘ટાઈમ્સ ઓફ ઈંડિયાનાં છે તેને પેઢીનામા જે આલેખ, કે સૃષ્ટિના ઉગમ કાળે જન્મેલા અશરીરી ચિત્રપત્રાનું આપણી આગળ છે. ગુજરાત તે વાણિજ્યચતુર અને દૂરંદેશીવાળા પ્રદેશ છે. સંપત્તિને સાહસમાં યોજવાની કુનેહ તેનામાં જીવમાંથી ઉત્ક્રાન્તિદ્વારા જીવસૃષ્ટિમાં કેટલા તબક્કા પછી આજન. છે. આ દિશા તરફ તે દષ્ટિ નહિ દેડાવે? માનવ થયો, તથા તે દરેક તબક્કે તેની કેટલી શાખા-પ્રશાખાઓ. ફટી તેનું ચિત્રવૃક્ષ; એ અઘરા ને અણગમતા વિષયને પણ આકાર સચિત્ર પત્રકારત્વના વિધાયકમાં બે શકિત હોવી જોઈએ: આપીને તે રસમય બનાવી શકે. ઈતિહાસનાં પાત્રોને તે તે કાળનાં કિસમ કિસમના ચિત્રપ્રકારની સમજ તથા તેને વિનિયોગ કરવાની પિશાક, આભૂષણ ને શસ્ત્રાસ્ત્રોનાં અભ્યાસયુકત આલેખનેદ્રારા, સૂઝ અને બહુશ્રુતતા. તેનું વાચન એટલું વિપુલ અને તેના જ્ઞાન- આપણી કલપનામાં હોય તે કરતાં પણ વધુ જીવંત ને રોમાંચક કરી. વૈવિધ્યને વ્યાપ એટલે વિશાળ હોવો જોઈએ કે કોઈ પણ વિષયને શકાય. પ્રવાસવર્ણન માત્ર લુખા ફેટોગ્રાફથી નહિ, પણ સમસ્ત લગતી ચિત્રસામગ્રી તેમ જ લેખસામગ્રી કયાંથી ને કેવી રીતે મેળવી પ્રવાસમાર્ગના નકશાના આલેખન ઉપર, તેમાં અનુક્રમે આવતાં કે નિપજાવી શકાય તે ઝબકારાની પેઠે તેના મગજમાં આવી જાય. વિવિધ સ્થળોનાં માનવપાત્રો ને વિશિષ્ટ વસ્તુઓ, પેદાશે ને કારીબાલે નૃત્ય કે સલ્ફનિમાઈડ દવાઓ, જાપાનની બાગબાની કલા કે કોલેરાડે નદીનાં કૅન્યન, અંકોરવાટનાં ખંડેરેમાં ભારતીય સંસ્કૃતિને ગરી, શિલ્પ સ્થાપત્ય ને ખંડિયેરે, પશુપક્ષી તથા વનસ્પતિઓના તુ કે છેલ્લી શોધાયેલી ઈશાપોર રાઈફ્લની વિશિષ્ટતા, ચીનની આકલન દ્વારા ફ લગૂંથણી કરીને, રમ્ય ને રંગદર્શી કરી શકાય. ચિત્રકળાની મુલાયમ હથોટી કે મેટ્રોગ્રોસેનાં અણતાગ રહેલાં સમૃદ્ધ અમેઘ શકિત અને મબલખ શક્યતાઓવાળું ચિત્રાત્મક પત્રજંગલની રમણીય ભયંકરતા–આમ, પૃથ્વીના પેટાળથી માંડી કારત્વનું આ વિશાળ ક્ષેત્ર આપણી આગળ પડ્યું છે. એનાં દ્વાર કોણ ખખડાવશે? અવકાશમાં અવગાહન કરતા ઉપગ્રહ સુધીના વિષયોની જાણકારી મુદ્રણને નિખાર તથા તેની સમજ પકડવા પૂરતા પ્રવેશ તેનામાં હોવાં જોઈએ, એટલું જ નહિ, પણ તેને લગતી સવિશેષ માહિતી આંકડા, આધારભૂત હવે થોડુંક આપણાં પત્રોનાં રૂપરંગ વિશે. આપ સૌ જાણે છે સાધન કે ચિત્રસાહિત્ય કયાં કયાંથી મળી શકે તેની જાણે કે અનકમ- કે સરકાર તરફથી વર્ષોવર્ષ મુદ્રણમાં કલ્પકતા અને શ્રેષ્ઠતાનાં પારિક ણિકા તેના મગજમાં હોવી જોઈએ. ટાઈપરાઈટરની ચાવી દબાય તોષિક અપાય છે. તેમાં ભારતીય ભાષાનાં વર્તમાનપત્રોમાં ગુજરાત Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૬૬ કદી પાદિષિક મેળવ્યું નથી. એના કારણમાં બહુ ઊંડા ઊતરવાની આંતરિક વ્યવહારમાં ગુજરાતી ભાષાનાં મંત્ર વાપરે છે ખરા, પણ જરૂર નહિ પડે. વૃત્તપત્રના મુદ્રણમાં એના શિરોભાગે આવતા નાના સમગ્ર દેશે હજી એ વિકાસ કર્યો ન હોવાથી દેશી ભાષાનાં ક્ષરોની સુવાચ્યતા તથા ઉઠાવથી માંડીને તેનાં બીબાંની પસંદગી, ૫ત્રોને એ યંત્રો પરથી અંગ્રેજીમાં ઊતરતા સમાચારના સ્વભાષામાં અનુવાદ કરી લેવાની વધારાની ક્રિયામાં ઊતરવું પડે છે. એમાં ખર્ચ એકસરખા પેઈસિંગવાળું કંપેઝ, તેના પતાકાવાક્ય તથા અન્ય અને વખત વધવા ઉપરાંત કાચા અનુવાદકોએ વાળેલા છબરડા પણ મથાળાંનાં ભારપ્રમાણ, ચિત્રો, લખાણ (મેંટર), નકશા, જાહેરખબરો ભોગવવા પડે છે. આંદિની સંતુલિત રચના અને સપ્રમાણ સંયોજન, છેકછાંટ કે પાછલી આમ, સ્વાધાન બનવાના અરમાનની સાથોસાથ, વ્યવસાયમાં બાજુ છાપદાબ વિનાનું, એકસરખી પથરાયેલી શાહીવાળું સુઘડ જેમ ખાતર પૂરવાના આયોજન કરવાં જોઈએ, તેમ વ્યવસાયના મુદ્રણ, પાનાંની ધાર અને છેડા મળી રહેતા હોય એવી પાનાંની ગડી સર્વ અંગભૂતના યથોચિત યોગક્ષેમની જોગવાઈ ઉપરાંતની કમાણી વગે કરવાને બદલે, આ લોકયજ્ઞનું ફળ લેકને જ અર્પણ મેળવણી (ફોલ્ડિંગ); આ એકેએક તત્વ કાળજીભરી માવજત માગી થાય એવી શ્રેયાર્થી ભાવના પણ આ વ્યવસાય પરત્વે પ્રકટાલે છે અને એ માવજતને પરિણામે પત્રમાંથી એક સંતર્પક નિખાર વવી જોઈએ. ઍકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ જેવાં પ્રકાશન ટ્રસ્ટનાં નિષ્પન્ન થાય છે. આપણાં પત્રોમાં એવો નિખાર જોવા મળે છે ખરો? બંધારણ જ, પોતાનાં કમાણી આપતાં પ્રકાશને નફ, ઉચ્ચ ગણિત, કેટલાંક તે હાથમાં પણ લેવાં ન ગમે એવાં હોય છે. આ માટે બેદર . તત્ત્વમીમાંસા કે વિજ્ઞાનસંશોધન જેવાં નહિ ખપનારાં પુસ્તકોના પ્રકાશનયજ્ઞમાં વાપરવાના ધ્યેયવાળાં હોય છે. વ્યાપારી બુદ્ધિથી ચાલતી કારી સિવાય બીજું કારણ ન હોઈ શકે. જૂનાં યંત્ર અને બિનકાબેલ ઘણી પ્રકાશન પેઢીએ પણ પાઠયપુસ્તકોમાંથી થતી પેતાની ધીકતી કામદારો હોવા છતાં ગાંધીજીનાં “નવજીવન”– “યંગ ઈન્ડિયા”નું કમાણી ઈતિહાસ ને અર્થશાસ્ત્ર, શિક્ષણ ને સાહિત્ય, કવ્ય અને સારું મુદ્રણ સાધનાર સ્વામી આનંદની આજથી સાડાચાર દાયકા વિવેચન આદિના ઓછી ખપતવાળાં પ્રકાશને પાછળ રોકતી હોય પરની દિવસ રાતની જહેમત મારી નજર સામે છે. ઈચ્છારામ અને છે. આપણી પત્રમાલિક કંપનીઓ તથા ટ્રસ્ટો એ રીતે આ વ્યવ સાયમાંથી રળાતી સમૃદ્ધિને વિનિયોગ વિચારપત્રો અને ચિત્રપત્રનાં મણિલાલ, હાજી મહંમદ અને સામળદાસ ગાંધીની ચીવટ પણ નવાં પ્રસ્થાન પાછળ કેમ ન કરે? એવી જ હતી. ત્યારને મુકાબલે આજે આપણે ત્યાં મુદ્રણની ઘણી લેકશિક્ષણ : પત્રકારત્વનું યજ્ઞકાર્ય ઘણી સગવડો વધી છે; અને આજે દુનિયામાં તે બીબાં ગોઠવવાની કડાકૂટ વિનાનું ફોટોગ્રાફિક કંપોઝ થાય છે; ‘કૅપ્યુટર’ મશીનમાં પત્રમાલિકો પાસેથી એક તરફ જેમ આ બધી અપેક્ષાઓ રહે છે, ટેલિફોનને સંદેશો દાખલ કરવા માત્રથી એક મિનિટમાં ૧૩૫૦ તેમ બીજે પક્ષે પણ અમુક ઉત્તરદાયિત્વ અદા કરવાનું રહે છે. આપણી અશોની ઝડપે તેની ટેઈપ, પંચ થઈને ફિલ્મ પર ઊતરી, તેમાંથી આગલી પેઢીની ધ્યેયનિષ્ઠા અને ધગશની પરંપરા આજે પાતળી તો ફોટોગ્રાફિક છાપ પડી જઈ, વેબ - ઍફસેટ મશીન પર એક કલાકે નથી પડતી જતી ને? નર્મદ–નાનાલાલ ને વિજયરાય-વિશ્વનાથ તેનાં ૨૪ પાનાંની ૩૦,૦૦૦ નકલે છપાઈ-પાઈ-મેળવાઈને જ્યારે જેવા ટેકના અપવાદો ય આજે કેમ જણાતા નથી? આજથી ત્રણ બહાર પડે છે, ત્યારે આપણે તે આપણા દેદાર પણ પૂરા સુધારી શકયા નથી. દાયકા પહેલાંની સ્વાતંત્ર્યની લડત વખતે ખભે ખડિયે લઈને નીકળી ઉત્પાદન અને સંશોધન પડતા, સ્વપ્નશીલ આંખે અને યશેચ્છાની આભાથી આપતા ચહેરા* આપણી ઊણપ ને ઓછપ બતાવતું આ બધું જે કહું છું તે વાળા થનગનતા જુવાને આજે કેમ નજરે પડતા નથી? પુરગામીવાંકદેખી દષ્ટિથી નહિ, પણ આપણા પત્રકારત્વ પ્રત્યેના પ્રેમ અને એએ મેળવેલા સ્વરાજ્યને જીરવવા અને જોગવવા માટે તો હવે દાઝથી કહું છું અને મારા અલ્પ અનુભવ પ્રમાણે એ બધું સાધવું જીવનના એકેએક ક્ષેત્રમાં આસનબદ્ધ થઈને બેસી જવાની તમન્નાકદાચ અઘરું હશે, પણ અશકય નથી. દેશનાં મોટા ભાગનાં વૃત્તપત્રો આજે કરોડપતિઓની સિન્ડિકેટે અને લાખની લિમિટેડ કંપનીઓ વાળા તેજસ્વી તરુણોની જરૂર છે, એ ક્યાં છે? પત્રકારત્વનું ક્ષેત્ર ચલાવે છે. ગુજરાતની વણિક બુદ્ધિએ પણ માતબર પત્રે જમાવવા પણ એવા યજ્ઞકાર્ય માટે ખુલ્લું પડયું છે. વાચન અને વિચારના માંડયાં છે, એ જોઈને છાતી ફુ લે છે. પણ વર્ષોવર્ષનાં સરવૈયાંમાં ભાથા સાથે લોકશિક્ષણનું અવિશ્રાંત વૈતરું કરવા માટે તત્પર મબલખ નફો બતાવનારાં પત્રોની વાડી વેડનારાઓ જેટલી ફળની યુવાનોને તાલુકા-પત્રોનું ક્ષેત્ર સાદ દે છે; ચિંતન અને લેખનની ફસલ ઉતારે છે તેટલી, એક અનુભવી પત્રકાર મિત્રે કહ્યું હતું તેમ, સ્વસ્થ પ્રૌઢી ધરાવનારાઓ અને કેળવવા ઈચ્છનારાઓ માટે વિચારએમાં ખાતર પૂરવાની ખેવના રાખે છે ખરા? પત્રોનું સૂનું ક્ષેત્ર વાટ જુએ છે, બહુશ્રુતતા અને કલાદષ્ટિ વરેઆ વ્યવસાયની સમસ્યા પણ વિવિધ છે. એમાંની એક લાઓ આગળ ચિત્રપત્રાના નવા ખેડાણની ધરતી હજી કુંવારી જ પડેલી છે. આ બધાંને માટે, શહેર-કસ્બાની કૅલેજોની આરામ અને મોટી ચિંતા કાગળની છે. પણ દેશનાં જંગી છાપાંઓના માંધાતા આમદાનીભરેલી પ્રોફેસરી તરફ વળવાનું છોડીને, પત્રકારત્વના માલિકો મેંઘા હૂંડિયામણને ભેગે પરદેશથી આયાત થતા હજારો યજ્ઞકાર્યમાં વરુણી થવા ઈચ્છનારા ભાવનાબૂત અને ધ્યેયનિષ્ઠ જુવાને ટન કાગળના લાયસન્સના પિતાના સ્વાર્થમાં કાપ મૂકીને નાનાં માટે મારી ટહેલ છે. વર્તમાન પત્રોના હિતમાં સહિયારા સંપથી પેઈજ - પ્રાઈસ ભારતવર્ષને બ્રાહ્મણ–આદર્શ તો ઝાડ નીચે બેસી વિદ્યા શિડયુલ (પૃષ્ઠસંખ્યા પ્રમાણેની કિંમત)નું ધોરણ કેમ નહિ અપનાવતા આપનારાં ઋષિકુળને છે. એ બ્રાહ્માણ-આદર્શની પાછળ પિતાની હોય ? પરદેશની આયાતની પરાધીનતામાંથી સ્વાધીન થવાની દિશામાં વારસાગત જાગીર-જાયદાદ અને ‘નોબેલ પારિતોષિકની જંગી રકમને એ કરોડાધિપતિ પત્રમાલિક સિંડિકેટો કાગળ ઉત્પાદનનું એક સહિ હોમ કરીને શાંતિનિકેતન સર્જનાર ગુરુદેવ રવીન્દ્રનાથ; આર્યજીવનના યાર ને સહકારી જંગી સાહસ કેમ નહિ યોજી શકતી હોય? પરદેશી એવા જ આદર્શોને આકાર આપવાની ઝંખનાથી દેશમાં અનેક ગુરુમાલને મુકાબલે ધૂળ જેવો માલ મોંધી કિંમતે માથે મારતી આપણી કળે ઊભાં કરનાર સ્વામી શ્રદ્ધાનંદ, અને અગ્નિનતાને અચળ જાહેર ક્ષેત્રની મિલ, એ માલ સુધારવાની ને સસ્તો પાડવાની કાળજી ઓઢીને પૈસાફંડ જેવી પ્રવૃત્તિઓમાંથી ટીપેટીપે સરોવર ભરીને મહિલા કેમ નહિ રાખતી હોય? વનસ્પતિ ઘીને માટે હજી સુધી ખાદ્ય રંગ શિક્ષણની યુનિવર્સિટી સ્થાપનાર મહર્ષિ કર્વે, અરે, આપણે ઘરઆંગણે નથી શોધી શકાય એવી કોઈ મુસીબત એમાં પણ હશે શું? પશ્ચિ- આશ્રમશાળા અને વિદ્યાપીઠના કાકાસાહેબ, દક્ષિણામૂર્તિના નાનામનાં કેટલાંક પત્રો તો પિતાના કાગળના પુરવઠા માટે પોતાની માલિ ભાઈને સૂરતની સાર્વજનિક સંરથાના સ્વ. ચૂનીલાલ શાહ સાહેબનાં કીનાં જંગલો ધરાવે છે. આપણે ત્યાં શેરડીનાં છોતરાં, મગફળીનાં પ્રેરક દષ્ટાંત છે. પત્રકારત્વ પણ લોકશિક્ષણને એવા બ્રાહ્મણ વ્યવફોતરાં, ડાંગરની પરાળ ને વાંસ ઉપરાંત હિમાલયની વનસૃદ્ધિનાં સાય છે. જાહેર ખબર લીધા વિના પણ પ્રભાવશાળી પત્રો ચલાવીને સંશોધન અને મોજણી જરૂરી નથી શું ? આપણા કાપડ-ઉદ્યોગ ગાંધીજી એ આપણને એને આદર્શ આચરી બતાવ્યો છે. આપણાં માટેના “અટીરા” કે બ્રિટિશ અદ્રણાધિપતિઓના ‘પાટા” જેવાં સંશો માતબર પત્રના આજના ચાલકો અને યુનિવર્સિટીમાંથી બહાર પડતા ધન કેન્દ્રો આપણા પત્ર-વ્યવસાયના ધુરંધરો કેમ નહિ સ્થાપતા હોય ? આપણા યુવાનોને એ આદર્શોની મશાલ જલતી રાખવાને મારે પશ્ચિમના દેશોના પત્રોમાં ટેલિપ્રિન્ટરો એમની પોતાની ભાષામાં અનુરોધ છે. તારસંદેશ ઉતારતાં હોય છે. આપણે ત્યાં “જન્મભૂમિ’ પત્ર પિતાના સમાપ્ત બચુભાઈ રાવત Page #65 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૩-૧૬ પ્રબુદ્ધ જીવન ૨૩૧ સ્વ. વીર સાવરકર (જન્મભૂમિ પ્રવાસી'માંથી સાભાર ઉધૂત ) માણસ સંજોગોને નથી ઘડત, સંજોગે માણસને ઘડે છે. ફેબ્રુઆરીની ૨૭ તારીખે મુંબઈમાં અવસાન પામેલા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના વીર વિનાયક દામોદર સાવરકરને નવી પેઢીએ જાણ્યા નથી અને જૂની પેઢી તેમને ભૂલી ગઈ છે. કારણ કે તેઓ બિનસાંપ્રદાયી ન હતા, હિન્દુ મહાસભાના નેતા હતા. આ એક હકીકતના તરણા એથે સાવરકરની પ્રતિભાને ડુંગર ઢંકાઈ ગયા છે. પરંતુ જે સંજોગોમાં સાવરકર ઉછર્યા, જીવ્યા, દેશ માટે લડયા અને જે યાતનાઓ ભોગવી તે જોતાં સાવરકર સંપ્રદાયી બન્યા એ એક કરુણતા હોવા છતાં અજાયબી નથી. સાવરકરને સાંપ્રદાયી બનવાની ફરજ પાડનાર મુસ્લિમ લીગ હતી અને મુસ્લિમ લીગ હિંદના સ્વાતંત્ર્ય સંગ્રામને તોડી નાખવા માગતા બ્રિટિશ કુહાડાને હાથે હતી.. દુનિયાને કોઈ દેશ અહિંસક સત્યાગ્રહ વડે સ્વતંત્ર થયું ન હતો. જે જમાનામાં અહિંસા અને સત્યાગ્રહનું નામ કોઈએ સાંભળ્યું ન હતું તે જમાનામાં સાવરકર પણ બળવા અને યુદ્ધના માર્ગે દેશને મુકત કરવા બહાર પડયા. દાયકાઓ સુધી કાળા પાણીની અને રત્નાગિરિ જેલની અમાનુષી યાતનાઓ ભોગવીને સાવરકર બહાર આવ્યા ત્યારે પણ તેમને પોતાના ધ્યેય પર શ્રદ્ધા રહી તે બતાવે છે કે દીર્ઘકાળ સુધી તેમણે પીડા ભોગવવા છતાં તેમના જુસ્સાને અંગ્રેજો ભાંગી શકયા નહિ. આ નિષ્ઠા, હિંમત અને દેશભકિત ઉત્કૃષ્ટ છે. એક દિવસ ઝીણાએ અભિમાનથી કહ્યું કે બ્રિટિશેની પહેલાં હિન્દુસ્તાન પર મોગલ રાજ કરતા હતા. સાવરકરે જ્યારે તે સાંભળ્યું ત્યારે જવાબ આપ્યો, “ખરું, પણ ઝીણા ભૂલી જાય છે કે છેલ્લો મેગલ બાદશાહ મરાઠાઓનું પેન્શન ખાતે હતો.” સાવરકરને કેમવાદી હિંદુ ઠરાવીને ઘણાએ તેમને તિરસ્કાર કર્યો હતે. પણ એ ટીકાકારોમાં એથી પણ વધુ સંકુચિત પ્રાંતવાદીઓ અને ભાષાવાદીઓ શું ન હતા? સાવરકરે કદી પ્રાંત કે ભાષાના ભેદ જાણ્યા ન હતા. તેઓ એક અને અખંડ ભારતના હિમાયતી હતા. એક ભાષા, એક ધર્મ અને એક રાષ્ટ્રના સ્વપ્નદષ્ટા હતા. સંપ્રદાયના વાડામાં પોતાની જાતને મૂકી દેનારા સાવરકરની એ નબળી બાજને જેમ વાજબી ઠરાવી શકાય નહિ તેમ તેમના ટીકાકારની નબળાઈઓ ઢાંકી શકાય તેમ નથી. સાવરકરના વ્યકિતત્વના સાંપ્રદાયિક પાસાને બાદ કરો તે બીજા કેટલાં બધાં પાસાં છે અને તે પણ કેવા ઝળહળતાં! કવિ, લેખક, વકતા, વિદ્વાન અને સામાજિક સુધારક તરીકે તેમની બરોબરી કેટલા કરી શકે ? કેંગ્રેસમાં સામાજિક સુધારણાની ધગશ તે ગાંધીજી સાથે જ ગઈ. સાવરકર જેવા રાજકીય બળવાખોર હતા તેવા જ સામાજિક બળવાખેર હતા. જરીપુરાણી અને અર્થહીન રૂઢિ પર તથા સામાજિક અન્યાય પર પ્રહાર કરવામાં તેમણે પોતાને શેષ કાળ વ્યતીત કર્યો. જેલમાંથી છૂટીને તેમણે હિંદુ મહાસભાનું નેતૃત્વ લેવાને બદલે સામાજિક ક્રાંતિની મશાલ સળગાવી હોત તો ચિરસ્થાયી છાપ પાડી શકયા હોત. - રાજકારણમાં જ બધું સમાઈ નથી જતું. સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ઘણું ઘણું કરવાનું છે. જેલની અસહ્ય યાતનાઓથી જેમનું સ્વાશ્ય તૂટી પડયું હતું તેવા વીર સાવરકરે સક્રિય રાજકારણમાંથી ક્ષેત્રસન્યાસ લીધો, પરંતુ તેમનું ચિત્ત હજી રાજકારણમાં હતું. ૧૯૪૭માં હિંદના ભાગલા પડાવવામાં મુસ્લિમ લીગને સફળતા મળી અને પછી જે કોમી અત્યાચારો થયા તેથી સાવરકર ઊકળી ઊઠયા. ૧૯૪૯માં સાવરકરને થોડા સમય માટે અટકાયતમાં રાખવા પડયા એ તેમના જીવનની સૌથી મોટી કરુણતા છે. સાવરકર શેષ જીવન માત્ર સામાજિક અને ધાર્મિક સુધારણા માં જ સક્રિય રીતે ગાળી શકયા હોત તો કેવું સારું થાત ! આવી સુધા રાણામાં તેમની દષ્ટિ ક્યાં સુધી પહોંચતી હતી તે તેમના વસિયતનામામાં દેખાઈ આવે છે. સાવરકરના વિચારોમાં આપણને અમાન્ય કે અણગમતા કોઈ વિચાર પણ હોય, પરંતુ ભારતમાતાને એ એક મહાન સપૂત હતે. એમના જીવનને અને એમની શકિતને પૂરેપૂરો ઉપયોગ ન થઈ શકો એ એમનું અને દેશનું પણ દુર્ભાગ્ય છે. મૃત્યુ સાથે મતભેદો પણ મરી જાય છે, મરી જવા જોઈએ. આથી રાષ્ટ્રપતિથી માંડીને બધા પક્ષેના અનેક નેતાઓએ સાવરકરને જે ભવ્ય અંજલિ આપી છે તેમાં દેશની લાગણી વ્યકત થઈ છે. સેહમ ક્યાં પરિગ્રહ ત્યાં લડાઈ હોવાની, કવિવર દિનકરે કહ્યું: “હવે હિન્દુસ્તાન અહિંસાના રટણથી ઉપર ઉઠયું છે, તેનામાં શૌર્ય જાગ્રત થઈ ચૂકયું છે.” આચાર્ય તુલસીએ કહ્યું : “દુનિયા એ ભ્રમથી મુકત થઈ ગઈ કે હિન્દુસ્તાન કાયર છે. અને આજ સુધી હિન્દુસ્તાન અહિંસક હોવાની માન્યતા ચાલી રહી હતી તે હિંદુસ્તાન અહિંસક છે એ ભ્રમ પણ હવે દૂર થઈ ગયો છે. અહિંસકને કાયર માનવે એ જે ભ્રમ છે, તે જ ભ્રમ જે અહિંસક ન હોય તેને અહિંસક માનવે તે છે. અહિંસક વ્યકિત થઈ શકે છે અને તે તે વ્યકિત કે જેની આધ્યાત્મિક ચેતના જાગૃત થઈ હોય છે.” શ્રી દિનકરજીએ કહ્યું: “આપે જણાવેલે ભ્રમ એ કારણે પેદા થયું હતું કે વ્યકિતની ચેતનાને રાષ્ટ્ર ઉપર લાદવામાં આવી હતી.” આચાર્યશ્રીએ જણાવ્યું: “લાદવામાં અમારો વિશ્વાસ નથી. અહિંસા સ્વતંત્ર ચેતનાનું પરિણામ છે.” શ્રી એચ. સી. ગાંગુલીએ આવતાંવેંત જણાવ્યું કે “આ લડાઈ આપના સિદ્ધાંતને અનુકૂળ તે ન થઈ ?” આચાર્યશ્રીએ કહ્યું : “શું પરિગ્રહ અમારા સિદ્ધાંતને અનુકૂળ છે? લડાઈ પરિગ્રહ - શુંખલાની અનિવાર્ય કડી છે. એમ કેમ બને કે પરિગ્રહ આદરણીય હોય અને લડાઈ પેદાન જ થાય? અમારે સિદ્ધાંત અવ્યવહારિક નથી. અહિંસાની પૂર્ણ સાધના તેના માટે શકય છે કે જે, પૂર્ણ અપરિગ્રહી હોય. જે પરિગ્રહી છે તેના માટે અહિંસાની મર્યાદિત સાધના વિહિત છે. મર્યાદિત સાધનાનું તાત્પર્ય છે કોઈ આક્રમણકારી ન બને, બાકીની ભૂમિ કે ધનનું અપહરણ કરવાની ચેષ્ટા ન કર આટલું થાય તો અહિંસાની પૃષ્ઠભૂમિ પ્રશત બની જાય. નિષ્ણાતોના ચક્રાવામાં કોઇ પણ રોગ થયો છે એવો વહેમ પડે ત્યારે સામાન્ય ટૅક્ટર - જી. પી. (જનરલ પ્રેકટીશનર્સ) પાસે જવા કરતાં નિષ્ણાત પાસે જ પહોંચી જવું એમ કેટલાંક માનતા હોય છે. એવા એક ભાઈને સખત ઉધરસ ઉપડી આવી. ઘરગથ્થુ ઉપચારથી મટયું નહિ એટલે એ ભાઈ નિષ્ણાત પાસે પહોંચ્યા. “તમને છાતીમાં કશું નથી, ક્ષય જેવું પણ નથી. તમે કોઈ નાક, કાન અને ગળાના નિષ્ણાતોને બતાવે, એમને સલાહ મળી. આ માંધી સલાહનું મૂલ્ય ચૂકવી એ નાક-કાન, ગળાના નિષ્ણાત પાસે પહોંચ્યા. એમનાં નાક - કાન - ગળાની બારીક તપાસ કરી રહ્યા પછી નિષ્ણાતે જણાવ્યું:“તમારાં નાક- કાન -ગળુ" બધાં બરોબર છે. કદાચ પેટને વ્યાધિ હશે. ઉદરરોગના નિષ્ણાત પાસે તપાસ કરાવો.” એ ઉદર રોગના નિષ્ણાત પાસે પહોંચ્યા. એમના ઉદરને કશી ફરિયાદ કરવા જેવું નથી એમ ખાતરી થતાં એ ચિંતામાં પડયા. ‘બધું બરાબર છે; એક તબિયત બરાબર નથી.” એવી એમની ખાતરી થઈ. છેવટે કોઈકે તેમને સલાહ આપી “તમને કોઈ જાતની શારીરિક બીમારી નથી. કદાચ માનસગ્રંથિ બંધાઈ ગઈ હોય, અને આ ઉધરસ રૂપે એની અભિવ્યકિત થતી હોય એમ પણ બને માટે તમે કોઈ મગજના નિષ્ણાત પાસે જાઓ.” અનેક નિષ્ણાત પાસે જઈ આવીને કંટાળી ગયેલા પેલા ભાઈએ ઉધરસ ખાતાં ખાતાં જવાબ, દીધો:“મગજના નિષ્ણાત પાસે જવાની મારે જરૂર નથી. મને મગજ જ નથી. મગજ હોત તો હું આવા ચક્રાવામાં પડત ખરો?' જતીન્દ્ર હ. દવે ની અભિનય આપી જાય એવી Page #66 -------------------------------------------------------------------------- ________________ @ ૨૩૨ " પ્રબુદ્ધ જીવન ભમ્મવિસર્જનની ક્રિયામાં તા. ૧૬-૨-૬૬ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવેલ ઉપરના મથાળાના બાબુ શ્રીપ્રકાશના લેખે અને તે ઉપરની મારી નોંધે પ્રબુદ્ધ જીવનના વાચકોના મન ઉપર તરેહ તરેહના પ્રત્યાઘાતા – મોટા ભાગે અનુકુળ અને અમુક ભાગે પ્રતિકૂળપેદા કર્યા છે. તેના નમુનારૂપે મને મળેલા પત્રામાંના થાડાંક અવતરણા રસપ્રદ નીવડશે એમ સમજીને નીચે આપવાનું ઉચિત લાગે છે. 10 તા. ૧૯૬૩-૧૬ એચિત્ય કેટલું? ” ણમાં મૂકવાની શકિતના આપણામાં નીતાન્ત અભાવ છે. આ અભાવને દૂર કરવા માટે તથા રાષ્ટ્રીયતાને જાગૃત કરવા માટે જ્યાં બીજા અનેક ઉપાયો છે ત્યાં રાષ્ટ્રીય પર્વો પણ એક છે જેની અત્યંત આવશ્યકતા છે. અસ્થિવિસર્જન એક એવું જ પર્વ છે, અને એની પરંપરા ચાલુ રાખવી આવશ્યક છે. જ્યારે આપણે તર્પણમાં ભીષ્મપિતામહ વગેરેને આદર કરીયે છીએ ત્યારે આ રાષ્ટ્રીય યોદ્ધાઓ જેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જીવન હોમીને સ્વતંત્રતા ઘર આંગણે’ આણી, તદુપરાંત સ્વતંત્રભારતની નાવને ભયંકર વાવંટોળમાંથી પાર કરી, એવા વીરોનું સન્માન કરવું એ આપણા રાષ્ટ્રીય ધર્મ છે, જેનું પાલન સાચા સ્વરૂપમાં થવું જોઈએ. પાશ્ચાત્યો આ બાબતમાં જે કાંઈ કરતા હોય એ પ્રમાણે વર્તવું એવા આપણા આદર્શ હોવા ન ઘટે. આપણા દેશ આપણી પરંપરા અનુસાર હોવા જોઈએ. સારા ભારતને ખૂણે ખૂણે સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના અવશેષો પર અસંખ્ય સ્તૂપો બંધાવ્યાં હતાં. એ પરંપરાના આપણે વારસદાર છીએ, એ પરંપરા આપણી સન્મુખ આદર્શ રૂપે રાખીને ચાલવું ઘટે”. આ બન્ને મહાશયોના અભિપ્રાયો અંગે પૂરા આદરપૂર્વક વિચાર કરવા છતાં પણ, મારા મૂળ વિચાર અને વલણમાં ફેરફાર કરવાની મને જર પણ જરૂર લાગતી નથી. જેમ કોઈ મખમલની પેટીમાં પડેલા કોહીનૂર લઈ લેવામાં આવે પછી તે પેટીની કીંમત કોડીની બની જાય છે તેવી જ રીતે માનવદેહને પ્રભાવિત કરતી ચેતના વિસર્જિત થયા બાદ તે દેહનું કોઈ મહત્ત્વ જ નથી તેનો જેમ બને તેમ જગ્દિથી અગ્નિસંસ્કાર દ્વારા નીકાલ કરવામાં આવે તે જ ઈષ્ટ અને આવશ્યક છે.—આવી જે સ્પષ્ટ સમજણ આપણને સૈકાઓથી પ્રાપ્ત થઈ છે તેને પૂરા અર્થમાં વફાદાર રહેવું અને તે મુજબ વર્તવુંએટલું જ કર્તવ્ય આપણને પ્રાપ્ત છે. એ દીવા જેવું સ્પષ્ટ છે કે અગ્નિસંસ્કાર બાદ અવશેષ રહેલી ભસ્મમાં કે અસ્થિમાં કોઈ દૈવત કે પવિત્રતા સંભવે જ નહિ. તેમાં દૈવત કે પવિત્રતા કલ્પવી કે આરોપવી એ પદાર્થ છેડીને પડછાયાની પૂજા કરવા બરોબર છે. આમ વિચારવા કે વર્તવામાં પશ્ચિમનું અનુકરણ રહેલું છે એમ માનવાને કોઈ કારણ નથી. તત્કાલીન પરંપરાને વશ વર્તીને સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના અવશેષો ઉપર ભલે રૂપા રચાવ્યા. પણ એ ઉપરથી ભગવાન બુદ્ધના દેહાવશેષોને આપવામાં આવેલ મહત્ત્વનું ઔચિત્ય કોઈ અંશમાં તર્કયુકત બનતું નથી. અને આજના જમાનાની અનિવાર્ય માગ છે કે માનવી જીવનને બૌધિક સ્તર ઉપર ઊંચે ઊઠાવવું હોય અને એમ હાય, તે આવી તત્ત્વહીન માન્યતાઓ જેટલી બને તેટલી જલદીથી નાબૂદ કરવી ઘટે છે. વળી સમય જતાં ભસ્મ કે અસ્થિના આવા વહેમભર્યા અવલંબન વિના પણ એક યા અન્ય મહાપુરુષ પ્રત્યે–ભગવાન બુદ્ધ અથવા તા મહાવીર પ્રત્યે– ભકિતભાવ દાખવતાં અનેક આલીશાન મંદિરો નિર્માણ થતાં રહ્યાં છે. એ પુરવાર કરે છે કે ભકિતભાવ ઉત્તેજિત કરવા માટે આવા ભ્રાન્તિજનક અવલંબનનો આધાર લેવાની કોઈ જરૂર નથી. કલકત્તાથી એક સ્નેહી સ્વજન જણાવે છે કે “ભમ્મવિસર્જનની ક્રિયામાં ઔચિત્ય કેટલું ?–એ લેખ અને તમારી નોંધને વધારે જાહેરાત મળવી જોઈએ. આ વિષય ઉપર જાહેર જનતાએ ગંભીરતાથી વિચાર કરતાં થવું જોઈએ.. જન્મભૂમિ, મુંબઈ સમાચાર, સંદેશ, ગુજરાત સમાચાર અને અંગ્રેજી અખબારોમાં આ બન્ને છપાય તે બહુ સરસ થાય. ગાંધીયુગમાંથી પસાર થયેલું ભારત ગાંધીજીની સાદાઈને આટલું જદિથી તાન જ ભૂલી શકે. આ મહત્ત્વનો મુદ્દો ધ્યાનમાં લઈને શ્રી શ્રીપ્રકાશે પોતાના પ્રસ્તુત લેખમાં જે વિચારકોણી ૨ જૂ કરી છે તે માટે તેમ જ તે પોતે પ્રખર હિન્દુ હોઈને આવું વિચારી શકે છે તે માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે.” કલકત્તાથી એક સુશિક્ષિત બહેન એ લેખ તથા નોંધ વાંચીને જણાવે છે કે “ભમ્મવિસર્જનની ક્રિયા પાછળ જે ખર્ચ થાય છે તેનો ખ્યાલ કરીને, જો ઉપરથી શાસ્રીજી સંદેશા માકલી શકતા હોત ત જરૂર કહેત કે આવી ઘેલછા બંધ કરો. લેખ તથા નોંધ ખૂબ ગમી. ઘણાના મનમાં આવું લાગતું હશે, પણ તેઓ જાહેરમાં કહી શકતા નથી. કોઈએ તો અવાજ ઊઠાવવા જ જોઈએ. આ માટે તમાને હું હાર્દિક ધન્યવાદ આપું છું,” ભાવનગરથી મારા મિત્ર શ્રી હરભાઈ ત્રિવેદી જણાવે છે કે “ભસ્મવિસર્જન ઉપરની તમારી નોંધ માટે તમને કેટલા ધન્યવાદ આપું ? બંધિયાર વિચાર અને રૂઢ માન્યતાઓમાંથી આપણા દેશ બહાર આવતા જ નથી તેનું ભારે દુ:ખ રહે છે ત્યારે તમારા સામું જોઈને શાન્તિ અનુભવાય છે.” બીજી બાજુએ માન્યવર મુરબ્બી સર મણિલાલ બાલાભાઈ નાણાવટી ઘેાડા દિવસ પહેલાં કોઈ એક લગ્નને લગતા સત્કાર સમારંભ પ્રસંગે મળેલા અને પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા પ્રસ્તુત લેખ અંગેનું પોતાનું સંવેદન સહજપણે વ્યકત કરતાં તેમણે એ મતલબનું જણાવેલું કે “શ્રીપ્રકાશના આ વિચારો અને વલણ સાથે હું સંમત થતો નથી. મૃતાત્માની ભસ્મ કે અસ્થિ એ તેના સ્મરણાવિશેષ છે. ગાંધી, જવાહરલાલ કે શાસ્ત્રી જેવા મહાપુરૂષના આવા દેહાવશેષનું આપણે જેટલું બહુમાન કરીએ તેટલું તે મહાપુરુષનું બહુમાન કરવા બરોબર છે અને રાષ્ટ્રની દષ્ટિએ આ બહુમાન જરૂરનું છે. આ બાબતને વિચાર તે પાછળ થતા કેવળ ખર્ચની દષ્ટિએ કરવા ન ઘટે.” બનારસ હિન્દુ યુનિવર્સિટી અન્તર્ગત ભારત કલાભવનના ડિરેકટર મારા પુરાણા મિત્ર રાયકૃષ્ણદાસ એ જ બાબત એક પત્ર દ્વારા નીચે મુજબ જણાવે છે : “આપણા રાષ્ટ્રીય જીવનને વીસ વરસ પૂરા થયાં છે. કોઈ પણ રાષ્ટ્રના જીવનમાં વીસ વરસનો કાળ નહિ જેવા ગણાય. આપણામાં રાષ્ટ્રીયભાવના અને ભાવાત્મક રાષ્ટ્રીય એકતાની ઉણપ છે. આપણે ધર્મના નામ ઉપર એકતા વિચારી શકીએ છીએ, જાતિવાદ પર વિચારી શકીએ છીએ, નગરો અને પ્રાંતાના નામ પર વિચારી શકીએ છીએ, પરંતુ અખંડ રાષ્ટ્રીય એકતા પર વિચારવાની અને આચરમાલિક : શ્રી:મુ ખાઈ જૈન યુવક સધ: મુદ્રક પ્રકાશક::શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. સુબઇ-૩, મુદ્રણસ્થાન ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ ઈજીપ્તમાં પાંચ હજાર વર્ષ પૂર્વે રાજવીઓના મૃતદેહોને, તેમાં મશાલા ભરીને, જાળવવામાં આવતા અને તેનું જાહેરમાં બહુમાન કરવામાં આવતું. આજે પ્રચલિત બનેલી ભસ્મપૂજા ઈજિપ્તમાં એક વખત પ્રચલિત બનેલી મમી પૂજાના અવશેષ છે એમ સમજીને આ નવા આકારની મમીપૂજામાંથી આપણા પ્રજાજનોને સત્ત્વર મુકત કરવા આપણે કટિબદ્ધ થવું જોઈએ. પરમાનંદ Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઇ જૈન યુવક સ’ઘનું પાક્ષિક મુખપત્ર છૂટ્ક નકલ ૨૫ પૈસા Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જૈનતુ નવસસ્કરણ વર્ષ ૨૭ : અંક ૨૩ મુંબઈ, એપ્રિલ ૧, ૧૯૯૬, શુક્રવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા ✩ પ્રકી નોંધ માનકરે દિલ દઈને પ્રયત્નો કર્યા હતા. એમને મનગમતું અને પોતાના જીવનકાર્યને જ આગળ વધારતું એ કામ હતું. આ કાયદાને લીધે દેશમાં એનીમલ વેલફેર બોર્ડ (પ્રાણીકલ્યાણ બોર્ડ)ની રચના થઈ છે; અને શ્રીમતી રૂક્ષ્મણીદેવી એના અધ્યક્ષ છે. ‘પ્રાણીમિત્ર’ શ્રી જયન્તીલાલ માનકરનું રાષ્ટ્રપતિએ કરેલું બહુમાન (થોડા સમય પહેલાં એનીમલ વેલફેર બોર્ડે જીવદયાના આજીવન મીશનરી શ્રી જયંતીલાલ માનકરને ‘પ્રાણીમિત્ર’ ના ખિતાબ આપવાના નિર્ણય કરેલા અને એ ખિતાબ તેમને તા. ૩૧-૧-૬૬ ના રોજ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનના હાથે નવી દિલ્હી ખાતે અર્પણ કરવામાં આવેલા. આ સમારંભની તા. ૧૯-૩-૬૬ ના ‘જૈન’માં પ્રગટ થયેલી વિગતો અને તંત્રીનોંધ ઉપરથી સંકલિત કરીને નીચેની નોંધ તૈયાર કરવામાં આવી છે. તંત્રી) જીવદયા માટે ઉચ્ચ ધેારણે પ્રયાસે કરનાર મહાનુભાવો પ્રત્યે દેશની કૃતજ્ઞતાની લાગણી પ્રદર્શિત કરવા માટે પ્રાણીકલ્યાણ બોર્ડે એવી વ્યકિતઓને “પ્રાણીમિત્ર’ને સાર્થક ખિતાબ આપવાનો નિર્ણય કર્યો છે; અને એ ખિતાબ માટે સર્વ પ્રથમ શ્રી માનકર જેવા સન્નિષ્ઠ કાર્યકરની વરણી કરવામાં આવી છે. તા. ૩૧-૧-૬૬ ના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના વરદ હસ્તે શ્રી માનકરને આ ખિતાબ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ગૌરવપૂર્ણ સમાર’ભ પ્રસંગે આ બોર્ડના અધ્યક્ષ શ્રીમતી રૂક્ષ્મણી એરન્ડલે શ્રી માનકરને ‘પ્રાણીમિત્ર’ના ખિતાબ અર્પણ કરવાની વિનંતિ કરતાં નીચે મુજબ નિવેદન કર્યું હતું: “શ્રી જયન્તીલાલ માનકર એનિમલ વેલફેર બોર્ડના સભ્ય છે; એમણે પ્રાણીના કલ્યાણના કાર્યમાં પેાતાના જીવનને અર્પણ કર્યું છે, અને છેલ્લાં ૪૧ વર્ષથી ભારતમાં પ્રાણીઓના કલ્યાણનાં કાર્યોમાં પોતાની સતત અથાક સેવા અપી છે. અહિંસા અને પ્રાણીદયા એ ધર્મનાં મુખ્ય અંગો છે, ધર્મના પ્રાણ છે અથવા સાક્ષાત્ ધર્મ જ છે. એટલે જેઓ અહિંસા અને પ્રાણીદયાના હિમાયતી અને ઉપાસક બનીને એના પાલન તેમ જ પ્રચારને માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે, તેઓ ધર્મનું કે ધર્મના પ્રસારનું જ કામ કરે છે. આપણે ત્યાં જીવદયા અને એના ફેલાવાને પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારીને એવા ધર્મકાર્ય માટે દિલ દઈને ભાવનાપૂર્વક સતત પ્રયત્ન કરનાર કાર્યકરોમાં શ્રીયુત જયંતીલાલ નારદલાલ માનકરનું સ્થાન આગળ પડતું છે. જીવદયા અને જીવનરક્ષાના કાર્યમાં જીવનના આનંદનો અનુભવ કરનાર અને દેશ-વિદેશમાં એના ધર્મસંદેશ પહોંચતા કરવામાં આતપ્રોત બનીને એની પાછળ દિવસ કે રાત અને ઊંઘ અને આરામને વિસરી જનાર શ્રી માનકર આ કાર્યક્ષેત્ર અંગે બહારના દેશમાં કરુણા અને અહિંસાપરાયણ ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ બની ગયા છે, અને એ રીતે આપણા દેશ ઉપરાંત બહારના દેશમાં પણ એમની નામના થઈ છે, એ આપણ સૌને માટે આનંદ અને ગૌરવની બીના છે. સેવાના કોઈ પણ ક્ષેત્રમાં આવા ઉમંગી, કાર્યદક્ષ, નિષ્ઠાવાન, નિ:સ્વાર્થ અને ભાવનાશીલ કાર્યકર્તા મળવા એ ખુશનસીબી લેખાવી જોઈએ. મુંબઈ જીવદયા મંડળી પ્રાણીદયા અને પ્રાણીરક્ષાના પોતાના - પવિત્ર ધ્યેયને પાર પાડવાની દિશામાં અત્યાર સુધીમાં જે કઈ નોંધપાત્ર પ્રગતિ સાધી શકી છે, એમાં શ્રી માનકરની દાયકાઓની સેવાભાવભરી કામગીરીના ફાળો ઘણો મોટો છે. આ માટે સૌ જીવદયા પ્રેમીઓએ અને અહિંસા ધર્મના ચાહકોએ એમને આભાર માનવા ઘટે છે, અને એમને હાર્દિક ધન્યવાદ આપવા ઘટે છે. પ્રાણીદયાનું એટલે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાના નિવારણનું તેમજ પ્રાણીઓની રક્ષાનું કામ દેશવ્યાપી રાષ્ટ્રીય ધોરણે થઈ શકે એ માટે જાણીતાં જીવદયાપ્રેમી શ્રીમતી રુક્ષ્મણીદેવી એરડેલના અવિરત પ્રયાસેાથી લોકસભાએ એક કાયદા પસાર કર્યો છે, અને ૧૯૬૦માં એ કાયદો દેશભરમાં અમલી બન્યો છે. આ કાયદો પસાર થાય એવું વાતાવરણ દેશમાં તૈયાર કરવામાં શ્રી. ‘એમના જન્મ જામનગરના એક ઉચ્ચ સંસ્કારી કુટુંબમાં ૩૧મી ઑગસ્ટ ૧૮૯૫ને દિને થયા હતા. એમણે વિદ્યાભ્યાસનો આરંભ જામનગરની એક નિશાળમાં કર્યો હતો અને કૉલેજ-શિક્ષણ જૂનાગઢ તથા વડોદરામાં મેળવ્યું હતું. ત્યારપછી એમણે શિક્ષક તરીકે જીવન આરંભ્યું હતું અને આગળ જતાં રાજકોટની મિશન ગર્લ્સ હાઈસ્કૂલના હેડમાસ્તર બન્યા હતા. એમણે જામનગર સંસ્થાનમાં વકીલાતની સરકારી સનદ મેળવી હતી, પણ વકીલાત શરૂ કરી નહોતી. ૧૯૨૦માં એમણે મુંબઈમાં નિવાસ કરીને શેર દલાલના વ્યવસાય શરૂ કર્યો. આ વ્યવસાયમાં મોટી કમાણી તથા ઉજ્જવલ ભાવીને સંભવ હોવા છતાં એમણે એ છેડયો અને પ્રાણીકલ્યાણના દુષ્કર અને ઉપેક્ષા પામેલા સેવાક્ષેત્રમાં હૃદયની પૂર્ણનિષ્ઠાથી ઝંપલાવ્યું. “શ્રી માનકરને આ ઉમદા સેવાકાર્યમાં પોતાનું જીવન અર્પવાની પ્રેરણા મુંબઈ જીવદયા મંડળીના સ્થાપક દયાલંકાર શ્રી લલ્લુભાઈ ડી. ઝવેરી તરફથી મળી હતી. શ્રી માનકરે જીવદયા મંડળીના કાર્યની પુનર્ભવસ્થા કરી. એ ઉપરાંત અનેક પ્રાણીકલ્યાણની સંસ્થા સ્થાપી. આ કાર્યમાં એમણે ભારતના એક છેડાથી બીજા છેડા સુધી અસંખ્ય પર્યટનો કર્યાં છે. પંચમહાલ (ગુજરાત), બિહાર, ઓરિસ્સા પંજાબ, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં ધરતીકંપ, દુષ્કાળ અને જલસંકટ દરમ્યાન શ્રી માનકરે ઢોરના સંકટ નિવારણની વ્યવસ્થિત યોજના રચી હતી અને એ યોજના વડે લાખો Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૬૬ ઢેરને ભૂખમરા વગેરેથી અવશ્ય થનારા મૃત્યુમાંથી ઉગાર્યા હતા. ઉપયોગી રના વધને નિષેધ અને નિગ્રહ કરાવવામાં એમને ફાળો સ્તુત્ય અને સફળ હતા. એમણે ગૌશાળા અને પાંજરાપોળોની પુનર્વ્યવસ્થા કરી છે અને પ્રાણી પ્રત્યેની કૂરતાનિવારણ માટે મારા તરફથી રાજ્યસભામાં પેશ કરવામાં આવેલા ખરડાની તરફેણમાં અનુકૂળ લેકમત સાધવામાં પણ ઘણા ફાળો આપ્યો છે. આ દેશની અનેક પ્રાણી કલ્યાણકારી સંસ્થાઓ સાથે તેઓ એક અથવા બીજા પ્રકારે કે અધિકારે સક્રિય રીતે સંકળાયેલા છે. " “પ્રાણી કલ્યાણ મંડળ વતી એ સંસ્થાના પ્રમુખ તરીકે ભારતના રાષ્ટ્રપતિ ર્ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ને હું વિનંતિ કરે છે કે, ' શ્રી જયંતીલાલ ના. માનકરને, એમના પ્રાણી-કલ્યાણના મહાન સેવાકાર્યની કદરના પ્રતીકરૂપે, ૧૯૬૬ ના વર્ષનું પ્રાણીમિત્ર પારિતોષિક ચંદ્રક તેઓ પોતાના વરદ હસ્તે અર્પણ કરે.” ત્યાર બાદ મહામના રાષ્ટ્રપતિએ પ્રસ્તુત ખિતાબ અર્પણ કરતાં શ્રી માનકરને નીચે મુજબ અંજલિ આપી હતી :- “હું જાણું છું કે, શ્રી જયન્તીલાલ માનકર છેલ્લાં ૪૦ વર્ષથી ગેરક્ષા, જીવદયા અને પ્રાણી કલ્યાણનું કાર્ય કરે છે. આવી કલ્યાણકારક પ્રવૃત્તિ માટે જીવન અર્પણ કરવું એ મહાન ઘટના છે. શ્રી. માનકરને હું એમની અનેકવિધ પ્રવૃત્તિ માટે અભિનંદન આપું છું, અને આશા રાખું છું કે, અહિંસામાં શ્રદ્ધા ધરાવનાર ભારતીય જનતા એમના ઉજજવળ ઉદાહરણનું અનુકરણ કરી દેશમાં ચાલતી હિંસા અને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાને રોકવા માટે તથા કરૂણાધર્મના પ્રચાર માટે વધારે ખંત અને ઉત્સાહથી કાર્યપરાયણ બનશે. શ્રી જયન્તીલાલ માનકરને ‘પ્રાણીમિત્રોને એર્ડ આપતાં હું આનંદ અનુભવું છું અને તેઓ દીર્ધકાળ સુધી આપણા ભલા પ્રાણીમિત્રોની સેવા કરે એ શુભેચ્છા સાથે આ પદક અર્પણ કરું છું.” રાષ્ટ્રપતિના આ ઉદાત્ત ઉદ્ગારે સર્વ કોઈ અહિંસા અને જીવદયાપ્રેમીઓની શ્રી માનકર પ્રત્યેની કૃતજ્ઞતા અને પ્રશંસાની લાગણીને પડઘો પાડે છે. આપણે પણ એમાં સૂર પુરાવીએ અને શ્રી માનકર તન્દુરસ્તીભર્યું દીદી જીવન ભેગવે અને પશુદયાનાં અનેક કાર્યો તેમના હાથે થતાં રહે એવી આપણે તેમના વિશે શુભેચ્છા ચિન્તવીએ અને ઊંડા દિલની પ્રાર્થના કરીએ ! સૌમ્યવદન ડો. પી. એમ. સાંગાણી સર હરકીશનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલની મેનેજીંગ કાઉન્સીલ તરફથી મુંબઈ ખાતે વનિતા વિશ્રામના ચોગાનમાં માનનીય રેલ્વેપ્રધાન શ્રી એસ. કે. પાટિલની અધ્યક્ષતા નીચે સર હરકીશનદાસ નરોત્તમદાસ હૉસ્પિટલના સંનિષ્ટ સુપ્રીન્ટેન્ડન્ટ - નિયામક - . પ્રાણજીવનદાસ એમ. સાંગાણીનું, તેમણે હોસ્પીટલની લાગલગાટ ૩૫ વર્ષ સુધી એકસરખી સેવા કરી તેની કદરરૂપે, તા. ૨૬-૩-૬૬ના રોજ સન્માન કરવામાં આવ્યું હતું. આજ વર્ષે તેમણે જીંદગીનાં ૬૦ વર્ષ પૂરાં કર્યાં હતાં. એ આ સમારંભ સાથે જોડાયેલા અણધાર્યો સુયોગ હતું. આ પ્રસંગે તેમને શહેરના નામી સર્જન તેમજ ઊંઝીશિયને તથા મુંબઈના આગેવાન નાગરિક તરસ્થી અત્યન્ત ભાવભરી અંજલિ આપવામાં આવી હતી. સર હરકીશનદાસ હૈપ્પીટલના મેનેજીંગ કાઉન્સીલના પ્રમુખ શેઠ શ્રી ગોરધનદાસ ભગવાનદાસનું, તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીને ઈલ્કાબ મળવા બદલ, હા થોડા સમય પહેલા જ ગયા ઍકટોબર માસ દરમિયાન બહુ મોટા પાયા ઉપર મહારાષ્ટ્ર રાજ્યના રાજયપાલ . ચેરિયનના પ્રમુખપણ નીચે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી ગોરધનદાસ ભાઈ હૈસ્પિટલની મેનેજીંગ કાઉન્સીલના પ્રમુખ અને ડૅ. સાંગાણી હૈસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટ-આ બન્નેની જોડીએ અથવા તે આ બન્નેના જોડાણે હૉસ્પિટલને તેના થઈ રહેલા સતત વિકાસ અને વિસ્તારની આ કક્ષાએ પહોંચાડવામાં અસાધારણ ફાળો આપ્યો છે. આમાં પણ કોઈ પણ સંસ્થાના પ્રમુખ કે ટ્રસ્ટીપદ ઉપર આવ્યા બાદ તેના માટે અન્ય સાથે અથડામણના બહુ ઓછા અંગે હોવાથી તે સ્થાન ઉપર તે વ્યકિત મોટા ભાગે વર્ષો સુધી ચાલુ રહી શકે છે; પણ એક મોટા હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટના વિપુલ જવાબદારીભર્યા સ્થાન ઉપર આટલી લાંબી મુદત સુધી ચાલુ રહ્યાની ઘટના ભાગ્યે જ અન્ય કોઈ સુપ્રીન્ટેન્ડન્ટના સંબંધમાં બની હશે, કારણ કે, એક હૉસ્પિટલના સુપ્રીન્ટેન્ડન્ટની જવાબદારી કેઈ પણ રાજ્યના પ્રધાનમંત્રી જેવી અત્યંત કપરી હોય છે. તેણે ડૉક્ટરને એટલે કે તેમના મીજાજને સંભાળવાના હોય છે; વહીવટકર્તા ટ્રસ્ટીઓને સંભાળવાના હોય છે; નાને પણ રાયને દાણે એવી નસેને સંભાળવાની હોય છે; તરેહ-તરેહના દર્દીઓને પણ સંભાળવાના હોય છે; અને આજના લેબર યુનિયન અને તેની ધાકધમકી સામે હૉસ્પિટલની વ્યવસ્થાને તેણે એક સરખી ટકાવી રાખવાની હોય છે. આવી અત્યંત જટિલ જવાબદારી સંભાળવા માટે માત્ર તબીબી કુશળતા પૂરતી નથી. તે માટે કુનેહ, મિતભાષિતા, દક્ષતા અને પ્રકૃતિની સમતા અત્યન્ત જરૂરી છે. આ ઉપરાંત સંસ્થાના શ્રેય ખાતર કદિ કદિ કડવા ઘૂંટડા ગળવાના પ્રસંગો પણ ઉપસ્થિત થાય છે. આ ગુણો અને આ તાકાત . સાંગાણીએ, ૩૫ અથવા તે ૩૭ વર્ષની તેમની સર હરકીશનદાસ નરોત્તમદાસ હૈસ્પિટલની ઉજજવલ કારકીર્દી દ્વારા, પિતામાં હોવાનું આબાદ પુરવાર કરી આપેલ છે. હોસ્પિટલને પણ છેલ્લા ૩૫ વર્ષના ગાળામાં તેમની દેખરેખર નીચે કેટલો બધો વિકાસ થયો છે? આ સર્વ માટે આપણે ડં. સાંગાણીને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે, વિશેષ ધન્યવાદ તે ડે. સાંગાણીને ઘટે છે તેમની પ્રસ્તુત હૌસ્પિટલ અંગેની અપૂર્વ નિષ્ઠા માટે. આજે શકિતશાળી વ્યકિતને - આગળ વધવા માટે કેટલાં બધાં આકર્ષણ ઊભાં થયાં છે? ઉતરતા સ્થાનેથી ચડિયાતા સ્થાને જવાનાં પ્રલોભને આવી વ્યકિત સામે મોજુદ હોય છે. એમ છતાં અમુક હોસ્પિટલ જેવા એક નાના ખુણાને પિતાની સર્વ શકિતઓ અર્પિત કરવી, તેના વિકાસને જ પોતાને વિકાસ સમજવા-આવી નિષ્ઠા આજે વિરલ જોવા મળે છે . સાંગાણીની સફળતા તેમની સ્વસ્થ, પ્રસન્ન, ધીરગંભીર એવી પ્રકૃતિને આભારી છે. ગમે તેવી ગુંચવણભરી પરિસ્થિતિ ઊભી થાય, તો પણ અકળાવું નહિ, મુંઝાવું નહિ અને સ્વસ્થતાપૂર્વક ઉકેલ શોધવ, દર્દી તરીકે અનેક નાના મોટા માણસો આવે-અને મેટા માણસો તે પોતાને મીજાજ સાથે લઈને જ હોસ્પિટલમાં આવે છે-એમ છતાં સૌ કોઈને સંતોષ આપવા પ્રયત્ન કરવા અને સામેના ઉશ્કેરાટ સામે બને ત્યાં સુધી ઉશ્કેરાવું નહિઆ તેમની ખાસિયત છે. જેવી તેમની સૌમ્ય પ્રકૃતિ છે તેવી જ તેમને ભગવાને મધુર આકૃતિ આપી છે. વળી તેઓ માત્ર એકગી ડૉક્ટર નથી; રોટરી ક્લબના તેઓ એક આગેવાન સૂત્રધાર છે; જાહેર જીવનના અનેક ક્ષેત્રોમાં તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિએમાં તેઓ સારે રસ ધરાવે છે. મુંબઈના આજે તેઓ એક અગ્રગણ્ય નાગરિક લેખાય છે. આ બધા આત્મકર્મના પાયામાં એક પરિમિત પ્રવૃત્તિ પ્રત્યેની તેમની વફદારી અને તે પ્રવૃત્તિ અંગે તેમણે દાખવેલી અસાધારણ કાર્યકુશળતા રહેલી છે. તવજ્ઞાનમાં એક રમૂત્ર છે કે જેણે એકને જાણ્યું તેણે સર્વને જાણ્યું. સેવાના ક્ષેત્રમાં પણ એટલું જ સાચું છે કે જેણે એકની સેવા સાધી અને તેને જીવન સમર્પણ કર્યું તેણે સમસ્ત જગતની સેવા સાધી. ર્ડા. સાંગાણી વિષે આમ કહેવામાં જરા પણ અત્યુક્તિ નથી. ડૅ. સાંગાણીને આપણે આરોગ્યભર્યું દીર્ઘ આયુષ્ય ઈચ્છીએ અને તેમની દેખરેખ નીચે સર હરકીશનદાસ હૈસ્પિટલ ફાલતું ખુલતું રહે એવી આપણા અતરની પ્રાર્થના હો ! Page #69 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૬૬ પ્રબુદ્ધ જીવન ૨૩૫ પાટણ ખાતે ઊભું કરવામાં આવેલ નવા જનરલ હૉસ્પિટલનું ઉદ્ઘાટન જ્યારે આપણામાંની જ કોઈ એક પ્રાણવાન વ્યકિત દ્રવ્યો- પાર્જનના ચાલુ વ્યવસાયના ભારથી હળવી બનીને લોકસેવાના કોઈ એક ચોક્કસ માર્ગે વળે છે અને તે પાછળ પિતાની સર્વશકિતઓને એક મીશનરીની તમન્નાથી કેન્દ્રિત કરે છે ત્યારે તે કેટલું મોટું પરિણામ લાવી શકે છે અને તેની આ નવી પ્રવૃત્તિ સ્થાનિક અને આસપાસ વસતી જનતાને કેટલા મેટા આશીર્વાદ રૂપ બને છે તેનું દાન્ત મુંબઈના જાણીતા હીરાના વ્યાપારી શ્રી હીરાલાલ ભેગીલાલ શાહ અને તેમણે આજથી ૧૩ વર્ષ પહેલાં પાટણ ખાતે સ્થાપેલ અને શરૂ કરેલ ‘ભારતીય આરોગ્ય નિધિ” નામની સંસ્થા પુરૂં પાડે છે. પાટણ શહેરથી એકાદ માઈલ દૂર એક મોટા ક્ષેત્રફળને આવરી લેતા વિભાગ ઉપર આ સંસ્થાનાં વિવિધલક્ષી મકાને ઊભા કરવામાં આવ્યા છે અને ટી. બી. સેનેટૅરિયમ, ટી. બી. કિલનિક, સજિકલ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલ – આટલી સંસ્થાએ ભારતીય આરોગ્યનિધિના ઉપક્રમે આજ સુધીમાં અસ્તિત્વમાં આવી છે અને પાટલ અને તેની આસપાસ વસતી જનતાને અનેક તરેહની વૈદ્યકીય રાહત પૂરી પાડી રહેલ છે. આ આરોગ્યનિધિ તરફથી મુંબઈમાં પણ એક એકસ-રે ઍક્યુલંસ-ઍકસ-રેને લગતું મોબાઈલ હૈસ્પિટલબે વર્ષથી ચાલુ કરવામાં આવેલ છે અને તે દ્વારા મુંબઈની જનતાને ટી. બી. અંગે મફત ઍકસ-રે ટ્રીટમેન્ટ અપાઈ રહી છે. આ ઉપરાંત પાટણ અને આસપાસના પ્રદેશમાં તેમજ મુંબઈના પરામાં વસતી બહેનને અને બાળકોને અમેરિકાની ‘કેર” નામની સંસ્થા તરફથી મળેલ આશરે રૂા. ૧૦,૦૦૦ ૦૦૦ ની કીંમતના મિલ્ક પાવડર, ઘી, ચોખા, ઘઉં, વગેરે બીજી ખાદ્ય વસ્તુઓ ઘેડાં વર્ષ પહેલાં મફત વહેંચીને ત્યાંની જનતા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો હતો. આ ઉપરાંત બીજા પણ અનેક સેવા તથા રાહતનાં કાર્યો આ ભારતીય આરોગ્યનિધિ તરફથી થતાં રહ્યા છે. આ સર્વ પરિણામ આરોગ્યનિધિના મુખ્ય આયોજક અને સંચાલક શ્રી હીરાલાલ ભેગીલાલ શાહના સેવાનિષ્ઠ પુરૂષાર્થને આભારી છે. તેમણે હીરાના ધીકતા ધંધાની ચિન્તા બાજુએ મૂકીને ભારતીય આરોગ્યનિધિના કાર્ય પાછળ પોતાની સર્વશકિતઓનો યોગ આપ્યો છે અને તેનું પરિણામ એક વિરાટ કલ્યાણ કેન્દ્રનું નિર્માણ થવામાં આવ્યું છે. સમય જતાં આ સતત વિકસતી પ્રવૃત્તિમાં એક જનરલ હૈસ્પિટલની પુરવણી કરવાનું જરૂરી બન્યું. આ સ્પીટલનું મકાન ઊભું કરવા માટે મારા મિત્ર શ્રી ચંદુલાલ મેહનલાલ ઝવેરી અને તેનાં પત્ની તારાબહેને એક લાખની રકમ આપવાની ઈચ્છા દર્શાવી. તેમની આ દરખાસ્તને સંસ્થાની કાર્યવાહક સમિતિએ સહર્ષ સ્વીકાર કર્યો અને પરિણામે જોતજોતામાં ઉભું કરવામાં આવેલ હૈસ્પિટલના નવા મકાનનું તા. ૧૯-૩-૬૬ શનિવારના રોજ ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન શ્રી મોહનલાલ વ્યાસના હાથે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગ ઉપર આચાર્ય રજનીશજી ખાસ પધારે અને આશીર્વચન સંભળાવે એવી ભાવના આરોગ્યનિધિના કાર્યકર્તાઓના અને ખાસ કરીને ચંદુભાઈ અને તારાબહેનના દિલમાં ઊભી થઈ અને તેમની ભાવના જબલપુર જેટલા દૂરના રથળેથી આચાર્યશ્રીને આ પ્રસંગ ઉપર પાટણ સુધી ખેંચી લાવી. પ્રસ્તુત ઉદ્ઘાટન પ્રસંગે તેમણે પ્રેરક પ્રવચન કર્યું. ત્યાર પછી પણ પાટણ ખાતે એ દિવસે સાંજે તથા પછીના દિવસની સવારે એમ તેમનાં બે પ્રવચને થયાં. આ રીતે આ ઉદ્ઘાટન પ્રસંગ પાટણના પ્રજાજને માટે એક વૈચારિક સંમેલન જેવો બની ગયો હતો. ભાઈશ્રી હીરાલાલ શાહે આ પ્રસંગે જણાવ્યું કે આ હૈસ્પિટલના અનુસંધાનમાં બહુ ટૂંક સમયમાં નર્સેઝ કૅલેજ શરૂ કરવામાં આવશે. ત્યાર પછી એક મેડિકલ કોલેજ માટે આવશ્યક એવાં બધાં ઘટકો ઊભા થતાં પાટણ ખાતે બહુ થોડા સમયમાં એક મેડિકલ કૅલેજ ઊભી થવી જોઈએ-કરવી જોઈએ એવો પોતાને મનેરથ તેમણે રજૂ કર્યો અને ગુજરાત સરકાર પણ આ રીતે અહીં મેડિકલ કૅલેજ ઊભી કરવાનો વિચાર કરતી થાય એવી તેમણે તત્કાળ ઉપસ્થિત આરોગ્ય પ્રધાનને વિનંતિ કરી. આપણે ઈચ્છીએ કે ભાઈ હીરાલાલ શાહનું આ સ્વપ્ન જદિથી મૂર્ત રૂપ ધારણ કરે અને એ રીતે પાટણ શહેર વૈદ્યકીય રાહત અને ઉપચારોનું તેમ જ વૈદ્યકીય શિક્ષણનું એક મહત્ત્વનું કેન્દ્ર બને. જણાવવા આનંદ થાય છે કે, ભાઈ હીરાલાલ શાહના અને ભારતીય આરોગ્યનિધિના આજ સુધીના સેવાકાર્યથી પ્રભાવિત બનીને ઉદ્ઘાટન પ્રસંગ ઉપર ઉપસ્થિત થયેલા મારા અન્ય મિત્ર શ્રી મથુરાદાસ મંગળદાસ પારેખે ભારતીય આરેગ્યનિધિને રૂ. ૨૫૦૦૦ ની રકમ ભેટ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. આમ વૈદ્યકીય રાહતની પ્રવૃત્તિને એક યા બીજી રીતે વેગ આપતા આ મિત્રો -- શ્રી હીરાલાલ ભોગીલાલ શાહ, શ્રી ચંદુલાલ મોહનલાલ ઝવેરી તથા શ્રી મથુરાદાસ મંગળદાસ પારેખ--આપણા સર્વના હાર્દિક અભિનંદનના અધિકારી બને છે. પમાનંદ સમર્થ સત્યાગ્રહી સ્વ. ઈશ્વરભાઈ દેસાઈ ફેન્ચ તત્ત્વવેત્તા રૂસેએ લખ્યું હતું કે સેક્રેટીસ તત્ત્વજ્ઞાનીની જેમ મર્યો, ઈસુ દેવ તરીકે મર્યો. ગયા સેમવારે અમદાવાદમાં અવસાન પામેલા શ્રી ઈશ્વરભાઈ દેસાઈ અન્યાય સામે બળવાખોર તરીકે જીવ્યા હતા અને છેવટ સુધી બળવાખેર જ રહ્યા. તા. ૨૧-૩-૬૬ના રોજ નીપજેલા એમના અકાળ અને આકસ્મિક અવસાનથી ખાસ કરીને ગુજરાતને ગંભીર જખમ થયું છે. ઈશ્વરભાઈએ ગાંધીજીના દાંડીનમક સત્યાગ્રહથી ગુલામી સામે બળવાની શરૂઆત કરી અને જ્યારે દેશમાં રાજકીય ગુલામીને અંત આવ્યો ત્યારે પીડિત અને શોષિત લોકોની આર્થિક ગુલામીને નાશ કરવા લડયા. અન્યાય સામે લડવું એ એમનું સહજ કર્મ હતું. પછી એ અન્યાય કરનાર અંગ્રેજો હોય, પારગીઝા હોય કે આપણા પિતાના દેશભાઈઓ હોય. - ઈશ્વરભાઈ સ્વભાવથી સુધારક અને સ્વતંત્ર પ્રકૃતિના હતા. તેમના વિચારોમાં મૌલિકતા હતી. આથી સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન, તેઓ સમપ્રકૃતિના યુસુફ મહેરઅલી, અશોક મહેતા, જયપ્રકાશ નારાયણ અને અભુત પટવર્ધન જેવા સુધારક વિચારકોના કેંગ્રેસસમાજવાદી પક્ષમાં ભળ્યા. તેઓ કોંગ્રેસના ભારેખમ એન્જિનના પાટા બદલી ન શકયા ત્યારે તેઓ સમાજવાદી પક્ષમાં જોડાયા. ઈશ્વરભાઈને સૈદ્ધાંતિક દલીલનાં ફોતરાં ખાંડવામાં રસ ન હત; તેમને કામ કરવામાં રસ હતે. સ્વતંત્રતા પછી જ્યારે ઘણા કેંગ્રેસીઓ હોદ્દા અને રાજકારણમાં ખોવાઈ ગયા ત્યારે ઈશ્વરભાઈ ખેતમજૂરી, આદિવાસીઓ વગેરે ઉપેક્ષિત, શેષિત અને પછાત કોમના ઉદ્ધારમાં ઓતપ્રોત થઈ ગયા. પરંતુ ભારતની ધરતી પર હજી પરદેશી પોર્ટુગીઝાનાં થાણાં હતાં. તેમનું એક થાણું ગુજરાતમાં પણ હતું. અંગ્રેજોની વિદાય પછી તરત જ પોર્ટુગીઝને હાંકી કાઢવાની જરૂર હતી, પરંતુ ભારત સરકાર ન લશ્કરી પગલાં લેતી હતી, ન અહિંસક સત્યાગ્રહીઓને દીવ-દમણ–ગોવામાં સત્યાગ્રહ કરવા જાય તેને મંજૂર કરતી હતી. પાચુગીઝની પાશવી વૃત્તિ અહિંસક સત્યાગ્રહી અને સશસ્ત્ર બળવાખોરોની વચ્ચે ભેદ રાખતી ન હતી. આથી જ્યારે ઈશ્વરભાઈ સત્યાગ્રહીઓની ટુકડીને દમણમાં દોરી ગયા ત્યારે આ દાનવોએ નિ:શસ્ત્ર સત્યાગ્રહીઓ પર ગેળીબાર કર્યા. એક સત્યાગ્રહી ઠાર થયે, એક ઘવાય, એ જોઈને ઈશ્વરભાઈએ આ દાનને કહ્યું કે એમને સરદાર તે હું છું, તેમને શું મારો છો? ' પછી ઈશ્વરભાઈને પોર્ટુગીઝાની પાશવતાને અનુભવ થશે. તેમને ઢોર માર માર્યો, જેલમાં પૂર્યા અને પછી ગોવાની જેલમાં Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૬૬ દોઢ વર્ષ રાખ્યા. ત્યાં બીજા સમાજવાદી નેતાઓ મધુ લીમ), મજ સમાજવાદી નેતાઓ મધુ લીમકે, ત્રિબિધ ચૌધરી, એન. જી. ગોરે વગેરે પણ હતા. પારડીની ઘાસિયા જમીન તેના જમીનદારો પાસેથી લઈને આદિવાસી ખેતમજૂરોને ખેડવા આપવી જોઈએ એવો આગ્રહ ધરાવતા ઈશ્વરભાઈએ તે માટે વર્ષો સુધી વારંવાર સત્યાગ્રહ કર્યો હતો. આખરે ગુજરાત સરકારે તેમની માગણી સ્વીકારી, પરંતુ તેના અમલમાં મુશ્કેલીઓ ઊભી થઈ. અસાધારણ ઢીલ થઈ. જે દિવસે ઈશ્વરલાલનું અવસાન થયું તે જ દિવસે આ પ્રશ્ન પર ગુજરાત સરકાર સાથે તેમની ચર્ચાવિચારણા થવાની હતી. અવાડી અને ભુવનેશ્વર કેંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસે સમજવાદી સમાજરચનાનું ધ્યેય સ્વીકાર્યા પછી ઈશ્વરભાઈને લાગ્યું કે હવે પ્રજાસમાજવાદી કેંગ્રેસની બહાર રહીને કંઈ કરી શકે તેના કરતાં કોંગ્રેસમાં રહીને વધુ અસરકારક કામ કરી શકશે અને સમાન વિચારસરણી ધરાવતા કેંગ્રેસીઓને પણ સાથ મેળવી શકશે. આથી તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા, પણ પોતાના વિચાર અને વ્યકિતત્વ તે જાળવી જ રાખ્યાં. ગુજરાતના પાટનગર જેવા શહેરમાં કૅલેરાના ચેપથી તેમનું અવસાન થયું. તેમને બચાવી ન શકાયા એ એક કરુણતા છે. આજીવન બળવાખર ઈશ્વરભાઈએ મતને પણ સખત લડત આપી. મૃત્યુ જીતી ગયું એમ લાગે છે, પણ ઈશ્વરભાઈ તે મરીને પણ જીતી ગયા છે અને તેમનાં કાર્ય અને ધ્યેય વડે જીવંત રહેશે. આદરણીય સ્વ. મણિલાલ છ. બક્ષી એક જર્મન કહેવત છે કે દાન દેવાથી માણસ સમૃદ્ધ બને છે; સંધરો કરવાથી ગરીબ થાય છે. ગાંધીજી કહેતા હતા ધનવાનેએ ગરીબના ટ્રસ્ટી તરીકે રહેવું જોઈએ. ધનવાન સમાજ પાસેથી મેળવે છે અને સમાજનું કલ્યાણ થાય એવી રીતે તેને તેમણે પાછું આપવું જોઈએ. ગઈ તા. ૮મીએ મુંબઈમાં ૮૨ વર્ષની વયે અવસાન પામેલા શ્રી મણિલાલ છગનલાલ બક્ષી એક એવા ઘરદીવડા હતા, જેમને જીવનદીપ બૂઝાઈ ગયો હોવા છતાં, તેને પ્રકાશ પરવારી ગયો નથી. મણિભાઈ ગરીબ માબાપના ગરીબ પુત્ર હતા અને ગરીબીમાં રહીને જાતે જ પોતાના જીવનનું ઘડતર કર્યું હતું. પચીસ રૂપિયાના પગારમાં આખો દિવસ નેકરી કરીને, રાતે ક્લાકના દોઢ આનાના દરે નામું લખવા જાય અને નોકરી માટે રોજ છ માઈલ ચાલે. એ રીતે તેમણે બચત કરીને શેર બજારનું કાર્ડ ખરીદ્યું અને પ્રમાણિકપણે દલાલી કરી. તેમના આ ગુણોને બદલે કુદરતે આપ્યો. મણિભાઈ પહેલા વિશ્વવિગ્રહમાં ઠીક કમાયા. પછી વધુ કમાણીની તૃષ્ણા રાખ્યા વિના માત્ર ૩૯ વર્ષની વયે તેઓ નિવૃત્ત થઈ ગયા - પછી તેમની એક જ દષ્ટિ રહી. સમાજ પાસેથી જે કમાયા છીએ તે સમાજના જરૂરિયાતવાળા સભ્યોના કલ્યાણ માટે વાપરવું. તેમની એ તમન્નામાંથી ભાવનગરમાં અરધો ડઝન જેટલી જાહેર સંસ્થાઓ પ્રગટી. એ સંસ્થાઓ માટે તેમને મમતા હતી, પણ એમની પર રાજય કરવાની તૃષ્ણા ન હતી. આથી નાણાં અને વહીવટ ભાવનગર જિલ્લા પંચાયતને તેમણે સોંપી દીધાં. આ આદર્શ ગૃહસ્થના નૈતિક જીવનથી. પ્રભાવિત થયેલા ઠક્કરબાપા મુંબઈ આવતા ત્યારે મણિભાઈના ઘરને પિતાને મુકામ બનાવતા. નાની વયમાં એક બ્રાહ્મણે કહ્યું હતું કે, આ છોકરો મોટો થઈને ઘણું કમાશે. મણિભાઈએ કહ્યું કે, કમાઈશ તે તમને યાદ કરીશ. દાયકા બાદ બ્રાહ્મણ તે ગુજરી ગયો હતો, પણ તેના પુત્ર મણિભાઈને એ પ્રસંગની યાદ આપી. મણિભાઈએ તરત તેના હાથમાં પાંચ રૂપિયા મૂકી દીધા. ધનમાં સુગંધ નથી, પણ તે વાપરી જાણનારની સુગંધ ફેલાય છે. જન્મભૂમિ-પ્રવાસી'માંથી ઉદ્ધત સોહમ વિજ્ઞાનના અગ્નિમાં ધર્મવિશ્વાસ (આચાર્ય રજનીશજીના એક પ્રવચનમાંથી ઉદ્ભૂત અને અનુવાદિત) હું માનવઈતિહાસની સૌથી પહેલી ઘટનાનું સ્મરણ કરું છું. એમ કહેવાય છે કે આદમ અને ઈવને સ્વર્ગથી બહાર મોકલી દેવાયાં ત્યારે દરવાજામાંથી નીકળતાં આદમે ઈવને સૌથી પ્રથમ આ કહ્યું : આપણે એક બહુ મેટ ક્રાંતિમાંથી પસાર થઈએ છીએ.” ખ્યાલ નથી પહેલાં મનુષ્ય આ શબ્દો ઉચ્ચારેલા હશે કે નહિ ઉચ્ચાર્યા હોય, પણ એના મનમાં ભાવ તે આ જ રહ્યો હશે. એક બિલકુલ જે અજ્ઞાત જગતમાં એ પ્રવેશ કરી રહ્યો હતો. જે પરિચિત હતું તે છૂટી રહ્યું હતું અને જે અપરિચિત હતું તેવા અણજાણ્યા જગતમાં એને જવું પડતું હતું. અજ્ઞાત સાગરમાં નૌકા ખેલતાં આવો ભાવ થવો સ્વાભાવિક છે. અને આ ભાવ પ્રત્યેક યુગમાં મનુષ્યને પ્રતીત થતો રહયો છે, કારણ કે જીવનવિકાસ નિરંતર જ્ઞાતથી અજ્ઞાતમાં જ રહ્યો છે. જે જ્ઞાત છે એને પણ છોડવું પડે છે, જેથી જે અજ્ઞાત છે તે પણ જ્ઞાત થઈ શકે. જ્ઞાનની જ્યોતી જ્ઞાતથી અજ્ઞાતમાં પદાર્પણ કરવાની સાહસથી જ પ્રજવલિત થાય છે. જે જ્ઞાત પર રોકાઈ જાય છે તે અજ્ઞાન પર જ થોભી જાય છે. જ્ઞાત પર જ ઊભા રહી જવું જ્ઞાનની દિશા નથી. જ્યાં સુધી મનુષ્ય પૂર્ણ નથી ત્યાં સુધી તેણે હંમેશ પરિચિત અને પુરાણાને છોડવા જ જોઈએ અને અપરિચિત તથા અજાણ્યાને આવકારવા જોઈએ. નવા સૂર્યોદય વખતે રેજ-પરિચિત પુરાણા સૂર્યને વિદાય કરવો જોઈએ. પછી સંક્રમણ કાળમાં રાત્રીના અંધકારમાંથી પણ પસાર થવું પડે છે. વિકાસની આ પ્રક્રિયા ઘણી કષ્ટદાયક છે. પરંતુ પ્રસવ પીડા વગર કશાને પણ જન્મ થતો નથી. આપણે પણ આ પ્રસવ પીડામાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે પણ એક અભૂતપૂર્વ ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. કદાચ માનવીય ચેતનામાં આવી ક્રાંતિને સમય કદિ આવ્યો નહિ, હોય. આમે ય પરિવર્તન તો હંમેશાં થયા જ કરે છે, કારણ કે પરિવર્તનના અભાવમાં જીવન જ સંભવે નહિ, પરંતુ પરિવર્તનની સતત પ્રક્રિયા કોઈ વખત બાષ્પીભવનના ઉત્તાપબિંદુ સુધી પહોંચી જાય છે. આ ૨૦મી શતાબ્દિ એક એવા જ ઉત્તાપબિન્દુ પર મનુષ્યને લઈ આવી છે. આ ક્રાંતિથી ચેતના એક બિલકુલ જ નવા માર્ગ પર ગતિમાન થઈ રહી છે. આ યાત્રા એક અત્યંત અજ્ઞાત માર્ગ પર થવાનું સંભવિત છે. પરંપરાથી ચાલી આવતા જીવનમૂલ્ય ખંડિત થઈ રહ્યાં છે. કડીઓ ટૂટી રહી છે. ખરેખર જ આ એક ખૂબ મોટી છલાંગની પૂર્વ તૈયારી છે. આ સર્વેમાં હું મનુષ્યને જીવનનાં અજ્ઞાત રહસ્ય–ારો પર જતાં જોઈ રહ્યો છું. પરિચિત માર્ગ ઉજજડ થઈ રહ્યા છે અને અંધકાર ભર્યા માર્ગને પ્રકાશિત કરવાની ચેષ્ટા ચાલી રહી છે. આ બહુજ શુભ છે. અને હું બહુ જ આશાથી ભર્યો છું. મનુષ્યની ચેતના નવું આરહણ કરવા મથે છે. વિકાસનાં કોઈ નવા પાન તરફ આપણે જઈ રહ્યાં. છીએ. કંઈક નવીનતા આવવાની છે. મનુષ્ય જે હતા તે નહિં રહે. બીજમાંથી અંકુર ફુટતી વખતે જેવી ઊથલપાથલ મચે છે તેવીજ ઉથલપાથલને સામને આપણે કરી રહ્યા છીએ. એમાં ચિંતાનું કે ગભરાવાનું કશું કારણ નથી. એના ભયથી પાછા વળવાની વૃત્તિ આત્મઘાતી છે. જીવન ફકત આગળ જ વધે છે. એમાં પાછા ફરવાનું શકય જ નથી. ચેતના માટે થઈ રહેલી આ સર્વ અરાજકતા, કાંતિ તથા નવા જન્મની સંભાવનાનું કેન્દ્ર છે. વિજ્ઞાન. વિજ્ઞાને જ આપણી આંખે ખેલી નાંખી છે તથા ઉંઘ ઉડાડી દીધી છે. એણે જ ઘણા સમયથી પિપેલાં સ્વપ્નો છીનવી લીધાં છે. અર્ધી રાત્રીએ જેમ ઝબકીને જાગી જઈએ તેમ વિજ્ઞાને આપણને જગાડી દીધા છે. વિજ્ઞાને Page #71 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૬૬ પ્રશ્નદ્ધ જીવન -૨૩૭.. મનુષ્યનું બાળપણ છીનવીને પ્રૌઢતા આપી છે. વૈજ્ઞાનિક શોધોના કારણે ઈસ્લામમાં પિતાની માન્યતાઓ તથા વિશ્વાસે બાળકોને શિખવાડરૂઢિબદ્ધ ચિત્તનથી આપણે મુકત થયા છીએ. ખરું જોતાં એ ચિન્તન એ વામાં આવે છે. નિરંતર પ્રચારથી એ ચિત્તમાં એટલું બધું ઊતરી ચિન્તન નહિ પણ ચિત્તનને મિથ્યાભાસ જ છે. કારણ કે જે વિચાર જાય છે કે પછી વ્યકિતમાં સ્વતંત્ર વિચારણાની સંભાવના નથી રહેતી. સ્વતંત્ર ન હોય એ વિચાર જ નથી. સદીઓથી ચાલી આવેલે અંધ આ જ કમ્યુનિઝમ અથવા તો નાસ્તિક ધર્મ કરી રહ્યું છે. વ્યકિતની વિશ્વાસ કરોળિયાની જાળની જેમ આપણી આસપાસ ઘેરાયેલે હતે. અબોધ અવસ્થામાં કરવામાં આવેલ અત્યાચાર ખૂબ જ મોટું પાપ છે. ચિત્ત એટલું બધું પરતંત્ર થઈ જાય છે કે પછી એની ગતિ, હવે એનાથી મુકત થઈ માનવી વિવેક તરફ અગ્રસર થઈ રહ્યો છે. ગઈ પાટા પર દોડતી ગાડી જ્યાં પાટા લઈ જાય ત્યાં ગાડી જાય, એવી કાલ સુધીના ઈતિહાસને આપણે વિશ્વાસને કાળ કહી શકીએ. આવતી થઈ જાય છે. પરંતુ એને એવો જ ભ્રમ હોય છે કે આ વિચારો મારા કાલને સમય વિવેકને હશે. વિશ્વાસથી વિવેકમાં પરિવર્તન એ છે. આ વિશ્વાસ યાંત્રિકતાને જન્મ આપે છે અને યાંત્રિકતા વિજ્ઞાનની દેન છે. વિશ્વાસથી પરિવર્તન માત્ર જ નહીં પણ વિશ્વા- કરતાં વધારે ઘાતક ચેતનાનાં વિકાસમાં બીજું શું થઈ શકે? સથી મુકિત છે. શ્રદ્ધા તે હંમેશા બદલાતી જ રહી છે. જૂના વિશ્વાસની પરિધિમાં ફરતો રહીને માનવી મુકત વિચાર નથી કરી વિશ્વાસની જગ્યા નવા વિશ્વાસે લઈ રહ્યા છે. પણ વિજ્ઞાન દ્વારા શકતો. વિચારને માટે સ્વતંત્રતા જોઈએ. ચિત્તની પૂર્ણ સ્વતંત્રતાજે આજે થઈ રહ્યું છે તે તદ્દન અનેખું છે. જૂના વિશ્વાસની માંજ પ્રમુખ વિચાર શકિતનું જાગરણ થાય છે અને વિચારશકિતને જગ્યાએ નવા વિશ્વાસ નથી આવ્યા. જેની શ્રદ્ધાની જગ્યાએ પૂર્ણ આવિર્ભાવ સત્ય સુધી લઈ જાય છે. નવી શ્રદ્ધાને આવિર્ભાવ નથી થયો. શ્રદ્ધા અને વિશ્વાસ બદલાયા નથી. વિજ્ઞાને મનુષ્યની વિશ્વાસવૃત્તિ પર પ્રહાર કરીને ઘણા મોટા પણ શૂન્ય થઈ ગયા છે અને ચેતનાનો જન્મ થયો છે. જેમ ઉપકાર કર્યો છે. ધર્મનો પણ નવો જન્મ થશે. ધર્મ હવે વિશ્વાસ પર પાલખી લઈ જતી વખતે ખભા બદલાય એમ વિશ્વાસ બદલાય તે નહીં, વિવેક પર આધાર રાખશે. શ્રદ્ધા નહીં પણ જ્ઞાન અને આધાર કંઈ બહુ ફરક નથી પડત. વિજ્ઞાને વિશ્વાસને બદલ્યો નથી હશે. ધર્મ પણ હવે વિજ્ઞાન જ હશે. વિજ્ઞાન પદાર્થોનું વિજ્ઞાન છે, પણ એની વૃત્તિ જ તોડી નાખી છે. આ વૃત્તિ જ અંધવિશ્વાસ ધર્મ ચેતનાનું વિજ્ઞાન છે. ખરું જોતાં તો ધર્મ સદાયે વિજ્ઞાન રહ્યો તરફ મનને ખેંચી જાય છે. જે ચિત્ત પક્ષથી બંધાયું હોય તે ચિત્ત છે. મહાવીર, બુદ્ધ, ક્રાઈસ્ટ, પાતંજલિ ઈત્યાદિની અનુભૂતીઓ વિશ્વાસ સત્ય નથી પારખી શકતું. જે કંઈ પણ માની લે છે તે નવું જાણવાથી પર નથી; પરંતુ વિવેકપૂર્ણ આત્મપ્રયોગો પર નિર્ભર છે. એમણે વંચિત રહી જાય છે. આ માનવું જ એનું બંધન બની જાય છે. જેટલું જાણ્યું તેટલું માન્યું. માનવું પ્રથમ નહીં પણ છેલ્લું હતું. આધાર સત્યના સાક્ષાત્કારને માટે તે ચેતનાએ મુકત થવું આવશ્યક છે. તો જ્ઞાન હતું. જે સત્યની એ વાતો કરતા એ પોતે અનુભવેલું હતું. વિશ્વારા નહીં, વિવેક જ સત્યનાં દ્વાર સુધી લઈ જવાને સમર્થ છે; એમની અનુભૂતીઓમાં પણ ભેદ નથી. એમનાં શબ્દ જુદા છે, પણ અને વિવેકનાં જાગરણને માટે વિશ્વાસ જેવી મોટી બીજી કોઈ સત્ય એક છે, સત્ય જુદું હોઈ જ ન શકે. પણ આવો વૈજ્ઞાનિક ધર્મ બાધા નથી. લોકધર્મ ન બન્યો. લેક ધર્મ તે અંધ વિશ્વાસ જ બની રહ્યો. આ યાદ રહે કે જે માણસ વિશ્વાસ કરી લે છે એ શોધ નથી અંધવિશ્વાસ પર આધારિત ધર્મને વિજ્ઞાન નિસ્પ્રાણ બનાવી રહેલ છે, કરી શકતો. શોધ તે સંદેહથી થાય છે, શ્રદ્ધાથી નહીં. સર્વ જ્ઞાનને જે ધર્મનાં હિતમાં જ છે. વિવેક કોઈ દિવસ સાચા ધર્મનાં વિરોધમાં જન્મ સંદેહથી થાય છે, અને સંદેહને અર્થ અવિશ્વાસ નથી. ન હોઈ શકે. વિજ્ઞાનનાં અગ્નિમાં અંધવિશ્વાસ રૂપી કૂડો કચરો બળી શોધ વિશ્વાસ અથવા અવિશ્વાસથી નથી થતી. એને માટે તે જશે. અને ધર્મ વધારે ચેક થઈ બહાર આવશે. આ ધર્મ જયારે સંદેહની સ્વતંત્ર ચિત્ત દશા જોઈએ. માત્ર સંદેહ જ સત્યની શોધ શુદ્ધ થઈને પ્રગટશે ત્યારે મનુષ્યના ચેતના-જગતમાં નવો સૂર્યોદય કરી શકે છે. થશે. પ્રજ્ઞા અને વિવેક પર અવલંબતે ધર્મ ખરેખર જ મનુષ્યને અતિપરંપરાથી ચાલી આવતા પ્રચલિત જ્ઞાન પર જ વિજ્ઞાને સંદેહ માનવીય ચૈતનામાં પ્રવેશ કરાવી શકશે અને જયારે મનુષ્ય કર્યો. સંદેહ જેમ જેમ અંધ વિશ્વાસ અને અંધ અવિશ્વાસથી મુકત અતિક્રમણ કરશે ત્યારે એ પ્રભુથી એક થઈ જશે. થતો ગયો તેમ તેમ વિજ્ઞાન સત્ય તરફ આગળ વધ્યું. વિજ્ઞાનને અનુવાદક : બહેન આરતી મહેતા મૂળ હિંદી : આચાર્ય રજનીશજી, ન કોઈ પર વિશ્વાસ છે, ન અવિશ્વાસ. અહીં પ્રયોગપૂર્વકનાં મહાવીર જયતી અંગે વાયુ પ્રવચન દાન સિવાય બીજું કશું પણ માનવાની તૈયારી નથી. એ ન તો એપ્રિલ માસની ત્રીજી તારીખ રવિવારના રોજ રાત્રીના ૮-૧૫ આસ્તિક છે, ન તો નાસ્તિક. અહીં કોઈ જાતની પૂર્વ માન્યતા નથી. એ કશું પણ સિદ્ધ નથી કરવા માગતું. એ તે જે સત્ય છે વાગ્યે ઑલ ઈન્ડિયા રેડિયો મુંબઈ કેન્દ્ર ઉપરથી શ્રી પરમાનંદ એને જ જાણવા માગે છે. આ જ કારણથી વિજ્ઞાનમાં પંથ અને કુંવરજી કાપડિયા મહાવીર જયંતી અંગે ભગવાન મહાવીર ઉપર દશ સંપ્રદાય નથી થયા. જેની શરૂઆત પૂર્વ ધારણા તથા પૂર્વ પક્ષપાતથી મિનિટને વાર્તાલાપ પ્રસારિત કરશે. થઈ હોય ત્યાં અંત સુધી સત્ય નહીં સંપ્રદાય જ હોય છે. અજ્ઞા વિષયસૂચિ નમાં સ્વીકારેલી કોઈ પણ ધારણા સાવલૌકિક નથી થઈ શકતી, " પ્રકીર્ણ નોંધ : પ્રાણીમિત્ર શ્રી. પરમાનંદ ૨૩૩ કારણ રાવલૌકિક કેવળ સત્ય જ હોય છે. આજ કારણથી વિજ્ઞાન જયંતીલાલ માનકરનું બહુમાન, સૌમ્પવેદન એક છે તથા ધર્મ અનેક છે. ધર્મ પણ જે દિવસે વિશ્વાસ પર 3. પી. એમ. સાંગાણી, પાટણ નહીં પણ શુદ્ધ વિવેક પર આધાર રાખશે તે વખતે એક થઈ જશે. ખાતે ઊભું કરવામાં આવેલ જનરલ વિશ્વાસ અનેક હોઈ શકે પણ વિવેક એક જ, અસત્ય અનેક અને હૈસ્પિટલનું ઉદ્ઘાટન, સમર્થ સત્યાસત્ય એફ. ગ્રહી સ્વ. ઈશ્વરભાઈ દેસાઈ, આદધર્મને પ્રાણ શ્રદ્ધા અને શ્રદ્ધા એટલે જાણ્યા વિના માની લેવું. શ્રદ્ધા નહીં તે ધર્મ પણ નહીં. શ્રદ્ધા સાથે ધર્મ પણ ચાલ્યો. અને રણીય સ્વ. મણિલાલ છે. બક્ષી, ધર્મ વિરોધી નાસ્તિકતાને પ્રાણ અશ્રદ્ધા, અશ્રદ્ધા એટલે જાણ્યા વિના વિજ્ઞાનના અગ્નિમાં ધર્મવિશ્વાસ આચાર્ય રજનીશજી ૨૩૬ અસ્વીકાર કરવો, જે શ્રદ્ધાને જ બીજો ભાગ છે. શ્રદ્ધા અને આપણે બેમાંથી શેની પસંદગી કરીશું? અશ્રદ્ધાની વચ્ચે હંમેશા આપણે ડોલતા રહ્યા છીએ. વિજ્ઞાને એક જીવનની કે મૃત્યુની? એરિક ફ્રોમ ૨૩૮ ત્રીજો જ રસ્તો બતાવ્યો, જેથી કોઈ પણ વ્યકિત એક પણ વિશ્વાસથી ‘તું તારી જાતને પિછાણ!” વિમલા ઠકાર ૨૩૯ બંધાયા વગર રહી શકે. હિન્દુ, જૈન, બૌદ્ધ, ઈસાઈ, અથવા તે મહાપ્રસ્થાનના પથ ઉપર-૭ પ્રબોધકુમાર સન્યાલ ૨૪૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રબુદ્ધ જીવન આપણે બેમાંથી શેની પસંદગી કરીશું? જીવનની કે મૃત્યુની? (આ લેખ તા. ૬-૩૬૬ ના ભૂમિપુત્રમાંથી ઉદધૃત કરવામાં આવ્યો છે. શાણા સમાજ' એ નામનું પુસ્તક નવા યજ્ઞપ્રકાશન તરફથી પ્રગટ થનાર છે. તેમાં આ લેખ અન્તર્ગત કરવામાં આવ્યો છે. આ લેખ દુનિયાની અદ્યતન પરિસ્થિતિનું આબેહુબ વિશ્લેષણ કરે છે અને એ વિશ્લેષણને ધ્યાનમાં લઈને આજની દુનિયા એટલે કે આપણી પેઢી અને હવે પછીની પેઢી શું પસંદ કરશે? જીવન કે મૃત્યુ? આ પ્રશ્ન બહુ સચોટ રીતે આ લેખમાં રજૂ કરવામાં આવ્યા છે. આ ચિત્તનપ્રેરક લેખ ફરી ફરીને વાંચી વિચારીને મનમાં ઉતારવા વિનંતિ છે. તંત્રી) આજે માણસે અગાઉ કદી જોયું ન હોય એવું ધરમૂળનું પરિ તેમ છતાં સ્વતંત્ર મૂડીવાદ અને સરમુખત્યારશાહી સામ્યવાદ વર્તન થઈ રહ્યું છે. પૃથ્વી એક ખંડ જેવડી બની ગઈ છે. અને વચ્ચેનું સામ્ય ઊડીને આંખે વળગે તેવું છે. બંને વ્યવસ્થા ઉધોગીન માનવજાત એક અવિભાજય સમાજ જેવી બની ગઈ છે, જેમાં દરેકનું કિરણ ઉપર રચાયેલી છે. આર્થિક કાર્યકશળતા તેમ જ ભૌતિક સંપત્તિ ભાવિ એકબીજાના ભાવિ પર નિર્ભર છે. આજે એવાં અભુત સાધને દિવસે દિવસે વધારતા જવી, એ બંનેનું ધ્યેય છે. આ બંને સમાજશોધાયાં છે કે જેને પરિણામે સર્વોત્તમ કળા, સાહિત્ય અને સંગીત વ્યવસ્થાનું સંચાલન મેનેજર વર્ગ અને ધંધાદારી રાજનીતિજ્ઞાના સમાજના દરેકે દરેક સભ્ય સુધી પહોંચાડવાનું શકય બન્યું છે. આજે હાથમાં છે. બંનેની દષ્ટિ નરદમ ભૌતિકવાદી છે. બંને વ્યવસ્થા માણઉત્પાદન પણ એટલું વધ્યું છે કે દરેક જણ સન્માનભર્યું ભૌતિક સનું કેન્દ્રિત તંત્રમાં, ગંજાવર કારખાનાંઓમાં અને વિશાળ રાજકીય. જીવન જીવી શકે અને માણસે દિવસનો બહુ થોડા વખત જ કામ પક્ષોમાં સંગઠન કરે છે. દરેક માણસ જંગી યંત્રમાં એક નાને પાછળ આપવો પડે. અમથો ભાગ છે, અને તેણે યંત્રમાં કશી ખલેલ ઊભી કર્યા વિના તેમ છતાં આજે, જ્યારે માણસ એક નૂતન, સમૃદ્ધ અને વધુ કામ કર્યે રાખવાનું છે. સુખી માનવયુગને ઉંબરે ઊભે છે ત્યારે જ, તેનું અસ્તિત્વ તેમ જ આપણે આયુદ્ધ નિવારી શકીશું એમ માનીને મૂડીવાદ અને હવે પછી આવનારી પેઢીઓનું અસ્તિત્વ અગાઉ કયારે ય ન આવ્યું સામ્યવાદ બંનેના આવતા પચાસ કે સો વર્ષમાંના વિકાસનું કલ્પનાને હોય એવા ખતરામાં આવી પડ્યું છે. આમ કેમ બન્યું? ચિત્ર દોરીએ તો એમ જણાય છે કે સ્વયંસંચાલિતતા અને માણસ ધર્મ અને સંપ્રદાયની સત્તામાંથી મુકત બન્યા હતા. પરાયાપણાની પ્રક્રિયા આગળ વધતી જશે. બંને વ્યવસ્થાનો આજે પોતાની વિવેકબુદ્ધિ અને પિતાના અંતરાત્માને જ તેણે પોતાના માર્ગ- મેનેજરવાદી સમાજમાં વિકાસ થઈ રહ્યો છે. તેમાં રહેનારાએ ખાધેદર્શક માન્યા હતા. પરંતુ આ નવી મેળવેલ સ્વતંત્રતાથી એ ડરતો પીધે સુખી છે, પહેરવે-ઓઢવે રાખી છે. તેમની ઇચ્છાઓ સંતોષાયેલી હતો. તેણે અમુક બંધનોમાંથી સ્વતંત્રતા મેળવી ખરી, પરંતુ પોતાનું છે, અને જે ઇચ્છાઓ સંતોષી શકાય તેવી નથી તે ઇચ્છા તેમને આગવું વ્યકિતત્વ ખીલવવાની, સર્જનશીલ બનવાની, પૂર્ણ જાગૃતિ થતી જ નથી, તે યંત્રમાના જેવા છે. આ વ્યવસ્થા માણસની પામવાની સ્વતંત્રતા હજી તેણે સિદ્ધ કરી નહોતી. તેથી તેણે જેમ વર્તતાં યંત્રો અને યંત્રની જેમ વર્તતા માણસો પેદા કરે છે. સ્વતંત્રતામાંથી ભાગી છૂટવાને પ્રયત્ન કર્યો. પ્રકૃતિ ઉપર પ્રભુત્વ તેઓ એવા માણસે ઘડે છે કે જેમની બુદ્ધિ વધતી જાય છે, પણ મેળવવાની તેની સિદ્ધિએ જ તેના આ પલાયનવાદ માટે બારી ખોલી વિવેકશકિત મંદ થતી જાય છે. આપી. આ પરાયાપણા અને સ્વયંસંચાલિતતાને પરિણામે દિવસે – નવું ઔદ્યોગિક યંત્ર ઊભું કરવાના કામમાં માણસ એટલો બધો દિવસે માનસિક અસ્વસ્થતા વધતી જાય છે. જીવન નિરર્થક બન્યું છે, ગરકાવ થઈ ગયો કે એ જ તેના જીવનનું પરમ ધ્યેય બની ગયું. તેમાં ન આનંદ છે, ન શ્રદ્ધા - વિશ્વાસ છે, જે વાસ્તવિકતા છે. દરેક એની શકિતઓ, જે એક વાર ઈશ્વર અને મુકિત માટેની ખોજમાં જણ “સુખી” છે – સિવાય કે તે સંવેદનશીલતા અનુભવ નથી, સમપિત હતી, તે હવે પ્રકૃતિ ઉપર પ્રભુત્વ મેળવવાના તથા વધુ ને પિતાની વિવેકબુદ્ધિને ઉપયોગ કરતા નથી, પ્રેમની અનુભૂતિ વધુ ભૌતિક સુખસગવડ પ્રાપ્ત કરવાના કામમાં વળી. ઉત્પાદન તેને કરતો નથી. સારુ એક વધુ સારા જીવન માટેના સાધનરૂપ બનવાને બદલે પોતે જ ઓગણીસમી સદીમાં સમસ્યા હતી—“ઈશ્વર મરી પરવાર્યો છે.” એક ધ્યેય બની બેઠે, અને તેની આગળ જીવન ગૌણ બની ગયું. વીસમી સદીમાં સમસ્યા છે–“માણસ મરી પરવાર્યો છે.” શ્રમના વધતા ને વધતા જતા વિભાજનની, કામના વધતા ને વધતા ઓગણીસમી સદીમાં નિર્દયતાને અર્થ હતો અમાનુષિતા; વીસમી જતા યંત્રીકરણની, અને સામાજિક માનવ-ઢગલાઓના વધતા ને સદીમાં તેનો અર્થ થાય છે પોતાની જાત સાથેનું પરાયાપણું. ભૂતવધતા જતા કદની પ્રક્રિયામાં માણસ પોતે યંત્રને સ્વામી રહેવાને કાળમાં માણસો ગુલામ બનતા તેને ખતરો હતો, ભવિષ્યનો ખતરો બદલે યંત્રને એક ભાગ બની ગયો. તે પિતાની જાતને બજારમાંના એ છે કે માણસો કદાચ યંત્રમાનો બની જાય. અલબત્ત, એ ખરું કે એક માલ તરીકે, એક મૂડી – રોકાણ તરીકે ગણવા લાગ્યો. વેપારમાં યંત્રમાનો વિદ્રોહ જગાવતા નથી. પરંતુ માણસના સ્વભાવવાળા ફત્તેહ મેળવવી એ તેનું ધ્યેય બન્યું; એટલે કે બજારમાં પોતાની જાતને યંત્રમાનો માનસિક સ્થિરતા જાળવીને જીવી શકે જ નહીં, તેઓ વધુમાં વધુ નફે વેચવી. તેનું મૂલ્ય પ્રેમ, વિવેકબુદ્ધિ કે કળાકુશળતા આત્મઘાતી બની જાય. તેઓ પોતાના જગતને અને પોતાની જાતરૂપી માનવ ગુણો ઉપર નહીં, પણ બજારમાંની તેની વેચવાલી ઉપર નોયે રહાર કરશે, કેમ કે અર્થહીન જીવનની નિરસતા તે વધુ આધાર રાખે છે. તેને મન સુખ એટલે નવી ને નવી અને વધુ સારી વખત સહન કરી શકે નહીં. વસ્તુઓને ઉપભોગ. સંગીત, સિનેમા, મોજમજા, જાતીય સુખ, દારૂ, આને વિકલ્પ શું? આજે જે ચીલામાં આપણે ચાલી રહ્યા સિગારેટ વગેરેના તેણે ઘૂંટડા ભર્યો રાખવા છે. તેણે આત્મપ્રચય છીએ તેમાંથી બહાર નીકળી જવું. સૌ પ્રથમ તો યુદ્ધનો ખતરો દૂર ગુમાવી દીધું છે. તે માત્ર ટોળામાં એક છે. તેનામાં મેંઢાશાઈ ઘર, થવો જોઈએ અને પછી બધા જ માણસેના જીવનની જવાબદારી કરી ગઈ છે. તે પોતે બિનસલામતી અને વ્યગ્રતા અનુભવે છે. તે આપણે ઉપાડી લેવી જોઈએ. આજે બધાં જ મોટાં રાષ્ટ્રોએ પોતાના પોતાની જાત સાથે પણ પરાયાપણું અનુભવે છે. પોતે જ બનાવેલ આંતરિક ક્ષેત્રમાં જે કર્યું છે, તે હવે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચીજવસ્તુઓને, પોતે જ ઊભા કરેલ નેતાઓનો, તે દાસ બની ગયો કરવું જોઈએ-સંપત્તિની પ્રમાણમાં વહેંચણી અને આર્થિક સાધનછે; જાણે તે બધું તેના શિરમાથા પર છે, અને નહીં કે તેનું પોતાનું જ સંપત્તિનું નવું ને વધુ ન્યાયી વિતરણ. આ વસ્તુ આખરે આપણને સર્જન. આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર અને આયોજનનાં સ્વરૂપે તરફ, વિશ્વ- આજે દુનિયામાં બે મહાન વિરાટ સમાજવ્યવસ્થા ઊભી થઈ સરકારના સ્વરૂપ તરફ, અને સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ તરફ દોરી છે. તે બંને એકબીજાના ડરની મારી સલામતી ખાતર લશ્કરી શસ્ત્રસરે. જશે. ઔદ્યોગિક પદ્ધતિ આપણે જાળવી રાખવી જોઈએ. પરંતુ જામ દિવસે દિવસે વધારતી જ જાય છે. આ બંને પ્રતિસ્પર્ધીઓ એવો આપણે કામનું તેમ જ રાજ્યનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ, કે જેથી દાવે કરે છે કે પોતાની સમાજવ્યવસ્થા માણસને તેની અંતિમ મુકિતની તેમનું સ્વરૂપ માનવીય રહે. માણસના પ્રમાણમાં રહે. આર્થિક ક્ષેત્ર તેમ જ ભાવિ સ્વર્ગની ખાતરી આપે છે. બંનેને એવો દાવો છે કે આપણને કારખાનામાં કામ કરતા બધા માણસનું સહસંચાલન જોઈએ પોતાના પ્રતિસ્પર્ધીની સમાજવ્યવસ્થા પિતાની સમાજવ્યવસ્થા કરતાં છે, કે જેથી તેમને બધાને સક્રિય અને જવાબદારીભર્યો સહયોગ બિલકુલ વિરુદ્ધ છે, અને માનવજાતને જો બચાવવી હોય તે મેડી કે સાંપડી શકે. રાજકીય ક્ષેત્રે આપણે ગ્રામ–સભાઓ અને નગરસભાઓ વહેલી તે સમાજવ્યવસ્થાને દુનિયામાંથી નેસ્તનાબુદ કર્યા વિના છૂટકો તરફ પાછા વળવું જોઈએ. યંત્રમાનવવાદના ખતરાને નિવારવો હોય નથી. તે બંને કરોડો લોકોની કલ્પનાશીલતાને કબજે કરવામાં તેમ જ તે આપણી સામે કેવળ એક જ વિકલ્પ છે – માનવતાવાદી પારિવાતેમનું ઝનૂનાં અનુયાયીપણું પ્રાપ્ત કરવામાં સફળ થયા છે. રિકતા. આ પ્રશ્ન મૂળમાં સંપત્તિની માલિકી અંગે અથવા “ નફા” Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ૨૩૯ સવાદિત જણાય છે. વ્યકિત નથી. ની વહેંચણી અંગેના કાનૂની પ્રશ્ન નથી; એ પ્રશ્ન તે છે “કામ” ની વહેંચણીને, “અનુભવ”ની વહેંચણીને. સમાજને હાનિકારક હોય એવું ઉત્પાદન નફાના પ્રલોભનથી ન થતું રહે તે માટે જરૂરી હોય તેટલા ફેરફાર માલિકીમાં કરી લેવા જોઈએ. માણસની સમાજમાંના તેના સર્વોચ્ચ સ્થાને પુન:સ્થાપના કરવી જોઈએ. કોઈ પણ પરિવર્તન જબરદસ્તીથી ન લાવવું જોઈએ, અને વળી તે આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં એકી સાથે આવવું જોઈએ. આદિ માનવ જેમ કુદરતનાં પરિબળો સામે લાચારી અનુભવતો હતે, તેમ આધુનિક માનવી આજે પોતે જ સર્જેલાં સામાજિક ને આર્થિક પરિબળો સામે નિ:સહાયતા અનુભવે છે. પોતે જ ઊભાં કરેલ તો આગળ તે મુજરો કરી રહ્યો છે. એક પ્રકારની નવી મૂર્તિપૂજા જ ચાલી રહી છે. માણસની જરૂરિયાતોને, માનવ-અસ્તિત્વ સાથે મૂળભૂત રીતે વણાયેલી જરૂરિયાતોને અનુરૂપ એ એક શાણા સમાજ રચીને જ માણસ તેના પિતાના આ ગાંડપણનાં પરિણામમાંથી પિતાની જાતને બચાવી શકશે. આ સમાજ રચ એનો અર્થ એ કે માનવજાતે ઉત્ક્રાંતિના ક્રમમાં એક આગળનું પગલું ભરવું. પરંતુ એનો અર્થ એ નહીં કે માણસના જીવનમાં હવે સંપૂર્ણ સંવાદિતા સ્થપાશે અને તેની સામે કઈ સંઘ કે સમસ્યાઓ રહેશે નહીં. ઊલટાનું માણસનું ભાગ્યે જ એવું ઘડાયું છે કે તેનું અસ્તિત્વ હમેશાં સંઘર્ષો અને સમસ્યાઓથી ઘેરાયેલું રહે છે. તેમને ઉકેલ કદી આવવાને નથી. તેમ છતાં માણસે આ સંઘર્ષો અને સમસ્યા કાયમ ઉકેલતા રહેવાનું છે. માણસ જયારે માનવઆહુતિ – પછી તે ધાર્મિક વિધિ રૂપે હોય કે યુદ્ધ રૂપે હોય - આપવાની અસંસ્કારી પછાત અવસ્થાને વટાવી ગયો હશે, જ્યારે તે પ્રકૃતિ સાથેને પોતાને સંબંધ અંધ પરિબળોને હવાલે રાખવાને બદલે વિવેકપૂર્વક ગોઠવી શકયો હશે, જ્યારે ચીજવસ્તુઓ તેને માથે ચઢી જવાને બદલે ખરેખર તેની ચાકર બની ગઈ હશે, ત્યારે તેને ખરેખર માનવીય સંઘર્ષો અને સમસ્યાઓનો સામનો કરવાને આવશે. પરંતુ તેની શકિતઓ ત્યારે મૃત્યુની નહીં, પણ જીવનની સેવામાં હશે. માનવ - ઈતિહાસને આ નવો તબક્કો જે સંભવિત બનશે, તો એ એક નૂતન આરંભ હશે, ને નહીં કે અંત. માણસની સામે આજે સૌથી મૂળભૂત પસંદગી કરી લેવાને વારો આવ્યો છે. આ પસંદગી મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચેથી નહીં, પણ યંત્રમાનવવાદ (મૂડીવાદી તેમ જ સામ્યવાદી બેઉ પ્રકારને) અને 'માનવતાવાદી પારિવારિક સમાજવાદ વચ્ચેથી. મોટા ભાગની હકીકત જાણે એમ સૂચવે છે કે માણસ યંત્રમાનવવાદને, અર્થાત લાંબે ગાળે માનસિક અસ્થિરતા અને વિનાશને પસંદ કરે છે. પરંતુ આ બધી હકીકતે માણસની વિવેકબુદ્ધિ, સદ્ભાવના અને શાણપણમાંની આપણી શ્રદ્ધાને નાશ કરવા જેટલી સંગીન નથી. હજી જ્યાં સુધી આપણે બીજા વિકલ્પો અંગે વિચારી શકીએ છીએ, ત્યાં સુધી શ્રદ્ધાને સ્થાન રહેલું છે, જ્યાં સુધી આપણે ભેળા મળીને વિચાર વિનિમય કરી. શકીએ છીએ અને આયોજન કરી શકીએ છીએ, ત્યાં સુધી આપણે આશા રાખી શકીએ. પરંતુ ખરેખર, આળાઓ લંબાતા જાય છે, પાગલપણાના ઘાંટા મોટા ને મોટા થતા જાય છે. આપણા મહાન ગુરુઓના દર્શનને અનુરૂપ માનવજાતની અવસ્થા અત્યારે આપણી પહોંચમાં છે, અને તેમ છતાં આખીયે માનવ - સંસ્કૃતિના વિનાશને અથવા માનવ - યંત્રીકરણને ખતરો આજે આપણે માથે ઝળુંબી રહ્યો છે. હજારો વર્ષ પહેલાં એક નાની જમાતના સભ્યોને કહેવામાં આવેલું: ‘મેં તમારી સમક્ષ જીવન અને મૃત્યુ, આશીર્વાદ અને અભિશાપ મૂકયાં – અને તમે જીવન પસંદ કર્યું.’ આપણી પસંદગી પણ, . આ જ છે. મૂળ અંગ્રેજી : એરિક ફ્રોમ મરણ ની તે કાને પડે છે. વિચ્છિન્ન સંવાદિતા અને અપમાનિત સુંદરતા એ અરાજકતાની પછીતે મોં વાળીને બેઠાં જણાય છે. તું કહે છે: “હું વ્યકિત છું. પણ કહું છું કે તું વ્યકિત નથી. અરાજકતાની વચ્ચે વ્યકિતને જન્મ સંભવે નહિ. મને ડર છે કે તારું સત્વ ખઈ નાંખ્યું છે. ઘણે ભાગે એ મોંઘેરું સત્વ અનેક ટુકડામાં છિન્ન ભિન્ન થઈ ગયું છે. તારી અંદર ઘમસાણ મચાવતાં નિષ્ફર વિરોધી તત્ત્વોને પહોંચી વળવા તે આંખ મીંચીને જે હડી કાઢી છે તેની હડફેટમાં આવીને જીવ જેવું દોહ્યલું કશુંક નંદવાઈ ગયું છે. એટલે તારી હાલત મુઠ્ઠી રાખ જેવી ઠાલી થઈ પડી છે. સંવાદરહિતતાના કારણે, જિંદગી તારા માટે કઈ વાસ્તવિકતા રહી નથી. ખરેખર તું જીવંત જ નથી. જિંદગીને કાંઠે કાંઠે નું અદ્ધર જીવે દેડે છે. સભાન મનconscious mind-એ જિદગીને કાંઠો છે, ઉપલક સપાટી છે. તેની આસપાસ નું કંઈ કાળ સુધી ફદરડી ફ્સ કરીશ તે પણ તને ક્યાંય નિરાંતે બેસીને વિસામો ખાવા જોગ જગ્યા જડવાની નથી. નું જિદગીની ઉપલક સપાટી ઉપર કૃતકૃત્યતાને શોધવા વલખાં મારે છે. પણ 'Being'- ‘અતિ * કદિયે સપાટી ઉપર ઉઘાડી ભટકતી નથી. એટલે તું ‘Becoming’–‘ભવતિ **મારફત ધન્ય થઈ જવા ઝાંવાં નાખે છે. “ભવતિ'ની નથી હસ્તી કે નથી એમાં ઊંડાણ. જીવનનાં મોજાં ઉપર વળતા ફીણની જેમ એ તો ફીટી જનારી ભ્રાન્તિ છે. તારી સઘળી મથામણો મિશ્યા નિવડશે અને સરવાળે મરણ તેલ થાકને જ તું ભોગ બનવાને. આમ હોવાથી તારી જિંદગી અર્થ વિનાના બેજારૂપ બની ગઈ છે. બીજો છૂટકો નથી તેથી જ તું એ બોજો વેંઢારીને ફરે છે. કારણ વગર શંભી ગયેલા કર્મચક્ર જેમ તારૂં મરણ થશે. તું દેહાન્ત નહિ પામે. જે કામ કરતાં રહેવાની તને ટેવ પડી ગઈ છે તેને અચાનક જ નિર્દયતાપૂર્વક રોકી દેવામાં આવશે અને હું તેને લાચાર ભેગા થઈ પડીશ. તેં તારી જાતને જ જાણી નથી એ જરા વિચિત્ર નથી? તને તારી જાતને જાણવાની જરૂર નથી જણાઈ એ પણ વિચિત્ર નથી લાગતું? જાત-ઓળખની દિશા વિશે સદંતર બેખબર રહીને જ તું જીવનમાં ભટકે છે તેય શું વિચિત્ર નથી? ધાર કે સંયોગવશાત એકાદી દુર્લભ શાંત પળમાં અકસ્માત જ તને તારી જાત જ ભટકાઈ પડી તો? હું એને મળીને પણ ઓળખી નહિ શકે એવી ધાસ્તી નથી લાગતી શું? - તારી આસપાસની દુનિયા વિશે તો તું ઘણું જાણે છે. પૃથ્વીના ગોળા ઉપર તું જીવે છે તેને તું ઠીક ઠીક જાણે છે. સૂર્ય, ચંદ્ર તેમ જ મંગળ, શુક્ર વગેરે વિશે તને સારું એવું જ્ઞાન છે ! અવકાશ અને સમુદ્રનાં રહસ્યો તને અવગત છે! પરંતુ તારી જાતથી તું સાવ અજ્ઞાત છે. તારા પોતાના જીવન વિશેનું તારું અજ્ઞાન અગાધ છે. અને આનું પરિણામ આવ્યું છે? તારા જીવનમાં શકિત છે; પણ તારા અન્તરમાં શાન્તિ નથી. તારી ચોમેર વિશાળ પથારો છે; પણ તારી અંદર ઊંડું ગાંભીર્ય નથી. એક સર્વવ્યાપી વિષમતા તને - વ્યાપી વળી છે. એક સર્વગ્રાહી પક્ષાઘાત તને ગ્રસી ગયો છે. તું એક ધીમી ત્રાસદાયક આત્મહત્યામાં આળોટે છે તે જોઈને મને ખરેખર ખેદ ઉપજે છે. તરંગે અને લાગણીઓનાં વાવાઝોડાં સામે, આન્તરિક સંઘ અને ગુંચવાડાઆ સામે નું ઝુકી પડે છે તે જોઈને મને ઊંડો ખેદ ઉપજે છે. હું તને તારી મોહનિદ્રામાંથી જગાડવા આવી છું; જાતને ભુલાવતી ભુલભુલામણીમાંથી બહાર ખેંચી કાઢવા આવી છું. મારી વાત હૈયે ધર! જાગ, ઊઠ! જીવન જયોતિ ઝળહળી રહ્યો છે. તારૂં માં તેની તરફ ફેરવ અને અત્તરની આંખે ખેલી નાંખ! ટટ્ટાર થઈ જા! પૂર્ણ અર્થમાં માનવ બની જા ! વિમલા ઠકાર “તું તારી જાતને પીછાણ!” (આ મુદ્દાને પ્રાધાન્ય આપતા શ્રી વિમળાબહેન ઠકારના એક મિત્ર ઉપર લખાયલા મૂળ અંગ્રેજી પત્રને નીચે ગુજરાતી અનુવાદ આપવામાં આવેલ છે. તંત્રી) હું તારી આંખમાં આંખ ઝબળું છું અને મને એમાં શેકની વાદળી વરતાય છે. એ આંખમાંથી જીવનનાં રમિ નથી ફટતાં; એના પર આત્મગ્લાનિનાં અંધારાં છવાઈ ગયાં છે. હું તારા દિલમાં ડૂબકી મારીને કાન માંડું છું તે મને સંવાદી સંગીતના સૂરો નથી સંભળાતા. સ્વરોની અરાજકતાને ઘોંઘાટ ત્યાં *Being અસ્તિ એટલે હોવું નિર્ભેળ, નિરપેક્ષ, નિરુપાધિક અહેતુક અસ્તિત્વ (અકર્મ યોગ?) * Becoming ભવતિ–થવું, બનવું, સહેતુક, સંપાધિક, કર્મબદ્ધ જીવનસંગ્રામ, કશુંક બનવાની ભ્રાંત મથામણ. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૪-૬૬ ભરવાડી ચીમલી " બુમર ફિ6ીમ કેમોલી મહાપ્રસ્થાનના પથ ઉપર-૭ (તા. ૧૬-૨-૬૬ ના પ્રબુદ્ધ જીવનમાં આ પ્રવાસવર્ણનને છઠ્ઠો મારી ચાલુ લેખન પ્રવૃત્તિઓના છે. આજ સુધીમાં નાની મોટી લગભગ હફતો પ્રગટ થયો હતો. તેના અનુસંધાનમાં આ સાતમે હફત સે ચેપડીએ મેં પ્રગટ કરી છે અને જો કે ૧૯૩૦ થી ૧૯૪૦ દરનીચે પ્રગટ કરવામાં આવે છે. વાંચકોને યાદ હશે કે, બદ્રી કેદારની મિયાન મેં ઘણા સામયિકો અને દૈનિક પત્રનું સંપાદન કર્યું હતું, યાત્રાએ નીકળેલે આપણે યુવાસંન્યાસી હરિદ્વાર, ઋષિકેશ થઈને એમ છતાં છેલ્લાં ૩૫ વર્ષથી ઉપર જણાવ્યો તે જ માત્ર મારો વ્યવપર્વતારોહણ શરૂ કરે છે; દેવપ્રયાગ પસાર કરીને તે આગળ ચાલ્યા. સાય રહ્યો છે. ભારતના ઉપખંડોમાં લગભગ સર્વત્ર મેં પ્રવાસ છે અને પોતાના સાથી યાત્રાળુઓ સાથે શ્રીનગર તરફ જઈ રહ્યો કર્યો, અને ઉત્તર ભારતમાં પોતાના ઘર માફક હું રહી શકું એવા છે. આ શ્રીનગર કાશ્મીરની રાજધાની શ્રીનગર નથી, પણ બદ્રીનાથના મારા માટે ઘણાં સ્થળો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, અને રાજસ્થાન સમેત રસ્તે દેવપ્રયાગ બાદ આવતું એક નાનું સરખું શહેર છે. તેને આજ ભારતનાં બધા રાજ્યો અને પ્રદેશોની મને સારી એવી જાણકારી છે. સુધી તેમ જ હવે પછીનો પ્રવાસ માર્ગ નીચે આપેલ નકશા ઉપરથી પરદેશનાં નિમંત્રણાના આધારે મેં યુરોપ અને સોવિયેટ યુનિયનને વાંચકોને સ્પષ્ટ થશે. ત્રણવાર પ્રવાસ કર્યો છે.” આ પ્રવાસ વર્ણનના લેખક માન્યવર શ્રી પ્રબોધકુમાર સન્યાલ આ પત્ર ઉપરથી “મહાપ્રસ્થાનના પથ ઉપર’ એ નામનું પ્રવાસ તરફથી મારા પત્રના જવાબમાં એક પત્ર મળે છે. તે પત્ર લેખક- વર્ણન લખનાર શ્રી પ્રબોધકુમાર સંન્યાલની ભવ્ય જીવનપ્રતિભાને મહાશય વિશે કેટલીક અગત્યની માહિતી પૂરી પાડતો હોઈને તેમાં પ્રબુદ્ધ જીવનના વાચકોને ઠીક ઠીક ખ્યાલ આવશે. પરમાનંદ) જરૂરી ભાગ નીચે આપવાનું ઉચિત ધાર્યું છે. તેઓ તે પત્રમાં આજે શ્રીનગર પહોંચવું જોઈએ. બધા પટ લગભગ અઢી જણાવે છે કે – વાગે રસ્તા પર આવી રહ્યા. પગને લીધે બરાબર ચલાતું નહોતું. “તમે મારા જીવન અને મારી પ્રવૃત્તિઓ વિશે જાણવા આતુર વહુદિ પણ લાઠી લઈને ખોડંગાતી ખોડંગાતી ચાલતી હતી. સારી રીતે છે એમ તમારા પત્ર ઉપરથી લાગે છે. તેથી મારી જાતને લગતી માલિશની વ્યવસ્થા જયાં સુધી ન થાય ત્યાં સુધી આમ જ ચાલવાનું. કેટલીક અંગત બાબતો આ - હું છએક દિવસથી ચાલતો પત્રમાં હું રજૂ કરૂં છું. જમનોત્રી હતે. હજી એક મહિને આમ હિમાલયનાં આ તીર્થોની સૌથી ચાલવાનું હતું, એટલે પગને તો પહેલી યાત્રા મેં ઈ. સ. બરાબર રાખવા જ જોઈએને. પકના શૈકંડ ૧૯૩૨માં કરી હતી અને આ પાન્ડકેશ્વર કેદારનાથ ? એક ઠેકાણે બે- ચાર દિવસ શીમઠ પુસ્તક કવિવર રવીન્દ્રનાથ આરામ લેવાથી અમારી પગની ટાગોરના પૂરોવચન સાથે, મેં ગુપ્ત કાપપપલબૅટી. પીડા સારી થઈ જાય ખરી, ૧૯૩૩ની સાલમાં પ્રગટ કર્યું પણ તેથી અમારી ચાલવાની કષયાત્રા હતું. આ પુસ્તકની લગભગ છે Bર્તિનગર છે ક્રિપ્રયાગ હોંશ મરી જાય તે ! અમે એક ૫૦,૦૦૦ નકલો આજ સુધીમાં નરેનનો છે. નગર તે પાછળ પડી જઈએ, ને હરીફે ખપી ગઈ છે અને ભારતની દેવપ્રયાગા હિમાલય યાત્રાનો બધાંની જોડે તાલ રાખી શકીએ * લ ટ • સાત ભાષાઓમાં આ પુસ્તકને —- ૨લ્વે માર્ગ નહિ, વળી રસ્તામાં અમારા અનુવાદ પ્રગટ થયો છે. સડક રસ્તો સુખદુ:ખના અસ્થાયી સંગી, પગ તો છેલ્લા ૪૩ વર્ષ દરમિયાન સવાર - બોર, દુ:ખમાં, મુશ્કેહિન્દુકુશથી માંડીને આસામ, લીમાં, જેમનાં વ્યથિત ને કરુણ તિબેટ, લડાખ અને મધ્ય એશિયા સુધી હિમાલયના સમગ્ર પ્રદેશમાં મેં મુખ અમે નિયમિત જોતા હોઈએ તેમને ગુમાવવા પડે. પ્રવાસ કર્યો છે. હિમાલય ઉપરનું મારું બીજું પુસ્તક “દેવતાત્મા હિમા- અમે બધાં બધાંની જોડે આત્મીય બની ગયાં હતાં. પંડિતજી, લય’ ૧૯૫૫ તથા ૫૬ દરમિયાન બે વિભાગમાં પ્રગટ થયું છે અને પાઘડીવાળે રામાયાર, એક પૂનાથી આવેલી મહારાષ્ટ્રી ડોસી, તેનું આદિવચન પંડિત જવાહરલાલ નહેરૂએ લખ્યું છે. તેની કિંમત ગોપાલદા, અમરસિંહ, મજૂરો, કાલીચરણ અને તુલસીરામ રૂા. ૧૯ છે. ભારતીય જ્ઞાનપીઠ તરફથી તેને હિંદીમાં અનુવાદ થઈ બ્રહ્મચારી, રૂઈદાસ શુકલ–એમાંથી કોઈને પણ છોડવા પડે તેથી હૃદયને રહ્યો છે. તે જર્મનીમાં પ્રગટ થઈ ચૂકેલ છે. મારું ત્રીજું પુસ્તક આઘાત થાય. અમારી વચ્ચે ન્યાતજાતનો વિચાર નહોતે, પૃશ્યતા‘ઉત્તર હિમાલય ચરિત’ તાજેતરમાં જ પ્રગટ થયું છે. તેને અસ્પૃશ્યતાનો પ્રશ્ન નહોતો. બધાં એકસાથે બેસીને ખાતાં હતાં. હિંદી અનુવાદ પ્રગટ કરવાનું દિલહીની રાજકમલ પ્રકાશન પછી એ કાલીચરણ મજૂર હોય, એ તંબાકુને કસ લગાવીને હક્કો સંસ્થા તરફથી હાથ ઉપર લેવામાં આવ્યું છે. સેન્ટ્રલ હિમાલય ઉપર ગોપાળદાને આપે, ગોપાળદા આપે અમરાસિંહ, અમરસિહ બ્રહ્મમારૂં ચોથું પુસ્તક હજુ હવે લખવાનું છે. હું હલકત્તા હિમાલયન ચારીના હાથમાં સેપે, ને બ્રહ્મચારીના હાથને પ્રસાદ રૂઈદાસ શુકલને એસોસિયેશનને સ્થાપક - પ્રમુખ છું. ૧૯૨૮માં હું હિંદી સૈન્યમાં મળે. સાંજના સમયે મેજમાં ન આવીએ તો અમને કોઈને ચેન ન પડે. જોડાયેલા હતા. મારા ‘મહાપ્રસ્થાનેર પથે” ઉપરથી ૧૯૫૨માં હિંદીમાં સર્વ ત્યાગી સાધુઓની ટોળી અમારી આસપાસ હતી. ભાંગ અને ગાંજાના યાત્રિક' નામથી ફિલ્મ ઉતારવામાં આવી હતી અને મુંબઈમાં તે સૌથી નશામાં અધમુઆ જેવા તેઓ ચટ્ટીની એક બાજુ પડયા રહેતા. બહારની પહેલી વાર દેખાડવામાં આવી હતી, જે પ્રસંગે હું ત્યાં હાજર હતા. દુનિયાના કાંઈ સમાચાર એમને મળતા નહિ. એ લોકો જાણે માણસની લોકોના કહેવા પ્રમાણે, એક જીવન્ત લેખકનું હિમાલયનું જીવન કલ્પના ને કામનાથી ઘેરાયેલા એક પરીકથાના સ્વપ્નરાજ્યમાં સીનેમાના પડદા ઉપર આ રીતે પહેલી જ વાર રજુ કરવામાં રાચતા હતા. એમના શિર પર પ્રથમ સૂર્યરશ્મિની રેખા આવતી હતી આવ્યું હતું. ને એમ લાગતું હતું કે ઉદાસીની સંધ્યાને રહસ્યમય માર્ગ હોય. હું મુખ્યત્વે કરીને વાર્તા લેખક (fiction-writer) છું. તેઓ બધા ગૃહત્યાગી સન્યાસી ને સન્યાસીની હતાં. તેમના મુખમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધો અને અનુભવર્ણને–આ પ્રકારો માત્ર તીર્થ ને દેવમંદિરની વાત હતી. નદી, સાગર, ને બરફના અગctમુનિ છે નર પ્રયાગ ઘેરાદુન - - - - Page #75 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪-૬૬ - પ્રબુદ્ધ જીવન - ૨૪૧ દેશની વાત હતી, વનના જંતુઓની વાત હતી, ને મુશ્કેલીની કથા વિશે એમ માલુમ પડે છે કે કેટલાંક વર્ષોથી તીર્થોમાં ફર્યા વિના તેને ને કાહિની હતી. શાંતિ થાય તેમ નહોતું. વળી એની ઉમર પણ કેટલી હતી? ત્રીસ આ વખતે લગભગ આઠ માઈલને રસ્તો હતે. ચાલતાં ચાલતાં પણ હજુ તો પૂરાં થયાં નહોતાં, એટલે ધીરજથી મેં એની સાસુની પગ ભારે લાગતા હતા. ભીલ કેદાર સુધીને ચાર માઈલને રસ્તો વાત સાંભળી. અત્યંત કષ્ટદાયક હતા. આ જગાનું બીજું નામ હતું ટુંડ પ્રયાગ. આરામ લીધા પછી પાછું બધાને ઊઠીને ઊભા થવું પડ્યું, ત્યાં ભીલગંગા ને અલકનંદા એકબીજાના ગાઢ આલિંગનમાં પરોવાઈ જાય છે. એ સ્થાને પાંચ-છ જુનીપુરાણી ચટ્ટી પાસે પાસે હતી. ઝાળા કામળાને પાછો મરણતોલ બોજો ખાંધે નાંખી દીધો. સાસુ અને પહેલાં એમ સૂચના થઈ કે આજે ભીલકેદારમાં જ પડાવ નાંખીએ, વહુ લાઠી ઠોકતાં ઠોકતાં આગળ ચાલ્યા. ફરી એક વાર બુટ્રીએ પણ કોઈને એ પસંદ પડયું નહિ. હજી તે ઘણો સમય બાકી હતું, કહ્યું, “અઘોરને કહે કે ભાઈ આટલે બધો લાંબો રસ્તે અમારાથી અનાયાસે ત્રણ - ચાર માઈલ તે ચાલી શકાશે. પગમાં દુ:ખે છે એમ નહિ કપાય. બહુ બહુ તો દશ દિવસ મોડું થશે એમને? આ તો જીવ કહીને અમે બન્ને જણે વિરોધ નોંધાવ્યો, પણ આખરે લેકમતનો નીકળી જાય છે. દશ માઈલના કરતાં પણ વધારે બૈરાંને રોજ ચાલજય થયો. ખબર પડી કે ઉપર ચઢવાને કોઈને ઉત્સાહ રહ્યો વાનું... હવે નહિ બને બાબા ...” નહતો. ગમે તેમ કરતાં ચાલી નાંખીશું. ગમે એમ પણ આજે શ્રીનગર રસ્તા પર જોડા ઘસડતા ઘસડતા એ લોકો ચાલતા હતા. ખરું પહોંચવું જ જોઈએ. જોતાં તે એમની દશા જોઈને કોઈના મનમાં પણ થાય કે હમણાં જ , રસ્તો મલ્લિકા ને માલતી વગેરેથી છવાયેલો હતો. જંગલી ગુલા- તેઓ મરણતોલ થઈને જમીન પર ઢળી પડે તો એમાં જરાય નવાઈ નહિ. બની સુગંધ છાની છાની આવતી હતી. આટલા દિવસ પછી આજે આખરે શ્રીનગરનાં ચિહ્ન દેખાવા માંડયાં. રસ્તા પર જ કાળી સમતલ રસ્તો કાપવાને હતે. અલકાનંદાને કિનારેથી ઢળાણને પથ ખેતીવાડીથી સમૃદ્ધ હતો. નદીને કિનારે કિનારે નાના નાના ગામડાં કમળીવાલાનું એક છત્ર હતું. ડાબી તરફ જંગલની અંદર એક નાને જાણે ચિત્ર કયાં હોય એવાં સુંદર લાગતાં. રસ્તામાં ગીચ જંગલે રસ્ત હતા. કમલેશ્વર મહાદેવનાં મંદિર તરફ જતા હતા. રસ્તામાં વળાંક હતાં. તેની વચમાં થઈને યાત્રીઓને રસ્તો હતો. આ જંગ- પર અઘેરબાબુ ને બ્રહ્મચારી રાહ જોતા હતા. સાસુ અને વહુ હાંફતાં લમાં બધાં કરતાં આશ્ચર્યજનક આંબાનાં ને સહિજનનાં વૃક્ષ હાંફતા ક્ષીણ અવાજે બોલ્યાં : “આ રીતે અમારાથી નહિ ચાલી શકાય. હતાં. આસપાસ કયાંક ક્યાંક ચૂના અને રેતીના પહાડ હતા, અને એની બધાંનાં શરીર કાંઈ સરખાં નથી હોતાં. પગની આ શોચનીય અવસ્થા.” ઉપર સૂકાયેલાં પાંદડાંને રંગ લાગેલો હતો. નદીની પેલી પાર મનેરમ પ્રાકૃતિક શોભા હતી, પર્વતની દિવાલ પરથી અમારી થાકેલી - બ્રહ્મચારીએ કહ્યું, “ધર્મશાળામાં જઈને તમારા પગ માટે સરસ દષ્ટિ ખસતી નહોતી, પ્રકૃતિના અબાધિત અવકાશમાં અમારી આંખોને દવાની વ્યવસ્થા કરું છું, મા !” જાણે મુકત વિહાર કરવાને મળતો હતો. અમારા સ્નાયુઓ જાણે “બહુ સારું ભાઈ, ” કહીને વહુ સાસુની જોડે આગળ ચાલવા” શરીરથી છૂટા પડી પ્રકૃતિની આ સુંદરતા જોડે એક થઈ જવા ચાહતા માંડી, ત્યાં તે અઘોરબાબુએ કહ્યું:“કમલેશ્વરનાં દર્શન નથી કરવાં?” હતા. અમે લગભગ નદી કિનારેની સમતલ ભૂમિ પર હતા. આ | ‘ના ભાઈ ના’ એમ એ થાકેલા લેકએ જવાબ આપ્યો. હું પાછળ પડી ગયો હતો. ચાલતાં ચાલતાં મેં જોયું તે સાસુ . બધા એક પછી એક આગળ જવા મંડયા, એટલે હું અને અને વહુ રસ્તા પર લોથપોથ થઈને પડયાં હતાં. હું આગળ જતે બ્રહ્મચારી મંદિરને દર્શન ગયા. ત્યાં ખાસ કાંઈ નહોતું. જૂનું મંદિર હોઉં કે પાછળ પડી ગયો હોઉં. દરેકની એકાદ વાર તો મુલાકાતે હતું. અને અંદર એક મેટું શિવલિંગ હતું. પૂજ વગેરેની કશી થાય જ, કારણ ચાલતાં ચાલતાં બધાને એકાદ બે વાર તે થાક ખાવા "cવ્યવસ્થા નહોતી. પાસે કોક ગામ હોય એમ લાગતું હતું. ત્યાંનાં છોકરા બેસવું જ પડે, પાણી પીએ, શરીરને પવનને સ્પર્શ થવા દે, ને પછી છોકરીઓ અને મંદિરના રખેવાળોનું ટોળું આ રીતે પૈ–પૈસા માટે થાક ઉતારીને ચાલવા માંડે. નદીની પાસે આવીએ એટલે ઉનાળા, ને ઉપર ચઢાણને રસ્તે શિયાળો. ગરમ હવા કરતાં ઠંડી હવામાં યાત્રી અમને હેરાન કરવા લાગ્યું. ભારતના લગભગ બધા તીર્થોમાં ભગએને વિશેષ સગવડ રહે છે. સાસુએ મને બૂમ પાડી પૂછ્યું, “તમારું વાનને આશરો લઈને યાત્રીઓ પર આ પ્રકારને જ જલમ થતો શ્રીનગર હજી કેટલું દૂર છે ભાઈ! આ મારી છોકરી તે હવે જરાયે હોય છે. ચાલાકી છેતરામણ દ્વારા યાત્રીઓનું શોષણ કરવું ચાલી શકતી નથી.” 'એ આ દેશના તીર્થગુરુઓનું પ્રધાન કાર્ય હોય છે. કંટાળીને પાછો આવ્યો. રસ્તો કાંઈ બહુ દૂર નહોતો. થોડેક રસ્તે ચાલ્યા હોઈશું ત્યાં ઊભા ઊભા વાત કરતાં આખું શરીર જાણે કાંપવા લાગે. ઝાળીને ડાબે હાથે એક પાકી બાંધેલી મોટી હોસ્પિટલ દેખાઈ. આનંદિત થઈને કપાળે લઈને રસ્તાની પેલી બાજુ માં બગાડીને હું બેસી ગયો અંદર પેઠો. એમાં જે થોડા રોગીઓ હતા તેમાંના બધા જ નવરા અને બોલ્યો : “હવે બહુ આઘે નથી.” યાત્રીઓ હતા. અમારી અરજી ત્યાં નોંધાવી. પગને માટે મલમ, નાકના ' સાસુ અને વહુ હાંફી રહ્યાં હતાં. વહુના પગ પર હાથ માટે વેસેલીન પામેડ, ને બ્રહ્મચારીનાં દાંત માટે થોડું આઈડીન એટલું ફેરવતાં સાસુ કહેતી હતી, “તમારા લોટામાં પાણી છે ભાઈ? જરા લઈને ચારે બાજુએ જોતાં જોતાં અમે બહાર આવ્યા. શ્રીનગર બધા આપે તો...” ગામ જેવું જ એક સુસજિજત નાનું શહેર હતું. જો કે એનું મુખ્ય અમે એટલા થાકી ગયા હતા, કે તે આવીને પાણી લઈ જાય, દફતર પૌડીમાં હતું, જે અહીંથી નવ માઈલ દૂર હતું. ત્યાં અંદાલત, કે હું ઊઠીને પાણી આપી આવું એની મથામણમાં જ થોડો સમય પિલીસ, જેલ ને હાકેમ સાહેબનું ઘર હતું. પૌડી બહુ જાણીતું હતું. વીતી ગયો. પછી એ જ ઊભી થઈને પાણી લઈ ગઈ. થોડું પોતે રસ્તામાં બે એક બંગાળીઓને જોઈને આશ્ચર્ય થયું. તેઓ આ દૂરપીધું ને બીજું જેણે આંખો મીંચી દીધી હતી તેના મુખમાં દૂરના હિમાલયના ઊંડાણમાં આવેલા કેઈ રાજયની કોઈ કૅલેજના ઢાળી દીધું. પગની વ્યથાને લીધે છોકરીમાં જરા ય ચેતન રહ્યું નહોતું. પ્રોફેસર હતા. બંગાળી બહાદૂર હોય છે એ વાતને અંદેશ રહ્યો એનામાં ચાલવાની શકિત જ રહી નહોતી. એણે જરા સ્વસ્થ થઈને ઊંચું નહિ. એમની જોડે વાતચીત કરીને પાછા આગળ વધ્યો. શહેરમાં એક જોયું. હવે આભારની લાગણી પ્રદશિત કરવાની જરૂર નહોતી.એ બધું પાકો સરિયામ રસ્તો હતો, નસીબજોગે રસ્તે સમતલ હતે. અનેક તો હવે જૂનું થઈ ગયું હતું. એણે ફકત કહ્યું: “તમે તો મરદ છે, દુકાન હતી, ત્યાં વિલાયતી અને જર્મન માલ વિશેષ ખપતે. એ તમને દુ:ખતું હોવા છતાં જેમ તેમ કરીને ચાલ્યા, પણ અમે બૈરાં તો યુગ કાયદાભંગને હતા. સાંભળવામાં આવ્યું કે, અહીં પીકેટીંગ ને ભાંગી જ પડીએ.” સભા સમિતિ પર પ્રતિબંધ મૂકતી ૧૪૪ મી કલમની નોટીસ લાગી ધૂળથી, રેતીથી, તેલ ને પાણીના ડાઘથી, અથાગ ને અસાધ્ય હતી. શોધતાં શોધતાં ધર્મશાળામાં આવી પહોંચ્યો. અંદર બે મજલાનું પરિશ્રમને લીધે, એનું લક્ષ્મી જેવું રૂપ સૂકાઈને કાળું પડી ગયું છે, મકાન હતું. એક મંદિરમાં સંધ્યા સમયની આરતીની તૈયારી એ વાત એની સાસુ મને કહેતી હતી. મારા મનમાં પણ એ જ વિચાર ચાલતી હતી. મોટી બે ગાળાની જગ્યા હતી. મારામાં પાછી સફળતા આવ્યું. સુખનું શરીર ઐશ્વર્ય ને ભેગમાં જેનું લાલનપાલન થયેલું, ‘આવી. લાઠીને આધારે થોડુંક ઘૂમી વળ્યા. રસ્તા પર જ બે મોટી એ છોકરીના મનમાં કોણ જાણે શું આવ્યું કે આવા મુશ્કેલ તીર્થ ખાવાપીવાની દૂકાન હતી, એટલે સવારે રાંધવા કરવાની કડાકૂટ કરવી યાત્રાને માર્ગે, અને તેમાંયે સાસુને સાથમાં લઈને આવી. આજકાલનાં છોકરા - છોકરી બધાં જ દુનિયાના ભ્રમણની ઈચ્છા કરે છે. શું આ પડે એમ હતું નહિ. રાત્રીના ભજનથી જ આજને દિવસ પૂરો બધું તીર્થદર્શન ને પુણ્યકામના માટે હોય છે? કોઈ કોઈ છોકરીઓ થશે. તપાસ કરતાં માલમ પડયું કે દુકાનમાં ચાને બંદોબસ્ત પણ થઈ તે ભગવાનને યાદ પણ કરતી હોતી નથી. એમ છતાં આ છોકરી : શકે એમ છે. પછી બીજું શું જોઈએ? મને લાગ્યું કે જાણે ગઢ સર Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રમુદ્ધ જીવન ૨૪૨ કર્યો. પગનું દર્દ મટી ગયું. બદરી વિશાળલાલની જય! ૐ નમો નારાયણાય—આનંદથી બ્રહ્મચારી પાગલની જેમ ઘૂમવા લાગ્યો. દૈવી અનિર્વચનીય આરામદાયક આજની રાત હતી. દૂધ, દહીં, જલેબી, ચા, સરસ ઘીમાં તળેલી પૂરી, બટાકાનું શાક ને અથાણું—બધાનુંનું એક સાથે ભાજન કર્યું. જ્યાં સુધીભાજનનો કાર્યક્રમ ચાલ્યા ત્યાં સુધી બ્રહ્મચારીએ આંખ ઊંચી કરી નહિ, એણે કહ્યું: “દાદા, પહેલાં જમી લેવા દો. જેટલું પેટમાં જાય એટલું ભરી લેવા દે.” [[ કાલેરા થઈ જશે, બ્રહ્મચારી. ” આ મામુલી મનુષ્ય આંખો બંધ કરીને મોટેથી હસી પડયો. એણે કહ્યું, “કેમ રથમાં બેસીને હવે બીક લાગે છે? વિશ્વરૂપ બતાવી દઉં? આજે આ પેટ બધું ય હજમ કરી જાય એમ છે. હું તે કાશ ભૂખ્યો ભૂંડ છું.” જમીને બ્રહ્મચારી ગીત ગાતા ગાતા ઉપર ચાલી ગયો. અમે બન્ને જણે પાસે પાસે જ અમારા કામળા પાથરી દીધા. બ્રહ્મચારીએ તે નાકથી “ૐ નમ। શિવાય ” ના જપ શરૂ કરી દીધા, મને મનમાં થયું કે આજના આહારથી એના દાંત, હાઠ, જીભ, તાળવું અને બધાને તૃપ્તિ થઈ ગઈ છે. એ ઊંઘમાં બબડતા પણ હતા. પેલી તરફ ગાપાળદા અંદર આવીને ડોશીઓની કડાકૂટમાં હેરાન થઈ રહ્યો હતો. સાંજે થોડું અફીણ ને એક ચલમમાં ગાંજો ઝુકીને એનું જે સ્વરૂપ બન્યું હતું તે તો કોઈ અવનવું જ હતું. દેવલોકના પારિજાતના બાગમાં કોઈ જાણે દાર્શનિક ફરતા હોય એવી એની દશા હતી. એ વખતે કોઈએ પણ એને ગુસ્સે કર્યો હોય તો તો એ એનું ખુન જ કરી બેસે એવી એની દશા હતી. બિલાડીના જેવા સ્વભાવની પેલી ડોશીઓની આગમાં એને શાંતિ નહોતી. મારા માથા આગળ એક નાની ઓરડીમાં અધારબાબુ પરિવાર સહિત બેઠા હતા. હમણાં એ જમી રહ્યા હતા. તેઓ એટલે સાસુ અને વહુ એક વાર આવીને અમારા ભોજન અને સુવાની વ્યવસ્થા અંગે ખબર કાઢી ગયાં હતાં. છ તા. ૧-૪-૧૬ કે તમારી ઓળખાણ થઈ મા. મારા સૂકાં કપડાંને ન અડકતાં; એટલી પણ અક્કલ તારામાં નથી ? આજકાલ શુદ્ર લોકોનું બહુ ચઢી વાગ્યું છે. અધૅારબાબુએ ધીરજ ગૂમાવી હતી, એની પત્નીએ હસતી હસતી આવીને એને વારતાં કહ્યું : “છાને; ગમે તેવી પણ બ્રાહ્મણની દીકરી છે, એનું માન રાખવું જોઈએ આપણે. બ્રહ્મચારી એકદમ ગુસ્સામાં આવીને બોલતા હતા, “ એ શાની બ્રાહ્મણની દીકરી? એ તો ચંડાલ છે.” “ના ભાઈ. એવી વાત આપણાથી ન થાય, ને આંધળા હોય તેને આંધળા કહેવાથી ધણું પાપ લાગે. ગેાપાલદા શાંત બેસી રહ્યા હતા. તેમને કોઈ શત્રુ નહોતું. તે બપોરે જ અમે એકબીજાથી છૂટા પડયા. છાંન્તિખાલની ઊંચી અને હાંડકાં ભાંગે એવી બે માઈલની ચઢાઈ ચઢીને ખાંકરા ચટ્ટીની તરફ અમે ઉતરાણને માર્ગે ચાલ્યા. હજી સાંજને થાડી વાર હતી. અમારી ઇચ્છા પ્રમાણેનું સમતલ સ્થાન હતું. પાસે જ અલકાનંદાની જ એક શાખા હતી. તેનું નામ પટુવતી હતું. થોડે દૂર પર્વતની એક ખીણ હતી. ત્રણે બાજુ આકાશચુંબી પર્વતશિખરો હતાં. ગમે એવા મધુર પવન હતા, ઝરણાના ઝંકાર હતા, વનફ લાની સુગંધ પ્રસરેલી હતી. અધાર બાબુની પત્નીએ કહ્યું, “ આજે હવે આગળ જવાની જરૂર નથી. અહીં જ થાભી જઈએ.” રસ્તા તરફ એક વાર ફરીને મેં જોયું. લગભગ એકાદ માઈલ દૂર નદીના વળાંક તરફ લોકોના ટોળામાં ગોપાલદાના સુસ્પષ્ટ શરીરનાં દર્શન થયાં. કીડીની જેમ ધીમી ગતિથી તે ચાલતા હતા. એની જોડે બીજા સાથીઓ પણ હતા. મેં પૂછ્યું. “એમને તમે છોડી દેવાનું કહ્યું હતું ? ” ત્યારે અધારબાબુ બાલ્યા : “બે એક માઈલ સુધી આપણે પાછળ રહીશું. પણ પછી તો એમને પકડી પાડીશું.” સાસુએ કહ્યું, “તા રહેવા દો ભાઈ! તમારું શરીર તે અમારા કરતાં પણ વધુ ખરાબ છે; આપણા મજૂરોની પાસે બિસ્તર છે. એ લોકો આવે એટલે તમારે માટે બિસ્તરો પાથરી દઉં. હવે તમારે માટે તમારે જુદું રાંધવાની જરૂર નથી. અમારી જોડે જ તમારી વ્યવસ્થા થશે. ” બ્રહ્મચારીએ કહ્યું: “આજના જેવી જ એમની માયા મમતા હંમેશને માટે રહે દાદા !” પગનું દર્દ કોઈનું પણ ઓછું થયું નહિ, તળાંસવાથી, ઢીંકા મારવાથી, માલિશથી, હાસ્પિટલના ઈલાજથી કશાથી ય મટ્યું નહિ. આખરે એમ નક્કી કરવામાં આવ્યું કે ફકત પાંચ સાત માઈલથી વિશેષ રોજ ચાલવું નહિ. જ્યારે મુશ્કેલી હોય, ત્યારે આપણે સાધારણ રીતે જે કલ્પના કરીએ છીએ તે જ્યારે આપણે આચારમાં મૂકીએ છીએ, ત્યારે એમાં ફેરફાર કરવા જ પડે છે. રસ્તે નીકળા એટલે એમ થાય કે, રસ્તો પૂરો થાય તો સારૂં. શ્રીનગરથી સવારે નીકળ્યા. ને લગભગ અગિયારને સુમારે અમે ભટ્ટીસેરા આવી પહોંચ્યા. રસ્તામાં સુકૃતા નામની એક નાની નદી ને એક ચટ્ટી અમે પસાર કરી. ભટ્ટી સેરાના રસ્તા થાડે અંશે સમતલ છે. તેથી જ એકી વખતે અમે એક સામટા આઠ માઈલ ચાલી શકયા. પાસે જ નદી હતી, એનું નામ હર્ષવતી હતું. એ અલકનંદાની જ એક શાખા હતી. ચટ્ટીની પાસે જ એક ઝરણું હતું, એનાં પ્રવાહના બુદ્ધિશાળી મનુષ્ય કેવી રીતે ઉપયોગ કરે છે એ દશ્ય મે અહીં જોયું. એનું નામ જળ ચક્કી અર્થાત્ પાણીની ઘંટી. લાકડાની એક ચક્કી હતી, એની પર પાણીનો પ્રવાહ આવીને એને ધક્કો મારતા હતા અને એ જ ફેરવવા હતા. એની ઉપર એક પત્થરની ઘંટી હતી ને એમાં હતા ઘઉં. આમ વગર મહેનતે લોટ દળાતા હતા. એની તારીફ કર્યા વિના રહેવાય જ નહિ. જ્યાં સુધી મને યાદ છે, આ ભટ્ટીસેરામાં ગેાપાલદાના દળમાંની બ્રાહ્મણી માની જોડે અઘારબાબુના ઝઘડો થયેલા. એ ઝઘડાનું કારણ હતું જાતિનું અભિમાન અને આભડછેટ. કોઈ નજીવી વાતમાં બ્રાહ્મણીમાના ક્રોધ જોઈને અઘારબાબુની પત્ની છાનું છાનું હસતી હતી, ને એના મોઢા સામું જોતી હતી. બ્રાહ્મણીમા સનાતન ધર્મની મૂર્તિમતી પ્રતિમા હતી. જાતિ વિચાર ને આભડછેટ સિવાય એ જીવી જ ન શકે? એ તૂટેલાં વાસણની જેમ ખણખણી ઊઠી. “કોણ જાણે મે કેવાં પાપ કર્યાં હશે, માલિક : શ્રી:મુબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ-૩, મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ,: મુંબઈ પતિ પત્ની બન્ને અમારી તરફ જોઈને પોતાના વિજય થયો હોય એમ હસ્યાં. જાણે એમના હાસ્યમાં વિજયનો આનંદ હતો, મે કહ્યું : “ આજે ભલે અહીં રહીએ, પણ આટલા થોડો રસ્તો કાપવાથી હવે પછી નહિ ચાલે. અમારે તે યાત્રા જલદી જલદી પૂરી કરવી છે.” “વારુ, આજે તો રહો, માની ઇચ્છા પણ પૂરી તો કરવી જ જોઈએને ?’ સાંજ પડી. પહાડના શિખર પરથી ક્ષીણ ચંદ્રનાં દર્શન થયાં, આકાશ તારાઓથી છવાઈ ગયું. – સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું. કદાચ આમ જ બદલાતું હશે. દિવસે પ્રખર તેજ હતું. સ્થૂલ વાતવિકતા હતી, માણસનાં દૈન્ય અને સ્વાર્થનાં સ્થૂલ આઘાત પ્રત્યાઘાત હતા. પરન્તુ એ નવાઈની વાત હતી કે રાત્રે બધું બદલાઈ જતું હતું, આ વિશ્વપ્રકૃતિને પ્રસાધન- પરિપાટી બનાવીને, એને અલંકૃત બના વીને કોણ જાણે કોણ મનોહર બનાવતું હતું! રાત્રીની સ્નિગ્ધ જ્યોત્સ્વામાં, દિવસની પ્રખરતા યાદ પણ રહેતી નહોતી. (ક્રમશ:) મૂળ બંગાળી : અનુવાદક : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા શ્રી પ્રબોધકુમાર સંન્યાલ આચાર્ય રજનીશજીના એપ્રિલ માસના કાર્યક્રમ જીવનજાગૃતિ કેન્દ્રના મંત્રી જણાવે છે કે, ચાલુ થયેલા એપ્રિલ માસ દરમિયાન આચાર્ય રજનીશજીનાં પ્રવચનો નીચે જણાવેલ સ્થળાઓ તથા તારીખોએ ગોઠવવામાં આવનાર છે. તા. ૧-૨ નાસિક; તા. ૩-૪ જૂના તા. ૧૪, ૧૫, ૧૬ તથા ૧૭ મુંબઈ. મુંબઈના પ્રવચનસ્થળ તથા સમયની વિગતો તે તે દિવસેાના દૈનિક પત્રોમાં પ્રગટ કરવામાં આવશે. Page #77 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂા. ૪ * : જીવન ' ' CT “પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૨૪ મુંબઈ, એપ્રિલ ૧૧, ૧૯૯૯, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા તંત્રી પરમાનંદ કવરજી કાપડિયા 2 ક્રાન્તિકાર ભગવાન મહાવીરની કલ્યાણયાત્રા : રિપ્રિલ માસની ત્રીજી તારીખે–મહાવીર જયંતીના રેજ--ઑલ ઈન્ડિયા રેડિયે, મુંબઈ કેન્દ્ર ઉપરથી પ્રસારિત કરવામાં આવેલું પ્રવચને તે સંસ્થાની અનુમતિપૂર્વક નીચે પ્રગટ કરવામાં અાવે છે. તંત્રી) ભગવાન મહાવીરના જીવનકાર્ય અને તેમણે આપેલા વિશિષ્ટ પ્રિયદર્શના નામની પુત્રી થઈ હતી અને તે ભગવાન મહાવીરના વિચારપ્રદાનને યથાસ્વરૂપે સમજવા માટે આજથી અઢી હજાર ભાણેજ જમાલીને પરણી હતી. ભગવાન મહાવીરની ઉંમર મેટી થતો વર્ષ પહેલાંની સામાજિક તથા રાજકીય પરિસ્થિતિને આપણને છેડો તેમનામાં સંસાર વિષે વૈરાગ્ય પેદા થયો અને કૌટુંબિક તેમ જ સામ ખ્યાલ હોવું જરૂરી છે. એ વખતના સમાજ ઉપર બ્રાહ્મણ જિક બંધને છોડીને–તોડીને–તેઓ આત્મસાધનાના માર્ગે આગળ વર્ગનું અસાધારણ પ્રભુત્વ હતું, અને વેદોને અપૌરુષેય અને તેથી જવા આતુર બન્યા, પણ માતપિતાને પિતા વિષે અનુરાગ સર્વમાન્ય ધર્મગ્રંથ તરીકે લેખવામાં આવતા હતા. આ વેદને અનુભવીને સંસારત્યાગનું મહત્ત્વનું પગલું ભરવાનું તેમની હયાતી સમજવા તેમ જ સમજાવવાનો ઈજારે માત્ર બ્રાહ્મણ પંડિતોને હતે. સુધી તેમણે મુલતવી રાખ્યું હતું. ૨૮ વર્ષની ઉંમરે માતપિતા સ્વર્ગવેદ સંસ્કૃત ભાષામાં લખાયેલા હોઈને નીચેના વર્ગોને તેની સમજણ વાસી બન્યા, એટલે સંસારત્યાગ કરવાને મહાવીર ઉત્સુક બન્યા. સુગમ પણ નહોતી. એ વખતે તપ ધ્યાન સંયમરૂપી જીવનસાધનાના પણ તરતમાં જ રાજગાદી ઉપર આવેલા મોટા ભાઈ નંદીવર્ધનના સ્થાને ધાર્મિક ક્રિયાકાંડોનું–અને તેમાં પણ ખાસ કરીને આગ્રહને વશ થઈને તેઓ સંસારમાં બે વર્ષ વધારે રોકાયા અને ત્યાગી યજ્ઞયાગાદિનું–ખૂબ જ મહત્ત્વ હતું અને આ યજ્ઞમાં સંખ્યાબંધ સંયમી વ્રતધારી જેવું જીવન તેમણે વ્યતીત કર્યું અને પિતાની સર્વ પશુઓનાં બલિદાન અપાતાં હતાં. સ્ત્રીવર્ગ પુરુષવર્ગને સર્વથા ધનસંપત્તિનું તેમણે છૂટા હાથે દાન કર્યું. ૩૦ વર્ષની ઉમ્મરે તેમણે પરાધીન હતો. તેના માટે જીવનમાં અનેક ક્ષેત્રો બંધ હતાં. તેને સંસાર છોડયો અને જૈન દીક્ષા અંગીકાર કરી અને ત્યાર બાદ તેમણે સંન્યાસને કોઈ અધિકાર નહોતે. શાસ્ત્રો વિદ્ગદગમ્ય ભાષામાં રચાતા બાર વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. આ ઘોર તપસ્યા એક પ્રકારની હોઈને સામાન્ય લોકો તેને બહુ જ ઓછો લાભ લેતા હતા. શુદ્રો ઉગ્ર જીવનસાધના હતી. તેમાં નાનાં મોટાં અનેક અનશનને અને પ્રત્યે ઉપરના વર્ગો અવમાનનાની દષ્ટિથી જોતા હતા અને તેમાં પણ ટૂંકી લાંબી મુદત સુધીના ધ્યાનો સમાવેશ થયો હતો. પરિણામે અતિ શુદ્ર લેખાતા વર્ગોને અસ્પૃશ્ય લેખવામાં આવતા હતા અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું એમ કહેવામાં આવે છે. આ કેવળતેના પડછાયાના સ્પર્શને પણ અભડાવનાર ગણવામાં આવતો હતો. જ્ઞાન એટલે શું ? આને અર્થ સંપૂર્ણ પ્રજ્ઞાનો ઉદય એટલે કે જીવે, વળી એ વખતે આપણા દેશની–ખાસ કરીને આજે જે પ્રદેશ જગત અને ઈશ્વર એ ત્રણે પાયાનાં તત્ત્વ વિશે અને એકમેકના બિહારના નામથી ઓળખાય છે તેની–રાજનૈતિક સ્થિતિમાં પણ કોઈ અનુબંધ વિશે સંપૂર્ણ જ્ઞાનજાગૃતિ, જાણવાયોગ્ય બધું જણાઈ “જાય અને સ્વરૂપાનુસંધાનની સ્થિતિ પ્રાપ્ત થાય એવી પૂર્ણ જીવન અવસ્થા. જાતની એકતા નહોતી. ગણસત્તાક કે રાજસત્તાક રાજ અહીં આ જ્ઞાન થયા પછી સત્ય તત્વ વિશે કોઈ પ્રશ્ન કે શંકા ન તહીં ખેરવિખેર પડેલાં હતાં. એ બધાને સંપ અને સહકારને બદલે રહે અને સમગ્ર વાસ્તવિકતાનું સંપૂર્ણ દર્શન થાય. કલહમાં જ વિશેષ રસ હતે. દરેક બીજાને કચડીને પોતાના રાજ્યનો આમ સાધનાકાળ પૂરો થયા બાદ અને પરમ સત્યનું દર્શન વિસ્તાર કરવા માગતું હતું. દેશકાળની આવી પરિસ્થિતિ વચ્ચે ભગ થયા બાદ પોતાને જે પ્રકાશ મળે, પોતાને જે ચક્કસ જીવનદૃષ્ટિ વાન મહાવીર અને બુદ્ધને જન્મ થયો હતો. પ્રાપ્ત થઈ તેને તેમણે લોકકલ્યાણ અર્થે ઉપદેશ આપવા માંડયો. - મહાવીરના પિતા સિદ્ધાર્થ ક્ષત્રીયકુંડ નામના એક નાના રાજ્યના આ પ્રક્રિયાને ધર્મતીર્થ ની સ્થાપના તરીકે ઓળખવામાં આવે છે, રાજવી હતા. ત્રિશલા તેમની માતાનું નામ. મહાવીરને તેમનાથી મોટા અને એ રીતે ભગવાન મહાવીરને તીર્થકર તરીકે ઓળખવામાં આવે એક ભાઈ હતા જેનું નામ નંદીવર્ધન હતું, અને એક મોટી બહેન હતી છે. જૈન ધર્મમાં ર૪ તીશકરની એક પરંપરા કલ્પવામાં આવી જેનું નામ સુનંદા હતું. આ સુનંદાને જમાલી નામને એક પુત્ર હતા. છે. આ પરંપરામાં ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર છે. આ ભગવાન મહાવીરે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, - ભગવાન મહાવીરને જન્મ ચૈત્ર સુદ ૧૩ના રોજ એટલે કે અને અપરિગ્રહ--આ પ્રકારના પંચ મહાવ્રત રૂપી ધર્મની પ્રતિષ્ઠા કરી. આજના દિવસે થયો હતે અને તેથી ભારતભરમાં આજે સ્થળે આજે જેને જે જૈન ધર્મનું પાલન કરે છે તે ચરમ તીર્થંકર ભગવાન સ્થળે તેમની જન્મજયંતી ઊજવાઈ રહી છે. ભગવાન મહાવી- મહાવીરે પ્રરૂપેલ જૈન ધર્મ છે. ૨ના જન્મ સાથે રાજ્યમાં સર્વ પ્રકારની આબાદી થવાથી તેમના આ ધર્મને ભગવાન મહાવીરે એક સ્થળેથી બીજા સ્થળે, એક માતપિતાએ તેમનું ‘વર્ધમાન' નામ પાડયું હતું. સમય જતાં તેમના પરમ નગરથી બીજા નગરે સતત પ્રચાર કર્યો અને તેમના ધર્મને હજાર પુરુષાર્થના કારણે તેઓ “મહાવીર’ના નામથી ઓળખાવા લાગ્યા હતા. નરનારીઓએ અંગીકાર કર્યો અને તેમાંના અનેક સંસાર છેડાને તેમની પાસે સન્યાસમાર્ગ ધારણ કર્યો. કહેવાય છે કે તેમના ત્યાગી તેમને વિદ્યાભ્યાસ પૂરો થયો. યોગ્ય વયે તેમનું યશોદા ભિક્ષુક શિષ્યોની સંખ્યા ૧૪,૦૦૦ની હતી અને ભિક્ષુક શિષ્યાઓના નામની એક રાજકુમારી સાથે લગ્ન કરવામાં આવ્યું, જેનાથી તેમને સંખ્યા ૩૬,૦૦૦ની હતી, આ રીતે ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું થતાં અનાથી મોટા હતું. આ નિદાન અને અને એક Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૪-૧૯ તેઓ આજથી ૨૪૯૨ વર્ષ પહેલાં આ વદ અમાસની રાત્રીના નિર્વાણ પામ્યા. છે અમાસની રાત્રીના આચાર્ય રજનીશજીના સાન્નિધ્યમાં - જે જૈન ધર્મની ભગવાન મહાવીરે પ્રરૂપણા કરી તેમાં (તા. ૨૬-૮-'૬૫ના ‘જૈન ભારતી’માંથી સાભાર ઉદ્ ધૃત અને તેમણે અહિંસાને સૌથી મુખ્ય સ્થાન આપ્યું. ભગવાન મહાવીરની અનુવાદિત) અહિંસાએ જીવસૃષ્ટિની કલપનાને વનસ્પતિ સુધી વિસ્તારી અને સર્વ ભૂતમાત્ર વિશે મૈત્રી, કરુણા અને અભય–ભાવના ચિત્તવવાને આકાશ વાદળોથી છવાઈ ગયું હતું, ખૂબ પાણી વરસી રહ્યું આદેશ આપ્યો. તેમણે જીવનસાધના માટે, અહિંસા ઉપર જેટલો હતું, પરંતુ હવે સૂર્ય બાહર નીકળ્યા અને વર્ષાના કારણે સ્વચ્છ ભાર મૂકય તેટલે જ ભાર તપ, સંયમ અને અપરિગ્રહ ઉપર મૂકો. બને તડકે ખૂબ પ્રીતિકર લાગવા માંડયો. થોડી વાર પહેલાં એક મોટું હિંદુ ધર્મમાં પણ આ તત્વોને મહત્ત્વ આપવામાં આવ્યું છે, પણ આ ઈન્દ્રધનુષ્ય આકાશમાં ખીલી ઊઠયું હતું. અમે બહાર નીકળીને તત્ત્વોને જીવનમાં અન્તિમ કોટિ સુધી ઉતારવાનો આગ્રહ એ જૈન- બગીચામાં બેઠા હતા. ધર્મની વિશેષતા છે. આચાર્યશ્રીએ ઈન્દ્રધનુષ્ય તરફ અમારું ધ્યાન ખેંચીને કહ્યું : - જૈનધર્મ આત્મતત્વને સ્વીકારે છે, પુનર્ભવને તથા કર્મના સિદ્ધાન્તને આગળ ધરે છે અને જીવમાત્રના સુખદુ:ખનું કારણ “આ જગતઆ શરીર... આ બધું ઈન્દ્રધનુષ્યની જેવું છે. સુંદર તેનાં કર્મો છે, પ્રારબ્ધ કર્મ અનુસાર વર્તમાન ધડાય છે, અને છે, છતાં વાસ્તવિક નથી. આના સૌન્દર્યને જાણે, પણ તેનું સ્વપ્ન વર્તમાન કર્મ એટલે કે પુરુષાર્થ અનુસાર ભાવી ઘડાય છે. જીવને આવે તે પણ તેને બાંધી શકાતું નથી. આમ છતાં પણ આપણે તે બચાવનાર કે ડુબાડનાર તેનાં કર્મો સિવાય બીજું કોઈ નથી અને સ્વપ્નને પણ સ્વપ્ન તરીકે ઓળખતા નથી. એ પણ, જ્યારે આપણે આવા કર્મોથી સર્વથા મુકત બનવું એનું નામ મોક્ષપ્રાપિત છે. આવી વિચારસરણી મહાવીર–પ્રરૂપિત જૈન ધર્મ રજુ કરે છે. એમાં હોઈએ છીએ ત્યારે, આપણને સત્ય જે માલુમ પડે છે.” , , અહિંસાના અનુસંધાનમાં જૈનધર્મના અનેકાન્તને ઉલ્લેખ મેં એમને પૂછયું : “શું સ્વપ્નમાં જે આપણે જોઈ રહ્યા કરવા જરૂરી છે. મને મારો જીવ વહાલે છે તેમ અન્યને અન્ય છીએ તે સત્ય નથી, સ્વપ્ન છે – આ બાબત સ્મરણમાં રાખવાને કોઈ જીવ વહાલે છે એમ સમજીને અન્ય જીવને જરા પણ દુ:ખ થાય ઉપાય નથી?” ક્લેશ થાય એમ આપણાથી ને વરતાય તેનું નામ જેમં અહિંસા છે, તેમણે જવાબ આપે : “જે વ્યકિત જાગૃત અવસ્થામાં એમ તે જ રીતે એક જ વસ્તુ વિશે આપણે અમુક રીતે વિચારતા હોઈએ યાદ રાખે છે કે પોતે જે જોઈ રહ્યો છે તે સર્વ સ્વપ્ન છે, તે ધીરે અને અન્ય કોઈ તે જ વસ્તુ વિષે પ્રામાણિકપણે અન્યથા વિચારનું હોય ત્યારે આપણને અમુક રીતે વિચારવાનો હક્ક છે તે અન્યને ધીરે સ્વપ્નમાં પણ સમજવા લાગે છે કે પોતે જે કંઈ જોઈ રહ્યો છે અન્યથા વિચારવાને એટલે જ હક્ક છે એમ સમજીને તેમ જ મારા તે સત્ય નથી. આપણે જાગ્રતને સત્ય માનીએ છીએ, એને લીધે સ્વપ્ન મન્તવ્યમાં સત્યને અંશ છે તે અન્યના મતવ્યમાં પણ સત્ય પણ સત્ય માલુમ પડે છે. જાગૃતમાં આપણા ચિત્તની જે આદત અંશ સંભવે છે–આવી રીતે વિચારીને, અન્યના વિચારો-મંતવ્યો- હોય છે, તેનું સ્વપ્નમાં પણ પ્રતિબિંબ પડે છે.” પ્રતિ આદર દાખવવા અને તેમાં રહેલા સત્યના અંશને સમજવા તેમની આ વાત સાંભળીને અમે વિચારમાં પડી ગયા. તેઓ પ્રયત્ન કરવો એનું નામ અનેકાન્ત દષ્ટિ છે. જ્યારે અહિસા હૃદય જે કંઈ કહે છે તેથી ખૂબ ચિન્તન–વિચાર પેદા થાય છે. તેમની લક્ષી છે ત્યારે અનેકાને બેંદ્ધિલક્ષી છે. આ બન્ને એકમેકના પૂરક જરા પણ વાત કેટલા અનુભવ તેમ જ કેટલી ઊંડી દષ્ટિ આપણામાં છે–આવી સમજણ જૈન વિચારસરણીના હાર્દમાં રહેલી છે. જાગૃત કરવા માંડે છે ? ધાર્મિક તેમ જ સામાજિક ક્ષેત્રે ભગવાન મહાવીરનું જીવન એક મહાન ક્રાન્તિકારનું હતું. તેઓ પોતાની ભાવના અને વિચારોને આજે સવારના પહોરમાં કોઈ અમુક વ્યકિત આચાર્યશ્રીને મક્કમપણે વફાદાર રહીને ઉપદેશ દેતા રહ્યા, તત્કાલીન ધાર્મિક અને મળવા આવી હતી. આચાર્યશ્રી સ્નાન કરીને બહાર આવ્યા હતા અને સામાજિક રૂઢ વિચારો અને પરંપરાઓને પડકારતા રહ્યા, અને હિત તડકામાં બેઠા હતા. તેમને કોઈએ પૂછયું કે “જીવનને કઈ રીતે જીવવું ધરાવતા વર્ગો સાથે–ખાસ કરીને બ્રાહ્મણવર્ગ સાથે-સારી પેઠે અથ- જોઈએ?” તેઓ થોડો સમય મૌન રહ્યા અને પછી બેલવા લાગ્યા : ડામણમાં આવતા રહ્યા. સાર્વજનિક ક્ષેત્રે તેમના આ સમર્પણને પંડિત દર્પણની માફક, સ્વાગત સૌનું પરંતુ સંગ્રહ લેઈને પણ નહિ. ચિત્તા સુખલાલજી પોતાના એક વ્યાખ્યાનમાં જણાવે છે તે મુજબ આ રીતે સંસ્કરો અને પ્રભાવોને ન પકડે - એવું જીવન જ શુદ્ધ જીવન છે. તારવી શકાય : જે વીતી ગયું તેને વીતી જવા દે અને જે હજુ સુધી આવ્યું નથી . (૧) નાતજાતને જરા પણ ભેદભાવ રાખ્યા સિવાય સૌને તેની ચિંતા ન કરે - આવી સાધનો વડે જ વ્યકિત વર્તમાનમાં માટે શુદ્રોને માટે પણ–ભિક્ષુપદ અને ગુરુપદને માર્ગ તેમણે ખુલ્લે સંલગ્ન બની શકે છે અને સત્તામાં તેની જડને ઘેરાપણુ-ગહરાઈ-- કર્યો. શ્રેષ્ઠતા નક્કી કરવામાં જન્મને નહિ પણ ગુણવત્તાને અને ગુણ- મળે છે. અતીત તેમ જ અનાગત માનસ - સત્તામાં છે. તેમાં જે વત્તામાં પણ પવિત્ર જીવનને તેમણે સવિશેષ મહત્ત્વનું ગયું. વ્યસ્ત અને ઘેરાયેલું રહે છે તે જીવનને જાણી શકતો નથી. જીવન તે (૨) પુરુષોની જેમ સ્ત્રીઓના વિકાસ માટે પણ એમની હમણાં છે, અહિં છે. તેને બીજે કઈ ઠેકાણે જે શોધે છે તે તેને પૂર્ણ સ્વતંત્રતાને તેમણે સ્વીકાર કર્યો તથા વિદ્યા તેમ જ આચાર ખેઈ બેસે છે.” તેઓ આમ કહીને જેવા શોત થયા કે તરત જ પક્ષીબન્ને માટે સ્ત્રીઓની સંપૂર્ણ યોગ્યતાને તેમણે માન્ય રાખી. એમના ઓની એક કતાર સામેના વૃક્ષ ઉપરથી ઊડી અને જોરબંધ હવા ચાલી; માટે આધ્યાત્મિક ગુરુપદને માર્ગ તેમણે મેકળો કર્યો. અને વૃક્ષે તેથી હાલી ઊઠયાં. આ જોઈને તેમણે કહયું “ વૃક્ષોની (૩) તત્ત્વજ્ઞાન અને આચારનો ઉપદેશ લેકભાષામાં આપીને જેવા બની જાઓ. અને પક્ષીઓની જેમ શુદ્ધ વર્તમાનમાં જીવવા કેવળ વિદ્ધગમ્ય સંસ્કૃત ભાષાને મેહ તેમણે ઘટાડો અને યોગ્ય લાગો. આ રીતે જીવવાથી નિર્દોષ સરળતા પ્રાપ્ત થાય છે, તે જ અધિકારીને જ્ઞાનપ્રાપ્તિ કરવામાં ભાષાના અન્તરાયને તેમણે દૂર કર્યો. સત્યને જાણવાનું દ્વાર છે.” (૪) ઐહિક અને પારલૌકિક સુખને માટે થતા યજ્ઞાદિ કર્મ- આચાર્યશ્રીએ આજે એક ગોષ્ટી કરતાં જણાવ્યું કે “વિચાર અને કાંડોને સ્થાને સંયમ અને તપસ્યાના સ્વાવલંબી અને પુરુષાર્થપ્રધાન બુદ્ધિ મનુષ્યના સ્વાધ્યને માત્ર અરધો ભાગ છે અને જે વ્યકિત માર્ગનું તેમણે મહત્ત્વ સ્થાપ્યું અને અહિંસાધર્મ વિશે તેમણે લોકા- અરધે સ્વસ્થ છે તે અસ્વસ્થ જ છે. વિજ્ઞાન અને તેની તર્કસરણી દર પેદા કર્યો. અરધા મનુષ્યને જ સ્પર્શ કરે છે અને મનુષ્યમાં એ વડે ઉત્પન્ન (૫) ત્યાગ અને તપસ્યાના નામે વ્યવહારતા રૂઢ શિથિલા થયેલી બુદ્ધિમત્તા અધુરી જ હોય છે, અને જે મનુષ્ય અરધે બુદ્ધિચાને સ્થાને સાચા ત્યાગની અને સાચી તપસ્યાની પ્રતિષ્ઠી કરીને માન છે તેને બુદ્ધિમાન કેમ કહેવાય? વસ્તુત: જેનું અરધું મને સ્વસ્થ ભેગને બદલે યોગના મહત્ત્વનું વાતાવરણ તેમણે ચેતરફ ઊભું કર્યું. છે અને જેની બુદ્ધિમત્તા અરધી છે- અધુરી –તે પાગલ જ . આવી એક વિશ્વવન્ત વિભૂતિને, જેમણે આપેલે અહિ- છે. મનુષ્ય પૂરા બનવું–પૂર્ણ બનવું – જરૂરી છે. તેના આ ખંડિત સાને મંત્ર આજની દુનિયા માથે ઝઝુમતા સર્વ વિનાશમાંથી ઉગારવા વિકાસમાં જ તેનું સર્વ દુ:ખ અને સંતાપ છુપાયેલાં છે. બુદ્ધિ અને માટે એક માત્ર ઉપાય છે એમ દુનિયાના ચિત્તકો અને વિચારકો હૃદય...જ્ઞાન અને પ્રેમ... વિજ્ઞાન અને ધર્મનું સંમીલન જ મનુષ્યને પકારીને કહી રહ્યા છે એવા ભગવાન મહાવીરને, આજે તેમના પૂરે સ્વાશ્ય આપી શકે છે. જન્મજયન્તીના દિવસે, આપણાં અંતરનાં વન્દન હો ! પરમાનંદ અનુવાદક : પરમાનંદ. મૂળ હિંદી : સુશ્રી ક્રાન્તિદેવી. Page #79 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૪ * પ્રમુખ જીવન મમ સમ’ એ જ સ સંઘર્ષોનુ મૂળ [બિહાર પ્રદેશમાં કેટલાક સમયથી વિનોબાજીની ગ્રામદાનયાત્રા ચાલી રહી છે. આ યાત્રા દરમિયાન બને તેટલી મોટી સંખ્યામાં ગ્રામદાન મેળવવાનો વિનોબાજીના આશય હોઈને આ યાત્રાને તુફાન યાત્રા'ના નામથી વર્ણવવામાં આવે છે. પ્રસ્તુત યાત્રા દરમિયાન ભગવાન મહાવીરના ઐતિહાસિક જન્મસ્થાન તરીકે આજના પુરાતત્ત્વ-સંશાધકોએ જે સ્થળને સ્વીકાર્યું છે તેવા વૈશાલી ગામનાં પડાવ દરમિયાન તા. ૨૬-૧૧-૬૫ના રોજ વિનેબાજીએ ભગવાન મહાવીરની અનેકાન્તલક્ષી વિચારણાને લક્ષમાં રાખીને પ્રેરક પ્રવચન આપેલું. તે પ્રવચનને ગુજરાતીમાં શ્રી મેનાબહેને ટૂંકાવીને આપ્યું જે તાજેતરમાં પસાર થયેલી મહાવીર જયન્તીના અનુ સંધાનમાં અહિં પ્રગટ કરતાં આનંદ થાય છે. પરમાનંદ હમણાં તમે સાંભળ્યું છે કે અહીં દશ ગ્રામદાન મળ્યા અને આ વૈશાલી પ્રદેશમાંથી અગ્યાર મળ્યા છે, એટલે આ નાના એવા પ્રદેશમાં એકવીસ ગ્રામદાન મળ્યાં. મહાવીરનું આ જન્મસ્થાન છે. સારાયે ભારતમાં આ ક્ષેત્ર મશહૂર છે. જો આ પ્રદેશ પ્રખંડ ગ્રામદાનમાં એટલે કે તાલુકા દાનમાં આવી જાય તો ઘણી પ્રતિષ્ઠા મળે. એમ થાય તા એવું લાગશે કે જાણે મહાવીર આજે પણ અહિં કામ કરી રહ્યા છે. હમણાં અહિં એમ કહેવાયું કે આ ક્ષેત્રમાં જમીન બહુ ઓછી છે. એક એકર જમીન ઉપર ત્રણથી ચાર માણસ નભે છે, એવી પરિસ્થિતિમાં જે કામ થઈ શકયું તેટલું કર્યું. મારું માનવું આનાથી ઊલટું છે. આછામાં ઓછી જમીન છે માટે તે ગ્રામદાન થવું જોઈએ. વધારે જમીન હોય તે ગ્રામદાનના પ્રશ્ન જ કર્યો રહ્યો ? અમેરિકામાં માણસ દીઠ બાર એકર જમીન છે. તેમ અહીં હોય તે ગ્રામદાનનો પ્રશ્ન જ ઊભા ન થાય. બહુ ઓછી જમીન છે માટે જ ગ્રામદાનની આવશ્યકતા છે. તમારી દલીલ ઊલટી હોવી જોઈએ. બીજા પ્રદેશામાં પણ મેં આ જ વાત કહી છે. કેરળમાં પણ આવી પરિસ્થિતિ છે. બલ્કે અહિં કરતાં ત્યાંની વસ્તી બમણી છે. આવી પરિસ્થિતિમાં બધાંએ એક થઈને રહેવું જોઈએ. અહિં જેમ બને તેમ બધાએ સાથે મળીને ખેતી કરવી જોઈએ અને તેમ કરવા જે ઈચ્છતા હોય તેમને ઉત્તેજન આપવું જોઈએ. હું તમને ગ્રામદાનમાં આ ફરજ પાડતા નથી, પણ સલાહ જરૂર આપું કે બે બે ચાર ખેડૂત સાથે મળી ખેતી કરે. તેના લીધે વૈજ્ઞાનિક સાધનોના ઉપયોગ સરળતાથી થશે. બધા એક થઈ જાઓ! આ મહાવીરનું ક્ષેત્ર છે. તેમના સંદેશનું પાલન કરી તમે પણ મહાવીર બનો. આ “વૈશાલી” એટલે કે વિશાળ ક્ષેત્ર છે. તમે તમે પણ વિશાળ બના, આ છેકરો પીળો સાફો પહેરીને બેઠો છે. હું પીળા સાફો પસંદ કરું છું, કેમકે તે અહિંસાની નિશાની છે. અહિં ઘણી બહેન બેઠી છે. બહેનમાં શાંતિની ભાવના હોય છે. પણ જો બહેના એમ સમજતી હોય કે અમારા તરફથી અશાંતિ ન જાગે તો બસ છે તો તે પૂરતું નથી. બહેનેાએ શાંતિ સ્થાપવાની પ્રક્રિયામાં પણ સાથ પુરાવવા જોઈએ. ગામડાં અહિંસા દ્વારા જ ઊભાં થઈ શકશે. દરેક ગામડામાં સ્વરાજ્ય હશે, બધા પ્રેમથી રહેશે, ગૌરક્ષા કરશે, માખણ ખાશે, માંસાહાર તજશે, હાથછડના ચોખા વાપરશે, પેાતાના કપડાં પોતે ઉત્પન્ન કરી લેશે. માંસાહાર તજવા એ એક મહત્ત્વની વાત છે. આ મહાવીરના ક્ષેત્રમાં માંસાહાર-ત્યાગનું વાતાવરણ ફેલાય તે તે એક વીરતાનું કામ છે. મહાવીરે સહયોગની વાત કરી છે. મહાવીર પેાતાના વિચારને પ્રચાર કરતા, પણ બીજા પક્ષનો વિરોધ કરીને નહિં, તે માનતા કે દરેકના કહેવામાં કંઈક સત્યાંશ હાય છે. તો દરેકની વાતના સત્યાંશને ગ્રહણ કરવા અને સમગ્ર સત્યનું સંશોધન કરવું એ એમની રીત હતી. આ એક વિશાળ દષ્ટિ મહાવીરસ્વામીએ આપણને આપી છે. લોકોએ તેના એક સિદ્ધાંત બનાવ્યો અને તેને અનુસાર આજે એક સુરક્ષાબળ કામ કરી રહ્યું છે. જે પ્રત્યેકમાંથી સત્યાંશ ગ્રહણ કરી પૂર્ણ સત્ય શોધવાના પ્રયત્ન કરે છે. ભૂતએ કહ્યું કે “ચાલો તાકંદ.” શાસ્રીએ કહ્યું “અમે કેવળ કાશ્મીર પ્રશ્ન પર ચર્ચા નહિ કરીએ. ભારત પાક બધા જ પ્રશ્નોની ચર્ચા કરશું.” એટલે કાશ્મીર સિવાયના જ પ્રશ્નો ચર્ચીશું એમ નહિ, તેમ કાશ્મીર નહિ એમ પણ નથી કહ્યું. આ છે મહાવીરની ખૂબી, શાસ્ત્રીજી આમ મહાવીરના સૂત્રને અનુસર્યા. કોઈ એકમાં જ સત્ય છે એવા આગ્રહ નહિં તે અનાગ્રહ. એટલે મે' જે સત્ય માન્યું તેને 3 છે. પ્ર તજી દેવાની વાત નથી, પણ તમારુ` બધું જ અસત્ય છે એમ પણ નહિં. આ મધ્યસ્થવૃત્તિ છે, અને હું કહું છુ કે જો દુનિયામાં શાંતિ સ્થપાવાની હશે તે આ મધ્યસ્થવૃત્તિ દ્વારા જ સ્થપાશે. યુદ્ધો ફરી ફરી ન થાય તે માટે અમે લડીએ છીએ એમ યુદ્ધ કરનારાઓ કહે છે. ભારત કહે છે “અમારા પર આક્રમણ થયું માટે અમે લડીએ છીએ.” એટલે આક્રમણ ન થાય તો કોઈ લડે નહિ એમ સૌ કોઈ માને છે. તે આપણે બાંધાડ કરવી પડશે. સત્ય બહુ ચાલાક છે. તે થોડું આમાં પણ રહે છે, થોડું તેમાં પણ, બન્ને પક્ષ પોતપોતાના સત્ય અંશને પકડી રાખી લડે છે, અને પરમાત્મા આ બધા ખેલ જોયા કરે છે. વેદમાં યુદ્ધને માટે એક શબ્દ કહ્યો છે, વેદમાં આવે છે “મમ સત્યમ્” યુદ્ધ માટે આ શબ્દ. હે ઈન્દ્ર, લાકો તારું આવ્વાહન કરે છે ‘મમ સત્યમ્' માં અને આ ઉપર ભાષ્યકાર લખે છે, મમ સત્યેવુ યુદ્ધેવુ ત્યર્થઃ ” “મમ સત્ય” એટલે યુદ્ધ. કોઈ એમ કહ્યા કરે, “મારું જ સાચું, મારું જ સાચું” તે તે યુદ્ધને આાહન છે. ખરી રીતે કહેવું આમ જોઈએ, “મારું પણ કંઈક સાચું છે, તારું પણ કંઈક સાચું છે.” તો એક બીજાનો મેળ મળે. દુનિયામાં જો એક વિશ્વય રચવું હોય તો મહાવીરના આ સિદ્ધાંતને અનુસરવા એ જ એક માર્ગ છે. .. મેં માંસાહારની વાત કરી, તેનો અર્થ એ નથી કે પ્રાણીઓની સંખ્યા વધી જાય. પ્રાણીસંખ્યાની વૃદ્ધિ કરવી એ પણ હિંસા છે એમ જૈનાએ પણ કહ્યું છે. જૈનોએ શું કહેવાનું બાકી રાખ્યું છે? દરેક વિષય ઉપર તેમનું ચિંતન છે. એટલે મારું કહેવું એટલું જ છે કે પ્રાણીના આહાર છેડો, માંસાહારનો ત્યાગ કરો. ઓછામાં ઓછું આ ક્ષેત્રમાં આટલું તો કરો જ. આ ક્ષેત્રમાં જૈન શાસ્ત્રોનું અધ્યયન થઈ રહ્યું છે. ગ્રંથ બહાર પડી રહ્યા છે. પણ પુસ્તકો શું ચાટવાના છે ? મહાવીરે સ્પષ્ટ આદેશ કર્યો છે કે મહાપુરુષો નિગ્રંથ” હોય. જૈનધર્મ બહુ સુક્ષ્મ છે. એણે વાવી વલાવીને માખણ તમારી આગળ મૂકયું છે. એને વ્યવહારમાં મૂકવાની કોશિષ તમે કરો, અને તે માટે આટલું કરો, ૧ પીળા સાફો જોઈએ, ૨ પૂરું પ્રખંડ દાન કરી, ૩ માંસાહાર છેડો, ૪ માંસાહારની સાથે ચાલનારો દારૂ છેડો, આ બધું તમારે આ ભૂમિમાં કરવાનું છે. મહાવીરે એક બીજી પણ ક્રાન્તિકારી વાત કરી. બુદ્ધ અને મહાવીર સમકાલીન થઈ ગયા. મારા ખ્યાલ પ્રમાણે બુદ્ધ અને મહાવીરનું મીલન પણ થયું હતું. ભગવાન બુદ્ધે સ્ત્રીને દીક્ષા ન આપી. એક વખત એમના શિષ્ય આનંદ એક બહેનને લાવ્યા અને કહ્યું, “ભગવન્ ! આ બહેન ખૂબ જ જિજ્ઞાસુ છે, આને દીક્ષા આપો.” ત્યારે બુદ્ધે કહ્યું, “હું આનંદ ! તે પરીક્ષા કરી છે તો તારા ઉપર વિશ્વાસ રાખી એને દીક્ષા આપું છું, પણ સમજજે કે આપણા સંપ્ર દાય માટે આ એક જોખમકારક વસ્તુ છે.” એટલે બુદ્ધ સ્ત્રીને દીક્ષા આપવામાં જોખમ માન્યું, જ્યારે ભગવાન મહાવીરે સ્રીઓને છૂટથી દીક્ષા આપી. કહેવાય છે કે એમના પરિવારમાં જેટલી સાધુઓની સંખ્યા હતી એથી વધારે સાધ્વીઓની હતી. આ એમણે બહુ હિંમતનું કામ કર્યું. અને આને લીધે એમનું ‘મહાવીર’ નામ સાર્થક છે. જ્યારે હું મહાવીરનું નામ લઉં છું ત્યારે મને એમ લાગે છે જાણે ચારેમેર હવામાં એ ઘૂમી રહ્યા છે. પરમ ત્યાગી, અનાગ્રહી, મધ્યસ્થદષ્ટિ મહાવીર હું જોવા ચાહું છું અને કદાચ મહાવીર પણ જોવા ચાહતા હશે કે આ પ્રજામાં મહાવીરના કંઈ લક્ષણ દેખાય છે કે નહિ. એટલે બાબાએ જે ગ્રામદાનની વાત કરી છે તે મહાવીરને ખૂબ પસંદ હશે એમાં કોઈ શક નથી. મૂળ હિંદી : વિનોબા ભાવે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૪: ભૂદાનનો વિચાર ચૌદ વર્ષ પહેલાં લોકો સમક્ષ મૂક્યો હતા. અને ગ્રામદાનના વિચાર તેર વર્ષ પહેલાં મૂકયા હતા. ગ્રામદાનના વિચારમાં જમીનની માલિકી છેડવાની અને જમીનની સરખી વહેંચણી કરવાની વાત હતી. તેના પરથી મને થયું કે ગ્રામદાનના આ વિચાર સમાજ-પ્રેરણા માટે પૂરી રીતે અનુકૂળ છે, પરંતુ સ્વાર્થપ્રેરણા માટે તે એટલા અનુકૂળ નથી. ત્યારે બંનેના મેળ કરવાની કોઈ નવી મુકિત અંગે હું વિચારવા લાગ્યો.” અને “સુલભ ગ્રામદાન''ની વાત ધ્યાનમાં આવી. પ્રભુ જીવન * સુલભ ગ્રામદાન (છેલ્લાં ચૌદ વર્ષથી જે પ્રવૃત્તિનું પૂજ્ય વિનોબાજી એકધારૂં આંદોલન ચલાવી રહ્યા છે તે ગ્રામદાનની યોજનામાં વ્યકિતની સ્વાર્થપ્રેરણા સાથે સમાજ પ્રેરણાનો મેળ સધાય એ હેતુથી, કેટલોક ફેરફાર કરીને તેને નવું રૂપ આપવામાં આવ્યું છે અને આ યોજનાને ‘સુİલભ ગ્રામદાન ’ ના નામે ઓળખવામાં આવે છે. આ ગ્રામદાન અથવા ‘સુલભ ગ્રામદાન’ ની પ્રવૃત્તિનો જો દેશભરમાં અમલ કરવામ આવે તો તેમાં દેશની કાયાપલટ કરવાની અપાર શકિત રહેલી છે. આમ છતાં મુંબઈ બાજુ વસતાં ભાઈ-બહેનો ‘આ સુલભ ગ્રામદાન’ વિષે લગભગ અજ્ઞાત જેવા છે અને તે પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા સેવતા જોવામાં આવે છે. વિનોબાજી આજના યુગપુરુષ છે અને આ ગ્રામદાન પ્રવૃત્તિ એ તેમના જીવનનું સૌથી વધારે ધર્મકાર્ય છે. વિનોબાજીના આ ધર્મકાર્યને આ બાજુના ભાઈ - બહેના યથાસ્વરૂપે સમજે એ હેતુથી, ગુજરાત સર્વોદય મંડળ તરફથી થોડા સમય પહેલા પ્રગટ કરવામાં આવેલ એક નાની પુસ્તિકા, ઉત્તર પ્રદેશમાં આવેલા ‘બલીઆ ’ મુકામે તા. ૧૫- ૧૬ - ૧૭ એપ્રિલ આમ ત્રણ દિવસ માટે ૧૬ નું સર્વોદય સંમેલન ભરાઈ રહ્યું છે એ અવસર ઉપર, અહીં નીચે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તંત્રી) જેટલું જેટલું હું વિચારું છું, ‘સુલભ - ગ્રામદાન ’ બધી રીતે ભલા માટે જ છે. સૌમપ્યપ્રદ સર્વતોમગ્ર નિધિ ' એ તુલસીદાસજીના શબ્દો છે. આમાં સર્વ - સૌભાગ્ય સમાયેલું છે. અન્નના સવાલ, અહિંસક ઢબે સમાજવાદી રચનાનો સવાલ – આ બધાના ઉકેલ આમાં છે, બધી રીતનું એમ કલ્યાણ છે. તે સર્વતોભદ્ર છે. ‘સુલભ ગ્રામદાન’માં જમીનની સંપૂર્ણ માલિકી ગ્રામસભાની થશે અને કુલ જમીનના વીસમા ભાગ જમીન ભૂમિહીનામાં વહે ચાશે. બાકીની જમીન ખેડવા માટે જે-તે માલિક પાસે રહેશે અને ભવિષ્યમાં પણ તેની સંમતિ વિના જમીન લેવાશે નહીં. આ એટલા માટે કરવામાં આવ્યું કે વ્યકિતની સ્વાર્થ-પ્રેરણા સાથે સમાજ-પ્રેરણાનો મેળ સધાય. મને ઉમેદ છે કે આ વિચારને આખું ભારત ઉપાડી લેશે અને નવા પ્રકારનાં (સુલભ) ગ્રામદાન આખા ભારતમાં થશે. વિનોબા ગ્રામદાન એટલે શું? ૧ જમીનની માલિકી ગ્રામસભાને અર્પણ કરવામાં આવે છે. (અ) ગામની બહાર જમીન વેચી ન શકાય કે ગીરે ન મૂકી શકાય. (આ) જમીન પર ખેતી કરવાના, વારસામાં આપવાનો અને ગામમાં ગ્રામસભાની અનુમતિથી હસ્તાંતરિત કરવાના અધિકાર ભૂમિવાનનો રહે છે. ૨ જમીનનો ૨૦ મા ભાગ ગામના ભૂમિહીને માટે દાનમાં આપવાના હોય છે. ( દાતા જેમને પસંદ કરે તેવા ભૂમિહીનામાં આ જમીન વહેંચાશે ). ૩ ગ્રામ – કોષ માટે ખેડૂત પોતાની ઊપજમાંથી મણે એક શેર અનાજ દર વર્ષે આપશે. અને બીજા ઉદ્યોગ - ધંધામાં તથા નેકરી - મજૂરીમાં લાગેલા લોકો પોતાની આવકનો ૩૦ મા ભાગ દર વર્ષે આપશે. જ ગામના દરેક ઘરમાંથી એક એક પ્રતિનિધિ લઈને અથવા બધા પુખ્ત વયના ગ્રામવાસીએની એક ગ્રામસભા બનાવવામાં આવશે. આ ગ્રામસભા ગ્રામમાતાની માફક ગામનાં બધાં કામ સર્વસંમતિથી કરશે. ૫ સુલભ ગ્રામદાનમાં રેવન્યુ–ગામને બદલે ગામ અથવા મહાલ્લાનું કે પરાનું પણ ગ્રામદાન થઈ શકે છે. ગ્રામદાનના અર્થ, ગામનું દાન નહિ, ગામ માટે દાન છે. ગ્રામદાન જાહેર કરવા જરૂરી કાર્યવાહી ' ૧ ‘ગ્રામદાન - ઘેષણા - પત્ર' પર ગામના ભૂમિવાનામાંથી ૭૫ ટકા ભૂમિવાનાની સહી થવી જોઈએ. તા. ૧૬-૪-૧ 1 ૨ ગામમાં રહેનારા ભૂમિવાનોની તે ગામની કુલ જમીનમાંથી ઓછામાં ઓછી ૫૧ ટકા જમીન ગ્રામદાનમાં સામેલ થવી જોઈએ. ૩ ગામના કુલ કુટુંબામાંથી ૭૫ ટકા કુટુંબો ગ્રામદાનમાં સામેલ થવાં જોઈએ. ૪ ભૂમિવાન દાતાઓનાં વ્યકિતગત ‘સમર્પણ-પત્ર’ ભરાવવામાં આવે. ગ્રામદાન જાહેર થયા પછી શું કરવાનું? ગ્રામદાન જાહેર થયા પછી ગ્રામદાન કરાવનાર કાર્યકર્તાઓ અથવા સંસ્થાઓએ નીચેની કાર્યવાહી પૂરી કરી લેવી જોઈએ. ૧ ગ્રામસભા રચવામાં આવે અને તેના પ્રમુખની સર્વસંમતિથી ચૂંટણી થઈ જાય. આ જરૂરી છે. ૨ વ્યકિતગત ‘સમર્પણ - પત્ર' માં જમીનના સરવે નંબર આપવાનો રહી ગયો હોય તો તે આપી દેવામાં આવે. દાતા જે જમીન ગ્રામસભાને આપે, તેના સરવે નંબર આપવામાં આવે. ૩ એ રીતે ગ્રામસભાને મળેલી જમીનની વહેંચણી ભૂમિહીનામાં કરવામાં આવે. એકદમ નાના ટુકડા હોય તો ગ્રામસભાની અનુમતિ લઈ જમીન પ્રમાણે તેની કીમત આંકીને દાતા એટલી રકમ ગ્રામસભા પાસે જમા કરાવી શકે છે. આ જમા રકમ વડે ગ્રામસભા બીજી જમીન ખરીદીને ભૂમિહીનામાં વહેંચી શકે છે. ગ્રામસભાનાં કર્તવ્યો જરૂર નથી. ૧ કાયદેસર રજિસ્ટ્રેશન થવા સુધી ગ્રામસભાને રોકાવાની હીનામાં વહેંચી દેશે. ૨ જે પ્રમુખની ચૂંટણી ન થઈ હોય તે ગામના દરેક કુટુંબમાંથી એક પુખ્ત ઉંમરનો પ્રતિનિધિ લઈ ગ્રામસભાની પહેલી બેઠક અગાઉથી સૂચના આપીને બાલાવવામાં આવે ને અધ્યક્ષ તથા બીજા પદાધિકારીઓ સહિત કારોબારીની ચૂંટણી ‘સર્વ સ’મતિ’થી કરવામાં આવે. ૩ ગ્રામસભા સૌથી પહેલાં દાતાઓ દ્વારા મળેલી ભૂમિ ભૂમિ ૪ સભ્યો પાસેથી મળેલા દાનના આધાર પર એક ગ્રામકોષ નિર્માણ કરવામાં આવશે. આ ગ્રામ - કોષ દ્રારા બેકારોને કામ, શિક્ષણ ને આરોગ્યની સગવડ, ગામના આર્થિક વિકાસ માટેના સહાયકગ્રામોદ્યોગોની સ્થાપના તથા ગ્રામ - ભંડારનું સંચાલન વગેરે કામે માટે ગ્રામસભા પ્રયત્ન કરશે. ૫ ગ્રામદાન કાનૂન ન બન્યો હોય અથવા લાગુ ન થયો હોય તે વર્તમાન કો - આપરેટીવ ઍકટ (સહકારી કાયદા ) ના આધારે એક ગ્રામસ્વરાજ્ય સહકારી મંડળી' રજિસ્ટર કરવામાં આવે. ૬ આ સહકારી મંડળી દ્વારા ગામ માટે ગ્રામભંડાર ચલાવવા, કરજ લેવું - દેવું, નિશાળ ખોલવી વગેરે વ્યવહાર ગ્રામસભાની અનુ મતિથી શરૂ કરવામાં આવે, ૭ ગામનું એક વર્ષનું બજેટ તથા વિકાસની યોજના તૈયાર કરવામાં આવે અને અન્ય ગ્રામોદ્યોગો ઊભા કરવાની બાબત અંગે ગ્રામસભામાં નિર્ણય લેવામાં આવે. ગ્રામદાનની સરકારી માન્યતા ૧ ગ્રામદાનનાં ‘સંકલ્પ - પત્ર' તથા ‘સમર્પણ - પત્ર’ સરકારના રેવેન્યુ વિભાગના સ્થાનિક અધિકારીઓ પાસે રજૂ કરવામાં Page #81 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૪-૬૬ પ્રબુદ્ધ જીવન ૨૭ આવે. તપાસ કર્યા પછી સરકાર ગ્રામદાનને માન્યતા આપે છે. ૨ ગ્રામદાની ગામમાં જમીનના વીસમા ભાગની ફરીથી વહે- ચણી થતાં અને ગ્રામસભાના નામથી માલિકીને પટ્ટો થતાં ગ્રામદાન ધષિત ગ્રામદાન' કહેવાશે. ગ્રામસભાનાં કર્તવ્ય (સરકારી માન્યતા મળ્યા પછી). - ૧ ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવશે અને તે રાજ્યસરકારમાં જમા કરાવશે. ' ૨ સામુદાયિક કામ માટે જમીન અલગ રાખવી, જમીન સુધારણા કરવી, રાજ્ય પાસેથી કરજ લેવું, ખેડૂતોને ખેતીના વિકાસ માટે કરજ આપવું, ગામની જમીનની વ્યવસ્થા (પરસ્પર અદલ - બદલ કરવી અને એકીકરણ) કરવી, ઉત્પાદનનાં કે જે ગામની પરિસ્થિતિને અનુકુળ અને રાજ્ય સરકાર દ્વારા સ્વીકારાયેલાં હોય તેવાં બીજાં કાર્યો કરવાં. આ બધાં કામે ગ્રામસભા કરશે. ૩ ગૌચરની કે બીજા ઉપયોગ માટેની જમીનની વ્યવસ્થા ગ્રામ- સભાના હસ્તક રહેશે. ૪ ગ્રામસભાનું કાર્ય સર્વસંમતિથી થશે. ૫ ગ્રામસભાની વિધિપૂર્વક સ્વીકૃતિ મળ્યા પછી ગ્રામપંચાચેતના અધિકાર પણ ગ્રામસભાને મળશે. . ૬ ગ્રામદાનની બધી જમીનનું ખાનું ગ્રામસભાને નામે રહેશે. ગ્રામદાન કાયદો રાજ્યના બીજા કાનૂની માફક ગ્રામદાન કાયદો કોઈ પણ ગામને ફરજિયાત ગ્રામદાન કરવાનું નથી કહેતો. પણ લોકોએ પોતાની રાજીખુશીથી જ્યાં જ્યાં ગ્રામદાન કર્યા છે, ત્યાં તેની કાયદેસરની વ્યવસ્થા કરી દેવી અને તેને કાયદેસર માન્યતા આપવીઆટલો જ ગ્રામદાન કાયદાને હેતુ છે. ગ્રામદાન કાયદાથી કોઈ પણ પ્રકારની બીક રાખવાનું કારણ નથી કે, ન તો એના વિરોધનું કોઈ કારણ છે. જુદા જુદા પ્રદેશમાં ગ્રામદાન કાયદો બને છે. તેમાં કોઈમાં ૬૬ ટકા, કોઈમાં ૭૫ ટકા તે કોઈમાં ૮૦ ટકા લોકોની અનુમતિ ગ્રામદાન થવા માટે આવશ્યક માની છે. તે બધામાં ગામ અથવા મહોલ્લાની ૫૧ ટકા અથવા તેથી વધારે જમીન જોઈએ તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજસ્થાન, આસામ, બંગાળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં ગ્રામદાન - કાનૂન બની ચૂકયો છે. મદ્રાસ અને એરિસાના ભૂદાન- કાનૂનમાં ગ્રામદાની ગામની જાહેરાતની વ્યવસ્થા રાખવામાં આવી છે. બિહારમાં વિનોબા - યાત્રા પ્રવેશ ટાણે ઓર્ડિનન્સ દ્વારા ગ્રામદાન - કાનૂન અમલી બનાવાય છે, જયારે બીજા રાજ્યમાં પણ ગ્રામદાન - કાનૂન જલદી બનાવવામાં આવી રહ્યા છે. ગ્રામદાનથી પ્રશ્નો ઉકેલ ગ્રામદાનને અથ ગ્રામ સ્વરાજ છે. પરંતુ આ ગ્રામ-સ્વરાજ એવું નહીં હોય જેવું આજે દિલ્હીનું રાજ્ય ચાલે છે. ગ્રામ સ્વરાજ્યમાં નીચેની ભાવના મુખ્ય રૂપે રહેશે. * ૧ એક પરિવાર ભાવના : આખું ગામ મળીને એક કુટુંબ થશે. ૨ ગરીબી નિવારણ: ગામમાં જે કોઈ દીન - દુ:ખી, નાગેભૂખ્યો હશે તેની ચિંતા ગ્રામસભા રાખશે. ૩ સર્વાગી વિકાસ તરફ: ગ્રામસભાના માધ્યમથી ગામના સર્વાગી વિકાસની સામૂહિક યોજના બનાવાશે, જેથી બેકારી - બેરેજગારી મટી શકે અને જીવનની આવશ્યક વસ્તુઓની બાબતમાં સ્વાવલંબન તરફ આગળ વધી શકાય. ૪ શેષણ - મુકિત: જમીનની માલિકી વ્યકિતગત ન રહેતાં ગ્રામસભાને નામે રહેશે. ગ્રામસભા મારફત કર વસૂલાત વગેરે બધા વ્યવહાર થશે, જેથી ગામની તાકાત વધશે. આનાથી શોષણ અને સરકારી નોકરોને ત્રાસ મટશે. ૫ શાંતિ અને સુરક્ષા: ગામના ઝગડા ગામની કચેરીમાં નિપ ટાવવામાં આવશે. શાંતિ અને સંરક્ષણ માટે ગ્રામસભા ‘શાંતિ - સેનાદળ ઊભું કરશે. ૬ પક્ષબાજી મટશે: ચૂંટણીને કારણે લઘુમતીના ઝગડા વધે છે. ગામમાં પક્ષે અને જો બની જાય છે. ગ્રામદાન થયા પછી બધું કામ સર્વસંમતિથી ચાલશે એવી અપેક્ષા છે એટલે ઝઘડાઓ મટી જશે. ૭ પુંજીનું નિર્માણ: ગામમાં આખરે તે દર વર્ષની જરૂરિયાત જેટલું અનાજ રાખવાની વ્યવસ્થા અન્ન - ભંડાર દ્વારા થશે. આનાથી ફકત ગામના અનાજની આવશ્યકતા ગામમાં જ પૂરી થશે, એટલું જ નહીં, સંકટકાળમાં ગ્રામજનોને યોગ્ય કીમતે અનાજ મળી શકશે. વળી ગામની ખેતી અને ઉદ્યોગ - ધંધા માટે પુંજીનું નિર્માણ થશે. ગ્રામદાન જ શા માટે? * ભારતને આઝાદી મળે ૧૮ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ત્રણ પંચવર્ષીય યોજનાઓ બની ચૂકી છે. અને ત્રીજી પૂરી થઈ રહી છે. તો પણ સ્વરાજ્યના લાભ અને તેને અનુભવ ભારતનાં ગામડાંને હજી સુધી નથી થયો. બલ્ક અમીરો વધારે અમીર બન્યા છે અને ગરીબ વધારે ગરીબ થયા છે. દિનપ્રતિદિન જીવનની અનેક સમસ્યા વધતી જ રહી છે. ૭૫ થી ૮૦ ટકા ભારત ગામડાંમાં વસ્યું છે. જ્યાં સુધી દેશનું પ્લાનિંગ (આયોજન) નીચેથી ઉપર તરફનું નહીં બને, એટલે કે જ્યાં સુધી ગામ પોતાને સંભાળવાનો પ્રયત્ન નહીં કરે, જ્યાં સુધી સરકાર પર અવલંબિત રહેવાને બદલે પિતાના પગ પર ઊભા રહીને સાચા અર્થમાં પિતાને આઝાદ નહીં અનુભવે, ત્યાં સુધી ભારતની આઝાદીનું સાચું પરિણામ નહીં દેખાય. સને ૧૯૫૭ માં યેલવાલ (મહેસુર) માં જે ગ્રામદાન - પરિષદ થઈ હતી, તેમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ તથા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સહિત જુદા જુદા પક્ષના નેતાઓએ ગ્રામદાનને ભૂમિસમસ્યાના ઉકેલના સર્વોત્તમ ઉપાય તરીકે માન્ય કર્યું હતું. . દેશના વિચારક લેક પણ માનવા લાગ્યા છે કે દેશના સર્વાંગી | ઉત્થાનની પ્રેરણા ગ્રામદાન અથવા ગ્રામ - સ્વરાજ્યના વિચારમાં સમાયેલી છે. એટલે દેશમાં હજારો નહીં, બલ્ક લાખોની સંખ્યામાં ગ્રામદાન થાય તે જરૂરી છે અને ત્યારે જ તેમાં છુપાયેલી શકિતનું દર્શન દેશને જનતાને થશે. ગ્રામદાન - સંકલ્પ પત્ર ... જિલ્લા તાલુકામાં ગામના રહેવાસીઓ સંત વિનોબાજી દ્વારા પ્રવર્તિત ગ્રામ સ્વરાજ્યના વિચારને સારી પેઠે સમજી -બૂજીને અમારા ગામ માટે ગ્રામદાન કરીએ છીએ, અને આ ઉદેશ નિમિત્તે: (૧) અમે અમારી ખેડવાલાયક જમીનને ઓછામાં ઓછો વીસમે ભાગ ગામના ભૂમિહીન ભાઈઓ માટે આપીએ છીએ. (૨) અમે આ ગામની અમારી કુલ જમીનની માલિકીને અધિકાર ગ્રામસભાને સમર્પિત કરીએ છીએ. પરંતુ ભૂમિહીને માટે ઓછામાં ઓછો વીસમે ભાગ આપી દીધા પછી જે જમીન અમારી પાસે રહેશે, તે અમારી કે અમારાં સંતાનોની સંમતિ વિના હેરફેર નહીં કરી શકાય. નીચેના અપવાદ સિવાય કોઈ પણ પરિસ્થિતિમાં આ જમીનનું હવે ન તો વેચાણ થઈ શકશે અને ન તે ગીરો મૂકી શકાશે. [અપવાદ – ગ્રામસભાની અનુમતિથી અમે અમારા કબાની જમીનને કોઈ પણ ભાગ ગ્રામસભાને અથવા ગ્રામસભાના કોઈ સભ્ય પરિવારને હેરફેર કરી શકીશું.] (૩) અમે અમારા કબજાની જમીનની ઊપજને ચાલીસમી ભાગ (મણે એક શેર – જમીનનું મહેસૂલ ચૂકવ્યા તથા પાકને ભાગ વહેંચ્યા. પછી) અથવા જે ગ્રામસભા નક્કી કરે તે, ગ્રામકોષ અથવા ગ્રામવિધિ માટે ગ્રામસભાને આપીશું. અમારામાંથી જેમની પાસે જમીન નથી, અને જેમને રોકડ આવક થાય છે, તેઓ પોતાની માસિક આવ અમે ” Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૪-૧૯ કને તીસમે ભાગ (એટલે મહિને એક દિવસની આવક) અથવા જે મહાપ્રસ્થાનના પંથ પર૮ કાંઈ ગ્રામસભા નક્કી કરે તે, રોકડ અથવા શ્રમ રૂપે ગ્રામસભાને આપશે. (નિશ્ચિત આવકને ત્રીસમે હિસ્સો જ્યાં સ્પષ્ટ ન હોય ત્યાં સાસુ અને વહુની કાળજી અને સેવાભાવથી અમને સૌને ગ્રામસભા નક્કી કરશે. જેમ કે વેપારની આવક એટલે કુલ નફે નહીં, ખૂબ આનંદ થયો. ઉચ્ચ શિક્ષણની આવી એક દીપ્તિ ને ગાંભીર્ય પરંતુ વેપારીના હાથમાં આવતું હશે તે હિસ્સો ગણાશે.) વહુના મેઢા પર જોઈને અમે બે જણ અને સન્યાસીએ પણ એની આ રીતે જે મૂડી ઊભી થશે, તેનાથી ગામના વિકાસ ને ભલા- પ્રસંશા કર્યા વિના રહી શકયા નહિ. બ્રહ્મચારી તે ‘માં મા’ કરતાં ઈનું કોઈ પણ કામ કરી શકાશે. આ પ્રકારનાં બધાં કામમાં હમેશાં એ થાકતે નહિ, ને એ તો જાણે પાગલ બની ગયું હતું. હું બહાર બેસીને લકોની ભલાઈનાં કામ ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે, જેઓ વિશેષ આકાશના તારા ગણવા લાગે. એ રાત્રી તો વીતી. સવાર થતાં જ જરૂરિયાતવાળા કે અસહાય હશે. બ્રહ્મચારીને લઈને મે આગળ ચાલવા માંડયું. પહેલા ત્રણચાર (જ) ગામના દરેક પરિવારમાંથી એક એક વ્યકિત અથવા ગામની માઈલ તે અમે કાંઈ બેલ્યા વિના કાપી નાંખ્યા. રસ્તામાં કયાંક - પુખ્ત વયની દરેક વ્યકિતને લઈને અમે ગ્રામસભાની રચના કરીશું. ક્યાંક તે સવારના પહોરમાં મોટેભાગે દૂધ મળતું હતું, ચાર કે છે આ ગ્રામસભા ગ્રામ -માતાની માફક ગામના બધા લોકોની સંભાળ આને શેર, ગરમ દૂધ પીને પાછા ચાલતા. આજે કોઈ સંગી કે યાત્રીઓ રાખશે. સાથમાં નહોતા. જે બેએક જણ મળ્યા, તેઓ અપરિચત હતા. સહ. (૫) ગ્રામસભાનું સંચાલન સાધારણ રીતે સર્વસંમતિ અથવા યાત્રીએ જોઈને ‘જય બદરીવિશાળ' કહીને તેઓ ચાલ્યા જતા. સર્વાનુમતિથી થશે. ચાલતાં ચાલતાં અમે ચીડના જંગલમાં વહેતા વાયુના પ્રવાહની જેમ ભારતમાં ગ્રામદાન એકબીજાને નિશ્વાસ સાંભળતા–વિશેષે કરીને ચઢાણને રસ્તે ભારતનાં સોળે રાજ્યમાં ગ્રામદાન થયાં છે. ૧૦ ઑકટોબર ચઢતાં હોઈએ ત્યારે. આજને માર્ગ કયાંક અતિ સાંકડે હતા, બહુ જ ૧૯૬૫ સુધીમાં દેશભરમાં ૫૪૨ ગ્રામદાન થયાં છે. બિહાર, મહા- કાળજીથી ને સાવધાનીથી ચાલવું પડતું, નીચેના પ્રદેશ તરફ અતિ રાષ્ટ્ર, ઓરિસ્સા, આંધ્ર ને આસામમાં આ પ્રવૃત્તિને વિશેષ વેગ મળેલ સાહસ કરીને ચાલનારી વ્યકિતઓમાં પણ આમતેમ જોવાનું સાહસ છે. ગુજરાતમાં ૨૪૨ ગ્રામદાન જાહેર થયાં છે. જે વડોદરા, મહેસાણા, રહ્યું નહોતું. ચક્કર આવે એવી શક્યતા હતી, નીચેની અજબ ખીણ બનાસકાંઠા ને સાબરકાંઠા જિલ્લામાં વિશેષ છે. જાણે યાત્રીઓને આકર્ષિત કરતી હતી. પગની પીડા સહન કરવાની સંકલન : મંત્રી, ગુજરાત સર્વોદય મંડળ મને ટેવ પડી ગઈ હતી, વ્યથા અને દુઃખ શરીરની જોડે જાણે જડાઈ ગયાં હતાં, સારા થઈને સ્વસ્થ દેહે ચાલવાનું જાણે હું ભૂલી ગયો. ' હવે ગ્રામદાન નહીં, પણ તાલુકાદાન હતો. બધાં જ દુ:ખે માણસમાં આવી જ સહનશીલતા કેળવતાં હશે, પણ હવે તો ગ્રામદાનની વાત પુરાણી થઈ ગઈ. હવે મેં પોતાને ઈલાજ પતાથી કરી લેવાની માણસને સગવડ આપે, અને પ્રખંડદાન (બ્લેક-દાન)ની વાત શરૂ કરી છે. કેમ કે બે-ચાર ગ્રામદાન સરસ બનાવી દે, અને દુર્ગમને સહજ કરવાને માટે એને કઠણ બનાવી થાય છે અને આસપાસનાં બીજા ગામ ગ્રામદાની નથી હોતાં તે દે. નિર્મળ અને સ્વસ્થ બનીને ચાલ્યા સિવાય અમારો આરો નહોતે. પેલાં બે-ચાર ગામને નુક્સાને પણ થઈ શકે. માટે પૂર બ્લેક ગ્રામ- આખા રસ્તાને મેલ અમારા શરીરને લાગ્યું હતું. લોકોની દષ્ટિએ દાન થવો જોઈએ. અમે પહેલાનાં સામાજિક માનવી રહ્યા નહોતા. અમારા આખા આપણાં ગામડાંમાં ત્રણ-ત્રણ પ્રકારની હવા વહે છે- એક શરીરે હિમાલયની છાપ લાગી ગઈ હતી, એક તરફ આગ ને દુ:ખ પંચાયતની હવા, બીજી સરકારી વિકાસ યોજનાની હવા, અને ત્રીજી ને બીજી તરફ સહન ન થઈ શકે એ થાક, ફાટેલાં ને મેલાં કપડાં, ગ્રામદાનની હવા. હવે આખાયે બ્લોકનું ગ્રામદાન થયું હોય તે ત્રણે ધૂળથી કાળું થઈ ગયેલું શરીર, ઊંડી ઊતરી ગયેલી ને શૂન્ય આંખે, એક થઈ જાય અને તેની તાકાત બને છે, આગળના કામ માટે ફીકું પડી ગયેલું લોહીવિનાનું રૂપ. અમે પરસ્પરને જોઈને નિસાસે ઉત્સાહ પેદા થાય છે. સરકારી સહાયને પણ ઠીક ઉપયોગ થઈ શકે નાંખતા, અમે જાણે ખરચાઈ ગયા હતા, ખૂટી ગયા હતા. છે. સરકાર તરફથી મદદ મળશે અને સર્વ સેવા સંધ તરફથી માર્ગ- તે દિવસે બપોરના તાપમાં અમે કેટલાક જણ પ્રાય : મુમુ દર્શન મળશે. આખા બ્લોકનું દાન થતાં અદ્વૈત થશે. પછી ત્યાં બીજી અવસ્થામાં અલકનંદાને પૂલ ઉતરીને રૂદ્રપ્રયાગે આવી પહોંચ્યા. આરામ! જનાઓ નહી ચાલી શકે. તાલુકા-દાનમાં સરકાર અને ગામવાળાય. કયાંક પણ અમે આરામ લેવા ઈચ્છતા હતા. લાઠીને આધાર લેતા લેતા આવશે ને મહાજનેએ પણ આવવું જોઈશે. એનાથી એમની પ્રતિષ્ઠા એક ધર્મશાળામાં બીજે માળે અમે આવીને બેસી પડયા. હવે અમારામાં અને વેપાર પણ વધશે. ગતિ કરવાની હામ નહોતી, રૂચિ નહોતી, હવે તે જાણે ઉઠવાનું પણ તમે પ્રખંડ-દાન (તાલુકા-દાન) કરીને સરકારને કહી શકો છો મન થતું નહોતું. એક વાર ચીસ પાડીને રસ્તામાં પડેલા દુ:ખને પ્રતિકે એ પિતાની યોજનાને સ્થાને ગ્રામદાનના આધાર પર નવી યોજના કાર કરવા ગયા, પણ જવા દે, પહેલાં એક વાર સૂઈ જાઉં, બધું જાય બનાવે. અને એમ ગામની યોજના તથા સરકારની યેજના એક થઈ ચૂલામાં, બધાને ભલે વિનાશ થઈ જાય, એની શી જરૂર હતી જે જશે. સરકારી વિકારો દેજના, પંચાયત તથા ગ્રામદાન આ ત્રણે આજે કોઈ કહી શકશે? અમને શું જોઈએ છે? આ દુ:ખને અંત તે જનાઆ એક થઈ જતાં, ત્રણેની શકિતને સરવાળો થશે. તે મોટું દિવસે આવશે. તે દિવસે અમને શું મળવાનું હતું? કંગાળની જેમ દૈન્ય કામ બનશે. અને મલિનતા લઈને શું અમે ભીખ માગવા આવ્યા હતા? વળી મને લાગે છે કે છૂટક છૂટક ગ્રામદાન મેળવવાનું જેટલું– આંખ મીંચીને હું પડશે. હાં, એમાં જ મઝા છે. હવે આંખ આસાન છે, તે કરતાં ય તાલુકા-દાનની વાત વધારે આસાન છે. ઉઘાડીને જોઈશ નહિ, ને મને કોઈ જોઈ ન શકે તે કેવું સારૂ' ! બધા એનાથી એક વાતાવરણ જામે છે. ગ્રામદાની ગામ અને ગ્રામદાની મને છોડીને ભાગી જાય, દૂર જતા રહે, આ બધા પુણ્યભી તીર્થના નહીં તેવા ગામને ભેદ પછી રહેશે નહીં. તેનાથી શાંતિસેના રચવાનું કીડા તરફ મને જરા ય શ્રદ્ધા રહી નહોતી, કોઈની માયા રહી નહોતી. પણ આસાન થશે. એટલા વાસ્તે ખાદીવાળા, ભૂદાન-ગ્રામદાન- હવે કયાંય જવું નથી. પૂરી શિક્ષા મળી ચૂકી છે. આ માટીમાં જ વાળા, વિકાસ-યોજનાવાળા પંચાયતવાળા, રાજકીય પક્ષોવાળા, પડયો રહીશ. ધર્મનિષ્ઠ લોકો અને શિક્ષકો સહુ કોઈ મળીને આ આંદોલન શરૂ કરે પણ હાય રે! નિર્લજજ દેહ ફરીથી પ્રેમાળ અને મધુર પવનના અને પ્રખંડ-દાન યાને તાલુકાદાનો પ્રયત્ન કરે. વિબા સ્પર્શથી ધીમે ધીમે સજીવ અને અચલ થઈ ગયો. ધર્મશાળાની નીચે જ Page #83 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬- પ્રબુદ્ધ વન ૨૪૯ ઘેરી ભૂરી અલકનંદાને કલ્લોલ સંભળાતે હોય, પછી શી રીતે આંખ બંધ કરીને બેસી રહેવાય ! ઘેરી વનરાજી તથા કાળા પર્વતના શિખરની છાયા તડકાથી ઉજવેલ જળપ્રવાહની ઉપર પડી છે. અરે મન, ધારી ધારીને જો. ધારી ધારીને જોઉં છું તે દેહ હવે અકડાઈ ગયો નહોતે. આંખમાં ઝાંખપ નહોતી, દર્દ નહોતું, કોઈ લેભ નહોતે, આવું તે કયાંય અનુભવ્યું નહોતું. અહીં કેવળ રૂપ નહોતું, અહીં તે રૂપથી પર એવી સૃષ્ટિ હતી, ફકત સૌંદર્ય નહોતું. લોકોત્તર વાંછના હતી. કેવળ કાવ્ય નહોતું, સુદૂર અનિર્વચનીયતા હતી. જલ, માટી, વૃક્ષ, તેજ અને આકાશએ બધાને એક સૂરમાં પૂરીને એને ભાવરૂપ આપવા એનામાં વાંજનાનું ઈંગિત કરવું-એ સર્વની સરખામણીમાં સૌથી મહાન એવા કલાકાર, સર્વોત્તમ સૃષ્ટાનું જ ઉત્તમ કાર્ય છે. અરે ' મન ! તું ધારી ધારીને જો. ધીરે ધીરે ઊઠીને બેઠો થયા, જાણે હાડકાં ભાંગી ગયાં હોય ને હું પાંગળા બની ગયા હોઉં. પગ પર તે હાથ અડાડા નહોતે. મોટા મોટા ફોલ્લા થયા હતા. આ રૂદ્રપ્રયાગ, સામાન્ય એક શહેર પેલી તરફ પહાડની અંદર નાના નાના બે સરકારી બંગલાઓ હતા, દક્ષિણમાં અલકનંદા ને મંદાકિનીનું સંગમતીર્થ હતું. એક નદી હતી દેવલોકની, બીજી બ્રહ્મલેકની. આ નદીના સંગમમાં એક દિવસ ગય– રાજાના યજ્ઞથી અસંતુષ્ટ પરશુરામના શાપથી જેમને બ્રહ્મરાક્ષસની યોનિ પ્રાપ્ત થઈ હતી એવા બે લાખ બ્રાહ્મણોને મુકિત મળી હતી. અહીં રૂદ્રશ્વરનું શિવમંદિર હતું, ધર્મશાળા ને સદાવ્રત હતાં, ટપાલ ઓફિસ હતી, ને નાનું સરખું બજાર હતું. પ્રયાગમાં રસ્તાના બે ફાંટા પડતા હતા. એક ફટે કર્ણપ્રયાગમાં થઈને અલકનંદાને કાંઠે કાંઠે સીધો બદ્રીકાકામ તરફ ચાલ્યો જતો હતો, ને બીજો રસ્તો મંદાકિનીને કાંઠે કાંઠે કેદારનાથ તરફ જતો હતો. અમે લગભગ એકસો માઈલ કાપ્યા હતા. અંદર જઈને ચારે તરફ જોઉં છું તે જાણે મૃત્યુપુરી. ઘડપણથી જર્જરિત બનેલા, રોગથી હેરાન થયેલા, ને અશકત એવા યાત્રીઓ ત્યાં પડેલા હતા. એમના મોઢા પર ને આંખે પર માખીઓ બણબણતી હતી, પણ એ ઉડાડતા નહોતા. એઓ મરે તે એમનું શબ ઉપાડવા કોઈ નહોતું. પણ એવી સ્થિતિમાં પણ એ ચાલતા હતા. ખેડંગાતા ખેડંગાતા, ઠેકતા ઠેકતા, કીડીની જેમ પહાડ ઓળંગે, તે વળી વચ્ચે વચ્ચે રોગથી ને પીડાથી એ જર્જર થઈને રસ્તામાં અટકી પણ પડે, ને એમ માને કે ભગવાનની દયા પોતાને પ્રાપ્ત થઈ નથી. ' બપોર થતા હતા. જેમને કેદારનાથ તરફ જતાં ડર લાગ્યો, તેમણે સીધે બદરીનાથને રસ્તો લીધે. કેદારનાથને રસ્તે ભયાનક છે. કેદારનાં દર્શન કરવા હોય તે અહીંથી એંશી માઈલ જેટલો રસ્તો ચાલવાને હતો. આથી જ રૂદ્રપ્રયાગના સંગમ આગળ યાત્રીઓની પુણ્યકામનાની અગ્નિપરીક્ષા થતી. જેમને શરીરની બીક લાગતી હતી, જેઓ અશકત ને દુર્બલ હોય, જેમને યાત્રાનો ઉત્સાહ મંદ પડી જતો, રોગથી જેમનું શરીર કાળું પડી ગયું હતું, તેઓ તે કેદારના માર્ગ તરફ નજર પણ કરતા નહોતા, તેઓ સીધા કર્ણપ્રયાગ તરફ ચાલી જતા. તેમને માટે તે ફકત બદરીનાથ જ હતા, કેદાર-બદરી નહિ. હું પણ કેદારનાથને છોડવા તત્પર જ થયો હતો. પરન્તુ ઘટના એવી બની કે પરિણામ કાંઈ બીજું જ આવ્યું. બપોરે એક હલકી નાતની બંગાળી સ્ત્રી એકાએક ખેડંગાતી આવીને મારા પગ આગળ આવીને રડવા લાગી, “હે ભાઈ ! મને બચાવે ભાઈ ! મારી લાજ રાખ્યા વિના તમારે છૂટકો નથી. તમારી વાત તે રસ્તે સાંભળતી સાંભળતી આવી છું ભાઈ ! મારું તો કોઈ જ અહીં નથી.” શરૂઆતમાં તો એ હાઉ હાઉ કરીને રડવા લાગી. રડતાં બંધ થઈ પછી તૂટક તૂટક તેણે જે વાત કહી તે એ પ્રમાણે હતી, કે ગુરૂમાતા સુરૂપા અને થોડી એની શિષ્યાઓ, કલકત્તાની ઉલટોડીંગી * બૌષ્ટમીના અખાડામાંથી આવ્યા હતાં. શેઠના બાગમાં તેમને અખાડો હતે. બધાં સારી રીતે આવ્યાં હતાં. પરમ દિવસે રાત્રે કોઈ એક ચટ્ટીમાં સુરૂપ કોઈ કારણસર ચટ્ટીના દરવાજામાંથી બહાર આવતી હતી, તેવામાં એને પગ સર્યો, એ પહાડ પરથી પડી ગઈ. ગોઠમડાં ખાતી ખાતી કોઈ ઠેકાણે અટકી, ને પછી ચટ્ટીના માણસે ઉતરીને એને ઉંચકી લાવ્યા; તેમણે જોયું તો સુરૂપાના શરીરનાં હાડકાં ભાંગી ગયાં હતાં. તે લોહીલુહાણ ને બેભાન અવસ્થામાં પડી હતી. જે કાંઈ પૈસા ટકા હતા, તેના વડે એક કંડી કરીને મહામહેનતે શ્રીનગરની હૉસ્પિટલમાં એ ડોશીને લઈ ગયા. ત્યાં એને પ્રાથમિક ઉપચાર કર્યો પણ જગા ન હોવાથી એને હૉસ્પિટલમાં રાખી નહિ, અને થોડી દવા આપીને એને પ્રયાગ મેલી દીધી. પેલી કહેતી હતી, આવો ભાઈ ! કાંઈક વ્યવસ્થા કરી આપે.” ને પછી જોર જોરથી રડવા લાગી. એણે જે વાત કહી તે સર્વાંશે સાચી હતી. નીચે આવીને જોઉં છું તે ડેશી વેદનાને લીધે બરડાબરાડ કરતી હતી. એણે આખું જીવને ધર્માચરણ કર્યું હતું અને શિખાએના કાનમાં મંત્ર ફ_કી આ સર્વશ્રેષ્ઠ તીર્થના માર્ગ ઉપર આવી પડેલી એક બિચારી નારીની આ તે કેવી દશા ! પણ જીવનમાં એવું જ બને છે. અપરાધ નથી હોતા તેને સજા મળે છે. પાપ નથી હોતું, પણ પાપનું ફળ ભેગવવું પડે છે. કારણ નથી હોતું, પણ દુ:ખ ને વ્યથા ભેગવવાં પડે છે. પર્વ મૂંગા બેસી રહેવાને વખત નહોતા. વખત વહી જતા હતા; લાઠી લઈને એને ટેકે ટેકે બહાર ગયો, ને છએક માણસને બોલાવી ડોશીની. શાચની અવસ્થા જણાવી. એક સ્થાનીય યુવકે અને અઘોરબાબુએ સારા પ્રમાણમાં મદદ કરી. બજારમાં, રસ્તે, ઘાટ પર, ને યાત્રીઓની પાસે રખડી રખડીને મનુષ્યના જીવનની આ આકસ્મિક વિપત્તિ સંબંધે જસ્વી ભાષામાં ભાષણ આપ્યાં. અંતમાં એમની નબળાઈને લોભ લઈને કુશળતાથી ભિક્ષાપાત્ર આગળ ધર્યું. આપણી તે જાત જ ભિખારીની, અર્થાત મને એમાં કાંઈ શરમ લાગી નહિ, પણ પરેપકારને બુરખ ભીખને કુશળતાથી પહેરાવી દીધા. આઠ આના, ચાર આની, પૈસે, બે પૈસા, આન, બે આના, કોઈ કોઈએ આપ્યા. પણ પૂરે રૂપિયે કોઈએ આપ્યું નહિ. એમાં વાંક કદાચ મારે જ હશે, એક રૂપિયાની કિંમત જેવું મારું ભાષણ કદાચ નહિ હોય. સેળ આનાની કિંમત એક સામટી મળી નહિ. મને લાગે છે, કે જીવનમાં પહેલી જ વાર નિ:સ્વાર્થ પરોપકાર કરવાને આ સુયોગ મળ્યું હશે, તેને મારે સહેજમાં જ કરવો નહ. ધીરે ધીરે યાત્રીઓની પાસેથી મેં દ્રવ્યનું શોષણ કર્યું. જે રીતે આંધળા આવેગો, અમે જેનાં લોચા વળતા હતા, તે હિન્દીમાં મે મનુષ્યોને નીતિબેધ, ધર્માનુભૂતિ, અને પરોપકારની પ્રેરણા વિશે ઉત્તેજીત થઈને મેં ભાષણ આપ્યું હતું તે જો રાજનીતિનાં વિષયમાં હોત, તે ચાલીશ કરોડ દેશવાસીઓ બ્રિટીશ શાસનની વિરુદ્ધ ઉકળી ઊઠયા હોત. આટલું કરવા છતાં પંદર રૂપિયાની જરૂર હતી. છતાં સાડા બાર રૂપિયાથી વધારે પૈસા એકઠા કરી શકયા નહિ. બાકીના અમે જ અંદર અંદર વહેચી લીધા. અઘેરબાબુની પત્નીએ હસતાં હસતાં કહ્યું, “તમે કોણ છે ? લેક તો મને માટે પણ આટલું કષ્ટ ન વેઠે. હાં. આજે સવારે અમારી જોડે તમારે ખાવાનું છે, ખાશોને? આજે તમારી વાત હું જરાય સાંભળવાની નથી.” “તમે એના યોગ્ય પૈસા લઈ લેશેને?” “આપવા જ હોય તે આપો. જે આપે, તે ખાવા પૂરના પૈસા જ હોવા જોઈએ, એટલું ધ્યાનમાં રાખજો.” , અઘોરબાબુએ એમની પત્ની તરફએક વાર જોયું ને પછી મને કહ્યું, “તમે બહુ નિર્દય છે, ભાઈ !” પૈસાટકા એની એક શિષ્યાના હાથમાં સેંપી ડોશીને આવતી કાલે સવારે ઠંડીમાં ઉખીમઠ હૈસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી. જ્યારે હોંફતો હાંફત ઉપર આવ્યું, ત્યારે રાતના દશ વાગી ગયા હતા. લગભગ બધા યાત્રીઓ ત્યારે ભરઊંઘમાં હતા. એટલામાં બ્રહ્મચારી Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ દેખાયો. આ તોફાન આવ્યું ત્યારે એ કયાં અલોપ થઈ ગયા હતા તે સમજાયું નહિ, ઝટપટ ભેાજનાદિથી પરવારી, મને જરા પાસે બાલાવીને એણે પૂછ્યું, “દાદા! ગીત સાંભળશે. > પ્રબુદ્ધ જીવન ગીત! આ મારી નાંખે એવા વાતાવરણમાં તે વળી કોઈ ગીત ગાનું હશે? પીડિતના નિ:શ્વાસ મેં સાંભળ્યા હતા, જર્જરિતના વિલાપ સાંભળ્યો હતો, પણ ગીત સાંભળ્યું નહોતું. મેં વિસ્મિત થઈને પૂછ્યું, “ગીત ક્યાં સાંભળવાનું છે, બ્રહ્મચારી?” “મારી જોડે આવેા.” એમ કહીને એણે મારા હાથ પકડીને ચાવા માંડયું. માર્ગ શાંત હતા. કર્યાંય અજવાળાંની નિશાની નહોતી. આંખમાં ઊંઘ હતી, શરીર થાકી ગયું હતું. તો યે જવું પડયું. મને ધૂમાવત ધૂમાવતા એ નદીના સંગમ ભણી લઈ ગયા ને બોલ્યો, “હવે ઉતરીને આવો. આ બાંધેલી સીડી છે.” “કાં જાઉં? આ તો નદી છે. નદીનું ગીત છે કે?" ** ‘કહું છું ને કે સીડી પરથી ઉતરો ’. લાઠીની ઉપર શરીરનો ભાર રાખીને, પગની વ્યથા હાવા છતાં હું સીડીનાં થોડાં પગથિયાં ઉતર્યો. આટલીવારે મેં જોયું કે સુંદર ચાંદની રાત હતી. સ્વચ્છ ને સ્મિત કરતા આકાશમાં નક્ષત્રો પ્રકાશતા હતા. બન્ને નદીના પાણીના અથડાટથી પાણીની એવી ગર્જના થતી હતી કે કાન ફાટી જતા હતા. પણ એ અવાજ હોવા છતાં મને લાગ્યું કે સુંદર ને શાંત રાત્રી છે. આજે રાતે ઊંઘવું નથી. નદી, પર્વત ને ચાંદનીને એકબીજાથી જોતાં જોતાં રાત એમ જ વીતાવવી એ યોગ્ય છે. તે સ્વપ્નમય રાત્રે ખાડા તરફ આંગળી કરીને બ્રહ્મચારીએ કહ્યું, “મારી સાથે આવેા, ડાબી તરફ. સીડીની પાસે જ પહાડના ઢળાણ તરફ એક કાચી ૢ પડી હતી. બ્રહ્મચારીની પાછળ - પાછળ એની અંદર આવી પહોંચ્યો. એક ખૂણામાં ઝાંખો દીવો બળતા હતો. વાઘ અને રીંછના ચામડાં બેત્રણ જગ્યાએ પાથર્યાં હતાં. તેમાંના એકની ઉપર એક જાડી સન્યાસિની બેઠી હતી. નવા આવેલા માણસને જોઈને એણે હસતાં હસતાં સ્નેહે કહ્યું : “ આવ બેટા. જઈને એના ચરણ આગળ બેઠો ને પ્રણામ કર્યા. મને સમજાયું કે મારા આવતાં પહેલાં જ બ્રહ્મચારીએ મારે વિષે અને વાત કરી રાખી હતી. અત્યાર સુધી મારી નજર ગઈ નહોતી, એક સૂકલકડી ડોસો હાથમાં એકતારો લઈને બેઠો હતો. એ જ ગાયક હોવા જોઈએ. આદરની અને રાત્કારની કાંઈ કમીના નહોતી. અનેક તીર્થસંબંધી ચર્ચા શરૂ થઈ ગઈ. સંન્યાસિની ગિરિમાઈએ કૈલાસવા માટે મને આગ્રહ કર્યો. આષાઢ મહિનામાં કૈલાસ જવા માટે યોગ્ય સમય હતો, એટલે આ વખતના સુયોગ માટે ગુમાવવે ન જોઈએ. વિનય ને ભકિતથી મેં એની વાણી સાંભળી. ઘરની અન્દર, થોડી રૂદ્રાક્ષની માળા હતી, બેએક શંખ હતા, થોડી લાકડાની ઘોડી હતી, બે - ચાર કામળા હતા, થોડાંક પથ્થરનાં વાસણા હતાં, થોડાં તાંબાનાં વાસણ ને ફ્લ હતાં, મોટી મેાટી ત્રણેક ચોપડીઓ હતી, ને અગ્નિ રાખવાની એક કુંડી હતી, માઈજીની જોડે ઘણી વાત થઈ, બધાએ એમાં સાથ આપ્યો, માઈજી આગળ બધા જ બેટા - બેટી. ખૂબ સારું લાગ્યું. દીવા ટમટમ થતા હતા. દરવાજા આગળ આકાશમાંથી ચાંદનીના પ્રકાશ ઝરતા હતા, માઈજી એની મનોરમ હિન્દી તથા ઉર્દુ ભાષામાં અત્યંત મધુરતાથી એ બધાં તીર્થોની જાણકારીની વાત કહેતાં જતાં હતાં. કયાંક કોઈ નદીને કાંઠે હિંસક જાનવરોની આવજા, કેવી રીતે મરૂભૂમિ પાર કરીને કેવા મઝાના રસ્તો મળી ગયો, કોઈ અજાણ્યા પર્વતના શિખર પર બરફથી છવાયલા રસ્તે એને કેવી રીતે ઝબુ ઘેાડાની પીઠ પર બેસીને કૈલાસ જવું પડેલું, એવી એવી રહસ્યમય ને આશ્ચર્યજનક વાતા કરતાં કરતાં એક વખત એણે અંદરની બાજુ જોયું ને કહ્યું : “ ચલમ તૈયાર કરો ને લાવા એ રૂપ્પી સાની ...... અંદરથી અવાજ આવ્યો, “લાવું છું, માઈ, ” અને પછી બે મિનિટ પછી બે યુવાન સંન્યાસિની ધીરે પગલે બહાર આવી. પહેલી s તા. ૧૬-૪-૨ માની પાસે આવીને બેઠી ને બીજી પીત્તળની એક મોટી ચલમ માઈજીના હાથમાં આપીને બીજી તરફ બેઠી. અંદરની હવા એક ક્ષણમાં જાણે બદલાઈ ગઈ. પહેલાં તો મને થયું કે આ બન્ને ફળ એક જ ડાંખળીનાં છે. માથા ઉપર રૂક્ષ જટા હતી, માઢા પર સંયમની દીપ્તિ ને કઠિનતાની રેખ હતી. મજબૂત ને લાંબા પહોળાં શરીર હતાં. ગેરૂઆ રંગનાં કપડાં હતાં. એ બન્નેની આંખામાં નિસ્પૃહતા ને નિર્વિકારતા તરવરતાં હતાં. એમની તરફ એકવાર નજર કરીને બ્રહ્મચારીએ દીવાસળી સળગાવી, માઈજી ચલમમાંથી ફંદૂક લેતા હતા. એમણે ફ્ ક જોરથી લઈને, જ્યારે ધૂમાડો બહાર કાઢ્યો, ત્યારે ઝૂંપડીની અંદર અંધારૂ છવાઈ ગયું. બધાના હાથમાંથી ચલમ એક વાર પસાર થતી થતી આખરે સોની ને રૂપ્પીના હાથમાં જઈ પહોંચી. એમને નિરાંતે ચલમ ફ્`કતાં જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. હવે તો આ ડોસા ગીત ગાય એટલે કાંઈક બચીએ. એકતારાને ઠીક કરીને તેણે ધીરે ધીરે ગાવા માંડયું, ને અવાજ ખુલતો ગયો. એના કંઠમાં ચમત્કાર હતો. મુગ્ધ શ્રેતાઓનું ટોળું નિ:શબ્દે કાન માંડીને બેઠું રહ્યું હતું. કેવળ ચલમ વચ્ચે વચ્ચે એક હાથમાંથી બીજા હાથમાં ફરતી રહેતી હતી. પણ એ બધામાં એક વિસ્મયજનક વાતાવરણ હતું. જાણે કોઈ અવાસ્તવિક પરીકથાના વાતાવરણમાં હોઈએ એવું લાગતું હતું. અમે તો તરતના આવેલા વિદેશી હતા. ડોસા ગાયક પણ સંભવત: નો જ પરિચિત હતો. સામે જ આ મમતામયી આશ્રયદાત્રી હતી, એની બન્ને બાજુ લક્ષ્મી અને સરસ્વતી હતી. આ ત્રણે સ્ત્રીએાનાં ઘરબાર, જીવનયાત્રા, આચારવ્યવહાર, એ કયાંથી આવ્યાં, એ લોકો કોણ છે? એ લાકોનું જીવનનું અંતિમ ધ્યેય શું છે. આવા આવા અનેક પ્રશ્નો મારા મનમાં ઉભરાવા લાગ્યા ને હું મૂંઝાઈ ગયો. અર્થાત આજે જ્યારે હું આ વાત લખવા બેઠો છું ત્યારે, એકાંતમાં હું સ્વીકારું છું કે, એ જ્યોત્સ્વામયી સુંદર રજનીમાં, એ રહસ્યમય નાનીશી ઝૂંપડીમાં ઝાંખા દીવાના પ્રકાશમાં સંન્યાસીજીવનના એક અપૂર્વ સંયમ, ને શોભા, બધાનાં મોઢા પરની નિર્મળતા, ને ઉદાસીનતા હતી, અને અત્યંત સહજ, સરળ, સૌજન્ય અને ઉદાસીનતાને લઈને અમે બધા એ વ્યાધુચર્મ ઉપર એકબીજાની ખૂબ જોડાજોડ બેઠા હતા. તે દિવસે પણ એમના પરિચય મેં કર્યો ન્હોતો, આજે પણ એમની વિષે હું એવા જ અજાણ્યો છું. એ બે યુવતીઆ કોણ હતી, માઈજી એ લાકની શું થતી હતી, એ લોકોનો કયો રસ્તો હતો, આ ઝૂંપડી પણ છેડીને એ લોકો જવાના હતા, પણ કર્યાં? એમનું જીવન ફકત શૂન્ય જ હતું, શું કાંઈ લક્ષ્ય વિનાનું હતું, એમની જીવનની સમસ્ત પથયાત્રાની પરમ સાર્થકાશી હતી? ગીત પૂરું થતાં માઈજીને પ્રણામ કરીને ભારે મને મેં વિદાય લીધી. હાં. એ સ્વીકાર કરવામાં જરા પણ શરમ નથી કે મારું મન કૌતુહલથી ભરાઈ ગયું હતું. પણ એ શું કેવળ કૌતુહલ જ હતું? આ ચન્દ્રકિરણથી ઉજજવળ શાંત રાત્રીના ચરણામાં ઊભા રહેલા હું થાકેલા ને પાંગળે પથિક—હું સાગનપૂર્વક કહી શકું કે એ શું કૌતુહલ માત્ર હતું, એમાં શું જરા જેટલી પણ વેદના નહોતી? મૂઢ ને રસ્તો ભૂલેલા હું સન્યાસી, – મને પણ ખબર છે કે જીવનની વ્યતા કેવી હાય છે! સુખ, ઐશ્વર્ય, આનંદને સંભાગ, રસપિપાસા,જીવનની અનિત્યતા છે એટલે તો એ બધાનું પ્રયોજન છે, એ સર્વે નું પ્રલેાભન છે. સમસ્ત જીવન આપીને કઠિન વૈરાગ્ય અને ભષાવહ શૂન્યતાને પ્રકાશિત કરો છે, તમે નારી છે, તમે કરો છે. આ વિશ્વસૃષ્ટિના અનંત સ્રોતને પ્રતિહત, પ્રકૃતિ નિયમનો અસ્વીકાર કરે છે, આત્મનિગ્રહની મનોવૃત્તિ સંસારમાં લાવા છે, રૂપ અને સૌંન્દર્યનું ગળુ દબાવી હત્યા કરો છે. એક હાથમાં લાઠી પર ભાર દઈને, ને બીજો હાથ બ્રહ્મચારીના ખભા પર મૂકીને પગ ખેંચતા ખેંચતા હું ઉપર આવ્યો. બ્રહ્મચારીએ મારા મોઢા તરફ જોઈને કહ્યું: “તમને શું થઈ ગયું દાદા? તમને ન લઈ ગયો હોત તો સારૂં થાત. મેં આવું નહોતું ધાર્યું.” મૂળ બંગાળી: શ્રી પ્રબોધકુમારી સન્યાલ અનુવાદક : ડૉ. ચંદ્રકાન્ત મહેતા, Page #85 -------------------------------------------------------------------------- ________________ . (A). - પ્રવ્યુ છવક્ત ૨૫૬ ૐ જે ૪ ઇં જં " : { સમાચાર સંકલન વિ. શ્રી એમ. ટી. વ્યાસે મેમેરિયલ ફંડ ડીઝીટના રૂા. ૫ સાથે મોકલી આપવું. વિદ્યાર્થીની અરમુંબઈની ન્યુ એરા સ્કૂલના પ્રીન્સીપાલ સ્વ. શ્રી મગનલાલ જીને સ્વીકાર કરવામાં આવે તે વિદ્યાર્થી આ શિબિરમાં જોડાઈ વ્યાસે શિક્ષણના ક્ષેત્રમાં કરેલી અનેકવિધ સેવાઓની કદરરૂપે શકે છે. શિબિરને લાભ લેવા બદલ વિદ્યાર્થીએ કંઈ રકમ આપવાની . શ્રી એમ. ટી. વ્યાસ મેમોરિયલ ફંડ ઉભું કરવામાં આવ્યું હોતી નથી. ભિન્ન ભિન્ન કક્ષાના જૈન વિદ્યાર્થીઓને સમુદાયમાં આ ફંડમાં પ્રીન્સીપાલ વ્યાસનાં પત્ની શ્રી સરોજબહેન વ્યાસે ધાર્મિક શિક્ષણ અને શિસ્તની તાલીમ આપવા માટે કરવામાં આવતું આવું આયોજન આવકારપાત્ર છે.. = પરમાનંદ ૧૫૦૦૦ની રકમ ભરીને આ ફંડની શરૂઆત કરી છે. આજ માં તે ફંડમાં નીચે મુજબ રકમ ભરવામાં આવી છે : પંડિત જગજીવનદાસના સ્વર્ગવાસ અંગે શોખ્રસ્તાવ કામાણી ફાઉન્ડેશન રૂા. ૫૦૦૦ પ્રજ્ઞાચક્ષુ પંડિત જગજીવનદાસ પોપટલાલ સંઘવીના શ્રી ચંદુલાલ પારેખ અને તેમનું કુટુંબ રૂા. ૩૦૦૦ તા. ૨૯૩-૬૬ના રોજ ૭૦ વર્ષની ઉમ્મરે નીપજેલ અવસાન અંગે શ્રી કે. સી. પરીખ અને શ્રીમતી ભાનુબહેન પરીખ રૂા. ૨૦૦૦ ભાવનગરની અનેક જૈન તેમ જ અન્ય જાહેર સંસ્થાના ઉપક્રમે શ્રી સૂરજી વલ્લભદાસ અને તેમનું કુટુંબ.' રૂા. ૫૦૦૦ શેઠ ભેગીલાલ મગનલાલના પ્રમુખપણા નીચે મળેલી શોકસભાએ શ્રી આર. ડી. શાહ અને શ્રીમતી એમ. આર. શાહ, રૂા. ૧૦૦૦ નીચે મુજબ શોકપ્રસ્તાવ પસાર કર્યો હતો :શ્રી હઝરત બ્રધર્સ અને તેમનું કુટુંબ “પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી જગજીવનદાસ પોપટલાલ સંઘવી શ્રી બાબુભાઈ પારેખ વ્યાકરણતીર્થનું તા. ૨૯-૩-૬૬ને સં. ૨૦૨૨ના ચૈત્ર શુદિ ૭ના રોજ શ્રીમતી જરબેન ઘેયારા સમાધિપૂર્વક સ્વર્ગગમન થયું છે, તેની આ સભા ભારે આઘાત સાથે ન્યુએરા સ્કૂલનાં શિક્ષકો રૂ. ૨૭૫૦ નોંધ લે છે. સ્વ. પંડિતજી સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાઓના ઊંડા શ્રીમતી મૃણાલિની ચેકસી રૂા. ૫૦૦ અભ્યાસી હતા. તેઓએ ભાવનગરમાં શ્રી ગંભીરવિજ્યજી સંસ્કૃત શ્રીમતી પ્રભાબહેન નાથાલાલ પારેખ રૂા. ૧૦૦૦ પાઠશાળા તથા શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના આશય નીચે લગભગ ચાલીસ વર્ષ સુધી જ્ઞાતિ, ધર્મ કે કોમના ભેદભાવ વિના અનેક ૨૩૭પ૧ વિદ્યાર્થીઓને ધાર્મિક ગ્રન્થોનો અભ્યાસ કરાવેલ તથા કેટલાએક આ ફંડને લગતું એક વિનંતીપત્ર શ્રી લાલભાઈ આર. દેસાઈ, ગ્રન્થોને અનુવાદ કરી સાહિત્યપ્રચારમાં સારો ફાળો આપેલ છે. . બી. બી. યોધ, શ્રીમતી મધુરીબહેન શાહ, શ્રી પૂનમચંદ કામાણી, વર્ષોથી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અને અનેક શારીરિક વ્યાધિથી પીડિત 0 ચરણદાસ ઝરીવાળા, શ્રી પસંજય વી. હઝરત, શ્રી કેકી આર. હોવા છતાં તેઓ અત્યંત શાંત, ધર્મપરાયણ તેમ જ, વિદ્યાવ્યાસંગી મૂલ્પાઈવાળા, શ્રી રમણભાઈ વકીલ તથા શ્રી વરદભાઈ એલ. પટે જીવન પસન્ન રીતે અને સ્થિતપ્રજ્ઞ થઈને જીવ્યા હતા અને બોતેર ની સહીથી બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં સ્વ. મગનભાઈ વર્ષની વયે તેમનું સમાધિપૂર્વક દેહાવસાન થયું છે. તેઓના યાસ પ્રત્યે આદર ધરાવતા ભાઈ–બહેનને, શિક્ષકોને તથા ભૂતપૂર્વ અવસાનથી ભાવનગરની જનતાને, સંસ્કૃતના અભ્યાસીઓને અને મ જ વર્તમાન વિદ્યાર્થીઓને આ ફંડમાં પિતપતાને ફાળે સત્વર ખાસ કરીને જૈન સમાજને ન પુરી શકાય તેવી ખેટ પડી છે. વૈકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ફંડને આ સભા સ્વર્ગસ્થ પ્રત્યે અત્યંત આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પે છે. ઉપયોગ શિક્ષણને લગતી પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે એમ આ અને તેમના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કરે છે.” પરિપત્રમાં જાહેર કરવામાં આવ્યું છે. આ સંબંધમાં નીચેના ઠેકાણે પ્રબુદ્ધ જીવન'ના વાચકને અભ્યર્થના પત્રવ્યવહાર કરવા જણાવવામાં આવ્યું છે. ' ' ધી ન્યુ એરા સ્કૂલ, ૧૭, બ્લ્યુ જીસ રોડ, મુંબઈ–૭. * શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી વૈદ્યકીય રાહત નિમિત્તે દર વર્ષે બેથી ત્રણ હજાર રૂપિયા કોઈ પણ જાતના ભેદભાવ ઉપર જણાવેલ ફંડમાં પિતા તરફથી રૂ. ૧૫૦૦૦ની રકમ સિવાય વહેંચવામાં આવે છે. આ રાહત સંઘની પરિમિત આર્થિક ભરવાની શરૂઆત કરવા બદલ શ્રીમતી સરોજબહેનને ધન્યવાદ ઘટે પરિસ્થિતિના કારણે બહુ મર્યાદિત આકારમાં આપી શકાય છે. સંઘના છે અને તે ફંડને મારું હાર્દિક અનુમોદન છે. પરમાનંદ પ્રશંસકો અને પ્રબુદ્ધ જીવનના વાચકોને સંધની આ પ્રવૃત્તિને સવિખંભાત ખાતે યોજાનારી ધાર્મિક શિક્ષણ શિબિર શેષ આર્થિક સીંચન દ્વારા વધારે વ્યાપક અને લોકોપયોગી બનાવવા વિનંતી છે. જૈન શ્વે. મૂ. સમાજના અમુક કાર્યકર્તાઓ તરફથી છેલ્લાં ચાર વર્ષથી જદા જુદા સ્થળોએ દરમે માસ દરમિયાન એક ધાર્મિક સંધ દ્વારા સંચાલિત શ્રી મણિલાલ મેકમચંદ શાહ વાચનાલયશિક્ષણ શિબિર યોજવામાં આવે છે. ૧૯૬૨, ૬૩, તથા ૬૪માં માઉન્ટ પુસ્તકાલયને મળતાં દાનાને તાજેતરમાં સરકારી આવકવેરાથી મુકત આબુ ખાતે અને ૧૯૬૫માં પાટણ ખાતે એમ આજ સુધીમાં જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિ પાછળ સંઘને દર વર્ષે આવી ચાર શિબિરો યોજવામાં આવી છે. આ આયોજન મંડળને આશરે રૂા. ૩૦૦૦ ની પુરવણી કરવી પડે છે. ઉદારદિલ મિત્રોને હવેથી “શ્રી ગ્રિષ્મ આધ્યાત્મિક શિક્ષાયતન સમિતિ’ એવું નામ આપ અને પ્રશંસકોને આ પ્રવૃત્તિને અર્થસભર બનાવવા માટે ઉપરની વામાં આવ્યું છે. (ઠે. મેસર્સ બંસીલાલ સેમચંદની કંપની, ૩૫૭, મુકિતને લાભ લઈને શક્ય તેટલી પરિપુષ્ઠ કરવા અનુરોધ છે. કાલબાદેવી રોડ, મુંબઈ ૨). આ આયોજન સમિતિના શ્રી. શાન્તિ મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ લાલ સોમચંદ ચેકસી (ભાણાભાઈ) તથા શ્રી કેશવલાલ મોહનલાલ શ્રી પાનાચંદ તુરખિયાનું જાહેર સન્માન મંત્રીએ છે. આ પ્રવૃત્તિને શિબિર કેન્દ્ર બાજુએ વિચરતા અથવા - જાણીતા સામાજિક અને જીવદયાના કાર્યકર ઉદારદિલ તે ત્યાં વસતા જૈન આચાર્યોને સારા પ્રમાણમાં સહકાર મળે છે. શ્રી પાનાચંદ તુરખિયાને માનપત્ર અર્પણ કરવા, એક સમારંભ પાટણ ખાતે યોજાયેલી શિબિરને ૧૮૦ વિદ્યાર્થીઓએ લાભ તા. ૨૭-૩-૬૬ના ભાટીયા હાલાઈ મહાજનવાડીમાં શ્રી ચીમનલાલ લીધે હતો. ચકુભાઈ શાહના પ્રમુખ સ્થાને શ્રી પાનાચંદભાઈના મિત્રો અને આ વર્ષે ખંભાત ખાતે તા. ૧-૫-૬૯થી તા. ૨૭-૫-૬૬ શુભેચ્છકો તરફથી યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં સુધીની એક ધાર્મિક શિક્ષણ શિબિર યોજવામાં આવી છે. આ શ્રી ગણપતિશંકર દેસાઈ, શ્રી મગનલાલ પી. દોશી, શ્રી. જયંતીશિબિરમાં કૅલેજોમાં તથા હાઈસ્કૂલમાં ભણતા જૈન વિદ્યાર્થીઓ જોડાઈ લાલ માનકર તથા અન્ય વકતાઓએ શ્રી પાનાચંદભાઈની ઉદારતા શકે છે. તેમાં જોડાવા ઈચ્છનાર વિદ્યાર્થીએ ઉપર આપેલા સરનામે અને સેવા બદલ અભિનંદન આપ્યા હતા અને શ્રી ચીમનલાલ પત્ર લખીને તેને લગતી અરજીનું પત્રક મંગાવવું અને તે ભરીને શાહના વરદ હસ્તે માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. Page #86 -------------------------------------------------------------------------- ________________ જ. : - 3 - ૨૫૨ : પ્રબુદ્ધ જીવન 'તા, ૧૬-૪ પ્રજાનું હિંસક વલણ રાષ્ટ્રની લોકશાહી માટે મેટું ભયસ્થાન છે. - stહ કૉંગ્રેસ મહાસમિતિના સત્તાવાર મુખપત્ર “એ. આઈ. સી. સી. કાળ પર્યન્ત ચાલુ રાખવાનું કોઈ પણ રીતે શકય નહોતું જ. રાશિ પિચર છેલ્લા એક “વાલન્સ એન્ડ ડેમોકસી” સંસદીય સમિતિના હેવાલમાં પણ હિન્દીભાષી હરિયાણા. રાજ્ય નિ (હિંસા અને લોકશાહી) એ શીર્ષક હેઠળ એક અગ્રલેખ: લખવામાં કરવાની ભલામણ તે થઈ જ છે. કેંગ્રેસીઓએ આ વસ્તુરિ આવ્યો છે, એને સાર નીચે પ્રમાણે છે: સમજાવી લઘુમતી જનેની ભડક દૂર કરવી જોઈએ. તેમનું એક : - “પંજાબમાં અને બંગાળમાં હમણાં જે ઘટનાઓ બની ગઈ તે છે. નવું નિર્માણ થનાર રાજ્ય એ ભારત સંઘનું ઘટક રાજ્ય રહેશે ખરેખર દુ:સ્વપ્ન સમી છે. લૂંટ, આગ અને અન્ય હિંસક પ્રવૃત્તિથી ભારતથી અળગું થઈને તે કોઈ સાર્વભૌમ રાજ્ય બની રહેવાનું ને , બંને રાજ્યમાં નાગરિક જીવન ખેરવાઈ ગયું. આ ઘટનાઓનું રાષ્ટ્રના બંધારણમાં લઘુમતી પ્રજાના હક્ક અને અધિકાર સ્વીકારવું આવ્યા છે તે અનુસાર આ વસ્તુ બની છે. અત્યંત ભયંકર પાસું તો પાણીપતમાં ક્રોધાંધ બનેલા લોકોના ટોળાએ ત્રણ કેંગ્રેસીઓને જીવતા સળગાવી મૂકયા એ છે. વડા પ્રધાન મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે અલગ રાજ રચાયાં પંજાબની પ્રજા માટે એક ઉજજવલ દાતરૂપ બની શકે એમ શ્રીમતી ઈન્દિરાને આ ઘટના અંગે એમ કહેવું પડયું કે “આ દુર્ધ ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં અને મહારાષ્ટ્રીઓ ગુજરાતમાં સમૃદ્ધ થાય ટેનાથી હું ખરેખર શરમ અનુભવું છું; આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો છે. એટલે પંજાબી સુબાના નિર્ણયનું ઔચિત્ય સ્વીકારવું રહ્યું. ' જગતના સભ્ય રાષ્ટ્રોમાં ભારત ઉન્નત મસ્તકે રહી શકશે નહિ.” આ દેશમાં હિંસા ફાટી નીકળતાં અને તેફાનને દેર સમાર બંગાળ અને પંજાબના બનાવ સમસ્ત રાષ્ટ્ર માટે નેત્રદીપક બની રહે વિરોધી તત્ત્વોના હાથમાં સરકી જતાં વાર નથી લાગતી. ર તે સવિશેષ ઈચ્છનીય લેખાશે. પોલીસ, હિંસાને આશ્રય લેનાર ટોળાં વસ્તુના મૂળ કારણ વિચારવામાં હવે કોઈ પણ વિલંબ સહ્ય ના પર ગોળીબાર કરે છે અને ગોળીબારથી લેકો ક્રોધાંધ બને છે. લેખાય. એ વિચારવું રહ્યું કે લોકો શાંતિથી વિરોધ વ્યકત કરવા આ ચક્ર ચાલતું જ રહે તે કોઈ પણ રીતે ઈચ્છનીય નથી. પ્રશ્ન એ બદલે હિંસક કેમ બની જાય છે. લોકશાહીમાં શાંતિપૂર્વક વિરોધ જ છે. કે આ ચક્રને તોડવું કઈ રીતે? વ્યકત કરવાની છૂટ અપાઈ જ છે. વળી આપણી પ્રજા પ્રકૃતિ એટલું તો સ્વીકારવું રહ્યું જ કે કોઈ પણ સરકાર લેકોનું હિંસક છે એમ પણ નથી. તે પછી આ હિંસાનાં કારણે શા છે ટોળુ કાયદે પિતાના હાથમાં લે ત્યારે હાથ જોડીને બેસી રહી શકે એને જવાબ છે નિર્બળતા અને ભય. નબળા અને ભયભિત બનેલે નહિ. કોઈ પણ રાજકીય પક્ષ પણ એ પ્રત્યે આંખ આડા કાન કરી, આદમી એકદમ હિંસક બની જાય છે. આ નિર્બળતા જ્ઞાતિ, ભાષ- શકે નહિ. જે હિંસાખોરીને ડામવામાં ન આવે તો સરકાર અને ધર્મના વિચ્છેદક બળની જ નીપજ છે. અલબત્ત, અર્કિ ' ' કર્તવ્યસ્મૃત થઈ લેખાય. એટલે પાણીપતમાં ત્રણ કેંગ્રેસીઓને જીવતા ચનતા એ પણ એક આ નિર્બળતાનું પોષક તત્ત્વ છે. વળી નોકરશાહ અને પ્રજા વચ્ચેના પારસ્પરિક સંબંધમાં માનવસ્પર્શને અભાવ - સળગાવી મૂકવાનો અમાનુષી અપરાધ કરવા માટે જવાબદાર હોય છે એ મુદ્દો પણ આ પરિસ્થિતિના સંદર્ભમાં વીસરવા સરખે નથી તે સને કાયદાની અદાલતમાં ખડા કરી તેને યોગ્ય દંડ કરવાનું. સરકાર માટે અનિવાર્ય હોય , લોકોનાં ટોળાંની સાથે કામ પાડવાની આપણી ટેકનીકમાં કંઈક પરિવર્તન આણવાની જરૂર છે. બંગાળમાં દરેક પક્ષે અખત્યાર કરેલું '' ' હવે હિંસાનું મોજું શમી ગયું છે. વલણ જડતાભરી હતી. શ્રી નાની સલાહ અને દોરવણી પછી જ . હવે જાણે કે હિંસાનું મોજું શમી ગયું છે, પરંતુ એણે જે વલણમાંથી જડતા દૂર થઈ. વિરોધ પક્ષ જો પિતાની માગણીને વ્રણ સમાજશરીર પર નીપજાવ્યા છે તે હજી દૂઝતા અટકયા નથી. પ્રતિષ્ઠાને પ્રશ્ન બનાવી મૂકે અને સરકાર સમક્ષ અનિષ્ઠ પરિસ્થિતિના - તફાટો ફાટી નીકળે છે ત્યારે કોમી તવને પ્રવેશ થતાં હિંસાને પુનરાવર્તનને ય ખડો કરે તે સહકારભર્યું નિરાકરણ શોધવાને આકાર બેહદ વિકૃત બની જાય છે. પંજાબમાં જે બન્યું તે કેવળ તેફાન માર્ગ અવરેધાશે. આ વસ્તુ બંગાળે ધ્યાનમાં લેવા જેવી છે. વિરોધ ન હતું, એમાં કોમી તત્ત્વ દાખલ કરવામાં આવ્યું હતું. હિન્દુ અને અને મતભેદોનું શમન મંત્રણાથી જ થઈ શકે. એ માટે અન્ય કોઈ વિકલ્પ નથી. આજની આ પ્રકારની પરિસ્થિતિમાં તાશ્કેદ જાહેરશિખ આ બંને કોમ વચ્ચે કડવાશ જન્માવવાના વ્યવસ્થિત પ્રયાસ નામાની ભાવના ઘણી માર્ગદર્શક બની શકે એમ છે. કરવામાં આવ્યા હતા. બે કોમ વચ્ચે કુસંપ અને અણબનાવ નીપ : ‘જન્મભૂમિ'માંથી સાભાર ઉદ્ભૂત જવવામાં આવે તે આખા રાષ્ટ્રની એકતા માટે વિઘાતક છે. આ વસ્તુ મુદ્રણી શુદ્ધિ કોઈના પણ ધ્યાન બહાર રહેવી જોઈએ નહિ, એટલું જ નહિ પણ, | ‘પ્રબુદ્ધ જીવન’ ના ગયા અંકમાં પ્રગટ થયેલી “પાટણ ખાતે વલણને દઢતાથી પ્રતિકાર થવો જ જોઈએ. પંજાબની દુર્ઘટનાના ઊભું કરવામાં આવેલ નવા જનરલ હોસ્પિટલનું ઉદ્ઘાટન’ એ કાળા વાદળની જો કોઈ રૂપેરી કોર હોય તે તે એટલી કે શીખેમાં કેટલાંક મથાળા નીચે ની નોંધમાં રૂ. એક કરોડની રકમને ઉલ્લેખ કરવામાં ઠરેલ તો હતાં, જેણે જબરદસ્ત ઉશ્કેરાટની સામે પણ સંયમ જાળવ્યો આવે છે. તેને બદલે રૂા. દશ લાખ વાંચવા. હતા. આ દરેલ તત્ત્વોએ કામ કરતાં રાષ્ટ્રને મહત્ત્વ આપ્યું એ તંત્રી: “પ્રબુદ્ધ જીવન’ જોતાં તેના દેશાભિમાનની ભારોભાર પ્રશંસા જ ઘટે છે. પંજાબમાં વિષયસૂચિ કેંગ્રેસી નેતાઓએ ૯મી માર્ચના ઠરાવની સમજણ આપીને વાતાવરણ ચેકબું કરવું ઘટે. ૯મી માર્ચના નિર્ણયથી પંજાબમાં શીખેને કાન્તિકારી ભગવાન મહાવીરની કિંઈ સાર્વભૌમ રાજ્ય નિર્માણ કરવાની સત્તા નથી મળી ગઈ–માત્ર કલ્યાણયાત્રા ( પરમાનંદ, ૨૪૩ આચાર્ય રજનીશજીના સાનિધ્યમાં સુશ્રી ક્રાન્તિદેવી પંજાબી સુબાની રચના કરવાની માંગણી સંતાપવામાં આવી છે. ૨૪૪ - 15 સત્ય એ જ સર્વ સંઘર્ષોનું , હાલના પંજાબમાંથી પંજાબીભાષી વિસ્તારનું એક અલગ મૂળ છે : વિનોબા ભાવે ૨૪૫ ઘટક રચાશે. તે આ માત્ર ભાષાકીય અભિગમ છે, કોમી અભિગમ સુલભ ગ્રામદાન વિનોબા ૨૪૬ નથી. જે નિર્ણય થયો છે તે શાણપણયુકત છે. નિર્ણયમાં વિલંબ થયો ' મહાપ્રસ્થાનના પથ પર - ૮ પ્રબોધકુમાર સન્યાલ થી ૨૪૮ તેટલા જે કારણસર એ એાછો આવકારપાત્ર નથી. સારા કે પંજાબની સમાચાર સંકલન પરમાનંદ ૨૫૫ - સત્તાવાર ભાષા પંજાબી રાખવામાં આવે એ વાત એ રાજ્યને પ્રજાનું હિંસક વલણ રાષ્ટ્રની લોકહિંદીભાષી વર્ગ સ્વીકારવા તૈયાર ન હોય તે યથાવત સ્થિતિ દીર્ધ શાહી માટે મેટું ભયસ્થાન છે. ૨૫૨ માલિક: શ્રી મુબઈ જૈન યુવક સંઘઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ - *- * * * * * * * * * * * * * Page #87 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ 'જૈન'નું નવસસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧ પ્રબુદ્ધ જીવન શ્રી મુબઇ જૈન યુવક સ‘ઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નલ ૨૫ પૈસા મુંબઈ, મે ૧ ૧૯૬૬, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ભારતીય કલાસંસ્કૃતિના આધુનિક ઋષિ શ્રી નંદલાલ બસુ, ‘નંદબાબુ’નાં પ્યારા નામથી તેમના શિષ્યબુંદમાં પ્રચલિત થયેલા હતા. તા. ૧૬-૪-૬૬ની સાંજે ૮૩ વર્ષની વયે તેઓ દિવંગત થયા. તેમણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગેારના શાન્તિનિકેતનને પોતાની કલાસાધનાનું જીવન કેન્દ્ર બનાવ્યું હતું અને દેશવિદેશના હજારો કલાર્થીઓને દીક્ષા આપી ભારતની ભૂમિજાત કલા–સંસ્કૃતિની પ્રતિષ્ઠા કરી તેનો મહિમા વિશ્વમાં વધાર્યો હતો. પોતાનાં કલાસર્જનામાં તેમણે અનેકાનેક પ્રયોગા કરી અનેક આશ્ચર્યજનક પ્રકારો અને વૈવિધ્યા ઉપજાવ્યાં છે. શાન્તિનિકેતનમાં ગુરુદેવ ટાગાર પછીના પ્રતિભાવાન પુરુષોની બીજી હરોળમાં તેમનું નામ દીપ્તિમાન હતું અને શાન્તિનિકેતનની સર્વ પ્રવૃત્તિઓમાં ક્લાસૌંદર્યની છાંટ આપી તેને નવી ચેતના તેઓ આપતા રહ્યા હતા. ઉત્સવા, સમાર ંભ, સન્માન અને પ્રકાશનામાં તેમની મૌલિક બુદ્ધિએ લાની સર્વોપરિતા સ્થાપી હતી. * તેમના જન્મ બિહારના મોંઘીર જીલ્લામાં ખડકપુર ગામમાં થયા હતા. તેમના પિતા પૂર્ણચંદ્ર `બસુ બર્દવાન રાજ્યના જંગલખાતાના અમલદાર હતા; તેમનાં માતા ક્ષેત્રમણી એક કુશળ ભાવનાશીલ ગૃહિણી હતાં અને સર્વ ગૃહ્યકલા, સુશોભના અને દુર્ગાપ્રતિમાના કાર્યમાં નિષ્ણાત હતાં. સ્વભૂમિનું વાતાવરણ અને દશ્યોની છાપ નંદબાબુ પર ચિરંજીવ પડી હતી. ગામડાનું શિક્ષણ પૂરું કરી તેઓ કલકત્તાની કૉલેજમાં ગયા, પણ તે પહેલાં તેમણે રાજા રવિવર્મા અને રાફેલ વગેરે યુરોપીય ચિત્રકારોની નકલ કરી ચિત્રકાર્ય સાધી લીધું હતું. તેઓ કૅલેજમાં ગયા તે જ વર્ષે શ્રીમતી સુધીરાદેવી સાથે તેમનું લગ્ન થયું. તેમના સર્વ વડીલા તેઓ કટર' થાય તેમ ઈચ્છતા હતા, પણ ચિત્રની લગનવાળા નંદબાબુનું અભ્યાસમાંથી મન ઉઠી ગયું હતું, તેથી કલકત્તાની સરકારી આર્ટ સ્કૂલમાં હાવેલ અને અવનીંદ્રનાથ પાસે કલાદીક્ષા લેવા તે પહોંચી ગયા. * એ વખતે ભારતમાં યૂરોપીય ધેારણે કલા શિક્ષણ અપાતું, પણ શ્રી ઈ. બી. હાવેલ મદ્રાસની લાશાળામાંથી કલકત્તા આવ્યા ત્યારે તેમણે સંશાધન કરી ઉચ્ચ કોટિનાં મોગલ અને રજપુત ચિત્ર પ્રાપ્ત કરી જાહેર કર્યું કે, ભારતમાં અપૂર્વ કળાશૈલીની પરંપરા છે તે પ્રમાણે ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવેદ. જોઈએ. ૧૮૯૬માં તેમણે શ્રી અવીંદ્રનાથના સાથ મેળવ્યો. તેઓ પહેલાં પણ યુરોપીય ઢબે ચિત્રા કરતા હતા, પણ ભારતીય ચિત્રાનું ભાવસૌંદર્ય અને શૈલીશુચિતા જોઈ ભારતીય પ્રણાલી પર ગયા અને ૧૯૦૧માં દિલ્લીમાં તેમનું પ્રથમ ચિત્ર ‘શાહજહાનની અંતિમ અવસ્થા'વાળુ ચિત્ર ખૂબ પ્રશંસા પામ્યું. નંદબાબુને તેમણે પોતાની યજ્ઞદીક્ષાવાળા શિષ્ય બનાવ્યા અને તેમને ઓરીયેન્ટલ આર્ટ સાસાયટીમાં અધ્યાપક શ્રી નંદલાલ મસુ નીમાવ્યા. ત્યાં તેઓ શ્રી આનંદકુમાર સ્વામી, આ. સી. ગંગુલી, જસ્ટીસ વુડરોફ અને ભગિની નિવેદિતાના કૃપાપાત્ર બની રહ્યા અને તે સૌ પાસેથી તેમણે પ્રેરણા લીધી. ૧૯૨૮માં વિશ્વભારતીની સ્થાપના થઈ ત્યારે ગુરુદેવ ટાગા તેમને પોતાને ત્યાં બોલાવી લીધા અને કલાભવનના સર્વાધ્યક્ષપદે મૂકયા. ત્યાર પછી પાંચ વર્ષમાં જે તરૂણ ચિત્રકારો બહાર પડયા તે બધા ભારતની વિવિધ કલાસંસ્થાઓના અધ્યક્ષ બન્યા. પણ શ્રી નંદબાબુએ અનેક મેટા દરમાયાવાળી જગ્યાએ મળતી તે જતી, કરી અને શાન્તિનિકેતનને જ સાધનાશ્રમ બનાવ્યું. * નંદબાબુને ગાંધીજી પ્રતિ પરમ શ્રદ્ધા અને ભકિત હતાં. અસહકાર વખતે તેઓ શાંતિનિકેતન છોડી ચાલી નિકળત, પરંતુ માળવામાં આવેલી બાગ ગુફાનાં ચિત્રો કરવાનું કાર્ય તેમને સોંપાયું, એટલે રોકાઈ ગયા. અજંતા અને બાગનાં ચિત્રોમાંથી તેમણે ભારતીય કલાનાં શુદ્ધ આદર્શો પ્રાપ્ત કર્યા અને તે શૈલીના પ્રચાર કરવા પાછળ તેઓ સદા પ્રવૃત રહ્યા. ગાંધીજીના આદેશથી તેમણે ફૈઝપુર, લખનૌ વગેરે સ્થળામાં કાગ્રેસ મળી ત્યારે પોતાના છાત્રા સાથે ત્યાં જઈ ભારતીય સાધનાથી અપૂર્વ સુશોભના કરી બતાવ્યાં. હરિપુરામાં પણ તેઓ હાજર થઈ ગયા, અને તે વખતે મારા અને કનુભાઈના નેતૃત્વ નીચે ૩૦ જેટલા ગુજરાતી તરૂણા હતા, તેમની સાથે તેમના મધુર સમાગમ થયો. તેમની ભાવનાઓમાં અચળ શ્રદ્ધા, માનવતા અને પવિત્ર સૌંદર્યનો આગ્રહ સૌને સ્પર્શી ગયો અને આ રીતે સ્થપાયેલો મૈત્રીભાવ કાયમ, રહ્યો. # નંદબાબુના અનેક શિષ્યો ગુજરાતમાં છે. · સૌ પ્રથમ શ્રીમતી હઠીસિંગ શાંતિનિકેતનમાં; ગયાં હતાં. પછી મારી પાસે તૈયાર થયેલા કનુ દેસાઈ ગયા હતા. તે વખતે નંદબાબુએ લખ્યું કે “તમે બહુ સુયોગ્ય વિદ્યાર્થી મોકલી આપ્યા છે.” ત્યાર પછી કૃષ્ણલાલ ભટ્ટ, કાન્તિલાલ દવે અને અંબાલાલ સારાભાઈનાં બાળકો અને બીજા અનેકની પરપરા ચાલુ રહી હતી. શ્રી નંદબાબુને ગુજ રાત અને ગુજરાતીઓ પ્રતિ પ્રેમ અને પક્ષપાત હતા એવું અનેકવાર જણાયું છે. વડોદરામાં કીતિમંદિરમાં તેમણે ભીંત પર મીરાંની જીવનકથા આલેખી . તેમની સ્મૃતિ ગુજરાતમાં અમર કરી છે. તેમના જીવનની સાધના, ભાવના અને પ્રેરણાથી ભારત ધન્ય બન્યું છે અને ભારત રાજયના પ્રમુખશ્રીએ તેમને ‘પદ્મશ્રી’નું બહુમાન આપ્યું છે. દિલ્લીની લલિતકલા અકાદમીના અધ્યક્ષ અને સભ્યોએ શાંતિનિકેતનમાં સમારંભ કરી તેમને માનદ સભ્યપદ આપી સત્કાર કર્યા હતા. ભારતના કલાક્ષેત્રના એક મહાન યોગી અને આદ્યઋષિ જેવા નંદબાબુના ભાવનાયુકત જીવનપ્રસંગોથી ભવિષ્યની પેઢીઓને પણ પ્રેરણા મળશે. રવિશંકર મ. રાવળ Page #88 -------------------------------------------------------------------------- ________________ , 1 : પ્રબુદ્ધ જીવન RTI તા.-૫-૧૬ ૨ પ્રકીર્ણ નોંધ ; “પ્રબુદ્ધ જીવનને ૨૮માં વર્ષમાં પ્રવેશ પેટે વિના લવાજમે મેકલવામાં આવે છે. એ ઉપરાંત ગુજરાતી પ્રબુદ્ધ - જીવન’ આ અંકથી અઠ્ઠાવીશમાં વર્ષમાં પ્રવેશ કરે છે. સમાજના અનેક વિદ્વાને તેમ જ વિચારોને પણ તથા કેટલાક દોઢ વર્ષ પહેલાં પ્રબુદ્ધ જીવનના ૨૬મા વર્ષ દરમિયાન ૧૯૬૪ના સાધુસંતોને પણ સારા પ્રમાણમાં પ્રબુદ્ધ જીવન વિનાલવાજમે નવેમ્બર માસમાં પ્રબુદ્ધ જીવનરને રજત મહોત્સવ ઉજવવામાં - મેકલવામાં આવે છે. આ વિદ્રાને તેમ જ વિચારકો તથા સાધુસંતો આવ્યું હતું. આ રીતે છેલ્લાં ૨૭ વર્ષથી પ્રબુદ્ધ જીવન એક સરખી * વિશે મારી એટલી અપેક્ષા રહી છે કે તેમના જ્ઞાન અને અનુનિયમિતતાથી પ્રગટ થતું રહ્યું છે. આજે જ્યારે અનેક સામયિકો ભવને લાભ તેઓ જુદા જુદા વિષયો ઉપર ચિન્તનાત્મક લખાણો દ્વારા ઉદય-અસ્તના નિયમને આધીન બનીને ટૂંકી આવરદા પુરી કરીને આપતા રહે અને તે રીતે પ્રબુદ્ધ જીવનને વધારે ને વધારે વિચારઅલેપ થતા જોવામાં આવે છે ત્યારે અનેક પ્રતિકૂળ સંગેન સમૃદ્ધ કરવામાં તેઓ મદદરૂપ બને. સત્યની ઉપાસના અને લોક-વિશેષત: આર્થિક સંયોગને-સામને કરીને પ્રબુદ્ધ જીવન જેવું શ્રેયની સાધના-આ બે હેતુ પ્રબુદ્ધ જીવનના સંપાદન તથા પ્રકાશન પત્ર આટલી લાંબી મુદત સુધી ટકી રહે તે હકીકત “પ્રબુદ્ધ જીવનના પાછળ રહેલા છે. આ બે હેતુને પોષક અને પૂરક લખાણે પૂરાં સંચાલકો માટે અતિ સંતોષપ્રદ લેખાવી ઘટે. . . પાડવા સમાજનાં વિદ્વાને અને વિચારકોને મારી • આગ્રહપૂર્વક ‘પ્રબુદ્ધ જીવન’ મારી અને પ્રબુદ્ધ જીવનના વાંચકો સાથેની પ્રાર્થના છે. ' એક પ્રકારની વૈચારિક સહયાત્રા જેવું બની રહ્યું છે. આજે જયારે દેશમાં કે દુનિયામાં માનવી જીવનને સ્પર્શતી ઘટનાઓનું સાચું પ્રબુદ્ધ જીવનનાં આગળનાં વર્ષોની ફાઈલ નિહાળું છું–વિશેષ કરીને મૂલ્યાંકન ૨જુ કરવું, અવારનવાર ઊભી થતી માનવસમસ્યાઓ ગત વર્ષના અંકો ઉપર એક પછી એક નજર ફેરવું છું–ત્યારે અમે અંગે સમ્યક માર્ગદર્શન આપવું, માનવીના ચિત્તને ‘સત્ય, શિર્વ, બન્નેએ સાથે મળીને કેટકેટલા ક્ષેત્રમાં પ્રવાસ કર્યો છે, કેટકેટલા સુન્દરમ' પ્રતિ અભિમુખ બનાવવું-પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે વિષયની ચર્ચાવિચારણા કરી છે તેનું જાણે કે એક વિસ્તીર્ણ ચિત્ર- પ્રારંભથી આજ સુધી આ મારો મરથ રહ્યો છે. પ્રબુદ્ધ જીવન પટ આંખ સમક્ષ ખડું થાય છે. આ વૈચારિક સહયાત્રા અંગે વાચ- દ્વારા જે કાંઈ અપાઈ રહ્યું છે તે આ મરથના પ્રમાણમાં કેટલું કોનાં કેવાં કેવાં સંવેદનો હશે તે વિશે તો હું શું કહી શકું પણ અલ્પ છે એ વિશે હું પૂરો સભાન છું. એમ છતાં પણ આ મનેઅંગત રીતે હું એક પ્રકારની કૃતાર્થતા-સંતોષસભરતા–અનુભવું છું. રથનિષ્ઠા મને બળ અને પ્રેરણા આપતી રહી છે અને પ્રબુદ્ધ જીવન ગત વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવને ૨૫૨ પાનાંની નક્કર પાછળ લેવાતો ગમે તેટલો કામ પણ આખરે આનંદ-અનુભૂતિમાં વાચન સામગ્રી પુરી પાડી છે. તેમાં આગળના વર્ષથી અધૂરી - પરિવર્તિત થતો રહ્યો છે. “પ્રબુદ્ધ જીવન' દ્વારા પ્રસ્તુત મનોરથ રહેલી ‘સુકી ધરતીનાં મીઠાં સ્મરણોની લેખમાળા આગળના શકય તેટલે ચરિતાર્થ બને તે માટે, હું જેને અંશ છું તે પરમાત્મા ત્રણ હપ્તાથી અનુસંધિત કરીને કુલ નવ હપ્તામાં પૂરી કરવામાં પાસે ચેતના અને શકિતની યાચના કરું છું અને મિત્રો અને સ્વજને આવી છે. ગત વર્ષ દરમિયાન બંગાળી સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી. પાસે સાથ અને સહકારની માગણી કરું છું. પ્રબોધકુમાર સન્યાલના મૂળ બંગાળી પુસ્તક “મહાપ્રસ્થાને પથ પર’ ને અનુવાદ લેખમાળાના આકારમાં પ્રગટ કરવો શરૂ કર્યો છે અને વળી પાછી એક વધારે બાલદીક્ષા! તેના આજસુધીમાં આઠ હપ્તા પ્રગટ થઈ ચૂકયા છે. હજુ તેના તા. ૨૩-૨-૬૬ ના રોજ શ્રી વિજયધર્મસુરિના પ્રશિષ્ય મુનિ આશરે સેળ હપ્તા બાકી છે. આ બન્ને પ્રવાસકથાઓ પ્રબુદ્ધ જ્યાનંદવિજયે જયન્ત નામના એક ૧૪-૧૫ વર્ષના છોકરાને આપેલી જીવનના વાચકો માટે એક વિશિષ્ટ આકર્ષણરૂપ બની છે એમ પ્રબુદ્ધ દીક્ષા અંગે “મુંબઈ સમાચારમાં આજ સુધી કેટલાક અનુકળ પણ જીવનના વાચકો સાથે પરિચય કહે છે. મોટા ભાગે પ્રતિકૂળ ચર્ચાપત્ર પ્રગટ થઈ રહ્યા હતા, એટલામાં પ્રબુદ્ધ જીવન ગયા વર્ષથી ન્યુસ પ્રીન્ટને બદલે વ્હાઈટ પ્રીન્ટીંગ લાલબાગના ઉપાશ્રયમાં શ્રી વિજયરામચન્દ્રસૂરિએ વાપીનિવાસી પેપર ઉપર છાપવાનું શરૂ કર્યું છે; મુદ્રણના દરો પણ સારા પ્રમાણમાં શ્રી છગનલાલ ઉમેદચંદના ૧૩ થી ૧૪ વર્ષની ઉંમરના દીકરા દીપકવધ્યા છે અને સ્ટાફને પગાર વગેરે આનુષંગિક ખર્ચમાં પણ ઠીક કુમારને તા. ૨૭ મી એપ્રિલના રોજ બીજી બે મોટી ઉમ્મરની પ્રમાણમાં વધારો થયો છે. સદ્દભાગ્યે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી છેલ્લાં વ્યકિતઓ સાથે દીક્ષા આપી છે. આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. દોઢ વર્ષથી વાર્ષિક રૂા. ૧૫૦૦ ની મદદ મળવી શરૂ થઈ છે. એમ નાનાં છોકરાંઓને મુંડવા એ શ્રી વિજયરામરાંદ્રસૂરિને વર્ષોજૂ છતાં પણ વર્ષ આખરે પ્રબુદ્ધ જીવનના પ્રકાશન પાછળ આશરે વ્યવસાય છે. આ જ છોકરાના મેટાભાઈને આ જ આચાર્યો આજથી રૂા. ૪૦૦૦ ની ખેટ આવી છે. આ બધું છતાં પણ પ્રારંભથી છ વર્ષ પહેલાં ૧૩ વર્ષની ઉંમરે દીક્ષા આપી હતી. વચગાળાના વર્ષો વાર્ષિક લવાજમ રૂ. ૪-૦૦નું હતું તે આજે પણ ચાલુ રાખવામાં દરમિયાન આ પ્રકારના નાની ઉમ્મરના છોકરાઓને દીક્ષા આપવાના આવ્યું છે, એવા વિચારથી કે પ્રબુદ્ધ જીવનના વાચકો ઉપર લવા- કિસ્સાઓ ભાગ્યે જ સંભળાતા હતા. એમ પણ લાગતું હતું કે બાલ જમને બે બને ત્યાં સુધી ન વધારો. બીજી બાજુએ આટલાં દીક્ષાના અનિટ અંગેના વર્ષોભરના પ્રચારના કારણે જૈન સમાજ વર્ષની ઉપાસનાના પરિણામે પ્રબુદ્ધ જીવન પ્રત્યે આદર ધરાવતે સાધારણપણે બાળલગ્નની માફક બાલદીક્ષાથી પણ સારા પ્રમાણમાં સારો એવો વર્ગ પ્રબુદ્ધ જીવન પ્રાપ્ત કરી શક્યું છે એમ મને વિમુખ બન્યા છે અને તે અંગે હવે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. લાગે છે. તો આ વર્ગનાં ભાઈ બહેને પ્રબુદ્ધ જીવનને બે રીતે પણ આજની વસ્તુસ્થિતિ જોતાં આ ખ્યાલ બરોબર નથી લાગતું. મદદ કરીને તેને લગતી ખેટના ભારને હળવે કરી શકે. એક તો અલબત્ત, પહેલાના સમયમાં નાના છોકરાઓને ભગાડીને છૂપી રીતે પ્રબુદ્ધ જીવનના નિભાવ અર્થે સારી એવી રકમનું સંધને દાન કરીને; દીક્ષા આપવાના કિસ્સા બનતા હતા તે હવે બનતા નથી. આજે બીજે સંઘને દરેક સભ્ય અને પ્રબુદ્ધ જીવનને દરેક ગ્રાહક ઓછામાં પણ સામાન્ય સમાજનું માનસ આવી બાલદીક્ષાને પસંદ કરતું ઓછા નવા પાંચ પાંચ ગ્રાહકો મેળવી આપીને. આશા રાખું છું કે નથી. દા. ત. લાલબાગ મંદિર અને ઉપાશ્રયના પાંચે ટ્રસ્ટીઓને આ મારી અપેક્ષાને–અભ્યર્થનાને–પ્રતિધ્વનિ જરૂર મળી રહેશે. પ્રસ્તુત દીક્ષા અંગે વ્યકિતગત રીતે પૂછતાં તે દરેકને લગભગ એક જ પ્રબુદ્ધ જીવનની કેટલીક નકલે અન્ય સામયિકોના વિનિમય જવાબ હતા કે “આવી કોઈ બાલદીક્ષા અપાવાની છે એવી અમને Page #89 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૫-૧૯ પ્રબુદ્ધ જીવન પિતાને કોઈ ખબર નથી અને આવી દીક્ષા આપવા સંબંધે અમને શ્રી સંયુક્ત જૈન વિદ્યાથીગૃહનું કશું પૂછવામાં આવ્યું નથી અને અમે વ્યકિતગત રીતે આવી બાલદીક્ષા પસંદ કરતા નથી.” સામાન્ય વિચારવલણ આવું હોવા છતાં એક નવું પ્રસ્થાન આવી ઘટનાઓ બને છે કેમ? તેનું કારણ એક જ છે કે અમુક વર્ગ આવી દીક્ષાએ જરૂર પસંદ કરે છે, પણ મોટા ભાગનું વલણ તે વિશે શ્રી સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના શિવ ખાતેના અત્યારના કેવળ ઉદાસીન છે. વળી સ્પે. મૂ. સમાજની સ્થિતિ – ખાસ કરીને મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લેટ ઉપર સંસ્થા માટે નવું મુંબઈના શ્વે. મૂ. સમાજની સ્થિતિ - નિર્ણાયક જેવી છે અને તે મકાન ઊભું કરવા અંગે તા. ૨૨-૪-૬૬ શુક્રવારના રોજ સવારના સંપ્રદાયના સાધુઓ ઉપર કોઈને અંકુશ નથી અને તેઓ પિતાને નવ વાગ્યે સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના હાથે ફાવે તેમ વર્તી શકે છે. સ્થાનકવાસી સમાજમાં આજે સંઘની રજા શિલારોપણવિધિ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગના અનુસંધાનમાં સિવાય કોઈ પણ સાધુ કે સાધ્વી કોઈને પણ દીક્ષા આપી શકતું નથી, સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના હોલમાં શ્રી ચીમનલાલ ચકભાઈ શાહના પ્રમુખસ્થાને એક સંમેલન યોજવામાં આવ્યું હતું. અને દીક્ષા લેનાર સૌ કોઈ માટે ૧૮ વર્ષની ઉમ્મર મર્યાદા બંધનકર્તા પ્રારંભમાં સંસ્થાના મંત્રી શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે છે. આ મજબુત પ્રબંધ જૈન શ્વે. મુ. સમાજમાં નહિ થાય ત્યાં ૧૯૬૫ના માર્ચની ૧૫મી તારીખે મુંબઈ ખાતે બિરલા માતુશ્રી સુધી દીક્ષા સંબંધની અનવસ્થા ચાલ્યા જ કરશે. સભાગૃહમાં સંસ્થાના લાભાર્થે યોજવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ હજુ પણ સાધુઓની સંખ્યા વધારવા તરફ જૈન સમાજનું જેટલું દ્વારા પ્રાપ્પ થયેલ આશરે રૂપિયા એક લાખના ભંડળની વિગતે રજુ લક્ષ છે તેટલું લક્ષ તેની ગુણવત્તા ઉપર ભાર મૂકવા તરફ છે જ નહિ. કરી હતી અને તે ભંડોળના પરિણામે શક્ય બનેલ મકાનને પાયે પરિણામે આજે સાધુસમાજમાં સારા નબળા સાધુઓની સારા પ્રમા નાંખવા માટે આપણે એકઠા થયા છીએ એમ તેમણે જણાવ્યું હતું. ણમાં ભરતી થઈ રહી છે અને તેમની ગુણવત્તાને આંક એટલા જ આ મકાનની યેજના અંગે તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે આ પ્રમાણમાં ઉતરતો જાય છે. ઊભા કરવા ધારેલ મકાન પાછળ આશરે રૂ. ત્રણ લાખને ખર્ચ બાલદીક્ષાના સમર્થનમાં એક ભારે ભુલભરેલી માન્યતા ફેલા થવાનો અંદાજ છે અને તેમાં એક મોટો હૈલ નિર્માણ કરવામાં વવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે દીક્ષિત બનતા નાની આવશે અને ૪૮ વિશેષ વિદ્યાર્થીઓને સમાવેશ શકય બનશે. ઉમ્મરનાં છોકરાઓનાં મન, મગજ અને દિલ કોરી સ્લેટ જેવાં હોય ત્યાર બાદ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ છે અને તેને જે આકાર આપવા ધારે તે આપી શકાય છે. અને જે જણાવ્યું કે, “આજથી આશરે ૫૦ વર્ષ પહેલાં જૈન સમાજની સુખભેગ તેને સુલભ નથી તેને તેને કદિ વિચાર કે વિકાર આવતા એકતાને સૌથી પહેલે વિચાર નિડર ચિન્તક અને વિવેચક સ્વ. નથી. તેના મનને આકાર તો જે અપાતો હોય તે ખરે, પણ કોઈ પણ વાડીલાલ મેતીલાલ શાહને આવ્યો અને તેમણે આપણા મુરબી છોકરો કે છે કરી પ્રકૃતિના નિયમથી મુકત હોતા નથી. આ નવદીક્ષિત અને સંસ્થાના પ્રાણરૂપ સ્વ. મણિલાલ મેકમચંદ શાહના સાથબાળકો માટી ઉમ્મરના થતાં અને પ્રકૃતિસહજ વાસનાઓ અને કામના પૂર્વક ૧૯૧૭ની સાલમાં પ્રીન્સેસ સ્ટ્રીટમાં આવેલ પીરભાઈ બીલ્ડીંએની સફ,રણા થતાં કેવી કેવી વિકૃતિનાં ભોગ બને છે અને ગમાં આ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ ઊભું કરીને જેનેની એકતાના દમન કરાયેલી વૃત્તિઓ પ્તિના અભાવે કેવા અકુદરતી માર્ગો અને વિચારને અમલી રૂપ આપ્યું. આ રીતે આ સંસ્થાની થયેલી સ્થાપઉપાયે શોધે છે તેનું ઉપર મુજબ વિચારનારાઓને ભાન હોતું નથી. નાને હું જાતે સાક્ષી હતો. કેટલાંય વર્ષો સુધી સંયુકત જૈન વિદ્યાર્થીતદુપરાંત પિતાની આસપાસ અનેક રંગરાગથી ભરેલી જે દુનિયા તે ગૃહ જેવું હતું તે મુજબ ચાલતું રહ્યું. પણ ૧૯૫૦ની સાલ પછી જુએ છે તેની તેના ઉપર કોઈ અસર થતી નથી એમ માની લેવું એ મણિભાઈએ આ સંસ્થાના પિતાના મકાન માટે નવો પુરુષાર્થ આદર્યો પણ એટલી જ નરી બાલીશતા છે. આજે તે આ બાબતમાં મનોવિજ્ઞાન અને પરિણામે જે મકાનમાં આપણે અહિ બેઠા છીએ તેનું ૧૯૫૪ ખૂબ જ આગળ વધ્યું છે અને તેણે આપણી અનેક માન્યતા ખોટી ની સાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ રીતે આ સંસ્થા જૈન પાડી છે અને ભ્રમણાઓ ભાંગી નાંખી છે. દબાયલી ઈચ્છાઓ સમાજની એકતાના પ્રતીકરૂપ બની છે. આજે બાજુની ખાલી કેવાં કેવાં વિકૃત રૂપ ધારણ કરે છે તેનું આજના મનોવિજ્ઞાને અદ્ જગ્યામાં નવા મકાનને પાયો નાખીને આપણે નવું પ્રસ્થાન શરૂ ભૂત વિશ્લેષણ કર્યું છે, આ બાલદીક્ષાને પ્રશ્ન આજના મનોવિજ્ઞા કરીએ છીએ. આ પ્રસંગે, ગત વર્ષમાં જવામાં આવેલ સાંસ્કૃતિક નની દષ્ટિએ નવું સંશોધન માંગે છે. કેટલીયે વાતો અને બાબતો ઉપા કાર્યક્રમના અવસર ઉપર આ સંસ્થા તરફથી વહેલામાં વહેલી તકે શયની દીવાલે પાછળ ઢંકાયેલી રહે છે અને ધર્મપ્રતિષ્ઠા જોખમા કન્યા છાત્રાલય ઊભું કરવામાં આવશે એવી આપણા તરફથી જાહેવાની બીકે તેને બહાર આવવા દેવામાં આવતી નથી. આ કૃત્રિમ દમ રાત કરવામાં આવેલી હતી તે બાબતની આપને હું યાદ આપું તે નનાં સરવાળે કેવાં દુષ્પરિણામ આવે છે તે તે શેઠ કસ્તુરભાઈ લાલ અસ્થાને નહિ ગણાય. હવે જો એક બે વર્ષમાં આપણે આ સંસ્થાને ભાઈએ નીમેલી સંઘસમિતિના દફતરે નોંધાયેલી અનેક સાધુઓના સુવર્ણ મહોત્સવ ઊજવવા માગીએ છીએ તે તે અરસામાં આ કન્યા દુરિત્રાને લગતી હકીકતે, જે પ્રતિહાનિના ભયથી બહાર પાડવામાં છાત્રાલયની જાહેરાતને મૂર્તરૂપ આપવા માટે આપણે આજથી કટિઆવતી નથી તે બહાર પાડવામાં આવે તે જ તેની જૈન સમાજને બદ્ધ થવું ઘટે છે.” આમ જણાવીને તેમણે જેનેની એકતાના પ્રશ્ન ખરી જાણ થાય. આ બધું સડો દૂર કરવો હોય તે કાચી ઉમ્મરનાં ઉપર કેટલુંક વિવેચન કર્યું અને આ બાબતમાં દખલરૂપ બનતા બાળકોને મુંડવાની પ્રવૃત્તિ તો બંધ થવી જ જોઈએ, એટલું જ નહિ જૈન તીર્થોના ઝગડાઓને નિકાલ લાવવા માટે જવાબદાર પક્ષના પણ, કોઈ પણ વ્યકિતને દક્ષિા આપવા પહેલા તે અંગના યોગ્યતા આગેવાનો ઉપર, ઉગ્ર આંદોલન દ્વારા આપણે દબાણ લાવવું જોઈએ અને તાલીમનાં કટ્ટર ધરણા નક્કી થવાં જોઈએ અને તે સર્વસ્વીકૃત, એમ તેમણે જણાવ્યું બનવાં જોઈએ. આ તે જ બને કે જો આ બાબત અંગે સાધારણત: ત્યાર બાદ શ્રી ફાલચંદ શામજીએ એકતાના વિચારનું સમર્થન વ્યાપેલી ઉદાસીનતા છોડવામાં આવે અને સાધુસંસ્થાના નિયમને અને . શ્રી ખીમજી માડણ ભુપુરીઆએ કન્યા છાત્રાલયના વિચાનિયંત્રણ અંગે જૈન સમાજ વધારે સજાગ બને, એટલું જ નહિ પણ, ૨નું જોરદાર અનુમોદન કરતાં જણાવ્યું કે, “આ માટે રૂ. ૫,૦૦૦ વધારે આગ્રહી અને વ્યવસ્થિત બને. આપવાની મેં આગળ ઉપર ઈચ્છા દર્શાવેલી તેના બદલે જો તમે ' પરમાનંદ કન્યા છાત્રાલયના વિચારને અમલી રૂપ આપવા માગતા હે તે Page #90 -------------------------------------------------------------------------- ________________ * પ્રભુ જીવન શ. ૧૦,૦૦૦ સુધીની રકમ આપવાને હું તૈયાર છું, પણ સાથે સાથે મારા અનુભવના સારરૂપે જણાવું તો આજે કાલેજમાં ભણતી કન્યાઓ કરતાં હાઈ સ્કૂલમાં ભણતી કન્યાઓ માટે આવા છાત્રાલયની વધારે જરૂર છે અને તેથી તમે તે દિશાએ જે પગલું ભરો તે પહેલું પગલું હાઈસ્કૂલમાં ભણતી બહેનો માટે ભરજો એવો મારો આગ્રહ છે.” ત્યાર બાદ શ્રી કપુરચંદ નેમચંદ મહેતાએ આ સંસ્થા દ્વારા `ઊભું કરવા ધારેલ કન્યાછાત્રાલયના વિચારને ખૂબ આવકાર્યો અને આ વિચારને જ્યારે પણ અમલ કરવામાં આવે ત્યારે તેમાં સારી રીતે મદદરૂપ થવા તેમણે તત્પરતા દાખવી. ત્યાર બાદ, શ્રી. રિષભદાસ રાંકાએ જૈનોની એકતાના સંદર્ભમાં તીર્થોના પ્રશ્નની છણાવટ કરી અને કેશરિયાજીના ચુકાદો અને ત્યાર બાદ ઊભી થયેલી પરિસ્થિતિ વિષે વિવેચન કર્યું. બધી ચર્ચાના ઉપસંહાર કરતાં પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનભાઈએ જણાવ્યું હતું કે “જે એકતાની આપણે વાત કરીએ છીએ તે એકતા ભાષણોથી નહિ આવે, પણ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ જેવી સંસ્થા ઊભી કરવાથી જ સાચી એકતાની પ્રતિષ્ઠા થશે.” આ એકતાના વિચારનો વિસ્તાર કરતાં તેમણે જણાવ્યું કે “એકતાના વિચારને અમલી બનાવવા હોય તા ભાઈ ભુજપુરીઆએ જણાવ્યું તે મુજબ આપણે આવી બાબતોમાં સાધુમુનિરાજો ઉપર આધાર રાખતા બંધ થવું જોઈશે. અલબત્ત, આ મુનિઓનો આપણા સમાજ ઉપર ખૂબ પ્રભાવ છે અને તેઓ ધારે તે જૈનો જૈના વચ્ચે એકતાની સ્થાપના કરવાની દિશામાં ઘણુ કરી શકે તેમ છે. પણ તેમની દષ્ટિ અને વિચારણા પ્રાય: ભૂતકાળ તરફ વળેલી હોય છે. તેમને વર્તમાન તરફ કેમ વાળવા એ જ મોટો પ્રશ્ન છે. જૈનોની એકતા વર્તમાન યુગની અનિવાર્ય માંગ છે. તેથી આ બાબતમાં આજના મુનિરાજો ઉપર અવલંબિત રહેવાને બદલે જૈન સમાજે સ્વતંત્ર પણે તે દિશામાં સક્રિય પગલાં લેવાના રહેશે.” ત્યાર બાદ આપણે કેવા સંક્રાન્તિકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ તેનું તેમણે વિવેચન કરતાં જણાવ્યું કે, ‘એક કાળે પૂર્વના વિચારોનું પશ્ચિમ ઉપર પ્રભુત્વ હનું; પછી પશ્ચિમનું પૂર્વ ઉપર પ્રભુત્વ સ્થપાયું. આજે વળી પૂર્વની અસર પશ્ચિમ ઉપર થઈ રહી છે. આજે ચીન અને ભારત આગળ આવી રહ્યાં છે. સમય જતાં ચીન સૌથી વધારે શકિતશાળી દેશ બને તો નવાઈ નહિ.” આમ જુદા જુદા વિષયોને સ્પર્શીને આગળ ચાલતાં મુંબઈ શહેરમાં જૈન સમાજના છાત્રાલયા વચ્ચે અનુબંધ ઉભા થવાંની જરૂર ઉપર ભાર મૂકીને જણાવ્યું કે “આપણે ત્યાં આજે છ જૈન છાત્રાલયો છે અને તેમાં કુલ લગભગ ૪૫૦ વિદ્યાર્થીઓ લાભ લે છે, પણ આ ભિન્ન ભિન્ન છાત્રાલયોના વહીવટકર્તાઓ વચ્ચે કોઈ અનુસંધાન નથી, આ બધા વિદ્યાર્થીઓ અવારનવાર એકઠા થાય તે માટે કોઈ યોજના નથી. આપણાં છાત્રા લો વિષે કોઈ સામાન્ય નીતિ નથી. આવું પરસ્પર સંગઠ્ઠન ઊભું થાય તો વિદ્યાર્થીઓની સગવડ ખૂબ વધી શકે અને વિદ્યાર્થીઓમાં એકતાની ભાવના કેળવાતી રહે.” ત્યાર બાદ કન્યાછાત્રાલય અંગે આ પ્રસંગે રજુ કરવામાં આવેલા વિચારો અને ઉદ્ગાર અંગે તેમણે ખૂબ સંતોષ દાખવ્યો અને જણાવ્યું કે “ ખીમજીભાઈ, કપુરચંદ ભાઈ અને ફલચંદભાઈએ આ વિષે જે કાંઈ કહ્યું તેથી હું ખૂબ ઉત્સાહ અનુભવું છું અને કન્યાછાત્રાલય આપણે બહુ ટૂંક સમયમાં ઊભું કરી શકીશું એવી આશા હું અનુભવું છું.” અન્તમાં સંસ્થાના કોષાધ્યક્ષ શ્રી ચીમનલાલ પી. શાહે તથા સંસ્થાના અન્ય મંત્રી શ્રી રમણીકલાલ મણિલાલ શાહે આભારનિવેદન કર્યું અને અલ્પાહાર બાદ- સંમેલન વિજિત થયું.. અહિં એ જણાવવું અસ્થાને નહિ ગણાય કે જૈન સમાજમાં માત્ર સંયુકત જૈન વિદ્યાર્થીગૃહ જ એક એવી સંસ્થા છે કે જે એક જૈન સંસ્થા હોવાં છતાં તેનાં દ્વાર જૈનેતર વિદ્યાર્થીઓ માટે પણ ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે અને આજે તેમાં એક અંધ જૈનેતર વિદ્યાર્થીને પણ દાખલ કરવામાં આવ્યો છે : 4 તા...૧-૫-૧૯ એક કડ ચેાગીની મંથનપેાથી (‘ગ્રંથ’ના ગયા સપ્ટેમ્બર માસના અંકમાં પ્રગટ થયેલ “Markings by Dag Hammarskjold ”નું અવલોકન) દાગ હૅમરશાલ્ડની આ વિચારોથી પૂરી કરી ત્યારે ચિત્તમાં નમ્રતા ઊભરાઈ આવી. આધુનિક ભારતવાસીના મનમાં ઘણીવાર એવા અહંકાર હોય છે કે આપણા જેવા કોઈ આધ્યાત્મિક નથી. પણ અધ્યાત્મચિંતન કોઈ એક પ્રજાના જ આગવા ઈજારો હોય તો માનવજાતના વિકાસ કુંઠિત થઈ જાય. સદ્ભાગ્યે સ્થિતિ આવી નથી. ખંડ ખંડમાં જીવનવિદ્યાના ઉપાસકોની ધૂણી ધખી રહી છે. હૅમરશેલ્ડની નોંધપોથી આ હકિકતની પ્રતીતિ કરાવે છે. આબાહુવા, ખાનપાન, પહેરવેશ, રહેણીકરણી અને ભૌતિક સુખસમૃદ્ધિમાં અચંબો પમાડે એટલા તફાવત હોવા છતાં કઈ ચીજ સમગ્ર માનવજાતને એક તાંતણે બાંધે છે ? મને લાગે છે કે આત્મસાક્ષાત્કારની મથામણ વિશ્વકુટુંબની પાયાની એકતાનું સૂચન કરે છે. માણસની આજુબાજુની આબાહવા લઈ લે. એનાં ખાનપાન, અને પહેરવેશને ભૂલી જાઓ. એની મોટરગાડી અને ટેલીવિઝનને એક બાજુ મૂકો. આ બધાની બાદબાકી કર્યા પછી થોડી શેષ રહેવાની જ. એને તમે પરમાર્થવૃત્તિ કહો, સામાજિક જવાબદારી કહો કે ધર્મ ભાવના કહે, આ શેષ એ માનવજાતની આંતર સંપત્તિ છે. સ્વીડન જેવા સમૃદ્ધ દેશના એક સુખી કુટુંબના બત્રીસલક્ષણા આ નબિરાને ચિત્તની આશાંતિ ક્યારેક ક્યારેક બુદ્ધ ભગવાનન સાંસારિક જીવનનું સ્મરણ કરાવે છે. દુન્યવી સફળતાના ગજે માપીએ તો એમ કોઈ પણ કહે કે પરભવ પેટ ભરીને પુણ્ય કર્યા હાય તા હૅમરશેાલ્ડ જેવી કારકીર્દી મળે. તેમનો જન્મ ૧૯૦૫ના જુલાઈની ૨૯મી તારીખે અને મૃત્યુ ૧૯૬૧ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે. આ ૫૬ વર્ષના પ્રમાણમાં ટૂંકા આયુષ્ય દરમ્યાન હૅમરશેાલ્ડે અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી. એમના પિતા નટ હૅમરશેાલ્ડ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન સ્વીડનના વડા પ્રધાન હતા. પણ એમની ખ્યાતિ તા એક વિદ્રાન ન્યાયાચાર્ય અને આધ્યાપક તરીકેની હતી. હૅમરશેલ્ડનું કુટુંબ એટલે રાજપુરુષો અને લશ્કરી અસરોનું કુટુંબ, દાગ હૅમરશેાલ્કની માતાનું કુટુંબ એટલે પાદરીઓ અને વિદ્વાનોનું કુટુંબ. આમ હૅમરશાલ્ડના લોહીમાં એક સાથે સત્તા અને વિદ્યાની ભૂખ વહેતી હતી. ૧૯૩૦માં અર્થશાસ્ત્ર અને કાયદાનું ઉચ્ચ શિક્ષણ પૂરું કરી એ સ્વીડીશ સરકારમાં જોડાયા. ૧૯૩૫માં એ. બૅન્ક ઓફ સ્વીડનના સેક્રેટરી થયા અને ૩૬ વર્ષની નાની ઉંમરે ૧૯૪૧માં તે બેન્કના ચેરમેન થયા. લગભગ આઠ વર્ષ એ હોદ્દો સંભાળીને તેઓ ૧૯૪૯માં સ્વીડનના ઉપવિદેશપ્રધાન બન્યા અને બે વર્ષ બાદ એ સ્વીડિશ પ્રધાનમંડળના પૂરા સભ્ય બન્યા. ૧૯૫૨માં હૅમરશેલ્ફે સ્વીડિશ પ્રતિનિધિમંડળના નાયબ નેતા તરીકે સંયુકત રાષ્ટ્રસંસ્થાની મહાસમિતિમાં હાજરી આપી અને એક વર્ષ બાદ એ સ્વીડિશ પ્રતિનિધિમંડળના મુખ્ય નેતા નિમાયા. આ દરમિયાન સંયુકત રાષ્ટ્રસંસ્થાના મહામંત્રી શ્રી લી વિષે બે મહાસત્તાઓ વચ્ચે તીવ્ર મતભેદ ચાલતો હતો. આ ખટરાગનું પરિણામ એ આવ્યું કે પ્રમાણમાં અજાણ્યા હૅમરશેલ્ડને ૧૯૫૩ના માર્ચ મહિનામાં સંયુકત રાષ્ટ્રસંસ્થાના મહામંત્રી તરીકે નીમવામાં આવ્યા. જેમણે આ પુસ્તકની કુશળતાપૂર્વક અનુવાદ કર્યો છે તે કવિ એડનને હેમરશેાલ્ડે એકવાર મજાકમાં કહેલું કે સંયુકત રાષ્ટ્રસંસ્થાના મહામંત્રીનું કામ બિન સાંપ્રદાયિક પાપ જેવું છે. સાચું કહીએ તો અત્યંત શકિતશાળી, ઉદ્યમી, અંતડા અને અપરિણીત હૅમરશોલ્ડ લગભગ હંમેશા પાપ જેવા લાગતા હતા. તેઓ આવા આંતરરાષ્ટ્રીય સેવક ન હોત તો સુએઝ અને હંગેરીની આંધી વચ્ચે સંયુકત રાષ્ટ્રસંસ્થા ભાગ્યે જ હેમખેમ Page #91 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫ રહી શકી હાત. સંયુકત રાષ્ટ્રસંસ્થાની સૌથી પ્રથમ શાંતિસેના ઈજિપ્ત અને ઈઝરાયેલની સરહદ વચ્ચે ગોઠવવાનું ઐતિહાસિક કાર્ય કરી બતાવી હૅમરશેાલ્ડે એમના દધૈર્ય અને આવડતના શાંતિભૂખ્યા જગતને સ્વાદ કરાવ્યો. કોંગાની હોળીમાં એ હોમાઈ ગયા. એમની આ નોંધપાથી વાંચનારને એમ લાગશે કે એમણે આવા જ મૃત્યુની ઝંખના કર્યું રાખી હતી. પ્રબુદ્ધ જીવન હૅમરશાલ્ડને કર્મભૂમિમાં રહીને આત્મસાક્ષાત્કાર કરવા હતા. એમણે નોંધ્યું છે કે છેક બાળપણથી એમને એવા સંસ્કાર પડયા હતા કે પોતાના દેશ કે માનવજાતની શુદ્ધ સેવા વિના જીવનમાં શાંતિ કે તૃપ્તિ નહીં મળે. એમની સેવાની કલ્પના એવી હતી કે જરૂર પડયે સર્વસ્વનો ભાગ આપવા, પણ હૃદય-દુર્બળતાને કારણે જીવનયુદ્ધમાં પીછેહઠ કદી ન કરવી. ૧૯૬૦માં રશિયાએ. જ્યારે માગણી કરી કે હૅમરશાલ્ડે રાજીનામું આપી દેવું જોઈએ ત્યારે આ કર્તવ્યનિષ્ઠ પુરુષે આવા જવાબ આપેલા : “સાવિયેટ યુનિયનના પ્રતિનિધિએ મારા રાજીનામાની માગણી કરતી વેળા હિંમતના ઉલ્લેખ કર્યો છે. રાજીનામું આપવું તે સાવ સહેલી વાત છે. આવા સંજોગામાં ટકી રહેવું એટલું સહેલું નથી. એક મહાસત્તાની ઈચ્છાને તાબે થવું એ સહેલી વાત છે. એ ઈચ્છા સામે પડકાર ફેંકવા એ એટલી સહેલી વાત નથી.” પોતાની માન્યતા માટે બધું હામી દેવું અને આંધી વચ્ચે અણનમ ઊભા રહેવું–હૅમરશેલ્ડે એમના જીવનમાં આ ભાવના ચરિતાર્થ કરવા પ્રમાણિક પ્રયત્ન કર્યો. આવા પ્રયત્ન કરવાનો વિચાર કરવા તે પણ જેવી તેવી વાત નથી. કોઈ ઊંડા સ્તરમાંથી શકિત અને શ્રદ્ધા સતત ઝર્યા ન કરતાં હોય તો બાહ્ય જગતના ઝંઝાવાતમાં માત્ર સારી વાત કરીને કોણ ટકી શકે ? હૅમરશોલ્ડના ચિત્તમાં નિભાડો ધખ્યા કરતો હતો. દુન્યવી સત્તાની ટોચે બેઠેલા આ હોશિયાર માણસ એના આંતરજીવનના ધમસાણાની નોંધ રાખતા હતા એની કોઈને ખબર ન હતી, હૅમરશેાલ્ડ વિષે કોઈ જાણતું ન હોય અને માત્ર આ નોંધપોથીમાંથી તે અણસારો ય ન આવે કે હૅમરાલ્ડ સ્વીડનના આગેવાન અર્થશાસ્ત્રી તથા રાજપુરુષ હતા અને સંમ્યુકત રાષ્ટ્રસંસ્થાના મહામંત્રી હતા. એમના બાહ્ય જીવનનો આ નોંધપાથીમાં કયાંય પડછાયાયે પડતા નથી. હૅમરશોલ્ડ વિષે કશું ન જાણનાર વ્યકિતને એમ લાગે કે કોઈ કર્મવીર અને સાધકની આ મંથનપાથી છે. હૅમરશેાલ્ડના વિચાર એવા ન હતા કે આ નોંધપોથી પ્રસિદ્ધિ પામે. એમના અવસાન પહેલાં પાંચેક વર્ષે એમને એમ થયું કે આ ટાંચણામાં કોઈને કદાચ રસ પડે, પણ એમની હયાતિ દરમિયાન આ અંગત મથામણાનો ધજાગરો કરવાની આ શરમાળ માણસની જરા ય ઈચ્છા ન હતી. એમના મૃત્યુ પછી જે કાગળિયાં મળ્યાં. એમાં એમણે એમ જણાવેલું કે આ નોંધપોથી જ એમનું ખરું “રેખાચિત્ર” છે. હૅમરશેાલ્ડ ખાનગીમાં કવિતા લખતા. તે શાંત પ્રકૃતિના કવિ હતા. અને હૈયાની ઘમસાણાના પણ ગાયક હતા. એમણે આ નોંધપોથી લખવાની શરૂઆત કરી ત્યારે-લગભગ ૨૫ વર્ષની ઉંમરે જીવનની નેમ નક્કી કરી લીધી હતી. Smiling, sincere, incorruptible— His body disciplined and limber. A man who had become what he could. And was what he wasReady at any moment to gather everything Into one simple sacrifice. હસમુખા, સાચેા, લાલચમુકત— એનું શરીર ચપળ અને શિસ્તબદ્ધ, એ માણસ જે કાંઈ બની શકે તે બન્યું. ૫ અને હતા તે જ રહ્યોસાવ સાદા સ્વાર્પણમાં ગમે તે ઘડીયે સઘળુ" હામી દેવા તૈયાર. થોડાં વર્ષ બાદ એમણે સ્વાર્પણનું ચિત્ર વધુ સ્પષ્ટ કર્યું : "We are not permitted to choose the frame of our destiny. But what we put into it is ours. He who wills adventure will experience it-according to the measure of his courage. He who wills sacrifice will be sacrificed according to the measure of his purity of heart." << આપણા પ્રારબ્ધનું ખોખું પસંદ કરવાનું આપણા હાથમાં નથી. પણ એ ખોખામાં શું મૂકવું તે આપણા હાથની વાત છે. જેનામાં સાહસની સંકલ્પશકિત છે તે તેની હિંમતના પ્રમાણમાં સાહસનો સ્વાદ પામશે. જેનામાં સ્વાર્પણની સંકલ્પશકિત છે તે તેની નિર્મળતાના પ્રમાણમાં ભાગ આપી શકશે. એમણે એક કાવ્યમાં એમ પણ કહ્યું છે કે જ્યારે માણસ પોતે ભાગ બનવા તલપાપડ થાય છે ત્યારે ઈશ્વર પેાતે જ આવી વ્યકિતનાં ખાળિયામાં પ્રવેશે છે. પણ સ્વાર્પણ વેળાએ હ્રદય રીઢું ન થવું જોઈએ. શહીદ શહાદત સમયે હ્રદયની કુમાશ ગૂમાવી બેસે તો સ્વાર્પણના શે। અર્થ ? સ્વાર્પણના હેતુ તો એ હોય કે જીંદગી બીજાને માટે વધુ જીવવા જેવી બને. અનાસકિતથી શુદ્ધ સેવા કરતાં કરતાં જીવનને કઈ રીતે અર્થપૂર્ણ કરવું ? વાત મુશ્કેલ છે પણ કામ કરવા જેવું છે. What I ask is absurd : that life shall have a meaning. What I strive for is impossible: that my life shall acquire a meaning." “જીવનનો કોઈ અર્થ હોવા જોઈએ એવી મારી માગણી બેહૂદી લાગશે. મારું જીવન અર્થપૂર્ણ બને એવી મથામણ મૃગજળ પાછળ દોડવા જેવી છે.” પૂર્ણ વાડીલાલ ડગલી વણિક સેનાપતિ વનરાજ રાજધાની માટે યોગ્ય સ્થાન શોધતો હતો. એને ભરવાડ અણહિલ્લ સાખડે પૂછ્યું કે ‘શું જુએ છે ?’ ‘નગરનિવેશને લાયક શૂરભૂમિ ગાતીએ છીએ, એમ એને કહ્યું એટલે એ કહે, ‘નવી સ્થાપવાની નગરીને જો મારું નામ આપે તે સરસ જગ્યા બતાવું.' વનરાજ કહે, ‘ ભલે.’ એટલે જ્યાં સસલાએ કૂતરાને બીવરાવ્યા હતા તે ઠેકાણું અણહિલ્લે બતાવ્યું : यावती भू: शशकेन उच्छासिता ( शशकेन वा त्रासित:) તાવતી સુર્વ વર્શવામાસ । (મેરુનુંગ: પ્રબંધ ચિંતામણિ). ત્યાં સંવત ૮૦૨ના વૈશાખ શુદિ ૨ ને સોમવારે વનરાજે અણહિલ્લપુર-પાટણનાં તારણ બાંધ્યાં, પોતાના રાજ્યાભિષેક કરાવ્યો, અને જબ નામે વિણકને મહામંત્રી બનાવ્યો. આ જબ પણ કોઈ સામાન્ય વાણિયા નહોતા. વનરાજ જ્યારે બહારવટે ચડ્યો હતો ત્યારે તેના ત્રણ માણસે જબને વનવગડામાં રોક્યો હતો. ચાર ત્રણ જ છે એમ જોઈને જંબ પાસે પાંચ બાણ હતાં તેમાંથી તેણે બે ભાંગી નાખ્યાં. ચારે પૂછ્યું, ‘કેમ ભલા?' ‘ એટલે જંબ કહે, ‘તમે ત્રણ જણ છે એટલે બે બાણ નકામાં હતાં.' પછી તો એણે હાલતાં વેધ્ય વીંધી બતાવ્યાં, એટલે એને વનરાજ આગળ લઈ ગયા. એની ધનુવિદ્યા જેઈને વનરાજ આશ્ચર્ય પામ્યો ને કહે, ‘મારો પટ્ટાભિષેક થાય ત્યારે તમે મારા મહામંત્રી બનજો,' જંબ પછી તા ધનુર્ધારી વણિકની પર પરા ચાલી. પહેલા ભીમદેવના સમયમાં વિમલ, બીજા ભીમદેવના કાળમાં આભૂ નામે શ્રીમાળી વિણક જે રાંગણ ઉપર પ્રતિક્રમણ કરતા (ચંદ્રરાજ ભંડારી : Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-૧૬ મંડપે મંડપે માંડિયા ભેળસેળ જે થંભ, ભે થંભે પૂતળી, નૃત્ય કરતી રંભ (૯-૨૨૨). ભગવાન મહાવીર, પા. ૩૦૪) અને વચ્ચે કુમારપાલના સમયમાં સોરઠના રાજા સમરસેનને હરાવનાર ઉદયન મંત્રી ને કોંકણના રાજા મલ્લિકાર્જુનને હરાવનાર ઉદયનસુત બડ (વિજ્યલમીસૂરિ: ઉપદેશપ્રાસાદ ૪, ૩૬૯, ૩૭૫) સેનાપતિપદે હતા. વિમલના અચૂક લક્ષ્યવેધ વિષે મુનિ લાવણ્યસમયના વિમલપ્રબંધમાં વિલ્યમ ટેલની વાર્તાનું સ્મરણ કરાવનારી વિગત આપી છે : * ૧. બાળ સુવરાવું કરી સાથરો, પેટે પાન અદ્યતેર ધરું, કહે તેને વીંધું મનરંગ, બાણ ન લાગે બાળકઅંગ. ૨. કળા દેખાડું અવર પ્રકાર, વલેણું વલોવે નાર. ઝબકે વીંધાઈ જાય ઝલ, ખસકો નવ લાગે ગાલ. ૩. જાઓ ને જોઈ આવો બાણ, પહોંચે ગાઉ પાંચ પ્રમાણ (૬ : ૨૩૨૬). વિમલની આ કળા ‘ભીમતણે મન ભારે વસી ને એને પાંચસો ઘોડેસ્વારને ઉપરી દંડનાયક બનાવ્યું. વિમલ વિરુદ્ધ ખટપટિયાએ રાજા ભીમના કાન ભંભેર્યા. વાઘને છુટ્ટો મૂકીને એને ઠેકાણે પાડવા તથા એક પ્રસિદ્ધ મલ્લ સાથે યુદ્ધ કરવા વિમલને કહ્યું, પણ એક પ્રસંગે વિમલને ઊની આંચ ન આવી, ‘એટલે વિમલના બાપદાદાના કાળનું રાજયનું લેણું કાઢ્યું. છપ્પન કોટિ ટંકા ઘર ભરો, આવીને લેખું કરશે (–૬). આથી વિમલ કાઈ ગયો ને ચન્દ્રાવતી નગરી વસાવીને ત્યાં રહ્યો. ત્યાંથી તેણે રામનગરી (૭-૬૪) ઉપર ચડાઈ કરી ને ત્યાંના બાર સુલ્તાનને હરાવ્યા, જેણે “આપ્યા દંડ જે ઘોડા હાથી ઢંકા કોટિ જ ચાર” (૭-૧૦૦). એવી જ રીતે એણે સિંધમાં નગરઠઠાના રાજા બંભણિયાને પણ હરાવ્યો, પછી “રૂપનગરને ઠઠા થકી વર્ષે વર્ષે આવેખિદમતી’ (નજરાણુ ૮-૮૨). એક સાધુ ચન્દ્રાવતી આવ્યા. એની પાસે સ્વપ્રમાદનિવેદનરૂપ આલોચના વિમલે કરી એટલે ધર્મઘોષસૂરિ બેલે હસી, તુજ આયણ આવું કિસી? મહારંભ કીધા લખ કોડિ આયણ દેતાં અમ–ખાડિ (૯-૧૬૬). પણ આગમે કહ્યું છે તેય, મિથ્યાદષ્ટિ થાનક હોય; ત્યાં જિનમંદિર કિહે કરાય તે નરવર આરાધક થાય (૧૬૭).’ એટલે વિમલે ત્રણ દિવસના ઉપવાસ કરી અંબાજીનું ધ્યાન ધર્યું. અંબાજી પ્રત્યક્ષ થયાં ને બોલ્યાં, માગે વર, તમ તૂટી સહી (૧૫). વિમલે ‘પહેલે વર માગ્યો પ્રાસાદ' (મંદિર) (૧૫) ને ‘બીજો વર માગે એક પુત્ર' (૧૯૬). પણ અંબાજી કહે, કે સુત કે પ્રૌઢ પ્રાસાદ, બે વરને, વત્સ, મ કરીશ વાદ. વિમલે પોતાની પત્ની શ્રીદેવીને કહ્યું, ' કહે તે સુત માગું વરલબ્ધ, કહે તે જિનપ્રાસાદ "પ્રસિદ્ધ. ' (૧૯૭), પત્ની કહે, “સુત માગે વાધે સંસાર. વળી દીકરો કલદીપક થાય કે પછી દીફર્યો કુલાંગાર થાય એ કોણ જાણે? એટલે ' વેગે કરી માગો પ્રાસાદ (૨૦૦).” અને સંવત ૧૦૮૮માં વિમલવસતિની પ્રતિષ્ઠા થઈ. “ધીરજલાલ ધનજીભાઈ શાહ: વિમલપ્રબંધ (ગુજરાતી સાહિત્ય સભા). પરમાનંદભાઈને હું મળ્યું ત્યારે અમારી ગોઠડી ચાલતી હોય ત્યાં હું ટેબલ ઉપર પડી પડી હોય તેનું સવે ક્ષણ કરું ને કોઈ પડી જોવા જેવી લાગે તે લઈ જાઉં. આમ ધીરુભાઈની ચોપડી મારા હાથમાં આવી. એટલે ૧૯૨૬માં શ્રી નગીનદાસ અમુલખરાયની પ્રેરણાથી હું જૈનસાહિત્ય જે હાથમાં આવે તે જેતે હતો ત્યારે (શ્રી મણિલાલ વ્યાસને) વિમલપ્રબંધ જોયો હતો એનું પુનર્દર્શન થયું ને ઉપલે લેખ લખવાનું બન્યું. એ તે જાણે ઠીક, પણ પરમાનંદભાઈ ઉપર ધીરુભાઈની ચેપડીનું અવલોકન કરવાને ભાર છે તેય મારે યથાશક્તિ ઉતારવો આવશ્યક છે. ધીરુભાઈએ એક તે વિમલપ્રબંધને શુદ્ધ પાઠ પાઠાન્તરસહિત ૨૩૬ પાનાંમાં આપ્યો છે ને ઉપઘાતરૂપે ૧૬૦ પાનાંને મહાનિબંધ જોડ્યા છે. તેમાં લાવણ્યસમયનું જીવન તથા કવન, વિમલનું જીવન, વિમલપ્રબંધનું મૂલ્યાંકન, સાર, સમાજદર્શન તથા ભાષાઆવા આવા વિષયની ચર્ચા કરી છે. ભાઈએ ઘણા પરિશ્રમ કર્યો છે, પણ લાવણ્યસમય વસ્તુ ઉપર નહિ પણ જૂના ગ્રંથ ઉપર આંખ ફેરવીને કાવ્ય રચે છે એ વાતનું ધ્યાન નહિ રહેવાથી સમાજનું યથાતથ દર્શન કરવામાં ભાઈને કયાંક ક્યાંક, સફળતા નથી મળી. જેમ કે, ચેથા ખંડના ત્રીસમા શ્લોકમાં સમાજની વસ્તુસ્થિતિનું વર્ણન નથી, પણ એક સંસ્કૃત સુભાષિતનું ભાષાન્તર જ છે: लालयेत् पञ्च' वर्षाणि दश वर्षाणि ताडयेत् । प्राप्ते तु षोडशे वर्षे पुत्रं मित्रं समाचरेत् ॥ વિમલને પાંચ વર્ષ પૂરાં થયે નહિ પણ પાંચમે વર્ષે નિશાળે બેસાડ્યો હતો (૪-૨૫). કન્યાવિક્રયની ‘પદ્ધતિ ચાલુ હતી’ એમ નહિ પણ કોક કોક માબાપ કન્યાવિક્રય કરતાં’ એમ કહેવું જોઈએ. ગાળ્યા વિનાનું પાણી તો જૈનેતર પણ ન વાપરે, કેમકે એમાં તે આરોગ્યની રક્ષાની વાત છે, પણ કપડાં ન ધુએ અણગળ વારિ’ (૩-૧૧૫), આવું તે એક કુમારપાળ કરતા હોય તે કરતા હોય. સુપ્રભાત શબ્દ પ્રભાતિયાંમાં વપરાય છે, અંગ્રેજના good morning અથવા આપણા રામ રામ કે જે જે પ્રમાણે નહિ (ચૂલિકા ૧૦૬). કોટિધ્વજ ધજાગરો ચડાવે ને કોટિધ્વજને પડખે રહે તેનું ઐતિહાસિક પ્રમાણ કાંઈ છે? વણિકપુત્ર વિરાટ પુરુષના હૃદયથી ઉત્પન્ન થયા એમ કહીને લાવણ્યસમયે પુરુષસૂકતમાં રમણીય સુધારો કર્યો છે ને વાણિયા ને કણબીનું માન વધાર્યું છે: વૈશ્ય હૃદય ઉત્પત્તિ વખાણ' (૨-૮૦). ભાઈએ વાણિયા ને મહેતાનું સમીકરણ કર્યું છે તે બરાબર નથી. મહેતા માનસૂચક શબ્દ છે ને એને અમુક નાત સાથે સંબંધ નથી. આજ પણ નાગરમાં ને પારસીમાં પણ મહેતા છે ને સાર્વવણિક વિદ્યાગુરુ મહેતાજી કહેવાય છે (૨-૪૭). દ્રોણ ને ધનુષનાં માપ ચાલું વ્યવહારમાંથી નહિ પણ ચોપડીઓમાંથી લીધાં છે (ઉપોદઘાત પા. ૧૨૯). આધારગ્રન્થના સંક્ષેપની ટીપ છાપવાની રહી ગઈ લાગે છે. ગાંધીજીનું નામ મેહનલાલ લખ્યું છે તે સારું ન લાગ્યું. અંતે વિમલ **મંત્રીના ચરિત્ર ઉપર ફરી આંખ ફેરવવાની તક આપી તે માટે મારે ધીરુભાઈને પાડ માનવો જોઈએ. દેસાઇ વાલજી ગેવિન્દજી ** માગણ મનવાંછિતદાતાર, કરે નિરંતર પરઉપકાર: ત્રિભુવન તેજ તપતે ધીર, પરવારીને પ્રકર્યો વીર (૮-૧૧૪). સંવત પંદર અડસઠ વડો રાસવિસ્તાર (ચૂલિકા. ૫). Page #93 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૧૧ પ્રબુદ્ધ જીવન આવા સ્વરાજ્ય માટે હું લડા ભાવિના ગર્ભમાં નજર પહોંચે છે ત્યાં સુધીમાં તો મને એમ વરતાય છે કે આપણા દેશ હવે બે ભાગમાં વહેંચાઈ જવાનો. એક બાજુ હશે સર્વસત્તાધીશ સરકારી અમલદારો, જ્યારે બીજી બાજુ હશે જેમને નાગરિક તરીકે લેખી શકાય નહિ તેવા નિ:સહાય પ્રજાજનો. સત્તાવાળાએ જુલમ કરે, કરવેરા ઉઘરાવે, બીજી પણ ખરી ખોટી રીતે પૈસા પડાવે એ બધાંને તેઓ જીવનના એક સર્વસાધારણ ક્રમ તરીકે લેખતા થઈ જશે. એ બધું તદ્ન ખરું છે, બિલકુલ વ્યાજબી છે એમ જ તેઓ માનતા હશે. હું જાણું છું કે કોઈને કંઈ કામ કરાવવું હોય તો પૈસા વેર્યા વગર તે થઈ શકે જ નહિ એમ આજે લોકો સ્વાભાવિક રીતે માનતા થઈ ગયા છે. વર્ષોનાં વર્ષો સુધી અદાલતમાં કેસ ચાલ્યો હોય તે વિષે જાણે કંઈ ન હોય. તેમ સહજભાવે લોકો વાત કરે જ છે ને કે “કેસની અમુક તારીખે મુદત પડી!” સામાન્ય માનવીની અસહાયતા જોઈ મારા મનમાં શું શું શું થઈ જાય છે, કેવા રોષ ચઢી આવે છે તે હું કહી શકતો નથી. નાતજાતની વાત કરવી એ આજે ગુના બરાબર છે. પરંતુ મને લાગે છે કે સર્વસત્તાધીશ સરકારી અફસરોના વાડા પડી જશે. આજે પણ આપણે ત્યાં પહેલાથી માંડીને ચોથા વર્ગના અધિકારીઓની શ્રેણી તે અસ્તિત્વ ધરાવે જ છે. જૂના જમાનામાં ભારતમાં વિવિધ જ્ઞાતિના લોકોને વિધ વિધ હક્કો તેમજ સત્તાઓ મળતાં. સરકારી અધિકારીઓને પણ એવી જ જાતની સત્તા તથા હક્કો મળેલાં હોય છે. આ બધાં ઉપરાંત રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તથા પ્રધાનો જેવા મહામાનવો પણ હોય છે, જેમનું વર્ચસ્વ બધા પર ચાલે છે અને કાયદા તો તેમને જાણે કોઈ સ્પર્શતા જ નથી. હમણાં કોઈક ફરિયાદ કરતું હતું કે પરદેશથી પરત આવતા લોકોને દેશના જકાતખાતા તરફથી ભારે તકલીફ વેઠવી પડે છે. પરદેશથી વસવાટ કરી વતન પાછા ફરતાં હરખ થવાને બદલે એ પ્રસંગ ઉલટો ત્રાસજનક થઈ પડે છે. ફરિયાદ સાંભળી લાગતાવળગતાં ખાતાના પ્રધાનશ્રી ધૂંવાડું'વાં થઈ ગયા હતા અને વાયુ પ્રવચન કરી તેમણે જડબેસલાટ જવાબ વાળ્યો હતો કે જકાત ખાતું જે કંઈ કાર્યવાહી કરે છે તે સૌના સારા માટે જ છે. થોડા વખત પર મારી ભત્રીજી અમેરિકાથી અહીં ભારત આવી. જકાત ખાતાએ એની શું વલે કરી છે! તેના બધા સરસામાન ફેંદી વેરવિખેર કરી નાંખ્યો. ચીજ વસ્તુ પાછી પેટીઓમાં ભરવાની તો કોઈને પડી જ ન હતી. બિચારીની આંખે પાણી આવી ગયાં. એકલા હાથે તેને ચીજવસ્તુઓ ફરી ગોઠવીને મૂકવી પડેલી. જકાત ખાતાના કોઈ પણ માણસને ઉતારુના સામાન એવી રીતે તપાસવાની સત્તા ન હોવી જોઈએ. હું મુંબઈમાં રાજ્યપાલના પદે હતા ત્યારે આ જ છોકરી પરદેશથી ભારત પાછી આવી હતી અને ત્યારે તેને લેવા હું હવાઈ મથકે ગયા હતા. તે વેળાએ એને કશી તકલીફ નહાતી નડી. જકાતવાળાએ રાજ્યપાલને જોયા એટલે તે માલસામાન લાવેલી તેની યાદી જકાત અધિકારીએ તરત માન્ય રાખી અને જે કંઈ જકાત લેવાની થતી હતી તે વસુલ કરી લીધી. પરંતુ આ વખતે એવા કોઈ અધિકારી આ છોકરીને લેવા આવેલા ન હતા. એટલે જકાતવાળાઓએ તે તેના બાર વગાડી દીધા. સંબંધ ધરાવતા પ્રધાનશ્રીને આ બનાવમાંથી ચાહે તેટલા આત્મસંતોષ મેળવવાની છૂટ છે. મારા પૂજ્ય પિતાશ્રી તથા પ્રિય પુત્રના દુ:ખદ અવસાન થવાથી, હું રાજ્યપાલ હતા તે દરમ્યાન, મારે સંપત્તિવેરા ખાતાના અમલદારો સાથે કર્મસંજોગે કામ પાડવું પડયું હતું. મને બધી જાતની નહાતા! સગવડ કરી દેવામાં આવી હતી. સઘળાં રિટર્ન સ્વીકારી લેવામાં આવ્યા અને જે વેરો ભરવાના થતા હતા તે મે ભરી દીધા. હતા. એ રીતે આ દુ:ખદ કાર્ય માટે માત્ર થોડાંક જ અઠવાડિયામાં પતી ગયું હતું. ગવર્નરપદેથી હું ફારેગ થયા ત્યાર બાદ, મારો એક પિતરાઈ ગુજરી જતાં. વળી એની એ જ સંપત્તિ માટે મે સંપત્તિવેરાને લગતા ખાતા માટે રિટર્ન ભરી માલ્યાં. આંકડાઓ તો બધા અગાઉની માફક જ હતા, છતાં સત્તાવાળાઓ તે કેમે ય ન માને, એ આંકડાઓ સ્વીકારાવતા અમારા પરિવારને જે મુશ્કેલી પડી છે તેની વાત ન પૂછે. અગાઉ હું ગવર્નર હતા ત્યારે વારસા ર્સિટફિકેટ મેળવવામાં મને જરાય મુશ્કેલી નડી ન હતી, જ્યારે હવે તકલીફોનો કંઈ પાર ન હતો. કેસના નિકાલ લાવવાને બદલે ન્યાયાધીશ નિયત સમય કરતાં અદાલત વહેલી બરખાસ્ત કરી દે, અને કેસની મુદત પડે મહિનાઓ પછીની. આ કિસ્સામાં અમારે ભારે વ્યાજ ભરીને એક લાખ રૂપિયા રીતસર ઉછીના લેવા પડેલા, કારણ થાડા અઠવાડિયામાં પતવાને બદલે આ કેસ વર્ષથી પણ વધારે વખત ચાલ્યા. કેસની વિધિ પતાવવા પાછળ પૈસા તો ખરચવા જ પડે ને! તે સિવાય સંપત્તિવેરો ભર્યાનું સર્ટિફિકેટ મળે નહિ, સંપત્તિવેરાવાળાઓએ કંઈ કેટલીક વાર દોડાવ્યા. સંપત્તિ વેરા તરીકે રૂા. ૫૦ હજાર ચૂકવ્યા બાદ બીજા દસ હજાર રૂપિયા વારસા સર્ટિફિકેટ મેળવવા પાછળ ખર્ચાયા. ઉપરાંત બીજો પણ કેટલાક ખર્ચ થયો. કારણ કે, મરનારની મિલકત અમારા હાથમાં ન હતી. એ કંઈક અચાનક ગુજરી ગયેલા. વારસાનાનું કંઈ ભરેલું નહિ. વારસા સર્ટિફિકેટ વગર નાણાં ધીરવા બેન્કો તૈયાર નહતી. સંપત્તિવેરો ભર્યાનું પ્રમાણપત્ર મળે તો જ વારસા સર્ટિફિકેટ મળે તેમ હતું. પણ સંપત્તિવેરાને લગતા ખાતાના અધિકારી કોઈ રીતે સંતોષાય એમ ન હતું. પછી વારો આવ્ય. વીમાના પૈસા મેળવવાના. મારા સદ્ગત પિતરાઈએ પોતાના વીમે ઉતરાવ્યા હતા. વીમાવાળા લોકોએ પણ વારસા સર્ટિફિકેટ હોવું જ જોઈએ તેવા આગ્રહ રાખ્યો; કારણ મરનારું જવાન પોતાના મૃત્યુ બાદ પોલીસીના નાણાં કોને મળે તેની નોંધ પોલીસીમાં કરાવવાનું ભૂલી ગયેલા. આખરે વારસા સર્ટિફિકેટ તો મળ્યું, પણ વીમાવાળાઓએ જે ચેક મોકલ્યો તેનાં નાણાં ચૂકવવા સ્ટેટ બેન્ક તૈયાર ન હતી. કહે કે ચેક પર સહી કરવાના મને હક્ક જ નથી. એટલે વળી પાછા પત્રવ્યવહાર ચાલ્યો. પછી વીમાની રકમ અમારે ત્યાં હાથ આવી અને એમ દેવું ચૂકવ્યું. પોમા કંપનીના વહીવટ જો ખાનગી માલિકીના હસ્તક હોત તો ઉપર જણાવ્યા મુજબનો ચેક આપવા બદલ તેના પર કંઈ ન વીતત. પણ અત્યારે તો વીમા કંપનીના વહીવટ જાહેર ક્ષેત્ર કરે છે એટલે આ બધું ચાલે છે. ધી લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન વ ૩૮ કરોડ રૂપિયાનો નફો બતાવે છે. સંભવ છે કે તેને કંઈ કરવેરા ભરવા પડતા નહિ હોય.. ‘જીવન દીપ’નાં મકાનોનું ઉદ્ઘાટન કરતી વખતે આપણા સદ ્ ગત વડા પ્રધાન તેમ જ અન્ય પ્રધાનોએ આ કોર્પોરેશનના વહીવટકર્તાઓની પ્રશંસા કરવામાં કંઈ મણા રાખી નહોતી. પરંતુ નાણાં ચૂકવવામાં ઢીલ કેમ થાય છે, ચેકો અપાય છે તે સ્વીકારાતા કેમ નથી તથા વીમાનાં નાણાં મેળવવાની કાર્યવાહી ઘણી મુશ્કેલ તથા ખર્ચાળ હોઈ કેટલીય પેાલીસીના નાણાં પગાર થયા વગર વીમા કોર્પોરેશનમાં જ કેવી રીતે રહી જાય છે—આ બધું કોઈને પૂછવાનું સૂઝતું નથી. વીમા કોર્પોરેશનના અધિકારીઓને સૂઝતું નથી કે વીમા ઉતરાવનાર પ્રત્યેક વ્યકિત પોતાની હયાતી બાદ વીમાનાં નાણાં કોને Page #94 -------------------------------------------------------------------------- ________________ ८ પ્રબુદ્ધ જીવન મળે તે અંગે પોલીસીમાં અચૂક નોંધ કરાવે એ તેણે જોવું જ રહ્યું, જેથી આગળ ઉપર કોઈ તકલીફ ન થાય. ચૂકવવાના થતાં નાણાં સત્વર પગાર કરવાની એમની ફરજ છે એ તે તેમને ખ્યાલમાં જ આવતું નથી. ૩૮ કરોડ રૂપિયાના જંગી તફાથી સરકાર ભલે રાજી થાય, પણ જેમની દશા કફોડી થઈ હોય તેઓને એનાથી શું હરખ થાય? અત્રે મને કાશા વિદ્યાપીઠના એક આચાર્યના જૂના જમાનાના એક કિસ્સો યાદ આવે છે. એ આચાર્યનું અચાનક અને અકાળે અવસાન થયું. એણે રૂ. ૨૦૦૦નો વીમો ઉતરાવેલા, એના નાણાં ચૂકવવા વીમા કંપનીવાળા ખુદ બનારસ આવેલા અને મેં મરનારનાં પત્ની આ જ બાઈ છેએ જાતની ઓળખ આપી તેટલા પરથી તેમણે ત્યાં ને ત્યાં જ એ બાઈને વીમાની રકમ ચૂકવી દીધી. પરંતુ આ જગાએ જો વાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન પાસેથી નાણાં લેવાનાં હોત તે વીમાની રકમ કોર્પોરેશન પાસે જ રહી જાત, કારણ, વારસા સર્ટિફિકેટ મેળવવા પાછળ તેને વીમાની રકમ કરતાં વધારે નહિ તો એટલાં નાણાં તે ખર્ચવા જ પડત. સરકારી કર્મચારીઓમાં નાનેથી માંડીને છેક મેટા સુધીના સૌ કોઈને હક્કો હોય છે, અમુક નિશ્ચિતપણુ હોય છે, પરંતુ ફરજ તા તેમને કશી બજાવવાની હોતી જ નથી. ઈચ્છા ન હોય અને ફરજ ન બજાવે તો ય ચાલે છે, એને કોઈ કંઈ પૂછી શકતું નથી. પૂછવાની કોઈ હિંમત કરે તા એ કહેશે કે હું આ ચાલ્યા હડતાળ પર. આવકવેરો ભરવાને પાત્ર હોય એવી વ્યકિતએ નોટીસ મળતાં જ ટેંકસ ગમે તેટલા હોય તે પણ તે તરત ભરી દેવા પડે છે. પણ આવકવેરા ખાતાના અધિકારીએ વર્ષો સુધી કેસ ન પતાવે તેનું કંઈ નહિ. શિક્ષાની ધાક આપી સઘળી જાતના વેરા વસુલ કરી શકાય છે, કરવામાં આવે છે, પરંતુ સામાન્ય નાગરિકોને રાહત તે કશી જ મળતી નથી. કંઈ ફરિયાદ હોય તો કોર્ટે જઈ શકો છે એમ એને કહેવામાં આવે છે. કેમ જાણે અદાલતે જવાનું કામ સાવ આસાન ન હોય ! વિધાનસભામાં ખુદ સરકાર તરફથી કરવામાં આવેલાં નિવે દના અનુસાર પોસ્ટ ઓફ્સિની સેવિંગ્સ બેન્કનાં ખાતાઓમાં બાર કરોડ રૂપિયા એવા છે કે જે કોના જન્મે છે તે કળી શકાયું નથી. કોઈ પણ પ્રતિષ્ઠિત શરાફ કોને કેટલા પૈસા ચૂકવવાના છે તે શોધી કાઢતા હોય છે, પણ સરકારને તે જાણૅ એવી કોઈ ફરજ નથી, ફરજ બધી આમ જનતાના ભાગે આવેલી છે, હક્કો એને કશા નથી. સમાજવાદી સમાજરચનાનો પ્રચાર કરનારાએ તથા માનવી માનવી વચ્ચે પોતે સમાનતા સ્થાપી રહ્યા છે એવા દાવા કરનારાએ યોગ્ય પ્રકારના ચશ્મા ચઢાવી જોઈ લે કે ખરી પરિસ્થિતિ કેવી છે ! પચાસ પચાસ વર્ષના જાહેર જીવન બાદ આજે જ્યારે હું જોઉં છું કે સામાન્ય માનવીની કેવી અવદશા થયેલી છે, અને સરકારી કર્મચારીઓને કેવી કેવી સત્તાએ આપવામાં આવેલી છે ત્યારે મારું દુ:ખ અતિ તીવ્ર બની જાય છે. આવું સ્વરાજ્ય મેળવવા હું ઝુમ્યા ન હતા. દુખિયારા મારા આ દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તે જોવા હું જીવતો રહ્યો છું એ બદલ મને ગ્લાનિ નિપજે છે. રાજકર્તાઓને માટે એટલું જ કહેવાનું છે કે જેમણે આત્મસન્માન પુરેપુરું ગુમાવેલું છે, લાંચ લેવી ને દેવી તેને જે સાધારણ જીવનક્રમ લેખે છે તથા જેઓ એવી માન્યતા સેવતા થઈ ગયા છે કે કાં તો આપણે સરકારમાં દાખલ થઈ બેજવાબદાર સત્તા ભોગવવી અથવા શોષણખોરી તથા હીનવાને ભાગ બનેલાઓના વર્ગમાં ભળી જવું. એવા લોકો પર રાજ્ય ચલાવવામાં ય શા સ્વાદ છે ? (ગુજરાતી ડાયજેસ્ટ ) શ્રીપ્રકાશ તા. ૧-૫-૬ 8 મહાપ્રસ્થાનના પથ પર : ૯ બીજે દિવસે પાછો રસ્તો કાપવા શરૂ કર્યો. બ્રહ્મચારી ચાલતો હતા. અઘારબાબુ આગળ જતા હતા. એમની સાસુ ને પત્ની પણ ધીમે ધીમે ચાલતાં હતાં. અમારી મૈત્રી અને આત્મીયતા ગાઢ બનતી જતી હતી. અધારબાબુ પણ ખૂબ આનંદમાં હતાં, ને એમની પત્ની જાણે મારી મોટી બહેન હોય એમ વ્યવહાર કરતી હતી. એની આંખમાં ને મુખપર સ્નેહભર્યું હાસ્ય હતું. વાતચીતમાં આત્મીયતા હતી. બન્ને હાથમાં ભાઈની સેવા ને કાળજી હતાં. એના સાથમાં કોઈને પણ સૌભાગ્યનો અનુભવ થાય. છતોલી અને મચટ્ટી પાર કરીને મધ્યાહ્નના તડકામાં થાકેલા એવા અમે તે દિવસે રામપુર ચટ્ટીમાં આવી પહોંચ્યા. પણ એકાએક આપત્તિ આવી ચઢી. અધર બાબુના સાસુના પગમાં એક મોટા ફોલ્લા ઉપસી આવ્યો હતો. એને ચાલતાં બહુ જ કષ્ટ થતું હતું. બધા જ ખૂબ મૂંઝાયા. આ બાજુ એક બીજી આફત આવી ચઢી. બ્રહ્મચારી ને અધારબાબુ નીચે ઊભેલા હતા. ત્યાં વાતા કરતા એકદમ ઝઘડી પડયા. વાતો કરતાં કરતાં અધારબાબુએ બ્રહ્મચારીની તરફ કાંઈ વ્યકિતગત કટાક્ષ કર્યો. બ્રહ્મચારી આમ તો આળસુ હતો ને આરામપ્રિય હતા. જમવા સિવાય એ ભાગ્યે જ દેખાતા હોય. બ્રહ્મચારીના સ્વમાનને આઘાત લાગ્યો. એણે ક્રોધમાં કહ્યું, “હું કોઈની પરવા કરતો નથી સમજ્યા! તમે મને ખાવાનું આપે છે, તેનો અર્થ એ નહિ, કે તમને મારું અપમાન કરવાના હકક મળી ગયો છે.” અઘારબાબુએ કહ્યું, “તમારા જેવા તો બહુ જોઈ નાખ્યા.” એટલે બ્રહ્મચારી ચાલી જવાને તત્પર થયો. ભગવાનમાં એને પૂર વિશ્વાસ છે, એટલે એને તો ભગવાન સંભાળી લેશે, એમ કહીને એ પાતાનાં ગાંસડાં પોટલાં બાંધવા લાગ્યો. મારે પણ જવું જ પડશે. એક તો રાજ આટલો રસ્તો કાપવા એ મારાથી બને એમ નહોતું. બીજું, બ્રહ્મચારીને છોડી જવા એ પણ મારે મન મુશ્કેલ હતું. રાંધવા કરવાનું મેં પતાવ્યું હતું. બ્રહ્મચારીએ આજે ખાવાની ના કહી, નીચેના દુકાનવાળાને ત્યાંથી લાટ લઈને અને પાણીમાં મેળવીને એણે ખાઈ લીધો ને બોલ્યો, “હું તમારી રાહ જોઉં છું. તમે તમારું કામ પતાવી લા, નિહ તો દાદા આગળ ચાલો, શું કહે છે ?” મને લાગ્યું, કે અહીં એક ક્ષણ પણ એ રહેવા ઈચ્છતો નથી. ક્રોધથી એ કાંપતા હતો. મેં કહ્યું “જેમ સગવડ હોય એમ કરીએ.” એ ધામ ધખતો કઠોર દિવસ આજે પણ મને બરાબર સાંભર છે. ભાજન વગેરેથી પરવારી નિરૂપાય થઈને હું વિદાય લેવા ગયા. અધેરબાબુએ દુ:ખી થઈને કહ્યું, “તમે જો અમારી સાથે હો તો અમને ખૂબ આનંદ આવે. એ જાય છે તો એને જવા દો, જો કે, તમારે ઉતાવળ છે એ ખરું. શું કરીએ તમે જ કહો, એમને માટે આસ્તે આસ્તે....” મા અને દીકરીની પાસે વિદાય લેવા ગયો, જરા અંદર જઈને જોયું, તો તેઓ ભાત પીરસીને બેઠાં જ હતાં. સહેજ અડકતા પણ નહોતા. છેકરીએ કહ્યું, “તમે ચાલી જાઓ છે, તેથી માનાં આંસું તે સૂકાતાં નથી.” ‘“કેમ ?” “કેમ” એમ કહીને એણે પણ મોઢું ઊંચું કર્યું ને મારી તરફ જોયું. મારી તો એની તરફ્ જેવાય એવી દશા હતી જ નહિ. મેં કહ્યું, “તમે જ કહો હું શું કરૂ? મારે જવાની ઉતાવળ તો છેજ. પાછું તમને કયારેક મળવાનું થાય....... દીકરીની આંખમાં હવે આંસું સમાઈ શકયાં નહિ. એમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. એણે રડતે અવાજે કહ્યું, “મારે એકનો Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન E એક નાને ભાઈ હતું, તે તમારા જેવા જ હતે. એ આજે નથી. મા, છોકરા જોડે તમે જ વાત કરો.” માએ મોટું ઊંચું કરીને મારી સામે જોયું. એના કંઠમાં ને આચારમાં એક પ્રકારની જડતા મને દેખાઈ. મેં કહ્યું, “તમારું સરનામું આપે. જો કયારેક હું બંગાળ પાછા ફરે ......” “સરનામું તે આપવા જેવું છે નહિ. ભાઈ.” રાધારાણીએ જવાબ આપ્યો. ફરીથી આશ્ચર્યચકિત થઈને મેં પૂછ્યું “એમ કેમ?” અફટ સ્વરથી મા બોલી.” “જવા દે, તું જ સરનામું આપ રાધારાણી. ગમે તેટલું અનુચિત હોય પણ આખરે તે આપણે માબેન.” * આ બધા નાટક માટે મને વખત નહોતે. “વારૂ, તો રહેવા દો.” એમ કહીને નીચા વળીને નમસ્કાર કરવા પ્રયત્ન કરતા હતા, ત્યાં અઘોરબાબુની પત્નીએ મારો હાથ પકડ્યો. એણે મને કહ્યું, “મારાથી કહી શકાય એમ નથી. સ્ત્રીના અપમાનની વાત મોઢેથી નીકળતી નથી. તે એ તમારી આગળ કશું છુપાવવાનું નથી, નહિ તે અમારી બદરીનાથની યાત્રા ફોકટ જાય.” - અમે બધાએ એકબીજાના મોઢા સામે જોયું. મા અને દીકરીએ માથું નીચું ઢાળી દીધું, અને નીચે મોઢે જ અઘેરબાબુની પત્નીએ સજલનયને મને કહ્યું, “હું તમારી મોટી બહેન છું, પણ હું એ માનને લાયક નથી. મારે જાતધર્મ નથી. હું... હું વેશ્યા છું.” વેશ્યા! મારા બન્ને કાનમાં ઝણઝણાટી થઈ આવી. મેં કહ્યું, “શું કહે છે?” - કાંઈ જવાબ નહોતે. પણ જવાબ સાંભળતાં પૂર્વે જ, કોઈ વિચિત્ર ઉશ્કેરાટથી પ્રેરાઈ એ ઓર છોડીને પથ્થર એળંગીને હું કેવી રીતે રસ્તા પર આવી પડયો ને રસ્તે ચાલવા માંડયું, તેનું તે આજે પણ બહુ સ્પષ્ટ ચિત્ર મારી આંખ આગળ રમે છે. હું કાંઈ મટે નીતિને આગ્રહીં નથી. વેશ્યાને એ વેશ્યા છે એવું જાણતાં જ ભાગવા માંડું એમાંને હું નથી. સાહિત્યકારને આવશ્યક એવી ઉદારતા મારામાં પણ કાંઈ કમ નથી. પણ એ કે આકસ્મિક આઘાત હતો. મારા સમગ્ર જીવનમાં ધ્યાન ધારણા અને બુદ્ધિવિચારની ઉપર કોઈએ જાણે એક ચાબૂકને ફટકો લગાવ્યું. ખેડંગાતે પગ, ભાંગેલું શરીર, કાંધ પર ભાર, માથા પર સૂર્યની અગ્નિવૃષ્ટિ, પથરા ને કાંકરાવાળે ઊંચનીચે રસ્તે, સૂકાનું ગળુ, તોયે માઈલ સુધી હું ઝડપથી જતો હતો. કયાં ગયો બ્રહ્મચારી? એનું કયાંય નામનિશાન નહોતું. તે દિવસે શા માટે હું દેડી ગયું હતું, શા માટે નિશ્વાસ અંદર અંદર જ શમાવતો હતો, તે તે આજે પણ મારી આગળ વિસ્મયકર સ્થિતિ બની રહી છે. જીવ લઈને હું ભાગી છૂટયો હતો. મારા મનમાં થયું, પૃથ્વીના તેજ ને વાયુવિહીન કારાગારમાં હું બંદી હતા. હું જાણે રઘવાયો થઈ ગયો હતો. - ગળે ને સામાન એક જગ્યાએ રાખીને હું બેસી પડશે. પણ હવે તે બેસવાની જરાય શકિત રહી નહોતી. હું આડો પડીને સૂઈ 'ગ. જાણે ઉઠવું જ નહોતું. આ બધી જવાળાને અંતે જાણે શાંત મૃત્યુ આવવાનું હોય! કયાંય છાયા મહોતી, “મઢાની ઉપર સૂર્ય જાણે સળંગતા હતા. પાણી નહોતું. અંદરથી જાણે હાહાકાર ઊઠતો હતો. પણ આ તે કેવી અશાંતિ, કેવી ચંચળતા! મારું દુર્બળ ચિત્ત આજના બનાવને મનમાં સ્વીકારવા ઈચ્છતું નહોતું. આ શું સાચું હતું? શ્રદ્ધા અને સન્માનથી તેની પૂજા કરતો હતો, તે પ્રતિમા આજે ભાંગીને ભૂક્કો થઈને ધૂળમાં મળી ગઈ હતી. હે સત્યનારાયણ સૂર્યદેવ! તમે તે જાણે છે, કે એનામાં જરા જેટલી પણ મલીનતા નથી. ચત્નથી, સ્નેહથી, દાક્ષિણ્યથી, અને વ્યવહારમાં તે કોઈ ગૃહસ્થ ઘરની છોકરીથી કમ નહોતી, તો પણ એણે પોતાને - પરિચય વેશ્યાં કહીને શા માટે આપે? એનામાં જરાય છેતરપિંડી નથી, મોહજાળ નથી, લાલસાને કોઈ અસંસ્કારી ઈશારો નથી. એ તે જગતમાં કોઈનાથી હીન નહોતી, અયોગ્ય સ્ત્રી નહોતી. હે સૂર્યદેવ તમે કહી દે, તમે આજે જ કહી દો, રાધારાણી શું વેશ્યા છે? બપોર ઢળતાં તડકો ઓછા થયે હતે. સૂતાં સૂતાં સહાય અસ્થિરતાથી પેટમાં ગડગડ થવા લાગ્યું ને ઊલટી પણ થઈ ગઈ. તો પણ ધૂળમાં ને રેતીમાં ઊલટીને આંખમાં આંસુથી ધોઈ, ને જાણે કાંઈ થયું નથી એ ચહેરા કરીને, ઊઠીને મેં પાછું ચાલવા માંડયું. કોઈ અણજાણ મુનિના મંદિરને તથા સૌરી ચટ્ટીને હું વટાવી ગયે. ધીમે ધીમે સંધ્યા પ્રસરવા લાગી. રસ્તામાં કોઈ સાથી મળશે એમ લાગતું નહોતું. આકાશમાં ચંદ્ર પ્રગટવાની તૈયારી હતી. પણ જોતજોતામાં વાદળો છવાઈ ગયાં. ઠંડી હવા પ્રસરવા લાગી. મનમાં આશા હતી કે ચન્દ્રાપુરી ચટ્ટીમાં આજે હું સાજો સારે જઈ રહીશ. શરીર દુર્બળ હતું, પવનથી એ જાણે ઝેલા લેતું હતું. - ચારેબાજ ઘેરો અંધકાર છવાઈ ગયો. ઊંઘને લીધે જાણે રસ્તો ભૂલ્યો હોઉં એમ લાગતું હતું. પથની રેખા ઘેડે દૂર સુધી દેખાતી હતી. તે પછી બધું જ અદશ્ય હતું. કયાં ગયો બ્રહ્મચારી? હવે સાહસ રહ્યું નહોતું, ઉપર મેઘથી છવાયેલા આકાશમાં ચન્દ્રનું અજવાળું સંતાઈ ગયું હતું, ફકત અંધકારમાં. મેં ક્યારેય..રસ્તો કાપ્ય નહોતે, ડાબી તરફ નીચે વનથી વીંટળાયલી.નદી કલકલ વહેતી હતી, દક્ષિણમાં ને માથાની ઉપર પહાડના પહાડ અંધકારથી ઢંકાયેલા હતાં, શરીરકંપવા લાગ્યું. મારાં પોતાનાં પગ વિષે મને જ આશ્ચર્ય થતું હતું. લાઠી ઉપર જોર દેવાનું સાહસ રહ્યું નહોતું. શરીરે પરસેવો છૂટ હ. પગ કાપતા હતા. ' , ' , " , આ શું? એ કયાં છે? નદી આગળથી રસ્તે કયાં લુપ્ત થઈ ગયો? મંદાકિની ને ચન્દ્રા નદીના સંગમ હતો. પણ માર જ કઈ તરફ ? ભયાનક ગર્જનાથી નદી હુ હુ કરતી વહેતી હતી, જોતઃ જોતામાં રસ્તાનું નિશાન લોપ થઈ ગયું. મને થયું કે મોઢામાંથી કોઈ શબ્દ બહાર નીકળે. પણ જાણે મેટું કોઈ બીજાનું જ હોય એમ લાગતું હતું. શરીર કાંપતું હતું. શરીરનું લેહી બીકથી પ્રતિક્ષણ વેગથી વહેતું હતું. ગળું સૂકાઈને લાકડા જેવું થઈ ગયું હતું. મારાં બે ઘૂંટણ જાણે મારા જ ન હોય એમ લાગતું હતું. કેવળ દશ વર્ષના બાળકની જેમ, નિ:સહાય બનીને, આ રસ્તાની વાવ ઊભા રહીને હું આંસુ વર્ષાવતો હતો. મારી દષ્ટિ ઝાંખી બની ગઈ હતી. આ રીતે જંગલી પશુઓવાળા જંગલમાં, નદીની વચમાં, અસહાય બનીને મરવાની મારી જરાય ઈચ્છા નહોતી. દુ:ખમાં ભગવાનને સંભારવાનું પણ હું ભૂલી ગયો હતો અને આ જીવન તુચ્છ છે એ વાત પણ ભૂલી ગયા. સાચે ભય જે દિવસે સામે આવીને ઊભા રહે, ત્યારે સમજાય કે આ જીવનને આપણે કેવું દઢ બંધનમાં બાંધી રાખ્યું છે. હાય રે સન્યાસ - હાય રે નિષ્ફળ વૈરાગ્ય ! કૌન હય ?” “ ' . ' , ' ' - એકદમ બીકથી ને કાંઈ અવનવું બનશે એમ માનીને હુ કાંપી ઊઠો. આ અકસ્માત કોઈ માનવીના અવાજથી છાતી ધડક ધડક થવા લાગી. એક છાયામૂર્તિ પાસે આવીને ઊભી રહી, લાઠી જોરથી ઠોકવા કોશિષ કરી, પણ હાથમાં લાઠી ઢીલી પડી ગઈ. એના શ્વાસને શબ્દ સાંભળીને ખાતરી તે થઈ કે એ માણસ જ છે. મેં કાંપતા અવાજે પૂછયું “તુમ કૌન હય?” ',' '' . ' “ી જનાના.” . . . . . . . . . " , " , . . ', સ્ત્રી ! અંધારામાં એની પાસે જઈને એને જેવાને મેં પ્રયત્ન “કર્યો. ધીરે ધીરે લાઠી ઉપર હું જોર. દઈ શકો. ઠીક ઊભા રહેવાયું. કોણ કહે છે કે હું ગભરાઈ ઊઠો છું? હું જેટલું જોઈ શક્યો તે પરથી એટલું તે માલમ પડયું કે સ્ત્રી- પહાડી છે, ઉમરે પણ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧e પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-૧૬ ઘણી નથી, ગળામાં ઘણી બધી રૂદ્રાક્ષની માળા હતી, માથા પર જટા હતી, કપડાં ગેરૂઆ રંગના હોય એમ લાગ્યું, બે હાથમાં ફટૂલ ને રૂદ્રાક્ષનાં ઘરેણાં હતાં, ડાબા હાથમાં કમંડળ ને જમણા હાથમાં એક શીંગડા જેવું હતું. ઉઘાડા પગ હતા. એ સ્ત્રી ચંચલ અને આશ્ચર્ય લાગી. “કયા દેખતા હૈ સાધુજી?” “તુમ જનાના હૈ?” “જી, યહાં કયાં ખડા હુઆ હૈ? કહાં જાઓગે?” “ચન્દ્રાપુરી જાના. રાસ્તા છૂટ ગયા.” અચ્છા પરદેશી ! આઓ મેરી સાથ બતલાતી હું.” એમ કહીને ભૈરવી આગળ ચાલી, પણ એને રસ્તે કાંઈ સ્પષ્ટ આંકેલે નહોતે. એ વાંકીચૂંકી ચાલતી નદીના તટપરથી વળાંક લેતી નદીના પાણીની તરફ તે ઉતરતી હતી. મને આશ્ચર્ય થયું કે એને નહોતી કોઈ રૂકાવટ, નહોતી કોઈ આફત. જાણે એ પોતાના ઘરના આંગણમાં જતી હોય એમ ચાલતી હતી. એ તે સડસડાટ હસતી કૂદતી રમતી, નાચતી આનંદથી ચાલતી હતી. એની પાછળ બેસતાં બેસતાં ઢાળ ઉતરતે, ઉતરતો બહુ સાવધાનીથી ને ડગલે ડગલું જોઈ વિચારીને મૂકતે હું ચાલતો હતો. ઘણું ઉતરીને બાકી થોડું રહ્યું ત્યાં તે નદીના કિનારા આગળ એ કૂદી પડી. એનામાં લેહીને પ્રબળ આવેગ હતે. એને પ્રાણ તે જાણે અત્યંત અધીર હતે, જાણે નદીની જ પ્રતિમૂર્તિ ન હોય! એ ત્રણ મિનિટમાં ઉતરી, ત્યારે મને લાગી દશ મિનિટ. નદી આગળ ઉતરીને બન્ને જણ ચાલીને નદી આગળ ગયા, ને નદી પાર કરીને સામે કિનારે આવ્યા. એ આગળ આગળ જતી હતી, હુ પાછળ પાછળ. પાસે જ રણું વહેતું હતું, એની પાસે મને લઈ જઈને આઘેથી જ ચન્દ્રાપુરીને રસ્તો બતાવીને એણે વિદાય માગી. એને વિદાય તે આપવાની જ હતી, પરંતુ આટલી વારમાં મારી ચમક ભાંગી ગઈ. ઝરણાંને કાંઠે ઊભે રહીને આ આકસ્મિક આવી ચઢેલી કપાલકુંડલાની તરફ જોઈને મેં પૂછ્યું, “તુમ્હારા ઘર કહાં ?” - “બહુત દૂર યહાંસે. ચલતી હું, જા તુમ, આરામ કરો.” કહીને એ નદીના પથરાળા માર્ગે ઝડપથી ચાલવા લાગી. ચારેબાજુ ઘેરો કાળા અંધકાર હતો, કાળી પર્વતરાજી, એની ગંભીર ગુફામાંથી ઉન્માદિની ચંદ્રાને પ્રવાહ ખૂબ વેગથી ધસી આવતો હતો. એ નદીને વાટીને પેલી રહસ્યમયી સુંદરી થોડે દૂર ગઈ, નિશીથના અંચલામાં અદશ્ય થઈ ગઈ. ક્યાં હશે એનું ઘર, કેટલું દૂર, કેવા ગંભીર ને ઊંડાણભર્યા વનમાં? કોણ જાણે? વગરબાભે સ્થિર દષ્ટિથી ફકત એ દિશા તરફ જ કેટલીય વાર સુધી હું જોઈ રહ્યો. એ વિચિત્ર પ્રસંગ આજે તે મને પિતાને યે સ્વપ્ન જેવું લાગે છે. ચન્દ્રાપુરી, પહોંચીને ગોપાલદા તથા બ્રહ્મચારીને પાછા ભેટ થશે. લાંબા વિરહ પછી એ મિલન થયું હતું. હાશ, મારું ભલે બધું ય જાય, પણ ગોપાલદા ને બ્રહ્મચારીને હું છોડી નહિ શકું. જમ્યા ર્યા પછી ગાંજાની અસરમાં એ હતા, ત્યારે મેં મારે આ અનન્ય અનુભવ કહ્યો. પણ એવામાં તે એથી નાનું નવું નાટક થયું. એક વાર મારે નાસ્તિક, અને પરિત્યકત લેખે તિરસ્કાર થયો હતો. મારી વાત સાંભળીને ડોશીઓનું ટોળું એકાએક મારી પાસે આદરથી આવ્યું ને કહેવા લાગ્યું. “એ ભાઈ; માણસના વેષમાં મહાપુરુષ તમે કોણ છે? અમે પાપી, અધમ, જયારે તમારા જેવા પુણ્યશાળીને - જ, આ ભગવતીએ દર્શન દીધાં, હે ભાઈ ! એ કઈ તરફ ગયાં, : યે રસ્તે? તમે એમને પકડી કેમ ન રાખ્યા ભાઈ ! તમે તે પુય શાળી પુરુષ છે, અમારો ગુને મનમાં ન લાવશે ભાઈ! તમને અમે આટલા દિવસ સુધી......” A. હસવું દબાવીને આંખ બંધ કરીને બેઠો હતો. હવે બે હાથ પહોળા કરીને જાણે એમને અભયનું વરદાન આપતે હોઉં તેમ દેવ બોલતા હોય એવા અવાજે મેં કહ્યું, “સંભવામિ યુગે યુગે.” ચારુની માએ હસીને મારી ચરણરજ પોતાને માથે લીધી. સમતલ રસ્તો હોવાથી જંગલમાંથી મીરાચટ્ટી અમે પસાર કરી, રૂદ્રપ્રયાગથી અલકનંદાને વિદાય આપીને હવે અમે મંદાકિનીને પકડી હતી. મંદાકિનીને પેલે કિનારે ભીમસેન અને બલરામનું મંદિર અમે વટાવ્યું. તે પછી આવ્યું કુંડચટ્ટી. અહીંથી કેદારનાથને બરફ દેખાવા માંડયો, બરફનાં શિખરવાળા હિમાલય, સૂર્યના કિરણોમાં નહાતી, દૂધ જેવી સફેદ પર્વતમાળા, એના રંગની ઉજજવળતા રોમાંચકર હતી, એનું રૂપ નયનાભિરામ હતું. ત્યાંથી પાછું ચઢાણ શરૂ થતું હતું. એ જ ચઢતાં પ્રાણ નીકળી જાય એવો રસ્તો ને કીડીની જેવી ધીમી ગતિ. થેડાં પગલાં ચાલુ, પાછા ઊભે રહું. કોઈ અર્ધબેભાન યાત્રીના મેઢામાં થોડું પાણી રેડું, થોડું પાણી હું પણ પીઉં, ને પાછો થોડું આગળ ચાલે. એમ કરતાં કરતાં ગુપ્તકાશીની ધર્મશાળામાં આવી પહોંચ્યો. બહુ નાનું શહેર છે. એમાં પંદરથી વીશ ધર્મશાળાઓ હશે. થેડી દુકાને, વિશ્વેશ્વરનું પ્રાચીન મંદિર, દૂર એક ટપાલ ઓફિસ ને સામે જ બરફથી છવાયેલે પર્વત. આકાશ વાદળાંએથી ઘેરાયેલું હતું, કયાંય કયાંય થોડું ધુમ્મસ છવાયેલું હતું. નીચે પર્વતની તળેટીમાં નાનાશાં ગામડાં હતાં. એમાં સામાન્ય વસતિ, ધર્મશાળામાં સારી પેઠે સજાલી ને સુવ્યવસ્થિત હતી. આટલા દિવસે અમે ઠંડીથી કંપવા મંડયા. હવે અમે ઠંડકના આંગણામાં આવ્યા હતા. વસન્ત સમય પૂરો થવા આવ્યો હતો. બરફના સાનિધ્યમાં હતાં. અહીં જ ગોમુખી ધારા હતી. મણિકણિકા કૂંડમાં સ્નાન અને ગુપ્તદાનનું માહાભ્ય હતું. રસ્તા ઉપરથી ગુપ્તકાશીનું રૂપ સુંદર લાગતું હતું. દૂર ઉખીમઠ શહેર છબીના જેવું દેખાતું હતું. શિયાળાના વખતમાં આ આખો રસ્તો ને શહેર બરફથી છવાઈ જાય. મનુષ્ય અને જનાવર બધા નીચેની બાજુ ચાલી જાય. અનુવાદક : મૂળ બંગાળી ર્ડો. ચંદ્રકાન્ત મહેતા શ્રી પ્રબોધકુમાર સન્યાલ મહાપુરુષોને માપવાને સાચે માપદંડ (તા. ૩૧-૩-૬૬ના દિવસે રામનવમીનું પર્વ હતું અને તા. ૩-૪-૬૬ના દિવસે મહાવીર જયંતી દેશભરમાં ઉજવાણી. આ બન્ને મુગાવતારી પુરુના જીવનને અભ્યાસ કરતી વખતે રવ. કિશોરલાલ મશરૂવાળાએ “રામ અને કૃષ્ણ” એ પુસ્તકની પ્રસ્તાવનામાં જે દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું છે તે મનન કરવા યોગ્ય હોવાથી અત્રે રજૂ કરવામાં આવે છે. તંત્રી.) માણસ સ્વભાવથી જ કેઈને પૂજતે હોય છે જ, કેટલાક્ન દેવ કરીને પૂજે છે તો કેટલાકને મનુષ્ય સમજતો છતાં પૂજે છે. જેને દેવ કરીને પૂજે છે, તેને પિતાથી અલગ જાતિને સમજે છે. જેને મનુષ્ય રાખીને પૂજે છે, તેને એ પાતાને–ઓછાવત્તો--આદર્શ કરીને પૂજે છે. રામ-કૃષ્ણ, બુદ્ધ-મહાવીર, ઈશુ વગેરેને જુદી જુદી પ્રજાના લોકો દેવ બનાવી–અ-માનવ કરી--પૂજતા આવ્યા છે. અને આદર્શ કરી એના જેવા થવાની હોંશ રાખી પ્રયત્ન કરી, પોતાને અભ્યદય સાધો એમ નહિ, પણ એનું નામેચ્ચારણ કરી, એમાં ઉદ્ધારક શકિતનું આરોપણ કરી તેમાં વિશ્વાસ મૂકી પોતાને અભ્યદય સાધવાઆજ એ સુધીની આપણી રીત છે. એ રીત ઓછી વસ્તી પણ અંધશ્રદ્ધા એટલે બુદ્ધિ ન ચાલે ત્યાં સુધીની જ માત્ર, શ્રદ્ધાની નહિ પરંતુ બુદ્ધિને વિરોધ કરનારી શ્રદ્ધાની છે. વિચાર આગળ એ ટકી શકતી નથી. જુદા જુદા મહાપુરુમાં આ દેવભાવ વધારે દઢ બનાવવાને પ્રયત્ન એ જ સર્વ સંપ્રદાયના આચાર્યો, સાધુઓ, પંડિત વગેરેનાં Page #97 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૫-૬૬ - પ્રબુદ્ધ જીવન થશે તે પણ એ જ શકિતનું આલંબન લઈને. આપણામાં અને જીવનકાર્યને ઈતિહાસમાં થયો છે. એમાંથી ચમત્કારની, ભૂતકાળમાં એનામાં ફરક એટલે કે આપણે મૂઢપણે-અજાણપણે એ શકિતનો થયેલી આગાહીઓની અને ભવિષ્યકાળ માટે કરેલા અને સાચા ઉપયોગ કરીએ છીએ. એમણે બુદ્ધિપૂર્વકનું એનું આલંબને લીધેલું. પડેલા વર્તારાઓની આખ્યાચિકારીઓ રચાયેલી છે અને એને વિસ્તાર બીજો ફરક એ કે આપણે આપણી શુદ્ર વાસનાઓને તૃપ્ત કરવા એટલો બધો વધી ગયો છે કે જીવનચરિત્રમાંથી સેંકડે નેવું કે એથી પરમાત્મા-શકિતને ઉપયોગ કરીએ છીએ. મહાપુરુષની આકાંક્ષાઓ, વધારે પાનાં એક જ વસ્તુથી ભરેલાં હોય છે. આનું સામાન્ય જન- એમના આશયે મહાન અને ઉદાર હોય છે, અને જે માટે તાના મન ઉપર એવું પરિણામ થયું છે કે માણસની એનામાં રહેલી પની એનામાં રહેલી એ આત્મબળને આશ્રય લે છે. ત્રીજો ફરકે એ કે સામાન્ય જનસમાજ મહાપુરુષોના વચનેને પવિત્રતા, લોકોત્તર શીલસંપન્નતા, દયા આદિ સાધુ અને વીર અનુસરનાર અને એમના આશયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પુરુષના ગુણોને લગતી એની કિંમત તેઓ આંકી શકતા નથી, પોતાને ઉદ્ધાર માનનારે હોય છે. જૂના શાસ્ત્રો એ જ એમનો પણ ચમત્કારની અપેક્ષા રાખે છે, અને ચમત્કાર કરવાની શકિત. આધાર હોય છે. મહાપુરુ કેવળ શાસ્ત્રોને અનુસરનારા નથી હોતા, એ મહાપુરુષનું આવશ્યક લક્ષણ માને છે. શિલાની અહલ્યા કરવાની, એ શાસ્ત્રોને રચનારા અને ફેરવનાર પણ થાય છે. એમનાં વચનો ગોવર્ધનને ટચલી આંગળી ઉપર ઊંચકવાની, સૂર્યને આકાશમાં એ જ શાસ્ત્રો થાય છે અને એમના આચરણે એ જ અન્યને દીવા દાંડીરૂપ થાય છે. એમણે પરમ તત્વ ઓળખી લીધું છે. એમણે ભાવી રાખવાની, પાણી પરથી ચાલ્યા જવાની, હજારો માણસને પિતાનું અંત:કરણ શુદ્ધ કર્યું છે. એવા સજ્ઞાન, સવિવેક અને શુદ્ધ એક ટપલી રોટલીથી જમાડવાની, મરેલાને સજીવન કરવાની–વગેરે ચિત્તને જે વિચાર સૂઝે, આચન યોગ્ય લાગે તે જ સશાસ્ત્ર, વગેરે દરેક મહાપુરુષના ચરિત્રમાં આવતી વાર્તાઓના રચનારાઓએ તે જ સદ્ધર્મ. કોઈ પણ બીજા શાસ્ત્રો એમને બાંધી શકતા નથી કે જનતાને આ રીતે બેટા દૃષ્ટિબિન્દુએ ચઢાવી દીધી છે. આવા એમના નિર્ણયમાં ફરક પાડી શકતાં નથી. ચમત્કારો કરી બતાવવાની શકિત સાધ્ય હોય તો યે તેથી જ કોઈ આપણે આપણા આશયને ઉદાર બનાવીએ, આપણી આકાં ક્ષાએને ઉંચા સ્તર ઉપર લઈ જઈએ અને પ્રભુની શક્તિનું જ્ઞાનપૂર્વક માણસ મહાપુરુષ કહેવડાવવાને લાયક ન ગણાવો જોઈએ. મહાપુરુ આલંબન લઈએ તે આપણે અને અવતાર ગણાતા પુરુષે તત્વત: જદા પોની ચમત્કાર કરવાની શકિત કે “અરેબિયન નાઈટ્સ” જેવાં નથી. વીજળીની શકિત ઘરમાં ગોઠવાયેલી છે. એનો ઉપયોગ આપણે પુસ્તકમાં આવતી જાદુગરની શકિત. એ બેઉની કિંમત માણસાઈની એક મુદ્ર ઘંટડી વગાડવામાં કરી શકીએ તેમ જ તે વડે દીવાની પંકિતથી દષ્ટિએ સરખી જેવી જ છે. એવી શકિત હોવાથી કોઈ પૂજાપાત્ર આખા ઘરને શણગારી શકીએ. તે જ પ્રમાણે પરમતત્વ આપણા પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યાં છે. એની સા વડે આપણે એક ન થવો જોઈએ. રામે શિલાની અહલ્યા કરી કે પાણી પર પથ્થર વાસનાની તૃપ્તિ કરી શકીએ અથવા મહાન ચારિત્ર્યવાન થઈ તરાવ્યા એ વાત કાઢી નાખીયે, કૃષ્ણ કેવળ માનુષી શકિતથી પોતાનું સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈએ. જીવન જીવ્યા એમ કહીએ, ઇશુએ એક પણ ચમત્કાર બતાવ્યો મહાપુરુએ પિતાની રગેરગમાં અનુભવાતા પરમાત્માના ન હતું એમ માનીએ, છતાં રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ, વગેરે બળથી પવિત્ર થવા, પરાક્રમી થવા, પરદુ:ખભંજન થવા, પુરુ માનવ જાતિના શું કામ પૂજાપાત્ર છે એ દષ્ટિથી આ ચરિત્ર આકાંક્ષા ધરી. એમણે એ બળ વડે સુખ દુ:ખથી પર, કરુણહૃદયી, વૈરાગ્યવાન, જ્ઞાનવાન, અને પ્રાણીમાત્રના મિત્ર થવા ઈછા કરી, આલેખવાનો પ્રયત્ન છે. એ કેટલાકને ન રુચે એ સંભવિત છે, પણ સ્વાર્થના ત્યાગથી, ઇંદ્રિયના જયથી, મનના સંયમથી, ચિત્તની એ જે સાચી દષ્ટિ છે એમ મારી ખાતરી છે. એ તેથી જ એ પવિત્રતાથી, કરુણાની અતિશયતાથી, પ્રાણીમાત્ર તરફના અત્યંત રીતને છોડવાનો મેં આગ્રહ રાખ્યો છે. પ્રેમથી, બીજાના દુ:ખોનો નાશ કરવા પોતાની સર્વ શકિત અર્પણ આપણે હિંદુઓ માનીએ છીએ કે જ્યારે પૃથ્વી પરથી ધાને કરવા માટેની નિરંતર તત્પરતાથી, પોતાની અત્યંત કર્તવ્યપરાયણ તાથી, અનાસકિતથી અને નિરહંકારીપણાથી, ગુરુજનેને સેવી તેમના લેપ થાય છે, અધર્મ વધી પડે છે, અસુરોના ઉપદ્રવથી સમાજ પીડાય કૃપાપાત્ર થવાથી એ મનુષ્યમાત્રને પૂજનીય થયા. છે, સાધુતાને તિરસ્કાર થાય છે, નિર્બળનું રક્ષણ થતું નથી, ત્યારે 1 આપણે ધારીએ તે આપણે એવા પવિત્ર થઈ શકીએ, એવા પરમાત્માના અવતાર પ્રગટ થાય છે. પણ અવતારે કેવી રીતે પ્રગટ કર્તવ્યપરાયણ થઈ શકીએ, એટલી કરુણ વૃત્તિ કેળવી શકીએ એવા થાય છે, એ પ્રગટ થાય છે ત્યારે એમને કેવે લક્ષણે ઓળખવા અને નિષ્કામ અનાસકત અને નિરહંકારી થઈ શકીએ. એવા થવાને એમને ઓળખીને અથવા એમની ભક્તિ કરીને આપણા જીવનમાં કેવા આપણે નિરંતર પ્રયત્ન રહે એ જ તેમની ઉપાસના કરવાને હેતુ. જેટલે અંશે આપણે એમના જેવા થઈએ તેટલે અંશે જે આપણે એમની ફેરફાર કરવા એ જાણવું જરૂરનું છે. સમીપ પહોંચ્યા એમ કહેવાય. જો આપણે એમના જેવા થવા પ્રયત્ન સર્વત્રા એક પરમાત્માની શકિત–સત્તા જ કાર્ય કરી રહી છે. ન હોય તો આપણે કરેલું એમનું નામસ્મરણ પણ વૃથા છે, અને મારામાં--તમારામાં સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યા છે. એની શકિતથી એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણ. સર્વેનું હલન-ચલન-વલણ છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ, વગેરેમાં એ જ વૃથા છે. કિશોરલાલ ઘ. મશરૂવાળા પરમાત્માની શકિત હતી. ત્યારે આપણામાં અને રામ-કૃષ્ણાદિમાં શે ફેર? એ પણ મારા-તમારા જેવા જ મનુષ્ય દેખાતા હતા. એમને પણ વિષયસૂચિ મારી-તમારી માફક જ દુ:ખ વેઠવાં પડયાં હતાં અને પુરુષાર્થ કર ભારતીય ક્લાસંસ્કૃતિના આધુનિક રવિશંકર રાવળ પડયો હતો, છતાં આપણે એમને અવતારે શા માટે કહીએ છીએ? થિ’ નંદલાલ બોઝ પ્રકીર્ણ નોંધ: ‘પ્રબુદ્ધ જીવનને પરમાનંદ હજાર વર્ષ વિતી ગયા છતાં શું કામ આપણે એમને પૂજીએ છીએ? ૨૮ મા વર્ષમાં પ્રવેશે; વળી પાછી - * “આત્મા સત્યકામ-સત્યસંકલ્પ છે” એવું વેદવચન છે. જે એક વધારે બાલદીક્ષા! આપણે ધારીએ, ઈચ્છીએ તે પ્રાપ્ત કરી શકીએ એ એને અર્થ શ્રી સંયુકત જૈન વિદ્યાથીગૃહનું થાય છે. જે શકિતને લીધે આપણી કામનાઓ સિદ્ધ થાય છે એને એક નવું પ્રસ્થાન એક કર્મઠ યેગીની મંથનથી ' આપણે પરમેશ્વર–પરમાત્મા–બ્રહ્મ-કહીએ છીએ. જાણે-અજાણે પણ વાડીલાલ ડગલી વણિક સેનાપતિ : વાલજી ગોવિન્દજી દેસાઈ એ પરમાત્માની શકિતનું આલંબન-શરણ લઈ આપણે જે સ્થિતિમાં આવા સ્વરાક્ય માટે હું : શ્રી શ્રી પ્રકાશ . આજે છીએ તે સ્થિતિ પ્રાપ્ત કરી છે, અને ભવિષ્યમાં જે સ્થિતિ લડયો નહોતે ! પ્રાપ્ત કરીશું તે પણ એ જ શક્તિનું આલંબન લઈને કરીશું. મહાપ્રસ્થાનના પથ પર-૯ પ્રબોધકુમાર સન્યાલ રામ-કૃષણે પણ એ જ શકિતનું આલંબન લઈને પૂજનીય બને મહાપુરુષોને માપવાનો કિશોરલાલ મશરૂવાળા સાચે માપદંડ એવું પદ પ્રાપ્ત કર્યું હતું. હવે પછી જે મનુષ્યજાતિના પૂજાપ્રાત્ર ૧ પરમાત્માની ખેજ આચાર્ય રજનીશજી Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા: ૧-૫-૧૬ તાજેતરમાં અપાયેલી બાલદીક્ષા સંબંધમાં પરમાત્માની ખેજ શ્રી મુંબઈ જૈન યુવક સંધને ઠરાવ હું પરમાત્માની ખેજ કરી રહ્યો હતો. તેમના મંદિરમાં પ્રવેશ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની તા. ૨૮-૪-૬૬ ના રોજ મળેલી કર્યા સિવાય જીવનને મૃત્યુ સિવાય બીજો કોઈ અર્થ નથી. અને કાર્યવાહક સમિતિની સભા તાજેતરમાં લાલબાગના ઉપાશ્રય ખાતે શ્રી મૃત્યુ પણ શું કોઈ અર્થ છે? હું અનેક મંદિરમાં ગયો છું, પણ વિજય રામચન્દ્રસૂરિએ એક ૧૩-૧૪ વર્ષના છોકરાને તા. ૨૭-૪-૬૬ કોઈ એમનું મંદિર નહોતું. ત્યાં પથ્થર હતા; પરમાત્મા નહોતા. ના રેજ આપેલી બાલદીક્ષા સામે પોતાને સખત વિરોધ જાહેર કરે છે અને 'શાસ્ત્રોના સ્મશાનમાં હું ભટકયો છું. ત્યાં મૃત શબ્દ હતા; જીવન્ત જે બાલદીક્ષાનું અનિષ્ટ આજ સુધી લગભગ નાબૂદ થવા જેવી સત્ય નહેતું. અને તેથી મને નિરાશા અનુભવવા લાગ્યું. શું સત્ય. સ્થિતિમાં હતું તે અનિટ આજે પાછું ફાલી ફ લી રહ્યું છે તે તરફ છે જ નહિ? કિન્તુ, મારી સામે તે બે જ વિકલ્પ હતા. પરમાત્મા જૈન સમાજનું ગંભીરપણે ધ્યાન ખેંચે છે. આવી બાલદીક્ષા જૈન અથવા મૃત્યુ. અમૃત પ્રાપ્ત કર્યા સિવાય જીવન જીવન નથી. એવી દીક્ષાના મહત્ત્વ અને ગાંભીર્યને હાંસિપાત્ર બનાવે છે. આજે ઝાંખી અંધકારની સ્થિતિમાં વીજળીની પેઠે એક વિચાર ચમકી ઊઠ: પડતી જતી સાધુસંસ્થાનો ઉદ્ધાર કરવો હોય તો આમ અનિયંત્રિત “શું એમ તે નહિ હોય કે હું પોતે જ એમનું મંદિર હોઉં?” અંધરીતે , (ઓની સંખ્યા વધારવાને બદલે તેનેં ગુણવત્તા ઉપર વધારે કાર ગાઢ હોય તે તેની ગાઢતા જે પ્રકાશનું દ્વાર બની જાય છે. ભાર મૂકાવાની જરૂર છે એમ આ સંઘ માને છે અને તે માટે આવી એક નવી દિશા ઉઘડી ગઈ. પાતામાં જ શોધવા લાગ્યો. પણ શોધવું બાલદીક્ષા અટકવી જોઈએ, એટલું જ નહિ પણ, કોઈ પણ મોટી એ શું હતું? ખોદવાનું જ હતું. ચિત્ત ઉપર અનેક આવરણે હતાં; ઉમ્મરની વ્યકિતને દીક્ષા આપવા માટે પણ યોગ્યતા અને તાલીમનું અનેક પ્રકારના પક્ષપાતો હતો. અને સત્ય છે ત્યારે જ પ્રગટ થઈ કડક ધોરણ નક્કી થવું જોઈએ અને સર્વસ્વીકૃત બનવું જોઈએ એમ શકે છે કે જયારે પૂર્ણ નિષ્પક્ષ ચિત્ત તેના સ્વાગત માટે તૈયાર હોય. આ સંઘ જાહેર કરે છે. શાસ્ત્ર તથા સિદ્ધાન્ત છોડવા પડયા, તેઓ એ સિહાસન ઉપર બેઠા મંત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ હતા, જયાં સત્ય બેઠેલું હોવું જોઈતું હતું. આ કાર્ય અતિ કઠણ હતું, કારણ કે, જ્ઞાનને અહંકાર છોડવાને હતો અને અજ્ઞાનને. સંઘના સભ્યો પ્રતિ સ્વીકાર કરવાને હતે. અજ્ઞાનની સ્વીકૃતિ એ જ્ઞાનની દિશાએ સંઘના મેટા ભાગનાં સભ્યો પિતાનું વાર્ષિક લવાજમ વર્ષની પહેલું અને અનિવાર્ય ચરણ છે. વિવેક પ્રાપ્ત કરવા માટે વિશ્વાસ મધ્યમાં તેમ જ વર્ષની આખરે ભરતાં હોય છે, અને એ કારણે વર્ષ છોડવાને જ રહે છે. આંધળાપણાની રાખ ઉપર જ આંખોને પૂરું થયા પછી પણ ઘણા સભ્યનાં લવાજમ બાકી રહી જતાં જન્મ સંભવી શકે છે. વિશ્વાસ અને અવિશ્વાસ એ બને અવહોય છે, અને બીજા વર્ષે પણ ત્રણ ચાર માસના સતત પ્રયત્ન રાધ છે. એકમાં પડતાં કૂવે છે, તો બીજામાં પડતાં ખાઈ છે. પછી જ એમાંનાં મોટા ભાગનાં લવાજમ વસુલ કરી શકાય છે અને માર્ગ છે બન્નેની મધ્યમાં અને મધ્ય છે બન્નેથી મુકત. ન આસ્તિક, જે થોડા સભ્યોનાં લવાજમો આટલા પ્રયત્નો પછી પણ વસુલ ન નાસ્તિક, એવું ચિત્ત જ જે છે તેને શોધવામાં સમર્થ બને છે. થઈ શકતાં નથી તે સભ્યોને અને તેમનાં લવાજમે સાંઘને ગુમા વિચાર માત્ર છૂટી ગયા તો કિનારો છૂટી ગયો અને અજ્ઞાત સાગવવા પડે છે. એ કારણે વિનંતિ કરવાની રજા લઈએ છીએ કે, શકય રની યાત્રા શરૂ થઈ. નિર્વિચાર ચેતના જ અનો સાગર છે. શૂન્યની. હોય ત્યાં સુધી સભ્ય પિતાનાં લવાજમ વર્ષની શરૂઆતમાં જ ભરી નૌકા અને અજ્ઞાત ચેતનાને સાગર. પગ નીચેથી ભૂમિ સરી ગઈ.. જાય. ચાલુ વર્ષના ચાર માસ, પસાર થઈ ગયા છે અને એમ સર્વ અવલાંબન છૂટી ગયું. સર્વ આધાર ખોવાઈ ગયો. હું નિરાધાર, છતાં હજુ મોટા ભાગનાં સભ્યોનાં લવાજમ બાકી છે. તે જે બની ગયો અને જાણે કે અતલ ખાઈમાં સરવા લાગ્યું. સર્વે જતો હતો- જતો હતો. એમ લાગ્યું કે જાણે અમૃતની શેધમાં સભ્યનાં ચાલુ વર્ષનાં લવાજમે હજુ સુધી ભરાયાં ન હોય તેમને હું મૃત્યુના મોઢામાં પ્રવેશી રહ્યો હતે. બીજાં બધું હું ખાઈ પિતાનાં લવાજમના રૂા. ૫-૦૦ સંઘના કાર્યાલયમાં સત્વર ભરી જવા બેઠા હતા. માત્ર હું બ હતો. એ પણ આખરે સ્વપ્નની માફક વિનંતિ કરવામાં આવે છે. વિખરાઈ ગયું. પછી કશું જ ન રહ્યું અને બધું બની ગયું. પરઆ ઉપરાંત જે સભ્યોનાં આગલા વર્ષના-૧૯૬૫નાં–લવાજમો માત્માનું મંદિર આવી ગયું. હું જ શેધવાવાળા હતા, હું જ શેધમાં, અવરોધરૂપ હતા, અને હું જ હતો જેને જાણે કે શૈધવાને હતો.. હજુ સુધી ભરાયાં નથી તેમને તે અલગ કાર્ડ લખીને યાદ આપવામાં આ કેવું રહસ્ય છે? જ્યાં સ્વયં હતું, માલુમ પડયું કે ત્યાં સર્વ છે.. આવ્યું છે. તેમને પણ પિતાના બન્ને વર્ષનાં લવાજમે વિનાવિલંબે જયાં મૃત્યુ હતું, માલૂમ પડયું કે ત્યાં અમૃત છે. પછી તે શ્વાસભરી જવા આગ્રહભરી વિનંતિ કરીએ છીએ. છુવાસમાં આનંદ વહેવા લાગ્યો, અને પ્રેમ વહેવા લાગ્યા. અંદર, મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ આનંદ, બહાર પ્રેમ. ધર્મ આ જ છે. સ્વરૂપ આ જ છે. સત્ય આ જ છે. આચાર્ય રજનીશજી. પાયા વિનાની માન્યતાઓ અને વહેમની આચાર્ય રાજનીશજીની સાધના–શિબિર ગ્રંથિઓને વિદારનાર અને વિચારપ્રેરક ઉદેપુર ખાતે ફત્તેહસાગર સરોવરની બાજુમાં વિદ્યાભવન ચમત્કાર અને વહેમ ટીચર્સ ટ્રેનિંગ કૅલેજમાં મે માસની તા. ૧૪-૧૫-૧૬ તથા ૧૭ ના લેખક: રતિલાલ મફાભાઈ શાહ રોજ આચાર્ય શ્રી રજનીશજીના સાનિધ્યમાં એક સાધના - શિબિર, મુ. માંડલ, વિરમગામ થઈને (ઉત્તર ગુજરાત) જવામાં આવી છે. આ શિબિરમાં ભાગ લેનારે શ્રી હીરાલાલ કોઠારી, કિંમત રૂા. ૧, પિસ્ટેજ ૦-૩૦ દાતા ભેરૂ, ઉદેપુર, રાજસ્થાન એ સરનામે રૂા. ૨૦ મોકલવાના રહેશે પ્રાપ્તિસ્થાન : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, અથવા તો જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રેડ, મુંબઈમાં પણ. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ ભરી શકાશે અને આ શિબિરને લગતી માહિતી પણ જીવન - જાગૃતિ. કેન્દ્ર ટે. નં. ૨૨૩૩૧ ઉપરથી મળી શકશે. માલિક શ્રી મુબઈ જૈન યુવક સંઘ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ–૩.. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #99 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH. II7 વાર્ષિક લવાજમ રૂા. ૪ ક પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૨ મુંબઈ, મે ૧૬ ૧૯૯૧, સોમવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું. પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા વ્યવહાર અને કર્મચાગ (ગત પર્યુષણ વ્યાખ્યાન માળા દરમિયાન તા. ૨૫-૮-૬૫ ના રોજ શ્રી મૃણિાલિનીબહેને આપેલા વ્યાખ્યાનની તેમણે પોતે કરી આપેલી છે.) કોઈ પણ વિષયને વિશે મનમાં જિજ્ઞાસા નિર્માણ થયા વગર એ મહિતા:'. વિદ્રાને સામે પણ અગમ્ય એવો પ્રશ્ન આવી પડ્યો હતો વિશેનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી – અથવા તે આપણે એ તરફ જોતાં અને સંન્યાસ લઈ વનમાં જનાર સંન્યાસીઓ અથવા તે સંજોગો આગળ કાયમ નમતું મૂકી જીવનાર દુર્બળ માનવીઓ- એમના સિવાય નથી, જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરતા નથી અને પ્રયત્ન વગર તૈયાર બધાની સામે આ સવાલ આવીને ઊભા રહે જ છે. યથા બુદ્ધિ મતિ કળીયે કોઈ મેઢા પાસે લઈ આવે તો પણ તે વિષે અરુચિ હોય છે. દરેક જણ એને ઉકેલ લાવવા મથે છે. જે કર્મ કરવા જેવું હોય તે ‘કર્મયોગ' શબ્દ ઉચ્ચારતાં જ કોઈ અત્યંત જટિલ અટપટું જ્ઞાનચક્ર કરવું, એટલું જ નહીં પણ, યુકિતથી કરવું - એ જ 'કર્મયોગ'. કર્મ– આંખ સામે આવે. એ ચક્રમાં પ્રવેશવાની ઈચ્છા અથવા તે કર્મ– કૃ=કરવું; યોગ-યુજ જોડવું, મેળવવું, એકત્ર કરવું. કર્મ આચરવાની યુકિત, સાધન, ઉપાય જ તે કર્મ - યોગ અને એ યોગ બતાવ્યો છે જિજ્ઞાસા મનમાં જાગી એક સાંજે- એક સત્સંગ મંડળમાં. પ્રસંગ ગીતામાં, ઉપનિષદોમાં. સામાન્ય હતું. ત્યાં નિયમિત હાજરી આપતા એક મોટી ઉંમરનાં માનવમાત્રે કર્તવ્ય—અને અકર્મ–તે અંગે કેટલાક નિર્ણમા બહેન તે દિવસે બહુ જ ગમગીન હતાં. પ્રવચન આપનાર મહારાજ અનાદિકાળથી લીધા છે. એ નિર્ણય જોતાં કમાત્ર સ્વાર્થમૂલક શ્રીએ સહજ સહાનુભૂતી બતાવી ખિન્નતાનું કારણ પૂછયું. બહેને અને શુદ્ર હોય છે એવું નથી લાગતું. એવું હોત તે રામ, કૃષ્ણ, કહ્યું કે: “મુંબઈમાં બે ઓરડીની નાની પણ સગવડવાળી જગ્યામાં પિતે એકલાં રહે છે. એ જગ્યાને કબજો મેળવી એના પર સારી ઈસુ, મહંમદ, બુદ્ધ કે મહાવીર પ્રભુનાં મંદિરને બદલે આ દુનિ યામાં ચાર્વાક, કણાદ અથવા સિકંદર, નેપેલિયન કે ચંગિઝખાનના એવી પાઘડી લેવાની ઈચ્છાથી મકાનમાલિક હરકોઈ ઉપાયે મને મંદિરો ના બંધાયા હોત ? અનાદિ કાળથી માનવ ઉદાત્તતાને પૂજે છે, પજવે છે.” દુ:ખનું આ કાર સાંભળી મહારાજશ્રી નારાજ ત્યાગને વંદે છે, નિ:સ્વાર્થ વૃત્તિ આગળ નમે છે, અને એ ગુણ થયા. ઉપહાસથી કહે: કાંઈક અંશે પણ પ્રાપ્ત થાય એવાં કર્મોને ‘કર્તવ્ય ’ ગણે છે. “મૈયા, રોજના સત્સંગ પછી આવી ઉપાધિ ? આવી નજીવી વાતમાં જીવનની અમૂલ્ય ઘડી કયાં બગાડો છે ? અત્ર તત્ર સર્વત્ર માનવજાતિએ જેમને પૂજ્ય અને આદર્શ સ્થાને સ્થાપ્યા છે, બ્રહ્મ છે. તારામાં જે બ્રહ્મ છે તેને જ વાસ પેલા ભાઈમાં પણ છે! એમાંથી એક પણ મહાપુરુષે કર્મસંન્યાસ લીધો નથી. એ બધાં એક જ તત્ત્વના વિવિધ આવિષ્કાર – એ તરફ સમદ્રષ્ટિ રાખવી. અસામાન્ય, લોકોત્તર કર્મ કરીને ગયા છે. વ્યાસ ‘પાયને સંસારવિકારરહિત રહેવું.” વગેરે. માત્રને આવરી લે એવી ‘મહાભારતની વિશાળ રચના કરી. શબ્દબહેન બાપડાં આ સાંભળી પાણી પાણી થઈ ગયાં. એ જ્ઞાનની બ્રહ્મના શોધક મહર્ષિ પાણિનિએ છેક મૃત્યુના મુખમાં પણ વિભવાત કરનારની વાણી પ્રભાવશાળી હતી; સામાને આંજી નાંખે એવી કિતની ભકિત ના છેડી. ક્ષત્રીનું ગર્વતરણ કરવા ભૃગુઓમાં શ્રેષ્ઠ હતી. એમની સામે શબ્દ સરખા ઊઠાવવાની હિંમત કોઈ કરે એમ એવા પરશુરામે પૃથ્વીને નક્ષત્રી કરી વારંવાર શેણિતસ્નાન કરાવ્યું. હતું નહીં ..... પ્રવચન શરૂ થયું. રોજની માફક પૂરું પણ થયું. છતાં મર્યાદા પુરુરામ રામપ્રભુએ રાવણવધથી માંડી સીતાત્યાગ એ બહેનને દયામણો ચહેરો આંખ આગળથી ખસતો નહોતો. કાનપર, સુધીની જટીલ કર્મપરંપરા આચરી. કૃષ્ણ ભગવાને ગાયો ચરાજેટલી જ્ઞાનની વાતો પડી હતી તેના જોરે બુદ્ધિ મનને ફટકારતી હતી વવાથી માંડીને ગીતા સુધી અને ગોવર્ધન પર્વત ઉપાડવાથી માંડીને કે જીવન સાથે સંકળાયેલાં સંસારી કમેં દુ:ખમૂલક છે, ઝાંઝવાના જાદવાસ્થળી સુધીના પ્રસંગ આદર્યો. બુદ્ધ, મહાવીર, ખ્રિસ્ત, જળ જેવાં ફસાવી પાડનાર છે, સ્વાર્થમૂલક છે, છે, એ બધાંની મહંમદ આ વંદ્ય વિભૂતિઓમાં કર્મત્યાગ આદર્યાને દાખલ કયાં છે ઉપેક્ષા કરી એમને દૂર જ રાખવાં જોઈએ. ધર્મપાલન, દયા, દાન, જડતું નથી. સોક્રેટિસ, કોલાંબસ, શેકસપિયર, કાલીદાસ, જ્ઞાનેશ્વર કરુણા એવાં ઉત્તમ દેખાતાં કર્મોના મૂળમાં પણ આખરે શું છે? ભયથી તુકારામ, માકર્સ, ટૅલટૅય, કયુરી દંપતી, ટિળક, ટાગોર, ગાંધીજી ત્રાસી, હીન દીન બની માનવી ધર્મનું પાલન કરે... એ આડંબર નીચે રસેલ અને વિનેબા-જીવનના વિવિધ ક્ષેત્રમાં આ કર્મયોગી મહાપિતાની ભીરુતા છુપાવે. વૃદ્ધ, અપંગ, દરિદ્રીને જોઈ - એ દશા ત્માએ પોતાને જીવનદીપ ઉજાળીને માર્ગદર્શન આપે છે. ભૌતિક પિતાની બાબતમાં સંભવે તે એવી કલ્પનાથી કાયર થઈ દયા સંપત્તિ કે ઐહિક યશ પ્રાપ્ત કરવા પાછળ એમાંથી કોઈ પડયા બતાવે - દાન કરે ... આ કર્મોની ભવ્યતા પાછળ જ હીનતા પડેલી - નથી. છતાં જીવનનાં વિવિધ પાસાં એમણે દીપાવ્યાં છે. એ બધાં છે. આ સંસાર માત્ર દુ:ખદ છે. નૈયાયિકો કહે છે તેમ ‘અનુકુળવેદ જ્ઞાની છે, બુદ્ધિશાળી છે, શ્રદ્ધા અને ભકિત એ એમની શકિત નીય સુખમ, પ્રતિકૂલવેદનીયમ દુ:ખમ્ ' આખરે તે બધું ‘વેદનીય’ છે. એ બધાંએ જીવી જાણ્ય, જીવનને માણ્યું છે. જે જે કર્મ સામે જ. એનો ત્યાગ કરવો એ જ યુકત. - આવ્યું તેને “પ્રાપ્પવરાન નિબોધત’ એવી પ્રસન્ન વૃત્તિથી સ્વીકારી બુદ્ધિની આ દલીલ હૃદય માનતું નહોતું. કર્મની પરંપરા એને સત્ય, શિવ અને સુંદર બનાવ્યું છે. કોઈએ કર્મ સંન્યાસની વાત સરખી નથી કરી. તેડવી-એ સહેલું તે નહીં – પણ અશકય જ લાગ્યું. જાણે અજાણયે કર્મયોગની સાધના કરવાને માર્ગ કયો ? જ્ઞાન માર્ગે એ સાધ્ય આપણે કર્મ તે કરતા જ રહેવાના – તે શું કરવું અને શું ત્યાગવું? ન થાય ? “જ્ઞાન’ને અર્થ “અધ્યાત્મ વિષયક જ્ઞાન’ હોય તો માત્ર જ્ઞાન ગીતામાં પણ અર્જુન સામે ‘ઉં કર્મ કિમ કએંતિ કવાડિપ્યત્ર આગળ કર્મ સાવ નિરર્થક લાગે- મેક્ષ માર્ગને આડે આવતાં ખાડા ટેકરો Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૧૬ જેવાં લાગે. તે પછી ભૌતિક વિદ્યા કે જેને “અવિદ્યા” કહે છે તેને આધાર લઈ કર્મયોગ આચરવો? કર્મ એ વિદ્યાના પાયા ઉપર આધારિત છે, છતાં કર્મગ માત્ર ભૌતિક વિદ્યાથી સાધ્ય થાય એમ નથી.. કારણ ત્યાં કર્મ પોતે જ સર્વસ્વ બની જાય છે. યોગી કે મુનિને ત્યાં સ્થાન નથી રહેતું. પાણીને સતત વહેતો પ્રવાહ હોય એવું આપણું જીવન છે. જે માનવી યોગ્ય રીતે એમાં તરે, આજુબાજુની સૃષ્ટિ જોઈ લે, છતાં ધ્યાન કરવામાં હોય – સૃષ્ટિ જોવા છતાં એનાથી અલિપ્ત જ રહે-પોતે તર્યા જ કરે, છતાં એવું ને એવું જ જળ આજુબાજુ છે એને વિષાદ એનાં મનમાં ના હોય, કારણ જળનું રૂપ છેક સુધી એવું જ રહે છે, એ બદલાતું નથી એ હકીકત એ જાણે છે. અને આમ છતાં સમજપૂર્વક પોતે આગળ વધે છે અને અંતે મુકિત મેળવે છે એ કર્મયોગી. જ્ઞાનમાર્ગી પ્રવાહની વિશાળતા, વમળ વગેરે જોઈ સમજી એમાં તરવું વ્યર્થ છે એમ માની નિષ્ક્રિયતા સ્વીકારી ડૂબે છે, ત્યારે ભૌતિક વિદ્યાના ઉપાસક પ્રવાહમાં અર્થ શોધી પ્રવાહમાં જ ડૂબકીઓ માર્યા કરે એટલે બેમાંથી કોઈ પણ આગળ વધતાં નથી, મુકિત મેળવતા નથી, અને જીવન પણ પૂર્ણાશે માણતા નથી. સંસારના ગહન વનમાં-ભવાટવિમાં–જ્ઞાની એનું ગૂંચવાડા ભરેલું સ્વરૂપ જોઈ પતે એનાથી દૂર રહી નિષ્ક્રિય રહેવા માગે તેથી એ એમાંથી પસાર થઈ શકતો નથી, ત્યારે અવિઘાના ઉપાસકો કર્મ કરે છે, પણ એવાં કરે છે તેમાંથી અનેક કર્મોની પરંપરા નિર્માણ કરી એ વનનાં ઝાંખરા વધારે છે, અને એ પણ આગળ વધી શકતા નથી. એટલે જ ઈશોપનિષદે કહ્યું કે સંભૂતિને અસંભૂતિ બેઉને ભજતો નર, સંભૂતિથી તરી મૃત્યુ પામે અમૃત અન્યથી ! જ્ઞાન અને વિજ્ઞાનને સંયોગ વિવેકથી કરી આ સંસારમાંથી મુકિત મેળવવી, જ્ઞાનથી સંસારનું સ્વરૂપ પામી એમાંથી સાર ને અસાર ઓળખવું–અલિપ્તભાવ કેળવ, વિજ્ઞાનની ઉપાસના કરી કર્મ સુગમ કરવું–એક કર્મમાંથી કોઈ અનિષ્ટ પરંપરા કે બંધને નિર્માણ ના થાય એવી સાવચેતી રાખવી, જ્ઞાનને પ્રકાશ અને વિજ્ઞાનની ગતિ એ બેને સમન્વય સાધવો એ જ યોગ છે કર્મયોગ. પ્રકાશ વગરની ગતિ રાક્ષસી સંહારનું સર્જન કરે, અને ગતિ વગરને પ્રકાશ નિરર્થક પ્રકાશી કાળક્રમે નષ્ટ થાય. પ્રભુએ બક્ષેલા જીવન માટે એ બંને નકામાં છે, હાનિકારક છે, જીવન પ્રવાહનું ‘ક્ષણે ક્ષણે સુજામ્યહમ’ એ ગતિમાન તત્ત્વ અખંડિત રાખવું–તેજસ્વી રાખવુંએ પોતાનું કર્તવ્ય માને એવા કર્મયોગી જનસંસર્ગમાં સપડાતા નથી, પણ જનસંપર્ક સાધી પોતે આગળ વધે છે અને પોતાની સાથે બીજા અનેકોને લઈ જાય છે. જીવનનો સર્વસમાન્ય વિચાર કરી કર્તવ્ય-કરવા યોગ્ય –અને અકર્તવ્ય-ન કરવા જોગ કર્મ અંગે કેટલાંક સંકેત રૂઢ થયા છે. છતાં પ્રાપ્ત સંજોગોમાં સ્વાર્થ કે આસકિતથી દૂર રહી જે યુકત દેખાય એ કર્મ કરવું પડે -- સંકેત કે રૂઢિથી વિરુદ્ધ વર્તન પણ કરવું પડે, અવિહિત કે તામસ દેખાતું કર્મ પણ એવે વખતે અંતે વિહિત અને સાત્ત્વિક સિદ્ધ થાય છે. પરશુરામ જેવાં ભૂગોષ્ઠ શસ્ત્ર ધારણ કરી પૃથ્વીને નક્ષત્રી કરે, રામચંદ્રજી સીતા સતીને ત્યાગે, શાકયમુનિ ગૌતમ નવજાત બાળક અને પત્નીનો ત્યાગ કરે, મહમ્મદ પયગંબર હિજરત કરે, અર્જુન સ્વજનોની હત્યા કરે, ગાંધી રાજાને વિષણુનો અવતાર માની પૂજવાને બદલે જુલમી રાજયસત્તાને પડકારે અથવા તે પરકીય રાજા સામે સત્યાગ્રહ આદરે- એ બધાં કર્મો જે જે વ્યકિતઓએ કયાં તે તે સંજોગોને સાંગોપાંગ વિચાર કરી – પિતાને સ્વાર્થ કે અહંભાવ એમાં ભેળવ્યા વગર - કર્યા, એટલે સામાન્ય રીતે અવિહિત કહેવાય એવાં એ કર્મો યુકત અને દિવ્ય બન્યાં, માનવજાતિ માટે કલ્યાણકારી થઈ રહ્યાં. કર્મયોગ સાધવો હોય તે જ્ઞાન, અનાસકિત અને વિવેકની સાધના કરવી રહી. એ સાધના માટે નિત્યકર્મના નિયમ – જેવાં કે નામસ્મરણ, પૂજા, ભકિત, જ્ઞાનસંકીર્તન વિગેરે માર્ગે અનુસરવા જોઈએ, પરંતુ એ માર્ગને જ મેક્ષ સમજવાની ભૂલ ના કરવી જોઈએ. એ સાધને છે અને એ સાધનોના અવલંબનથી આપણાં જીવનવ્યવહારનાં કર્મોને યુકત બનાવી કર્મની સહાયથી જ મોક્ષ મેળવવાને છે એ ધ્યેય ભૂલી ના જવાય. સાધનેમાં સાધ્યને ડુબાડી દઈ જીવન સામેથી મોં ફેરવવું–જ્ઞાનના ઘમંડથી અકર્મણ્યમાં ફસાઈને, નિષ્ક્રિય બની સંસારી જનનો તિરસ્કાર કરવો એ કોઈ પણ રીતે યુકત નથી. અનાસકત રહેવું–નિ:સ્વાર્થ રહેવું એને અર્થ અન્યાય અથવા જુલમ સામે નમતું આપવું એવો કદાપિ ન થાય. અનાસકત ભાવે કરેલો પ્રતિકાર અત્યંત પ્રખર, પ્રભાવી અને શકિતશાળી હોય છે. એ પ્રતિકાર કરનાર વીરની પાછળ કોઈ શસ્ત્રધારી સૈન્ય, રાજસત્તા કે ભકતોનાં ટોળાં ન હોય, તો પણ અંતે એ જ વિજય મેળવે છે. સોક્રેટિસને ઝેર પાઈ મારી નાખનારનું નામ કે સત્તાનું નામનિશાન ન રહ્યું; ઝેર પીને અમર થયા સેક્રેટિસ. કાંટાળો તાજ પહેરી શૂળીએ ચઢેલ ઈસુ ને તેની શુળી જગતના હૃદયમાં રાજ્ય કરી રહી. દિશેડપિ વસનું માનતા વિરકત તીર્થક, ચપટી મીઠું હાથમાં લઈ પ્રચંડ રાજ્યસત્તાને પડકાર આપનાર મુઠી હાડકાનાં બાપુ-એ બધા એમના અનાસકત કર્મયોગથી જગને જીતી ગયા; જીવનને જીતી ગયા. જીવનવ્યવહારમાં સદાચારી રહેવું જોઈએ. તેમજ કોઈ પણ અન્યાય મુંગે મેંએ સહન ના કરાય, જ્ઞાન ને ભકિતને નામે તે નહીં જ. અન્યાય ગુજારનાર જેટલા દેષિત છે એના કરતાં અન્યાય સહી લેનાર વધારે દોષિત છે. એટલે કર્મ વિષે જિજ્ઞાસાથી આટલું જાણી લીધા પછી, પેલાં બહેન જેમની વાત શરૂઆતમાં કરી તેમને જઈ કહેવાનું મન થયું કે “બહેન તમે બ્રહ્મ છો. પેલાં મકાનમાલિક પણ બ્રહ્મ છે. વાત સત્ય છે. પણ એ જ ન્યાયથી “કાયદા બ્રહ્મનું અને ‘વકીલ બ્રહ્મનું અસ્તિત્વ પણ નકારી શકાય એમ નથી અને જ્યાં સુધી તમારી પોતાની જગ્યામાંથી તમે પોતે અન્યાયથી કશું મેળવવાની ઈચ્છા ના રાખતા હો, અને શાંતિથી રહેવા માગતા છે, ત્યાં સુધી એ “વકીલ બ્રહ્મ'ની મદદ લેવાને આડે સત્સંગ નહીં આવે !” મૃણાલિની દેસાઈ “તિ-શિખા જન માસની પહેલી તારીખથી જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ - ૨ તરફથી ‘જયોતિ-શિખા’ નામના હિંદી ત્રિમાસિકનું પ્રકાશન શરૂ કરવામાં આવશે. આ ત્રિમાસિક આચાર્ય રજનીશજીના વિચારોનું મુખપત્ર હશે અને તેના સંપાદક શ્રી જટુભાઈ મહેતા અને પ્રકાશક શ્રી રમણલાલ સી. શાહ હશે. તેનું વાર્ષિક લવાજમ રૂા. ૫/- નક્કી કરવામાં આવ્યું છે, તે ગ્રાહક થવા ઈચ્છનારે ઉપર જણાવેલ ઠેકાણે લવાજમ મોકલી આપવું. વિષયસૂચિ વ્યવહાર અને કર્મયોગ મૃણાલિની દેસાઈ ૧૩ એક કર્મઠ યોગીની મંથનપથી વાડીલાલ ડગલી ૧૫ અવલોકન : વિદ્યાવિહાર ગીતમાલા, ગીતા પરીખ Economic Trands and કાતિલાલ બડિયા Indications, બાળકોની હઠ, બિચારાં બાળક, બાલવિકાસ અને શિસ્ત, આપણું ઘર પ્રકીર્ણ નોંધ: આપણી વચ્ચે વિચરતા પરમાનંદ એક માનવીરત્નને પરિચય, પુનર્જન્મ અંગે સંશોધન, આજના કડિયા સંબંધો, અતિમ વર્ષો દરમિયાન નહેરુની વિચારપરિણતિ, દીક્ષા પ્રસંગે કરવામાં આવેલી સામાજિક સખાવત, કલાકાર શ્રી નંદલાલ બસુ અંગેની નંધમાં છેડે સુધારે-વધારે, “માનવમુડદાંને નિકાલ અવેજીમાં– માનવનાં મુડદાંને નિકાલ આ રજનીકાન્ત મેદી ૨૨ પૃષ્ઠ Page #101 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૫-૧૬ પ્રબુદ્ધ જીવન ૧૫ - એક કર્મઠ રોગીની મંથનપોથી | (ગતાંકથી ચાલુ) હંમરશેલ્ડને સત્તા જોઈતી હતી. અસરકારક સેવા સત્તા વિના ન થઈ શકે એમ તેમને લાગતું હતું. પણ મુશ્કેલી એ હતી કે સત્તા ભોગવતાં ભોગવતાં કઈ રીતે રજકણ જેવા નમ્ર થવું? કઈ રીતે આંતરિક પરિપકવતાને સતત વિકાસ કરવો કે જેથી સત્તા વધુ ને વધુ સંસ્કારી બને? હંમરને સમાજની સેવા કરવી હતી, પણ તેમને સામાજિક ઉપચાર પ્રત્યે અત્યંત કંટાળો આવતો હતો. બીજી બાજુ એકલતાની ગૂંગળામણ એટલી તીવ્ર હતી કે કયારેક આત્મહત્યા કરવાનું મન થતું. સંસારમાં બેઠાં બેઠાં કઈ રીતે શરીરને પ્રભુના સાધન તરીકે વાપરવું? હૅમરશોલ્ડની આ મથામણ : “मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा।. निराशीनिर्ममो भूत्वा युद्धस्व विगतज्वरः॥" “અધ્યાત્મવૃત્તિ રાખી બધાં કર્મો મને અર્પણ કરીને આસકિત અને મમત્વ છેડી રાગરહિત થઈ તું યુદ્ધ કર.” ગીતાના આ શોકનું સ્મરણ કરાવે છે. આ પુસ્તક વાંચતા ગીતાના શ્લોકોનું વારંવાર સ્મરણ એટલા માટે થાય છે કે ગ્લૅમરશેડ સંસારના અનાસકત કર્મવીર થવા પુરુષાર્થ કરતા હતા. જીવનને યજ્ઞમય કરીને તેને પ્રભુચરણે ધરી દેવા માગતા હતા. એમણે શરીરને એક સાધન તરીકે વાપરવા માટે અનુરોધ કર્યો હતો. "Only he can conquer vertigo, whose body has learned to treat itself as a means." જે પિતાના શરીરને સાધન તરીકે વાપરતાં શીખ્યો છે તે જ ચિત્તના ચકરાવાને શાંત કરી શકે છે.” પરિપકવતા, સત્તા અને એકલતા- હૅમરશોલ્ડનાં આંતરિક જીવનની આ ત્રણ મુખ્ય ચૂંઝવણ હતી. પરિપકવ કઈ રીતે થવાય ? સતત આંતરિક વિકાસ સાધવાને કોઈ માર્ગ ખરો ? હેંમરશેલ્ડને જવાબ એ છે કે શબ્દ પ્રત્યે આદર એ પરિપકવતાની સીડીનું પહેલું પગથિયું છે. બુદ્ધિની, હૃદયની કે આત્માની પરિપકવતા માટે શબ્દનો ઉપયોગ અત્યંત કાળજીપૂર્વક અને સત્ય—પ્રેમથી કર જોઈએ. સત્ય પ્રત્યે આદર નહિ હોય તો સમાજ કે વ્યકિતને વિકાસ નહિ થાય. શબ્દને દુરુપયોગ કરવો એટલે મનુષ્ય પ્રત્યે તિરસ્કાર બનાવો. જ્યારે શબ્દને દુરપયોગ થાય છે ત્યારે માનવજાત એની ઉત્ક્રાંતિની મજલમાં બે ડગલાં પાછી પડે છે. જીવનથી કંટાળો આવતા હોય કે દુનિયા સ્વાર્થી અને મેલી લાગતી હોય તો ફરિયાદ કયાં કરવી ? હૈમરાલ્ડને લાગે છે કે જ્યાં આપણા પોતાના જ હાથ નાના હોય ત્યાં ફરિયાદ શું કરવી ? જ્યારે દુનિયામાં દેપ દેખાય ત્યારે ખરી જરૂર એ છે કે આપણે પોતે પરિપકવ થઈએ. આ પરિપકવતા શું છે ? હેંમરશાહે કોઈ મર્મી કવિની છટાથી પરિપકવતાની ઓળખ આપી છે. "Maturity : among other things--not to hide one's strength out of fear and consequently live below one's best." પરિપકવતામાં આ પણ આવે છે: ડરના માર્યા સાચી શકિત છુપાવવી નહીં અને સાથે સાથે જેટલું જોર હોય તે કરતાં જરા પણ નબળું જીવવું નહિ.” "Maturity : among other things—a new lack of selfconsciousness--the kind you can only attain when you have become entirely indifirent to yourself through an absolute assent to your fate." પરિપકવતામાં આ પણ આવે છે. સભાનતાને વિશિષ્ટ અભાવ– ભાવ ત્યારે જ પ્રાપ્ત થાય, જ્યારે જાતની તમામ ફિકર છોડીને સઘળું ઈશ્વરને હવાલે કરી દઈએ.” "Maturity: among other things, the unclouded happiness of the child at play, who takes it for granted that he is at one with his play-mates." પરિપકવતામાં આ પણ આવે છે: ભેરુઓથી પોતે જરાય જુદો નથી એવા વિશ્વાસથી રમતાં બાળકને નિર્મળ આનંદ.” અને આખરે પરિપકવતાનું આવું સ્વપ્ન હૅમરાલ્ડ અર્પે છે : "If only I may grow, firmer, simpler, quieter, warmer." “મારો વિકાર આ દિશામાં ઘાઓ: હું વધારે નિશ્ચળ, સરળ, શાંત, સ્નેહાળ બનું.” જે કુટુંબે દસકાઓ સુધી એકધારી રાજસત્તા માણી છે એ કુટુંબને એક વિચારશીલ ફરજંદ પવિત્રતા અને કર્મને અનિવાર્ય સંબંધ આ સ્મરણીય વાક્ય દ્વારા સૂચવે છે. "In our age, the road to holiness necessarily passes through the world of action.” - “આપણા યુગમાં તે હરિને મારગ કર્મભૂમિમાંથી જ પસાર થાય છે.” પણ સત્તાધીશ કવીર માથે મોટી જવાબદારી છે. જીવનને હેતુ બીજા પર હકૂમત ચલાવવાને નહિ પણ જનસાધારણની શુદ્ધ સેવા કરવાનો છે. "Only he deserves power who everyday justifies it." “સત્તા એને જ મળવી જોઈએ, જે દરરોજ એ માટેની લાયકાત બતાવે.” "Your position never gives you the right to command. It only imposes on you the duty of so living your life that others can receive your orders without being humiliated." “તમારા હાદો તમને હકૂમત ચલાવવાનો અધિકાર આપતે નથી. એ હદો તમારે માથે જવાબદારી નાખે છે કે માણસને તમારો હૂકમ ઝીલવામાં અપમાન ન લાગે એવું જીવન તમે જીવે.” સત્તાધારીએ કૂણું હૃદય રાખવું જોઈએ, પણ પિતાની જાત પ્રત્યે સખત થાય તેને જ બીજા પ્રત્યે દયાળુ થવાને અધિકાર પ્રાપ્ત થાય છે. અતડા અને શરમાળ હૈમરશોલ્ડની એકલતા કેવી હતી. ? "What makes loneliness an anguish Is not that I have no one to share my burden. But this I have only my own burden to bear.” “આ એક્લતાની વ્યથા એ નથી કે બીજું કે મારે બાજ ઉચકાવનું નથી. મારી વેદના આ છે : મારા નસીબે મારા એક્લાને જ બોજ ઉપાડવાને આવ્યો છે.” "Work as an anaesthetic against loneliness, books as a substitute for people!" “એકલતા ભૂલવા માટે કામ અને માણસને બદલે પુસ્તકો” હૈમરશેલ્ડની જિંદગીની કરુણા એ હતી કે એમને દાંપત્ય – સુખને અનુભવ નહોતે થે. એમના જીવનની મુશ્કેલી એ હતી કે સંસારમાં ડૂબેલા રહીને એમને હૃદય–સંપત્તિ વધારવી હતી. એમણે પ્રવાસે ખૂબ કર્યા હતા. પણ એમને સારો પ્રવાસ તે બીજે હતે. "The longest journey Is the journey inwards." “લાંબામાં લાંબા પ્રવાસ અંતરને પ્રવાસ છે.” હેમરશેલ્ડને જાપાનીઝ હાઈકુ ખૂબ પ્રિય હતાં. એમણે પોતે સંખ્યાબંધ હાઈકુ લખ્યાં છે. એક હાઈકુમાં એ એવા સુખની ઝંખના Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રભુપ્ત જીવન કરે છે કે જે સ્મિત અને નાજુક હાથના હલનચલન દ્વારા સહજ રીતે પ્રાપ્ત થાય. વળી બીજા એક હાઈકૂમાં એ કહે છે “અરે જીવ ! લોકોના સહવાસથી થાકી જઈને તું એકાંત શોધે છે. પણ તું એટલે થાકેલા છે કે તે ખાલી એકાંતને ભરવા માટે તારી પાસે શકિત જ રહી નથી.” આવી એકલતા કઈ રીતે નિવારવી ? હૅમરશાલ્ડને લાગે છે કે એકલતા એ એક એવી માંદગી છે કે જે મોત સાથેજ જાય. તે શું તે હાથ જોડીને બેસી રહે ? આપણા યુગમાં હરિનો મારગ કર્મભૂમિમાંથી પસાર થાય છે એવું કહેનાર આ કર્મવીર જીવનના તરસ્યા છે. "Openness to life grants a lightening-swift insight into the life situation of others." “જીવનના બધા વય્સરાને તમે ખુલ્લાં હાથે આવકારો તો બીજાનું જીવન સમજવાની ત્વરિત સૂઝ આવે છે.” "Life yields only to the conqueror. Never accept what can be gained by giving in. You will be living on stolen goods, and your muscles will atrophy.” “જીંદગી તે વિજેતાને જ વરે છે. શરણે થવાથી મળી શકે તેને કદી હાથ ન લગાડશા, તો તે તમે ચોરીના માલ પર જીવશે અને તમારા સ્નાયુઓ સુકાઈ જશે.” એમની પ્રાર્થના એટલી જ હતી કે એકલતાની વ્યથાને કારણે એમને કંઈક એવું મળી જાય કે જેથી જીવન અને મેાત બન્ને અર્થપૂર્ણ બને. આચાર્ય વિનોબા ભાવેએ એમના “ગીતાપ્રવચન”માં એવું વિધાન કર્યું છે કે ધર્મમય જીવન જીવવા માટે મરણનું સતત સ્મરણ રહેવું જોઈએ. મરણનું સ્મરણ રાખીને જીવીએ તે વધુ સજાગ રહેવાય છે એમ કહી એ પૂછે છે : “મરણના વાઘ હંમેશ સામે ઘૂરકતો ઊભા હોય ત્યારે પાપ કરવાનું સૂઝે કયાંથી ? પાપ કરવું હોય તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ. મરણનું હંમેશ સ્મરણ રાખવું એ પાપમાંથી મુકત રહેવાનો ઈલાજ છે. મરણ સામે દેખાતું હોય ત્યારે કઈ અને કોની હિંમતે માણસ પાપ કરશે?'' હૅમરશેાલ્ડની આ નોંધપાધીમાં મૃત્યુ ડગલે ને પગલે ડોકિયું કરે છે. “Give me something to die for ! '' “મૃત્યુ ધન્ય બને એવા કોઈ અવસર દે!” “The hardest thing of all—to die rightlyAn exam nobody is spared and how many pass it? And you? You pray for strength to meet the test but also for leniency on the part of the examiner." “કઠણમાં કઠણ કામ યોગ્ય રીતે મરવાનું છે. આ કસોટી કોઈને છોડતી નથી. એમાંથી કેટલા પાર ઊતરે છે ? અને તું ? કસોટી સામે ઊભા રહેવાના બળ માટે તું પ્રાર્થના કર અને સાથે સાથે પરીક્ષક ઉદાર થાય એવી પણ યાચના કર.' હૅમરશાલ્ડને ખબર હતી કે એમની ગમે તેટલી ઈચ્છા હોય તો પણ એમનું મૃત્યુ કોઈ એકાંત ખૂણાની મૌન અંજલિ નહીં જ બને. આમ છતાં એમણે એવી ઈચ્છા વ્યકત કરેલી કે હું દુનિયાની વિદાય લઉં ત્યારે ધીમે ધીમે ચારપગલે એવી રીતે સરકી જાઉં કે મહેફ્લિના રંગમાં ભંગ ન પડે. પણ વિધિએ સાવ જુદું જ ધાર્યું હતું. કોંગાની ઉગ્ર કટોકટી હળવી કરવા એ જાતે આફ્રિકા ભણી ઊપડયા અને નાન રહેાડેશિયાના એક ગામડામાં એમનું વિમાન તૂટી પડ્યું. એ જે રીતે ગયા તેથી માત્ર મહેફિલો થંભી ન ગઈ, દાગ ઉંમરશેાલ્ડની આવી વિદાયથી માનવજાતના તંદ્રામાં પડેલા અંતરઆત્મા પણ ચોંકયો અને સળવળ્યા. સમાપ્ત વાડીલાલ ડગલી તા. ૧૬-૫- * અવલાકના “ વિદ્યાવિહાર ગીતમાલા ** સંયોજક : શ્રી ભાઈલાલ શાહ (સંગીત અલંકાર), પ્રકાશક : હરિકૃષ્ણ આનંદજીવાલા, મંત્રી, શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, એલિસબ્રીજ, અમદાવાદ-૬. કિંમત રૂા. સાત ] સંગીતને માનવહૃદય સાથે સીધો સંબંધ છે. માત્ર માનવી નહીં, પણ પશુપંખી તેમ જ કુદરતનાં તત્ત્વો પર પણ સંગીતની સીધી અસર છે. મેરલીથી ડોલતા નાગ અને સંગીતના સૂર સાથે દોહવાથી વધુ દૂધ આપતી ગાયા (શારદાગ્રામમાં) આપણને અપરિચિત નથી, તેમ જ મલ્હારના સૂરથી રીંઝાતા મેઘદેવ પણ માત્ર દંતકથાના પાત્ર જેવાં નથી. પરંતુ માનવીના હૈયાની તે અનેક મિ. સંગીતથી જાગે છે ને સંગીતમાં આવિષ્કાર પામે છે. ચાલુ જીવનનાં સુખદુ:ખમાં સમાધાનવૃત્તિ કેળવવામાં પણ સંગીત ત્મિક અસર ઉપજાવે છે. જીવનની અનેક પ્રવૃત્તિઓ સાથે સૂર અને લય વણી દેતાં એ કાર્ય ભારરૂપ થવાને બદલે આનંદદાયક બની શકે છે. મકાન ચણતાં કડીયા ગા ને મજૂર શ્રી ભર તડકે જે કામની ‘વેઠ’સહી લેતાં હોય છે એમાં તેમના પ્રાણનું મુખ્ય બળ એમનું સંગીત હોય છે. આવી પ્રવૃત્તિ નામાં તેમજ શુભ કાર્યોનાં પ્રારંભમાં પણ પ્રાર્થનાના ઉદગારો એક અનોખી મંગલના વર્ષાવી જાય છે અને રાચેતનાને જગાવવામાં તે આપણાં શૌર્યગીત ને કૂચગીતાએ પોતાનું સ્થાન જમાવી≈ દીધું છે. ધ્યા 4 આમ જીવનમાં સંગીતની ઉપયાગતા ને અનિવાર્ણતાને સ્થાપિત કરતા એક સુંદર ગીતસંગ્રહ- “વિદ્યાવિહાર ગીતમાલા”- શ્રી ભાઈલાલભાઈ શાહને હાથે સંયોજીત થયા છે. અમદાવાદમાં અનેક વાર શ્રી ભાઈલાલભાઈના હલક સુમધુર કંઠ માણવા મળ્યા છે. એમના પ્રત્યક્ષ પરિચય વગર પણ એમના સ્વરના પરિચય હંમેશા આનંદદાયક રહ્યો છે. પરંતુ એમની શકિત માત્ર આટલામાં સીમિત ન હોય તેમ આ સંગ્રહ સાથે એમને ચીવટભર્યા સંગીતશિક્ષક અને સંયોજક તરીકે પણ પરિચય થાય છે. અમદાવાદની જાણીતી શિક્ષણસંસ્થા “શેઠ ચી.ન. વિદ્યાવિહાર” સાથે તેઓ છેલ્લાં બત્રીસ વર્ષાથી વિદ્યાર્થી તેમ જ શિક્ષકને નાતે જોડાયેલા છે. અનેક કંઠોને એમણે આજ સુધી વિવિધ ગીતાથી ગુંજતા કર્યા છે. આમાંના ૧૦૮ ગીતાને એમણે સ્વરાંકન સાથે “વિદ્યાવિહાર ગીતમાલા”માં સંગ્રહિત કર્યા છે. આમાં ૭૨ ગીતે ગુજરાતી છે તથા ૩૬ ગીતા અન્ય ભાષાના—જેમ કે બંગાળી, મરાઠી, હિંદી-છે, આવા ભાષાવૈવિધ્ય સાથે આવતાં આ સંગ્રહમાં વિષયવૈવિધ્ય પણ મજાનું છે. આમાં સવારે જગાડવા માટે ગાવામાં આવતાં વૈતાલિક (પ્રભાતિયાં), પ્રાર્થનાગીતો, અર્વાચીન તથા પ્રાચીન ભજના, પ્રેરણાગીતે, પ્રવૃત્તિ, પ્રકૃતિ તથા રાષ્ટ્રચેતનાના ગીતો છે. તદુપરાંત પ્રકીર્ણ વિભાગમાં છૂટાછવાયાં વિષયના થેડાંક ગીતો પણ છે. ગીતાની પસંદગી દરમ્યાન એના કાવ્યત્વ પ્રત્યે પણ સારૂં ધ્યાન અપાયું હોવાથી કાવ્ય-સંગીતનો સુમેળ સાધી શકાયો છે. ગુજરાતના પ્રસિદ્ધ કવિઓમાંથી લગભગ ૪૫ કવિઓના આમાં સમાવેશ થયો છે. છતાં એ પસંદગીમાં બધા પ્રતિનિધિ કવિઓના પૂરા ન્યાયપૂર્વક સમાવેશ થયા નથી લાગતા. સંસ્થાના આચાર્યની પંદરેક કૃતિઓ હાય, નાથાલાલ દવેની આંઠ કૃતિએ હોય અને રાજેન્દ્ર શાહ, બાલમુકુન્દ દવે કે નિરંજન ભગત જેવાની માત્ર એક એક કૃતિ જ હોય એમાં ઔચિત્ય લાગતું નથી. તેમજ પ્રિયકાન્ત મણિયાર કે વેણીભાઈ પુરોહિત જેવા કવિઓ વિસરાઈ ન ગયા હેત તા સંગ્રહમાં એર રંગત જામત. લલિત-મંજુલ ભાવવાહી પદાવલિની દષ્ટિએ આ કવિ સહેજ પણ ઓછા પડે એવું મને નથી લાગતું. આ “ગીતમાલા”માં ગીતા અને એના સ્વરાંકન ઉપરાંત સ્વરલિપિનાં ચિન્હો તેમ જ તાલનો પરિચય પણ આપ્યો છે. આટલી Page #103 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૫૬ પ્રબુદ્ધ જીવન ૧૬ ભૂમિકાને લાભ મળવાથી એમનું સ્વરાંકન (Notation) બરોબર સમજીને ગાઈ શકાય છે. ગીતના શબ્દો તેમ જ અક્ષરના લધુગુરુ તાલમાપ પણ બરાબર સચવાય તે માટે સંયોજકે ઝીણવટભરી દષ્ટિ રાખી છે. આખા સંગ્રહમાં જે સુઘડતા ને વ્યવસ્થિતતા છે તે સંયોજકની સુરુચિને ખ્યાલ આપે છે. માત્ર વિવિધ વિભાગોની શરૂઆતમાં આપવામાં આવેલાં ચિત્રથી થોડી નિરાશા જાગે છે. જૂની પાઠમાળામાં વર્ષો પહેલાં આવતાં ચિત્રોની કક્ષાનાં આ ચિત્રો હવે હેજ પણ રુચિકર નથી બનતાં. આ અને આવાં) ચિત્ર ન આપ્યાં હોત તો સંગ્રહને જરાય ઓછું ન આવત. અલબત્ત, મુખપૃષ્ઠ પરનું શારદાનું ચિત્ર ઘણું સુંદર ને યથાસ્થાને છે. એટલું જ પૂરતું નથી ? આ સંગ્રહની ગુજરાતી ભાષા દેવનાગરી લિપિમાં છે, એ પણ એની નવીનતા ગણાવી શકાય. આથી એને વ્યાપક ઉપગ થશે. આમ પણ આવું સમૃદ્ધ પુસ્તક કોઈ પણ શાળા, કોલેજ તથા સંગીતસંસ્થાની અમૂલ્ય મૂડી બની શકે એમ છે. સીનેમાના તદ્દન શુદ્ર સંગીત પ્રત્યે ભાનભૂલીને ખેંચાઈ રહેલા વિદ્યાર્થી ઓ અને યુવક-યુવતીઓ સમક્ષ આવી “ગીતમાળા” એક સુંદર વિકલ્પ મૂકે છે. શાસ્ત્રીય સંગીતના ઊંડાણમાં ડૂબકી ન મારી શકે તેને પણ હળવું સંગિત આકર્ષી શકે છે. એમાં પણ આવા ઉદાન મનભાવ પ્રેરતો ગીત ઘડાઈ રહેલી સંગીત રુચિને સાચી દિશા તરફ વાળે એમ છે. - આ ગીત ગાવાં વધુ સરળ બને એ દષ્ટિએ એટલું સુચવું કે એની ટેપ-રેકર્ડ ઉતારીને લેકમાં એને યથારૂપે વહેતાં કરો. સંગહની કદ-મર્યાદામાં સમાઈ ન શકી હોય છતાં સુંદર હોય તેવી અન્ય ગેયરચનાઓની એક નામાવલી–List-આમાં ઉમેરાઈ હોય તો અન્ય ગાયકો એને સ્વરબદ્ધ કરીન ગાઈ શકે ખરા. જોતાં જ મન ગાવા માંડે તેવા આ પવિત્રમધુર ગીત-સંજન દ્વારા શ્રી ભાઈલાલભાઈએ સાહિ–સ નીત ની અવિસ્મરણીય સેવા કરી છે. ગીતા પરીખ Economic Trends and Indications (ભાગ ૩, ૪, ૫ અને ૬: લેખક: શ્રી ભીખાલાલ કપાસી; છે. બી-૫; પંડારા રોડ, ન્યુ દિલ્હી-૧૧, કિંમત રૂા. ૫, રૂ. ૫, રૂા. ૭.૫૦, રૂા. ૭.૫૦) શ્રી ભીખાલાલ કપાસી અર્થશાસ્ત્રના ઊંડા અભ્યાસી છે. તેઓ અઠવાડિક, માસિકો, વિ. માં આ વિષયમાં અવારનવાર લખતા હોય છે અને અનુકુળતાએ તેને સંગ્રહ પ્રકાશિત કરી લોકો સમક્ષ મૂકે છે, જે પુસ્તકો અર્થશાસ્ત્રમાં રસ લેનારને તથા સામાન્ય જાગૃત નાગરિકને સારૂં ને સરળ વાંચન પૂરું પાડે છે. ભાઈશ્રી કપાસીના લેખે પૃથક્ પૃથક્ લખાયા હોવા છતાં સળંગ રીતે વાંચનારને દેશ સમક્ષના આર્થિક પ્રશ્નને હૂબહૂ ખ્યાલ આપે છે. મુખ્ય પ્રશ્નોનું સ્વરૂપ તેના વિવિધ પાસાંઓને લેખક સ્પર્શે છે ને તે પરત્વે પિતાનું અવલોકન ને ટીકાટીપ્પણ અસરકારક રીતે રજુ કરે છે. એક રીતે જોતાં પ્રૌઢ શિક્ષણને આ એક ઉત્સાહી ને સતત પ્રયત્ન જ છે, જે બદલ ભાઈશ્રી કપાસી આપણા સૌના અભિનંદનના અધિકારી બને છે. આઝાદી પછી આયોજિત આદિક વિકાસનું ભગીરથ કાર્ય આપણે આરંભ્ય ને પંચવર્ષીય યોજનાઓ અમલી બની તેના ખેતી, ઉદ્યોગો ને નિકાસના સામાન્ય પ્રશ્નોની ચર્ચા ભાગ-૩માં કરવામાં આવી છે. Curate ના ઈંડા પ્રમાણે દેશને આર્થિક વિકાસ કેટલાક ભાગે સારો થયો છે. તેને લેકશાહી રીતે અમલ થાય છે, તેથી ઉગતી લોકશાહીની મર્યાદાઓ વચ્ચે માર્ગ કાઢવાને રહે છે. મોટો વસ્તીવધારો, બેસુમાર ગરીબી અને નીચા જીવનધોરણના પ્રશ્ન ઉકેલવાનું કાર્ય સહેલું નથી તેમ લેખકે સારી રીતે પુરવાર કરી બતાવ્યું છે. ભાગ ૪માં લેખકે ચોથી પંચવર્ષીય યોજનાના અનેક પાસાઓની છણાવટ કરતા લેખો સંગ્રહ્યા છે. લોકકલ્યાણને વરેલી સરકારે લોકોના અસંતોષને દૂર કરવું જ રહ્યો એ બાબત ઉપર ભાર મૂકીને ખેતીવાડી ક્ષેત્રે મળેલી નિષ્ફળતા અને મેઘવારી તથા ભાવવધારાના પ્રશ્ન તેમણે ચર્યા છે ને જણાવ્યું છે કે, રશિયાની પદ્ધતિનું અનુકરણ કરવાને બદલે આપણે ખૂબ જ વાસ્તવવાદી ને નક્કર ધરણે આગળ વધવું જોઈએ ને દેશના આંતરિક સાધનો બરાબર એકત્રિત કરી તેને પૂર ઉપયોગ કરવો જોઈએ, તથા તાન્કાલિક પરિણામે હાંસલ થાય તેવી યોજનાઓ હાથ ધરી ખેતીવાડીને અવશ્ય અગ્રસ્થાન આપવું જોઈએ. સ્વ. શ્રી. નહેરૂના અવસાન પછી શ્રી શાસ્ત્રીએ દેશની ધૂરા સંભાળી તે સમયના લેખો ભાગ-૫માં છે. ૧૯૬૫-૬૬નું અંદાજપત્ર, આર્થિક વિકાસ ને વિદેશના વેપાર, નિકાસ કરતા દેશના ઉદ્યોગે, સમાજવાદ, કેંગ્રેસની આર્થિક નીતિ, જાહેર ક્ષેત્ર-ખાનગી ક્ષેત્ર, ગજગ્રાહ જુદા જુદા ઉદ્યોગોના સવાલ વિ. વિષયે તેમણે ચર્ચા છે. શ્રી કપાસીને લેખસંગ્રહ ભાગ દદ્દો તાજેતરમાં જ પ્રસિદ્ધ થયો છે. પહેલા વિભાગમાં ૧૯૬૫ની સાલના ભારતીય અર્થતંત્રના વિવિધ પાસાઓને છણવામાં આવ્યા છે. ભારતીય - પાક યુદ્ધથી અર્થતંત્ર પરને બોજો વધ્યો ને તે દરમ્યાન જે પાઠ આપણે શીખ્યા કે “આપણા પગ પર ઊભા રહેતાં આપણે શીખવાનું છે ને તેમાં જ સ્થાયી લાભ છે.’ તે સરકારની વિવિધ નાણાકીય, આર્થિક ને ઔદ્યોગિક નીતિનું પણ લક્ષ્ય હોવું જોઈએ ને આ ઉદેશ પાર પાડવા સરકાર અને પ્રજા વચ્ચે ઉચ્ચ કક્ષાને સહકાર જરૂરી છે. લેખકે આ બાબતે સારી રીતે સમજાવી છે. સંગ્રહનાં બીજા અને ત્રીજા ભાગમાં સંરક્ષણ અને નિકાસે, ચોથી જનાનું પહેલું વર્ષ ને વાસ્તવણી નીતિ. નેહરા પછીના એક વર્ષની આથિક સમશ્યાઓ, વિ. બાબત ચર્ચવામાં આવી છે. આર્થિક બાબતોની ચર્ચા હરહંમેશ ગંભીર ને મુશ્કેલ હોય છે એવું નથી એમ ભાઈશ્રી કપાસીએ એમના સંગ્રહ થયેલા ઘણા લેખે દ્વારા પુરવાર કર્યું છે ને તેમણે આ અઘરા વિષયને લોકભોગ્ય રીતે રજુ કર્યો છે. શ્રી કપાસીના ઉપરના પુસ્તકમાં સંગ્રહાએલા લેખે જાણકારીની દષ્ટિએ, આંકડાઓની દષ્ટિએ ને સુવાચ્યતાની દષ્ટિએ વાંચકને ખૂબ પસંદ પડે તેવા છે. તેમના અભિપ્રાય સાથે બધા સંમત થાય કે નહીં, છતાં તે અભિપ્રાયો તેમણે નિષ્પક્ષપાતપણે આપ્યા છે. ને આર્થિક પ્રશ્નની ચર્ચા કરવાની તેમની પકડ ને અભ્યાસ જબરા છે તેમાં શંકા નથી. બાળકોની હઠ. બિચારાં બોળકે. બાલવિકાસ અને શિસ્ત, આપણું ઘર. લેખિકા : શ્રીમતી તારાબહેન મેડક, અનુવાદક: શ્રી ચંદુલાલ ભટ્ટ પ્રકાશક, ગ્રામબાલશિક્ષણ કેન્દ્ર પ્રકાશન, કોસબાડ ટેકરી, ઘોલવડ, જિલ્લે થાણા, પશ્ચિમ રેલવે). બાળકોમાં કે બાલશિક્ષણમાં રસ લેનાર ભાગ્યે જ કોઈ હશે જેમણે તારાબહેન મોડકનું નામ નહીં સાંભળ્યું હોય. વર્ષોથી તેઓ આ ક્ષેત્રમાં પડયા છે ને તેમણે જ કહ્યું છે તેમ તેમના જીવનકાર્યના નીચેડ રૂપે આ પુસ્તિકામાં તેમણે તેમના વિચારો સરસ ને સરળ રીતે રજુ કર્યા છે. બાળકેળવણી અને બાળજીવન જેવા મહત્ત્વના વિષયમાં પરદેશે જેટલું આપણે ત્યાં ખેડાણ થયું નથી. તારાબહેન મોડક જેવા બીજા ઘણા શિક્ષણશાસ્ત્રીઓએ આ બાબતમાં પોતાના વિચારો રજુ કરવા જોઈએ અને બાળક અને વડિલેના વિભિન્ન તાલની મીલાવટ સમજપૂર્વક થઈ શકે તે માટે ઉપયોગી સાહિત્ય બહાર પાડવું જોઈએ. તારાબહેને યોગ્ય જ કહ્યું છે કે ‘બાલમનને પિપક છે પ્રસન્નતા, પ્રેમ, વ્યકિત સન્માન, પ્રવૃત્તિઓ, વ્યવસ્થા અને નિયમિતપાછુ.' આ સીંચન કુમળા રોપાએને કરવા તેમણે માબાપને માળી બનવાનો ખાસ અનુરોધ કર્યો છે તે સાથે સ કોઈ સહમત થશે. કાન્તિલાલ બોડિયા Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રબુદ્ધ જીવન પ્રકીર્ણ નોંધ ✩ આપણી વચ્ચે વિચરતા એક માનવીરત્નના પરિચય આર્થિક દષ્ટિએ જેમણે પોતાના જીવનની શરૂઆત. લગભગ શૂન્યથી કરી હતી. એવા શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ ધી બોમ્બે શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસેસીએશનના પ્રમુખ તરીકે તાજેતરમાં ચૂંટાયા છે. આવી વ્યકિત કોઈ પણ સમાજને માટે ગૌરવ લેવા યોગ્ય ગણાય અને તેથી તેમના પ્રબુદ્ધ જીવનના વાચકોને અહિં પરિચય આપવામાં આવે તે સર્વ પ્રકારે ઉચિત લેખાશે. શ્રી કાન્તિલાલભાઈની આજે ૬૫ વર્ષની ઉમ્મર છે. તેમના જન્મ રાધનપુરમાં થયેલા. કમનસીબે માતપિતાને આઠદશ વર્ષની ઉમરે ગુમાવતાં, તેઓ મુંબઈ ખાતે પોતાના મામાને ત્યાં રહીને બાબુ પનાલાલ પુનમચંદ હાઈસ્કૂલમાં ભણેલા. મેટ્રીક સુધી પહોંચ્યા. ન પહોંચ્યા, એટલામાં શ્રી શકુન્તલાબહેન સાથે તેમને વિવાહસંબંધ નક્કી કરવામાં આવ્યા અને થોડા સમય બાદ પેાતાનાં લગ્ન થશે તે પછી પોતે કેવી રીતે પેાતાને જીવનનિર્વાહ કરી શકશે એ વિચાર અને ચિન્તામાં તેમણે પાતાના અભ્યાસ છેડી દીધા અને દ્રવ્યાપાર્જન નિમિત્તે શેરબજાર તરફ તેઓ વળ્યા અને ઘણુ ખરૂ એમના મામા જે શેરબજારના વ્યવસાય કરતા હતા, તેમની ઑફિસમાં એક ક્લાર્ક તરીકે જોડાયા. આ વ્યવસાયની તેમને થેાડા સમયમાં શુઝ બેસી જવાથી તે જ બજારમાં એક જોબર · તરીકે તેમણે પેાતાના વ્યવસાય આરંભ્યા; વખત જતાં તેઓ જાતજોખમે ધંધા . કરવા લાગ્યા; તેમાં તેમને ઉત્તરોત્તર સફળતા મળતી ગઈ; વિપુલ પ્રમાણમાં દ્રવ્યોપાર્જન થતું ચાલ્યું; મુંબઈના એક અગ્રગણ્ય કુશળ શેરાકર તરીકે તેમની પ્રતિષ્ઠા જામતી ગઈ. આજથી ૨૬ વર્ષ પહેલા મુંબઈના શેર એન્ડ સ્ટોક બ્રોર્ક્સ એસે સીએસનના બાર્ડ ઉપર તેઓ નિમાયા. છેલ્લાં પાંચ વર્ષથી તેમ એસાસીએશનના વાઈસપ્રેસીડેન્ટ-ઉપપ્રમુખ–તરીકે કામ કરી રહ્યા હતા અને તાજેતરમાં, એ એસોસીએશનના છેલ્લા ૪૦ વર્ષથી પ્રમુખપદને ભારે યશસ્વીપણૅ શાભાવી રહેલ ખ્યાતનામ શ્રી. કે. આર. પી. શ્રોફ વૃદ્ધાવસ્થા અને નબળી તબિયતના કારણે તે પદ ઉપરથી નિવૃત્ત થતાં, વ્યાપાર અને ઉદ્યોગના ક્ષેત્રે અસાધારણ જવાબદારીભર્યા પ્રમુખસ્થાને શ્રી કાન્તિલાલભાઈની સર્વાનુમતે વરણી થઈ. આ હકીકત જ કાન્તિલાલભાઈની પોતાના વ્યવસાય— ક્ષેત્રમાં અસાધારણ કુશળતા અને શેરદલાલામાં અપ્રતિમ પ્રતિષ્ઠા અને લેાકપ્રિયતા પુરવાર કરવા માટે પૂરતી છે. આતા તેમની વ્યવસાયલક્ષી જીવનની આપણે ટૂંકી લેાચના કરી. આ ધંધાદારી જીવન સાથે તેમનું જાહેર જીવન-ખાસ કરીને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક માને લગતું જાહેર જીવન—એટલું જ ઉજળું અને ગૌરવપ્રદ છે. અત્યંત ગરીબીમાંથી ઊંચે આવેલા કાન્તિલાલભાઈની પ્રકૃતિમાં દીનદુ:ખી, ગરીબ, અભણ પ્રત્યે ઊંડી સહાનુભૂતિ જડાયલી છે અને આ સહાનુભૂતિ અનેક ઉદાર સખાવતા દ્વારા વિવિધ પ્રકારે સક્રિય રૂપ ધારણ કરતી રહી છે. દ્રવ્યની આવક વધવા સાથે તેમનામાં ઉદારતાના ગુણ સારા પ્રમાણમાં વિકસત રહ્યો છે અને તે ઉદારતા અનેક સામાજિક તેમ જ શૈક્ષણિક સંસ્થાઆનું નિર્માણ કરવા પાછળ અથવા તે તેનું અર્થસીંચન કરવા પાછળ મૂર્ત થતી રહી. છે. તેમના જીવનનું સૌથી મહત્ત્વનું કાર્ય મુંબઈ ખાતે આવેલી શ્રી શકુન્તલા કાન્તિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલ છે. શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા મારફત ચાલતી એક સામાન્ય કન્યાશાળાને પોતાની ઉદાર સખાવતથી તેમ જ તે પાછળના સતત પરિશ્રામથી તેમણે મુંબઈની એક અદ્યતન અને અગ્રગણ્ય શિક્ષણસંસ્થામાં પરિણત કરી છે. વર્ષો પહેલાં રાધનપુર તા. ૧૬-૫-૬૬ ✩ ખાતે તેમણે એક જૈન બોર્ડિંગ ઊભી કરેલ છે અને તેને પાતાના પિતાશ્રીના નામ સાથે જોડેલ છે અને એક મોટા ઉપાાય બંધાવી આપીને તેને પોતાનાં માતુશ્રીના નામ સાથે જોડેલ છે. જૈન શ્વે. મૂ. સમાજના તેઓ એક અગ્રગણ્ય આગેવાન છે અને જૈન શ્વે. મૂ. કાન્ફરન્સની વર્ષો સુધી તેમણે અધાક સેવા કરી છે. એ સેવાના અનુસંધાનમાં પ્રસ્તુત કોન્ફરન્સના ઉત્તરોત્તર ફાલના અને જુનાગઢ ખાતે મળેલાં અધિવેશનના પ્રમુખસ્થાનને તેમણે શોભાવેલ છે. આ સિવાય જૈન કૉન્ફરન્સ ઉદ્યોગગૃહ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય વગેરે અનેક જૈન સંસ્થાને તેમની સેવા અને સંપત્તિને સારો લાભ મળ્યા છે. તેઓ એક વખત મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય હતા. વિચારના ક્ષેત્રમાં તે. એક વખત ઉદ્દામ હતા. આજે જેમ બીજા અનેક આગેવાનામાં જોવામાં આવે છે તેમ ધન, પ્રતિષ્ઠા અને મોભા વધવાના કારણે તેમ જ સામાજિક આગેવાનીના કારણે, નહિ એકદમ સ્થિતિચુસ્ત કે નહિ એકદમ સુધારક - એવી મધ્યસ્થ વૃત્તિનું વલણ તેમના આચારવિચારમાં જોવા મળે છે. જૈન ધર્મ વિષે તેમનામાં ઊંટો આસ્થા છે અને તેનું પરિણામ નુંપ્રદાયપરાયણતામાં આવે તે સ્વાભાવિક છે. અને આમ છતાં તેમનામાં પ્રાકૃતિક સમભાવ અને ઉદાત્તતાનું આપણને સુભગ દર્શન થાય છે. તેમના જીવનમાં ધનના પ્રવાહ વહેતો રહેલા હોવા છતાં, આજનું ભાગવિલાસભર્યું જીવન તેમને જરા પણ સ્પ નથી, તેમની રીતભાતમાં એક પ્રકારની સાદાઈ અને સરળતા જોવામાં આવે છે. શીલસંપન્નતા એ તેમની મોટામાં મોટી મૂડી છે, તેઓ એક લાગણીપ્રધાન સજ્જન છે; તેમના ગમા-અણગમા તીવ્ર હોય છે; મળેા ત્યારે કદિ પ્રસન્ન હોય, કદિ ન પણ પ્રસન્ન હોય એવી તેમની આવેગપ્રધાન પ્રકૃતિ છે, જેને અંગ્રેજીમાં man of moods કહે છે, તેવું કાંઈક તેમની પ્રકૃતિનું રૂપ છે. આમ છતાં પણ તેમનું દિલ સાફ અને 'ખ વિનાનું છે. ઊંડા દિલની ઉષ્મા અને કોમળતા એ તેમની વિભૂતિ છે. શ્રી શકુન્તલાબહેન જેવી ઉચ્ચ કોટિની સહધર્મચારિણી તેમને મળી છે એ તેમના જીવનનું પરમ સૌભાગ્ય છે. પત્ની તો પતિનિષ્ટ હોય જ, પણ એ જ માત્રામાં ભાગ્યે જ કોઈ પતિ પત્નીનિષ્ઠ હોય છે. આવી અપૂર્વ પત્નીનિષ્ઠા કાન્તિલાલભાઈમાં આપણને જોવા મળે છે. તેમને ત્રણ પુત્રો અને બે પુત્રી છે. પુત્રો વ્યવસાયપરાયણ છે; પુત્રીઓ પરણેલી છે; બધાં સુખી છે. ત્રણ પુત્રમાંના વચલા ભાઈ વસંતલાલ સારા લેખક અને ચિન્તક અને આશાસ્પદ સાહિત્ય કાર છે. આ કાન્તિલાલભાઈનું ગૃહસ્થજીવન અપૂર્વ સંવાદિતાથી ભરેલું છે અને તેની સૌરભ ચાતરફ સારા પ્રમાણમાં ફેલાયલી છે. કાન્તિલાલભાઈના જીવનની સફળતામાં શકુન્તલાબહેનના સહકારનો ઘણા મોટો ફાળો છે. પત્રકારના નાતે, મારે અહિં કબુલ કરવું જોઈએ કે, તેમના જાહેર જીવનને લગતા એક યા બીજા કાર્યની ટીકા કરીને મેં તેમને, અવારઅનવાર દુભાવ્યા છે. એમ છતાં જયારે પણ તેમને મળવાનું બન્યું છે ત્યારે તેમણે તેમ જ શકુન્તલાબહેને પણ મને અંતરના ઉમળકાથી આવકાર્યો છે. આવા તેમની સાથેના અંગત સંબંધને હું મારૂ સદ્ભાગ્ય લેખું છું. મારા ચિત્તમાં કાન્તિલાલભાઈનું જે પ્રકારનું ચિત્ર ઉપસેલું છે તેવું જ ચિત્ર અહિં શબ્દમાં આલેખવાના મેં પ્રયત્ન કર્યો છે, માનવી માત્ર અપૂર્ણ છે. જેમ અન્યમાં તેમ જ તેમનામાં પણ કંઈ કઈ છૂટીઓ હશે, છે, આમ છતાં પણઅસાધારણ પુરુષાર્થ દાખવતું Page #105 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૫૬ તેમના જીવનનું સમગ્ર દર્શન કોઈના પણ દિલમાં આદર અને સદ્ભાવ પેદા કર્યા વિના ન જ રહે. એક સામાન્ય માનવી અને જીવનના સામાન્ય સંયોગો, એમ છતાં જીવનભરનો પુરુષાર્થ અને ઊંડી કાર્યનિષ્ઠા વડે એક માનવી કેટલેા અસામાન્ય બની શકે છે તેનું કાન્તિલાલભાઈ પ્રેરક દષ્ટાંત છે. પુનર્જન્મ અંગે સશોધન પ્રબુદ્ધ જીવન આપણા વંશપર પરાગત ધાર્મિક ઉછેરને અંગે પુનર્જન્મને લગતી માન્યતા આપણા ચિત્ત સાથે એટલી બધી વણાઈ ગઈ છે કે આપણા ચાલુ જીવનમાં વ્યાપી રહેલી વ્યકિતગત અસમાનતાના પુનર્જન્મ સિવાય બીજો કોઈ ખુલાસા હાઈ જ ન શકે એમ આપણે સુઢપણે માનતા આવ્યા છીએ. આમાં પણ કોઈ એક યા અન્ય વ્યકિતને પોતાના પુર્વભવને લગતી હકીકતનું સ્મરણ થયાના સમાચાર છાપાઓમાં અવારનવાર પ્રગટ થતા જોઈને તેમજ સાંભળીને આપણી ઉપર જણાવેલ પરપરાગત માન્યતાને પાકું સમર્થન મળતું રહે છે અને તેથી પુનર્જન્મનો વિચાર આપણામાં વધારે ને વધારે દઢ થતો રહે છે. આમ છતાં પણ આપણૅ એ હકીકત ધ્યાનમાં લેવી જોઈએ કે પુનર્જન્મના સિદ્ધાત જે રીતે જૈનો તથા બૌદ્ધો સમેત હિંદુઓ સમજે છે અને સ્વીકારે છે તેવી માન્યતા દુનિયાના અન્ય ધર્મીઓની છે જ નહિ. આ ઉપરાન્ત આપણે એ પણ સમજવું જોઈએ કે આ પુનર્જન્મનો સિદ્ધાન્ત કેવળ અનુમાન ઉપર આધારિત છે, તેને કોઈ વૈજ્ઞાનિક સંશોધનના આધાર છે જ નહિ, વળી પૂર્વજન્મસ્મરણના દાખલાઓ એટલા બધા વિરલ હોય છે, તેની વિગ। એટલી બધી કલ્પનાથી મીશ્રિત અને એ કારણે અવિશ્વસનીય હાય છે, અને પ્રસ્તુત પુર્વજન્મસ્મરણ એટલું બધું અલ્પકાલીન હોવાનું જણાવવામાં આવે છે કે તેના ઉપર કોઈ પાકા પાયાના વૈજ્ઞાનિક સિદ્ધાન્ત હજુ સુધી ઊભા થઈ શક્યા નથી. પુનર્જન્મ સૂચવતા કિસ્સાઓના પણ આજના મનોવૈજ્ઞાનિકો તરેહતરેહના પુનર્જે મ—વિરોધી ખુલાસાઓ આપે છે, પણ વ્યવસ્થિત સંશોધનના અભાવે આ ખુલાસાઓ પણ પૂરો સંતેષ આપી શકતા નથી. આ રીતે આજની વિચારક—દુનિયામાં પૂનર્જન્મના સિદ્ધાંત અંગે ભારે અનિશ્ચિત પરિસ્થિતિ પ્રવર્તે છે. એક યા બીજી બાજુને લગતી આ નિશ્ચિતતા દૂ૨ થાય અને કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવી શકાય એ હેતુથી કેટલાક સમયથી જયપુર યુનિવર્વાર્સટીમાં ડૉ. હેમેન્દ્રનાથ બેનરજીના માર્ગદર્શન નીચે પેરાસાઈકોલાજી વિભાગમાં પુનર્જન્મ અંગે સંશાધન ચાલી રહ્યું છે અને તેના અનુસંધાનમાં ડા. હેમેન્દ્રનાથ બેનરજી તાજેતરમાં યુરોપના પ્રવાસે નીકળ્યા છે અને આ સંશાધન અંગે તેમણે નીચે મુજબનું એક નિવેદન બહાર પાડયું છે.— “યપુરના રાજસ્થાન વિશ્વવિદ્યાલયના પેરાસાઈકોલ જી વિભાગ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી મુકત બનીને વૈજ્ઞાનિક ઢબે આ સમસ્યાની વાસ્તવિક બાજુનું અધ્યયન કરી રહેલ છે. આ વિભાગ આવા પ્રકારની ઘટનાઓ પ્રત્યે કોઈ પણ પ્રકારના આગ્રહ ધરાવતા નથી. તેથી અત્યાર પૂરતું તે એ વિભાગ આવા પ્રકારની ઘટનાઆને પુનર્જન્મની ઘટનાઓ તરીકે ઓળખાવવાનું માનવા યા મનાવવાને બદલે એ ઘટનાઓને Extracerebral-memoryની— અતિ—મસ્તિષ્ક સ્મૃતિની ઘટનાઓ તરીકે ઓળખાવવી વધારે યોગ્ય લેખે છે. જયાં સુધી આવી જાતની અનેક ઘટનાઓના અધ્યયનના ફળરૂપે કોઈ વૈજ્ઞાનિક નિષ્કર્ષ ઉપર પહોંચી ન શકાય ત્યાં સુધી, આવી ઘટનાઓ કેમ અને કેવી રીતે બને છે એ કહેવું મુશ્કેલ છે. આ સમસ્યાનું સવિશેષ અધ્યયન થઈ શકે એ માટે એ જરૂરી છે કે આ નિવેદનના વાચકો આ વિભાગ ઉપર આવી વધુ ને વધુ ઘટનાઓની પ્રમાણભૂત ખબરો મોકલે તેમ જ આવી ઘટનાઓના ગંભીર અધ્યયન માટે જરૂરી 7 ૧૯ સર્વ સાધનસામગ્રી પહોંચાડતા રહે. તેથી વાચક મહાનુભાવાને નીચેના સરનામે આવી ઘટનાઓ અંગેની જરૂરી અને પ્રમાણભૂત માહિતી મોકલવા વિનંતિ છે. ઠેકાણું: પ્રોફેસર હેમેન્દ્રનાથ બેનરજી, સંચાલક: પેરાસાઈકોલાજી વિભાગ, રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુર (રાજસ્થાન). ” આ રીતે મોટા ભાગે ધર્મશ્રદ્ધા અને ધાર્મિક માન્યતાને વિષય ગણાતી એવી ‘પુનર્જન્મ’ જેવી બાબતમાં વૈજ્ઞાનિક ધારણે સંશોધન કરવાની પહેલ કરવા બદલ રાજસ્થાન વિશ્વવિદ્યાલયને અને તે સંશોધનને પોતાનું જીવનકાર્ય બનાવનાર પ્રોફેસર હેમેન્દ્રનાથ બેનરજી ને ધન્યવાદ આપવા સાથે આપણે સફળતા ઈચ્છીએ! આજના રોકડિયા સંબંધે તા. ૨-૫-૬૬ સોમવારના ‘જન્મભૂમિ ’ માં ‘શીલ, સમાજ અને સંસ્કૃતિ' એ મથાળા નીચે પ્રગટ થયેલી “સમૃદ્ધ સમાજ અને સ્નિગ્ધતા વિહોણા માનવસંબંધ ” એ શિર્ષક શ્રી મનુભાઈ પંચાળીની નોંધ આગળની પેઢી અને આજની પેઢી વચ્ચે રહેલા માનવતાલક્ષી તફાવતને બહુ સુંદર અને સચોટ રીતે રજૂ કરે છે, તે નોંધ નીચે મુજબ છે : “મારે ત્યાં કામ કરતી. કામાવાળીને મેં પૂછી તો નાખ્યું: ‘આ તારી દીકરીનું શું નામ છે?” પણ પછી મનમાં થયું કે મારા બાપુજી હોત તો તેમણે આમ પૂછવાને બદલે “આ ભાણકીનું નામ શું રાખ્યું છે?” એમ પૂછ્યું હોત. તારી દીકરી અને ભાણકી – બંને વચ્ચે કેટલું મોટું અંતર છે? તારી દીકરી એટલે તારી, મારે કાંઈ નહિ અને ભાણકી એટલે તારી દીકરી ખરી પણ મારી તો દીકરીની દીકરી. સૌજન્ય ને માધુર્યની સરવાણી તેમાં વહી રહી છે, જ્યારે પહેલી ઢબમાં છે માત્ર મારું કુતૂહલ. “માર્કસે એક જગાએ કહ્યું છે કે બુર્ઝવા બધા સંબંધોને રોકડિયા બનાવી દે છે, અને રોકડિયા એટલે શુદ્ર, વ્યાપકતા વિનાના. માલિક - મજૂર, ગુરુ - શિષ્ય, અમલદાર - પટાવાળા, બાપ - દીકરો, ધણી ને ધણીયાણી બધા સંબંધોના ગજ તેમાં થતાં પૈસાની લેવડદેવડ બની જાય છે, અને એ અર્થમાં ભદ્ર સંસ્કૃતિ અભદ્ર લાગે છે. “મારી કામવાળી ચીવટાઈપૂર્વક ચળકતાં વાસણ ગાઠવી ફ્ લદાની ભરી, તીઆનો ગલેફ બદલાવી, મારા જોડા - ચંપલ સુધડ પંકિતમાં ગેાઠવી ઘરને રમ્ય, આહ્ લાદક બનાવે છે, તેની નાની છેકરીને મૂકીને આવી હોય તો પણ ઝટઝટ બધું પતાવવાની ધડપડ કરતી નથી, પણ તેની આ સાહજિક ને નૈસર્ગિક માવજત માટે મને કોઈ સ્વજનભાવ જાગતા નથી. પૈસા આપીએ છીએ; તે સારું કામ કરે છે. રૂપિયો વધારે આપીએ. તે તેના પૈસાની ધણી, હું મારા પૈસાના. અમારી વચ્ચે રોકડો વહેવાર છે. રોકડો એટલા કોરો, સ્નિગ્ધતા વિનાનો. “મારા પિતાના ઘરમાં પણ એક કુંભારની નાની છેકરી કામ કરતી. કામ તે શું કરે, પણ મારાં નાનાં ભાંડરડાંને રમાડે, ને લાટાવાડકા માંજે; પણ એ પારવતી આવતી તે દહાડે ઘરના અન્ય સભ્યો જેવી લાગતી, મારાં બા ખાવાનાનો ભાગ તેને સારું રાખતાં, તેને ચુંદડી, ધાધરી, પેાલકાં કરાવી આપતાં, અમે સાધારણ—સાવ સાધારણસ્થિતિનાં હતાં. અપાયું તે કેટલુંક હશે ? પણ તે અમારા ઘરની લાગતી, ને તે પરણી (નાની ઉંમરે) સાસરે ગઈ ત્યારે અમને સૌને તેના અભાવ સાલેલા, ને આંખ ભરાયેલી. ઉમ્મરના “મારા સસરાની વાત સાંભળી છે. તે માતબર ખેડૂત હતા. ઘેર આઠ - દસ હાળીઓ તો ખરા જ, પણ મોટી હાળીને એ છનિયા – કાકો કહે, ને બાઈ હોય તો મંગળી કાકી કહે, આવા એક હાળી મરવા પડયા, તેની ખબર કાઢવા ગયા, પૂછ્યું : ‘કાકા, કાંઈ મન રહી જાય છે”. હાળી કહે, “ ઓણ કેરી તા પાકવાની વાર છે ને હું આ ચાઈલા. ” Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રમુદ્ધ જીવન “મારા સસરાએ મુંબઈ માણસ મોકલી હાફુસ કેરી મંગાવી ને પેલાને ખવરાવી. આ “એરીફ ફ઼ોમે‘Sane Society 'માં આ સમૃદ્ધ સમાજ પણ સ્નિગ્ધતા વિનાના સંબંધો વિષે ઉંડાણથી ચર્ચા કરી છે. સ્નિગ્ધતા માટે પરસ્પરાવલંબન – રોજિંદા જીવનમાં વણાયેલું પરસ્પરાવલંબન—ઘણું જરૂરી છે. આવું તો સમાજ નાના હોય, ને મૂળભૂત જરૂરિયાત માટે અન્યોન્યાકાર્યો હોય ત્યાં આ માનવીય અમૃત (દેવાનું ભલે સ્થાયી રહ્યું) ટકી રહે છે. હાળીની પ્રથા સારી નહાતી, તેની કાળી બાજુ હતી, પણ હાળી એ બજારની વસ્તુ Marketable Commodity નહોતી. તેનું સ્થાન બીજો કોઈ લઈ શકે તેમ જ નહોતે તેને તે જ મારા સમગ્ર જીવનના સહજ સ્વીકૃત ભાગ હતા. આજે એક ટાઈપિસ્ટ, મજૂર કે કામવાળી જાય તો બીજું આવશે. તે વ્યકિત મારા રોજિંદા જીવન માટે અનિવાર્ય હતી, પૈસા તેને ગમે ત્યાં લઈ જઈ શકે છે, પૈસા મને ગમે તૅ આપી શકે છે. આથી મને નથી તેનું મૂલ્ય, તેને નથી મારું મૂલ્ય. બંનેને Cash--Hard Cash~~ નું ગૃહ્યું છે. “માર્કસે મૂડીવાદની કઠોર નિર્ભર્રા કરી છે તે આ ભદ્રે સંસ્કૃ તિમાં માનવીય મૂલ્યો સીતાની જેમ પૃથ્વીમાં સમાવી લેવા પ્રાર્થી રહે છે તે કારણે. અન્તિમ વર્ષ દરમિયાન નહેરુની વિચારપરિણતિ તા. ૬-૫-૬૬ ના ઈન્ડિયન એકસપ્રેસમાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી ખાતે લોકસભાના મધ્ય ખંડમાં મે માસની પાંચમી તારીખે સ્વ. પંડિત નહેરુના તૈલચિત્રનું અનાવરણ કરતાં રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને એ બાબતની જાણ કરી કે પોતાના જીવનના અન્તિમ વર્ષો દરમિયાન નહેરુ અઠવાડિયામાં બે કે ત્રણ વાર તેમને મળવા આવતા અને રાજકારણ નહિ પણ તત્ત્વજ્ઞાન અને ધર્મના પ્રશ્નોની ચર્ચા કરતા હતા, અને છેવટના ભાગમાં નહેરુ વધારે ને વધારે વિનમ્ર પ્રકૃતિનો બનતા જતા હતા, અને જાણે કે પેાતાના હાથે બહુ થોડું થયું હોય અને કરવાનું ધણું બાકી રહી ગયું હાય એવા ભાવ સૂચવતી ગ્લાનિની છાયા તેમના મેઢા ઉપર દેખાતી હતી, અને એમ છતાં તેઓ પ્રફુલ્લ જણાતા હતા અને મુશ્કેલીઓથી ભાગવાનો કોઈ અર્થ નથી એવી દઢતા તેઓ દાખવી રહ્યા હતા. નહેરુના જીવનના અન્ત ભાગ વિષે આ સમાચાર નવા પ્રકાશ પાડે છે, અને પરિપકવ ઉમ્મર થતાં જાગૃત માનવી વધારે અન્તર્મુખ બને છે અને સતત પરિવર્તન પામી રહેલા આસપાસના સંસારપ્રપંચ ઉપરથી દષ્ટિ ફેરવીને માનવી જીવનના પાયાના પ્રશ્નોના ચિન્તન તરફ ઢળે છે. આ પ્રકારના સ્વાભાવિક પરિપાકથી રાજકારણના ઝંઝાવાતથી છેરાયલા નહેરુ પણ મુકત નહાતા એ હકીકતની આપણને ઉપરના સમાચાર ઉપરથી સૌથી પહેલી વાર જાણ થાય છે. દીક્ષાપ્રસગે કરવામાં આવેલી સામાજિક સખાવત cll. 94-4-4 તરફ્થી નાની મોટી રકમો ભરવામાં આવી હતી અને એ રીતે કુલ રૂા. ૫૦૦૦૦ ના ફાળા એકઠા થયા હતા. આવા ધાર્મિક પ્રસંગે આવા સામાજિક કાર્ય માટે આવા ફાળા એકઠા કરવામાં આવે તે જરૂર સ્તુત્ય અને આવકારપાત્ર છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહના વડીલબંધુ શ્રી વાડીલાલ જેઠાલાલ શાહની પુત્રી બહેન ચંદ્રિકાએ ધ્રાંગધ્રા ખાતે ગયા એપ્રિલ માસની ૨૫મી તારીખે ૨૨ વર્ષની ઉમ્મરે દીક્ષા અંગીકાર કરી એ શુભ નિમિત્તને અનુલક્ષીને શ્રી જેઠાલાલભાઈએ રૂા. ૧૧૧૧૧ ની ૨કમ અનાજ રાહતમાં આપી હતી અને રૂા. ૧૦૦૦૦ની રકમ ભિન્ન ભિન્ન ધાર્મિક તેમ જ સામાજિક સંસ્થાઓમાં વહેંચી આપી હતી. આ વહે ચણીમાં શ્રી. મુંબઈ જૈન યુવક સંઘને તેના મારફત ચલાવવામાં આવતી વૈદ્યકીય રાહત માટે રૂ।. ૨૫૧ અને શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય- પુસ્તકાલયને રૂા. ૫૧/ આપવામાં આવ્યા હતા. ઉપર જણાવેલ અનાજ રાહતમાં એ જ પ્રસંગે અન્ય સ્વજને બહેન ચંદ્રિકા જે શુભ ભાવનાથી દીક્ષિત બની છે તે શુભ ભાવના સફળ થાય અને તેનું ચારિત્ર્ય સ્વપરકલ્યાણસાધક બને એવી આપણી પ્રાર્થના હા! તેના વડીલોને તેમણે કરેલા સામાજિક દાન માટે ધન્યવાદ ! માનવ મુડદાંને નિકાલ ભસ્મવિસર્જનની ક્રિયામાં ઔચિત્ય કેટલું ?” એ મથાળાં નીચે થોડા સમય પહેલાં પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ લેખ અને તે ઉપરની મારી નોંધ વાંચીને મારા મિત્ર શ્રી રજનીકાંત મોદીએ પ્રબુદ્ધજીવનમાં પ્રસિદ્ધિ અર્થે મોકલી આપેલો લેખ આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે. શ્રી. રજનીકાન્ત મેાદી એક વિદ્રાન ચિન્તક અને વિચારક છે અને તેથી આપણને જલ્દી ગળે ન ઉતરે એવા આ લેખને પ્રબુદ્ધજીવનમાં પ્રસિદ્ધિ આપવાનું મે ઉચિત ધાર્યું છે. ભસ્મવિસર્જનને લગતા લેખમાં મૃતદેહની ભસ્મને અપાતા વધારે પડતા મહત્ત્વના વિરોધ કરવામાં આવ્યા હતા. આ લેખ મૃતદેહને બાળી કે દાટી દેવામાં આવે છે તેના બદલે તેના અંગ ઉપાંગના બને તેટલા ઉપયોગ કરવાને લગતા વિચારને આગળ ધરે છે, નૃતદેહની આંખોના આજ કાલ ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ અકસ્માત કે હૃદયરોગ જેવા કારણે એકાએક નીપજેલાં મરણ બાદના દેહની જ આંખોને ઉપયોગ થઈ શકે છે, બીજી આંખાને નહિ–આ બાબતને શ્રી રજનીકાન્તભાઈએ લંબાવીને પ્રશ્નરૂપમાં એવી રજુઆત કરી છે કે જો મૃતદેહની આંખોનો ઉપયોગ થઈ શકે તેા મૃતદેહના બીજા અવયવોનો કેમ નહિ, અને એ ઉપરથી શરીરના ખોખાને પણ મૃત માનવીને ઘાટ આપીને તેને ઘરમાં સ્મરણ રૂપે સ્થાયીપણે રાખવાની—જેવી રીતે ઈજીપ્તના લોકો મમ્મી સાચવતા હતા તે રીતનીસગવડ ઊભી થાય એમ તેમણે સૂચવ્યું છે. તાર્કિક રીતે તેમને વિચાર બરાબર છે એમ કહીએ તો પણ માનવીના મૃતદેહને આમ કેવળ ઉપયોગીતાની દષ્ટિએ વિચાર કરવા એમાં સુરુચિને ભારે ભંગ થતા અનુભવાય છે. બીજું એ વિચારના સ્વીકારમાંથી માનવીના મૃતદેહના વ્યાપારની શક્યતા પણ સહજપણે ફલિત થાય છે. અહીં આપણી સામે પશુઓના મૃતદેહ સાથે કરવામાં આવતા વ્યવહારનો તેમ જ વ્યાપારને તે દાખલા આપી શકે છે, પણ માનવીના મૃતદેહ સાથે આસપાસના સગાવહાલાંના સ્નેહસંબંધનું જે તીવ્ર સંવેદન હોય છે તેવું કોઈ સંવેદન પશુઓના મૃતદેહ સાથે હાતું નથી. માનવીના મૃતદેહ વિષે માનવીની લાગણીએને અમુક સંબંધ હોય છે અને તેથી સગાં 'સ્વજનો પોતાના અંગત. જનના મૃતદેહના આવા ઉપયોગ કરવા દેવા સંમત થાય એ કલ્પનામાં આવતું નથી. નધણિયાતા શબની વાત જુદી છે. કોઈ વ્યકિત પોતાના મૃત્યુ બાદ પોતાના શબની અમુક વ્યવસ્થા કરવાનું સૂચવે છે એ પણ જુદી વાત છે. પણ રજનીકાન્તના ઉપર આપેલા વિચારનો સર્વસામાન્ય સ્વીકાર શકય નથી લાગતા તેમ જ ઈષ્ટ પણ લાગતો નથી. આ કેવળ લાગણીવેડાને સવાલ નથી અને શ્રી રજનીકાન્તભાઈએ સૂચવેલા શરીરના ખોખામાં મસાલે ભરીને જીવન્ત માનવીના આકાર આપીને તેને ઘરમાં સંઘરવાન વિચારપૂર્વકાળની મમી પૂજાને જીવતી કરવા બરાબર છે. આમાંથી અનેક પ્રકારનીના વહેમા અને અંધ માન્યતાઓ ઊભી થવાનાં જોખમ પણ છે. તેથી તે વિચાર જરા પણ ઉત્તેજનને કે અનુસરણને પાત્ર લાગતો નથી. Page #107 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૫-૬ કલાકાર શ્રી નંદલાલ મત્તુ અંગેની નોંધમાં થોડા સુધારા-વધારા પ્રભુ જીવન ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં શ્રી નંદલાલ બસુ ઉપર શ્રી રવિશંકર મ. રાવળની એક નોંધ પ્રગટ કરવામાં આવી છે તેમાં તેમને ભારત સરકારે ‘પદ્મશ્રી'નું પદ આપીને બહુમાન કર્યું છે એમ જણાવ્યું છે. આ ‘પદ્મશ્રી’ના સ્થાને ‘પદ્મ વિભૂષણ’ એમ સુધારવું એમ રિવભાઈ જણાવે છે. આ ઉપરાંત તે નોંધમાં નીચે મુજબ ઉમેરવાની તેઓ સૂચના કરે છે : ૧૯૫૦માં બનારસ હિન્દુ યુનિવર્સિટીએ તેમને ‘ડૉકટર ઑફ લેટર્સ’ ની પદવી એનાયત કરી છે અને વિશ્વભારતી યુનિવર્સિટીએ તેમને ‘દેશિકોત્તમ ’એ મુજબનું અભિનામ અર્પણ કર્યું છે. ડિસેમ્બર ૩, ૧૮૮૩ તેમની જન્મતિથિ છે. મુદ્રણ શુદ્ધિ શ્રી વાલજી ગોવિંદજી દેસાઈના ‘વણિક સેનાપતિ ' ના લેખમાં પાનું ૬ પહેલી કોલમના છેડે ‘કલ દીપક ’ છપાયું છે તેના સ્થાને ‘કુલદીપક ’ વાંચવું અને બીજા કોલમની શરૂઆતમાં ‘સવૅ ક્ષણ ’ છપાયું છે તેના સ્થાને ‘સર્વેક્ષણ’ વાંચવું. પરમાનંદ જીવનમાં આવતી આનંદ-મસ્તીની ક્ષાને વધાવતા રહે ! જીવનથી અલગ એવી બીજી બાબત પાછળ દોડીને જીવનન અર્થ શોધવા નહિ. જીવનનો ખરો અર્થ જીવનમાં જ છે. આ જીવનની નાનાવિધ પ્રેરણાએ અને તેની પૂર્તિમાં જ ખરું સમાધાન અને ખરું સારસ્ય છે. આપણા શરીરની અંદર તંદુરસ્તીનો જે થન- . ગનાટ હોય છે તેનો અર્થ જાણીને આપણે શું કરવું છે ? આ થનગનાટ અને તરવરાટ દ્વારા આપણે કોઈ મહત્ત્વનું કાર્ય પાર પાડીએ એટલે ઘણું થયું. પણ આવું કોઈ કામ સિદ્ધ ન થયું તો પણ આવી થનગનાટ ભરી તંદુરસ્તીમાં સ્વયંસિદ્ધ આનંદ રહેલા જ છે. અસાધ્ય રોગથી જર્જરિત થયેલા એકાદ માણસ જ્યારે આત્મહત્યા કરવા નીકળે ત્યારે હું તેને અંતકાળને યોગ્ય એવા મંત્રા બાલી ખુશાલીથી વિદાય આપીશ. સડી સડીને, અથડાઈ કૂટાઈને, કણસી કણસીને મરણની વાટ જોવાની મારી બિલકુલ ઈચ્છા નથી. પણ જેનું આરોગ્ય ઉત્તમ છે, જેને પગ છે, તે માણસ આત્મહત્યાનો વિચાર કરે ? છી, છી, છી! તેને કણસવાનું કે વિમાસવાનું કોઈ કારણ નથી. પ્રાત:કાળે જયારે જયારે સારી સૃષ્ટિ સૂર્યપ્રકાશમાં ઉજજવળ બની ઊઠે છે, ત્યારે ઉલ્લાસમાં આવીને ઉદ્યોગમાં લાગી જવું જોઈએ ! જીવનના અસ્તિત્ત્વનો અનુભવ, આરોગ્યની મસ્તી, પંચેન્દ્રિયના સ્નાયુઓની અખંડ હિલચાલમાં જે વિલક્ષણ આનંદ છે તે જ આ જીવનના સીધાસાદા અર્થ છે. મોટા માણસ કરતાં નાનું બાળક અધિક આનંદી હોય છે તેનું કારણ આત્માને બદલે શરીરના અસ્તિત્વનું તેને વધુ ભાન હોય છે તે જ છે. આ હાથે પગે જયારે કામ કરવાનું આવે ત્યારે આપણે નાનાં બાળકોની માફક જ આનંદી રહીશું. ગાલ્ફની રમતમાં પેટ ભરીને ખેલકૂદ કરવાનું મળે છે તે માટે આ ગાલ્ફની રમત શોધનારને અવશ્ય ધન્યવાદ આપું. આનંદની, ઉલ્લાસની અને મસ્તીની થેડી ક્ષણા પ્રત્યેક માનવીના જીવનમાર્ગમાં કોઈ ને કોઈ સમય આવે જ છે. તો પછી જીવનના કાંઈ અર્થ નથી એમ શા માટે માનવું? આવી થોડી ક્ષણો માટે પણ પ્રત્યેકે જીવવું જોઈએ અને ઝઝૂમવું જોઈએ. વરસાદમાં વાટ કાપવી, વાદળા સાથે શિર અફાળવું, બરફમાં ભટકવું અથવા ચન્દ્રકિરણાના પ્રકાશમાં નાહી રહેલી રાત્રિના સૌન્દર્યનું પાન કરવું—આ બધામાં ઓછી માજ છે? જીવનના સૌંદર્યની પિછાન કરવા અને જીવન ઉપર પ્રેમ લાવવા માટે આ બધી બાબતો શું ઓછી છે? તમે કહેશે કે આખરે આપણે બધાને મરવાનું તે છે. પણ મરવાનું હોય તો યે શું થઈ ગયું?મૃત્યું આવશે ત્યાં સુધી સૌંદર્યની દિવ્ય શોભા અને નભમંડળમાં આવેલા તારકપુંજનો વૈભવ પેટ ભરીને લૂંટવાનો મળશેને ? પછી શું જોઈએ? કુદરત આખરે મારો નાશ કરવાની છે, ભલે ને કરે! તેમ કરવાનો નિસર્ગના અધિકાર જ છે. મને ઉત્પન્ન પણ નિસર્ગે જ કર્યો છે ને? મારી પાંચેન્દ્રિયમાં ચૈતન્ય પરોવીને શતાવધિ સુખસંવેદનાના અનુભવ પણ તેણે જ કરાવ્યા છેને? જે તેણે મને મુકત મનથી આપ્યું તે જ પુન: પાછું લઈ લ્યે તેમાં મારે તકરાર શા માટે કરવી જોઈએ? ઊલટું આ કુદરતનો હું કેટલો અને કેવી રીતે આભાર માનું? વિલ ડુરાન્ટ અવેજીમાં * [આ એક મજેદાર બલ્ગેરિયન વાર્તા છે - (લેખક : ટોનિચી), તેને અનુવાદ તે દેશના દૂત-ખાતા તરફથી મળતી ખબરપત્રિકામાંથી ઉતાર્યો છે. આપણે ત્યાં પણ નિરીક્ષણનો આવો મિથ્યાચાર બતાવે એવી આ અંગેની વાતો ન મળે ? સરકારી શિક્ષણપદ્ધતિમાં બધે જ આ પ્રકારની હાસ્યપૂર્ણ ગંભીરતાએ ચાલતી હશે ? હિંદમાં તા મેચ ઇ॰ જેવા પ્રસંગે સરકારી કચેરીઓ પણ બંધ થાય. એટલે આને જ મળતું અવેજી નાટક ન બને એમ ખરું. અવેજી પરીક્ષાર્થીઓ તે હોય છે.] એક દિવસ એક ઈન્સ્પેકટર સાહેબ એક માધ્યમિક શાળાની મુલાકાતે જઈ ચઢયા. એક વર્ગમાં તેઓ દાખલ થયા. ગણિતના વર્ગ ચાલતા હતા. શિક્ષક અને વિદ્યાર્થીઓએ ઊભા થઈ સાહેબને આવકાર આપ્યો. ઈન્સ્પેકટર સાહેબે શિક્ષકને કલાસમાં ચાલતા લેસન વિષે પૂછ્યું. “સાહેબ ગણિતનો વર્ગ ચાલે છે. આપ આ વર્ગના ત્રણ હોંશિયાર છેકરાઓને તપાસી શકો છે,” શિક્ષકે કહ્યું. ઈન્સ્પેકટર સાહેબે પહેલા નંબરના છેકરાને પાટિયા પાસે બોલાવી દાખલો લખાવ્યો. છેકરાએ તુરત દાખલા સાચા ગણી આપ્યો. ત્યાર પછી બીજા નંબરનો વારો આવ્યો. તેણે પણ બીજો દાખલા સાચા ગણી કાઢયો, અને પોતાની જગા પર જઈને તે બેઠો. ઈન્સ્પેકટર સાહેબે ત્રીજા નંબરને પાટિયા પાસે આવવા કહ્યું. પેલા છેકરો હાથમાં ચેક લઈ પાટિયા તરફ મોં રાખીને દાખલાની રકમ લખવા લાગ્યો. એવામાં ઈન્સ્પેકટરને કશુંક ભાન થયું. તેને લાગ્યું કે, આ તો એ જ છોકરો છે કે જે પહેલી વખત આવીને દાખલા ગણી ગયો હતો. તેમણે છેકરાને પોતાની સામે ઊભા રહેવા કહ્યું. છેકરાના મોં પર ગુના પકડાઈ ગયાનો ડર તરવરતો હતો. ૨૧ ઈન્સ્પેકટરે કરડાઈને પૂછ્યું. “કેમ અલ્યા, પહેલા નંબર તરીકે તું જ આવ્યા હતા ને, બાલ ? આ ઠગવિદ્યા કયાંથી શિખ્યો?” “સાહેબ મને માફ કરો” છોકરો કરગરી પડયો. “પણ ખરું જોતાં પહેલા નંબરનું સ્થાન થોડી વાર સાચવવા મેં એને વચન આપ્યું હતું. ” “હું ! એટલે તું ડબલ રોલમાં આવ્યો, એમ ને? કયાં છે એ પહેલા નંબર ? ’’ * “સાહેબ, એ તો ફ્રૂટબોલની મેચ જોવા ગયો છે.” “કેમ, માસ્તર, તમે કલાસમાં આવું જ ચલાવે છે ? છેકરાએ ઈન્સ્પેકટરને છેતરવાની હદ સુધી પહોંચે તેય તમે કશું બેાલતા નથી ને તેમને તેમ કરવા દો છે ?” “પણ...પણ ... સાહેબ, હું આ છોકરાઓને ઓળખતો હોઉં તો ને ? “તમે વર્ગશિક્ષક થઈને છેકરાઓને ઓળખતા નથી ? કેવી નવાઈ ! કેવી બેદરકારી ! જ્યાં શિક્ષક આવા હોય, ત્યાં છેકરાએના શે! દોષ ? " “પણ સાહેબ હું વર્ગશિક્ષક કર્યાં છું ? હું તો આજે જ આવ્યો છું, આ વર્ગમાં.” “ત્યારે વર્ગશિક્ષક કોણ છે. ? કયાં ગયા છે ? ” “એ તો સાહેબ ફટબાલની મેચ જોવા ગયા છે તેની અવેજીમાં વર્ગ સાચવવાનું મને કહીને ગયા હતા એટલે હું અહિં આવીને બેઠો.” શિક્ષકે થોથવાતાં કહ્યું.” ઈન્સ્પેકટરના મોં ઉપર સ્મિતની છૂપી રેખા ઉપસી આવી. તેમણે ધીમેથી કહ્યું: “ઠીક ઠીક, તમે બધા નસીબદાર છે. ખરી રીતે તે હું ડયુટી ઉપર નથી, એટલે જવા દઉં છું. ખરા ઈન્સ્પેકટર મેચ જોવા ગયા છે. એટલે મને તેમને બદલે આ મુલાકાતે આવવા કહી ગયા હતા! સારું ત્યારે ! ” “સત્યાગ્રહ”માંથી સાભાર ઉદ્ભુત Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૨૨ માનવનાં પ્રમુદ્ધ જીવન મુડદાંના નિકાલ ✩ આપણામાં કહેવત છે કે હાથી જ્યારે જીવતો હોય ત્યારે એની કિંમત લાખની, પણ એ જ્યારે મરી જાય છે ત્યારે એની કિંમત સવા લાખની, અને એનું કારણ એ છે કે હાથીના મૃત શરીરનાં અનેક અવયા તેમ જ દ્રવ્યો માણસના જાતજાતના ઉપયોગમાં આવે છે.. (એક ક્રાંતિકારી સૂચન) આ ઉપરથી એક વિચાર આવે છે કે માણસ પાતે જ્યારે મરી જાય છે ત્યારે મોઈ ભેંસના મોટા ડોળા’એ કહેવત અનુસાર બીજા માણસા એના ગુણગાન કરીને અટકે છે. તે સિવાય માણસને મૃતદેહ બીજા કશા જ કામમાં લેવાતા નથી. એનાથી ઊલટું જ, એનાં સ્નેહી સંબંધીઓ લાગણીવશ બનીને એના શરીરનું કોઈ પણ રીતે ‘અપમાન’(?) કે ‘તિરસ્કાર’ (?) ન થાય એટલા માટે એને બાળી મૂકે છે અથવા તો દાટી દે છે. આમ માણસ જ્યારે જીવતા હોય ત્યારે ભલે લાખનો હોય, પણ મરી જાય ત્યારે એના શરીરની કોડીની પણ કીંમત રહેતી નથી. ઊલટું એને બાળવા માટે લાકડાંનો ખર્ચ અથવા તે। દાટવા માટે કફનના તેમ જ ધારા ખોદવાના તેમજ પાળિયા વગેરે ઊભા કરવાનો ખર્ચ થાય છે. જો આપણે આવા અર્થહીન લાગણીવેડા બાજુએ મૂકીએ તો હું નથી ધારતો કે માણસના મૃતદેહના બીજા કોઈ જીવતા માણ સાનાં કામેામાં ઉપયોગ ન થઈ શકે. એને બાળવા કે દાટી દેવા એ તે માત્ર સૈકાઓથી કે હજારો વર્ષોથી પ્રથા પડી ગઈ છે. પણ જો એનો ઉપયોગ થઈ શકતા હોય તો જેમ બીજા પ્રાણીઓનાં હાડકાં-ચામડાં તેમ જ બીજા અંગો અને દ્રવ્યોનો ઉપયોગ થાય છે તેમ એના પણ ઉપયોગ કરવો જોઈએ. અલબત્ત, આ બાબતમાં આપણા ધાર્મિક વહેમો તેમ જ સામાજિક તેમ જ કૌટુંબિક પૂર્વગ્રહો બહુ જ જબરા છે. મોટા ભાગના માણસો એમ માને છે કે પોતાના મૃત સ્વજનને અંતિમ સંસ્કાર થવા જ જોઈએ. પરંતુ જો આપણે બુદ્ધિપૂર્વક વિચાર કરીશું તે જણાશે કે આ તો છેક જ અતાર્કિક પૂર્વગ્રહ છે. માણસને પોતાનું સ્વજન વહાલું હોય એ સ્વાભાવિક છે. પણ મરી ગયેલા સ્વજનના દેહને બાળવા કે દાટવાની સંમતિ તે એનાં ગમે તેટલાં વહાલાં સ્વજનો પણ આપે જ છે, તે પછી જો મૃત્યુ બાદ એનાં દેહનાં જુદાં જુદાં અંગોના લોકોપયોગી કાર્યમાં ઉપયોગ થતા હોય તો એમાં સંમતિ શા માટે ન અપાય એ સમજી શકાતું નથી. જો કે આ પૂર્વગ્રહ હવે થોડો હળવા થવા માંડયો છે. લોકો પોતાના લાહીનું દાન કરતાં શીખ્યા છે, એટલું જ નહિ પણ પોતાના મૃત સંબંધીએ જે વસિયતનામામાં લખ્યું હોય તેા એની આંખના કૅાનિયાનું દાન કરવાની સંમતિ પણ આપતા થયા છે. આ જ વાતને જો આપણે એની તાર્કિક હદ સુધી લઈ જઈએ તે મૃત શરીરના એકેએક અવયવના ઉપયોગ કરવા માટે સંમતિ કેમ ન આપી શકાય ? તા. ૧૬-૫-૧૯ બગાડ થાય છે. ખાસ કરીને ગરીબ માણસને તે આ ખર્ચ અતિશય ભારે બોજારૂપ લાગે એ સ્વાભાવિક છે. હમણાં હમણાં દાકતરી વિજ્ઞાન ખૂબ જ આગળ વધ્યું છે અને હજી વધતું જાય છે. એટલે મૃત માણસનાં અનેક અવયવો, જેવાં કે કિડની, હૃદય, આંખ, હાડકાં, સ્નાયુઓ વગેરે બીજા કોઈ જીવતા માણસના શરીરમાં ફેરબદલી કરી બેસાડવા માટે કામ લાગે એવાં હોય તેના આ રીતે સદુપયોગ થઈ શકે એમ છે. જેમને આવી રીતે સ્વજનના મુડદાં ચૂંથવામાં અપવિત્રતા લાગતી હાય તેમને આપણે કહી શકીએ કે મહાપુરુષો મૃત્યુ પામતાં તેમના સ્થૂળ અવશેષોને માનવજાત પૂજતી આવી છે. તો એ બાબતમાં અપવિત્રતા નથી લાગતી? સિલેાનમાં અને અન્યત્ર બુદ્ધના દાંતને મંદિરમાં પધરાવી પૂજ્વામાં આવે છે; કાશ્મીરમાં હઝરત મહમદ પયગંબરના વાળને પૂજવામાં આવે છે, તે પછી મૃત માણસના શરીરમાંનાં ગાને ઉપયોગમાં લેવાના હેતુસર કાપી કાઢવામાં આવે તે એમાં અપવિત્રતા જેવું શું છે ? વળી સ્વજનાના મુડદાં ચીરવામાં જેમની લાગણી દુ:ખાતી હોય તેમને આપણે કહીએ કે પોતાના પ્રિય જને વાપરેલી અનેક વસ્તુઓને જેમ એના મૃત્યુ પછી દરેક માણસ એનાં સંભારણાં તરીકે સંઘરી રાખતા હોય છે અને એના પ્રત્યે અતિશય પ્રેમભાવ દર્શાવતા હોય છે તેમ એનાં શરીરનાં જાળવી રાખી શકાય એવાં કેટલાંક અવયવાને (દા. ત. હાડકાં વગેરેને) એ સંભારણા રૂપે જાળવી રાખે તો હું નથી ધારતા કે એમાં કંઈ પણ ખોટું છે. ઊલટું, એણે લખેલા કાગળ, એણે પહેરેલાં વસ્ત્ર કે ઘરેણાં વગેરે બીજી કોઈ વસ્તુ કરતાં આવું કોઈ ખુદ એના શરીરનું જ અવયવ જરૂર વધારે પ્રેમપાત્ર બની રહે અને વધારે અંગતપણાના ભાવ આપણાંમાં ઉત્પન્ન કરી શકે અને જાળવી શકે. પં. જવાહરલાલ નહેરુએ પણ એમના પત્ની કમળા નહેરુના અસ્થિ (ફ લ) જીવનભર જાળવી રાખ્યાં હતાં. તે ઉપરાંત, ટૅકિસડર્મી (Taxidermy) નામનું જે સાયન્સ, વાઘ, હરણ વગેરે પ્રાણીઓનાં શરીરને આબેહુબ તેઓ જીવતાં જેવાં દેખાતાં હોય તેવાં જ તેમના મરણ પછી જાળવી રાખે છે તેમ આપણા પ્રિયજનના શરીરનું બાહ્યરૂપ પણ એ જ સાયન્સની સહાયથી જાળવી રાખી શકાનું થાય તે જરૂર માણસ પેાતાના મૃત સ્વજનની એટલી વધુ નિકટતા ચિરકાળ સુધી અનુભવી શકે. અલબત્ત, મૃત માનવ તે પાછા આવવાના નથી એ ખરું છે, પણ જેમ એની છબી કે એનું ચિત્ર કે એનું શિલ્પ આપણે પ્રેમપૂર્વક જાળવી રાખીએ છીએ તેમ એના દેહના બાહ્ય આકાર જો જાળવી રખાય તે, હું માનું છું કે, સૌ કોઈને એ વિશેષ તે ગમે જ, ઈજિપ્તમાં તે વે મમીઓને જાળવી રાખવામાં આવતાં જ હતાં એ સર્વવિદિત વાત છે. આમ મૃત માણસના શરીરના અંદરના બધાં દ્રવ્યો લોકહિતના કામમાં ઉપયોગમાં લેવાય અને એની બહારની આકૃતિ સ્મૃતિરૂપે એનાં સ્વજનોને ઘરે કાયમી રહે, એ બેવડો લાભ થઈ શકે, માત્ર માણસ જો પોતાના અતાર્કિક પૂર્વગ્રહને, વહેમને અને રૂઢિવાદને તિલાંજલિ આપે તો. દાકતરી વિદ્યા અનુસાર જે કોઈ અવયવ બીજા કોઈના પણ ઉપયોગમાં આવતું હોય તેના ઉપયોગમાં લેવું જ જોઈએ. વળી તે ઉપરાંત માણસનાં હાડકાં કે બીજા એવાં જે અંગેા ખાતર તરીકે અથવા બીજી કોઈ ઉપયોગી વસ્તુ બનાવવામાં કામ લાગે તેવાં હોય તેમનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે મૃતમાનવ પણ સમાજને ઉપયોગી થઈ શકે. બાકી અત્યારે તે માનવજાતિ પોતાનાં મુડદાંને Waste ( બગાડ) કરે છે. માત્ર મુડદાંના બગાડ જ રજનીકાન્ત ભેદી નહિ પણ એને બાળવા-દાટવાની ક્રિયાઓ પાછળ સેંકડો રૂપિયાના માલિક: શ્રી મુખઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ-૩. મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબઇ અને પછી હાથીની જેમ દરેક માણસ જ્યારે જીવતા હોય ત્યારે જ્યાં લાખનો હોય છે ત્યાં મરે ત્યારે એનાં પ્રિયજનોને માટે તેમ જ આખા માનવસમાજને માટે પણ માત્ર સવા લાખના જ નહીં પણ દોઢ લાખ કે બે લાખ કે પાંચ લાખના પણ બની જઈ શકે. અને તે ઉપરાંત, દધિચિ ઋષીએ તો માત્ર પોતાનાં હાડકાનું જ બીજાના ભલાને માટે દાન કર્યું હતું, ત્યાં દરેકે દરેક માણસ એને પણ ટપી જઈને પેાતાની આખી કાયાનું દાન કરી શકે. Page #109 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MR. In વાર્ષિક લવાજમ રૂ.-1 - તા. | ક પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૩ પહજીવને મુંબઈ, જુન ૧ ૧૯૯૬, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા - 8 ઓરિસ્સાનો દુષ્કાળ - (આ તા. ૬-૫-૧૯૬૬ ના રોજ કરવામાં આવેલા અખબારી નિવેદન છે. આ વ્યથાપૂર્ણ નિવેદન કરનાર શ્રી નવકૃણ ચૌધરી એક વખત એરિસ્સાના મુખ્ય પ્રધાન હતા, આજે અગ્રગણ્ય સર્વોદય કાર્યકર્તા છે. તંત્રી) ઓરિસ્સાના કલહંડી, બોલંગીર અને બીજા કેટલાક વર- આજની પરિસ્થિતિમાં કેંગ્રેસ સરકારે તુરતાનુરત નીચેનાં સાદની ખેંચવાળા વિસ્તારમાં ભીષણ દુકાળની પરિસ્થિતિ પ્રવર્તે પગલાં લેવાં જ જઈએ, નહીં તો સત્તા પર રહેવાને પોતાને અધિ કાર તે ગુમાવી બેસશે: છે, એ વાતને સ્વીકાર કરવામાં તેમ જ તેને નિવારવા માટેના ઉપાય (૧) પોતાના પક્ષમાંથી ચોખાના મિલ - મિાલિકોને દૂર કરે. લેવામાં અમાનુષી ઢીલ દાખવવામાં આવી છે અને બિલકુલ અણઘડ (૨) ગેરરીતિઓ સામે ભારત સંરક્ષણ ધારા હેઠળ સખત શબ્દાળુતાને આશરે લેવાયો છે. લોકોના જીવનમરણના આવા પ્રશ્ન પગલાં ભરે. દુકાળગ્રસ્ત લોકો તારા સ્વાભાવિક રીતે જે ગુનાઓ સાથે ત્યાંની કેંગ્રેસ સરકાર તેમ જ તેનું તંત્ર જે નિર્દયપણે વત્ય થયા છે તેમાં પોલીસ માનવતાભર્યો વર્તાવ રાખે. આટલા બધા વિરોધ છે, તે નજરોનજર જોઈને કોઈ પણ સમજબુદ્ધિવાળા માણસને છતાંયે જ્યારે હજી ભારત સંરક્ષણ ધારે ચાલુ રખાય છે, ત્યારે ઓછામાં ઓછો એકવાર તો એને નિર્દય શોષણખોરો સામે ભારતની એમ લાગ્યા વિના રહે નહીં કે ત્યાં સરકાર અને તેનું તંત્ર લોકોના જીવન અને સુખ માટે જવાબદાર એવા પ્રજાના સેવકો તરીકે નહીં, જનતાના સંરક્ષણ સારુ વપરાવા દે! પણ ચોખા ખરીદનારા એમના પિતાના જ એજન્ટોના એજન્ટ તરીકે (૩) દુકાળની માહિતી સમયસર ન પહોંચાડી હોય એવા અધિવર્તી રહ્યાં હતાં. કારીઓને તત્કાળ રુખસુદ આપીને એમને સ્થાને નવી નિમણુંક કરો, મામૂલી ફી આપીને તથા માથે ઘળી ટેપી ચઢાવી લઈને સક્રિય (૪) રોજી અમુક નક્કી ભાવે ડાંગરમાં ચૂકવો. કેંગ્રેસીઓ થઈ બેઠેલા એવા ઘણા ચેખાની મિલના માલિકો મેં (૫) ગીરવે મૂકાયેલ પશુઓ વેચાય નહીં, બહાર ન મોકલી દેવાય કે મારી ન નખાય તેની કાળજી લે. ખેડુતોને ડાંગર-લેને જોયા છે અને એમને હું ઓળખું છું. પ્રધાને અને બીજા અધિ આપવાથી આ થઈ શકે, કારી સમક્ષ દુકાળની વાસ્તવિક હકીકત છુપાવતા કે ઓછી આંકતા (૬) કૃષિ ઓજાર તેમ જ ઘરગ વાસણકુસણ હરજ મેં એમને જોયા છે. ચોખાના અને તેમાંયે ખાસ કરીને ખૂબ નફા- કરવા કે વેચવા ઉપર પ્રતિબંધ મૂકે. લોકોની વિપત્તિ અને દુર્દશા કારક એવા ચોખા છડવાના, ધંધામાંના એમના સ્થાપિત હિતને કારણે પર વેપલો કરતા કેટલાક વેપારીઓને ત્યાં છાપો મારીને ગરીબ એમણે કેંગ્રેસી પ્રધાને તેમ જ વહીવટીતંત્રને દુકાળની નગ્ન વાસ્ત લોકોનાં ઉત્પાદન અને વપરાશનાં સાધને પાછાં મેળવે. આ જરૂરિવિકતા સામે આંખમિચામણાં કરવા પ્રેર્યા છે. શહેરી નેતાગીરી સામે યાતવાળા લોકોને ડાંગર–લોને પૂરી પાડે. ગરીબની ચાલતી લૂંટ ગ્રામ્ય વિસ્તારો અંગેની તટસ્થ માહિતી પૂરી પાડવાનો દેખાવ કરીને તત્કાળ અટકાવવી જ જોઈએ. એમણે બેશરમપણે એવું જુઠ્ઠાણું ચલાવ્યે રાખ્યું છે કે પોતાના (૭) આ વિસ્તારની મોટા મહાનુભાવોની મુલાકાતે બંધ થવી જિલ્લાઓમાં બધું જ બરાબર છે. એમાંના એકને મેં એક પ્રધાનના જોઈએ. સરકારના એક પણ નેકરને દુકાળગ્રસ્ત લોકો પ્રત્યેની પિતાની ઘરમાં સીધે સવાલ પૂછયો, ‘શું ખરીરમાં લોકો મરી રહ્યા નથી?” ફરજ બજાવવાને બદલે આવી મુલાકાતે આવતા મહાનુભાવોની તહેએમણે કપાળે હાથ દઈને કહ્યું, ‘જેમના લલાટે મત લખાયું હોય નાતમાં ન રહેવા દેવા જોઈએ. તે ગમે તે રીતે મરવાના જ.’ હું ઊકળી ઊઠયો: ‘તમારા લલાટે શું હું આશા રાખું છું કે કેંગ્રેસ અને તેની સરકાર ઓછામાં મોત લખાયું નથી?' એાછાં આ સાત પગલાં ભરશે. છતાં નિખાલસપણે મારે કહેવું - મુખ્યત્વે ચોખા ખાતા આ વિસ્તારમાં કોની પિતાની આગવી જોઈએ કે તેઓ આમ કરશે કે કેમ તે વિશે મને શંકા છે. સત્તા અને જીવનપદ્ધતિ અને સાદી અર્થવ્યવસ્થા છે. દરેકે દરેક ઘરમાં રોજ સંકુચિત સ્વાર્થના ખાટા રસ્તે હવે તેઓ ઘણા આગળ વધી ગયા છે પોતાની ડાંગર છડાય છે અને તાજા ચેખા ખવાય છે. દૂર દૂર કયાંક નિષ્ફરતા ને લાગણીહીનતા જાણે એમના સામૂહિક વર્તાવનું એક છડાયેલા ચોખા ખાવા પ્રત્યે એમને નફરત છે. અમે સરકારને એવી કાયમનું લક્ષણ બની ગયું છે. એરિસ્સાને દુકાળ જે આ દુ:ખદ વિનંતી કરી કે તમે ૨૦ હજાર રૂપિયાની ડાંગર સ્થાનિક જાહેર સંસ્થા આશંકાએાને સાચી ઠેરવતો હોય, તે લોકો માટે કેવળ એક જ માર્ગ એને આપે, અને તેમાંથી તે સંસ્થાએ કલહંડી જિલ્લામાં રાહત રહે છે - સુધારી ન શકાય એટલી હદે જે ભ્રષ્ટ થઈ ગયું છે યોજનામાં જે ખેડૂતોને કામ આપવામાં આવ્યું છે એમને મજુરી તેને કાઢી નાખવું. ભારતીય પરંપરા કાળ - અવતાર કૃષ્ણની ફિલસૂફીથી પૈસાને બદલે ડાંગરમાં ચૂકવે. પહેલાં તે સરકારે આ સ્વીકાર્યું, પણ સુપરિચિત છે- સત્તાના મદમાં ચકચૂર થઈને જયારે તે પૃથ્વી ઉપર પાછળથી સત્તાવાર રીતે અમને જણાવવામાં આવ્યું કે સરકાર ડાંગર નહીં, એક ભાર રૂપ થઈ પડ્યું, ત્યારે કૃષ્ણ પોતે પોતાના યાદવ કુળને છડેલા ચિખા જ આપી શકશે. આ બિલકુલ વિવેકહીન વાતનું સંપૂર્ણ સંહાર ઈચ્છો. લોકશાહીને જીવતી રાખવા ઓછામાં ઓછું ચેનું કારણ છે ધોળી ટોપીધારી ચોખાની મિલ માલિક, જૈ આટલું તે થવું જ જોઈએ, જે વ્યવસ્થા લેકીને તેના ભારમાંથી મુકત નક્કી કરેલા ભાવો કરતાં ઊંચા ભાવે ડાંગર ખરીદે છે, અને તેને ન કરી શકતી હોય, તેને પોતાનું અસ્તિત્વ ચાલુ રાખવાને કોઈ જ છડવામાં પુષ્કળ નફો કરે છે. ચેખાના મિલમાલિકોની નફાની આવ- અધિકાર નથી. શ્યકતા પ્રત્યે કેંગ્રેસ ઘણી અનુકૂળ છે, કારણ કે પોતાના ચૂંટણી ફંડ મૂળ અંગ્રેજી : માટે એમના ફાળાની કેંગ્રેસને આવશ્યકતા છે. ‘ભૂમિપુત્ર' માંથી સાભાર ઉધૂત. નવકૃષ્ણ ચૌધરી Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રબુદ્ધ જીવન પ્રકીર્ણ નોંધ ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશનની આલેચના આપણા દેશમાં કેટલાક સમયથી અનાજની ખેંચ શરૂ થઈ છે અને એ ખેંચ ઉત્તરોત્તર વધતી રહી છે. આ ખેંચને પહોંચી વળવા માટે એટલે કે જરૂરી અનાજનો જથ્થો પૂરો પાડવા માટે ભારત સરકાર તરફથી યુનાઈટેડ સ્ટેટ્સ સાથે જોગવાઈ કરવામાં આવી છે અને યુનાઈટેડ સ્ટેટ્સ પી. એલ. (એટલે પબ્લીક લા) ૪૮૦ નીચે આપણને ઘણા મોટા પ્રમાણમાં અનાજ પૂરું પાડતું રહ્યું છે. આ અનાજની કિંમત રિઝર્વ બેંકમાં યુનાઈટેડ સ્ટેટ્સ યુસ એકાઉન્ટ ’ એ ખાતા નીચે રૂપિયામાં જન્મે થઈ રહી છે. આ રીતે આજ સુધીમાં રૂા. ૧૬૫૦ કરોડનું અનાજ ભારત ખાતે આયાત થયેલ છે અને તેમાંથી અહિંના અમેરિકન એલચી ખાતાના પોતાના ઉપયોગ માટે અથવા તે ભારતને લોન અથવા ગ્રાન્ટ રૂપે અપાયલી અમુક રકમ પેટે આશરે 1. ૧૫૦૦ કરોડ આજ સુધીમાં વપરાયા છે એટલે કે ખેંચવામાં અવ્યા છે. આ રીતે હિસાબ કરતા યુનાઈટેડ ર્યુસ એકાઉન્ટ ખાતે અત્યારે આશરે રૂા. ૧૫૦ કરોડ આપણી રિઝર્વ બેંકમાં જન્મે પડેલા છે. આ રકમ સંબંધમાં યુનાઈટેડ સ્ટેટ્સ તરફથી કેટલાક સમય પહેલાં ~ લાલ બહાદુર શાસ્ત્રી જીવતા હતા તે દરમિયાન એવી દરખારત કરવામાં આવેલી કે પી. એલ. ૪૮૦ નીચે મેકલાતાં અનાજ પેટે આ રીતે એકઠી થતી અમુક રકમનું એક ટ્રસ્ટ કરવું, તેને ‘ઈન્ડો – અમેરિકન ફાઉન્ડેશન” એમ નામ આપવું અને તેના એટલે કે તેના વ્યાજના ઉપયોગ ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે તેમ જ વિજ્ઞાન તથા ટેક્નોલોજીના વિકાસ માટે કરવો. તાજેતરમાં ભારતના મહા આમાત્ય શ્રીમતી ઈન્દિરા ગાંધી અમેરિકા ગયેલા ત્યારે યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ શ્રી જાન્સન સાથે આ દરખાસ્ત અંગે વિશેષ વાટાઘાટો કરવામાં આવી હતી અને પરિણામે ઉપરની યોજનાના અમલ કરવા માટે, જેમાં આઠ કે નવ ભારતના અમુક ઈલેકટોરલ કાલેજ દ્વારા ચૂંટાયલા પ્રતિનિધિઓ હોય, અને આઠ કે નવ અમેરિકાના એ જ પ્રકારે ચૂંટાયલા પ્રતિનિધિઓ હોય અને જેના ચેરમેન અને એકઝીકયુટીવ આફ્સિર વારાફરતી ભારતીય કે અમેરિકન હોય એવા એક સ્વતંત્ર બોર્ડની રચના કરવી એમ નક્કી કરવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશનમાંથી વ્યાજ પેટે દર વર્ષે આશરે પાંચ કરોડની આવક થશે એટલે કે એટલી રકમ ઉચ્ચ શિક્ષણ કે જેમાં વિજ્ઞાન અને ટેક્નોલાજીના રસમાવેશ થાય છે તે પાછળ ખરચવામાં આવશે એવી ગણતરી કરવામાં આવે છે. આ યોજના સામે બે દિશાએથી વિરોધ કરવામાં આવ્યો છે; એક તો જેમને સામ્યવાદતરફી ગણવામાં આવે છે એવા કેટલાક લેાકસભાના સભ્યો તરફ્થી અને બીજો” વિરોધ ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી અમુક અગ્રગણ્ય વ્યકિતઓ તરફથી. આ વિરોધીઓનું એમ કહેવું છે કે આ યોજનાનો અમલ થતાં આપણા ઉચ્ચ શિક્ષણ ઉપર અમેરિકાનું પ્રભુત્વ સ્થપાશે અને આખું શિક્ષણ અમેરિકન ઢાંચા તરફ ઢળશે, તેને American Bias મળશે અને પરિણામે આપણી સંસ્કૃતિને ભારે હાનિ થશે. આ વિરોધ કરનારાઓ આવી કોઈ મદદ લેવાની ના કહેતા નથી, પણ તે આખા ટ્રસ્ટનું સંચાલન માત્ર હિંદીઓના હાથે થાય અને તેમાં કોઈ અમેરિકન દખલગીરી ન હાય એવી તેઓ માગણી કરે છે. આજ સુધીમાં પશ્ચિમના અન્ય દેશો કરતાં ભારતના અમેરિકા સાથેના સંબંધ આપણને અનેક રીતે વધારે ઉપકારક બન્યો છે. પાકિસ્તાન સાથેના યુદ્ધ પહેલાં અમેરિકાએ આપણને પુષ્કળ મદદ કરી છે અને ચીન સાથેના ઘર્ષણને લક્ષમાં રાખીને આપણને તેણે સારા પ્રમાણમાં શસ્ત્રસામગ્રી પણ પૂરી પાડી છે. કટોકટીના સમયે અમેરિકાએ તા. ૧-૬-૬ ✩ આપણને જોઈતું અનાજ પણ પૂરું પાડયું છે. આ અનાજના આર્થિક વળતરરૂપે એકઠી થયેલી ૧૫૦ કરોડ જેટલી રકમ અમેરિકા ફાવે ત્યારે આપણી પાસે માંગી શકે છે અને એમ બને તો આપણી મુંઝવણનો કોઈ પાર ન રહે. આને બદલે અમેરિકન સરકાર આ રકમન ઉપયોગ ભારતના શૈક્ષણિક વિકાસ પાછળ કરવાની ઈચ્છા જાહેર કરે છે. આ માટે કૃતજ્ઞતા દાખવવાને બદલે તે અંગે આપણે શંકાકુશંકા ઉઠાવીએ અને તર્કવિતર્ક કરીએ તે આપણને શુંભતું નથી. આવું વળણ એક પ્રકારની કૃતઘ્નતાનું ઘોષક લાગે છે. બીજું ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે આવી આર્થિક મદદ સ્વીકારવી અને તેને લગતી યોજનાના અમલમાં અમેરિકન સરકારના કોઈ અવાજ હોવા ન જોઈએ એવી માગણી કરવી કે અપેક્ષા રાખવી તે આપણા પક્ષે એક પ્રકારની ધૃષ્ટતા જેવું જ લેખાય. અને આવી યોજનાના સ્વીકાર કરતાં આપણા ઉપર અમેરિકન, વિચારસરણીનું પ્રભુત્વ સ્થપાશે એમ કહેવું યા બાલવું એ આજની વાસ્તવિકતાનો ઈનકાર કરવા બરાબર છે. કારણ કે આજે ભિન્ન - ભિન્ન વિષયોના ઉચ્ચ શિક્ષણ માટે આપણા અનેક યુવાન વિદ્યાર્થીએને આપણે ઈંગ્લાંડ અને અમેરિકા મોકલીએ છીએ; પરદેશની ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરીને પાછા આવતા યુવાનોને આપણી કાલેજો અને સરકારી ખાતાઓ સારા પગાર આપીને રોકે છે, અહિં અપાતા વૈજ્ઞાનિક અને ટેનિકલ શિક્ષણની ભારતમાં અને ઈંગ્લાંડ કે અમેરિકામાં અપાતા ઉચ્ચ શિક્ષણની ભાતમાં – અહીંનું શિક્ષણ પ્રમાણમાં નબળું તથા પ્રાથમિક કક્ષાનું અને ત્યાંનું શિક્ષણ પ્રમાણમાં વધારે સંગીન તથા આગળ વધેલું—આથી બીજો તફાવત શું છે? હા,—રશિયા કે ચીન તરફથી આવી કોઈ શૈક્ષણિક યોજના આવી રહી હોય ત આપણી અને તે દેશેની વિચારસરણીમાં પાયાના ફરક હોઈને તેમ જ પોતાની વિચારસરણીની દીક્ષા આપવી એ બન્ને દેશોના મુખ્ય હેતુ હોઈને, આવી બાબતના ઉપર જણાવેલ દષ્ટિબિંદુથી જરૂર વિચાર કરવાના રહે. પણ અમેરિકાની અને આપણી વિચારસરણીમાં પ્રમાણમાં ઘણું સામ્ય રહેલું છે. બન્ને દેશ લેાકશાહીને વરેલા છે, અમેરિકા ઉદ્યોગીકરણ અને યંત્રીકરણમાં ખૂબ આગળ વધેલ છે; આપણે ઘણા પાછળ છીએ એમ છતાં આપણી અભિમુખતા એ ક્ષેત્રોના સતત વિકાસ તરફ રહેલી છે. આ બધી રીતે વિચારતાં અમેરિકા તરથી સૂચવાયલા ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશનનો સ્વીકાર કરવામાં મને કશું જોખમ લાગતું નથી. ઊલટું ત્યાંની ઉચ્ચ શિક્ષણ આપતી યુનિવસિટીઓ અને કોલેજોથી આકર્ષાઈને આપણે આપણા તેજસ્વી વિદ્યાર્થીઓને ઘણા ખર્ચ કરીને અમેરિકા ભણવા મોકલીએ છીએ તેને બદલે આવા ફાઉન્ડેશનના પરિણામે એ જ કક્ષાની કૉલેજો આપણા દેશમાં ઊભી કરવામાં આવે એવા ઘણા સંભવ છે અને તેમ બને તે · આપણા દેશના વિદ્યાર્થીઓને ત્યાં જવાની પછી જરૂર જ ન રહે અને આજના યંત્રીકરણમાં – ટેકનોલ ાજીમાં – તૈયાર થયેલા અનેક યુવાનોની આજે આપણને જે જરૂર છે તેને પહોંચી વળવામાં આવી યોજના ઘણા મેટો ફાળો આપી શકે. ‘દૂધનો દાઝેલો છાશ પણ ફૂકીને પીએ' એ ન્યાયે આપણા દેશ ઉપર અંગ્રેજોની લગભગ દોઢસો વર્ષની હકુમત રહી અને તેથી આપણને થયેલા પારવાર નુકસાનને ખ્યાલ કરીને પશ્ચિમના દેશ તરફથી આવી કોઈ મદદ કરવાની દરખાસ્ત આવે ત્યારે આપણા મનમાં તેની શુભ નિષ્ઠા વિષે શંકા આવે એ સ્વાભાવિક છેઅને એ દૃષ્ટિએ આપણે આ યોજનાની પણ પૂરી ચકાસણી કરવી જ જોઈએ, પણ સાથે સાથે એ પણ સમજી લેવું જરૂરી છે કે અમેરિકાની જે તે બાબતમાં મદદની અપેક્ષા કરતા રહેવું અને સાથે સાથે તેની સામે ઘુરકતા રહેવું– 2 Page #111 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૬-૬૬ પ્રબુદ્ધ જીવન એમાં નથી આચિત્ય, નથી. સૌજન્ય કે નથી ડહાપણ. આ દષ્ટિએ જુવાનમાં જે ગુન્હાહિતપણાના ઘણા સારા પ્રમાણમાં બનતા અમેરિકા તરફથી સૂચવાયેલ ઍજ્યુકેશન ફાઉન્ડેશનને વિચાર કરવા કિસ્સા જોવામાં આવે છે અને આબાદ બનેલા દેશમાં અને પ્રબુદ્ધ જીવનના વાચકોને અનુરોધ છે. સમાજમાં જે નૈતિક અને આધ્યાત્મિક હાસ નજરે પડે છે આ ઈન્ડો • ૨:મેરિકન ફાઉન્ડેશનના વિરોધીઓને અનુલક્ષીને તે દ્વારા આ સમસ્યા . આખી દુનિયાને આવરી રહી હોય એમ શ્રી એ. ડી. ગોરવાલા પિતાના ‘પીનિયન’ નામના માસિકમાં લાગે છે. આ કુરસદવૃદ્ધિની–વધતી જતી નવરાશની-સમસ્યાનું ભારે રમુજી અને છતાં એકદમ પ્રસ્તુત એવી ટીકા કરતાં કરવું શું? તેને શી રીતે હલ કરવી? કારણ કે જો તેને ઉકેલ જણાવે છે કે, “તમારો કોઇ એક ભલો મિત્ર કોઈ સારા હેતુ પાછળ નહિ લાવવામાં આવે છે તેનું પરિણામ સભ્યતાનો માનસિક અને વાપરવા માટે તમને ૨૧]ક ઘણી મૅટી રકમ આપવાની ઈદા દર્શાવે નૈતિક નિકંદનમાં જ આવવાનું. વધતી જતી આ બેકાર નવરાશ અને તમારે અને તેણે મળીને તેના ઉપયોગને લગતી વિગતેં નક્કી દુનિયાનું નખેદ વાળવાની એવો ભય રહે છે.” કરવી એમ સૂવૅ તે તમારા માટે, વ્યાજબી રીતે વિચારતાં બે જ પ્રશ્ન: “મારા વાંચવામાં આવે છે કે રશિયને આ સમસ્યાને વિકલ્પ ઉભા થાય : કાં તે તમે એમ કહો કે “તમારે ઘણા માટે વૈજ્ઞાનિક રીતે ઉકેલ લાવવા પ્રયત્ન કરી રહેલ છે.” આભાર. આથી હું ઘણો આનંદ અનુભવું છું. જરૂર, આ રકમને જવાબ: “જરૂર તેઓ પ્રયત્ન કરી રહ્યાં છે, પણ રશિયામાં કેમ ઉપયોગ કરે તે આપણે બન્ને મળીને નક્કી કરીએ.” પણ છે કે બહુ ઓછા પ્રમાણમાં એ જ મુશ્કેલીઓ ઊભી થઈ છે. અથવા તે જો તે દરખાસ્ત સામે વાંધો ઉઠાવવાને તમને સબળ બીજાં મૂલ્યોની ઉપેક્ષા કરીને આ સમસ્યાનો માત્ર વૈજ્ઞાનિક રીતે કારણ હોય અથવા તે કોઈ પણ પાસેથી આવી રીતે નાણાં લેવા ઉકેલ લાવી શકાય કે કેમ તે વિષે મને શક છે. જે ખૂટનું લાગે છે સામે તમને સૈધ્ધાન્તિક વિરોધ હોય તે તમે એમ કહો કે આ વિચાર કેમ રજૂ કરવો તે મને સૂઝતું નથી સિવાય કે એમ “તમારો ઘણે માટે આભાર. તમારે આ વિચાર ભારે કહું કે આ એક નૈતિક બાજુ છે, જે કોઈ પ્રકારના આધ્યાત્મિક સરસ અને આવકાર પાત્ર છે, પણ તમે જાણો છે કે, આવી બાબતમાં નિરાકરણની અપેક્ષા રાખે છે.” હું જરા જુની ઢબે વિચારનાર માણસ ; મને કોઈની પણ પાસેથી મદદ પ્રશ્ન: “નહેરુજી, નૈતિક અને આધ્યાત્મિક નિરાકરણની પરિમાટે પૈસા લેવા ગમતા નથી. મને ખાત્રી છે કે તમે મને અન્યથા નહિ ભાષામાં વાત કરનાર આ જવાહરલાલ ગઈ કાલના જવાહરલાલથી સમજો”. આ બેમાંથી કશું ન કરવું અને એમ કહેવું કે “આ તમારે કેટલા જાણે કે કોઈ જુદી જ વ્યકિત હોય એમ નથી લાગતું? આપ જે કહી મેટો સ ભાવ છે! જરૂર તમારી મદદ હું સ્વીકારીશ અને તેને કેમ રહ્યા છે તે પોતાની જીવનસંધ્યા ટાણે ઈશ્વરને શોધી રહેલા નહેરની ખરચવી - વહેંચી દેવી એ પણ હું જ નક્કી કરીશ. તમારે આ બાબતમાં પ્રતિમાને આંખ સામે ઊભી કરે છે.” કોઈ તક્લીફ લેવાની જરૂર નથી. માત્ર મને રકમ આપી દો અને જવાબ: “જો તમે એમ કહેતા હો તો મારો જવાબ છે કે હા, બાકીનું બધું હું સંભાળી લઈશ.” - આવા જવાબ આપવો તે મનનું હું બદલાયો છું. નૈતિક અને આધ્યાત્મિક નિકારણ–ઉકેલ– કલ્પી ન શકાય એવું સાંકડાપણું દાખવવા બરોબર છે, અને એ કહે સમાધાન-ઉપર હું જે ભાર મૂકી રહ્યો છું તે કોઈ અજાગૃત વાની જરૂર નથી કે મહાન રાષ્ટ્ર અને સાંકડાં દિલ - બેને કદિ પણ મનેદશામાં નહિ પણ પૂરી સજાગ મનેદશામાં પૂરી સમજણપૂર્વક મેળ ખાઈ ન જ શકે.” મૂકી રહ્યો છું. એ માટે સંગીન કારણો છે. ખરી વાત એમ છે કે અન્તિમ વર્ષો દરમિયાન નહેરની વિચારપરિણતિ ભૌતિક વિકાસ અત્યન્ત જરૂરી છે, પણ આ ઉપરાંત, હું માનું છું કે, પ્રબુદ્ધ જીવનના છેલ્લા અંકમાં ઉપરના મથાળાની નોંધ વાંચીને જે વિના સર્વ કઈ ભૌતિક પ્રગતિને કોઈ અર્થ જ ન હોય એવા બ્લીટઝના તંત્રી શ્રી. આર. કે. કરંજિયાએ લખેલ “The Mind નૈતિક અને આધ્યાત્મિક વિકાસ સાથે જેનો સંબંધ હોય એ પ્રકારના of Mr. Nehuru” એ મથાળાના પુસ્તકમાંથી શ્રી કરંજિયા અને કોઈ વધારે ઊંડા તત્વને માનવીનું મન ઝંખી રહ્યું છે, તેની ઊંડી નહેરુ વચ્ચે થયેલા અમુક પ્રશ્નોત્તરોને લગતાં અવતરણે સંઘના ભુખ અનુભવી રહ્યું છે. ” એક સભ્ય ભાઈ સુકેતુ શાહે મારી ઉપર મોકલ્યા છે. આ પ્રશ્નોત્તરો આ જ બાબતને ધ્યાનમાં લઈને આ જ પુસ્તકમાં આગળ નહેરુના અન્તિમ વર્ષોની વિચારપરિણતિ સમજવામાં સવિશેષ ઉપ- જતાં પં. નહેરૂ જણાવે છે કે, “આજે દુનિયા જે શોધી રહેલ છે, યેગી બનશે એમ સમજીને તેને અનુવાદ નીચે આપવામાં આવે છે:- ઝંખી રહેલ છે તે છે માનવીના અસ્તિત્વનું કોઈ નવું પરિમાણઆ પ્રશ્ન: “રાજકારણી લેકશાહી અને ટેકનોલૅજીકલ (તાંત્રિક) new dimension, આધ્યાત્મિક ઊંડાણ અને નૈતિક સામર્થ્ય ધરાવતે ક્રાન્તિ આ બે આજની મુખ્ય સમસ્યાઓ છે એમ આપે જણાવ્યું. અને સમગ્રપણે સુગ્રથિત એવો માનવી જ માત્ર આ નવા સમયના આ સિવાય બીજી કોઈ બાબત આપના મનમાં છે?” પડકારને સામનો કરી શકશે. આધ્યાત્મિક સમધારણ વિનાની ભૌતિક જવાબ: “હવે પછીના દશકા દરમિયાન અથવા તે કદાચ આ પ્રગતિ અત્યન્ત ખતરનાક નીવડવા સંભવ છે.” દશકો પૂરો થયા બાદ, સંભવત: આપણી સમસ્યાઓમાં સૌથી મોટી | નહેરુના આ ઉદ્ગારો દેખાડે છે કે તેઓ ભૌતિક અને ટેકનસમસ્યા, ખાસ કરીને અમેરિકા અને બીજા અર્થસવૃદ્ધ બનેલા દેશો લાજીકલ વિકાસના પક્ષપાતી હોવા છતાં જેમ જેમ તેમની ઉંમર કે જેમાં મોટા પાયા ઉપર સ્વયંસંચાલિત યંત્રરચના-automation અને અનુભવ વધતા ગયા તેમ તેમ આવા કેવળ એકાંગી વિકાસનાં તરફ જોસભેર ધસી રહ્યાં છે–આ દેશમાં નવરાશના સમય ભયસ્થાનો તેમની નજર ઉપર આવતાં ગયાં અને નૈતિક અને વધતો જશે તે તે નવરાશને-કુરસદને-કેમ ઉપયોગ કરવા આધ્યાત્મિક ઉથ્થાન સિવાય માનવીને કોઈ આરો નથી એ સત્ય એ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરવાની. હાલ ભારત જેવા તેમને વધારે ને વધારે પ્રતીત થતું ગયું. અણવિકસિત દેશમાં આ સમસ્યા એ હદ સુધી પેદા થઈ નથી જે પૃથ્વી ફરતી નથી! હદ સુધી એ સમસ્યા યુનાઈટેડ સ્ટેટ્સ, યુરેપ અને ખાસ કરીને માર્ચ માસના અખંડઆનંદના જ્ઞાનગેટી વિભાગમાં નીચે મુજવધારે આગળ વધેલા સ્કેન્ડીનેવિયન દેશમાં અને અલબત્ત સેવિ- બના પ્રશ્નોત્તર પ્રગટ થયા છે. પ્રશ્ન કરનાર શ્રી ચંદ્રશેખર મહારાજ યેટ યુનિયનમાં પણ પેદા થઈ છે. તે સમસ્યાના અસ્તિત્વને સૌથી છે; જવાબ આપનાર શ્રી વિજયગુપ્ત મૌર્ય છે. . વધારે ઉત્કટ પુરા અમેરિકામાં જોવા મળે છે અને એ સમસ્યા પ્રશ્ન: તમે કહે છે કે પૃથ્વી સૂર્યની આસપાસ લંબગોળ કે સમયના વહેવા સાથે ત્યાં વધારે વ્યાપક અને ઘેરી બનવાની છે. ત્યાંના કક્ષામાં ફરે છે અને જયારે તે પૃથ્વીથી ઓછા અંતરે હોય ત્યારે Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ જીવન તેની ઝડપ વધી જાય છે, વધુ અંતરે હોય ત્યારે ઘટી જાય છે. હું આ સાથે જૈન ભૂગોળ નામના લેખનું પાનું ફાડીને મેલું છું. તેમાં એવી દલીલ કરવામાં આવી છે કે સૂર્ય-ચંદ્ર ફરે છે, પણ પૃથ્વી કદી ફરતી નથી. આ વિશે શું સમજવું? જવાબ: ભૂગોળ એ ભૂગોળ છે; તો જૈન, વૈષ્ણવ, મુસ્લિમ કે ખ્રિસ્તી ભૂગાળ કેવી રીતે હોઈ શકે? ધર્મને વિજ્ઞાનની ચર્ચામાં ન લાવવા જોઈએ. ધર્મ એ સદાચારી, સ્વસ્થ અને ઈશ્વરપરાયણ જીવન કેમ જીવવું તેનાં નીતિનિયમો અને તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર છે. વિજ્ઞાનના ક્ષેત્રને લગતું જે કંઈ બાઈબલમાં છે તે બધું વિજ્ઞાન વડે ખાટું ઠર્યું છે. તેમ છતાં ખ્રિસ્તી ધર્મગુરૂઓ પણ આજે નથી કહેતા કે વિજ્ઞાન ખોટું છે અને બાઈબલ સાચું છે. આશરે પોણાચાર વર્ષ પહેલાં ગેલિલિયોએ પહેલું દૂરબીન ચંદ્ર તરફ માંડીને બાઈબલના કથનને ખાટું ઠરાવ્યું હતું, પણ જયારે તેણે ધર્મગુરુઓને દૂરબીન વડે ચંદ્ર જોવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેમણે કહ્યું કે તારા દૂરબીન વડેચંદ્ર જોઈને અમે પાપમાં પડવા નથી માગતા; બાઈબલમાં લખેલું છે તે જ સાચું છે! જૈન ભૂગાળમાં આ ધર્મગુરુઓનું ૪૦૦ વર્ષ જૂનું માનસ છે. આ જમાનામાં જયારે વિમાનોના, રોકેટોના અને અવકાશયાનોના વહેવાર પૃથ્વીની ગતિના આધારે ચાલે છે ત્યારે પૃથ્વી નથી ફરતી એમ કહેવું એ ૪૦૦ વર્ષ મેડું છે. પૃથ્વી નથી ફરતી એમ આપણે ત્યાં આજે લખાય છે, છપાય છે અને વંચાય છે, એ પણ એક અજાયબી નથી.” આમ અન્ય ધર્મશાસ્ત્રો માફક જૈન ધર્મશાસ્ત્રમાં એવાં એવાં અન્ય વિધાનો પણ મળવા સંભવ છેકે જે આજના વૈજ્ઞાનિક સંશાધન અને નિર્ણયા સાથે બંધબેસતા ન હોય. દા. ત. અગ્નિતત્વ સજીવ હાવાની જૈનધર્મની માન્યતા. આ માન્યતા કેમ ઊભી થઈ હશે? બીજમાંથી વૃક્ષ થાય છે; બાળકમાંથી યુવાન થાય છે; નાના બચ્ચામાંથી મેટ્ જાનવર થાય છે. આ ઉપરથી એક એવી વ્યાપ્તિ બાંધવામાં આવી કે જ્યાં સ્વયં હલનચલત અથવા વિકાસ હોય ત્યાં સજીવતા સમજવી. આ ઉપપત્તિ ઉપરથી તણખામાંથી ચાતરફ ફેલાતો ભડકો અથવા તો અગ્નિ નિર્માણ થતા જોઈને તે પણ સજીવ હાવાની માન્યતા જૈન ધર્મમાં ઊભી થઈ હોય એમ બનવાજોગ છે. પણ જીવસૃષ્ટિની સ્વયંવૃદ્ધિ અને અગ્નિની સ્વયંવૃદ્ધિમાં આસમાન જમીનના ફરક છે. અગ્નિમાં દેખાતી સ્વયંવૃદ્ધિ કોઈ સજીવતાની સૂચક નથી, પણ વસ્તુને ભસ્મીભૂત કરતી−disintegrate કરતી— અને એ રીતે વસ્તુનું વિસ્તૃત રૂપાન્તર કરતી એક શકિતનું રૂપ છે. અથવા તો અગ્નિ એક પ્રકારની વસ્તુસ્થિતિ છે એમ પણ કહી શકાય. આવી રીતે શબ્દને પુદ્ગળ માનવામાં આવે છે, બટાટાને કંદમૂળની કક્ષામાં મૂકવામાં આવે છે– આ માન્યતાઓ પણ આજે અવૈજ્ઞાનિક પુરવાર થવાનો સંભવ છે. શાસ્ત્રોએ પવિત્ર મનાવેલું રેશમી વજ્રનરી હિંસાના કારણે કોઈ પણ અંશમાં પવિત્ર ગણી શકાય તેમ છે જ નહિ. આમ ભૌતિક તત્વ અથવા તો પદાર્થને લગતી જે કોઈ ધાર્મિક માન્યતાઓ આજના વૈજ્ઞાનિક સંશાધન સાથે બંધબેસતી ન આવે તે તે માન્યતાએ સર્વજ્ઞકથિત કહીને સાચી પુરવાર કર નો પ્રયત્ન કરવાને બદલે ધર્મને અન્તસ્તત્વના ઉર્વીકરણ સાથે અને વિશ્વ સાથે સંવાદિતા પેદા કરે એવા આચાર સાથે સંબંધ છે અને વિજ્ઞાનને વસ્તુતત્ત્વના સમ્યક નિરૂપણ સાથે સંબંધ છે એ મુજબ ધર્મ અને વિજ્ઞાન વચ્ચે રહેલી ભેદરેખાને બરાબર સમજવી અને અન્તસ્તત્વનું ઉર્વીકરણ અને આચારશુદ્ધિ એ સનાતન વિચાર છે. જયારે વૈજ્ઞાનિક વિચાર નવાં નવાં સંશાધન ઉપર આધારિત હોઈને સદા પરિવર્તનશીલ છે એ પ્રકારના વિવેક પ્રાપ્ત કરવા એ જ સત્યનિષ્ઠ ધર્મનિષ્ટ માનવી માટે સાચા અને સહીસલામત માર્ગ છે. પૃથ્વીના સ્વરૂપ વિષે ઉપર આપેલી ચર્ચા પણ આ જ દૃષ્ટિકોણને આગળ ધરે છે. (અનુસંધાન ૩૨ મે પાને) તા. ૧-૬-૧૯ ભણેલા લેકે ! આ આપણા તા. ૨૭-૩-૬૬ ના ‘ગુજરાત સમાચાર’માં આપણું એકદમ ધ્યાન ખેંચે એવા બે સામાજિક કિસ્સાઓ પ્રગટ થયા છે, જેની વિગત નીચે આપવામાં આવી છે. ગયા ફેબ્રુઆરી માસના અન્ય ભાગમાં અને માર્ચ માસની શરૂઆતના ભાગમાં મુંબઈના જાણીતા વિશિષ્ટ પરાંઓ ખાર, સાન્તા ક્રુઝ અને વીલે પારલે આસપાસના વિભાગમાં એવા બે બનાવા બન્યા છે કે, જેમાં ચાર માનવીઓએ એટલે સ્ત્રી પુરુષોએ ન કરવા જેવાં કામા કર્યા છે અને આ સ્રીપુરુષો તદન સામાન્ય વર્ગના નથી કે કોઈ પછાત કે અભણ વર્ગના નથી. તે ઉચ્ચ હિંદુ કુટુંબોનાં સ્ત્રી પુરૂષો છે અને મોટી મેટી ડીગ્રી ધરાવનાર છે, સમાજને શિક્ષણ આપનારા છે, સમાજનું સ્વાસ્થ્ય સાચવવા માટે જવાબદાર ગણાય એવા છે અને સમાજમાં આગેવાનીભર્યા મોભા ધરાવનારા છે. આ બે કિસ્સાઓમાંથી પહેલા કિસ્સા નીચે મુજબ છે:– કિસ્સા પહેલા વાત એમ બની છે કે મુંબઈના પરાઓમાં એક અગ્રગણ્ય તબીબ તરીકે જેમની ગણના થાય છે તેવા સાઠની આસપાસની વય ધરાવતા એક ડૉક્ટર ચારપાંચ દિવસ થયા ગુમ થઈ ગયા છે. હા, હું ગુમ થઈ ગયા છે એમ એટલા માટે કહું છું કે, તેમનાં પત્નીને પણ તેઓ ક્યાં ગયા છે તેની ખબર નથી. આ ડૉક્ટર એક સુશિક્ષિત કુટુંબમાં સારવાર અર્થે અવારનવાર જતા હતા. ને આવા ડાકટરો જેમ કુટુંબનાં તમામ રહસ્યો, સુખદુ:ખ સગવડ અગવડોની વાત જાણતા હાય છે તેમ આ ડૉક્ટર પણ આ બધું જાણતા હતા. આ કુટુંબમાં ૨૫-૨૭ વર્ષની ઉંમરની એક કુંવારી કન્યા પણ હતી. આ ઉંમરે સ્રીને કે કુંવારી કન્યાને જે લાડકોડ, ઈચ્છા અરમાન હોય. તે બધાં આ કન્યાનાં અધૂરાં હતાં. આપણા સમાજમાં ઘણીવાર બનતું આવ્યું છે તેમ અનેક કારણેાસર એ કન્યાના લગ્ન વિષે એના વાલીઓએ પ્રયાસ કર્યા ત્યારે તે લગ્નની વાત જામી નહિ, જ્યાં કન્યાને મુરતીઓ પસંદ આવ્યા ત્યાં મુરતીયાને કન્યા પસંદ ન આવી ને જયાં મુરતીયાને કન્યા પસંદ આવી ત્યાં કન્યાને મુરતીયો પસંદ ન આવ્યો. ઘણીવાર બન્નેને જામી જાય એવું લાગતું ત્યારે પાછળથી ખબર પડતી કે મુરતીયા કરતાં કન્યા જ વધારે ભણેલી હતી. અને એમને એમ યોગ્ય મુરતીયાની શાધમાં વર્ષો વીતી ગયાં. વર્ષો વીતતાં જાય છે તેમ યૌવન પણ વધતું જાય છે અને એ એના તકાદા કરતું જ હોય છે. અને એનાં પરિણામો આવવા જોઈએ તેવાં આવે છે. આ જુવાન બાઈ પેલા પાડોશી ડાક્ટરના મહિપાશમાં લપેટાઈ ગઈ. ડૉક્ટર પણ ઘણા જ સુશિક્ષિત અને ચતુરસુજાણ હતા. એમણે આ બાઈ ઉપર એવી ભુરકી છાંટી કે બાઈને ડૉક્ટર સિવાય કંઈ દેખાય જ નહિ. બાઈના વાલીઓએ આ વાતની નોંધ લીધી ને તેને આ વળે પંથેથી વાળવાના પ્રયાસ કર્યા. બાઈ તે ન સમજે તે સમજાય તેવું છે, પણ પેલા ભાઈ પણ ન સમજયા. બેચાર છેકરાંઓના બાપ એવા આ ડૉકટરે વાલીનાની સાચી વાત સમજીને બાઈને સવળે રસ્તે ચડાવવાને બદલે વાલીઓને દમદાટી આપવા માંડી. વચ્ચે એકવાર યુવતીએ કોઈ ઝેરી ગાળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ પણ કર્યો ને વાત જયારે વધી પડી ત્યારે છેવટે તે યુવતી ઘર છેડીને નાસી ગઈ છે. છેલ્લા પંદર દિવસ થયા મુંબઈની એક અગ્રણ્ય શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી આ બાઈના પત્તા નથી મળતા. એટલું જ નહિ, ઉપરથી બાઈએ નાસી જતી વખતે મહારાષ્ટ્ર રાજયના ગૃહ પ્રધાનને, પોલીસ કમિશ્નરને તથા પોતાના વાલીઓને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, તમે લોકો મને ત્રાસ આપે. છે એટલે હું તમને છોડીને ચાલી જાઊં છું. પેલા વાલીઓની આંખમાંથી આંસુ સૂકાતાં નથી. એમણે પેલા 4 Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ૨૭ ડૉક્ટરને મળીને કાકલુદી કરી કે તમે અમને અમારી જુવાન દીકરીને શ્રદ્ધા છે કે આપણે જ જીતીશું. આપણા સૈનિકોનું શુરાતન પહેપત્તો મેળવી આપે, પત્તો મેળવવામાં મદદ કરે. અમારી પ્રતિષ્ઠાને, લેથી જ જગતમાં પ્રસિદ્ધ છે. મેં પણ લડાઈમાં કામગીરી બજાવી જીંદગીને પ્રશ્ન છે. પણ ડૉક્ટરે તે સામે ગળે પડીને જવાબ છે. એમ કહી તે મૂંગો બની ગયો અને દૂર દૂર કશુંક જોઈ રહ્યો આપ્યો છે કે, “મસીદમાં ઘુસ્યો છે જ કોણ ?' હોય એવી શૂન્ય નજરે સામેની દિશા તરફ તાકી રહ્યો. ઉપરાંત છેલ્લા પાંચ છ દિવસ થયાં આ ડોક્ટર પણ મુંબઈમાં હું તેની એ મુદ્રા સામે જોઈ રહ્યો. થોડી વારે ધીરેથી તેણે પછેડી નથી એટલું જ નહિ તે ક્યાં ગયા છે તેની પણ કોઈને ખબર વતી આંખમાંથી ટપકેલું આંસુ ઝટપટ લૂછી નાખ્યું. મેં એ જોયું, નથી. ખબર માત્ર એટલી જ છે કે, છેલ્લે તે અમદાવાદ જવાની ' હું સમજી ગયો કે લડાઈની તેની કામગીરી દરમિયાન કોઈ ભેગવેલી વાત કરતા હતા. યાતના તેને યાદ આવી ગઈ લાગે છે. મેં તેને કહ્યું પણ ખરું: આમ એક શિક્ષિકા અને ઑકટર વચ્ચેના પ્રણય કિસ્સામાં “ભાઈ, એવું કુમળું હૃદય રાખવું ન જોઈએ. દેશદેશ વચ્ચે ડોકટરની પત્ની, તેમના બાળકો તથા શિક્ષિકાના પિતાનાં વાલીઓની એવા યુદ્ધો તે ચાલ્યાં જ કરવાનાં. એમાં આપણે ભાગે કંઈ ને કંઈ જીદગીમાં અત્યારે તે હોળી પ્રગટાવી છે ને ફેંકટરના દરદીઓ બલિદાન આપવાનું આવવાનું જ. ને નાગરિક તરીકે એ બલિદાન તથા શિક્ષિકાની શાળાના વિદ્યાર્થીઓને પિતાના આ “બેન”ની વાત આપવાની આપણી ફરજ પણ છે. એ બલિદાનને આપણું ગૌરવ જ કરી રહ્યાં છે. સમજવું. બીજો કિસ્સ ના, ના, બાબુજી, એવી કોઈ વાત નથી. આ તો લડાઈની વાત નીકળતાં મારો એ સેનેરી ભૂતકાળ યાદ આવી ગયો, એથી જરા હવે આ બીજા કિસ્સામાં એવું બન્યું છે કે, પરાંની એક જાણીતી મન ખિન્ન થઈ ગયું.” હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બહેન કે જેઓ આમેય તે ચર્ચા અને ચક પહેલેથી જ સ્વભાવ કંઈક કુતુહલપ્રિય અને સામું માણસ વાત ચારથી પર ન હતાં તેને એક વિમાની કંપનીના ઉચ કર્મચારીના. કરતું દેખાય તે વાતના મૂળ સુધી જવાનો મારો સ્વભાવ એટલે સંપર્કમાં આવ્યાં. આ કર્મચારી અને બહેન બાજુબાજુમાં રહેતાં હશે મેં જરા આગ્રહપૂર્વક તેના એ ભૂતકાળની વાત કહેવાનું તેને કહ્યું. ને ત્યાંથી ઓળખાણ થઈ હશે. જુવાન માણસે હોય, પૈસે ટકે થોડી આનાકાની પછી ‘ને અમારા ગરીબ માણસની એવી થોડી છૂટ હોય, ને સમાજની થેડી ઓછી દરકાર કરતા હોય એવા હલકી વાતમાં તમને શો રસ પડશે?” વગેરે કહી આખરે તેણે નીચેની વાત કરી. લોકોને લપસતાં વાર નથી લાગતી. ને તેમાં ય પાછા આ બહેનને અમે તે બાબુજી, અમે પહાડી પ્રદેશના પછાત કોમના માણસ એકવાર કોઈ પ્રતિનિધિમંડળમાં માસ્ક જવાને ચાન્સ મળે. કહેવાઈએ પણ ત્યાં અમારા કુટુંબની ગણના કંઈક ઊંચામાં ગણાય. બહેન મેક્કે ગયાં ત્યારે પેલા ભાઈ પણ મેસ્કોમાં જ પેતાની છેલ્લા વિશ્વયુદ્ધ વખતે હરદ્વાર શહેરમાંથી અમારા ગામમાં લશ્કરી ફરજ બજાવતાં હતાં. ને ત્યાં જે કંઈ છૂટ મળી તેણે એ લોકોને એક ભરતી કરવાવાળા સરકારી અધિકારીઓ આવ્યા અને જાતજાતની બીજાથી ખૂબ જ નજદીક લાવી મૂક્યા. પણ... છોકરાંને બાપ ને સગવડો તથા પૈસાનાં પ્રલોભને આપી લશ્કર માટે માણસની ભરતી જીવતી પત્નીવાળ! પેલે અધિકારી કાયદેસર બીજી પત્ની કરી કરવા લાગ્યાં. એ વખતે અમારી આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. કેવી રીતે શકે! મહેનત કરી માંડ માંડ રોટલે અમે ખાતાં. એટલે આ બધાં પ્રલેઆ વાતે બંનેને બહુ જ મૂંઝવ્યાં. પેલા ભાઈ મેસ્કોથી મુંબઈ ભને મારી પત્નીને અસર કરવા લાગ્યાં. તે કહેવા લાગી ‘તમે હાલ આવ્યા. આ મુંઝવણમાંથી રસ્તો કાઢવાના પ્રયાસો કર્યા. કોઈ મિત્રો લશ્કરમાં જોડાઈ જવ, તો આપણે ભવિષ્યમાં ખૂબ આરામથી અને વકીલની સલાહ લીધી અને વકીલે તે દરેક કેસમાં ફી લઈને સુખથી જીવી શકીશું. મારી લશ્કરમાં જોડાવાની અનિચ્છા હતી, સલાહ આપતા જ હોય છે તેમ આ કેસમાં પણ સલાહ મળી ગઈ. પણ તેના અત્યંત દબાણને અંગે મારે લશ્કરમાં જોડાવું પડયું. તમે મુસ્લિમ થઈ જાઓ તે તમે ગમે તેટલા લગ્ન કરી શકો. મુસ્લિમને ચાર પત્નીને કરવાની છૂટ છે.” હું આર્મી સપ્લાઈ ખાતામાં કામ કરતા હતા. બેંગલરના વડા એટલે ભાઈ તે પહોંચ્યા જુમ્મા મજીદમાં, અને ધર્મપ મથકે મારે વર્ષો સુધી રહેવાનું થયું. દર મહિને પગારની રકમ કરાવવા માટે જેમ ઘણા ધમોમાં લેકે તૈયાર મળી રહે છે તેમ આ મારા હાથમાં આવતી તરત તે હું ભવિષ્યનાં આરામનાં સ્વપ્નાં જુમ્મા મજીદમાં પણ મુલ્લાંજી તૈયાર જ હતા. સેવતી મારી પત્નીને મનીઓર્ડરથી મેકલી આપતો. મારા સુખ માટે મળેલા અહેવાલ પ્રમાણે પછી તે આ ભાઈ. પેલા પ્રિન્સીપાલ એક પૈસે પણ હું કદી ખર્ચત નહીં. એ રીતે મેં લગભગ બહેનને પણ મુસ્લિમ બનાવ્યાં અને બંને મુસ્લિમ તરીકે પરણી બેએક હજારની રકમ તેને મોકલી હશે. પછી મને થયું ગયાં. આ લગ્ન બાદ તેને પણ મુંબઈ છેડીને ચાલ્યા ગયાં છે. ક્યાં ગયાં છે તેને પત્તો નથી. ‘હવે અમારું સુખ આવી પહોંચ્યું. એટલે એ સુખની કલ્પના કરતે હું થોડા દિવસ નેકરીમાંથી રજા લઈ મારે આ આપણા અભણ લોકે! ગામ કુંડચટ્ટી’ પહોંચી ગયું. મારા આવવાની ખબર મેં અગાઉથી ઉપર જણાવેલ બે કિસ્સામાંથી તદન બીજા છેડાને એક કિસ્સો પત્નીને આપી હતી. એટલે એ તો મારું સ્વાગત કરવા અતિ પ્રસન્ન તા. ૧૫-૪-૬૬ના જનસંદેશ” માંથી લીધું છે. મુખે મને સામી મળશે એવી મારી કલ્પના પણ હતી. પણ અફસ કેદારનાથ જવા માટે અમારો સંઘ ગુપ્તકાશીથી નીકળી ધાર્યું તું કંઈ અને બન્યું કંઈક. કલ્પના કલ્પના જ રહી. વાસ્તવમાં ત્રિજુગી નારાયણ તરફ ચાલ્યો જતો હતો. ૧૦મી સપ્ટેમ્બર ૬૫ને તે મારે મોટા આઘાતને સામને કરવાનું હતું. મારા આવવાની એ દિવસ. ત્યારે પાકિસ્તાન સાથેની લડાઈ પૂરજોશમાં ચાલતી હતી. ખબર આપતો કાગળ મળતાં જ પત્ની બીજા એક પુરુષ સાથે અમે બધા ડોળીમાં બેઠા હતા. મારી ડાળી ઉપાડનાર ચાર જણામાંથી બધી રકમ સાથે કયાંક ભાગી ગઈ હતી. ' એકનું નામ હતું ભોપાલ, તે સહુને નેતા જેવો દેખાતો હતું અને આ ખબર સાંભળતાં જ મારે માથે વજઘાત થયો. ધીરે ધીરે હોંશિયાર તેમ જ ચપળ પણ લાગતો હતો. રસ્તો કાપવા સરળ પડે એટલે મેં તેની સાથે વાત કરવા માંડી. મેં કહ્યું: ‘ભોપાલ, આપણી ‘જેવી ઈશ્વરની મરજી માની મન મનાવ્યું. ફરી લશ્કરમાં જવાનું આ પાકિસ્તાન સાથેની લડાઈમાં આપણે જરૂર તેમનાં દાંત ખાટા મન ન થયું. તેથી કરીનું રાજીનામું મોકલી આપી અને ગામમાં જ કરી નાખશું એમ લાગે છે. આપણા જુવાને કેવી બહાદુરીથી લડે છે! ઠરીઠામ થવાને વિચાર કરી મારો બાપીકો ધંધે ‘ડળી ઉપાડવાને” તમને લોકોને શું લાગે છે?” મેં શરૂ કરી દીધે.. છે તે બોલ્યો: “બાબુજી, આપની વાત સાચી છે. અમને પણ બધાને વર્ષો વીતી ગયાં એ વાતને પત્નીની યાદ મનમાંથી જતી Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રમુદ્ધ જીવન ૪ રહી નહોતી જ, પણ હવે એના રોષ કે દુ:ખ વિસરાઈ ગયું હતું. તેમ ફરી લગ્ન કરવાની પણ કોઈ ઈચ્છા જન્મી ન હતી. એક વાર હું નવી ડાળી ખરીદવા રૂદ્રપ્રયાગ ગયો. મને આ વર્ષો દરમિયાન ખબર પડી ગઈ હતી કે મારી પત્ની ભાગીને તે પુરુષ સાથે રૂદ્રપ્રયાગમાં રહેતી હતી. પણ મેં એને શેાધવાને કદી વિચાર કર્યા જ નહોતા. પણ આ વખતે અનાયાસે જ એક પરિચિત ગૃહસ્થે મને તેનું ઠેકાણું આપ્યું અને આટલાં વર્ષો પછી મને તેના સુખદુ:ખના સમાચાર જાણવાનું મન થયું. અને હું તેને ઘેર ગયો. આંગણામાં પ્રવેશતાં જ મેં ત્રણ મેલાંઘેલાં ચીંથરેહાલ રખડતાં બાળકો જોયાં અને ઝુંપડીની પરશાળમાં એક કૃશકાય શ્રી ખાટલામાં પડી કણસતી હતી. ધ્યાનથી જોતાં હું એને ઓળખી ગયો. એ જ મારી પત્ની હતી. મને પણ તે તરત ઓળખી ગઈ. તેણે શરમથી આંખો નીચી ઢાળી દીધી. અને થોડી વારે ખૂબ જ દયામણે ચહેરે રડતાં રડતાં બાલી, ‘જુઓ જુઓ, આ મારા પાપનું ફળ. તમને બ્રેડીને આમ ભાગી જવા બદલ મને શું મળ્યું? હું ખૂબ જ દુ:ખી થઈ ગઈ છું. તેણે પોતાની દુ:ખદર્દની કહાણી કહી. તેને ભગાડી જનાર પુરુષ તે બે ત્રણ વર્ષમાં જ હાથમાંની રકમ ખલાસ થતાં તેને રઝળતી મૂકી જતો રહ્યો છે. તેની તથા તેનાં બાળકોની સારસંભાળ લેનાર કોઈ નથી. તે મજૂરી કરી પેટ ભરતી હતી પણ હવે તેનાથી તે પણ બનતું નથી. અને અત્યંત દુ:ખમાં દિવસે વિતાવે છે વગેરે. મારૂ મને તેનું દુ:ખ જોઈ કકળી ઊઠયું. મેં તે ઘડીએ જ તેની તથા બાળકોની સંભાળ રાખવાનું નક્કી કરી લીધું. ત્યારથી એ બધાંની સારસંભાળ હું લઉં છું અને તેમના ઘરના બધા ખર્ચ હું જ ઉપાડું છું. બાળકોને ભણાવવાની પણ મે જોગવાઈ કરી છે. ગામલોકો ઘણી વાર કહે છે ‘નાહકની પળેાજણ માથે લઈ શું કામ મહેનત કરીને મરી જાય છે.' તેમની વાત સાચી છે, પણ એ પારકી પળાજણ મને જાણે મારી જ લાગે છે. મનમાં એ ફરજ બજાવતાં એક જ વિચાર આવે છે ‘આખરે એ એક વારની મારી સહધર્માંણી જ હતી ને! મારૂ અર્ધું અંગ જ કહેવાયને! ને એ નિરાધાર બાળકોના મુખ ઉપર આવતી તાજગી જોઈ મને પરમ આનંદ અને પરમ સંતોષનો અનુભવ થાય છે. ‘ઘણા વડીલો હજુ પણ નવા લગ્નની સલાહ આપે છે. પણ વાતમાં મને હવે રસ જ રહ્યો નથી. ‘ગઈ સો ગઈ' બસ મન એ બાજુથી વળી ગયું છે.' ત્યાર પછી ભાપાળ મારા તરફ ફરી મને કહે, “બાબુજી, આપની પાસેથી જે મજૂરી મળશે એમાંથી પચાસ રૂપિયા તેને પહોંચાડી હું મારે ઘેર જઈશ.' મારૂ મન ભાપાલની આ પરમ ઉદારદિલીની વાત સાંભળી આશ્ચર્યથી મૂઢ બની ગયું હતું, છતાં મારી અંદરની વ્યવહારદક્ષતાથી બાલ્યા વગર ન રહેવાયું ને હું બાલ્યા :– ભાપાલ, એક બેવફા સ્ત્રી માટે આટલું બધું કરવું એ નરી મૂર્ખતા જ કહેવાય ને !' તે તરત જ ફરી હસતેા હસતા બાલ્યા. ‘બાબુજી, મૂર્ખતા હશે, પણ એક વખતનું તે મારૂં અર્ધું અંગ છે. મારા સુખમાં સુખી અને દુ:ખમાં દુખી એવા યે ઘણા દિવસે તેણે મારી સાથે વિતાવ્યા છે, અને તેને તેની કરણીના પસ્તાવા પણ થયો છે. ઉપરાંત તેને તેનું ફળ પણ મળી ગયું છે. હવે મારું તો માત્ર તેની સંભાળ લેવી જોઈએ ને! એટલું ન કરૂં તો હું માણસ શેન ધન્ય છે ભાપાળ તારા આ રહેમીદિલીને. ઉજળા લોકોની સંકુચિતતા આગળ તારી આ પ્રાકૃત હૃદયની ઉદારતા જોઈ મારૂ મન ધન્ય બન્યું છે.' આવુંઆવું હું એને કહેવા જતે!, ત્યાં તે અમારી રાતવાસો કરવા માટેની ધર્મશાળા આવી પહોંચી અને બધી ડોળીઓ ખભા પરથી નીચે ઊતરવા લાગી.. આજે ભાપાળ ને તેની પેલી બીમાર પત્ની કર્યાં યે ગયાં છે એક મધુર તા. ૧-૧-૧૬ હશે, પણ મારા હૃદયમાં તે સદા માટે વસી સ્મરણરૂપે. તંત્રી નોંધ આપણે સાધારણ રીતે ઉચ્ચ શિક્ષણપ્રાપ્તિને શીલસંપન્નતા સાથે જોડીએ છીએ. ઉપરની ત્રણ ઘટનાએ એમ પુરવાર કરે છે કે ઉચ્ચ કેળવણી અને શીલસંપન્નતાને કોઈ અનિવાર્ય સંબંધ નથી. ભણતર—સારૂં ભણતર માનવીને એક શકિત આપે છે. એક પ્રકારની કાર્યકુશળતા આપે છે. તે કેળવણી સાથે શીલના ઊંચા સંસ્કારો જોડાયેલા હોય તેા કેળવણી દ્વારા પ્રાપ્ત થયેલી શકિતને તે સદુપયોગ કરે છે. અને તેનાં જીવનમાં સહજપણે સંયમ અને સુવાસ પ્રગટે છે. એથી અન્યથા હોય તો ‘સાક્ષરા વિપરીતા રાક્ષસા ભવન્તી' એ ઉકિત મુજબ એના એ જ માનવી રાક્ષસ બની શકે છે અને સમાજમાં અક્ષમ્ય વિસંવાદો પેદા કરે છે. ત્રીજા કિસ્સામાં કોઈ શિક્ષણ કે ઉચ્ચ કેળવણીના દાવા નથી, પણ જીવન્ત માનવતા છે. આવા માનવીઓ માનવતાની આધારશિલા છે; સમાજ તેમના ત્યાગ અને સમર્પણ ઉપર ટકી રહેલા છે. પરમાનંદ સાહિત્યપુરુષ ચૂનીભાઈ કાળમાં દુકાળ હોય છે. દુકાળમાં અધિક મહિના હોય છે. કોક વખત એવા જ આવે છે કે, જયાં પ્રજવલિત’ એક ચિતા બુઝાતી નથી, ત્યાં મહામના માનવીને ગોદમાં લેતી બીજી ચિતા પ્રજવલી ઊઠે છે. અને બીજી દાહક અસર હજી ઓછી થઈ હાતી નથી, ત્યાં ત્રીજી ચિતા ભભૂકતી દેખાય છે. હજી હમણાં જ સાક્ષરવર્ષ શ્રી ધૂમકેતુના મૃત્યુની સંવત્સરી ઊજવી; હજી હમણાં જ શ્રી. ગુણવંતરાય આચાર્યના અવસાન પર આંસુનાં મોતી પરોવ્યાં; ત્યાં સાહિત્યકારોની - પ્રાચીન કાળની, સંધિકાળની અને અર્વાચીન કાળની એમ ત્રણ પેઢીને આવરી લેતા ભીષ્મપિતામહ જેવા ધીર, ગંભીર સહિત્ય પુરુષ શ્રી ચૂનીલાલ વર્ધમાન શાહના દેહાવસાનના દુ:ખદ સમાચાર સાંપડે છે. એક (ધૂમકેતુ), બે (શ્રી આચાર્ય), ને ત્રણ (શ્રી. ચૂં. વ. શાહ.) એમ ત્રણે મહાન વ્યકિતઓ સાથે મારગાઢ ઉત્તરોઉત્તર સંબંધ હતા ને હું માનું છું કે, ગુજરાતી સાહિત્યને શ્રી મુનશી પછી આ ત્રણે વ્યકિતઓએ જાહેર—બાહેર રીતે આવરી લીધું હતું ને સાહિત્યક્ષેત્રમાં પ્રવેશ કરનાર કોઈ પણ એમના ઝબકારાથી અસ્પર્શી રહી શકે તેમ નહાતું. સુદીર્ધ એંશી વર્ષનું આ પુષ્ય, જીવનની તડકી છાયડીમાં સ્વસ્થ તન અને મનની નિરોગીતા, સમાજ, સંપ્રદાય ને દેશ - ત્રણેને યોગ્ય ત્રાજવે તેાળીને સેવા કરનાર, કયારેય અજંપે કે અસારા નહિ, આવેલી કડવી મીઠી ઘડીને વધાવી લેવાની તત્પરતા આવા માનવીનાં મૃત્યુ પર અક્સા ગુજારવા - એ મરનારના વ્યકિતત્વને અવમાન આપ્યા બરાબર છે. જીવનના છેડો મૃત્યુ છે; ને જો એછેડા આવી શાનદાર રીતે આવતા હોય તે આ જમા નામાં ઝાઝું શોચવા જેવું નથી એમ લાગ્યા કરે છે. શ્રી ચૂનીભાઈના જન્મ સૌરાષ્ટ્રમાં ઝાલાવાડમાં, એ વખતના પ્રખ્યાત વઢવાણ શહેરમાં તા. ૩-૧-૧૮૮૭ના રોજ એટલે કે આજથી લગભગ એંશી વર્ષ પૂર્વે થયો હતો. માતાનું નામ નાથીબાઈ ને પિતાનું નામ શ્રી વર્ધમાન મુલચંદ શાહ હતું. જન્મે તે સ્થાનકવાસી જૈન હતા. પિતા સુરેન્દ્રનગરમાં એક વેપારીને ત્યાં નોકરી કરતા હતા. પણ તેમના કાકા વઢવાણ શહેરના જાણીતા વેપારી હતા. ચૂનીભાઈનું ભણતર વઢવાણમાં થયું ને ત્યાંની દાજીરાજ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ૧૯૦૨માં મેટ્રિક પાસ કરી મેટ્રિકમાં તેમને સારા ગુણ બદલ સરકારી રૂા. ૫૦નું ઈનામ મળ્યું હતું. પિતાની સ્થિતિ સાવ સાધારણ હતી, એટલે ચૂનીભાઈને નાકરી તાત્કાલિક શોધવી પડી; અને તેઓએ શિક્ષકની સદા સસ્તી વૃત્તિ સ્વીકારી લીધી. પણ ચૂનીભાઈની અંતરપ્રેરણા તેમને સાહિત્ય તરફ ખેંચતી હતી. પોતાના કાકા નાટકોના શાખીન હતા. સાત વર્ષની ઉંમરથી Page #115 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૬-૬s પ્રબુદ્ધ જીવન એનાટકો વાંચવાનાને જવાના શોખીન બન્યા હતા. “હિમત વિજય’ નિર્ણય કર્યો કે, કંઈ પણ નવું કહેવાનું હોય તે લખવું–નહિ તે નામના એક નાટકની અસર નીચે જ તેમણે પોતાની પહેલી કૃતિ ને લંખવું. અને પાંચ વર્ષે કલમની ગતિને પ્રગતિ માટે અટકાવી દીધી. ‘વિમલા” લખી. આ વર્ષ ઈસુનું ૧૯૦૪નું હતું ને તેમની ઉંમર વર્ષ આ પછી તેઓએ ‘કર્મયોગી રાજેશ્વર” લખી પોતાની પ્રગ૧૭ની હતી. આ કૃતિ પ્રગટ કરનાર વઢવાણના બુકસેલર - તિને નો પંથ શરૂ કર્યો, જે પંથ પર તેમની નવલકથાઓ આગળ એમ. બી. મેતીવાલા હતા. વધતી ગઈ, ને એક એકને આંટે તેવી તેમની કૃતિઓ બહાર પડતી આ વખતે અમદાવાદમાં રાજસ્થાન’ નામનું ૫ત્ર ચાલે. એના ગઈ, ને ગુજરાતી સંસારને મળતી ગઈ. તેમની કેટલીક “જિગર ને સંચાલક શ્રી હીરાલાલ વર્ધમાન શાહ હતા. આ પત્રનું કામ કરવા અમી’, ‘રૂપમતી’, ‘કંટકછાયો પંથવગેરે કૃતિઓએ ખુબ નામના તેઓ કાઠિયાવાડમાંથી ઈ. સ. ૧૯૦૬માં અમદાવાદ આવ્યા, ને મેળવી. એમની પ્રારંભિક નવલકથા 'કર્મયોગી રાજેશ્વરમાં શ્રી પછી હંમેશને માટે અમદાવાદમાં સ્થિર થઈ ગયા. મુનશી અને શ્રી મેઘાણીની અસર સ્પષ્ટ દેખાતી ને વત્તે ઓછે અંશે | ‘રાજસ્થાન” પત્રમાં તેઓએ ત્રણ વર્ષ કામ કર્યું. આ વખતે તે કલામય રૂપમાં ટકી રહેલી દેખાય છે. ઠાકરબાઈ પ્રમોદરાય ઠાકોર નામના એક સદગૃહસ્થ 'પ્રજાબંધુ' આશ્ચર્યની એ વાત છે, કે મૂળે લેખનને પ્રારંભ પિતાને નામનું સાપ્તાહિક ચલાવતા હતા. આ પત્ર પર શેઠ શ્રી અંબાલાલ ઈનામમાં મળેલાં “તુસંહાર’ના પદ્ય અનુવાદથી કર્યો હતો ને સાકરલાલ દેસાઈની ખૂબ લાગવગ હતી. શેઠ શ્રી અંબાલાલ ધીરે ધીરે તેઓ પદ્યમાંથી ગદ્યમાં લખતા થઈ ગયા. તેઓએ પદ્યને ઠાકોરભાઈના સસરા થતા હતા. આ પત્ર કંઈક સ્વરાજની ચળવળનું સંબોધતાં કહ્યું છે:ટીકાકાર પણ હતું. એકવાર લોકમાન્ય ટિળકના ભાષણની ટીકા કરી. મને વહાલી લાગી, ગ્રાહકો ૧૮૦૦ હતા, તે ૧૨૦૦ થઈ ગયા. પણ પછી વખત સાથે રાષ્ટ્રીય પત્ર થઈ ગયું. પ્રથમ મળતાં હું તું જ થયો. 'પ્રજાબંધુ' આ વખતે મુંબઈના મુંબઈ સમાચારને આદર્શ ઊભા વચ્ચે આવી, રાખીને ચાલતું હતું. શુદ્ધ નીતિ ને મિતવાદી વલણ એ એની ખાસિ દરશન દઈને તવ પિતા.” થત હતી. ઈ. સ. ૧૯૦૯માં ત્રેવીસ વર્ષની ઉંમરે ચૂનીભાઈ આ પત્રમાં પદ્યના પિતા એટલે ગદ્ય. જોડાયા અને પ્રજાબંધુ'માં પોતે ઓતપ્રેત થઈ ગયા. આ તેઓને ઈ. સ. ૧૯૩૭માં રણજિતરામ સુવર્ણચંદ્રક આપીને પત્રમાં સુડતાલીસ વર્ષ કાર્ય કર્યું ને જયારે પત્ર બંધ થયું ત્યારે પિતે તેમાંથી છૂટા થયા. તથા ઈ. સ. ૧૯૪૧માં ગુ. સા. પરિષદના પત્રકારત્વ વિભાગના પ્રમુખપદે સ્થાપી તેઓનું સન્માન કરવામાં આવ્યું. સરકારી પારિગુજરાતના પત્રકારત્વના ઈતિહાસમાં પ્રજાબંધુ' પોતાનું આગવું તોષિકે પણ મળ્યાં. સ્થાન ધરાવતું હતું. તેના પહેલાં કે તેના પછી હજી કોઈ પણ પત્ર તેનું સ્થાન લઈ શકયું નથી. પરદેશમાં વસતી ગુજરાતી પ્રજા માટે છેલ્લે છેલ્લે નિવૃત્તિકાળમાં તેઓએ બાહ્ય પ્રવૃત્તિ છાડી તો 'પ્રજાબંધુ ખરેખર પરદેશમાં વસતી પ્રજાના બંધુની ગરજ દીધી હતી. ને શાંતિથી ઘેર રહીને લખતા હતા. સારતું. શ્રી ચુનીભાઈ સ્થા. જૈન હતા, ને પોતાના સમાજમાં પણ આ પત્રમાં રહીને અર્ધી સદી સુધી સાહિત્યક્ષેત્રે સૂની- કામ કરતા, અને કેટલાય બહુશ્રુત સાધુઓ સાથે સંબંધ ધરાવતા. ભાઈએ અવનવા પ્રયોગ આદર્યા. એ પ્રયોગ દ્વારા ગુર્જરીને તેઓ અમદાવાદમાં જયાં રહેતા ત્યાંના કેવળણી મંડળના પણ સ્વસ્થ શુદ્ધ ને સભર કરી. ઈ. સ. ૧૯૨૦માં ગુજરાતી સાહિત્ય આગેવાન હતા. પરિષદનું અધિવેશન અમદાવાદ મુકામે ભરાયું. મહાત્મા ગાંધી એના પ્રમુખપદે હતા. શ્રી. રવીન્દ્રનાથ ટાગેર આ વખતે અમદા આ લેખકને પ્રારંભમાં તેમની કટુ આલેચનાઓને સારા વાદમાં આવેલા. એ ટાંકણે પ્રજાબંધુમાં સાહિત્યવિભાગના શ્રીગણેશ લાભ મળ્યું હતું, જે તંદુરસ્ત તા આજની આલોચનાઓમાંથી કર્યા ને પોતે “સાહિત્યપ્રિયીના તખલ્લુસથી લખવું શરૂ કર્યું. ગુમ થઈ છે અને એ પછી વિદર્ભ તથા કલકત્તાના પ્રવાસનાં અત્યંત મીઠાં સ્મરણો આસ્વાદવા મળ્યાં છે. કલકત્તાની મુસાફરી બાદ અમ‘સાહિત્યપ્રિયે પોતાની કલમથી છત્રીસ વર્ષ સુધી આ કટાર દાવાદ સ્ટેશને છૂટા પડતાં તેઓએ કહેલા શબ્દો હજીય યાદ આવે છે: લખ્યા કરી, ને ‘પ્રજાબંધુ' ને સાહિત્યકારોની સ્કૂલ બનાવી, ને પોતે “કલકત્તાની મુસાફરી સરસ થઈ, હવે એકવાર કાશમીર જઈ એના સ્વયંસિદ્ધ આચાર્ય બની રહ્યા. શ્રી ગુણવંતરાય આચાર્ય, આવીએ” પણ કાશ્મીર જવું કુદરતને મંજૂર નહોતું. શ્રી પેટલીકર વગેરે કેટલાય સિદ્ધહસ્ત લેખકોએ એમની પાસેથી જયભિખુ પ્રેરણાનાં પાન કર્યા. - શ્રી. ચુનીભાઈએ ૩૩ વર્ષ આલોચના દ્વારા, ૪૭ વર્ષ પત્રકારત્વ દ્વારા જેમ ગુજરાતની સેવા કરી એમ લગભગ ૬૦ થી વધુ વર્ષ એમણે લગભગ ૪૭ ગ્રંથો દ્વારા ગુજરાતી ગ્રંથ સાહિત્યને સભર કર્યું. હું જીવનમાં કદી પાછું વાળીને જેતે નથી, કારણ કે પસાર કરેલા પથ પર નજર નાંખવાની જાણે કદી ઈચ્છા થતી નથી. મેં આ વખતે ગુજરાતી સાહિત્યમાં શ્રી નારાયણ વિસનજી ઠક્કરની જીવનમાં એક નિશ્ચિય કરી રાખ્યો છે કે આપણી નાવ નદીમાં છૂટી બોલબાલા હતી. શ્રી ઠક્કરની અસર પ્રારંભમાં ચૂનીભાઈ ઉપર થઈ મૂકી દઈએ ત્યારે તેનું લંગર પણ કાપી નાંખવું. એથી ભવિષ્યની અને તેઓએ તેમને પ્રમાદા’ નામની અર્ધ ઐતિહાસિક નવલકથા ચિંતા તો શું કરતો જ નથી. શું મુશીબતે આવશે એવો વિચાર જ લખવાની પ્રેરણા પણ કરી. એ વખતે ઠક્કર ખૂબ ઐતિહાસિક આવતો નથી. કાલ્પનિક મુસીબતો માટે વિચાર પણ શા માટે કરવો? વાર્તાઓ લખતા. શ્રી. ચૂનીભાઈને શેખને વારસો મળી ગયો. અને એવી મૂર્ખતા કરીને આપણા મનને કમજોર શા માટે બનાવવું ! - બંગાળી સાહિત્ય ખૂબ આગળ પડતું હતું, અને એની કેટલીક નવલકથાઓ નાગરી લિપિમાં છપાતી. આવી એક નવલકથા તેનો આવશે જ એવું શા માટે માની લેવું અને તોફાન પરથી તેઓએ કામરૂદેશની કામિની” નામની નવલકથા લખી. ને આવતું હોય તે ભલે આવે અને તે વખતે તેનાથી બચવા કરતાં લડી પછી એ વખતના લેખકો અંગ્રેજ નવલેની છાયામાં ગુજરાતી નવ લેવું એ જ સૌથી ઉત્તમ છે! બચવાનો ઈલાજ શોધવાને બદલે કથાઓ રચતા - એ રીતે ‘સુવર્ણ પ્રતિમા’ નામની નવલકથા લખી. તેફાન સાથે બાથ ભીડીને લડી લેવાનું હું વધુ પસંદ કરું છું, કારણ કે, લડવા માટે ઝાઝો વિચાર કરવો પડતો નથી. કમર કસીને ખડા આ યુગ જુનવાણી હતું. શ્રી ઠક્કર વગેરે સ્ત્રીને ભણાવવી થઈ જઈએ કે તરત જ હિંમત આપમેળે આપણી નસેનસમાં પ્રસરી એવું માનતા હતા, પણ ઊંચી કેળવણીના વિરોધી હતા. “એમ એ. ઉઠશે! અને, દિલનો ઘૂઘવતે દરિયે પકારી ઊઠશે. ‘આ મર્દનું બનાકે કર્યો મેરી મિટ્ટી ખરાબ કી' જેવી નવલકથા એ એનું ઉદાહરણ છે. પાણી દરિયાઈ છે. કોઈની મગદૂર નથી મારી સામે ઊભવાની! આ વખતે સાહિત્યક્ષેત્રે શ્રી મુનશીને પ્રવેશ થશે. શ્રી મુનશી કેટલાય પીઠ દેખાડીને ભાગી ગયા ને કેટલાય અંદર ગરકાવ થઈ જન્મ ક્રાંતિકાર એટલે સાહિત્યમાં પણ ક્રાંતિ આવીને સામાજિક ગયા.' આ પરિસ્થિતિને જ વધુ પસંદ કરું છું. કારણ કે તે મુકિતની નવલકથાઓને નવો યુગ બેઠો. સ્થિતિ છે. આવી મોટી શકિતશાળી દવા કોઈ ફાર્મસીએ આજ શ્રી ચુનીભાઈએ શ્રી ઠક્કરની પ્રેરણાથી ગુજરાતી પત્રનાં ચાર સુધી બનાવી હોય તે બતાવો. પાંચ ભેટ પુસ્તકો લખ્યાં. પછી થોડી વાર થાંભી ગયા. તેઓએ સંકલન: પૃથ્વીસિંહ ઝાલા. દાગ હેમરશીલ્ડ તોફાન ભલે આવે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રભુ જીવન મહાપ્રસ્થાનના પથ પર ૧૦ કેદારનાથ પહોંચવા અમે સૌ વ્યગ્ર હતા. પરંપરા પ્રમાણે યાત્રીઓની ધીરજ અને શકિતની અગ્નિપરીક્ષા હવે નજીક જ હતી. અહિં બધાંયે મનની તૈયારી કરી રાખવાની હોય છે. જેઓ ક દારનાથનું દર્શન કરવા ઈચ્છતા નથી તેઓ હવે મંદાકિની પાર કરીને ઉખીમઠ થઈને, બદરીનારાયણને રસ્તો લઈ લે. એ પછી માથું કૂટીને મરે તો યે બીજો ઉપાય રહેતો નથી. સામે જ ભયાનક ચઢાઈ, પ્રાણઘાતક વિપદસંકુલ માર્ગ, મુશ્કેલીથી મળતી ખાવાનાની ચીજો, બરફનાં તોફાન ને પ્રકૃતિનું ભયાનક રૂપ—અર્થાત્ જે નબળા હોય, બીકણ હોય, જેઓની ધીરજ ઓછી હોય, પ્રાણની મમતાને સકોચપૂર્વક જકડી રાખે છે તેઓ આ વખતે જ ઉખીમઠ તરફ ચાલી જાય. કેટલાક લોકોને તો મેં આ પ્રમાણે ચાલી જતા પણ જોયા, બીજી એક મુશ્કેલી હતી, ગુપ્ત કાશીથી લગભગ ત્રીશ માઈ જે જે લના રસ્તા કેદારનાથના છે તે કાપીને ત્યાંથી એ જ રસ્તે સીત્તેર માઈલ પાછું આવવું પડે, અર્થાત ્ ઉખીમઠથી ન જઈએ તો બદરીનાથ, જવાય નહિ. ખોટી રીતે આ સીત્તેર માઈલના રસ્તો કાપવા પડે તે બહુ દુ:ખદાયી લાગે છે. આજસુધી અમે લગભગ એકશાવીસ માઈલ ચાલ્યા હતા. ચાલવામાં મને કષ્ટ નહોતું, પણ પહાડમાં ચઢાણ ઉતરાણના એક માઈલના રસ્તો સમતલ ભૂમિ પરના સા માઈલના રસ્તાની બરાબર થાય. જે થાય તે, અમે ગુપ્તકાશીના માર્ગ લીધો. થોડે દૂર ગયા ત્યાં, પોસ્ટ ઓફિસ જોઈને મન પાછું દ્વિધામાં પડી ગયું. પણ કાગળ કોને લખું? મનની અંદર બધા અતલ તળિયે જઈને બેસી ગયાં હતાં. જવા દો બધું. ‘જય કેદારનાથજી કી જય.’ માઈલૅક ચાલ્યા હોઈશું, ત્યાં નલાશ્રમ ચટ્ટીમાં અમે આવી પહોંચ્યા. અહીં ચટ્ટીવાળા પાસે મોટો સામાન મૂકી તેની રસીદ લઈને, તે જમા રાખીને કેદારનાથ જવાની વ્યવસ્થા છે, અને આવતી વખતે પોતાના સામાન પાછા લઈને યાત્રીઓ ઉખીમઠ તરફ જાય છે. ઝાળી રાખી જવાના સુયોગ મળવાથી નિરાંત થઈ. આખે રસ્તે મળી અને કામળા જાણે મને સજા થઈ હોય તેમ મને વળગ્યાં હતાં. રસીદતા લીધી, પછી જો સારા નશીબે ચટ્ટીવાળા એ પાછા સામાન ન આપે તે સારું, એનું મોઢું જોવાની મારી ઈચ્છા નહોતી. નલાકામથી એક માઈલ દૂર ભૈતાદેવી ચટ્ટી હતી, અહીં એક કુંડ ને પ્રાચીન મંદિર હતું. ત્યાંથી પાછું ચઢાણ શરૂ થતું હતું. ચઢાણ જોઈને જ રડવું આવતું હતું. છાતીનું લોહી સૂકાઈ જતું હતું. પૂરા બે માઈલના ચઢાણ પછી બુંગમાલા ચટ્ટી આવી. મે સાંભળ્યું કે, અહીં ભગવતીના મંદિરમાં અનેક મહાત્માઓના મેળાપ થાય છે. જવા દો, હવે મહાત્મા તરફ રૂચિ રહી નહોતી. અહીં લાકડાંનાં વાસણ સસ્તું ભાવે મળતાં હતાં. બુંગમાળાથી પાછું ઉતરાણ શરૂ થતું હતું. ચઢાણ અને ઉતરાણ: એકેએક પહાડ ચઢવાનો ને ઉતરવાનો. જનશ્રુતિ એવી હતી કે, બધા મળીને એક લાખ પહાડ ન એળગીએ તે બદરીનારાયણ ન પહોંચાય. બે માઈલ રસ્તા પસાર કરીને મૈથંડા આવ્યો. અહીં મહિષમર્દિની દેવીનું મંદિર હતું ને નદી ઉપર દોરડાંને ઝૂલતા પૂલ હતા. ઉપરની તરફ રસ્તો લઈએ તે બરફનું સામ્રાજય દષ્ટિએ પડે. તડકામાં એનું રૂપ અપૂર્વ લાગતું હતું. ઉપર ઉજજવલ નીલ આકાશ હતું, તેની નીચે સફેદ બરફની રેખા હતી, ને તેની નીચે લીલી અરણ્યમય પર્વતરાજી હતી. પાછળની પટભૂમિકામાં ત્રણ રંગનું વિસ્મયકારક મિશ્રણ હતું. અંદરથી એક પ્રકારના અદ્ભુત આનંદ ગૂંજી ઊઠતા હતો. વળી એક માઈલ ચાલ્યો ત્યાં ફોટા ચટ્ટી પહોંચ્યો. અહીં એક સરકારી ધર્મશાળા ને પાણીચક્કી હતી. બધું જોતાં જોતાં સાંજનું અંધારૂ થવા આવ્યું. આજે તે અહીં જ વિશ્રામ લેવા પડશે. પણ એ નવાઈની વાત હતી, બ્રહ્મચારી આગળ ચાલી ગયા હતા. કાલથી જ એ અમારી નજર ચૂકાવી આગળ જવાના પ્રયત્ન કરતા હતા. એનું કાંઈ તાત્પર્ય સમજાયું નહિ. અહીંથી બદલપુર ચટ્ટી લગભગ ત્રણ માઈલ હતી, રાત પડતી હતી, તા. ૧-૧-૧ ✩ એ બદલપુર પહોંચી શકશે કે નહિ તેની કોને ખબર? ચિંતાતુર મને ગોપાલદા અને ડોશીની ટાળીને લઈને ચટ્ટીમાં આવી પહોંચ્યો. બ્રહ્મચારીના મનમાં કર્યાં. એછું આવ્યું તે સમજાયું નહિ. ગેાપાલદા જોડે પણ એને ઝાઝું બનતું નહિ. એને ભગવાનમાં પૂરો વિશ્વાસ હતા. તેથી કાંઈ ગોપાલદા મુગ્ધ થયા નહોતા, પણ મને તે એ આત્મીય લાગતા હતા. બીજે દિવસે સવારે અંધારામાં જ યાત્રા શરૂ કરી. ઠંડક હાવાથી રસ્તે ચાલવાની મઝા પડી. સહેજમાં થાક લગતા નહોતા. શરૂઆતમાં તેા ઠંડીથી થોડું કષ્ટ થતું. પણ પછી શરીર જરાક ગરમ થતાં ખૂબ સારૂ લાગતું હતું. ખોડંગાતા ખોડંગાતા પણ હું આગળ ચાલતા હતા. શૂન્યમન, બ્રહ્મચારીનો અભાવ મનમાં મનમાં અનુભવતા હું ચાલતા હતા. રસ્તામાં આપણા સમેવિડયો સાથી આપણને છોડી જાય તે ઘણું વસમું લાગે છે. દુ:ખ અને આનંદ બન્ને સમાવિડયા મળી જાય તે એક જ જગ્યાએ આપણે અનુભવીએ છીએ, અને બહુ સહેલાઈથી આપણે પરસ્પરને ઓળખી શકીએ છીએ. મનમાં એ સમેાવિડયા કેટલીક જગ્યાએ લુપ્ત થયા, કેટલીક જગ્યાએ પાછા મળ્યા હતા એ વાત આવ્યા કરી. થોડુંક જતાં એ અનુભવ પ્રવાહમાં ઘસડાઈ જતા હતા, તો કયારેક એ બંધાઈને પથ્થરની જેમ જડાઈ જતા હતા. આવેગ સૂકાઈ ગયો હતો, ભાવુકતા દબાઈ ગઈ હતી, દુ:ખ અને આનંદ બન્ને એક જ પ્રકારનાં લાગતાં હતાં. ધીમે ધીમે પ્રાત:કાળના પ્રકાશ ફ્ ટવા લાગ્યો, આકાશને ખૂણે ખૂણે પ્રભાતને નિ:શબ્દ સમારોહ પ્રસરવા લાગ્યો. પર્વતનાં શિખરો લાલ રંગથી ચમકવાં લાગ્યાં. અમે ધીમી ગતિએ ચાલતાં હતાં. બદલપુર ચટ્ટીમાં આવી થોડી મિનિટ આરામ લીધો. આરામ લઈને પા ચાલવા માટે તૈયાર થયો. રસ્તો સમતલ હતા. પગને કઠણ લાગતા નહોતા. માથું નીચું કરીને ચાલતા હતા. કાંઈ વિચાર કરતા નહોતા. ફકત ચાલતા હતા. ચાલવા સિવાય મારે બીજું કાંઈ કામ હતું નહિ. રસ્તાની પાસે જ કુંદ ને કુરલકનાં ઝાડા હતાં એ ભલે હોય, આપણે તે ચાલતા જ રહ્યા. ગૌરીફળ, દાડમ, ને અખરોટનાં વના હતાં, એ ભલે હાય, આપણે તો આગળ ચાલા. કોઈ ઠેકાણે હૂ હૂ કરતા ધોધ પડતા હતા, કયાંક પહાડમાંથી ઝરણાં વહેતાં હતાં એ ધાધ ભલે પડતા, ઝરણાં ભલે વહેતાં, મારે તો ચાલવાનું જ છે ને? ચટ્ટીથી એક પહાડી કૂતરો સાથે સાથે આવતા હતા, કદાચ, યુધિષ્ઠિરની જોડે, કુતરાનું રૂપ ધારણ કરીને ધર્મ ચાલતા હતા તેમ. એ કેટલે દૂર જશે કોને ખબર! તે દિવસે હિસાબ કરીને મેં જોયું હતું કે એક કુતરા માટે ભાગે વીશ માઈલના રસ્તે ખાવું મળવાના લાભે અમારી પાછળ પાછળ કાપતા આવ્યા હતા. રસ્તામાં ઘણા યાત્રીઆની પાછળ આમ કુતરા ભમતા હોય છે. આ રસ્તા મહાપ્રસ્થાનના છે તે વિષે રજમાત્ર પણ શંકા નહોતી. ચાલતાં ચાલતાં પહાડની એક ખુલ્લી જગ્યામાં આવીને ઊભા રહ્યો. ગાપાલદા ઊભા ઊભા ઘોડાની જેમ હાંફતા હતા. રસ્તાના થાકને લીધે એમની આંખને ઝાંખપ વળી હતી. એ વિપુલ અવકાશમાં સ્વસ્થ થઈને ઊભા રહીએ તો ઉત્તર તરફ દૂર દૂર સુધી દિષ્ટ પહોંચે છે. રસ્તો અર્ધચન્દ્રાકારે રહેલા છે. અને દૂરે રસ્તો બે વિભાગમાં વહેંચાઈ જાય છે અને એક રસ્તા ઉપર જાય છે ને બીજો રસ્તો નીચે મંદાકિની તરફ જાય છે. મને થયું કે એ પથના સંયોગ અગળ એક નાના બિન્દુના જેવા બ્રહ્મચારી હાલતા હતા. પીઠપર લટકાવેલા લીલા રંગનો કામળે, અને રાતા ગેરૂઆ રંગના કપડાં, બ્રહ્મચારી સિવાય બીજો કોઈ નહિ. બે વાર જોરજોરથી બૂમ પાડી, હાથ હલા વીને એનું ધ્યાન ખેંચવાના પ્રયત્ન કર્યો, પણ બધું નિષ્ફળ ગયું. મારા અવાજ એના કાને પહોંચ્યો નહિ. એ એમ જ નીચેને રસ્તે ચાલ્યા કરતા હતા. દોડીને એને પકડવાના ઉપાય હોત તો એને પકડી પાડત, પણ એને એમ નિષ્ઠુર થવા દેત નહિ. મારા સિવાય એના વ્યવહારથી કોઈને આનંદ નહોતા. હું એને ચાહતા હતા. લગભગ નવ વાગે અમે ત્રિજુગી નારાયણના પગદંડી રસ્તા લીધા. રસ્તાની એક શાખા નીચે મંદાકિનીના તટપર ઊતરતી Page #117 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-૧૬ પ્રબુદ્ધ જીવન હતી. શરૂઆતમાં તે કાંઈ વિશેષ સમજાયું નહિ, પણ સોળસે ગજ રસ્તો મંદાકિની તરફ ઢળતા હતા. સર્પાકારની બહુ જ સાંકડી પથની લગભગ ચઢાણને રસ્તે અમે ગયા હોઈશે, ત્યાં મેં તથા ગોપાલદાએ રેખા હતી, બન્ને બાજુએ પહાડી જંગલ હતાં. ગામના કોઈ કોઈ એકબીજાના મઢા સામે જોયું. રસ્તો જેમ સરળ તેમ અઘરા ચઢાણવાળે છોકરાં પૈ - પૈસાની ભીખ માગવા દોડી આવ્યાં. મોટી છોકરીઓને પણ હતો. બન્ને બાજુ ઘન જંગલ હતું. કયાંક કયાંક પાંદડામાંથી ઝરણાંને ઝરઝર અવાજ સંભળાતો હતે, ગિરિગિટિ પક્ષીને સતત પાછળથી ભણાવીને મોકલવામાં આવતી હતી. ભિક્ષાવૃત્તિ એમને અવાજ આવતા હતા, ને છાયામય નિ:સ્તબ્ધતા હતી. દિવાલ પર ધંધો નહોતે, પ્રયોજન હતું. ઓકાદ માઈલ પગદંડીને રસ્તે ઝડપથી જેમ ગરોળી ચાલે છે, એમ હું ચઢતા હતા. ચઢાણ તે છાતીમાં વાગે ઉતર્યો ત્યાં મંદાકિનીને પૂલ આવ્યું. રૂદ્રપ્રયાગ પછી આ પહેલી નદી એવું હતું. અટકતે જાઉં ને પાછા જોર કરીને ચાલવા લાગ્યું. આ હતી. એને પાર કરીને પાછું પહાડનું ચઢાણ શરૂ કર્યું. માઈલના થાંભલા તીર્થયાત્રા નહોતી, પણ જાણે પૂર્વજન્મમાં કરેલાં પાપની સજા હતી. મનુષ્યની ઉપર આ વિધાતાને અન્યાય ને અત્યાચાર હતા. એક પરથી જાણ્યું કે અહીંથી કેદારનાથ થોડાક જ માઈલ દૂર છે. પહાડ જગ્યાએ ઊભે ઊભે હું ગુસ્સે થઈ ગયો. “ત્રિયુગી નારાયણ ન પર પહાડ ચડતાં-ચડતાં જોયું, પાછલી બાજુ બીજી એક નાની નદી આવત તો શું થઈ જાત ? કોણે મને આવવા માટે ચોખા મૂકયા હતા?” હતી, તે વેગથી વહેતી હતી. એનું નામ દૂધગંગા હતું. એ મંદાકિનીની ગોપાલદા સિવાય બીજું કોઈ મારી પાસે ઊભું નહોતું, કેટલીક સ્ત્રીઓ એક શાખા હતી, ને મંદાકિનીને આવરીને મળતી હતી. અમે હતી, તે પાછળ રહી ગઈ હતી. એમણે હસીને કહ્યું: “માથું ફરવા માંડયું છે. હવે કાંઈ શકિત રહી નથી.” તે અમે ચાલવા માંડયું. દૂધગંગાને કિનારે બહુ બહુ ઊંચા પર્વત પર ચઢયા. દશેક વાગ્યા પગ ફેસડાતા હતા. કમરમાં દર્દ થતું હતું, છાતી ધડક ધડક હતી હશે. પવન ઘણે ઠંડા હતા. આકાશ ઉજળું ને રૂદ્રસ્વરૂપી હતું. થતી, એમ થતું હતું કે, બધાનું ગળું'. ટૂંપી દઉં–આ પુણ્યલોભી, આ અમારો રસ્તો પર્વતના ઘેરા જંગલમાંથી પસાર થતા હતા. હવે તે અંધ, આ અલવિનાના યાત્રીઓનું. દાંત કડકડ થતા હતા, આગળ આગળ ચાલવાથી જ કામ સરે એમ હતું. ચઢાણમાં પગમાં * માથાના વાળની અંદર ને શરીર પર ફોલ્લા થયા હતા, ને તેમાં દર્દ ઓછું થતું હતું. એક એક કર આગળ ચાલતાં યાત્રીઓને દર્દ થતું હતું. શરીર ગંદુ થઈ ગયું હતું. કપડાં મેલાં થઈ ગયાં અભિમાનભર્યો હું પાછળ પાડી દેતા હતા. વનજંગલની વાંકીચૂંકી હતાં. લાઠી પકડી પકડીને હાથમાં ફોલ્લા પડયા હતા. હવે જરાય - છાયામાં બધા એક તરફ સમૂહમાં જ ચાલતા હતા. ખબર મળ્યા કે શકિત રહી નહોતી. કંઠનળી સૂકાતી હતી. મૃત્યુ હવે બહુ દૂર નથી આ તરફ જંગલી જાનવરોને બહુ ભય છે. એમ લાગતું હતું. લગભગ બપોરે અમે ગૌરીકુંડના ગામમાં પહોંચ્યા, ગામડાની જયારે કોઈ પણ દર્દ માનવની અનુભૂતિની સીમા ઓળંગે, ગોદમાંથી જ મંદાકિની નદી વહે છે. નદી બહુ નાની છે, પણ એને વેગ બહુ પ્રબળ છે. પાણી બરફના કરતાં પણ ઠંડું હતું. તાજું જ ત્યારે એની શી દશા થાય એ કહી જાય નહિ. સીડી ચઢીને આકાશ બરફ પીગળીને પાણી થયું હતું. નવાય એમ તો હતું જ નહિ, રૂદ્રતરફ જતો હતો. હવે આકાશને સ્પર્શવાને બહુવાર નહોતી. પણ પ્રયાગથી જ મેં નાવાનું મૂકી દીધું હતું. ગૌરીકુંડમાં ગૌરીના મંદિરની દર્દની વાત મને ખબર છે. નખની અંદર સે ખેસી દે તે કેવી પાસે જ એક નાનકડી ચટ્ટીમાં હું આવી પહોંચ્યા. એ સર્વેમાં પીડા થાય? અર્ધ શરીર માટીના ખાડામાં ને બાકી અધું કુતરાં પ્રાચીનતાની છાપ હતી. કેદારખંડમાં લખ્યું હતું કે દેવી પાર્વતી મંદાકિની તટે ઋતુસ્નાન કરતી હતી, તેથી એ સ્થાનનું નામ ગૌરીકુંડ ખાતાં હોય, ત્યારે ગુનેગાર શી રીતે રહે? શરીરનું ચામડું ઉતરડાતું પડયું હતું. જે જળાશયનું નામ ગૌરીકુંડ હતું તેનું દર્શન આટલીવારે હોય ત્યારે માણસ શી રીતે અવાજ કરે? રણક્ષેત્રમાં તેપગોળા ફેંકાતા થયું. અહીં ખૂબ ગરમ જલાગાર હતું. કોઈ અદષ્ટ પર્વતના શિખર હોય અને સૈન્ય કાંટાની વાડમાં પડતાં પડતાં ચીચીયારી કરતું હોય પરથી એક ગરમ પાણીનું ઝરણું અહીં ઉતરી આવતું હતું. યાત્રીત્યારે શું થાય? બસ, હવે પીડા થતી નહોતી. ચીસ પાડીને એકવાર એ એ ગરમ પાણીને કિનારે બેસીને તર્પણ કરવા માંડયું. ખરું જોતાં આ ઠંડીના પ્રદેશમાં ફટતા ઝરણામાંથી વરાળ જોઈને મારૂં મન ઉ૯લાહું હસી ઊઠ. ગોપાલદા ત્યારે મોટું ખેલીને બેસી પડયા હતા. સિત થઈ ગયું. પાણી એટલું ગરી: હતું, કે એની અંદર હાથ પગ ચાર માઈલનું વિશાળ મેદાન પસાર કરીને ત્રિજગી નારાયણમાં રાખી શકાય નહિ, તો પણ કોઈ કોઈ યાત્રીઓ પુણ્યને લેભે બહાઅમે આવી પહોંચ્યા. ગામનું નામ રાયણા હતું, અહીં ગંગોત્રીને દુરી દેખાડીને ખૂબ ગરમ પાણીની અંદર ઉતરીને મિનિટ સુધી ઊભા એક રસ્તે આવી મળતું હતું. મંદિરની આસપાસ જ ગામ વસ્યું રહેતા. એ લોકો જરૂર પુણ્યલાભ કરવાના છે. હતું. શીતળ હવાથી હું ઊંટિયું ટૂંટિયું વળી ગયો હતો. માખીઓને આ વખતે હવે વિશ્રામ નહોતે. બધાના શરીરમાં ઉત્સાહ હતો. બહુ જ ત્રાસ હતો. રાંધવાની શરીરમાં શકિત રહી નહોતી. મંદિરમાં સમયસર રામવાડા પહોંચીને રાતને માટે ત્યાં વિશ્રામ લેવાને વિચાર હતો. દર્શન કરવા માટે જાઉં છું ત્યાં જોઉં છું તે ખૂબ અંધારું હતું. મંદિરમાં આવતી કાલે સવારે હંમેશાં બરફથી આચ્છાદિત, બહુ આશા ને આકાંક્ષાનું એક મોટા પથરા પર ધૂણી ધખતી હતી. એ ધૂણી ત્રેતા યુગથી પ્રતીક, અનેક સ્વપ્ન અને તપશ્ચર્યાને અંતે કેદારનાથ મંદિરે પહેસળગતી હતી- કયારેય બૂઝાઈ નહોતી. શિયાળામાં આગને માટે ચાશે. આજે આખી રાત શકિતની સાધના કરીશ. બરફને પહોંચવાને લાકડાં એકઠાં કરીને પંડાઓ નીચે ઉતરી જતા હતા. ઉનાળામાં હવે કાંઈ વાર નહોતી. દુકાનમાં ઓર્ડર આપીને પુરી લાવીને ખાઈશ, મંદિરને દરવાજો ખોલીને જુએ તો રાખની અંદર જલતે અગ્નિ હોય–આવી વાતો ચાલતી હતી. કોઈ પણ વાતનું સત્ય શોધવાની ને પછી રામવાડા તરફ યાત્રા કરીશ એમ વિચારતો હતો, એટલામાં એ તુમાખી ને સંસ્કારહીન રખડુઓ કોણ જાણે કયાંથી આવીને રૂચિ રહી નહોતી, ને ઉત્સાહ પણ નહોતે. મને લાગ્યું કે સમગ્ર ભયચકિત કરીને ખટખટ કરતા ત્યાં આવી પહોંચ્યા. એ કેવા ચારિત્ર્યમહાભારત અને રામાયણ બન્ને ગ્રંથે ચૂર્ણવિચૂર્ણ થઈને ભારત હીન ને બંધનહીન હતા. કયાંય પણ વર્ષમાં ફેલાયેલા પડયા છે. ભારત વર્ષની સંસ્કૃતિ, ને શિલ્પલા, એમણે નજર કરી નહિ, એ જાણે લડાઈના ઘોડા કે શિકારીનું ટોળું હોય, દયાયાચના કરતા ધર્મ અને આચાર, શાસ્ત્ર અને દર્શન, સાહિત્ય અને વિજ્ઞાન, આ હોય એવી નજરે જોતા દરિદ્ર અને પીડિત યાત્રીઓ તરફ એમણે બન્ને મહાકાવ્યોને કેન્દ્રિત કરીને ઘડાયાં છે, તેમાં જરા જેટલું એકવાર જોયું. અમે જાણે માણસ જ ન હોઈએ તેમ એમણે અમારા સંદેહ નથી. મંદિરમાં દર્શન કરીને દુકાનદાર પાસેથી પૂરી અને અસ્તિત્વની નોંધ પણ લીધી નહિ. એમની તરફ જોઈને મારું મન શાક ખરીદીને ચટ્ટીમાં આવ્યો. લગભગ ત્રણેક વાગ્યા હશે. ભલે, કટુતાથી ભરાઈ ગયું. નદી, પર્વત, બરફ અને જંગલથી વીંટળાયેલા પણ આજે તે એક ડગલું પણ ચાલવું નથી. આ વાતાવરણની જોડે આધુનિક સભ્યતાસુલભ આચારવ્યવહ૨, બીજે દિવસે સવારની ઠંડીમાં, થોડું ખાઈને ત્રિજગી નારાયણ ને પે થાકનો જરાય મેળ ખાતો નહોતો. હેટ, કોટ, પેન્ટ, ને બૂટની ઉપરથી ઝડપથી ઉતર્યો. ઉતરાણમાં પગનું દર્દ વધવા લાગ્યું, તે પણ ઉદ્ધતાઈ, ભ્રમણને વૈજ્ઞાનિક સાજ-સરંજામ, સુસજિજત ઘોડા ને ઝડપથી ઉતર્યો. બધા જ ઝરણાંની જેમ પહાડ પરથી હુ હુ કરતા ઉત- ઘોડેસ્વારો એ બધું મળીને, આ ધળી જટા ધારણ કરનારા, સમાજમાં રતા હતા. ઉતરાણમાં બધાંને થોડો આરામ રહે છે, ફકત મને જ દુ:ખ બેઠેલા, મહાતપસ્વી હિમાદ્રિ દેવતાને જાણે અપમાનિત ને દૂષિત હતું. આજે જો દુ:ખની વાત કહું તો ગોપાલદાસ સાંભળે જ નહિ. કરતું હતું. મને લાગ્યું કે એનો રસ્તો કાપવાને અભ્યાસ મારા કરતાં અનેક ગણે વધારે છે. આજે એમ નક્કી કર્યું છે કે ગૌરીકુંડમાં પહોંચીને ત્યાં જ આમ વિચાર કરતો હું ચાલ્યા જ હતા, એટલામાં એકાએક બપોરના ભોજનની વ્યવસ્થા કરવી. રસ્તો કાપ એ જ મુખ્ય પ્રવૃત્તિ એમાંની એક વ્યકિત જોડે વાર્તાલાપ થયો. કેમેરા ઉઘાડીને એણે મારી બની ગઈ હતી. શયન અને ભજન ગૌણ બની ગયાં હતા. એક તસ્વીર ખેંચી. હું તે એક વિચિત્ર તીર્થયાત્રી હતા. એ એક ઉત્સાહી માઈલ ઉતર્યા હઈશું ત્યાં એક નાનું મંદિર હતું. એની એક બાજુથી બંગાળી યુવક હતે. આંખે ચશ્મા, ગૃહસ્થ અને સંસ્કારી કુટુંબને Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૩૧ છોકરો હતો. એનુ નામ ધીરેન્દુનાથ શાહ હતું. લખનૌ રેડક્રોસ સાસાયટીના એ મુખ્ય સીનેફોટોગ્રાફર હતા. સરકારી સ્વાસ્થ્ય વિભાગને ખરચે એ હિમાલયભ્રમણ કરવા નીકળ્યા હતા. એ ટોળીના સરદાર હતા. એની જોડે વાત કરતાં મને આનંદ પણ થયો, ને મારી ભૂલ પણ ભાંગી, લોકોના હિતના કામ માટેતેઓ આટલા પરિશ્રમ વેઠીને આટલે દૂર આવ્યા હતા. હમણાં એ બદરીનાથ ને કેદારયાત્રાની ફિલ્મ લેતા હતા. ભારતવર્ષમાં આ પ્રકારનું ચલચિત્ર આ સર્વપ્રથમ હતું. એમાં હિમાલયનાં મનારમ દશ્યો, અને પૌરાણિક તીર્થમાહાત્મ્ય સિવાય પણ શરીરની નીરોગીતા સંબંધી જાતજાતનાં સૂચના ને શિખામણ આપવામાં આવ્યાં છે. યાત્રીઓનાં સુખસગવડ, રોગ, ભાગ, દુ:ખ અને પીડા, અકાળે અને આકિસ્મક મૃત્યુ – ને એના સામના શીરીતે કરવા વગેરે એ ફિલ્મમાં સમજાવવામાં આવ્યું છે. આ ચલચિત્ર બદરીકેદારની યાત્રા કરતાં પહેલાં જ યાત્રીઓને હરદ્વારમાં દેખાડવામાં આવશે. લોકોના હિત સંબંધી લખનૌ રેડક્રોસના આ વિપુલ ઉત્સાહ ને ઉદ્યમ ખરેખર પ્રસંશાને યોગ્ય લાગ્યો. ધીરેન્દ્વનાથની જોડે વાત કરતાં મને અત્યંત આનંદ થયો. મિષ્ટભાસી, હાજરજવાબી ને ચરિત્રવાન એ યુવક હતા. પોતાના પ્રયત્ન વડે લખનૌ રેડક્રોસના સૌજન્યથી ઉત્તરકાળમાં કેદાર - બદરીની તસ્વીરો સંગ્રહિત કરી શકયા હતા. પછી મને ખબર પડી કે ધીરેન્દ્નાથ એ એક જ હિન્દવાસી ચિત્રસંગ્રાહક હતો, જે ૧૪૦૦૦ ફૂટ ઊંચે જઈને હંમેશાં બરફથી આચ્છાદિત નદી અલકનંદના જન્મસ્થાનની તસ્વીર પોતાના જીવને જોખમે લેવાને સમર્થ બન્યો હતો. અનુવાદક : ડૉ. ચંદ્રકાંત મહેતા, વિષયસૂચિ ઓરિસ્સાને દુષ્કાળ પ્રકીર્ણ નોંધ: ઈન્ડો—અમેરિકન ફાઉન્ડેશનની આલાચના વર્ષો દરમિયાન નહેરુની વિચારપરિણતિ, પૃથ્વી ફરતી નથી!, કૃત્રિમ સંતતિ અન્તિમ નિયમન અને કાકાસાહેબ કાલેલકર. આ આપણા ભણેલા લોકો : આ આપણા અભણ લોકો સાહિત્ય પુરુષ ચૂનીભાઈ મહાપ્રસ્થાનના પથ પર−૧૦ ‘આદમી એ જવાહર નથી!' મૂળ બંગાળી : શ્રી પ્રબોધકુમાર સન્યાલ પ્રમુદ્ધ જીવન નવકૃષ્ણ ચૌધરી પરમાનંદ વિના અવઢવ ત્યારે, કળી લેજો . આદમી એ જવાહર નથી ! ધરતીની ધૂળ નરી ધૂળ ગણી બેઠો રહે, કોઈ એવા મળે જયારે, કહી દે : આદમી એ જવાહર નથી! દિલાવરી દાખવતાં હાથ કોઈ હેઠો પડે ક્ષણ ખાયા વિના ત્યારે, કહી દેજો : આદમી એ જવાહર નથી! પૃષ્ઠ ૨૩ ૨૪ ૨૬ (પ્રકીર્ણ નોંધ : અનુસંધાન પાનું ૨૬) કૃત્રિમ સંતતિનિયમન અને કાકાસાહેબ કાલેલકર તા. ૧-૪-૬; આજે આપણા દેશ સામે જનસંખ્યાવૃદ્ધિના પ્રશ્ન ભારે ઉક્ટ રૂપ ધારણ કરતા જાય છે અને તે વૃદ્ધિ અટકાવવા માટે સંતતિનિયમનના કૃત્રિમ ઉપાયને અમલી બનાવવા અંગે આપણી સરકાર તરફથી દેશભરમાં એક પ્રકારની ઝુંબેશ ચાલી રહી છે. આમ છતાં પણ આ પદ્ધતિનાં અનેક અનિષ્ટ પરિણામે ધ્યાનમાં લઈને ગાંધીજી તેના સખ્ત વિરોધી હતા અને વિનોબાજી પણ તે સામે એટલે જ વિરોધ દાખવે છે અને કોઈ પણ ગાંધીવાદીનું આ બાબતમાં અન્યથા વલણ સંભવી જ ન શકે એવી એક માન્યતા ચાતરફ ફેલાયેલી છે. આમ છતાં તા. ૧૫-૫-૬૬ ના ‘મંગળ પ્રભાત'ના અગ્રલેખમાં કાકાસાહેબ કાલેલકર આ વિષયની ચર્ચા કરતાં જણાવે છે કે, “દરેક મનુષ્ય આખી પરિસ્થિતિ બરાબર સમજી લે અને સંયમના વિષયમાં કાયર ન બને, અને જયાં જરૂર હોય ત્યાં કૃત્રિમ સાધનોના ઉપયોગ પણ કરે. સમાજના નૈતિક નેતાઓની જવાબદારી છે કે સંયમ માટે સારૂં વાતાવરણ તૈયાર કરે, સંતતિનિયમનના કૃત્રિમ ઉપયોગની પ્રતિષ્ઠા ન વધારે, સાથે સાથે તેની તીવ્ર નિદા કરીને આવા ઉપાયોને ભૂમિગત અથવા તે ગુપ્ત ન બનાવે. દ ંભથી સમાજને જેટલી હાનિ થાય છે તેટલી બીજી કોઈ પ્રક્રિયાથી હાનિ ૨૮ જયભિખ્ખુ પ્રબોધકુમાર સંન્યાલ ૩૦ હસિત બૂચ ૩૨ ‘આદમી એ . જવાહર નથી!” થતી નથી. દ ંભ સ્વયં દુર્ગુણ તે છે જ, પણ અનેક દુર્ગુણેને અધિમાં અધિક પાયે છે.” આ રીતે કૃત્રિમ ઉપાયો દ્વારા કરવામાં આવતા સંતતિનિયમનને કાકાસાહેબ, અલબત્ત, અમુક મર્યાદાપૂર્વક અનુમતિ આપે છે એ જોઈને આશ્ચર્ય તેમ જ આનંદ થાય છે. આશ્ચર્ય એટલા માટે કે ગાંધીજીના અતેવાસી જેવા લેખાતા કાકાસાહેબ આવી અનુમતિ આપે તે સામાન્ય કલ્પના અને અપેક્ષાની બહાર હતું. આનંદ એટલા માટે કે બ્રહ્મચર્ય અને સંયમ માટે પૂરા આગ્રહી હાવા છતાં, કાકાસાહેબ આજના સમયની ઉત્કટ. સંયમલક્ષી નબળાઈને યથાસ્વરૂપે માંગને અને માનવીની પી ગણી શક્યા છે અને જેને હું દેશની અદ્યતન પરિસ્થિતિના વિચાર કરતાં એક અનિવાર્ય અનિષ્ટ ગણીને પણ સંમત કરૂં છું તે કૃત્રિમ સંતતિ નિયમનને, સંયમ ઉપર પહેલાં જેટલા જ આગ્રહ દાખવવા છતાં, જયાં જરૂરી હેાય ત્યાં કાકાસાહેબ અનુમત કરે છે. પરમાનંદ તા. ૨૭ મી મેએ સ્વ. જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ ગઈ એ પ્રસંગને અનુલક્ષીને આ કાવ્ય શ્રી નહેરુની પુણ્યસ્મૃતિને લાક્ષણિક અંજલિ આપે છે. કદીય ન કરે ભૂલ, કરે નહીં અવસરે રોષ; એવા કોઈ મળે ત્યારે, કહી દેજો : આદમી એ જવાહર નથી! છત ભાળી, આંગણમાં ફરી, કોઈ પામે જો સંતોષ. ફૂલ ખીલ્યું ગુલાબનું છાતી પર ઝુલાવવું, કોને નહીં ગમે? પણ એની ફોરમ જો દિલમાં રાતદિન ભમે, મલકીને જરી ત્યારે, કળી લેજો : આદમી એ જવાહર નથી ! માઈકની સામે મળ્યું. લોક લાખ હિલાળતું, કેમ નવ ગમે? પણ એ હિલેાળા માંહ્ય કશું ય ન ઝમે; ફટ દઈ ઝટ ત્યારે, કહી દેજો : આદમી એ જવાહર નથી ! આજમાં ન આવતી જે કાલ કદી રોપી શકે; જન એવા જએ જયારે, કળી લેજો : આદમી એ જવાહર નથી ! સાદ પડે, ઊછળે ન જેનું કદી લાહી શકે; જુઓ એવા જન ત્યારે, કળી દેજો : આદમી એ જવાહર નથી ! વસંત ન ચાહી શકે, વીજળી ન માણી શકે; મળે કોઈ એવા જ્યારે, કળી લેજો : આદમી એ જવાહર નથી ! કોણ બુદ્ધ ? ગાંધી કોણ ? એ ય જે ન જાણી શકે; કોઈ મળે એવો ત્યારે, કહી દેજો : આદમી એ જવાહર નથી! સિત ખૂંચ માલિક: શ્રી મુબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ-૩, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઇ 10 Page #119 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, I17 વાર્ષિક લવાજમ રૂા. ૪ ← પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'નું નવસ સ્મરણ વર્ષ ૨૮ કો મુંબઈ, જુન ૧૯ ૧૯૬૬, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા રૂપિયાના મૂલ્યમાં ઘટાડા અને તેની આર્થિક તેમ જ રાજકીય અસ ૧૯૬૬ ના ૬ઠ્ઠા મહિનાની દૌ તારીખે રૂપિયાનાં મૂલ્યમાં, અનેકવાર નકાર કર્યા પછી, ઘટાડો જાહેર કરી ભારતની સરકારે દેશને એક સખ્ત આંચકો આપ્યો. સૌ અચંબામાં પડી ગયા. ઘણાનાં મનમાં પ્રશ્ને થયા કે શું આ દેશની ત્રણ પંચવર્ષીય યોજનાનું પરિણામ ? આર્થિક વિકાસથી રૂપિયાનું મૂલ્ય વધે કે ઘટે? આવું કરવાની જરૂર જ કેમ પડી? આ બધા પ્રશ્નનું પૃથ્થકરણ આગળ કરીશું. અહીં એ હકીકતની નોંધ લઈએ કે રૂપિયાના મૂલ્યમાં આઝાદી પછી આ બીજો ઘટાડો છે. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૪૯માં બ્રીટીશ પાઉન્ડ અને બીજા રાષ્ટ્રસમૂહનાં દેશો સાથે ભારતે રૂપિયાની કિંમત ૩૦.૫ ટકા ઘટાડેલી. આ વખતે ૩૬.૫ ટકાના કાયદેસર ઘટાડો છે જ્યા૨ે હકીકતમાં તે ૫૭.૫ ટકાના ઘટાડો થાય છે. નાણાનું મૂલ્ય-દેશ અને પરદેશ માટે–સાના અને ડીલરમાં નક્કી કરવામાં આવે છે. ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૯ પહેલાં ૧રૂપિયા બરાબર ૩૦.૨ અમેરિકન સેન્ટ હતાં, અને ત્યાર બાદ ૫મી જૂન ૧૯૬૬ સુધી ૧ રૂપિયા બરાબર ૨૧ સેન્ટ હતાં. અથવા ૦.૧૮૬૬૨૧ ગ્રામ સેાનું અથવા રૂા. ૬૨.૫૦ ને ૧ તાલા સોનું, તેમ નક્કી કરવામાં આવેલું. હવે એક રૂપિયાની સરખાઈ ૧૩.૩૩ સન્ટ અથવા ૦, ૧૧૮૪૯૫ ગ્રામ અથવા રૂા. ૯૮.૪૪ નો ૧ તેલા સાનું કાયદેસર નક્કી કરવામાં આવેલ છે.આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ–International Monetary Fund— જેનું ભારત મેમ્બર છે તેણે આ રૂપિયાની નવી યોગ્યતાના સ્વીકાર કર્યો છે! i કયા કારણોને લીધે ઘટાડો થયો? ભારત સરકારના નાણાંસચિવે ઉપરનો ઘટાડો નીચેના કારણાસર કરવા પડયા છે તેમ જણાવ્યું છે: (૧) ફ ગાવા, (૨) અફાયદાકારક આંતરરાષ્ટ્રીય વ્યાપારનું પલ્લું (૩) આયાત - નિકાસ પરવાના - કરવેરા રાહતાની જટિલ યોજનાથી વધુ ગેરલાભા, ભારત સરકારની આ દલીલોમાં કેટલું વજુદ છે તે સમજવા ઉપરના મુદ્દાઓની સંક્ષિપ્ત આપણે છણાવટ હવે કરીએ. ૧૯૫૬ થી ૧૯૬૬ સુધીમાં ચાલુ રહેલા આંતરિક ફગાવાને લીધે સામાન્ય ભાવાનું ધારણ ૮૦ ટકા ઉપર ગયેલું. તેથી જ રૂપિયાની ખરીદશકિતમાં સતત કાપ મૂકાતો રહ્યો. આ ફગાવા કોણે કર્યો અને કેવી રીતે થયો તે વિષે ભારત સરકારના નાણાંસચિવ તદ્દન ચૂપ રહ્યા છે. તે વિષે આપણે આગળ ઉપર ચર્ચા કરીશું. એટલું જણાવવું જોઈએ કે નાણાંપ્રધાને કાંઈ નવી વાત કરી નથી. કારણ કે આ ફ ુગાવાની નોંધ આપણી દરરોજની વાતચીતમાં લેવામાં આવતી હતી. જયારે એમ કહેવામાં આવે કે દરેક વસ્તુના ભાવ વધતાં જાય છે અથવા પહેલાં જે વસ્તુ એક રૂપિયામાં મળતી તે જ મેળવવા હવે બે કે ત્રણ રૂપિયા ખર્ચવા પડે છે વિગેરે. ટૂંકમાં શ્રી મુબઇ જૈન યુવક સૌંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૨૫ પૈસા બધી ચીજવસ્તુઓ મોંઘી થતી હોય છે ત્યારે રૂપિયા સસ્તા થતા જાય છે અથવા એની ખરીદશકિત ઘટતી રહે છે તે સર્વસામાન્ય સમજની વાત છે. આ પ્રક્રિયા બીજી યોજનાની શરૂઆતથી આજ સુધી ચાલુ રહી છે. જેવી રીતે પૂનમે ઉગેલા ચંદ્રમાના અંધારિયાના પંદર દિવસ દરમ્યાન ઉત્તરોત્તર ક્ષય થતો જાય છે તેમ ગાળ રૂપિયાની (હવે જો કે લાંબચારસ નોટ છે; આશા રાખીએ કે ચંદ્રમાંના આકાર માણસના ઉતરાણથી ના બદલાય!) કિંમતમાં ૧૦ વર્ષ દરમ્યાન ઉત્તરોત્તર ક્ષતિ જ થતી રહી છે. ફકત આશ્વાસન એ છે કે હજુ અંધારિયાના ચાથી યોજનાનાં પાંચ વર્ષ) પાંચ દિવસો બાકી છે અને એવું સ્વપ્ન સેવીએ કે વૈજ્ઞાનિક ચમત્કારથી પશ્ચિમના દેશો જેઓ આમાં આગળ વધેલા છે અને જેમની મદદ ઉપર આપણે જીવીએ છીએ, તે આમાં પણ સહાય કરે અથવા દૈવી શકિતથી (જેમાં આપણે હંમેશા માનતા આવ્યા છીએ તેની સહાયથી) અંધારિયાનાં બાકીના દિવસેાને અજવાળિયામાં ફેરવે! ખેર, ચોથી યોજના પછીથી તે અજવાળિયું આવશે અને રૂપિયાના પ્રકાશ—મૂલ્ય વધશે તેવી આશા રાખવી વધારે પડતી ન ગણાય ! આર્થિક વિકાસ અને આંતરિક ફ ુગાવાની માઠી અસરો ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર થતી રહી છે, જે નીચેના આંકડાઓથી સમજાશે: # (કરોડ રૂપિયામાં) નિકાસ આયાત યોજના બીજી યોજના ૪૯૨૬ ૬૦૬૭ ત્રીજી યોજના દેશના આર્થિક વિકાસને આગળ વધારવા, આપણી આયાતની— Importની—જરૂરિયાતો ઘણી વધી ગઈ. તેને સંયમમાં રાખવા ભારત સરકારે ઘણી સખ્ત મર્યાદાઓ લાદેલી, જેવી કે અમુક ચીજોની આયાત જ બંધ, ઊંચા આયાતવેરા અને વિસ્તૃત આયાત પરવાના આપવાની પ્રથા, જેમ જેમ આપણું પરદેશી હૂંડિયામણ ઘટતું ગયું તેમ તેમ આયાત પરવાના અને આયાત બંધની સખ્તાઈ વધતી ગઈ. માર્ચ ૧૯૫૬માં ભારત પાસે રૂા. ૯૦૪ કરોડનું પરદેશી હૂંડિયામણ હતું તે ૧૯૬૫ના ફેબ્રુઆરીમાં ફકત રૂા. ૨૦૮ કરોડનું રહેલું, જેમાંથી રૂા. ૨૦૦ કરોડ ચલણી નાણાંને ટેકો આપવા માટેcurrency backing માટેકાયદેસર અલગ રાખવાં પડેલાં. આથી મુકત હૂંડિયામણ ફકત રૂા. આઠ કરોડનું જ હતું. આ પરિસ્થિતિને પહોંચીવળવા ભારત સરકારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસે કાયમચલાઉ મદદ માંગી, જે આપવામાં આવી. તે દરમ્યાન સંપૂર્ણ આયાત (એપ્રીલ, મે, જૂન, ૧૯૬૫) બંધ કરવામાં આવેલી. કાંઈક કળ વળે અને આર્થિક સ્થિતિ સુધરે તે પહેલાં કચ્છની ચઢાઈ આવી. તેને નિવેડો આવ્યો કે તરત દુષ્કાળનાં ભણકારા આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કે ખાધ -૧૮૧૭ ૨૩૧૨ ૩૧૦૯ ૩૭૫૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રમુદ્ધ જીવન વાગવા શરૂ થયા. તે દરમ્યાન કાશ્મીર ઉપરનું અણધાર્યું પાક યુદ્ધ આવ્યું. ‘શાંતિ સ્થાપો પછી જ આર્થિક સહાય ચાલુ થશે.” એવું કહી ઈંગ્લેન્ડ અને અમેરિકાએ આર્થિક સહાય બંધ કરી. પરિણામે ભારતનાં કારખાનાંઓ (જે આયાત–માલ ઉપર આધાર રાખતાં હતાં) ના ઉત્પાદનમાં ઘટાડો થયો. પરદેશી સહાયનું વ્યાજ ચૂકવવા માટે આપણી પાસે હૂંડિયામણ ન હતું, તેથી સુવર્ણ બાન્ડ અને પરદેશી હૂંડિયામણ એકઠું કરવાની યોજના દાખલ કરવામાં આવી. તેમ છતાં આપણી પરિસ્થિતિમાં ખાસ ફેર ના પડયો અને ફરી એક વાર માર્ચ ૧૯૬૬ માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ−I, M, F.—પાસેથી સહાય લેવામાં આવી. તે જ મદદથી તેનું જ આગળનું દેવું અને વ્યાજ ચૂકવવામાં આવ્યાં. મે મહિનાની આખરે ફરી એક વાર આપણે તેમની (I. M, F.) પાસે માંગણી કરી. તેની કુલ મદદ લગભગ ૫૦૬ કરોડ રૂપિયાની આ એપ્રીલ સુધી હતી, અને ભારત ।. ૨૦૮ કરોડની મદદ વધુ માંગી શકે તેમ હતું. આ મદદ આપવી—ના આપવી તે નાણાંભંડોળની મુનસફીની વાત હતી. તેણે આપવાની હા પાડી, પણ એક શરત કરી કે રૂપિયાનું મૂલ્ય ઘટાડો. ગયા વર્ષે જુલાઈમાં આવી જ શરતને તે વખતનાં નાણાંસિચવે નકારી કાઢેલી. સરકારે એ પણ દલીલ કરી છે કે આપણી નિકાસની ચીજોના (Exportના) ભાવા બીજા દેશાના ભાવની સરખામણીમાં ઊંચા હતા, અને તેથી નિકાસઅવરોધી બન્યા હતા. તદુપરાંત જ્યારે આંતરિક ફ ુગાવાને લીધે નિકાસ કરી શકાય તેવી ચીજોના ભાવા દેશમાં વધુ મળે ત્યારે નિકાસ કરવાનું ઉત્તેજન કોઈ પણ ઉદ્યોગપતિ કે વેપારીને ના રહે. આથી સરકારે અમુક ચીજોની નિકાસને વેગ આપવા આવકવેરામાં રાહતા –Export Tax Credit−,નિકાસ સામે આયાત પરવાના વિગેરે કિમિયાએ અજમાવ્યા. આ બધી નિકાસ ઉત્તેજક તેમ જ આયાત-મર્યાદિત યોજનાઓ આટલાં વર્ષાએ ભારત સરકારને “માયાજાળ” જેવી લાગી. રૂપિયાનું મૂલ્ય ઘટાડવાથી આ માયાજાળમાંથી છુટકારો મળશે તેવી ભારત સરકારની અપેક્ષા છે. આગળ ઉપર જોઈશું તેમ માયાજાળમાં છૂટકારો પામવા જતાં ભારત સરકાર ઈંદ્રજાળમાં ફસાઈ ગઈ હોય એમ લાગે છે. ભારત સરકારની દલીલા પાયા વગરની છે. આપણી નિકાસની ચીજવસ્તુઓ રૂપિયાનાં મૂલ્યમાં ઘટાડો કરવાથી જરૂર સસ્તી થશે, કારણ કે, ૧ ડોલર જે પહેલાં પાંચ રૂપિયા ખરીદી શકતા અથવા દા. ત. ૨ શેર શણ ખરીદતા તે જ હવે ૭.૫૦ રૂપિયા અથવા ડે રોર શણ ખરીદી શકશે. પણ આના અર્થ તે એ કે ૧૯૬૪-૬૫માં આપણે ૮૦૩ કરોડ રૂપિયા કમાવા જે વસ્તુઓ માકલી હતી તે જ હવે આશરે ૩૪૧ કરોડ રૂપિયા કમાઈ શકે કારણ કે ૫૭.૫ ટકાનો ઘટાડો થયો છે. આપણે વધુ નિકાસની ચીજોનું ઉત્પાદન કરવું પડશે, જો આપણે પહેલાં જેટલુ હુંડિયામણ મેળવવું હશે તે,અલબત્ત, ભારત સરકારે નિકાસવેરા 2 તા. ૧૬-૬-૧૯ નાંખીને પરદેશી વ્યાપારીઓને મળતા ૫૭.૫ ટકાનો ભાવ ઘટાડી દીધા છે. અને એ રીતે આપણને જતી હૂંડિયામણ ખાધ ઓછી કરી છે. તેમ છતાં ૨૦ થી ૨૫ ટકા આપણે નિકાસ માલ વધુ આપવા પડશે. કારણકે બધી ખાટ પરદેશી વ્યાપારી ઉપર મૂકીએ તે નિકાસની ચીજો તેમને માટે સસ્તી ના બને. નિકાસ વધારવા ઉત્પાદનને ઉપર લઈ જવું પડશે. આપણી મોટા ભાગની નિકાસ ખેતીવાડી ઉપર નભે છે, જેવી કે શણ, ચા, કપાસ, તેલીબીયાં વગેરે. આ તાત્કાલિક વધી શકશે નહિ. તેથી આંતરિક વપરાશમાં કાપ મૂકવો પડશે અને એ રીતે પરદેશની વધતી માંગને પહોંચી શકાશે. લાંબે ગાળે નિકાસની પેદાશ ઉપક ભાર મુકીશું તે અનાજની પેદાશનું શું થશે? એ હકીકત છે કે, ત્વરિત રીતે આપણે ખેતીવાડીની ચીજોનું ઉત્પાદન વધારી શકવાનાં નથી અને દેશની વપરાશમાંથી નિકાસ માર્ગે વસ્તુ વાળવી પડશે. આથી ચીજોની અછત થવાની જ; જેનું અંતિમ પરિણામ આંતરિક ભાવામાં ઉછાળા લાવવાનું નીવડશે. હાલમાં તો કાચા શણની અછત હોવાથી કારખાનાઓ એક અઠવાડિયું બંધ રાખેલાં. તદુપરાંત આપણે કાચું શણ પાકિસ્તાન અને થાઈલેન્ડમાંથી આયાત કરીએ છીએ. પાકિસ્તાન જે આપણુ' હરીફ છે તે ભારતની મુંઝવણને શું કામ લાભ નહિ લે? તે શા માટે તેનું કાચું શણ જે ભારત આવે છે તેની કિંમત વધારી નહિં દે અને એ રીતે હિંદને મળતે લાભ નાબુદ ન કરે? આમ પણ હવે હિંદને વધુ રૂપિયા તે જ શણ ખરીદવા આપવા પડશે. પાકિસ્તાન તેના શણકાપડ ઉપર પહેલેથી નિકાસબાનસ આપે છે તે વધારી દેશે, જેથી આપણું શણકાપડ પરદેશામાં તેની હરીફાઈમાં સસ્તું નહિ પડે. આવી જ રીતે હાંકા (સિલેાન) જે ચાની નિકાસમાં ૬૦ ટકા હૂંડિયામણ મેળવે છે તે સ્વરક્ષણ માટે નિકાસમદદ (Export subsidy) આપશે અને તેનાં ચાના પરદેશી બજાર ટકાવી રાખશે. આપણે પહેલાં નિકાસના પાસાની દલીલા લઈએ. ભારત સરકારની દલીલ એમ છેકે બધી નિકાસની ચીજોના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવા કરતાં વધુ છે તે હકીકતથી વેગળુ છે. તેના જવાબ આ વર્ષના વ્યાપાર ખાતાના વાર્ષિક અહેવાલમાં છે, જે જણાવે છે કે ફકત ૨૦ થી ૨૨ ટકા નિકાસની ચીજોને આવકવેરામાં રાહત, આયાત પરવાના આપવામાં આવે છે, જ્યારે બાકીના ૭૮ થી ૮૦ ટકા કોઈ પણ પ્રકારના ઉત્તેજન વગર આંતરરાષ્ટ્રીય વેપારમાં હરીફાઈ કરી શકે છે. વિશેષમાં ભાવાના ઉછાળા ફકત ભારતમાં જ નથી. કુગાવાના પવન સર્વત્ર ફેલાયેલા છે. ૧૯૫૦થી ૧૯૬૫ દરમ્યાનના ગાળામાં પાકિસ્તાનમાં ૪૯ ટકા, અમેરિકામાં ૩૧ ટકા, સીલેાનમાં અથવા ટકા, જ્યારે ભારતમાં ૪૯ ૧૬ ટકા, પશ્ચિમ જર્મનીમાં ૧૦ ટકા ભાવમાં વધારો થયો છે. તંદુપરાંત આંતરરાષ્ટ્રીય ખારાક અને ખેતીવાડી (Food and Agriculture Organisation) ખાતાનાં અભ્યાસ પ્રમાણે શણની માંગ ઉદ્યોગપતિ દેશોમાં ઘટી રહી છે કારણ કે ત્યાં શણને બદલે કાગળ અથવા પ્લાસ્ટીકની પૂરક ચીજો (Substitutes)ની વપરાશ વધી રહી છે. સાથે સાથે નવા દેશે! જેવા કે થાઈલેન્ડ, આર્જેન્ટીના અને પાકિસ્તાન શણની પેદાશ વધારી રહ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય માંગ સ્થગિત હોય અથવા ઓછી થતી હોય અને ત્યારે જો તેને પુરવઠો વધી રહ્યો તો ભાવ વધુ તૂટવાનાં અને વળતર ઘટવાનાં, ચાની માંગની મુખ્ય હરીફાઈ કાફી કરે છે. અમેરિકા અને યુરોપનું એ માદક પીણું છે. તેમજ રાજકીય સંબંધો જાળવવા અમેરિકા દક્ષિણ અમેરિકાના દેશ પાસેથી અને યુરોપ આફ્રિકાના કોફી–ઉત્પાદન કરતાં દેશ પાસેથી કાફી લેવી પસંદ કરશે. યુરોપ અને અમેરિકામાં ચા પૈસાદારનું પીણુ ગણાય છે, જયારે કાફી સર્વસામાન્ય વપરાશમાં છે. જેવી રીતે ઈંગ્લેન્ડ હિંદ અને સીલોન પાસેથી ચા ખરીદે છે તેવી જ રીતે અમેરિકા અને યુરોપ તેમની સાથે રાંકળાયેલા-ભૂગોળની નિકટતાથી સંસ્થાનવાદથી—દેશે। પાસેથી જ ચા કોફી લે છે. તદુપરાંત ચાનું નવું વાવેતર આફ્રિકામાં વધતું ગયું છે. આથી વધારે વિકટ પરિસ્થિતિ કાપડ અંગે છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, જર્મની ફ્રાન્સ-આ બધા ઔદ્યોગિક દેશ કાપડ પેદા કરે છે અને અવિકસિત દેશાની વધતી જતી કાપડની નિકાસને રોકવા તેમણે આંતરરાષ્ટ્રીય કાપડ કરારો કર્યા છે. જેમાં દરેક દેશને ફાળે કાપડ નિકાસના Quota નક્કી કરેલાં છે. ઉપરના સંજોગામાં આપણને ખેતીવાડી પેદાશની ચીજોની નિકાસ વધારવામાં કેટલા ફાયદા થશે તે શંકા છે અને આ ફાયદો થતાં બે ત્રણ વર્ષ નીકળી જશે તે રૂપયાનાં મૂલ્ય ઘટાડવાનાં લાભા ધાવાઈ જશે. આયાતનું આપણુ` બીલ ૫૭.૫ ટકા વધી જશે. સરકાર આયાતવેરા દૂર કરશે તે પણ આયાતની ચીજો ૨૦ થી ૨૫ ટકા મોંઘી પડશે. Page #121 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૬-૬ આ ભાવા સ્વાભાવિક રીતે જ. ઉદ્યોગપતિઓ-વેપારીએ સામાન્ય જનતા પાસેથી વસુલ કરશે. - : તદુપરાંત, નાણાં મૂલ્ય ઘટાડવાનું એક કારણ છે આયાત મોંધી બનાવી તેની માંગ ઘટાડવી અને તેવી ચીજોનું આંતરિક ઉત્પાદન વધારવું. જયારે આપણી સરકારે એમ જાહેર કર્યું છેકે તેઓ આયાત પરવાના હવે છૂટથી આપણે એટલે આપણું આયાત-નું ખર્ચ વધશેજ, જેથી હિંદનું આંતરરાષ્ટ્રીય વેપારનું પલ્લું બીજા દેશોના લાભમાં નમશે, એટલું નહિ, ઔદ્યોગિક દેશને વેપારના સંયોગા (Terms of Trade) વધુ લાભકારક બનશે. આ રીતે વધુ આયાતથી અને વધુ નિકાસથી ભાવાનું માળખું ઊંચું જશે, અને રૂપિયાની કિંમત બદલવાનો એક મુખ્ય હેતુ માર્યો જશે. આયાત ઉત્તેજનની નવી તરકીબો ૧૯૬૫-૬૬ ના બજેટમાં દાખલ કરવામાં આવેલી તેની સારી માઠી અસરો બે ત્રણ વર્ષે દેખાય તે પહેલાં તે ઉતાવળથી આ યોજનાઓને એકી સપાટે સરકારે નાબૂદ કરી નાંખી તે બહુ મોટી ભૂલ લાગે છે. છાશવારે બદલાતા કાયદાથી અસ્થિરતા આવી જાય છે અને સાચાં પરિણામ જાણવાની તક મળતી નથી. તદુપરાંત, વિકાસને માર્ગે વળેલા બધા દેશમાં આંતરરાષ્ટ્રીય સમતુલા અસ્થિર બને છે જ. અમેરિકા અને ઈંગ્લેન્ડ આમાંથી જ પસાર થઇ રહ્યા છે, છતાં ડોલર કે પાઉન્ડની કિંમત ઘટાડતાં નથી. {') આપણી નિકાસને વિઘ્ન રૂપ ફુગાવા જ ફકત ન હતા. તે સાથે સાથે ઔદ્યોગિક દેશે એ ઊભી કરેલી, ઊંચી નિકાસ કરવેરાની દિવાલા (High Tariff Walls ) અને Quota જવાબદાર હતા અને છે, આપણા આ પગલાથી આમાં કશો જ ફેર નહિ પડે. કદાચ આ ( Tariff walls), વધુ ઊંચી જાય તે ના ન કહેવાય, ଶି રૂપિયાનું મૂલ્ય ઘટાડવાથી આપણા પરદેશી કરભારણને બાજો રૂપિયામાં તો વધી જ ગયો. ૧૯૬૫-૬૬ રૂ. ૯૭: કરોડનું મુદ્દ અને રૂા. ૮૪ કરોડનું વ્યાજ ચૂકવેલું, જે રૂા..૪.૭૬ બરાબર ૧ ડોલર, ૨૦ કરોડ ડોલર અને ૧૮ કરોડ ડોલર એમ થયું હતું. રૂા. ૭.૫૦ ના ભાવે તે જ ૩૮ કરોડ ડોલર બરાબર રૂા. ૨૮૫ કરોડ થાત જયારે આપણે રૂા. ૧૮૧ કરોડ ચૂકવેલાં. આ વધુ રૂપિયા ભારત સરકાર કર્યાંથી લાવશે તે એક મુખ્ય પ્રશ્ન છે? નીચેનાં આંકડાઓથી માલમ પડશે કે આ કરભરપાઈના બાજો. ૧૯૬૬-૬૭થી ૧૯૭૦-૭૧ માં પહેલાંનાં રૂપિયાને ભાવે કેટલા હતા અને હવે ઘટાડેલાં ભાવે કેટલા થશે... ૧૯૬૫-૬૬ ના અંદાજપત્રના આધારે. વર્ષ મુદલ અને રૂા. ૪.૯૬ = વ્યાજ ૧ ડોલર ડાલર કરોડ ગળુ, જીવન ૩૫ ૩૬. ૩૪ ૩૩. રૂા. ૭.૫૦ = ૧ ડોલર રૂપિયા કરોડ રૂપિયા કરોડ ૧૭૦ ૨૬૩ ૨૭૦ ૧૭૧ ૧૬૩, ૩, ૪ ૨૫૬ ૧૫૫ ૨૪૮ ૧૯૬૬-૬૭ ૧૯૬૯–૬૮ ૧૯૬૮-૬૯ - ૧૯૬૯-૭૦ ચોથી પંચવર્ષીય યોજનાનું કદ રૂા. ૨૧૫૦૦ કરોડનું કામચલાઉ · નક્કી કરવામાં આવેલું. તેમાં આયાતની ચીજો ઉપર આધાર રાખતાં કારખાનાં વિગેરેના ભાવ ઊંચા જશે, આ રૂા. ૨૧૫૦૦ કરોડની . યોજનાને પહોંચી વળવા જ સરકારને રૂા. ૪૮૦૦ કરોડની ં આર્થિક સહાયની જરૂર લાગી છે, અને બાકીની નવા કરવેરા નાણાંકીય ખાધપુરવણી ( Deficit Financing.) અને પબ્લીક લાનથી મેળવવાં. આયાતના ભાવ ઊંચા જતાં સરકારને નવા નાણાં એકઠા કરવા વધુ કરવેરા કે નાણાકીય ખાધપૂરવણી કરવી જ પડશે. નાણાંકીય ખાધપૂરવણી ૧૯૬૫ – ૬૬ માં રૂપિયા ૬૬ કરોડની હતી. ૮૦ ટકા જે ભાવના વધારો ૧૯૫૬થી ૧૯૬૬ _B ૩૫ ખર્ચા સુધીમાં થયું છે તેનું મુખ્ય કારણ તે દરમ્યાન છાપેલી રૂપિયા બાવીસે કરોડની નવી નોટો અથવા ખાધપૂરવણી છે. આવી જ નાણાંકીય ખાધપૂરવણી, વધુ કરવેરા સીધા (Direct) અને આડકતરા (Indirect ) અને સરકારના બેકાબુ અને નકામા ચાલુ રહેશે' તે દેશમાં ફગાવેશ સતત રહેવાના જ અને રૂપિયાનું મૂલ્ય ઘસાતું જવાનું. આને માટે કોઈ પણ જવાબદાર હોય તો તે સરકાર છે, તેથી તેણે જ રૂપિયાની કિંમત ઘટાડવાનાં પગલાં સાથે બીજા પગલાંઓ જેવાં કે યોજનાનું કદ ઘટાડવું, સરકારી ખર્ચાઓ ઓછા કરવા અને સરકારી કારખાનાનાં નફા વધે તે લેવાં જોઈએ. રાજકીય ફીલસૂફી . વિરૂદ્ધ નાણાંના મૂલ્ય ઘટાડો એ સ્વતંત્ર અને ખાનંગી વેપાર (Laizzezfaire) ઉપર રચાયેલી આર્થિક - રાજકીય યોજનામાં અસરકારક નીવડે છે. શું સમાજવાદને વરેલી કોંગ્રેસ સરકાર પ્લાન ત્યજી દેશે? શું સમાજવાદી કોંગ્રેસ સરકારી ક્ષેત્રને માટે ઓછા નાણાં ખર્ચશે અને પ્લાનનું કદ (Size) કાપી નાંખશે? આ પ્રશ્નોના જવાબ સૌ કોઈને ખબર છે. દુર્ગાપુરમાં મળેલી કૉંગ્રેસમાં શ્રી કામરાજે આવી જ અપીલ કરી હતી અને તેની સત્તારૂઢ કાગ્રેસ ઉપર કાંઈ જ અસર થઈ ન હતી. ઉલટાનું એમ લાગે છે કે સરકારી ક્ષેત્રને વધુ અબાધિત (untied) પરદેશી સરકારની સહાયથી વિકસાવવા યત્ન કરવામાં આવશે અને સરકાર આ માટે ખાધપુરવણી ચાલુ રાખશે. ૧૯૬૬ – ૬૭ ના બજેટમાં રૂા. ૧૧૭ કરોડની ખાધ છે, આમાં પ્રાંતાની સરકારોની ખાધની નોંધ લીધી નથી. સરકારી ક્ષેત્રના વિકાસ અને મૂલ્ય ઘટાડા સાથે જરૂરી બનેલા આર્થિક ઉપાયો – આ બે અથડામણમાં આવશે. અને જયારે આવું થાય છે ...ત્યારે રાજકીય ફીલસૂફી સર્વોપરી (Supreme) ગણાય છે. આર્થિક ઉકેલોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તો આપણે આ ફ ુગાવામાં ના ફસાત, કે રૂપિયાની કિંમત ના ઘટાડવી પડત. વળતર ના આપે અથવા કાર્યદક્ષ રીતે ચલાવી ના શકાય તેવાં સરકારી કારખાનાં ૐ ઊભા કરવાની જરૂર જ શી હતી ? જનતાની મુખ્ય માંગ ખારાક ઉપર પહેલેથી ભાર કેમ ના મૂકાયો? ભાર મૂકાયો તો તેના અમલ પેપર ઉપર જ કેમ રહ્યો? આપણા અનુભવ આપણી નેતાગીરીમાં નિર્ભયતા, પરિપકવતા અને દીર્ઘદષ્ટિની ખામી છે તેમ બતાવે છે. જ સિમિત રહેવાના નથી. ભારતનાં રૂપિયાનાં મૂલ્યઘટાડાના પરિણામ કન્યાકુમારીથી કાશ્મીર અને કલકત્તાથી કંડલા સુધી • રૂપિયા એ બીજા દેશે સાથે આર્થિક તેમ જ રાજકીય સંબંધો જાળવે છે. આપણું શણ, ચા, કાપડ, મેંગેનીઝ વિગેરે સસ્તું બનાવી આપણે બીજા અવિકસિત અને ગરીબ દેશને આપણા માર્ગે આવવા આડકતરી રીતે દબાણ ( Compulsion) કર્યું છે. આથી ભારતની નેતાગીરીમાં આ દેશનો વિશ્વાસ ચાલુ રહેશે કે નહિ તે શંકા છે. પરિણામે અવિકસિત અને ઔદ્યોગિક દેશા વચ્ચેનું આર્થિક અંતર વધશે, અને ગરીબ દેશે. આ રીતે ઘોગિક દેશો ઉપર વધુ આધારિત બનશે. કોઈ પણ દેશની આર્થિક સદ્ધરતા અને સ્થિરતા તેમ જ રાજકીય સ્વાતંત્ર્ય અને પરિપકવતા તેના સર્વસામાન્ય વપરાશનાં નાણાંકીય ચલણમાં પ્રતિબિંબિત થાય છે. જયારે તે ચલણના મૂલ્યમાં બહુ મોટો અને શીઘ્ર ફેરફાર થાય ત્યારે બહારનું જગત એ દેશનું માપ સહેલાઈથી કાઢી શકે છે. રૂપિયાનાં મૂલ્યનો ઘટાડો એ તીક્ષ્ણ, ઉતાવળિયું પગલું આટલા માટે જ છે. એ ફકત આર્થિક યોજનાઓની જ હાર નથી સૂચવતું, તેમાં રાજકીય ફીલસૂફીના પરાજ્યના પણ સ્વીકાર સમાયેલા છે. ડો. અકુમાર છોટાલાલ પરીખ Page #122 -------------------------------------------------------------------------- ________________ -પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૧૬ = ડો. વિક્રમ સારાભાઈના પરિચય ' (એટમિક એનર્જી કમિશનના અધ્યક્ષ તરીકે જેમની તાજેતરમાં ભારત સરકારે નિમણૂંક કરી છે તે ડે. વિક્રમ સારાભાઈને તા. ૫-૬-૬૬ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ કરવામાં આવેલા પરિચય ગુજરાતી અનુવાદ.) * 3. વિક્રમ સારાભાઈ એ પ્રકારના વૈજ્ઞાનિક નથી કે જે પ્રયોગશાળામાં પુરાઈ રહે અને દુનિયાને સાવ ભુલી જાય. પોતાની આસપાસના સંયેગોને વિસરી જાય એનું નામ સંશોધક એવી જે આપણી કલ્પના છે તે કલ્પના વિક્રમભાઈને જરા પણ લાગુ પડતી નથી. તેઓ વિજ્ઞાનમાં જેટલે રસ ધરાવે છે એટલે જ રસ સમાજની અન્ય સમસ્યાઓમાં ધરાવે છે, અને આજના વિશાળ સમાજની જે જટિલ શું છે તે અંગે તેઓ ચાલુ ચિન્તન કરતા હોય છે. તેઓ જણાવે છે કે “આપણે મનથી આપણા દષ્ટિસંપન્ન વિચારકોને જેઓ પ્રાયોગિક કાર્ય કરતા હોય છે તેમનાથી અલગ તારવતા રહીએ છીએ. આ જોઈને મને એટલા માટે આશ્ચર્ય થાય છે કે હું એમ માનું છું કે જેઓ પાયાના સવાલ ઊભા કરે છે તેઓ જ તેને લગતું પ્રાયોગિક કાર્ય સૌથી વધારે સારું કરી શકે છે, કારણ કે ઘણી બાબતોમાં, ખરી સમસ્યા શું છે એ નક્કી કરવામાંથી જ એના ઉકેલની આપણે બહુ નજીક જતા હોઈએ છીએ.” - આ શકિતશાળી ૪૬ વર્ષના વિજ્ઞાનશાસ્ત્રીના મેઢા ઉપર ઉગતી ઉમરના યુવાનની નિખાલસતા અને કોઈને પણ વશ કરે એવું મધુર સ્મિત તરવરતું દેખાય છે. તેઓ સતત કાર્યપરાયણ રહે છે અને એક સાથે અનેક પ્રવૃત્તિઓમાં રોકાયેલા જોવામાં આવે છે. તેઓ આખા દિવસમાં જેટલું કામ કરે છે તે જોઈને કોઈ સામાન્ય માણસનું તે મગજ જ ભમી જય. પણ તેમના માટે તે એક ક્ષણ પણ નકામી જાય તે અસહ્ય બની જાય છે. - મુંબઈ ખાતે જુની યાચ કલબના મકાનમાં આવેલી એટમિક એનર્જી કમિશનની ઓફિસમાં તેમને જ્યારે મારે એ દિવસે મળવાનું બન્યું અને મેં પૂછયું કે “આપ થાકી તે નથી ગયા ને?” ત્યારે લાક્ષણિક વિનમ્રતાથી મને તેમણે આવકાર્યો અને કહ્યું કે “ના રે, હું જરા પણ થાકેલ નથી. મારે હજુ ઘણું કામ કરવાનું છે. હજુ તો મારી ઉમ્મર ઘણી નાની છે.” તેમણે કબૂલ કર્યું કે આ તેમને જે નવું કામ મળ્યું છે એટમિક એનર્જી કમિશનની ચેરમેનશીપનું અધ્યક્ષતાનું) આ કામ તેમની તાકાતને એક પડકારરૂપ છે. આ અંગે તેમણે ઉષ્માપૂર્વક જણાવ્યું કે “આ પ્રકારનું સ્થાન મેળવવાની મેં કદિ પણ આકાંક્ષા સેવી નહોતી. મારા કામમાં મને ખૂબ રસ છે અને મારું કામ મને જ્યાં લઈ જાય છે ત્યાં હું સ્વેચ્છાએ જાઉં છું.” “આ પ્રકારનું વહીવટીકાર્ય તમને વૈજ્ઞાનિક સંશોધનથી અળગા તે નહિ કરે ને?” એવા મારા પ્રશ્નને તેમણે તરત જ જવાબ આખો કે “મને આવો કશો ભય છે જ નહિ. વિશ્વકિરણોના સંશધનમાં....સૂર્યમંડળના વિજ્ઞાનમાં સક્રિય ફાળો આપવા હું ખૂબ ઈન્તજાર રહું છું. આ જ મહિનામાં એક–Astro-physicaખગોળને લગતા-માસિકમાં મારો એક લેખ પ્રગટ થવાને છે.” જે કાંઈ કામ પોતાના હાથમાં લે તેમાં તેઓ પૂરા નિમગ્ન બની જાય છે એવી જેમની ખ્યાતિ છે તેવી આ વ્યકિતએ સંકોચાતાં જવાબ આપ્યો કે “જ્યારે હું કોઈ કામ હાથમાં લઉં છું ત્યારે હું ક્લાકના કલાકો સુધી કામ કરતો રહું છું અને મારા માટે ભાગ્યે જ કોઈ રજાનો દિવસ હોય છે.” જ્યારે તેમની ઉંમર નાની હતી અને તેમના માતા-પિતા શેઠ અંબાલાલ સારાભાઈ અને સરલાદેવીએ અમદાવાદ ખાતે શરૂ કરેલી શાળામાં તેઓ ભણતા હતા ત્યારે તેમના દિલમાં એક તીવ્ર આકાંક્ષા રમ્યા કરતી હતી–ફીઝીકસનો અભ્યાસ કરવા માટે કેમ્બ્રિજ જવાની. મહાન ભારતીય વિજ્ઞાનશાસ્ત્રી ડે. સી. વી. રમણ તેમના એક આદર્શરૂપ વ્યકિત જેવા હતા અને કોઈ દિવસ તેમની નીચે કામ કરવાની મહેચ્છા આ બાળવિક્રમ પોતાના અંતરમાં ગુપ્ત રીતે સેવ્યા કરતો હતો. તેમની આ બન્ને મહેરાઓ સમયાન્તરે પરિપૂર્ણ થઈ હતી. તેમણે ૧૯૩૯માં નેચરલ સાયન્સના વિષયમાં સેન્ટ જોન્સ કોલેજમાં રહીને ડીગ્રી પ્રાપ્ત કરી અને પછી ડો. રમણની નીચે બેંગલરના ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં છ વર્ષ સુધી રિસર્ચ સ્કોલર તરીકે કામ કર્યું. ૧૯૪૫માં તેઓ કેવન્ડીશ લેબોરેટરીમાં જોડાયા અને બે વર્ષમાં કેમ્બ્રિજમાં તેમણે ડોકટરની ઉપાધિ પ્રાપ્ત કરી. ડો. વિક્રમ સારાભાઈ જેઓ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના ડિરેક્ટર છેતેઓ અમદાવાદની ટેકસ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝના રિસર્ચ એસોસીએશનના આઠ વર્ષ સુધી ઓનરરી ડિરેકટર હતા, અને ૧૯૬૫ સુધી અમદાવાદના ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના પણ ઓનરરી ડિરેકટર હતા. આ ૧૯૬૨માં ભારત ખાતે અવકાશ સંશોધન-spaceResearch–નું આયોજન કરવાનું સ્વીકારીને તેમણે પોતાની અનેક જવાબદારીઓમાં એકનો વધારો કર્યો હતો. અવકાશ-સંશોધન અંગેની ઈન્ડિયન નેશનલ કમિટીના પહેલા ચેરમેન તરીકે, કેરળમાં અંબા ખાતે ઈકવેટોરિયલ રેકેટ–લચીંગ સ્ટેશન ઊભું કરવામાં અને અમદાવાદ ખાતે એકસપેરીમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સેન્ટર ઊભું કરવામાં અને ફ્રેંચ સેન્ટર સાઉન્ડીંગ રેકેટ બનાવવાને કાર્યક્રમ શરૂ કરવામાં અને સ્પેસ સાયન્સ અને ટેકનોલૉજી સેન્ટર ઊભું કરવાને લગતી દરખાસ્તને વેગ આપવામાં તેઓ મુખ્યપણે જવાબદાર બન્યા હતા. ૧૯૬૨માં ફિઝિકસ માટેનું એસ. એસ, ભાટનગર મેમોરિયલ એવોર્ડ–શાન્તિસ્વરૂપ ભાટનગર–સ્મારકપારિતોષિક–તેમને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભારત સરકારે તેમને “પદ્મભૂષણ'ના ઈલ્કાબથી નવાજ્યા હતા. - તેમનાં પત્ની મૃણાલિની સારાભાઈ સુવિખ્યાત નતિકા તરીકે વિશિષ્ઠ ખ્યાતિ ધરાવતાં એક સન્નારી છે. “તેમનાં નૃત્યને લગતાં કાર્યક્રમમાં ભાગ લેવાને તમને સમય મળે છે ખરો?” એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે “જરૂર, હજુ હું ગઈ રાત્રે જ તેમાં ભાગ લેવા ગયો હતો.” ' અનુવાદક : પરમાનંદ મુળ અંગ્રેજી: શ્રી પિાલકસ ભારત અને અણુબોમ્બ થડા દિવસો પહેલાં ચીને ત્રીજો અણુબોંબ ફોડયા બાદ તેની હરીફાઈમાં ભારતે અણુબ બનાવવો કે નહિ તે પ્રશ્ન નવી ઉત્કટતા ધારણ કરી છે. બે સંઘર્ષપરાયણ દેશો વચ્ચે શસ્ત્રશકિતની સ્પર્ધા પેદા થાય એ સ્વાભાવિક છે. અને તેથી કોઈ પણ દેશને પ્રતિપક્ષ કરતાં ચડિયાતા શસ્ત્રો વસાવવામાં પોતાની વધારે સુરક્ષિતતા લાગે એ સ્વાભાવિક છે. અને તેથી ચીને જો આણુબોંબ પેદા કરવા માંડયા તે ભારતે કેમ ન બનાવવા આ પ્રશ્ન ઊભો થાય એ રામજી શકાય તેવું છે. પણ ચાલુ શસ્ત્રો જેને conventional weapons કહેવામાં આવે છે તે અને અણુશસ્ત્રો વચ્ચે ઘણે ફક છે. આ તફાવતનું સ્વરૂપ ભારતના પ્રજાજનોએ સમજવું જરૂરી છે. આ સંબંધમાં એટમિક એનર્જી કમિશનના તાજેતરમાં નિમાયેલા અધ્યક્ષ ડો. વિક્રમ સારાભાઈએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટર સાથે તા. ૨-૬-૬૬ના રોજ એક મહત્ત્વની ચર્ચા કરી હતી. આ ચર્ચાને લક્ષમાં લઈને લખવામાં આવેલ અને તા. ૪-૬-૬૬ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ કરવામાં આવેલ Page #123 -------------------------------------------------------------------------- ________________ ના પ્રબુદ્ધ જીવન ર૭ : ' તંત્રીલેખ ટૂંકાણમાં. આ આખા પ્રશ્નની વિશદ્ સમાચના કરતા નિવડવાને સંભવ છે. જે સાધન વડે પરંપરાગત શસ્ત્રોની તાકાત હોઈને તેને નીચે અનુવાદ આપવામાં આવે છે.–પરમાનંદ ઘણા મોટા પ્રમાણમાં વધારી શકાય તેમ છે તે સાધને અણુશસ્ત્ર ભારતે અણુ બ બ જાતે બનાવવાની પ્રવૃત્તિ હાથ ધરવી કે ઊભા કરવા પાછળ ખરચાઈ જશે. જે કોઈ સંઘર્ષને આ દેશને નહિ એ સમસ્યાને ધી એટમિક એનર્જી કમિશનના નવા અધ્યક્ષ સામનો કરવાની પરિસ્થિતિ ઊભી થવાનો સંભવ છે તે સંઘર્ષનું પડે. વિક્રમ સારાભાઈએ બહુ સ્પષ્ટ આકારમાં રજુ કરી છે. બાં બ પરિણામ તેની પરંપરાગત ચાલુ શસ્ત્રોની તાકાત ઉપર આધારિત બનાવવા અંગે અધીરાઈ દાખવતા લોકોને તેમણે કહ્યું છે કે ચીન હશે. છેલ્લા ચાર વર્ષ દરમ્યાન ભારતને જે બે યુદ્ધો લડવા પડયાં બનાવે છે તેવું એક અણુશસ્ત્ર બનાવવું અને અણુશસ્ત્રો ધરાવતી તેમાં અણુશસ્ત્રો ભારત પાસે હોત તો પણ કશા કામમાં આવી શકયા એક શકિતસંપન્ન રાજયસત્તા બનવું એ બેમાં આસમાન જમીનને ન હોત. યુનાઈટેડ સ્ટેટસ પાસે અણુશસ્ત્રોને સૌથી મોટો ભંડાર તફાવત છે. ચાલું બને છે તેવા અણુ બાબા બનાવવા માટે ભારત હોવા છતાં, વિયેટનામ સાથેની લડાઈમાં આ શસ્ત્રો બહુ ઉપયોગી પાસે પૂરતાં સાધન છે, પણ ભારતને એક અણુશસ્ત્રસંપન્ન નીવડયા નથી. આપણે દેશ અણુશસ્ત્રસંપન્ન થઈ શકતો નથી.રાજયસત્તા બનવા માટે જે જરૂરી છે તે એટલે કે એક મેટું ઔદ્યો- આવી વાસ્તવિકતા કબુલ કરતાં આપણું રાષ્ટ્રીય અહમ , શકય છે કે, ગિક મથક, આગળ વધેલી ઈલેકટ્રોનિક પદ્ધતિ, અને બ બની હેરફેર . દુભાય, પણ લાંબદર દષ્ટિએ વિચારતાં માલુમ પડશે કે વાસ્તવિકતાના કરવાની અને ધાર્યા સ્થળે ફેંકવાની પૂરા આયોજન પૂર્વકની તાકાત– ભાનપૂર્વક સંરક્ષણની તાકાતને વિકસાવવી એમાં જ દેશનું ખરૂં આમાનું ભારત પાસે કશું જ નથી. આ જરૂરી સાધનસામગ્રી હોય રહેલું છે. મૂળ અંગ્રેજી: ટાઈમ્સ એરૂ ઈન્ડિયા સિવાય માત્ર પિતા પાસે બેબ હોવાના કારણે ભારત અન્ય દેશો - ઈન્ડે–અમેરિકન ફાઉન્ડેશન ઉપર પિતાને પ્રભાવ પાડી શકે તેમ છે જ નહિ. આવા બાબનું મૂલ્ય કાગળના વાઘ કરતાં જરા પણ વધારે નથી. એનાથી એક ચર્ચાપત્ર કોઈ પણ છેતરાશે નહિ, કારણ કે “લશ્કરી ભૂહરચનાને કોઈ પણ (પ્રસ્તુત ફાઉન્ડેશનની આલોચના રૂપે લખાયેલી અને અભ્યાસી જાણે છે કે આવી બાબતમાં કેવળ બણગાં ફકીને કોઈને છેતરવાનું હવે શકય નથી.” ચુકલીઅર કાર્યક્રમની વિરૂદ્ધ આટલી તા. ૧-૬-૬૬ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલી નોંધ વાંચીને વીલે પારલેન શ્રી ચંદુલાલ નાણાવટી કન્યા વિદ્યામંદિરના આચાર્ય સુસંબદ્ધ રીતે કે વિશદ રીતે હજુ સુધી અન્ય કોઈએ રજુઆત શ્રી વજુભાઈ પટેલે એક ચર્ચાપત્ર લખી મોકલ્યું છે જે નીચે પ્રગટ કરી નથી. તેમણે ખુલાસાપૂર્વક જણાવ્યું છે તે મુજબ, ન્યુકલીયર કરવામાં આવે છે. આ ઈન્ડો – અમેરિકન ફાઉન્ડેશનને પ્રશ્ન વિવાદાબનવું–અણુશસ્ત્રસંપન્ન બનવું–એટલે એને લગતી બધી જરૂરિ સ્પદ બન્યો છે અને તેને ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુથી વિચાર કરવામાં યાતોને હસ્તગત કરવી, એનું સમગ્ર અને સંપૂર્ણ આયોજન કરવું. આવે છે. આ બાબત સાથે સંબંધ ધરાવતા મુદ્દાઓમાંથી કયા મુદ્દા- ' એમાં અધકચરાપણું અધુરાપણું ચાલી શકે તેમ છે જ નહિ, ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે તે ઉપર આ પ્રશ્નનો એક યા ' જો કોઈ એક દેશ પાસે બોબ હોય તે તેની પાસે બાબરો હોવા અન્ય પ્રકારનો નિર્ણય આધારિત છે. મને આ ઈન્ડો-અમેરિકન જોઈએ અને તેને ફેંકવા માટેની બધી સામગ્રી પણ હોવી જોઈએ. ફાઉન્ડેશનની યોજનાના સ્વીકારમાં સમગ્રપણે દેશનું શ્રેય રહેલું છે એક પગલાંની પાછળ અચૂકપણે અનેક બીજા પગલાં ભરવાનાં રહે જ છે. એમ લાગે છે. આથી અન્યથા વિચારતા લોકોનું દષ્ટિબિન્દુ નીચેના આવા સમગ્ર આયોજનના વિચારે બ્રિટન અને ફ્રાન્સ ઉપર પાર ચર્ચાપત્રમાં રજુ થયું છે. વાંચકોએ એમાંથી પિતાને સ્વતંત્ર નિર્ણય વિનાને આર્થિક બોજો નાંખે છે અને તેમની પાસે પુષ્કળ સાધનસામગ્રી તારવવાને રહે છે. પરમાનંદ) હોવા છતાં આ બન્ને દેશો હજુ સુધી પણ સંપૂર્ણપણે અણુશસ્ત્ર પ્રબુદ્ધ જીવન નિયમિત વાંચું છું. છેલ્લાં અંકમાં ઈન્ડો-અમેરિકન સંપન્નતા પ્રાપ્ત કરી શકયા નથી. ભારત પાસે આ પ્રકારના સમગ્ર પ્રતિષ્ઠાન વિશેની આપની નોંધ વાંચી અને તે વિષે પ્રબુદ્ધ જીવનના કાર્યક્રમને પહોંચી વળવા માટે આર્થિક કે અન્ય પ્રકારની કોઈ ક્ષમતા વાચક વર્ગને આપે કરેલી ભલામણ વાંચી આ પત્ર લખવાનું મન થયું. છે જ નહિ. બીજાને ડરાવી શકે, પિતા સામે હાથ ઉપાડતાં અને ૧. આ પ્રતિષ્ઠાન વિષેને જે વિરોધ થયો છે તેમાં બે પ્રકારના અટકાવી શકે એવી અણુશસ્ત્રોને લગતી તાકાત પ્રાપ્ત કરવાની વિચાર ધરાવનાર બુદ્ધિશાળી વર્ગ છે. એક આવી કોઈ મદદ ઉપર ભ્રામક આશામાં પોતાની આર્થિક સુરક્ષાને ગંભીરપણે હાનિ પહોં આધારિત શિક્ષણપ્રતિષ્ઠાન સ્થાપવું તે સ્વત્વને હૃાસ કરનાર ચાડવાનું જોખમ ભારત ખેડી ન જ શકે. હોવાથી તે યોગ્ય નથી એમ કહેનાર વર્ગ અને બીજો તેમાં આપણું ડે. સારાભાઈ વિજ્ઞાનશાસ્ત્રી હોઈને આ બોંબ સાથે જોડાયેલા આગવું વ્યકિતત્વ નહિ રહે અને અમેરિકન અસર આપણી કેળવણી રાજકારણી મુદાને નહિ સ્પર્શવાની તેમણે સંભાળ લીધી છે. અને સંસ્કારમાં વ્યાપકરૂપે આવશે એમ ભીતિ ધરાવનાર વર્ગ. પણ આ મુદ્દાઓ ટેકનોલોજીકલ કે આર્થિક મુદ્દાઓ જેટલા જ ૨. પહેલો વર્ગ પ્રમાણમાં નાનું છે. પણ તેમને મન આ પ્રસ્તુત છે. બાઁ બની બનાવટને અને તેની હેરફેરને લગતી પદ્ધતિને પાયાને પ્રશ્ન છે. ઉચ્ચ શિક્ષણ એ આખરે આપણી ધરતીમાંથી ભારત પહોંચી વળી શકે તેમ હોય તે પણ આમ કરવા જતાં તેણે ઉદ્ભવેલું જોઈએ. તેને હેતુ Talents-બુદ્ધિમત્તા-શૈધી તેને જે રાજકારણી વળતર ચૂકવવું પડે તે શું વધારે પડતું નહિ હોય એ શકિત આપવાનું છે અને તે શકિત દેશને માટે કેમ વપરાય તે મુદા પણ તેણે વિચારવાનું રહેશે જ. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ હજુ બતાવવાનું છે. આ Talents જે પરદેશથી આયાત થશે તો તાજેતરમાં જ એક જાપાનીઝ પ્રતિનિધિમંડળને જણાવેલું તે મુજબ, દેશ માટે બહુ ઉપયોગી નહિ થાય. પ્રત્યેક ગામ અને શહેરમાંથી જો ભારત બ બ બનાવવાને નિર્ણય કરશે તો તેના પડોશી દેશે પણ આવા યુવાને તૈયાર કરવા હોય તે કેળવણીનું આખું આયોજન બબ બનાવવા તરફ વળશે અને પરિણામે આ બધા દેશમાં નંગ- સ્વત્વ વિકસાવે તે ઢબે કરવું રહ્યું. ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશન દિલી વધતી જશે અને ઉગ્ર રૂપ ધારણ કરશે. આ ઉપરાંત આમ આવું આયોજન કરવામાં બાધક નીવડવા સંભવ છે–નહિ કે એ કરવાથી, જે બે મહાન રાજયસત્તાઓ અણુશસ્ત્રોના ઉત્પાદન અને લેકોનું આપણા ઉપર દબાણ થશે એ કારણે, પણ આપણી દષ્ટિ વધારાની સુદઢપણે વિરૂદ્ધ છે એ બે મહાન રાજ્યસત્તાઓ સાથેના આપણા સ્વત્વને પ્રગટાવવા તરફ પછી નહિ રહે એ કારણે. દેશના સંબંધો વિનાકારણ વધારે ગૂંચવણભર્યા બનશે. સુરક્ષાના જવાહરલાલજીએ સ્વરાજ્ય મળ્યું ત્યારે એક પણ બ્રિટિશ સૈનિક દષ્ટિબિંદુથી પણ બ બ બનાવવાનો નિર્ણય દેશ માટે ભારે ખાતરનાક આપણા રક્ષણ માટે અહીં રહે તે સામે મોટો રોષ બતાવી એમ કહેવું જાણવા Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રમુખું જીવન ૩૮ મળે છે કે લોકો મરી જશે તે સહન કરી શકીશ, પણ પરદેશી સૈન્ય ધરતી ઉપર હું સહન નહિ કરી શકું અને એમની નજર સામે ભાગલા સમયે છ લાખ જેટલા લોકોનો વિનાશ થયો તે વાતની આપણને ખબર છે. આ જ પ્રમાણે એમણે જો પરદેશી મૂડીને આધારે આપણું આર્થિક આયોજન કરવાનું ટાળ્યું હોત તે સંભવ છે કે, ભારે ઉદ્યોગામાં આપણે બહુ આગળ ન વધ્યા હોત, પણ પ્રજામાં સ્વત્વ પ્રગટયું હોત અને આજે જે ભારે પ્રમાણમાં અસંતોષ ચોતરફ જોઈએ છીએ તે કદાચ ન હોત અથવા ઓછા હોત. આ જો—તાની દલીલ ઈન્ડો-અમેરિકન ફાઉન્ડેશનની ચર્ચા સાથે પ્રસ્તુત એટલા માટે છે કે આપણા પ્રશ્ન ઉપર જણાવ્યું તેમ દેશમાંથી Talents શેાધી તેને શકિત આપી દેશને માટે તે શકિતન ઉપયોગ વિશેષ ફળદાયી રીતે કેમ થાય તે રીતનું આયોજન કરવાના છે. તેમાં જેમ આપણું હાલનું આર્થિક આયોજન આમવર્ગની દષ્ટિએ નાકામિયાબ નીવડતું જાય છે તેમ જ શિક્ષણમાં પણ બની રહ્યું છે અને આવાં પ્રતિષ્ઠાનથી તે વધારે બનશે. ૩. બીજો વર્ગ ફાઉન્ડેશનમાં ભયસ્થાને જુએ છે, પણ મદદ સ્વીકારવા તૈયાર થાય છે. આ વર્ગમાં ઠીક ઠીક પ્રમાણમાં કાલેજના અધ્યાપક વર્ગ છે. તેમની દલીલ, શ્રી ગારવાલા મજાક ઉડાવે છે તેવી, તદ્દન અર્થહીન નથી. આપણા જે વિદ્યાર્થીએ અમેરિકા અભ્યાસ અથૅઅે ગયા અને પાછા આવ્યા તેમાંના ઘણા સા૨ે સ્થાને છે. પરિણામે આપણને વધુને વધુ વિદ્યાર્થીઓને ત્યાં મોકલવાનું મન થાય છે. આપણે પહોંચતા હોઈએ તે આપણા બાળકોને અમેરિકા ભણાવવાનું મન થાય છે. આ હકીકત તેમના શિક્ષણના ઉપયોગીપણાને સિદ્ધ નથી કરતી, પણ બલ્કે તે શિક્ષણ માત્ર વ્યકિતને જ ઉપયોગમાં આવ્યું છે અને દેશને પ્રમાણમાં આચાર, વિચાર, સંસ્કાર, આબાદીની દષ્ટિએ બહુ લાભકારક નથી નીવડયું તે વાતનું સમર્થન આજે એવા ભણેલા યુવાનોમાંના ઠીક ઠીક વર્ગ, અનુકૂળતા મળે તા, પાછા અમેરિકા જઈ ત્યાં સ્થિર થવાની ઈચ્છા કરતા હોય છે તે જાણીતી વાત છે. વૈજ્ઞાનિકોમાં પણ આવી સંખ્યા નાની નથી. ત્યાગ, દેશભાવના, સમર્પણની ધગશ બતાવનાર યુવાનોની સંખ્યા ત્યાંથી ભણી આવનારમાં શોધવા જઈએ તો કદાચ આપણૅ નિરાશ થવું પડશે. માટે પ્રતિષ્ઠાનના વિચાર ખોટો નથી તેમ તેઓ કહે છે પણ તેના સંપૂર્ણ કાબુ .હાલના આર્થિક આયોજનની માફક આપણી પાસે હોવા જોઈએ તેમ તેઓ માંગે છે. કરે છે. આપના, વજુભાઈ પટેલ પ્રકી નોંધ વાસ્તવિકતાની અક્ષમ્ય અવગણના ઔચિત્યભંગની પરાકાષ્ટા મુંબઈ ખાતે ગયા મે માસની ૨૧, ૨૨, તથા ૨૩મીના રોજ ભરાયલા કોંગ્રેસ મહાસમિતિના અધિવેશનના અનુસંધાનમાં કોંગ્રેસી મહાનુભાવા માટે જે ભાતભાતનાં આનંદ અને મોજમજાના ભાજન– સમારંભા અને વિવિધ પ્રબંધ ગોઠવવામાં આવ્યા હતા તે સંબંધમાં તા. ૩-૬-૬૬ ના રોજ બાલાવવામાં આવેલી પત્રકાર પરિષદ સમક્ષ ખુલાસા કરતાં મુંબઈ કોંગ્રેસના પ્રમુખ શ્રી. પી. જી. ખેર જણાવે છે કે: “સાગરસફર વખતે જે ભાજન ૭૦૦થી ૮૦૦ માણસાને આપવામાં આવ્યું હતું તેમાં તથા જુહુની એક હોટેલમાં ૧,૦૦૦ માંણસોને જે ભાજન આપવામાં આવ્યું હતું તેમાં અનાજની વાનગીઓ પીરસવામાં આવી નહોતી. આ બધા લોકો એમને ઉતારે જન્મ્યા હોત તે તેમને અનાજની વાનગી મળી હોત. આથી હકીમાં હતા એ બે ટંક પ્રતા અનાજનો બચાવ જ થયો છે. સામાય સાંજે ૫ વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી અને વિધાનસભાના સભ્યોની હોસ્ટેલમાં પણ તે દિવસે રાત્રે કોઈ ભાજન આપવામાં આવ્યું નહોતું. આમ મહારાષ્ટ્ર સરકારના અનાજના વપરાશના નિયમન અંગેના કોઈ હુકમના ભંગ પણ કરવામાં આવ્યા નહોતા. તા. ૧૬-૬-૬+ પ્રતિનિધિઓ તથા મહેમાન માટે થયેલી ખરચાળ સરભરા અંગે વડા પ્રધાન તથા કાગ્રેસપ્રમુખે મુંબઈ કોંગ્રેસ સમક્ષ પોતાની નાપસંદગી વ્યકત કરી છે એવા અહેવાલાને તેમણે પાયા વિનાના ગણાવ્યા હતા. એમણે કહ્યું હતું કે, સરભરા અંગેની બધી જ વ્યવસ્થા શ્રીમતી ઈંદિરા ગાંધી અને શ્રી કામરાજની પૂર્વ સંમતિથી થઈ હતી, એટલું જ નહિ, એમણે બન્નેએ મુશ્કેલીઓની વચ્ચે અમે જે વ્યવરથા કરી હતી તેના પ્રત્યે ઊંડો સંતાપ વ્યકત કર્યો હતો. આ અધિવેશનના ખર્ચ લગભગ બે લાખ રૂપિયા જેટલા આવ્યો છે.” આ ખુલાસા વાંચીને ભારે દુ:ખ તથા આશ્ચર્ય થાય છે, કારણ કે આ ખુલાસા ધીટતાથી ભરેલા છે; તેમાં ભાળા લોકોને સમજાવી લેવાના પ્રયત્ન છે. આજે દેશભરમાં અનાજના દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તે છે; મોંધવારીની ભીંસ વચ્ચે, તરેહ તરેહની તંગી નીચે અને કરવેરાના અસહ્ય બનતા જતા બાજા નીચે પ્રજાજીવન કચડાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આપણને અનિવાર્ય ધર્મરૂપે પ્રાપ્ત થાય છે કે ખાસ જરૂરી ન હેાય ત્યાં સુધી આપણે કોઈ સામુદાયિક સંમેલના યાજીએ નહિ અને જે કોઈ સંમેલના યોજવાનું આવી પડે તે બને તેટલાં સાદાં યાજીએ અને તેમાં આજના સમય સાથે બંધ બેસે નહિ તેવા આનંદિવનાદનાં માજમજા કરવાનાં-કાર્યક્રમ ગોઠવીએ નહિ, ખાસ કરીને જેના માથે આખા ભારતની પ્રજાના સુખદુ:ખની જવાબદારી છે તેવી કોંગ્રેસ સંસ્થાએ તે આવી બાબતમાં પૂરા જાગૃત રહેવું જોઈએ, આને બદલે તાજેનરમાં મુંબઈ ખાતે મળેલા કોંગ્રેસ મહાસમિતિના અધિવેશન ઉપર આવેલા કાગ્રેસી નેતાઓને મુંબઈની આલીશાન લેખાતી હોટેલામાં ઉતારવામાં આવ્યા હતા અને આ અધિવેશન સાથે જોડવામાં આવેલા કેવળ મેાજમજાલક્ષી કાર્યક્રમના કારણે આખા અધિવેશને એક જલસાનું રૂપ ધારણ કર્યું હતું. એક રાત્રે ૭૦૦થી ૮૦૦ મહેમાનો માટે સાગર સફર યોજવામાં આવી હતી; બીજી રાત્રે જૂહુ જેટલા દૂર આવેલા સ્થળ ઉપર ‘સન એન્ડ સેન્ડ’ના નામે ઓળખાતી બાદશાહી હોટેલમાં ૧૦૦૦ કૉંગ્રેસી માટે ભાજનસમારંભ ગોઠવવામાં આવ્યા હતા. ત્રીજી રાત્રે રીગલ થીએટરમાં આ મહાજનને ચિત્રપટ દેખાડવામાં આવ્યું હતું. આજની વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં આવા આનંદવિહાર કેટલા બધા કઢગા, બેહુદા, અસમયોચિત ગણાય તેના આ આયોજકોને ખ્યાલ સરખો પણ ન આવ્યો ! સ્વાભાવિક છે કે આ બધું જોઈને જાણીને સામાન્ય લોકોના દિલ ઉકળી ઊઠે અને જાહેરમાં તેમ જ ખાનગીમાં આ ઠઠારાની તેઓ સખત ટીકા કરે, ઝાટકણી કાઢે અને લોકોની કહેવાતી કાગ્રેસ આજે કર્યાં જઈ રહી છે એવા પ્રશ્ન પૂછે. આવી ટીકા ટીપ્પણીથી આ પ્રકારનાં અવિવેકી આયોજન માટે જવાબદાર કૉંગ્રેસી આગેવાનોએ સજાગ થવું જોઈએ, અન્તર્મુખ બનવું જોઈએ અને પોતાની ભૂલ જાહેરમાં કબુલ કરવી જોઈએ. આને બદલે મુંબઈ કોંગ્રેસના પ્રમુખે જે ખુલાસો બહાર પાડયા છે તેમાં નથી કોઈ શરમના ઉદ્ગાર કે પશ્ચાત્તાપનો એકરાર. ઉલટું જે થયું છે એ બરાબર, યોગ્ય અને ઉચિત જ થયું છે એવા ભાવ આ ખુલાસા વાંચતાં ઊઠે છે, એટલું જ નહિ પણ, બહાર કરવામાં આવેલી ભાજન વ્યવસ્થામાં પ્રતિબંધિત અનાજની વાનગીઓ પીરસવામાં આવી નહોતી અને એ રીતે એટલા પૂરતો પ્રતિબંધિત અનાજને બચાવ કરવામાં આવ્યા હતા એવી આ ખુલાસામાં શેખી કરવામાં આવી છે—જાણે કે કાનુની મર્યાદામાં રહીને પણ આવી શાનદાર હોટલામાં તૈયાર કરવામાં આવેલી ભાત ભાતની વાની પાછળ થયેલા અમર્યાદ ખર્ચના તો કોઈએ કા વિચાર જ કરવાના ન હોય. આવા ધીટ ખુલાસા રજુ કરીને સંતોષ ન માનતાં આ બધી ગાઠવણ શ્રીમતી ઈન્દિરા ગાંધી અને કૉંગ્રેસપ્રમુખ કામરાજની સંમતિપૂર્વક કરવામાં આવી છે એમ મુંબઈની Page #125 -------------------------------------------------------------------------- ________________ કે તા, ૧૬-૬-૧૯ મહાપ્રસ્થાનના પથ પર-૧૧ કેંગ્રેસના પ્રમુખ જણાવે છે અને એ રીતે આ ગોઠવણના ગુણદોષ રાજી ' અંગે-ઔચિત્ય-અનૌચિત્ય અંગે કેંગ્રેસની શિખરસ્થ: વ્યકિતઓને , , , , - હવાલો આપે છે. અને છેવટે આ અધિવેશન પાછળ લગભગ ' ગૌરીકુંડ છોડીને હું આગળ ચાલ્યો. ઠંડી સારી પેઠે હતી. બે લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે એમ મુંબઈ કેંગ્રેસના પ્રમુખ આખે રસ્તે ચઢાણને હતે. ખેડંગતા પગે ચાલવાનું પણ હવે દુ:ખ * વિનમ્ર ભાવે જણાવે છે જાણે કે આટલે ખર્ચ કંઈ વધારે પડતી , નહોતું. બધું કોઠે પડી ગયું હતું. આકાશ કયાંક કયાંક વાદળાંથી છવાયેલું ( ન ગણાય. પણ જયારે આ અધિવેશન માટે કોઈ મોટો મંડપ બાંધ- હતું. થોડીક વાર પહેલાં જ સહેજસાજ વરસાદ વરસી ગયો હતો. વામાં આવ્યો નહોતો અને બહારથી આવેલા કોંગ્રેસીઓને વસા ઠંડો પવન સૂસવાતો હતો. વચ્ચે વચ્ચે કેદારથી પાછી આવતી વવા માટે કોઈ ખાસ નિવાસસ્થાને ઊભાં કરવામાં આવ્યા નહોતાં ઠંડીથી હેરાન થયેલી એવી યાત્રીઓની ટોળીઓ મળતી હતી. ત્યારે સહજ ફલિત થાય છે કે આ બે લાખ રૂપિયાની રકમને મોટો ભાગ કેંગ્રેસી મહેમાનની સરભરા કરવા પાછળ-તેમને ખવરાવવા પરસ્પર મળતાં ‘જય કેદારનાથ’ કહીને એકબીજાને સત્કારતા. દરેક પીવરાવવા તથા મેજમજા કરાવવા પાછળ –ખર્ચાયા છે. આ જણ શકય તેટલે અંશે ગરમ વસ્ત્રથી ઢંકાયેલું હતું. બધા એકવાર રીતે વિચારતાં આ બે લાખનો ખર્ચ પણ શું વધારે પડતું નથી? બોલતા હતા, બધા અમને એકવાર કહેતા હતા. “સમાલકે ચલો અત્યત નિરાશાજનક પરિસ્થિતિમાં પણ માનવી બહુત બરફ, જાન બચાકે મૈયા,” જેમ આગળ જાઓ તેમ ભય, જાણે - પુરૂષાર્થબળે ઊંચો આવે છે. ', " * કે, આવતી આપત્તિ અમારી પ્રતીક્ષા કરતી જ બેઠી હતી. જાતક! ઉપરના વિચારને આગળ ધરતી એક નોંધ તા. ૪-૬-૬૬ ના જાતની શંકા, ચિંતા, હોવા છતાં મારી ગતિ મંદ થઈ નહોતી. મારી ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થઈ છે જેને અનુવાદ નીચે મુજબ છે:- , ગતિ એટલી જ ઝડપી અને સાવધાનીભરી હતી. ક્યાંક ક્યાંક રસ્તે . જયપુર સેન્ટ્રલ જેલમાં જીવનભરની કેદની શિક્ષા પામેલ અત્યંત સાંકડો હતો, વચ્ચે વચ્ચે પહાડી લેક, બકરાની પીઠ પર ૧૯ વર્ષની ઉમરને એક કેદી પી.યુનિવર્સિટી (એટલે કે કૅલેજના , ' પ્રથમ વર્ષની) પરીક્ષામાં પહેલા નંબરે પસાર થયો છે અને પહેલા - - ખાવાની ચીજો અને બળતણ લઈને જતા મળતા હતા, તેમની સાથે નંબરે આવ્યા છે. આ એક ખરેખર અસાધારણ ઘટના છે. પિતાના એકાદ પાળેલી માટી કુતરે રહેતો. બકરાઓને જંગલી જાનવર ; એક સાથી વિદ્યાર્થીનું ખૂન કરવા બદલ તેને ત્રણ વર્ષ પહેલાં ૨૦ મારી ન નાંખે તે માટે એક મોટો શિકારી કૂતરો પર્યાપ્ત મનાતે.. વર્ષની કેદની શિક્ષા ફરમાવવામાં આવી હતી અને શરૂઆતમાં . અમે વનના પહાડી માર્ગેથી જતા હતા. એ જગ્યાનું નામ ચીરતેને યુવેનાઈલ રેફરમેટરી (નાની ઉંમરના ગુનેગાર છોકરાઓ વાસા ભૈરવ હતું. જો કોશિષ કરીએ તે આજે જ અમે કેદારનાથ માટેની જેલ)માં મોકલવામાં આવ્યો હતો. તે રેફરમેટરીમાં હતા તે | દરમિયાન તેણે હાઈસ્કૂલની પરીક્ષા પસાર કરી હતી. જેલમાં ૨૦ વર્ષ પહોંચી શકીએ એમ હતું. પણ સાંજ પડયા પછી કેદારને રસ્તો સલા- જેટલી લાંબી મુદતની શિક્ષા જેવા કેવળ નિરાશાજનક સંયોગો મત નથી, વળી આકાશ પણ વાદળાંઓથી છવાયું હતું, ને એથી વચ્ચે પણ નિરાશાને વશ બનવાનો ઈનકાર કરનાર એક વ્યકિતને પણ અંધકાર વિશેષ ગાઢ બન્યું હતું, અને કદાચ વરસાદ તે આ ભારે બહાદુરીભર્યો કિસ્સો છે. પડે, પણ સાથે સાથે બરફ પણ પડે, ને કરા પણ વરસે, એથી જ !=+= '' જીવનભંરની જેલશિક્ષા અથવા તે મૃત્યુદંડની શિક્ષા રામવાડામાં જ અમે રાત ગુજારવાનું નક્કી કર્યું. અમારો પરમ પામેલા એમ છતાં જેલમાં રહીને ખ્યાતિ પ્રાપ્ત કરેલા માનવીઓના - આજકાલ સારી સંખ્યામાં કિસ્સાઓ સાંભળવામાં આવે છે. આમાં પ્રિય છડીદાર અમરસિહ આ સંબંધમાં અમને પૂરતી માહિતી આપતા - સૌથી વધારે જાણીતા કિસ્સે કેરીલ ચેસમેનને છે કે જે પોતાને જતો હતો. લગભગ સાડાચાર વાગ્યે અમે રામવાડાની ચટ્ટી પર મૃત્યુદંડની શિક્ષા થયેલી, એમ છતાં બાર વર્ષ સુધી એ શિક્ષાને પહોંચ્યાં. તે વખતે ઝરમર વરસાદ વરસવ શરૂ થયો હતો. એટલે તે ટાળી શકયો હતો અને આખરે ૧૯૬૦માં તેને ફાંસીએ ચઢા . પવન ને એટલી ઠંડી હતી કે, ખુલ્લી જગ્યામાં તે એક મિનિટ વવામાં આવ્યો હતે. તે જેલમાં હતા તે દરમિયાન પોતાની કોટડીમાં 3, રહીને તેણે કાયદાને અભ્યાસ કર્યો હતો અને જે ખૂબ વેચાણ પણ ઊભા રહેવાય એમ ન હતું. છાતીની અંદર તો ઠંડી જાણે એકદમ થયેલી એવી ઢગલાબંધ નવલકથાઓ તેણે લખેલી હતી અને પેસી જતી હતી. જાણે પવન કાંટાની જેમ છાતીમાં ભાકાતે હતા. . મૃત્યુદંડની શિક્ષા સામે તેણે જોરદાર આંદોલન ચલાવ્યું હતું. ડ્રૉબર્ટ ઝટપટ મેં આખી કોમળે એાઢી લીધા. દાંત કડકડ બેલતા હતા. 'એફ ટ્રાઉડ જે આલ્કાટ્રાઝના પક્ષીનિષ્ણાત તરીકે ઓળખાતા ' વરસાદ તો અટક, પણ ' આકાશ સાફ બન્યું નહિ. ચટ્ટીની. હતો તેને પણ એટલું જ ધ્યાન ખેંચે એ કિસ્સો છે. એક દિવસ, : 'દિવાલ અને ઉપરની છત હલવા લાગ્યા, અને બરફના ઠંડા પવન ; તેની કોટડીમાં એક ઘાયલ ચંકલી આવી પડી, અને તેની તેણે સાર નના સૂસવાટાથી અમે ભયભીત બની ગયાં. ગોપાલદા ચલમ પકડીને વાર કરી. આ શરૂઆતમાંથી, તેને મળેલી જીવનભરની જેલશિક્ષા • કોણ જાણે શું વિચાર કરવા લાગ્યા. એવામાં કોણ જાણે કયાંથી તેફાભાગવતાં ભગવતાં તે પક્ષીશાસ્ત્ર ઉપર દુનિયાને સૌથી વધારે . નની જેમ બ્રહ્મચારી આવીને હાજર થઈ ગયો. હું તે એને જોઈને 'વિખ્યાત " એ પ્રમાણભૂત લેખાતે નિષ્ણાત બનવા પામ્યો. જીન . જેનેટે નામની વિવાદાસ્પદ બનેલી કૂંચ લેખિકા પિતાના ગુના આનંદથી ચીસ પાડી ઊઠયો. હસતે હસતે તે બોલ્યા, “કેદારનાથ ફરી આવ્યો, અરે બાપરે! કેવું ભયાનક! બરફ, બરફને બરફ. ખૂબ - હની પોતે જ કબુલાત કરવાના પરિણામે જેલશિક્ષા પામેલી. આ સાવધાન રહેજો. જોજો તેફાનના મોઢામાં આવીને ન પડતા. હવે અહીંથી પણ કેદમાં રહીને જેની પ્રજ્ઞાનો ઉત્કર્ષ થયો હોય એ, કક્ષાના માનવીઓને એક વધારે કિસ્સો છે. ભાગી છૂટાય એટલે બસ.” “તમે અમને છોડીને કેમ ચાલી ગયા બ્રહ્મચારી ?'' કળાગુરુ નંદબાબુ વિષેની જીવનનોંધમાં “આ તમારી જોડે તે છું. એ તે હું આગળ જતો હતો. હવે સુચવાયેલો એક સુધારો બદરીનાથમાં આપણે ફરી મળીશું. મારે રા. ઉતાવળ છે .. ?, તા. ૧-૫-૬૬ ના પ્રબુદ્ધ જીવનમાં શ્રી નંદલાલ બસુ વિષે ને. પાછા વળતાં હું વૃંદાવન પ્રગટ થયેલી નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે “૧૯૨૮માં વિશ્વ જઈશ.” એમ કહીને ભારતીની સ્થાપના થઈ ત્યારે ગુરુદેવ ટાગોરે તેમને પોતાને ત્યાં એ બીડી પીવા લાગ્યું. એની આંખમાં કોઈ નવી બોલાવી લીધા અને કલાભવનના અધ્યક્ષપદે મૂકયા” આ ભૂલભરેલા ચંચળતા હતી, એના હૃદયમાં આશા હતી, એનામાં કોણ જાણે કયાંથી વિધાન તરફ ધ્યાન ખેંચીને એક મિત્રને આ મુજબ સુધારવા સૂચવે છે. આટલું સાહસ હતું? એ બધું આજે એને પૂછતાં મને શરમ આવવા “૧૯૧૮માં વિશ્વભારતીની સ્થાપના થઈ અને નંદલાલ બસુ ઉર્ફે નંદબાબુ ૧૯૧૯માં કલાભવનમાં જોડાયા, પણ થોડા જ મહિનામાં લાગી કે કોણ એના ખાવાનાની સગવડ કરતું હતું? એની નવા -- અવનીન્દ્રનાથ ટાગોરના બોલાવ્યા કલકત્તા ચાલી ગયા. ત્યારબાદ . મિત્રો કોણ છે? અમારા કરતાં એને કોણ વિશેષ આત્મીય સાંપડ * ૧૯૨૦માં તેઓ કાયમને નિવાસ કરવા માટે પાંછા શાન્તિનિકેતન છે.' પર કાંઈ પણ બોલ્યા વગર એના મઢ તરફ હું જોતે જ આવ્યા અને ૧૯૨૨માં કલાભવનના પ્રિન્સિપાલ થયા.” : ::રહ્યો. મારે એની જોડે બહુ બહુ તો પંદર દિવસને પરિચય, પણ . ' પરમાનંદ સમયનું પરિમાણ કાંઈ વિશેષ મહત્ત્વનું નથી. અમને હસાવી હસાવીને Page #126 -------------------------------------------------------------------------- ________________ * ૨૦. - પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૧૬ એ સ્થિર થતો ગયે. રસ્તે રસ્તે, દુ:ખે સુખે, આપદમાં વિપદમાં, ઘુમ્મસમાં ઢંકાઈ ગયો હતો, સામેજ હિમાલયનું અનંત એવું ઘુમ્મસ અમારો સંબંધ ઘનિષ્ટ બન્યો હતો. અને અમારી મૈત્રીની અનેક હતું, રસ્તાને કિનારે કિનારે બરફના ઢગ પડયો હતે, ઝરણાંઓમાંથી - ગાંઠો દઢતાથી બંધાઈ હતી. બીડી પીને કામળે, લાઠી ને લોટી સાબુના ફીણની જેમ પાણી પડતું હતું. આજે હું આગળ લઈને એ ઊભે થયો ને હસતાં હસતાં ગેપાલદા પાસે વિદાય લેતા હતો. આજે મારા શરીરમાં ફરીથી શકિતસંચાર થયો હતો, બળ બે: “જાઉં દાદા ! વખત છે, ત્યાં સુધીમાં ગૌરીકુંડ પહોંચી જાઉં, હતું, ઉત્તેજના હતી, અપરિમેય પ્રાણલીલા હતી. કયાંક પાછળની ૐ નમે નારાયણ.” જમીન લુપ્ત થઈ ગઈ હતી, કયાંક વિલીન થયો હતો પાછળની હું એની સામે આંખ માંડી શકર્યો નહિ. જો એમ કરી શકત દુનિયાને સમાજ, સંસાર, ને આત્મીય મિત્રોને સમૂહ...આજે હું 'તે એ જોઈ શકત કે પ્રિયજન છોડીને જાય ત્યારે મને કેવું દુ:ખ આરામ લેવાને નથી, તુચ્છ દેહના અભાવ અભિયાગ તરફ થાય છે. મારા જેવો પોચો ને ઘડીમાં ભાંગી પડે એવો આ નજર કરવાનું નથી. આજે પૂરની જેમ અપ્રતિહત વેગથી હું દોડયો દુનિયામાં બીજો કોઈ નહિ હોય. ફકત એક વાર મેં બેલવાને પ્રયત્ન જઈશ. આજે સમસ્ત જીવનમાંથી મને મુકિત મળી છે, બધાં બંધન કર્યો, “મેં તારે શે ગુને કર્યો છે? બ્રહ્મચારી, બેલી તો જા.” પણ મારાં છૂટી ગયાં છે, લોભ, મેહ, સ્વાર્થ નીચેની દુનિયામાં છોડી - મારા મુખમાંથી અવાજ બહાર જ ન નીકળે. ' આવ્યો છું, પાપ, પુષ્ય, દુ:ખ કે આનંદને સવાલ જ ઊભો થતો એ આમ જ ઘણા સમયથી બધાની અવગણના કરીને છોડતો નથી. હવે નદી મહાસાગર તરફ ધસે છે. અંધકાર તેજની તરફ આવ્યો છે. ક્યારેક એમ કરવાનું કારણ હશે, તો કયારેક કારણ નહિ જાય છે, જીવન અને મૃત્યુ મહાનિર્વાણને રસ્તે ધતું જાય છે. હેય, એ ભીખ માંગે, ગાળપણું દર્શાવે, આપણને ધૃણા ઉપજે મનુષ્ય સ્વર્ગ તરફ દોડે છે. આજે હું કોઈ બંધન સ્વીકારવાનું નથી, એવી ખુશામત કરતાં પણ ' એને જોયો છે. એમ છતાં એના જાઉં છું સ્વર્ગશજયની પ્રસ્થાપનાની કલ્પનામાં, દેહમાંથી દેહાન્તરમાં હૃદયમાં કોણ જાણે કયાંક પણ લેખંડી દઢતા હતી. માનવસમાજની તરફ આવ્યો છે. આત્માને મેં આવિષ્કાર કર્યો છે. આજે હું આગળ એ અભિમાનથી, ઊંચી ભમરે જેતે. એ જ એનું ચારિત્ર્ય હતું, એ જ ભ5 જેને એ જ એનું ચારિત્રય હતું. એ જ આગળ દોડયે જ જાઉં છું. દડો જ જાઉં છું.. એને સંન્યાસ હતે. એ ચાલી ગયો તોયે હું એમને એમ બેઠો રહ્યો- એકવાર ઊભો રહ્યો. દેડતાં દોડતાં બધાંને પાછળ નાંખી દીધાં બેઠો જ રહ્યો. અંદર કોઈ કોઈ યાત્રી ઠંડીને લીધે મેઢામાંથી સીસકારા હતાં. ચારે બાજુના વિસ્તૃત ધુમ્મસમાં સાથીઓ કોણ જાણે બોલાવતા હતા, કોઈ કોઈ તાપણું સળગાવીને તાપતા બેઠા હતા, કયાં ખોવાઈ ગયા હતા, ' ફકત બન્ને બાજુની રસ્તાની કોઈ કંપિત કંઠે મહાભારતની વાત કરતા હતા. હું નિર્વાક બનીને રેખા જ દેખાતી હતી. કયાંય વૃક્ષો કે લતા નહોતાં, વન્ય અરણ્ય નહોતાં, ગૌરીકુંડના રસ્તા તરફ તાકત બેઠો જ રહ્યો. સામે જ ઠંડીથી જર્જર થયેલી 'જીવ કે જાનવરનું ચિહ્નમાત્ર નહોતું. ફકત બરફમય પર્વતમાળા હતી, અંધારી રાત્રી જામતી હતી. હમણાં જ કદાચ વાદળ વરસશે ને પછી અસંખ્ય ઝરણાંઓ વેગથી અવાજ કરતાં કરતાં નીચે દડતાં હતાં. ' બરફ પડવા માંડશે. એવામાં એ નિષ્ફર કયાં અદશ્ય થઈ ગયું હશે ડાબાજમણી, ઉત્તર દક્ષિણ બધે જ મેઘની ઘટા છવાયલી હતી, આકાશ કોને ખબર? જીવનમાં એ ફરી પાછા નહિ મળે એ પણ હું જાણું છું, લુપ્ત થઈ ગયું હતું, પૃથ્વીનું નામનિશાન નહોતું. હવે તો મેં તે પણ કંગાળની જેમ મારું મન એની પાછળ પાછળ ભટકયાં કરે અંધની માફક ચાલવું શરૂ કર્યું હતું, ગર્જના કરતા પવનની સામે છે. એ દરિદ્ર છે અને કોઈએ આપેલા અન્ન પર જ નિર્વાહ કરે હું મારા બે પગને સ્થિર રાખી શકતો નહોતો. ધીરે ધીરે અજવાળું છે એ જાણીને મેં એને રોજ રોજ આહાર ને આશરો આપ્યો હતો, વિશેષ પ્રખર બન્યું. એ અજવાળું આકાશમાંથી આવતું નહોતું, તડકાને તેનું અભિમાન મને નથી. મને તો એમ થયું કે અત્યાર સુધી હું જ - પણ એ પ્રકાશ નહોતો, વિજળી કે આગનું નહોતું, એ એક નવીન એને દબાયેલા હતા. હું એની આગળ પરાજિત થયેલ હતું. એને જ જાતનું અલૌકિક તેજ હતું. એ હતું બરફની ઉજજવલતાનું તીવ્ર, તીક્ષ્ણ આધીન હતા. આ અજવાળું. જાણે અજવાળાને પ્રવાહ હતો, અજવાળાનો સમુદ્ર હતું, - રાત્રે ચટ્ટીવાળાને ચાર આના આપીને એક ગરમ ઓઢવાનું અજવાળાંને ધોધ હતું. પ્રબળ' વેદનાથી આંખ મીંચાઈ ભાડે લઈ લીધું. એથી સવાર થતાં પણ જાગ્યે નહિ. ન જ જગાય ને. | ગઈ, બંને આંખે આ તેજને જોઈ શકતી નહોતી. આંખે હાથ ઓઢવાનાની ગરમી હતી. આમ તેમ નજર નાંખી તે ઘરડા ઉંદર દઈને આંધળાની જેમ સાંકડા માર્ગની રેખા ઉપર પગ મૂકતો મૂકતા જે ગોપાલંદા મારા ઓઢવાનામાં લપાઈને નસકોરાં બોલાવતો હતો. હું ચાલ્યો, એ કેવી ભયાનક સર્વનાશી તેની ઉગ્રતા, તીરની જેમ અમરાસિ૬ ને કાલીશરણના બૂમબરાડાથી અને બીકથી અમે બધા આંખમાં જાણે વાગતી હતી. યાત્રીઓ રસ્તો ચૂકી જતા ને મૂંઝવણને ઊઠી પડયા. એઢવાનું કહ્યું ત્યાં લાગલી જ બહારની ઠંડી જાણે લીધે લથડી પડતા. જોતાં જોતાંમાં પાછું કાંઈક અવનવીન જોયું. કોઈ ચાબૂક મારતું હોય એમ પીડવા લાગી. ઝટપટ બધું સમેટીને - આંધી આવી, ને આંધીની જોડે આવી હિમવર્ષા ને એની બાંધી લીધું, ને ઠંડીથી સૂસવાતા રસ્તા પર આવ્યા, ત્યારે વખત જોડે વરસાદનાં મેટાં મોટાં પાણીનાં ફેરાં. ઠંડી તે કહે સારી પેઠે વહી ગયો હતો. મારું કામ. અરેરે ! આજે કાંઈ જાન બચે એમ લાગતું નથી. આકાશ ઘેરા વાદળ તથા ધુમ્મસથી અંધકારમય હતું. ખબર હજી કેટલું દૂર છે કોને ખબર? મંદિર કેટલું દૂર હશે? માથા મળ્યા કે આખા વરસમાં ફેઈ કોઈ દિવસે જ અહીં સૂર્યનાં કિરણ ઉપર બરફ પડતો હતો, ખભા ઉપર બરફ પડતો હતો, મારો કામળે દેખાય છે. સામે જ બરફની ઉપરથી વાદળાંઓ પસાર થતાં હતાં. બરફ છવાયાથી સફેદ બની ગયે હતે, આંખ ઉઘાડવાને સખત ઠંડીને લીધે પગ બરાબર ઉપડતા નહોતા, પાગલની જેમ મારી પ્રયત્ન કર્યા છતાં પણ આંખ ઉઘડે નહિ. ગાંડાની જેમ દોડવાને લથડતી ગતિ હતી. દાંતની ઉપર દાંત બીડાયા હતા. મોઢા પર, આંખ પ્રયત્ન કર્યો. પર બરફમાંથી આવતો પવન સપાટો લગાવતા હતા. લાઠી બરાબર અરે, હું તો બરફ પર લપસી પડશે. રસ્તો બધે બરફથી પકડાતી નહોતી. પગદંડીવાળે પહાડને રસ્તો હતો, લાંબે ને ઊંચા છવાઈ ગયું હતું. આ શું? શું ખરેખર મારા શરીરમાં શકિત રહી. ચઢાણને રસ્તો હતો, ને સર્પાકારે વળાંક લેતે ઉપર જ હતો. છાતીમાં નહોતી? શરીર પત્થરની જેમ જડ કેમ થતું જાય છે? આ હું કયાં ખૂબ જોર હતું, પણ પગ ઢીલા પડતા હતા. થોડીવાર ઊભા રહીને પાછું ફસડાઈ પડયો. હાથ પસારતાં પસારતાં કામળે જ. બિચારા ચઢવા માંડયું. આજે હું બધાથી આગળ હતે. નહોતી કોઈ વ્યથા, કામળાએ મારે માટે કેટલું દુ:ખ સહન કર્યું હતું? કેટલો નીચે સરી નહોતે કોઈ થાક, નહોતી કોઈ ઉત્સહહીનતા. પાછળને રસ્તો પડયો હતો તે સમજાયું નહિ. બહુ પ્રયત્નથી આંખની પાંપણ ઉઘાડીને Page #127 -------------------------------------------------------------------------- ________________ ' તા. ૧૯-૯ જોઉં છું તા પાસે જ એક જલાશય, ઠંડીને લીધે, એનું પાણી જામી જવાથી અરીસાના કાચ જેવું કઠણ બની ગયું હતું. શરીર ખંખેરીને પાછા ઊઠયા, બરફમાં પગ અંદર ઘૂસી ગયો. લાઠી બરફમાં રોપાઈ ગઈ હતી. ચૂલામાં ગઈ આ યાત્રા. હાશ, બચી ગયો. કમર સુધી ઠંડી લાગવાથી જાણે લકવો થઈ ગયો હતો, ઉપરનું શરીર જ ફકત બાકી હતું. જાતને ખેંચતો ખેંચતા હું આગળ વધતા હતા. આંખ ઉઘાડી શક્યા હાત તો ખબર પડત કે કેટલે દૂર પહોંચ્યો છું. આંખ પર ને મોઢા પર. બરફ પડયા હતા, ને પાણીનાં ટીપાં બાઝ્યાં હતાં. માથાના વાળ ભારે થઈ ગયા હતા. મારી ગેરુઆ “રંગની કફની મુલાયમ બરફથી ઢંકાઈ ગઈ હતી. આંખ મીટમીટાવીને એકવાર જોવાને પ્રયત્ન કર્યો, સામે જ બરફની પુષ્પવૃષ્ટિ ઝાલરની જેમ ઝગમગતી હતી, માથા ઉપર બરફનું અજવાળુ હતું. કેવું અનિર્વચનીય રૂપગૌરવ હતું! જાણે હું કોઈ વિરાટ રૂપના ચરણસ્પર્શ માટે ઉપર જતો હોઉં, જાણે એક વિપુલ વિશ્વના તારણ દ્વારે ટકોરા મારવા માટે ગાંડાની જેમ જતા હતા, જાણે સ્વર્ગની જોડે જે મર્ત્યનું આલિંગન થવાનું હોય ! પ્રભુના જીવન એવામાં મે શંખધ્વનિ સાંભળ્યા. કાંસાંનાં દાંટાના અવાજ આવતા હોય એમ લાગ્યું. કઈ તરફ? ઉત્તર કે દક્ષિણે? ફરીથી કાન માંડીને મે સાંભળ્યું. પણ હવે ચાલવાની મારી હામ નહોતી. એક વાર સૂઈને આરામ લઉં? પણ સૂતાં સૂતાં જ અંતિમ શ્વાસ લઈશ કે શું ? પ્રાણમાં હું ધીરે ધીરે ડૂબતા જતા હતા. બધું ડૂબતું હતું, રૂપ, અજવાળુ, શબ્દ, ચેતના, શ્વાસ, બધું જ. હાથ પગ હવે કશી વાત સાંભળવા માગતા નહોતા. એકવાર ચીસ પાડીને રડાય એમ પણ હતું નહિ ને તોફાનની જેમ એકવાર અટ્ટહાસ્ય પણ કરી શકતા નહોતા. “મહારાજજી કર્યો ખડા હુઆ હૈ?” હાથ પર પ્રચંડ પ્રહાર થતાં એકદમ સચેત થઈ ગયો. મારો હાથ પકડીને ધમધમ કરતા થોડાં ડગલાં આગળ આવીને પેલા બાહ્યો, “ઐસા હોતા હૈ ઠડે મેં, જલદી...જલદી આના.” “કૌન હૈ તુમ? છેડો છેડો.” “આઓજી, આંખ ખાલા. મૈં અમરાસિંહ હું. આએ પૂલ આગે.” અમરાસિંહ મને ખેંચીને ચાલ્યો. શરીરની બધી શકિત સંચય કરીને આંખનાં પોપચાં ઉઘાડીને એકવાર મેં જોયું. તે વખતે મંદાકિની—દૂધગંગાના પૂલની પાસે હું આવી પહોંચ્યો હતો ..કાંસાના ઘંટનો અવાજ પાછા દૂરથી સંભળાયો. બે ચાર યાત્રી દૂર છાયાની જેમ હાલતા હતા.. પૂલ પાર કરતાં જ સામાન્ય ગામ અને કેટલાંક પૃથ્થરનાં ઘર હતાં. બેએક દુકાન હતી. રસ્તો પથ્થરથી બાંધેલા હતા. ઘરબાર, દુકાન પંથઘાટ બધું જ કઠણ બરફથી ઢંકાઈ ગયું હતું. એના પરથી જ આવજા ચાલતી હતી. ખબર · કાઢતાં માલમ પાકું કે ગાપાલદાનું દળ ઘણું પાછળ રહી ગયું હતું. હથોડો રસ્તો કાપ્યા ત્યાં બરફથી આચ્છાદિત હિમાલયની પટભૂમિકામાં કેદારનાથનાં મંદિરનાં દર્શન થયાં. સામે જ પથ્થરના આટલા પર, રસ્તાની ઉપર જ, પાછળ જ વિરાટ પથ્થરના સાંઢ બેઠો હતા. આંખ બરફનું તેજ સહન કરવા ટેવાઈ ગઈ હતી. હવે ખાસ કષ્ટ થતું નહોતું. આ વખતે હાથની તરફ ધારીને જોયું તા, આંગળાનાં ટેરવાં ફાટી જઈને એમાંથી લાહી વહેતું હતું. પગની ચામડી ફાટી ગઈ હતી. તે ભલે હોય. બહાર જોડા કાઢીને આ પરમ રૂપવાન મંદિરના ગાઢ અંધકારની અંદર મેં' ઝટઝટ પ્રવેશ કર્યો. અંદર કેટલાક માણસા, અર્ધગાંડા સ્રીપુરુષ કેદારનાથના વિપુલ દેહ આગળ આળોટતા હતા. કેદારનાથની મૂર્તિ નથી. કર્કશ, ખાડાવાળા મોટો એક પત્થરના ટૂકડા છે—એ ભલે હોય, પણ એને આલિંગન કરીને કોઈ હસતા હતા, કોઈ રડતા હતા, કોઈ ચિત્કાર કરતા હતા, કોઈ ગીત ગાતા હતા, કોઈ આર્તનાદ કરતા હતા, તેા કોઈ કરુણ વિનંતિ કરતા હતા. કોઈ શીર્ણવિદીર્ણ લાલલાલ મુખથી એને ચુંબન કરતા હતા. આવેગ, ઉત્તેજના, ઉલ્લાસ, આર્તસ્વર, પૂજાપાઠ, સ્તવનમંત્ર સ્નેહપ્રેમ, ભકિત અને આનંદઆમ છતાં સ્થિર અને બહેરા’ પથ્થરના ખંડ અચંચલ નીરવતાથી એમને એમ જ પડયો રહ્યો હતા. અંદર કાળા અંધકાર હતા, ને કઠણ, અસહ્ય પ્રાણને રૂધી નાંખે એવી ઠંડી હતી. પગ પસારીને ઊભા રહેવાય એમ હતું નહિ. સામે જ આ રસ્તે થાકેલું, પાગલનું દલ પોતાની જાતને ભૂલીને કોલાહલ કરતું હતું. કોણ જાણે શું મનમાં આવ્યું કે તે અંધારામાં એકવાર હું કાંઇ પણ બાલ્યા ચાલ્યા વિના ઊભો રહ્યો, પણ અંદરના અતિશય ઠંડા અંધકારમાં સ્થિર થઈને ઊભા રહેવાય એમ હતું નહિ. ઠંડીથી પ્રતિક્ષણ આખું શરીર જડ બની જતું હતું. શરીરનું લોહી થીજી જતું હતું. ગળાની અંદરથી એક ભગ્ન, આર્તનાદ નીકળતા હતા. આ બાજુ ક્ષીણ અને ઉન્મત યાત્રીઓના પ્રલાપ હતા. કેટલાંક માઢામાંથી લોહી કાઢતા હતા, કોઈ ફીણ કાઢતા હતા, એમના હાથ ને પગ પર હીમના ડંખ હતા, કોઈના શરીર પર લોહીના ડાઘ હતા, કોઈનું આખું શરીર બરફથી ઘવાયલું હતું, કોઈના સાદ બેસી ગયા હતા. આ બધું શા માટે? આવી બીભત્સ શરીરપીડા ભોગવવાની પાછળ શું રહસ્ય હતું? કઈ દુર્લભ વસ્તુ એમને મળતી હતી? મંદિરની અંદર મે ભૂતની જેમ એકલા. આમ તેમ કેટલાક આંટા માર્યા. અંદર ગાઢ અંધકાર હતા, ભયનું સ્થાન હતું, રહસ્યનું અવલંબન હતું, સેયની અણી જેટલા પણ પ્રકાશને અંદર આવવાનો કર્યાંય માર્ગ નહોતો. શું બાલું ? કેવા પ્રકારની પ્રાર્થના કર? આ જડ પત્થરપની સામે ઊભા રહીને હું મારું કંગાળપ પ્રગટ કરું? એ તા કેવી ભયાનક છે.કરવાદી કહેવાય? અર્થાત્ એકજણ રસ્તે થાકેલા સામાન્ય તીર્ઘાયાત્રી, એટલા જ કાંઈ મારો પરિચય નહોતા. હું ક્ષુદ્ર, હું નગણ્ય એ વાતનો અનુભવ હું કઈ સંકીર્ણતાથી કર્યું?આવેગથી, આનંદથી, વિશ્વાસ અને પ્રેમથી, જેમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, એવા આ માટીનો પથરો એની પાસે આવીને ઊભા રહી હું જો પોતાની જાતને અલ્પ ન માની શકું તો શું એ મારૂ અહમ છે? દેવતાની પાસે આવીને ઊભા રહેતા આપણે તે! પોતાના દેવત્વનો અનુભવ કરીએને? અંધારામાંથી પગ ઠેરવતા ઠેરવતા દરવાજામાંથી હું બહાર નીકળી ગયા. હાથ, પગ, માટુ ઠંડીથી જાણે જકડાઈ જતાં હતાં. ત્યાંથી ઉતરી મહામહેનતે જોડા શોધીને પહેર્યા. હું વેગથી ચાલવા માંડયો. હાથમાં લાઠી હતી. અને હલાવવાની હવે શકિત રહી નહોતી; જોડાને તળિયે બરફના પાપડા બાઝયા હતા, ને એમાંથી પચપચ અવાજ આવતા હતા, અંધારામાંથી બરફના અજવાળામાં ઉતરી આવતાં ફરીથી આંખો એ અજવાળું જાણે સહન કરી શકતી નહોતી, મેઢામાંથી સૂ સૂ અવાજ કાઢતો હું ધર્મશાળામાં આવ્યો. અનુવાદક : ડૉ. ચંદ્રકાંત મહેતા મૂળ બંગાળી : શ્રી. પ્રબોધકુમાર સન્યાલ, શ્રી મુબઈ જૈન યુવક સધની વાર્ષિક સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ચાલુ જૂન માસની ૧૮મી તારીખ શનિવારે સાંજના પાંચ વાગ્યે નીચે જણાવેલ સ્થળે મળશે, જે વખતે નીચે મુજબ કાર્ય હાથ ધરવામાં આવશે: (૧) ગત વર્ષના વ્યુાંત તથા સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ઓડિટ થયેલા હિસાબોને મંજૂરી આપી. 9. ૪૧ (૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું. (૩) સંઘના અધિકારીએ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી કરવી. (૪) સંઘ તથા વાંચનાલય અને પુસ્તકાલયના ઓડિટરોની નિમણુ ક કરવી. (૫) કાર્યવાહક સમિતિ દ્વારા મળેલું સંઘનું સંચેાધિત બંધારણ મંજુર કરવું. વાર્ષિક સભાના ઉપર જણાવેલા સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે. સભાસ્થળ : મસ્જીદ બંદર રોડ ઉપર આવેલા ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલસીડ્ઝ મર્ચન્ટ્સ એસસીએશનના હોલ. રમણિકલાલ મણિલાલ શાહું ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૬૬ આ ચલણશુદ્ધિના પ્રણેતા શ્રી અમ્પાસાહેબ પટવર્ધન શ્રી અમ્પાસાહેબ ઉર્ફે સીતારામ પુરુષોત્તમ પટવર્ધનને જન્મ શુદ્ધિને ક્રાંતિકારી કાર્યક્રમ જડયો છે. આ કાર્યક્રમને તેઓ પ્રભુદિગ્દર્શિત તા. ૪થી નવેમ્બર ૧૮૯૪ના રોજ, મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ગણે છે, ને તેથી બીજાં બધાં કામો ગૌણ ગણી આ કાર્યક્રમ પાછળ મંડી આવેલા આગરગુળ ગામમાં થયો હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ પડયા છે, ને બીજા સેવકો પણ એમને અનુસરે એમ ઈચ્છે છે. રત્નાગિરીમાં કરી, એમણે ઉચ્ચવિદ્યા મુંબઈની એલિફન્સ્ટન કૅલેજ- ચલણશુદ્ધિની આ ક્રાંતિકારી યોજનાને તદ્દન ટૂંકો સાર આ માંથી મેળવી. એમ. એ. થયા પહેલાં જ તેમણે પૂનાની સર પરશુરામ પ્રમાણે છે: (તે વખતે ન્યુ પૂના) કૅલેજમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે ચલણી નોટો સામાન્ય રીતે છ થી વીસ મહિના ચાલે છે. તેને નિમાયા હતા. પ્રોફેસર તરીકે એમણે લગભગ એક વર્ષ કામ કર્યું; બદલે બધા જ પ્રકારની નોટો એક વર્ષ ચાલે તેમ કરવું જોઈએ. ૧૯૧૯ ના માર્ચ આખરે એમ. એ. ની પરીક્ષા આપી. એ પછી નોટો પર વર્ષ છાપવામાં આવે અને જે તે ને તેના પર જણાવેલ તરત તેઓ ગાંધીજીએ શરૂ કરેલા રૉલેટ ઍકટ સત્યાગ્રહમાં જોડાયા. વર્ષ જ ચાલે. વર્ષ બદલાય ત્યારે નેટ પણ બદલવી જોઈએ. આ આ સત્યાગ્રહમાં જોડાયા તે પૂર્વે, આજીવન બ્રહ્મચર્યવ્રત ધારણ નાટ-બદલીની જવાબદારી સરકાર ઉપાડે ને જૂના એકસે છે રૂપિયાને કરી દેશસેવામાં જીવન સમર્પણ કરવાની પ્રતિજ્ઞા તેમણે લીધી હતી. બદલે નવા સે રૂપિયા આપવા તેમ કરવામાં આવે. આમ કરવાથી ‘સેવાધર્મકાર: સત્યાગ્રહની ચળવળ પછી તેઓ થોડાં વરસ વ્યાજખેરી લગભગ બંધ થઈ જશે ને લોકોમાં ભાઈચારો વધશે. પૈસાની વ્યકિતગત માલિકી ચાલુ રહે, પણ તેના ઉપયોગમાં સામાજિકીગાંધીજી પાસે સત્યાગ્રહાશ્રમમાં રહ્યા. ૧૯૩૧ના અંતમાં તેઓ કરણ દાખલ થાય. આમ આર્થિક અને સામાજિક સમાનતા સ્થાપી પ્રત્યક્ષા ગ્રામસેવા અર્થે એમના વતન પહોંચી ગયા. સેવાકાર્યના ગ્રામસ્વરાજ સિદ્ધ કરવાની શકિત ચલણશુદ્ધિમાં પડેલી છે. ચોવીસ વર્ષના અનુભવ પછી, ૧૯૪૯માં એમણે “સેવાધર્મ” શાસ્ત્રીય વિચાર: છેલ્લાં દસેક વરસથી એક વ્યવસ્થિત વિચાર નામે સેવાની શાસ્ત્રીય મીમાંસા કરતા ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. અનેક તરીકે રજૂ થયેલી આ યોજના ઉત્તરોત્તર વધુ સ્પષ્ટ બનતી ગઈ છે. રચનાત્મક સેવકો માટે પ્રેરણાદાયી બનેલા આ ગ્રંથની પ્રસ્તાવનાના શરૂઆતમાં એક યુટોપિયા જેવો જણાયેલો આ વિચાર હવે તો લગભગ પહેલા ફકરામાં સ્વ. કિશોરલાલ મશરૂવાળાએ ‘સેવાધર્મકારને પરિચય શાસ્ત્રશુદ્ધ સદ્ધિાંત બની ગયો છે. ચલણશુદ્ધિ વિષયક એમનાં જુદાં આ રીતે આપ્યો છે. જુદાં પુસ્તકો જેમણે વાંચ્યાં હશે તે કબૂલ કરશે કે, “જોષofમુવિરત “શ્રી અપ્પાસાહેબ પટવર્ધને બે વર્ષ સુધી પતે અંગીકાર કરેલા FTOHTIT 'Towards a new society'ui sivil sudah વ્રતનું એકનિષ્ઠાથી આચરણ કરી, અનેક પ્રકારની મુશ્કેલીઓ અને વિચાર ‘અર્થ ' અને “A plea for shrinking currency'માં કષ્ટોને મુકાબલો કરતાં કરતાં છેવટે તેમાં યશ અને પ્રતિષ્ઠા મેળવ્યાં છે. સારી રીતે વધુ સ્પષ્ટ બન્યો છે. ને હવે એપ્રિલ ૬૬ માં બહાર મૂળથી જ વિદ્યાવ્યાસંગી પરંપરામાં જન્મેલા; નાનપણથી કેળવાયેલી પડેલા “નરાશ્નિ = સત્યતર' તે આ મહાન વિચારનું સ્વાધ્યાયની ટેવ; તેમાં તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના ખાસ વિદ્વાન, એક શાસ્ત્રીય પુસ્તક ગણાશે એમાં શંકા નથી. અધ્યાપકની મનોવૃત્તિt; ઝીણી ઝીણી ચર્ચાઓ કરનાર યુવકો અને ચલણશુદ્ધિના વિચારને શાસ્ત્રીય સ્વરૂપ આપવામાં કશી અપાપંડિતની સેબતમાં નિત્ય જીવન, જેલના એકાંતવાસમાં મળેલી સાહેબને જનતાને પણ સહકાર સૌપડયો છે. તા. ૧-૯-૬૦ થી એમણે મનની અનુકુળતા અને પિતાના તેમ જ બીજાના અનુભવને કેવળ ચલણશુદ્ધિના વિચાર પ્રચાર માટે મહારાષ્ટ્રની પદયાત્રા આરંભી મનમાં ભરાયેલે ખજાને. આ બધાના પરિપાક રૂપે તેમના હાથે ત્યારથી આજ સુધી અનેક લોકો સાથે એમને ચર્ચા-વિચારણા, પોતાના સ્વકર્મના શાસ્ત્ર જેવું આ પુસ્તક લખાય એમાં આશ્ચર્ય શંકાસમાધાન અને વિચારવિનિમય કરવાના પ્રસંગે સાંપડયા છે. પામવા જેવું નથી. આ બધાના સરવાળે શ્રી અબ્બાસાહેબની શ્રદ્ધા દિનપ્રતિદિન - ભારત સફાઈ મંડળ: ભંગીમુકિતના ક્ષેત્રે શ્રી અપ્પાસાહેબે બલવત્તર બનતી ગઈ છે. આજે તેઓ એમની સમગ્ર શકિત આ ક્રાંતિકારી યોજનાના અમલ માટે ખર્ચી રહ્યા છે. એમને દાવો છે કે કરેલું પ્રદાન સૌથી આગવું છે. ગાંધી સ્મારક નિધિની ભંગીમુકિત. ચલણશુદ્ધિના અમલથી અત્યારના આપણા અનેક કોયડાઓ એકી સમિતિના તેઓ વર્ષો સુધી અધ્યક્ષ રહ્યા હતા. એમણે શોધેલું ગેપુરી સાથે મહદ્ અંશે હલ થઈ જશે. શૌચઘર અને બીજાં સફાઈ સાધનથી ભંગીમુકિત ઘણી સરળ પ્રયોગપાત્ર યોજના: ચલણશુદ્ધિની યોજના તદ્દન નવી શોધ બની છે. ભંગીમુકિત અને સામાજિક સમાનતાના ચિંતનમાંથી એમને નથી. શ્રી અબ્બાસાહેબ પૂર્વે જર્મનીના શ્રી સિલ્વીઓ ગેસેલ, લાગ્યું કે જયાં સુધી સમાજમાં ઉચ્ચ-નીચને ભેદ છે ત્યાં સુધી સ્વેચ્છાએ અમેરિકાના શ્રી રિચર્ડ ગ્રેગ, આપણા શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી સુભાષચંદ્ર બેઝ વગેરે. આ પ્રકારની યોજનાની હિમાયત કરેલી નીચા ગણાવાનું પસંદ કરનાર ને તે માટે હલકાં ગણાતાં કામે નિય છે જ. જર્મનીના બબ્બેરિયા પ્રાંતના સ્વેનષ્ફ ગામે તથા ઑસ્ટ્રેલિયાના મિત વ્રતપૂર્વક કરનાર વર્ગ ઊભો કરવો જોઈએ. આ માટે એમણે ટાયરલ પ્રાંતના વરગલ ગામે આવી યોજનાને સફળ પ્રયોગ ભારત સફાઈ મંડળની રચના કરી. રોજ નિયમપૂર્વક ઓછામાં પણ કરેલ છે. પણ ચલણશુદ્ધિની યોજના ગ્રામસ્તર કરતાં રાષ્ટ્રીય ઓછી પંદર મિનિટ સફાઈ યજ્ઞ” કરનાર “મળપતિઓના આ સ્તરે અમલમાં મૂકવી પ્રમાણમાં વધારે સરળ છે. આથી લોકોએ રસંગઠ્ઠન દ્વારા એમણે બ્રાહ્મણ-ભંગી પ્રભુસંતાન, સફાઈ-પૂજા એક આ યોજનાની અજમાયશ કરવા સરકારને તૈયાર કરવી જોઈએ. સમાન એ નારો ગૂંજતો કર્યો. શ્રી અપાસાહેબ આ માટે લોકમત તૈયાર કરી રહ્યા છે. | સર્વોદય નેતા: શ્રી અમ્પાસાહેબ ભૂદાન આંદોલનના આરંભથી મહારાષ્ટ્રમાં રત્નાગિરી, કોલાબા, થાણા, મુંબઈ જિલ્લાઓમાં અનેક તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા રહ્યા છે. “વવા જાઝ'માં સંસ્થાઓએ-ગ્રામપંચાયત, તાલુકાપંચાયત, જિલ્લાપંચાયત તથા અન્યએમણે ભૂદાનને મર્યા સમજાવ્યો છે. ૧૯૫૬માં કાંજીવરમ (મદ્રાસ ચલણશુદ્ધિની માગણી કરતા ઠરાવ કરેલા છે. હવે આ વિચાર ગુજરાતરાજય) ખાતે ભરાયેલા આઠમાં અખિલ ભારત સર્વોદય સંમેલનનું સૌરાષ્ટ્રમાં પણ ઠીક ઠીક વહેતે થયો છે ને તેથી આટલી મોટી ઉંમરે પણ અધ્યક્ષપદ એમણે શોભાવ્યું હતું. શ્રી કિશોરલાલ મશરૂવાળા અને શ્રી અમ્બાસાહેબની ગુજરાત-સૌરાષ્ટ્રયાત્રા એપ્રિલમાં ગોઠવાઈ હતી. શ્રી કૃષણદાસ જાજૂ પછી થોડાંક વરસ તેઓ ગાંધી સેવા સંઘના “મહારાષ્ટ્રના ગાંધી” શ્રી અપાસાહેબ પટવર્ધનની આ ક્રાંતિપ્રમુખ પણ રહ્યા હતા. કારી યોજનાનો આપણે સક્રિય રીતે ઊંડો અભ્યાસ કરીએ, ને તેના - ચલણશુદ્ધિ : આર્થિક સમાનતાના મહા અનિષ્ટ ત્યાજને નાબૂદ પ્રણેતાનું દીર્ઘ તથા કુશળ આયુષ્ય પ્રાર્થીઅ! કરવાના માર્ગો શોધતાં શ્રી પાસાહેબને અર્થશુદ્ધિ, મુદ્રાક્ષય યા ચલણ રામજીભાઈ મા. પટેલ A FISS A = = માલિક: શ્રી મુબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #129 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂ. ૪ T બુદ્ધ જીવને પ્રબુદ્ધ જેનનું નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૫ મુંબઈ, જુલાઈ ૧ ૧૯૯૬, શુક્રવાર * આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા પ્રકીર્ણ નોંધ ગુલબર્ગાની શરમજનક દૂર્ઘટના રહ્યા છે કે જે રાજ્ય પિતાની માંગણી ધાકધમકીઓ, તેફાને, અને મહારાષ્ટ્ર--માઈસેરના સીમાસંઘર્ષના અનુસંધાનમાં રાષ્ટ્રના એક યા બીજા પ્રકારના સીધા પગલા દ્વારા રજૂ કરે છે તેની માગણી મહાઅમાત્ય અને કૅન્ચેસપ્રમુખ તરફથી સૂચવવામાં આવેલ : કેન્દ્ર મંજૂર રાખે છે. મહારાષ્ટ્ર અને સવિશેષપણે માઈસેર જાણે કે One man commission-માત્ર એક વ્યકિતના બનેલા તપાસપંચ- આ જ દિશા તરફ ગતિ કરી રહેલ હોય એમ લાગે છે. રાજ્ય ઘણી સામે વિરોધ દાખવવાના હેતુથી તા. ૨૪-૬-૬૬ના રોજ લગભગ બાબતેમાં સ્વાધીન છે અને કેન્દ્ર ઉત્તરોત્તર નબળું પડતું જણાય ૨૫૦,૦૦૦ લોકોના ટોળાએ રાયપુર-પૂના પેસેન્જર ટ્રેનને ગુલબર્ગા છે. પરિણામે તાજેતરમાં રાજાજીએ કે મુનશીએ જણાવ્યું છે તે મુજબ, સ્ટેશન નજીકમાં બપોરના ત્રણ વાગ્યા લગભગ અટકાવીને તેમાંના રાજ્યના પ્રધાને મેગલ રાજ્યના સુબાઓ માફક જાણે કે વિચારી પેસેન્જરને લૂંટી લીધા અને આખી ટ્રેનને પારવિનાનું નુકસાન કર્યું અને વર્તી રહ્યા છે, અને સદ્ભાગ્યે તેમના હાથમાં લશ્કર નથી, પણ અને પંખા અને ઈલેકટ્રીક બલ્બ ઉખાડીને ઉપાડી ગયા–આ. જો દરેક રાજ્ય પાસે પોતાનું આગવું લશ્કર હોત તો આ સુબાઓ. દુર્ઘટના અન્યન્ત દુ:ખદ અને આખા દેશના ભાવી અંગે ભારે ચિંતા પિતાની માંગણીઓને સ્વીકાર કરાવવા માટે એકમેકના રાજ્ય નીપજાવનારી છે. રાજ્યપુનર્વ્યવસ્થા પંચે વર્ષો પહેલાં મુંબઈ રાજ્યથી ઉપર લશ્કરી ચઢાઈ કરવામાં પણ પાછા ન પડે આવી આજની મનેકર્ણાટકને છૂટુંપાડયું અને નવું માઈસર રાજ્ય ઊભું કર્યું અને માઈસેર દશા નજરે પડે છે અને જો આ વૃત્તિને કાબુમાં લાવવામાં ન આવે રાજ્યમાં કર્ણાટકને ભેળવવામાં આવ્યું. અને પરિણામે બેલગામ અને તે દેશમાં અરાજકતા ફેલાયા વિના ન રહે અને મહામહેનતે સંધાયેલું– - તેને લગતે અમુક વિભાગ માઈસરમાં દાખલ કરવામાં આવ્યો. આ નવી એકત્ર કરવામાં આવેલું–ભારત ભાંગીને ભુક્કો થઈ જાય એવી રચનામાંથી આ ઝઘડો પેદા થયો છે અને સમયના વહેવા સાથે વધારે દહેશતે દિલ અનુભવે છે. ને વધારે ઉગ્ર રૂપ ધારણ કરતે ગયો છે. મહારાષ્ટ્ર બાજુએ, સામાન્ય - પૂરક નંધ: અહિંસક સત્યાગ્રહના નામે માઈસેર રાજયના લોકોની માન્યતા છે તે મુજબ, કેંગ્રેસી સરકાર તરફથી આ આંદ પ્રજાજનોને હિંસક ભાંગફેડના રસ્તે જવાને માર્ગ ખુલ્લો કરી આપલનને ખૂબ જોર આપવામાં આવે છે અને તેમાંથી પ્રેરણા પામીને નાર માઈસર રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી એસ. નિજલિપ્પાએ, " જાતજાતના મરચા ઊભા કરવામાં આવે છે અને એ મરચાના તા. ૨૮-૬-૬૬ના રોજના સમાચાર જણાવે છે તે મુજબ, માઈસર* આગેવાને ભૂખ હડતાળ ઉપર ઊતરે છે. માઈસેરના શાસકો અને મહારાષ્ટ્ર સીમાસંઘર્ષને ઉકેલ આણવા માટે એક વ્યકિતના બનેલા કોંગ્રેસપક્ષ આ પરિસ્થિતિને પડકારરૂપ સમજે છે અને તેની સીધી કે કમિશનની નિમણુંક સામે શરૂ કરવામાં આવેલ રાજ્યવ્યાપી સન્યા'આડકતરી પ્રેરણાથી ત્યાંના લોકો વધારે આક્રમક આંદોલનના માર્ગે ગ્રહ બંધ કરવા માટે “sincerely and earnestly'–પૂરા આગળ વધી રહ્યા છે. ઉપરની ઘટના માઈસરમાં ચાલતા અને અહિંસક દિલની ભાવનાપૂર્વક-અપીલ કરી છે અને ઠંડા કલેજે જણાવે કહેવાતા આંદોલનને કુણગે છે. કેંગ્રેસની કારોબારી માટે આ એક છે કે જે આન્દોલન સુલેહશાન્તિભર્યું રહેશે એવી અપેક્ષા રાખેલી અત્યંત મુંઝવતી પરિસ્થિતિ પેદા થઈ છે. . . : તે આન્દોલને હવે જ્યારે સ્પષ્ટપણે હિંસક વલણ લીધું છે અને ગુલબર્ગાની આ દુર્ઘટના સાથે ત્યાં પ્રવર્તતા કેંગ્રેસી શાસનને એમ ચોક્કસ લાગે છે કે સમાજવિદ્રોહી તો આ અવસરને કોઈ સંબંધ જ નથી એમ માનવું મુશ્કેલ છે. એક રેલ્વે સ્ટેશન આગળ વધારે હિંસક કૃત્ય નીપજાવવામાં ઉપયોગ કરશે ત્યારે સત્યાગ્રહ ૨૫૦૦૦ જેટલું લોકોનું ટોળું એકઠું થાય એ સ્થાનિક પોલીસના પાછા ખેંચી લે એ જ વધારે યોગ્ય માર્ગ છે. હરિહર અને દેવધ્યાન બહાર બન્યું હોય એમ બની ન શકે. પોલીસે આંખ આડા કાન કર્યા નગરમાં સીમા-સત્યાગ્રહના નામે ગુંડા તત્વોએ જે પ્રકારની ગુંડાહોય તે જ આટલા બધા લોકો અમુક એક સ્થળે ચોક્કસ ઉદ્દે શપૂર્વક ગીરી કરી છે અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અખત્યાર કરી છે એકઠા થઈ શકે અને આવી રીતે બેફામ લૂંટ ચલાવી શકે. આ જે કાંઈ અને એના અનુસંધાનમાં જે કાંઈ દુર્ઘટના બની છે તે સંબંધમાં બન્યું છે તેની સીધી કે આડકતરી જવાબદારી સ્થાનિક તેમ જ પ્રાદેશિક તેમણે પોતાની અત્યન્ત નાખુશી દર્શાવી છે અને માઈસેરના લોકોને સત્તાધીશેની. લેખાવી, ઘટે . અને આ સત્તાધીશેની પ્રેરણાથી આવી પ્રવૃત્તિઓ બંધ કરવા તેથી દૂર રહેવા–તેમણે અપીલ કરી છે. અથવા ચશમપાણીથી આ ઘટના બની છે એમ પુરવાર થાય તે આવી અને જણાવ્યું છે કે જે હેતુ માટે મિત્રોએ શાન્તિપૂર્ણ આન્દોલન ઘટના 4ળ રાજવિદ્રોહી છે એમ જાહેર કરીને ત્યાંના સત્તાધીશાને સત્વર સત્તાછ કરવા જોઈએ અને ત્યાં પ્રેસિડેન્ટનું–રાષ્ટ્રપતિનું– શરૂ કર્યું હતું તે હેતુ આ રીતે સત્યાગ્રહ બંધ કરવાથી નબળે નહિ પડે * શાસન વિના વિલંબે સ્થપાવું જોઈએ. 'પણ વધારે સુદૃદ્ધ બનશે. “સત્યાગ્રહની આગ પેટાવીને આવી - દેશને આઝાદી મળ્યા પછીના આજ સુધીના ઈતિહાસમાંથી સુફિયાણી વાતે કરનાર માઈસર રાજ્યના મુખ્ય પ્રધાન વિષે શું રાજ્ય રાજયના શાસકો અને પ્રજાજનો એક એવો બોધપાઠ તારવી કહેવું કે શું વિચારવું ? ' ' Page #130 -------------------------------------------------------------------------- ________________ “, પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૬૯ આપણા લોકોની ચમત્કારઘેલછા હઠયોગી શ્રી એલ. એસ. રાવ મુંબઈ - મલાડની બાજુએ આવેલા મઢ ટાપુમાં એક આકામ ચલાવે છે. આ આશ્રમની જગ્યા ઉપર તા. ૧૨-૬-૬૬ રવિવારના રોજ હઠયોગના કેટલાક ચમત્કારિક પ્રોગે મુંબઈની જાહેર જનતા સમક્ષ રજૂ કરવાના છે એમ જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રયોગમાં એક પ્રયોગ પગ ઉપર ટટ્ટાર રહીને પાણી ઉપર ચાલવાને હતો. આ માટે આશ્રમની ભૂમિ ઉપર ૨૦ ફીટ લાંબી, ૨૦ ફીટ પહોળી અને ૪ ફીટ ઊંડી એવી પાણીની એક ટાંકી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રયોગ અંગે સારા પ્રમાણમાં જાહેરાત કરવામાં આવી હતી અને એ પ્રયોગે જોવા માટે રૂ. ૧૦૦ થી ૫૦૦ સુધીના દર રાખવામાં આવ્યા હતા, અને આટલા મોટા દર આપીને સંખ્યાબંધ સ્ત્રી-પુર આશ્રમની જગ્યા ઉપર એકઠાં થયાં હતાં. આ પ્રેક્ષક મંડળમાં મહારાષ્ટ્રની વિધાન સભાના સ્પીકર શ્રી ભારદે, વિધાન પરિષદના પમુખ શ્રી પાગે, બ્લીડ્ઝના તંત્રી શ્રી આર. કે. કરંજિયા, જાણીતા ક્રિકેટર શ્રી વિજય મરચંટ તથા મહારાષ્ટ્રના ડેપ્યુટી મિનિસ્ટર ડે. એન. એન. કૈલાસ, તથા જાણીતા ફિલ્મ'સ્ટાર રાજેન્દ્ર કુમારને પણ સમાવેશ થતો હતે. ' શરૂઆતમાં આ હઠયોગી લોઢાના ચણા ખાઈ ગયા હતા, પછી ' કાચને ગ્લાસ પાપડની માફક ચાવી ગયા હતા અને ત્યાર બાદ નાઈટ્રીક ઍસિડ કોઈ પણ માણસ જીરવી ન શકે એટલા પ્રમાણમાં તેઓ પી ગયા હતા. ત્યાર બાદ અગ્નિ ઉપર ઉઘાડા પગે ચાલવાને પ્રગ પણ તેમણે કરી બતાવ્યા હતા. પછી તેઓ ટાંકીની પાળ ઉપર ચડયા, ૧૫ મિનિટ તેમણે ધ્યાન ધર્યું અને ત્યાર બાદ પાણી ઉપર તેઓ " ચાલવા ગયા એવામાં જ પાણીની અંદર તેઓ સેંસરવા ઉતરી ગયા. આ પ્રયોગની તસવીર ઝડપી લેવા માટે કેટલાય કેમેરાવાળાઓ આવ્યા હતા, પાણી ઉપર ચાલવાના પ્રયોગની નિષ્ફળતા જોઈને ત્યાં એકઠા થયેલા લોકોના ટોળાએ બુમરાણ મચાવી મૂકેલું અને પૈસા પાછા મેળવવા માટે ધમાલ કરી મૂકી હતી, પણ આ પ્રસંગ ઉપર પેલીસની સારા પ્રમાણમાં હાજરી હતી અને આ પ્રયોગ જનારા તરફથી પૈસા પાછા આપવાની ખાત્રી આપવામાં આવી તેને લીધે લોકોને કાબુમાં રાખી શકાયા હતા. . આ નિષ્ફળતાને ખુલાસો કરતાં ગીરાજે જણાવ્યું કે તેમને આગલા દિવસે કોઈ એક નાને અકસ્માત થયું હતું અને તેને લીએ સ્વાસેચ્છવાસનું આવા પ્રયોગ માટે જરૂરી એવું નિયમન પોતે કરી શક્યા નહિ એ કારણે પિતાને આ પ્રયોગ તેઓ સફળતાપૂર્વક કરી શકયા નહોતા, પણ પંદર દિવસમાં આ પ્રયોગ ફરીને કરી બતાવવાની તેમણે ખાત્રી આપી હતી, જો કે કોઈ પ્રયોગ તેમણે હજુ સુધી ફરીથી દેખાડવાની હિંમત કરી નથી. - અલબત્ત, આવા પ્રયોગ કોઈ કરી દેખાડનાર છે એવી ખબર પડતાં તે અંગે કોઈને પણ કૌતુક થાય અને સહજપણે તેવા પ્રયો જોવાની તક મળે તો તેને લાભ લઈને પોતાના કૌતુકને તે તૃપ્ત કરે– એ તદ્દન સ્વાભાવિક છે. પણ આ પ્રાગે જોવા માટે કોની પડાપડી અને સેથી પાંચ રૂપિયા જેટલા દામ ખરચીને તે પ્રાગે જોવા પાછળની દોડાદોડ-આ બધું આપણામાં રહેલી એક પ્રકારની ચમત્યાર—ઘેલછા સૂચવે છે અને આવી ઘેલછાથી આપણા સમાજના શિષ્ટ અને માનનીય લેખાતી વ્યકિતઓ પણ મુકત નથી એ આપણે ઉપરની ઘટનામાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આવી ઘેલછામાં વિવેકને અભાવ અને વસ્તુતત્ત્વની અધુરી સમજણ નજરે પડે છે. ધારો કે આ યોગીએ પાણી ઉપર ચાલવામાં સફળતા મેળવી હેતે તે પણ તેમાં આશ્ચર્યસ્તબ્ધ બનવા જેવું કશું જ નથી. જેમ આ પ્રસંગ ઉપર રજૂ કરવામાં આવેલા બીજા પ્રૉ કેવળ હઠાગીની સાધનાનું પરિણામ હતું તેમ આ પ્રયોગ પણ હઠયોગની એક નવી શક્યતા આપણી સામે રજૂ કરત' અને આવી સફળ | પ્રક્રિયા એક નવા સંશોધનને વિષય બનત. આ બધા પ્રયોગો કેવળ ભૌતિક કારણ કાર્યના નિયમ ઉપર આધારિત હોય છે એ વાસ્તવિકતાની કદિ પણ ઉપેક્ષા કરવી ન ઘટે. પ્રસ્તુત કિસ્સાને વિચાર કરીએ તો માણસ પાણી ઉપર ચાલે એ કલ્પના આપણામાં કૌતુકે એટલા માટે પેદા કરે છે કે પાણી અને માનવશરીરને લગતી આપણી સમજણ સાથે આમ બનવું જરા પણ બંધબેસતું નથી, પણ સંભવિત છે કે શરીર રને લગતી આપણી સમજણને વટાવે એવી કોઈ શારીરિક પરિસ્થિતિ શ્વાસોચ્છવાસના અમુક નિયમનથી પેદા થઈ શકતી હોય જેની આજે આપણને સામાન્ય માનવીઓને ખબર ન હોય. દા. ત. પ્રાણાયામના અમુક પ્રોગથી માણસ જમીનથી અમુક ફીટ અદ્ધર થઈ શકે છે, તે આપણા અમુક :જ્ઞાનના કારણે જે ઘટના આજે આપણને ચમત્કારિક લાગતી હોય તે ઘટના આપણે તેને લગતું અજ્ઞાન દર થતાં ચમત્કારિક મટી જાય છે. કહેવાને સાર એટલે જ કે આવા ચમત્કારોને કોઈ આધ્યાત્મિક સાધના સાથે જરા પણ સંબંધ છે જ નહિ. આમ છતાં ભારતનું લોકમાનસ એટલું બધું ભેળું, શ્રદ્ધાપ્રિય અને ચમત્કારઘેલું છે કે તે જ્યારે આવા ચમત્કારો જુએ છે ત્યારે તે ઘેલું બની જાય છે, આવા ચમત્કાર કરતી વ્યકિતમાં ઉચ્ચ કોટિની, આધ્યાત્મિકતાનું આરોપણ કરે છે અને તેની પૂજા-ઉપાસના શરૂ કરે છે અને પછી તેની શકિતઓ વિષે લેાકોમાં જાત જાતની સાચી ખોટી માન્યતાઓ ફેલાવા લાગે છે. આનું પરિણામ અંધશ્રદ્ધા અને જાતજાતના વહેમે વધારવામાં આવે છે. ઉપર જણાવેલ ચમત્કારપ્રદર્શનમાં રહેલા આ ભયસ્થાન તરફ લોકોનું-આમપ્રજાનું-સતત ધ્યાન ખેંચતા રહેવાની જરૂર છે. : અણુવ્રતવિચારધારા: સર્વોદય વિચારધારાના સંદર્ભમાં તા. ૧-૫-૬૬ ના “ન ભારતી’માં તા. ૮-૨-૬૬ના રોજ એક | બાજુએ શ્રી રતનલાલ જોષી તથા શ્રી યજ્ઞેશ્વર દત્ત અને બીજી બાજુને આચાર્ય તુલસી વચ્ચે થયેલી ચર્ચા ગાંધીજી અને વિનોબાજીની વિચારસરણીના સંદર્ભમાં અણુવ્રતી વિચારધારાને રજૂ કરતી હોઈને વિચારપ્રેરક છે. તે ચર્ચા નીચે મુજબ છે: શ્રી યજ્ઞદત્તજીને આચાર્યશ્રીને પૂછયું: “અન્યાયની વિરુદ્ધ હિસાવર્જનમાં અણુવ્રતને દષ્ટિકોણ શું છે?” આચાર્યશ્રીએ ઉત્તર આપતાં જણાવ્યું કે “મહાવ્રતી અન્યાયને હૃદયપરિવર્તનના માધ્યમ વડે મટાડવાનો પ્રયાસ કરે છે, કિંતુ રાજનૈતિક તેમ જ સામાજિક વ્યકિત દંડવ્યવસ્થાને પણ માન્ય કરે છે. અણુવ્રતી સ્વયં કોઈને ધમકાવે નહિ કે ઈ ઉપર આક્રમણ ન કરે, કિંતુ પ્રતિકારને નિષેધ એમાં નથી. જો કે કોઈ સામે હથિયાર ઉપાડવું અને લડવું એ હિંસા છે, પણ ગૃહસ્થ પિતાના જીવનમાં આવશ્યકતાવશ બનીને યુદ્ધ કરે છે. પ્રતિકારાત્મક પ્રક્રિયાને અહિંસાને અંચળા પહેરાવો એ ભૂલ છે.” રતનલાલ જોષી: “વાસ્તવમાં આ ક્રાંતિકારી વિચારધારા છે.” - આચાર્યશ્રી : “પૂર્ણ આદર્શ માત્ર વ્યકિત જ બની શકે છે, રાષ્ટ્ર નહિ.” યજ્ઞદરા : “ચીનના આક્રમણ પ્રસંગે સર્વોદયવાળાઓએ શાંતિસેના મેકલવાને પ્રસ્તાવ કરેલ. આપને આ બાબતમાં શું વિચાર છે?” આચાર્યશ્રી: “રાષ્ટ્રમાં સેના ન હોય એવી સર્વોદયની માન્યતા હોઈ શકે છે, પણ અણુવ્રત વ્યવહારની ભૂમિકા ઉપર ચાલે છે.” રતનલાલ જોશી : “સર્વોદય શાસનવિહીન સમાજની કલ્પના કરે છે અને અણુવ્રત વ્યવસ્થાપ્રધાન સમાજની કલ્પના કરે છે.” યજ્ઞદર: “આપ આચારપ્રેરણા દેવાવાળા છે, પણ આ * સીડીઓ અમારાથી એટલી દૂર છે કે અમે તે ઉપર ચાલી શકતા નથી. આમ હોવાથી હું એમ વિચારું છું કે જનસમાજને સાથે રાખવા માટે પ્રેરક બને એવાં એક બે પગલાં રજૂ કરવામાં આવે તે વધારે સારું.” • આચાર્યશ્રી : “મહાવ્રત આખા સમાજ માટે નથી, વ્યકિત માટે જ છે. લાખોમાં એક બે જણ એને સ્વીકાર કરે છે. અમે પગે Page #131 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૭-૧૬ ચાલીએ છીએ અને એ રીતે પ્રવાસ કરીએ છીએ, પણ આખા સમાજ પગપાળા ચાલી ન જ શકે. અમારો આદર્શ કેવળ પ્રેરક રૂપમાં છે. અમે અણુવ્રતના માધ્યમથી એક એવી શ્રેણી કાયમ કરવા માંગીએ છીએ કે જે સમાજમાં રહેતા હોવા છતાં શુદ્ધ હોય. એ સાધુ અને ગૃહસ્થા વચ્ચે એક કડીનું કામ કરશે. આવી કેટલીક વ્યકિતઓ તૈયાર પણ થઈ છે.’ ,, યજ્ઞદત્ત : “ અહિંસા સંબંધી આપના વિચાર બહુ જ ઉપયોગી છે. તેને વ્યાપક પ્રચાર થવા જોઈએ. " પ્રમુખ જીવન રતનલાલ જોશી : રૂઢિગત પરંપરાઓને બદલવાનું આપે જેસાહસ કર્યું છે તે અજોડ છે.” આજ સુધી, અણુવ્રત આંદોલન સામાન્ય જનતાની નૈતિક શુદ્ધિને અનુલક્ષીને અને તત્પુરનું સીમિત રાખીંને ચલાવવામાં આવતું હતું. ઉપર આપેલી ચર્ચા એમ દર્શાવે છે કે આચાર્ય તુલસી હવે આવ્રત આંદોલનદ્વારા વધારે વ્યાપક પ્રશ્નો અને સમસ્યાઓને સ્પર્શવા ઈચ્છે છે. આ નવા પ્રસ્થાન માટે આચાર્ય તુલસીને ધન્યવાદ ઘટે છે, કારણ કે અણુવ્રત–વિચાર સમગ્રને ન સ્પર્શે ત્યાં સુધી અધુરો જ રહેવાના હતા. આચાર્યશ્રીએ ઉપરના વિચારો દર્શાવીને સમગ્રને સ્પર્શવાના પ્રયત્ન હાથ ધર્યો છે. આચાર્યશ્રીએ પેાતાના વિચારો ગાંધીજી અને વિનોબાજીના નામ સાથે જોડાયલી સર્વોદય અને પ્રતિકારલક્ષી વિચારધારાને લક્ષમાં રાખીને રજૂ કર્યા છે. તો આ વિચાર પ્રસ્તુત વિચારધારાથી ક્યાં જુદા પડે છે તેની તારવણી કરવામાં આવે તો તે બન્ને સમજવામાં ઉપયાગી થશે. આ તારવણી નીચે મુજબ છે: (૧) અન્યાયને હૃદયપરિવર્તનના માધ્યમ દ્વારા મટાડવાનું કામ મહાવ્રતીનું છે. અણુવ્રતીની ક્ષમતાની બહારનું છે અને તેથી અણુવ્રતી દંડાવ્યવસ્થાના સ્વીકાર કરે છે, આદર કરે છે. બીજી બાજુએ સર્વોદયવાદી દંડવ્યવસ્થાનું અવલંબન ન લેતાં જાત ઉપર કષ્ટ નાતરીને સામી વ્યકિતના હૃદયપરિવર્તનની અપેક્ષાપૂર્વક અન્યાયના પ્રતિકાર કરે છે. (૨) અણુવ્રતી આવશ્યકતાવશ યુદ્ધ સ્વીકારે છે; સર્વોદયવાદી કોઈ પણ સંયોગમાં યુદ્ધનું સમર્થન કરી શકતો નથી. (૩) અણુવ્રતી આક્રમણ નહિ કરે, પણ જરૂર પડયે પ્રતિકાર કરી શકે છે. પ્રતિકાર અંગે હિંસાત્મક અને અહિંસાત્મક એવા ભેદને તે સ્વીકારતા નથી. તે પ્રતિકારમાત્રને હિંસાત્મક લેખે છે. (૪) રાષ્ટ્રમાં સેના ન હોય એવી સર્વોદયવાદીની ભાવના છે. અણુવ્રતી વ્યવહારની ભૂમિકા ઉપર ચાલે છે એટલે તે હંમેશાને માટે સેનાને આવશ્યક ગણે છે. (૫) સર્વોદયવાદી શાસનવિહીન સમાજનું સ્વપ્નું સેવે છે; અણુવ્રતી વ્યવસ્થાપ્રધાન એટલે શાસનયુકત સમાજની જ કલ્પના કરે છે. આ વિચારભેદ અથવા તો દષ્ટિભેદની ચર્ચા-આલોચના કરવાની જરૂર નથી. એક જૈનાચાર્ય આવા વ્યાપક પ્રશ્ન ઉપર ગંભીરપણે વિચાર કરતા થાય અને ગમે તેવી અધિકૃત વ્યકિતથી પોતે જ્યાં જ્યાં જુદા પડતા હોય ત્યાં ત્યાં જાહેર રીતે જુદો અભિપ્રાય રજૂ કરવાની હિંમત કરે એ સ્વત: અભિનન્દનીય અને આવકારપાત્ર છે. આપણે આશા રાખીએ કે આચાર્ય તુલસીનું ચિંતન આજની સર્વોદય વિચારધારાને સવિશેષ પૂરક તેમ જ પ્રેરક બનતું રહે. લાઉડ–સ્પીકરનો ઉપયોગ અને આચાર્ય તુલસી તા. ૧-૫-૬૬ના ‘જૈન ભારતી’માં તા. ૮-૨-’૬૬ ના રોજ શ્રી જયપ્રકાશ નારાયણ અને આચાર્ય તુલસી વચ્ચે ધ્વનિવર્ધક યંત્રલાઉડ સ્પિકર—ના ઉપયોગ સંબંધે થયેલી ચર્ચા અમુક રીતે ખાસ ધ્યાન ખેંચે તેવી હોઈને અહીં ઉદ્ભુત કરવાનું મન થાય છે. આ ચર્ચા નીચે મુજબ છે : વાર્તાપ્રસંગ દરમિયાન શ્રી જયપ્રકાશ નારાયણે આચાર્યશ્રીને પૂછ્યું : “ આપની પાસે હજારો લોકો આપને સાંભળવા આવે છે. h ૪૫ લાઉડસ્પીકર વિના એ લોકો આપને બરોબર સાંભળી શકતા નથી. આપ લાઉડસ્પીકરમાં શા માટે બોલતા નથી? એનું શું કારણ છે?” આચાર્યશ્રીએ જવાબ આપ્યો: “લાઉડસ્પીકરમાં નહિ બોલવાનું કારણ એ છે કે અમે આજ સુધી વીજળીના ઉપયોગ કર્યો નથી અને લાઉડસ્પીકરમાં વીજળીના ઉપયોગ થાય છે. એક વિચારધારા ' પ્રમાણે વીજળી અગ્નિ છે, પણ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે કે તે અગ્નિ નથી; તે તો કેવળ એક શકિત છે. તેનું પ્રમાણ આપતાં તેઓ જણાવે છે કે અગ્નિ વાયુના અભાવમાં ટકી શકતો નથી, જ્યારે વીજળી વાયુના અભાવમાં ટકી શકે છે. આને પૂરતું પ્રમાણ માનીને જો અમે વીજળીને અગ્નિ ન માનીએ તે પણ એક લાંબી પરંપરાને એકાએક બદલવાનું ઘણું કઠણ છે. જે ધર્મસંઘમાં લાખો અનુયાયીઓ હોય ત્યાં કોઈ પણ નિર્ણય લેતી વખતે જનમાનસનું ધ્યાન રાખવું આવશ્યક બની જાય છે. જયપ્રકાશ નારાયણે કહ્યું : “ઠીક છે, હવે મારી સમજમાં આવી ગયું. જનતાને સાથમાં લઈને જ કોઈ ક્રાંતિ કરી શકાય છે. આપની પાસે સાધુઓની એક તેજસ્વી શકિત છે. મને પૂરો વિશ્વાસ છે કે આપના પ્રયત્નોનું બહુ જલ્દિી સારૂં ફળ આવશે. Jy લાઉડસ્પીકરના ઉપયોગ - અનુપયોગ સંબંધમાં આચાર્ય તુલસીએ આપેલ જવાબમાં એક પ્રકારની કુશળતા રહેલી છે. આજે લાઉડસ્પીકરનો પોતાનાં પ્રવચન દરમિયાન ઉપયોગ કરવા માટે ચોતરફથી તેમના ઉપર ખૂબ દબાણ થઈ રહ્યું છે; આજના સમયમાં તેની ઉપયોગીતાના—અનિવાર્યતાના—તેમનાથી ઈનકાર થઈ શકે તેમ નથી, અને એમ છતાં, જો તેઓ લાઉડસ્પીકરના ઉપયોગ કરે તેા એની પોતાના આનુયાયી વર્ગ ઉપર ઘણી મોટી પ્રતિકૂળ અસર પડે એવા ભય તેએ સેવે છે. વસ્તુસ્થિતિ આવી હાઈને તેમણે જે જવાબ આપ્યો છે તે એવા દ્વિમુખી છે કે, જયારે પણ તેઓ આ બાબતમાં પલટવા માગે ત્યારે પ્રસ્તુત જવાબના આધારે તેએ સહજમાં પલટી શકે છે. આજ સુધીમાં આચાર્ય તુલસીએ એટલાં બધાં નવાં પ્રસ્થાન કર્યા છે અને તે પાછળ કોઈ શાસ્ત્રવિહિતતા કે પર પરાવિહિતના નથી પણ કેવળ લાભાલાભની—ોયઅકોયની—જ સમયલક્ષી દષ્ટિ રહેલી છે કે જેના જીવનમાં પ્રચારકાર્ય એક મહત્વનું અંગ છે તેવા એક ધર્માચાર્ય માટે આજે અનિવાર્ય બનેલા એવા લાઉડસ્પીકરનું અવલંબન લેતાં તેઓ શા માટે અચકાય છે તે સમજાતું નથી. આજે તેમનું એક એવું સ્થાન છે કે જે સ્થાનનું મહત્ત્વ અને અમુક અંશે અદ્રિતીયતા લક્ષમાં લેતાં તેમણે પોતાના હજારોની સંખ્યા ધરાવતા અનુયાયીઆને આ કે અન્ય કોઈ બાબતમાં સ્પષ્ટ દોરવણી આપવાની રહે છે, અને નહિ કે તેમનાથી તેમણે બીતા અને દોરવાતા રહેવું ઘટે છે. દરેક બાબતમાં પેાતાના અનુયાયીઓ શું ધારશે એવા જ માપદ ડથી જો પ્રમુખ ધર્માચાર્ય બાલવા ચાલવા તથા વર્તવાનું હોય તેા પછી તેમના હાથે કોઈ મહત્ત્વના અભિકમની–પાયાની ક્રાન્તિની આશા જ શી રીતે રાખી શકાય? આચાર્યશ્રીની ઉપરોકત દલીલને સામના કરવાને બદલે જયપ્રકાશજી તેમની દલીલને જાણે કે સ્વીકાર કરતા હોય એવા તેમના જવાબ છે. આ જોઈને ભારે આશ્ચર્ય થાય છે. કારણ કે તેમની સમગ્ર જીવનનીતિ અને પદ્ધતિ તે સમુદાય સાથે અથડાતા રહીને સ્પષ્ટ વાતા કહેવા સંભળાવવાની રહી છે. સંભવ છે કે આવી બાબતમાં આચાર્યશ્રી સાથે વાદવિવાદ કરવાનું તેમને ઠીક લાગ્યું ન હોય.. બાકી તો તેમના જવાબમાં આવા ઔપચારિક વિનય સિવાય બીજું કશું દેખાતું નથી. કારણકે આચાર્યશ્રીની વિચારણા મુજબ જયપ્રકાશજી પણ આજ સુધી ચાલ્યા હોત તે જયપ્રકાશજી જયપ્રકાશ નારાયણ જ ન હાત. લાઉડસ્પીકરના ઉપયોગ સંબંધમાં આચાર્યશ્રીએ જે વૈજ્ઞાનિક ખુલાસા રજૂ કર્યો છે તે તર્કસંગત લાગતે નથી. તેમણે એમ સૂચવ્યું છે કે અગ્નિ વાયુના અભાવમાં ટકી શકતા નથી અને વીજળી વાયુના અભાવમાં ટકી શકે છે, તેથી વીજળી અગ્નિ નથી, પણ એક શકિત છે અને તે રીતે વિચારતા લાઉડસ્પીકરનો ઉપયોગ વાંધાજનક Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૧૬ રહેતો નથી. આ દલીલને કોઈ એમ જવાબ આપી શકે છે કે અગ્નિને વાયુ સાથે અવિનાભાવ સંબંધ માની લે એ બરોબર નથી, કારણ કે ઈલેકટ્રીક લાઈટ એક પ્રકારને અગ્નિ જ છે અને એમ છતાં તેને ટકવામાં વાયુની કોઈ જરૂર રહેતી નથી. પણ આ વૈજ્ઞાનિક ચર્ચામાં આપણે ન ઉતરીએ. અહિ એટલું જ જણાવવું પૂરતું છે કે, આ રીતે વિચારીને પણ આચાર્ય તુલસી ધ્વનિવર્ધક યંત્રને ઉપયોગ શરૂ કરે અને એ રીતે એમના તેજસ્વી સાધુસાધ્વી વૃંદ માટે લાઉડસ્પીકરના ઉપયોગને માર્ગ મોકળે કરે એ અત્યન્ન આવશ્યક છે. તેમનું જીવન પ્રચારલક્ષી છે; વિચારપ્રચાર તેમના જીવનને મુખ્ય વ્યવસાય છે અને આ માટે સીધી કે આડકતરો તારટપાલને પૂરો ઉપયોગ, મુદ્રણ પ્રકાશન અને તરેહતરેહના સમારોહનાં આયોજન તેઓ કરી રહ્યાં છે. આ પરિસ્થિતિ સાથે લાઉડસ્પીકરને ઉપયોગ કરવાનો ઈનકાર કોઈ પણ રીતે બંધબેસતો નથી. અને આ પગલું ભરતાં તેમને અનુયાયી વર્ગ વિરોધ કરશે એમ માની લેવાને કશું જ કારણ નથી. ઉલટું તેઓ તો આ નવા પ્રસ્થાનને આવકારે એ વધારે સંભવિત છે. હું સમજો છું ત્યાં સુધી તેમને સાધુસાધ્વીવૃંદ પણ આ ને ઝંખી રહ્યો છે. તો આ ધ્વનિવર્ધક યંત્રને અપનાવવામાં તેઓ હવે જરા પણ વિલંબ ન કરે એવી તેમને પ્રાર્થના છે. ‘ત્રિભુવન તિલક: ભગવાન મહાવીર ચરિત્ર' આ એક મહાકાવ્ય છે અને તેના રચયિતા શ્રી હીરાચંદ ક. ઝવેરી છે. આ મહાકાવ્ય ૨૪ સર્ગોમાં વહેંચાયેલું છે અને તેમાં ભગવાન મહાવીરના ગર્ભધારણથી માંડીને નિર્વાણ સુધીની જીવનકથા આલેખવાનો પ્રયત્ન છે. આ મહાકાવ્યની આલોચના કરવા પહેલાં કાવ્ય-રચયિતાને થોડે પરિચય આપવો જરૂરી છે. ભાઈ હીરાચંદભાઈ સૂરતના વતની છે. વ્યાપારઉદ્યોગના કારણે તેઓ વર્ષોથી મુંબઈમાં વસે છે. આજે તેમની ઉમ્મર ૬૫ વર્ષની છે. તેમનું ભણતર મેટ્રિક સુધીનું છે. સંયેગવશાત્ તેઓ ભણતરમાં આગળ વધી ન શક્યા. પણ જીવનના પ્રારંભથી સાહિત્ય તરફ તેમનું ખૂબ જ વલણ રહ્યું છે. સંસ્કૃત સાહિત્યના તેઓ સારા અભ્યાસી છે; જૈન ધર્મનું પણ તેમણે ઊંડું અધ્યયન કર્યું છે. આશરે ૪૦ વર્ષ પહેલાં પ્રીન્સીપાલ એફ. ડબલ્યુ. બેઈનની એક નવલિકાને ગુજરાતી અનુવાદ. મારા જોવામાં આવેલ. આ અનુવાદ કરનારનું નામ હતું શ્રી હીરાચંદ ઝવેરી. ભારતીય સંસ્કૃતિને પચાવનાર અને અપનાવનાર પ્રીન્સીપાલ બેઈનની આ નવલિકા અનુવાદ કરવા પ્રેરાય એવા આ હીરાચંદ ઝવેરી કોણ હશે તેનું તે વખતે મને ભારે કુતુહલ થયેલું, પણ એ દિવસોમાં તેમની સાથે કોઈ સંપર્ક સધાયલ નહિ. હમણાં ખબર પડી કે તેમણે ૧૯૨૩-૨૪ આસપાસના સમયમાં પ્ર, બેઈનની એક નવલિકા નહિ પણ પાંચ નવલિકાના અનુવાદ કર્યા હતા–જેનાં નામ છે સંસારસ્વપ્ન, મૃગજળ, જગન્માદિની, નટરાજ, નાગકન્યા. આજથી ૧૬ પુત્રી કુ. ઈદુકલાબહેન એમ. એ.ની પરીક્ષા પસાર કરીને પોતાના પી. એચ. ડી.ના અભ્યાસ માટે ૧૯૫૧માં તેમના પિતાશ્રી સાથે અમદાવાદ ગયા અને પંડિત સુખલાલજી સાથે રહેવા લાગ્યા, 'એ જ અરસામાં અમદાવાદ ખાતે પંડિતજીને મળવા જવાનું બનતાં બહેન ઈન્દુકલાને અને તેના અનુસંધાનમાં તેમના પિતા હીરાચંદભાઈને પરિચય થયો, અને તેમના સાહિત્ય-શેખ અને જ્ઞાનપાસનાની જાણકારી થતાં મારા દિલમાં તેમના વિશે ઊંડો આદર પેદા થયો. ઈન્દુકલાબહેન તો પછી ૧૯૫૩ની સાલમાં બહુ યશસ્વી રીતે પી. એચ. ડી. થયાં અને અમદાવાદની હ. કા. આર્ટસ કોલેજમાં અધ્યાપિકા તરીકે જોડાયાં, પણ હીરાચંદભાઈ તે મુંબઈમાં રહેતા હોવાથી તેમને અવારનવાર મળવાનું ચાલુ રહ્યું. તેમણે ૧૯૫૧ની સાલમાં ઓમર ખય્યામની રુબાયતનું ‘મયખાનું એ નામથી ભાષાન્તર કર્યું છે અને એ પુસ્તકાકારે પ્રગટ થયું છે. આ ભાષાન્તર મારા વાંચવામાં આવ્યું અને એ ભાષાન્તર મૂળની છાયાને બહુ સુન્દર રીતે પ્રતિબિબિત કરે છે એવી મારા મન ઉપર છાપ પડી. આ જ પ્રમાણે એ વર્ષો દરમિયાન તેમણે “મેઘદૂત'નું પણ ભાષાન્તર કર્યું હતું, જે બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થઈ ચૂકયું છે. આ ‘ત્રિભુવન તિલક' મહાકાવ્ય રચવાને હીરાચંદલાઈએ ૧૯૨૫-૨૬ આસપાસ પ્રારંભ કરેલે, પણ એકાદ સર્ણ લખાયા બાંદ અધુરૂં રહેલું. પાંચ સાત વર્ષ બાદ વળી તેમણે આ કામ હાથમાં લીધું અને નવ સર્ગ સુધી પહોંચાડયું. વળી પાછો લાંબા ગાળે પડયો. વ્યાપારક્ષેત્રે તેમજ કૌટુંબિક ક્ષેત્રે તેમણે ઘણી લીલી-સુકી જોઈ છે, અને તેથી ચિત્તની સ્વસ્થતા અને એકાગ્રતાની અપેક્ષા ધરાવતા આવા કાર્યને પૂર કરવામાં ખાંચા પડ્યા કરે તે સ્વાભાવિક છે. તેમનો યુવાન પુત્ર ભાઈ રજનીકાન્ત ની ૧૯૪૮માં માંદગી શરૂ થઈ અને હવાફેર માટે તેને નાસિક લઈ જવો પડે અને લગભગ એક વર્ષ હીરાચંદભાઈને તેની સાથે નાસિક રહેવું પડયું તે દરમિયાન આ કાર્ય તેમણે પૂરું કર્યું. સમાન્તરે ૧૯૫૩ની સાલમાં તાજેતરમાં જેણે સેલીસીટરની પરીક્ષા પસાર કરી હતી તે ભાઈ રજનીકાન્તનું લાંબી માંદગીના પરિણામે અવસાન થયું અને આ ઘટના હીરાચંદભાઈ માટે ભારે મર્મદાકારક બની. ઉપર જણાવ્યા મુજબ પૂર્ણાહુતિને પામેલાં મહાકાવ્યનું તેઓ પઠન પાઠન કરતા રહ્યા, તેમાં પારવિનાના સુધારાવધારા કરતા રહ્યા, અને એ રીતે આખું કાવ્ય તેમણે ફરી ફરીને ચાર વાર લખ્યું. કેટલાક સર્ગ આમૂલ છંદ બદલીને તેમણે નવા જ લખ્યા. આમ વર્ષોભરના મઠારણના પરિણામે આ મહાકાવ્યની પ્રકાશન-મોગ્યતા અંગે તેમને જ્યારે પૂરો સંતોષ થયો ત્યારે જ તેમણે આ મહાકવ્યને છપાવવાનું કાર્ય હાથમાં લીધું. આ રીતે તૈયાર થયેલું મહાકાવ્ય આજે આપણને પુસ્તક રૂપે પ્રાપ્ત થવા પામ્યું છે. - વ્યાપાર અને ઉદ્યોગ સાથે યૌવનના પ્રારંભથી આજ સુધી જોડાયેલી એવી એક વ્યકિત આવું. એક મહાકાવ્ય નિર્માણ કરી શકે રએ આ કૃતિની ભારે વિસ્મયકારક વિશેષતા છે. આ છે એક આડપ્રવૃત્તિ તરીકે હીરાચંદભાઈની કાવ્ય અને સાહિત્ય પ્રત્યેની સતત અભિમુખતાનું, અખંડ જ્ઞાનપાસનાનું અને ભગવાન મહાવીર વિના અનવરત ચિન્તન અને ટણનું પરિણામ. આ ઉપરાંત તેમના હાથે લખાયેલું પણ મોટા ભાગે અપ્રગટ એવું સાહિત્ય ઠીક પ્રમાણમાં એકઠું થયું છે. આ ‘ત્રિભુવન તિલક મહાકાવ્ય પ્રગટ થયા પહેલાં તેને એક સર્ગ દોઢ પોણાબે વર્ષ પહેલાં ઉજવાયલી પ્રબુદ્ધ જીવનની રજતજ્યન્તીને લગતા વિશેષ અંકમાં પ્રગટ થઈ ચૂકી છે. તેથી પ્રબુદ્ધ જીવનના વાચકો તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આ મહાકાવ્યથી સાવ અપરિચિત નથી. આ કાવ્યમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની માન્યતાને પૂર્ણપણે વફાદાર એવું ભગવાન મહાવીરના ચરિત્રનું નિરૂપણ કરવડમાં આવ્યું છે. હીરાચંદભાઈએ સંસ્કૃત સાહિત્ય બહોળા પ્રમાણમાં વાંચ્યું છે. તેનું પરિણામ એ આવ્યું છે કે સહજ-સુબોધ નહિ એવા સંસ્કૃત શબ્દોને આ રચનામાં ઠીક પ્રમાણમાં ઉપયોગ થયો , છે અને તેથી કોઈ કોઈ ઠેકાણે સામાન્ય વાચકને આ કાવ્ય વાંચતાં દુર્બોધતાને અનુભવ થવા સંભવ છે. :ણ જેઓ સંસ્કૃત કાવ્યસાહિત્યથી પરિચિત છે તેમના માટે આ મહાકાવ્યનું વાચન અત્યન્ત પ્રેરક અને આનંદપ્રદ નીવડવા સંભવ છે. રચયિતા હીરાચંદભાઈ ભગવાન મહાવીર પ્રત્યેના ઊંડા ભકિતભાવથી પ્રેરિત અને પ્રભાવિત છે અને તેને ઉલ્લાસ : કાવ્યમાં જ્યાં ત્યાં અનુભવગોચર થાય છે. જાણે કે રઘુવંશ કે કમારસંભવ વાંચતા હોઈએ એવો અનિંદઉન્મેષ ૨૫ કાવ્યની વાંચનદ્વારા આપણે અનુભવીએ છીએ. કેટલાક ઠેકાણે કાવ્યધારા જળધારાની માફક સરળપણે વહી જતી લાગે છે. ગુજરાતી ભાષામાં ભગવાન મહાવીરના ચરિત્ર ઉપર રચાયલું એવું અન્ય મહાકાવ્ય મારા જોવામાં આવ્યું નથી. ગદ્ય કરતાં પદ્યને ભાવ ગ્રહણ કર હંમેશા વધારે મુશ્કેલ છે, તેથી જે કોઈ આ મહાકાવ્ય ધીરજથી વાંચશે અને તેનું અવારનવાર પુનરાવર્તન કરશે તે આ મહાકાવ્યની ગેયતાને ઉત્કટપણે માણી શકશે. ભગવાન મહાવીરના ભવ્ય ચરિત્રને આ રીતે કાવ્યમાં ઉતારવા માટે શ્રી હીરાચંદભાઈને અનેક ધન્યવાદ ઘટે છે. મહાવીર પ્રત્યે ભકિતભાવ આદર ધરાવતા સર્વ કોઈને આ મહાકાવ્યનું પારાયણ કરવા અને બને તે વસાવવા આગ્રહપૂર્વક અનુરોધ છે. આ મસ્તકને ઉઠાવ તથા મદ્રણ સુન્દર અને આકર્ષક છે. આ પુસ્તકની કિંમત રૂા. ૭-૫૦ છે અને મેસર્સ એન. એમ. ત્રિપાઠીને ત્યાંથી મળી શકે તેમ છે. "પરમાનંદ Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો વાર્ષિક વૃત્તાંત-ઈ. સ. ૧૯૬૫ પુસ્તકો પણ ઉમેરવા ૮૬-૫૭નાં નવાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ગત વર્ષને વૃત્તાંત રજુ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. સંઘ ઈ. સ. ૧૯૬૬ ના પ્રારંભ સાથે ૩૮મા વર્ષમાં પ્રવેશી ચૂકેલ છે. આપણે સંઘ ૩૭ વરસથી એકયકત વાર ના વાત નથી, બલ્ક ગૌરવ- યુકત વાત છે. આપણે સંઘ શહેરની અન્ય ઘણી સંસ્થાના પ્રમાણમાં નાને હશેએનું ભંડોળ ઓછું હશે, એની પ્રવૃત્તિ મર્યાદિત હશે, પણ એ તે જેમ સાગરને એની વિશિષ્ટતા છે, તો ખળખળ વહેતા મધુર ઝરણાંને પણ એની કોઈ અનેખી વિશિ તા છે તેના જેવું છે. અને સંઘને જ્યારે જયારે વાર્ષિક વૃત્તાંત લખાય છે ત્યારે સંધના પાયા જેમણે ઊંડા નાંખ્યા છે તેવા સદ્ગત શ્રી મણિભાઈનું સ્મરણ હંમેશ થાય છે. તેમણે પેટાવેલી જ્ઞાનની જયોત, તેમણે પ્રસરાવેલી સેવાની સુવાસ, અમારી અપશકિત વડે પણ જારી રાખવાને યત્કિંચિત પ્રયત્ન અમે ગત વર્ષ દરમિયાન કર્યો છે. આમ છતાં ગત વર્ષની પ્રવૃત્તિ બધી રીતે સંતોષકારક અમે કહી શકતા નથી–કારણ, પ્રવાસ-પરિભ્રમણ, જે સંધની હંમેશા આકર્ષક પ્રવૃત્તિ રહી છે, તે ગત વર્ષ દરમિયાન અમે બીલકુલ કરી શક્યા નથી. આથી થોડા સંકોચ સાથે અમે આ વૃત્તાંત આપની સમક્ષ રજુ કરીએ છીએ. આ વૃત્તાંત કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૨૬-૬-૬૫ ના રોજ મળી ત્યારથી આજ સુધી એટલે કે તા. ૧૮-૮-૬૬ સુધીને છે, જયારે વહીવટી દષ્ટિએ ૧લી જાન્યુઆરી ૧૯૬૫ થી ૩૧ ડીસેમ્બર ૧૯૬૫ સુધી છે. પ્રબુદ્ધ જીવન” ગત વર્ષ દરમિયાન સંઘની વિવિધ પ્રવૃત્તિઓ, પર્યટન- પ્રવાસ સિવાય એકસરખી ચાલુ રહી છે. સંઘનું ગૌરવવનું મુખપત્ર પ્રબુદ્ધ જીવન વધુ ને વધુ લોકચાહના મેળવતું થયું છે અને એમાં પ્રગટ થતાં લખાણે કોઈ એક સંપ્રદાય કે પક્ષના પ્રચારક ન રહેતાં સમાજને સત્યમ્ શિવમ --સુન્દરમ્-અભિમુખ કરે તેવા હૃદયસ્પર્શી રહ્યાં છે. પ્રબુદ્ધ જીવન ચલાવવા પાછળ સંધની એક ઉચ્ચ અને આદર્શ દષ્ટિ રહી છે, એટલે જ પ્રબુદ્ધ જીવન એક પ્રાણવાન પત્ર તરીકે પત્રકારત્વની દુનિયામાં પંકાયું છે અને વિશાળ સમાજનાં વિવિધ ક્ષેત્રે કામ કરતા અનેક ભાઈ બહેનની શુભેચ્છા આ પત્રને મળતી રહે છે. વળી પ્રબુદ્ધ જીવનને જાહેરખબર લઈ નીચી • કક્ષા ઉપર લઈ જવાને અમે કદિ વિચાર કર્યો નથી, એટલે સ્વાભાવિક છે કે, સંઘને પ્રબુદ્ધ જીવનની આર્થિક ખોટ સારી એવી આવે. આમ પ્રબુદ્ધ જીવનને પક્ષે આર્થિક ચિંતા હંમેશની છે જ, ગત વર્ષ દરમિયાન પણ પ્રબુદ્ધ જીવનને રૂ. ૪૩૪૦-૬૦ ની આવક થઈ છે, જ્યારે રૂ. ૮૨૬૫-૦૯ નો ખર્ચ થયે છે, પરિણામે રૂા. ૩૯૨૪-૪૯ ની ખોટ આવેલ છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી ભેટના રૂા. ૧૫૦૦-૦૦. મળે છે તે જો ન ગણીએ તે ખોટ રૂા. ૫૪૨૪-૪૯ ની ગણાય. પ્રબુદ્ધ જીવન મૌલિક ચિન્તનપ્રેરક પત્ર તરીકે આગવું સ્થાન ધરાવે છે અને એ માટે બધો જ યશ પ્રબુદ્ધ જીવનના તંત્રી અને સંપાદક શ્રી પરમાનંદભાઈને જાય છે. પરમાનંદભાઈ પછી પ્રબુદ્ધ જીવનનું શું? આ પ્રશ્ન ફકત અમને જ નહિ પણ પંડિત સુખલાલજી અને કાકાસાહેબ કાલેલકર જેવાને પણ થાય છે. પણ ૧૯૬૪ના નવેમ્બરમાં જ્યારે આ પત્રની રજતજયંતી ઉજવાઈ ત્યારે પરમાનંદભાઈ પછી પ્રબુદ્ધ જીવનને વારસે સંધના ગૌરવસમા શ્રી ચીમનલાલ ચકુભાઈ સંભાળશે એવું પંડિત સુખલાલજીએ સૂચન કર્યું ત્યારે તાળીઓના ગડગડાટથી એ સૂચનને વધાવી લેવામાં આવ્યું હતું. શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય શ્રી મુંબઈ જન યુવક સંધ હસ્તક ચાલતું આ વાચનાલય અને પુસ્તકાલય મધ્યમવર્ગનાં ભાઈબહેનો અને બાળકો માટે એક આશીર્વાદરૂપ રહ્યું છે. આ જ્ઞાનપરબને અનેક ભાઈબહેને લાભ ઉઠાવે છે. પુસ્તકાલયને લાભ લેનારની સંખ્યા ૩૫૦ આસપાસની રહી છે, જ્યારે વાચનાલયને સવારસાંજ મળીને લગભગ ૧૨૫ ભાઈએ લાભ લે છે. અહિં કુલ્લે ૧૦૩ સામચિકે આવે છે. ગત વર્ષ દરમિયાન રૂ. ૭૮૬-૫૭નાં નવાં પુસ્તકો પણ ઉમેરવામાં આવ્યા છે. પુસ્તકાલયમાં એક ગાંધીસાહિત્યના વિભાગ પણ ઊભો કર્યો છે. પુસ્તકાલયને એક આદર્શ પુસ્તકાલય બનાવવાનું સ્વપ્ન છે, પણ એને વિકાસ જોઈએ એવો થતા નથી, કારણ જગ્યાને પહોળી કેમ કરવી? જગ્યા તે જે હતી વર્ષો પહેલાં તે જ આજે છે. આપણે કોઈ મોટી જગ્યા માટે ફંડફાળે કર્યો નથી. કોઈના કાને આપણે આ વાત પણ નાખી નથી. સંઘના સભ્યો તથા તેના શુભેચ્છકો જો ધારે અને કાર્યવાહીના સભ્ય ગંભીરપણે વિચારે, તે એકાદ ચેરીટી શો કરીને પણ લાખેક રૂપિયા ભેગા કરી શકાય અને એકાદ વિશાળ હોલ લાયબ્રેરી તથા સંઘ માટે મેળવી શકાય. ખેર, આ આજે નહિ પણ ભવિષ્યમાં પણ થશે તે સંઘની પાછળ જેમણે આત્મા રેડે છે એમના આત્માને પરમ સંતોષ થશે. આ વાચનાલય અને પુસ્તકાલયની પ્રવૃત્તિના સંચાલને પાછળ ગત વર્ષ દરમિયાન રૂ. ૭૦૨૦–૨ને ખર્ચ થયો છે, જયારે આવક રૂા. ૩૪૬૧–૨૦ ની થઈ છે. એટલે રૂ. ૩૧૫૯-૭૨ ની ખોટ આવી છે. આગલા વર્ષોની રૂા. ૮૨૫૨-દરની ખોટ ઊભી છે તેમાં આ ખેટ ઉમેરતાં રૂ. ૧૧૪૧૨-૩૪ની કુલ્લે ખેટ થાય છે. સંઘે એના. ફાળામાંથી રૂા. ૫૦૦૦ વાચનાલય અને પુસ્તકાલયને ભેટ આપ્યા. એટલે હવે ખેટ રૂા. ૬૪૧૨-૩૪ની ઊભી રહે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા સંઘની ત્રિવેણી સંગમ જેવી ત્રણ પવિત્ર પ્રવૃત્તિ તે પ્રબુદ્ધ જીવન, વાચનાલય અને પુસ્તકાલય અને ત્રીજી પ્રવૃત્તિ પર્યુષણ વ્યાખ્યાનમાળા.. પર્યુષણ વ્યાખ્યાનમાળા વરસેથી ચાલે છે અને આજે તે વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિ ફાલી ફ_લી છે. શહેરમાં અન્ય સંસ્થાઓ પણ વ્યાખ્યાનમાળા જતી થઈ છે એ આપણી વ્યાખ્યાનમાળાનું જ સુંદર ફળ લેખી શકાય. ગત વર્ષ દરમિયાન પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨૩ ઓગસ્ટથી તા. ૩૦ ઓગસ્ટ એમ આઠ દિવસ માટે અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ યુ. ઝાલાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. શરૂઆતના પાંચ દિવસની વ્યાખ્યાનસભાઓ બ્લેવસ્કી લાં જમાં અને પાછળના ત્રણ દિવસની વ્યાખ્યાનસભાઓ ભારતીય વિદ્યાભવનમાં ગોઠવવામાં આવી હતી. નિયત કાર્યક્રમ મુજબ સર્વ વ્યાખ્યાતાઓ ઉપસ્થિત થયા હતા અને પિતાના વિષયને તેમણે પૂરો ન્યાય આપ્યું હતું. પ્રે." ઝાલાસાહેબે આઠે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન શોભાવ્યું હતું અને પ્રત્યેક વ્યાખ્યાન અંગે જરૂરી ટીકા ટીપ્પણી કરીને પ્રમુખ તરીકેની જવાબદારી તેમણે પૂરી નિષ્ઠાથી અદા કરી હતી. આ માટે સંઘ તેમને ખૂબ જ ત્રણી છે. આ વખતની વ્યાખ્યાનમાળાના વકતાઓની પસંદગી બહુ ઉચ્ચ કોટિની કરવામાં આવી હતી જેમાં સમાવેશ થાય છે. શ્રી ઢેબરભાઈ, સ્વામી રંગનાથાનંદ, શ્રી રજનીકાન્ત મેદી, સ્વામીશ્રી પ્રણવતીર્થ, સૌ. મૃણાલિની દેસાઈ, શ્રી વી. એસ. પાળે, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી વસંતરાવ નારગેળકર, આચાર્યશ્રી યશવંત શુકલ, પાચાર્ય મનુભાઈ પંચોળી, પ્રદ્યાજિકા આત્માણ, શ્રી ઉમાશંકર જોષી વગેરેને. વ્યાખ્યાનમાળાના આખરી દિવસે સંગીતકાર અને ભજનિક પંડિત દેવેન્દ્રવિજયે શ્રોતાઓને ડોલાવ્યા હતા. - વૈદ્યકીય રાહત સંધ તરફથી વૈદ્યકીય રાહતની પ્રવૃત્તિ નાના પાયા ઉપર ચાલે છે જેમાં જૈન જૈનેતરના કોઈ ભેદભાવ વિના સૌને લાભ આપવામાં છે. વૈદ્યકીય રાહતનાં સાધને પણ સંઘના કાર્યાલયમાં રાખવામાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૬૯ આવ્યા છે, જેને ઉપયોગ પણ સારા પ્રમાણમાં થાય છે. આ પ્રવૃ- આપ્યા તે રૂા. ૫૦૦ ૦-૦૦ એમ એકંદર રૂા. ૮૯૨૪-૪૯ બાદ કરતાં ત્તિને પણ વિક્સાવવાને ખ્યાલ છે અને આમાં આપણને જૈન વર્ષની આખરે જનરલ ફંડ રૂા. ૧૫૭૭૪-૩૯નું રહે છે. કલીનીકનાં મેડિક્લ ઑફિસર ડૉ૦ સાંગાણી સારો સહકાર આપી સંઘે ૩૭ વર્ષ પૂરાં ક્ય છે, વાચનાલય અને પુસ્તકાલયે રહ્યા છે. ૨૬ વર્ષ પૂરાં કર્યાં છે અને પ્રબુદ્ધ જીવને ૨૭ વર્ષ પૂરાં કર્યાં છે. વૈદકીય રાહતમાં ગયા વર્ષે રૂ. ૫૨૦-૯૭ ની રકમ લેણી સંઘની ગત વર્ષની પ્રવૃત્તિ આમ યથાવત ચાલુ રહી છે. ઊભી હતી. તેમાં ચાલુ વર્ષ દરમિયાન રૂ. ૮૬૨-૦૦ની મદદ આપ- આર્થિક રીતે આપણે ‘પ્રબુદ્ધ જીવનને પગભર કરવાની ખાસ વામાં આવી. એટલે એકંદર રૂા. ૧૩૮૨-૯૭ની રકમ થઈ. આ ખાતા જરૂર છે. વાચનાલય અને પુસ્તકાલયને પણ વિશાળ બનાવવું પડશે. માટે ભેટ આવેલી રકમ ફકત રૂ. ૩૬-૦૦ બાદ કરતા વર્ષની આ સિવાય અન્ય પ્રવૃત્તિનાં સૂચને પણ આવકાર્ય છે, અને સંઘ આખરે વૈદકિય રાહત ખાતે રૂા. ૧૩૪૬-૪૭ લેણા ઊભા રહે છે. એની મર્યાદામાં રહીને પ્રવૃત્તિ કરશેજ કરશે એની અમે ખાતરી સંઘના સભ્યોને આ ખાતામાં, પોતાને ત્યાં શુભ પ્રસંગે આવે આપીએ છીએ. ત્યારે આ ખાતાને યાદ કરી ઉદાર રકમ નોંધાવવા પ્રાર્થના છે. ગત વર્ષ દરમિયાન આપણી પ્રવૃત્તિમાં સી કે આડકતરો ગત વર્ષમાં યોજાયેલાં સંમેલન અને સન્માન સમારંભે જેણે જેણે આપણને સહકાર આપ્યો છે તેમને અમે આભાર માનીએ છીએ. આભાર તો પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાનના આપણા (૧) તા. ૭-૮-૬૫ શનિવારના રોજ સાંજના સમયે સંધની સુજ્ઞ શ્રોતાઓને વિશેષ માનવો જોઈએ. તેમને આર્થિક સહકાર કાર્યવાહક સમિતિના સભ્ય તેમ જ સંઘના અગ્રગણ્ય સભ્યોનું તો આપણને હોય છે જ, તે ઉપરાંત સંઘ પ્રત્યે તેઓની જે મમતા શ્રી કાકાસાહેબ કાલેલક્ર સાથે મિલન ગેાઠવવામાં આવ્યું હતું. દેખાય છે તે આપણને કાર્યરત રાખે છે, એટલું જ નહિ પણ, પર્યુ(૨તા૨૯-૮-૬૫ રવિવારના રોજ સાંજના ૪ વાગ્યે પણના આઠ દિવસની તેમની સાથેના મિલનની જે હુંફ મળે છે સમગ્ર વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શોભાવનાર શ્રી ગૌરીપ્રસાદ તે આપણા માટે બાર મહિનાનું ભાતું બની જાય છે. આ સિવાય સુનિલાલ ઝાલા-ઝાલાસાહેબ તથા વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાએ મુંબઈ સમાચાર, જન્મભૂમિ, જનશકિત વિ. દૈનિક પત્રોને પણ સાથે સંધની કાર્યવાહક સમિતિના સભ્યો તથા સંધના કેટલાક સ્વજ આપણને સહકાર મળે છે. સ્ટેટ્સ પીપલ પ્રેસને તેમ જ સૌરાષ્ટ્ર નેનું એક ‘સ્નેહમિલન સંધ તરફથી રીજ રોડ ઉપર આવેલા “માનવ ટ્રસ્ટને પણ આ સ્થળે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મંદિર” સંસ્થાના સભાગૃહમાં યોજવામાં આવ્યું હતું રમણિકલાલ મણિલાલ શાહ (૩) તા. ૧૧-૯-૬૫ શનિવારના રોજ સાંજના સમયે સંધ ચીમનલાલ જેઠાલાલ શાહ તરફથી સંધના કાર્યાલયમાં ‘રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય રાજકારણ” મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર સંધની વાર્ષિક સામાન્ય સભા અને વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. (૪) તા. ૬-૧-૬૬ ગુરુવારના રોજ સાંજના સમયે સંધ ચૂંટણીનું પરિણામ તરફથી સંઘના કાર્યાલયમાં ‘રાષ્ટ્રીય તેમ જ અન્તરા ફ્રીય રાજ- શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. કારણી પરિસ્થિતિ”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું ૧૮-૬-૬૬ ને શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે મજીદ બંદર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. રોડ ઉપર આવેલા ધી ગ્રેન, રાઈસ એન્ડ ઑઈલ સીડઝ મર્ચન્ટસ (૫) તા. ૨૭-૧-૬૬ના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ એસોસીએશનના હોલમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખજૈન યુવક સંધ તરફથી સંઘના સભ્ય માટે મરીન લાઈન્સ ઉપર " સ્થાને મળી હતી, જ્યારે નીચે મુજબનું કામકાજ થયું હતું:આવેલા તારાબાઈ હોલમાં વડા પ્રધાન શાસ્ત્રીજીના જીવનને લગતા (૧) સંધનો વાર્ષિક વૃત્તાંત તથા સંધ તેમ જ શ્રી મણિલાલ મકમવિવિધ પ્રસંગે અંગેના ચિત્રપટો દેખાડવા માટે એક ફીલ્મ-શે ચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના સને ૧૯૬૫ની. રાખવામાં આવ્યો હતો. સાલના ઓડિટ થયેલા હિસાબે (જ આ અંકમાં અન્યત્ર પ્રગટ (૬) તા૩૧-૧-૬૬ના રોજ સાંજના રામયે ધી બેખે કરવામાં આવેલ છે) સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા તેમ જ સંઘની ગ્રેન એન્ડ ઓઈલસીડઝ એસોસીએશનના શીતળ સભાગૃહમાં કાર્યવાહક સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલા અને સંસ્થાના શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે જાણીતા જાદુગર શ્રી કે. લાલ ચાલુ વર્ષના અંદાજપત્રો મંજૂર કરવામાં આવ્યાં. સાથે સંઘના સભ્યને એક મિલન સમારંભ યોજવામાં આવ્યો હતે. (૨) ત્યારબાદ નીચે મુજબ સંઘના અધિકારીઓ તથા કાર્ય– (૭) તા. ૧૯-૨-૬૬ શનિવારના રોજ સાંજના સમયે સંઘ વાહક સમિતિની ચૂંટણી કરવામાં આવી. તરફથી સંધના કાર્યાલયમાં વર્તમાન રાષ્ટ્રીય રાજકારણ એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રમુખ રાખવામાં આવ્યું હતું. (૨) ” પરમાનંદ કુંવરજી કાપડિયા ઉપપ્રમુખ ” ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રીઓ સંધની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ ” સુબોધચંદ્ર એમ. શાહ વર્ષ દરમિયાન સંધની કાર્યવાહક સમિતિની ૭ સભા બોલાવ ” રતિલાલ ચીમનલાલ કોઠારી કોષાધ્યક્ષ વામાં આવી હતી. (૬) ” રમણીકલાલ મણિલાલ શાહ સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂા. ૭૧૩૩-૩૮ને થયો છે, આવક ” લીલાવતીબહેન દેવીદાસ રૂ. ૧૬,૨૧૯-૨૩ની થઈ છે, અને સરવાળે રૂ. ૯૦૮૫-૮૫ને ” દુર્લભજી કેશવજી ખેતાણી વધારે રહ્યો છે. આગલા વર્ષે જનરલ ફંડ ખાતે રૂ. ૧૫૬ ૧૩-૦૩ની ” જયંતિલાલ ફત્તેહચંદ શાહ રકમ જમા પડી હતી, તેમાં ઉપરને વધારે રૂા. ૯૦૮૫-૮૫ ઉમેરતાં (૧૦) ” ભગવાનદાસ પટલાલ શાહ જનરલ ફંડમાં રૂા. ૨૪૬૯૮-૮૮ થયા. તેમાંથી પ્રબુદ્ધ જીવનની ” ચંદુલાલ સાંકળચંદ શાહ ખાટ રૂા. ૩૯૨૪-૪૯ તથા વાચનાલય અને પુસ્તકાલયને ભેટ તરીકે (૧૨). ” રમણલાલ લાલભાઈ લાકડાવાલા = સભ્ય ) Page #135 -------------------------------------------------------------------------- ________________ (૯ તો, ૧-૭-૧૬ પ્રબુદ્ધ જીવન શ્રી દામજીભાઈ વેલજી શાહ સભ્યો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉદ્દેશે, ” પ્રવીણભાઈ મંગળદાસ શાહ નીતિ તથા કાર્ય પદ્ધતિ ” નીરૂબહેન એસ. શાહ ” મફતલાલ ભીખાચંદ શાહ તા. ૧૮-૬-૬૬ ના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સભાએ સંઘની કાર્યવાહક સમિતિ દ્વારા રજુ કરવામાં આવેલું ” જસુમતિબહેન મનુભાઈ કાપડિયા સંશોધિત બંધારણ સર્વાનુમતે પસાર કર્યું છે. આ બંધારણ બે ” કે. પી. શાહ વિભાગમાં વહેચાયેલું છે. પહેલા વિભાગમાં સંઘના ઉદ્દેશે, નીતિ (૧૯) ” કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા તથા કાર્યપદ્ધતિ અને એ ઉપરથી ફલિત થતા શિસ્તપાલનના નિયમો (૨૦) ” હરિલાલ ગુલાબચંદ શાહ અન્તર્ગત કરવામાં આવ્યા છે; બીજા વિભાગમાં સંઘના વહીવટી સંચાલન અંગે જરૂરી એવા નિયમન સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યવાહક સમિતિમાં સભ્યની પૂરવણી આમાં પહેલું વિભાગ આ રાંઘ કયા પ્રકારની વિશિષ્ટ વિચારસરણી ત્યાર બાદ તા. ૨૪-૬-૬૬ ના રોજ મળેલી સંઘની નવી કાર્ય– ઉપર આધારિત કરવામાં આવ્યો છે તેને ખ્યાલ આપે છે. સંઘમાં જોડાયેલા દરેક સભ્યને આ વિચારસરણી અને શિસ્તપાલનના નિયમ વાહક સમિતિએ કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલા ત્રણ સભ્યોની બંધનકર્તા છે. આ હકીકત તરફ સંઘના સભ્યોનું ધ્યાન કેન્દ્રિત થાય પુરવણી કરી હતી. એ હેતુથી બંધારણમાં રહેલે વિચારસરણી અને શિસ્તપાલન વિભાગ (૧) છે. રમણલાલ ચી. શાહ અહિં પ્રગટ કરવામાં આવે છે. (૨) શ્રી. દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી આ સંઘના બંધારણ અંગે જણાવવાનું કે આ સંઘની સ્થાપના ઈ. સ. ૧૯૨૮માં કરવામાં આવેલી. તે સમયના સંઘની રચના માત્ર (૩) , રિષભદાસ રાંકા જૈન શ્વે. મૂ. વિભાગને લક્ષમાં રાખીને નક્કી કરવામાં આવી હતી. શ્રી મ. . શાહ સા, વાચનાલય-પુસ્તકાલય સમિતિ ત્યાર બાદ ૧૯૩૬ની સાલમાં સમસ્ત જૈન સમાજ માટે સંધનાં દ્વાર ખુલ્લા કરતું એવું સંધના બંધારણનું પાયામાંથી નવઆ સમિતિમાં પ્રસ્તુત વાચનાલય અને પુસ્તકાલયના નીચે સંસ્કરણ કરવામાં આવ્યું. ત્યાર બાદ આજ સુધી બંધારણના જણાવેલા પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂએ સભ્યો ગણાય છે – વહીવટી માળખામાં નાના મોટા ફેરફારો થતા રહ્યા છે, અને સમય (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જતાં જૈનેતરો માટે પણ સંઘનાં દ્વાર ખુલ્લાં કરવામાં આવ્યાં છે, અને એ રીતે આજે કેટલાંક જૈનેતર ભાઈબહેને સંઘમાં જોડાયાં છે. (૨) ” પરમાનંદ કુંવરજી કાપડિયા આમ છતાં પણ, સંઘની વિચારસરણી અને શિસ્તપાલનને લગતું ” રતિલાલ ચીમનલાલ કોઠારી માળખું આજ સુધી કાયમ રહ્યું છે, અને ૧૯૩૬ ની સાલમાં દેશની (૪) ” રમણીકલાલ મણિલાલ શાહ તેમ જ સમાજની જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ આજે પણ (૫) ” ચીમનલાલ જેઠાલાલ શાહ ઓછા વધતાં અંશે કાયમ છે અને એ કારણે એને લગતી વિચારસરણી પણ આજે પ્રસ્તુત છે – આ વાસ્તવિકતાને લક્ષમાં લઈને આ આ ઉપરાત સંધની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સંશોધિત બંધારણમાં પણ એ આખું માળખું લગભગ મૂળ સ્વરૂપમાં સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. કાયમ રાખવાનું સંઘની સામાન્ય સભાએ ઊંચિત ધાર્યું છે. (૧) શ્રી ચંદુલાલ સાંકળચંદ શાહ મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ (૨) , પ્રવીણભાઈ મંગળદાસ શાહ ૧, નામ; . (૩) , કાતિલાલ ઉમેદચંદ બરોડિયા આ સંસ્થાનું નામ “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ” રાખવામાં આવે છે. (, હરિલાલ ગુલાબચંદ શાહ ૨. ઉદ્દેશે: આ રીતે વાચનાલય – પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને આ સંસ્થાના ઉદ્શે નીચે મુજબ નક્કી કરવામાં આવે છે:છે અને તેમાંના પાંચ ટ્રસ્ટીઓમાંના એક શ્રી ચીમનલાલ જેઠાલાલ (ક) સમાજપ્રગતિને રૂંધતા ધાર્મિક તેમ જ સામાજિક વહેમોનો શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તથા રૂઢિઓને સમાજમાંથી ઉછેદ કરો અને ધર્મ અને ચીમનલાલ જેઠાલાલ શાહ સમાજના નામે ચાલતાં પાખંડ ખુલ્લાં પાડવાં. સુબોધભાઈ એમ. શાહ (ખ) આજના પ્રગતિશીલ વિચારો અને ભાવનાઓની દષ્ટિએ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. આપણી કાળજુની સમાજવ્યવસ્થા જેમૌલિક પરિવર્તન માંગી વિષયસૂચિ રહેલ છે તેને લગતી સમજણ અને સાહિત્યને સમાજમાં ફેલાવો કર. પ્રકીર્ણ નોંધ: ગુલબર્ગાની શરમજનક દુર્ધટના, પરમાનંદ ૪૩ (ગ) સમાજઉન્નતિસાધક સાંસ્કૃતિક તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ આપણા લોકોની ચમત્કારઘેલછા, અણુવ્રત-વિચારધારા: તથા જનસેવાનાં કાર્યો હાથ ધરવાં. સર્વોદય વિચારધારાના સંદર્ભમાં, લાઉડસ્પીકરને (ઘ) આપણા દેશ સ્વાવલંબી અને સમર્થ બને એ ધ્યેયપૂર્વક ઉપયોગ અને આચાર્ય તુલસી, ત્રિભુવનતિલકા દેશભરમાં ચાલી રહેલી રાજકીય તેમ જ સામાજિક પ્રવૃત્તિભગવાન મહાવીર ચરિત્ર. એને તેટલે ટેકો આપ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને વાર્ષિક ૩. સંઘની નીતિ અને કાર્યપદ્ધતિ: વૃત્તાંત : ૧૯૬૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉદ્દેશો અતિ વ્યાપક પ્રદેશને સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું સ્પર્શતા હોઈને, ધર્મ, સંપ્રદાય અને વિશાળ સમાજને લગતા ભિન્ન પરિણામ ભિન્ન પ્રશ્ન સંબંધી આ યુવક સંઘની નીતિ અને કાર્યપદ્ધતિ નીચે મુજબ નક્કી કરવામાં આવે છે:શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના ઉદ્દેશે, (ક) જ્યારે કોઈ પણ ધાર્મિક અથવા સામાજિક રૂઢિ કે પ્રણાલિકા નીતિ તથા કાર્યપદ્ધતિ દેશ અથવા સમાજના સ્વાશ્ય કે ઉત્કર્ષની બાધક જણાશે ૧૯૬૫ના વર્ષના વાચનાલય-પુસ્તકાલય ત્યારે તે રૂઢિ કે પ્રણાલિકાને આ યુવક સંઘ સામને કરશે. તથા સંધના એડિટ થયેલા હિસાબે. આવી અનિટ રૂઢિ કે પ્રણાલિકાના સમર્થનમાં રજૂ થતા પૃષ્ઠ - દેરી Page #136 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રબુદ્ધ જીવન ધર્મશાસ્ત્રોનાં ઉલ્લેખાને જરા પણ બંધનકર્તા ગણવામાં આવશે નહિ. આવી બાબતોમાં જરૂર જણાયે સરકારી કાયદાઓ કરાવવાની પ્રવૃત્તિ પણ આ યુવક સંઘ હાથ ધરી શકશે. (ખ) આવી જ રીતે સમાજ અને ધર્મને લગતા અનેક પ્રશ્ન ઉપર પોતાના વિચારો છૂટથી જાહેરમાં રજૂ કરવાના દરેક વ્યકિતને હક્ક છે એમ આ યુવક સંઘ માને છે, અને તેથી જયારે જ્યારે આવા હક્ક ઉપર સંઘબહિષ્કાર, જ્ઞાતિબહિષ્કાર કે એવી બીજી કોઈ રીતે કોઈ પણ સંઘ કે જ્ઞાતિ તરફથી આક્રમણ કરવાનો પ્રયત્ન કે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે ત્યારે ત્યારે તેવા પ્રયત્ન કે પ્રવૃત્તિનો આ યુવક સંઘ સામનો કરશે. (ગ) આ યુવક સંઘ રાષ્ટ્ર અને વિશાળ સમાજના હિતને પ્રાધાન્ય આપીને પોતાની પ્રત્યેક પ્રવૃત્તિનું સંચાલન કરશે અને રાષ્ટ્રહિતને બાધક કોઈ પણ પ્રવૃત્તિ આ યુવક સંઘ કદિ હાથ ધરશે નહિ. (ઘ) સામાજિક પ્રશ્નો પરત્વે આ યુવક સંઘની સર્વ પ્રવૃત્તિઓ નીચે જણાવેલ ધ્યેય અને ધારણ સ્વીકારીને યોજવામાં આવશે :– (૧) સમાજરચના અને વ્યવહારમાં સ્ત્રી અને પુરુષની સર્વત્ર સમાનતા સ્વીકારાવી જોઈએ. (૨) જ્ઞાતિબંધનો, અનિષ્ટ લગ્નો, ફરજિયાત વૈધવ્ય, અસ્પૃશ્યત્વ આદિ કુરૂઢિઓનો નાશ થવો જોઈએ. (૩) વ્યકિતસ્વાતંત્ર્યને સમાજજીવનમાં ખૂબ અવકાશ મળવો જોઈએ. (ડ) આ ઉપરાંત આ સંઘનો ઉદ્ભવ જૈન સમાજના વૈચારિક ઉથ્થાનની દ્રષ્ટિએ થયા છે એ હકીકતને અનુલક્ષીને જૈન સમાજના ખાસ ધાર્મિક પ્રશ્નો અને માન્યતા—ભેદા સંબંધમાં આ યુવક સંઘ નીચે મુજબના અભિપ્રાયોને અનુસરીને પોતાની પ્રવૃત્તિ ચલાવશે : (ડ) ૧. પ્રથમ તો આ યુવક સંઘમાં જોડાનાર જૈન સભ્ય પોતે કોઈ પણ ચોક્કસ સંપ્રદાય કે ફીરકાના જૈન છે એવી વિશિષ્ટ રીતે પોતાની જાતને ઓળખાવવામાં કશું પણ મહત્ત્વ સમજશે નહિ. પોતે જૈન છે એટલે ભગવાન મહાવીરપ્રરૂપિત જૈન ધર્મ અને સંસ્કૃતિના વારસ છે એટલી જ ઓળખાણ આ યુવક સંઘમાં જોડાનાર જૈન સભ્ય પેાતાને માટે પૂરતી ગણશે. (ડ) ૨. મૂર્તિપૂજા સંબંધે જૈન સમાજના વિવિધ વિભાગોની માન્યતામાં મોટો મતભેદ કેટલાય કાળથી ચાલતા આવે છે. આ યુવક સંઘમાંના કેટલાક જૈન સભ્યો મૂર્તિપૂજાને ધર્મોપાસનાના એક અગત્યભર્યા સાધન તરીકે સ્વીકારે છે, જ્યારે કેટલાક જૈન સભ્યો તેવી અગત્યને સ્વીકારતા નથી. તેમ છતાં પણ આજના જૈન સમુદાયના મોટા ભાગનું ધાર્મિક જીવન મૂર્તિપૂજા સાથે ગાઢપણે સંકળાયેલું છે અને રહેવાનું છે – એ પરિસ્થિતિ આ યુવક સંઘ સ્વીકારે છે, અને સાથે સાથે આજે ચાલી રહેલી મૂર્તિપૂજાની પદ્ધતિમાં જે અનેક વહેમ, દ્રવ્યને અપવ્યય અને અતિશયતાઓ દાખલ થયેલાં છે તે વહેલી તકે દૂર કરવાની જરૂર વિષે પણ યુવક સંઘના જૈન સભ્યો એકમત ધરાવે છે અને તે સંબંધમાં નીચેનું ધોરણ સ્વીકારવામાં આવે છે:(૧) આજે ચાલી રહેલી મૂર્તિપૂજા પાછળના વહેમ અને ખોટી માન્યતા દૂર થવી જોઈએ. (૨) મૂર્તિને શણગારવાની અને આંગીઆભૂષણ ચઢાવવાની પ્રથા જૈન મૂર્તિપૂજાની કલ્પના અને આદર્શ સાથે બંધબેસતી નહિ હોવાથી તે પ્રથાના સર્વત્ર નિષેધ થવા જોઈએ.. આ તા. ૧-૭-૧૯ (૩) બીનજરૂરી નવાં મંદિરો બંધાવવા પાછળ તેમ જ ચાલુ મંદિરોના બીનજરૂરી શોભાશણગાર પાછળ થતો દ્રવ્યના પુષ્કળ ડ્યૂટ બંધ થવા જોઈએ. (૪) મંદિરોને સાદી રીતે નિભાવતાં બચતી આવકના તેમ જ એકત્ર થયેલી મૂડીને જનકલ્યાણનાં કાર્યોમાં ચાલુ ઉપયોગ થવો જોઈએ. (૫) શ્વેતાંબર કે દિગંબર મૂર્તિ એક જ ઈષ્ટદેવને મૂર્ત સ્વરૂપ આપવાનો પ્રયત્ન હોઈને તે બન્ને વચ્ચે આજ સુધી કેળવવામાં આવેલી ભેદની દિવાલ અર્થવિનાની અને બીનજરૂરી છે—એ પ્રકારની સમબુદ્ધિ સર્વત્ર કેળવાવી જોઈએ. (ડ) ૩. બીજો માન્યતાભેદ સાધુઓ સંબંધમાં પ્રવર્તે છે. તે વિષે આ યુવક સંઘ જાહેર કરે છે કે ભિન્નભિન્ન સંપ્રદાયના વેશભેદને આ યુવક સંઘ જરા પણ મહત્ત્વ આપતો નથી. જે સાધુએ પંચમહાવ્રતને જીવનમાં ઉતારવાનો એકનિષ્ઠ પ્રયત્ન સેવતા હોય તથા પવિત્ર અને સમાજને ઉપયોગી જીવન જીવતા હોય તેવા કોઈ પણ જૈન વિભાગની અંદરના કે બહારના સાધુને આ યુવક સંઘ આદરયોગ્ય ગણશે. (ડ) ૪. કેટલાંક તીર્થોના ઝઘડાએ આજે શ્વેતાંબર મૂર્તિપૂજક અને દિગંબર મૂર્તિપૂજક જૈનો વચ્ચે વૈમનસ્ય નિપજાવી રહેલ છે. જૈન સમાજના પેટાભેદો નષ્ટ કરીને સાચી એકતા અને સમાનતાનું માનસ ઉત્પન્ન કરવું એ વિચારભૂમિકા ઉપર આ યુવક સંઘની રચના થયેલી હોવાથી આવા ઝઘડાઓ પરત્વે સંભાળપૂર્વક તટસ્થતા જાળવી રાખવી અને એ ઝઘડાએ ચાલુ રહેવાથી આખા સમાજને કેટલું ભારે નુકસાન થઈ રહ્યું છે તેના, લેખા તેમ જ ભાષણોદ્રારા, જૈન જનતાને સચોટ ખ્યાલ આપવો અને જયાં અને જયારે શકય હોય ત્યાં અને ત્યારે ચાલુ ઝઘડાઓની સ્થાયી પતાવટ કરાવવાની દિશાએ પોતાની લાગવગ અને શકિતનો ઉપયોગ કરવા – આ પ્રકારનું ધારણ આ યુવક સંઘ સ્વીકારે છે. (ડ) ૫. બાલદીક્ષાનો આ યુવક સંઘ વિરોધ કરશે અને તેની અટકાયત થાય એવા પ્રયત્નો સંઘ હાથ ધરશે. ૪, શિસ્તપાલન: આ સંઘમાં જોડાનાર સભ્ય પાસે નીચે મુજબના શિસ્તપાલનની અપેક્ષા રાખવામાં આવશે: - (૧) દરેક સભ્ય પહેરવેશમાં સ્વદેશી વસ્ત્રોના જ અને બની શકે તો ખાદીનો ઉપયોગ કરવા જોઈશે. (૨) દરેક સભ્ય પોતાના જીવનવ્યવહારમાં અસ્પૃશ્યત્વની રૂઢિને તિલાંજલિ આપવી જોઈશે. (૩) કોઈ પણ અનિષ્ટ લગ્નમાં આ સંઘના સભ્ય ભાગ લઈ શકશે નહિ. જૈન સભ્યો પાસે નીચેના વધારે નિયમેાના પાલનની અપેક્ષા રાખવામાં આવશે: (૪) કોઈ પણ અયોગ્ય દિક્ષામાં આ સંઘના સભ્ય ભાગ લઈ શકશે નહિ. (૫) દેવદ્રવ્યના નામે થતી આવકને જનકલ્યાણના કાર્યમાં ઉપયોગ કરવાના પ્રબંધ થયો ન હોય એવાં મંદિરોની આવકમાં શ્રી બાલીને કે તેના ફંડફાળામાં પૈસા ભરીને આ સંઘના સભ્ય વધારો કરશે નહિ. અપવાદ: દર્શન કરવા જતાં અને કૌટુંબિક મરણ જેવા પ્રસંગે કંઈ ને કંઈ નાણું મંદિરમાં ધરવાના સામાન્ય રિવાજ આપણા સમાજમાં છે તેવા પ્રસંગે પૂરતો ઉપરના નિયમ સંઘના સભ્યોને બંધનકર્તા ગણાશે નહિ. Page #137 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૭-ય પ્રભુ જીવન શ્રી મણિલાલ માકમદશાહ સાવજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુબઈ તા. ૩૧ ડિસેમ્બર ૧૯૬૫ના રાજ પૂરા થતા વર્ષના આવક તથા ખર્ચના હિસાબ આવક ખર્ચ રૂા.શૈ. રૂ.પૈ. વ્યાજના સીક્યુરીટીઓના ડીબેન્ચરોના ભેટના પુસ્તકોના લવાજમના પરચુરણ આવકના : પસ્તીના વેચાણના પાસબુકના વેચાણના પુસ્તકો મોડા આવવાથી તથા ખોવાઈ જવાથી દડના સરવૈયા ફેરના વર્ષ દરમિયાન આવક કરતાં ખર્ચના વધારો ૧૬૦,૦૦ ૧૨૬૨.૬૦ ૧૨૯૬.૭૫ ૯૭૪.૦૦ ૧૦૩.૬૫ પ૬.૫૫ ૭.૫૭ ૧૪૨૨.૬૦ ૨૨૭૦.૭૫ ૧૬૭.૭૭ ૦.૦૮ ૩૮૬૧.૨૦ ૩,૧૫૯,૭૨ ૭,૦૨૦.૯૨ સાભાર સ્વીકાર શાણા સમાજ: મૂળ અંગ્રેજી.લેખક : શ્રી એરિક ફ઼ોમ; અનુવાદક : શ્રી કાન્તી શાહ; પ્રકાશક યજ્ઞ પ્રકાશન, હુઝરાત પાગા, વડોદરા – ૧. કિંમત : રૂા. ૩-૦૦. ભારત ઍટમ બોમ્બ બનાવશે ? લેખક : ડૉ. મધુકર શાહ; પ્રકાશક : ઉપર મુજબ, કિંમત : રૂા. ૧-૫૦, વેળુ અને ફીણ : મૂળ અંગ્રેજીમાં. લેખક: શ્રી ખલીલ જીબ્રાન; અનુવાદક : શ્રી લક્ષ્મીનારાયણ પંડયા અને શ્રી કાન્તી ઉપાધ્યાય. મુદ્રક અને પ્રકાશક : રાજેન્દ્ર મયાભાઈ શાહ, પ્રકાશ પ્રીન્ટર્સ, જાંબુલવાડી, વેસ્ટ, મુંબઈ - ૨; ભવાનીદાસ એન. મેાતીવાળા : અંગ્રેજી: લેખક: સંત નિહાસિંગ; પ્રકાશક : ડૉ. મનોહર માતીવાળા ૨૪૪, વિધાની કોટેજ, વાલકેશ્વર; મુંબઈ - ૬. લાકશાહી–સમાજવાદ-સ્વતંત્રતા : મૂળ અંગ્રેજી લેખક: શ્રી ચક્રવર્તી રાજગોપાલાચાર્ય; અનુવાદક તથા પ્રકાશક: શ્રી ભાગીલાલ ગાંધી; વિશ્વમાનવ, રામજી મંદિર પાળ, વડોદરા. કિંમત રૂા. ૪-૦૦, સમર્પણનો જય : લેખક: શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ; પ્રકાશક : શ્રી જીવનમણિ વાચનમાળા ટ્રસ્ટ, હઠીભાઈના ઘેરા સામે, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ કિંમત રૂ. ૧-૫૦, ત્રિભુવન તિલક : મહાકાવ્ય : રચયિતા તથા પ્રકાશક: શ્રી હીરાચંદ ક. ઝવેરી, પારિજાત, ફલેટ નં. ૨૧,૯૫, મરીન ડ્રાઈવ, મુંબઈ ૧, કિંમત રૂા. ૭-૫. Understnding India : લેખક : શ્રી ગગનવિહારી લ. મહેતા; પ્રકાશક : એશિયા પબ્લીશીંગ હાઉસ, મુંબઈ. કિંમત રૂા. ૧૨-૭૫. આકાશનાં પુષ્પો : લેખક: શ્રી ગગનવિહારી લ. મહેતા; પ્રકાશક : વોરા એન્ડ કંપની પબ્લિશર્સ પ્રાઈવેટ લિમિટેડ, ૩, રાઉન્ડ બિલ્ડીંગ, મુંબઈ - ૨, કિંમત રૂા. ૩-૫૦. ઈલિયડ : હોમરકૃત મહાકાવ્યનું નાટય રૂપાંતર કરનાર શ્રીમતી લીનાબહેન મંગળદાસ, કોયસ, શારદા સેાસાયટી અમદાવાદ - ૭. કિંમત રૂા. ૩-૫૦. થઈને, ટ્રસ્ટના ઉદ્દેશ અંગે ખર્ચ પેપર્સ લવાજમના પગારના મકાનભાડા તથા વીજળીખર્ચ પુસ્તક રીપેર્સ, બુક બાઈન્ડીંગ ખર્ચ વ્યવસ્થા ખર્ચ: ફર્નિચર રીપેર્સ,ઈલેકટ્રીક રીપેર્સ તથા પરચુરણ ખર્ચ વિમાના પ્રિમીયમના ઑડિટરોને એનેરરીયમના સ્ટેશનરી તથા છપામણી ખર્ચ બેંક કમિશનના ઘસારાના : ફર્નિચર પર પુસ્તકો પર રૂા. પૈ. ૩૪૪.૦૭ ૪૯૧૦.૨૮ ૫૨૯૪૪ ૮૮.૭૪ ૧૨૩,૨૫ ૪૮.૭૫ ૭૧૫, ૦ ૦ ૬૪.૦૦ ૦.૩૪ 9 ૧૦૬.૫૫ ૭૩૦.૫૦ પદ્મ A.û. ૧૮૭૨.૫૩ ૩૧૧.૩૪ ૮૩૭.૦૫ કુલ રૂા. ૭,૦૨૦.૯૨ ફિલસૂફને પૂછે : લેખક : શ્રી ચીનુભાઈ પટવા, પ્રકાશક: બાળગોવિંદ પ્રકાશન, ગાંધી માર્ગ. અમદાવાદ ૧, કિંમત રૂા. ૪-૦૦ ગાંવકા વિદ્રોહ : લેખક: શ્રી રામભૂતિ, પ્રકાશક : સર્વ સેવા સંઘ, રાજઘાટ, વારાણસી, કિંમત રૂા. ૧-૦૦. રાજવહીવટ : મૂળ લેખક: શ્રી નારાયણે ગોવિંદ સાપેકર, અનુવાદક : શ્રી પુરુષોત્તમ ગણેશ માવળંકર, પ્રકાશક : મેસર્સ બી. એસ. શાહ, પાનકોર નાકા, અમદાવાદ, કિંમત રૂા. ૧-૦ ૦. સ્પીકરનું પદ : લેખક શ્રી ગણેશ વાસુદેવ માવળંકર, પ્રકાશક : અભ્યાસ કાર્યાલય, માવળંકર હવેલી, ભદ્ર, અમદાવાદ, કિંમત ૦૦-૫૦. એક અજબગજવનું બુલબુલ: મૂળ ડેનીશ બાળકથાકાર, હેન્સ એન્ડ ર્સનની પરિકથાનું નાટય રૂપાંતર, પ્રકાશક : શ્રી લીના બહેન મંગળદાસ, શ્રેયસ અમદાવાદ - ૭. કિંમત રૂ. ૨-૦૦, ‘અભ્યાસ’–દાદાસાહેબ માવળંકર વિશેષાંક : સંપાદક : શ્રી પુરષોત્તમ ગણેશ માવળંકર, માવળંકર હવેલી, ભદ્ર, અમદાવાદ. કિંમત રૂા. ૬. પંચાયતી રાજ્યના કેટલાક અનુભવ. લેખક : શ્રી રિખવદાસ જેસીંગલાલ, મેસાણા. રંગ રાગ વિરાગ : લેખક : વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી; વિક્રેતા : નવયુગ પુસ્તક ભંડાર, નવા નાકા રોડ, રાજકોટ - ૧. કિંમત : રૂા. ૬-૭૫. પાનખર અને વસન્ત : લેખિકા : શ્રી સત્યવતી ગોવિંદલાલ શાહ; પ્રપ્તિસ્થાન : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ; કિંમત રૂા. ૩-૫૦. મહાવીર વાણી : લેખક : પંડિત બેચરદાસ દેશી; પ્રકાશક : શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા, ૧૧, પારસી બજાર સ્ટ્રીટ, શારદા સદન, કોટ, મુંબઈ - ૧. કિંમત રૂા. ૨-૫૦ (પોસ્ટે જ સાથે ) Page #138 -------------------------------------------------------------------------- ________________ દેવું: ------ ૫૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૧૬ શ્રીમણિલાલ મેકમચંદશાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુંબઈ " તા. ૩૧ મી ડિસેમ્બર ૧૯૯૫ના દિવસનું સરવૈયું ફંડો અને દેવું મિલ્કત અને લેણું શ્રી સ્થાયી ફંડ: ઈન્વેસ્ટમેન્ટસ (પડા પ્રમાણે ) ગયા સરવૈયા મુજબ બાકી ૨૪,૫૬૧.૦ ૦ સીક્યુરીટીઓ:શ્રી પુસ્તક ફંડઃ ૪ ટકાની સને ૧૯૬૭ની ફે. વેલ્યુ ગયા સરવૈયા મુજબ બાકી ૫,૫૦૦.૦૦ સૌરાષ્ટ્ર ગવર્નમેન્ટલોન ૪,૦૦૦ ૩,૯૩,૭૫ શ્રી ફરનીચર ફંડ: પબ્લીક લિ. કોના ડીબેચરો ગયા સરવૈયા મુજબ બાકી ૨,૪૦૦,૦૦ ૭ ટકાના રાવળગાંવ સુગર ફાર્મ લી. ના ડીબેંચો ૧૦,૦૦૦ ૧૦,૦૦૦.૦૦ પુસ્તકો અંગે ડીપોઝીટ ૫,૬૭૧.૦૦ ૧ ૧/૪ ટકાના ધી એસો. માસિક અંગે ડીપોઝીટ ૨૫.૦૦ સ્ટાન્ડર્ડ ક. ઑફ ઇ. લી. ના ડીબેન્ચો . ૫,૦૦૦ ૫,૨૭૩.૦૦ એલ. એમ. મહેતા ૫.૪૬ ૫ ટકા ધી તાતા એજી. એન્ડ ૫,૩૦૧૪૬, લોકમેટીવ ક. લી.ના ડબેન્ચર. ૬,૦૦૦ ૬ ૧૬૩.૫૦ પરચુરણ દેવું: શ્રી મુંબઈ જૈન યુવક સંધ ૨,૮૭૯.૪૪ ૨૫, ૦ ૦ ૦ ૨૫,૪૩૦.૨૫. ૮,૫૮૦.૯૦ ફરનીચર (રોપડા પ્રમાણે) કુલ રૂ. ૪૧,૦૪૧.૯૦ ૩,૩૧૦.૯૩ ગયા સરવૈયા મુજબ બાકી બાદ: કુલ ઘસારા લખી અમે શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય વાળ્યા–સને ૧૯૬૪ ૧,૧૭૯.૮૩ અને પુસ્તકાલય મુંબઈનું ૩૧-૧૨-૬૫ ના દિવસનું સરવૈયું મજકુર ચાલુ સાલના સંસ્થાના ચેપડા તથા વાઉચર સાથે તપાસ્યું છે અને બરાબર માલુમ ૫ ટકા લેખે ૧૦૬.૫૫ પડયું છે. ----- ૧,૨૮૬.૩૮ શાહ મહેતા ઍન્ડ કું.' -------- ૨,૦૨૪.૫ મુંબઈ: તા. ૨૩-૪-૧૯૬૬ ચાટૅડ એકાઉન્ટન્ટસ પુસ્તકો: (ખરીદ કિંમતે) ઓડિટ , ગયા સરવૈયા મુજબ બાકી ૧૧,૨૯૧.૪૬ ઉમેરો વર્ષ દરમ્યાન ખરીદીને ૭૮૬.૫૭ ભૂલ-સુધાર -- ---- ૧૨,૦૭૮.૦૩ બોદ: કુલ ધસારાના લખી તા. ૧૬-૬-૬૬ ના 'પ્રબુદ્ધ જીવન માં પ્રગટ થયેલી પ્રકીર્ણ વાળ્ય.—સને ૧૯૬૪ નોંધના પેટામાં “અત્યત નિરાશાજનક પરિસ્થિતિમાં પણ માનવી સુધીના ૭,૨૦૭:૪૬ પુરુષાર્થ બળે ઊંચે આવે છે' એ મથાળા નીચેની નોંધમાં “જીન ચાલુ સાલની ૧૧૫ ટકા લેખે ૭૩૦.૫૦ જેનેટ નામની વિવાદાસ્પદ બનેલી ફ્રેન્ચ લેખિકા પિતાના ગુનાહની ------- ૭,૩૭.૯૬ કબૂલાત કરવાના પરિણામે જેલશિક્ષા અપામેલી. આ પણ કેદમાં રહીને ૪,૧૪૦.૯૭ જેની પ્રજ્ઞા ઉત્કર્ષ થયો હોય એવા માનવીઓનો એક વધારે કિસ્સો લેણું: છે.” આ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું. આ વિગતેમાં રહેલી ભૂલો ઈન્કમટેક્ષ રીફંડ અર્થે ૧ ૦૬૨.૯૩ તરફ મારું ધ્યાન ખેંચતાં ભાઈ સુકેતુ શાહ જણાવે છે કે “તમે જેનો રોકડ તથા બેંક બાકી: ઉલ્લેખ કર્યો છે તેમાં ઝાં જેને (Jean Genet) એ ફ્રેન્ચ લેખિકા ધી બેંક ઑફ ઈન્ડીયા લી.ના ચાલુ ખાતે ૧,૯૩૬.૯૮ નહિ પણ લેખક છે અને તેનું જીવનચરિત્ર પિતાના આગવા અસ્તિ ૩૪.૭૮ quel (existential - existentialistic) sealgiel i ----------- ૧,૭૧.૭૬ પિલ સાર્વેએSaint Genet ના નામે લખી ઝાં જેનેને એક સંતના શ્રી આવક–જાવક ખાતે: સ્વરૂપમાં રજૂ કરવાને યત્ન કર્યો છે. ઝાં જેને જન્મ ૧૯૧૦ માં ગયા સરવૈયા મુજબ બાકી ૮,૨૫૨,૬૨, થયેલ. તેણે The Maids (1948) Death Watch (1949) The ઉમેર: વર્ષ દરમ્યાન આવક Balcony (1957) The Blacks (1959) The Screens કરતાં ખર્ચને વધારો ૩,૧૫૯.૭૨. (1959) એ પુસ્તકો લખ્યાં છે. ૧૯૪૭ માં જ્યારે વીન્સેન્ટ ૧૧,૪૧૨.૩૪ ઍરિયલ ફ્રેન્ચ પ્રમુખ બન્યા ત્યાર પછી ચિત્રકાર પિકાસે, સાત્રે અને ઝાં કોકટો વગેરેના પ્રયાસથી ઝાં જેનેને માફી બક્ષવામાં આવી બાદ: મુંબઈ જૈન યુવક અને તે જેલના જીવનથી મુકત બન્યો.” આ મારી ભૂલ સુધારવા માટે સંઘ તરફથી ભેટ મળ્યા ૫,૦૦૦.૦૦ ૬,૪૧૨.૩૪ અને ઝાં જેનેને લગતી આટલી માહિતી પૂરી પાડવા માટે ભાઈ સુકેતુ શાહને હું આભાર માનું છું. પરમાનંદ. કુલ રૂા. ૪૧,૦૪૧.૯૦ : Page #139 -------------------------------------------------------------------------- ________________ તા.૧૭-૧ પ્રભુ જીવન શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું ૩૧ ડિસેમ્બર ૧૯૬૫ના દિવસનું સરવૈયું ફડો અને દેવું મિલ્કત અને લેણુ શ્રી રીઝર્વ ફંડ ગયા સરવૈયા મુજબ બાકી શ્રી સંઘ હસ્તકના ખાતાંઓ શ્રી. પુસ્તક પ્રકાશન ખાતું : ગયા સરવૈયા મુજબ બાકી શ્રી માવજત ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો: માવજત સાધનઘસારાની વસુલ આવ્યા દેવું: પરચુરણ દેવું ૩૯૫.૨૬ ૦.૯૮ શ્રી જનરલ ફંડ; ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો : શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આવકખર્ચ ખાતેથી લાવ્યા ૩,૦૩૩.૬૬ બાદ : શ્રી પ્રબુદ્ધ જીવન આવક ખર્ચ ખાતેથી લાવ્યા ૩૯૬,૨૪ ૧૫,૬૧૩.૦૩ ૯,૦૮૫.૮૫ ૨૪,૬૯૮.૮૮ બાદ : શ્રી. મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય પુસ્તકાલયને ઠરાવ અનુસાર આપ્યા ૫,૦૦૦.૦૦ ૧૯,૬૯૮.૮૮ ૩,૯૨૪.૪૯ ૨૬,૭૪,૮૯ ૩,૪૨૯,૯૦ ૧,૬૭૯.૫૮ ૧૫,૭૭૪.૩૯ ૪૭,૫૮૮.૭૬ અમાએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુંબઈનું તા. ૩૧-૧૨-૬૫ ના દિવસનું સરવૈયું મજકુર સંઘના ચોપડાઓ તથા વાઉચરો સાથે તાર્યું છે અને બરાબર માલુમ પડયું છે. મુંબઈ: તા. ૨૪મી મે, ૧૯૬૬ શાહ મહેતા એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ આડીટર્સ રૂપિયાના અવમૂલ્યાંકન ઉપર શ્રી વાડીલાલ ડગલીનું વ્યાખ્યાન * શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૮-૭-૬૬ શુક્રવારના રોજ સાંજના ૬-૧૫ વાગે સંઘના કાર્યાલયમાં (૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, ), શ્રી વાડીલાલ ડગલી તાજેતરમાં કરવામાં આવેલા રૂપિયાના અવમૂલ્યાંકન ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. મંત્રીએ : મુંબઈ જૈન યુવક સંધ. ઈન્વેસ્ટમેટસ (ચાપડા પ્રમાણે) .૭ ટકા ધી ઈન્ડીયન હ્યુમપાઈપ ક.લી.ના ડીબેન્ચરો ૫ ટકાના કાલક્ષ ઓઈલ ઈન્ડીયા લી.ના ડીબેન્ચરા ડીપોઝીટ :પાસ્ટમાં પર્યટન અંગે ફર્નીચર અને ફીટીંગ્સ (ચાપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી બાદ : કુલ ઘસારાના લખી વાળ્યાં પુસ્તકાલય ઈન્કમટેક્ષ રીફંડ અંગે સભ્ય લવાજમ અંગે ભેટ અંગે સ્ટાફ પાસે ફે. વેલ્યું. ૫,૦૦૦.૦૦ ૫,૨૩૬.૩૯ લેણું (સદ્ધર) શ્રી.મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને ૧૫, ૦ ૦ ૦ . ૦ ૦ ૧૦,૦૦૦.૦૦ ૫,૩૦૬,૦૦ પરચુરણ ખાતાંઓ : શી વૈદ્યકીય રાહત ખાતું. ગયા સરવૈયા મુજબ બાકી ઉમેરો: વૈદ્યકીય રાહત ખર્ચના રોકડા તથા બેક બાકી : ધી બેંક ઑફ ઈ. લી. ના ચાલુ ખાતે ધી બે'ક ફઈ. લી. ના ફીકસ ડીપોઝીટ ખાતામાં રોકડ સીક બાદ : પુસ્તક વેચાણના કુલ આવ્યા ૫૨.૯૭ ૮૬૨.૦૦ ૧,૩૮૨.૯૭ બાદ : વર્ષ દરમિયાન ભેટના ૩૬,૦૦ શ્રી સત્યમ શિવમં સુંદરમ પુસ્તક પ્રકાશન ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી ૧,૬૭૦.૬૧ ૭૨૯.૩૦ શ્રી બોધિસત્વ પુસ્તક પ્રકાશન ખાતું : ગયા સરવૈયા મુજબ બાકી બાદ: પુસ્તક વેચાણના ૨૮૮.૬૨ કુલ આવ્યા ૧૮૨.૧૨ ૮૪૫.૨૪ ૩૫૮.૩૪ ૭૫.૦૦ ૫૦૦.૦૦ ૨,૮૭૯.૪૪ ૪૨૦.૦૫ ૪૫.૦૦ ૧૦૧, ૦૦ ૩૪૯૨૭ ૮,૬૫૪૯૨ ૨૦,૬૯૩.૫૯ ૪૧.૪૨ ૧,૩૪૬.૯૭ ૯૪૧.૩૧ ૧૦૬.૫૦ 43 ૧૦,૫૪૨.૩૯ ૪૮૬.૯૦ ૫૭૫,૦૦ ૪,૧૯૯.૭૬ ૨૯,૩૮૯૯૩ ૨,૩૯૪.૭૮ ૪૭,૫૮૮.૭૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૭-૧૬ પ્રબુદ્ધ જીવન " શ્રી મુંબઈ જેને યુવક સંઘ, મુંબઈ - પ્રબુદ્ધ જીવનને તા. ૩૧ મી ડીસેમ્બર ૧૯૬૫ ના રોજ પુરા થતા વર્ષને આવક તથા ખર્ચનો હિસાબ આવક ખર્ચ પગારની ૨,૫૭૫,૦૦ લવાજમની રેકડી આવ્યાં . ૧,૮૦૦.૬૦ ઉમેરો: શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને મફત પ્રત મોકલવામાં આવે છે તેના રૂા. ૨ લેખે એડજસ્ટ કર્યા ૧,૦૪૦.૦૦ પેપર ખર્ચના છપામણી તથા સ્ટેશનરી પેસ્ટેજ ખર્ચ - ૧,૧૭૭.૨૨ ૩,૭૭૯.૮૦ ૬૭૦.૨૨ ૬૨.૮૫ ૨,૮૪૦.૬૦ ૧,૫૦ ૦.૦ ૦ પરચુરણ ખર્ચ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી ભેટના ૪,૩૪૦.૬૦ વર્ષ દરમિયાન અપાવક " કરતાં ખર્ચનો વધારો ૩,૯૨૪:૪૯ કુલ રૂ. ૮,૨૬૫.૦૯ કુલ રૂા. ૮,૨૬.૦૯ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તા. ૩૧મી ડીસેમ્બર ૧૯૬૫ના રોજ પુરા થતા વર્ષને આવક તથા ખર્ચને હિસાબ આવક ખર્ચ ભેટના ૧૩,૬૧૮.૦૦ - લવાજમના: કુલ આવ્યા ૨,૬૦૧૫.૦૦ બાદ: પ્રબુદ્ધ જીવન”ની પ્રત સભ્યોને મફત મોકલાવી તેના એડજસ્ટ ૧,૦૪૦. ૦ વહીવટ તથા વ્યવસ્થાખર્ચ પગારના મકાન ભાડું તથા વીજળી ખર્ચ પ્રીન્ટીંગ અને સ્ટેશનરી ખર ટેલીફેન ખર્ચના પિસ્ટેજ ખર્ચા . પરચુરણ ખર્ચના એડીટરોને નરેરીયમના ફરનીચર પર ઘસારાને ૩૬૯.૨૩ ૧૩૯.૫૯ ૨૦૩.૨૮ . . ૨૭૨.૪૬, ૧૫૭૨.૮૪ ૫.૦૦ ૧,૫૬૫,૦૦ ૪૫ હe ૫૪.૧૦. અગાઉના લવાજમના પુસ્તક વેચાણ પર કમિશન . વ્યાજના: .. ડીચરના વસુલ આવ્યા ૭૫૨.૫૦ બકની ફીસ્ટ ડીપોઝીટ પર ૨૧૭.૮૩ ૪,૨૬૧.૫૦ ૨,૮૩૧.૧૬ વ્યાખ્યાનમાળા ખર્ચ સરવૈયાના ફેના માંડીવાળ્યા - વર્ષ દરમિયાન ખ કરતાં આવકને વધારો ૯૭૦.૩૩ ૯,૦૮૫.૮૫ ૧૬,૨૧,૨૩ ૧૬,૨૧૯૩૩ ઉપરના હિસાબે તપાસ્યા છે અને અમારા રીપોર્ટ આધિન શાહ મહેતા એન્ડ કંપની બરાબર છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ મુંબઈ: ૨૪મી મે, ૧૯૬૬ ઓડીટર્સ. મહાત્માજીના જીવનમાંથી હતા. અચાનક કવિવરે પૂછયું: ‘ગાંધીજી આપ અહિંસક છે? પ્રભાત ના બાલસૂર્યને જોઈ તમને આનંદ નથી થતો? પક્ષીઓના કલરવ એક વાર ગાંધીજી અને ભુલાભાઈ દેસાઈ ભરબપેરે કોઈ જગ્યાએ અને ગીત સાંભળી તમારું હૃદય ઝણઝણી નથી ઉઠતું? બાગમાં ઊગેલા જઈ રહ્યા હતા. તડકો સખત હોવાથી ગાંધીજીના ઉઘાડા પણ દાઝતા ગુલાબની કોમળ કળી જોઈ તમારા ગાલ લાલ નથી થઈ જતાં?” હતા. ભુલાભાઈનું ધ્યાન તે તરફ જતાં તેઓ બેલ્યા: બાપુજી, તમારા ગાંધીજીએ મંદ-મંદ હસતાં જણાવ્યું: ‘ગુરુદેવ, હું નથી સ્થિતપગ બળતા હશે. આપ મારા ચપ્પલ પહેરી લ્યો.' , , પ્રજ્ઞ કે નથી સંવેદનાવિહીન. પરંતુ મારા અંતરમાં અહનિશ એક જ આકાંક્ષા, એક જ તમન્ના છે, કે આ બાલ-સૂર્યનાં કિરણો ભારતના ગાંધીજીએ સામેથી બોજો ઊંચકીને આવતા એક મજૂરના ઉઘાડા સામાન્ય માનવીના હૈયાને કયારે પ્રકાશિત કરશે? ગુલાબની લાલી પગ તરફ દષ્ટિ કરી કહ્યું: ‘એના કરતાં પેલા મજૂરને ચપ્પલ’ આપે, ભારતના અર્ધનગ્ન ગરીબેના મુખ પર હું કયારે જોઈશ? આ ભુખ્યા તેના બિચારાના પગ બહુ બળતા હશે.” માણસની આહને બદલે તેમના કંઠમાંથી હું પક્ષીઓના કલરવ જેવું સંગીત કયારે સાંભળીશ !” એકવાર મહાત્માજી અને રવીન્દ્રનાથ ટાગોર વાતો કરી રહ્યા - પરેશકુમાર જે. દાવડા. * માલિક શ્રી મુબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધતુજી સ્ટ્રીટ, મુંબઈ૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ"પ્રેસ, કેટ, મુબંઈ ' Page #141 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂ. ૪ || - C બુક્તજીવને પ્રબુદ્ધ જૈન’નું નવસસ્કરણ વર્ષ ૨૮ : અંક ૬. મુંબઈ, જુલાઈ ૧૬ ૧૯૯૧, શનિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮ છૂટક નકલ ૨૫ પૈસા છે ' તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા == 5 બાલવિકાસ ઘટક રોજના : ૧૯૬૬થી ૧૯૭૫ ક. '. અમદાવાદ ખાતે આવેલી શિક્ષણ સંસ્થા “ટોયસ' જેને પરિ- પણું અનુભવે, જ્યાં માતાની આંખ બાળકના શરીર અને આત્મામાં ચય “પ્રબુદ્ધ જીવન’ના વાચકોને કેટલાક સમય પહેલાં આપવામાં થતા ફેરફારો બાળકની વાચા અને આંખો દ્વારા હરઘડી વાંચતી હોય, આવ્યું છે તેના સ્થાપક અને મુખ્ય સંચાલક શ્રીમતી લીનાબહેન ત્યાં જ માતાની છાયામાં બાળકનું ચારિત્ર્ય ઘડાય. બાળકના વિકાસ મંગળદાસ (ઠે. શ્રેયસ પ્રતિષ્ઠાન, આનંદનગર, અમદાવાદ ૭, ગુજ- માટે પ્રેમાળ, મુકત અને આનંદભર્યા વાતાવરણની જરૂર છે. વૈભવ રાત) તરફથી એક યોજના ‘પ્રબુદ્ધ જીવન’ માં પ્રકાશનાર્થે મળી છે. નહીં તેમ જ સાધનહીનતા નહીં, પરંતુ સાદાઈભર્યા જરૂરી સાધન, આપણા દેશમાં વધતી જતી નિરાધાર, નમાયા, અને કાયદેસરના નહિ ભેજન, કપડાં, અને રહેઠાણ – ઘરની સંપન્નતા, જીવનવ્યવહારમાં એવાં અસ્વીકૃત બાળકોની સંખ્યા વધતી જાય છે. તેના ઉછેર, પોષણ ઉપયોગી એવી શિક્ષણવ્યવસ્થા તથા કુટુંબની પ્રેમાળ છાયાં બાળકના અને શિક્ષણની જરૂરિયાત પૂરી પાડવાના હેતુથી તેમ જ તેમની માતાની ઉછેર માટે અત્યંત આવશ્યક છે. આ ખેટ બને તેટલી હળવી કરવાના આશયથી પ્રેરાયેલી આ યોજના આવું ઘર અને આવી માતા, સારું શિક્ષણ અને સારી શાળા આવકાર, ઉત્તેજન તથા બને તેટલા અર્થસીંચનને પાત્ર છે. આ અને વાતાવરણ બાળકને આપવા માટે બાલવિકાસ ઘટકની યોજના યોજનાની નીચે મુજબ રૂપરેખા છે. ઘડવામાં આવી છે. આ યોજનામાં ઉદ્યોગની વ્યવહારુ તાલીમ દ્વારા * પ્રસ્તાવના બાળકને વ્યવસાય અને આજીવિકા માટેનું સાધન પૂરું પાડી શકાશે - બાળક રાષ્ટ્ર, અને માનવજાતની મોંધી મૂડી છે. આદિકાલથી એવો વિશ્વાસ છે.. બાળકોને પ્રશ્ન ચાલ્યો આવે છે. કુટુંબથી વિમુખ થયેલાં બાળકો ( ૧૯૬૬ થી ૧૯૭૪ સુધીમાં પાંચ કદમમાં ૧૨૦ બાળકોના નિરાધારતા અનુભવે છે. શારીરિક, માનસિક અને આંતરિક પોષણના એક બાળવિકાસ ઘટકને સર્વાશે સંપૂર્ણ તૈયાર કરી, તેને એક મેડેલ અભાવે તેઓ વિવિધ વિકૃતિને ભેગ બને છે. તેમનામાં આળસ, તરીકે રજૂ કરવાની ઉમેદ છે. આ ઘટક તૈયાર થતાં એવાં અનેક ઘટકો નિરક્ષરતા, નિષ્ક્રિયતા, ભિક્ષુકવૃત્તિ, ચેરી, રખડેલપણું અને ગુન્હા દેશભરમાં ચલાવી, ભારતનાં અજ્ઞાન, બેકારી, ગરીબી, દુ:ખ અને હિત વૃત્તિઓ ઘર કરે છે. બદમાશોને શિકાર બની બદમાશ બન- કિંગાલિયત દૂર કરી, રોજી અને રેટી આપે તેવાં ઉછેર અને શિક્ષણ વાના અવળા માર્ગે વળી જાય છે. શેરીમાં રખડતાં કૂતરાંની માફક મેળવી, ગૌરવવંતું જીવન ગુજારે એવી એક પ્રજા તૈયાર કરવાનો આ ભયભીત તેમ જ ભયરૂપ બની ગમે તેમ રખડી ખાય છે! એક નમ્ર પ્રયાસ છે. , આવાં બાળકોને પૂરતે પૌષ્ટિક ખોરાક, જરૂરી કપડાં અને રહેવાને - ૧૯૬૩માં અમને આવી યોજના ઘડવાની કલ્પના આવી હતી. ઘર મળવું જોઈએ. પરંતુ આટલું જ પુરતું નથી. બાળકનું મન કોઈનો તેના આધારે ૧૯૬૪ ના જૂનથી પ્રાયોગિક દષ્ટિએ ૧ માનતા અને ૪ પ્રેમ, કોઈની હૂંફ માગે છે. બાળકના ઘડતર માટે કૌટુંબિક જીવન બાળકોના આવા એક ઘટકની શરૂઆત શ્રેયસ પ્રતિષ્ઠાનને સહકાર ઘણું મહત્ત્વનું છે. સાદું સુવડ ઘર હોય, ઘરમાં મા કે મોટીબહેન હોય, મેળવી કરી છે. આ પ્રયોગને સારી સફળતા મળી છે. આથી પ્રોત્સાપોતાનાં બાળકો માટે માતા રસોઈ કરે, વહાલથી જમાડે, તેનાં કપડાં હિત થઈ પરદેશનાં આવાં કાર્ય અને પરિણામોને અભ્યાસ કરવા. એ, સાંધે, સીવે, એની તંદુરસ્તી અને સુખાકારી માટે ચિંતા સેવે યુરોપ અને સેવિયેત યુનિયનનાં કેટલાંક બાળગ્રામની મુલાકાત અને કાળજી રાખે. નાનાં મોટાં ભાઈ બહેનની સાથે રહી, ‘આ મારું લીધી. તે જોતાં અમારા કાર્યને દેશના વાતાવરણ અને સમાજવ્યવઘર, આ મારે ઓરડે, આ મારો વાડે, આ મારાં રમકડાં એવું પોતાને સ્થાને લક્ષમાં લઈ વિકસાવવાની ઉમેદ સેવીએ છીએ. બાલવિકાસ ઘટક યોજના : રૂપરેખા બાલગ્રામ વિભાગ ' શિક્ષણ વિભાગ , ઉદ્યોગ વિભાગ તરૂણ વિભાગ ઘર-પરિવાર સાર્વજનિક શિશુવાડી શિશુસંવર્ધન (૧૫ ઘર) ભંડાર વર્ષ ૨થી માસ રહા થી સિલાઈ ' ૮ વર્ષનાં ૨ વર્ષનાં ધોલાઈ બાળકો, બાળકોના ઉછેર માટે માતૃતાલીમ બાળ વર્ષ ૭ - ૮ કિશોર વર્ષ ૬ થી ૧૩ કુમાર વર્ષ ૧૪ થી ૧૬ વર્ષ ૧૬ થી થી ૨૧ યુવક યુવતી માટે | ખેતી, કલાકારીગરી, મધમાખી, મરઘાં -બતકાં, ગૌશાળા, કારખાનું, સુથારી, લુહારી, કાસ્ટીંગ, - મેલ્ડીંગ, કાર્યાલય સંબંધી ટાઈપીંગ હિસાબ, બેકરી, વીજળી કામ, આતિથ્ય (ૉટેલ). Page #142 -------------------------------------------------------------------------- ________________ પ (71. 94-00-44. પ્રબુદ્ધ જીવન નિભાવ માટે વિવિધ પ્રકારનાં નાનાંમોટાં રોક્ડ તેમ જ વસ્તુઓનાં દાન સ્વીકારી બધા ખર્ચને પહોંચી વળવાની ઉમેદ છે. બાળગ્રામ પરિવારની માતાનું ચિત્ર બાળગ્રામ પરિવાર વિભાગનું ધ્યેય છે: બાળકને માના ખોળા આપવેદ અને ઘરની હૂંફ આપવી. આ પરિવાર વિભાગમાં સગવડભર્યા ૧૫ ઘરો છે. દરેક ઘરમાં એક માતા પોતાનાં ૮ બાળકોને લઈને રહેશે. શરૂઆતમાં માતાની સંભાળ હેઠળ ૨ થી ૮ વર્ષની ઉમ્મરનાં ૪ બાળકો મૂકવામાં આવશે. બી વર્ષથી ઉત્તરોત્તર બાળકોની સંખ્યા વધીને ૮ ની થશે. સામાન્યત: ૮ વર્ષથી ઉપરનાં બાળકોને પ્રવેશ મળશે નહીં. બાળક ૧૬ વર્ષનું થતાં તરૂણ વિભાગમાં જશે. ધરમાં છેાકરા અને છેકરીએ બેઉ વિવિધ ઉમ્મરનાં મૂકવામાં આવશે. માતાની મુખ્ય અને એકમાત્ર ફરજ બાળકોને પ્રેમથી ઉછેરવાની છે અને તે માટે બાળકોની સર્વસામાન્ય જરૂરિયાત – જેવી કે રસોઈ કરવી, ખવડાવવું, સુવડાવવું, બાળકને સાસૂફ અને નિરોગી રાખવું, ઘર - કપડાં - વાસણ વગેરેની સફાઈ કરવી, બાળકના અભ્યાસમાં રસ લેવા, ઘરને સાફસુંદર રાખવું વગેરેની મમતાભરી કાળજી રાખવી-આ બધી જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. માતાને બાળકો અને પોતાના ખર્ચ – ભાજન, કપડાં, ઘર ચલાવવું, વગેરે અન્ય જરૂરી ખર્ચ-માટે ખેંચ ન પડે તેવી ૮ બાળક અને ૧ માતાને માટે અંદાજે માસિક રૂપિયા ૫૦૦) જેટલી રકમ ઘરખર્ચ પેટે આપવામાં આવશે. ખર્ચની વ્યવસ્થા માતા પોતે પોતાની સુઝ મુજબ કરી શકશે. બાળગ્રામ સંરક્ષક એ બાબતમાં માર્ગદર્શન આપતા રહેશે. ઘરખર્ચ ઉપરાંત માતાને દર વર્ષે રૂપિયા ૬૦૦ બચત તરીકે અને રૂપિયા ૩૦૦૦ ના વિમાના લાભ આપવામાં આવશે. બચતની રકમ તેમના નામે બેંકમાં મૂકી શકાશે કે તેનાં સેવિંગ્સ સર્ટિફિકેટ્સ ખરીદી શકાશે. માતા જરૂર પડે મહિનાના રૂપિયા ૪૦ લેખે ઉપાડ કરી શકશે. માતા અને બાળકોને દર વર્ષે ૫ અઠવાડિયાંની છૂટ્ટી મળશે. આ સમય માતા પોતાની મરજી પડે ત્યાં જઈને ગાળી શકે છે. બાળકો હોલીડે કેમ્પમાં જશે. માતાને દર મહિને બે દિવસની રજા પણ મળશે. માતાઓને મળવા ઈચ્છતાં માતાનાં સગાંસંબંધીઓ રજાના દિવસે નિયત કરેલા સમયે માતાઓની મુલાકાત મુલાકાત-ખંડમાં લઈ શકશે. માતા રજા પર જાય ત્યારે તેનું ઘર સંભાળી લેવા અને ભવિષ્યમાં કોઈ માતાની જગ્યા ખાલી પડે તે તે પૂરવાને માટે ગ્રામમાં બે માથી પણ રાખવામાં આવશે. માથી ભાવિ માતા તરીકે ઉમેદવાર બનીને આ રીતે તાલીમ અને અનુભવ મેળવશે. માતાની સર્વવિધ સલામતી માટે પૂરતી વ્યવસ્થા અને તકેદારી રાખવામાં આવશે. એ અંગે સમગ્ર બાલગ્રામ વિભાગનું સંચાલન કરવા માટે એક કુટુંબવાળા અનુભવી સગૃહસ્થને સંરક્ષક તરીકે મૂકવામાં આવશે. તે સૌની દેખભાળ કરશે તેમ જ માર્ગદર્શન આપશે. માતાને માટીબહેન તરીકે બાળકો સંબોધન કરશે. નિવૃત્તિ વખતે માતાઓ નિવૃત્તિઘરમાં સ્થાન મેળવી શકશે. માતાઓને સગવડ પડે તે માટે ઘરદીઠ ગેસની સગડી (કૂકર) આપવામાં આવશે. શિશુસંવર્ધન વિભાગમાં દોઢ માસથી બે વર્ષનાં બાળકોને ઉછેરવામાં આવશે. અહીં ૧૦ બાળકો અને ૨ ધાત્રી તથા એક મદદનીશ હશે. શિશુ બે વર્ષનું થતાં પરિવારના ઘરોમાં અપનાવી લેવામાં આવશે. બાળકો માટે એક શિક્ષણ વિભાગ ચલાવવામાં આવશે. તેમાં બાળવિકાસ ઘટક તરફથી પૂર્વપ્રાથમિક અને પ્રાથમિક વિભાગથી શરૂ કરી ક્રમે ક્રમે માધ્યમિક શિક્ષણની સગવડ પણ આપવામાં આવશે. સાથેોસાથ એક ઉદ્યોગ વિભાગ પણ ચલાવવામાં આવશે. આ બેઉ વિભાગના અભ્યાસક્રમ બાળકના ભાવિ વનઘ તર અને ભાવિ વ્યવસાયને અનુલક્ષીને ઘડવામાં આવશે. પરિવાર વભાગમાં સર્વ કામકાજ ગુજરાતી ભાષામાં થશે. શિક્ષણ વિભાગમાં અનુક્રમે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી મહત્ત્વ પ્રમાણે શરૂઆતથી જ શીખવવામાં આવશે. શિશુવાડી તેમ જ શાળામાં બાળગ્રામની બહારનાં બાળકોને પણ દાખલ કરવામાં આવશે. સમય આવતાં બાલગ્રામમાં ઉછરેલાં ૧૬ થી ૨૧ વર્ષનાં યુવક - યુવતીએ તરૂણ વિભાગની યોજનામાં દાખલ થઈ શકશે. ગ્રામ સર્વધર્મ સમાનતાની ભાવના પર કામ કરશે. ગ્રામમાં સ્વાશ્રયને ઉત્તેજન આપવાનો આગ્રહ રાખવામાં આવશે. આ સર્વ યોજનાઓના બાળક પ્રત્યે નિર્મળ પ્રેમ. ઘરરખ્ખુ, ઘરનાં સર્વ કામકાજમાં રસ, સુઝ, આવડત. ઉમ્મર—સામાન્ય રીતે ૩૦થી ૪૦ વર્ષના ઠરેલ બેન આવાં કાર્યમાં વધુ ન્યાય આપી શકે. છતાં એથી નાની ઉંમરની બેન પણ યોગ્ય જણાશે તો આ યોજનામાં જોડાઈ શકશે. તંદુરસ્ત અને ખડતલ નિ:સંતાન વિધવા ( અનિવાર્ય સંજોગામાં એક બાળકની માતા). બાલઉછેરના પોતાના કુટુંબમાં અનુભવ. બાળકો સાથે ધીરજ, પ્રેમ, સહિષ્ણુતા, સમજપૂર્વક આનંદથી કામ કરી શકે. ધાર્મિક, સામાજિક અને રાજકીય વિચારોમાં ઉદારતા. ગુજરાતી ભાષા સારી રીતે બાલી, વાંચી, લખી શકે. ગુજરાતી ૭થી ૧૧ ધોરણ સુધી અભ્યાસ. હિંદી સમજી બાલી શકે. અંગ્રેજીનું જ્ઞાન આવકારપાત્ર ધરખર્ચના હિસાબ રાખી શકે. મીઠાશ અને વ્હાલભર્યું વ્યકિતત્વ. અન્ય સગાંઓની દખલ ન હોય. અન્ય માતાએ અને પડોશીએ સાથે હળીમળીને રહી શકે. બાળઉછેર કેવી રીતે કરવા અને ઘરની સંભાળ કેવી રીતે રાખવી તેની પૂર્વ તૈયારી માટે ૩ માસની માતૃતાલીમ લઈ શકે એવી ગ્રહણશકિત. બાળકોના અભ્યાસમાં અને રૂચિમાં રસ લઈ શકે અને માર્ગદર્શન આપી શકે. ૪ થી ૮ જેટલી સંખ્યાનાં બાળકોની માતાનું સ્થાન લેવા સિવાય જીવનમાં બીજી કોઈ મહત્ત્વાકાંક્ષા ન હોય. આ કાર્યમાં પોતાની કૃતાર્થતા સફળતા, સંતોષ અને સુખ છે, પ્રભુભકિત છે, દેશસેવા છે, માનવતાની પૂજા છે એવી શ્રદ્ધા હોય. ભંડોળ અંગે માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક લવાજમ આપી. રોકડ રકમ ઉપરાંત જૂની નવી ઉપયોગી વસ્તુઓ આપી કે સાધના મેળવી આપી: દાખલા તરીકે : કાપડ, વસ્ત્રો, વાસણ, અનાજ, ફળ, દુધ, રાચરચીલું, પુસ્તકો, રમતગમતનાં સાધનો, ઉદ્યોગનાં ઓજારો. આ સહકાર્યમાં સૌ નીચે મુજબ યથાશકિત સહાય કરી શકે છે: (૧) એક કે તેથી વધુ બાળકોના ભાજનનું ખર્ચ એક માસ કે તેથી વધુ માસ કે વર્ષ સુધી ઉપાડી લઈ. (૨) એક કે તેથી વધુ બાળકનાં જરૂરી પુસ્તકો અને અભ્યાસનું ખર્ચ એક માસ કે તેથી વધુ માસ કે વર્ષ સુધી ઉપાડી લઈ. (૩) એક કે તેથી વધુ બાળકના ભાજન તેમજ અભ્યાસ અંગેનું પૂરું ખર્ચ એક માસ કે તેથી વધુ માસ કે વર્ષ સુધી ઉપાડી લઈ. જવાબદારી એક માસ કે તેથી વધુ માસ કે વર્ષ માટે ઉપાડી લઈ, ફલ પાંદડી : નીચે બતાવ્યા મુજબના ટેકો આપીને બાળકના હિતસ્ત્રી બનવા વિનંતિ છે: શુભેચ્છા... રૂપિયા ૫ ભાંડુ સ્નેહી રૂપિયા ૧૨ મિત્ર રૂપિયા ૨૫ સંબંધી રૂપિયા ૫૦ વડીલ સ્વજન રક્ષક ... વિષયસૂચિ બાલવિકાસ ઘટક યોજના: ૧૯૬૬ થી ૧૯૭૫ શ્રી જ્યપ્રકાશ નારાયણ : જ્યપ્રકાશની વિચારણા, વિવિધ રંગોવાળુ વ્યકિતત્ત્વ. મેહ વર્તમાન રાષ્ટ્રીય પરિસ્થિતિ પ્રકીર્ણ નોંધ : મુંબઈ માથે તેાળાઈ રહેલ પાણીની કટોકટી, કચ્છ– બીદડાના સાધુપુરૂષ વેલજીભાઈના દુ:ખદ દેહવિલય, ગાંધીજી અને મજૂર પ્રવૃત્તિ, કાનૂની આદર અંગેની આજની પરિસ્થિતિ, ભારતની બહેનોને કાયદાએ આપેલી સમાનતા અને આજની વાસ્તવિકતા, ડા. એન. એમ. શાહે ‘પ્રબુદ્ધજીવન’ પ્રત્યે દાખવેલી મમતા. મહાપ્રસ્થાનના પથ પર - ૧૨ રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા દાદા ધર્માધિકારી ગીતા પરીખ ૧૭૭ ... [ad... ૧,૦૦૦ મ ૫૦૦૦ પૃષ્ઠ પ્રબેાધકુમાર સંન્યાલ = ? = ચીમનલાલ ચકુભાઈ શાહ ૫૮ પરમાનંદ ૬૦ ૬૩ 2 Page #143 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૭-૧ પ્રભુ જીવન શ્રી જયપ્રકાશ નારાયણ [સર્વોદય પ્રેસ સર્વિસ દ્વારા મળેલા સર્વોદયવાદી શ્રી જયપ્રકાશ નારાયણના મહુલક્ષી જીવનનો પરિચય આપતા બે લેખા નીચે પ્રગટ કરવામાં આવે છે. જયપ્રકાશની વિચારણા આજના ભારતના ઈતિહાસમાં શ્રી જયપ્રકાશ નારાયણનું જે સ્થાન છે અને આપણા વૈચારિક તેમ જ રાજકીય જીવન પર એમના જે પ્રભાવ છે તે વિષે બે મત હાઈન શકે. આજે લોકમાનસને અણગમતાં ઘણાં સૂચના એમના તરફથી થયાં છે અને તેથી પ્રજામાં કંઈક ક્ષેાભ પણ જાગ્યો છે એની ના પાડી શકાય એમ નથી. પણ આ સૂચના કોઈ એક ક્ષણના તરંગે નથી કે દુનિયાને ચમકાવવાની કોઈ ધેલછામાંથી જન્મ્યાં નથી, પણ દાયકાથીયે વધારે વર્ષોની એક જીવનતપસ્યામાં એનું ઉદ્ભવસ્થાન છે અને એને એ પરિપાક છે. એટલે આપણે એ વિચારો સાથે મળતા થઈએ કે ન થઈએ તે પણ એને સમજવાની આપણી ફરજ છે, જેથી આજની અનેક જટિલ સમસ્યાઓ હલ કરવાના આપણા પ્રયત્નોમાં એ સમજ સહાયરૂપ થઈ પડે. ૧૯૨૧માં રાષ્ટ્રીય લડતમાં ઝંપલાવ્યું ત્યારથી આજ સુધી શ્રી જયપ્રકાશનું જીવન પુરુષાર્થદંગી રહ્યું છે. એમણે સત્યાગ્રહો કર્યા છે, જેલે ભાગવી છે, જેલામાંથી નાસી પણ છૂટયા છે. ભારતને મુકત કરવા માટે “આઝાદ દસ્તા’ પણ એમણે ઊભું કર્યું હતું... આધુનિક ભારતના રાજકીય જીવનનું કોઈ એવું પાસું નથી જેમાં શ્રી જયપ્રકાશે કોઈ હિસ્સા ન આપ્યા હાય. ગાંધીજીના જીવન દરમિયાન એ ગાંધીવાદના કટ્ટર વિરોધી રહ્યા, છતાં ગાંધીજી એમને મહાન વિચારક અને પુરુષાર્થી તરીકે સન્માનતા ને સ્વીકારતા એ એમની સાહસિક વૃત્તિનો તેમજ માનસિક પ્રતિભાના સચાટ પુરાવા છે. આમ શ્રી જયપ્રકાશની મહત્તા જેટલી એમના જીવનમાં છે એટલી જ એમના મનનમાં પણ છે. એમની અનેકવિધ પ્રવૃત્તિઓમાંથી મળતા અનુભવા ઉપર એ સતત મનન કરે છે, પોતાના સિદ્ધાંતાને આ અનુભવની કસેાટીએ ચઢાવે છે અને જો એ પર્યાપ્ત ન જણાય તે તેના ત્યાગ કરતાં, અને એવા ત્યાગ એમણે કર્યો છે એ જાતનો ખુલ્લા દિલથી એકરાર કરતાં તેઓ કદી અચકાતા નથી. જ્યારે કોઈ સિદ્ધાંત એમને સાચા લાગે ત્યારે તેની સુંદર રીતે રજુઆત કરવાની અને તેના સમર્થનમાં જેટલી દલીલો શકય હોય તે બધી તર્કબદ્ધ રીતે રજૂ કરવાની કળામાં શ્રી જયપ્રકાશનો નંબર ગાંધીજી પછી બીજો આવે છે એમ ઘણા માને છે...શ્રી જયપ્રકાશની મહત્તા એ છેકે લોકોની આવી ટીકાઓથી ગભરાયા વગર તેઓ અનેક પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યે જાય છે, એમાંથી તારતમ્ય કાઢતા જાય છે અને લોકો સમક્ષ એ મૂકતા પણ જાય છે. હમણાં જ એમણે લોકોને ન ગમતા વિચારોમાં જો કોઈ ખરેખર માનતા હોય અને એ વિષે આગ્રહ રાખતા હોય તે તે બેધડક રજૂ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકયા હતેા. આમ શારીરિક અને માનસિક અભયને વરેલા આ ચિંતનશીલ પુરુષના વિચારો જાણવાની અને સમજવાની જિજ્ઞાસા થાય તે તે ઈષ્ટ જ છે. આવી જિજ્ઞાસા માત્ર આપણા દેશ પૂરતી જ મર્યાદિત નથી રહી. વિદેશોમાં પણ એમના વિચારોના અભ્યાસ થાય છે અને એમાં પરિવર્તન કેમ અને કેવાં આવ્યાં તેની ચર્ચાઓ ચાલે છે. એક પ્રખર વિશુદ્ધ માર્કસવાદી તરીકે એમણે પેાતાની વિચારયાત્રા શરૂ કરી... માર્કસવાદના સ્વીકાર અને ગાંધીવાદને ત્યાગ ૫૭ આ સમયે એમણે બુધ્ધિપુર:સર, પૂરતા વિચાર કરીને અને આંખ બરાબર ઉઘાડી રાખીને જ કર્યો હતા. પછી તે વર્ષો વીતતાં એમના વિચારોમાં શાં પરિવર્તન આવ્યાં તેના ઈતિહાસ તે જાણીતા છે... એક વાર શ્રી જયપ્રકાશ માત્ર બ્રિટિશ સલ્તનત સામે જ નહિ પણ દેશમાં સમાજવાદના માર્ગમાં અંતરાયરૂપ બનતા તત્વો સામે પણ બળનો ઉપયોગ કરવાની હિમાયત કરતા; આજે ચીનના આક્રમણ સામે પણ શાંતિસેના ઊભી કરવાના પ્રયોગોમાં એમણે અગ્ર ભાગ ભજવ્યો છે. એક વાર શાષિત વર્ગની સરમુખત્યારીને સિદ્ધાંત એમણે અપનાવ્યો હતા; આજે વર્ગવર્ગ વચ્ચેના સહકાર અને કોઈ વર્ગનું બીજા વર્ગ પર વર્ચસ્વ ન હોય એ ાતની સમાજવ્યવસ્થા તેઓ વાંચ્યું છે. એક વાર રાજ્યસત્તા કબજે કરી તે દ્વારા સમજૂતીથી કે બળજબરીથી પણ સમાજવાદી સમાજ સ્થાપવાના એમને કોડ હતા; આજે રાજ્યશકિતનો આશ્રાય છેાડી જનશકિત ખીલવવા અને તે દ્વારા સમાજપરિવર્તન લાવવા તેએ માગે છે. એક વાર સામાજિક સંસ્થાઓમાં ફેરફાર કરી તેઓ દરિદ્રોનાં દુ:ખ ટાળવા માગતા હતા; આજે વ્યકિતના માનસમાં પરિવર્તન કરી તેઓ ન્યાયી સમાજ સ્થાપવાની હિમાયત કરે છે. એક વાર ભૌતિકવાદ એમણે અપનાવ્યો હતા; આજે અધ્યાત્મવાદ એમણે સ્વીકાર્યો છે. આમ માર્કસવાદના લગભગ બધા સિદ્ધાંત એમણે છેડયા છે અને ગાંધીવાદના અપનાવ્યા છે, એટ લું જ નહિ પણ, માકર્સવાદને સામાજિક વિશ્લેષણના સાધન તરીકે પણ છેડયું છે... શ્રી જયપ્રકાશે માત્ર માર્કસવાદને જ ત્યાગ નથી કર્યો, પણ સંસદીય લોકશાહીને પણ વિરોધ કર્યો છે અને પક્ષનિષ્ઠ રાજનીતિ છેડી છે... પશ્ચિમના દેશમાંથી આવતી સમગ્ર રાજનીતિની ભાવનાને અપર્યાપ્ત ગણી છે. એટલે માકર્સવાદના ત્યાગ સાથે કોઈ નવી સામાજિક ફિલસૂફીની શોધ તેએક કરી રહ્યા છે. આ ફિલસૂફી ગાંધીવાદ પર આધારિત ભલે હોય તે પણ એ એનાથી આગળ જવા મથી રહી છે... એ નવપથના નિર્માણમાં શ્રી જયપ્રકાશ તરફથી મોટી આશા રખાય છે. રોહિત વે વિવિધ રંગાવાળુ વ્યક્તિત્વ યપ્રકાશજીનું સર્વોદય ક્ષેત્રમાં આવવું એ આપણા દેશના અને દુનિયાના સમાજવાદના ઈતિહાસમાં એક મહત્વની ઘટના છે. એમનું વ્યકિતત્વ વિવિધ રંગોથી સંપન્ન રહ્યું છે. એમને વિશે લોકોમાં ઘણા પરસ્પર - વિરોધી ભાવા પ્રવર્તે છે. તેઓ પોતે કહે છે કે હું ચર્ચાસ્પદ Controversial (કોન્ટ્રોવર્સિયલ) વ્યકિત છું. હું એમાં એટલું ઉમેરવા માગું છું કે એ વ્યકિતત્વ ભાતીગળ—કલર— કલ Colourful—પણ છે. સૂર્યકિરણના સાતેય રંગોથી સભર હોવાથી એમાં અદભુત આકર્ષણ ભર્યું છે. સમાજવાદનું વિવરણ કરનારાઓમાં અગ્રગણ્ય એવા ઈંગ્લાંડના મેકડોનાલ્ડે સમાજવાદ પરના પોતાના પહેલા પુસ્તકમાં એક ઠેકાણે લખ્યું છે: “રાષ્ટ્રના મહાપુરુષોનો ઈતિહાસ એ રોમાંચક ઈતિહાસ છે.” આપણા દેશમાં સમાજવાદના ઈતિહાસનું પરિશીલન કરવા સારુ જે જે ચરિત્ર જેવાં પડે તેમાં જે. પી. સ્થાન અગ્રગણ્ય છે. રંગૂનમાં સમાજવાદી પરિષદના મંચ પરથી જે. પી. એ કહેલું: “આગામી સમાજવાદી ક્રાંતિની વિભૂતિ મજૂર નહીં પણ કિસાન થશે.” પરંપરાગત સમાજવાદી વિચારમાં આ બહુ મોટો તફાવત છે. વળી વૈજ્ઞાનિક સમાજવાદની પ્રગતિમાં હવે હિંસાને સ્થાન Page #144 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નથી એવી ઘોષણા કરવામાં જે. પી. પહેલા હતા. લોકશાહી સમાવાદના નેતાઓએ પણ આ ઘોષણા કરી હતી. પણ વૈજ્ઞાનિક ક્રાંતિકારી સમાજવાદી તરીકે આ મહત્વપૂર્ણ ઘોષણા જે. પી. એ પહેલી કરેલી. સમાજવાદી આંદોલનના અધ્વર્યુની હેસિયતથી એમણે એમ પણ કહ્યું કે માણસને સદાચારની પ્રેરણા ભૌતિક કારણેાસર નથી થતી. ભૌતિક પ્રેરણાઓ કરતાં બીજી કોઈ મૂળભૂત માનવીય પ્રેરણા તરફ ડગ માંડવા પડશે. આમાં સમાજવાદનું આધુનિકતમ વૈજ્ઞાનિક સ્વરૂપ અભિવ્યકત થાય છે. આમ એમના વ્યકિતત્વના વિકાસની અંદર આપણા દેશના સમાજવાદના વિકાસનાં દર્શન થાય છે. એમના પદાર્પણથી સર્વોદય અધિક વૈજ્ઞાનિક, અધિક સમૃદ્ધ અને માનવીય દૃષ્ટિએ વધુ આધ્યાત્મિક. બન્યો છે. એમના જીવન વિશે એક વાત મારે કહેવી છે. તેઓ પ્રભાવતીદેવીના સહચર છે. હું એમ કહેવા નથી માગતા કે પ્રભાવતીદેવી એમની સહચારિણી છે. હું તો એમ કહું છું કે જે. પી. પ્રભાવતીદેવીના સહચર છે. આપણા દેશમાં સંત, સાધુ, ત્યાગી, વૈરાગી ઘણા છે. એવીયે અનેક વ્યકિત છે, જેમણે આજન્મ બ્રહ્મચર્યનું વ્રતપાલન કર્યું હોય, પરંતુ કશાયે વ્રત કે સંકલ્પ વિના જીવનભર નૈષ્ઠિ વિવાહિત બ્રહ્મચર્યનું અનુષ્ઠાન ભાગ્યેજ કોઈએ કર્યું હશે, એનું શ્રેય જેટલું જે. પી. ને છે એનાથી વધુ પ્રભાવતીદેવીને છે. જે, પી.ને જોઈને તેઓ એક સાધુપુરુ ષ હાય એમ નથી લાગતું. ઘણા સાથીઓ તે એમને હુજૂરવર્ગના જ માને છે. પરંતુ બહુ ઓછાને ખબર હશે કે અમેરિકામાં એમણે જે વિદ્યા સંપાદન કરી તે ત્યાં નાના મેટાં મજૂરીનાં કામ કરીને કરેલી. આજે પણ પેાતાના આશ્રમમાં તેઓ મારા કરતાં વધુ શરીરામ કરે છે. પ્રબુદ્ધ જીવન જે. પી. એક હૃદયવાન વ્યકિત છે. બુદ્ધિ એમની જેટલી સમૃદ્ધ અને વિકસિત છે એનાથી કયાંય વિશાળ અને ઉદાર એમનું હૃદય છે. તેથી તે દેશ અને દુનિયામાં થનાર ઘટનાઓનો પડઘો એમના વીર, ઉદાર હૃદયમાં આપણા કરતાં અનોખો પડે છે. મે' એમની વીરતાને ઉલ્લેખ જાણી જોઈને નથી કર્યો. ૧૯૪૨ અને પહેલાંના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમણે જે વીરતાપૂર્ણ ભાગ ભજવ્યો છે એનાથી સૌ પિરિચત છે. લોકોને એમનું ઘેલું હતું. જનતા પર એમના નામની જાદુ જેવી અસર થતી. આવું વિવિધગુણ-સંપન્ન એમનું વ્યકિતત્વ છે તેથી તે મેં એને વિવિધ રંગાવાળુ વ્યકિતત્વ કહ્યું છે. દાદા ધર્માધિકારી મેહ મન મૂકીને વરસે, મેહ ! ધરણીની તડતડમાં વાચા ધરે વ્યથાની ચેહ દરિયા દિલને નયનચકી અમ અપર પાર, દિલે તમ ખૂટી ગઈ જધાર ? માટીના ગાપિત કણ કણમાં છલકે તાય અરે દરિયાવ પ્રજળ છે. તમ લેહ – મન ... કણે કણે યાં ભરી લેહ ત્યાં રખે ન ઝરશે. ફોરાં ! ફોરફોર લલચાવે તે કદી ય આવે ઝંઝાને જલધાર દીયો ધરાને 1 એરા ? બાળી .... તેહ! – મન ... ગીતા પરીખ. તા. ૧૬-૭-૬૬ વર્તમાન રાષ્ટ્રીય પરિસ્થિતિ (જૈન સમાજના સુસ્થિત વર્ગમાં પરસ્પર સામાજિક વ્યવહાર કેળવાય એવા હેતુથી અને જૈન સમાજ માટે મિલનભૂમી ઊભી થાય એવી એક જૈન કલબનું નિર્માણ કરવું એવા ધ્યેયથી કાર્ય કરતી ‘જૈન સોશિયલ ગ્રુપ' નામની એક સંસ્થા છેલ્લા દોઢ વર્ષથી અસ્તિત્વમાં આવી છે. તેની પ્રવેશ ફી રૂા. ૧૦૧ છે અને વાર્ષિક લવાજમ રૂા. ૫૧ છે. તેના અધિકારીઓ નીચે મુજબ છે. પ્રમુખ : શ્રી કાંતિલાલ વારા મંત્રી : શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ : શ્રી ચીમનલાલ ગોસલિયા કોષાધ્યક્ષ : શ્રી જેવંતલાલ શાહ આ સંસ્થા તરફથી અવારનવાર સ્નેહ સંમેલન તેમ જ જાણીતી વ્યકિતઓનાં વ્યાખ્યાના ગોઠવવામાં આવે છે તથા ગાળે ગાળે સભ્યોનાં સમૂહભાજન પણ યોજવામાં આવે છે. આ જૈન સાશિયલ ગ્રુપ તરફથી તા. ૨૯-૬-’૬૬ બુધવારના રોજ સાંજના ૭ વાગ્યે ગ્રેઈન એન્ડ ઑઈલ ડીસીઝ મરચન્ટ્સ એસોસિએશનના હોલમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વર્તમાન રાષ્ટ્રીય પરિસ્થિતિ ઉંપર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. તે વ્યાખ્યાનના સંકલિત સાર નીચે આપવામાં આવે છે. મંત્રી ) સ્વ. લાલબહાદુર શાસ્ત્રી પછી ઈન્દિરા ગાંધી વડા પ્રધાન થયાઅને ટૂંક સમયમાં જ એમને અનહદ મુશ્કેલીઓના સામના કરવા પડયા છે. એમણે લીધેલા નિર્ણયો શાણા હાય કે નહિ, પણ નિર્ણયો હિંમતથી લીધા છે એની કોઈના પાડી શકે એમ નથી. જે પ્રશ્નમાં નહેરુ કે લાલબહાદુર શાસ્ત્રી મૂંઝાયા હતા એ પ્રશ્નો વિષે આટલી નાની ઉંમરમાં એમને એટલા અનુભવ નથી એમ કહેવાય છે તે સંજોગામાં પણ—આ સુકાન ઉપાડીને નિડર નેતાગીરીની છાપ એમણે પાડી છે. વડા પ્રધાનનાં કહેવા પ્રમાણે આથી વધારે ટોટીને સમય -DARK DAYS—આપણે માટે હવે આવવાના છે. તો, પ્રશ્ન એ થાય છે કે કટોકટીનાં શું કારણેા છે? આજની પરિસ્થિતિ શું કોઈ આકસ્મિક ઊભી થઈ છે? ના. આજની કટોકટીનાં કારણા માટે આપણે આઝાદીનાં ૧૮ વરસનો ઇતિહાસ જોવા પડશે. ૧૮ વરસનું આપણુ જે કામકાજ છે એ આજની કટોકટીનું કારણ છે. આમ જોઈએ તો આપણે એક બાજુથી ભારે પ્રગતિ કરી છે. દુનિયાના અન્ય સ્વતંત્ર દેશેાની સરખામણીમાં આપણે એક બાજુએ સ્થિર રાજ્યતંત્ર, એક મેટી લોકશાહી, ધ્યેયસરનું અર્થતંત્ર મેળવી શક્યા છીએ તે બીજી બાજુએ આપણે કેટલીક મેાટી ભૂલેટ પણ કરી છે અને એ ભૂલાનાં પરિણામે આજે ભાગવીએ છીએ અને ક્યાં સુધી ભાગવવા પડશે તે કહેવું મુશ્કેલ છે. આપણે ત્યાં છેલ્લા કેટલાક મહિનામાં ત્રણ મુખ્ય બનાવા બન્યા છે: ૧. પંજાબના ભાગલા, ૨. આર્થિક ક્ષેત્રે રૂપિયાનું અવમૂલ્યાંકન, ૩. રાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક અસ્થિરતા અને સ્ફોટક પરિસ્થિતિ, પંડિત નહેરુએ દુનિયાને અને આપણા દેશને ઘણી મોટી વસ્તુઓ આપી છે તે તેમણે ભૂલા પણ નાની નથી કરી એમ સખેદ કહેવું પડે છે. આ ભૂલામાંથી એક ભૂલ તે “ભાષાકીય પ્રાંત - રચના ’ અને આ ભૂલનાં પરિણામેા આજે આપણે જોઈએ છીએ. ભાષાકીય પ્રાંત – રચના માટે ફાજલઅલી કમિશન નિમાયું હતું. એ કમિશનમાં અને પાર્લામેન્ટમાં પણ એ વખતે ગુજરાતના કેસ રજૂ કરતાં મે` ભાષાકીય પ્રાંતરચનાના વિરોધ કર્યો હતો અને આજે પણ હું એ જ કહું છું. શ્રી અશોક મહેતા એ દિવસેામાં ભાષા Page #145 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૭-૧૯ પ્રબુદ્ધ જીવન કીય પ્રાંતરચનાની વિરુદ્ધમાં એક ઊર્મિશીલ (Impassied speech) ભાષણ પાર્લામેન્ટમાં કરેલું. આજે પંજાબી સુબાની રચનામાં શ્રી અશોક મહેતાને ટેકે છે–અને જ્યારે એમને પૂછીએ કે આજે તમે આ શું કરો છો ત્યારે જવાબ મળે છે “બીજાને મળ્યું તો આને એકને કેમ નહિ?” શ્રી અશોક મહેતાના આર્થિક અને રાજકીય ક્ષેત્રે વિરોધાભાસી વિચારે વિષે ઘણું કહી શકાય એમ છે, પણ આજે આપણે એમાં નહિ ઊતરીએ. પંજાબમાં ખરી રીતે ગુરુમુખી અને હિંદી અલગ ભાષાઓ. નથી, પણ ત્યાં ય ભાષાની ભૂતાવળ પહોંચી અને સંત ફત્તેહસિંગે પંજાબી સૂબે ભાષાના ધોરણે માં. માતર તારાસિંગે તે કોમી ધરણે શિખીસ્તાન માંગેલું એટલે એમની માંગણીને તે વિરોધ કરી, શકાશે. પણ સંત ફત્તેહસિંગને જવાબ આપવાની આપણી સરકાર હિંમત કરી શકી નહિ. જવાબ એક આપી શકાય કે અન્ય રાજ્યમાં ભાષાકીય પ્રાંતે રચવાની અમે ભૂલ કરી છે તે ભૂલ પાછી અમે અહિ કરવા માંગતા નથી.” પણ પાકિસ્તાનના સંદર્ભમાં શિખાને નારાજ કરવા આપણને પાલવે તેમ ન હતું. આમ પંજાબી સુબાની માંગણી અનિવાર્યપણે સ્વીકારવી પડી છે. નહેરુએ કહેલું કે ફાજલઅલી કમિશનનને રિપોર્ટ સવગપણે સ્વીકારાશે. પણ કમિશનની ભલામણે બાજુએ મૂકીને જેને ગજ લાંબે એને વધુ મળે એવી સ્થિતિ ઉભી થવા પામી છે. હિંદુ-શીખ વચ્ચે જે વૈમનસ્ય ન હતું તે આવ્યું છે અને તે કયાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે. પંજાબ અને હરિયાણા રાજ્ય હવે જુદા થશે. પંજાબ ઉદ્યોગપ્રધાન છે, સમૃદ્ધ છે, જ્યારે હરિયાણા ખેતીપ્રધાન અને નિર્બળ, પછાત રાજ્ય છે. કેન્દ્ર હરિયાણાને કરોડો રૂપિયાની મદદ કરવી પડશે. હરિયાણા નાનું રાજ્ય છે, એની પાસે કોઈ નેતાગીરી પણ નથી. હરિયાણા રાજ્ય પણ એની રાજધાની ઊભી કરવી પડશે. આજે અન્ય રાજ્યોના ધોરણે જુદાં રાજ્યોની માગણી થઈ રહી છે અને આને કેટલાક રાજકીય માણસો ટેક પણ આપે છે. મીઝ અને નાગાલેન્ડ આના દાખલા છે. મી અને નાગાલેન્ડની પરિસ્થિતિ અત્યારે તે આપણા કાબુમાં છે, પણ આ પરિસ્થિતિ વિકટ થવાનો સંભવ છે. કારણ ત્યાંના લોકોએ ગેરીલા યુદ્ધપદ્ધતિ અખત્યાર કરી છે. સ્થાનિક પ્રજાને સહકાર ગેરીલાને હોય છે. વળી મિશનરીઓ અહીં કામ કરતા હોય છે એટલે સરકારને કામ લેવું ઘણું મુશ્કેલ છે. મીઝે પ્રદેશની આજુબાજુ બર્માપાકિસ્તાન છે. એક સાંકડી પટ્ટી જેવો આ પ્રદેશ છે એટલે લશ્કરને મજબૂત હાથે કામ કરવા દેવામાં ન આવે તે પરિસ્થિતિ ગમે ત્યારે વણસે એવું લાગે છે. પાકિસ્તાન સાથે તાત્કંદ કરાર કર્યા ત્યારે હવે શાંતિ થશે એવી માન્યતા હતી. પણ એ માન્યતા ભૂલભરેલી હોવાનું થડાજ - સમયમાં દેખાઈ આવ્યું છે. અલબત્ત, પાકિસ્તાનને સામને કરવા આપણી પૂરી તૈયારી છે, પણ પંદર દિવસમાં જે વિજય મેળવ્યું તે પાકિસ્તાનની પૂરી તૈયારી પછી પણ આપણે મેળવી શકીશું કે કેમ તે સવાલ છે. પાકિસ્તાને તો આક્રમણની પૂરી તૈયારી કરવા આ સમય લીધે છે. અને પાકિસ્તાન અમેરિકા અને રશિયા બંનેને ખેલાવે છે. છે. કહે છે કે રશિયા અને બધા પ્રકારની સહાય કરશે. સમજાતું નથી કે તાત્કંદ કરાર પછી રશિયા અને કેવી રીતે સહાય કરે! પણ એક હકીકત છે કે આપણા માટે પાકિસ્તાનના આક્રમણને ભય વધતો જાય છે. અલબત્ત, પૂર્વ પાકિસ્તાનમાં મામલો બગડતો જાય છે. પૂર્વ પાકિસ્તાનમાં ‘હિંદુ-મુસ્લિમ ભાવના કરતાં ‘અમે બંગાળી” ભાવના વધતી જતી દેખાય છે અને આ ભાવના કેવું સ્વરૂપ પકડશે તે કહેવું મુશ્કેલ છે. પૂર્વ પાકિસ્તાનમાં તેફાને સારા પ્રમાણમાં થતા હોય એમ દેખાય છે. કેંગ્રેસ પક્ષ સિવાય અન્ય કોઈ રાજદ્વારી પક્ષ દેશનું સુકાન ત છે અને આને કેટલા ખલા છે. સંભાળે એ કોઈ પક્ષ હજુ મને દેખાતો નથી. નવી ચૂંટણીના પરિરામે મોટા ભાગે કોંગ્રેસને અમલ ચાલુ રહેશે એમ લાગે છે. અલબત્ત, કેંગ્રેસ એના આંતરિક કલહોથી–સત્તાની સાઠમારીથી–નિર્બળ બની છે. જુદા જુદા રાજ્યના આગેવાનોનાં વર્તન માત્ર ખેદ જ નહિ પણ તિરસ્કાર ઊભા કરે એવા છે. પછી ભલે એ વર્તન નદીના પાણીના પ્રશ્ન અંગે હોય કે સરહદના પ્રશ્ન અંગે હોય. કર્ણાટક—બેલગામની મરાઠી પ્રજા એમ કહે છે કે અમે મૈસૂરમાં નહિ રહીએ તે આ તે ગુજરાતીઓ એમ કહે છે કે અમે મુંબઈમાં નહિ રહીએ, એના જેવું થયું અને આ કેટલું ભયંકર કહેવાય ? આજે દેશનું ભાવિ નજીકના સમયમાં ઉજજવળ દેખાતું નથી. રાજ્યના મુખ્ય પ્રધાને વ્યવસ્થા અને શાંતિ જાળવી શકતા નથી. હાલતાં–ચાલતાં તેફાને થાય છે. માઈસર નજીક ગુલબર્ગા બાજુએ ૨૫,૦૦૦ લોકોનું ટોળું એક ટ્રેનને અટકાવી શકે અને લૂંટી કાટ અને ત્યાંની પોલીસ કે સરકાર ઊભી ઊભી જોયા જ કરે તે શું સમજવું? આજે રાજ્યો ઉપર કેન્દ્ર સરકારનું વર્ચસ ઓછું થયું છે. મુખ્ય પ્રધાનોને મધ્યવર્તી સરકાર અંકુશમાં રાખી શકતી નથી. આ પરિસ્થિતિ ભારે ચિંતાજનક છે. કેંગ્રેસ પ્રમુખ કામરાજ મજબૂત માણસ છે; સરદાર પટેલ જેવા લેખંડી માણસ છે; તેઓ બોલે છે ઓછું, પણ નિશ્ચયપૂર્વક કામ લે છે. પણ તેમને ભાષાની મોટી મુશ્કેલી નડે છે, તેથી પ્રજા સાથે તેઓ એકરૂપ થઈ શકતા નથી. તેમના વિચારો આપણે જાણતા નથી અને પ્રજાને જોઈએ તેવું માર્ગદર્શન તેમના તરફથી મળતું નથી. તેમણે દેશને બે વખત કટોકટીમાંથી બચાવી લીધે છે: પહેલી વાર નહેરુના અવસાન વખતે, બીજીવાર લાલબહાદુરના અવસાન વખતે. આ માટે તેમાં આપણા સર્વના અભિનન્દનના અધિકારી છે. આજે લોકમાનસ અત્યંત અસ્થિર થઈ ગયું છે. આજે લોકો બુરું માનવા, બુરું સાંભળવા, બુરું કરવા તૈયાર થઈ ગયા છે અને આનું મૂળ કારણ છે આર્થિક ભીંસ. આર્થિક વિષમતા, વધતી જતી મોંઘવારી અને આ પણ એક જ દિવસનું પરિણામ નથી, અઢાર વર્ષનું પરિણામ છે. અને આ કટોકટી નિવારવા અવમૂલ્યાંકન કરવું પડયું છે. રાષ્ટ્રમાં જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં અવમૂલ્યાંકન અનિવાર્ય હતું. દેશે નિકાસ માટેનાં જે લાભે વ્યાપારી વગેનેિ આપ્યાં એમાં વ્યાપારીઓએ જે ગેરરીતિઓ અપનાવી ગેરલાભ લીધે છે તે જોઈએ તે આપણે શરમાવા જેવું છે. અવમૂલ્યાંકનથી પરિસ્થિતિને થાળે પડતા જરૂર વાર લાગશે. પણ જો પાયામાં ઉત્પાદન નહિ વધે તે અવમૂલ્યાંકન નિષ્ફળ જશે. ઉત્પાદન વધવું જોઈએ-માલ નિકાસ થવો જોઈએ અને પરદેશી હૂંડિયામણ અહિં આવવું જોઈએ. આ ઉપરાંત અવમૂલ્યાંકનને સફળ બનાવવું હશે તે પાયામાં પ્રામાણિકતા જોઈશે અને પ્રામાણિકતા નથી વ્યાપારીમાં - નથી અમલદારમાં - નથી રાષ્ટ્રમાં. એટલે ખરું તે એ વિચારવાનું છે કે આપણું નૈતિક ધોરણ કેમ ઊંચું આવે?આપણામાં દેશદાઝ કેમ આવે? આજે દોષ કાઢવા સહેલા છે. આપણે નેતાગીરીની અસફળતા સામે જ જોઈએ છીએ - આજે પ્રજામાં પ્રત્યાઘાતી માનસ ઊભું થયું છે, જાણે કે આ રાજ્ય વિદેશી હોય અને એની સાથે સહકાર નહિ પણ સત્યાગ્રહ કરવાની કેમ ન હોય! આમ આજે નિરાશાભરી અને કટોકટીની પરિસ્થિતિ પેદા થઈ છે. આપણે ઈચ્છીએ કે કેંગ્રેસ નિષ્ઠાવાન અને સેવાભાવી માણસને પિતાના કરે, બધા જુદી જુદી દિશામાં દેશને ન ખેંચે. પ્રજા પણ દેશદાઝ કેળવે - અને દેશદાઝથી જ અવમૂલ્યાંકન ફળદાયી નિવડશે. અને બે વર્ષમાં આબાદીનાં પંથે જઈ શકીશું, જો આપણે આપણું માનસ પરિવર્તન કરી તો. સંકલન : ચીમનલાલ જે. શાહ ચીમનલાલ ચકુભાઈ શાહ ત્યારે તે આપણા કાબુમ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પ્રભુ જીવન પ્રકી નોંધ મુંબઈ માથે તળાઈ રહેલી પાણીની કટોકટી ” પ્રબુદ્ધ જીવન ’ના આ અંક તૈયાર થઈ રહ્યો છે ત્યારે મુંબઈના માથે કોઈ કાળે કલ્પેલી નહિ એવી પાણી મેળવવાની અસાધારણ કટોકટી તાળાઈ રહી છે. મુંબઈને પાણી પૂરું પાડતાં સરોવરોનાં પાણી એકદમ ઓસરતાં ચાલ્યાં છે. સઘન વર્ષાના આ દિવસો બિલકુલ વરસાદ વિના કોરાધાકોર વ્યતીત થઈ રહ્યા છે. હવે પછીના દિવસામાં વરસાદ નહિ જ આવે એમ કહી શકાય નહિ. ગમે ત્યાંથી વાદળાંઓ ખેંચાઈ આવે અને તરતમાં જોઈતું પાંચ - પચ્ચીસ ઈંચ પાણી ઠાલવી જાય એ તદ્દન અસંભવિત છે એમ પણ કહીન જ શકાય. પણ સાધારણ ક્રમ પ્રમાણે મલબાર બાજુએ પહેલાં વાદળોના ખૂબ ભરાવેા થાય, સારા પ્રમાણમાં તે બાજુએ વરસાદ પડે અને પછી વર્ષોનો પ્રવાહ આ બાજુએ ખેંચાઈ આવે. તેના બદલે દક્ષિણ બાજુના પ્રદેશમાં જેને માનનસૂનના પ્રવાહ કહેવામાં આવે છે એવા કોઈ પ્રવાહની જમાવટના હજુ સુધી કશા સમાચાર પ્રાપ્ત થયા નથી અને તેથી તરતના વરસાદની કોઈ પાકી આશા બંધાતી નથી. આવી ને આવી સ્થિતિ પખવાડિયું ચાલુ રહે તો મુંબઈના લોકોને પાણી પહોંચાડી ન જ શકાય એવી દુ:સ્થિતિ મુંબઈના શાસકો અને પ્રજાજનો સમક્ષ આવીને ઉભી રહે; આ કલ્પાઈ રહેલી સ્થિતિને પહોંચી વળવાના માર્ગો, ઉપાય! વિચારાઈ રહ્યા છે, ચર્ચાઈ રહ્યા છે, અમલમાં પણ મુકાઈ રહ્યા છે. આમ છતાં પણ આ બધા ઉપાયો ફાટેલા આભને ીંગડાં મારવા જેવા લાગે છે. આવી વણસતી જતી પરિસ્થિતિમાં પ્રબુદ્ધ જીવનના આગામી અંક વખત સર પ્રગટ થઈ શકશે કે કેમ એ શંકાસ્પદ છે. મુંબઈના માથે ધરતીકંપ જેવા કુદરતના આ કોઈ ભયાનક કોપ ઉભા થયા જેવું લાગે છે. આ પાંચ પંદર દિવસમાં જોઈતા વરસાદ જરૂર આવી પડશે એવી આપણે આશા રાખીએ, પણ સાથે સાથે આ ટુંકા ગાળામાં જોઈતા વરસાદ ન પણ આવે તે મુંબઈમાં ઉભી થનારી પરિસ્થિતિના મુકાબલા કરવા માટે પ્રજાજનાએ તૈયાર રહેવું ઘટે. આવનારી આફતને શાન્તિ અને ધીરજ અને રાજ્યશાસન ફરમાવે તેવા શિસ્તપૂર્વક મુકાબલા કરવામાં આવે અને ગભરાટ અને આકુળવ્યાકુળતાપૂર્વક તથા શિસ્તના વિચારને બાજુએ મૂકીને પ્રસ્તુત આફતનો વિચાર કરવામાં આવે તે બેનાં પરિણામામાં ઘણા ફરક પડે છે. બીજા વિકલ્પમાં પાર વિનાની ખુવારી અને નુકસાન થવા સંભવ છે; પહેલા વિકલ્પમાં ઓછી ખુવારી અને ઘણા બચાવ થઈ શકે તેમ છે. માથે ઝઝુમતી કટોકટી ખરેખર આવી પડે તો તેને પહોંચી વળવા માટેઆપણને જરૂરી ધૈર્ય, સુઝ, તાકાત અને સમુદાયની અગવડ – સગવડને પ્રાધાન્ય આપવાની ઉદાત્તતા પ્રાપ્ત થાય એવી ઊંડા અંતરની આપણી પ્રાર્થના હો તા. ક. સદ્ ભાગ્યે મુંબઈમાં અને મુંબઈને પાણી પુરૂ પાડતાં સરોવરોમાં, આ અંક છપાઈ રહ્યો છે તે દરમિયાન, સારો વરસાદ પડયો છે અને પાણીની કટોકટી તત્કાળ આગળી ગઈ છે. કચ્છ–બીદડાના સાધુપુરૂષ વેલજીભાઈને દુ:ખદ દેહવિલય કરછ-બીદડાના સાધના આશ્રામવાળા શ્રી વેલજીભાઈ પેાતાની શારીરિક ચિકિત્સા માટે ગયા જૂન માસની ૨૦મી તારીખે મુંબઈ આવેલા, ૨૭મી તારીખે તેમને સર હરકીસનદાસ હાસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ અને ૨૯મી તારીખે અવસાન થયું. આ સાધુ પુરુષને તા. ૧૬-૬-૬૫ના પ્રબુદ્ધ જીવનમાં ‘સુકી ધરતીનાં મીઠાં સ્મરણેા'ની લેખમાળામાં નીચે મુજબ પરિચય આપવામાં આવ્યો હતો: “શ્રી વેલજીભાઈની આજે ૬૫ની વર્ષની ઉમ્મર છે અને કેટલાક સમયથી નિવૃત્તિ સ્વીકારીને અહિં સ્વાધ્યાયમાં તેઓ પેાતાને સમય પસાર કરે છે. પેાતાના નિવાસસ્થાનને તેમણે એક આશ્રમનું રૂપ આપ્યું છે, અને તેથી જ આ સ્થળ સાધના—આશ્રામ'ના નામથી ઓળખાય છે. શ્રી વેલજીભાઈએ યુવાવસ્થામાં કચ્છના રાવના જુલ્મ તા. ૧૬-૭-૧૯ ✩ અને આપખુદી સામે સારી ઝુંબેશ ચલાવેલી અને પ્રજાજનોને જાગૃત કરવામાં અને તેમને ઉન્નતિના માર્ગે લઈ જવામાં પોતાની શકિતને સારા યોગ આપેલા. ધીમે ધીમે તેઓ તત્ત્વસાહિત્ય તરફ વળતા ગયા. ખાસ કરીને શ્રી અરવિંદના તશ્વજ્ઞાન વિષે તેમનામાં ઊંડી અભિરૂચિ પેદા થઈ અને શ્રી અરવિંદે ચીંધેલા માર્ગે તેમણે સારો આત્મવિકાસ સાધ્યો. તેમણે પોંડીચેરી ખાતે આવેલા શ્રી અરવિન્દ આશ્રમમાં પણ ઠીક સમય ગાળેલા. આ કારણે તેમની સાધના અને ચિન્તન ઉપર શ્રી અરવિંદના તત્ત્વજ્ઞાનની ખૂબ જ અસર પડી છે. આમ છતાં પણ આજે તેમનું વાંચન-મનન કેવળ અર્પિવદ-સાહિત્ય કે તેમના તત્ત્વદર્શનથી સીમિત નથી. તેમના આ આશ્રમમાં તેમણે પૌર્વાત્ય તેમ જ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના વિષયને લગતું અતિ સમૃદ્ધ પુસ્તકાલય વસાવ્યું છે અને તત્ત્વરૂચિ ધરાવતા સાધકોઅલબત્ત મર્યાદિત સંખ્યામાં—તેમની સાથે રહે છે, રહી શકે છે. તેમને મળતાં અને તેમની સાથે વાર્તાલાપ કરતાં અમે બધાંએ ખૂબ જ પ્રસન્નતા અનુભવી. કચ્છના આ ખુણે સાંસારિક બધી ઉપાધિઓ અને આળપંપાળથી મુકત બનીને આવેા એક ચિન્તક રહે છે એ જોઈ જાણીને અમે ભા૨ે વિસ્મય અનુભવ્યું. તેમના અભ્યાસ તો ત્રણ અંગ્રેજી સુધીના છે, પણ સતત વાંચન તેમ જ જ્ઞાનાપાસના દ્વારા તેમણે અંગ્રેજી ભાષા ઉપર સારૂં પ્રભુત્વ મેળવ્યું છે. આ આશ્રમમાં આજે સાત આઠ ભાઈ–બહેનો રહે છે. ધ્યાન, પ્રાર્થના, અભ્યાસ, જ્ઞાનચર્ચા—એ જ અહીંની મુખ્ય પ્રવૃત્તિ છે. તેમના કહેવા મુજબ બહારની દુનિયાની વાતોથી અહિનું શાન્ત વાતાવરણ શુધ્ધ ન બને તેથી અહીં સમાચારપત્ર પણ મંગાવવામાં આવતા નથી. વેલજીભાઈ સાથે અમે અડધેાએક કલાક ગાળ્યો. તેમને મળતાં અને તેમના આશ્રમનું વાતાવરણ અનુભવતાં અમને બે ઘડી એમ થયું કે, આજ અહીં જ રહી જઈએ, પણ અમારી સાથેની માટી મંડળી જોતાં અને આગળનો નક્કી કરેલા કાર્યક્રમ લક્ષમાં લેતાં એમ મનસ્વીપણે વર્તવાનું અમારા માટે શકય નહાવું.” આવી એક વ્યકિતનો દેહવિલય તેમને જાણતા એવા સૌ કોઈના દિલમાં ઊંડું દુ:ખ અને દિલગીરી પેદા કરે એ સ્વાભાવિક છે, તેમના જવાથી આપણી દુનિયાને એક માનવીરત્નની ખોટ પડી છે. ગાંધીજી અને મજૂરપ્રવૃત્તિ' આ પુસ્તક અમદાવાદના નવજીવન પ્રકાશન મંદિર તરફથી બહાર પાડવામાં આવ્યું છે. તેની કિંમત રૂા. ૩ છે. તેના લેખક ગાંધીજીના અનુયાયી અને સહકાર્યકર્તા શ્રી શંકરલાલ બેંકરનું નામ સુવિદિત છે. ગાંધીજીએ વર્ષો સુધી આઝાદીનું આંદોલન ચલાવીને ૧૯૪૭માં આપણને આઝાદી અપાવી તેના અનુસંધાનમાં અથવા તે તે દરમિયાન અમદાવાદની મજૂરપ્રવૃત્તિનું તેમણે સંચાલન કર્યું અને ખાદીપ્રવૃત્તિને ઘણા વેગ આપ્યો. આ બન્ને પ્રવૃત્તિઓ સાથે શંકરલાલભાઈ ગાઢપણે જોડાયલા હતા. આ પુસ્તકમાં આ બેંમાંની એક મજૂરપ્રવૃત્તિના ઈતિહાસ આપવામાં આવ્યો છે. આને લગતી પ્રસ્તાવનામાં શંકરલાલભાઈ જણાવે છે કે “હિંદમાં આવ્યા પછી ગાંધીજીએ ૧૯૧૭માં ચંપારણના ખેડૂતની અને ૧૯૧૮માં ખેડાના ખેડૂતાની લડત ઉપાડી હતી. ૧૯૧૮માં ખેડાના ખેડૂતોની લડત અંગે અમદાવાદમાં તેઓ વિચારણા ચલાવી રહ્યા હતા તેવામાં જ અમદાવાદના મિલ મજૂરોના જીવનમાં પ્રવેશ કરવાનો અને સત્ય તથા અહિંસાને માગે અન્યાય તથા શોષણનો કેવી રીતે સામના થઈ શકે તેને પદાર્થપાઠ પ્રત્યક્ષ લડતદ્રારા આપવાના પ્રસંગ ઉપસ્થિત થયા. ખેડાની લડતને અંગે એવખતે મારે અમદાવાદ આવવાનું થયું હતું, એટલે મને પણ એના લાભ પ્રાપ્ત થયો. “એ પછી ગાંધીજી જીવનના અંત સુધી ભારતના મજૂરોના ૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૭-૧૬ . , પ્રબુદ્ધ જીવન રાહબર રહ્યા. અમદાવાદમાં મજુર મહાજન ૧૯૨૦માં સ્થપાયું. તેમાં તેમણે સત્ય અને અહિંસાની રીતે મજૂરપ્રવૃત્તિના પ્રયોગો શરૂ કર્યા અને તે છેક સ્વરાજ મળતાં સુધી ચાલુ રહ્યા. ૧૯૪૭માં એ પ્રયોગો દ્વારા પ્રાપ્ત થયેલા સિદ્ધાન્તના પાયા ઉપર “હિંદી રાષ્ટ્રિય મજદૂર કોંગ્રેસની સ્થાપના થઈ. ને પછી ટૂંક વખતમાં ગાંધીજીનું નિર્વાણ થયું. મજૂર મહાજનને ગાંધીજીએ મજૂરેપ્રવૃત્તિ માટેની પોતાની પ્રયોગશાળા તરીકે વર્ણવી છે. એ પ્રવૃત્તિ અંગે ૧૯૧૮ થી ૧૯૪૦ સુધી જે પ્રયોગ થયા તે વિશેનાં મારાં સ્મરણે અત્રે આપવા પ્રયત્ન કર્યો છે.” ઉપર જણાવ્યા મુજબ શંકરલાલભાઈ અમદાવાદનો આ મિલમજૂરોની પ્રવૃત્તિ સાથે પ્રારંભથી સંકળાયેલા હતા. આ પ્રવૃત્તિમાં મજૂર પક્ષે શેઠ અંબાલાલ સારાભાઈનાં બહેન અનસૂયાબહેને આ લડતના એક સૂત્રધારનું કામ કર્યું હતું. મજૂર મહાજનના ઉદભવ અને વિકાસમાં તેમને અત્યન્ત મહત્વને ફાળે હતે. મિલમાલકોના પક્ષે સ્વ. મંગળદાસ ગીરધરલાલ શેઠે બહુ મહત્વને ભાગ ભજવ્યો હતો. તેઓ પોતે મિલમાલેક હોવા છતાં, મજૂરોના દષ્ટિબિન્દુને સમજવાને તેમ જ બને તેટલે ન્યાય આપવાનો તેમણે ભારે સ્તુત્ય પ્રયત્ન કર્યો હતો અને ગાંધીજીને મજૂરો અંગેની વાટાઘાટોમાં વર્ષો સુધી, મહત્વપૂર્ણ સાથ આપ્યો હતો. આ બન્ને વ્યકિતવિશેનાં પ્રેરક ચિત્રો આ સ્મરણમાંથી આપણી આંખ સામે ઉપસી આવે છે. વળી શંકરલાલભાઈ પિતાની પ્રસ્તાવનામાં જણાવે છે તે મુજબ “મજૂરોનું જીવન, એમની તથા એમનાં કુટુંબીજનોની જરૂરિયાત, એમના જીવનની સુધારણા અને એમને સર્વાગી વિકાસ, મજૂર-માલિકના સંબંધો અને એકબીજા તથા દેશ પ્રત્યેની એમની ફરજ-એ બધા વિષે ગાંથધીજીના વિચારો તથા પ્રોગે મૌલિક હતા અને તેથી તેમની મજરપ્રવૃત્તિ પશ્ચિમની ટ્રેડ યુનિયન મુવમેન્ટથી નિરાળી તરી આવે છે.” અમદાવાદની મજૂર પ્રવૃત્તિને આમ અનેક રીતે બેધક તેમ જ પ્રેરક એ ઈતિહાસ આ પુસ્તક દ્વારા રજૂ કરવા માટે શ્રી શંકરલાલભાઈને અનેક ધન્યવાદ ઘટે છે. આજ સુધીમાં પ્રગટ થયેલા ગાંધી સાહિત્યમાં આ પુસ્તક મહત્વની પૂરવણી કરે છે. શંકરલાલભાઈના નામ સાથે જોડાયેલું ગાંધીકથા રૂપે રજૂ થયેલું આ સર્વપ્રથમ પ્રકાશન છે. લેખન અને વિષયનિરૂપણ સાદું, સરળ, હૃદયંગમ અને વિનમ્રતાપૂર્ણ છે. ગાંધીજીના પહેલા જેલવાસ દરમિયાન શંકરલાલભાઈ તેમના સાથી હતા. ત્યાર બાદ ગાંધીજીના અવસાન સુધી શંકરલાલભાઈને ગાંધીજી સાથે અતૂટ અને નિકટને સંબંધ રહ્યો હતો. ૧૯૪૦ બાદ શંકરલાલભાઈની તબિયત લથડવાથી તેમને જાહેર જીવનમાંથી નિવૃત્તિ સ્વીકારવી પડી હતી. ત્યાર બાદ તેમનું સ્વાથ્ય તે પ્રમાણમાં સારૂં સુધર્યું છે, અને મજૂર મહાજનના એક સલાહકાર તરીકે તેઓ ઉપગી સેવા અને ચાલુ માર્ગદર્શન આપી રહ્યા છે, આમ છતાં સમયને મોટે ભાગે તેઓ વાંચન અને ચિન્તનમાં ગાળે છે. આગળ જેવું જાહેર જીવન હવે તેમના માટે શક્ય નથી. આ બધું છતાં પણ આપણે એટલી આશા જરૂર રાખીએ કે મજૂરપ્રવૃત્તિ સિવાયનાં ગાંધીજી સાથે જે બીજો અનેક સ્મરણે તેમના ચિત્તમાં સંચિત થયેલાં પડ્યાં છે, તે સ્મરણાને સંકલિત કરીને તેઓ આપણને પુસ્તકાકારે આપતા રહે. કાનૂની આદર અંગેની આજની પરિસ્થિતિ તા. ૨૮-૬-૬૬ના રોજ ભારતના એટન – જનરલ શ્રી. સી. કે. દફતરીએ મુંબઈની ફૈટરી કલબ સમક્ષ ‘Respect for I.aw –કાયદાકાનુન માટે આદર-એ વિષય ઉપર એક રહસ્યપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આજે દેશમાં ચોતરફ વ્યાપી રહેલાં અશાંતિજનક તેફાનોને અનુલક્ષીને તેમણે પોતાના વિષયને એમ કહીને પ્રારંભ કરેલ કે “મને લાગે છે કે આજે એવા વિષય ઉપર Respect for Law – ઉપર બોલી રહ્યો છું કે જેનું આજે આપણે ત્યાં કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી.” આ વ્યાખ્યાનનો સાર તા. ૨૯-૬-૬૬ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ થયેલ. તેને સંક્લનપૂર્વક કરવામાં આવેલ અનુવાદ નીચે આપવામાં આવે છે: કાયદા - કાનૂન માટે આદર આજે સર્વથા નહિ તો ઘણા મોટા ભાગે દેશમાંથી અદષ્ય થયો છે. આજે દેશભરમાં કાયદા અને વ્યવસ્થાને ધૃષ્ટતાપૂર્વક ભંગ થઈ રહ્યો છે, જે જોઈને ભારે ગ્લાનિ થાય છે. આપણે આપણી જાતને આખા દેશરૂપી ઘટકના અંગઉપાંગ તરીકે અનુભવતા નથી, આખા દેશને એક ઘટક રૂપે જોતા નથી. કદાચ એ કારણે નીતિ અને સભ્યતાના નિયમોનું, સભ્ય સમાજનું ધારણ પિપણ કરતી અને આપણ સર્વને પરસ્પર જોડાયલા રાખતી મર્યાદા અને સ્વીકૃત ધારણાઓનું પાલન થતું દેખાતું નથી. આવી પરિસ્થિતિનું વિશ્લેષણ કરતાં માલુમ પડે છે કે આપણા ચાલુ જીવનનું વિભાજન કરતી અનેક વિચારસરણીઓ દા. ત. જ્ઞાતિવાદ, કોમવાદ ઉપરાંત જૂની વફાદારી સાથે આપણને વિચિછન્ન કરતી એવી નવી વફાદારીઓ આપણે તાજેતરમાં ઊભી કરી છે. દેશભરમાં ‘બાજુને માનવી એ મારો ભાઈ નથી” આ પ્રકારનું વલણ વ્યાપક બન્યું હોય એમ લાગે છે. અત્યન્ત સંકુચિત અને કેવળ સ્વલક્ષી વફાદારીઓને લીધે–નિષ્ઠાને લીધે-રાજ્ય પ્રત્યેની નિષ્ઠા અદપ્ય થઈ રહી છે. લોકો આજે બસને શા માટે નાશ કરે છે અને જાહેર મિલ્કતનો કેમ લૂંટ ચલાવે છે? આ એ કારણે બને છે કે લોકો એમ માની રહ્યા છે કે, આ કોઈ એવા ત્રીજા પક્ષની માલકીની ચીજો છે કે જે પિતાથી તદ્દન પરાયો છે. ઘણાંખરાં તક્ષને પાછળ કદાચ એ કારણ રહેલું છે કે, સામાન્ય માનવીને એમ નથી લાગતું કે પોતાને અને સરકારને કશી લેવાદેવા છે અથવા તે એ એમ અનુભવતો લાગે છે કે તેને કોઈ સાંભળવા માગતું નથી. સરકાર સુધી પોતાને અવાજ પહોંચાડવાનું તેને માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે. - આજને અસંતોષ ઘણા મોટા ભાગે આ હકીકતને આભારી છે કે, કાયદાઓ ઘણા વધારે પ્રમાણમાં કરવામાં આવ્યા છે અને લોકોની ઉપર લાદવામાં આવ્યા છે. ઘણા કાયદાકાનૂનને જાહેર જનતાના અભિપ્રાય કે અનુમતિ સાથે કોઈ મેળ જ રહ્યો નથી. સમાજરચનામાં કાયદો એક અત્યન્ત મહત્ત્વનું સાધન છે, પણ જે ઈંટને ઘર બાંધવામાં ઉપયોગ થઈ શકે છે તે જ ઇંટને અન્ય સામે ફેંકવામાં પણ ઉપયોગ થઈ શકે છે. જે કાયદો અમુક પ્રકારની બળજબરી અથવા તે વધારે પડતું દબાણ કરવા માટે વાપરવામાં આવતું હોય તે તેને તત્કાળ પ્રત્યાધાતે તે કાયદાને અનાદૂર કરવામાં ભંગ કરવામાં આવે. કાયદાઓ કરવાની એજન્સીએ ખૂબ વધી ગઈ છે અને એનું પરિણામ પણ કાયદાના અતિરેકમાં આવ્યું છે. વળી કંપનીઝ એકટ અને કરવેરાને લગતા કાયદાઓ જેવા આપણા કેટલાક કાયદાઓ ભારે ગૂંચવણભરેલા તે છે જ, એટલું જ નહિ પણ, તેમાં વળી વારંવાર ફેરફારો કરવામાં આવે છે. આટલા બધા કાયદાઓ એક પાયાની ખોટી માન્યતા ઉપર રચાયે જાય છે. આ માન્યતા એ મુજબની છે કે માણસ માત્ર અપ્રમાણિક છે. અલબત્ત, સમાજની રચના જેમ જેમ જટિલ બનતી જાય તેમ તેમ કાયદાએ પણ જટિલ બનતા જાય એ તદ્દન સ્વાભાવિક છે. આમ છતાં પણ કાયદાઓને એવી માન્યતા ઉપર વધારે પડતા જટિલ કરવા ન જોઈએ કે જો તમે કાયદાઓને જડબેસલાટ નહિ બનાવો તે અપ્રમાણિક માણસે છટકી જશે. કાયદાઓ સારા હોય તે પણ તેને અમલ કેમ કરવામાં આવે છે તે બાબત ખરા મહત્ત્વની છે. લાંચરૂશ્વત, રેડ-ટેઈપ, જડતા અને બધિરતા - આ બધાં કારણે ઉપરાંત સૌથી વધારે પજવતું કારણ તો ન્યાય મેળવવામાં જે પાર વિનાને વિલંબ થાય છે તે છે. આથી કાયદાના હેતુ મોટા ભાગે માર્યો જાય છે. આજની આવી પરિસ્થિતિને વધારે ગૂંચવતી હકીકત એ છે કે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૬૬ કેટલાંક એવાં પગલાં ભરાયાં છે કે જેમાંથી પાછા હઠવું ભારે મુશ્કેલ છે. દા. ત. ભાષાકીય ધોરણે કરવામાં આવેલી રાજ્ય-પુનરચના. આ કારણે પારવિનાના અનર્થો પેદા થયા છે અને એમ છતાં આ પુનર્ચના નાબૂદ કરવી ઘણી જ કઠણ છે. આમ છતાં પણ આખા ભારતને એક “યુનિયન ટેરીટરી’ બનાવવું એ જ આજની દુ:સ્થતિને સાચો ઉકેલ હોય એમ ઘણી વાર લાગે છે. આજે કાયદા કરતી સરકારને આપણે એમ જરૂર કહી શકીએ કે શાસક પક્ષ જો આગામી ચૂંટણી તરફ નહિ પણ આગામી પેઢી તરફ નજર રાખીને કામ કરશે અને કાયદાકાનૂન ઘડશે તો તે પ્રજાનું ઘણું વધારે કલ્યાણ કરી શકશે. લોકોએ પણ પોતાને દષ્ટિકોણ બદલવાની જરૂર છે. વધારે સારૂ રાજય નિર્માણ થાય તે માટે તેમણે પણ ધણું કરવાનું રહે છે; તેમણે આજ સુધી કેળવેલાં માનસિક વલણનું નિયંત્રણ કરવું જોઈશે. બન્ને બાજુએ હૃદયના પલટાની ઘણી જરૂર છે. આપણ સર્વેએ એક બીજા પ્રત્યે ભાઈઓ, મિત્રો, અને સાથીઓ માફક અને નહિ કે પરાયા માનવી માફક જોતાંવર્તતાં શિખવું ઘટે છે. –આ છે સૌથી વધારે મહત્ત્વની વાત. ભારતની બહેનને કાયદાએ આપેલી સમાનતા અને આજની વાસ્તવિકતા મુંબઈ ખાતે તા. ૨૯-૬-૬૬ ના રોજ શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી વીમેન્સ યુનિવર્સિટીના સુવર્ણ મહોત્સવનું ઉદઘાટન કરતાં ભારતના મહા અમાન્ય શ્રીમતી ઈન્દિરા ગાંધીએ જણાવ્યું કે, “આજની સુશીક્ષિત સન્નારીઓનું મુખ્ય કાર્ય કાયદાએ ભારતની સ્ત્રીઓને જે સમાનતા અર્પણ કરી છે તે સમાનતાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનું છે. આપણો એક એવો દેશ છે કે જ્યાં પરસ્પર–વિરોધી પરિસ્થિતિ એક સાથે અસ્તિત્વ ધરાવે છે અને વર્ષો સુધી ચાલ્યા કરે છે અને આવી વિચિત્રતા–વિષમતા–જેટલી શ્રીએ ની બાબતમાં છે તેટલી અન્ય કોઈ બાબતમાં નથી. જો આપણે ત્યાં સૌથી વધારે પ્રગતિશીલ સન્નારીનાં દર્શન થાય છે તે સાથે સાથે સૌથી વધારે પછાત બહેનો પણ અહિં જ જોવા મળે છે. કાનૂનમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચેના સર્વ ભેદભાવોને ભૂંસી નાખવામાં આવ્યા છે. આમ છતાં પણ, આપણા અત્યના દરિદ્ર અને મોટા ભાગે મધ્યકાલીન યુગનું દર્શન કરાવતા સમાજમાં મોટા ભાગના લોકો જે સર્વસામાન્ય હાડમારી ભોગવતા હોય છે એ હાડમારીઓ ઉપરાંત આપણી બહેને અનેક પ્રકારની આર્થિક અને સામાજિક વિષમતા, અસહાયતા અને પરાધીનતા ભેગવી રહી છે એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. “ભારતમાં કાયદાઓ બદલાયા છે. અને ભારે વેગથી બદલાયા છે. પણ તેની નબળી કડી એ છે કે, આપણા સર્વસામાન્ય રોજબરોજના વ્યવહાર અને આચરણ કરતાં આપણા કાયદાઓ ઘણા આગળ છે. કાયદાથી સ્ત્રીઓને જે હકકો મળ્યા છે તે અને એ કાયદાને વાસ્તવિક રૂપ આપવા માટે--પૂરા અમલી બનાવવા માટે–જે સામાજિક પીઠબળ–Social Sanctions–હોવા ઘટે છે તે બે વચ્ચે ઘણું અત્તર છે. આના પરિણામે ભારતની સ્ત્રીઓનું સ્થાન કાયદાએ તેમને આપેલી સમાનતા સાથે જરા પણ બંધબેસતું નથી.” આ જ વિચાર વિસ્તાર કરતાં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પિતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે “પશ્ચિમમાં જે રીતે પોતાના હકક અને અધિકાર ઉપર મુસ્તાક બનેલા પુરુષવર્ગની સામે જેહાદ ચલાવીને માથાભારી સ્ત્રીઓએ પોતાના હકકો પ્રાપ્ત કર્યા છે તે પ્રમાણે આપણે ત્યાંની સ્ત્રીએ પોતાના હકકો મેળવ્યા નથી. ભારતની સ્ત્રીઓ ભારે નસીબદાર છે કે તેમને રામમોહનરાય, વિદ્યાસાગર, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને મહર્ષિ કર્વે જેવા દૂરદર્શી મહાન નેતાઓ મળ્યા કે જેમણે બહેનોને ઊંચે લાવવામાં અને સમાન- તાના સ્થાને પ્રતિષ્ઠિત કરવામાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આઝાદી બાદ નેહરુએ બહેનોને સામાજિક, આર્થિક, તેમ સાંસ્કૃતિક હરોળમાં આગળ લાવવા માટે જરૂરી એવા સામાજિક પરિવર્તનને નવો ' આકાર આપ્યો છે, નવો વેગ આપ્યો છે. આમ છતાં પણ આપણા દેશ, અને સ્ત્રીઓને સમાનપદે સ્થાપનાર પશ્ચિમના દેશો વચ્ચે મોટે ફરક એ જોવામાં આવે છે કે આપણા દેશમાં સ્ત્રીઓને પિતાના હકકો પ્રાપ્ત કરવા માટે લડવું પડયું નથી, પુરુષો સાથે અથડાવું પડયું નથી, જ્યારે પશ્ચિમની સ્ત્રીઓને પોતાના હકકો પ્રાપ્ત કરવા માટે લડવું પડયું છે. પણ સાથે સાથે આ લડતનું ત્યાં ઈષ્ટ પરિણામ એ આવ્યું છે કે સ્ત્રીઓને લડતદ્વારા મળેલી મુકિત અને સમાનતાને પુરુષને એક હકીકત રૂપે સ્વીકાર કરવા પડે છે અને એ રીતે સ્ત્રીઓને સ્વત્વ અને સમાનત્વ સાચા અને પૂરા અર્થમાં પ્રાપ્ત થયેલ છે. ભારતમાં પુરૂષવર્ગે સ્ત્રીઓને બંધારણ. અને કાયદાકાનૂન દ્વારા મળેલી આ સમાનતાના ખરા દિલથી અને પૂરા અર્થમાં સ્વીકાર કર્યો જ નથી અને તેથી સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિમાં હજુ કોઈ મહત્ત્વને ટ્રક પડ નથી. હજુ પણ મુંગે મોઢે સહન કરતી સીતા એ જ આદર્શ માત્ર પછાત બહેનેના મનમાં નહિ પણ મુકત બનેલી સ્ત્રીઓના મનમાં પણ જડાચલ પડે છે અને એમાંથી અનેક સંઘર્ષો જન્મે છે અને અસમાનતાને નવું પોષણ મળ્યા કરે છે.” આપણી સ્ત્રીઓને મળેલા હકકોને વાસ્તવિકતાનું રૂપ આપવા માટે આપણે શું કરવું જોઈએ એ મુદાને ઉલ્લેખ કરતાં શ્રીમતી ઈન્દિરા ગાંધીએ જણાવ્યું કે, “રાજકારણ આજે આપણી આંખોને ખૂબ જતું રહ્યું છે. વિધાનસભાએ, લોકસભા, કમિટીઓ, અને કમીશને ભારે આકર્ષક લેખાય છે. એમ છતાં આપણને આ બધું બહુ આગળ લઈ જઈ શકે તેમ નથી. આ માટે તે આપણે સમાજના ખૂણે ખૂણે વ્યવસ્થિત બનીને કામ કરવાનું રહેશે. આ બદલાતી જતી દુનિયામાં બહેનેએ શું ભાગ ભજવવાને રહે છે ? આને ઉકેલ સમાન સ્થાન માટે લડવામાં કે તેને ઈનકાર કરવામાં નથી, તેઓ પાછા ઘરમાં ભરાઈ બેસે એમ વિચારવામાં કે તેઓ ઘરથી દૂર દૂર જાય એમ ઈચ્છવામાં નથી, આજે જે કટોકટીને આ દુનિયાએ સામને કરવાનું છે તેને જવાબ માત્ર પુરુષોએ કે માત્ર સ્ત્રીઓએ આપવાનું નથી, પણ પ્રત્યેક માનવીએ આપવાનો છે. તે માટે જરૂર છે પરિપક્વતાની, શાણપણની, તાકાતની અને ઊંડી સમજણની - જે નથી માત્ર પુરુષમાં કે નથી માત્ર સ્ત્રીમાં. એ માટે જરૂર છે બન્નેના પુરુષાર્થની, સહકારની અને પૂર્ણ યુગની.” સંક્ષિપ્તમાં કહેવાનું કે, સ્ત્રીઓના હકક સંબંધી કાનૂન અને વાસ્તવિકતા વચ્ચે રહેલી વિસંવાદિતા દૂર થાય, અને પુરુષવર્ગ સ્ત્રી વર્ગની સમાનતાને બુદ્ધિપૂર્વક અને હૃદયપૂર્વક સ્વીકાર કરે અને તેમના પ્રત્યે પૂરા આદરથી જોતો તેમ જ વર્તત થાય ત્યારે અને ત્યારે જ સ્ત્રીઓને અપાયલી સમાનતા સાર્થક થાય, અને ત્યારે અને ત્યારે જ દેશના બને અંગે પૂરા અર્થમાં એકમેકના પૂરક થાય. ડા. એન. એમ. શાહે “પ્રબુદ્ધ જીવન” પ્રત્યે દાખવેલી મમતા - ડે. એન. એમ. શાહ (ડે. નરસિહ મૂળજીભાઈ શાહ) વિજ્ઞાન વિષયોના લેખક તરીકે ગુજરાતી સાહિત્યના વાચકોને સુપરિચિત છે. તેઓ મારા વર્ષોજના મિત્ર છે. તેમણે વર્ષો સુધી અમદાવાદની ગુજરાત કૅલેજમાં વિજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ ત્યાંની સેન્ટ ઝેવિયર્સ કૅલેજમાં તેઓ અધ્યાપક તરીકે થોડા સમય માટે જોડાયેલા હતા. છેલ્લા દોઢ વર્ષથી તેઓ કપડવંજની પારેખ બ્રધર્સ સાયન્સ કૅલેજ અને શાહ કેશવલાલ સેમાભાઈ આર્ટસ કોલેજના. પ્રિન્સીપાલ તરીકે કામ કરે છે. તેનાં લખાણો પ્રબુદ્ધ જીવનમાં છૂટાછવાયા પ્રગટ થતા રહ્યા છે. તેમના તરફથી તાજેતરમાં મળેલા. એક પત્રમાં તેઓ જણાવે છે કે પ્રબુદ્ધ જીવન’ મારી ઉપર છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી મોકલવામાં આવે છે. અવાર - નવાર મેં તેમાં મારા લખાણો પ્રગટ કર્યા છે. પ્રબુદ્ધ જીવન પ્રત્યે એક પ્રકારની મમતા બંધાણી છે–અન્ય પત્રાનાં કરતાં જુદી. મારા નમ્ર ફાળા તરીકે આ સાથે રૂા. ૫૧ ને ચેક બીડું છું. સદરહુરકમ મારા તરફથી પ્રબુદ્ધ જીવન અંગે મારા ફાળા તરીકે ગણશે. આમ કોઈ મિત્ર પોતાની સ્વતંત્ર પ્રેરણાથી અને પ્રબુદ્ધ જીવને પ્રત્યે પોતાના દિલમાં ઊભા થયેલા આદરના એક પ્રતીક રૂપે આવી રકમ મોકલે ત્યારે પ્રબુદ્ધ જીવનના સંપાદન પાછળ લેવાતા શ્રમનું ઘણું મોટું વળતર મળી ગયું એવા આનંદ અને સંતોષની લાગણી હું અનુભવું છું. આ માટે ભાઈ એન. એમ. શાહને જેટલો આભાર માનું તેટલો છે છે. પરમાનંદ. Page #149 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૪-૭-૬૬ પ્રમુખ જીવન મહાપ્રસ્થાનના પથ પર ૧૨ નાનું પથરાનું ઘર બરફની અંદર જાણે સમાધિ લગાવીને બેઠું હતું. અંદર અમે કેટલાક યાત્રીઓ હતા. ગોપાલદા અને ડોશીઓનું દળ કામળા ઓઢીને કાંપતું બેઠું હતું. કોઈ એક પણ શબ્દ બાલતું નહોતું. બધાની આંખમાં ને માઢા પર પ્રાણભયનાં ચિહ્ન હતાં. બહાર આકાશ પર વાદળાં છવાયલાં હતાં. થોડી થોડી વારે નિશ્ચિત સમયે બરફ પડતા હતા. ધુમ્મસમાંથી જેટલે સુધી દૂર દેખાતું હતું તેટલામાં પથ્થરના ઘરો ઉપર, બારીમાં, બારણાં પર, પથે, ઘાટે, દુકાન પર સ્નુપાકાર બરફનું કઠણ આવરણ છવાયેલું માલુમ પડતું હતું. કોઈ કોઈ આ જગ્યામાં રહેનારા માણસા લાઢાના કોઈ હથિયારથી બરફ ભાંગી ભાંગીને પોતાનો ચાલવાના રસ્તા કરી લેતા હતા. પ્રતિદિન બેચાર વાર એમને આ રીતે હથિયાર લઈને રસ્તા ખાદવા પડે. સૌ કોઈ આ દેશમાં જો નિષ્ક્રિય બનીને બેસી જાય તે એક દિવસ બરફ એ સર્વના કોળીયો બનાવી જ લે. એવામાં અમરાસિંહ થોડા કામળા ને લાકડાં લઈને હાજર થયો. અહીં પંડાએ વગર ભાડે કામળા ઉધાર આપીને યાત્રીઓને મદદ કરે છે, ને લાકડાં પણ એએ આ રીતે જ લાવી આપે છે. કામળા તે આવ્યા પણ, એને સહેલાઈથી સ્પર્શ થતા નહોતા. કારણ કે કામળા પણ બરફ બની ગયા હતા. એને અડકતાં જ હાથ ઠરી જાય ને શરીર પર નાંખ્યા હોય તે ઠંડી હાડમાં પેસી જાય. અમરાસિંહે એક લાઢાના તવા જેવા વાસણમાં આગ સળગાવી. આગ જોઈને અમને અવર્ણનીય આનંદ થયો. એ તે જાણે મૃતસંજીવની હતી, એ જાણે અમારા બધાનું લુપ્ત પરમાણુ હતાં. લાકડાં પણ એટલાં ઠંડા હતાં કે એ બરાબર સળગતાં નહોતાં, તે પણ એ આગની ચારેબાજુ યાત્રીઓ આવીને બેઠા. કોઈ એમાં હાથ નાંખી દેતા હતા. હાથપગ ભલે સળગી જતા, અને ભલે ઝાળ લાગે, તેની પરવાહ નહોતી. આગને માટે બધા પડાપડી કરતા હતા. ઝઘડતા હતા, મનને મેલ ઉતારતા હતા. એક જણનું શરીર જો જરા વધારે ગરમ થઈ ગયું તે બીજો ઈર્ષ્યાથી સળગી જાય. બામણડોશી વિષે એવા સંદેહ ઉત્પન્ન થયો કે, એ સળગતાં લાકડાં બધા પાસેથી છીનવીને પોતાના શરીર પર નાંખી દેશે. એટલામાં બામણડોશીની પરમાર્થવૃત્તિ, અને બીજાનું દુ:ખ દૂર કરવાની વૃત્તિ બધા યાત્રીએમાં જાહેર થઈ ગઈ. ભાંગેલી કમરવાળી ચારૂની મા, અત્યારસુધી ઠંડીને લીધે કામળાએની અંદર પોતાની જાતને લપેટીને બેસી રહી હતી, ત્યાંથી એક કામળા હાથમાં લઈને ઊઠીને ગાંડાની માફક આગ તરફ આગળ ગઈ. કામળાને અંગારાની ઉપર ધરી દીધા. એના એક રેસા પણ બળ્યા નહિ. બામણ ડોશી હાં હાં કરીને ઊઠે એટલામાં તો એણે એ કામળા ઊંચકી લીધા. ને ઊંચા રાખીને એને ઝાટકયો, ને પાછી એ આગળ આવી. લાકડાની જેમ કઠણ ને નિશ્ચલ થઈને અત્યાર સુધી હું એકતરફ બેઠા હતા ત્યાં ચારૂની માએ આવીને એકદમ પેલા ગરમ કરેલા કામળા મારા શરીર પર લપેટયો. એણે કહ્યું: “બધી આગ પેલા લોકોને ભાગે જ જાય છે. તમે પણ માણસ એ વાત એ લોકો ...... કામળા બરાબર ગરમ થયો નથી ખરૂ ને બાઠાકુર ” એમ કહીને એ પાછી કામળાના ઢગમાં જઈને ભરાઈ ગઈ. કૃતજ્ઞતા વ્યંકત કરવા માટે ભાષા હતી, પણ શકિત નહોતી. ફકત ઠંડીથી વ્યગ્ર એવું માઢુ ફેરવીને મે એ સ્નેહમયી વૃદ્ધાની સામે જોયું. આ કેડ ભાંગેલી ચારૂની મા પેાતાના હાડપિંજર જેવા શરીરને લઈને બરાબર ચાલતી આવી હતી. એના મોઢા પર હંમેશાં હાસ્ય અને વાણીમાં રસ હતા. એ ડોશીના બધા તિરસ્કાર અને અનાદર કરતા હતા, નજીવા કારણે એને ધમકાવતા ને એની પર રોફ બજાવતા, વાતવાતમાં રસપૂર્વક બધા એને પાગલ કહેતા, પૈસા ખર્ચ કરીને એ હિસાબ રાખતી ન હોવાથી, બામણમા અને લક્ષ્મીના શાપ લાગ્યો છે એમ કહેતી. મેં દરેક ચટ્ટીમાં જોયું કે કોઈનાં એઠાં વાસણ માંજતી, કોઈને ચૂલા સળગાવી આપતી, કોઈને મસાલા વાટી આપતી અને વગર માગ્યે સેવા આપવાની ને બધાને રાજી કરવાની એ કોશિષ કરતી. આ તે સામાન્ય પરિામ છે, છતાં રસ્તે ચાલીને થાકેલા યાત્રીઓને તો આ એમની પર મહાન ઉપકાર છે એમ લાગતું. બધા ઓરડા ચારે તરફથી બંધ હતા, પત્થરનું મજબૂત ઘર હતું. કયાંય એક બાકોરૂં સરખું નહાતું. બહારની હવાની બધાને વાઘના જેવી બીક લાગે. એ હવા જ્યાં પ્રવેશ કરી શકતી નહોતી, એવા ઘરમાં આગ સળગાવીને અમે સૌ બેઠા રહ્યા. આગની ગરમીથી જ્યારે અંદરની હવા થોડી ગરમ બની ત્યારે ધીરે ધીરે બધાના મુખમાંથી વાણી ફુટવા લાગી. તે વખતે ઘણા વખત વહી ગયા હતા. લગભગ બારેક વાગ્યા હશે. કેદારનાથમાં એક રાત ગાળવાના રિવાજ હતા. અમરાસિંહની મદદથી તે દિવસે પૂરી અને બટાકાના શાકની વ્યવસ્થા થઈ શકી હતી. આકાશ એવું જ ઘેરાયેલું હતું. આ પ્રદેશમાં સૂર્ય નહોતા આવતા. મેઘ અને ધુમ્મસથી આ પ્રદેશ હ ંમેશાં અંધકારમાં જ રહેતા. કયારેક ધુમ્મસનું સ્થાન વરસાદ લેતા. કયારેક વરસાદને સ્થાને ધુમ્મસ. એ ધુમ્મસ જોતજોતામાં જામીને બરફ બની જાય. વર્ષાકાળના અંત સુધી કેંદારનાથમાં આપણને માણસને સમાગમ થાય. શરદઋતુ બેસતાં જ બધા નીચે ઉતરી જાય. પછી પશુ, પક્ષી કે મનુષ્યનાં કોઈ ચિન્હ ત્યાં દેખાય નહિ. બધાં ઘરબાર કેટલાય મહિનાઓ સુધી બરફથી ઢંકાઈ જાય. અહીંના ઘરો ને રસ્તાઓ ઘણી શતાબ્દી પહેલાંનાં બંધાયલાં છે, તેય આજે પણ નવાં જેવાં જ છે, ચાકખાં છે. કયાંય ખંડેરની નિશાની ન જડે. એવું હશે કે અહીંની આબાહવાથી એમનું આયુષ્ય આટલું લાંબુ થતું હશે. આખો દિવસ તાપણું સળગાવીને, કામળા ઓઢીને ઘરની અંદર કશું પણ કર્યા વિના બેસી રહ્યા. કયારૅ બપારની સાંજ થઈ, કયારે સાંજમાંથી રાત પડી ગઈ, કશી ય ખબર પડી નહિ. આંખમાં ઊંઘ હતી ખરી, પણ ઠંડીમાં હું નિશ્ચલ બની ગયો, હાથપગ હલાવવાની શકિત પણ જાણે હરાઈ ગઈ હતી. તે ભયભીષણ રાત્રી ઠંડીના અસહ્ય ત્રાસ ને પીંડામાં જ વીતાવી. તે પછીની વાત હવે નહિ કહું. તે દિવસે સવારે આકાશની એવી જ સ્થિતિ હતી. બરફવર્ષા, વાદળના અંધકાર, એ બધામાંથી શી રીતે ભાગી છૂટયો હોઈશ, કેવી રીતે ઉતરાણને માર્ગે રામવાડામાંથી પસાર થઈને સીધા ગૌરીકુંડમાં જઈને ફરીથી આરામ માટે થાભ્યો એ વાત કહેવાની હવે આવશ્યકતા નથી. આવતાં જે રસ્તો અમે લીધા હતા, એ રસ્તે જ અમે પાછા આવ્યા. બે દિવસનો રસ્તો પસાર કરીને બપોરના અમે એ જ નલાકામચટ્ટીમાં આવી પહોંચ્યા. અહીં જ અમે જતી વખતે પાટલાપોટલી રાખી મૂકયાં હતાં. હવે ઠંડી નહોતી, આકાશ નીલકાન્તમણિની જેમ પ્રકાશનું હતું, સુંદર, આરામદાયક તડકો હતો. પાછી અરણ્યની સુસ્નિગ્ધ શ્યામલતાએ દેખા દીધી. વસન્ત સમયમાં ફરી આવી પહોંચ્યો. હવેના રસ્તા પા નવો હતો, દક્ષિણનો રસ્તો ગુપ્તકાશીનો હતો. સામેના ગંભીર રસ્ત નીચેની બાજ મંદાકિનીના તટ પર ઉતરતા હતા. ફરીથી પાછે માખીઆના જબરો ત્રાસ શરૂ થયા, એ પાછા પગથી માથા સુધી ફોલ્લા થયા, પગના ઘૂંટણની પણ પાછી એ જ દશા. નલાઝામચટીમાં ભાજનાદિ પતાવી, એ જ જૂના ઝાળાં વગેરેને ખભે લઈને, ઉતરાણન પથે પાછી યાત્રા શરુ કરી–એમ ખબર મળ્યા કે મંદાકિનીને પાર Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૬૬ કરીએ તે પછી અહીંથી ઉખીમઠ ત્રણ માઈલ જ છે. કેદારનાથની, યાત્રા પૂરી કરી હતી, હવે નવો ઉત્સાહ આવ્યો હતો, હવે સીધો બદ્રીકાશ્રમ, બીજી વાત નહિ, એક જ લક્ષ્ય.. પણ હાયરે ત્રણ માઈલ ! ઝટપટ ઉતરતા યાત્રીઓનાં ટોળાં ચાલ્યાં જ કરતાં હતાં. પણ ત્રણ માઈલ પૂરા થતા નહતા. યાત્રીઓનો ઉત્સાહ ટકાવી રાખવા માટે, કોઈ મિથ્યાવાદીએ એવો પ્રચાર કર્યો હશે કે આ લાંબે રસ્તે ત્રણ માઈલને જ છે? પગદંડીને રસ્તે ફરી ફરીને જયારે મંદાકિનીના પૂલ પાસે અમે ઊતરી આવ્યા, ત્યારે ખૂબ થાકી ગયા હતા. પૂલ પાર કરતાં જ રસ્તાની શિકલ તદન બદલાઈ ગઈ. સીધું પર્વતનું ચઢાણ હતું. એ ચઢાણ કેવું ભયાનક હતું એનું અનુમાન કરવું પણ મુશ્કેલ છે. એક હાથમાં લાઠી ને બીજે હાથે રસ્તાને ટેકવીને ચાલતું હતું. એ કાંઈ ચાલવાનું ન કહેવાય. એ કહેવાય ચાર પગે ચાલવાનું. છેલ્લા બે દિવસથી અમે આવી ભીષણ ચઢાઈ ચઢયા નહોતા. કાંઈ પણ બોલ્યા વિના હું આગળ વધવા હાથ તથા પગ. બન્નેને ઉપયોગ કરતો હતો. કયાંક કયાંક કોઈ પીડિત યાત્રીને કરુણ શબ્દ સંભળાતો હતો. એ અવાજ ફાંસીને માંચડે ચડતે અપરાધી જ્યારે ગળામાં ફાંસીનું દોરડું પડે ને એ દોરડું ખેંચાય ને જેવો ચિત્કાર કરે તેવો એ ચિત્કાર હતો. ચાલતાં ચાલતાં મેં જોયું કે રસ્તામાં ખદીરપુરની પેલી નિર્મળા રડવા બેઠી હતી. એક તે એ થાકની બીકથી રાંધીને ખાતી નહોતી, તેમાં આવી ચઢાઈ– અને બિચારી! બિચારી સારું થયું ? એ હતભાગિનીને? સારું થયું. શા માટે મરવા અહીં આવી હતી? મર તું. મરી જા. જાને ચૂલામાં ! * પાછે. એક એક ડગ મૂકતો મૂકતો ચાલતો હતો. કમંડળનું પાણી ખલાસ થયું હતું. ગળું સુકાઈને લાકડું બની ગયું હતું. બન્ને આંખમાં બળતરા થતી હતી, - ભલે એવી સ્થિતિ હોય, પણ મારે તે આગળ જ ચાલવાનું. ગેપાલદા કયાં ગયા ? પેલા જંગલી. રીંછ જેવો બિહામણે માણસ? એ માણસનું મોટું જાણે અર્ધા સળગી ગયેલા કામળા જેવું હતું. પાપી એ બધા જ પાપી છે. બન્ને બાજુએ જાણે પાપને વરઘોડો નીકળ્યો છે. અમારી કાલિમા ને કલુષિતાનું જાણે પ્રદર્શન ભરાયું હતું, અસુંદરતા ને અશ્લીલતાને મેળો ભરાયો હતો, આ લેકોમાંથી કોઈને જોઈને મને આનંદ થતું ન હતું. દુ:ખ થતું હતું. એમના મુખપર સમરત જીવનના પાપની છાપ હતી. દુ કૃતિને ડાધ હતો. લિપ્સા, લોભ ને વાસનાની સ્મશાનભૂમિ હતી. દુતિયાએ એમની ધૃણા કરીને એમને હાંકી કાઢયા હતા, તેથી એ લોકો એ પાપનો ભાર ઓછો કરવા તીર્થે તીર્થે ફરતા હતા. આ લોકો પર કંઈ દેવની દયા ને કરુણા જન્મવાની હતી? દયાને કરુણા શું એ લોકોને સુલભ થવાની હતી? જે દિવસે તમારા જીવનમાં વર્ણની ઉજજવળતા, મનનું ઐશ્વર્ય હતું તે દિવસે તમે બધા કયાં ગયા હતા? જ્યારે તમારું યૌવન હતું, ત્યારે યૌવનનું તમે કર્યું શું? જરા ઊભો રહું છું. તૃષાથી છાતી ફાટફાટ થાય છે. તે ભલે હોય પણ હું તો આગળ જ રહેવાને. પેલી તરફ દૂર દૂર પર્વતન શિખરમાં ગુપ્તકાશીનું નાનું સરખું શહેર દેખાતું હતું. કેટલાય દિવસો પહેલાં, થોડા સમય પૂર્વે આ શહેરને હું પાછળ રહેવા દઈ આગળ ચાલ્યો ગયો હતે. ભૂતકાળને જીવનને પાને એ એક સામાન્ય સ્મૃતિની જેમ જડાઈ રહ્યું હતું. દરરોજ આપણે આગલા દિવસને ભૂલી જઈએ છીએ, પ્રત્યેક પ્રભાતે આપણો નવજન્મ થાય છે. જાણે આપણે ઘણા દિવસના તીર્થયાત્રી છીએ, લાંબા સમયથી તીર્થને રસ્તે ચાલ્યા જઈએ છીએ, જન્મજન્માંતર પાર કરીને ચિરસુન્દરની કેડીએ ચાલ્યા જઈએ છીએ, જે રીતે એક દિવસ શ્રીમતી શ્રીકણને સે વર્ષને વિરહ પાર કરીને જતી હતી તેમ. આજ પ્રેમની તપશ્ચર્યા, વેદનામાં જ એનું રૂપ સમાયેલું છે. આપણા અંતરમાં જ એના દ :ખને પ્રકાશ રહેલો છે. જે ચીજ દુર્લભ છે, જેને માટે આ દુર્ગમ પથયાત્રા છે, આ પીડા છે, જેને માટે આ દુ:ખથી જર્જરિત માર્ગે પ્રાણઘાતક તપશ્ચર્યા કરીએ છીએ તે રૂપાતીત રૂપ મારે જોઈએ છે એ મારી આશાની પરિતૃપ્તિ છે, એ મારી બધી પ્રાપ્તિ પાછળ રહેલી પ્રાપ્તિ છે. આજે આ યાત્રાનો માર્ગ કાપતાં કાપતાં, આકરિમક રીતે મારી આંખની સામે જીવનનું રહસ્યમય ગતિતત્ત્વ પ્રગટ થયું. નારીની ગતિ મિલનની તરફ હોય છે, જયારે પુરુષની ગતિ હોય. છે વિરહ તરફ. નારી પરમપુરુષને ચરણે આત્મદાન કરી ચાલી જાય છે, જ્યારે પુરુષ પરમજ્યોતિર્મયીને આવિષ્કાર કરવા મથે છે. મિલનના આનંદમાં નારી પિતાને અતિક્રમ કરે છે, જ્યારે આવિષ્કારના આનંદમાં પુરુષ જીવનને અતિક્રમ કરે છે. નારી પ્રેમના સુકોમળ મર્યલોકનું સર્જન કરે છે, જયારે પુરુષ વિરહનાં દૂર દૂર એવા સ્વર્ગલોકનું સર્જન કરે છે. નારીની તપસ્યા આનંદમય બંધન હોય છે, પુરુષની તપસ્યા દુ:ખમય મુકિત હોય છે. જવા દે એ સ્ત્રીપુરુષની ગતિની વાત. હૃદયનું લોહી સૂકાવીને દુસ્તર માર્ગને પાર કરીને જ્યારે હું ઉખીમઠની ધર્મશાળામાં આવી પહોંચ્યો, ત્યારે દિવસ થોડે જ બાકી રહ્યો હતો. શહેર બહુ નાનું નહોતું. કેટલાક આમતેમ વેરવિખેર પડેલા શહેરી સાજસરંજામ અહીં દેખાતા હતા. જેમકે એક બજાર હતું, થાણું હતું, એક છાપખાનું હતું, હોસ્પીટલ હતી, ને કાળી કમલીવાળાનું સદાવ્રત હતું. ઉખીમઠનું સંસ્કૃત નામ ઉપામઠ છે. પ્રાચીન સમયમાં આ બાણાસુરની રાજધાની હતી. એની. કન્યા ઉષાનું કૃષ્ણના પૌત્ર અનિરૂ હરણ કર્યું હતું. શ્રીકૃષ્ણના પૌત્રે દાદાના ગુણ યોગ્ય રીતે વારસામાં મેળવ્યા હતા. અમારી ધર્મશાળાની અંદર જ મોટું મંદિર હતું. આ મંદિરમાં કેદારનાથના પૂજારી રાવળનું રહેઠાણ હતું. શિયાળામાં કેદારનાથની પૂજા આ સ્થાનેથી કરવામાં આવે છે. આજસુધીમાં અમે બધા મળીને અઢાર દિવસથી ચાલતા હતા. અઢાર દિવસ પૂર્વે અમારું મૃત્યુ થયું હતું. અમે બધા હવે પ્રેતાત્માની ટોળકીના સભ્યો હતા. અત્યારે અમને કોઈ પણ અમારા પૂર્વેના આત્મીયો જુએ, તે જરૂર અમને ન ઓળખે ને મોઢું ફેરવીને ચાલી જાય. અમે પણ તેમને ન ઓળખી શકીએ. એ લોકો અમને ઓળખે તો અમારાથી. ભય પામી ભાગી જાય, પૂર્વજન્મના પરિચયને પ્રેતયોનિમાં શા માટે ખેંચી લાવવો જોઈએ? મંદિરમાં થોડીવાર આંટા મારીને હું તરત બહાર આવ્યો. પાસે જ એક દુકાન હતી. દુકાન સારી એવી પ્રતિષ્ઠિત હતી, ત્યાં નીચે જ એક ખુરશી પર બેઠો. મંદિરની પાસે જ પોલીસથાણુ હતું, તેને જમાદાર ફરતો ફરતો આવ્યો, ને ત્યાં પડેલી બીજી એક ખુરશી પર બેઠો ને વાત કરવા લાગ્યો, એની વાતો પરથી ખબર પડી કે થાણાની આવક કાંઈ નથી, ફકત ખર્ચે જ છે, અને તેથી બધાને પગાર આપીને પોષવા એ લોકોને પસાનું નહોતું. થાણાની દરિદ્રતાની વાતો સાંભળીને અહીંના જનસમાજને વિષે આપણને માન ઉત્પન્ન થાય. ચોરી, લૂંટફાટ, અને એવા સામાજિક ગુન્હાએ અહીં ઓછા હોય છે. આ ગઢવાલને પ્રદેશ જ એવો છે. જેમાદારના હાથમાં એક જનું અંગ્રેજી છાપું જોઈને હું ચમકી ઊઠયો. મને લાગ્યું કે અમે બધા હજી મર્ત્ય જગતમાં જીવતા જાગતા છીએ. એ આશ્ચર્યજનક બીના હતી, કે આટલા સમય પછી આજે પહેલીવાર મેં કાગળને ટુકડો જોયો. હિમાલયમાં ક્યાંય કાગળ નજરે ન ચઢે, એથી આ છાપું બહારની દુનિયાનું પ્રતિનિધિ બનીને મારી આંખ સામે આવીને ઊભું. કંગાળ માનવીની જેમ મેં છાપું લીધું ને એની પર ભૂખી નજર નાંખવા માંડી. કેટલી બધી આતુરતા અને ઉત્સાહથી હું જેતે હતો ! છાપું લાહોરનું “ટ્રીબ્યુન” હતું. બંગાળા, પંજાબ, વિલાયત, અમેરિકા, બધાં જાણે કે પરસ્પરને ભેટીને એમાં પડયાં હતાં. મહાત્માજીની ધરપકડ પાંચમાં જયોર્જની તબિયત સારી છે; એક સ્ત્રી અવકાશયાત્રી ઇંગ્લેડથી ઓસ્ટ્રેલિયા વિમાન ચલાવીને લઈ ગઈ હતી; મેદિનીપુરમાં મેજીસ્ટ્રેટની હત્યા; મુસોલિનીના મોઢા. પર ઐતિહાસિક હાસ્ય; ગોળમેજી પરિષદની પછી; ચીનના શહેર પર જાપાનને બોંબમાં; ડી વેલેરા, સુભાષ બોઝની માંદગી. સમાચારો. તરફ જોતાં જાણે મારી પ્રિય પૃથ્વીને દેહસ્પર્શ મને થયો હોય, એવો પ્રબળ આનંદ મને થયો. મારી આંખમાં આંસુ આવ્યાં. અનુવાદક: મૂળ બંગાળી : ' શ્રી પ્રબોધકુમાર સંન્યાલ. માલિક: શ્રી મુબઈ જૈન યુવક સંઘ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ-૩. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #151 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૪ અબુ જીવન પ્રશુદ્ધ જૈનતુ નવસસ્કરણ વર્ષ ૨૮ : અંક ૭ મુંબઈ, એગસ્ટ ૧ ૧૯૬૬, સામવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા પ્રકી નોંધ લેકશાહી—વિઘાતક રાજકારણી ઉપવાસો “લોક મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી પી. બી. ગજેન્દ્રગડકરે તાતા ઈન્સ્ટીટયુટના ૨૬ પદવીપ્રદાન સમારોહના પ્રસંગે પ્રવચન કરતાં આજે કોઈ પણ રાજકારણી હેતુ સિદ્ધ કરવા માટે અંગીકાર કરવામાં આવતા ઉપવાસા અંગે જણાવ્યું હતું કે શાહી રાજ્યરચનામાં ઉપવાસ ઉપર જવાની પદ્ધતિને કોઈ સ્થાન કે અવકાશ હોવાં ન ઘટે. જેમાંથી લોકલાગણી મેોટા પાયા ઉપર ઉશ્કેરાય અને અશાન્તિનું વાતાવરણ પેદા થાય એ પ્રકારના ઉપવાસા કાયદાંના શાસનને નિશ્ચયપૂર્વક બાધક અને ઘાતક બને છે અને સર્વ સામાન્યપણે સ્વીકૃત એવી લોકશાહી જીવનપદ્ધતિ સાથે બીલકુલ વિસંવાદી છે. “આ ઉપરથી અત્યન્ત જરૂરી બને છે કે જ્યાં સુધી તોફાની દેખાવે કે ઉપવાસા દ્વારા સમર્થન ન મળે ત્યાં સુધી લોકોની કોઈ પણ તકલીફ કે હાડમારી તરફ સરકાર ગંભીરપણે ધ્યાન નહિ આપે– આવી લોકલાગણી પેદા થવા પામે એ સંબંધમાં જરૂરી સાવચેતીભર્યા બધાં પગલાં ભરવાની મધ્યસ્થ તેમ જ રાજ્ય-સરકારો પોતાની ફરજ સમજે. સાથે સાથે એ પણ એટલું જ જરૂરી છે કે રાજ્યના બુદ્ધિશાળી વર્ગ પણ આવા ઉપવાસા અને તોફાની દેખાવા સામે પોતાના અવાજ ઉઠાવે અને જાહેર જનતાને આ બાબતમાં સવિશેષ જાગ્રત કરે, ચેતવે અને તે પ્રકારની કેળવણી આપે.” આમરણાન્ત ઉપવાસના દબાણ નીચે આંધ્ર રાજ્યનું નિર્માણ થયું અને ત્યાર બાદ આખા દેશને ભાષાકીય પ્રાન્તરચનાના ધોરણે વિભાજિત કરવામાં આવ્યો અને તેમાંથી પારિવનાના અનર્થીની પરંપરા જન્મી—આ આપણી નજર સામેના અનુભવ છે. આજે જ્યાં ત્યાં ઉપવાસ ઉપર જવાની ધમકીઓ આપવામાં આવે છે અને તેના દબાણ નીચે દેશ આખાના હિતમાં ન હોય એવા ફેરફારો સ્વીકારવામાં આવે છે. આજના ઉપવાસ પાછળ કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા હોતી જ નથી, પણ મોટા ભાગે તે ત્રાગાં જેવા હોય છે અને એમ છતાં લોકે તેને મહત્ત્વ આપે છે અને શાસક વર્ગ તેથી ભડકે છે. જો લાકો—સમાજનો સમજુ વર્ગ–તેને મહત્ત્વ ન આપે તો આવા ઉપવાસે ભાગ્યે જ ઊભા થવા પામે અને થાય તો પણ લાંબા વખત ચાલે નહિ. ગાંધીજીએ આપેલા આ ઉપવાસના વારસાના આજે ભારે દુરુપયોગ થઈ રહ્યો છે અને તેથી તેવા ઉપવાસા ઊભા થતા અટકાવવા અને થાય તો તેની ઉપેક્ષા કરવી, એટલું જ નહિ પણ, તેને જરા પણ નમતું નહિ આપવું એ આપણી સર્વની ફરજ છે. મહારાષ્ટ્રી-બિનમંહારાષ્ટ્રીનો ભેદ કરતી શ્રી બેલાસેની શરમજનક મનોદશા શ્રી મુબઇ જૈન યુવક સઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા આજથી દોઢ બે અઠવાડિયાં પહેલાં. જ્યારે આ ઘનિષ્ટ વર્ષઋતુના દિવસે વરસાદ વિના વ્યતીત થઈ રહ્યા હતા અને આમને આમ ચાલ્યા કરશે અને પંદર વીશ દિવસ સુધી વરસાદ જ નહિ આવે તે મુંબઈની આવડી મોટી વસ્તીને પાણી પુરું પાડવાનું અશક્ય બની જશે અને મુંબઈને ક્રમશ : ખાલી કરાવવું પડે એવી શકયતા ઉભી થશે—આવી કટોકટી મુંબઈ સામે—મુંબઈના પ્રજાજન સામે—ઝઝુમી રહી હતી અને એ દિવસોમાં જ્યારે મુંબઈની કોર્પોરેશનમાં આ પ્રશ્ન ગંભીરપણે ચર્ચાઈ રહ્યો હતા ત્યારે કોરપોરેશનના એક કૉંગ્રેસી સભ્ય શ્રી બેલાસેએ એવા અભિપ્રાય વ્યકત કરેલા કે “આવી કટોકટી ઊભી થાય તો સર્વપ્રથમ નોનમહારાષ્ટ્રીઓને—મૂળ મહારાષ્ટ્રના ન હોય એવા લોકોને—મુંબઈ છેડી જવા કહેવું જોઈએ અને બહારથી પણ મહારાષ્ટ્રીએ ન હોય એવા લોકોને મુંબઈમાં દાખલ થતા અટકાવવા જોઈએ.” આ તેમના ઉદ્ગારો રાષ્ટ્રવિરોધી છે, એટલું જ નહિ પણ, મુંબઈ જેવા પચરંગી શહેરની નાગરિકતાના ભયંકર દ્રોહ કરનારા છે. મુંબઈ, દિલ્હી કે કલકત્તાની વસ્તી એટલા બધા વ્યાપક મીશ્રાણથી ભરેલી છે કે તેમાંના કોઈ એક નાગરિકને મહારાષ્ટ્રી, પંજાબી કે બંગાળી તરીકે તારવવા એ. વાસ્તવિકતાનું કવિસંવાદી છે. આ તેમના કમનસીબ ઉદ્ ગારોની એટલી સખત ટીકા થઈ છે. અને મુંબઈ કોંગ્રેસના પ્રમુખે તેમ જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને તેમને એટલા બધા કડક શબ્દોમાં વખોડી નાખેલ છે કે તેની વિશેષ ટીકા ટીપ્પણીની હવે જરૂર રહી નથી. માત્ર એટલું જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે થાડા દિવસ પહેલાં ભારતના એટર્ની જનરલ શ્રી દફતરીએ આજની પરિસ્થિતિનું વિશ્લેષણ કરતાં પોતાના એક વ્યાખ્યાનમાં જણાવેલું કે “દેશભરમાં બાજુના માનવી મારો ભાઈ નથી—આ પ્રકારનું વલણ વ્યાપક બન્યું હાય એમ લાગે છે.” આ તેમનું વિશ્લેષણ ઉપરના ઉદ્ ગારોથી તદન સાચું પુરવાર થાય છે. આવી મનોદશા આજના ભારત માટે સૌથી મોટું ભયસ્થાન બની રહેલ છે. જો આપણા દેશને એકત્ર રાખવા હશે, જેના માટે દુનિયાભરમાં આપણે ગૌરવ લઈએ છીએ તેવી મુંબઈ, દિલ્હી કે કલકત્તા જેવી પચરંગી નગરીઓને જાળવી રાખવી હશે તા શ્રી બેલેાસેએ જાહેરમાં પ્રગટ કરેલી પણ અનેક લોકોના દિલમાં ઘર કરી બેઠેલી એકમેકને જૂદા પાડતી અને સ્વજનોને પરાયા માનવીઓ બનાવતી મનોદશાને પાયામાંથી આપણે નાબૂદ કરવી પડશે, નિર્મૂળ કરવી પડશે. “સૌરાષ્ટ્રને ગુજરાતથી અલગ કરો!” સૌરાષ્ટ્રના-રાજકોટના કોંગ્રેસી આગેવાન શ્રી રતિલાલ તન્નાએ સૌરાષ્ટ્રના રાજકારણમાં આ વિચાર વહેતો કરીને સૌરાષ્ટ્ર-ગુજરાતના સંદર્ભમાં એક નવી ક્ષાભક પરિસ્થિતિ ઉભી કરી છે. જો પંજાબમાંથી હરિયાણાને અલગ કરી શકાય છે તો જેનાં હિતા ગુજરાત સાથે રહેવામાં સલામત નથી, જેના હિતો પ્રત્યે ગુજરાત રાજ્યના શાસકો તરફથી ઉપેક્ષા—ઉદાસીનતા સેવવામાં આવે છે એવું તથા " હરિયાણા પ્રાન્તથી વસ્તી અને ક્ષેત્રફળમાં ઘણું મોટું એવું Page #152 -------------------------------------------------------------------------- ________________ ( છે પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૧૯ સૌરાષ્ટ્ર શા માટે જુદું કરવામાં ન આવે?—આવી કાંઈક તેમની બરોબર છે. કોઈ પણ સત્તાનિષ્ઠ સરકારે આવું ઉદબોધન સહન વિચારસરણી હોય એમ માલુમ પડે છે. આ વિચારને સૌરાષ્ટ્રના કરવું ન જોઈએ. એમ છતાં આ સત્તામદથી પ્રમત્ત બનેલા મુખ્ય રાજકારણી આગેવાન તરફથી હજુ સુધી કોઈ મહત્ત્વભર્યો ટેકો પ્રધાન શ્રી એસ. નિજલિગપ્પાને કોઈ કાંઈ કહી શકતું નથી, મળ્યો હોય એમ લાગતું નથી. એમ છતાં દેશના કોઈ પણ તેને કોઈ કાન ખેંચી શકતું નથી એ ભારે આશ્ચર્યજનક છે અને ક્ષેત્રે વિભાજનની કોઈ વાતને જોર પકડતાં વાર નથી લાગતી. એક ભારતના અમંગળ ભાવિનું ઘોતક છે. વખત વિભાજનનું વિષ રોપાતાં–તેને વખતસર પ્રતિકાર કરવામાં આપણી લોકશાહીનાં અદ્યતન વલણે ન આવે તે–સમય જતાં તે ફેલાય જાય છે અને પછી બંને બાજુ - મુંબઈ ખાતે પ્રોગ્રેસીવ ગ્રુપ દ્વારા યોજાયેલી જાહેર સભામાં વચ્ચે જુદાઈની નક્કર દિવાલ ઉભી થતાં વાર લાગતી નથી. સંભવ ભારત સરકારના ભૂતપૂર્વ એટર્ની–જનરલ શ્રી મોતીલાલ સી. છે કે ગુજરાતની અપેક્ષાએ સૌરાષ્ટ્રના હિતની પૂરતી સંભાળ લેવાતી સેતલવડે “Our Demoracy : the Present Trends” એ વિષય ઉપર પ્રેરક અને માર્ગદર્શક વિવેચન કર્યું હતું. પોતાના ન હોય, સંભવ છે કે સૌરાષ્ટ્ર માટેની અમુક યોજનાઓની અપેક્ષાએ વિવેચનના પ્રારંભમાં બે રાજ્યો વચ્ચેના સીમા ઝગડાઓને ઉકેલ ગુજરાતની અમુક યોજનાઓને સવિશેષ પ્રાધાન્ય આપવામાં આવતું. લાવવા માટે તોફાની અને હિંસક આન્દોલનને પ્રોત્સાહન આપતા હોય-પૂરી જાણકારીના અભાવે આ અનુમાનમાં કાંઈ તથ્ય છે કે " રાજ્યપ્રધાને વિશે તેમણે ભારે ચિન્તા વ્યકત કરતાં જણાવ્યું હતું કે નહિ તે કહેવાની સ્થિતિમાં હું નથી–પણ માની લઈએ કે આ અનુન : “આવાં આન્દોલન સરકારી મિલ્કતના નાશમાં, લૂંટફાટમાં અરાજ કતામાં અને હિંસક કૃત્યોમાં પરિણમે છે. આ માટે જ્યારે માને સાચા છે, એમ છતાં પણ, તેને ઉપાય ગુજરાતથી જુદો : પ્રધાને તરસ્થી ઉશ્કેરણી કરવામાં આવે છે ત્યારે લોકશાહી ભારે થવામાં નથી, પણ તેવી પરિસ્થિતિ સામે જોરદાર આન્દોલન ઉપાડ- ખતરનાક સ્થિતિમાં મુકાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં એવા વામાં રહેલું છે. પંજાબી સુબાના ભાગલા થયા એ સારું થયું. દાખલા સાંભળતાં આશ્ચર્ય પામવાની જરૂર નથી કે જ્યારે લૂંટફાટ એમ ભાગ્યે જ કોઈ કહે છે કે વિચારે છે. અનિવાર્ય સંયોગોનાં બળાએ અને તેફાન ચાલી રહ્યાં હોય અને પોલીસ માત્ર બાજુએ ઉભી ઉભી જોયા જ કરતી હોય. આ સીમાઓ કે નદીઓના ઝગપંજાબના ભાગલા કરાવ્યા છે. આમ છતાં, તેમાં ભાષાનું પણ એક ડાઓ કેન્દ્ર નીચેના રાજ્ય–રાજ્ય વચ્ચેના છે–આટલી પાયાની વાત મહત્ત્વનું તત્ત્વ હતું. ગુજરાત-સૌરાષ્ટ્રને આમ જુદું પાડનારું આવું એક પણ આ રાજકીય આગેવાને ભૂલી જાય છે એ સૌથી વધારે આશ્ચર્યપણ તત્ત્વ નથી. આવી અલગતાની હિલચાલ ભારતના ઢીલા બનતા જનક છે. અમુક એક પ્રદેશ અમુક એક રાજ્યમાં રહ્યો કે બીજા જતા સંગઠનને વધારે ઢીલું પાડશે, એટલું જ નહિ પણ, સૌરાષ્ટ્ર આર્થિક રાજ્યમાં રહ્યો તેં બાબત શું ખરેખર બહુ મોટા મહત્ત્વની છે? એમાં કોઈ સવાલ નથી કે આવી કોઈ ગઠવણથી કોઈ એક ખેડૂત દષ્ટિએ પોતાના પગ પર ઉભું રહી શકે તેમ નથી–આ વાસ્તવિક- કે કોઈ એક વ્યાપારી માટે જરા પણ મહત્ત્વને તફાવત પડતો નથી, તાના સંદર્ભમાં અને ભારતની આર્થિક તાકાત ક્ષીણ થતી જાય છે પણ એક “Busy Politician’ માટે–એક વ્યસ્ત રાજકારણી નેતા એ સંગમાં, સૌરાષ્ટ્રને પિતાને પણ આવી અલગતાની હીલ માટે–એ બાબત મોટા મહત્ત્વની બની જાય છે. ચાલથી ભારે નુકસાન થવા સંભવ છે. તેથી આવી હીલચાલના આજે આપણા દેશમાં પ્રવર્તમાન લોકશાહી અંગે બીજી ચિન્તા કરાવે એવી બાબત એ છે કે મધ્યવર્તી સરકાર કેટલીક બાબતમાં હાથા ન બનવા સૌરાષ્ટ્રવાસીઓને આગ્રહભર્યો અનુરોધ છે. પિતાની પકડ ગુમાવી રહેલ છે. આ માઈર-મહારાષ્ટ્ર વચ્ચેના માઈસેરના મુખ્ય પ્રધાનની આ ઉદ્ધત વાણી ઝગડાને વિચાર કરો. આ ઝગડે પતાવવા માટે એક વ્યકિતનું અને વર્તનને કેમ કોઈ પડકારતું નથી ? કમિશન નિમવાની સૂચના–જેમાંથી આટલું બધું ઉગ્ર આન્દોલન પેદા થયું છે તે સૂચના-મધ્યવર્તી સરકાર તરફથી નહિ પણ કેંગ્રેસની - તા. ૧૦-૭-૬૬ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જણાવવામાં કારોબારી તરફથી આવી હતી. મધ્યવર્તી સરકારને આ બાબતમાં આવ્યું છે તે મુજબ કેટલાક સમયથી ઢીલમાં પડેલી કૃષ્ણા નદીના એક પણ શબ્દ ઉચ્ચારવાપણું નહોતું, જો કે એમ સાંભળવામાં આવ્યું છે કે કેન્દ્રના કેટલાક પ્રધાનનું વલણ એક અથવા બીજી પાણીને નાથવાને લગતી યોજના સંબંધમાં કર્ણાટકના લેકસભાના સભ્યોને બાજુએ ઢળેલું હતું. ઉદ્દેશીને માઈસેરના મુખ્ય પ્રધાન શ્રી એસ. નિન્જલિંગપ્પાએ તા. ૧૫મી ઊંચામાં ઊંચી કક્ષાએ તરફ ભ્રષ્ટાચાર વ્યાપેલે છે. જુલાઈના રોજ પોતાની બધી તાકાતનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. પાર્લામેન્ટ–લોકસભાએ-આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે એક કાં તે આ યોજના મધ્યવર્તી સરકાર એકદમ હાથમાં લે અથવા તો કમિટિની નિમણુંક કરી હતી; પણ કમિટિની ભલામણોનો કોઈ અમલ એ યોજનાને અમલી રૂપ આપવા માટે ૧૨૦ કરોડ રૂપિયાની લોન થયે નહોતે. એમ જાણવામાં આવેલું કે આપણા ગૃહપ્રધાને અમુક ભલામણોનો અમલ કરવા માટે પ્રયત્ન કર્યા હતા, પણ પિતાના મંજર કરે–આ માટે જરૂર હોય તે સત્યાગ્રહ કરો, ઉપવાસે આદર, સાથીઓનો સાથ મેળવવામાં તેઓ નિષ્ફળ નિવડયા હતા. જે કાંઈ સુઝે તે કરે અને એ રીતે મધ્યવર્તી સરકાર ઉપર અનિવાર્ય આજને સામાન્ય માનવી બિનસલામતી અનુભવી રહ્યો દબાણ ઊભું કરે એવી મતલબનું તેમણે આવાહન કર્યું હતું. આ છે. તેને જે કાંઈની જરૂર હોય તે માટે યોગ્ય વળતર આપ્યા સિવાય એ જ મુખ્ય પ્રધાન છે કે જેમણે માઈસર--મહારાષ્ટ્રના સીમા–સંઘર્ષ થઈ શકતું નથી. આનું પરિણામ એ આવ્યું છે કે બધી કક્ષાએ અંગે લેકોને કહેવાતા સત્યાગ્રહના માર્ગે જવાની પ્રેરણા આપી હતી લાંચરૂશ્વતથી ખદબદતું રાજ્ય લાંબા વખત સુધી સ્થિર અને લોકશાહી ઢબે ચાલતું રાજ્ય બની શકે જ નહિ–આ ભય તેના અને જેના પરિણામે બીજી કેટલીક અનિષ્ટ ઘટનાઓ ઉપરાંત ૨૫૦૦૦ દિલમાં ઘર કરી બેઠો છે. પચીશ હજાર લોકોના ટોળાએ ગુલબર્ગા આગળ આખી ટ્રેનને લૂંટી હતી. “આ ઉપરાંત એક પ્રકારની ભારે મોટી અસમાનતા આજના અને રાજ્યસરકારે અથવા તે પોલીસે તે સામે લગભગ આંખ રાજ્યવહીવટમાં નજરે પડે છે. જો કોઈ કલાર્ક લાંચ લેતા કે ખોટું કામ મીચામણા કર્યા હતાં. અં. મુખ્ય પ્રધાન સંસદીય ધારાસભ્યોને ઉપર કરતાં પકડાય છે, તે તેને શિક્ષા થાય છે. પણ ઊંચી કક્ષા ઉપર બેઠેલા મુજબનું આહ્વાહન કરીને મધ્યવર્તી સરકારને દબાણ દ્વારા નમાવવાની લોકો-ખાસ કરીને રાજકારણી પુરુષ–સાવ છટકી જતા માલુમ પ્રેરણા આપી રહેલ છે. અલબત્ત, પોતાની વ્યાજબી માગણી પડે છે. કાયદા પાસે નાના મોટા સૌ સમાન છે એમ જે કહેવાય મધ્યવર્તી સરકાર સમક્ષ રજુ કરવી, તેની સાથે વાટાઘાટ કરીને તેની છે તે શું આ છે? યોગ્યતા અને આવશ્યકતા તેના ગળે ઊતરાવવી એ સાદો સીધો બીજાં સચિન બનાવતાં તત્ત્વમાં ભાષાવાદ, જ્ઞાતિવાદ, કોમઅને શુદ્ધ બંધારણીય માર્ગ છે, પણ ગમે તેવાં સાધનનો ઉપયોગ વાદ–આ બધાં વિભાજિત કરતાં વલણોને સમાવેશ થાય છે. આ કરીને, કોઈ પણ માર્ગ અખત્યાર કરીને, અમુક યોજનાને સ્વીકાર વલણ જે આપણામાં સૈકાઓથી ગૂઢપણે પડયાં હતાં તે બહાર આવી કરવાની મધ્યવર્તી સરકારને ફરજ પડે એવી સ્થિતિ ઊભી કરવાનું રહ્યાં છે, વધારે વેગ પકડી રહ્યા છે. આ જોઈને હું ભારે ખિન્ન કહેવું એ તે સંસદીય સભ્યોને બંડખેરીના માર્ગે જવાનું કહેવા બનું . આ જ વલણોનો ચૂંટણીના વખતે ઉમેદવાર પસંદ કર Page #153 -------------------------------------------------------------------------- ________________ - તe-૧-૮૧૬ પ્રબુદ્ધ જીવન વામાં અને પ્રધાન પણ પસંદ કરવામાં માર્ગદર્શક નિયામક તત્ત્વ વિજ્ઞાને માનવીને વિનમ્ર અને ભકિતપરાયણ બનવાને પૂરો સંભવ છે. : આના બે ઉપાય છે. એક મધ્યવર્તી મજબુત સરકારની જરૂર તે બનાવવો ઘટે છે, અને બીજે જાહેર મત ઘડવામાં અને તેને દૈરવણી આપવામાં ઈલેકટ્રોનિક્સ સાથેના મારા અડધી સદી કરતાં વધારે મુદબુદ્ધિશાળી વર્ગના સક્રિય સહકારની જરૂર છે. ' ' તના સંબંધ દરમિયાન ટેલીગ્રાફિક કી સાથેના જોડાણથી માંડીને સેટે“લોકશાહીના અનેક પ્રકાર છે: guided, basic and લાઇટ ટેલીવીઝન સુધીનું તેનું વિસ્તરેલું જોડાણ મેં નિહાળ્યું છે અને people's- દેરવાતી, પાયાની અને લોકોની. લોકશાહી એટલે જેને એક વખત માત્ર દરિયામાં સફર કરતાં વહાણા વચ્ચે સંદેકાયદો અને વ્યવસ્થા સાથે સુસંબદ્ધ એવું વધારેમાં વધારે વ્યકિતગતે શાએ લેવાદેવા પૂરતે ઉપયોગ હતો તે આજે માનવજાતનું ભાવી સ્વાતંત્ર. લોકશાહીના પાયાના તત્ત્વો છે પુખ્તવયને મતાધિકાર, ઘડવામાં બહુ મહત્ત્વનો ફાળો આપી રહેલ છે–આવો તેનો અર્ક મતપેટી દ્વારા મતપ્રદાન, અબાધિત ચૂંટણી, અને વાણી અને વિચાર- ભુત વિકાસ હું જોઈ રહ્યો છું. અભિવ્યકિતનું સ્વાતંત્ર્ય. - ઈલેકટ્રોનિકસ મારફત આપણે અદણથી અનત સુધી આપણી “લોકશાહીના આકાર પુરો વિચાર કરીએ તો તે આકાર આપણા નજર દોડાવી શકીએ છીએ, જીવન્ત ઘટકના અથવા તે શુકના બંધારણમાં પૂરેપૂરો જોવામાં આવે છે. આઝાદી મળ્યા બાદ આપણે અન્તસ્તમ રહસ્યોને આપણે ઉકેલી શકીએ છીએ, પ્રકાશની ત્યાં લેકશાહીને વાસ્તવિક રૂપ આપવામાં અવરોધક બને એવી બે ગતિશીલતા દ્વારા પૃથ્વીની એક બાજુએથી આટલાન્ટિક મહાસાગર પરિસ્થિતિ ઊભી થઈ છે. એક તો એ છે કે આઝાદી મળ્યા બાદના ઉપર થઈને ઊંચે અવકાશમાં શબ્દો અને આકૃતિઓને મોકલી આજ સુધીના ગાળાના મોટા ભાગ દરમિયાન લોકશાહીની સમગ્ર શકીએ છીએ અને પૃથ્વીની બીજી બાજુએ ટેલીવીઝનના પડદા પ્રક્રિયા જવાહરલાલ નેહરુના મહાન અને શકિતશાળી વ્યકિતત્વ ઉપર તેને પુન: પ્રત્યક્ષ કરી શકીએ છીએ. સ્પેસન્ટેલીવીઝન દ્વારા વડે અભિભૂત બની છે–અવરૂદ્ધ બની છે. એવી એક પણ સરકારી દુનિયાના હવામાનની આપણને ખબર પડે છે અને તે સંબંધમાં પ્રવૃત્તિ નહોતી કે જેના ઉપર તેના વ્યકિત્વને પ્રભાવ પડયા’ વિના આપણે આગાહી કરી શકીએ છીએ અને કદાચ આખરે આપણે રહ્યો હોય. . . . . . . . તેનું નિયમન પણ કરી શકીએ. ' : ". “બીજી.પરિસ્થિતિ એ રહી છે. કે, આ બધાં વર્ષો દરમિયાન ઈલેકટ્રોનિકસના વિકાસ અને વિસ્તાર સાથે અડધી સદી દેશ ઉપર એ પક્ષનું શાસન રહ્યું છે કે જેની મધ્યમાં તેમ જ રાજ્ય- કરતાં પણ વધારે સમયથી હું આટલે બધે ગાઢપણે સંકળાયેલો સરકારમાં બહુમતી રહી છે. આ બધાં વર્ષો દરમિયાન એક જ રાજ- હોઈને, માનવીએ મેળવેલી સિદ્ધિઓ અંગે અને વિજ્ઞાનના ક્ષેત્રે તેણે કીય પક્ષનું શાસન ચાલ્યું. છે.. . : : : : : સાધેલી પ્રગતિ અંગે હું અભિમાન અને ગર્વની ઊંડી લાગણી . આમ જણાવીને મોતીલાલ સેતલવડે કેટલાક દાખલાઓ રજૂ અનુભવ્યા સિવાય રહી શકતે નથી. આમ છતાં પણ, વિજ્ઞાન કિરીને એમ દેખાડવા–પૂરવાર કરવા પ્રયત્ન કર્યો હતો કે, આપણા સાથેના જીવનભરના સંબંધના કારણે માનવીના મનની અને ‘Supreme Democrat'= “સર્વશ્રેષ્ટ : લેકશાસનવાદી’ જવા- વિજ્ઞાનની તાકાતની બહારની શકિતઓ વિશે હું સવિશેષ સભાન હરલાલ નેહરુએ લેકશાહી પદ્ધતિ અને પગલાંઓની હંમેશાં બનું છું અને તે કારણે ઊંડા આશ્ચર્યની, આદરની અને વિનમ્રતાની તરફેણ કરી હતી તો પણ તેમના શકિતશાળી વ્યકિતત્ત્વના કારણે કેટલીક લાગણી હું અનુભવું છું. આ વાર, લોકશાહી-રૂંધાતી પણ રહી હતી.. '' - વિજ્ઞાનમાં સર્વત્ર વિશ્વના સર્વશ્રેટ-શિલ્પીની કામગીરી આયણે તેમની એક મોટી નબળાઈ પિતાના સાથીઓ અને મિત્રો જોઈ શકીએ છીએ. અસંખ્ય સૂર્યો જેમાંના એક સાથે આપણે પ્રત્યેની નિષ્ઠાપૂર્ણ વફાદારી હતી - એ વફાદારી કે જે ઘણી વાર જોડાયેલા છીએ, સહરાની પાર વિનાની રેતી, આકાશને આવરી કિશાહીને પ્રતિકુળ બનવામાં પરિણમતી હતી. આને લીધે પોતાના રહેલી અનન્ત નક્ષત્રમાળા આ બધું માર્ગ અકસ્માત છે એમ પ્રધાનમંડળમાં તેમણે કેટલાક જડભરતને નભાવ્યા હતા. શ્રી. કહી શકાય જ નહિ.. નેહરુને એવા એક પ્રધાનમાં વિશ્વાસ હતો કે જેમણે તેમના દિલમાં '' ડેનીશ વિજ્ઞાનશાસ્ત્રી હંસ ક્રિશ્ચિયન એરેંડ જેણે મેગ્નેટીમ એમ સાવ્યું હતું કે, ચીનાઓ આપણી ઉપર કદિ પણ હમલે કરે જ નહિ અને ઈલેકટ્રીસીટી વચ્ચે રહેલા સંબંધની શોધ કરી હતી તેણે બરોઅને એમ કરીને જે આપણને ભયંકર આફતની કટોકટી સુધી લઈ ગયો હતે. શ્રી નેહરું કાયરોન વિરૂદ્ધની તપાસને મંજુર કરવાને બર કહ્યું છે કે, “વિશ્વ અનન્ત પ્રજ્ઞા અવિકાર છે અને કુદરતના અનાતુર હતા. મુંદરાની તપાસ વખતે પણ તેઓ ખૂબ ખંચકાયાં કાનૂની ઈશ્વરની સેકતે છે.” હતા, કારણ કે તેમની કેબીનેટને એક પ્રધાન ત પ્રધાનના ગુણ * આ રીતે, જેમ જેમ વિજ્ઞાનનાં ક્ષિતિજો વિસ્તરતાં જાય છે. અને ઉપર તેઓ એટલા બધા મુગ્ધ હતા, એમાં સંડોવાયેલા હતા. આપણું જ્ઞાન વધતું જાય છે તેમ તેમ આપણે અલ્પ નહિ પણ ' “એકપક્ષી શાસન દેશને રાજ્યવહીવટી સરળતાથી ચલાવવામાં અધિકતર વિનમ્ર અને અધિકતર દીન, ઈકવર–પરાયણ બનીએ છીએ. કારણ કે વિજ્ઞાન આપણી સમક્ષ ઉત્તરોત્તર એવા ગંભીર અને મદદરૂપ બન્યું છે. તેનાથી મધ્યવર્તી સરકારને પોતાની વિકાસયોજનાઓ - ગૂઢ પ્રશ્નો રજુ કરતું જાય છે કે જે પ્રશ્નોને તેની પાસે કોઈ અને ઔદ્યોગિક આયોજને આગળ ધપાવવામાં ઘણી અનુકૂળતા જવાબ જ' 'નથી. રહી છે. પણ તેણે એવાં પગલાં પણ ભર્યા છે, કે જેથી પક્ષને 'આ જગત ઉપર વિચરતા માનવીના જીવનને પૂર્ણપર્યાપ્ત પ્રભાવ સતત વધતો રહે. આટલી મોટી બહુમતી વડે મધ્યમાં સત્તા- બનાવવા માટે વિજ્ઞાન પૂરતું નથી. માણસે માત્ર સુખ સગવડ, સ્થાને રહેલ કેંગ્રેસપક્ષ પોતાની નીતિ, પદ્ધતિ અને વહીવટ વિષે જ્ઞાન કે સત્તા ઈચ્છતો નથી; આ ઉપરાંત તે ઝંખે છે જીવનમાં સ્વવપ્રાપ્તિ, સૌન્દર્ય, સત્ય, અર્થસભરતા. જો વિજ્ઞાનનું કાર્ય માનવથતી ટીકા -ચર્ચા અંગે બેપરવા બ છે. 1. જાત માટે પ્રગતિનો માર્ગ નિર્માણ કરવાનું હોય તે ધર્મનું કાર્ય તેને “પણ સમગ્ર રીતે વિચારતાં આપણી આ લોકશાહી સરકારે નીતિ અને જીવન સિદ્ધાન્તોના સાચા માર્ગે દોરવાનું છે. ' ઠીક કામ કર્યું છે અને પ્રગતિ પણ સાધી છે. આપણે શું સાધ્યું છે તેની કદર કરવા માટે સાઉથ-ઈસ્ટ’ એશિયા, પશ્ચિમ એશિયા આજે વિજ્ઞાન અને ધર્મ પરસ્પર વિશ્વવ્યાપી સમજણ, શાન્તિ અને તાજેતરમાં આઝાદ બનેલા કેટલાક આફ્રિકાના દેશ તરફ અને સંવાદિતાની સર્વસામાન્ય અપેક્ષાને પહોંચી વળવા માટે સર્વઆપણે નજર દોડાવવી ઘટે. આપણે લાંબા ગાળાનું સ્થિર શાસન સામાન્ય પુરુષાર્થને અનુલક્ષીને સમાન ભૂમિકા ઉપર એકત્ર થઈ રહેલ છે.. ભગવ્યું છે એમાં કોઈ શક નથી. .. ' “આપણે ઔદ્યોગિક ક્ષેત્રે સારી પ્રગતિ કરી છે. આપણી ઘણી આપણે એ પેઢીના પુરોગામી થવાનું છે કે જે પેઢી પિતાનાં ભય, વાસના અને ભયંકર શસ્ત્રો ઉપર કાબુ મેળવીને ખરી જરૂરિયાત દેશમાં બનેલી ચીજો દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ જગતમાં સર્વવ્યાપી સમજણ અને શાન્તિના યુગનું નિર્માણ આ કોઈ સાધારણ પ્રગતિ ન કહેવાય.” કરવામાં પૂરા મદદરૂપ બને. પરમાનંદ અનુવાદક: પરમાનંદ. મૂળ અંગ્રેજી: દેવીડ સાર્નેક Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન , તા.૧-૮-૬૬ - ' " . "" શાંતિ સેના શું છે?" " ' , ' (પરિચય ટ્રસ્ટ તરફથી પ્રગટ થયેલ “શાંતિસેના શું છે?” એ સેલી હતી. શાંતિસૈનિકો. એક તરફ બધા પક્ષના આગેવાનોને મળ્યા, . પુસ્તિકા ઉપરથી તારવેલો ટૂંક સાર) , બીજી તરફ એ લોકો પોલીસનો લાઠીમાર અને લોકોના પથ્થરમારની ભારતીય શાંતિસેનાના નીચે મુજબના ત્રણ ઉદૃશ છે : વચ્ચે જઈને ઊભા રહ્યા. આખા નગરમાં ફરી ફરીને તેમણે શાંતિસર- ' ૧. ભારતમાં બધાં સ્થળોએ શાંતિ જળવાઈ રહે એ જોવું.' ઘસે પણ કાઢયાં. ખોટી અફવાઓ ન ફેલાય એટલા સારુ તેમણે ૨. તેમ છતાં જો કર્થક અશાંતિ પેદા થાય છે તેને શાંતિમય શાંતિપત્રિકાઓ પણ કાઢી. એનું પરિણામ એટલું સારું આવ્યું કે જ્યારે ઉપાયો વડે શમાવવી. તેઓ વડોદરા છોડીને અમદાવાદ જવાનો વિચાર કરવા લાગ્યા ત્યારે ' . વડોદરાના પોલીસ અધિકારીએ એમને વડોદરામાં જ રોકાઈ જઈને ૩. ભારતમાં એક એવી અહિંસક રચનાત્મક શકિત ખડી કરવી જેથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સહકારભાવના વધે અને યુદ્ધ સમૂળગું પરિસ્થિતિને જાળવી રાખવામાં મદદ કરવા આગ્રહ કર્યો. વળી શાંતિનાબૂદ થાય. ' ' સૈનિકોના આગ્રહથી તેમણે લોકોને બેફામ રીતે મારવાનું બંધ કરવાના . ' * આમ શાંતિસેનાને ઉદ્દેશ ભારતના આંતરિક ક્ષેત્રમાં શાંતિમય હુકમે પણ કાઢયા. ' , ; ' ' . . . સાધનને સફળ બનાવી વિશ્વશાંતિનું વાતાવરણ સર્જવામાં મદદ . . પૂનામાં બંધ તૂટયે ત્યારે આપવાને છે. * - પૂનામાં મૂળામૂઠાને બંધ તૂટવાથી અસાધારણ રેલસંકટ આવી * . . પડયું. શહેરે કદી નહોતી જોઈ એવી હોનારત જોઈ. રેલને લીધે શહે: : શાંતિસેનાનો મૂળ વિચાર ગાંધીજીને. દક્ષિણ આફ્રિકામાં જ રનાં ઘણાં સેવાકાર્યો ભાંગી પડયાં. અનેક ઠેકાણે કચરાના ઢગલા ખડકાયા. એમણે પિતાની સત્યાગ્રહી ટુકંડી સારુ “અહિંસક સેના” શબ્દ વાપર્યો આ ખતરાને સામને ફેજના લોકો કરી રહ્યા હતા અને આવે હતે. ૧૯૩૭-૩૮ માં કેંગ્રેસે જ્યારે પહેલી વાર પોતાનું પ્રધાનમંડળ સમયે તે ફોજ જ કામ આવે એવી લોકમાન્યતા હતી. મહારાષ્ટ્રની સ્થાપ્યું ત્યારે કોમી હુલ્લડોનો સામનો કરવા સારુ તેમણે શાંતિસેનાને શાંતિસેનાએ ગંદકી દૂર કરવામાં લોકો વતી પહેલ કરી. પછી તે લેકવિચાર મૂકેલે. ૧૯૪૧ માં સ્વ. શ્રી મહાદેવ દેસાઈએ કોમી હુલ્લડને શકિતનું ય જાણે કે પૂર આવ્યું. શહેરની અનેક નાનીમોટી સંસ્થાઓ ખાળવા જે ટુકડી સ્થાપી તેનું નામ “શાંતિસેના” આપેલું અને આ કામમાં ભળી અને અસંભવ જણાનું કામ પૂરું થઈ ગયું. ભારત - પાકિસ્તાનના ભાગલા પછી તે શાંતિસેનાને વિચાર ગાંધી ઈન્દોરમાં માલિક - મજૂરોના ઝઘડાઓમાં અને વિંઘાર્થીઓના જીના મનમાં સતત ઘોળાતે હતો. છેવટના દિવસેમાં તેઓ ઘણી વાર આંદોલન વખતે ત્રણ ત્રણ વાર શાંતિસેનાએ બાજી વીફરતી કહેતા કે “મને હિંદ પર બહારના આક્રમણ કરતાંયે વધારે ડર એની અટકાવવામાં મદદ કરી. ઈન્દોર-પાસે કસ્તૂરબાગ્રામમાં અભ્યાસ કરતી આંતરિક અશાંતિ અંગે છે.”, ' , શાંતિસૈનિકાએ આ કામમાં સારી એવી મદદ કરી. , ' ' : શાંતિસેના અંગે વિચારણા કરવા એમણે ફેબ્રુઆરી ૧૯૪૮ માં દક્ષિણમાં હિન્દી વિરોધી આંદોલન વખતે પણ શાંતિસેનાએ પિતાની અનેક મિત્રોને સેવાગ્રામ આવવાનું નિમંત્રણ આપેલું. પણ દુર્ભાગ્યે શકિત મુજબ કામ કર્યું હતું. કેરળ અને કર્ણાટકમાં રમખાણોને થયાં તેઓ સેવાગ્રામ પહોંચે તે પહેલાં જ, ૩૦મી જાન્યુઆરીએ પ્રાર્થના એનું એક કારણ શાંતિસૈનિકોની અગમસૂચકતા પણ ખરી. તામિલભૂમિ ઉપર જતાં એમની હત્યા થઈ. • : , , '; ; . . . . ...' નાડમાં ઠેરઠેર ત્યાંનાં શાંતિસૈનિકો રાષ્ટ્રભાષા તરીકે હિંદી કેમ ઉચિત - ' . . ૧૯૫૭માં સ્થાપના "*',. " છે એ સમજવતા ઘેરઘેર ફર્યા બે સ્થળે શાંતિસૈનિકે ટોળાંની સામે ભૂદાનયાત્રા દરમિયાન કેરળના કુન્નુર જિલ્લાના મેજેશ્વર ખડા રહ્યા, તેથી સ્ટેશનને આગ ચંપાતી રેફાઈ. '". ગામમાં ૧૯૫૭ની ૨૩મી ઑગસ્ટે વિનોબાજીએ આજની શાંતિ ', ' : પંજાબમાં રમખાણે વેળા : ' , ' ' સેનાની પ્રથમ ટુકડીની સ્થાપના કરીને ગાંધીજીની કલ્પનાને મૂર્ત રૂપ - પંજાબી સૂંબાવિરોધી રમખાણો વખતે - લૂધિયાણા, જાલંધર, અમૃતસર, બટાલા અને હિંસારમાં શાંતિસેનાએ છાવણીઓ નાખી આજે દેશમાં પોતપોતાનાં હિતોનું રક્ષણ કરવા લોકો, હિંસાને કામ કર્યું. તે ઉપરાંત બીજાં કેટલાંક શહેરોમાં છૂટાછવાયા શાંતિઆશ્રય લેતા જણાય છે અને સરકાર પણ લોકોની હિંસાને ખાળવા કે સૈનિકોએ કામ કર્યું. વિરોધ કરવો હોય તે પણ હિંસક રીતે નવો નિવારવા હિંસાને આશરો લે છે. બંનેના પરિણામે રાષ્ટ્રની એકતા જ ઘટે એવું ઘરેઘેર જઈને લોકોને સમજાવવું, રાજનૈતિક પક્ષના નેતાજોખમમાં મૂકાય છે. શાંતિસેના દ્વારા આંતરિક હિંસાને ટાળી શકાય એને મળવું, ઠેરઠેર શાંતિ “સારુ અપીલ વહેંચવી એ આ છાવણીતો દેશની એકતા જરૂર સબળ બને. વળી શાંતિસેના દ્વારા આપણને એના શાંતિસૈનિકોનાં મુખ્ય કામ હતાં. ..'.. " ' , , એવા સેવકોની પણ એક જમાત મળે, જે દેશના હિત આગળ પિતાના આ લુધિયાણામાં પંડિત અમરનાથ'ભારદ્વાજ અને કેટલીક શાંતિવ્યકિતગત, જાતિગત, ધર્મગત કે પ્રાન્તીય હિતને ગૌણ ગણતી હોય. સૈનિકાઓએ ભારે પરાક્રમ દેખાડ્યું. રસ્તા પર ઈંટો. ઊછળતી હતી, * : દેશમાં વારંવાર હિંસક છમકલાં થાય એનું એક પરિણામ એ સડક પરે પથરાના ઢગલા ખડકાયા હતા; સેડાં વૉટરની બાટલીઓ આવે છે કે લોકોનાં મનમાંથી લોકશાહી વિષેની આસ્થા ઓસરી જાય પણ વીંઝાતી હતી. એ ભીડમાં પોલીસ પણ ઘૂસવાની હિમ્મત નહોતી છે અને તેઓ અભાનપણે કે અજ્ઞાનમાં સરમુખત્યારશાહીનું સમર્થન કરતી તેમાં અમરનાથ અને બે બહેને શાંતિસેનાના ગણવેશમાં ઘૂસ્યાં. કરવા લાગે છે. શાંતિસેનાની સફળતા દ્વારા આપણે દુનિયાની સૌથી ' પહેલાં તે એ લોકોને સારી પેઠે પ્રસાદી ચાખવી પડી. પણ મેટી લોકશાહી ઉપરનું આ જ મ પણ ટાળી શકીએ, પછી ભીડમાંથી કોઈએ પંડિતજીને ઓળખ્યા અને એમણે લોકોને : : '' 'શાંતિસેના સફળ થઈ છે? '' ', "."*' ' ' મારતા રોકયા. ભીડ ગોળીબારથી મરેલા એક બાળકની સ્મશાનયાત્રામાં ૧ " પણ આ બધું તે શાંતિસેના સફળ થાય તે જ થાય એમ કહી ફેરવાઈ ગઈ. : : : ' . . . . : : શકાય ને? શાંતિસેના કયાંય પણ સફળ થઈ છે ખરી? એ પ્રશ્નને શાંતિકેન્દ્રની કામગીરી. . . જવાબ જાણવા સારું આપણે શાંતિસેનાના કેટલાક અનુંભ જોવા - બે કે વધારે શાંતિસૈનિકો: જયાં પાસે પાસે રહેતા હોય ત્યાં જોઈશે. ' . . : : ફર : ; ; , , , , : : તેમનું એક શાંતિકેન્દ્ર બનાવવામાં આવે છે. આ શાંતિકેન્દ્રો જ રાજયપુનર્રચના અંગે ગુજરાતમાં રમખાણો થયાં ત્યારે શાંતિ- શાંતિસેનાનાં પ્રાથમિક એકમ ગણી શકાય.." :.. . . સૈનિકની ટુકડીએ વડોદરામાં સારું કામ કર્યું. પરિસ્થિતિ ઠીક ઠીક વણ- ૬ શાંતિકેન્દ્રો અંગેની કલ્પના એવી છે કે ત્યાં શાંતિસૈનિકો નિય Page #155 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૮-૬ પ્રભુ મિત રૂપે ઓછામાં ઓછું અઠવાડિયે એક વાર મળે, અઠવાડિયાના કામના અહેવાલ આપે, પછીના અઠવાડિયાના કામની યોજના બનાવે, પેાતાની આસપાસ કર્યાંક અશાંતિ થવાનો સંભવ દેખાતો હોય તે તેને રોકવાનો પ્રયત્ન કરે, કંઈક સ્વાધ્યાય, કંઈક સેવાકાર્ય, કંઈક રમતગમત, વ્યાયામ વગેરે કરે. શાંતિકેન્દ્રના ત્રણ મુખ્ય કામ ગણાય છે: સેવા, સ્વાધ્યાય અને શ્રામ. દેશમાં જુદે જુદે ઠેકાણે પરિસ્થિતિ મુજબ શાંતિકેન્દ્રના જુદી જુદી જાતના કાર્યક્રમે આ ત્રણ મુખ્ય મુદ્દાને આધારે બને છે. આખા દેશનું શાંતિસેનાનું કામ અખિલ ભારત શાંતિસેના મંડળ કરે છે. મંડળની નિમણુંક સર્વ સેવા સંઘના અધ્યક્ષ કરે છે. મંડળના કાર્યક્રમ ૩ વર્ષના છે. ૧૯૬૨થી . ભા. શાંતિસેના મંડળના અધ્યક્ષ તરીકે શ્રી જ્યપ્રકાશ નારાયણ અને મંડળના મંત્રી તરીકે આ લેખના લેખક કામ કરે છે. મંડળની જવાબદારીઓમાં દેશની શાંતિ માટેના તમામ કાર્યક્રમા ઉપરાંત શાંતિસૈનિકોને તાલીમ આપવી, શાંતિસેના અંગેનું સાહિત્ય પ્રકાશિત કરવું અને દેશના સીમાક્ષેત્રા ઉપર શાંતિસેનાનાં કેન્દ્રો ચલાવવાં એ મુખ્ય છે. ભારતીય શાંતિસેનાના સેનાપતિ આચાર્ય વિનોબા ભાવે છે. દેશમાં આજે ૧૨,૨૪૨ શાંતિસૈનિકો અને ૧,૦૦૫ શાંતિકેન્દ્રો છે. શાંતિસેનાના સંચાલનનું તમામ ખર્ચ લાકોનાં દાનમાંથી જ નીકળે છે. દેશના ૧૨ હજાર શાંતિસૈનિકો પૈકી મોટા ભાગના આંશિક સમયના કાર્યકર્તા છે અને પોતાના નિર્વાહ તે બીજી કમાણીમાંથી મેળવે છે. એટલે નિર્વાહખર્ચ શાંતિસેનાને ભાગવવા પડતા નથી. દરેક પ્રદેશમાં સર્વોદય મંડળા પેાતાના બજેટમાં શાંતિસેનાના ખર્ચ સારું. પણ જોગવાઈ રાખે છે. સરહદી વિસ્તારોમાં સરહદી વિસ્તારોનાં શાંતિકેન્દ્રોમાં કામ કરનારા શાંતિસૈનિકો પૂરા સમયના કાર્યકર્તા છે. એમના ખર્ચ સીમાક્ષેત્રના કામ સારું સ્થાપવામાં આવેલી સમન્વય સમિતિ કરે છે. આ સમિતિને ગાંધી સ્મારક નિધિ, કસ્તૂરબા ટ્રસ્ટ વગેરે સંસ્થાઓ પાસેથી પૈસા મળે છે. સરહદી વિસ્તારમાં શાંતિસેનાના કામના ઉદ્દેશ નીચે મુજબ છે: (૧) સરહદી વિસ્તારોના લોકો સાથે રાષ્ટ્રના બીજા ભાગના લોકોની એકાત્મતામાં વૃદ્ધિ, (૨) સરહદી વિસ્તારના લોકોની સઁવા, (૩) એમનામાં આક્રમણ પ્રસંગે અહિંસક પ્રતિકારની શકિત ખીલવવી, (૪) સરહદી વિસ્તારોમાં એવું રચનાત્મક કામ કરવું કે જેથી મિત્રતાની ભાવના સરહદોની પેલે પાર પહોંચે. આ ઉદ્દેશાને પૂરા કરવા સારુ કાર્યક્રમ પરિચય, સેવા અને લોકશિક્ષણનો છે. આસામમાં સુમેળ - આસામમાં ૧૯૬૨ના ડિસેમ્બર માસથી શાંતિસૈનિકોએ કેન્દ્ર જમાવ્યાં છે. ત્યાં કામરૂપ, ઈરંગ, ઉત્તર લખીમપુર અને શિવસાગર જિલ્લાઓમાં કામ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ત્યાંનું કામ મુખ્યત્વે ગ્રામદાન આંદોલનની મારફતે ચાલે છે. અત્યારે આસામમાં હજાર · કરતાં વધારે ગ્રામદાન થયાં છે. એનાથી લાકશકિત જાગૃત થઈ રહી છે. આ આદેાલનનું એક સુપરિણામ એ આવ્યું છે કે જ્યાં પહેલાં આસામી - બંગાળી રમખાણો થયાં હતાં ત્યાં આજે એમની વચ્ચે મેળ થઈ ગયો છે. લાકશિક્ષણ-પ્રવૃત્તિમાં ઠેરઠેર ગામલાકોના શિબિરો ભરી તેમને ચાલુ પરિસ્થિતિ અંગે સમજ આપવાનું કામ ચાલે છે. ગ્રામદાની ગામેાએ પોતાના સંઘ રચી ગામના નિર્માણના કામની જવાબદારી પોતાને માથે લીધી છે. ચીની આક્રમણ પછી તરત જ ત્યાં શાંતિસેના મંડળના અધ્યક્ષ અને મંત્રી પ્રવાસ કરી આવ્યા. વડાપ્રધાન પંડિત નહેરુએ જાતે મંડળના મંત્રીને સૂચવ્યું હતું કે, “નેફામાં તમારું કામ્ કેમ શરૂ નથી કરતા?' ત્યાંના કામ અંગે મંડળના મંત્રીએ એક યોજના તૈયાર જીવન ૬૯ કરી. ૧૫મી ઓકટોબર ૧૯૬૩થી નેફામાં શાંતિસેનાનું કામ શરૂ થયું. સરહદી વિસ્તારોના કેટલાક અનુભવા જાણવા જેવા છે. નેફાના સુબંસિરીક્ષેત્રના મુરિમુગલી કેન્દ્રના કામની અસર ગામડાંના લોકો ઉપર એવી સારી પડી છે કે એમણે જાતે શાળા, છાત્રાલય, શિક્ષકનિવાસ, ઉઘોગઘર, ગ્રામસાંસ્કૃતિક કેન્દ્ર વગેરેનાં મકાનો બાંધી આપ્યાં છે અને આસપાસનાં નવ ગામની પંચાયતે ભણતાં બાળકોની ખાઘાખોરાકીના પૂરો ભાર પોતાને માથે લઈ લીધા છે. જીવનની ઘણીખરી બાબતો માટે સરકાર તરફ તાકનારી પ્રજાને સારુ આ મોટુ પરાક્રમ કહેવાય. લાંચ " અને તારાજી અટકી આસામના કામરૂપ જિલ્લામાં અંગારકાટા ગામમાં વર્ષોથી પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિત વસે છે. અવાવરુ જમીન ઉપર એમણે ઘણી સારી ખેતી કરી છે, પણ એ ખેતીમાં ફળછોડ કે લાંબો સમય ચાલે એવા પાક લેવાતા નથી, કારણ દર વર્ષે એકાદ વાર એ જમીન ઉપર સરકારી જપ્તી આવે છે, અને કાં હજારોની લાંચ લેવામાં આવે છે, કાં એ ખેતી ઉપર હાથી ફેરવીને ખેતી અને એની ઉપરનાં ઝૂંપડાંને તારાજ કરવામાં આવે છે. શાંતિસૈનિકોએ આ ગામની પડોશમાં કેન્દ્ર સ્થાપ્યું અને આ લોકોના પ્રશ્નમાં રસ લેવા માંડયો ત્યારથી માલની તારાજી અને લાંચ બંને અટક્યાં છે. શાંતિસૈનિકોનાં સંપર્કને લીધે તે ગામની સ્રીશકિત વિશેષરૂપે જાગી છે. ગામમાં દોઢસેાથી વધુ રેંટિયા ફરવા શરૂ થયા છે અને એક બે સાળ નંખાઈ છે. બહેનોએ પેાતાની એક ભજનમંડળી સ્થાપી છે. ભજનમંડળીની બહેનોએ પડોશના ગામમાં દારૂ પીઠું આવ્યું ત્યારે ભજન કરતાં કરતાં ત્યાં જઈને પીઠાના માલિકને કહ્યું કે, “કાં તમે પીઠું અહીંથી હઠાવી જાઓ, કાં અમારે સત્યાગ્રહ કરવા પડશે.’” માલિકે એ ગામમાંથી પીઠું ખસેડી લેવું વધુ શ્રેસ્કર માન્યું. ત્રણ મૂલ્યો શાંતિસેના આગળ' આજે એ આદર્શ છે કે ભારતમાં એક એવી અહિંસક શકિત ખડી કરવી કે જેથી દેશની (૧) એકાત્મતા, (૨) ધર્મનિરપેક્ષતા અને (૩) લાકશાહી જળવાઈ રહે. આ ત્રણ મૂલ્યો જ ભારતને એની આગવી અસ્મિતા આપે છે. ગમે તેટલી જાહેોજલાલીવાળુ ` ભારત પણ આ ત્રણ મૂલ્યા વિના ભારત ન રહે. આ ત્રણ મૂલ્યોને જાળવવા અને વિકસાવવા દેશના અબાલવૃદ્ધ સ્ત્રી - પુરૂષોના પુરૂષાર્થ ભારતમાતાને ખપે છે. શાંતિસેના આવા પુરૂષાર્થની તક પૂરી પાડે છે. નારાયણ દેસાઈ આગામી ર્યુષણ વ્યાખ્યાનમાળા આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૧૧ સપ્ટેમ્બર રવિવારથી તા. ૧૮ સપ્ટેમ્બર રવિવાર સુધી – એમ આઠ દિવસની યોજ વાનું નક્કી કરવામાં આવ્યું છે, અને ભારતીય વિદ્યાભવન તથા બ્લૅવાકી લાજને બદલે ચેપાટી ઉપર આવેલા બીરલા ક્રીડા કેન્દ્રના સભાગૃહમાં ઠે દિવસની વ્યાખ્યાનસભાઓ યોજાશે તેની ખાસ નોંધ લેવા વિનંતી છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ બહેન વિમલા ઠકાર સાથે વાર્તાલાપ લગભગ આઠ માસના યુરોપનિવાસ બાદ શ્રી વિમલાબહેન ઠકાર બીજી ઑગસ્ટના રોજ મુંબઈ આવી રહ્યા છે. આગસ્ટ માસની ૭મી તારીખ સાંજના પાંચ વાગ્યે બીરલા માતુશ્રી સભાગારની બાજુએ, ન્યુ મરીન લાઈન્સ ઉપર આવેલા ‘મનોહર’માં સંઘના સભ્યો સાથે શ્રી વિમલાબહેનના વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે. તો આ પ્રસંગ ઉપર ઉપસ્થિત થવા માટે સંઘના સભ્યોને નિમંત્રણ છે. મંત્રી : મુંબઈ જૈન યુવક સંઘ Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૬૬ ન્યાયવિતરણ અને આર્થિક વેતન શ્રી ચંદુલાલ નાણાવટી કન્યા વિદ્યામંદિરના આચાર્ય શ્રી આ એક ભારે પવિત્ર કાર્ય છે અને સમાજની માટી સેવા છે. ન્યાયાવજુભાઈ પટેલ તરફથી થોડા દિવસ પહેલાં મળેલું ચર્ચા પત્ર નીચે ધીશમાં માત્ર કાનૂની કુશળતા અપેક્ષિત નથી; સાથે સાથે ઉચ્ચ પ્રકાઆપવામાં આવે છે : રની સત્યનિષ્ઠા અને શીલસંપન્ન ચારિત્રય એટલું જ અપેક્ષિત છે. મુંબઈ હાઈકોર્ટના હમણાં એક પછી એક એમ બે ન્યાયમૂર્તિઓ આ ન્યાયાધીશ જીવનનિર્વાહ માટે બેફીકર રહે એ માટે એ પિતાને ઓછા પગાર મળતો હોવાને કારણે અને પિતાનું જીવન- અત્યંત જરૂરી છે કે સભ્યસમાજમાં તે જરૂરી સગવડે અને ધારણ ટકાવી શકાય તેટલી આવક તેમાંથી મળી નહિ રહેતી હોવાથી સ્વસ્થતાપૂર્વકનું જીવન જીવી શકે એ માટે જરૂરી હોય તેટલું આર્થિક ન્યાયાલયમાંથી રાજીનામું આપી છૂટા થયા. મહારાષ્ટ્ર હાઈકોર્ટના વેતન તેને મળવું જોઈએ. અને દરેક સરકારે આવા વર્ગને પગાર ન્યાયમૂર્તિ શ્રી ગોખલેએ વિદાય સમયે જે ઓછા પગાર સામે નક્કી કરવામાં આવું ધોરણ સ્વીકારેલું હોય જ છે. ચિતા વ્યકત કરી તેમાં રહેલ પરિસ્થિતિ સમાજના સમજુ વર્ગને આમ છતાં પણ આજના વકીલ બેરિસ્ટરોની અઢળક કમાણી ચિંતામાં મૂકી દે તેવી છે. સાથે ન્યાયમૂર્તિને આપવામાં આવતા આર્થિક વળતરની કોઈ સરહાઈકોર્ટના ન્યાયાધીશોના પગાર સમાજના ધનિક વર્ગના ખામણી કરે તો પ્રત્યેકના વ્યવસાયમાં રહેલી ગુણવત્તાના ફરકને જીવનધોરણની દષ્ટિએ અલબત્ત ઓછા ગણાય. વિકસી રહેલા તે સમજતા નથી એમ કહી શકાય. અલબત્ત ન્યાયપ્રદાનના કાર્ય ઉદ્યોગોમાં કામ કરતા મુખ્ય અધિકારી વર્ગના જે પગાર હોય છે અને ન્યાયાલયમાં ઉચ્ચ આસને બેસનાર ન્યાયમૂતિઓના પગાર છે માટે કાનૂની કુશળતા અપેક્ષિત હોઈને અને તેમની પસંદગી વકીલતેમાં સારો એવો તફાવત છે. એકટ કે સારા પ્રતિષ્ઠિત વકીલની બેરિસ્ટરીમાંથી કરવાની હોઈને ન્યાયમૂર્તિ કે ન્યાયાધીશના પગારનું આવકમાં અને ન્યાયમૂર્તિની આવકમાં પણ ઘણો બધો તફાવત ઘેરણ બીજા નેકરિયાત વર્ગો કરતાં અમુક પ્રમાણમાં ઊંચું રાખવાનું રહે છે. પરિણામે તે પ્રતિષ્ઠિત વકીલે કે એડવોકેટ, ન્યાયમૂર્તિના અનિવાર્ય છે. એમ છતાં પણ, એક મોટી પ્રેકટીસવાળે બેરિસ્ટર સ્થાન પસંદ કરવા તૈયાર નથી હોતા તેમ સંભળાય છે. આ પરિસ્થિતિ સમાજને ચિંતામાં મૂકી દે તેવી છે. આજે રહેવા માટે આલીશાન બંગલા ધરાવતા હોય, ફરવા હરવા માટે બે ન્યાયમૂર્તિ પિતાના જીવનધરણ અને કાર્યને વિચાર માત્ર આર્થિક ત્રણ મેટરો તેણે વસાવેલી હોય, નોકરોનું તેને ત્યાં નાનું સરખું જુથ આવકની દષ્ટિએ જ કરવા લાગેલ છે. આ પ્રકારનું તેમનું વલણ હાય, મનમાં આવે ત્યારે તે નાની મોટી મીજબાની ગોઠવી ન્યાયના ઉચ્ચ ધોરણ માટે ખતરનાક નીવડવા સંભવ છે. ન્યાયના શકતો હોય અને પોતાના પરિવારને પરદેશ ભણવા માટે સરળતાથી ઉચ્ચ આસને વિરાજમાન સંસ્કારી વ્યકિત પિતાના ન્યાયના કાર્યનું મેકલી શકતો હોય–આ ઉપરથી હાઈકોર્ટના ન્યાયમૂતિને ત્યાં મૂલ્યાંકન કોઈ ઊંચા જીવનમૂલ્યોના આધારે કરે એમ સંસ્કારી પણ આ બધી સગવડ હોવી જોઈએ એમ માનવાને સમાજ અપેક્ષા રાખે તે સ્વાભાવિક ગણાવું જોઈએ. જેમ શિક્ષણમાં, કોઈ કારણ નથી. તાતા જેવા કોઈ કારખાનાના મેનેજરને પત્રકારત્વમાં તેમ ન્યાયમાં આજે ઊંચા જીવનમૂલ્યની પ્રતિષ્ઠા દશ હજાર કે તેથી વધારે પગાર મળતું હોય તે ઉપરથી બેહદ પ્રમાણમાં ઘટી ગઈ છે. Devotion ને-નિષ્ઠાને-કામમાં પ્રસ્થાન કોઈ પણ રાજ્યપ્રધાનને પણ એ મોટો પગાર હોવ પિત કરવા માટે સક્રિય પ્રયત્ન કરવાને આ સમય આવ્યે લાગે છે. જોઈએ એમ કઈ વિચારતું નથી. આ દષ્ટાન્તમાં રાજ્યપ્રધાનના તે સમયે સમાજને નિષ્ઠાવાન વર્ગ ઉંચા જીવનમૂલ્યોની પ્રતિષ્ઠા કાર્યની કલ્પના જેમ જુદા પ્રકારની છે, તેની સાથે સાથે દેશમાટે સજાગ બને તે અત્યંત જરૂરી લાગે છે. જસ્ટીસ રાનડે અને સેવાની ભાવના જેમ જોડાયેલી છે તેમ હાઈકોર્ટના ન્યાયમૂર્તિના અન્ય ભદ્ર ન્યાયમૂર્તિઓને જે સ્થળે વાર છે ત્યાં પણ જો ઊંચા કાર્યની કલ્પના સાથે શકય તેટલા દ્રવ્યોપાર્જનની નહિ પણ ન્યાય જીવનમૂલ્યની પ્રતિષ્ઠાને બદલે અર્થની પ્રતિષ્ઠા સ્થપાય અને ધનિક અને સત્યની ઉપાસનાની ભાવના જોડાયેલી છે. આથી અન્યથા વર્ગના જેવું જીવનધોરણ ટકાવવા જેટલી આવક મળે તે જ ન્યાયા- વિચાર કે વલણ ધરાવનાર ન્યાયાધીશ કેવળ દ્રવ્યલક્ષી જ હોવાને લયમાં આવવાનું એકેટ-વકીલને આકર્ષણ થાય–આવી નજર અને તે સાચા અર્થમાં ન્યાયાધીશ થઈ શકવાને જ નહિ, સામે ઉપસ્થિત થતી વાસ્તવિકતા અત્યંત ધક્કો લગાડનારી ગણાય.” શકિતશાળી-બુદ્ધિશાળી–હોવા સાથે જે ભાવનાશાળી હોય, ઉપરના ચર્ચાપત્રમાં રજુ કરવામાં આવેલા મુદ્દે અવશ્ય આદર્શલક્ષી હોય, અને તેથી ભૌતિક ક્ષેત્રે વધારે પડતું મહત્ત્વાવિચારણીય છે. ન્યાયમૂર્તિઓ અને ન્યાયાધિશની કામગીરી અને કાંક્ષી ન હોય તેવી જ વ્યકિત ન્યાયાધીશ થવાને યોગ્ય લેખાવી વકીલ-બેરિસ્ટરોની કામગીરી વચ્ચે રહેલે ફરક જે બરાબર ધ્યાનમાં ઘટે. આજે ન્યાયવિતરણનું કાર્ય કરતી બધી જ વ્યકિતઓ આ લેવામાં આવે તે શ્રી વજુભાઈએ રજુ કરેલા મુદ્દાનું હાર્દ સહે- કોટિની છે એમ આપણે કદાચ કહી ન શકીએ. કોઈ કોઈ પિતાની લાઈથી પકડી શકાય તેમ છે. - મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવાના વચગાળાના સાધન તરીકે આ - વકીલબેરિસ્ટરનું કામ પતાના અસીલના કેસને સારામાં વ્યવસાયમાં જોડાયા હોય એમ બનવાજોગ છે. એમ છતાં પણ સારી રીતે રજૂ કરીને અસીલને વધારેમાં વધારે લાભ કેમ થાય અથવા આપણા દેશમાં ચુકવાતે ન્યાય ઊંચા પ્રકારને લેખાય છે. એ તે ઓછામાં ઓછું નુકસાન-શિક્ષા, દંડ વગેરે દ્વારા કેમ સૂચવે છે કે આજે ન્યાયાસનને શોભાવતી મોટા ભાગની વ્યકિતઓ થાય એટલું જ જોવાનું હોય છે, અને તે કામના વળતર તરીકે જરૂર સ્વસંતુષ્ટ, આદર્શલક્ષી અને ઉચ્ચ પ્રતિની છે. આપણા મેટા તેમને વિપુલ પ્રમાણમાં દ્રવ્ય મળે છે. જેમ વધારે હોશિયાર સંસ્કારસમૃદ્ધ વકિલ–બેરિસ્ટરોના સમુદાયમાં ન્યાયવિતરણનું પવિત્ર વકિલ-બેરિસ્ટર તેમ તે વધારે ને વધારે દ્રવ્ય માગે છે અને અસીલ કાર્ય કરવા માટે યોગ્ય નિષ્ઠાવાન વ્યકિતઓ મળતી રહી છે અને અસહાય બનીને તે જે માગે તે આપે છે. આ પાછળ કોઈ મળવાની છે. આ વિશે શંકા ધરાવવાનું કોઈ કારણ નથી. ભાવના કે સેવાની વાત હોતી જ નથી. આ કેવળ પરસ્પર સ્વાર્થ આપણા ન્યાયાધીશ વર્ગની આર્થિક સ્થિતિ અઢળક ધન રળતા લક્ષી સોદો હોય અને તેમાં કેટલું છે તે વ્યાજબી અને કેટલું લે તો બેરિસ્ટરની અપેક્ષાએ સામાન્ય જ રહેવાની, એમ છતાં આપણા ગેરવ્યાજબી એવી કોઈ વિભાજક રેખા જોવામાં આવતી નથી. વિશાળ સમાજમાં તેને મે ઘણે મેટો છે એ ધ્યાન બહાર જવું બીજી બાજુએ ન્યાયાધીશનું કાર્ય બન્ને બાજુની રજુઆતોને ન જોઈએ. તેનું જીવન પણ સ્વસ્થ, શાન્ત અને સ્થિર હોય છે, ધ્યાનપૂર્વક સાંભળી સમજીને શુદ્ધ ન્યાય ચુકવવાનું હોય છે. અને તેને લેવો પડતો પરિશ્રમ પણ મર્યાદિત હોય છે. ભલેને મેટર Page #157 -------------------------------------------------------------------------- ________________ = ? . . . * , * * પ્રબુદ્ધ વતન 93 વસાવી શકવાની સ્થિતિના અભાવે તેને બસમાં બેસીને અદાલતમાં જવું પડતું હોય–અને આમ કરવામાં તેના સ્થાનને હીણપત પહોંચે છે ' “મોશેને સિકનેસ (મોટરમાં ફેર ચઢે) માટેની ટીકડીએ. છે આવો આપણે ખ્યાલ. પાયામાંથી ભૂલભરેલું છે–પણ તે : “એક મિનિટ, બિલ! એન્ટીહિસ્ટામિનથી તમને ઝોકાં આવવા જ્યારે ન્યાયાસન ઉપર બેસે છે ત્યારે તેનું સ્થાન એક સમ્રાટ કરતાં લાગે છે. માટે તે લીધા પછી તેની અસર દૂર કરવા મને અત્યારથી જ પણ વધારે ઊંચું હોય છે. મેટાં માંધાતા -બેરિસ્ટરોને પણ બેન્ઝાન્ડ્રિન આપી રાખ' , ' . . . . . . . . ” તેને નમીને ચાલવું પડે છે, વાદી-પ્રતિવાદી ભલેને કરડાધિપતિ : તને સરસ યાદ આવ્યું, મા !', . હોય તે પણ આ ન્યાયાધીશ પર તેની કોઈ શેહ પડતી નથી. જેમ ચેક. હવે મને મોશન સિકનેસ માટેની ટીકડીએ આપ.' - ' “એન્ટી - મોશન સિકનેસ ટીકડીઓ. હવે આગળ શું, માજી ?" કોઈ એક પ્રોફેસરની આવક પ્રમાણમાં મર્યાદિત હોવાની, એમ છતાં . ''" ઊંઘની ટીકડીએ.'' : * * * * * . ;*** * * * સમાજમાં તેને મા " ઊંચો હોય છે, એમ સભ્ય સમાજમાં . . અલબત્ત, ઊંઘની ટીકડીઓ તે ભૂલી જ કેમ શકાય?’ .. ન્યાયાધીશ પણ હંમેશાં આદરણીય બહુમાન્ય હોય છે, હોવો જોઈએ. ' ' , ઊંધની ટીકડીઓ આપણી પાસે હોય એટલે આપણે કેટલા આ બંનેનાં કાર્ય પવિત્ર અને સમાજના સમધારણ માટે મહત્ત્વનાં બધા નસીબદાર ! એન્ટી-હિસ્ટામિન ઝોકાં લાવે એટલે લઈએ બેન્ઝાછે અને તેથી તે બન્નેનું સ્થાને અન્ય વ્યવસાયી જનની અપેક્ષાએ ડ્રિન. પછી ઊંધની ટીકડીઓ ન હોય તે રાતે ઊંઘ જ શી રીતે આવે? અનાખું છે. ' ' કે ' ' : * * * * * * ; ; ; હવે, શરદી સારુ શું લઈશું?' જ આ સમગ્ર વિવેચન ધ્યાનમાં લેતાં જે બે વ્યાયમૂતિઓએ ‘તેને માટેની અકસીર દવા આ રહી.' ' . . . પિતાને મળતું આર્થિક વળતર બેરિસ્ટરી દ્વારા થતી કમાણી સાથે : ચેક હવે હું યાદી વાંચી જાઉં છું. જોઉં, કાંઈ રહી તો સરખોવતાં પૂરતું છે એવું કારણ દર્શાવીને રાજીનામાં આપ્યાં છે નથી ગયું ને! વિટામિન ટીકડીઓ, એસ્પરિન ટીકડીઓ, તેનાથી બેવડા પાવરની ટીકડીઓ, એન્ટી- હિસ્ટામિંન ટીકડીઓ, ઊંઘની તેમને ચાલુ સગવડભર્યું જીવન જીવવા માટે ઓછું મળતું હતું એમ ટીકડીઓ, મેશન સિકનેસની ટીકડીઓ અને શરદીની ટીકડીઓ. માનવાને કોઈ કારણ નથી. રૂા. ૩૦૦ થી ૩પ૦૦ને માસિક પગાર આ ઉપરાંત શું જોઈશે, બિલ?' કોઈ. નાની રકમ નથી; બલ્ક મોટી છે એમ પણ કદાચ કહી શકાય. એમ ', “પરિવાર વધતો અટકાવવા માટેની ટીકડીઓ.’.. છતાં પિતાના ન્યાયવિતરણના પવિત્ર કાર્યને કેવળ આર્થિક માપે ‘દાહ દૂર કરવાની ટીકડીઓ.'"" માપીને એક ન્યાયાધીશના આદર્શ અને પ્રતિષ્ઠાને તેમણે ‘ચેક. અને પેટની વધારે પડતી એસિડિટી (અમ્લતા દૂર કરવા દૂષિત બનાવ્યું છે, જાથે વિતરણેના પવિત્ર કાર્યનું તેમણે હળવું માટે આકોલાઈઝિંગ ટીકડીઓ સાથે લેવાનું ભૂલતા નહીં. :: મૂલ્યાંકન કર્યું છે. અલબત્ત આ રાજીનામાનાં સમાચાર છાપા- - ' “આ રહી, માર્જી! આપણે હવે ગરમ આબોહવામાં જઈ રહ્યો માં પ્રગટ થયા બાદ ભારત સરકાર કે મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટના છીએ. તેથી પરસેવા વાટે શરીરનાં ઘણાં દ્રવ્ય આપણે ગુમાવીશું: ‘તને ન્યાયમૂર્તિઓને મળતા પગારમાં કાંઈક સુધારે વધારે કરવા ધારે છે નથી લાગતું કે આપણે ક્ષારની ટીકડીઓ પણ લેવી જોઇએ?” * * * * આવા સમાચાર પ્રગટ થયા છે. આજે હોય તે ખરું. પણ આ બધા : ” “તમારી તે મને ખબર નથી, પણ મારા શરીરના ક્ષારનું સ્તર પાછળ એક જ પરિસ્થિત્તિ આંખ સામે તરી આવે છે અને તે એ નીચું જશે, તે મારી તો આખી સફરે બગડી જશે માટે તે ટીકડીઓ છે કે આપણે શિષ્ટ અને સંસ્કારી લેખાતે વર્ણ, વધારે ને વધારે લાવે. અને લેહટીકડી લેવાનું કે ભૂલતા નહીં.' , '' ': અલક્ષીને થઈ રહ્યો છે. અને અર્થદષ્ટિ સિવણનાં બીજા જીવન; * * *લેહ-ટીકડીઓ આપું છું. બીજું શું?' , " . " " : : ' ' મૂલ્યોનું વર્ચસ બહુ જલ્ફિથી એસરનું ચાલ્યું છે. ઉપરનાં રાજીનામાં | " ', “વિટામિન ટીકડી અને લેહ ટીકડીને લીધે આપણી ભૂખ આ પરિસ્થિતિનાં ઘોતક છે અને તેથી આપણા ભાવી માટે ભારે ચિન્તાજનક છે. એકદમ જ ઉદ્દીપ્ત થઈ જશે અને આપણે ખૂબ ખાવા લાગીશું. " } પરમાનંદ પણ તેનાથી ફાંદ વધી જાય તે કાંઈ સારું નહીં:"કમર તે પાતળી જે !* ..* ટીકડી સંસ્કૃતિors : જોઈએ. માટે કેલરીનું પ્રમાણ ઘટાડવા તમે સેક્રેરિનની ટીકડીઓ કાં નથી લેતા?' ' , " , . . : : આધુનિક જીવનની કૃત્રિમતા શારીરિક ને માનસિક અસ્વસ્થતપૈs : "'“શરીરનું રાસાયણિક સમતલપણું જેળવાઈ રહે તેને જન્માવે છે, અને એક અસ્વસ્થતા દૂર કરવા માણસ દવાની હમેશાં ખ્યાલ રાખતી હોય છે. માર્જી, તારે તે ડોકટર થવું જોઈતું હતું. ટીકડીએને આશરો-લે છે. આજે, ચારે કોરથી માણસના મન પર અ. મણ થઈ રહ્યું છે: એ લીજીએ.'પટકી ગડબડીગેસહઃ અરે, હું તે સાવ ભૂલી જ ગયો: ટ્રાન્કિવલાઈઝ!' '' “હા, એ તો જોઈએ જે પણ દેવાની પેટી હવે બૅહું ભારે પીલ્સ ઈસ્તેમાલ કરે!” “ઊંઘ વેરણ થઈ છે?—રોજની બે-ચાર-છ-.. આ દસ ટીકડી લઈ લે.!' “માનસિક અસ્વસ્થતા ?ોર્મિલાઈ જાય છે હોં! આપણે હવે તેમાં બીજું કશું ન મૂકવું જોઈએ.": ''''' “ચલ, આખી યાદી એક વાર વાંચી જા.' ઝર્સ તમારી તહેનાતમાં હાજર જ છે!! પરંતુ આપણે ત્યાં જો હજી ' : “ઠીક. વિટામીન ટીકડીએ, એસ્પરિન ટીકડીએ, તેનાથી બેવડાં પાશેરામાં પહેલી પૂણી છે. યુરેપ - અમેરિકામાં તો જાણે માણસ આ ટીકડીઓને ગુલામ જ બની ગયો છે. ત્યાં ટીકડીનું સામ્રાજ્ય પાવરની ટીકડીએ, એન્ટી-હિસ્ટામિન ટીકડીઓ, બેન્ડડ્રિન કેટલી હદે વિસ્તર્યું છે તેને અચ્છો ખ્યાલ ન્યૂ યોર્ક ટાઈમ્સ’ને ટીકડીએ, ઊંઘની ટીકડીએ, માશન સિકનેસ માટેની ટીકડીઓ, શરનીચેને લેખ આપી જાય છે.– સં] - 1:0° . .:3 dr... .. દીની ટીકડીએ, પરિવાર વિસ્તાર અટકાવવા માટેની ટીકડીઓ, દાહ બિલ અને માર્ગરેટ લાંબી સહેલગાહ માટે દવાની પેટી તૈયાર માટેની ટીકડીઓ, પેટની વધારાની અમ્લતા દુર કરવાની ટીકડીઓ, કરી રહ્યાં છે. . " '' ક્ષારની ટીકીકડીઓ, લેહ-ટીકડીઓ, સેક્કરિનની ટીકડીઓ અને “ચાલ ત્યારે, માર્જી, આપણે હવે આ બંધી દવાની ટીકડીએ ટેન્કિવલાઈઝર્સ.” *.* * * . : : : : : : : : ' :: પૈક કરી લઈશું : " *L: s. D &કડીઓ આપણે ભૂલી ગયા:- તેના વિના આપણે “હા ચલે. તમે એક-એક બાટલી આપતાં જાઓ અને નામે મનોવિહાર નહીં કરી શકીએ......... .. બેલતા જાઓ, એટલે હું યાદી સાથે મેળવીને ચેક કરતી જઈશું. કે , પણ બિલ, મનવિહોર. શું કામ કરવું જોઈએ?'' ::: હ બરાબર. મારા માથાના દુ:ખાવાની તો તને ખબર છે ને? દ: માર્જી., આ ટીકડીઓની. યાદી જોઇ? તે બધી ટીકડીઓ જશે સામાન્ય એસ્પરિન કરતાં બેવડા પાવરની ટીકડીઓ તમને જોઈશે. તે આપણા પેટમાં ત્યારે આપણે બીજે કયાંક વિહરવું પડશે.” = 5 લે આ રહી - - - ભૂમિપુત્રમાંથી ઉદ્ભૂત ; ; ; ; ; ; મૂળ અંગ્રેજી પરથી વારે થતી Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન . તા૧-૮-. - ઈશ્વરનિષ્ઠાનું બળ . - ભાષામાં એવા ઘણા શબ્દો છે, જેને ઉપયોગ દરેક જણ કરે છે, પિતાનાં જાનમાલ તથા પિતાની પ્રવૃત્તિનું ઈટ માનેલું ફળ પણ એવા છતાં તેના અર્થ વિશે કોઈ બે દર્શને, સંપ્રદાય કે કદાપિ વ્યકિતઓને તેમને તેયાર રાખે એમ હોય તો તમે સત્યાગ્રહને માર્ગ રહી શકશે. પણ એકમત હોતા નથી. “ઈશ્વર' એવા કઠણ શબ્દોમાં એક આ બાબતમાં બીજી એક વાત યાદ રાખવી જોઈએ. સ્વદેશ ભકિત, પ્રેમ, લાભ, સાહસ વગેરેના વેગે પણ કદીક અસાધારણ થઈ પડે છે. થોડા વખત પર ગાંધીજીએ જ્યારે એમ કહ્યું કે હિંમત પ્રેરે છે. આવી લાગણીઓના આવેગે પોતાનું ધ્યેય, જો ‘સત્યાગ્રહીની ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જ જોઈએ', ત્યારે ઘણા રાજ- કદી આડે માર્ગે મળી શકે એમ હોય છે, તે જતું કરવા તૈયાર નહીં કીય કાર્યકર્તાઓના મનમાં મૂંઝવણ ઊભી થઈ હતી. ઈશ્વરના થાય. ઉપર વર્ણવેલા બળનો આધાર રાખનારમાં ધ્યેયની સિદ્ધિની અસ્તિત્વ વિષે કે તેને પોતાને આધાર કરવા વિષે કેટલાક શંકાશીલ રીત વિષે નીતિનું પણ એક નિશ્ચિત ધોરણ હોય છે. એ નીતિને ત્યાગ કરીને તે ધ્યેયને સિદ્ધ કરવા તૈયાર થતો નથી. છે, કેટલાક શંકાશીલ જ નહીં, પણ ખાતરીથી ઈશ્વરને ઈન્કાર भले आम पण तूटी पडे, अने पोताना बद्यांये मनोरथो के કરે છે, છતાં સત્યાગ્રહની ધગશ રાખે છે. તેમને ગાંધીજીના આ दुन्यवी ध्येयो मांगी पडे, तोये पोताना निश्चयने अडगपणे, ऐकलो શબ્દો ખૂંચે છે. વળી, જો સત્યાગ્રહી થવા માટે ઈશ્વરનિષ્ઠા આવશ્યક होय तोये, वळगी रहेवानी शक्तिनो पोतामां रहेलो मूळ स्रोत ते હોય તો એ સવાલ પણ ઉભું થાય છે કે કોના અથવા ક્યા ઈશ્વરમાં? જ્ઞાની-સૂફીઓના? સ્માના? વૈષ્ણવના? આર્યસમાજીના મુસલ 'अध्यात्मबळ' 'आत्मबळ' 'ईश्वरनिष्ठानुं बळ' छे. अने ए बळनो ते માનના? બિસ્તિીના? પારસીના? સગુણમાં?- નિર્ગુણમાં? કે अंश, के ज़ेने लीघे ते पोताना ध्येयने सिद्ध करवा माटे अमुक नीतिने वळगी रहेवा अथवा अमुक मार्गोनो त्याग करवाना निश्चयने ગાંધીજીનો ‘સત્યરૂપી ઈશ્વર સમજી લઈ તેમાં જ? અને પછી टकावी शके छे, तेने एनुं नैतिकबळ कही शकाय." નિરીશ્વરવાદી સાંખ્ય, જૈન, બૌદ્ધોનું શું? તેમને માટે સત્યાગ્રહને માર્ગ બંધ સમજ? આવું બળ પેદા કરનાર વિશ્વાસ, ધર્મ, ભકિત, જ્ઞાન, વૈરાગ્ય, વ્રત, તપ, નિયમ, શાસ્ત્રચિંતન, વિજ્ઞાન વગેરે ગમે તે નિમિત્તોથી * આ વસ્તુ સમજવા માટે ધર્મ અને તત્વજ્ઞાનની ઝીણી ચર્ચાઓ ઉત્પન્ન થાય તે જ સત્યાગ્રહીને ઈશ્વર કે આત્મા છે. એ એને કરવામાં આવે છે, પણ એ ચર્ચાઓ સ્પષ્ટતા કરતાં ગૂંચવાડો જ ઈવર, આત્મા કે અધ્યાત્મને નામે ઓળખે છે કે બીજી કોઈ રીતે વધારે છે. મારી દષ્ટિએ વિચારવાની વસ્તુ આ છે: સમજાવે છે તે ગૌણ છે; મુદ્દો એ છે કે એ બળ અને બહારનાં - દુનિયાના ઈતિહાસમાં આપણને સેંકડો ઉદાહરણ એવાં મળે સાધને કે સમાજમાંથી મળતું નથી. તે એની પોતાની અંદર જ તે અનુભવે છે. જેને આવા બળને આધાર ન હોય, અને જે છે કે જેમાં એક્લવાયી વ્યકિત-કઈક વાર બાળક જેટલી નાની બાહ્ય જેના અને વિવિધ સાધનો પર જે સત્યાગ્રહ કરવાની ગણકોઈની મદદ વિના જબરદસ્ત શકિતઓની સામે નીડરપણે દઢતાથી તરી કરતો હોય, તે છેવટ સુધી સત્યાગ્રહી રહી શકતો નથી. મુકાબલો કરવા ઉભી થાય છે. એ શકિતને થેડું નમતું આપવાથી (સ્વ. કિશોરલાલ મશરૂવાળાના “સંસાર અને ધર્મમાંથી સાભાર.) પિતાને જીવ બચે એમ હોય તથા લાભ પણ થાય એમ હોય, છતાં નમવા કરતાં તૂટવાનું પસંદ કરે છે. એવી વ્યકિતના હૃદયમાં એવી : સત્ય સ રમ : કઈ વસ્તુને અનુભવ છે કે જે તેને બળ આપે છે? એવી કઈ " . "શ્રી પરના વિશ્વ માત્રને . "શ્રી પરમાનદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ વસ્તુને પ્રહલાદને પિતાના હૃદયમાં અનુભવ થતો હતો કે જેને બળે કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશકો સાથે તે પિતાના બાપની કઠોર સતામણીને અવગણી શકય? કે સુધન્વા '. કિંમત રૂા. ૩ પોસ્ટેજ ૦૦- ૫૦ તેલમાં તળાવાનું, ગુરુ ગોવિંદસિંહના બાળકપુત્ર ભીંતમાં જીવતાં ચણાઈ જવાનું, રોમના તરુણ સળગતી મશાલમાં પિતાને હાથ ધરી દેવાનું સંતોષપૂર્વક સહન કરી શક્યા? જીવ અને જીવનનાં સુખ સ્વ, ધર્માનંદ કેસમ્મી રચિત મૂળ મરાઠી નાટક વિષે આવી બેપરવાઈ બતાવવાનું બળ આપનાર, તથા શારીરિક * : અનુવાદકો: જીવન કરતાં કોઈ અશરીરી વસ્તુ સાથે વધારે આત્મીયતા અનુભવ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ બડિયા કરાવનાર એ કઈ વસ્તુ છે? કિંમત રૂા. ૧-૫૦, પોસ્ટેજ ૦૯-૧૫ આમ વર્તવા કોઈ જબરદસ્ત “લાગણીને અનુભવ થવે મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે માટે જોઈએ એમ અનીશ્વરવાદીને એ સ્વીકાર્યા વિના ચાલશે નહીં. સામાન્ય સત્યં શિવં સુન્દરમ કિંમત રૂ. ૨ બેધિસવ: કિંમત રૂ. ૧ ઇંદ્રિના વિષયની કે સંકલ્પવિકલ્પની લાગણી નથી. પણ એક એવો અનુભવ છે, કે જેને લીધે તે માણસને એવો વિશ્વાસ લાગે વિષયસૂચ, . . . . . છે, કે પિતામાં કઈક એવી શકિતશાળી પ્રેરણા કામ કરી રહી છે, પ્રકીર્ણ નોંધ: લોકશાહી વિઘાતક રાજ કારણી ઉપવાસે, મહારાષ્ટ્ર-બિનમહાકે જે દુનિયાની બીજી બધી યે શકિતઓ કરતાં વધારે બળવાન છે, રાષ્ટ્રીઓને ભેદ કરતી શ્રી બેલેસેની પિતાના શરીર અને પ્રાણ કરતાં પોતાની વધારે સમીપ છે. શરમજનક મનોદશા, સૌરાષ્ટ્રને ગજ- આ શકિતને કોઈ ઈશ્વરનિષ્ઠાનું બળ” કહેવાનું પસંદ કરે છે. - રાતથી અલગ કરો!માઈસરનામુખ્ય " કોઈ ‘અધ્યાત્મબળ (Spiritual-Force). કોઈ “આત્મબળ' પ્રધાનની આ ઉદ્ધત વાણી અને વર્ત નને કેમ કોઈ પડકારતું નથી? (Sul-Force) કે “નૈતિક બળ” (Moral-Force) કહે છે. આપણી લોકશાહીનાં અદ્યતન વલણો પરમાનંદ કોઈ પ્રતીતિ બળ” (Strength of conviction) કહે છે. પણ વિજ્ઞાને માનવીને વિનમ્ર અને ભકિતએ બળની પરીક્ષા આ છે: તમને એ કોઈ બળવાન અનુભવ થાય પરાયણ બનાવવો ઘટે દેવીડ સાર્નેફ છે ખરે કે જે કસોટીને પ્રસંગે એવી નબળાઈ તમારામાં પેદા નહીં શાંતિસેના શું છે? નારાયણ દેસાઈ કરે કે “મને કોઈ બચાવી લે તે સારું,” અથવા “જરા સંભાળીને ન્યાયવિતરણ અને આર્થિક વેતન પરમાનંદ ટીકડી સંસ્કૃતિ ચાલું ? તમારી ભયવૃત્તિ પર પ્રભુત્વ ધરાવનારા એ અનુભવને ઈશ્વરનિષ્ઠાનું બળ - કિશોરલાલ મશરૂવાળા ૭ર છે એ તે નામે ઓળખે. પણ જો તે અનુભવને બળે તેમને મહાપ્રસ્થાનના પથ પર–૧૩ પ્રાધમાર સન્યાલ ૭૩ તમારા એકમાર્ગ અને કામમાં દઢ રહેવા અને તે માટે સંતોષપૂર્વક અવમૂલ્યન ગીતા પરીખ Page #159 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૮-૬૬ - પ્રબુદ્ધ જીવન મહાપ્રસ્થાનના પથ પર–૧૩ : - છાપું પાછું આપીને હું ચૂપચાપ બેસી રહ્યો. શરીરમાં ઝણઝણાટી. તન્દ્રામાં હતું, તેનું મને જરાય ભાન રહ્યું નહોતુંને? ચાલતાં ચાલતાં થતી હતી. આજે હું થોડું ચાલ્યો તેમાં મને વિશેષ દર્દ હતું. જે મારો ઘોરવાને અવાજ સાંભળીને હું જ ચકિત થઈ જતે, ને દિવસે વીતતા હતા તેથી હું વધુ ને વધુ થાકનો અનુભવ કરતે વ્યાકુળ બની જ. તન્દ્રાની સ્થિતિમાં કોઈ વાર પહાડપરથી પગ હતે. દુ:ખ સહન કરવાની મારી શકિત પણ એસરી ગઈ હતી. સરકી જાય. એ જ દહેશતમાં હું જરા સાવધાન રહે. કડિયાળી શરીરમાં અકાળે ઘડપણ આવ્યું હતું, અને શરીર વિશેષ ને વિશેષ ડાંગ હાથમાં મજબૂત રીતે પકડીને, ઠક ઠક કરતે હું ચાલતે. રસ્તાની ઘસાતું જતું હતું. આમ કરતાં કરતાં જ એક જગ્યાએ આવી પહોં- એક બાજુ પર્વત હતા, જયારે બીજી બાજુ ખીણની ભૂમિ હતી. ચીશું કુતુહલ અને આકાંક્ષાભર્યા અને આમ જ જતી વખતે હું પહાડને ઘસાઈને ચાલતો હતો. આ ક્ષણભંગુર જીવનની હું નિરબધાની અવહેલના કરીને ચાલ્યો જઈશ, ને મારા મનમાં જરા તર કાળજી રાખો. એના વિશે મને હંમેશાં ચિંતા રહ્યા કરતી. જેટલો પણ ધખે રહી જવાનો નથી. આપણે બધી જગ્યામાં અવશ્યભાવી મૃત્યુ તરફ હું ક્ષણે ક્ષણે મીટ માંડતે. રોજ સવારથી કાંઈક દુwાપ્ય વસ્તુને શોધતા ફરીએ છીએ. કયાંય એ વસ્તુ રાત સુધી. મૃત્યુના મોંમાથી આત્મરક્ષા કરતાં કરતાં આપણે બધા આપણે પ્રાપ્ત કરતા નથી. આપણી એક આંખમાં આશા હોય થાકી જઈએ છીએ. જો કે, આપણને ખબર હોય છે કે, એક દિવસ છે. બીજી આંખમાં આશાભંગને મન:સ્તાપ હોય છે. આ શોધાશોધ આપણે એનાથી ભાગી શકવાના નથી. એક દિવસ તે પકડાઈ અને વ્યર્થતા, એ જ જીવનનું સાચું સ્વરૂપ છે. જે માર્ગ, જીવનથી જવું જ પડશે. આટઆટલી સજાવટ, આટલો વિલાસ, આટલે મૃત્યુ પર્યન્ત વિસ્તરે છે, એ માર્ગની બન્ને બાજુએ કેવી પરસ્પર ભાગ ને આટલી તિતીક્ષા, આટલું દુ:ખ ને આટલો પ્રેમ એ બધું ભિન્ન છે? એક તરફ આશા તે બીજી તરફ આશાભંગ, એક તરફ મૃત્યુની તરફ જ લઈ જતું હોય છે. આ બધું લઈને એક દિવસ પ્રગતિ તો બીજી તરફ વિગતિ, એક તરફ આનંદ તો બીજી તરફ મૃત્યુના ચરણમાં આપણને આત્મસમર્પણ કરવું પડવાનું છે. આથી જ વેદના, એક બાજુ સંન્યાસ તે બીજી બાજુ ભેગ. આપણે બન્ને અજ્ઞાન મનુષ્યને સ્થાયી તત્ત્વ માટેનું આટઆટલું પ્રભન બાજુઓને સ્પર્શ કરતા કરતા જ જીવનમાં ગતિ કરતા હોઈએ હોય છે. કોઈ એટલા માટે તે પીરામીડ ઘડે છે, કોઈ તાજમહાલ છીએ. કયાંય રૂકાવટ નથી. એ બન્ને તો આપણી અગ્ર ગતિને બંધાવે છે, તે કોઈ વિશાળ દીવાલ ઊભી કરે છે. મૃત્યુ કોઈની મદદ કરે છે. આપણું પૂજાનું ઉપકરણ માત્ર છે. જીવનને જે સ્ત્રોત દયા ખાતું નથી. એ નિદર્યતાથી એક દિવસ એના સેળસેળ આના ઉત્પત્તિથી નિવૃત્તિની તરફ વહે છે. એ સ્ત્રોતના બન્ને કિનારા પર વસૂલ કરી લેવાનું છે. એની દષ્ટિએ એંશી લાખ જીવ જેવા છે, કેટકેટલાં હાસ્ય અને રૂદન, કેટકેટલાં સુખદુ:ખ અને માણસના નાના તે જ માનવી પણ છે. માણસ વિશેષ સન્માનને લાયક છે કે એના મોટા જીવનપ્રસંગોને ઈતિહાસ સમાયેલું છે. કયાંક પ્રેમને અનુભવ તરફ પક્ષપાત રાખવો જોઈએ એવું એને નથી. એ એની વિનાશની થાય છે, કયાંક સૃષ્ટિમાં સ્નેહ અને મમતાના બંધનને અનુભવ કરીએ સાવરણીથી બધાને એકવાર સાફ કરી નાંખે છે. આજે જે નવા છીએ, કયારેક દગાને અને પીડાને પણ અનુભવ કરીએ છે, જેની આંખમાં નવું તેજ છે, નવો ઉદ્યમ ને અનુપ્રેરણા છે, છીએ, તે કયારેક દૈન્ય અને અપમાન પણ અનુભવીએ છીએ. પણ કાલે તેઓ પાકા થઈ જશે, ને જૂના બની જશે, સંસારમાંથી તેમ છતાં, કયાંક પણ જીવનમાં આંચકો આવતો નથી, એ રૂંધાનું એમનું પ્રજને ધીરે ધીરે ઘટતું જશે ને તેઓ મૃત્યુના ગર્ત તરફ નથી, એ પરિપૂર્ણ આત્મવિકાસની પ્રેરણાથી પિતાના વેગથી વહ્યું ધકેલાતા જશે. ફાટફાટ થતા ઉલ્લાસથી જેઓ ધપ્યા જાય છે, તેઓ જાય છે. સ્ટફટ પડતા પ્રહારથી વારંવાર નાશી છૂટવા પ્રયત્ન કરે છે. - સાંજ પડી, અને સાથે સાથે જ સુંદર ચાંદની પણ આવી આકાશ ને પૃથ્વીને મઢી લેતી સુદ ચૌદશની ચાંદની ઝરતી હતી, પહોંચી. મને લાગ્યું કે આવતી કાલે પૂણિમા હોવી જોઈએ, ને પર્વતના શિખર શિખરે નક્ષત્રો જાગી ઉઠયાં. વાંસામાં પવન પેતાનું પૂણિમા વૈશાખી હતી. એ સુદ ચૌદશની ચાંદની તરફ જોતાં ઉત્તરીય લહેરાવતે ભમવા લાગ્યો. મંદિરના ઓટલા પર એકલે હું જોતાં મને નિંદ આવી ગઈ. કયાંય પણ જો આપણે ચૂપચાપ બેસી પડી રહ્યો ને આવી ઊંઘ. રહીએ તે ઝોકાં આવવા માંડે ને એવી સ્થિતિમાં જો ઉંધીએ તે બીજે દિવસે પરોઢિયામાં જ સામાન ખભે લઈને એ રાબેતા બચી જઈએ છીએ. આપણી પ્રેરણા નિસ્તેજ બની જાય છે, ને મુજબની યાત્રા મેં શરૂ કરી. જે ઉખીમઠમાં પહોંચવા માટે આટઉત્સાહ મંદ થતો જાય છે. જરા જરામાં થાક લાગે છે. સર્વનાશિની આટલી તૈયારી હતી, જેની તરફ આટઆટલું આકર્ષણ હતું, તેની રસ્તાની માયા ગળામાં દેરડી બાંધીને મને ખેંચી જાય છે. ધૂળમાં આજે યાત્રીઓ નિર્દયતાથી અવહેલના કરતા હતા. મારા જીવનમાંથી કાંકરામાં, પથરાના, કાંટાના ઉઝરડા ને ઘાથી હું અનેક જગ્યાએ ઘવાયેલે તે એનું પ્રયોજન પૂરું થયું હતું. એ પાછળ કરુણ દષ્ટિથી મારા છું. તો પણ ગયા વિના બીજ આરે નથી. એવું મારું ભાગ્યનિર્માણ માર્ગને જોયા કરતું હતું. પ્રભાતની બાજુથી મને આહ્વાન આવ્યું, છે. પાછળને રસ્તે જેમ જેમ ઊંડાણમાં ડૂબી ગયો છે, તેમ સામેને મને બેલા શુક્ર તારાએ. દૂરદૂરથી આમંત્રણ આપ્યું. રાતનું અંધારું માર્ગ તે અનન્ત રહસ્યથી વીંટાઈ ગયેલું છે. મારા ઉપર હવે મારો પાછળ રહી ગયું. પ્રકાશે પિતાના તાજા સમાચાર પાઠવ્યા, ને મારી કાબુ રહ્યો નહોતે, નિયતિની સમક્ષ મેં આત્મસમર્પણ કર્યું હતું. યાત્રા શરુ થઈ. પરોઢિયાન પવન મેટું સંતાડીને આવજા કરતે મારું જીવન અને મરણ એની ગાંઠથી બંધાયેલું હતું. હું નિયતિ હતે. પંખીઓને કિલકિલાટ આનંદ અને અભિનંદન પ્રગટ કરતે જે રમકડાંથી રમે છે, તેવું એક રકમડું છું. એની ઈચ્છાનુસાર હતે, રસ્તાની આસપાસ વસન્ત પુષ્પાને સમારેલ હતું. આકાશના હાલું છું, ચાલું છું, હસું છું ને રડું છું, જીવું છું ને મરું છું. મારા દેવતા સુંદર રંગવાળી માળા પહેરાવીને ઉષાને વન્દના કરતા હતા. બધાં કામની પાછળ એ નિ:શબ્દ ઊભું રહ્યું છે, એના ઈશારાનુસાર જ એની નીચે જ તીર્થયાત્રીઓને માર્ગ હતા. રસ્તે ફકત ચઢાણને જ મારે વર્તવું પડે છે, મારી સ્વતંત્ર સત્તા તે રજમાત્ર નથી. હતા. એ ફકત ઉપર જ જતો હતો. અમે નમેલી કમ્મરે ઉપર ચઢતા જો ઊંઘ આવે તે છૂટકારો થાય. તંદ્રાથી આંખ ઘેરાઈ ગઈ છે. હતા. કોઈ આગળ જઈ શકે એમ નહોતું. ડગલાં સંભાળી સંભાળીને રસ્તે ચાલતાં ચાલતાં મારી આંખમાં આજકાલ ઉધ ભરાવા રાખીને જ આગળ જવાય એમ હતું. જેના બે પગ પાછળ રહે, માંડે છે. કેટલીક વાર તો ઘણે રસ્તે કાપ્યા પછી મારી તન્દ્રા એકા- તેને પાછળ રહેવું પડે એમ હતું. જો એ આગળ જવાને પ્રયત્ન એક જાગૃતિમાં પરિણમે છે. તેથી તે ચાલતાં ચાલતાં સાચે જ હું કરે, તે એને શ્વાસ ભરાઈ જાય ને એને બેસી જ જવું પડે. Page #160 -------------------------------------------------------------------------- ________________ (20 ७४ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૧૬ નિર્મળા ચાલતાં. ચલાતાં થોડી થોડી વારે ઊભી રહે. એમ લાગતું હતું કે એ જાણે રડવાનો પ્રયત્ન કરે છે, પણ એ રડી શંકતી નહાતી જીભને તાળવાના સ્પર્શ કરી શકતી નહોતી, તેથી એ કોઈ વિચિત્ર અવાજ મેાઢામાંથી કાઢતી હતી, જાણે મૃત્યુને પથે જતા યાત્રી ડચકાં ખાતો હોય તેવા. ચાલતાં જતા કોઈ કોઈ યાત્રીઓ, યંત્રવત એના મેઢામાં પાણી રેડતા, એ પાણી ગળે ઉતારવાનો પ્રયત્ન કરે, ને પછી ઊભી ઊભી નિ:સહાય અવસ્થામાં જોયા કરે. કોઈ પણ એક શબ્દ બોલતું નહોતું. દાંતની જોડે જીભ અને તાળવું ચાંટી ગયાં હતાં. વાકય બોલવાની શકિત રહી નહોતી. એ લોકો તો ફકત એક જ વાત કહેતા હતા. “હજી રસ્તા કેટલા બાકી છે?”' રસ્તા હજી કેટલા બાકી છે તે શી રીતે ખબર પડે? અમે બધા એક પ્રકારના જ અણજાણ માર્ગના યાત્રીઓ હતા, કેમ કરીને કહી શકીએ કે, અમે જેની ઘણા વખતની ઝંખના કરીએ છીએ તે મંદિર હજી કેટલું દૂર છે? મનમાં તા એમને કહેવાની ઘણીય ઈચ્છા થતી હતી, કે તમે હવે આગળ ન વધશે, અહીં જ અટકી જાઓ. આ જ તમારી સીમા ને અહીં જ યાત્રાના અંત; પણ બાલું શી રીતે? અહીં કાંઈ રોકાવાય એમ હતું નહિ. આ બધું તે પસાર કરીને જવું પડશે, નહિ જવાથી કાંઈ વળવાનું નથી, પાછળ રહેલી હિમાલયની અનંતપર્વતમાળાની અંદર અમે ખુંચી ગયા હતા. જો અટકીએ તો હ ંમેશને માટે જ અટકી જવું પડે, આગળ ગતિ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. આ માર્ગમાં જેમ ક્ષમા નહોતી, તેમ સગવડને પણ અભાવ હતો.. જેઓ પગપાળા જાય છે, એની અવસ્થા ગમે તેટલી સારી હોય, પણ એને કાંઈ વિશેષ સગવડ મળી રહેતી નથી. આ જ બધા કરતાં મોટામાં મેટી કસોટી છે. નાનામોટાના સવાલ ઊભા થવાનો અહીં જરા જેટલા પણ અવકાશ નથી, ગરીબ ને પૈસાદાર એકબીજાથી જુદા પડે એવી પરિસ્થિતિ જ અહીં નથી. સમાજમાં રહેતા મનુષ્યની સ્વભાવસિદ્ધ અહમિકા, આત્મરતિ, વિદ્રેષ, ચિત્તની મલીનતા, સ્વાર્થને સંકુચિતતા એ બધાને પ્રગટ કરવાની અહીં કોઈ સગવડ નથી. અહીં તે જાતિવર્ણ બધું લુપ્ત થઈને બધા સમાન જ બની જાય છે. આહાર, વિહાર, વિકામ, શયન ને પરિશ્રમ બધાં એક પ્રકારનાં જ હોય છે. એક માણસે કયાંય પણ એકબીજા માણસના કરતાં વધારે સારું ખાવાનું ખાધું છે, એવી વાત કરવાની હોતી જ નથીને, જો કોઈ એમ કહે તો એ મિથ્યાવાદી છે. મૂળ બંગાળી : શ્રી પ્રબોધકુમાર સંન્યાલ. અવમૂલ્યન ! (અનુષ્ટુપ) ક્રમશ : “એક વ્હેલા પ્રભાતે કો છાપાના શ્રેષ્ઠ ‘પ્રીન્ટ ’માં ચમકયા હું, ફર્યો તુર્ત ફેરિયાના સ્વરે – સ્વરે લોકોના કાનકાને ને મુખે નામ જ માહરૂ ગાયું શું ! ત્યારથી નિત્યે લેખામાં, ભાષણા મહીં રેડિયો પર, સર્વત્ર – કોઈ જો બહાદુરી પ્રગટ કરે, તેા રસ્તા એને બરાબર સ્વાદ ચખાડે, શકિતમાન અને ઝડપથી ચાલનાર માટે ભગવાન બદરીનાથને જરા જેટલા પણ પક્ષપાત નથી, દુર્બળ અને બળવાન બન્નેને તે એકસરખા બનાવીને પોતાની પાસે તાણી લે છે. કાથાચટ્ટી અને ગાલિયાબગડ પસાર કરીને વળી એક માઈલ વધારે ચઢાણ પાર કરીને તે દિવસે બપારના તકડામાં અર્ધા મરેલા જેવા અમે દાપેડા ચટ્ટીમાં આવી પહોંચ્યા. આ બધી ચટ્ટીઓનો અંત કયારે આવશે, તે તો મને ખબર નથી. એ બધી ચટ્ટીએ જાણે રસ્તાની એક બાજુ બેસી રહે છે. અને યાત્રીઓને પકડી પકડીને ગળી જાય છે, અને પછી વખત જતાં એમને બહાર કાઢી નાંખે છે. આ ઉપમાને જરા ઉલટી રીતે રજૂ કરીએ તો આ ચટ્ટીના જેવા મિત્ર રસ્તામાં બીજો કોઈ નથી, જે માર્ગમાં રૂકાવટ નથી, જેમાં કોઈ બંધન નથી હોતું, જે માર્ગમાં મુકિતના અનાવૃત અવકાશ હોય છે, એ રસ્તા પર ચલાતું નથી. પથિકના પગને માટે એ માર્ગ ભયાનક બાધારૂપ થઈ પડે છે, એનું નામ મરુભૂમિ, તેથી જ થાકેલા વટેમાર્ગુને આદરથી આમંત્રણ આપે છે એ ડાળીએથી બાંધેલી લતા અને પાંદડાંઆથી ઘેરાયેલી ચટ્ટી. દરિદ્ર, દુ:ખીણી માતા જાણે કે રસ્તા પર ઊભી રહીને રસ્તે થાકેલા સંતાનની આશાભરી વાટ જુએ છે. એના એક હાથમાં ઝરણાંનું સુશીતલ પાણી છે, ને બીજા હાથમાં સામાન્ય વિદુરની ભાજી છે. ભેજન નિદ્રા ઈત્યાદિથી પરવારી લગભગ ત્રણ વાગે પાછે આગળ યાત્રા માટે રસ્તા પર આવ્યા. બૂમ તડકો હતો. ક્યાંય વાદળની નિશાની નહોતી. ત્રણેક દિવસ પૂર્વે અમે બરફની અંદર ઠંડકમાં સમાધિસ્થ થઈને ચાલતા હતા, તે આજે પરસેવાથી નીગળતી સ્થિતિમાં ચાલતાં અમે વિસરી જ ગયા હતા. એ વખતે રસ્તામાં શિયાળા હતો, આજના રસ્તામાં વર્ષના આગમન પૂર્વેની પરિસ્થિતિ હતી. અહીં ઋતુઓના થોડી થોડી વારે પલટા થતા હતા. ગ્રીષ્મ પછી તરત જ પાછી વસન્ત તુ આવી પહોંચે. બપારના ઠંડીથી આખું શરીર ધ્રુજવા માંડે, તો રાત્રે અત્યંત ગરમીથી ઉઘાડા શરીરે ચટ્ટીના દરવાજા આગળ જ સૂઈ રહેવું પડે. એક જ દિવસમાં કયારેક તમને શરદ ઋતુનું નીલેજજવલ આકાશ, મલ્લિકા ને શેફાલીની પ્રચુરતા મળે તો કયારેક શ્રાવણ મહિનાના જેવા ધાધમાર વરસાદ, કદંબ ને ચંપાની શોભા મળે; વળી કયારેક ઋતુરાજના વસન્તવિલાસ પણ જોવા મળે, પૂર્ણિમાની મધુર રાત્રી મળે; તો કયારેક શિયાળાની શીર્ણતા, પ્રકૃતિના રૂક્ષ વૈધવ્યવેશ પણ જોવા મળે. રોજ રોજ વિચિત્ર ]ઉત્સવ નજરે જોવાને મળતો. હેરાન થયેલા અને જેમણે જીવનના બૈરાગ લીધા હતા તેઓ અર્ધી મીંચેલી આંખે એ પ્રકૃતિસ્વરૂપનું પરિવર્તન જોતાં જોતાં ઉદાસીન ભાવથી ચાલ્યા જતા હતા. અમે હવે કશાથી પણ મુગ્ધ થતા નહોતા. આગલે દિવસે મંદાકિની પાર કરીને ઊખીમઠના માર્ગમાં જે ચઢાઈ શરૂ કરી હતી, એ જ ચઢાણ હજુ ચાલતું હતું. એના કર્યાંય અંત દેખાતો નહોતો, ને એમાં કર્યાંય આરામ નહોતો. આ પનો ઉદ્દેશ જ જાણે અમને શકિતહીન કરવાના અને અમારૂ લેાહી શોષી લેવાના હતા. આજે સવારે રૂઈદાસ શુકલ અને પંડિતજીને અકર્મણ્ય બનીને પાછળની ચટ્ટીમાં પડી રહેલા મે જોયા હતા. પેલી જાડી મહારાષ્ટ્રી ડોશીને પણ રસ્તા પર બેસીને ચીખતી મેં જોઈ હતી. મનસાતલાવાળી માસી ખૂબ પૈસા આપીને કાંડી ભાડે કરીને મજૂરોની પીઠ પર બેઠી હતી. માખીના ડંખથી, ને ફોલ્લાની વેદનાથી કાજે ઝૂરતી જિંદગી.....તણું છે અવમૂલ્યન !” બધાં દુ:ખથી ગાંડા જેવા બની ગયાં હતાં, તેમાં વળી પાછી આ ચઢાઈ. એથી જીવતા પાછા જઈશું એવી કોઈને આશા રહી નહિ. (તા. ૨૮-૬-’૬૬ ) ગીતા પરીખ માલિક : શ્રી મુખઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ “આ તો મારૂના, કિંતુ રોટીને અનુવાદક : ડૉ. ચંદ્રકાન્ત મહેતા, વેપારીથી પ્રધાનો ને વડાપ્રધાનને ઉદ્દે બધે છે સ્થાન માહરૂં, વર્ચસ્વ મારૂ સર્વ પે! કેટલું મૂલ્ય તો માહરૂ વધ્યું છે, અવમૂલ્ય કર્યાં?” – રૂપિયો બોલતા, Page #161 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH. IIT વાર્ષિક લવાજમ રૂા. ૪ ]T બુદ્ધજીવતો પ્રબુદ્ધ જેન’નું નવસરણ વર્ષ ૨૮ : અંક ૮ મુંબઇ, ઓગસ્ટ ૧૬ ૧૯૯૬, મંગળવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા > ભારત પ્રત્યે કેમ આકર્ષાઈ? < | (થોડા સમય પહેલાં, ૧૯૬૩ની સાલમાં પ્રગટ થયેલું brain–સિવાય ચેતનાની કોઈ પ્રક્રિયા શકય જ નથી એમ હું માનતી હતી. Hunting the Guru in India” એ મથાળાનું પુસ્તક મારા વાંચ- આ આખા ચિત્રમાં અથવા તે કલ્પનામાં ઈશ્વરના કે શરીરથી ઈતર વામાં આવ્યું. એ પુસ્તકની લેખિકા છે શ્રીમતી એની માર્શેલ. તે એવા આત્મતત્વના ખ્યાલને મારા ચિન્તનમાં કોઈ સ્થાન જ નહોતું. એક મને વૈજ્ઞાનિક ઉપચારનિષ્ણાત છે. ૧૯૫૭ની સાલમાં તે આમ છતાં પણ માનવી જીવન વિશેની આ પ્રકારની વિચારણા પિતાના વ્યવસાયના અનુસંધાનમાં ઓસ્ટ્રેલિયા ગઈ ત્યાં સુધી અંગે હું એક તરેહને અસંતોષ અનુભવતી હતી. ‘આમ કેમ બને છે?” ભારત વિષે એ લગભગ અજ્ઞાત હતી. ગાંધીજી અંગ્રેજી હકુમત એ રીતે વિચારવાને બદલે “આમ શા માટે બને છે?” –આવો પ્રશ્ન સામેના આન્દોલનના એક અગ્રગણ્ય પ્રવર્તક હતા અને ૧૯૪૭માં હું મારા શિક્ષકો અને અધ્યાપકો પાસે હંમેશા રજુ કરતી હતી અને કોઈ ધર્મઝનુની ખૂની માણસે તેમનું ખૂન કર્યું હતું–આથી વિશેષ તેઓ મારી આ રીતે વિચારવાની રીતને અવૈજ્ઞાનિક Unscientific ગાંધીજી વિશે તે કશું જ જાણીતી નહોતી. તે એસ્ટ્રેલિયામાં હતી sul la uzil sladt d. Mutation and Natural Selecionતે દરમિયાન ગાંધીજી વિશેનું એક ચરિત્ર તેના વાંચવામાં આવ્યું (પરિવર્તન અને નિસર્ગપ્રેરિત પસંદગી)ના ' સિદ્ધાન્તની ઉપર અને પછી તે ભારતના અન્ય મહાપુરુષે વિષે તેણે ઘણું ઘણું આધારિત ઉત્ક્રાતિને લગત સિદ્ધાન્ત એ વખતે તેમ આજે પણ વાંચ્યું અને આવા મહાપુરુષને પેદા કરનાર ભારત વિશે તેના દિલમાં મને અધુરો–અપૂરત–લાગતું હતું. તેનાથી માનવમનને લગતી ભારે કૌતુક-કુતુહલ-પેદા થયું. અને ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતાં તે અનેક જટિલ સમસ્યાઓને સંતોષકારક ખુલાસો થઈ શકતો નહોતો, ભારતમાં બે વર્ષ રોકાણી અને ભારતના અનેક આધ્યાત્મિક કેન્દ્રોની કોઈ પણ પદાર્થનું જ્ઞાન તે પદાના એક યા અન્ય ઈન્દ્રિયદ્રારા તેણે મુલાકાત લીધી અને અનેક વિશિષ્ટ વ્યકિતઓને જાતે મળી. માનવીના મગજ સાથે યોજાતે સંબંધ અને તે દ્વારા નિપજતા આઘાત આ સર્વ અનુભવો તેણે ઉપર જણાવેલ પિતાના પુસ્તકમાં સંગ્રહિત પ્રત્યાઘાતદ્વારા થાય છે. આને આપણે ઈન્દ્રિયજન્ય જ્ઞાન તરીકે કર્યા છે, જેનું વાચન અત્યન્ત રોચક અને બોધપ્રદ છે. પોતે ઓળખીયે છીએ. આ ઉપરાન્ત એવું પણ ઈન્દ્રિય-નિરપેક્ષ એટલે નાસ્તિક–ોયવાદી-agnostic–એમ છતાં ભારતને લગતું ઉપર કે ઈન્દ્રિયોના માધ્યમની મદદ વિનાનું જ્ઞાન-અનુભૂતિઓ-હકીકત જણાવેલું સાહિત્ય વાંચતાં તેનામાં કેવું આકર્ષણ પેદા થયું અને ભારત રૂપે સંભવે છે, જે જ્ઞાનને—અનુભૂતિને—સંવેદનને ઉપર જણાવેલ તરફ તે કયા સંગમાં ખેંચાઈ આવી તેનું પ્રેરક નિરૂપણ તે માળખામાં કોઈ પણ રીતે આપણે ગોઠવી શકતાં નથી. આવી અનુપુસ્તકના ઉપદ્યાત અને પુરોવચનમાં કરવામાં આવ્યું છે. તેને ભૂતિઓના અસ્તિત્વને કોઈથી ઈનકાર થઈ શકે તેમ નથી. આમ અનુવાદ નીચે આપવામાં આવે છે. છતાં આ અનુભૂતિએ કેમ નિર્માણ થાય છે એ સવાલ જ્યારે હું - અહિં સ્પષ્ટ કરવાની જરૂર છે કે પ્રસ્તુત ઉદ્ઘાતના પહેલા મનોવૈજ્ઞાનિકો સમક્ષ રજુ કરતી ત્યારે તે તેની વાસ્તવિકતાને બે પારિગ્રાફમાં પ્રાણીશાસ્ત્ર, શરીરશાસ્ત્ર અને મનોવિજ્ઞાનને લગતા તેઓ અસ્વીકાર કરતા હતા અથવા આ એક પ્રકારનું thoughtપુષ્કળ પારિભાષિક શબ્દો આવે છે. તેનુ અક્ષરશ: ભાષાન્તર કરવાનું projectionāચરિક ભ્રમણા-છે એમ જણાવીને આવી અનુમારા માટે અશકય લાગવાથી તેને સારાંશ આપવામાં આવ્યો છે. ભૂતિઓને તેઓ ખાસ મહત્ત્વ આપતા નહોતા. જાણે કે પોતાના પરમાનંદ) નિયંત્રણ કે કલ્પનાથી બહારનું એવું કોઈ તત્વ હોય એમ તેમને ઉપદ્યાત લાગતું હોય અને એમ છતાં એ સ્વીકાર કરવાથી તેઓ હડતા હોયહું નાસ્તિક લેખાતા કુટુંબમાં જન્મી હતી, અને મને પાશ્ચાત્ય આવી છાપ મારા મન ઉપર તેમના વિશે પડતી હતી. જેને દિશા ધારણે વૈજ્ઞાનિક શિક્ષણ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં એડિન- અને કાળના નિયમો લાગુ ન પડતા હોય અને તેથી વિશ્વને લગતી બર્ગમાં રહીને મેં નેચરલ સાયન્સીઝને અભ્યાસ કર્યો હતો અને કેવળ ભૌતિકવાદી વિચારણાને જે પડકારરૂપ હોય એવી અનેક ઘટનાઓ. ત્યાર બાદ લંડનમાં રહીને ક્લીનીકલ સાઈકોલોજીસ્ટ-મનોવૈજ્ઞાનિક માનવીના ઈતિહાસમાં નોંધાયેલ પડી છે. મને એમ પણ માલુમ ઉપચાર નિષ્ણાત-તરીકેને મેં ડીપ્લેમાં પ્રાપ્ત કર્યો હતો. જીવતત્વના પડયું હતું કે એવા ઘણા ડોકટરો, મનોવૈજ્ઞાનિકો અને પ્રાણીવિકાસને લગતે જે ઉત્ક્રાંતિવાદ આજનું વિજ્ઞાન રજુ કરે છે તે મને શાસ્ત્રી હતા કે જેઓ આવા અતીન્દ્રિય–દિવ્ય–લેખાતી ચમત્કારિક સંપૂર્ણ અંશમાં માન્ય હતે. માનવી એ જીવસૃષ્ટિના વિકાસની પરમ- ઘટનાઓમાં ખાનગીમાં ખૂબ રસ ધરાવતા હતા, પણ જાહેરમાં એવી કોટી છે, પંચમહાભૂતમાંથી પેદા થયેલી એક સર્વોત્કૃષ્ટ રચના છે કબૂલાત કરવાની તેમનામાં હિંમત નહોતી. એમ હું માનતી હતી. ચેતના, મારી સમજણ પ્રમાણે, ભૌતિક આ બધી પરસ્પરવિરોધી અને અસમન્વિત હકીકતો ધ્યાન પૌદગલિક- મગજની પ્રક્રિયા છે ને આ શારિરીક મગજ-physical ઉપર આવવાને કારણે હુંagnostic-અશેયવાદી–રહી હતી, Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૮-૧૬ પણ સાથે સાથે એમ પણ માનતી હતી કે ઈન્દ્રિયોની પ્રક્રિયા દ્વારા ચેપડીમાં આઈસ્ક્રીનની આ ફોર્મ્યુલા શા માટે મૂકવામાં આવી પ્રાપ્ત થતું જ્ઞાન સમગ્ર વાસ્તવિકતાના બહુ નાના ભાગને સ્પર્શે છે. હતી તેને મને કોઈ ખુલાસો મળે નહિ. પણ મહાત્મા ગાંધી ત્રણ પરિમાણની મર્યાદામાં જ આપણું જ્ઞાન અને અનુભવ પૂરાયેલાં વિશે મને જરૂર કંઈક જાણવા સમજવાનું મળ્યું. અને એ ચેપડી હોઈને, મને એમ લાગતું કે, જેને ઘણા મોટો ભાગ હંમેશા અજ્ઞાત પુરી કરતાં ગાંધી વિશેને મારે. આદર ખૂબ જ વધી ગયે. આમ અને અૉય જ રહેવાને છે એવા સમગ્ર અસ્તિત્વને સમજવું, ગ્રહણ છતાં જે કારણે મારી કલ્પના ખૂબ પ્રભાવિત બની તે તો ગાંધી કરવું એ આપણી તાકાતની બહારને વિષય છે. Mysticism- નહિ, પણ બંગાળમાં ૧લ્મી સદીમાં થઈ ગયેલા સન્ત પુરુષ શ્રી રહસ્યવાદ–રોગીષ્ટ કલ્પનાની એક તરંગમાળા છે એમ રામકૃષ્ણ પરમહંસ હતા કે જેમનું ચરિત્ર પરિશિષ્ટ તરીકે આ પુસ્તક ગણીને મેં તેને કશું જ મહત્ત્વ આપ્યું નહોતું. સુગ્રથિત ધર્મના સાથે જોડવામાં આવ્યું હતું. રામકૃષણ ઉપર સૌ કોઈને રૂચિ જ થાય ક્રિયાકાંડો મને જરા પણ આકર્ષી શકયા નહોતા. એમ જ ઈશુ એમ માની લેવાને કોઈ કારણ નથી, પણ હું તે તેમના વિશે એકાખ્રિસ્ત એ જ માત્ર ઈશ્વરને પુત્ર છે એવો ખ્રિસ્તી ધર્મને દાવો એક મુગ્ધ બની બેઠી અને મને યાદ છે કે હું મારી જાતને એમ કહી અથવા તે સત્યને સંપૂર્ણ સાક્ષાત્કાર માત્ર ખ્રિસ્તી ધર્મને જ ઈજારે રહી હતી કે જો આમાંના દશમા ભાગનું પણ સાચું હોય તે પણ તે છે એવું તે ધર્મના પ્રવર્તક તરફથી મક્કમપણે કરવામાં આવતું જાણીને જીવન વિષેના કોઈના પણ દર્શનમાં પાયાનું પરિવર્તન થયા પ્રતિપાદન મને સ્વીકાર્ય બની શકતું નહિ. માણસ કયા ધર્મને અનુસરે છે વિના રહે નહિ. એ પરિશિષ્ટ વાંચ્યાં પહેલાં એ સન્ત પુણ્ય વિષે તેને આધાર દુનિયાના કયા ભાગમાં તે જન્મે છે. તેની ઉપર હું કશું જ જાણતી ન હતી, પણ પછી તો તેમના વિશે મેં ઘણું આધાર રાખે છેએમ મને લાગતું. હું એમ પણ કદી માની વધારે વાંચ્યું અને The Gospel of Shri Ramakrishna ન જ શકી કે કોઈ બહારની શકિતથી મારે ઉધ્ધાર થઈ શકે તેમ છે, (શ્રી રામકૃષ્ણને સદુપદેશ) પણ પહેલેથી છેલ્લે સુધી હું જોઈ ગઈ પછી આ શકિતને તમે ઈશુ ખ્રિસ્તના નામે ઓળખાવે કે બીજા અને પરિણામે અમુક અંશે હું તેમના પ્રત્યે સારી પેઠે આકર્ષાઈ, કોઈ નામે ઓળખાવે. મને એમ લાગતું કે પાપ ઉપર ખ્રિસ્તીધર્મો અમુક અંશે પ્રત્યાકર્ષણ પણ અનુભવ્યું. તે કથા એકદમ Un-English મૂકેલા ભારે નિસર્ગ-અધીન માનવી અને આધ્યાત્મિક માનવી વચ્ચે છે, અંગ્રેજોના જીવનની કલ્પનાથી એકદમ જુદી પડે છે. અહિ એક ખતરનાક દિવાલ ઊભી કરી છે, જો કે મારે અહીં સ્પષ્ટ કરવું મારે સ્પષ્ટ કરવું જોઈએ કે આ સન્ત પુરુષે પણ મારા મન ઉપર જોઈએ કે '1'ઉપરને આ વધારે પડતે ભાર ઈશુના પિતાના એટલી બધી ગૂઢ અસર પેદા કરી નહોતી જેટલી અસર જે દેશ ઉપદેશમાં કદિ હતો જ નહિ, પણ જેને મન જાતીય વૃત્તિ અને પાપ- આવા પુરુષને જન્મ આપી શકે છે એ દેશના વિશિષ્ટ વ્યકિતત્વે બન્ને લગભગ સમાનાર્થક શબ્દો હતા એવા સેન્ટ પિલે પાપને લગતા મારા દિલમાં પેદા કરી હતી. પછી ભારત વિશે હું વધારે ને વધારે આવા વિચારને ખ્રિસ્તી ધર્મમાં આટલાબધા મહત્ત્વનું સ્થાન આપ્યું વાંચતી ગઈ અને ‘Lead Kindly Light' આ શબ્દોનું હતું. આવાં કારણોસર ખ્રિસ્તીધર્મમાં સમગ્રને સ્પેશે એવી કોઈ મારા માટે ખાસ મહત્ત્વ હતું એવી કલ્પના કરવાનું તાત્ત્વિક ભૂમિકા મને શોધી જડી જ નહિ. આમ છતાં કાંઈકમાં મને ગમવા લાગ્યું, કારણકે એ શબ્દોએ મને ભારત વિશેનાં અને માન્યતા ધરાવવા તર–કોઈકનું અવલંબન શોધવા તરફ મારું મન ભારતીય વિચારસરણી વિષેનાં પુસ્તકોની લાંબી હારમાળાના અધ્યયન હંમેશાં ઝુકયા કરતું હતું. તરફ દોરી. પછી તો મેં ગાંધી વિષે વધારે વાંચ્યું અને તેમના વારસ આવા અસંતુષ્ટ માનસ સાથે ૧૯૫૭માં માનસિક ઉપચારને વિનોબા ભાવે વિશે પણ સારા પ્રમાણમાં વાંચ્યું–એ વિનોબા લગતી એક કામગીરી અંગે હું ઑસ્ટ્રેલિયા ગઈ. એ વખતે રસ્તામાં ભાવે કે જેઓ ભારતની ભૂમિ ઉપર પદયાત્રા કરી રહેલ ભારતની મુલાકાત લેવાની મને તક હતી, પણ મેં તે લાભ જતો. છે, દિવસ રાત એક ગામથી બીજે ગામ ભ્રમણ કરી રહેલ છે અને કરેલે, કારણ કે એ વખતે ભારત અંગે મને કોઈ ખાસ રસ જ નહોતે. - ભૂમિવાને પોતાની જમીન ભૂમિહિરેને આપવા માટે સમજાવી રહેલ છે. વિનોબા ભાવેની પદ્ધતિ અંગે અને તેની નીતિના વ્યવહારુ ભારત પ્રત્યે મારા આકર્ષણની એક વર્ષ બાદ શરૂઆત થઈ. એક ડહાપણ અંગે અન્ય લોકો ગમે તે વિચારો ધરાવતા હોય, તે પણ દિવસ મેલબોર્નમાં કોઈ એક સેકન્ડહેન્ડ ચોપડીઓ વેચનારની દુકા- તેમના એકાન્ત ત્યાગ અને સમર્પણ ઉપર તે કોઈ પણ માણસ નમાં હું ખાંખાખોળા કરતી હતી. એવામાં મારી નજર ‘Lead, મુગ્ધ અને પ્રભાવિત થયા વિના ન જ રહી શકે. Kindly Light” (પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ Vedanta for the Wesrern World ( u al full ઉજાળ') એ નામના પુસ્તક ઉપર પડી. આવું વિચિત્ર અને લાગણીવેડા માટે વેદાન્ત) અને વેદાન્ત સોસાયટીનાં બીજાં પ્રકાશને હું દાખવતા નામનું પુસ્તક કઈ બાબતને લગતું હશે એ મારે જાણવું જોઈએ વાંચી ગઈ અને ભારતીય ધર્મ વિશે મારા મનમાં ઘણા ઊંચે એ વિચાર આવ્યાનું મને યાદ છે. એ પુસ્તક વિન્સન્ટ શીએને અભિપ્રાય બંધાયે. મારે મન ભારત, જ્યાં રાજાએ હાથી લખેલું ગાંધીનું ચરિત્ર છે એમ મને એ પુસ્તક તપાસતાં માલુમ ઉપર બેસીને ફરવા નીકળે છે અને લોકે ગાયની પૂજા કરવા જેટલા પડ્યું. આ એ મહાપુરુષનું ચરિત્ર હતું કે જેના વિશે એ વખતે હું બેવકૂફ છે એ ગરમ, ધુળી, વ્યાધીધી ભરેલે એવો કોઈ દેશ બહું ઓછું જાણતી હતી, સિવાય કે તેઓ ૧૯૩૦માં ઈંગ્લાંડ ન રહ્યો. આ દેશ વિષે એવું કાંઈક હોવું જોઈએ કે જે કોઈ એક આવ્યા હતા અને એકદમ સફેદ કપડાં તેઓ પહેરતા હતા અને પુસ્તક વાંચવાથી નહિ, પણ એ ભૂમિના વાતાવરણમાં વસીને જ હું ભારતમાં એ વખતે ચાલતા અંગ્રેજી શાસન સામે અહિંસક પ્રતિ- પામી શકું, એવું કાંઈક કે જેણે રામકૃષ્ણ, ગાંધી અને વિનોબા ભાવે કારના આન્દોલનના તેઓ પુરસ્કર્તા હતા અને એક ખુનીના હાથે જેવી વ્યકિતના અસ્તિત્વને શકય બનાવ્યું છે–આ વિચાર મનમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ પુરુષ વિશેના મારા આવા અજ્ઞાન ઘોળાવા લાગે; કારણ કે ડૅ. આલ્બર્ટ સ્વાઈટઝરના અપવાદ સિવાય વિષે મેં ભારે શરમ અનુભવી અને મને મનમાં એમ થયું કે મારે આધુનિક પશ્ચિમના દેશમાં આવી મહાન વ્યકિતઓની જોડના તેમના વિશે વધારે જાણવું જોઈએ અને આ ચેપડી મારે વાંચવી માનવીઓ મેં કદિ જૉયેલ નથી કે તેવા કોઈ માનવીઓ વિષે મેં જોઈએ. આ ઉપરાન્ત એ ચેપડીના રેપર-કવરપેજ-ઉપર આઈ- કદિ સાંભળેલ નથી. આવી વ્યકિતની શોધ કરવા માટે, શકય ન્ટીનની જાણીતી ફોર્મ્યુલા-સૂત્રાત્મક સંકેત “E=mc.'—છાપેલો હોય તે તેમને પ્રત્યક્ષ મળવા માટે, ભારતની મુલાકાત લેવાની હતા. આ ફોર્મ્યુલા અહિ છાપવાને શું ઉદ્દેશ હશે તે મને સમજાયું મારામાં પ્રબળ ઈચ્છા જાગી અને ઈંગ્લાંડ પાછા ફરવાના મારા કાર્યનહિ, કદાચ શીએનને હેતુ વિજ્ઞાનને ઈશ્વરની નજીક લાવવાને કમમાં મેં ભારતના પ્રવાસને સમાવેશ કર્યો. એક મહિને, અને એક હોય. આ ધારણામાં મને નિષ્ફળતા સાંપડી અને ગાંધી વિષેની મહિને જો ઓછા પડે અને વધારે રહેવાની જરૂર જણાય તે બે Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૮-૧૬ - S પર્યુષણ પર્વ અંગેને પ્રણાલિકાભેદ ટાળી શકાય એમ છે ખરું? સાધારણ રીતે દિગંબર વિભાગ સિવાય અન્ય વિભાગના જૈનેનાં પર્યુષણ શ્રાવણ વદના છેલ્લા ચાર દિવસ અને ભાદરવા સુદના શરૂઆતના ચાર દિવસ એમ આઠ દિવસના હોય છે. એમાં પણ શ્વે. મૂ. ભાદરવા સુદ ૪ને અને સ્થાનકવાસી વિભાગ ભાદરવા સુદ ૫ ને સંવત્સરિ પર્વ તરીકે ઉજવે છે. દિગંબરોના પર્યુષણ ભાદરવા સુદ ૫ થી ભાદરવા સુદ ૧૪ સુધી એમ દશ દિવસના હોય છે. આ વખતે બે શ્રાવણ હોઈને દિગંબર સિવાયના અમુક વિભાગે બે શ્રાવણની સંધિના આઠ દિવસને પર્યુષણ તરીકે ઉજવવાનું વિચાર્યું છે, જયારે બીજા વિભાગે બીજા શ્રાવણ અને ભાદરવાની સંધિના આઠ દિવસનાં પર્યુષણ ઉજવવાનું નક્કી કર્યું છે. જ્યારે વે. મૂ. વિભાગ અને સ્થાનકવાસી વિભાગનાં પર્યુષણ એક સરખા હોય છે ત્યારે મુંબઈ જેન યુવક સંઘ તરફથી આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવે છે, પણ જ્યારે બે વિભાગના પર્યુષણમાં એટલે કે સંવત્સરિપર્વમાં એક દિવસનો ફરક હોય છે ત્યારે નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવે છે. પર્યુષણ પર્વ અંગે હવે જયારે બે શ્રાવણની ઉપાધિ ફરી વાર આવે ત્યારે પર્યુષણ પર્વ અંગે એકતા જળવાય એ હેતુથી મુનિ સન્તબાલજી તરફથી મળેલા એક ચર્ચાપત્ર દ્વારા તેઓ એમ સૂચવે છે કે:- જ્યારે બે શ્રાવણ માસ આવે ત્યારે સવાલ ઊઠે કે શું કરવું? જો બે આષાઢ આવે ત્યારે બીજા આષાઢથી ચેમાસું શરૂ થયું ગણતા 'હોઈએ, બે ભાદ્રપદ આવે ત્યારે પહેલા ભાદ્રપદ માસની જ ચેથ કે પાંચમની સંવત્સરી ગણતા હોઈએ તે આ રીતે ગણતાં બે શ્રાવણ માસ આવે ત્યારે ભાદરવાનો આગ્રહ છોડી બીજા શ્રાવણ માસની સુદ એકમથી માંડીને શુદ નેમ લગી જો પર્યુષણ પર્વ ઉજવાય તે ચારેય ફિરકાઓનું મહત્ત્વ પણ જળવાય અને આ રીતે પર્યુષણ પર્વની મંગળ આરાધના પણ એકતાપૂર્વક યથાર્થ થઈ રહે. આ વરસે હવે આ ન બની શકે તો પણ આગામી વરમાં આવો કોઈ તોડ નીકળે તે શાસ્ત્રમર્યાદા તથા દરેક સંપ્રદાયની વહેવારમર્યાદાને તાળે મળી રહેશે.” મુનિ સત્તબાલજીની આ યોજના સર્વ સ્વીકાર્ય બનતી હોય અને એ રીતે જેને--જૈને વચ્ચે એકતા સધાતી હોય તેના જેવું બીજું કશું જ રૂડું નથી. પણ જ્યાં સંવત્સરી પર્વ અંગે ચેથ - પાંચમનો ભેદ પણ ટાળી શકાતું નથી ત્યાં આ તેમની સૂચના વ્યવહારુ બની શકે તેમ જરા પણ લાગતું નથી. આપણા સમાજમાં કેટલીક બાબતની જડ એટલી બધી ઊંડી હોય છે કે તે બાબતમાં પાયાનું કોઈ મહત્ત્વ ન હોય અને તે અંગે એક યા બીજો ફેરફાર કરવાનું સામાજિક એક- તાની દષ્ટિએ અત્યન્ત હિતાવહ લાગતું હોય તે પણ તેવા ફેરફારની સૂચના માટે જાણે કે કોઈ અવકાશ જ ન હોય એમ લાગે છે. પર્યુષણ અને એમાં પણ સંવત્સરિ પર્વની બાબત કાંઈક આવી છે. તે પરંપરાની જડ ઘણી ઊંડી છે અને સંપ્રદાયને વરેલા સાધુગણને મન જૈનોની એકતા કરતાં પરંપરાની રક્ષાનું મહત્ત્વ ઘણું જ વધારે હોય છે. વસ્તુસ્થિતિ આવી હોઈને, મુનિ સન્તબાલજી સૂચવે છે. તેવા કોઈ પરંપરાભેદ કફેરફારનું આંદોલન ઊભું કરવામાં આવે તો તે આપણને એકતા તરફ લઈ જવાને બદલે પરસ્પર સંઘર્ષ વધારવામાં પરિણમે–એવી સંભાવના ઘણી વધારે લાગે છે અને તેથી અનુભવ એમ કહે છે કે વર્તમાન પરિસ્થિતિમાં જૈન સમાજની એકતા સાધવાની ઈચ્છા ધરાવનારા લોકોએ અન્ય જે કોઈ યોગ્ય લાગે તે ઉપાયો હાથ ધરવા પણ પર્યુષણ એક કરવાની બાબત હાથ ધરવાને કોઈ અર્થ નથી એમ સમજીને તે જેમ ચાલે છે તેમ ચાલવા દેવું એ જ વધારે હિતાવહ છે. પશ્ચિમ અને પૂર્વના દર્શનમાં રહેલું મૌલિક અત્તર . તાજેતરમાં તા ૧-૮-૧૬ ના જૈન પ્રકાશમાં પ્રગટ થયેલ ઉપાધ્યાય મુનિ શ્રી અમરચંદજી મહારાજના આત્મા અને પરમાત્મા’ એ મથાળા નીચે પ્રકટ થયેલ મૂળ હિંદી લેખને ગુજરાતી અનુવાદ વાંચવામાં આવ્યો. એ વાંચતાં અને એ દ્વારા મુનિશ્રીની સંપ્રદાયમુકત અત્યન્ત ઉદાર અને વ્યાપક વિચારસરણીને પરિચય થતાં હું ખૂબ પ્રભાવિત થયો અને “જૈન પ્રકાશના છેલ્લા બે ત્રણ મહિના દરમિયાન પ્રગટ થયેલા મુનિશ્રીના અન્ય ત્રણ ચાર લેખે જોઈ ગયો અને સવિશેષ પ્રસન્નતા અનુભવી. ઉપર જણાવેલ લેખમાં તેમણે પશ્ચિમ અને પૂર્વના દર્શનમાં રહેલા મૌલિક અંતરનું સુન્દર વિશ્લેષણ કર્યું છે. આ બન્ને દ્રષ્ટિમાં રહેલા અંતર અંગે કેટલાક સામાન્ય ખ્યાલ મન ઉપર જરૂર હતા, પણ આ અંતરને તેમણે જે સ્પષ્ટ આકાર આપ્યો છે તે આકાર ચિન્તનમાં આ રીતે પહેલાં સ્થિર થયો નહોતે. મુનિ શ્રી અમરચંદજી પ્રસ્તુત મુદ્દા અંગે નીચે મુજબ જણાવે છે.:' , , પશ્ચિમ અને પૂર્વના દર્શનમાં આ મૌલિક અંતર છે. પશ્ચિમાન્ય દર્શનના મતાનુસાર મનુષ્ય પહેલાં જાનવર હતા, વાંદરો હતો, વિકાસ થતાં થતાં તે આદમી બનેલ છે. અભિપ્રાય એ છે કે તે મૂળમાં પશુ છે અને મૂળમાં રહેવાવાળું પશુત્વ મુખ્ય છે. સભ્યતા અને સંસ્કૃતિએ આજ તેને મનુષ્ય બનાવી દીધેલ છે, પણ કોઈ કોઈ વખતે તેનું પશુત્વ જાગી ઊઠે છે ત્યારે માનવ ક્રોધ અને ઈર્ષ્યાળુ બનીને પોતાનું મૂળ સ્વરૂપ–પશુત્વમાં ચાલી જાય છે. તેનું તાત્પર્ય એ છે કે મનુષ્ય મૂળ રૂપમાં વિકારોનું પૂતળું છે, પશુ છે. ભારત દષ્ટિકોણ તેનાથી ભિન્ન છે. તે માને છે મનુષ્ય મૂળમાં આત્મા અર્થાત પરમાત્મા છે. તે મૂળ સ્વરૂપની દષ્ટિથી ઈશ્વર છે. તેનામાં જે વિકાર દૃષ્ટિગોચર થાય છે તે તેને પોતાને સ્વભાવ નથી, પિતાનું સ્વરૂપ નથી, બહારથી આવેલ છે. જ્યારે વ્યકિત વિકારની તરફ જાય છે ત્યારે તે પોતાના સ્વરૂપથી દૂર ચાલી જાય છે અને ફરી જ્યારે સંભાળે છે ત્યારે તે પોતાના મૂળ સ્વરૂપની તરફ વળાંક લે છે. પૂર્વ અને પશ્ચિમની દષ્ટિમાં એ જ મૂળ ભેદ છે. મનુષ્યમાં જ્યારે બુરાઈનાં દર્શન થાય છે, ત્યારે પશ્ચિમ કહે છે કે તે પોતાના મૂળ સ્વરૂપની તરફ જઈ રહેલ છે અર્થાત તેનામાં પશુત્વ જાગૃત થઈ રહે છે અને પૂર્વ કહેશે કે તે પોતાના સ્વરૂપથી વિકારમાં જઈ રહેલ છે, તેનું મૂળ સ્વરૂપ દુર્ગુણામાં નથી, સદ્ ગુણામાં છે. તે પ્રકારે પશ્ચિમ મૂળમાં પશુત્વ જુએ છે અને પૂર્વ દેવત્વ અથવા ઈશ્વરત્વનું દર્શન કરે છે.” અવકાશ સંશોધન પાછળ વ્યર્થ વેડફાતું અન્તર્ગળ દ્રવ્ય આજે અમેરિકા અને રશિયાની પ્રજાને અવકાશ સંશોધનની જે ઘેલછા લાગી છે તે અંગે તા. ૭-૮-'૧૬ ના “ટાઈમ્પસ ઑફ ઈન્ડિયા ”માં પ્રગટ થયેલી નોંધ ભારે સૂચક અને વેધક છે. તે નેધમાં જણાવવામાં આવ્યું છે કે “યુનાઈટેડ સ્ટેટ્સ અને સોવિયેટ યુનિયનના અવકાશ સંશોધનના કાર્યક્રમ સામે જાણીતા વૈજ્ઞાનિક ડે. સી. વી. રમણે જે ઉદ્ગારો કાઢયા છે તેમાં એક પીઢ વૈજ્ઞાનિકમાં સામાન્યત: કલ્પી ન શકીએ તેવી ઉગ્રતા રહેલી છે. મદ્રાસ ખાતે જવાન ટેકનોલોજીસ્ટોને ઉદ્દેશીને બોલતાં તેમણે જણાવ્યું કે “માનવીને અવકાશમાં મોકલવા પાછળ અને તેમને અવકાશમાં ચલાવવા પાછળ કરોડ ડ્રીલર ખરચે જવા એ કેવળ ઉન્માદ અને ગાંડપણ છે.” જરૂર આ બહુ આકરા શબ્દો છે, પણ તે ઘણા અંશમાં સાચા છે, એક અથવા બે આદમી ચંદ્રની સપાટી ઉપર ઊતરે થોડી ક્ષણ અહીં તહીં ઘૂમે અને પછી ત્યાંથી પાછા આવે એ પહેલાં આ જ સુધીમાં બે મોટી રાજ્ય સત્તા તરફથી ૫૦,૦૦૦ કરોડથી ઓછા દ્રવ્યનો ધૂમાડો કરવામાં આવ્યો નથી. માનવજાતની સામે જે ભયંકર સમસ્યાઓ આજે ઊભી થઈ છે તેની જે કોઈ વૈજ્ઞાનિકને આછી સરખી પણ ઝાંખી થઈ હોય તે વૈજ્ઞાનિક આ તાંત્રિક ઉડાઉપણા અંગે વિસ્મય અનુભવ્યા | વિના નહિ જ રહે. એમ લાગે છે કે વૈજ્ઞાનિક સંશોધન સાથે સંબંધ ધરાવતી માનવતાલક્ષી બાજુની તદન ઉપેક્ષા થઈ રહી છે. ડે. રમણના ઉપર આપેલા ઉદ્દગારો, આ રીતે વિચારતાં, ખરેખર યોગ્ય છે અને આપણને નક્કી ધરતી ઉપર લાવનારા છે. “અલબત્ત, એ સાચું છે કે આ બધાં નાણાંને અવકાશમાં ધુમાડો કરવામાં આવતું નથી, પણ આ પૃથ્વી ઉપર આ નાણાં વેરાઈ રહ્યા Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ૭૭ પ્રકીર્ણ નેંધ ત્રણ મહિના ભારત ખાતે રોકાવાનું મેં વિચારેલું. પણ તેના ઠેકાણે ભારતમાં હું બે વર્ષ રોકાણી. ભારતમાં ખરેખર એવું ખાસ કાંઈક : હતું જ. સંસદમાં સૌજન્યનું ચિન્તાજનક અવમૂલ્યાંકન પુરોવચન તા. ૮-૮-૬૬ના જન્મભૂમિમાં “શીલ, સમાજ અને સંસ્કૃતિ આ પુસ્તકનું પુરવાચન નીચે મુજબ છે. એમ મથાળા નીચે પ્રગટ થયેલી નોંધમાં દિલ્હીની લોકસભાની એમ માનવામાં આવે છે કે કોઈ પણ ખરેખરી જિજ્ઞાસુ વ્યકિત ઘેડા સમય પહેલાં ચાલુ થયેલી બેઠકમાં થયેલા ધાંધલ, તોફાન અને પ્રત્યે ભારત કદિ પણ પિતાનાં દ્વાર બંધ કરતું નથી. જેમાં ભારતનું નિમંત્રણ સ્વીકારે છે અને તેનાં ખુલ્લાં દ્વાર મારફત ભારતમાં જંગલી દેખાવો અંગેની નોંધ ચિતનપ્રેરક અને વિચારવેધક હોઈને પ્રવેશ કરે છે તે જેવા હતા એવા ને એવા કદિ પણ પાછા નીચે આપવામાં આવે છે – ફરતા નથી. તેઓ જો પોતાના દેશનું વાતાવરણ પિતે જ્યાં જાય ત્યાં “વર્ષાઋતુની આ સંસદની બેઠકમાં શરૂમાં જ જે ધાંધલ અને સાથે લઈને ન ફરે—અને આ અતિ મહત્ત્વનું છે–તે તેઓ આતિ અધ્યક્ષની અવજ્ઞા થયાં તેને લીધે સંસદના બંને ગૃહોની બેઠક તે રિક રીતે પાયામાંથી પરિવર્તિત બન્યા વિના રહે નહિ, જે કઈ પ્રવાસી પિતાના દેશના વાતાવરણને લઈને ભારતમાં ફરશે હરશે અને આવા દિવસે બંધ રાખવી પડી, તે બધું શરમ અને ખેદ ઉપજાવે છે. શ્રી. ઘણા લોકો હોય છે—તે તેમની આંખ સામે તે જ્યાં જશે ત્યાં ગરી- હુકમસિધે બીજે દિવસે પિતાની વ્યથા પ્રગટ કરતાં યોગ્ય જ કહ્યું બાઈ, વ્યાધિ અને કેવળ નિરૂઘમીપણું જ નજરે પડશે અને કદિ છે કે “ગૃહમાં પૂર્વવત કાર્યવાહી શરૂ થઈ શકશે, પણ અધ્યક્ષના મેભાને ભારતમાં પાછા નહિ આવવાના નિશ્ચયપૂર્વક પોતાના સરસામાન જે નુકસાન થયું છે તે કદી ભરપાઈ કરી શકાશે નહિ. સાથે તે પોતાને વતન પાછા ફરશે. ' “સંસદ, દેશના ડહાપણને દીર્ધદષ્ટિને છેવટને ને સંર્વોત્તમ ભંડાર આ પુસ્તકમાં ભારતીય તત્ત્વજ્ઞાન અને રહસ્યવાદનું–પચાવવું મુશ્કેલ પડે એવું–ભારે ભેજન પીરસવામાં આવ્યું નથી. એ કામ ગણાય. તેની પાસેથી વર્તમાન ને ભાવિ પેઢીએ રીતભાતનાં ધોરણો એ કાર્ય માટે વધારે યોગ્યતા ધરાવતા વિદ્વાનને—પંડિતોને-હું સોંપું શીખે ત્યાં જો આવું થાય તે દેશને માટે આશા શું? ઘરમાં આગ છે. આ પુસ્તક તે માત્ર સુધા જાગૃત કરનારૂં-appetiser લાગે તે કૂવાના પાણીથી ને કૂવામાં આગ લાગે તો ગંગાના છે, જે ભારત વિશે વાચકના દિલમાં માત્ર હિલ-જિજ્ઞાસા–પેદા પાણીથી ઓલવાય, પણ ગંગામાં જ આગ લાગે ત્યાં કયાં જવું? કરશે અને પરિણામે તે વાચક જો વધારે નક્કર વસ્તુ પ્રાપ્ત કરવા માટે અન્યત્ર નજર કરવા પ્રેરાશે તે આ પુસ્તક–પ્રકાશનને હેતુ રૂપિયાનું અવમૂલ્યાંકન ચવા જતાં સૌજન્યનું જે અવમૂલ્યાંકન સાર્થક થયો લેખાશે. સંસદમાં થયું તે એવી શંકા ઉપજાવે છે કે દેશ ત્રિદોષજવરમાં તે - આ પુસ્તકમાં ભારતના બહુ જાણીતા આશ્રમો અને આધ્યા- નથી સપડાયો? ત્મિક કેન્દ્રોમાંના કેટલાકની અને આ આશ્રમોની અંદર બહાર ' “રજ બલાતા શ્લોકોમાં વિષ્ણુનું આ વર્ણન અત્યંત રહેતા લોકોમાંના કેટલાકની લેવામાં આવેલી મુલાકાતની નોંધ કરવામાં પ્રિય લાગે છે. ‘શાંતાકારં ભુજગશયનમ્ ' સર્પ પર સૂતા છે, પણ શાંત આવી છે. સાથે સાથે જ્યાં જ્યાં હું ગઈ ત્યાં ત્યાં મને મળેલ એક સરખા આદર, આવકાર અને માયાળુભાવને આ પુસ્તક આકતરી છે, તેવું જ કવિએ વર્ણવ્યું- “લક્ષ્મીકાંત, કમલનયન’ - લક્ષ્મીના પતિ રીતે અંજલિ આપે છે. છે, પણ તેમની દષ્ટિ કમલ સમ તેનાથી નિર્લેપ છે. સંસદ વિષણુરૂપ મારી ભારતયાત્રા દરમિયાન હું અવારનવાર ભારે વિચિત્ર પરિ- છે, તે જ દેશની ધાત્રી છે. તેણે આજે જ નહિ હંમેશ સર્પ પર જે સ્થિતિમાં મૂકાતી અને કુતુહલ અને જિજ્ઞાસાથી પ્રેરાયેલી હું કદિ સૂવાનું છે. આવડા મોટા દેશમાં કયાંક ને કયાંક અશાંતિ કે ઉકળાટ કદિ, મારા પોતાના દેશ ઈંગ્લાંડમાં સાધારણ રીતે ન વર્તુ એવી રીતે-કાંઈક ધૃષ્ટ બનીને પણ—હું વર્તતી. આ બધું છતાં કે અછત ન હોય તેવું આ મતભેદના કાળે બનવું અસંભવિત છે. પણ હું મને કોઈ ઠેકાણે “Mysterious East’ ‘ગૂઢ એવે વખતે સંસદે શાંતાકારં રહેવું જોઈએ. મતભેદે પ્રગટ ન કરવા, પૂર્વનું દર્શન થયું નથી. એટલે મારે એવી કોઈ ગૂઢ વાત કહેવાની ચર્ચા ન કરવી, સવાલ ન પૂછવા તેવું નહિ, પણ અધ્યક્ષની અવજ્ઞા, છે જ નહિ. એ કામ ગૂઢ વાત કહેવાના રસિયા લોકો ઉપર હું ને ચર્ચા જ ન થઈ શકે તેવાં ધાંધલ તોફાન છેવટે ચર્ચાને જ ગળાછોડું છું. ચમત્કાર બનતા હશે અને જો કે મને પણ અમુક થોડા ટુપ દે છે, ને વહીવટકર્તાઓના મિજાજને ઉશ્કેરે છે તેનું ભાન હોવું વિચિત્ર અનુભવે જરૂર થયા છે, આમ છતાં પણ આ પુસ્તકમાં કોઈ ચમત્કારોની વાત કરવામાં આવી જ નથી. ભારતને તેની જરૂર જ જોઈએ. લોકશાહી ફેરફાર ચર્ચા દ્વારા કરે છે, બળજબરીથી પણ ફેરફારો નથી, કારણ કે તે જેવું છે તેવું જ સૌ કોઈ માટે મુગ્ધતાજનક છે. થતા આવ્યા છે, પણ તેમાં બળ જીતે છે, સત્ય નહિ. સત્ય જીતે કદાચ ખરો ચમત્કાર તો આ છે : દુનિયાનાં બધાં રાષ્ટ્રોમાં માત્ર માટે ચર્ચા દ્વારા તેનું શોધન થાય ને તે પરિણામ મુજબ ફેરફાર થાય– ભારત જ આત્મતત્વને કેમ પિષણ આપવું, કેમ આગળ ધરવું એ તેવું નિવિષ રસાયન લોકશાહી છે. ચર્ચાની ભૂમિકા પરસ્પર માટે જાણે છે. ભારત આવું ચિરકાળ ટકી રહો ! આદર, શાસનની જવાબદારી ઉઠાવવાવાળાને મળેલા અધિકારોને અનુવાદક: પરમાનંદ મૂળ અંગ્રેજી: એની માર્શલ સ્વીકાર, લાગણીની તીવ્ર ઉત્તેજનાને પૂર્ણ અભાવ, અને અધ્યક્ષના સાતત્ય રચુકાદાને પ્રસન્નતાપૂર્વક સ્વીકાર–આ ચતુઃસ્ત્રી પર અવલંબે છે. જીવનને પ્રવાસ અનંત છે. જન્મ પછી જન્મ આવતા જાય સંસદની વર્ષારંભની આ બેઠકમાં આને પૂરો ભંગ થયે તે ચિંતામાં છે અને મૃત્વરૂપી અલ્પવિરામ આવ્યું કે ફરીથી પ્રવાસ આગળ જ વધારવાનું રહે છે. આ અનંત પ્રવાસમાં બનતી કેટલીક ઘટનાઓથી નાંખી દે છે, ત્યાં બેઠેલા બધા સારી પેઠે ભણેલા છે, તેમને મોકલનાર કયારેક આશ્ચર્યની અનુભૂતિ થાય છે અને કયારેક પ્રશ્નાર્થ જાગે છે. કરોડ અભણ લોકો તેમના વિશ્વાસે ખેતરો ને ખાણામાં કામ કરે છે, પણ આ અનંત પ્રવાસમાં કયાંય પૂર્ણવિરામ કેમ દેખાતું નથી. તેઓ માને છે કે એ બધા દેશને શાંત, સમૃદ્ધ અને સુરક્ષિત રાખશે. પૂર્ણવિરામ ન દેખાય ત્યાં સુધી જીવનની ગતિ અવિરત વહેતી જ ભણેલાને એમાં વધારે ખબર પડે. તેમના આ પરમ વિશ્વાસને આપણે રહેવાની છે. વિરામ શું નષ્ટ કરશું? દેશમાં અન્નની તંગી છે, મેઘવારી છે, ગંજના ગંજ પછાતપણું છે, કાળાંબજાર અને કૃપણતા છે. પણ આ બધાંને ભવે ભવે અલ્પવિરામ મૂકી આત્મા વધે આગળ વાક્ય માંહે, નિવેડો લાવવાનું આ એક સત્તા કેન્દ્ર છે, જ્યાં ડાહ્યા લોકો અનેક આશ્ચર્ય—પ્રશ્નાર્થનું ચિહ્ન ઝૂકી બાજએ તપાસી આ બધાંને પહોંચી વળવાના માર્ગો શોધી રહ્યા છે. રહે ક્યાંક માત્ર; તે કેન્દ્રને પણ ત્રિદોષને સનેપાત લાગુ પડે તે લેકમાનસ ઢળી દેખું ન કાં પૂર્ણવિરામ રાહે? પડશે. પછી તેને વિશ્વાસ આપી બેઠો કરવાનું શકય નહિ રહે. આ ગીતા કાપડિયા ભણેલા આગેવાને આંતરનિરીક્ષણ કરશે? કે અંધન નિયમાના: (જન્મભૂમિ-પ્રવાસી'માંથી ઉદ્ભૂત). થથાંધા: જેવું થશે? Page #165 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૮-૯ છે અને અનેક મોટા ઉદ્યોગોને કામ પૂરું પાડી રહ્યા છે; પણ એથી વધારે સત્ય તો એ છે કે માનવી–કલ્યાણનાં બીજાં એવાં અનેક ક્ષેત્રે છે કે જે સવિશેષ પ્રાધાન્યની અપેક્ષા ધરાવે છે. આજે લગભગઅડધી દુનિયા અન્નવિહોણી છે અને અધુરા પોષણ ઉપર નભી રહી છે; લાખા માણસા એવા છે કે જેના માટે આવતી કાલની કોઈ આશા નથી; ધનાઢય દેશામાં પણ હજારો લોકોને ન્યૂનતમ પોષણ પણ આજે મળતું નથી. વસતિગણતરી - વિશારદો આપણને સતત ચેતવી રહ્યા છે કે વસતિ વૃદ્ધિની ભયસૂચક સીમા તરફ આપણે બહુ ઝડપથી ગતિ કરી રહ્યા છીએ. વ્યાધિ અને સાર્વજનિક સ્વાસ્થ્યનો પ્રશ્ન માત્ર ઉપરછલી રીતે હલ થઈ રહ્યો છે; જાગતિક સ્વાસ્થ્ય સંશાધન કેન્દ્ર ઊભું કરવાની એક અતિ નમ્ર દરખાસ્તનો પણ પ્રમુખ રાજ્યસત્તાઓએ તાજેતરમાં ઈનકાર–અસ્વીકાર કર્યો છે. આવી જ બીજી તાકીદની – આપણી દુનિયાને સ્પર્શતી - સમસ્યાઓ સામે આવીને ઊભી છે. દાખલા તરીકે પીવાના પાણીની આંતરરાષ્ટ્રીય તંગી, દૂષિત બની રહેલાં હવામાન, પાણી અને જમીન, અનિયંત્રિત શહેરીકરણ, અને પરિણામે કુદરત સાથે લેાકજીવનના ઊભા થતો વિસંવાદ. માનવતા વિરોધી ટેક્ નાલાજી અને જેમાં સાધનસામગ્રી સતત ઘટી રહી છે અને સમસ્યાઓ ઉત્તરોત્તર વધતી રહી છે એવી આ દુનિયામાં ઓછા મહત્ત્વની બાબતોને અપાતું વધારે પડતું પ્રધાન્ય – આ સામે ડૉ. રમણના રોષ સમજી શકાય તેવા છે.” પ્રબુદ્ધ જીવન પરમાનદ સ્વ. વિદ્યાવિભૂતિ ડૉ. વાસુદેવશરણુ અગ્રવાલ જન્મે કરકસરશીલ, આદર્શ વૈશ્ય શ્રી વાસુદેવશરણજી કમે સાચા અને આદર્શ બ્રાહ્મણ હતા. ઉત્કટ વિદ્યાનિષ્ઠા, સૂક્ષ્મદર્શી કુશાગ્રબુદ્ધિ અને સાવ સાદી જીવનપદ્ધતિનું જાણે એમને સહજ વરદાન મળ્યું હતું. એમનું સમગ્ર જીવન માતા સરસ્વતીની ઉપાસનાને અર્પણ થયું હતું. વિશ્વભરના ભારતીય સંસ્કૃતિના વિરલ વિદ્વાનોમાં પણ વિરલ લેખી શકાય એવી ઉચ્ચ કોટિના તેએ વિદ્રાન હતા. એમના રોમરોમમાં સમગ્ર ભારતીય સંસ્કૃતિના ઊંડા અધ્યયનને અનુરાગ ધબકતા હતા. ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વિદ્યાના એવા કોઈ વિષય કે એનું કોઇ અંગ એવું ભાગ્યે જ હશે કે જેનું અવગાહન ડો. અગ્રવાલજીએ ન કર્યું હોય, કે જેના વિષયમાં આધારભૂત લેખી શકાય એવું કંઈ પણ ન લખ્યું હોય. ભારતની મુખ્ય ત્રણ ધર્મસંસ્કૃતિઓ– બ્રાહ્મણ, જૈન, બૌદ્ધના અને ત્રણેના ધર્મશાસ્ત્રોની ભાષા સંસ્કૃત, પ્રાકૃત અને પાલિના તેઓ ઊંડા અભ્યાસી હતા. ઉપરાંત ભારતીય ઇતિહાસ, પુરાતત્ત્વ અને કળાના તેઓ મર્મજ્ઞ વિદ્રાન હતા; ઈતિહાસ અને ધર્મસંસ્કૃતિના સંદર્ભમાં તેઓએ ભારતીય દર્શના સંબંધી પણ ઉપયોગી માહિતી મેળવેલી હતી. વેદ, ઉપનિષદ, રામાયણ–મહાભારત આદિ તે જાણે એમના હૃદયમાં રમ્યાં જ કરતાં હતાં. શિલ્પશાસ્ત્રને પણ એમના અધ્યયનના ક્ષેત્રમાં સ્થાન હતું. શ્રી અગ્રવાલજીની ખરી વિશેષતા કોઈ પણ પ્રાચીન કે પર પરાગત વિષયના મૌલિક ચિંતન અને અનોખા અર્થઘટન (Interperta tion)માં ચમકી ઊઠતી. વાત એક ને એક જ હોય, પણ શ્રી અગ્રવાલજીના વિવેચનનું તે જ પામીને એ ભારે અસરકારક કે હૃદયસ્પર્શી બની જતી. એમ કહી શકાય કે કોઈ પણ પ્રાચીન વિષયને અવલંબીને ચાલતી એમની લેખનશકિતમાં સંવેદનશીલ અને સમર્થ સર્જકની વિરલ પ્રતિભા ચમકી ઊઠયા વગર ન રહેતી– એવું મધુર, એવું મર્મસ્પર્શી અને એવું હૃદયંગમ એમનું લખાણ બનતું—ભલે પછી એ લખાણ એમની માતૃભાષા હિંદીમાં ઊતર્યું હાય કે એમના ઊંડા અધ્યયનની બેોધભાષા અંગ્રેજીમાં લખાયું હોય. વિષય વ્યાકરણના હોય, લેાકસાહિત્ય, કાવ્ય—મહાકાવ્ય, નાટક ge કે ચરિત્રનો હોય, અથવા ઈતિહાસ, પુરાતત્ત્વ, કલા, ધર્મશાસ્ત્ર કે શિલ્પશાસ્ત્રના હોય—ભારતીય જીવન અને સંસ્કૃતિના ગમે તે અંગને લગતા હોય—એને આત્મસાત્ કરી લેવાની એમની ગ્રહણશકિત અને એને જબાન કે કલમ દ્વારા રજૂ કરવાની એમની નિરૂપણશકિત સહૃદય વાચક અને જિજ્ઞાસુના હૃદયને ડોલાવી મૂકે એવી અદ્ભુત હતી. શ્રી અગ્રવાલજી સાચા વિદ્યાપુરુષ હતા. એમણે મહાન વૈયાકરણ પાણિનિના વ્યાકરણના આધારે તે સમયના ભારતનું દર્શન કરાવતા દળદાર ગ્રંથ અંગ્રેજી અને હિંદીમાં (પાણિનીકાલીન ભારત” નામે) લખ્યા છે; હર્ષચરિત્રનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ અવલાકન લખ્યું છે; કાદ બરીનું નિરૂપણ કર્યું છે; કળાને લગતા અનેક નાનાં મોટાં પુસ્તકો લખ્યાં છે. એમનાં છપાયેલ પુસ્તકોની સંખ્યા ૮૮ જેટલી અને હજી અપ્રગટ રહેલ પુસ્તકોની સંખ્યા ૪૪ જેટલી છે: આ બીના જ એમણે વિદ્યાનું ખેડાણ કેટલું વ્યાપક અને ઝડપી કર્યું હશે એનો ખ્યાલ આપવા માટે પૂરતી છે. ભારતીય સંસ્કૃતિને સમજવા અને સમજાવવા શ્રી અગ્રવાલજીએ જે સમથ પુરુષાર્થ કર્યો અને એ પુરુષાર્થ અનેક ગ્રંથરત્ન રૂપે પ્રગટ થયા, એને લીધે શ્રી. અગ્રવાલજીનું નામ અને કામ અમર બની ગયું છે: આ દેશના અને પરદેશના ભારતીય સંસ્કૃતિના અભ્યાસી કે જિજ્ઞાસુને શ્રી અગ્રવાલજીના ગ્રંથાનું પરિશીલન કર્યા વગર ચાલવાનું નથી: પોતાના આવા અદ્ભુત અક્ષરદેહદ્રારા શ્રી અગ્રવાલજી સાચા અર્થમાં અક્ષર અજર અમર બની ગયા છે. શ્રી અગ્રવાલજીના જન્મ સને ૧૯૦૪માં ઉત્તરપ્રદેશમાં અલાહબાદમાં થયો હતો. લખનૌ અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ ૧૯૩૧થી તે ૧૯૩૯ સુધી તેઓએ મથુરા મ્યુઝિયમના અને તે પછી ૧૯૪૫ સુધી લખનૌ મ્યુઝિયમના કયુકેટર તરીકે ભારે યશસ્વી કામગીરી બજાવી હતી. મથુરામાંથી મળી આવેલા ભારતની ત્રણે સંસ્કૃતિના પુરાતન અવશેષોના તેઓ સિદ્ધહસ્ત વિદ્રાન હતા, એ સંબંધી એમણે પુસ્તક પણ લખ્યું છે, આ કામગીરીની સાથેોસાથ જ વિશેષ અધ્યયન કરીને એમણે પી.એચ. ડી. અને ડી. લિટ્ની ડીગ્રી મેળવી હતી. દિલ્લીના સરકારી મ્યુઝિયમમાં કેટલાંક વર્ષો ગાળ્યા બાદ આખરે તેઓ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં સ્થિર થયા હતા અને છેવટ સુધી ત્યાઁ રહીને જ એક યા બીજા સ્થાનો મારફત પેાતાના વિદ્યાવ્યાસંગને વધારતા જતા રહ્યા હતા. રાષ્ટ્રીયતા અને સતત કાર્યશીલતા એ એમના બીજા ગુણા હતા, શરીર ભલેને આરામને માટે ઝંખતું હોય, પણ વિદ્યાસેવા તો અટકવી ન જ જોઈએ એવી એમની મનોવૃત્તિ હતી. મન તે જાણૅ થાકતું જ નહીં. વિઘા એ જ એમના જીવનરસ હતા. એ જ એમની માજ હતી. તેથી જ બાસઠ વર્ષ જેટલી પ્રમાણમાં ઓછી ઉંમરે વિદાય થયા છતાં તેઓ શતાયુ વિદ્વાનના જેટલા સમૃદ્ધ અને અખૂટ વિદ્યાવારસા પોતાની પાછળ મૂકતા ગયા છે. પૂ. મુનિવર્યશ્રી પુણ્યવિજયજી અને સદ્ગત રાષ્ટ્રપતિ ડા. રાજેન્દ્રપ્રસાદના પ્રયાસથી પ્રાકૃત આગમગ્રંથો વગેરેના પ્રકાશન માટે સ્થપાયેલ પ્રાકૃત ટેક્ષ સાસાયટીના તેઓ અધ્યક્ષ હતા. ઉપરાંત, વિદ્યાપ્રવૃત્તિને વરેલ નાની-મોટી અનેક સંસ્થાએ સાથે શ્રી અગ્રવાલજી સંકળાયેલા હતા. આવા એક બહુશ્રુત વિદ્રાનનો તા. ૨૭-૭-૬૬ના રાજ, ૬૨ વર્ષની ઉંમરે વારાણસીમાં સ્વર્ગવાસ થયા છે અને આપણને એક વિદ્યાવિભૂતિની ન પૂરી શકાય એવી ખોટ પડી છે. બાકી શ્રી. અગ્રવાલજી તેા નાસ્તિ જેવાં યાધાયે નામરનું મયં। એ જ લિના સાચા અધિકારી બનીને વિદાય થયા છે. એ વિદ્યાવિભૂતિને આપણા પ્રણામ હા! (“જૈન”માંથી સાભાર ઉદ્ભુત, ) રતિલાલ દીપચંદ દેસાઈ ( 4 Page #166 -------------------------------------------------------------------------- ________________ ८० પ્રબુદ્ધ જીવન ઘેાડાંક અવલાકના “શાણા સમાજ” સુપ્રસિધ્ધ ચિન્તક, ફ્લિાસાફર, મનોવૈજ્ઞાનિક અને લેખક શ્રી એરિક ફ઼ોમે અંગ્રેજીમાં લખેલાં ‘Sane Society' એ મથાળાના પુસ્તકના ભૂમિપુત્ર કાર્યાલય તરફ્થી (ઠે. હુઝરતપાગા, વડોદરા-૧) થેાડા સમય પહેલાં અનુવાદ પ્રગટ કરવામાં આવ્યા છે. આ અનુવાદ કરનાર ભૂમિપુત્રના તંત્રી શ્રી કાન્તિભાઈ શાહ છે. તેની કિંમત રૂા. ૩ છે. મૂળ અંગ્રેજીમાં લખનાર શ્રી એરિક ફોમને ટૂંક પરિચય આપતાં જણાવવાનું કે તેમને જન્મ સને ૧૯૦૦માં ૨૩ માર્ચે જર્મનીના ફ્રોકટી શહેરમાં થયેલા, સમાજશાસ્ત્ર અને માનશસાસના એમણે હાઈડલબર્ગ, ફૂં કફ્ટી અને મ્યુનિયની વિદ્યાપીઠોમાં અભ્યાસ કર્યો. ૧૯૨૨માં પીએચ. ડી. થયા. ૧૯૨૬થી માનવચિકિત્સાની પ્રેકટીસ એમણે શરૂ કરેલી. ૧૯૩૪માં તેઓ અમેરિકામાં સ્થાયી થયા, અને કોલંબીઆ, મેઈલ વગેરે વિદ્યાપીઠોના મનોવિશ્લેષણ વિભાગમાં એમણે કામ કર્યું. અત્યારે તેઓ મેકિસકોમાં છે. આજની દુનિયાના માનવીની સમસ્યા ભારે કપરી બની છે. સામાજિક પરિસ્થિતિ વધારે ને વધારે જિટલ બનતી ચાલી છે અને દુનિયાના માથે સર્વનાશની કટોકટી તાળાઈ રહી છે. આ સમગ્ર વસ્તુસ્થિતિ ઉપર આ પુસ્તક મૌલિક પ્રકાશ પાડે છે. અને તેથી સમાજહિતચિન્તક સર્વ કોઈ નરનારીને આ પુસ્તકનું પઠનપાઠન કરવા ભલામણ છે. આ પુસ્તકની હું સમાલોચના કરું તેના બદલે આ પુસ્તકના હાર્દને સમજાવતી પ્રસ્તાવના શ્રી જયપ્રકાશ નારાયણે લખી આપી છે તે અહીં ઉધૃત કરવી વધારે યોગ્ય લાગે છે. મૂળ અંગ્રેજીમાં લખાયલી એ પ્રસ્તાવનાના ગુજરાતી અનુવાદ નીચે મુજબ છે: “એરિક ફ્રોમનું ‘શાણા સમાજ' પુસ્તક અંગ્રેજીમાં દશ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયેલું હોવા છતાં આજે પણ એની અગત્ય તેવી ને તેવી જ રહી છે. એરિક ફ્રોમ જેમ મનોવિશ્લેષણના એક લબ્ધપ્રતિષ્ઠ તજ્ઞ છે તેમ ગણ્યમાન્ય સામાજિક ચિંતક, લેખક અને મહાન માનવતાવાદી પણ છે. ઉપરાંત સામાજિક આંદોલનોમાં પણ તેઓએ આગળ પડતો ભાગ ભજવ્યો છે. પાશ્ચાત્ય પ્રાજ્ઞપુરુષમાં ટ્રોમ એક એવા વિરલ બુદ્ધિમાન છે, જેમની પારગામી દૃષ્ટિ પશ્ચિમી સમાજના ઝાકઝમાળ અને પ્રચૂર વૈભવને આરપાર વીંધી જઈ એના રોગનાં મૂળને ખુલ્લાં કરીને અવલોકી શકી છે એટલું જ નહીં પણ, માનવ તેમ જ સમાજના સ્વસ્થ વિકાસની નવલી દિશાએ શેાધી શકી છે. “આ પુસ્તક આમ તો પશ્ચિમના, તેમાંયે ખાસ તે અમેરિકન, વાચકને ઢંઢોળીને જગાડવાની દષ્ટિથી લખાયેલું છે. પરંતુ આપણા દેશને માટે તેમ જ બીજા નવસ્વતંત્ર રાષ્ટ્રો માટે પણ આ પુસ્તક એટલું જ મૂલ્યવાન નિવડે તેવું છે. બલ્કે તેની ઉપયોગીતા આપણે માટે ઘણી વધારે હોઈ શકે, કેમકે આપણે ઉદ્યોગીકરણની યાત્રાનો હજી તેઆરંભ કરી રહ્યા છીએ, એટલે એનો વધુ લાભ લઈ શકવાની સ્થિતિમાં છીએ; જ્યારે અમેરિકાની પ્રજા આપણાથી વયમાં નાની છતાં ઉદ્યોગીકરણને પંથે ઘણી આગળ નીકળી ગયેલી છે, અને તેથી તે પેાતાની દિશા સહેલાઈથી બદલી શકે તેમ નથી. પશ્ચિમી સંમાજની “સફળતાની થા”થી આપણી આંખો અંજાઈ જાય છે, અને આપણે એમને પગલે પગલે ચાલવા માટે તલપાપડ થઈ જઈએ છીએ. પણ આપણા પૈકી બહુ ઓછાને એ વાતનો ખ્યાલ છે કે એ સફળતા ઘણી એકાંગી છે, માત્ર ભૌતિક ઉત્પાદન અને ઉપભાગના કેન્દ્રો ફરતે વીંટળાયેલી છે—કટાક્ષચિત્રામાં Cll. 94-6-44 ર ઘણી વાર “હાથ પગ દોરડી અને પેટ ગાગરડી' જેવાં રાક્ષસી બાળક ચીતરેલાં જોવા મળે છે, તેવી એની દશા છે. ‘પશ્ચિમિ દેશા અને પૂર્વ(અર્થાત્ રશિયા)ના સમાજ વચ્ચેના ભેદ ફ઼ોમ માર્મિક રીતે દર્શાવે છે, તેમ છતાં સાવિયેત છાપને ઔઘોગિક સમાજ પણ, ઉપલક તફાવત છતાં, વસ્તુત: અમેરિકન નમૂ નાની દિશામાં જ ગતિ કરી રહ્યો છે, તે ચીંધી બતાવવાનું તેઓ ચૂકતા નથી. છેક પાંચમા દશકામાં એ બે ઢબના સમાજો વચ્ચેના તફાવતા આજે છે તે કરતાં ઘણા વધારે સ્પષ્ટ હતા, અને ક્રોમે તે કાળે લખ્યું છે. પરંતુ તે બન્ને વચ્ચેની તાત્ત્વિક સમાનતાનું તેમણે આબાદ વર્ણન કર્યું છે.: ‘બંને વ્યવસ્થા ઉદ્યોગીકરણના પાયા પર રચાયેલી છે અને બંનેના લક્ષ્ય છે : નિત્ય વધતી જતી આર્થિક ક્ષમતા અને સમૃદ્ધિ. એ બંને સમાજના સંચાલનનાં સૂત્રેા એક વ્યવસ્થાપક વર્ગ અને વ્યવસાયી રાજકારણીઓના હાથમાં છે. પશ્ચિમી દેશોમાં ખ્રિસ્તી વિચારસરણી પ્રવર્તે છે અને પૂર્વના સામ્યવાદી દેશેમાં ધર્મનિરપેક્ષ પૈગમ્બરવાદની બાલબાલા છે, તેમ છતાં બંનેયના દષ્ટિકોણ તો નકરા ભૌતિકવાદી જ છે. મનુષ્યને એ બંને ય તેતિંગ કારખાનાઓ દ્રારા અને જંગી રાજકીય પક્ષા દ્વારા એક કેન્દ્રિત પદ્ધતિના સંગઠનમાં જકડી લે છે. ત્યાં એકેએક જણ યંત્રનો પૂરજો છે અને યંત્રના પુરજાની જેમ દરેકે યંત્રમાં કશી ખલેલ ઊભી કર્યા વિના પોતાની ફરજ નભાવવાની છે.' “મારે માટે તે મનુષ્ય જ સર્વ વસ્તુનું માપ છે. મનુષ્યને માટે જ સર્વ કાંઈ અસ્તિત્વ ધરાવે છે; ધર્મ, વિચારસરણી, રાજ્ય, વિજ્ઞાન, યંત્રવિદ્યા, કલા અને બાકી બધું જ. એટલે, સ્વયં મનુષ્યને જ જો પુરજામાં, યંત્રમાં કે યંત્રમાનવમાં પલટી નાંખવામાં આવે તે પછી બાકી શું રહ્યું ? જૂના જમાનાની ગુલામી પ્રથામાં માનવી માનવીને ગુલામ બનાવતા; આ નવી ગુલામીમાં મશીન માનવીને ગુલામ બનાવે છે. “દુર્ભાગ્યે આપણા દેશના ભદ્ર વર્ગ અત્યારે તે હજી આ પ્રશ્નોમાં રસ પણ લેતા થયા નથી. જ્યારે આવા પ્રશ્નો ઊભા કરીએ છીએ ત્યારે અચૂક એક જ જવાબ સાંભળવા મળે છે: “પડશે તેવા દેવાશે.” એ સમસ્યા ઊભી થાય ત્યારની વાત ત્યારે. પહેલાં આપણે ગરીબીને અને પછાતપણાને તા વાળીઝૂડીને સાફ કરી નાંખીએ ને પશ્ચિમવાળા આગળ નીકળી ગયા છે તેને આંબી જઈએ, તે પછી આ બધી બારીક સમસ્યાએ નિરાંતે બેસીને ઉકેલશું.' “આવી મનોદશા અતિશય નઠારી છે. ઈતિહાસના પાઠ શીખવાનો ઈનકાર કરવા એ નર્યું જરીપુરાણું માનસ છે. વળી, એમ માની લેવું પણ સાવ પાયા વગરનું છે કે માનવીય દષ્ટિએ વિકાસ કરવા જતાં આર્થિક વિકાસના પ્રયત્ન રુંધાશે કે ધીરો પડશે. હકીકતે તે માનવીય વિકાસ આર્થિક વિકાસમાં મદદરૂપ જ થઈ પડે તેમ છે. “ “શાણા સમાજ” વર્તમાન સ્થિતિનું ફકત નિદાન જ નથી, પરંતુ હું આગળ કહી ગયા તેમ ભવિષ્યમાં ડોકિયું કરાવતી ખાજ પણ છે. અમેરિકનોએ વધુ સ્વસ્થ સમાજનું સર્જન કરવાની દષ્ટિએ શું કરવું ઘટે તે વિષે લેખકે કહ્યું છે : ‘આપણે ઔદ્યોગિક ઉત્પાદન પદ્ધતિ તો જાળવી રાખવી જોઈએ.; પણ તેની સાથે જ આપણે કામનું અને રાજ્યસત્તાનું વિકેન્દ્રીકરણ કરવું જ રહ્યું, કે જેથી તે બન્નેનું સ્વરૂપ માનવીય રહે, માણસના પ્રમાણમાં રહે. ઉદ્યોગને માટે અમુક અનિવાર્ય હાય તેટલી જ હદે કેન્દ્રીકરણ થવા દેવું જોઈએ. આર્થિક ક્ષેત્રે આપણને કારખાનામાં કામ કરતા બધા માણસાનું સહસંચાલન જોઈએ છે, કે જેથી તેમના બધાના સક્રિય અને જવાબદારીભર્યો સહયોગ સાંપડી શકે. આવા સહયોગ માટેનાં નવાં સ્વરૂપા શોધી શકાય તેમ છે. રાજકીય ક્ષેત્રે, આપણે નાનાં શહેરોની સભા Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન મિરાઠી * છે જે ૪ ૨.૦૦ એની પદ્ધતિ પર પાછાં આવી જવું પડશે, ને તે માટે હજારો નાનાં નાનાં બે આંખની શરમવાળા પ્રત્યક્ષ પરિચિત સમૂહ રચવાં પડશે, જે સુમાહિતગાર હોય, જે ચર્ચા-વિચારણા કરે અને જેમના નિર્ણયોનું એક નવા પ્રકારની લોકસભાના “નીચલા ગૃહમાં” સંકલન થાય. તરુણ માટે કામની તાલીમ, મોટાઓની કેળવણી અને રાષ્ટ્રવ્યાપી લોકકળા તેમ જ લોકઉત્સવ તથા ધર્મનિરપેક્ષ વિવાહાદિ વિધિ-આવા વિશાળ નમેષને આવરી લે તેવું એક સાંસ્કૃતિક પુનરુત્થાન આપણે કરવાનું રહેશે.” . '' “ભાવિનું દર્શન કરાવતા આ શબ્દોને ભારતવાસીના હૃદયમાં પડઘો પડવે જોઈએ. ડ્રોમના વિચાર ગાંધીજીના વિચાર સાથે કેટલા મળતા આવે છે! અને આપણે ત્યાં તો હજી ૮૦ ટકા લોકો બે આંખની શરમવાળા પ્રત્યક્ષ સમાજમાં (ગામડાંમાં)જ વસે છે. અને આપણું ઉધોગીકરણ પણ હજી તે એકદમ પ્રાથમિક અવસ્થામાં છે. ઉપરાંત આપણે ત્યાં ગાંધીજી પ્રત્યેનું માન પણ હજી સારા પ્રમાણમાં જીવંત છે અને વિનોબાજીના માર્ગદર્શનમાં ગાંધીતત્વ પ્રમાણેનાં જે ધ્યેયને વરેલું એક મહાન સામાજિક આંદોલન વસ્તુત: ચાલી જ રહ્યાં છે, એટલે એવી આશા જરૂર રાખી શકાય કે કાન્તિભાઈના પ્રશસ્ય પરિઝમને પ્રતાપે ગુજરાતીમાં ઉપલબ્ધ થતા ફ્રોમના આ પુસ્તક દ્વારા કેવળ બૌદ્ધિક કરતાં કંઈક વધુ ઉદ્દેશ સરશે. આજે પણ આ દેશના ભદ્રવર્ગમાં ઘણા એવા લોકો છે, જે કોઈ પણ ભારતીય વસ્તુને જ્યાં સુધી વિદેશમાં કોઈને કોઈ રીતે માન્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગંભીરતાપૂર્વક ગણતરીમાં જ નથી લેતા. આટલાં વર્ષોથી સર્વોદય આન્દોલન સાથે જેવા વિચારો સંકળાયેલા છે, તેવા જ વિચારો એરિક ફ્રોમ જેવા પાશ્ચાત્ય ચિતકની કલમે વ્યકત થાય છે, તેથી સર્વોદય-આન્દોલન અંગે આપણા બુદ્ધિમાનામાં ન સુર જાગવો જોઈએ. “છેલ્લે, હું આશા રાખું છું કે કાન્તિભાઈએ લીધેલી મહેનત આ પુસ્તકના અન્ય ભારતીય ભાષાઓના અનુવાદને માર્ગ સરળ કરી આપશે. આ દેશમાં “શાણા સમાજનું વાચન જેટલું વ્યાપક પ્રમાણમાં થશે, તેટલી જ એની દિશા–સૂઝ વધુ સ્પષ્ટ બનશે, એનું આયોજન અને વિકાસ વધુ સમતોલ બનશે, અને આ દેશ પાછા એની પિતાની સભ્યતાનાં મૂળની નિકટ આવશે.” અલ્યાસીને દાદાસાહેબ માવળંકર વિશેષાંક ગુજરાતની સંસ્કારમૂર્તિ અગ્રગણ્ય સમાજસેવક અને લેકસભાના પ્રથમ સ્પીકર સ્વ. દાદાસાહેબ ગણેશ વાસુદેવ માવળંકર ૨૭ મી ફેબ્રુઆરી ૧૯૫૬ ના રોજ ૬૭ વર્ષની ઉમ્મરે વિદેહ થયા. આ ઘટનાને દશ વર્ષ થયાં તે સંધિને અનુલક્ષીને ‘અભ્યાસ’માસિકને ગયા ફેબ્રુઆરી માસને એક વિશેષાંક પ્રગટ કરવામાં આવ્યો છે. સ્વ. દાદાસાહેબ માવળંકરના પુત્ર શ્રી પુરુષોત્તમ માવળંકર જે શેઠ લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૅલેજના પ્રિન્સિપાલ છે અને અમદાવાદના લાસ્કી ઈંસ્ટીટયુટના પ્રમુખ સંચાલક છે તેઓ છેલ્લાં સાડાપાંચ વર્ષથી આ અભ્યાસપૂર્ણ માસિકનું કુશળ સંપાદન કરી રહ્યા છે. આશરે ૨૫૦ પાનાને આ દળદાર અંક વાંચતાં દાદાસાહેબ જાણે કે આપણી સમક્ષ પ્રત્યક્ષ જીવતા થાય છે અને તેમના વિવિધરંગી વ્યકિતત્વને આપણને નિકટ પરિચય થાય છે. આ અંકમાં દાદાસાહેબની રોજનીશીને ૪૩ મો હફતે તા. ૨-૮-૪૮ થી તા. ૨૯-૮-૪૮ સુધીને પ્રગટ કરવામાં આવ્યો છે અને તેમાંથી તે વખતના ભારતના પાટનગર દિલ્હીના રાજકારણી પ્રવાહોને લગતી અને આપણને અજાણી એવી કેટલીક માહિતી સાંપડે છે. આ અંકમાં દાદાસાહેબનાં કેટલાંક લખાણ પ્રગટ કરવામાં આવ્યા છે જેમાં ભાઈ પુ૨ઉત્તમ ૧૯૫૧ માં ઈંગ્લાંડ વિશેષ અભ્યાસાર્થે ગયા તે પ્રસંગને ઉદ્દે શીને સલાહ સૂચના આપતે એક લાંબે અનેક ઉપયોગી સૂચનેથી ભરેલે પત્ર આપણું સહેજે ધ્યાન ખેંચે છે. આ અંકમાં દાદાસાહેબને ભાવભરી અંજલિએ આપતાં ભારતની ખાસ કરીને મહારાષ્ટ્ર તથા ગુજરાતની અનેક અગ્રગણ્ય વ્યકિતઓના પત્રને સારો સંગ્રહ પ્રગટ કરવામાં આવ્યો છે અને તે ઉપરથી આપણી વચ્ચે કેવી મોટી માનવ - વિભૂતિ આવી ગઈ અને કેટલું બધું કામ કરી ગઈ અને તેમના પરિચયમાં આવેલી દરેક વ્યકતિને તે કેટલી બધી પ્રભાવિત કરતી ગઈ તેને આપણને જીવત ખ્યાલ આવે છે. આવા માહિતી ભરપુર અંકનું સંપાદન કરવા માટે ‘અભ્યાસ 'ના તંત્રી શ્રી પુરુષોત્તમ માવળંકરને અનેક ધન્યવાદ ઘટે છે. . . આ વિશેષ અંકની કિંમત રૂ. ૬-૦૦ રાખવામાં આવી છે. ‘અભ્યાસ’ નું વાર્ષિક લવાજમ રૂ. ૧૦ છે. તે માટેનું પ્રાપ્તિસ્થાન અભ્યાસ કાર્યાલય, માવળંકર હવેલી, ભદ્ર, અમદાવાદ, - ૧. છે.. ' ' “જ્યોતિશિખા * - આચાર્ય રજનીશજી આજના એક મૌલિક ચિત્તક છે અને તેટલી જ પ્રભાવશાળી તેમની વાણી છે, તેમના વિચારને ચેતરફ સારો ફેલાવો થઈ રહેલ છે અને તેમના વિશેનું આકર્ષણ દિન પ્રતિદિન વધતું જાય છે. તેમના પ્રવચનપુસ્તકોને પણ સારા પ્રમાણમાં ઉઠાવ થઈ રહ્યો છે અને તે પ્રવચનો અનુવાદ ભારતની જુદી જુદી ભાષાઓમાં પ્રગટ થઈ રહ્યો છે. તેમના વિચાર તેમ જ સાહિત્યનું પ્રકાશન તથા પ્રચાર કરવાના હેતુથી જીવનજાગૃતિ કેન્દ્ર નામની એક સંસ્થા બેએક વર્ષથી ઊભી કરવામાં આવી છે. આ સંસ્થા તરફથી આજ સુધીમાં પ્રગટ કરવામાં આવેલ રજનીશ - સાહિત્યની યાદી નીચે મુજબ છે: - - ૧. સાધનાપથ. હિન્દી મૂલ્ય ૨.૦૦ ૨. સાધના પથ ગુજરાતી , ૨.૦૦ ૩. સાધના પથ કાંતિબીજ હિન્દી ૫. ક્રાંતિ બીજ ગુજરાતી ૬. સિહનાદ હિન્દી છે ૧.૨૫ ૭. સિંહનાદ ગુજરાતી ૮. અહિંસાદર્શન ગુજરાતી ૦-૩૫ ૯, પાથ ફસેલ્ફ રીલીઝેશન ઈગ્લીશ , ૨.૨૫ આજ સંસ્થાના ઉપક્રમે ‘જયોતિશિખા’ નામનું ત્રિમાસિક ગયા જૂન માસથી શરૂ કરવામાં આવેલ છે. તેના સંપાદક શ્રી જટુભાઈ મહેતા છે. લગભગ સવા પાનાને આ અંક આચાર્ય રજનીશજીનાં હિંદી પ્રવચને અને વાર્તાલાપને સંચય રજૂ કરે છે. આ ત્રિમાસિકમાં જીવનજાગૃતિ કેન્દ્રને તેમ જ આચાર્ય રજનીશજીને પરિચય અપ જોઈતો હતે. વળી આ ત્રિ-માસિકની નીતિ શું છે– એટલે કે આ ત્રિમાસિકમાં માત્ર રજનીશજીનાં જ પ્રવચન અને વાર્તાલાપે પ્રગટ કરવામાં આવશે કે તેમની સદશ ભૂમિકા ઉપર રહીને વિચાર કરતા ચિન્તકોના લખાણને પણ આ અંકમાં અવકાશ આપવામાં આવશે – આ મુદ્દાની તેમ જ આનુષંગિક બાબતેની સ્પષ્ટતા કરતું સંપાદકીય વકતવ્ય પણ એટલું જ અપેક્ષિત હતું. આ ઉપરાંત આચાર્ય રજનીશજીના વિચારોને સ્પર્શતી તંત્રીને પણ એટલી જ જરૂરી હતી. સંભવ છે કે આ પહેલો જ અંક બહુ ઉતાવળથી તૈયાર કરવામાં આવેલે હેઈને આવી જરૂરી બાબતે આ અંકમાં અન્તર્ગત કરવી રહી ગઈ હોય. આગામી અંકમાં, આશા રાખીએ કે, આ અંકમાં દેખાતી ગુટિઓ રહેવા નહિ પામે. આચાર્ય રજનીશજીના વિચારે જાણવાની સમજવાની ઉત્સુકતા આજે ચેતરફ વધતી રહી છે. આશા રાખીએ કે તે ઉત્સુકતાને આ ત્રિમાસિક પુરતા પ્રમાણમાં સંતુષ્ટ કરતું રહેશે. આ જર્યોતિશિખાનું વાધિક વલાજમ રૂ. ૫-૦૦ છે અને તે મેળવવાનું ઠેકાણું: જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી, રોડ મુંબઈ ૨, છે. “ તિબેટના ભીતરમાં”. “હેનરિક હેરર’ એ નામના, એક ઑસ્ટ્રિયન ડુંગરખેડુએ ૧૯૫૧ અને ૧૯૫૫ના ગાળા દરમિયાન આ પુસ્તક મૂળ જર્મન ભાષામાં લખેલું અને ત્યાર બાદ “Seven Years in Tibet'તિબેટમાં સાત વર્ષ એ નામે અંગ્રેજી ભાષામાં અનુવાદિત થયેલ. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પ્રબુદ્ધ જીવન આ પુસ્તકનો ભાઈ મહેન્દ્ર મેઘાણીએ ૧૯૫૬ની સાલમાં ટૂંકાવેલા ગુજરાતી અનુવાદની પહેલી આવૃત્તિ ૧૯૫૬ની સાલમાં પ્રગટ થયેલી અને તેની બીજી આવૃત્તિ ૧૯૬૫માં પ્રગટ કરવામાં આવી છે. તેના પ્રકાશક છે. લોકમિલાપ કાર્યાલય, કોરટ રસ્તે, ભાવનગર. આ બીજી આવૃત્તિની નકલ મને થોડા સમય ઉપર તેમણે મોકલેલી તે લગભગ એક બેઠકે સળંગ વાંચી જતાં થયેલા આનંદ તે પુસ્તકના અવલાકન રૂપે વ્યકત કરવા આ નોંધ લખી રહ્યો છું. આ પુસ્તકના લેખક હેનરિક હેરરનો પરિચય આપતાં ગુજરાતી અનુવાદક ભાઈ મહેન્દ્ર મેઘાણી જણાવે છે કે; “હજારો માઈલ દૂર દેશના એક જુવાને આવીને આપણી હિમાલયી સરહદને ઓતરાદે પડખે જે સાહસો ખેડયાં અને આપણી પુરાતન પાડોશી તિબેટી પ્રજાના જીવનનું જે દર્શન કર્યું તેનું બ્યાન ‘તિબેટમાં સાત વરસ’ નામના પુસ્તકમાં તેણે આપ્યું, એ જુવાનનું નામ હેનરિક હેરિયર. વતન એનું ઓસ્ટ્રિયા. સત્યાવીશમે વરસે હિમાલયના નંગા પરબત શિખર પરની ચઢાઈમાં સામેલ બનતાં પહેલાં યુરોપના અનેક પહાડો એણે ખૂંદી નાખેલા. નિશાળની રજા પૂરી થાય ને ડુંગરાઓની વિશાળ ગાદ છેાડીને શાળાના સાંકડા ખંડમાં પાછા ફરવું પડે, એ તો એને માથાના ઘા જેવું થઈ પડે. ઓછું ભણેલા, ને ભણતરમાં એથી યે ઓછા રસ ધરાવનારા, એ જુવાનની તિબેટી આપવીતીની કથા આ દાયકાની સૌથી વધારે ફેલાવા પામેલી, ને જગતભરમાં લાકપ્રિય ચોપડીઓમાં સ્થાન પામી. એનું એક કારણ અલબત્ત, તિબેટનાં હિમ-વેરાના વીંધતાં જોખમોની જે વર્ષાઝડી. એણે અને એના સાથી એનાઈતરે ઝીલી તે છે. ઉપરાંત બહારની દુનિયાથી હજી આજે પણ ઠીક ઠીક અજાણ એવી એ પ્રાચીન પ્રજાના અંગત જીવનના અનુભવ વરસેા સુધી એ મેળવી શક્યા. તિબેટના લોકોનું આવું સમતોલ અને સમભાવી આલેખન જગતને અગાઉ ભાગ્યે જ સાંપડ્યું હશે. “૧૭૦૦૦ ફ ુટની ઊંચાઈએ તાપેા ઢસડતા બ્રિટિશ સેનાપતિ યંગહસબંડ ૧૯૪૪ની સાલમાં ટિબેટના પાટનગર લ્હાસા સુધી હિંમતભરી અને કપરી ચઢાઈ લઈ ગયા ત્યારે તેમની સાથે છાપાના ગણ્યાગાંઠયા ખબરપત્રીએ ગયેલા, ને તિબેટની રહસ્યભૂમિ ઉપરથી ગાઢા ધુમ્મસ-શો પડદો જરા હઠેલા ને પછી પૂર્વવત્ પડી ગયેલા. બાકી- - ના જગત થી સદન્તર અલિપ્ત રહેવાના તિબેટી દઢ આગ્રહના આવરણને છેલ્લાં પચ્ચાસ વરસમાં બહુ ઓછા માનવીઓ ભેદી શકયા છે ને તેમાં, લ્હાસામાં પાંચ વરસને વાસ કરીને છેક એ દેશના “દૈવી” બાળરાજા દલાઈ લામાના વિશ્વાસુ મિત્રપદે પહોંચી શકનાર આ પુસ્તકના લેખકની સિદ્ધિ અજોડ ગણાય છે. “૧૯૫૧ના વર્ષમાં આ પુસ્તકના લેખકે તિબેટ છેડયું. તે પછીનાં વરસા દરમિયાન, ચીનના મહાન પ્રજાસત્તાકના એક ભાગરૂપે, તિબેટની ઘણી કાયાપલટ થઈ છે. એ રીતે, આ ચાપડીમાં વર્ણવાયલી અમુક હકીકતો હવે ભૂતકાળની બની ચૂકી હશે. તે છતાં, મોજીલી ને ભકિતભાવભરી, શાણી ને વહેમીલી તિબેટી પ્રજાની હજી તો ગઈ કાલની જ તસવીર તરીકે આમાંની ઘણી વિગતો રસિક નીવડશે. ક તા. ૧૬-૮-૧ પ્રયત્નો બાદ આખરે ૧૯૪૪ના એપ્રિલની ૨૯મી તારીખે તે બન્ને સાથીએ ભારતની સરહદ વટાવી શકયા અને ભટકતાં ભટકતાં અને અવારનવાર ભારત યા નેપાલ તરફ પાછા ધકેલાતા આખરે ૧૯૪૬ ના જાન્યુઆરી માસની ૧૫મી તારીખે તેઓ કશા પણ પાસપોર્ટ વિના લ્હાસામાં દાખલ થયા. ત્યાર બાદ ૧૯૫૦માં તિબેટ ઉપર ચીની આક્રમણની શરૂઆત થઈ અને ૧૯૫૧ના માર્ચ માસમાં તિબેટ છોડવા સિવાય આ બન્ને સાહસિક નરવીરો માટે બીજો કોઈ વિકલ્પ ન રહ્યો. અજાણ્યા અણઆમંત્ર્યા આ બન્ને બહાદુરો લ્હાસામાં કેમ સ્થિર થયા અને ત્યાંના પ્રજાજનોને અને રાજ્યને ઉપયોગી એવી કયા કયા પ્રકારની કામગીરી બજાવીને ત્યાંના અધિદેવતા સમા દલાઈ લામા, ઊંચી કક્ષાના અધિકારીઓ અને પ્રજાજનોના તેઓ કેવા પ્રીતિપાત્ર બન્યા-એની રોમાંચક કથા આ પુસ્તકમાંથી આપણને જાણવા મળે છે. આ પુસ્તકનો અનુવાદ ભારે સુન્દર થયો છે. આ પુસ્તક પ્રારંભથી અન્ત સુધી વાંચતા એક પ્રકારના રોમાંચક આનંદનો અનુભવ થાય છે અને આપણી કલ્પના અદ્ભુત તૃપ્તિ અનુભવે છે. હિમાલયની બીજી બાજુના દુનિયાની અટારી જેવા ૧૨૦૦૦ ફીટથી વધારે ઊંચાઈએ આવેલા આ પહાડી મુલકને કાલ્પનિક પ્રવાસ ખેડવાનો આહ્લાદ આ પુસ્તકના વાચનથી આપણને સહજપણે પ્રાપ્ત થાય છે. પહાડોના પર્યટનના રસિક જનોને આ પુસ્તક વાંચી જવા ખાસ અનુરોધ છે. પરમાનંદ સંઘ સમાચાર આગામી પર્યુંષણ વ્યાખ્યાનમાળા આ વખતની તા. ૧૧મી સપ્ટેમ્બરથી તા. ૧૮મી સપ્ટેમ્બર સુધી એમ આઠ દિવસ માટે યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. પહેલા, દિવસે શ્રી ગગનવિહારી મહેતા, ‘થારો અને ગાંધીજી' એ વિષય ઉપર અને શ્રી ઉછરંગરાય ઢેબર, ગાંધીજી અને વિનોબા ' એ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. છેલ્લા દિવસે આચાર્ય રજનીશજીનું વ્યાખ્યાન હશે. આઠે દિવસની સવારે ૮-૩૦ વાગ્યે શરૂ થતી સભાએ ચોપાટી ઉપર આવેલા બીરલા ક્રીડા કેન્દ્ર”માં ભરવામાં આવશે. શ્રી કિસનસિંહ ચાવડાનું વ્યાખ્યાન: ‘હિમાલયની વિભૂતિ' આ ચાપડીના લેખક નંગા પર્વતની આરોહક ટુકડીમાં જોડાવા માટે ૧૯૬૦ના ઓગસ્ટમાં ભારત ખાતે આવેલા. નંગા પર્વતન નવા કેંડો શોધવાને લગતા પ્રાથમિક સંશાધનનું કાર્ય પતાવીને તે યુરોપ રવાના થવાની વાટ જોતો કરાંચીમાં થોડા દિવસથી આરામ કરતા હતા, એવામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને તેને અને તેના સાથી પીટર ફસ્નાઈટરને એક યા બીજી અટકાયત છાવણીમાં મહિનાઓ સુધી પુરાયેલા રહેવું પડયું. તેમનું ધ્યેય એમાંથી ભાગી છૂટીને તથા હિમાલય એળગીને તિબેટ પહોંચવાનું અને એ દેશના બને તેટલા પરિચય મેળવવાનું હતું. ભાગી છૂટવાનાં બે ત્રણ નિષ્ફળ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૭મી ઑગસ્ટના રોજ શનિવાર, સાંજના ૬-૦૦ વાગ્યે મસજીદ બંદર રોડ ઉપર બેંક ઑફ બરોડાની સામે આવેલા ધી ટ્રેન ઍન્ડ ઑઈલ સીડ્ઝ મરચન્ટ્સ એસોસિએશનના સભાગૃહમાં શ્રી કિસનસિંહ ચાવડા ‘હિમાલયની વિભૂતિ’ એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયના જિજ્ઞાસુઓને વખતસર ઉપસ્થિત થવા અનુરોધ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, વિષયસૂચિ હું ભારત તરફ કેમ આકર્ષાઈ ? સાતત્ય પ્રકીર્ણનોંધ : સંસદમાં સૌજન્યનું ચિન્તાજનક અવમૂલ્યાંકન, પર્યુષણ પર્વ અંગેના પ્રણાલિકાભેદ ટાળી શકાય એમ છે ખરૂ ? પશ્ચિમ અને પૂર્વના દર્શનમાં રહેલું મૌલિક અન્તર, અવકાશસંશાધન પાછળ વ્યર્થ વેડફાતું અનર્ગળ દ્રવ્ય. સ્વ. વિદ્યાવિભૂતિ Ší. વાસુદેવશરણ મેની માર્શલ ગીતા પરીખ પરમાનંદ રતિલાલ દીપચંદ દેસાઈ ૭૯ અગ્રવાલ અવલોકનો : શાણા સમાજ, અભ્યાસના વિશેષાંક, જ્યોતિ શિખા, તિબેટની ભિતરમાં, સિંહદર્શન પૃષ્ઠ પ ૭૬ ૭૭ પરમાનંદ ૮ પૂર્ણિમાબહેન પકવાસા ૮૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૪** પ્રભુપ્ત જીવન સિહદર્શન (ગયા ફેબ્રુ આરી માસની તારીખ ૪, ૫, ૬ એમ ત્રણ દિવસ માટે આચાર્ય રજનીશજીને અનુલક્ષીને એક શિબિર ગોઠવવામાં આવી હતી. આ શિબિર અને તે અંગે કરવામાં આવેલા પ્રવાસની વિગત ડો. રમણલાલ સી. શાહે પ્રબુદ્ધજીવન માટે લખી આપી હતી અને તે પ્રબુદ્ધજીવનના માર્ચ માસના બે અંકોમાં પ્રગટ કરવામાં આવી છે. આ તુલસીશ્યામ શિબિરમાં ઉપસ્થિત થયેલાં શ્રી પૂર્ણિમાબહેન પકવાસા શિબિર પુરી થયા બાદ એ બાજુ રહેતા અને વિચરતા સિંહાને પ્રત્યક્ષ નિહાળવાના હેતુથી તુલસીશ્યામની બાજુએ આવેલા સાંસણ ગામ તરફ ગયેલા અને આજુબાજુ ફેલાં. આ રીતે ફરતાં તેમને જે અનુભવ થયો તેનું તેમણે હિંદીમાં લખેલું રોમાંચક વર્ણન ‘શકિતદલ’નામના માસિકમાં પ્રગટ થયું હતું. તેને અનુવાદ મારી વિનંતિથી તેમનાં પુત્રી બહેન આરતી મહેતાએ કરી આપ્યા છે જે નીચે પ્રગટ કરવામાં આવે છે. અહિં જણાવવાનું પ્રાપ્ત થાય છે કે આ અંકમાં આ વર્ણનાત્મક લેખ પ્રગટ થતો હોઈને ‘મહાપ્રસ્થાનના પથ પર’ના ૧૪મા હતો પ્રગટ કરવાનું આવતા અંક ઉપર મુલતવી રાખવાનું ઊંચિત ધાર્યું છે. મંત્રી) તુલસીશ્યામ સાધના શિબિરની પૂર્ણાહૂતિ પછી અમે જંગપ્રસિદ્ધ ગિરનારનાં સિંહાને જોવા ગયા. મધ્યગિરમાં સિંહાને જોવા માટે એક વિશેષ સ્થાન છે, જેનું નામ ‘સાંસણ’ છે. . અમે તુલસીશ્યામથી સવારના ૭ વાગે ઊપડયા. આખો રસ્તો જંગલમાંથી જતો હતા, સવારને વખત હતા એટલે રસ્તામાં જ પેલા ‘દોસ્તો ’ને મળવાની આશા હતી. અમારી આતુર નજર બન્ને બાજુની ઝાડીમાં ફરતી હતી. વચ્ચે ટપકાંવાળાં હરણાનાં જોડકાં મળ્યાં. એમણે અમારી તરફ અત્યંત નિર્દોષ નજરે જોયું અને છલાંગ મારતાં ભાગી ગયા. એક જગ્યાએ તા ૧૫-૨૦ આકર્ષક હરણાનું ઝુંડ ચરતું હતું. દૂરથી એમને જોયાં એટલે મેટર ત્યાં જ ઊભી રાખી ધીરેથી નીચે ઊતરી અમે એમની તરફ ચાલવા લાગ્યાં. ઝાડની આડસ લઈને અમે એમની ખૂબ પાસે પહોંચી ગયા અને એમની પ્રવૃત્તિ જોવામાં મશગૂલ બની ગયાં. પણ કશેકથી થોડોક સંચળ થયા એટલે તરત જ બધા ભાગી ગયા. મેં મનમાં જ કહ્યું “પ્યારા દોસ્તો, અમે તમને હેરાન કરવા નહોતા આવ્યાં, અમે તો ફકત તમારા દર્શન કરવા અને તમારી સાથે દોસ્તીનો હાથ લંબાવવા આવ્યા હતા. એમને અમારો આ સંદેશા પહોંચ્યા કે નહીં તેની ખબર નથી. નીલગાય, ખિસકોલી, સસલાં, જંગલી મરઘાં ઈત્યાદિ અનેક પ્રાણી તથા પક્ષીઓની મુલાકાત થઈ. વચ્ચે બે-ચાર મોટાં શીંગડાવાળા સાબર પણ મળ્યાં. પણ જેને જોવાને દિલ તલપાપડ થઈ રહ્યું હતું તે સિંહા ન મળ્યા. વચ્ચે વચ્ચે નાનાં મેાટાં ગામડાઓ આવ્યા કરતાં હતાં. નાની મોટી નદીઓ પણ આવતી હતી. આ વનપ્રદેશ બહુ સુકકો લાગતો હતો. ઝાડ અધિકાંશ પાતળા હતા અને પાનખર ઋતુ હોવાથી શૃંગારવિહીન લાગતાં હતાં. વિશેષ કરીને અહીં આંબળા, બાવળ અને કેસૂડાંનાં વૃક્ષ વધારે નજરે પડતાં હતાં. બારનાં ઢગલામાં પાકાં ચણીબાર માણેકની જેમ ચમકી રહ્યાં હતાં. એ કાંટાવાળા ગુંબજોમાંથી વીણી વીણીને બાર ખાવાના લાભ અમે રોકી ન શકયા, બારના સ્વાદ લેતાં લેતાં કોઈકવાર કાંટાનો પણ સ્વાદ મળી જતા હતા. આ સુક્કા વનપ્રદેશમાં કેસૂડાનાં ફુલો પૂરબહારમાં ખીલ્યાં હતાં. જ્યાં જુઓ ત્યાં યજ્ઞની કેસરી જવાળાઓની જેમ ફ લાથી ભરપુર કેસૂડાનાં વૃક્ષો જંગલની શોભા વધારી રહ્યાં હતાં. આ ફ્લાની સમૃદ્ધ વિપુલતામાં કશે પાંદડાં તો દેખાતાં જ નહોતાં. મને યાદ આવ્યું કે મારી બા મને અને મારા ભાંડુઓને કેસૂડાંનાં ફ લનાં પાણીથી નવડાવતી હતી . ૮૩ જેથી ગરમીની ઋતુમાં બાળકોનાં શરીરને શીતળતા મળતી અને અળાઈ ફોલ્લાં વિગેરેથી બચી શકાતું. કેસૂડાના આ ગુણધર્મો મેં' મારા સાથીઓને કહ્યા. વિચાર આવ્યો કે આપણી આ નૈસગિક મૂલ્યવાન સંપત્તિ પ્રભુએ વિપુલ પ્રમાણમાં આપી છે, છતાં યે આપણે એને પૂરો ઉપયોગ નથી જાણતાં અને તેને મોટો ભાગ દર વર્ષે આમ જ નષ્ટ થઈ જાય છે. રસ્તે સારો હતો એટલે મોટર પણ પૂર ઝડપથી દોડી રહી હતી. દૂરથી એક મંદિરની ફરફરતી ધજાનાં દર્શન થયાં. પાસે પહોંચ્યાં ત્યારે ખબર પડી કે એ તો ‘કનકઈ' અથવા ‘કનકેશ્વરી' માતાનું મંદિર હતું. પાસે સુંદર નદી વહી રહી હતી. મંદિર થોડી ઊંચાઈ પર હતું. એ ટેકરી પર ચઢીને મંદિરમાં જઈ માતાનાં દર્શન કર્યાં. મૂર્તિ તથા આભૂષણો સુંદર હતાં. અહીંથી આસપાસના પ્રદેશનું સુંદર દર્શન થયું. અત્યાર સુધી અમને સુકકો વનપ્રદેશ જોવા મળ્યા હતા, પણ અહીં નદીના કારણે હરિયાળી નજરે પડતી હતી. ત્યાંના પૂજારીજીએ અમને ઠંડુ પાણી પાયું તથા મંદિરના ઈતિહાસ સંભળાવ્યો. અહીં બે—ત્રણ સ્વચ્છ ધર્મશાળાઓ છે, એક રેસ્ટહાઉસ છે, અને પૂજારી અને અન્ય કાર્યકરોને રહેવા માટે મકાન પણ છે. પૂજારીએ કહ્યું કે ‘“મંદિરનાં ટ્રસ્ટીઓએ યાત્રીઓને રહેવા માટે સરસ વ્યવસ્થા કરી છે. અહીંની આબોહવા સમશીતા રહે છે અને નદીના કારણે સ્થાન રમણીય પણ છે. કૂવાનું પાણી મીઠું છે, એટલે ૧૦-૧૫ દિવસ આરામથી રહી શકાય એવું છે. કોઈકવાર રાત્રે સિંહ નદીનું પાણી પીવા આવે છે, એમની ગર્જનાઓ પણ સંભળાય છે, પણ કોઈ દિવસ અહીંની વસ્તીને સિંહોએ હેરાન નથી કરી, પૂજારીએ મને કહ્યું કે તમે શકિત દલના એક વિશેષ તાલીમકેમ્પ અહિંયા કરો, અમે તમને બધી સગવડ કરી આપીશું.” અમારી વાત ચાલતી હતી એટલામાં જ એક સુંદર પાતળી યુવતી પોતાનાં પતિ અને બે બાળકો સાથે એક ઘરમાંથી નીકળી. એમની સાથેની વાતચીતથી માલુમ પડ્યું કે એમના પતિ વેરાવળની એક ફેકટરીમાં એરેંજીનિયર અને ભાગીદાર છે. પતિ-પત્ની બન્નેને નૈસગિક રમણીયતા અને વન્યજીવન માટે ખૂબ પ્રેમ છે; એટલે પેાતાના કામમાંથી થોડો સમય મળતાં જ તેઓ અહીં આવી જાય છે. આ વખતે તો ત્રણ અઠવાડિયાને માટે તેઓ અહીં આવ્યાં હતાં. પિત બાળકોને લઈને નદી તટ પર ગયા અને પત્ની અમારી સાથે વાતો કરવા લાગી. એણે કહ્યું કે “અહીં અમને બીજાની કંપની ન હોવા છતાં અમે શાંતિ અને આનંદથી રહી શકીએ છીએ. આ નદી, જંગલ, ઝાડી, પ્રાણી, પક્ષી અને અહીંની બધી ચીજ અમારી સાથે વાત કરે છે અને અમને પ્રસન્ન રાખે છે.” એમણે કહ્યું કે નદીનાં ઉપરવાસમાં દોઢેક માઈલ દૂર ત્રણ આંખાવાળી માછલીઓ રહે છે. આ સ્થાન ઘણું દુર્ગમ અને ભષાનક છે. તે પણ એક દિવસ ત્યાં જવાનો વિચાર છે. સવારના પહારમાં જ ઝાડ પરથી તોડેલાં તાજા આંબળા એણે અમને આપ્યાં. વધતી જતી ગરમીમાં આંબળા ખૂબ મીઠાં લાગ્યાં. અમે એની વિદાય લીધી. કોઈ ને કોઈ દિવસ કનકાઈ માતાનાં સ્થાન પર ફરીથી આવીશું અને બની શકશે તો તાલીમ શિબિર પણ કરીશું એમ એને અને પૂજારીને કહી અમે મેટરમાં બેઠાં. નદી પાર કરીને અમે આગળ ચાલવા લાગ્યા. અહીં જ અમે રસ્તા ચૂકી ગયા. ડાબી બાજુના એક નાના રસ્તે સાંસણ જતા હતા, પણ નામનું બોર્ડ નીચે પડી જવાથી અમને ખબર ન પડી અને અમે આગળ ચાલી ગયાં. રસ્તે 'ફોરેસ્ટ રેંજર મળ્યા. એમને પૂછવાથી ખબર પડી કે સાંસણના રસ્તે તે પાછળ રહી ગયો. અમે પાછા વળ્યાં, પણ એક અજાણ્યા રસ્તામાં ઘુસી ગયા. રસ્તો સાંકડો Page #170 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ જીવન ૪ અને ખરાબ હતા. અમારો ડ્રાઈવર સાવધાન અને કુશળ હતા, એટલે ઘણી વાર તેણે અમને ખતરામાંથી બચાવી લીધા હતાં. અમે એવા જંગલમાંથી પસાર થઈ રહ્યાં હતાં કે જ્યાં કોઈ માણસ પશુ કે પક્ષી ન્હોતાં દેખાતાં. ન કોઈ ખેતર કે ન કોઈ મનુષ્યવસવાટના ચિહ્નો, તડકો વધી રહ્યો હતો. સવારના સાડા દસ વાગે સાંસણ પહોંચવાના ઈરાદા હતા, અને અહીં તો બાર વાગી ગયેલા છતાં પણ આ ભયાનક જંગલના અંત નહોતા આવતા. હવે તે નક્કી જ હતું કે અમે ખાટે રસ્તે ચઢી ગયા હતા. બળદગાડી ચાલવાનાં ચીલાઓ પણ કશે ન્હાતા દેખાતા. હવે તે મોટરને પણ આગળ જવાને માટે મુશ્કેલી પડવા લાગી, ઘણી મુશ્કેલીથી ડ્રાઈવરે મેટરને પાછી લીધી અને આવ્યાં હતાં એટલા જ રસ્તા પાછા કાપ્યો. મેટા રસ્તે પહોંચતાં એક વાગી ગયો. જયાંથી પાછા ફર્યા હતાં એ જ દિશામાં આગળ વધ્યાં. દસેક માઈલ પર ફરીથી પેલા ફોરેસ્ટ રેન્જરનો ભેટો થયા અને એમનાં માર્ગદર્શન પ્રમાણે ‘સતધાર’નાં લાંબા પણ મુખ્ય રસ્તા પર જ સાંસણ જવું ઠીક લાગ્યું. બરાબર અઢી વાગે સાંસણના ‘રમણીય ગેસ્ટ હાઉસ’માં પહોંચ્યાં. સ્નાન, ભાજન આરામાદિથી પરવારીને અમે સાડા ચાર વાગે સિંહદર્શન માટે નીકળ્યાં. દસ માઈલ મેટરમાં અને દોઢેક માઈલ જંગલૂના બેરડી, બાવળ આદિ કાટાંળા ઝાડોથી બચતાં બચતાં નિશ્ચિત સ્થાન પર પગરસ્તે પહોંચ્યાં. અમારાથી લગભગ ૪૦ ફ્રૂટ દૂર એક નાનાં નાળાની વચ્ચે એક મોટો ડાલમથ્થા વનરાજ આરામથી બેઠા હતા. એની મનોહર કેશવાળી અને ચામડીના રંગ ચમકતાં હતાં. તે એક યોગીની માફક આંખો બંધ કરતા હતા અને ફરી ખોલીને ચારે બાજુ અને અમારી તરફ નજર કરતા હતા. એની દષ્ટિમાં કર્યાંય હિંસા કે વિકાળતા દેખાતી નહોતી. અમે થોડાં વધુ નજીક ગયાં, પણ એ તે એમના એમ બેસી જ રહ્યો. એને વિશ્વાસ હતો કે અમે એને સતાવવા નહિ, માત્ર જેવા જ ગયા હતા. અમે એનાં થોડાં ફોટા લીધા. આ સિંહ ત્યાનાં લોકોને માટે પણ નવા હતા. આમ તા જંગલના બધા સિંહાને ફોરેસ્ટ ઓફિસર અને ચોકીદાર લોકો આળખતા હોય છે. સિંહાનાં નામ પણ પાડેલાં હોય છે, પણ આ સિંહ પહેલી જ વાર નજરમાં આવ્યા હતા એટલે એનું નામ નહોતું પડયું. ફોરેસ્ટ ઓફિસરે અમને કહ્યું કે ગિરનાં જંગલનાં બધા સિંહમાં આ સૌથી મોટો છે. ગિરના સૌથી મોટા સિહ જોવાની તક મળી તેને અમે અમારું સદ્ભાગ્ય માન્યું. ફોરેસ્ટ ઓફિસર શ્રી મોદીએ મને એનું નામ પાડવાની વિનંતી કરી, જેના મેં સહર્ષ સ્વીકાર કર્યો. આ સિંહ દેખાવમાં બહુ સુંદર અને આકર્ષક હતા એટલે મ્હેં એનું નામ ઠેઠ સૌરાષ્ટ્રી ભાષામાં ‘રૂડો’ રાખ્યું. ગામડાંનાં લોકો એને ‘રૂડિયા’ પણ કહી શકે એવી શકયતા આ નામમાં હતી એટલે બધાને એ બહુ જ ગમ્યું. નામકરણ થતાં જ ભાઈ ઊઠીને ઊભા થયા અને ધીરે ધીરે ચાલવા લાગ્યા, અમે પણ એની પાછળ પાછળ ચાલવા લાગ્યા, એક ટેકરીની ધાર પરથી એ સીધા નીચે ઉતરી જતા હતા તે દશ્ય ઘણુંજ આકર્ષક હતું. એની બધી જ લાક્ષણિક અદાઓનું અમને દર્શન થયું. જંગલના રાજાનું ગૌરવ એની અદાઓમાં પ્રકટ થતું હતું. એક અદા હજી જોવાની મનમાં ઈચ્છા હતી, તે એને દોડતા જોવાની, તે પણ પૂરી થઈ. અમને વધારે નજીક આવતા જોઈ એ છલાંગ મારીને ભાગવા લાગ્યા. વાહ ! શું સુંદર દશ્ય ? એની ગુચ્છાદાર લાંબી પૂંછડીને ઉછાળતા ચારેપણે પૂરી તાકાતથી દોડતા એ સામેની ઝાડીમાં અદશ્ય થઈ ગયો. થોડીવાર સુધી અમે એનાં પાછા આવવાની પ્રતીક્ષા કરી, પણ ચોકીદારે કહ્યું કે હવે એ રાત્રે જ પાછા આવશે. સૂર્યાસ્તના સમય થઈ ગયા હતા. પક્ષીઓ પોતપોતાનાં માળામાં જઈ રહ્યાં હતાં. એમનાં કિલકિલાટથી વાતાવરણ ગાજી રહ્યું હતું. તા. ૧૬-૮-૧ કોઈ કોઈ વખત જંગલી જાનવરોના પણ અવાજો સંભળાતા હતા. અંધારું ઊતરવા લાગ્યું હતું અને અમને ફરીથી માટર સુધીના કાંટાળેશ્વ રસ્તા પાર કરવાના હતા. અન્ય જાનવરોના બહાર નીકળવાની સંભાવના પણ હતી એટલે અમે જલ્દી ચાલવા લાગ્યા અને જીપ ગાડી સુધી પહોંચી ગયાં. રાત્રે મુખ્ય ફોરેસ્ટ ઓફિસર શ્રી સિંહા તથા ડૉ. સત્યનારાયણજીને મળવાનું થયું. એમણે સિંહાની ઘણી રોમાંચક વાતો કહી સંભળાવી. ‘ગિર’ની ગાયાનું તાજું ઘી તથા તાજા ગાળના પણ એમણે સ્વાદ ચખાડયો. બીજે દિવસે પ્રભાતે જલ્દી ઉઠીને અંધારામાં જ અમે સાંઢબેડા' જંગલ તરફ પ્રયાણ કર્યું. આ જંગલ પણ સિંહાને માટે મશહુર છે. એક બે નહીં પણ સાત સાત સિંહાનાં જૂથ પણ કોઈ કોઈ વાર અહીંયા જોવા મળે છે. મેટર છેડીને ફરીથી પગયાત્રા શરૂ થઈ. પ્રભાતની લાલીમાએ સારા વાતાવરણને પ્રસન્નતાથી ભરી દીધું હતું. ઝાડ, પશુ, પક્ષી-બધાં આ ચૈતન્યદાયી વાતાવરણના આલ્હાદ લઈ રહ્યાં હતાં. જંગલના પગીઓએ અમને કહ્યું કે એક નિશ્ચિત જગ્યા પર થોડા જ વખત પર બે સિંહ અને એક સિંહણ બેઠાં હતાં. એક બચ્ચું પણ સાથે હતું. અમે ત્યાં પહોંચીએ ત્યાં સુધીમાં તે બધા ગાયબ થઈ ગયેલાં. આજે તો અમને જંગલની મહારાણીની મુલાકાત લેવાની હતી. કોઈ મહારાણીની મુલાકાત વખતે જેમ પ્રથમ મુલાકાતીઓ આવે, પછી ચપરાસી મહારાણીને ખબર આપે, એ આવે અને મુલાકાત આપે, ક'ઈક એવા જ શિષ્ટાચારના અમને અહીં અનુભવ થયો. પગીઓએ જંગલની અંદર જઈને બકરીની જેમ ‘બે બે બે” બે” અવાજ કર્યા. થોડી જ વારમાં અમારી સામેથી એક સિંહણ ઝડપથી બકરાનાં અવાજે તરફ જતી જોવામાં આવી. એની પાછળ એનું એક મહિનાનું બચ્ચું પણ કુદક કુદક કરતું જતું હતું. પગીઓ નજીકમાં જ હતાં. એક પગીનાં હાથમાં સાચે જ બકરીનું બચ્ચું હતું, પણ તે ફકત દેખાવ માટે જ. સિંહણના નાસ્તા માટે નહીં. પહેલેથી જ અમે એ ચાખવટ કરી દીધેલી કે અમારે તો અહિંસક રીતે જ સિંહદર્શન કરવા છે. એ પગીઓની સામે ૨૦ ફીટ દૂર જ એ સિંહણ બેસી ગઈ, એનું બચ્ચું એની સાથે રમી રહ્યું હતું. આ મા-દીકરાની ગમ્મતીક્રીડા ઘણી મનોરંજક લાગી. સિંહણ લાલચું નજરે બકરીનાં બચ્ચાં તરફ જૅઈ રહી હતી. એ ખૂબ જ આરામ અને વિશ્વાસથી બેઠી હતી. આ બધી રમતગમત અમે એક બાજુથી જૉઈ રહ્યાં હતાં. સિંહણ પણ ડોક ફેરવીને અમારી સામે વારે ઘડીએ જોઈ લેતી હતી. • આમ બાજુમાંથી જોઈને પછી ધીરે ધીરે એની સામે જયાં પગી હતા ત્યાં અમે આવી પહોંચ્યાં. એના સામેના દેખાવ વધારે ગમ્યો. હું તો એનાથી રા ફીટ દૂર પલાંઠી લગાવીને બેસી ગઈ. એ ખૂબ પ્રેમથી મારી સામે જોઈ રહી. મને તો તે વખતે એ એક ગાય જેવી નિર્દોષ અને વ્હાલી લાગી. મારી આંખામાં પણ એના પ્રતિ ખૂબ પ્યાર હતો. મનમાં ઈચ્છા થઈ આવતી હતી કે, એકવાર પાસે જઈને એનાં સુંદર શરીર પર હાથ ફેરવી આવું, પંપાળી આવું. એની આંખામાં ક્યાંય હિંસા કે ક્રૂરતા ન્હોતી દેખાતી. વનનાં હિંસક પશુઓની સામે આટલી નિશ્ચિતતા અને વિશ્વાસથી બેસી શકાય છે એની આજે ખાત્રી થઈ. આ મહારાણીએ લાંબા સમય સુધી અમને મુલાકાતનું માન આપીને ફોટો માટે વિવિધ પાસ’ પણ આપ્યાં. એ પુષ્ટ, સુંદર અને સપ્રમાણ હતી એટલે એનું નામ ‘રૂપાળી’ રાખ્યું અને એનાં બચ્ચાનું નામ ‘લાડકો.’ સાચે જ બચ્ચું બહુ લાડકું હતું. એક કલાક સુધી આરામથી બેઠા પછી તડકો વધતાં એને થાડી અશાંતિનો અનુભવ થયો હોય એમ લાગ્યું એટલે, એ ઊભી થઈ અને ધીરે ધીરે બચ્ચાં સાથે વનમાં ચાલવા લાગી. અમે થોડીવાર એની પાછળ ગયાં પણ એ તે ઝડપથી જંગલમાં અદશ્ય થઈ ગઈ. અમે પણ જૂનાગઢ તરફ પ્રસ્થાન કર્યું. સાંસણનાં સિંહ સિંહણ અને બચ્ચાંનો આ આલ્હાદક અનુભવ મારી સ્મૃતિમાં ચિરસ્થાયી બની ગયા. અનુવાદક : બહેન આરતી મહેતા (b) મૂળ હિ‘દી: બહેન પૂણિમા પકવાસા માલિક : શ્રી સુબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદકુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ-૩, મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ Page #171 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH. 117 વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણુ વર્ષ ૨૮ : અર્ક ૯ મુંબઈ, સપ્ટેમ્બર ૧ ૧૯૯૬, ગુરૂવાર આફ્રિકા માટે શિલિંગ ૮ તંત્રી: પરમાનં૪ કુંવરજી કાપડિયા ✩ ભગવાન મહાવીર વિષે [પંડિત બેચરદાસ જીવરાજ દોશી સંપાદિત મહાવીર-વાણીનું છઠ્ઠ હિંદી સંસ્કારણ સર્વ સેવા સંઘ રાજઘાટ, વારાણસી, તરફથી (કીંમત રૂા. ૫) સંસ્કૃત - રૂપાન્તર, વિસ્તૃત તુલનાત્મક વિવેચન તથા મહાવીર જીવન સહિત બહાર પાડવામાં આવ્યું છે. તેમાં વિનોબાજીએ આ સંસ્કરણને લક્ષમાં રાખીને પુરોવચન જેવું લખાણ લખી આપ્યું છે તે તથા આગળનાં સંસ્કરણોમાં તે પ્રકારનાં જે લખાણ પ્રગટ કરવામાં આવેલાં તે સર્વ એકત્ર કરીને તેનો સમયના ક્રમાનુસાર ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. આ બધાં લખાણા ભગવાન મહાવીર અંગેની વિનાબાજીની વિશિષ્ટ દૃષ્ટિ અને વિચારસરણી રજૂ કરતાં હોઈને અત્યન્ત મહત્ત્વનાં છે. પરમાનંદ] “હું એમનું જ કામ કરી રહ્યો છુ” (શ્રી રિષભદાસ રાંકા ઉપર લખાયલા પત્રમાંથી ) ‘મહાવીર-વાણી’ મને બહુ જ પ્રિય લાગી છે. તેમાં તમે સંસ્કૃત છાયા આપી રહ્યા છે, તેથી તે સમજવામાં વધારે સગવડ રહેશે. આજ તો હું બુદ્ધ તથા મહાવીરની છત્રછાયામાં તેમને પ્યારા એવા બિહાર પ્રદેશમાં ઘૂમી રહ્યો છું અને માનું છું કે હું એમનું જ કામ કરી રહ્યો છું. આ દિવસેામાં ધમ્મપદની’ પ્રતિ મારી સાથે હોય જ છે. જયારે “મહાવીર – વાણી’શું આપનું નવું સંસ્કરણ નીકળશે ત્યારે તે પણ સાથે રાખીશ. તે વાંચવા માટે મને સમય મળે યા ન મળે, તેની કોઈ ચિન્તા નથી. એવી ચીજો નજીકમાં હોય તો પણ તેની સંગતિથી પણ બધું મળી જાય છે. એમ તો આગળ ઉપર મહાવીરવાણી' હું જોઈ ગયો છું. એમ છતાં પણ પ્રિય વસ્તુનું પુનર્દર્શન પ્રિયતર બનશે. આજકાલ સેંકડો પુસ્તકોનો દરેક ભાષામાં ભરાવા થઈ રહ્યો છે. જો મારૂં ચાલે તો ઘણાખરા લેખકોને હું ખેતીના કામમાં જોડવા ઈચ્છું અને ગીતા, ધમ્મપદ, મહાવીર - વાણી જેવાં થોડાં પુસ્તકોમાંથી સમાજને ઉજજીવન – ઉત્કૃષ્ટ જીવનનું તત્ત્વ પહોંચાડું. પડાવ: અંબા (ગયા) તા. ૧૨-૧૧’પર વિનોબા આશીવચન (ચાથા હિંદી સંસ્કરણમાંથી) બુદ્ધ તથા મહાવીર ભારતીય આકાશનાં બે ઉજજવલ રત્ન છે. ગુરુ - શુક્ર સમાન તેજસ્વી તેમ જ મંગલ-દર્શન. બુદ્ધનો પ્રકાશ દુનિયામાં વ્યાપક રૂપમાં ફેલાઈ ગયો. મહાવીરનો પ્રકાશ ભારતના હૃદયમાં સોંસરવા ઉતરી ગયો. બુદ્ધે મધ્યમ માર્ગ દેખાડયો. મહાવીરે મધ્યમ દષ્ટિ આપી. બન્ને દયાળુ તથા અહિંસાધર્મી હતા. બુદ્ધ બોધપ્રધાન હતા, મહાવીર વીર્યવાન તપસ્વી હતા. O બુદ્ધ અને મહાવીર બન્ને કર્મવીર હતા. લેખન - વૃત્તિ તેમનામાં નહોતી. તેઓ નિગ્રન્થ હતા. કોઈ શાસ્ત્ર-રચના તેમણૅ કરી નહોતી; શ્રી મુંબઇ જૈન યુવક સદ્યનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા વિનામાજીનુ ચિન્તન ✩ પણ તેઓ જે બોલ્યે જતા હતા તેમાંથી શાસ્ત્રો રચાયે જતા હતા. તેમનું બાલવું સહજ રહેતું હતું. તેમની વિખરેલી વાણીના સંગ્રહ પણ પાછળથી લોકોને એકત્ર કરવા પડેલા. બુદ્ધ-વાણીના એક નાના સરખા સારભૂત સંગ્રહ ધમ્મપદ’ના નામથી બે હજાર વર્ષ પહેલાં થઈ ચૂકયો હતો, જે માત્ર બૌદ્ધસમાજમાં જ નહિ પણ આખી દુનિયામાં ‘ભગવદ ્ ગીતા’ માફ્ક પ્રચલિત બની ચૂકયા છે. ‘મહાવીર–વાણી' આજ સુધી જૈનોના આગમાદિ ગ્રંથામાં વિખરેલી પડી હતી. તેમાંથી ચૂંટીને આ એક સંગ્રહ આત્માર્થીઓના ઉપયોગ માટે શ્રી રિષભદાસજીની પ્રેરણાથી પ્રકાશિત કરવામાં આવેલ છે. આમ તો આ પુસ્તકની ચોથી આવૃત્તિ છે, પણ આ પુનર્મુદ્રણ નથી, પણ પરિવર્તિત આવૃતિ છે, જેમાં અધિક વ્યાપક દષ્ટિથી સંકલન કરવામાં આવ્યું છે. મારી સૂચનાથી આ આવૃત્તિમાં મૂલ વચનોનું સંસ્કૃત રૂપાન્તર પણ આપવામાં આવ્યું છે. એમ થવાથી ‘મહાવીર–વાણી' સમજવામાં વધારે સરળતા—સગવડ રહેશે. ધમ્મપદ કાલ-માન્ય બની ચૂકેલ છે. મહાવીર—પાણી પણ બની શકે છે, જો જૈન - સમાજ એક વિદ્યુત્પરિષદ મારફત પૂરી ચકાસણીપૂર્વક ભ. મહાવીરનાં વચનાના તેમ જ તેના ક્રમના નિશ્ચય કરીને, એક પ્રમાણભૂત સંગ્રહ લોકો સમક્ષ રજૂ કરે. જૈન સમાજને મારી આ એક વિશેષ ભલામણ છે. જો આ સૂચનાના અમલ કરવામાં આવશે તો જૈન - વિચારના પ્રચાર માટે પચ્ચાસ - સો પુસ્તકો લખવામાં આવે છે તેના કરતાં આવા સંગ્રહ અધિકતર ઉપયોગી નિવડશે. આવા પૌરુષય સંગ્રહ જ્યારે થવાના હશે ત્યારે થશે. પણ ત્યાં સુધી પૌરુષેય—વ્યકિતગત પ્રયત્નથી જે કોઈ નિપજશે તે પણ ઉપયોગી બનશે. ‘સાધક સહચરી’ નામથી આવા જ એક સંગ્રહ સતબાલજીએ કરેલા પ્રકાશિત થયો છે. આ બીજો પ્રયત્ન છે. હું ઈચ્છું છું કે કેવળ જૈન સમાજ જ નહિ, પરંતુ ચિત્તશુદ્ધિની ઈચ્છા ધરાવવાવાળા જેઓ જૈન - સંપ્રદાયના અનુયાયી નથી તેઓ પણ આનું ચિન્તન - મનન કરશે. પડાવ: ચપરી (બિહાર) તા. ૩૦-૩-૫૩ વિનોબા અણુમાલ ભેટ (પાંચમા ગુજરાતી સંસ્કરણમાંથી) ‘મહાવીર – વાણી’નું ગુજરાતી સંસ્કરણ પ્રગટ થઈ રહ્યું છે. આ આનંદજનક વાત છે. અહિં બિહારમાં ભૂદાન - યજ્ઞના પ્રચારઅર્થે ઘૂમતાં ઘૂમતાં બુદ્ધ તથા મહાવીરનું મને નિરન્તર સ્મરણ થયા કર્યું છે. લોકો જાણે છે કે મે બોધગયામાં સમન્વય - આશ્રમ શરૂ કરી દીધા છે. કોઈ નવા આરંભ કરવાની વૃત્તિ હું મારામાં જોતો નથી. એમ છતાં પણ, ભૂદાનની પ્રવૃત્તિમાંથી સમન્વયની પ્રવૃત્તિ અનિવાર્ય રૂપે નીકળી પડી છે. ભારત ભૂમિમાં આત્માનું ચિન્તન, મનન તથા શોધ બહુ પ્રાચીન કાળથી આજ સુધી થતાં રહ્યાં છે. તેમાં વૈદિક, બૌદ્ધ તથા શ્રમણ Page #172 -------------------------------------------------------------------------- ________________ - પ્રશ્ન જીવન તા૧-૯-૬૬ આ ત્રણ શાખાએ ચાલી આવી છે, ત્રણે શાખાઓમાં અનેક સન્ત ફોર્મ્યુલા” બનાવી જેને અનુસરીને આજની સીકયોરીટી કાઉન્સીલ પુરુષ નિર્માણ થયા છે તેમ જ તેમના વિવિધ પક્ષો પણ શરૂ થયા છે. ચાલી રહી છે. તે દરેક પાસેથી સત્યાંશ લઈને પૂર્ણ સત્યની શોધ આ પંથોમાં શિખોને પણ એક પંથ છે. જો કે આજે વિશેષ સંઘટનાને કરવાનો પ્રયત્ન કરે છે. લીધે પોતાના શિખધર્મને એક અલગ ધર્મ તરીકે તેઓ માનવા એમ સમજવું કે મારી પાસે જ પૂર્ણ સત્ય છે એ બરોબર લાગ્યા છે, પણ એ પણ એક ઉપાસના-પંથ જ છે. ભારતની બહારના નથી. દરેકની પાસે સત્યને એશ છે એમ સમજવું જોઈએ. વેદમાં ધર્મ - પ્રવાહ પણ ભારતીય સંસ્કૃતિમાં દાખલ થઈ ગયા છે, અથવા યુદ્ધ માટે એક શબ્દ આવે છે. સંસ્કૃતમાં યુદ્ધ માટે અનેક શબ્દો છે. તે ભારતની બહારના તે મટી ગયા છે. ઈસાઈ, મુસલમાન, વદમાં આવે છે કે “મમ લય. ઇ, લાકા તારૂ આવાહન યહુદી–આ ત્રણે લ/માએ ભારતને અપનાવ્યું છે અને આજે આ ''કરે છે, મમ સત્યમ માં ભાષ્યકાર લખે છે: "જ સંયેષુ યુધ્યેષ ત્રણેનું પોતાનું એક ભારતીય રૂપ પણ છે. આ રીતે ઐતિહાસિક ચર્થઃ એટલે કે મમ સત્યનો અર્થ યુદ્ધ થાય છે. એટલે પ્રવાહમાં ભારત-દેશ ધર્મ-વિચારોનું સામ-સ્થાન બની ગયેલ છે. કે કોઈ પણ માણસ જયારે કહે છે કે “મારું કહેવું જ સત્ય ' , ' આ ઐતિહાસિક કાર્ય ત્યારે પૂર્ણ થશે કે જયારે આપણા જીવન-. છે.” “મારું કહેવું જ માત્ર સત્ય છે” તો તેમાંથી યુદ્ધ પેદા થાય છે. દર્શનમાં આ સર્વને આપણે સમન્વય કરીશું. આ માટે દરેક ધર્મની આમ હોવાથી યુદ્ધને એ જ નામ આપવામાં આવ્યું. કહેવું એમ સારભૂત કોઈ વસ્તુ મળી જાય છે તે ભારે સગવડતા પેદા થાય છે. જોઈએ કે મમ સત્યરા: તવારિ સત્યT:-મારું પણ સત્ય છે, તમારુ પણ સત્ય છે. આમ બને. તો વાત. ચાલે અને એકબીજાનો મેળ મળે. વૈદિક ધર્મને સાર, સૂત્રરૂપમાં ઈશોપનિષમાં અને કેટલાક આમ હોવાથી, દુનિયામાં જો વિશ્વરાજય થવાનું હોય તો તે માટે વિસ્તારથી ભગવદ્ ગીતામાં આપણને મળી જાય છે. ઈસાઈ ધર્મને મહાવીરે દર્શાવેલે એ જ એક માત્ર ઉપાય છે. સાર ઈશુના ‘ગિરિ-પ્રવચન” રૂપે મશહૂર છે. બૌદ્ધ ધર્મને સાર બૌદ્ધો. હું અહિંસાની વાત કરતો નથી. હું મહાવીરની મધ્યસ્થ દષ્ટિની એ જે ચૂંટેલું “ધર્મોપદ’ છે. શિખોનો પૂરો ધર્મ - વિચાર “જપુજી'માં વાત કરી રહ્યો છું. સૌ કોઈ સત્યાગ્રહી બનવાની વાત કરે છે. હું આવી જાય છે. જૈન - ધર્મને સાર સંક્ષેપમાં આપવાવાળા પુસ્તકની, કહું છું કે પહેલા સત્યાગ્રાહી બને, પછી તમે સત્યાગ્રહી બની શકો છો. ખૂબ જરૂર હતી. મને લાગે છે કે તે જરૂર “મહાવીર–વાણી’ એ મહાવીરે એક ઘણી મોટી વાત કરી છે. મહાવીર અને બુદ્ધ • એક જમાનામાં થઈ ગયા. મારો ખ્યાલ છે કે બન્નેનું મિલન પણ સારી રીતે પૂરી પાડી છે. થયું હશે. ભગવાન બુદ્ધ સ્ત્રીઓને સંન્યાસ–દીક્ષા આપતા નહોતા. એક આ પુસ્તકમાં માત્ર ૩૧૩ વચને આપવામાં આવ્યાં છે, તો વખત તેમના શિષ્ય આનંદ એક બહેનને લાવ્યો અને કહ્યું, “ભગવન આ એક નાની સરખી ચીજ બની જાય છે. આ પ્રકાશનથી અધ્યયન આ બહેન ખૂબ જે જિજ્ઞાસુ છે. આને દીક્ષા આપો!” ત્યારે બુદ્ધ કરવાવાળાને શબ્દોને વધારે પડતે બોજો નહિ પડે અને જીવન માટે કહ્યું, “હે આનંદ! તે પરીક્ષા કરી છે તો તારા ઉપર વિશ્વાસ રાખીને એને હું દીક્ષા આપું છું. પણ ધ્યાનમાં રાખજે કે આપણા સંપ્રદાય પાથેય - ભાતું - પૂરા પ્રમાણમાં મળી રહેશે. પરિભાષાનું જંગલ ઠીક માટે આ એક જોખમકારક વસ્તુ છે.” એટલે બુદ્ધ સ્ત્રીઓને દીક્ષા પ્રમાણમાં ટાળવામાં આવ્યું છે. સામાન્ય પાઠકને લગભગ પચ્ચાસેક આપવામાં જોખમ માન્યું, જ્યારે ભગવાન મહાવરે સ્ત્રીઓને છૂટથી નવા શબ્દો આમાંથી મળશે, જે તેને ભડકાવનારા નહિ બને, પણ તેની દીક્ષા આપી. કહેવાય છે કે એમના પરિવારમાં જેટલી સાધુઓની સમજણ ને સંસ્કાર આપનારા માલૂમ પડશે. આ શબ્દો ૧૯મા સંખ્યા હતી એથી વધારે સાધ્વીઓની સંખ્યા હતી. આ એમનું સૂત્રમાં મોટા પ્રમાણમાં જોવામાં આવે છે. આ સૂત્ર અહિં આપવામાં ભારે હીંમતભર્યું કામ હતું. આને લીધે એમને આપવામાં આવેલું “મહાવીર’ નામ પૂરા અર્થમાં સાર્થક લાગે છે. જયારે હું મહાવીરનું આવ્યું ન હોત તે પાઠકોને અપરિચિત એવો કોઈ શબ્દ મળત નહિ. નામ લઉં છું ત્યારે મને એમ લાગે છે કે જાણે કે મારી ચારેમેર પણ એમ કરવાથી પુસ્તકનું વજન-મહત્ત્વ-થોડું ઓછું થાત. આ તેઓ ઘૂમી રહ્યા છે પરમ ત્યાગી, અનાગ્રહી, મધ્યસ્થ દષ્ટિસંપન્ન સૂત્ર વિના જનવિચારના ખરા દર્શનની પાઠક વંચિત રહી જાત. મહાવીર, હું જોવા ચાહું છું અને તેઓ પણ એ જોવા ચાહતા હશે સમન્વય - આશ્રમ માટે આ સંગ્રહ ખૂબ ઉપયોગી નિવડશે. કે આ પ્રજામાં મહાવીરના થોડાં પણ લક્ષણ દેખાઈ રહ્યા છે. પણ સમન્વય - આઝામ માત્ર બોધગયામાં જ નથી ચલાવવાનું. તા. ૨૬-૧૧-૬૫, વૈશાલી (બિહાર) સમગ્ર દેશભરમાં અધ્યયન તથા સેવાકાર્ય માટે જેટલાં સ્થાન છે જેન આગમનું નવનીત તે સર્વને આપણે સમન્વય - આશ્રમ બનાવવાના છે. આ માટે આ સંગ્રહ એક અણમોલ ભેટ છે. (તાજેતરમાં પ્રગટ થયેલા છઠ્ઠા હિંદી સંસ્કરણમાંથી) દલસિંગરાય, (બિહાર) વિનોબાના મહાવીર–વાણી’ માટે બે શબ્દ હું લખું એવી પ્રેમની માંગણીને હું ટાળી નહિ શો, જો કે તૂફાની કાર્યક્રમમાં હું જોડાયેલો છું. તા. ૧૦-૮-૫૪. પ્રણામ મહાવીર–વાણી’માં જે સંકલન થયું છે તેમાં જૈન આગમનું નવનીતને અત્યત અનાગ્રહી મહાવીર માખણ આવી ગયું છે. સર્વધર્મ-સમભાવ વધારવા માટે તેને ખૂબ ઉપયોગ થશે એમાં મને શક નથી. (ગ્રામદાન - તૂફાનયાત્રા દરમિયાન વૈશાલી પ્રખંડમાં તા. ૨૬-૧૧-૬૫ના કરવામાં આવેલા પ્રવચનમાંથી આ વિભાગ ઉદધૃત કરવામાં આવ્યા | ‘મહાવીર–વાણી” હું જોઈ ગયો છે. સંચય મને સારો માલુમ છે. આ વિભાગના મુખ્ય વિચારને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલા. પડયો છે. એમ છતાં પણ મારી સૂચના હતી કે જૈન વિદ્વાનોની પ્રવચનની નોંધ તા. ૧૬-૪-૬૬ના પ્રબુદ્ધ જીવનમાં થઈ ચૂકી છે. એક સમિતિ બનાવવામાં આવે અને તે સમિતિ સર્વમાન્ય સંગ્રહ એમ છતાં ભગવાન મહાવીર વિશેનું વિનોબાજીનું ચિન્તન સંકલિત લોકોની સામે રજૂ કરે. આથી ધમ્મપદને જે મહત્ત્વ પ્રાત્પ થયું છે આકારમાં પ્રબુદ્ધ જીવનના વાચકોને જાણવા મળે એ હેતુથી થોડોક તે મહત્વ આને પણ પ્રાપ્ત થાય. ખેર, એ તો જયારે બને ત્યારે ખરું, પુનરુકિતનો દોષ વહોરીને પણ ઉપર જણાવેલ પ્રવચન-વિભાગ પણ ત્યાં સુધી ‘મહાવીર-વાણી લોકોમાં ચાલશે–ચાલવી જોઈએ. નીચે આપવામાં આવે છે. તંત્રી) આ દિવસેમાં “સર્વધર્મસમભાવ” એક નવો શબ્દ આપણને મળે મહાવીરના આ ક્ષેત્રમાં સહયોગ હોવો ઘટે છે. તેમણે હંમેશા છે. આમ છતાં મહાવીરના વિચારોને જેમને પરિચય છે તેમના માટે સહયોગની વાત કહી છે. જ્યાં મહાવીર પોતાના વિચારો સમજાવતા આ કોઈ નવી વાત નથી. મારી દષ્ટિએ મહાવીર સર્વધર્મ સમન્વયાચાર્ય હતા ત્યાં જે કદિ વિચારોમાં મતભેદ ઊભો થતો હતો તે તેઓ છે. સત્યનું એક એક પાસું લઈને લોકોની સામે ભિન્ન ભિન્ન પંથના વિરોધ કરીને સમજાવતા નહોતા. તેઓ માનતા હતા કે, દરેક વ્યકિતની રૂપમાં એક એક ‘નય’ રજૂ કરવામાં આવે છે. આ છે મહાવીરને પાસે સત્યાંશ હોય છે. આમ હોવાથી દરેકની પાસેથી એક-એક મુખ્ય વિચાર. અહિંસા તો તેના પેટમાં સહેજમાં સમાઈ જાય છે. સત્યાંશ ગ્રહણ કરવા અને વળી પાછું પૂર્ણ સત્યનું સંશોધન કરવું હું આશા રાખું છું કે દિલોને-માનવી માનવીને–જોડવામાં ‘મહાવીર–એ એમની પદ્ધતિ હતી. અને એ ભારે મોટી દષ્ટિ મહાવીર– વાણીને પૂરો ઉપયોગ થશે. સ્વામીએ આપણને આપી છે. દરેકને તેઓ કહેતા હતા કે “તમારા ગ્રામદાન તૂફાન-યાત્રા વિનબાના જય જગત કથનમાં પણ સાર છે.” આ બાબતને સ્વીકાર કરીને લોકોએ એક બિહાર તા. ૧૨-૧૨-૬૫, Page #173 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯-૬ પ્રબુદ્ધ જીવન ભગવાન મહાવીરની મધ્યસ્થ દષ્ટિ (ભ. મહાવીરની જન્મભૂમિ વૈશાલીમાં પ્રાકૃત જૈન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સમક્ષ તા. ૨૫-૧૧-૬૫ના આપેલ પ્રવચન.) અહિ આપ લેક સંશોધન કરો છો, સંશોધનને ઘણો લાભ છે. પણ કેટલીક વાત એવી હોય છે, જેનું સંશોધન થઈ શકતું નથી. ઉદાહરણ રૂપે, મહાવીર સ્વામીના જીવનના વિષયમાં ઘણા મતભેદ છે. દિગમ્બર જૈને માને છે કે મહાવીર સ્વામી અવિવાહિત હતા અને સન્યાસ લીધો હતે. શ્વેતાંબર જેને માને છે કે મહાવીરસ્વામીનાં લગ્ન થયાં હતાં અને સંતાન થયા બાદ તેમણે સંન્યાસ લીધે હતે. પરચીસ સાલ પહેલાંની આ વાત છે. એક મહાપુરુષ, જે એક ધર્મના સ્થાપક હતાં, એના વિષયમાં આટલો ઊંડે મતભેદ છે. એને ફેંસલો હવે કેવી રીતે થઈ શકે? ઈતિહાસના આધારે તે એ સંભવિત નથી. દલીલ પ્રતિદલીલ કરશે પણ એના નિષ્કર્ષથી તે મતભેદ વધશે. મહાવીર બ્રહ્મચારી હતા એ દિગમ્બરોની એટલી તીવ્ર માન્યતા છે કે ખુદ મહાવીર ઉપસ્થિત થઈને કહે કે મારે સંતાન હતું તે પણ એ માનશે નહિ! આ તે મેં એક વિકેદની વાત કરી. - દરેકને પોતાને એક આદર્શ હોય છે અને આપણે ઈચ્છીએ છીએ કે આ મહાપુરુષ આપણા આદર્શ જેવો હોય. આ આદર્શ આપણે ઊભો કર્યો હોય છે અને આ મહાપુરના ચરિત્રને આપણે આપણા આદર્શ અનુસાર આકાર આપીએ છીએ. જૈનને પિતાને આદર્શ છે, હિંદુ ધર્મમાં પણ આ વિશેષતા છે. ભારતમાં પચ્ચાસ રામાયણ છે - અને હરેક રામાયણમાં જુદું જુદું રામચરિત્ર મળશે. પણ આ તે આપણા બાપનું ઘર છે. આ ઘરમાં આપણે ઠીક પડે ત્યાં બારી મૂકીશું, ઠીક પડે ત્યાં દરવાજો. અને એટલું બદલીશું કે, ભલે બાપના ઘરને હિસ્સો બહુ છે એમાં રહે! તુલસીદાસજીએ એમાં પિતાને પૂરો અધિકાર સંભાળ્યું છે. આપણે હવે તેમાં સંશોધન શું કરીશું? - ઈસામસિહના બારામાં એક કથન છે કે આ નામને કોઈ મનુષ્ય હતે જ નહિ. એ સૂર્યનારાયણનું રૂપક છે. વર્ષના બાર મહિના એના બાર શિષ્ય માનવામાં આવે છે, અને ઈસામસિહના ઉપશિષ્ય વર્ષના ૩૬૦ દિવસના પ્રતિનિધિ છે. ભગવાન ઈસામસિહ આદિત્યનારાયણ સમાન બિરાજે છે, એને જન્મ થયો નથી, ન અસ્ત થશે. આ પણ એક શોધ છે અને એનાથી એને બળ મળશે. ભગવાન સૂર્યનારાયણને જોઈ લીધા તે ઈસામહિને જોઈ લીધા. હવે એનું સંશોધન કોણ કરશે? એટલે જ કેટલુંક સંશોધન સંશોધનથી પણ પર છે. એ ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. પરનું જેનેએ ઘણું સાહિત્ય નિર્માણ કર્યું છે, એનું સંશોધન થઈ શકે છે. જે પ્રકાશિત થયું ન હોઈ, એનું પ્રકાશન થઈ શકે છે. જે ગલત ઢંગથી પ્રકાશિત થયું હોય એનું સારી રીતે પ્રકાશન થઈ શકે, આ ક્ષેત્રમાં ઘુસણખોરી થઈ છે. અનેક જૂઠા પાઠો આપણા પ્રાચીન સાહિત્યમાં ઘુસી ગયા છે. એનું યોગ્ય પાઠ સાથે પ્રકાશન થઈ શકે. પ્રાકૃત ભાષાનું પણ અહિં અધ્યાપન થઈ શકે. મેં એક વાર બૌદ્ધોને કહ્યું હતું કે કમમાં કમ આપનું ‘ત્રિપિટક તે નાગરીમાં લા. એમણે કંઈક પ્રકાશન કર્યું છે. ઘણું મોટું કામ આથી થયું. હું ઈચ્છું છું કે કુરાન શરીફ પણ નાગરીમાં આવે. એની કોશીષ થઈ રહી છે. પારસી ગ્રંથો પણ નાગરીમાં પ્રકાશિત થઈ રહ્યા છે. તામિલનાડનું તિરૂકમુરલ પણ નાગરીમાં આવવું જોઈએ. જે પ્રમાણિત સારી આવૃત્તિઓ છે, એનું સંશોધન થવું જ જોઈએ. જેનેએ કેટલાં ગ્રંથે લખ્યાં છે? સામેના ઝાડ ઉપર જેટલા પાંદડાં છે એટલાં. જૈનેના જે ગ્રંથ આજે મળી શકે છે એની સંખ્યા પણ દસ હજારથી ઓછી નહિ હોય. અધ્યાત્મ, તત્ત્વજ્ઞાનથી સંગીત, વૈદકશાસ્ત્ર, જયોતિષ શાસ્ત્ર, સુધીના કોઈ વિષય એમણે છોડયા નથી. લોકો માને છે કે, અહિંસા એ જૈનેનું સૌથી મોટું પ્રદાન છે. પરંતુ એ મેટી વાત નથી. ઉપનિષદમાં અહિંસાનો ઉલ્લેખ છે, ‘ત દાન આર્જવ અહિંસા સત્યવચનમ'. હવે એ કહેવું મુશ્કેલ છે કે, ઉપનિષદ પહેલાં હતાં કે જૈન શાસ્ત્રો પહેલાં હતાં. અહિંસા ઘણા પહેલાના જમાનાથી ચાલી આવે છે. એને વિશેષ રૂપ આપવાને જૈન, ગૌતમ બુદ્ધ, વૈષણવસંત વગેરેએ પ્રયત્ન કર્યા. એ પણ સત્ય છે કે જૈન લોકો બહુ તપસ્વી હતા, પણ એ વાત પણ પહેલા કહેવામાં આવી છે. વિદ્યાર્થી ગુરુ પાસે ગયા તો એને કહેવામાં આવ્યું કે “તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ’. હું આ બન્ને મહાવીરની વિશેષતા માનતા નથી. આમ છતાં બન્ને વાતે મહાવીરના જીવનમાં વિશિષ્ટ રૂપે પ્રગટ થઈ હતી. મહાવીરની વિશેષતા તો એ છે કે કોઈના હૃદયમાં ધકકો માર્યા વગર કુશળતાથી એમાં પ્રવેશ કર. માણસ ગમે એટલો ગરીબ હોય, પણ એના ઘરમાં ઓછામાં ઓછા એક દરવાજો તો હશે. હૃદયમાં જે ગુણ છે તે દરવાજો છે અને જે દોષે છે એ દીવાલ છે. એકાદ ગુણ તે દરેકમાં હોય છે. એ આ દરવાજામાંથી પ્રવેશ કરશે અને પછી એને બીજી ખડકી બનાવવાની સલાહ આપશે. આથી મહાવીર સ્વામી જે કોઈ પણ મનુષ્ય તેની પાસે આવતા હતાં, એને અનુકૂળ વિચાર શું છે એ પ્રથમ જોતા હતાં. અને ચર્ચા માટે આવેલ મનુષ્ય એમ માનતે થતું કે એના વિચારનું ખંડન થયું અને એની પ્રતિષ્ઠા થતી હતી. “બેઝીક ફીલસેફી” મળી, પરન્તુ વિચારની બીજી બાજુ પણ હોઇ શકે છે. આ એમની અહિંસાને વિચાર હતે. સત્ય વચ્ચે હોય છે. અહિં કંઈક સત્યને અંશ હોઈ શકે છે, ત્યાં પણ કંઈક સત્ય હોઈ શકે છે; વચ્ચે પૂર્ણ સત્ય છે. આ એમની દષ્ટિ હતી. બાદમાં લોકોએ આને ઘણું મોટું નામ આપ્યું–સ્યાદ્વાદ. આ વાદ નથી. એક ઓળખ છે, દષ્ટિ છે. સત્યને ગ્રહણ કરવું હોય તે, વચ્ચેના પૂર્ણ સત્યને પકડવું જૉઈએ. હરેક પાસાને મહત્ત્વ આપવું જોઈએ, તે જ સર્વાંગીણ સત્ય ગ્રહણ થશે. અહિસા અને તપ એ એની ખાસ વિશેષતા નથી, પણ આ જે મધ્યસ્થ દદિ છે એ એની વિશેષતા છે. ભાષ્યકાર એક પાસાને ગૌણ માને છે અને એક પાસાને મુખ્ય માને છે. આ પ્રકારે ગૌણ મુખ્યના ભેદ કરીને એ અર્થ કરે છે. પરંતુ મહાવીર ગૌણ મુખ્ય ભેદ કરતાં નહિ. એ કહી શકાતું નથી કે મહાવીરના પહેલાં આ પ્રકારના પ્રયત્ન થયા જ નથી. જરૂર થયા છે, પરંતુ એનું સ્પષ્ટ દર્શન મહાવીરે કરાયું છે. આ મધ્યસ્થ દષ્ટિ મહાવીરની અહિંસા છે. પ્રાણીઓની હિંસા ન કરવી એ તો ઠીક છે, પરનું વિચારોને આગ્રહ રાખવામાં આવે તે એનાથી ઝઘડાઓ થાય છે. આથી અહિંસાનું મૂળ પકડવું હોય તે મધ્યસ્થ દષ્ટિ–સમત્વ દૃષ્ટિ આવવી જોઈએ. જૈનેએ પ્રહાર કર્યો નથી, ઉપહાર કર્યો છે. મહાવીરની રીત ઉપહારની, પ્રથમ ચર્ચા કરવાની હતી. આથી જેનેએ પિતાની સંખ્યા વધારવાનું ઉચિત માન્યું નથી. બીજા ધર્મવાળા પિતાની સંખ્યા વધારતા જ ગયા, અને આખરમાં એક નવા અસુર ઉત્પન્ન થયો. એનું નામ “સંખ્યાર.” બહુમતને માનવું એ નવી વાત આવી. જેનેએ સંખ્યા વધારવાનું પિતાનું મુખ્ય કાર્ય માન્યું નથી. એમણે પોતાના શુદ્ધ વિચાર સામે રાખ્યા છે. એમાં જ જૈનેની સાર્થકતા છે. એ પંથ બનાવવા ઈચ્છતા નહિ, એ સાકરનું કામ કરવા ઈચ્છે છે. દૂધમાં સાકર નાખવામાં આવે છે, પરનું નામ દૂધનું રહે છે, સાકર નહિ. આજે પણ સારને , ઘણે ઉપયોગી છે. હું માનું છું કે, જૈનધર્મ સાકરનું કામ કરવા માગે છે. હુમલાખોર ધર્મ હુમલા કરીને નાશ પામશે, પરંતુ જેન’ શબ્દને અર્થ જીતવું એવો થાય છે. , વિનોબા તે મંજૂર નથી હિન્દુસ્તાનના લોકોને બળદ તો જોઈએ છે, પણ ગાયની સેવા તેને કરવી નથી. તેને પૂજવાનો ઢોંગ તે કરે છે, પણ દૂધ માટે તે તે ભેંસની કદર કરે છે. હિંદુસ્તાનના લોકો ઈચ્છે છે કે એમની માતા ભેંસ રહે, અને બાપ બળદ. યોજના તે સારી છે, પણ ભગવાનને મંજૂર નથી. વિનોબા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પ્રબુદ્ધ જીવન સમેતશિખર પહાડ અગે: બિહાર સરકાર અને ભારતવષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી વચ્ચે કરવામાં આવેલુ કરારનામુ વામાં આવેલા નોટીફિકેશનના અન્વયે આ પારસનાથ પહાડ ઉપર પ્રથમ વિભાગના પક્ષકારની માલકી સ્થપાઈ ચૂકી છે, (૧૦) અને જેથી, આ પહાડ અને ત્યાં આવેલા મંદિરો અને દેરીઓ ઉપર જૈન કોમના હક્કોને રક્ષણ આપવા માટે અને આને લગતી ધાર્મિક ભાવનાઓ અને લાગણીને માન આપવા માટે બીજા વિભાગના પક્ષકારો તરફથી પહેલા વિભાગના પક્ષકારો સમક્ષ રજૂઆતો અને નિવેદનો કરવામાં આવ્યાં હતાં, (૧૧) અને જેથી, ૧૯૫૩ના મે માસની બીજી તારીખે કાઢવામાં આવેલ ઉપર જણાવેલ નોટીફિકેશનની રૂઈએ શેઠ આણંદજી કલ્યાણજીના ટ્રસ્ટીઓને આપવાના વળતરનો પ્રશ્ન નક્કી કરવા માટે અને જૈન કોમના સર્વ હક્કોને રક્ષણ આપવા માટે અને પ્રસ્તુત પારસનાથ પહાડને લગતી ધાર્મિક ભાવનાઓ અને લાગણીઓને આદર કરવા માટે પ્રથમ વિભાગના પક્ષકારે શેઠ આણંદજી કલ્યાણજીના ટ્રસ્ટીઓ સાથે ૧૯૬૫ ફેબ્રુઆરી પાંચમી તારીખના રોજ કરારનામું કર્યું છે, (મૂળ અંગ્રેજીનો અનુવાદ) (૧) પ્રથમ વિભાગના પક્ષકાર તરીકે બિહારના રાજ્યપાલ અને બીજા વિભાગના પક્ષકાર તરીકે જેની રજિસ્ટર્ડ ઑફિસ મુંબઈ ખાતે સી. પી. ટેંક આગળ આવેલ છે અને જે ૧૯,૦૦ ની સાલના સાસાયટીઝ રજિસ્ટ્રેશન ૨૧ મા ઍકટની નીચે રજિસ્ટર થયેલ છે તે ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી નામની સંસ્થા આ બે પક્ષકારો વચ્ચે ૧૯૬૬ના ઑગસ્ટ માસની પાંચમી તારીખે થયેલા કરારનામાની વિગતો નીચે મુજબ છે: ભૂમિકા (૨) જેથી, હઝારી બાગ જિલ્લામાં આવેલા અને ટૌઝી નં. ૨૦૧ ધરાવતા પારસનાથનો પહાડ અથવા તો સંમેત શિખરજી ચાવી તીર્થંકરમાંના વીશ તીર્થંકરોની અને ઘણા ગણધરોની અને અસંખ્ય જૈન સાધુસંતોની નિર્વાણભૂમિ હાઈને, બીજા વિભાગના પક્ષકારો તેને પવિત્રમાં પવિત્ર તીર્થ તરીકે માને છે, (૩) અને જેથી, આખા પારસનાથ પહાડને અને તેના દરેક પથ્થરને અને તસુએ તસુ જમીનને બીજા વિભાગના પક્ષકારો પવિત્ર લેખે છે. અને પૂજાઉપાસના યોગ્ય લેખે છે અને તેમને મન આખા પહાડ એક મંદિર અથવા તા તીર્થ છે, (૪) અને જેથી, આ પહાડ, જૈન ધર્મની માન્યતા મુજબ એક યાત્રા સ્થળ છે અને પવિત્ર કેન્દ્ર છે, અને બીજા વિભાગના પક્ષકાર આખા પહાડને પૂજાયોગ્ય ગણે છે, અને એ પહાડની ટેકરીઓ ફરતી બારકોષની પરિકમ્મા (પ્રદક્ષિણા) કરીને ત્યાં આવેલાં અસંખ્ય સ્થળા કે જે પવિત્ર છે અને એમ છતાં જ્યાં પહોંચવાનું લગભગ અશકય છે એ સર્વની બીજા વિભાગના પક્ષકારો આરાધના કરે છે, (૫) અને જેથી, આ પવિત્ર ટેકરીઓ આત્મશુદ્ધિનું પરમ સાધન છે અને જૈનેાના પૂજ્ય તીર્થંકરોએ આપેલા અને અમલમાં મૂકેલા વિશ્વપ્રેમના સંદેશા સાથે સેંકડો વર્ષોથી સંકળાયેલ છે અને જેના માટે એક પ્રકારની આધ્યાત્મિક પ્રેરણારૂપ છે, (૬) અને જેથી, દેશના આ વિભાગનો અંગ્રેજ સરકારે કબજો લીધા ત્યારથી બીજા વિભાગના પક્ષકારો તેમના ધાર્મિક ખ્યાલાને અને ભાવનાને આઘાત પહોંચાડે તેવા કોઈ પણ હેતુ માટે થનાર આ પહાડના ઉપયોગના સફળતાપૂર્વક વિરોધ કરતા રહ્યા છે અને સમય સમયની સરકારોઆ પહાડ સાથે જોડાયેલી બીજા વિભાગના પક્ષકારાની—ધાર્મિક ભાવનાઓ અને લાગણીનો સહાનુભૂતિપૂર્વક આદર કરતી રહી છે, (૭) અને જેથી, કોર્ટના એવા ચુકાદાઓ છે કે જે દ્વારા એમ નક્કી કરવામાં આવ્યું છે કે આખા પહાડ અને તેના દરેક પથ્થર પવિત્ર છે અને જૈન કોમના માટે ભકિત અને ઉપાસનાનું સાધન છે અને જે દ્વારા આ પહાડ અને તે ઉપર આવેલી ટુંકો, મંદિરો અને ધર્મસ્થાના ઉપર બીજા વિભાગના પક્ષકારોના કેટલાક હક્કો સ્વીકારવામાં તેમ જ તેમને અમલી બનાવવામાં આવ્યા છે, (૮) અને જેથી, અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓએ હજારીબાગ જિલ્લાઓમાં આવેલ અને ટીંઝી નંબર ૨૦ ૧ ધરાવતા પારસનાથ પહાડ ઉપર ૧૯૧૮ના ફેબ્રુઆરી માસની ૨૬મી તારીખના રોજ અને ૧૯૧૮ના માર્ચ માસની ૯મી તારીખના રોજ કરવામાં આવેલા ખતપત્રાથી જમીનદારીના હક્કો પ્રાપ્ત કર્યા હતા, તા. ૧-૯ (૯) અને જેથી, ૧૯૫૦ બિહાર લૅન્ડ રીફ્ાર્મ્સ એકટની કલમ ૩ની પેટાક્લમ (૧) નીચે ૧૯૫૩ના મે માસની બીજી તારીખે કાઢ (૧૨) અને જેથી, દિગંબર જૈનોએ રાજ્ય સરકાર સમક્ષ એવી આશંકા વ્યકત કરી છે કે આ કરારનામાથી આ પહાડ અને તેની ટૂંકો, મંદિરો અને દેરીઓ ઉપરના તેમના હક્કો અને અધિકારો ઉપર બાધક અથવા પ્રતિકૂળ અસર પડશે, (૧૩) અને જેથી, પહેલા વિભાગના પક્ષકારે બીજા વિભાગના પક્ષકારોને એવી ખાત્રી આપી છે કે જૈન કોમના અથવા તો શ્વેતાંબર કોમના હક્કો અને અધિકારો અંગે જાહેરાત કરતું, સ્પષ્ટતા કરતું કે ખાતરી આપતું ઉપર જણાવેલું કરારનામું દિગંબર જૈનોના કોઈ પણ હક્કો કે અધિકારો બજાવવામાં અથવા તે તેમની ધાર્મિક ક્રિયાઓ કરવામાં અથવા તે તેમની ધાર્મિક સંસ્થાઓના વહીવટ ચલાવવામાં કોઈ પણ રીતે બાધક છે નહિ, બાધક બની શકે નહિ. અને બાધક બને એવો કોઈ ઈરાદો નથી, (૧૪) અને જેથી, રાજ્ય સરકાર આ અંગેની વાસ્તવિક સ્થિતિ જાહેર કરવાનું અને સ્પષ્ટ કરવાનું ઈચ્છનીય ગણે છે, તેથી બન્ને પક્ષકારો આ નીચે આપેલું કરારનામું કરવાને સંમત થયા છે: કરારનામાની કલમો હવે તેથી એ બાબતની સૌ કોઈને જાણ થાય કે ૧૯૬૫ના ફેબ્રુઆરી માસની પાંચમી તારીખના કરારનામામાં ગમે તે જણાવવામાં આવ્યું હોય એમ છતાં પણ આ કરારનામાના બન્ને પક્ષકારો નીચે મુજબ કબૂલ કરે છે: (૧) પહેલા વિભાગના પક્ષકાર બીજા વિભાગના પક્ષર્કરોને અદાલતી ચુકાદાઓ દ્વારા અથવા તો બીજી કોઈ રીતે જે કોઈ હક્કો મળેલા હોય કે તેમણે મેળવેલા હાય તે સર્વ હક્કોના સ્વીકાર કરે છે અને તેના આદર કરવાની કબુલાત આપે છે અને આ બીજા વિભાગના પક્ષકારોના આવા સર્વ હક્કોને બાધ આવે કેતેમાં દખલ થાય એવું કશું પણ તેઓ કરશે નહિ તેમ જ એવું કશું પણ અન્યને કરવા દેશે નહિ. (૨) પ્રથમ વિભાગના પક્ષકાર આથી જાહેર કરે છે કે આ પહાડ ઉપરનાં મંદિરો, ધર્મશાળાઓ વગેરેને ૧૯૫૩નું બીજી મેનું નોટીફિકેશન કોઈ પણ અંશમાં લાગુ પડતું નથી. અને બીજા વિભાગના પક્ષકારોને તેમની માલેકીનાં મંદિરો, દેરીઓ, ટેકરીઓ, અને ધાર્મિક ખાતાઓ ઉપર અબાધિત અધિકાર અને નિયંત્રણ રહેશે. અને પહેલા વિભાગના પક્ષકારની કોઈ પણ દખલગીરી કે અટકામૃત સિવાય પહેલાં માફક બીજા વિભાગના પક્ષકારો પોતાની ધાર્મિક પૂજા અને ધાર્મિક ક્રિયાઓ કરી શકશે. (૩) બન્ને પક્ષકારો આથી કબુલ કરે છે કે પહાડ ઉપરનાં જંગલાના વહીવટ બિહાર રાજ્યના જંગલ ખાતાની એજન્સી દ્વારા Page #175 -------------------------------------------------------------------------- ________________ તા.1-૯ ચાલુ કાનૂન કાર્યદા મુજબ એવી રીતે કરવામાં આવશે કે જેથી બીજા વિભાગના પક્ષકારોને તેમની પૂજા ઉપાસના કરવામાં બાધ ન ન આવે અથવા તે તેમની ધાર્મિક ભાવનાઓ, માન્યતાઓ અને લાગણીઓને આઘાત ન પહોંચે અથવા તો તેમનાં મંદિરો વગેરેની માલેકીહક્કમાં ખલેલ ન પહોંચે. પ્રમુખ જીવન (૪) પહેલા વિભાગના પક્ષકાર આથી કબૂલ થાય છે કે ઉપર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ૧૯૬૫ના ફેબ્રુઆરી માસની પાંચમી તારીખના કરારનામાની પાંચમી કલમમાં સૂચવવામાં આવેલી એડવાઈઝરી કમિટી (સલાહકાર સમિતિ)માં પહેલા વિભાગના પક્ષકારને જે બે પ્રતિનિધિઓની નિમણુંક કરવાની છે તેમાંના એક પ્રતિનિધિ બીજા વિભાગના પક્ષકાર જેની ભલામણ કરે તે દિગંબર જૈન હશે. સા (૫) જંગલાના વહીવટ એવી રીતે કરવામાં આવશે કે જેથી આજનાં મંદિરો અને તે મંદિરો અને દેરીઓની આસપાસના અર્ધા માઈલના પ્રદેશ જો કે બિહાર રાજ્યની માલેકીન છે અને બિહાર રાજ્યને તેની માલેકી પ્રાપ્ત થયેલી છે એમ હકીકત હોવા છતાં, એ અર્ધા માઈલના પ્રદેશ જંગલખાતાના વહીવટથી . હંમેશાને માટે મુકત રહેશે. આ પહાડના કોઈ પણ ભાગ ઉપર, પછી તે - ભાગ જંગલખાતાના વહીવટ નીચે હોય કે ન હોય તો પણ, કોઈ પણ નવું મકાન કે બાંધકામ કરવા દેવામાં આવશે નહિ, પણ કોઈ પણ સમયે, બીજા વિભાગના પક્ષકારને કોઈ પણ ધાર્મિક કે સખાવતી હેતુ માટે અથવા તો યાત્રાળુઓની સગવડ માટે પહાડના કોઈ પણ ભાગ ઉપર બાંધકામ કરવાની ઈચ્છા થશે તો તે સામે રાજ્ય સરકાર કે જંગલખાતા તરફથી વાંધા ઉઠાવવામાં નહિ આવે, અને આ સંબંધમાં અરજી મળ્યાને પંદર દિવસની અંદર જંગલ ખાતા તરફથી તેમ જ રાજ્ય સરકાર તરફથી બધી જાતની સગવડો આપવામાં આવશે અને આથી જાહેર કરવામાં આવે છે કે આ ક્લેમ કે ઉપર જણાવેલ કરારનામાની એને મળતી કલમ વડે દિગંબર કે શ્વેતાંબર કોમના (પરસ્પરના) કોઈ પણ હક્કો અથવા તો હિતોને કોઈ પણ અંશમાં બદલવાનો કે તેમાં પ્રતિકૂળતા ઊભી કરવાનો આશય નથી. (૬) શિકાર, શૂટીંગ, માછલી પકડવી, પક્ષીઓની કે પશુઓની હિંસા અથવા આ પહાડ ઉપર કે આસપાસ માંસાહાર–આ બધી ૮૯: બાબતોની સખ્ત બંધી કરવામાં આવે છે. ミリ起 (૭) સરકારના જંગલખાતાના અધિકારીએ અને નોકરી જૈન કોમની લાગણીઓને દરેક પ્રકારે માન આપશે અને પહાડ ઉપરના યાત્રાળુઓના માલેકી હક્કમાં કે ધાર્મિક ક્રિયાઓ કરવા કરાવવવામાં કોઈ પણ પ્રકારની દખલ કરવામાં નહિ આવે . તેમ જ યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની તક્લીફ આપવામાં નહિ આવે.' : (૮) આથી જાહેર કરવામાં આવે છે કે આ કરારનામું કે ૧૯૬૫ના ફેબ્રુ આરીની પાંચમી તારાખ કરવામાં આવેલું કરારનામુંઆ બન્નેની એવી કોઈ અસર નહિ થાય કે જેથી શ્વેતાંબર કે દિગ્-બર સંપ્રદાયના મંદિરો વગેરેને લગતા, તેમ જ પૂજા ઉપાસના તથા ધાર્મિક ક્રિયાઓ કરવાને લગતા, પરસ્પરને પ્રાપ્ત થયેલા હક્કોમાં જરા પણ વધારો કે ઘટાડો થવા પામે. (૯) આથી સર્ટિફાઈ કરવામાં આવે છે કે આ લખાણ મૂળ દસ્તાવેજની ખરી અને અક્ષરશ: ઉતારેલી નકલ છે. બન્ને પક્ષ વચ્ચે એ પણ કબૂલ કરવામાં આવ્યું છે કે આ કરારનામાના રજિસ્ટ્રેશનનો ખર્ચ રાજ્યસરકાર વહન કરશે. આના સાક્ષી તરીકે બન્ને પક્ષકારોએ ઉપર જણાવેલ વર્ષે અને દિવસે પોતપોતાના હાથે આ કારારનામા ઉપર સહીઓ તથા સીલ સિક્કા કર્યા છે. બિહારના રાજ્યપાલ જેમના આ કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમણે નીચેની વ્યકિતઓની હાજરીમાં પોતાના સહીસિક્કા કરીને આ કરારનામું સુપરત કર્યું છે. (૧) સહી : એસ. એ. ઈમામ, રજીસ્ટ્રાર, વસુલાત ખાવું. (૨) સહી : આર. પી. સિંહા, હેડ એસિસ્ટન્ટ, વસુલાત ખાવું. સહી : જે. પી. શ્રીવાસ્તવ તા. ૫-૮-૬૬ સરકારી વસુલાત ખાતાના મંત્રી, બિહાર. ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થરક્ષા કમિટી વતી તેના પ્રમુખે નીચેની વ્યકિતઓની હાજરીમાં પોતાના સહીસીક્કા કરીને આ કરારનામું સુપરત કર્યું છે. (૧) સહી : હરખચંદ જૈન તા. ૫-૮-૬૬, (૨) સહી : સીતારામ કેશરી તા. ૫-૮-૬૬, સહી : શાન્તિપ્રસાદ જૈન તા. ૫-૮-’૬૬. અનુવાદક : પરમાનંદ સમેતશિખરની સમસ્યામાં યુટેલા નવા ફણગા : દિગબરા સાથેના કરારનામાએ ઉભાકરેલી નવીપરિસ્થિતિ ગત વર્ષ ૧૯૬૫ના ફેબ્રુઆરી માસની પાંચમી તારીખે બિહાર સરકાર અને શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાય વચ્ચે સમેતશિખર પહાડ અંગે જે કરારનામું થયું તેમાં શ્વે. મૂ. સમુદાયને જે કાંઈ અપેક્ષિત હતું તે લગભગ બધું મળી જવાથી, શ્વે. મૂ. સમુદાય તરફથી, જાણે કે પોતાના એક મહાન વિજય પ્રાપ્ત થયા હોય એ રીતે, આ કરારનામાને વધાવી લેવામાં આવ્યું હતું અને બિહાર સરકાર સાથેની વાટાઘાટોને પેાતાના પક્ષે આટલી બધી યશસ્વી બનાવનાર શ્વે. મૂ. સમુદાયના અગ્રણી પુરુષોનું તેમ જ આ કાર્યમાં પરોક્ષ રહીને સહાયક બનેલા અમુક કૉંગ્રેસી રાજપુરુષોનું બહુમાન કરવામાં આવ્યું હતું. બીજી બાજુએ આ કરારનામામાં દિગંબર સમુદાયના પરંપરાગત હકકોનો કશે! પણ ઉલ્લેખ કરવામાં આવેલા નહિ હોઈને તે સમુદાય ભારે હતાશ બન્યો હતા. આ અનિચ્છનીય પરિસ્થિતિનું નિવારણ કરવાના હેતુથી તા. ૧૬–૩–’૬૬નાં ‘પ્રબુદ્ધ જીવન’માં મે જણાવ્યું હતું કે “આપણે આશા રાખીએ અને નમ્રભાવે એમ છતાં આગ્રહપૂર્વક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને તેના વર્તમાન સૂત્રધાર શેઠ કસ્તુરભાઈ લાલભાઈને અનુરોધ કરીએ કે પ્રસ્તુત કરારનામાના પરિણામે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને અને તેના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલાભાઈને સમેતિશખરની બાબતમાં s અસાધારણ વર્ચસ્ પ્રાપ્ત થયું છે તો તેઓ માત્ર શ્વે. મૂ. સમાજના સ્વાર્થના તેમ જ હિતના વિચાર ન કરતાં સમગ્ર જૈન સમાજની દૃષ્ટિએ આ બાબતનો વિચાર કરે અને આજના સમયમાં જૈન સમાજના આ બે પ્રમુખ વિભાગોમાં એકતા સ્થપાવાની તેમ જ તે સુદઢ થવાની કેટલી જરૂર છે તેનો પૂરો ખ્યાલ કરે, અને સમેતશિખરઃ તીર્થ પૂરતી દિગંબર સમાજની સ્થિતિ વારસાવંચિત ઓશિયાળા સાવકા ભાઈ જેવી છે–જો ૧૯૧૮ની સાલમાં સમેતશિખર પહાડખરીદવા અંગે દિગંબર સમાજ સાથે કરવામાં આવેલા સાદો કાયમ રહ્યો હોત તો શ્વે. મૂ. સમાજની સ્થિતિ પણ કદાચ આવી જ હોત— તે સ્થિતિનું નિવારણ કરીને મોટો ભાઈ નાના ભાઈને બાજુએ બેસાડે તેમ દિગંબર સમાજના સ્વમાનને અનુરૂપ સ્થાન નવી રચનામાં આપવાની ઉદારતા અને સમયસૂચકતા દાખવે.” આ મારા નમ્ર સૂચને જે સમાજનો હું છું એ શ્વે. મૂ. વિભાગમાં ભારે ઈતરાજી . પેદા કરી હતી અને મારી આ સાદી સીધી ન્યાયયુકત માગણીને હું કોઈ પણ અગ્રણીએ ધ્યાન ઉપર લીધી નહોતી, 124 એ અરસામાં ઉપર જણાવેલ દ્રિપક્ષી કરારનામા સામે દિગંબર é સમાજમાં તીવ્ર આંદોલન ઊભું થયું હતું અને એપ્રિલ કે મે માસના અરસામાં આ કરારનામાના વિરોધમાં એક લાખ દિગંબર જૈનોનું દિલ્હીમાં એક પ્રચંડ સરઘસ નીકળ્યું હતું અને તે સરઘસ શ્રીમાન શાહુ શાન્તિ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રબુદ્ધ જીવન પ્રસાદ જૈનના નેતૃત્વ નીચે એ વખતના આપણા મહાઅમાત્ય સ્વ: લાલબહાદુર શાસ્ત્રીને મળ્યું હતું. પરિણામે આ બાબતમાં ફરીથી વિચાર કરવા માટે બિહાર સરકારને સક્રિય બનવાની ફરજ પડી હતી અને તેના મુખ્ય પ્રધાન શ્રી કૃષ્ણવલ્લભ સહાય અને બન્ને પક્ષના આગેવાનો વચ્ચે પટણા ખાતે બે મીટિંગા ગોઠવાઈ હતી અને બન્ને પક્ષાએ મળીને ત્રિપક્ષી કરારનામાના ખરડો નકકી કરીને શ્રી કૃષ્ણસહાયને ફરીથી મળવું એમ છેવટની મીટીંગ વખતે નકકી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દિગંબર તીર્થક્ષેત્ર સમિતિના આગેવાન તરફથી આવા એક ખરડો ઘડીને શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ઉપર મોકલવામાં આવ્યો હતો, પણ મળેલી ખબર મુજબ શેઠ કસ્તુરભાઈ તરફથી એ બાબત અંગે કોઈ સંતોષજનક પ્રતિધ્વનિ પ્રાપ્ત થયો નહોતો. જો સમેતિશખર પહાડ ઉપર માત્ર તીર્થ પુરતો દિગંબરોને પણ શ્વેતાંબરો જેટલા અધિકાર છે એ હકીકતના સ્વીકાર કરવામાં આવે તે એ ખરડામાંથી સમાધાનીની ભૂમિકા જરૂર ઊભી થઈ શકી હોત એમ હું ધારું છું અને એમ થયું હોત તો એ કેટલુંબધું આવકારપાત્ર લેખાત? પણ શ્વે. મૂ. વિભાગના આગેવાના બિહાર સરકાર સાથે કરેલા કરારનામા ઉપર મકકમ રહ્યા અને એ કરારનામું પેાતાના વિભાગને જોઈતા હકકો અબાધિત રીતે આપતું હાય તો પછી નવા કોઈ પણ લેખિત કરાર કરીને અન્ય વિભાગને જરા પણ નમતું શા માટે આપવું એવી વૃત્તિ તેમનામાં કાયમ રહી, જયારે દિગંબર આગેવાનોને આ દિશાએ લગભગ નિરાશા સાંપડી ત્યારે તેમણે બિહાર સરકાર સાથે સીધી વાટાઘાટો શરૂ કરી અને તેનું પરિણામ તાજેતરમાં ઑગસ્ટની પાંચમી તારીખે બિહાર સરકાર અને દિગંબર સમાજ વચ્ચે થયેલા કરારનામામાં આવ્યું છે. (આ કરારનામાના અનુવાદ આ અંકના પ્રારંભમાં આપવામાં આવ્યો છે.) ૧૯૬૫ ફેબ્રુઆરીની પાંચમી તારીખે કરવામાં આવેલ કરારનામાએ માત્ર શ્વે. મૂ. સમુદાયને જે સુવાંગ હકક આપ્યા હતા તે હકકમાં આ નવા કરારનામાએ દિગંબર સમાજને ભાગીદાર બનાવેલ છે. જે હકકો શ્વેતાંબર સમાજના આગેવાન દિગંબર સમાજને graceથી —ખેલદિલીથી આપી શકયા હોત અને તે દ્નારા પરસ્પરની એકતા વધારે સુદઢ થઈ હોત, તે હકકોનો હવે ફરિજયાતપણે સ્વીકાર કરવાની કફોડી અને આત્મગૌરવને ઝાંખપ લગાડે તેવી સ્થિતિ આ નવા કરારનામાએ શ્વે. મૂ. સમુદાય માટે ઊભી કરી છે અને પરિણામે બન્ને વચ્ચે સંઘર્ષનાં નવાં મૂળ રોપાયાં છે. જેને મન જૈન સમાજની એકતાનું સવિશેષ મહત્ત્વ છે તેને મન ત્રિપક્ષી કરારનામું એ જ પ્રસ્તુત સમસ્યાનો સાચો ઉકેલ હતા અને તેથી બિહાર સરકારે જૈન શ્વે. મૂ. સમુદાય સાથે કરેલું કેવળ એકપક્ષી કરારનામું જેમ કોઈ સંતોષનો વિષય બન્યા નહોતા તેમ બિહાર સરકારે શ્વે. મૂ. સમુદાયને બાજુએ રાખીને દિગંબર સમુદાય સાથે જે કરારનામું કર્યું તે પણ કોઈ ખાસ સંતોષનો વિષય બની ન જ શકે. જે સરકાર દોઢ વર્ષ પહેલાં અમુક વિભાગ સાથે એક પ્રકારનું કરારનામું કરે છે તે જ સરકાર તેના પ્રતિસ્પર્ધી લેખાતા અન્ય વિભાગ સાથે તે કરારનામાના impita...isની—સૂચિત અર્થાની—અવગણના કરતું દોઢ વર્ષ બાદ બીજું કરારનામું કરી શકે એ ન સમજી શકાય કે ન કલ્પી શકાય એવી એક વિચિત્ર ઘટના છે. સરકારી બેજવાબદારી તથા ધૃષ્ટતાનેા આ એક અજબ નમૂના છે. આવી ઘટના આગળના કરારનામા તથા પછીના કરારનામા વિષે સ્વાભાવિક રીતે મનમાં અનેક તર્કવિતર્કો પેદા કરે છે. તા. ૧-૯-૧ ઉપર ગોઠવવામાં આવ્યા હતા, અને અન્ય આગેવાન સાથે કાગ્રેસી નેતા શ્રી કે. કે. શાહને માનપત્ર આપવામાં આવ્યું હતું. આજે જાણે કે એ બધું કર્યું કારવ્યું ધુળ મળી ગયું એવી ભોંઠપના અનુભવ કરાવતી મનેાદશા કુદરતે એ પક્ષ માટે પેદા કરી છે. જો અગમચેતી વાપરીને વિજેતા બનેલા પક્ષે અન્ય પક્ષ સાથે પ્રેમ, સદ્ભાવ અને ભાઈચારાનો હાથ લંબાવ્યો હોત તો શું આ દુર્દશા અટકાવી શકાઈ ન હોત? શું આજે જે ફરજિયાત સ્વીકારવાની સ્થિતિ તે પક્ષ માટે પેદા થઈ છેતે કરતાં હળવી શરતાએ બે પક્ષો વચ્ચે સમાધાની નિર્માણ થઈ શકી ન હોત? આ ઉપરથી શ્વે. મૂ. વિભાગના આગેવાનોએ ધડો લેવા ઘટે છે કે આ આખો ઝગડો ઉભયમાન્ય એવા અમુક એક તીર્થ ઉપરના એક પક્ષે માની લીધેલા માલેકી હકકમાંથી પેદા થયા છે. આ સંબંધમાં કોઈ પણ કોર્ટના ચુકાદા અથવા તે સત્તારૂઢ સરકાર સાથેનું કરારનામું કોઈ પણ એક પક્ષને સુવાંગ હકકો આપે તે પણ તેના ઉપર મુસ્તાક રહેવું, અણનમ વલણ ધારણ કરવું અને અન્ય પક્ષની વ્યાજબી માગણીઓ સામે માં ફેરવવું એમાં ન્યાયબુદ્ધિ તે નથી જ, પણ ડડહાપણ કે શાણપણ પણ નથી. કુદરતને આવી અસમ પરિસ્થિતિ લાંબા વખત માન્ય બની શકતી નથી, અને પરિણામે એકમેક સાથે ટકરાતી નવી પરિસ્થિતિઓ, નવા આઘાત પ્રત્યાઘાત અને અવનવા સંઘર્ષો પેદા થવા માંડે છે. અને કુદરત પણ આપણી કેવી ઠેકડી કરે છે! ગઈ કાલે મૅનકેન પ્રકારેણ અમુક સિદ્ધિ હાંસલ કરીને એક પક્ષ મલકાયા; તેણે આનંદપ્રમાદ માન્યો—મનાવ્યા; માનસન્માનનાં પરસ્પર વિતરણ કર્યાં; હજુ ગયા જુલાઈ માસની ૧૭મી તારીખે માલેગાંવ ખાતે આ જ સિદ્ધિને ઊંજવવા માટે એક સન્માનસમારંભ મોટા પાયા તો પછી કરવું શું? આ દૂષિત વર્તુલને ચાલવા દેવું કે તેના અન્ય આણવા એ પ્રશ્ન આપણ સર્વની સામે આવીને ઊભા રહે છે. કેવળ માની લીધેલા હકકની રક્ષાનું મહત્ત્વ વધારે છેકે સુલેહશાન્તિ અને સદ્ ભાવભર્યા સહઅસ્તિત્વનું મહત્ત્વ વધારે છે એ પ્રશ્ન આ આલાચનામાંથી ઉપસ્થિત થાય છે. ડહાપણ એમાં છે કે કાળના એંધાણ પરખીને, વાસ્તવિકતાના સ્વીકાર કરવા, દિગંબર જૈને સાથે કરવામાં આવેલા કરારનામાને જેવું છે તેવું શ્વે. મૂ. સમુદાયે તત્કાળ સ્વીકારી લેવું અને તેમાં કોઈ મહત્ત્વનો ફેરફાર કરાવવાનું જરૂરી લાગે તે બન્નેએ સાથે મળીને બિહાર સરકાર સમક્ષ રજૂઆત કરીને તે ફેરફાર મંજૂર કરાવવા પ્રયત્ન કરવા અને દેરીઓ તથા ધર્મસ્થાના તેમ જ તેની આસપાસના અડધા માઈલના ક્ષેત્રફળ ઉપર જે પ્રકારના બન્ને પક્ષને સમાન અધિકાર છે તેના વહીવટ કરવા માટે એક સંયુકત સમિતિ નીમવી અને એ રીતે પ્રસ્તુત તીર્થને લગતા બધા સંઘર્ષના અન્ય આણવા. આ ડહાપણ અને દુરંદેશી આપણા આગેવાનો દાખવી શકશે ખરા? આ નોંધ પૂરી કરતાં પહેલાં સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ નોંધ પ્રસ્તુત નવા કરારનામાની કોઈ આલોચના નથી, પણ આ નવા કરારનામાએ ઊભી કરેલી પરિસ્થિતિની આલાચના છે. પ્રસ્તુત કરારનામાની આલોચના એક સ્વતંત્ર નોંધની અપેક્ષા રાખે છે, જે કદાચ આગળ ઉપર કરવામાં આવશે. પરમાનંદ વિષયસૂચિ ભગવાન મહાવીર વિષે વિનોબાજીનું ચિંતન - વિનોબા સમેતિશખર પહાડ અંગે : બિહાર સરકાર અને ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થક્ષેત્ર કમિટી વચ્ચે કરવામાં આવેલું કરારનામું. સમેતશિખરની સમસ્યામાં ફ છૂટેલા નવા ફણગા, દિગંબરો સાથેના કરારનામાએ ઊભી કરેલી નવી પરિસ્થિતિ. તમે પુનર્જન્મમાં માના છે ? . પરમાનંદ પરમાનંદ પૃષ્ઠ નમ્ર નિવેદન સ્વાતંત્ર્યદિનના રોજ રાષ્ટ્રપતિએ પ્રજાજૉગ ડૉ. સર્વપલ્લી પાઠવેલું તલસ્પર્શી પ્રવચન. રાધાકૃષ્ણન વીરચંદ શેઠ ધર્મપલટો : બહુપત્નીત્વ વિરોધી કાયદાની આ છટકબારી સરકાર સત્વર બંધ કરે. વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ ૮૫ ८८ ૮૯ પ્રો. એચ. એન. ૯૧ બેનરજી ૯૩ ૯૪ ૯૫ દ 6 Page #177 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૯-૯ પ્રબુદ્ધ જીવન " ત મે પુ ના જન્મ માં મા નો છે? : - આ મથાળા નીચે “ઈલસ્ટ્રેટેડ વીક્લીના જલાઈ ૧૦મીના ઈશુએ કહ્યું: ‘એ પોતે કે એનાં માતાપિતા કોઈ જ પાપી અંમાં પ્રગટ થયેલા રાજસ્થાન યુનિવર્સિટીમાં “પરે-સાઈકોલોજી' નથી. પણ ભગવાનનો સંકેત પૂર્ણ કરવાનું એને ભાગે આવ્યું છે.' વિષયના અધ્યાપક શ્રી એચ. એન. બેનરજીના લેખને શ્રી મૃણાલિની- ખ્રિસ્તીધર્મમાં પુનર્જન્મને માન્યતા આપી નથી એમ કહેબહેન દેસાઈએ કરી આપે અને થોડો ટુંકાવેલ અનુવાદ નીચે પ્રગટ વામાં આવે છે. છતાં કેટલાક વિદ્વાનેએ બાઈબલમાંથી પુનર્જન્મનું કરતાં આનંદ થાય છે. આ શ્રી એચ.એન. બેનરજીને તા. ૧૬-૫-૬૬ના સમર્થન કરે એવાં કેટલાંક ઉતારા શોધ્યાં છે. તેમ જ કુરાનમાંથી પણ ‘પ્રબુદ્ધજીવનમાં પરિચય આપવામાં આવ્યું હતું. રાજસ્થાન એવા ઉતારા કેટલાક પંડિતોએ ટાંકયા છે. દાખલા તરીકે યુનિવર્સિટીએ પુનર્જન્મના વિષય ઉપર વૈજ્ઞાનિક સંશોધન માટે (૧) “માટીમાંથી તને ઘડ. એ જ માટીમાં અમે તને વિદાય શ્રી બેનરજીની ખાસ નિમણૂંક કરી છે. જણાવતાં સવિશેષ આનંદ કર્યો છે. એ જ માટીમાંથી ફરીવાર તારું નવું નિર્માણ થશે.” થાય છે કે આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા (૨) જુઓ, માટીમાંથી એણે કેવા કેવા જીવ નિર્માણ કર્યા છે. માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી શ્રી બેનરજીને આપવામાં અને પછી પણ એ એમને ફરી વાર જીવન આપશે. કારણ કે એ આવેલા નિમંત્રણને તેમણે સ્વીકાર કર્યો છે અને તેઓ “અતીન્દ્રિય (પરમેશ્વર) સર્વશકિતમાન છે.” અનુભૂતિ” ઉપર સપ્ટેમ્બર માસની ૧૬મી તથા ૧૭મીના રોજ આજના વિજ્ઞાનયુગમાં આ વિષય પર સ્વતંત્ર વિચાર કરવાની સવારના ભાગમાં અનુક્રમે બે વ્યાખ્યાને આપવાના છે. તંત્રી વૃત્તિવાળા ઘણા વિદ્વાને છે. પુનર્જન્મ એ એક માન્યતા નહિ ‘પુનર્જન્મ હોય ખરો ?' આ પ્રશ્નને નિશ્ચિત “હા” કે પરંતુ વૈજ્ઞાનિક સત્ય સાથે બંધબેસતી હકીકત છે કે કેમ એ ‘ના’ જવાબ આપી દેવા એ સહેલી વાત નથી. એ અશકય જ છે શોધવાના પ્રયાસે આ લોકો કરી રહ્યા છે. શકિત સાચવી રાખએમ કહેવું અથવા તે એ તદ્દન સહજ પ્રક્રિયા છે–પુનર્જન્મ વાને જે વિજ્ઞાનને ધર્મ છે, નષ્ટ થયેલી શકિતની જગ્યા ખાલી આપણે બધાંને લેવાનું જ છે એ બંને જાતનાં વિધાને પૂર્ણ લાગતાં નથી રહેતી એ વિશ્વચૈતન્યને (Cosmic energy) સિદ્ધ નિયમ નથી. એ બેમાંથી એકની પણ કારણ–મીમાંસા સંતોષ આપે એવી છે, તે નિયમ અનુસાર ચાલતા વિશ્વવ્યવહારમાં જે અસમાનતા, નથી કરી શકાતી. ભેદભાવ વગેરે જણાય છે તેનું કારણ શોધવા માટે પુનર્જન્મ જેવી જ પુનર્જન્મ પર વિશ્વાસ રાખવો અથવા એમાં ન માનવું માન્યતાને આધાર લેવો પડશે એમ કેટલીક વાર જણાય છે. દુષ્ટ એમાં સિદ્ધાંતનું અને પ્રત્યક્ષ પ્રમાણનું—એમ બે દષ્ટિબિન્દુ હોઈ લેકો આ દુનિયામાં સુખ પામે અને સજજનેને ભાગે દુ:ખ આવે– શકે. માન્યતાની બધી બાજુએ કસોટીપર ચકાસી જોવી જોઈએ. એ વિસંગતિને રદિયો પુનર્જન્મ તરત આપે છે. નિર્દોષ - સિદ્ધાંતની દષ્ટિએ પુનર્જન્મ વિશે વિચારવું હોય તે હિંદુ બાળકો મૃત્યુ કેમ પામે....સરળ રસ્તે જનાર આફતમાં સપડાય બૌદ્ધ અને જૈન ધર્મો પુનર્જન્મમાં માને છે. માનવીસંસ્કૃતિના અને કાવાદાવા કરનારા ઊંચે ચડે–એ બધાંની કારણપરંપરા પુનઆરંભકાળથી એ માન્યતા અબાધિત રહી છે. સંસ્કૃતિકાળની પ્રાથ- ર્જન્મ’ સ્પષ્ટ કરી શકે છે. વિશ્વશકિતના આવિષ્કારનું સાતત્ય અને મિક અવસ્થાથી માંડી નવયુગના ફિસૂફ સુધી બધાં એ માને છે. એકસૂત્ર પણ એ માન્યતાથી સરળ બને છે. સુખદુ:ખ, યશ–અપયશ એ લોકોનું માનવું છે કે: એવાં દ્રોમાંથી પસાર થતો આત્મા આખરે “આત્મતત્વને ઓળખી (૧) દેહ નાશ પામે છે, પરંતુ માનવીનું વ્યકિતત્વ એની અંતિમ સત્ય પામે છે એ આ માન્યતાનું તત્ત્વ છે. સાથે નાશ પામતું નથી. આ માન્યતાની વિરુદ્ધ જે પક્ષ છે તેમને આ ઉપર આપેલી (૨) માનવીના વ્યકિતત્વનું પ્રણતત્વ–આત્મા–એ તે અમર કારણપરંપરા માન્ય નથી. એ પક્ષમાં પણ બે માન્યતા છે. પુનઅને અવિનાશી છે. એ સાક્ષાત પ્રભુનો અંશ છે. . રુત્થાનને-કયામતને-માનનારા લોકો પુનર્જન્મ માનતા નથી. પારસી, (૩) આત્મા વિશેના અજ્ઞાનમાંથી આપણે જે ભૂલો કરીએ મુસલમાન અને ખ્રિસ્તી લોકો કયામતમાં માને છે. પોતાનાં કરેલાં છીએ એમાંથી માનવજીવનમાં વિષમતા, ભેદભાવ અને દુ:ખ નિર્માણ કર્મનું ફળ ભેગવવા માણસ ફરી જન્મ નથી લેત, પણ પોતાનાં થાય છે. ' ' '' , કૃતકર્મો સાથે રાખી એ કયામતના દિવસની રાહ જોઈ પિતાની (૪) સદ્વર્તન, જ્ઞાન અને શ્રદ્ધાથી આત્મા પોતાની ઉન્નતિ કબરમાં રહે છે. એક દિવસ અંતિમ ન્યાય આપવા માટે પરમેશ્વર સાધી આદિતત્ત્વ સાથેની એની અભેદતા જાણવા પામે છે. ', ' ન્યાયાસને બેસશે ત્યારે પ્રાણીમાત્ર પોતે કાયા, વાચા અને મનથી - ઈતિહાસની દષ્ટિએ જોતાં, વેદની ઋચાઓમાં પણ પુન કરેલા કર્મને જવાબ ત્યાં આપશે અને કર્માનુસાર તે સ્વર્ગ અથવા ર્જન્મને સ્થાન આપવામાં આવ્યું છે એમ જણાઈ આવશે. મનુ- નરક પામશે એવી આ માન્યતા છે. ' સ્કૃતિ અને પુરાણોમાં પણ એ માન્યતાને ટેકો આપવામાં આવેલ વિજ્ઞાનના અભ્યાસીઓ આ આખે પ્રશ્ન શરીરવિજ્ઞાનની છે. માત્ર ભારતમાં જ આ માન્યતા પ્રચલિત હતી એમ નહિ, પણ કસોટીપર ચકાસી જોવા માગે છે. ચૈતન્ય અને વ્યકિતત્વનું કેટલાક યહુદી અને પાયથાગોરસના અનુગામી ગ્રીક તત્ત્વવેત્તાઓ નિર્માણ, પ્રગતિ અને સાતત્યમાં કોઈક નિશ્ચિત યંત્રણા કામ કરે છે પણ પુનર્જન્મને માને છે. આ એમ એ માને છે. વિચાર નિર્માણ થવાની સાથે મસ્તિષ્કમાં - આધુનિક ખ્રિસ્તીઓ પુનર્જન્મના વિચારને માનતા નથી. નિશ્ચિત પ્રકારની હલનચલનસ્કુરણાદિ ક્રિયાઓ થાય છે. મન અને છતાં ખ્રિસ્તી ધર્મ અનુસરનારાં કેટલાંક જૂનાં જૂથે એ માનતા હતા. શરીરને આ જાતને અત્યંત નિકટના સંબંધ હવે જગતમાં માન્ય સેંટ જહોનના ગેમ્પલના ૧૦મા પ્રકરણને આ ભાગ જુએ. થયો છે. ઉત્ક્રાંતિના નિયમ મુજબ ચેતના અને વિકસતું મગજ એ પુનર્જન્મને માન્યતા આપ્યા વગર એનું સ્પષ્ટીકરણ જ આપી ન બે વચ્ચે અભેદ જે સંબંધ સિદ્ધ થશે છે. માનસશાસ્ત્રીય શકાય. એમાં એ લખે છે, “ભગવાન ઈશુ ત્યાંથી જતા હતા ત્યારે ચિકિત્સાના વિવિધ ક્ષેત્રમાં (neurology, neuroanatomy, એમણે એક જન્માંધને જો. એમના શિષ્યોએ એમને પૂછયું, ‘સ્વામી, psychiatry, clinical psychology) પણ માનવશરીર કોના પાપનું ફળ આ અંધ જોગવી રહ્યો છે? એ પોતે પાપી અને માનસને પરસ્પર સંબંધ અત્યંત નિકટને અને અગત્યનો છે હશે ? એનાં માતાપિતાએ પાપ કર્યું હશે ? શાને લીધે એ જન્મથી તે અનુભવથી સિદ્ધ થઈ ચૂક્યું છે. એટલે વિચારકોને લાગે છે કે અંધ બને?” ' ' . . . . ! = ': '': | :: સામાન્ય માનવીની સ્મરણશકિત એના શારીરિક વિકાસ પર નિર્ભર Page #178 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૧૦ હોય છે. આ વિચારપરંપરાને અનુસરનારને વ્યકિતત્વનો “અશરીર એ એક વિભાગ પૂર્વજીવન સાથેની સ્મૃતિ જાળવી બીજો દેહ ધારણ કરે એ માત્ર ધાર્મિક વૃત્તિવાળાની ભેળી ભાવના લાગે છે. નક્કર હકીકતને તેમને એમાં અંશ પણ જણાતો નથી. વૈજ્ઞાનિક દષ્ટિબિન્દુને પણ એક બીજું પાસું છે. વિજ્ઞાનની અંદર જે જે નવી શોધખોળ થઈ છે તેથી વિજ્ઞાનના ઉપાસકો પિતાનું સંપૂર્ણ ભૌતિક દષ્ટિબિંદુ બદલી વિશાળ દષ્ટિએ જીવન અંગે વિચારવા માગે છે. માનસચિકિત્સામાં માનવી-મનોવ્યાપારના કેટલાક એવા દાખલા મળી આવે છે કે જેનું સ્પષ્ટીકરણ શરીરશાસ્ત્રની કક્ષામાં પ્રાપ્ત થતું નથી, એટલું જ નહિ પણ, માનસચિકિત્સકોએ એવા કેટલાક મુદ્દા નક્કર પાયા પર વિજ્ઞાન સમક્ષ મૂકયા છે કે જે જોતાં શરીરથી પર એવી કોઈ શકિત મનોવ્યાપારના દોર સાચવે છે એવું માનવું પડે એમ લાગે છે. અને પુનર્જન્મ એ માત્ર ભેળી ભાવના. મટી હકીકતનું રૂપ લે એવી શકયતાઓ નિર્માણ થાય છે. માત્ર એક સિદ્ધાંત તરીકે નહીં પણ અનુભવસિદ્ધ હકીકતની દષ્ટિએ પુનર્જન્મના પ્રશ્નની તપાસ કરી એ બાબતને વિચાર કરવા જેવું છે. માનસચિકિત્સકો વૈજ્ઞાનિક દષ્ટિબિંદુથી એવા કેટલાક અનુભવો ભેગા કરી એના પર સંશોધન કરે છે. પુનર્જન્મના કેટલાક પ્રત્યક્ષ કહેવાતા દાખલાઓને અભ્યાસ કરી એમાં મળતા મુદ્દાઓ સ્પષ્ટ કરવાના પ્રયાસ એ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. કોઈ પણ જાતના સંશોધન માટે આપણી પાસે હકીકતોની ચક્કસ ભૂમિકા જરૂરી છે. કેટલીક વાર નાના બચ્ચાંઓ પિતાના પૂર્વ જીવનની વાત કરે છે–એ બાબતની વ્યવસ્થિત નોંધ લેવામાં આવે છે. એવી વાતેમાંથી પુનર્જન્મ વિશે કાંઈક જાણવા મળશે કે કેમ એ અંગે સંશોધન ચાલે છે. પિતાના પૂર્વજન્મની વાત કેટલાક કરે છે તેવા સમાચાર ઘણીવાર મળે છે. પુનર્જન્મમાં માને એવા લોકો બહુ સરળતાથી એવી વાત સ્વીકારે છે, પણ જે લોકો એમાં ન માને તેઓ એવી વાતને ગણકારતા નથી. વૈજ્ઞાનિકની રીત આ બંનેથી જુદી હોય છે. એ પ્રત્યક્ષ પ્રમાણદ્વારા પ્રાપ્ત થયેલી હકીકતેની નોંધ લે છે. અને કોઈ પણ પૂર્વગ્રહ વગર એમાંથી કોઈ નિર્ણય અથવા અનુમાન ઉપર આવવાને પ્રયાસ કરે છે. એક રહસ્યપૂર્ણ કિસ્સો અમારી પાસે કહેવાતા પુનર્જન્મ અંગેના કેટલાક કિસ્સાઓ આવે છે તેમાં આ એક ધ્યાન ખેંચી લે એવો મહત્વને કિસ્સો છે. " નિસાટી ઉન લુકાસ કિરન - જેને આપણે ખાલી નિસાટી કહીશું એ ૧૭ વર્ષને યુવાન છે. “અદના” નામનું એક ગામ તુર્કસ્તાનમાં – આવેલું છે. ત્યાં એક સાધારણ સ્થિતિના આરબ કુટુંબમાં આ છોકરાને જન્મ થયો હતો. આ લેખમાં આપેલા કિસ્સામાં જેને માબાપે છોકરાનું નામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પૂર્વભવને મલિક પાડ્યું. પણ નસિબ બુદાર્ક' છે. ' બે જ દિવસ પછી એની માતા સેસિલીને સ્વપ્ન આવ્યું તેમાં આ બાળકે 'પિતાનું નામ મલિક નહીં પણ રેસિપ પાડવાનું બહુ આગ્રહથી કહ્યું. પાસેના સગામાં નેસિપ નામને એક છોકરો હતો. અને એ જ નામ ફરી પાડવું અપશુકન જેવું ગણાય એટલે એ માબાપે મલિક નામ બદલી નિસાટી એવું નામ પાડયું. છોકરો જયારે બોલવા જેવી ઉમરે પહોંચ્યો ત્યારે એ પિતાના પૂર્વજન્મની વાત કરવા લાગ્યો. પિતાનું પૂર્વજન્મનું નામ નેસિપ બુદાક હતું એમ એણે જણાવ્યું. એ મર્સિન ગામમાં રહેતો હતો, અને એનું ખૂન કરવામાં આવ્યું હતું એમ પણ એ કહેતે. જરા મોટો થયા પછી આ જ હકીકતની વિગત એણે આપી. મસિન ગામને આ રેસિપ બુદાક પરણેલો હતો. ઘણાં છોકરાઓને પિતા હતો. એની પત્નીનું નામ ઝહેરા હતું. નાનકડો નજાત એનો બહુ લાડીલો છોકરો હતો. એ એને ખભે ઊંચકીને ફરતે. અહમદ રેંકિલા નામના શખ્સ નેસિપે રહા લાવવાની ના પાડી તેથી ઝઘડો કરી નેસિપી પર છરીના ઘા કર્યા ને એનું ખૂન કર્યું. માથાના પાછલા ભાગમાં, માં પર, ભમ્મર પર, છાતી અને પેટ પર તેણે છરીના ઘા કર્યા હતા, અને નવાઈની વાત એ છે કે આ નિસાટી નામના છોકરાના શરીર પર જન્મથી જ આ બધી જગ્યાએ રૂઝાયેલા ઘાની નિશાનીઓ મોજૂદ છે. - નિસાટીને હવે તે બધાં નેસિપ જ કહેવા લાગ્યાં. નેસિપ બુદા કનું કુટુંબ આખું હેમખેમ છે. અને જ્યારે આ નિસાટી ઉર્ફે નેસિપ દિવંગત નેસિપ બુદાકને ઘેર ગયો ત્યારે ઝહીરાને તે બરાબર ઓળખી શક, બધા છોકરાઓને તેણે નામથી બોલાવ્યા, માત્ર નાની છોકરી, જેને જન્મ એના મૃત્યુ પછી થયો હતો અને એ ઓળખી ન શકો. ઝહેરા સાથે એકવાર ઝઘડયો હતો ને એના પગ પર એણે પ્રહાર કર્યો હતો એ એને યાદ આવ્યું અને સાચે જ એ નિશાની પણ એ બાઈના પગ પર હતી ! જ્યારે નેસિપ બુદાકને કબ્રસ્તાનમાં લઈ ગયા ત્યારે સખત વરસાદ હતો એમ પણ એણે કહ્યું અને એ વાત તદ્દન સાચી છે એમ ઝહેરાએ કબૂલ કર્યું. આમ બનતાં આ બધી વાત એક રહસ્ય જેવી લાગવા માંડી. આ આખી વાતમાં નીચેના મુદ્દાઓની ખાસ નોંધ લેવી પડે . એમ છે. (૧) નિસાટીનું જન્મસ્થાન અદના અને નેસિપનું ગામ મસિન, બે ગામ વચ્ચેનું અંતર ૭૫ કિ. મિટર જેટલું છે. (૨) બંને સંબંધિત કુટુંબે એક બીજાથી તદૃન અપરિચિત હતા (૩) પોતાનાં સંસ્મરણો કહેતા પહેલાં નેસાટી ઉર્ફે નેસિપ કોઈ દિવસ મસિન ગામે ગયો નહોતો. (૪) આ લોકવિલક્ષણ ઘટના પછી આ બે કુટુંબો વચ્ચે કલેશભાવ નિર્માણ થયો છે. . આ આખો દાખલ તપાસી જોયા પછી શું માનવું? જેને પુનર્જન્મમાં બિલકુલ વિશ્વાસ આ લેખમાં આપેલા કિસ્સામાં જેને નથી તે તરતજ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આજે કહેશે કે આ બધું વિદ્યમાન ‘નેસાટી ઉલુકાસકિરણ, છે ધતિંગ છે. પ્રસિદ્ધિ મનોર Page #179 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯-૧૬ માટે બે કુટુંબીઓએ મળી આ જાળ રચી છે અથવા તો મજાક કે એવા જ કોઈ હેતુ એની પાછળ છે. પરંતુ પરિસ્થિતિ જેમાં એવું કહી નાખવું બરાબર ના ગણાય. જરૂરી તપાસ કર્યા પછી બે કુટુંબા તદ્દન અપરિચિત હતાં એ હકીકત પુરવાર થઈ છે. આ બનાવ પછી લોકોની પૂછપરછથી બંને કુટુંબ કંટાળી ગયા છે અને એ બે વચ્ચે કોઈ પણ જાતના ભાવ રહ્યો નથી. નેસાટીના માબાપને એ અંગેના સમાચારો ફ્લાય, પૂછપરછ થાય એ પ્રત્યે નફરત છે. પ્રબુદ્ધ જીવન કેટલાક માણસા આ દાખલા પર વિચાર કરી એમ કહેશે કે વિચાર વહનના (telepathy) આ એક પ્રકાર હોઈ શકે. પરંતુ આ મત પણ પાયાવિનાના કહેવાય. કારણ કે નિસાટીમાં એ જાતની કોઈ શકિત કે આવડત હોવાના બીજો કોઈ પુરાવા નથી. અને કદાચ એ શકિત એનામાં હોય તે પણ ખુદાક કુટુંબની વ્યકિતઓને એણે જે રીતે બરાબર ઓળખી કાઢી, એમના સહવાસમાં એ જે રીતે રહેવા માગતા હતા તે બધાંનું સ્પષ્ટીકરણ ‘વિચાર વહન” ના આપી શકે. સ્વામિત્વ જમાવવાની વૃત્તિ આની પાછળ છે એમ પણ કોઈ કહેશે. નિસાટીના મન પર નેસિપે કાબૂ મેળવ્યો (જેમ કોઈના શરીરમાં કોઈ પ્રેત સંચરે અથવા કોઈને ભૂતબાધા થાય તેમ) પરંતુ આવા સંચાર (એમાં માનવું હોય તો) અમુક વખત સુધી જ ચાલે અને એ ચાલે ત્યાં સુધી જ નિસાટી નેસિપ જેવું વર્તન રાખે. પરંતુ આ તે પ્રારંભથી જ આ બધી વિગતો નિસાટી કહેતો રહ્યો છે, એનું મગજ સારી પેઠે સ્થિર છે, એને કોઈ પણ વળગાડ હોય એવું એનું વર્તન નથી. ‘અવગતિયા જીવ’ તરીકે પણ કોઈ એને ગણે. પરંતુ એવી માન્યતામાં બેસે એવા આ ‘જીવ’ નથી. છતાં મૃત્યુ પછી પણ આ લાકમાં આ જીવ રહ્યો છે એવું કાંઈક માનવા જેવું ખરું. છતાં આ બધાં પર્યાયોમાંથી એક પણ પર્યાય ! દાખલામાં બંધબેસતા નથી એ તા ચોક્કસ છે. એ દરેક પર્યાય સામે મૂકી શકાય એવા નક્કર પુરાવા આ હકીકતમાં છે. માનસશાસ્ત્રચિકિત્સા (Parapsychology) આ એક વિજ્ઞાન છે. એની કસોટીપર જ્યારે આ દાખલા મુકાય ત્યારે કોઈ પણ પૂર્વગ્રહ, માન્યતા, કે વિશ્વાસને એમાં સ્થાન ના હોઈ શકે. એ બાબત જે કાંઈ કહેવું હોય તેની પાછળ વિજ્ઞાને સિદ્ધ કરેલા સિદ્ધાંત હોય તો જ કાંઈક કહીં શકાય. આ વિજ્ઞાનની શિસ્ત છે. કોઈ પણ મુદ્દો એમાં કાઢી નાંખવા જેવા નથી કે કોઈ માની લેવા જેવા પણ નથી. સંપૂર્ણ સંશોધનને અંતે જે સત્ય તારવી શકાશે તે જ શાસ્ત્ર માન્ય રાખશે. અનુવાદ : શ્રી મૃણાલિનીબહેન દેસાઈ એક ચિકિત્સક તરીકે મને એમ લાગે છે કે આ બાબતનો કોઈ પણ ખુલાસા આજે આપણી પાસે નથી ત્યારે આ નિસાટીના કહેવાતા પુનર્જન્મની કથા એ આપણી સામેના એક કૂટ પ્રશ્ન બને છે. એ આખી ઘટના પર પ્રશ્નચિહ્ન લટકે છે. જવાબ હજુ જડતા નથી, છતાં એ જવાબ છે—એ ચોક્કસ છે. એ શું છે એ વાત જુદી. એના પર મહેનતપૂર્વક સંશોધન કરી એ શોધવા જોઈએ. માનસશાસ્ત્રના ચિકિત્સકોને આ એક પડકાર છે. એઓ આ આવ્હાન સ્વીકારશે અને સત્યપરનું આવરણ દૂર કરશે. મૂળ અંગ્રેજી : પ્રા. એચ. એન. બેનરજી “શેઠજી, તમારી પાધડી ભેંસ ચાવી ગઇ” એક વાણિયા અને ખેડૂત વચ્ચે કોઈ બાબતમાં તકરાર થઈ. તકરાર કાજી પાસે ગઈ. વાણિયાએ કાજીને છૂપી રીતે રૂા. ૧૦૦ની નોટ પહોંચાડી. ખેડૂતને આ બાબતની ખબર પડી ગઈ. ખેડૂત પછીના દિવસે કાજીને ત્યાં એક ભગરી બેંશ બાંધી આવ્યો. વાણિયા કાજીને જ્યારે જ્યારે મળે ત્યારે ત્યારે સલામ કરીને કહેતા જાય કે “સાહેબ મારી પાઘડીની ખેવના કરવાનું ભૂલતા નહિ.” એમ બે ચાર વાર જ્યારે વાણિયાએ કાજીને કહ્યું ત્યારે એક દિવસ કાજીએ વાણિયાને એક ખૂણે બોલાવીને જણાવ્યું કે શેઠજી, હું શું કરું ? તમારી પાઘડી ભેશ ચાવી ગઈ!' ૪૫, ૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ-૩. દેશભરમાં લેવાતી લાંચરૂશ્વત આજે આ પ્રકારનું રૂપ ધારણ કરી રહી છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વિવિધલક્ષી પ્રવૃત્તિનાં પ્રસંશકો તેમ જ સંસ્કારી સુશોતાઓને નમ્ર નિવેદન €3 છેલ્લાં સાડત્રીશ વર્ષથી ચાલતાં અમારા સંઘનો અને સંઘ દ્રારા ચાલતી પ્રવૃત્તિઓનો પરિચય આપવાની આવશ્યકતા આજે અમને દેખાતી નથી – આમ છતાં પણ, પર્યુષણ પર્વનાં પવિત્ર અને મંગલમય દિવસોમાં આપણે સૌ બાર મહિને એકવાર ભેગા થઈએ છીએ ત્યારે સંઘની પ્રવૃત્તિઓ વિષે બે શબ્દ કહેવાનું મન થાય એ સ્વાભાવિક જ છે. વળી, સંઘની કાર્ય – જયોત અખંડપણે પ્રજલ્વિન રાખવા આપની પાસે આર્થિક સહકાર માટે પણ અમારે હાથ લંબાવવાના બાર મહિને ફ્કત આ એક જ પ્રસંગ આવે છે. ટૂંકમાં અમારી પ્રવૃત્તિઓ આ છે: (૧) પર્યુષણ વ્યાખ્યાનમાળા, (૨) પાક્ષિક પત્ર—‘પ્રબુદ્ધ જીવન’ (૩) સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય (૪) નાતજાતના ભેદભાવ વિના અપાતી વૈદ્યકીય રાહત (૫) વૈદ્યકીય સારવારનાં સાધનો (૬) વિશિષ્ટ વ્યકિતઓની સાથે મિલન-વાર્તાલાપ (૭) નાનાં મોટાં પર્યટન - પ્રવાસો ઉપરની દરેક પ્રવૃત્તિ પાછળ વર્ષ-પ્રતિવર્ષ ખર્ચ વધતો જ જાય છે. આ વર્ષે પર્યુષણ દરમ્યાન અમારી શ. ૧૫,૦૦૦ ભેગા કરવાની અપેક્ષા છે. આપ ઉપરની કોઈ પણ એક પ્રવૃત્તિમાં યા સમગ્ર પ્રવૃત્તિમાં આપની રકમ નોંધાવી શકો છે. વિનંતિ એક છે—અપીલ એક છે—આ રકમ બની શકે તેટલી મોટી આપો, જેથી અમારું લક્ષ્યાંક જલ્દી સિદ્ધ થાય. માળા છે આપ અમને નિરાશ નહિ જ કરો! 9 ચીમનલાલ જેઠાલાલ શાહ, સુમેાધભાઇ એમ. શાહ, મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ. Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ જીવન તા. ૧-૯-૧૬ સ્વાતંત્ર્યદિનના રોજ રાષ્ટ્રપતિએ પ્રજાજોગ પાઠવેલું તલસ્પશી પ્રવચન (તા. ૧૪મી ઓગસ્ટની રાત્રીએ ઑલ ઈન્ડિયા પ્રવચનના ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. આજનાં ભયસ્થાના પ્રત્યે અંગુલિનિર્દેશ કરીને આપણને સચેટ અને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. તંત્રી) આ રૅડીઓ દ્વારા પ્રસારિત કરવામાં આવેલ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પ્રવચન આપણા દેશની આજની પરિસ્થિતિને પાયામાંથી સ્પર્શે છે અને ૯૪ આપણા સ્વાતંત્ર્યદિનની ૧૯મી જયંતી પ્રસંગે ઘરઆંગણેના તથા પરદેશમાં વસતા આપણા દેશબાંધવાને કૈં કહેવાની જે તક મળી છે તેથી મને આનંદ થાય છે. આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ—આપણા માટે બધું જોઈએ તેવું સમુસૂતરું નથી તેમ છતાં હતાશ થવાની કોઈ જરૂર નથી. આપણી રોજબરોજની મથામણામાં કોલાહલ અને - વાશમાં આપણે અટવાઈ ન જઈએ તે! આપણામાં ઘણુ' એવું ઉત્તમ અને મહાન છે એના આપણને ખ્યાલ આવશે. અવિરત અને મક્કમ પ્રયત્નોથી આપણી મુશ્કેલીઓને આપણે વટાવી શકીએ એવી આપણી શ્રાદ્ધા છે. વ્યાપક દષ્ટિએ ભાવિ માર્ગ અને ઉદ્દેશોને લક્ષમાં રાખી આપણે વર્તવું જોઈએ. આપણે લેાકશાહી બંધારણ અપનાવ્યું છે. વિચાર અને વર્તનની એક્વાકયતા માટે થઈ રહેલા આગ્રહો છતાં, લોકશાહી બંધારણ આપણું વ્યકિતત્વ જાળવવામાં આપણને મદદરૂપ નીવડે છે. આને પરિણામે મહાન નહીં તે।ય ભસમાજ નિર્માણ થશે જ, અંગતની સમકાલીન પરિસ્થિતિમાં વિરોધ તથા ટીકા સહન કરી શકે તે જ સરકાર તરી, પાર ઊતરશે. આચાર વિચારમાં એકધારાપણાના આગ્રહ સેવતી સરકારો ભલે સમયપૂતિ ટકી જાય પણ તે ક્ષણજીવી જ નીવડવાની. લાશાહી રાજ્યની વિવિધ સભાએ સામાજિક સંઘર્ષોને સહ્ય બનાવે છે અને ભયજનક ઉલ્કાપાતને ટાળે છે. સક્રિય લોકશાહી માટે પ્રજાજનોએ કાયદા અને અધિકૃત સત્તાના સ્વીકારની તત્પરતા દાખવવી ઘટે. કોઈ પણ માનવી યાસમૂહ કાયદો ઠોકી બેસાડી શકે નહીં. આપણી આસપાસ નજર ફેંકીએ તે આપણને સર્વત્ર અરાજકતા ધતી જણાય છે. ક્ષુલ્લક બાબત માટે હડતાળા, દેખાવા અને ચળવળ વધી રહ્યાં છે. ખેતરો અને કારખાનાઓમાં, શિક્ષણસંસ્થાઓમાં અને સરકારી કચેરીઓમાં પ્રામાણિકતા અને ખંતથી કામ કરતા આપણા પ્રજાજનોને કંઈક ગુમાવ્યાની તથા માનભંગ થવાની ભાવનાથી અસ્વસ્થ કરી મૂકવામાં આવે છે અને એવી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરવામાં આવે છે, જેને પરિણામે તેમના જીવનનું નૈતિક બળ શિથિલ થાય છે અને રાષ્ટ્રીય માલમિલકતને નુકસાન પહોંચે છે. આપણા ઉજજવળ નામને તથા આપણી સુખાકારીને નુકસાન પહોંચે તેવું કશું આપણે ન કરવું જોઈએ. આ કપરા કાળમાં આપણ સૌની ફરજ છે કે આપણે લેાકશાહી સંસ્થાઓ અને સર્તનનું જતન કરીએ. માગનું નિરાકરણ લાવવા માટે આંદોલન જ એક માત્ર માર્ગ છેએમ મનાવું ન જોઈએ. આવતા વર્ષની શરૂઆતમાં આપણે ત્યાં સામાન્ય ચૂંટણીઓ થશે. તત્ત્વચિંતન, ધર્મ, સાહિત્ય અને કલાદ્રારા આપણી સંસ્કૃતિ પર છાપ મૂકી જનાર આપણા સંસ્કારોનું પ્રતિનિધિત્વ ધરાવનારાએ જ ધારાસભામાં આપણા પ્રતિનિધિ હાવા જોઈએ. ‘સત્યમેવ જયતે'ની આર્ષવાણી આજે વિશ્વના કરોડો માનવીઓ સ્મરે છે. અસ્ખલિત બુદ્ધિમત્તા, સામાજિક ન્યાય, નિર્બળની રક્ષા માટેની ત્રણ હજાર વર્ષો પુરાણી અવિશ્રાન્ત આર્ષવાણી આપણા ઈતિહાસની પ્રથમ પ્રબળ સંચાલક શકિત રહી છે. માનવજાતના મન અને હૃદયને સ્પર્શવાની એ શબ્દો અને વિચારોમાં શકિત રહેલી છે. આપણા રાષ્ટ્ર વતી બાલનાર આપણા પ્રતિનિધિઓ સંસ્કારી, અનાસકત, અને લોકસેવાની ભાવના ધરાવતા હોવા જોઈએ. ક્ષુલ્લક વ્યકિતગત, સ્થાનિક, જ્ઞાતિવિષયક તથા કોમવિષયક ઝઘડાઓમાં અટવાયેલા અને સત્તાલેાલુપતાને વશ થનારને અહીં સ્થાન નથી. આપણા માવડીએના શિક્ષણસંસ્કાર પર આપણા દેશનું ભાવિ અવલંબે છે. સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવર્તન માટે શિક્ષણ એક સાધન છે. આપણે જો સામાજિક અને રાષ્ટ્રીય એકતા માટે કાર્ય કરવું હોય, આપણે જો નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ સાધવા હોય, અને ખેતીવાડીમાં કે ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવું હોય તો આપણે શિક્ષણના સદુપયોગ કરવા રહ્યો. ભૂખ અને ગરીબી, રોગચાળા અને નિરક્ષરતા, વહેમ અને રીતરિવાજોની જડતા, વેડફાતાં સાધનો તથા પછાત દેશની ગરીબ પ્રજાના પ્રશ્નો—આ સર્વના તડ લાવવામાં જ્ઞાનવિજ્ઞાન સહાયભૂત બનશે. વિકાસના આપણા કાર્યક્રમાને કુંઠિત કરતા આલસ્ય અને અણુઆવડતમાંથી આપણે મુકત થવું રહ્યું. વિવિધ સ્તર પર આપણું વહીવટી તંત્ર સ્વચ્છ અને કાર્યકુશળ બનવું જોઈએ. અનાજના પ્રશ્ન વિચારીએ ; આપણા દેશની સિત્તેર ટકાથી વધુ વસ્તી ખેતીવાડીના કામમાં રોકાયેલી હોય અને છતાં પણ આપણે મોટા પાયા પર પરદેશથી અનાજ આયાત કરવું પડતું હોય તો એમ જ માનવું રહ્યું કે જેની વિશાળ અને વ્યાપક ખેતીવાડી માત્ર વરસાદ પર જ નિર્ભર છે તેવા પ્રાથમિક સમાજની દશામાં આપણે છીએ. મબલખ પાક ઊતરે ત્યારે આપણે ધાન્યનું જતન કરતા નથી. અછતના કાળમાં આપણે યોગ્ય વહેંચણીની વ્યવસ્થા કરી શકતા નથી. આવી અછત પ્રજાની સ્વાર્થવૃત્તિ, સંગ્રહખોરી, સટ્ટાખોરી અને ગેરવ્યવસ્થાને કારણે ઉગ્ર બને છે. સમાજવિરોધી તત્ત્વો સામે આપણે પગલાં કાંતો લેવા માગતા નથી કે લઈ શકતા નથી. આ રુશ્વતખારીનીને ઢાંભવામાં પ્રમાણિક અને મક્કમ સરકારે સક્રિય બનવું રહ્યું. પ્રામાણિક અને મક્કમ સરકારે છેતરામણ, જુઠાણાં કાવાદાવા અને ભીરુતાને નિર્મૂળ કરવાં જોઈએ. આવતાં થોડાં વર્ષોમાં અનાજની બાબતમાં સ્વાવલંબી બનવાને માટે આપણે રાષ્ટ્રીય ધારણે મહાપ્રયાસેા કરી પરિસ્થિતિ સુધારવી જોઈએ. આપણે સૌ પહેલાં ખેતીવાડીના વિકાસ કરવો જોઈએ. આપણા ખેડૂતો બુદ્ધિશાળી છે અને નવું નવું શીખવા તત્પર છે. આપણું ખેતીવાડીનું ઉત્પાદન વધ્યું તો છે, પરંતુ તે આપણી વધતી જતી વસ્તીની માગને પૂરું પડી શકે તેમ નથી. આપણી વસ્તી ૧૯૫૧માં છત્રીસ કરોડ દસ લાખની હતી તે ૧૯૬૧માં તેતાલીસ કરોડ નેવું લાખની થઈ. અને આજે આપણી વસ્તી અડતાલીસ કરોડ અને પચાસેક લાખે આવીને ઊભી છે. ઉદ્યોગ અને ખેતીવાડીના વિકાસ આ રીતે વધતી જતી વસ્તીની માગને પહોંચી વળી શકે તેમ નથી. આથી વસ્તીનિયમન કરવું ખૂબ જ આવશ્યક છે. વિષે અર્થ અવમૂલ્યનની મૂલ્યવત્તા અને વ્યાજબીપણા આપણે ચર્ચાઓ કરીએ છીએ. વાદવિવાદથી કશે। સરતા નથી. અવમૂલ્યન લાભકારક નીવડે અને એની મર્યાદાઓ ટળે તેવાં પ્રખર પગલાં લેવાનું આજનું આપણું મુખ્ય કાર્ય છે. આયાતખર્ચ તથા નવી યોજનાઓને પહોંચી વળવા માટે તથા આર્થિક સ્થિતિને ઝડપભેર સુધારવાની આશાએ આપણે અવમૂલ્યનનું જોખમ ખેડયું છે. રોજી તથા ભાવવધારાના ઉછાળાને અટકાવવા માટે, ઉત્પાદન વધારવા માટે તેમ જ જાહેર અને ખાનગી ક્ષેત્રમાં ખર્ચનું પ્રમાણ ઘટાડવા માટે આપણે પગલાં લઈ રહ્યા છીએ. નાણાંકીય વ્યવહારમાં આજે સબળ સંયમની જરૂર છે. કપરા કાળને આપણે સામના કરવાના છે અને કરકસર અપનાવવાની છે. જાતજાતની સગવડો વિના જીવતાં શીખવાનું છે અને રોદણાં રડયા વિના મુશ્કેલીઓના સ્વીકાર કરવાનો છે. આવા પ્રખર શિસ્તથી આપણું સ્વાસ્થ્ય અને ચારિત્ર્ય સુધરશે. આનો આરંભ ઉપલા સ્તરથી થવા (૭ Page #181 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૯-૧૯ પ્રબુદ્ધ જીવન જોઈએ કારણ કે આપણી પ્રજાને બહુ મોટો ભાગ તે વિવિશ થઈને બાંધછોડ આવશ્યક છે. આ બે દેશો વચ્ચે મૈત્રી સ્થાપવી મુશ્કેલ નથી. કરકસર કરતે રહ્યો છે. આપણે એક જ પ્રજા છીએ, આપણો ઈતિહાસ અને આપણી સાંસ્કૃતિક - રાત ! " ભૂમિકા સમાન છે, આપણી ભાષાઓ પણ સરખી છે. તે પછી | ગમે તે દલીલ યા વલણોને કારણે ભૂતકાળમાં યુદ્ધને બચાવી : * આપણે સારો મિત્રો કાં ન બનીએ? એ જ આપણે સિદ્ધ કરવાનું છે. થયો હોય, પરંતુ આધુનિક યુદ્ધની નીતિરીતિ અને સભાન થતી રાતિ ત લા : ' બળ હા બળને ઉપયોગ ન કર, પરસ્પરની આંતરિક બાબતમાં માનવજાત એ સ્પષ્ટ કરે છે કે નૈતિક દષ્ટિએ યુદ્ધને કોઈ રીતે દરમ્યાનગીરી ન કરવી, વિરોધી પ્રચારમાં ન પરોવાવું વગેરે તાત્કંદમાં બચાવ થઈ શકે એમ નથી. અણુ અને કિટાણું યુદ્ધ એટલે કરોડે સ્વીકારાયેલી ભાવનાએ અત્યારના આપણા સર્વ મતભેદોને લાગુ માનવીને સંહાર, આવતી પેઢીને નુકસાન અને પૃથ્વી, જળ અને પડે છે. શુભેચ્છા હોય તો આપણે નિર્વાસિતાની બાબતમાં, સરહદી વાયુની અસ્વચ્છતા. આ સઘળું માનવજીવન અશકય નહીં તે - તડજોડમાં, નદીનાં પાણી અને વેપાર અંગેની બાબતમાં સત્ત્વરે મુશ્કેલ તે જરૂર બનાવશે. આયુદ્ધમાં સંરક્ષણ પણ પોતાને સંહાર સહકાર આપી શકીએ. આમ છતાં પણ જો ગેરસમજૂતી ચાલુ નેતરે છે. આપણે ભલે ભયાનક શસ્ત્રો સજીએ તે પણ એક જીવ રહે અને શસ્ત્રસરંજામ વધારવાનું ચાલુ રહે છે તેથી આપણા બન્ને લેણ પ્રહાર દુશમનને તથા આપણે પણ સર્વનાશ કરશે. યુદ્ધની દેશે નબળા પડશે અને જોખમાશે. મેડા વહેલા-કહોને વહેલા જભયાનકતા અને જંગલીપણાથી, વીએટનામની પ્રજાની યાતનાથી, ચીન અને ભારત સંપશાનિતથી સાથે રહેતાં શીખશે. આપણા મતઅને સમસ્ત વિશ્વને ઘેરી વળે એવા સંહારના કોઈ પણ વિકાસની ભેદોનું યથાર્થ નિરાકરણ શકય નથી, અશકય છે એમ માની લઈને ચિતાએ આપણને અસ્વસ્થ બનાવ્યા છે અને તેથી આપણે વીએટ કશુંયે તરછોડવું ન જોઈએ. આ કરવા જેવું છે કે નહિ એ જ 'એક નામમાં તંગદિલી ઓછી કરવાના પ્રથમ પગલાંરૂપે યુદ્ધબંધીનું સૂચન વ્યાજેબી સવાલ છે–તો આપણે એ કરી છૂટીએ. પરિસ્થિતિને થાળે કર્યું છે, જેથી માનપૂર્વકના સમાધાન માટેનું વાતાવરણ સર્જી શકાય. પાડવામાં આપણે સૌએ પિતપતાને પૂરો ભાગ ભજવવાને છે. શાનિત માટેની ઝંખના વિશ્વલાગણીને પડઘો પાડે છે. આપણે આપણું ભાવી યુવાન-યુવાનીની ભાવનાથી પ્રેરિત વીર અને સાહજાણીબુઝીને ક્રોધ અને આવેશ સેવવાં ન જોઈએ. પૂર્વગ્રહો અને સિકો પર નિર્ભર છે. આપણી જરૂરિયાતો પૂરી પાડવામાં જગતે સંશયોને આપણે સામનો કરવા જોઈએ તથા મન અને હૈ, ઉદારતા દાખવી છે, પણ આપણને જીવ માં રાખવાની પણ એમની મેકળાં રાખવાં જોઈએ. આપણે જે એમ માની લઈએ કે સામે ફરજ છે એમ આપણે ન માની લઈએ. આપણે આપણી જાતને પક્ષ દૃષ્ટિ અને દાવપેચ રમનારો છે તો તે પછી સમજૂતી માટે કોઈ ઘડવાની છે. અને પરાવલંબન ઓછું કરવાનું છે. આપણા ભાવિ અવકાશ રહેને નથી. શરતી શરણાગતિ નહીં પરંતુ સમાધાન આપણું લક્ષ હોવું જોઈએ. આક્રમણને સામને કરવાની આપણી તૈયારી હોવી માર્ગ લાંબે, મુશ્કેલ અને વિકટ છે. તે આપણે મુકત મને સ્વચ્છ જોઈએ તે સાથે સાથે આપણું લક્ષ્ય બધાં રાષ્ટ્રો સાથેની મૈત્રીનું તથા હૈયે અને સૌથી વધુ તે આપણા ભાવિ પર શ્રદ્ધા રાખી કદમ પાકિસ્તાન અને ચીન સાથે સારા પડોશી દેશ તરીકેના સંબંધ બાંધવાનું ઉઠાવીએ ! હોવું જોઈએ. ભારત અને પાકિસ્તાનના આર્થિક વિકાસને માટે પરસ્પર - ડે. સર્વપલ્લી રાધાકૃષ્ણને. ધર્મપલટ બહુપત્નીત્વવિરોધી કાયદાની આ છટકબારી સરકાર સત્વર બંધ કરે ! એક જમાનો એ હતો કે જયારે સ્ત્રીઓ પણ બીજી વસ્તુ- અંગીકાર કરવાની વિધિ કરી તેમ કર્યું. પેલા યુવાનની પ્રથમ વારની ઓની જેમ મિલકત ગણાતી અને એકથી વધુ સ્ત્રીઓ હેવી એ પત્ની અને બાળકો જે અસહાય બની ગયાં છે. એ જ ‘નીજો સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાની નિશાની ગણાતી. પરંતુ જેમ જેમ સંસ્કૃ- કિસ્સે જેમાં પણ એક સુશિક્ષિત કુમારી શિક્ષિકા અને વયોવૃદ્ધ તિનો વિકાસ થતો ગયો તેમ તેમ એ જની અને જંગલી માન્યતાને સામાજિક કાર્યકર બેનેએ મુસ્લિમ બની જઈ લગ્ન કર્યાની વાત અંત આવી ગયો અને આજે. સુસંસ્કૃત સમાજમાં એકથી વધુ છાપામાં ચર્ચાઈ રહી છે. પત્નીઓ કરવી એ પ્રતિષ્ઠાવિહીન કાર્ય ગણાય છે. દુનિયાની ઘણીખરી . . . . અયોગ્ય કાર્ય માટે ... પ્રજાએ એકથી વધુ પત્નીઓ હોવા સામે કાનૂની પ્રતિબંધ આ રીતે જે લોકો પોતાના અંગત સ્વાર્થ અને સામાજિક ફરમાવ્યા છે. આપણા દેશમાં પણ મહદ્દઅંશે આવી જ પરિસ્થિતિ દષ્ટિએ અયોગ્ય કાર્ય કરવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કરે છે. પ્રવતે છે. તેઓ મુસ્લિમ ધર્મ પ્રત્યે કઈ વફાદારી ધરાવે છે? એવાંઓને મુસ્લિમ એ યુગ પલટાયો છે. ધર્મમાં અપનાવનાર મુલ્લાં મોલ્લવીઓ આમાં ઈસ્લામની કઈ જયારે અરબ જાતિઓમાં અમીરો અને ટોળીના સરદાર સેવા બજાવે છે પરંતુ જયાં સુધી સમાજમાં આવા અંધ-ધમઘેલા સેંકડોની સંખ્યામાં સ્ત્રીઓ રાખતા એ જમાનામાં પેદા થયેલા પાય- ધર્મગુરુઓ પડયા હશે ત્યાં સુધી તેમને આ ગેરલાભ લેનારા ગંબર મહમદસાહેબે એ ખરાબ રિવાજને અંકુશમાં લેવા પ્રયત્ન નીકળશે જ, આવા ધમધમાં સાચી સમજ આવવાની વાત તે કર્યો અને ચારથી વધુ પત્નીઓ કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો. દૂરની જ છે. પરંતુ એ યુગ પલટાઈ ગયું છે. અને ઘણાખરા સુધરેલા મુસ્લિમ . . સરકારની ફરજ " દેશોએ બહુપત્નીવિરોધી કાયદાઓ કર્યા છે. ખુદ પાકિસ્તાન કે જે મુસ્લિમ ધર્મના આદેશ પ્રમાણે રાજતંત્ર ચલાવવાને દાવો કરે છે પરંતુ સરકાર કે જે બહુપત્નીત્વની વિરુદ્ધ છે અને ત્યાં પણ બહુપત્નીત્વવિરોધી કાયદો અમલમાં આવ્યો છે. તેના ભંગને શિક્ષાપાત્ર ગણે છે તે આવા બનાવો આંખ બંધ કરી કેમ જોઈ રહે છે તે જ આશ્ચર્ય છે. આવા કિસ્સાઓ જોયા પછી - દુર્ભાગ્યે આપણી સરકાર કે જે બિનધાર્મિક હોવાનો દાવો કરે સરકારની એ ફરજ બને છે કે બહુપત્નીત્વવિરોધી કાયદો ધર્મ કે છે. તેણે મુસ્લિમેની કહેવાતી ધાર્મિક લાગણીઓના નામે બહુપત્નીત્વ કોમના ભેદભાવ વિના સમગ્ર ભારતીય પ્રજાજનને લાગુ કરે, નિર્ધર્મી વિરોધી કાયદો મુસ્લિમ સમાજને લાગુ કર્યો નથી. પાકિસ્તાન જેવું અને લોકશાહી–આધારિત ભારતની કાયદાથી ઉપર આવા સામાજિક રીતે રૂઢિચૂસ્ત રાષ્ટ્ર જે કરી શકયું છે તે કરવાની હિંમત ભેદભાવભર્યા કાયદા ન જ રહી શકે. પણ આપણી સરકારે દાખવી નથી. ? અને આટલી પણ નૈતિક હિંમત આપણા રાજતંત્રના ચાલકે અને બહુપત્નીત્વવિરોધી કાયદાની વાડમાં રહી ગયેલા આ અને સૂત્રધારમાં ન રહી હોય તે છેવટ મુસ્લિમ ધર્મ પ્રમાણે જે ચાર છીંડાને બહુ જ દુરુપયોગ થઈ રહ્યો છે. જે બિનમુસ્લિમ એકે ઉપ પનીઓની છૂટ છે તે માત્ર મુસ્લિમ માબાપને પેટે જન્મેલાં સંતાનો, રાંત બીજી પત્ની કરવા માગતા હોય છે તેઓ ધર્મપરિવર્તનનું નાટક 'જેઓ બંને પક્ષે જન્મથી જ મુસ્લિમ હોય તેમની પુરતી મર્યાદિત કરીને બીજે લગ્ન કરે છે. પહેલાં લગ્નની પત્ની તથા બાળકોને રાખે. જયાં " બેમાંથી એકે પક્ષ બિનમુસ્લિમ જમ્યાં હોય તેવાં રઝળતાં, રવડતાં કરી મૂકે છે, અને કાયદો તેમને કાંઈ જ સ્પર્શ સ્ત્રી-પુરુષને કાયદાની આ છૂટને લાભ મળતે સદંતર અટકાવી દે. કરી શકતા નથી. સરકાર આ માટે પાર્લામેન્ટમાં સત્વર કાયદામાં સુધારો લાવે, હમણાં હમણાં વર્તમાનપત્રોમાં એવા બે કિસ્સાઓ બહાર આવ્યા યા તો એવું કરે તેની રાહ જોયા વિના કોઈક સંસદસભ્ય આવે, છે, જેમાં એકમાં એક અદ્યતન શિક્ષણધારી આચાર્યાએ સ્ત્રીબાળકો- સુધારો રજૂ કરે એ જરૂરી છે. ' વાળા યુવાન સાથે લગ્ન કરવા ઈચ્છયું અને બંનેએ મુસ્લિમ ધર્મ ‘જન્મભૂમિ'માંથી ઉદ્ભૂત વીરચંદ શેઠ Page #182 -------------------------------------------------------------------------- ________________ ( F પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૬૬ શ્રી મુંબઈ જૈનયુવક સાંધ આયોજિત:' ૫ વ્યાખ્યાનમાળા સ્થળ : બિરલા ક્રીડા કેન્દ્ર (ચોપાટી) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સપ્ટેમ્બર માસની ૧૧ તારીખ રવિવારથી ૧૮ તારીખ રવિવાર સુધી એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા જવામાં આવી છે. આ આઠ દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાને અધ્યાપક શ્રી. ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા શોભાવશે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભા ચપાટી ઉપર આવેલા ‘બિરલા કીડા કેન્દ્રમાં ભરવામાં આવશે. સભા સવારે ૮-૩૦ વાગે શરૂ થશે. વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે: તારીખ વ્યાખ્યાતા વ્યાખ્યાન વિષય ૧૧ રવિવાર શ્રી ગગનવિહારી મહેતા થરો અને ગાંધીજી શ્રી, ચીમનલાલ ચકુભાઈ શાહ શું માનવી સ્વત્વવંચિત બની રહ્યો છે? સેમવાર શ્રીમતી સદામિનીબહેન મહેતા માર્ટીન લ્યુથર કીંગ શ્રીમતી મૃણાલિની દેસાઈ ભકિતયોગ ૧૩, મંગળવાર શ્રી એચ. એમ. પટેલ કેળવણી વિષેના વ્યાપક અસંતોષ વિશ્લેષણ શ્રી ગોકળભાઈ ભટ્ટ સત્યશોધક જ્યોતિરાવ ફલે ૧૪, બુધવાર શ્રીમતિ હર્ષિદા પંડિત શ્રીમતી ડોરોથી પીકસ શ્રી ઉછરંગરાય ન. ઢેબર ગાંધીજી અને વિનોબા ગુરુવાર શ્રીમતી ઉષા મહેતા હેલન કેલર અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ ભાવકની જવાબદારી શ્રી નવલભાઈ શાહ સમૃદ્ધ જીવન શ્રી એચ. એન . બેનરજી અતીન્દ્રિય અનુભૂતિઓ શ્રી કાકાસાહેબ કાલેલકર સંઘર્ષ અને સમન્વય શ્રી એચ.એન. બેનરજી અતીન્દ્રિય અનુભૂતિઓ ૧૮, રવિવાર શ્રી અજિત શેઠ તથા નિરુપમા શેઠ ભકિતગીતે આચાર્ય રજનીશજી ધર્મ શું છે? * વ્યાખ્યાનસભામાં સમયસર ઉપસ્થિત થવા અને સભા દરમ્યાન શાંતિ જાળવવા સુજ્ઞ શ્રોતાઓને વિનંતિ. * ચીમનલાલ જેઠાલાલ શાહ, સુધભાઈ એમ. શાહ, મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ શુક્રવાર શનિવાર પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસંસ્થામાં ઈતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કોઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકો સત્યં શિવ સુંદરમ્ દર્શન અને ચિન્તન શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે લેખોને સંગ્રહ-બે વિભાગ ગુજરાતી: એક વિભાગ હિંદીઃ | કિંમત રૂ. ૩, પિસ્ટેજ ૦૦-૧૦ કુલ ત્રણ વિભાગમાં | કિંમત રૂા. ૨૧; પેકીગ પિસ્ટેજ રૂ. ૫ બોધિસત્વ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે સ્વ. ધર્માનંદ કેસી રચિત મૂળ મરાઠી નાટક કિંમત રૂ. ૧૮ અનુવાદકે : પ્રબુદ્ધ જીવનની ફાઇલો કિંમત રૂા. ૬ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ બોડિયા | કિંમત રૂ. ૧-૫૦, પિસ્ટેજ ૦૦-૩૦ પ્રબુદ્ધ જીવનના ગ્રાહક બને • વાર્ષિક લવાજમ રૂા. ૪ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે મળવાનું ઠેકાણું: સત્યં શિવં સુન્દરમ:કિંમત રૂ. ૨, બેધિસત્ત્વ: કિંમત રૂા. ૧ મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશને સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ--૪, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ પર પસ્ટેજ ના ગ્રાહકો માટે જૈન યુવક સક, Page #183 -------------------------------------------------------------------------- ________________ © प्रजुद्ध भवन શ્રી મુ`બઇ જૈન યુવક સઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૪૦ પૈસા Regd. No. MH. I17 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જૈન’તુ નવસસ્કરણ વર્ષ ૨૮ : અંક - ૧૦ મુંબઈ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૬, શુક્રવાર આફ્રિકા માટે શિલિ*ગ ૯ * તત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા જેન પ્રાથના મા पंच परमेष्ठि - महामन्त्र नमो अरिहंताणं । नमो सिद्धाणं । नमो आयरियाणं । नमो उवज्झायाणं । नमो लोए सव्वसाहूणं । एसी पंच नमुदकारो सव्वपाव- प्पणासणी । मंगलाणं च सव्र्व्वेसि पढमं हवइ मंगलं ॥ પંચપરમેષ્ઠિમંત્ર એ જૈન પર પરામાં મહામંત્ર તરીકે માન્ય છે. જૈન પરંપરાના બધાય ફિરકાઓને એ મંત્ર સમાન ભાવે માન્ય છે. પ્રત્યેક પ્રવૃત્તિમાં એનું શ્રાવણપઠન કલ્યાણકૃત મનાયેલું છે. જો કે પ્રસ્તુત મહામંત્ર જૈન સંપ્રદાયની ભાષા અને પરિભાષામાં ગ્રથિત છે; સામાન્ય જૈના એને પોતાના જ મંત્ર માનતા આવ્યા છે; જૈનેતરો એ મંત્રમાં પેાતાને માન્ય હોય એવું રહસ્ય કદી જાણવા યત્ન કરતા નથી; આથી જેમ દરેક ધર્મ પરંપરાની મંગળમય પ્રાર્થના તે તે પરંપરામાં જ મુખ્યપણે સમાયેલી દેખાય છે, તેમ પ્રસ્તુત પરમેષ્ઠિમંત્ર વિશે પણ બન્યું છે; છતાં પ્રસ્તુત મહામંત્રના જે પરમાર્થ છે, તેને જાણનાર કોઈ પણ કહી શકશે કે વસ્તુત: આ મહામંત્ર સર્વદેશ - કાળના બધાય સાચા આધ્યાત્મિકોએ સ્મરણ કરવા યોગ્ય છે. જયારે આ પરમાર્થની વાત કરું છું, ત્યારે તે કલ્પનાથી નથી કહેતા; ખુદ પરમેષ્ઠિમંત્રના પંચમપદમાં જ તે અર્થ સ્પષ્ટ રીતે સૂચવાયો છે. નમો હોહુ સજ્વલાડૂળ। એ પદમાં ‘જોયા’, ‘સાધુ’ અને તે પણ ‘સર્વ’એ ત્રણ અંશ ઉકત ભાવના સૂચક છે. જોમ પદથી દેશ-કાળ નિરપેક્ષ આખાય વિશ્વમાં વર્તમાન એવા સાધકો અભિપ્રેત છે. ‘સાધુ’ પદથી કોઈ માત્ર બાહ્યવેશ કે બાહ્ય ચિહ્નધારી સાધક વિક્ષિત નથી, પણ જે આધ્યાત્મની સાચી દિશા તરફ ઉન્મુખ છે તે જ વિવક્ષિત છે. ‘સર્વ’ પદથી પંથ, જાતિ આદિ સંકુચિત સીમાઓથી પર એવા સમગ્ર સાધકોને નમસ્કાર કરેલ છે. આ પૂર્વભૂમિકાનો અર્થ ધ્યાનમાં રાખી બાકીનાં પદોના અર્થની સંગતિ કરવાની છે. તમો પવન્નાયાળું એ પદ જ્ઞાનદાતા ઉપાધ્યાયને નમસ્કાર સૂચવે છે. પણ તે ઉપાધ્યાય અત્રે મુખ્યપણે આધ્યાત્મિક સાધનામાં ઉપયોગી હોય છે એવા જ્ઞાનના ધારક અને દાતા જ વિવક્ષિત છે. એ જ રીતે નમો આયરિયાળ એ પદથી જે આચાર્યોને નમસ્કાર કરેલ છે, તે આચાર્યો મુખ્યપણે આધ્યાત્મિક સાધનાને અનુકૂળ હોય એવા જ વિશુદ્ધ આચારમાં પ્રવર્તમાન હોય અને ઈતર અધિકારીઓને એવા આચારમાં માર્ગદર્શક થઈ શકે તેવા હોય તે જ વિવક્ષિત છે. આ જ ક્રમને અનુસરીને નમો અરિહંતાણં એ પદના અર્થ સમજવાના છે. જેઓએ આધ્યાત્મિક સાધનાની છેલ્લી ભૂમિકા પ્રાપ્ત કરી હોય અને છતાં દેહધારી હાય, એવા જીવનમુકત વીતરાગ જ અહીં વિવક્ષિત છે. યોગશાસ્ત્રમાં અને સાંખ્ય પરપરામાં (સાંખ્યકારિકા–૬૪) જેમને કેવલી યા કૈવલ્ય પ્રાપ્ત રૂપે વર્ણવ્યા છે, અને યોગપર પરામાં જેમને સપ્તધા પ્રાન્તમૂમિ: પ્રજ્ઞા (યોગસૂત્ર, વાવ ૨ સૂત્ર ૨૭) પ્રાપ્ત થયેલી છે, તે અહીં અદ્ભુતુ તરીકે અને કેવળી તરીકે નિર્દિષ્ટ છે. ક્ષય કરવા લાયક બધા જ કલેશેા જેમના ક્ષીણ થયા હોય, જાણવા લાયક બધું જ જેમણે જાણ્યું હોય, પ્રાપ્ત કરવા લાયક બધું જ જેઓએ પ્રાપ્ત કર્યું હોય અને કરવા લાયક બધું જ જેમણે કરી લીધેલું હોઈ હવે કશું નવું કરવાનું બાકી રહેતું ન હોય, એવી સ્થિતિવાળા જ સપ્ત પ્રાન્તમૂમિ ના અર્થમાં આવે છે; અને જૈન પર’પરામાં એ જ અર્થ તુ પદથી વિવક્ષિત છે. આવા જીવનમુકત ઔપનિષદ પરંપરામાં અને બૌદ્ધ પરંપરામાં તેમ જ ઈતર પર પરાઓમાં એક સરખી રીતે નમસ્કરણીય મનાયેલ છે. નમો સિદ્ધાળું પદ એ વિદેહમુકત વિશુદ્ધ જીવાત્મા, અથવા કહો કે, પરમાત્માનું બાધક છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે પરમેષ્ઠિમંત્રમાં માત્ર આધ્યાત્મિક ઉત્ક્રાંતિના પ્રારંભથી માંડી તેની અંતિમ ભૂમિકા સુધીના અધિકારીઓને જ આવરી લઈ તે દ્વારા આધ્યાત્મિક વિશુદ્ધિની જ ઉપાસના–વંદના કરવામાં આવી છે અને અત્યારલગીના માનવ” “ જાતિના આધ્યાત્મિક ચિંતન-સાધનાને લગતા ઈતિહાસમાં એવી કોઈ પરંપરા નથી કે જે એક યા બીજા રૂપે આવા ઉત્ક્રાંતિકર્મને ન સ્વીકારતી હોય કે આચારણીય ન માનતી હોય. આ જ દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તે નિ:શંક રીતે સમુથારમહામત્રને સર્વગ્રાહ્ય રૂપે સમજાવી શકાય. તનુાર મંત્રના મહિમાને સૂચવવા માટે એના છેલ્લાં પદોમાં સર્વમાંગલિકમાં પ્રથમ યા મુખ્ય મંગળ તરીકે એને વર્ણવ્યા છે. સૌ જાણે છે કે બૌદ્ધ પરંપરામાં બુદ્ધ, ધર્મ અને સંઘ એ ત્રિશરણના સ્વીકાર છે. જૈન પરંપરામાં એ ત્રિશરણના સ્થાનમાં ચતુ:શરણ પ્રસિદ્ધ છે. અર્હત, સિદ્ધ, સાધુ અને વીતરાગપ્રણીત ધર્મ, ખરી રીતે બુદ્ધના સ્થાનમાં જૈન પરંપરાએ જીવનમુકત અને વિદેહમુકત એ બન્નેને માત્ર જુદા વર્ણવ્યા છે, એટલું જ. લૌકિક કે લાકાર કોઈ પણ પર'પરા હાય, તે તેમાં તે તે વિષયના પૂર્ણ નિષ્ણાત અર્થાત જ્ઞાની, તેણે દર્શાવેલા કર્તવ્યપંથ - ધર્મ અને તે માર્ગને અનુસરતા વર્ગ એટલે સંધ: આ ત્રણ અંશે સંવાદીપણે હાવાના જ; તાજ તે તે પુર'પરા ચાલી અને વિકસી શકે. પ્રસ્તુત મહામંત્રમાં તે આધ્યાત્મિક સાધનાનો વિશુદ્ધ માર્ગ અભિપ્રેત હોવાથી તેમાં અર્હત્ સિદ્ધ, સાધુ અને કેવળી - પ્રરૂપિત ધર્મ-એ ચારને ઉત્તમ મંગળ માનીને એનું શરણ સ્વીકારવાનું કહ્યું છે. चत्तारि मंगलं अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवलिपन्नत्तो धम्मो मंगलं । चारि लोगुत्तमा । अरिहंता लोगुतमा સારૂં છોગુત્તમા । सिद्धा लोगुत्तमा । केवलिपत्नत्तो धम्मो लोगुत्तमो । चतारि सरणं अरिहंते सरणं पवज्जामि । सिद्धे सरणं पवज्जामि । साहू सरणं पवज्जामि । केवलिन्नतं धम्मं सरणं पवज्जामि । વિવેચક : પંડિત સુખલાલજી Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૬૬ શ્રી વિમલાબહેન ઠકારનું પ્રવચન (. વિમલાબહેન ઠકાર પ્રબુદ્ધ જીવનના વાંચકોને સુપરિચિત હતી અને તેમાંય ખાસ કરીને જપૂ લોકોને જે સંહાર થયો તે શા છે. તેઓ યુરોપમાં દશ માસ રહીને ગયા ઑગસ્ટ માસની બીજી માટે થયે, કેવી રીતે થયો તેનું વિવેચન ઐતિહાસિક પ્રસંગોને આધારે તારીખે મુંબઈ ખાતે પાછા ફર્યા. તેમના આ પ્રત્યાગમનના અનુ- એક વેંકટરે એ પુસ્તકમાં કર્યું છે. જે રસ્તેથી એ લોકો વર્ષોથી જતા સંધાનમાં એ જ માસની સાતમી તારીખે સાંજે ન્યુ મરીન લાઈન્સ હતા તે ગેસ ચેમ્બર અને તેમાં લાખ લોકોનું ચાલીને જવું એ તે રસ્તા ઉપર આવેલા સંઘના એક કાર્યવાહક શ્રી દીપચંદ લક્ષ્મીચંદ આખરી પગલું હતું. પહેલું પગલું એ હતું કે જે જયૂ હોય તેને સંઘવીના નિવાસસ્થાને–‘મનહર’માં–થી મુંબઈ જૈન યુવક સંઘના સરકારી નોકરીઓમાં ન લેવા જોઈએ. આ પગલું ભર્યું ત્યારે જે સભ્યો સાથે શ્રી વિમલાબહેનને વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો જયૂ જર્મનીમાં હતા તેમણે પ્રતિકાર ન કર્યો. થોડો સમય થોભીને હતો. પ્રારંભમાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદભાઈએ શ્રી વિમલા- બીજું પગલું ભર્યું-ઘરમાં જ કેદ રાખો. તે જાણે કતલની રાહ બહેનને આવકાર આપતાં જણાવ્યું કે, “શ્રી વિમલાબહેન દશ મહિ- જોતાં હોય તેમ ઘરમાં જ બેસી રહ્યાં. કયારે કોઈ આવીને દરવાજો. નાના ગાળે આપણી વચ્ચે આવે છે તે તેમની પાસેથી આપણે ઘણી ખખડાવશે અને લઈ જશે. ત્રીંછું પગલું હતું કેદ કરવાનું અને વાતો સાંભળવાની અપેક્ષા ધરાવીએ છીએ. તેઓ એક સજાગ શું પગલું હતું કતલ કરવાનું. પરંતુ જયૂ લોકો જો જડતાથી ઘેરાઅને સતત ક્રિયાશીલ વ્યકિત છે અને યુરોપમાં રહ્યા છતાં ભારતે યેલા ન રહેત, સક્રિય હોત, સભાન હોત અને પહેલા પગલા વખતે જ વિષે–અહિની રાજકારણી પરિસ્થિતિ વિષે–તેઓ પૂરા જાણકાર રહ્યા પ્રતિકાર કરત તો કતલનું પગલું નાન્સી લેકે કદાપિ નહીં ભરત. છે તે આજની દુનિયાની પરિસ્થિતિના સંદર્ભમાં ભારતની મુખ્યત્વે એણે કહ્યું કે “સંહારની જેટલી જવાબદારી નાન્સીની છે તેનાથી જરાયે કરીને રાજકારણી પરિસ્થિતિ કેવી છે તે અંગેના તેમના અંગત આધાત- ઓછી જવાબદારી અમારી ન્યૂ લોકોની નથી એમ એ યૂ પુસ્તક પ્રત્યાઘાત આપણે સાંભળવા આતુર છીએ. આ ઉપરાંત તેમણે ત્યાં લખે છે. ખૂબ હૃદયદ્રાવક પુસ્તક છે. ' રહીને દશ મહિનાના ગાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તેને પણ ભારતની પરિસ્થિતિ દૂરથી જોઉં છું, નજીકથી જોઉં છું ત્યારે આપણને તેઓ કાંઈક ખ્યાલ આપે અને જે વિશિષ્ટ વિચારસરણી તેઓ લાગે છે કે આ દેશની જનતા જડતા અને તંદ્રાથી ઘેરાયેલી છે. યુરોપના લોકો સમક્ષ રજુ કરી રહ્યા હતા તેની પણ આપણને તેઓ સમસ્યા પર સમસ્યા આવતી જાય છે. રાજનૈતિક પક્ષ. કાંઈક ઝાંખી કરાવે એવી આપણી અપેક્ષા છે. પર, નેતાઓ પર, સરકાર પર, જવાબદારી નાખીને “આ આપણી અપેક્ષાઓ ધ્યાનમાં લઈને અહિ આપણી પાસે જે અહીં જે રાજનૈતિક પક્ષેથી નિરપેક્ષ એવા માણસે છે તે શાંતિથી સમયે છે તે ગાળામાં, વિમળાબહેન પોતાના વિચારો રજુ કરે એવી બેસી રહ્યા છે, નિષ્ક્રિય બેસી રહ્યા છે. આ રીતે વિચારતાં આ દેશનું તેમને મારી વિનંતિ છે. વિમલાબહેનને જોતાં - આટલા લાંબા ગાળે ભાવિ કાંઈ બહુ ઉજજવળ લાગતું નથી. કઈ કઈ સમસ્યાઓ ભારમળતાં - આપણ સર્વને થયેલે આનંદ હું અહિં વ્યકત કરું છું તેની સામે છે તે મારા કરતાં આપ બહુ સારી રીતે જાણે છે. અને તેમને આપણા એક સ્વજન તરીકે હું અહિં ઊંડા ભાવપૂર્વક સમસ્યાઓ એટલી સ્પષ્ટ છે કે એના વિવેચનમાં કે વિશ્લેષણમાં આવકારું છું.” જવાની જરૂર નથી. પરંતુ મારી સામે સવાલ એ છે કે, ભારતને આ પૂરોવચન બાદ શ્રી વિમલબહેને દોઢ કલાક સુધી અનેક સામાન્ય નાગરિક કયારે જાગશે? અને એને જે અન્યાય લાગે છે વિષયોને સ્પર્શતું ધારાબદ્ધ જે પ્રવચન કર્યું તે અહિં નીચે શબ્દશ: રજુ તેની સામે લોકશાહી પદ્ધતિથી પ્રતિકાર કરવાનું કયારે શિખશે? પ્રતિકરતાં હું ઊંડી પ્રસન્નતા અનુભવું છું. આ પ્રવચનમાં એવા કેટલાક કારનું પણ વિજ્ઞાન છે, પ્રતિકારની પણ કળા છે. અને લોકશાહીના વિચારો છે, એવી કેટલીક વાત છે કે જે આપણામાંના ઘણાને સંદર્ભમાં પણ સામૂહિક પ્રતિકાર કેવી રીતે થઈ શકે એ કયારે વિચારશે? કદાચ સ્વીકાર્ય ન હોય. એમ છતાં આ ઉદ્ગારો સત્યનિષ્ટ સંવેદન- આજે ભારતમાં જે પ્રતિકાર થાય છે,–પછી દુકાળ સામે હોય, શીલ એવી એક વિશિષ્ટ વ્યકિતના છે એમ સમજીને તેને ગ્રહણ રૂપિયાના અવમૂલ્યન સામે હોય, અથવા બીજી કોઈ બાબત સામે કરવા અને તે સાથે પોતપોતાના અંગત ખ્યાલેની ચકાસણી કરવા હાય – પરંતુ તેમાં લોકશાહીની સુગંધ કયાંય નથી રડાવતી. પ્રતિ અને એ રીતે સારાસાર તારવવા વિનંતિ છે. પરમાનંદ) કારાત્મક પગલાં ભરે છે, પછી તે પાર્લામેન્ટમાં ઉઠાવતા હોય, વિધાન શ્રી વિમલાબહેન ઠકારનું પ્રવચન સભામાં ઉઠાવતા હોય, કોરપોરેશનમાં ઉઠાવતા હોતે વાં થતાં વાંચતાં સંઘના સભ્યો સાથે જયારે મળવાને પ્રસંગ આવે છે ત્યારે શરમથી માથું ઝૂકી જાય છે. શું છે આ દેશમાં કે જેમાં લાગે છે કે, આ એક એવું સ્થાન છે કે જયાં વિશ્વબંધુભાવથી, એક બાજુ ૧૭ - ૧૮ વર્ષ સુધી એક જ પક્ષનું રાજ ચાલે અને નિ:સંકોચવૃત્તિથી, વસ્તુસ્થિતિનું જે મને દર્શન થાય છે તેને શબ્દબદ્ધ આટલી બહુમતીથી ચાલે. જે વિરોધ કરવાવાળા લેક છે–પછી તે કરી સૌની સામે મૂકું. લોકસભામાં હોય, વિધાન સભામાં હોય કે, બહાર હોય–પણ તેમાં - સ્નેહપરિવારમાં ભાષાના માધ્યમથી જે સંવાદ થાય છે તેમાં તેમને પણ લોકશાહી મૂલ્યોની રક્ષા કરવાની ચિન્તા ના હોય એ એક કોઈ વિષયના પ્રતિપાદનને હેતુ નથી હોતા. આપનું અને મારું અહીં મોટી ગંભીર સમસ્યા છે. જે મિલન છે અને જે કાંઈ હું અહીં કહેવાની છું, તેને હું જેટલી આપે કહ્યું કે, વિશ્વની પરિસ્થિતિના સંદર્ભમાં ભારતનું આપને ઉત્સુકતતાથી કહેવાનો પ્રયત્ન કરીશ તેટલી જ ઉત્સુકતતાથી અ.પ સૌ શું દર્શન થાય છે? બધા પેપર પણ વાંચે છે. રેડિઓ પણ સાંભળે છે. નવી, સાંભળશો એવી મને આશા છે. ખબર તો હું શું આપીશ? પરંતુ એ ચોક્કસ છે કે ૧૯૬૪માં બીજી તારીખે વિમાન દ્વારા હું ભારત પાછી આવી રહી હતી ભારતની જેટલી થેડી ઘણી આબરૂ યુરોપના દેશમાં હતી, અમેત્યારે વિમાનમાં સાથેની ખુરસી પર એક ભાઈ બેઠા હતા. અમેરિકા- રિકામાં હતી તે ફકત ક્ષીણ જ થઈ રહી નથી, પણ નષ્ટપ્રાય થઈ ના રહેવાસી કદાચ જન્યૂ હશે. પંદર વર્ષથી ફ્રાંસમાં રહે છે અને ગઈ છે. હવે કોઈ સીડી ઉતરવાની રહી નથી. જે સરકારી કર્મચારીઓ કોઈ ધંધાર્થે ભારતમાં એમની અવરજવર રહે છે. વાત ચાલી, ચર્ચા અને પ્રધાને પરદેશ જાય છે તે શું ખબર લાવે છે તેની મને ખબર થતી રહી અને ચર્ચા દરમિયાન એમણે મને એક પુસ્તક આપ્યું. નથી. પણ હું તે જનતાની સાથે મળું છું, જવાની સાથે મારો બેઠાં બેઠાં હું વાંચતી હતી, પુસ્તક હતું “જર્મની બીફૅર ધી સેકન્ડ સંબંધ છે. તે ત્યાં હું જોઉં છું કે ત્યાં કોઈ પણ પ્રકારને આદરભાવ વર્લ્ડ વૉર’. બીજા વિશ્વયુદ્ધ પહેલાં જર્મનીમાં જે યુદ્ધપરિસ્થિતિ ભારતવાસીઓ માટે રહ્યો નથી. કારણમાં જવાની જરૂર નથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૦૯-૨ પ્રભુ આફ્રિકાના દેશ નિરાશ છે, હતાશ છે. કારણકે અહિંસાત્મક પ્રતિકાર માટે કોઈ જ માર્ગદર્શન હવે ભારત પાસેથી મળી શકતું નથી. આફ્રિકાના દેશની સમશ્યાઓના નિરાકરણ માટે કોઈ દિશાદર્શન કે માર્ગદર્શન અહીંથી નથી મળવાનું એ એ લોકો હવે સમજી ગયા છે. આથી એમના ગમે તે પ્રશ્ન હોય - પછી સાઉથ આફ્રિકાનો હોય કે રોડેશિયાના આફ્રિકન લોકોને હોય, ઝામ્બીયા છે કે તાન્જાનિયા કે કેનિયાના લોકોને હોય—એ લોકો યુરોપના લોકો સામે કેવી રીતે ટક્કર ઝીલી શકે અને તે પણ વર્ણદ્ર ષ વગર– એ તેમને સૂઝતું નથી. મને ખબર નથી કે આફ્રિકાની આજની જે પરિસ્થિતિ છે તેના વિષેની કેટલી માહિતી આપણે અહીં ભારતમાં ધરાવીએ છીએ !. પરંતુ ત્યાં કાળા વિરૂદ્ધ ગોરા—કાળી પ્રજા પ્રત્યે પૂર્વગ્રહ અને ધિક્કાર છે. એક સદી કે એક સદીથી વધુ યુરોપના લોકોએ કાળા લોકોનું અપમાન કર્યું છે; તેમની ઉપર જુલમ કર્યા છે કે અન્યાય કર્યા છે; તેની પ્રતિક્રિયા ખૂબ જોશથી આફ્રિકાની ભૂમિમાં ઉઠી છે અને આ પરિસ્થિતિના દોર જૉમે કેન્યાટા કે જુલિયસ નેજા કે આપણા ફીંદા જેવા નમ્રમતવાદીઓના હાથમાં હતા તે હવે તેમના હાથમાંથી સરકતો જાય છે. એવી જ રીતે અમેરિકામાં નીગ્રો લોકોનું આંદોલન માર્ટીન લ્યુથરના હાથમાંથી પૂરેપૂરું સરકી રહ્યું છે. ‘ સ્ટુડન્ટ નવાયોલેન્ટ ડાયરેક્ટ એકશન કમીટી' ના જેટલા નવયુવાનો હતા તે ડૉ. માર્ટીન લ્યુથર કીંગ નમ્રમતવાદી (મોડરેટ) છે, અને તેનાથી કાંઈ કામ થવાનું નથી એમ કહીને ઉદ્દામવાદી (એકસ્ટ્રીમીસ્ટ) થઈ ગયા છે. ડા. કીંગની આબરૂ બીજા દેશેામાં ભલે હોય, પરંતુ એ આંદોલનમાં જે જુવાનો છે તેઓ કહે છે કે, “અમારે કાળા લોકોની સત્તા (બ્લેક પાવર ) અમેરિકામાં જોઈએ છે. હવે અમારી માત્ર એવી માગણી નથી કે જાતીય અલગતા ન રહે, પણ અમારે તા (બ્લેક પાવર) કાળા લોકોની સત્તા જોઈએ છે. આના માટે અમેરિકાના ગારા લોકોને મારવા પડે, તેમની કતલ કરવી પડે, હિંસા કરવી પડે, લૂંટફાટ કરવી પડે તો વાંધો નહીં. આ માર્ટીન લ્યુથર કીંગના રસ્તા લાંબા છે. અમારી પાસે એટલી બધી ધીરજ નથી.” તેઓ દાખલા આપે છે કે, ભારતમાં ગાવાનું કેમ થયું? ત્યાં શું કર્યું? તે પછી ગાંધીજીનું નામ લ્યુથર કીંગ કેમ સૂચવે છે? ભારત આજે શું કરી રહ્યું છે? નાગાલેન્ડમાં ભારત સરકાર શું કરી રહી છે? તો પછી અમને કેમ કહે છે કે અહિંસાનું આંદોલન ચલાવે? સંસ્કારી કક્ષાએ શું થાય છેએ તો આપ સર્વે જાણા છે. પરંતુ જનતા શું વિચારે છે શું કહે છે? ભારત હવે ગાંધીની ભૂમિ રહી નથી. લંડનમાં ફ્ન્ડઝ હાઉસમાં ૩૦ મી જાન્યુઆરીએ – ગાંધીજીના સ્મૃતિ દિવસે- મારું ભાષણ હતું. મેં કહ્યું હતું કે ગાંધી તે। આવતી કાલના માનવ છે. હજી તે। એ જન્મયા પણ નથી. લોકોએ પૂછ્યું કે ગાંધી અને વિનોબાને સમજવાવાળા હિંદુસ્તાનમાં કેટલા છે? મે કહ્યું જીસસને સમજવાવાળા જેટલા પશ્ચિમમાં છે એટલા લોકો ભારતમાં ગાંધીને ନାଁ સમજવાવાળા છે. જવાબ દેવા ખાતર તો દઈ દઈએ, પરન્તુ જે એક વિચારધારા ગાંધીજીને કારણે હતી, તે વિચારધારા આજની નવી જીવનપદ્ધતિને કારણે સમાપ્ત થઈ ગઈ છે. રશિયામાં રાજનૈતિક દષ્ટિએ જવાહરલાલજી અને શાસ્ત્રીજીના વખતમાં ભારતનું જે સ્થાન હતું તે સ્થાન પણ ભારતે હવે ગુમાવ્યું છે. તેઓ ઉલટું એમ વિચારે છે કે પાકિસ્તાનને ખુશ રાખીશું ત દક્ષિણપૂર્વ એશિયામાં આપણે રહી શકીશું. ત્યાં. વિયેટનામ પણ છે, કંબોડિયા છે. આ બધા દેશને ખુશ રાખીએ. હિંદુસ્તાનની કાંઈ બહુ પરવા કરવાની જરૂર નથી. આ પાલ ત્યાં ઘર કરી ગયા છે. આપ ત્યાંનાં છાંપાં વાંચે. ભલે ન્યુયર્ક ટાઈમ્સ વાંચા કે ન્યુ યોર્કનું ટ્રીબ્યુનલ વાંચે કે પછી ગ્રેટબ્રિટનનું મેન્ચેસ્ટર ગાર્ડીયન,ઑબઝર્વર કે લંડન ટાઈમ્સ વાંચે – બધામાં એક સૂર સાંભળવા મળશે કે ભારતની કોઈ પરવા કરવાની જરૂર નથી. ભારત સામ્યવાદ તરફ જનાર નથી. જીવન ૯૯ કારણકે તે ધાર્મિક દેશ છે. તે પછી એની પરવા શું કરવી? પરવા તા પાકિસ્તાનની કરવાની છે. પરવા તો ઈન્ડોનેશિયાની કરવાની છે. પરવા .તા. વિયેટ નામની કરવી કે અમે ચીનને હંફાવી શકીએ. ભારતની ચિન્તા કરવાની કાંઈ જરૂર નથી. એટલે ભારતની વ્યૂહાત્મક પરિસ્થિતિનું મૂલ્ય રશિયામાં ઘટી રહ્યું છે. આ આજની હકીકત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જે આર્થિક મદદ આપણને લેવી પડે છે તેને તમે ગમે તેટલી બીનશરતી કહે, પરંતુ એ લોકો તો મનમાં સમજે છે કે જેટલી આર્થિક મદદ અમે આપીએ છીએ તેટલી અમારી અવ્યકત સત્તા ભારતના જનમાનસ ઉપર વધતી જાય છે, અને અમારી મદદ વગર આ લોકોનું કંઈ નહીં ચાલે, એક પગલું પણ આગળ નહીં વધી શકે. અને જ્યારે ભારતની આંતરિક સમશ્યાઓ પર અહીં ઝગડા ચાલે છે, અહીં વિખવાદ ચાલે છે, દેશની મિલ્કત સળગાવી દેવામાં આવે છે, ત્યારે અહીંનાં છાપાંમાં તો મોડેથી ખબર આવે છે, પરંતુ ત્યાં તરત જ પેપરમાં અને ટેલીવીઝન ઉપર આ વાતો પહોંચી જાય છે. તેમને લાગે છે કે આપણે આપણી રાષ્ટ્રીય સમશ્યા પર વિચાર નથી કરતા અને નાની નાની વાતો લઈ ઝગડીએ છીએ અને એમ વિચારીને તેઓ આપણને મૂર્ખ ગણે છે, રાજ્ય કરવા માટે નાલાયક કહે છે. તેઓ બોલે છે કે ''જોયું ને, અમે કહેતા હતા કે ભારતીએ હજી રાજ્ય ચલાવવા માટે લાયક નથી થયા, અમે લોકોએ જલ્દી ભારત ન છેડયું હોત તો આવી પરિસ્થિતિ ના થાત.” આ ગમે તેમ હો, પણ મને લાગે છે કે આ દુનિયામાં જે બદલાતી જતી સમતુલા છે, સત્તાનું દબાણ છે અને એમાં ભારતનું જે સ્થાન હતું તે સ્થાન ઉતરતું જાય છે, ઉતરતું ગયું છે. આનું ભાન થવાની સામાન્ય નાગરિકને પણ જરૂર છે. હું ઈચ્છું છું કે થોડી નમ્રતાથી તે પોતાની આંતરિક સમશ્યાને જુએ અને તેને સમજવાની કોશિષ કરે. યુરોપથી આવી ને સવારમાં વિમાનમાંથી ઉતરી, અને સાંજે ગાડી પકડી. જે ગાડીમાં હું હતી, જે ડબ્બામાં હતી તે ડબ્બામાં શિખ નેતા સંત ફત્તેહસિંહ હતા. મુંબઈથી શરૂ કરીને રાત આખી “પંજાબી સુબા ઝીંદાબાદ”, “સુબા વિરોધી મુર્દાબાદ ” નાં નારા ગાજતા હતા, દરેક સ્ટેશન પર ભાષણા થતાં હતાં; સ્વાગત થતાં હતાં. એમનાં ડબ્બો તો મારા કુપેની પાસે જ હતો. બારી ખુલ્લી હતી. આથી દરેક સ્ટેશન પર આવતા જતા લોકોના ચહેરા હું જોઈ શકતી હતી. સ્વરોમાં એટલી બધી ઉત્તેજના, આંખામાં ઉત્તેજના, એટલા ધૃણાભાવ અને એટલા દ્વેષ હતો કે જો નારા એ તલવારો હોત તે તલવારથી કાપીને જ ચાલી જાત. આ તે પહેલું દર્શન હતું. દસ મહિના પછી હું અહીં શું જોઉં છું? દરેક વસ્તુને મેળવવા માટે લોકમાનસને ભડકાવા, તેમનામાં ઉત્તેજના ભરી દો, દ્રુષિત કરી દો, ઘૃણા ભરી દો અને પછી આપ તેમને ચાલક શકિત બનાવીને લઢો, ભુસાવળ પછી લોકો ડબ્બામાં આવ્યા. તો મહાવિદર્ભની વાત કરતા હતા. કહેતા હતા કે, “મહારાષ્ટ્રની સાથે કદી વિદર્ભને રાખવું જોઈએ નહીં, બહુ નુકસાન થઈ રહ્યું છે. અમે વિદર્ભ લઈને જ રહીશું. અમને મદદ કરશે વિદર્ભ ચંડિકા.” એવી વાતો થતી હતી અને જાણે હું કોઈ બીજી જ દુનિયામાં આવી પડી હોઉં એમ મને લાગતું હતું. આ કયાંની વિદર્ભ ચંડિકા ? અને આ મહાવિદર્ભ અલગ કેમ ? સાચું કહું છું કે જનમાનસ ઝેરથી દૂષિત થઈ ગયું છે. વિદર્ભ થવું જોઈએ કે ન જોઈએ એ હું નથી કહેવા માગતી. સૌરાષ્ટ્રવાસીઓ ગુજરાતથી જુદા થાય કે ન થાય એ તે છે, જે વણલ છે તે ઝેરથી દૂષિત છે. આના પ્રતિકાર કોણ કરશે? હું ગૌણ સમજું છું. પરંતુ પ્રશ્નો ઉકેલવાની જે પદ્ધતિ આ એક મારી સામે સવાલ છે. મહારાષ્ટ્ર - માઈસેર – સીમાનો પ્રશ્ન લો. આજે પેપરમાં વાંચ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી માઈંસાર જઈ રહ્યા છે. ત્યાં પોલીસની કાર્ડન હતી. સત્યાંગ્રહી લોકો ત્યાં ગયા અને કાર્ડન તોડવાના પ્રયત્ન કર્યો તોડી શકયા નહીં તો એક કાઉન્સીલર પેલીસના ઉપર થૂંકયો. આ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૩ પ્રબુદ્ધ જીવન તે કેવી વાત થઈ? તે રાજકીય પક્ષને સભ્ય છે, અને તે મ્યુનિસિ- કેસના ન્યાયીપણા વિશે ખાત્રી નહિ કરાવી શકે. આ એક વર_પાલિટીને પણ સભ્ય છે. આંખ ખોલતાં શરમ આવે છે, કાનથી સાંભ- લક્ષી સત્ય જે મને દેખાય છે તે આપની સામે મેં મૂકયું છે. એમાં ળતાં શરમ આવે છે, છાપુ વાંચતાં શરમ આવે છે. આને ઉપાય? જવાની જરૂર નથી કે બે વખત એમને છોડયા અને એમણે શું કર્યું? આનો ઉપાય છે. એ ઉપાય રાજનૈતિક પક્ષોના હાથમાં નથી કે શું કામ એમને પાછા પકડવા પડયા? ઇતિહાસ અને દુનિયા એ સરકારના હાથમાં પણ નથી. આનો ઉપાય મારી સમજ પ્રમાણે તમારા જાણે છે અને એનાથી વધુ તે કહેવું પણ નથી. પાકિસ્તાન અને અને મારા હાથમાં છે. આજે જનતાના માનસને અને એના દષ્ટિ- એના સાથીઓ પડદા પાછળ જે ચાલ ચાલી રહ્યા છે અને જે પ્રકાકેણને ઝેરથી દૂષિત કરવામાં આવ્યું છે, અને દુષિત કરાઈ રહ્યું છે. રના વિચારો એ લોકો કરી રહ્યા છે એની જો તાકાત છીનવી લેવી એને પ્રતિકાર વ્યકિત જ કરી શકે. કોઈ સંસ્થા કે સંગઠ્ઠન ના કરી શકે હોય તો આ પગલાં મને અતિ આવશ્યક લાગે છે. હું જયપ્રકાશ જો વ્યકિત ઊભી થાય અને કહે કે મારા મનને દૂષિત નહીં બનવા નારાયણની બહુ પ્રશંસા કરું છું કે ધીરજ અને સાહસથી આ વાતો, સારી રીતે કહેતા આવ્યા છે. દઉં, આ ઝેરથી દૂષિત દષ્ટિકોણ મારા કુટુંબમાં જ માત્ર નહીં પરંતુ વાત થશે, શું કહેશે અને મૌલાના મસુદી પણ શું કહેશે, વાતાવરણમાં પણ નહીં ફરકવા દઉં, આવા ઝેરીલા મનને લઈને જે કયા કયા પર્યાય છે તે બધા વિશે જેને આજે પૂરેપૂરું ધારી લેવું ઠીક લોકો કામ કરે છે તેમને કોઈ પ્રકારનો સાથ ન આપું, તેમને સહયોગ ના નથી. પરંતુ વાટાઘાટો થવી જ જોઈએ. જો આ નહીં થાય તે કટોકટી ઉભી આખું–આમ જે વ્યકિત સ્થળે સ્થળે-ખૂણે ખૂણે ઊભી થઈ જાય, અને એ થશે. આપણે સમજી લઈએ કે કાશમીરની સમશ્યા વિશે દુનિયાને આપણે ખાત્રી નથી કરાવી શકયા, એ હકીકત છે. એક પણ દેશ એ તોફાની લોકોનાં આવાં આંદોલનની ઉપેક્ષા કરે તે પછી એ લોકો સમજી નથી પછી તે બેજીયમ હોય, નેધરલેન્ડ હોય કે ન હોય—જ્યાં જયાં ગઈ જશે કે “હા, ભાઈ ! જનતા જાગી ઉઠી છે! આપણી વિધ્વંસક વાતે ત્યાં ત્યાં એક દેશ એવો નથી, કોઈપણ દેશની એવી એક પાર્ટી નથી. નહીં ચાલે.” આજે એમને વિશ્વાસ છે કે કોઈપણ પ્રકારની એવો એક રાજનૈતિક પુરુષ નથી કે જેને રૂપિયામાં ચાર આના ઉત્તેજના ભરી દઈશું તો જનતા આપણી સાથે થઇ જશે. પણ વિશ્વાસ હોય કે કાશ્મીર પ્રત્યે ભારત ન્યાયનું વલણ દાખવી એ હું જાણું છું કે જીવન આર્થિક સમશ્યાઓને કારણે એટલું રહ્યું છે. પણ અત્યારે એ લોકોની પોતાની મુશ્કેલીઓ છે. જેમકે રોડેશિયામાં વિલસન મુંઝાયા છે અને તેથી તેર થી વધારે સંકટમય છે, એટલું ખેદજનક, એટલું કષ્ટમય છે કે કોઈ નાગરિક પડતું આપણી ઉપર દબાણ નથી લાવી શકતા. અમેરિકાની સરકાર આવી બાબતે ઉપર વિચારવા તૈયાર નથી. એ કહે છે કે મોંઘવારી વધી નીગ્રોના પ્રશ્ન ઉપર કંઈક મુંઝાય છે. આથી એ લોકો પણ રહી છે, અમારી ઉપર ટેકસને બોજો વધી રહ્યો છે, તે અમે શું ઝાઝું બોલી શકતા નથી. વીયેટનામને પ્રશ્ન છે એટલે પણ ચૂપ છે. કરીએ? સરકારને કહે, નહીં તો રાજનૈતિક નેતાઓને કહે. મને ન પૂર્વ જર્મનીના કારણે રશિયા થોડો સંકોચ અનુભવી રહ્યું છે. એટલે અમુક મર્યાદાથી આગળ એ પણ વધી શકતું નથી. આ એમની મુશ્કેતે સરકારમાં વિશ્વાસ છે, ન તે રાજનૈતિક પક્ષમાં. જો થોડોઘણો લીઓ છે તે આપણા માટે તક છે. એનાથી આપણું કામ ચાલી વિશ્વાસ હોય તે જનતામાં છે. એટલા માટે એમની સાથે હું વાત કરું રહ્યું છે. એટલે કે ભારતનું કામ ચાલી રહ્યું છે. ખરૂં પૂછે. તે આપણે છું. જો આપણે આપણા મનને તૈયાર કરીએ, જો આપણે ઊભા થઈ માટે એ સહાનુભૂતિ નથી. જે દેશને વિશ્વની સત સત વિવેકજઈએ, તો હજી મોડું નથી થયું. હવે એક બીજી વાત આપને કહું. બુદ્ધિને આધાર ન હોય તે દેશને માટે સર્વ માન્યતા મળવી કે આદર પાત્ર થવું મુશ્કેલ છે મને ખબર છે કે એ આપને પ્રિય તે નહીં લાગે. પરંતુ અપ્રિય વિમલાબહેન ઠકાર. લાગવા છતાં પણ તમારી સમક્ષ મૂકવાની મારી ઈચ્છા છે. ભારત જૈન મહામંડળનું આગામી અધિવેશન હિંદુસ્તાન અને પાકિસ્તાનની વચમાં જે મનદુ:ખ છે, જે તંગદિલી છે તેના માટે હિન્દુસ્તાન જ દોષિત છે. કાશ્મીરની સમશ્યા તા. ૧૪ - ૧૫ ઑકટોબર ૧૯૬૬ ના રોજ ભારત જૈન મહામંડળનું ૩૯ મું અધિવેશન વર્ધા મૂકામે મળી રહ્યું છે. આ માટે પાકિસ્તાન ગુનેગાર નથી.” આવી પ૦ ટકા નહીં પણ ૯૯ ટકા અધિવેશનનું ખાસ મહત્ત્વ એ છે કે ભગવાન શ્રી મહાવીરની અાગામી યુરોપિયન રાષ્ટ્રોની અને અમેરિકાની માન્યતા છે. આ કોઈ ગુપ્ત વાત ૨૫૦૦ મી નિર્વાણ તિથિનું વર્ષ નજીક આવી રહ્યું છે તે દેશ તેમ જ નથી. એ લોકો માને છે કે તાશ્કેદ કરાર પછી ભારતની સરકાર વિદેશોમાં કઈ રીતે ઉજવવું એ બાબતે ચર્ચા વિચારણા થશે. આ પ્રસંગે દરેક સંપ્રદાયની રગેવાન વ્યકિતએ હાજરી આપે તે કાંઈક પગલાં આગળ ભરશે અને કાશ્મીરના સંબંધમાં કાંઈક થશે–આ અંગેના પ્રયત્નો ચાલુ છે. ખાસ કરીને મહામંડળના જૂના અાગેવાન એક આશા હતી. અાશા પૂરી ન થઈ. એટલે હવે કેવા પ્રકારનું કાકર અને પ્રાણ સમા શ્રી ચિરંજીલાલ બડજાત્યાની તબિયત વૃદ્ધાદબાણ, કેવા પ્રકારની તંગદિલી, ભારતની સરકાર પર લાવવી તેની ત્યાં વસ્થાને કારણે ઘણી નબળી હોવાથી અને તેઓ બહારગામ નીકળી તૈયારીઓ ચાલે છે. એમાં જવાની જરૂર નથી કે કયો દેશ કેવા શકે તેમ ન હોવાથી, તેમને જૈન સમાજના નેતાઓ, કાર્યકર્તારમારને સેવકોનાં દર્શનનો લાભ મળે એવી તેમની તીવ્ર ઈરછા હોઈને આ પ્રકારનું દબાણ લાવવા માગે છે ! પરંતુ આની તૈયારી પશ્ચિમ યુરોપ અધિવેશન વર્ધામાં યોજવામાં ર.વેલ હોઈ, આશા છે કે તેમની વિનંઅને અમેરિકામાં થઈ રહી છે. દસ મહિના પહેલાં હું ભારતમાં હતી તિને માન આપીને લોકો મોટી સંખ્યામાં આ અધિવેશનમાં હાજરી ત્યારે મેં મિત્રો સાથેના વાર્તાલાપમાં કહ્યું હતું અને આજે પણ કહેવા આપે. વિગતો મહામંડળના કાર્યાલય ૧૦૫, કાલબાદેવી, મુંબઈ - ૨માગું છું કે “જેટલા જલદી શેખ અબદુલ્લા અને મૌલાના મસુદીને એ સ્થળેથી મળી શકશે. છેડીને, દિલ્હી બોલાવીને એમની સાથે ભારત સરકાર વાત કરશે આચાર્ય શ્રી રજનીશજીનાં મુંબઈમાં તેટલું વિશ્વની પરિસ્થિતિની દ્રષ્ટિએ ભારત નું ભલું થવાનું છે. આજે જાયેલાં પ્રવચન બધી પૂરી તૈયારીઓ ત્યાં થઈ રહી છે. એ બધી તૈયારીઓના નાધારને " જાણીતા ચિંતક અને દાર્શનિક આચાર્ય શ્રી રજનીશજી તા. આપણે ચલિત કરી દઈશું. ડ્યૂહાત્મક દષ્ટિએ એ બીલકુલ જરૂરી છે કે ૧૬મીએ પૂનાથી મુંબઈ આવી રહ્યા છે. તેમનાં મુંબઈમાં પ્રવચનો આપણે આ બન્ને નેતાઓને છૂટા કરી, દિલ્હી બોલાવી એમની સાથે નીચેની વિગતે યોજવામાં આવેલાં છે. વાતો કરીને.” શનિવાર તા. ૧૭ સવારનાં ૯, સુંદરબાઈ હોલમાં, ભારત જૈન કાશ્મીરને સવાલ અંગત સવાલ છે. કાશ્મીરના નેતા અને મહામંડળ મુંબઈ શાખાના ઉપક્રમે. રાતના ૯ ગુજરાતી મંડળ હલ, આપણે જોઈ લઈશું કે બહારના કોઈ પણ દેશની આમાં દખલગીરી શ્રદ્ધાનંદ રોડ, વિલેપાર્લે પૂર્વ, જૈન યુવક મંડળ વિલેપાર્લેનાં ઉપક્રમે. ના રહે, વાતો કરીને પણ કોઈ પ્રકારની દખલગીરી કરવાનો અધિકાર રવિવાર તા. ૧૮ સવારનાં ૯ બિરલા ક્રિડા કેન્દ્ર, મુંબઈ જૈન નથી એ ત્યારે સાબિત થશે કે જ્યારે કાશ્મીરી નેતાઓને છૂટા કરી યુવક સંઘના ઉપક્રમે. રાતના ૯ અહિંસા હોલ, ખાર, પંજાબ જૈન તેની સાથે વાતચીત થશે. જયાં સુધી એમને કેદમાં રાખ્યા છે- પછી ભ્રાતૃસભાનાં ઉપક્રમે. આપ ભલે આવતા વર્ષમાં ત્યાં ચૂંટણી પણ કરી લે, પણ – ત્યાં સોમવાર તા. ૧૯ સવારના ૮-૩૦ માધવબાગ સર્વોદય મંડળ સુધી તમે દુનિયાના અંત:કરણને તમારી સત્યતા વિશે અને તમારા મુંબઈના ઉપક્રમે. અપૂર્ણા Page #187 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૧--૧૬ પ્રબુદ્ધ જીવન ૪ પૂનાનાં સ્મરણે તા. ૧-૫-૧૯૬૦ના રોજ ગુજરાત તથા મહારાષ્ટ્રના અલગ રાજયની સ્થાપના થઈ હતી. તે દરમ્યાન બેઉ રાજયો વચ્ચે જે કંઈ અંતરાય ઊભો થયો હોય એ દૂર કરીને બેઉ વચ્ચે સ્નેહ સર્જવાની દષ્ટિએ ગુજરાત તરફથી આ વર્ષે એપ્રિલ માસમાં મહારાષ્ટ્રને આમત્રણ મોકલવામાં આવ્યું હતું. ગુજરાતના પાટનગર અમદાવાદમાં કામ કરતી “૪૨ બિરાદરી” (૧૯૪૨ની ચળવળમાં ભાગ લેનાર મિત્રોનું જૂથ) તથા પૂનાની અગ્રગણ્ય સંસ્થા “આંતરભારતી” ના સંયુકત પ્રયાસથી એક કાર્યક્રમ વિચારવામાં આવ્યો હતો. તે મુજબ આ બેઉ રાજ્યોને સ્થાપના - દિન ઊજવવા તા. ૩૦-૪-૬૬ના રોજ મહારાષ્ટ્રના વીસેક ભાઈબહેને અમદાવાદમાં આવ્યાં હતાં. ત્યારે થયેલા ઉત્સાહભર્યા મિલન બાદ ચાલુ વર્ષના એંગરસ્ટ માસની તા. ૭, ૮, ૯ના રોજ મહારાષ્ટ્ર આવવા આંતર-ભારતી તરફથી ગુજરાતને આમંત્રણ મળેલું. પરિણામે અમદાવાદ તથા વડોદરાનાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતાં પાંત્રીસેક ભાઈ બહેન પૂના ગયાં હતાં. પૂનામાં થયેલા સ્નેહમિલનના કેટલાક અનુભવો નીચે આપું છું: સ્ટેશનમાં ગાડી દાખલ થાય ત્યારે સામાન્ય રીતે સ્ટેશનની આફિસમાંથી આવનાર ગાડીનું નામ વિગેરે “માઈક’ પર જાહેર થતું હોય છે. અમારી ગાડી પૂના સ્ટેશનમાં દાખલ થતી હતી ત્યારે ‘માઈક પર “ગુજરાતના મહેમાનોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ.” - એ મતલબના શબ્દો ગાજતા હતા. પરપ્રાંતના અજાણ્યા અતિથિઓ માટે આત્મીયતાની આ હવા અકલ્પિત હતી. એના રણકારમાં ભળી ચંપાની સુવાસ. સ્ટેશને ઉતરતાવેંત અમને સૌને ચંપાના ફલેથી સત્કારવામાં આવ્યા. મહારાષ્ટ્રના અમારા યજમાનાની આ સુવાસ અમારાં હૈયામાં ઊંડી કોરાઈ ગઈ. મારા માટે મરાઠી પ્રજા પૂર્વ-પરિચિત હતી. મુંબઈમાં ઉછરી હોવાથી મને એમની સાથે પરાયાપણું નહોતું લાગતું. પણ પૂનાના અનુભવથી મને તેઓ મારા ચિર-પરિચત સ્વજને હોય એમ જ લાગ્યું. , દરેક આગંતુકને અલગ અલગ મરાઠી કુટુમ્બમાં રહેવાનું હતું. એટલે સ્ટેશને અમને સૌને અમારા યજમાનની ઓળખાણ કરાવવામાં આવી. મારાં યજમાન બહેન સાથે મને પૂના આવતાં પહેલાં પત્રથી ઓળખાણ થયેલી. એટલે મેં એમને જાતે જ શોધી કાઢ્યાં. મરાઠી ભાષાના પ્રસિદ્ધ કવયિત્રિ સરિતા પદકી અને તેમના પતિ–પ્રસિદ્ધ " - લેખક મંગેશ પદકી–મારા યજમાન હતા. પછી એમની સાથેના ત્રણ દિવસના સહવાસ દરમ્યાન મને જરાયે અત્તર લાગ્યું નહોતું. એમના નાનકડા સાદા ઘરમાં મને જ્ઞાન, સંસ્કારિતા ને સદભાવના ત્રિવેણી સંગમ માણવા મળ્યો હતે. સ્ટેશન પર શ્રી પદકીના એક મિત્ર શ્રી કેળકરની ઓળખાણ થઈ. તદૃન સાદું ખમીસ ને પાયજામે પહેરેલા એ ભાઈને જોયા ને પછી એમની શાનદાર ગાડીમાં બેસીને અમે ઘેર પહોંચ્યા, ત્યારે રસ્તામાં એ વિચાર વારંવાર આવ્યો કે આટલી સમૃદ્ધિ ધરાવનારનાં વઓ કેટલાં સાદાં છે! મરાઠી પ્રજાની આ સાદાઈ વારંવાર અનુભવવા મળી ત્યારે મનમાં વિચાર આવ્યો કે મહિને રૂ. ૫૦૦ કમાનાર ગુજરાતી મહિને રૂ. ૨૦૦૦ કમાનાર મરાઠી કરતાં વધુ શોખીન રીતે રહેતા હોય છે. આનું કારણ શું? મરાઠી પ્રજામાં બાહ્યાડંબરનો અભાવ કે જીવનના ઊંડાણમાં ઉતરવાની તેની સવિશેષ તીવ્રતા? અલબત્ત, પશ્ચિમની જીવનપદ્ધતિની ત્યાં પણ અસર પહોંચી છે, પણ આપણા જેટલી નહીં. આ પ્રજા એનું સવ ને ખમીર વધુ જાળવી શકે છે એવું મને લાગ્યું છે. * પહેલા દિવસની પર તો લગભગ ઘરમાં ગોઠવાવામાં, જમવામાં ને આરામમાં જ પૂરી થઈ ગઈ, કારણ કે ઘેર પહોંચતાં જ બે વાગી ગયા હતા. મારા યજમાનની રહેણીકરણી, તેમનાં રસના વિષયો તથા ઉમ્મર પણ મને મળતી હતી. આંતર - ભારતીના કાર્યકરોએ મહેમાન યજમાન સમાને રસવાળા હોય એ વિશે ખુબ ધ્યાન રાખેલું. સાહિત્ય, સમાજસેવા, રાજકારણ, કેળવણી, પર્વતારોહણ, નૃત્યકલા, નાટયકલા વિગેરે અનેક ક્ષેત્રના ચાહક મહેમાનને મહદંશે તેવા જ યજમાન મળતાં બે વચ્ચે વાતોનો પ્રવાહ સહજ રીતે વહેવા માંડતો. પ્રશ્ન એક જ થયો કે, સમયની બેંચને લીધે યજમાનો સાથે ઈચ્છા મુજબ સમય ગાળી ન શકાયો. પહેલે દિવસે તા. ૭-૮-૬૬ ના રોજ સાંજે “Intigration' (એકq) પર પરિસંવાદ રાખવામાં આવેલે. એમાં અતિથિઓના સ્વાગત બાદ ગુજરાતના સર્વશ્રી ઝીણાભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, ભેગીલાલ ગાંધી, ડૅ. લીલાબહેન શાહ, બકુલ ત્રિપાઠી, પ્રિ. એસ. વી. દેસાઈ વિગેરે બોલ્યાં હતાં. તેમ જ મહારાષ્ટ્રના વિધાનસભાના સ્પીકર શ્રી ભારદે, દાદા ધર્માધિકારી, એસ. એમ. જોષી, શ્રી ગેરે વિગેરેએ પણ પરિસંવાદમાં ભાગ લીધો હતો. ખ્યાતનામ અર્ધશાસ્ત્રી ડે. ડી. આર. ગાડગીલ પરિસંવાદના પ્રમુખપદે હતા. પરિસંવાદ જરા લાંબે પણ એકંદરે મજાને થયો. આ મિલનમાં કર્ણાટકના બે પ્રતિનિધિઓ આવેલા. તેમણે પણ પરિસંવાદમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહિસુરના બળતા પ્રશ્ન અંગે તેમણે વ્યકત કરેલું દર્દ ખરેખર હૃદયસ્પર્શી હતું. એ જ રીતે પાણીની તંગી સમયે મુંબઈમાં પ્રગટેલી એક ભાવના કે “બીન મહારાષ્ટ્રીઓને ખાલી કરાવ” એ અંગે એક મરાઠી વકતાએ પણ ઊંડો સંતાપ વ્યકત કર્યો હતે. ભાવનાત્મક ઐકય માટે આવી નિખાલસતા કેટલી જરૂરી છે? - દેશની અનેક ભારે વિટંબણાઓમાં પ્રતિય વિભિન્નતા ઘણી મોટી ચિન્તાનો વિષય છે. આઝાદી અપાવ્યા બાદ પ્રજા પ્રજા વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધવા માંડયું છે. આ સ્થિતિમાં બે પ્રાંત એકમેકને વધુ ઓળખવા માંગે, વધુ આત્મીયતા કેળવવા ચાહે - એ અત્યંત જરૂરી છે. આવા સંમેલનોથી એ દિશામાં જરૂર એક સબળ સામુદાયિક પ્રયત્ન સંધાય છે. પહેલે દિવસે રાત્રે ગુરુદેવ .વીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ નિમિત્તે રવીન્દ્રસંગીત તથા શ્રી વસંતરાવ દેશપાંડેનું શાસ્ત્રીય સંગીત રાખવામાં આવ્યું હતું. બંગાળી કંઠના હલકપૂર્ણ રવીન્દ્રસંગીતથી ઊંડી વૃતિ અનુભવી. શાસ્ત્રીય સંગીતની જમાવટ ઓછી થતાં એ માણવાની અપેક્ષા અધૂરી રહી. બીજે દિવસ ઊગ્યો. સવારના ગુજરાતી બંધુ સમાજ (પૂના). તરફથી અમારી સાથે સ્નેહમિલન ગોઠવવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ જુદી જુદી સંસ્થાઓ તથા સ્થળની મુલાકાત હતી. પૂનામાં અને પૂના નજીક ઘણી સંસ્થાઓ જોવા જેવી છે. એટલે અમારી ત્રણ ટુકડીને કરવામાં આવેલી. બે દિવસમાં અમારી ટુકડીએ અસહાય સ્ત્રીઓ ને બાળવિધવાઓ માટે ચાલતું ‘સેવાસદન', આાંતર - ભારતીના સિદ્ધાન્તને અમલમાં મૂકવા મથતી હિન્દી હાઈસ્કૂલ, વિનસ પ્રકાશન, નેશનલ કેમિકલ લેબોરેટરી, મહારાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર, પુજય કકુરબા તથા મહાદેવભાઈની સમાધિ, દેશના સંરક્ષણ માટે ઊંચી તાલીમ આપતી નેશનલ ડિફેન્સ એકેડમી વિગેરે અનેક સંસ્થા ઓ ને સ્થળે જોયાં. ખડકવાસલાની નેશનલ ડિફેન્સ એકેડમી કોઈને પણ પ્રભાવિત કરે એવી છે. કુદરતી સૌંદર્યના વિશાળ વિસ્તારમાં પથરાયેલી આ સંસ્થાનું રાષ્ટ્રીય મહત્વ પણ અનેણું છેહિન્દી હાઈકુલ જેવી સામાન્ય ક૯પેલી સંસ્થામાં પણ એક નવી જ વિશેષતા જોવા મળી. એમાં પ્રત્યેક શ્રેણીને એક એક પ્રાંત બનાવ્યો છે. દા. ત. દસમી શ્રેણી ગુજરાત છે. તે એ શ્રેણીમાં ભણનાર વિદ્યાર્થી શાળાના સમય દરમિયાન આખું વર્ષ એ પ્રાંતને હોય તેમ રહે. તેને લગતી વિવિધ માહિતી, ચિત્રો, ગીત, કાવ્ય, વગેરે એ વર્ગમાં આપણને ભરપૂર મળી રહે. આમ અખ્તર - પ્રાતીય જીવનને એક નવા સ્વરુપે આ શાળાએ રજુ કરવા સારો પ્રયત્ન કર્યો છે. બે દિવસમાં અમને આવું આવું ઘણું જોવા તથા જાણવા મળ્યું. તદુપરાંત મ્યુનિસિપાલિટી તથા બેંક તરફથી અમારો સત્કાર અને પૂનાની શ્રેષ્ઠ ગણાતી હોટેલ ‘પૂનમ'માં અમારી યુજમાને સાથે આ ભેજન સમારંભ પણ થયો. ખવરાવવામાં મહારાષ્ટ્રી લેાકો એટલા. ભાવભર્યા હતા કે બધે એમને ન્યાય આપવું એ અમારા માટે મુશ્કેલ બનતું હતું. હું તે વિનોદમાં કહેતી હતી કે, મારી પાસે એક ટીફીન હોત તે વધારાનું બધું ખાવાનું ભરીને ગુજરાત લઈ જાત! - બીજે દિવસે સાંજે મરાઠી સાહિત્ય પરિષદમાં સાહિત્યકારો સાથે મિલન હતું. શ્રી ઝીણાભાઈ દેસાઈ (નેહરશ્ચિમ)ના પ્રમુખપદે થયેલા રામ એ કિ મરાઠી કે મહિતી વધુ છે અને Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રભુ જીવન તા. ૧૬-૯- ૨ આ મિલનમાં બેઉ ભાષાના નાના મોટા સાહિત્યકારોનો પરિચય ખાદી ગ્રામેાધેાગનુ આયેાજનમાં સ્થાન [પ્લાનીંગ ફોરમ તરફથી ગુજરાત વિદ્યાપીઠમાં ગુ. રા. ખાદી ગ્રામોઘોગ બાર્ડના અધ્યક્ષશ્રી બાબુભાઈ જ. પટેલના તા. ૪-૨-૬૬ના પ્રવચનની નોંધ આ આપ-લે માટે સમય ઓછો પડયો. શ્રી ઝીણાભાઈએ અત્યારના ગુજરાતી સાહિત્યનો ખ્યાલ આપ્યો તથા તેમનાં પંદરવીસ ‘હાઈકુ” (જાપાની સાહિત્યના એક કાવ્યપ્રકાર) સંભળાવ્યા. એ સુંદર હતાં. ત્યાર બાદ શ્રી ઠાકોરભાઈ દેસાઈએ એમણે કરેલા “ગીતા પ્રવચનો નો અનુવાદ લક્ષ્યમાં રાખીને કેટલુંક કહ્યું. પરંતુ આપણા આધુનિક શકિતશાળી કવિ તથા નવલકથાકાર શ્રી રઘુવીર ચૌધરી, હાસ્યરસના અચ્છા લેખક શ્રી બકુલ ત્રિપાઠી વગેરેને લાભ આપવા માટે સમય બિલકુલ ન રહ્યો. તેમ જ મરાઠી સાહિત્યકારોની પણ એકકે કૃતિ સાંભળવા અવકાશ ન રહ્યો એનું મને ઘણું દુ:ખ થયું. કાર્યક્રમ પૂરો કરવાને બેચાર મિનિટ બાકી હશેને મને કોઈ કાવ્ય સંભળાવવાનું કહેવામાં આવ્યું. મે સંભળાવ્યું તે કાવ્ય એ ભાઈ-બહેનોએ જે રીતે મે ઝીલ્યું તે મારે માટે યાદગાર બની રહ્યું. પરભાષાના શ્રોતાઓ હોવા છતાં તેમણે આ ગુજરાતી કાવ્યનો શબ્દેશબ્દ સુંદર રીતે ઝીલ્યો. આ સભા બાદ તરત જ બીજી સભાપ્રત્યેક ભાષાની સંસ્થાઆ પાતાની પ્રવૃત્તિની માહિતી આપે તે અંગે—હતી. એટલે સાહિત્ય સંમેલન અણધાર્યું બંધ કરવું પડયું. રાતે અમારા રંજન માટે રાષ્ટ્ર સેવાદળના કલાપથક તરફથી ‘મહારાષ્ટ્ર દર્શન’ના ગીતનૃત્યો તથા “બીન બિયાં ચા ઝાડ” ના તમાસે રજૂ કરવામાં આવ્યો. ગીત ને નૃત્ય ખરેખર રંજન કરે એવાં સુંદર હતાં. ‘તમાસા’ એટલે આપણી ‘ભવાઈ’ જેવું ગ્રામઢબે રજૂ થતું નાટક. એની કથા આપણી બાળવાર્તા ‘રાજા સૂપડકો' જેવી જ હતી. નાટક ખૂબ ગમ્મત પડે એવું હતું. સુપ્રસિદ્ધ મરાઠી કવિ શ્રી વસંત બાપટે નાટક સુંદર રીતે ભજવ્યું ને અમે એથી હળવાંફ લ થઈ ગયાં. ત્રીજે દિવસે સવાર ને બપાર તો સંસ્થાઓની મુલાકાત ને અમારા સત્કારસમાર ભામાં ગઈ. કાર્યક્રમ અત્યંત ભરચક હોવાથી સમય ઝડપભેર વહી જતા હતા. સવારે ‘સાધના’ સાપ્તાહિકના કાર્યાલયમાં આંતરભારતીની પ્રવૃત્તિ પર ચર્ચા કરવા અમે પંદરવીસ કાર્યકરો મળ્યા હતાં. ત્યાં આ પ્રવૃત્તિને વધુ સબળ, વ્યાપક ને અસરકારક કરવા માટે સૌએ પોતપોતાનાં સૂચનો આપ્યાં. મારી દષ્ટિએ આ સભા મહત્ત્વની હતી. કાર્યક્રમોની સતત ચાલતી હારમાળામાં મારું મન વિચાર્યા કરતું હતું કે, આમાંના ઔપચારિક પરિચયો, પાર્ટીઓ, વધુપડતી સંસ્થાઓની મુલાકાતો, અનાવશ્યક લંબાણવાળાં ભાષા અને વધારેપડતાં ૨જનકાર્યક્રમા આ બધામાં વિવેક વાપરીને થોડું ઓછું રાખ્યું હોય તો? સમયની ખેંગાખેંચ ન હોય તે આ મિલન વધુ સ્વાભાવિક ને સચોટ ન બને? શરૂઆતની ભૂમિકામાં આ જરૂરી હશે. પણ ભવિષ્યમાં આ બધું ઓછું કરીને મૂળભૂત પ્રવૃત્તિ પર જ કેન્દ્રિત થઈએ તો? છતાં આ તબકકે તે જે થયું તે પણ ઘણું સારું થયું છે. સાંજે જાહેર સભા હતી. જેમાં શ્રી સનત મહેતા, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી અચ્યુત પટવર્ધન, શ્રી રાવસાહેબ પટવર્ધન વિગેરે બોલ્યા હતા. વર્તમાન જીવન, સમાજ, રાષ્ટ્ર તથા રાજકારણ વિગેરે ને અનુલક્ષીને વકતાઓએ પેાતાનું સારૂં ચિંતન લાઘવયુકત ભાષામાં રજૂ કર્યું હતું. મધુર કંઠે ગવાયેલા “વંદે માતરમ્ ’સાથે ત્રણ દિવસના કાર્યક્રમ પૂરો થયો ત્યારે એમ થયું કે, જાણે ખૂનામાં અમે કેટલાય સમયથી આવ્યા હઈશું. તા. ૧૦મીએ સવારે ખંડાલાના ઘાટ વટાવતી અમારી બસ મુંબઈ તરફ ગતિ કરતી હતી. મનની ગતિ પણ એમાં તાલ દેતી હતી, અને એના અત્યંત રમણીય પ્રકૃતિસૌંદર્યને માણતી હતી. એના વાદળછાયા પડદા હઠતાં હરિયાળી કુદરત, ખળખળ વહેતાં ઝરણાં ને આકાશ ચિંધતા પહાડો કેવાં ખીલી ઉઠતાં! મનમાંથી પણ પ્રાંત પ્રાંત વચ્ચેના અનેક પડદાઓ આમ જ હઠી જશે એવી શ્રાદ્ધા દઢ થતી હતી. બસમાં પાંચસાત મરાઠી મિત્રા સાથે હતાં, તેમની સાથે જામેલી મરાઠી ને ગુજરાતી ગીતો તથા કાવ્યોની મજાની રમઝટ વાતાવરણને પ્રસન્નતાથી ભરી દેતી હતી. મહારાષ્ટ્રમાં આવ્યાં ત્યારે જાણે કે માત્ર ગુજરાતી હતાં એવાં અમે ગુજરાત તરફ જતી વખતે ગુજરાતી મરાઠીનું સંયુકત વ્યતિતત્વ અનુભવતાં આગળ વધી રહ્યાં હતાં. આ આનંદ અત્યન્ત પ્રેરક અને રોમાંચક હતા. ગીતા પરીખ આયોજનના વિશાળ ફલકના એક નાનકડા ખૂણાની વાત આજે આપની સમક્ષ મૂકવાની મારી કોશિષ છે. સામાન્ય રીતે યોજનાપૂર્વકના વિકાસમાં સંશોધન કેન્દ્રો થાય, મોટા ઉદ્યોગો સ્થપાય, દેશમાં સંપત્તિ વધે, બંધા બંધાય, નહેરો થાય, મોટા પાયા પર ઉત્પાદન વધારવાની અને રોજગારી વધારવાની કોશિષ થાય—આ બધાં મુખ્ય અંગો છે. જુદાં જુદાં ગેામાંનું એક નાનકડું અંગ ખાદી ગ્રામોદ્યોગ પણ છે. આ દેશમાં જો સમાજવાદ સ્થાપવા હોય, ગરીબી કામય માટે દૂર કરવી હોય, અને આર્થિક અસમાનતા ઘટાડવી હોય તેમ જ અનેક દેશની હરોળમાં ઊભા રહી શકે તેવા દેશને બનાવવા હોય તો મોટા પાયાના ઉદ્યોગો અને પાયાના ઉદ્યોગાન ઝડપી વિકાસ કરવા જોઈએ એમ એક વર્ગ માને છે. યોજનાઓમાં મોટા પાયાના ઉદ્યોગામાં ભારે પ્રગતિ થઈ છે એમાં શંકા નથી. ત્રણ યોજનાઓ દરમ્યાન ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૫૦ ટકા જેવા વધારો થયો છે. સિંચાઈની યોજનાઓમાં ઘણા વિકાસ થયો છે. યોજનાઓ પહેલાં દેશમાં મેટા અને પાયાના ઉદ્યોગા નહિવત હતા તે યોજનાઓ દરમ્યાન ઘણા જ વિકસ્યા છે. રેલવેના એન્જિના, ડબા, વેગન વગેરેની જરૂરિયાતા દેશના ઉદ્યોગા દ્વારા હવે પૂરી પાડી શકાય છે. રાસાયણિક ખાતરનું ઉત્પાદન પણ વધ્યું છે. કાપડનું ઉત્પા દન ૩૭૫ લાખ વાર પરથી વધીને ૯૦૦ લાખ વાર થયું છે. સિમેન્ટનું ઉત્પાદન ૧૮ લાખ ટન હતું તે વધીને ૧ કરોડ ટન જેટલું થયું છે. આમ ઉદ્યોગોના વિકાસમાં પ્રગતિ થઈ છે તે હકીકત છે. રાષ્ટ્રીય આવક તેમ જ સંપત્તિ પણ વધી છે. પહેલી યોજનામાં ૧૧ ટકા જેટલો વાર્ષિક રાષ્ટ્રીય આવકમાં વધારે થશે તેવી કલ્પના હતી તેને બદલે ૧૮ ટકાના વધારા થયા. બીજી અને ત્રીજી યોજના દરમ્યાન પણ ઉત્પાદન વધારો ચાલુ જ રહ્યા છે. જીવનધારણ પણ યોજનાઓ દરમ્યાન ઊંચું આવ્યું છે. આ બધું હોવા છતાં પણ એક પાયાના સવાલ ઉકેલવાના હતા તે ચાલુ જ રહ્યો છે. આ સવાલ તે રોજગારીના છે. યોજનાઓ દરમ્યાન શરૂ કરવામાં આવેલાં નવાં કામાએ રોજગારી વધારી, છતાં પણ, બેરાજગારીનું પ્રમાણ વધતું જ રહ્યું છે. પહેલી યોજનાને અંતે ૫૦ લાખ બેરોજ્ગાર હતા, બીજી યોજનાને અંતે ૯૦ લાખ બેરોજગાર હતા, ત્રીજી યાજનાને અંતે ૧૩૦ લાખ બેરોજગાર હશે એવા અંદાજ છે. રોજગારીનું પ્રમાણ વધારવામાં આવતું હોવા છતાં દરેક યોજનાને અંતે બેરોજગારીનું પ્રમાણ વધતું જ જાય છે. દુનિયાના બીજા દેશોને હિસાબે હિન્દુસ્તાનમાં વસતિવધારો ઝડપી છે એ આપણી સમસ્યાનું એક મહત્ત્વનું કારણ છે. વસતિ વધારાની બાબતમાં હિન્દુસ્તાનનું સ્થાન જગતભરના આગળના દેશમાં પ્રથમ છે. ૫૦ વર્ષમાં હિન્દુસ્તાનની વસતિમાં ૮૪ ટકાનો વધારો થયો છે, ત્યારે એ અરસામાં ગુજરાતના વસતિવધારો ૧૨૭ ટકા થયો છે, હિન્દુસ્તાનની કુલ જમીનના ૭૫ ટકામાં અનાજ થાયછે. જ્યારે ગુજરાતની કુલ ખેતીલાયક જમીનના ૫૫ ટકા જમીન ઉપર રોકડિયા પાકો થાય છે. એક ભાઈ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, આયોજનમાં બધું જ બંધ કરી દો, પણ વસતિ વધારે અટકાવી શકાય તેવું કંઈક કરો. આ વાત લોકોને ગળે ઉતારવાની જરૂર છે, લોકો નહિં સમજે તો આ નહિ થઈ શકે. એક વાત તે સાચી જ છે કે મોટા પાયાના ઉદ્યોગો જે રોજગારી આપે છે તેના કરતાં નાના પાયાના ઉદ્યોગો દ્વારા વધારે રોજગારી આપી શકાય છે. વળી ખાદી જેવા ઉદ્યોગોના વિકાસ માટે વધારે મૂડી રોકાણની જરૂર પણ હોતી નથી. આઠ ત્રાકના અંબર રેંટિયો ચલાવવા ફકત રૂા. ૨૫૦ જોઈએ. વળી એક જ અંબર રેંટિયા ઉપર કુટુંબની બે કે ત્રણ વ્યકિતએ પણ કામ કરી શકે છે. જેમ ઉદ્યોગો મોટા તેમ મૂડી રોકાણ વધતું જાય. કેટલાક મોટા ઉદ્યોગામાં તે ૧ લાખ Page #189 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૯-?? રૂા.ના મૂડીરોકાણથી ફકત એક જ વ્યકિતને રોજગારી આપી શકાય છે. હિંદુસ્તાન માટે મૂડી રોકાણના સવાલ ખૂબ કોયડા સમાન છે. જે રકમ દેશમાં બચાવી તે મૂડી છે અને તે મૂડીનું રોકાણ કરી શકાય. આપણા દેશના લોકોની માથાદીઠ વાર્ષિક આવક રૂા. ૩૩૦ છે. આમાંથી બહુ બચત કરવાનું કઠણ છે. હિન્દુસ્તાનમાં ચાલતા બધા જ ઉદ્યોગામાં કુલ ૪૦ લાખ લોકોને રોજગારી મળે છે, જ્યારે ૧૩૦ લાખ લોકો જે બેરોજગાર છે અને ભવિષ્યમાં જે બેરોજગાર વ્યકિત વધે તે બધાને રોજગારી આપવા માટે આજના મોટા ઉદ્યોગોના ધેારણે તે અસાધારણ વધારે મૂડીરોકાણની જરૂર પડે. વધારે મૂડીરોકાણ પરદેશી મદદ દ્વારા થઈ શકે, પણ પરદેશી મદદ મેળવવી બહુ આસાન નથી. પરદેશી મદદ માટે વ્યાજ અને મુદલ ચૂકવવાનું રહે છે જ. આ માટે આપણા દેશમાં પેદા થતી વસ્તુઓની નિકાસ કરવી પડે. તેલના ભાવ ચડતા હોય તે લોકો બૂમ પાડે કે તેલની નિકાસ કરશે નહિ, ચામડાની નિકાસ કરશે નહિ, કપાસિયાની નિકાસ કરશો નહિ. કેટલાક લોકો એમ માને છે કે આ વીસમી સદીમાં ગાંધીજીના વિચાર એ તે જૂનવાણી વિચાર છે. જે જાતના ઉદ્યોગોની તેમની કલ્પના છે તે તે જૂનવાણી છે. છતાં પણ બેરોજગારીના સવાલ હળવા કરવા માટે જે વાત ગાંધીજીએ કરી છે તેનાથી બીજી કોઈ સારી વાત હજી એમને જડી નથી. ગૃહઉદ્યોગો અને નાના પાયાના ઉઘોગા દ્રારા જેટલી રોજગારી આપી શકાય તેટલી રોજગારી બીજા કોઈ ઉદ્યોગા દ્વારા આપી શકાય તેમ નથી. ગૃહ ઉદ્યોગે એવા પ્રકારના છે કે જે ઓછામાં ઓછી મૂડીમાં વધારેમાં વધારે માણસાને રોજગારી આપે છે. પ્રબુદ્ધ જીવન આ વાતનું મહત્ત્વ સ્વીકારીને ભારત સરકારે ખાદી અને ગ્રામાદ્યોગના વિકાસ માટે એક પંચ બનાવ્યું. તે ખાદી ગ્રામોદ્યોગ ખેંચે, આના વિકાસ માટે ત્રણ યોજનાઓ દરમ્યાન અનુક્રમે રૂ।. ૧૫ કરોડ, રૂા. ૮૮ કરોડ અને રૂા. ૮૯ કરોડ ફાજલ પાડયા છે. ખાદી ક્ષેત્રમાં યોજનાઓ પહેલાં ૩ લાખ ૭૦ હજાર લોકોને રોજગારી મળતી હતી; હાલ ૧૮ લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. હિંદુસ્તાનમાં કાપડ ઉદ્યોગ ઠેર ઠેર ફેલાયા છે. એ ઉદ્યોગ ૯ લાખ માણસોને રોજગારી આપે છે. ખાદી ઉદ્યોગ ૧૮ લાખ માણસાને રોજગારી આપે છે. આ રોજગારીમાંથી મળતી આવક બહુ મામૂલી છે. કેટલાક લોકોને તે બે કે ચાર આના મળતા હોય છે. જેટલા સમય માણસ ફાજલ પાડી શકે તેટલું તેમાંથી તેને મળે. કેટલાંકને તે ફકત મીઠું મરચું લાવવાના કામમાં આવી શકે તેટલી રોજગારી જ તેમાંથી મળતી હોય છે. પણ સમાજમાં કેટલાંય કુટુંબો એવાં છે કે જેમને આ નજીવી આવક પણ ઘણી રાહતકારી જણાય છે. વ્યકિતને દરરોજને એક રૂપિયા રોજ્ગારી મળે તેવું સાધન રેંટિયામાં શોધાવું જોઈએ એવા વિચાર રાષ્ટ્રપતિએ રજૂ કર્યો હતો. અંબર ચરખો એ એક એવું સાધન ગણી શકાય. ગુજરાતમાં જે અંબરનું કામ ચાલે છે તે દેખાડે છે કે કેટલાંક કુટુંબા ૨૦ કે ૩૦ આંટી દિવસના કાઢે છે. એક આંટીમાં ૧૪ પૈસાની મજૂરી મળે છે. અંબર ચરખો પૂરો સમય ચલાવવામાં આવે તે ૧ શ. કરતાં વધારે દૈનિક આવક મેળવી શકાય. આઠ ત્રાકના અંબરના કારણે ગુજરાતમાં ખાદીનું પ્રમાણ વધતું જાય છે. ખાદીનું ઉત્પાદન મેાટા પાયા પર થશે તો તેના વેચાણનું શું થશે? મોંઘી જ રહેવાની હોય તો તેને ખરીદશે કોણ એવા પ્રશ્નો કેટલીક વાર ઉઠાવાય છે. એ અંગે સૂચવાય છે કે, હિંદુસ્તાનના કાપડ ઉત્પાદનમાં અમુક ક્ષેત્રે જેમ કે નેપકીન, ચાદર, ટુવાલ વગેરે કે જેમાં આ ક્ષેત્ર ખાદી માટે નિયત કરવામાં આવે તે તે ક્ષેત્ર દ્રારા ખાદીનું પ્રમાણ વધારી શકાય. ખાદી ગ્રામેાઘોગ પંચે જેવી રીતે ખાદીના વિકાસનું કામ શરૂ કર્યું છે તેમ તેવાં જ બીજાં કેટલાંક કામા પણ શરૂ કર્યાં છે. ૧૯૩ શેરડીનેં જે પાણી જોઈએ છે તે બીજા પાકો કરતાં છથી સાત ગણું હોય છે, તે બચાવી તાડ ઉદ્યોગને વિકસાવી તેમાંથી ગોળ બનાવવામાં આવે તે અનાજ ઉત્પાદનને પણ વેગ મળે. પશુસંપત્તિમાં જગતના સૌથી માટે દેશ હિંદુસ્તાન છે. આ બધાં જાનવરો સારી રીતે ઉછેરવામાં આવે તે। આ ઉદ્યોગ પણ વિકસાવી શકાય. આપણા દેશમાં નીરો આપનારાં ઝાડોની સંખ્યા ઘણી જ વધારે છે. આ બધાં જ ઝાડો છેદવામાં આવે તો તેમાં ઘણાં માણસોને રોજગારી આપી શકાય. વળી આ રસમાંથી ગાળ પણ બની શકે છે. આપણા દેશમાં જે જમીન શેરડીમાં રોકવામાં આવે છે અને ગામડામાં માટીનાં જુદાં જુદાં વાસણા અને અને રમકડાં બનાવવામાં આવે છે. આ ઉદ્યોગને પણ સારી રીતે વિકસાવવા જોઈએ. ઘાણીના ઉદ્યોગને પણ પદ્ધતિસર વિકસાવવામાં આવે તે ગામના કારીગરોને પ્રોત્સાહન અને રોજગારી મળે અને ગામમાં જ આ ઉદ્યોગ હોવાથી ખેડૂતોને લાભ થાય. આ બધા જ ઉદ્યોગોના વિકાસ માટે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા પ્રયત્ન થાય છે, આ બધાના વિકાસ માટે ખાદી ગ્રામોદ્યોગનું સ્થાન આયોજનમાં રાખેલ છે. જેને આપણે ગાંધીવિચાર કહીએ છીએ તેને અને ાને સંબંધ નથી. ગાંધીવિચારમાં તો ગામડાં અને શહેરી સ્વાવલંબી હોવા જોઈએ. દરેકે પોતપોતાની જરૂરિયાતની વસ્તુઓ જાતે જ પેદા કરવી જોઈએ. આખો સમાજ સુખી અને સંપીલા બને. સમાજમાંથી આવકની તેમજ બીજી અસમાનતાદૂર થાય. આ હતી બાપુની કલ્પના. એ કલ્પના આપણા આયોજનકારોએ સ્વીકારી નથી. આયોજનમાં ખાદી ગ્રામોદ્યોગના સ્વીકાર કરવામાં આવે તેનું કારણ તો તેની આર્થિક ઉપયોગિતા જ છે. ગુજરાતમાં ખાદીનું ઉત્પાદન ૩૦ લાખ વારનું છે તે ૧ કરોડ વારનું કરવાની ધારણા છે. આ યોજના પૂરી પડશે ત્યારે ૨૫ હજારને બદલે ૮૦ હજાર માણસાને રોજગારી પણ આપી શકાશે તેવી આશા છે. આમાં કામ કરતી વ્યકિતઓની માથાદીઠ આવક રૂા. ૨૪૦ની છે તે રૂા. ૪૦૦ની થાય તેવી ધારણા પણ છે. ‘ગ્રામનિર્માણ’માંથી સાભાર ઉષ્કૃત બાબુભાઈ જ. પટેલ સંઘના સભ્યના લવાજમમાં વધારો ‘પ્રબુદ્ધ જીવન’ ના લવાજમમાં વધારો તા. ૨-૯-૬૬ શનિવારના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ, સંઘના તેમ જ પ્રબુદ્ધ જીવનના વહીવટી ખર્ચમાં છેલ્લાં પંદર વર્ષ દરમિયાન અસાધારણ વધારો થયેલા હોઈને સંઘનું વાર્ષિક લવાજમ હવે પછીના જાન્યુઆરી માસથી રૂા. ૫ના બદલે ગ઼. ૧૦ કરવાનો ઠરાવ કર્યો છે અને પ્રબુદ્ધ જીવનના ગ્રાહકનું લવાજમ હવે પછીથી જે કોઈ નવા ગ્રાહક થાય અથવા તો જૂના ગ્રાહકો ચાલુ થાય તેમના માટે રૂા. ૪ને બદલે રૂા. ૭ કરવાના ઠરાવ કર્યો છે. મંત્રીઓ: મુબઇ જૈન યુવક સૌંઘ. ‘સિંહદર્શન’: મુદ્રણશુદ્ધિ તા. ૧૬-૮-’૬૬ ના ‘પ્રબુદ્ધ જીવન ’માં પ્રગટ થયેલા ‘સિંહ દર્શન' ના છેવટના ભાગમાં જે સિંહણનો ભેટો થયો તેને અનુલક્ષીને જણાવવામાં આવ્યું છે કે “હું એનાથી રા ફીટ પલાંઠી લગાવીનેબેસી ગાઈ.............એક કલાક સુધી આરામથી બેઠા પછી”-આની અંદર ‘૨૫ ફીટ ’ને બદલે ‘.૨૦ ફીટ’ વાંચવું અને ‘એક કલાક’ના ઠેકાણે ‘અરધાએક કલાક’ વાંચવું. તંત્રી. વિષયસૂચિ જૈન પ્રાર્થના શ્રી.વિમલાબહેન ઠાકરનું પ્રવચન પૂનાનાં રસ્મરણા ખાદી ગ્રામાઘોગનું આયોજનમાં સ્થાન સનિષ્ઠ લેાકસેવક મહાપ્રસ્થાનના પથ પર ૧૪ પંડિત સુખલાલજી ગીતા પરીખ બાબુભાઈ જ. પટેલ પ્રબોધકમાર સંન્યાલ પૃષ્ઠ ૯૭ ૯. ૧૦૧ ૧૦૨ ૧૪ ૧૦૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૬૬ સન્નિષ્ઠ લેકસેવક મહારાષ્ટ્રના રાજ્યપાલ ર્ડો. પી. વી. ચેરિયને કાયદો, ન્યાયતંત્ર અને જાહેર આરોગ્ય ખાતાના પ્રધાન શ્રી શાંતિલાલ હ. શાહનું રાજીનામુ સ્વીકારી લીધું છે અને તેમનું જાહેર આરોગ્યનું દફતર હાલ તુરત મુખ્ય પ્રધાન શ્રી વસંતરાવ નાઈકે સંભાળી લીધું છે. શ્રી શાંતિલાલ શાહના રાજીનામાં સાથે વિશાળ મુંબઈ અને મહારાષ્ટ્ર રાજ્યના વહીવટ સાથે છેલ્લાં ૧૪ વર્ષોથી સંકળાયેલા એક કર્તવ્યનિષ્ઠ રાજપુરુષની * પ્રધાનપદની કારકિર્દીને તત્કાળ પૂરતો અંત આવ્યો છે. જે સંજોગોમાં eી શાંતિલાલ શાહનું રાજીનામું આવી પડયું તે સંજોગોનો વિચાર કરતા, તેમનું રાજીનામુ સિદ્ધાંતના પ્રશ્ન પર અપાયેલું હોઈ, તેમના તરફથી એ દિશામાં કશી બાંધછોડની અપેક્ષા રાખી શકાય નહિ. પણ એમના જેવા વડેરા પ્રધાન અને રાજપુરુષના રાજીનામાને અંગે તેમની સાથે વિવેક પૂરતી પણ ચર્ચા વિચારણા કરવાનું યોગ્ય મનાયું નહિ અને મુખ્ય પ્રધાને તેમનું કારણ દર્શાવ્યા વિનાની એક લીટીની–રાજીનામું સ્વીકારવાની-ભલામણ સાથે, રાજ્યપાલને સુપરત કરી દીધું તેથી સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય સાથે આઘાતની લાગણી થાય છે. શ્રી શાંતિલાલ શાહની પ્રધાનપદની છેલ્લાં ૧૪ વર્ષોની સન્નિષ્ઠ સેવા જોતાં તેમને આવી રીતે આ પદ પરથી ખસવું પડે એ ભાગ્યે જ ઉચિત લેખાય. પણ હવે આ રાજીનામું સ્વીકારાઈ ગયું હોઈ એને અંગે વિતંડાવાદમાં ઉતરવાનું હિતાવહ નથી. છતાં શ્રી શાંતિલાલ શાહે જે સિદ્ધાંતને ખાતર રાજીનામું આપ્યું છે તેના અંગે તેઓને અભિનંદન આપ્યા વિના રહી શકાતું નથી. ‘સચિવાલય બંધ ' ની ધરા ડાલો’ પ્રવૃત્તિ અને તે પછીનાં મુંબઈ બંધ’ ના દિવસે દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી યથાયોગ્ય રીતે કરવામાં મહારાષ્ટ્ર સરકાર નિષ્ફળ ગઈ. પરિણામે તે દિવસે મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની વિનંતિને માન આપીને ‘બંધ’ની અવગણના કરીને કામધંધે જનારી જનતાને ભારે પરેશાની અનુભવવી પડી. આના વિરોધમાં મુંબઈ પ્રદેશનું પ્રતિનિધિત્વ ધરાવતા ધારાસભ્યોએ વિધાન મંડળમાંથી પોતાનાં રાજીનામાં આપી દીધાં. બે પ્રધાને પૈકી એક શ્રી શાંતિલાલ શાહે જ પિતાનાં પ્રધાનપદનું રાજીનામું પણ આપ્યું; બીજા એક પ્રધાને ધારા- . સભ્યપદનું રાજીનામું આપ્યું પણ પ્રધાનપદે તે તે કાયમ રહ્યા અને એક નાયબ પ્રધાન મુંબઈ પ્રદેશ કેંગ્રેસના પ્રમુખને પિતે રાજીનામું આપે છે એમ જણાવીને એ આપવાથી દૂર રહ્યા, એટલું જ નહિ પણ, એને અંગે ફરી ગયા. આ પછી ધારાસભ્યનાં રાજીનામાં પાછાં ખેંચી લેવાતાં સુધીની જે ઘટનાઓ બની ગઈ તે મુંબઈ શહેરની કાયદાને માન આપનારી પ્રજા માટે દુ:ખદ બોધપાઠ મૂકી જાય છે. અલબત્ત, આ રાજીનામાં પાછાં ખેંચાતાં મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસ વચ્ચેનાં દુ:ખદ ઘર્ષણને સુખદ અંત આવ્યો છે. પણ આ ઘટનામાંથી કોઈ નવા ફણગા ફટે તો આશ્ચર્ય પામવાનું નથી. આ પરિસ્થિતિમાં શ્રી શાંતિલાલ શાહે પ્રદેશ કેંગ્રેસના આદેશ મુજબ ધારાસભ્યપદનું રાજીનામું ખેંચી લીધું; પણ પ્રધાનપદના રાજીનામાને તેઓ વળગી જ રહ્યા અને એ તેમની સિદ્ધાંતનિષ્ઠાનું સૂચક લેખાય. ‘બંધ’ને અંગે વિરોધ પક્ષો સાથે વધારે પડતી, કાયદો અને વ્યવસ્થાને ભાગે પણ, સહાનુભૂતિથી કામ લેવાની મહારાષ્ટ્ર સરકારની નીતિ સાથે શ્રી શાંતિલાલ શાહ સ્વાભાવિક રીતે જ સંમત ન થયા. સંભવ છે કે મહારાષ્ટ્ર સરકારની બીજી ચોક્કસ નીતિઓ અંગે પણ તેમને સૈદ્ધાંતિક મતભેદ હોય. આથી તેઓ રાજીનામાના નિર્ણયને વળગી રહ્યા. તેમની આવી સિદ્ધાંતનિષ્ઠા, આવાં સ્થાન પરના માનવીઓ માટે અનુકરણીય હોઈ, અભિનંદનને યોગ્ય છે. શ્રી શાંતિલાલ શાહે પ્રધાનપદની તેમની ૧૪ વર્ષની કારકિર્દી દરમ્યાન વિવિધ દફતરો સંભાળ્યાં. શ્રી મોરારજીભાઈ, શ્રી ચવ્હાણ, શ્રી કન્નમવર અને શ્રી નાઈક - એમ ચાર મુખ્ય પ્રધાને હેઠળ તેમણે વિવિધ સમય માટે મજુર ખાતું, જાહેર આરોગ્ય ખાતું, કેળવણી ખાતું, કાયદા ખાતું, ન્યાયતંત્ર, આમ વિવિધ ખાતાઓ સંભાળીને તેને ભારે કાબેલિયતથી વહીવટ કર્યો. અલબત્ત, એમના આ ખાતાઓની વહીવટ સંબંધમાં ચક્કસ પ્રકારનો અસંતોષ ચેક્સ વર્ગોમાં વ્યાપ્યો હતો એની ના પડાય નહિ. પણ એ વહીવટ કરવામાં શ્રી શાંતિલાલ શાહનાં નિષ્ઠા, પ્રમાણિકતા, કર્તવ્યપરાયણતા અંગે કશી જ શંકાને સ્થાન રહેતું નથી, એટલે આવા એક સનિષ્ઠ સેવકની સેવા, નવી ચૂંટણીના થોડાક માસ જ રહેલા હોય ત્યારે, ગુમાવવી પડી એ દુ:ખદ લેખાય. એમના રાજીનામા અંગે શ્રી નાઈકે વધારે ઉદારતાથી જોવાની અને શ્રી શાંતિલાલ શાહને રાજીનામું પાછું ખેંચવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની જરૂર હતી. એમ ન થયું એ દુ:ખદ જ લેખાય. (તા. ૯-૯-૬૬ના મુંબઈ સમાચારને અગ્રલેખ સાભાર ઉધૂત) શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વિવિધલક્ષી પ્રવૃત્તિના પ્રસંશકો તેમ જ સંસ્કારી સુજ્ઞ શ્રોતાઓને નમ્ર નિવેદન - છેલ્લાં સાડત્રીસ વર્ષથી ચાલતાં અમારા સંઘને અને સંઘ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓને પરિચય આપવાની આવશ્યકતા આજે અમને દેખાતી નથી – આમ છતાં પણ, પર્યુષણ પર્વનાં પવિત્ર અને મંગલમય દિવસમાં આપણે સૌ બાર મહિને એકવાર ભેગા થઈએ છીએ ત્યારે સંઘની પ્રવૃત્તિઓ વિશે બે શબ્દ કહેવાનું મન થાય એ સ્વાભાવિક જ છે. વળી, સંઘની કાર્ય– જ્યોત અખંડપણે પ્રજવલિત રાખવા આપની પાસે આર્થિક સહકાર માટે પણ અમારે હાથ લંબાવવાને બાર મહિને ફકત આ એક જ પ્રસંગ આવે છે. ટૂંકમાં અમારી પ્રવૃત્તિઓ આ છે: (૧) પર્યુષણ વ્યાખ્યાનમાળા પાક્ષિક પત્ર-'પ્રબુદ્ધ જીવન’ (૩) સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય નાતજાતના ભેદભાવ વિના અપાતી વૈધકીય રાહત વૈદ્યકીય સારવારનાં સાધન (૬) વિશિષ્ટ વ્યકિતઓની સાથે મિલન – વાર્તાલાપ ૭) નાનાં મોટાં પર્યટન-પ્રવાસે ઉપરની દરેક પ્રવૃત્તિ પાછળ વર્ષ-પ્રતિવર્ષ ખર્ચ વધતું જ જાય છે. આ વર્ષે પર્યુષણ દરમ્યાન અમારી રૂા. ૧૫,૦૦૦ ભેગા કરવાની , અપેક્ષા છે. આપ ઉપરની કોઈ પણ એક પ્રવૃત્તિમાં યા સમગ્ર પ્રવૃત્તિમાં આપની રકમ નોંધાવી શકો છો. વિનતિ એક છે – અપીલ એક છે - આ રકમ બની શકે તેટલી મોટી આપે, જેથી અમારું લક્ષ્યાંક જલદી સિદ્ધ થાય. શ્રદ્ધા છે આપ અમને નિરાશ નહિ જ કરે! ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, ચીમનલાલ જેઠાલાલ શાહ મુંબઈ - ૩. સુબોધભાઈ એમ. શાહ માનદ્ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, * આ પ્રવૃત્તિને આવકવેરામાંથી મુકિત મળેલી છે. (૫) Page #191 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૯-૧૬ પ્રબુદ્ધ જીવન મ હા મેં સ્થા ન ના પોથીબાસા ને નિયાકુંડ વટાવીને લગભગ સાંજે અમે ચાપતા આવી પહોંચ્યા. સામે જ એક મોટી ધર્મશાળા હતી, એની પાસે થોડી ખુલ્લી જગ્યા જોઈને અમે નિરાંત અનુભવી. સમતલ જગ્યા જોવાની મળતી નહોતી, એટલે આજે એને માટે અધીરા બની ગયા હતા, જ્યાં નજર નાખીએ ત્યાં પહાડની જોડે દષ્ટિ અથડાઈને પાછી આવે, એમાંથી કયાંય મુકિત મળતી નહોતી. મનમાં થતું હતું કે કયાં ભાગી જાઉં કોઈ મુકત સમતલ જમીનમાં કે કોઈ સમુદ્ર કિનારે, વાંકોચૂકો વનનો રસ્તો, ગામમાંથી અનાજથી ભરેલાં ખેતરો તરફ લઈ જતા માર્ગ, ત્યાંથી વળી નદીના કિનારા તરફ વળતા માર્ગ, જ્યાંથી ગ્રામસ્રીઓ બેડાં ભરીને ઘેર જતી હોય, જયાંથી ભરથરી ગીત ગાતા ગાતા ચાલ્યા જતા હોય, જે ગીતમાં હોય “મનનો માનવી મનમાં બેઠો, શેાધા રે ભાઈ શોધો.'' એ રસ્તો છે કયાં ? અમને હવે હિમાલય નથી જોઈતા, પથ્થર પર પથ્થર બેઠા હોય એવી પૂંજી નથી જોઈતી અમારે, પાર્વતી નીલ નદી, કે ઉન્મત ઝરણું પણ નથી ખપતું અમારે. જ્યાં માનવીનું જીવન સંગીહીન ને એકાકી હોય છે, જ્યાં એ પાતાના પગ પર જ ઊભા રહે છે, જ્યાં એ સંપૂર્ણ સ્વાધીન બનીને પોતાનું કામ પોતેજ કરતો હોય છે, ત્યાં એના સિવાય એને બીજું કોઈ મદદ કરવાવાળું હોતું નથી, બધાથી વિખૂટા પડીને પોતાને દિવસ પોતે જ વિતાવવાના-એ કંઈ વ્યકિતગત સ્વાધીનતા ન કહેવાય. એને તો ઉચ્છું ખલ આત્મમયતા કહેવાય. જેઓ દુકાનમાં બેસીને ખાય છે, ધર્મશાળામાં જઈને ઊંઘે છે, મનોરંજનના સ્થાનયમાં જઈને મન બહેલાવે, યથેચ્છ ભ્રમણ કરે, માંદગીમાં હોસ્પિટલમાં જઈને દાખલ થાય એમને સ્વાધીન કહીં શકાય, પણ તેઓ દુર્ભાગી છે. પ્રત્યેક માનવીની જોડે પૃથ્વીનું થાડું લેણદેણ હોય છે. એ બંધનો તો આપણે સ્વીકારવાં જ જોઈએ. સ્નેહનાં અને સેવાનાં. બધા મહાપુરુષોનાં જીવનઈતિહાસમાં આપણે એ જોઈએ છીએ કે એએ સેવારત રહે છે. મનુષ્યની સેવા કરવાની પણ હોય છે, ને મનુષ્ય પાસે સેવા લેવાની પણ હોય છે. પ્રેમ આપવાનો હોય છે, ને પ્રેમ લેવાને પણ હોય છે. જેણે મનુષ્યની સેવાના અસ્વીકાર કર્યો. અને જેણે સ્નેહના બંધનના અસ્વીકાર કર્યો તે હતભાગી માનવી માનવ સમાજને વિષમય બનાવે છે. અને આપણે બાહીમિયન ભલે કહીએ, પણ એ માનવી તે નથી જ. આજે બધા વ્યકિતગત સ્વાધીનતા પ્રાપ્ત કરીને એમાં જ સ્વસ્વ આવી ગયું એમ માને છે, ને સમાજને કોઈ એક પણ આકારના સ્વીકાર કરતા નથી. તે તો આખું જગત રેતીના રણ જેવું બની જાય. પૃથ્વીમાં જો સ્નેહ અને સેવા ન હોય; પ્રેમ અને મોહ ન હોય; વ્યકિતની જોડે વ્યકિતનો સંસર્ગ ન હોય; તો તેનું કેવું રૂપ હોય? જે સંસ્કૃતિ આજે પ્રત્યેક દિશામાં ફેલાયેલી છે. તેના મર્મસ્થાનમાં સ્નેહ અને સેવાને રસ સીંચાયેલા છે. તેને છેડી દઈને માનવસમાજ કઈ દિશામાં જઈ પહોંચવાના છે? આ જે તીર્થયાત્રીઓનો સમૂહ જાય છે, તેના કરતાં સ્વાધીન બીજું કોણ છે? એએ પોતાની જાતને જ ચાહે છે. ને સેવા પણ પોતાની જાતની જ કરે છે. એમની પાછળ જેમ આજે બંધન નથી, તેમ એમની સામે પણ કોઈ રૂકાવટ નથી. એ બધા જ પોતાનું પોટલું બાંધે છે, પોતે જ પોતાને જોઈતી ચીજો ભેગી કરે છે, પોતાની જ આપત્તિ અને પોતાના જ સુખમાં પરોવાયેલાં રહે છે, ને પોતપેાતાનું સ્વાતંત્ર્ય જ એમને મૂલમંત્ર હોય છે. પણ આ એમના સુખનું સાચું સ્વરૂપ નથી. એમને જોઈને મને બીક લાગે છે. એએ માનવજીવનમાં સ્નેહહીન હાડપિંજર દળ છે. જે દિવસે એમની તીર્થયાત્રા પૂરી થશે, તે દિવસે એએ મમતા અને દાક્ષિણ્યની સ્નિગ્ધ છાયામાં જવા માટે દોટ મૂકશે, તે દિવસે એઓ સમાજ ને ઘરને ૧૦૫ ૫૨ ૫૨-૧૪ રસ્તે ભાગવા માંડશે એ હું જાણું છું. એમના જીવનની બધી ભૂખ કાંઈ મટી ગઈ નથી હોતી. જીવનની ભૂખના માર્ગને રૂંધીને, અસ્વાભાવિક સંયમનું રૂપ ધારણ કરીને, મેહ અને પ્રેમના વ્યવહાર સ્થગિત કરીને એ લોકોએ આ મહાતીર્થના રસ્તો પકડયો છે. એ લોકો અહીં આવ્યા છે. આત્મશુદ્ધિની આકાંક્ષાથી. મંદિરના ખૂણે ખૂણામાં જો જંજાળાના ઢગલા જ જમા થયા કરતો હોય, તો પછી ત્યાં દેવતાનું આસન શી રીતે બિછાવી શકાય? જે એક પછી એક તીર્થમાં ફરતા ફરે છે, તેઓ કેવળ આત્મવંચના કરતા હોય છે, તે દેવની પાછળ પાછળ દોડે છે, પણ દેવત્ત્વને સ્પર્શ કરી શકતા નથી. ધર્મશાળાના રખેવાળ એક પંજાબી બ્રાહ્મણ હતો. ઠંડા પવનથી અમને જર્જરિત અને હેરાન થયેલા જોઈને, એ કોણ જાણે કર્યાંથી ઘણા બધા કામળા લઈ આવ્યો, એ વિનયી પણ બાલકણા હતા. એણે પાયજામા ને પહેરણ પહેરેલાં હતાં. યાત્રીઓ પાસેથી જે બેચાર આના મળે તેનાથી એ પેાતાનું પેટિયું કાઢતા હતા. દૂધ પીને તમાકુ ખાઈને ગોપાળદા જરા સ્વસ્થ થઈને બેઠા. પછી એણે ધર્મચર્ચા કરી ને પછી થોડી દક્ષિણા લઈ ગયો. આખા દિવસના સખત તાપ પછી સાંજે ઠંડો પવન વાવા લાગ્યો તેથી, બધા થોડા થોડા સજીવ ને ઉત્સાહિત થઈ ગયા. ગેાપાળદા દર પંદર મિનિટે એકવાર ચલમ પીવા લાગ્યા. બંધ ધર્મશાળાની બહાર વૈશાખી પૂર્ણિમાની ચાંદની છવાઈ ગઈ હતી. બરફ જેવી ઠંડી એકાંત રાત્રી હતી. બીજે દિવસે વહેલી સવારે ઠંડીથી કાંપતાં કાપતાં અમે ભૂલકણા ચટ્ટીમાં આવી પહોંચ્યા. આકાશમાં વાદળાં જામ્યાં હતાં, વચ્ચે વચ્ચે વરસાદનાં ફોરાંએ અમને સ્પર્શી જતાં હતાં. કયારેક કયારેક વિદીર્ણ મેઘની અંદરથી તડકાથી ઉજજવળ આકાશ હસી ઊઠતું હતું. રસ્તામાં ઘનઘોર વાદળ ચઢી આવવાથી વરસાદ તૂટી પડશે, એમ લાગતું હતું. ભૂલકણા વટાવીને અમે મેડે દૂર ગયા ત્યાં ખબર પડી કે ડાબે હાથે તુંગનાથના રસ્તા છે. દક્ષિણ તરફને રસ્તે સીધું લાલસાંગા અથવા ચમેાલી તરફનું ચઢાણ હતું. રસ્તામાં થોડા કાઠીવાળા દેખાયા. તુંગનાથને રસ્તે ભયાનક ચઢાઈ છે. મોટેભાગે ત્રિજુગીનારાયણ જેવા જ રસ્તો છે, જો કોઈ અહીંથી દર્શન કરી આવવા ઈચ્છે તે, અહીંથી કડીઓ ભાડે મળતી હતી. અહીંથી અનેક લોકો દર્શને ગયા હતાં. કેટલાક પગપાળા ગયા, તે કેટલાક કડીમાં, હિમાલયનાં ગણનાપાત્ર સ્થળ ચાર છે. બદરીનાથ, કેદારનાથ, ત્રિજુગીનાથ અને તુંગનાથ. તુંગનાથની ચાવીશ માઈલ ઉત્તર માંધાતાક્ષેત્ર છે. યાત્રીએ અહીં આકાશગંગામાં સ્નાન કરે છે. અહીંના જૂના મંદિરમાં એક જ પૂજારી છે. એકાંત, શાંત, ને કોઈ માણસ ન મળે એવું પર્વતનું શિખર છે, આસપાસ કર્યાંય ગામડું કે ચટ્ટીનું નામનિશાન નથી. એક તરફ એક સામાન્ય દુકાન ઊભી છે. તુંગનાથની ઉપર ઊભા રહેવાથી ઉત્તરમાં દૂર ધવલ તુષારમય હિમાલયનું નયનાભિરામ રૂપ દષ્ટિગોચર થાય છે. આવું અત્યંત સુંદર વૈચિત્ર્ય નુંગનાથ સિવાય બીજે કોઈ સ્થાનેથી આવી રીતે જોવાનું મળતું નથી, જાણે મહાયોગી કેદાર અને બદરીનાથની શ્વેતપુષ્પદૈયા, અને એના ચરણમાં શ્યામલશાભામગી મહાસતી હરિહરની સેવામાં ધ્યાનસ્થ થઈને જ બેઠી છે! દક્ષિણના રસ્તે પુંગનાથની કેડે વીંટળાઈને પૂર્વદિશાથી વળાંક લઈને પશ્ચિમદિશા તરફ જતા હતા. તુંગનાથનાં દર્શન કરીને આ જ રસ્તે ઊતરવું પડે છે. અહીંના રસ્તે અરણ્યમય ને એકાંત છે, ચઢાઈને ઉતરાઈ પણ સામાન્ય છે, દરિયાનાં માજાંની જેમ અમે કયારેક ઉપર ચઢતા ને કયારેક નીચે ઊતરતા, ઘણીવાર રસ્તો સમતલ પણ આવતા હતા. અહીં અત્યારે વસન્તઋતુ હતી, સૂકાયેલાં ખરેલાં પાંદડાંથી રસ્તે ઢંકાયેલા હતા. એકલા એકલા ૦૮ જગલને રસ્તે હું ચાલતા હતા. ઉતરાણને રસ્તે હાંફ ચઢયો હોય ત્યારે Page #192 -------------------------------------------------------------------------- ________________ (10) પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯-૬૬ કળ વળતી હતી, પણ પગનું દર્દ પાછું હેરાન કરવા લાગતું હતું. જંગલમાં જ ઉપરથી, હું નીચે આવતો હતો. હજી સાંજને દર્દ કોણ જાણે શરીરના કોઈ એક ભાગમાં લપાઈને બેઠું રહેતું, ઘણીવાર હતી, તો પણ ધીરે ધીરે અંધારાં ઊંતરતાં હતાં. ખબર પડી. ને તક મળતાં જ પાછું પ્રગટ થતું હતું. પહાડોમાંથી સરસર કરતો કે આ પ્રદેશમાં કયારેક ક્યારેક હિંસક જાનવરોને ઉપદ્રવ ખૂબ વાસંતીવાયુ સ્થાને સ્થાનેથી વહેતો હતો. આ વખતે ડાબી અને વધી જાય છે. અહીં સાપ પગલાના અવાજથી ભાગી જતો જમણી તરફ દૂર દૂર સુધી દષ્ટિ પહોંચી. આકાશને વિશાળ ભાગ નથી, પણ ફેણ ઊંચી કરીને માણસની સામે તાકી રહે છે. એ જયારે વિશેષ પ્રમાણમાં દેખાવા લાગે ત્યારે ત્યારે અમને સમજાય ઝડમાં ભમે, ને ; રસ્તાની ' બાજએ જ ચાલે. અહીં કયારેક કે અમે સારી પેઠે ઊંચે ચઢયા છીએ. બધી દિશામાં દષ્ટિના અંતરાય દાવાનળ સળગ્યા હશે, તેના કાળા ડાઘ અહીં લગભગ દરેક ઝાડ જાણે ખૂલી ગયા હતા. જીવનમાં પણ એવું જ બનતું હોય છે. જયારે પર જણાય છે. અમે પણ ત્રાસ પામેલા હોવાથી ટોળામાં ચાલતા મર્યાદિત ચેતનામાં આપણે રહેતા હોઈએ છીએ, ત્યારે આપણા હતા. કોઈ જો આગળ જતો રહે, તો બે બાજાની જંગલની ભયામનનું આકાશ સંકુચિત, ને અલ્પ પરિઘવાળું હોય છે. મનુષ્ય જયારે નકતા જોઈને, ગભરાઈને ઊભા રહે. કાંઈ આફત આવી પડી છે, ઉદારતા ને વિશાળતાના શિર પર ચઢીને ઊભા રહે છે, ત્યારે એના ને માર્યા ગયા તે, એ દહેશતને લીધે ફેઈ પાછળ પણ પડી જાય. હૃદયને અને દષ્ટિને વિસ્તાર દેખાય છે. એની વ્યાપકતાનું ભાન થાય નહિ, કયાંક કયાંક રસ્તે લપસણો હતે, કયારેક રસ્તામાં ઝાડનાં. છે. જેઓ કેવળ પોતાના ઘરને લઈને જ વ્યસ્ત રહે છે તેઓ, સમાજ- ડાખળાં વગેરે પડયાં હતાં, કયાંક કયાંક ઝરણાંના મધુર વહેવાને બદ્ધ જીવો છે. એને છોડીને જેઓ ઊંચા સ્તર પર પહોંચે છે તેને અવાજ સંભળાયા કરતો હતે. જોતજોતામાં તો આકાશ કાળાં વાદળાંઓથી આપણે દેશમાન્ય કહીએ છીએ, તેઓ રાષ્ટ્રપતિ છે. સમાજ છવાઈ ગયું. ગર્જના થવા લાગી. વિજળીના ચમકારા પણ થવા લાગ્યા, અને રાષ્ટ્રની નિર્દિષ્ટ સીમા અતિક્રમીને જે એથી પણ ઊંચે ઊઠે વજપાતથી અહીં ધરતીમાં તરાડ પડતી, પથરા ગબડીને નીચે પડે, એ એક છે, તેને આપણે વિશ્વના કલ્યાણકારી મહામાનવ કે મહાત્મા કહીએ ભયાનક દશ્ય જોવા મળતું. જોત જોતામાં તો અંધારું વધારે જાણ્યું, છીએ. કાવ્ય અને સાહિત્યમાં પણ એ જ પ્રકારનું છે. સુવિસ્તૃત ને વરસાદ વરસવા લાગ્યો. હવે બીજો કાંઈ ઈલાજ નહોતો, વરસાદ પૂરો કલ્પના, અનંત સૌંદર્યલક. કથાને અતિક્રમીએ કે સૂર પ્રગટે, ને થાય તેની રાહ જોઈને કયાંક ઊભા તે રહી શકાય નહિ, આ ભયાનક છન્દને અતિક્રમીએ કે વ્યંજના પ્રગટે. જ્યારે હું વાર્તા લખવા બેસું જંગલમાં એક ક્ષણ પણ કયાંય આશરો લઈ શકાય નહિ. વરસાદથી છું ત્યારે કેટલાંયે પાત્રો નજરની સામે આવીને ફરતાં હોય છે. એમની ભુંજાઈએ તેને કાંઈ વાંધો નહિ, પણ જો આ જંગલના સકંજામાંથી પિતાની ઈચ્છા હોય છે, તેમની ગતિ સહજ હોય છે. તેઓ પોતે જ ભાગી છૂટાય તો ગંગ નાયા. ભયાર્ણ દૃષ્ટિથી હું વારેવારે વૃક્ષની શાખાઓની બનાવોને સરજે છે, ને પિતાનું ચરિત્ર પોતે જ દર્શાવે છે. પણ અંદરથી આકાશ તરફ જોત જોતા ચાલત, શરીરમાં ઝણએકલા બનાવથી કાંઈ નીપજે નહિ–એને સાહિત્યની સૃષ્ટિમાં ખેંચી ઝણાટી થતી હતી, ને પ્રતિક્ષણ મારા રૂંવાડાં ઊભાં થઈ જતાં હતાં. લાવવાં જોઈએ. વાસ્તવિક જીવનમાં પણ આપણે કેટલાક વિચિત્ર વાંકોચૂંકે રસ્તે હતે, એક જણે વળાંક લીધે કે એ નજર આગળથી પ્રસંગો બનતા જોઈએ છીએ, પણ એ બધા જ બનાવોનું સાહિત્યમાં દૂર જાય. બધા પાસે પાસે જ હતા, છતાં પણ બધા ખોવાઈ ગયા સ્થાન હોતું નથી. પણ જે મહાન કલાકાર હોય છે, તેનામાં પસંદગી હતા. અત્યાર સુધી તે અમે વાત કરતા હતા, પણ રસ્તાની પાસે જ કરવાની આવડત ને સૂઝ હોય છે, એને પાત્રો ને ઘટનાઓની પર્યેષણા કાઈ જાનવરનું સૂકાયાં હાડપિંજર જોયું ત્યારથી મારા મોઢામાંથી કરવાની વિશિષ્ટ રીત હોય છે. જેઓ પાત્રસૃષ્ટિ નિર્માણ કરે છે તે તો એક પણ શબ્દ નીકળતા જ નહોતે. કયારેક ક્યારેક અંધારામાં દણા છે, ને જે રસની સૃષ્ટિ સર્જે છે, તે સૃષ્ટો છે. કળાકારે દષ્ટા ને પંખીની પાંખો ફટફડાટને અવાજ સંભળાતે. હવે ખરેખર સાંજ સૂકા બન્ને એકીસાથે હોય છે. એના સ્પર્શથી સામાન્ય વસ્તુ પડી ગઈ હતી. પવન ને વરસાદથી અમે એ અંધારામાં અટવાઈ અસામાન્ય બની જાય છે, એ આપણને લાકમાંથી લોકાતીતમાં, સંકીર્ણ ગયા હતc. તામાંથી વ્યાપકતા તરફ, અને જીવનમાંથી મહાજીવન તરફ લઈ જાય છે. ચારુની માં ચાલતાં ચાલતાં એકાએક ઊભી રહી ગઈ, પેલી પાંગરવાસ ચટ્ટી આગળ અમે આવી પહોંચ્યા. આ વખતે બ્રાહ્મણ ડોશી મજૂરની ખાંધ પર કંડીમાં જતી હતી તેની તરફ સૂર્યને તડકો ઓછા ત્રાસદાયી હતો. આજે સવારથી જ આકાશ જોઈ ભયભીત અવાજે બોલી : “તમને આવતી નથી મા?” વાદળાંઓથી ઘેરાયેલું હતું. ઉપર અને નીચે જંગલથી ભરેલે પર્વત બ્રાહ્મણ ડોશીએ ધીરે અવાજે પૂછયું, “શું મા?” હતા, એ જંગલમાંની ઊંડી ગુફાઓમાંથી નીનું એકાદું ઝરણું આમ ચારૂની માં ચાલતાં ચાલતાં આમતેમ જોઈને બોલી : “કોઈ તેમ વહી આવતું હતું. પાસે જ કયાં ય ઝરણું છે એવી અમને ખબર મુડદાંની વાસ? અહીં પાસે જ કયાંક મુડદું પડયું લાગે છે.” પડી જતી. ઝરાણુ પાસે હોય ત્યારે ગિરગિટી પક્ષીને અવાજ “દુર્ગા ! દુર્ગા! એ તુલશીરામ ચાલ ભાઈ આગળ” કહેતી અત્યંત પ્રખર બની જાય છે. હવે એવી ઠંડી નહોતી. સવારની કહેતી બ્રાહ્મણ ડોશી એકાએક હીબકાં ખાતી રડવા લાગી.” “પંચાનનને ઠંડી બપોરના વસન્તમાં રૂપાંતરિત થઈ ગઈ હતી. આટલીવાર કોઈ પણ રીતે સાથે લાવી શકી નહિ. મધુસૂદન ... નારાયણ.” જોયું નહોતું, પણ હવે જોયું તે આખા શરીર પર માખી બાઝી હતી. તુલશીરામ એને લઈને આગળ ગયો ત્યાં એ હાડપિંજર જેવી, જેમ મધપૂડાને માખીઓ વળગે તેમ મારા શરીરને ઝૂંડનાં ઝુંડ વળગ્યાં - ઘડપણને લીધે ખખડી ગયેલી ચારૂની મા, મારી પાસે આવીને હસતી હતાં. ફક મારવાથી માખીઓ દૂર ન થાય, એને તો હાથથી જ હસતી કહેવા લાગી. “બામણ ડોશીને બીવડાવી મૂકી. બા'ઠાકુર, મરવાની ઝાટકવી પડે. વચ્ચે વચ્ચે તે કોઈ ચટ્ટીમાં લાખ માખીઓને આટલી બધી બીક?” બોલતાં બેલતાં જેને મરણની બીક ન હતી એવો એક ગણગણાટ થતો હોય કે જો આપણે એને કાન માંડીને તેવી એ ડોશી ખડખડ હસવા લાગી....... “હું જે મરી જાઉં તો. સાંભળીએ તો એ મીઠો જ લાગે, એક જ ઢબને મધુર ઉદાસીન ચારૂ છે, ને મેં બધું ચૂકવી દીધું છે, ... સરસ્વતી, ભાદુ, હાબતિ, સૂર, રાતના અંધારામાં અર્ધજાગૃત તંદ્રાવસ્થામાં કાનની આગળ થતો. ને બાકી બીજાં, ગાય, વાછરડાં ... રોજ ત્રીશ શેર દૂધ નીકળે, ને મછરનો ગણગણાટ જેણે સાંભળ્યા છે, તેમને ખબર છે, કે મન ચારુનું તો એક પેટ, એ અગિયાર વર્ષની હતી ત્યારથી જ વિધવા કેવું કરુણ ક૯પનાઓથી વિરાગી બની જાય છે. થઈ છે.. શું એનું નહિ પેટ ભરાય .. બા’ઠાકુર.” - ભજન - શયનથી પરવારી પાછા થેલો ખભે લઈને રસ્તો જરૂર ભરાશે.” પકડયો. જોડા ફાટી ગયા હતા, રાંધતાં રાંધતાં બન્ને હાથને ઝાળ એ મુશ્કેલ રસ્તા પર ચાલતાં ચાલતાં કેટલી ય વાતો ચારુની લાગવાથી એ કાળા પડી ગયા હતા. હાથ પર હવે વાળ નહોતા, માએ મને કરી. એના દૂધના ધંધાને ઈતિહાસ; એના ભત્રીજાની વાસણ માંજીમાંજીને આંગળીઓનો રંગ બદલાઈ ગયો હતો. તે વાત, એનું નેપાલના પશુપતિનાથનું ને સેતુબંધ રામેશ્વરનું સાહસ, ખડબચડી બની ગઈ હતી. ગમે તેવું ખાવાથી શરીરમાંથી - કાંઈ કાનમાં ગયું નહિ, ફકત “હું હાં .. કર્યે રાખતો હતો. ચારુની લેહી ઊડી ગયું હતું. જો બેઠો હોઉં તો ઊઠી શકાતું નહિ, ને માં કોઈ પણ વિપત્તિ કે દુ:ખથી ગભરાતી નહોતી. ચલતે હોઉં તે પછી બેસતાં દમ નીકળી જાય. રસ્તે આવીને યંત્રની જવા દો એ વાત. વરસાદ ઓછો થયો ને એની સાથે સાથે જેમ હું ચાલતો હતો, રસ્તે આવ્યા કે બને પગો આપમેળે જ અનંતસમુદ્રમાં, રસ્તો ભૂલેલા નાવિકને જેમ અકસ્માતથી એકાદ યંત્રની જેમ ચાલવા લાગે. મારી પોતાની તરફ જોઈને હું આવ્યું બેટ નજરે પડે તેમ દર અંધારામાં એક દીવે બળતો જોઈને અમે ભરેલી આંખે નિશ્વાસ નાંખતે, ઊંઘને લીધે મોઢામાંથી એક પ્રકારને ઉલ્લાસિત બની ગયાં. આજે તો મૃત્યુને અમે ઠગી શક્યા. જંગલનો આસ્વર નીકળતો હતો, અને મારો એ સ્વર સાંભળીને હું જ ચમકી રસ્તો પૂરો થયો હતો. ચાલ બચી ગયા. ક્રમશ. ઊઠતૈ, ત્યારે મને સમજાતું કે મનુષ્યને પીડિત આત્મા કેટલા કષ્ટથી અનુવાદક : મૂળ બંગાલી : માણસના શરીરમાં રડયાં જ કરતા હોય છે. છે. ચંદ્રકાંત મહેતા. શ્રી પ્રબોધકુમાર સંન્યાલ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ–૩. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #193 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 2017 વાર્ષિક લવાજમ રૂા. ૭ અબુ જીવન પ્રબુદ્ધ જૈનતુ નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૧ મુંબઈ, કટાબર ૧, ૧૯૯૬, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૯ તંત્રીઃ પરમાનંદકુંવરજી કાપડિયા આ વખતની પણ વ્યાખ્યાનમાળા જણાવતાં આનંદ થાય છે કે તા. ૧-૯-૬૬ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલા આઠ દિવસના કાર્યક્રમ મુજબ આખી પર્યુષણ વ્યાખ્યાનમાળા સાંગે...પાંગ પાર પડી છે. તે કાર્યક્રમમાં જણાવેલા પ્રત્યેક વ્યાખ્યાતાઓએ સમયસર ઉપસ્થિત થઈને પોતપોતાના વિષયનું અભ્યાસપૂર્ણ વિવેચન રજૂ કર્યું હતું અને આ વ્યાખ્યાનમાળાનો સભાઓનું પ્રમુખસ્થાન સેન્ટ ઝેવિયર્સ કોલેજના સંસ્કૃત ભાષાના અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ઝાલાએ શેાભાવ્યું હતું. આ વ્યાખ્યાનોની સમીક્ષા ઝાલાસાહેબ પ્રબુદ્ધ જીવનના આગામી અંક્માં કરશે. અહીં આ નોંધનો આશય પર્યુષણ વ્યાખ્યાનમાળાને લગતી મુખ્ય મુખ્ય હકીકતા રજૂ કરવાના છે. આ વ્યાખ્યાનમાળાના ચૌદ વકતાઓમાંથી શ્રી ગગનવિહારી મહેતા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રીમતી સૌદામિની મહેતા, શ્રીમતી ગૃણાલિની દેસાઈ, શ્રીમતી હર્ષિદા પંડિત, શ્રી ઉષા મહેતા તથા શ્રી ઉછરંગરાય ઢેબર મુંબઈમાં વસતી સ્થાનિક વ્યકિતએ હતી, જ્યારે શ્રી એચ. એમ. પટેલ આણંદી, શ્રી ગોકુલભાઈ ભટ્ટ જયપુરથી, શ્રી અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ બીલીમોરાથી, શ્રી નવલભાઈ શાહ ગુંદીથી, ડો॰ એચ. એન. બેનરજી જયપુરથી, પૂજ્ય કાકાસાહેબ કાલેલકર દિલ્હીથી, તથા આચાર્ય રજનીશજી જબલપુરથી પધાર્યા હતા. અમારા ખાસ નિમંત્રણને માન આપીને આવેલા રાજસ્થાન મુનિ સિટીના પેરેસાઈકોલોજીના અધ્યાપક ડો॰ બેનરજીએ અતીન્દ્રિય અનુભૂતિઓ ઉપર બે વ્યાખ્યાનો આપ્યાં હતાં, જેમાંનું પહેલું વ્યાખ્યાન મેન્ટલ ટેલીપથી—વૈચારિક સંક્રમણ અને બીજું વ્યાખાન ગુર્જન્મ ઉપર હતું. આ બધા વ્યાખ્યાતાઓ પ્રત્યે અમે ઊંડા આભારની લાગણી પ્રદર્શિત કરીએ છીએ. શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા પ્રત્યેક વ્યાખ્યાનસભાના પ્રારંભ શ્રી માલિનીબહેન શાસ્રીનાં ભાથી થયા હતા, સિવાય કે તા. ૧૪મીની સભામાં સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય અને જૈન સમાજના જાણીતા આગેવાન શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી ખાસ ઘાટકોપરથી આવ્યા હતા અને તેમણે સભાના પ્રારંભમાં ત્રણ ભજના સંભળાવ્યા હતા અને તા. ૧૮મીની છેલ્લા દિવસની સભાનો પ્રારંભ શ્રી અજિત શેઠ તથા સૌ. નિરૂપમા શેઠના ભકિતગીતોથી કરવામાં આવ્યા હતા. તેમણે તેમ જ પહેલા દિવસની સભાના બૅ વ્યાખ્યાના પૂરાં થયા બાદ શ્રી નયનબહેન ભણશાળીએ અડધાથી પોણા ક્લાકના ભકિતગીતાના કાર્યક્રમ રજુ કરીને શ્રોતાસમુદાયના દિલનું મંગળ મનોરંજન કર્યું હતું. આ રીતે ગંભીર વિશેના વિવેચનોમાં આગળ યા પાછળ મધુર-મર્મસ્પર્શી ગીતા યા ભજનાની પુરવણી કરવા બદલ માલિનીબહેન શાસ્ત્રીના નયનબહેન ભણશાળીનો અને સંગીતયુગલ અજિત શેઠ તથા નિરૂપમાબહેનના અમારા સંઘ ણી બન્યો છે. આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાની ખાસ ધ્યાન ખેંચે એવી વિશેષતા એ હતી કે આજ સુધીની આગળની વ્યાખ્યાન ✩ સભાઓ બ્લૅવાન્સ્કી લેાજમાં અને પાછળની સભાઓ, ભારતીય વિદ્યાભવનમાં ભરવામાં આવતી હતી, જ્યારે આ વખતની આઠે દિવસની વ્યાખ્યાનસભાઓ ચોપાટીસીસ ઉપર થોડા સમય પહેલાં તૈયાર કરવામાં આવેલા બિરલા ક્રિડાકેન્દ્રના મુખ્ય વ્યાખ્યાનગૃહમાં ભરવામાં આવી હતી. આમ સ્થળાંતર થતાં અને જ્યાંથી બાજુએ આવેલા સાગરતટનાં અને થોડે દૂર આવેલી વાલકેશ્વરની ટેકરીનાં દર્શન થાય છે એવા ભવ્ય સ્થળમાં સભાઓ યોજાતાં આખી વ્યાખ્યાનમાળાની રાણક જ જાણે કે બદલાઈ ગઈ હાય એમ લાગતું હતું. શ્રોતાઓને સહજપણે વિશાળ વાતાવરણ પ્રાપ્ત થતું હતું. વ્યાખ્યાનગૃહમાં આશરે ૭૦૦ ખુરશીઓ છે, પણ સ્ટેઈજ -રંગમંચ-ઘણા વિશાળ છેઅને એક બાજુ એ ઘણી વિશાળ ઓશરી છે, જ્યાં શ્રોતાઓની વધતી જતી ભીડને સમાવવાનું સરળ બને છે. પહેલા દિવસ રવિવારનો હોઈને શ્રોતાસમુદાય બહુ સારા પ્રમાણમાં ઉભરાયા હતા અને કેટલાંક ભાઈ-બહેનોને બાજુની ઓશરીના આશ્રાય લેવા પડયા હતા. બાકીના દિવસેામાં સભાગૃહ શ્રોતાઓથી ભરાયેલું રહ્યું હતું. છેલ્લા દિવસે આચાર્ય રજનીશજીનું વ્યાખ્યાન હતું અને તેમાં શ્રોતાઓની ઘણી મોટી ભીડ થશે એમ અમે કલ્પેલું હતું અને તે અંગે સ્ટેજ ઉપર, ઓશરીમાં તેમ જ પ્રવેશ વિભાગમાં ધ્વનિવર્ધક યંત્રની ગોઠવણ અમે મોટા પ્રમાણમાં કરી હતી. આમ છતાં પણ સભાગૃહ, રંગમંચ, તથા ઓશરીના ખૂણેખૂણા માણસાની મેદનીથી ભરચક ભરાઈ ચૂકયા હતા અને સતત વહેતા માનવપ્રવાહને સમાવવા મુશ્કેલ થઈ પડયા હતા અને કેટલાક ભાઈ-બહેનોને નિરાશ થઈને પાછા જવું પડયું હતું. આજ સુધીની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રોતા ભાઈ-બહેનોની આટલી મોટી ભીડ અમે પહેલાં કદિ પણ અનુભવી નહોતી. શરૂઆતના સાત દિવસની સભામાં શાન્તિ જાળવવાનું જરા પણ મુશ્કેલ બન્યું નહોતું. સૌ કોઈ સગવડપૂર્વક બેસી શકે અને ધ્વનિવર્ધક યંત્રની પૂરી સગવડના કારણે સારી રીતે સાંભળી શકે એવી વ્યવસ્થા હોય ત્યારે શાન્તિ જાળવવાનો પ્રશ્ન ભાગ્યે જ ઉપસ્થિત થાય છે. પણ છેલ્લા દિવસની સભામાં શાન્તિ જાળવવાને પ્રશ્ન અમારા માટે મોટી ચિન્તાનો વિષય બન્યા હતા. ખુરશીઓ તે ક્યારની ભરાઈ ચૂકી હતી, પણ જવા આવવાના રસ્તાઓ, ઓશરી, સ્ટેઇજ– બધું જ ખીચોખીચ ભરાયેલું અને કોક ઠેકાણે બે માણસા વચ્ચે જરા પણ ગરમ બાલાચાલી થાય તે શાન્તિને ભંગ થતાં વાર ન લાગે અને સભાની વ્યવસ્થા તૂટી પડે એવા ભય લાગતા હતા. આમ છતાં અને બેઠેલા કે ઊભેલાં ભાઈ-બહેનો પાર વિનાની અગવડ ભાગવતાં છતાં આખી સભા દરમિયાન એકસરખી શાંતિ જળવાઈ રહી હતી. આ અમારે મન એક ભારે આશ્ચર્યજનક અને અલબત્ત અતિ પ્રોત્સાહક ઘટના છે. આ માટે અમારે શ્રોતા Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦-૧૬ અન્તિમ વ્યાખ્યાનસભાનું એક શબ્દચિત્ર સમુદાયને અત્યંત આભાર માનવો ઘટે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા વર્ષોથી યોજાતી આવતી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની એક વિશિષ્ટ અને પરંપરાભંજક પ્રવૃત્તિ છે. તેમાં ભાગ લેવા માટે આવતાં સંખ્યાબંધ ભાઈ-બહેને કોઈ મને રંજન માટે નથી આવતા, પણ કાંઈક નવું જાણવા-સમજવા-બાર મહિનાનું ભાતું બાંધવાના આશયથી આવે છે અને તેમના માટે આવી સભાઓમાં શિસ્ત જાળવવી-શાંતિ જાળવવી—એ સહજ અને સ્વાભાવિક બની ગયું છે. આચાર્ય રજનીશજીની સભા પણ ઉપર જણાવ્યું તે મુજબ સાંગોપાંગ શાન્તિપૂર્વક પાર પડી એ અમારા શ્રોતાઓના ગૌરવભર્યા વન તથા સહકારના ઘાતક છે. તેમના વિશેને અમારે વિશ્વાસ આવા સુખદ અનુભવથી વધારે સુદઢ થાય છે. અન્ય પ્રત્યેના આભારનિવેદન સાથે, આ વખતની વ્યાખ્યાનમાળાના પ્રમુખ પોતાનાં અનેક રોકાણમાંથી સમય કાઢે છે, બધી સભાઓમાં હાજરી આપે છે, વ્યાખ્યાનના પ્રારંભમાં કે અન્તમાં દરેક વ્યાખ્યાનની જરૂરી છતાં મિતાક્ષરી આલોચના કરે છે, અને વ્યાખ્યાનમાળા પૂરી થયા બાદ સમય કાઢી આખી વ્યાખ્યાનમાળાની ચિત્તનપૂર્ણ આલેચના પ્રબુદ્ધ જીવન માટે લખી આપે છે–આ માટે ઝાલાસાહેબ પ્રત્યે અમે અમારા સંઘ વતી ઊંડી કૃતજ્ઞતાની લાગણી 'પ્રગટ કરીએ છીએ. જેઓ સાચા અર્થમાં બ્રાહ્મણ છે તેવા ઝાલાસાહેબ અમારી વ્યાખયાનમાળાને પ્રમુખ મળે એ અમારી વ્યાખ્યાનમાળા તથા અમારા સંઘનું ખરેખર એક મોટું સદ્ભાગ્ય છે. અમારા સંઘને વિવિધ પ્રવૃત્તિઓના કારણે થતા ખર્ચને બેજે હળવો કરવામાં આ અમારી પર્યુષણ વ્યાખ્યાનમાળા એક પ્રબળ નિમિત્ત બને છે. સંઘના મિત્રો, સ્વજનો, પ્રશંશકો પ્રત્યે અમારા સંઘના ફાળામાં યથાશકિત રક્સ ભરવા અમે અપીલ કરીએ છીએ અને અમારી જરૂરિયાતના પ્રમાણમાં મોટા ભાગે ફાળે પૂરે ભરાઈ જાય છે. આ વખતે પણ અમે રૂ. ૧૫,૦૦૦ની માગણી કરી છે. આજ સુધીમાં આશરે રૂ. ૧૦,૦૦૦ ભરાયા છે. હજુ ઘણા મિત્રો એવા છે કે જેમના તરફથી રકમ ભરાવી બાકી છે. તો અમે આશા રાખીએ છીએ કે અમારા આ લક્ષ્યાંકને પહોંચી વળવામાં અમને મુશ્કેલી નહિ આવે. આ ફાળો ભરનારાઓને તેમ જ આ ફાળો ભરવામાં મદદરૂપ બનનાર અનેક સાથીમિત્રોને અમારે ખાસ આભાર માનવો ઘટે. આના અનુસંધાનમાં અમારે ખાસ ઉલ્લેખ કરવાના છેઅમે સર્વના મુરબ્બી માતુશ્રી તુલ્ય ૭૫ વર્ષની ઉમ્મરના વયોવૃદ્ધ પવિત્રમૂર્તિ શ્રીમતી ચંચળબહેન ટી. જી. શાહને. તેઓ હંમેશા વ્યાખ્યાનરાભા શરૂ થાય તેની અડધા કલાક પહેલાં સભાસ્થળે આવી પહોંચતા અને તેના પ્રવેશદ્વાર ઉપર “ભાઈઓ ઝોળીમાં કાંઈ ને કાંઈ નાંખતા જાઓ” એમ કહેતાં કહેતાં ઝોળી લઈને લગભગ એક કલાક સુધી ઊભા રહેતા. છેલ્લા દિવસે સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો શ્રી નીરૂબહેન સુબોધભાઈ શાહ પણ ઝોળી લઈને ઊભા રહેલાં આ રીતે ઝોળી દ્વારા, અમને જણાવતા આનંદ થાય છે કે, સંઘને રૂા. ૧૪૫૦ની પ્રાપ્તિ થઈ છે. અહીં એ જણાવવું અસ્થાને નહિ ગણાય કે અમારા સંધ માટે મોટા ફંડફાળા કરવાને અમે કદિ વિચાર કર્યો નથી. સંઘની જે પ્રવૃત્તિઓ ચાલે છે–આ પર્યુષણ વ્યાખ્યાનમાળા, પ્રબુદ્ધ જીવન, શ્રી મણિલાલ ગોકમચંદ શાહ, સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલય તથા વૈદ્યકીય રાહતપ્રદાન--આ પ્રવૃત્તિઓને બને તેટલી લિસાવવી-- આ અમારું લક્ષ્ય છે. પણ આ લક્ષ્યની પરિપૂર્તીને આધાર તેને મળતાં આર્થિક સિંચન ઉપર રહેલું છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા સમય જતાં આન્તરભારતીય સ્વરૂપ ધારણ કરે અને પ્રબુદ્ધ જીવન આજના વિચારપ્રવાહોને સમપણે અભિવ્યકત કરવું અને અશ્વિની સમસ્યાઓ અંગે નિડર તેમ જ સત્યપરાયણ માર્ગદર્શન કરાવતું ગુજરાતી ભાષાનું મુખપત્ર બને–આવું અમાર: સ્વપ્ન છે. આ સ્વપ્ન સિદ્ધ કરવા માટે અનેક દિશાના-અનેક પ્રકારના–સહકારની અપેક્ષા છે. આવા સહકાર, જે અમારામાં કાર્યનિષ્ઠા હશે તે, અમને સમયના વહેવા સાથે જરૂર સાંપડતો રહેશે એવી અમારી છાધા છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રારંભદિવસ માર્ક વ્યાખ્યાનમાળાને અનિત્તમ દિવસ પણ રવિવાર જે હતા–ના, એ ક્કિત રવિવાર જ નહિ, પરંતુ પર્વાધિરાજ પર્યુષણની સંવત્સરિને દિવસ હતો-ના, એ સંવત્સરિનો જ નહિ, પણ જેમણે ધર્મવિચારમાં કાન્તિના બીજ રેપી–સિંહનાદ કરી–જ્યોતિશિખા પ્રગટાવી છે એવા આચાર્યવર શ્રી રજનીશજીના વ્યાખ્યાનો દિવસ હતો. વહેલી સવારથી જ ચિન્તનયાત્રાના–જ્ઞાનયાત્રાના–આ ઉચ્ચતમ શિખરનાં દર્શન કરવા માનવ મહેરામણ ઊમટી પડયો હતો. ઘડિયાળમાં હજુ તા. આઠ પણ થયા નથી અને હાલની ખુરશીઓ, જવા આવવાનાં માર્ગો, સ્ટેજ અને સ્ટેજ બહાર-બધી જ જગ્યા ભરાઈ ગઈ. હજ, લેકો. તો આવતા જ જતા હતા. કાર્યકરોની મૂંઝવણ વધતી જતી હતી, લાઉડસ્પીકરથી બને તેટલે દૂર દૂર અવાજ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, આમ છતાંય કેટલાય મિત્રો નિરાશ થયા, કેટલાંક પાછા પણ ગયા. સાડા આઠ થયા અને સંગીત યુગલ શ્રી અજિત શેઠ અને નિરૂપમા શેઠે બુલંદ અવાજે પ્રાર્થના શરૂ કરી અને અસ્વસ્થ વાતાવરણમાં સ્વસ્થતા વી. વાતાવરણ સંગીતસભર બન્યું, સર્વત્ર શાંતિ પ્રસરી. એક પછી એક સુંદર ભજને કર્ણમધુર હતા. બહાર દરિયો શાંત હતો, સૂરજ ઉપર ચડતો હતો, બગીચાનાં રંગબેરંગી પુષ્પ જાણે જીવનની તાઝગીનું દર્શન કરાવતા હતા. વખત વહેતે હતા. ઘડિયાળમાં સાડા નવ થાય છે અને ખલીલ જિબ્રાનના વ્યકિતત્વમાં આચાર્યશ્રી રજીસીશજીનો પ્રવેશ થાય છે વાતાવરણમાં ટાંચણી પડે તો ય સંભળાય એવી શાંતિ પ્રસરે છે– અને આચાર્યશ્રી રજનીશ એની અખલિત વધારા વહેતી મૂકે છે. આ ફકત વાકધારા જ નહિ પણ એક નવી વિચારધારા છે, અને સૌના હૃદયના તાર ઝણઝણી ઊઠે છે. “માણસને એનું નિજ વ્યકિત ત્વ છે–એ નિ જે વ્યકિતત્વને જ પ્રાપ્ત કરવાનું, છે, કોઈની પણ નકલ થવાનું નથી, ન એણે મહાવીર કે બુદ્ધ થવાનો પ્રયત્ન કરવો ઘટે. સત્ય અને પ્રેમનાં દ્વાર ઉપર જ પરમાત્મા છે. આ દ્વારને ધક્કો મારવાની જરૂર નથી. ફકત હાથ જ લગાડો-અરે હાથ લગાડવાની ય જરૂર નથી–આંખ ખોલીને એના તરફ જુઓ અને એ દ્વાર ખૂલી જશે”...શ્રોતાઓની આંખ આનંદના અશ્રુથી સજળ બને છે, હૃદય કૂણું બને છે, અને કહે છે સૌ કોઈ- “હા, આજ સાચું છે. આવું જ અમે વરસેથી સાંભળવા ઝંખતા હતા-આજે અમને તૃપ્તિ થઈ-પરમ તૃપ્તિ થઈ.” અંતમાં રાષ્ટ્રગીત ગવાય છે અને પ્રસન્ન વાતાવરણમાં સૌ વિખરાય છે. આલેખક : ચીમનલાલ જે. શાહ ક્ષમાપની પર્યુષણ પર્વને અંતિમ દિવસ - સાંવત્સરિક પર્વના રોજ જેને સર્વ જીવો પ્રત્યે ક્ષમાભાવ દાખવે છે અને ક્ષમાપ્રદાન કરે છે. આ ભાવના નીચે આપેલા ચાર શ્લોકોમાં વ્યકત કરવામાં આવી છે: खमिअ खमाविअ मइ, खमह सव्वह जीव-निकाय । सिद्धह साख आलोयण मज्झ (न) वइए न भाय । હે જીવ-સમૂહ! તમે સર્વે ખમત ખામણાં કરીને મારા પર ક્ષમા કરે. હું સિદ્ધોની સાક્ષીએ આલોચના કરું છું કે, મારે કોઈ પણ જીવ સાથે વૈરભાવ નથી. सव्वे जीवा कम्म दस, चउदह राज भमंत । ते मे सव्व खमाविआ, मज्झ वि तेह खमंत ।। સર્વે જીવે કર્મવશ હોઈને ચૌદ રાજલકમાં ભ્રમણ કરે છે, તે સર્વેને મેં ખમાવ્યા છે, તેઓ મને પણ ક્ષમા કરો. जंजं मणेण बद्धं, जंजं बायाइ भासि पावं । . जंजं काएण कयं, मिच्छामि दुक्कडं तस्स ॥ મેં જે કંઈ પાપ મન, વચન અને કાયાથી બાંધ્યું હોય તે મિથ્યા થાઓ. તામિ સત્ર નોવા, સરવે છવા મ7 મે ! मिति मे सव्वभूएसु, वेरं मज्झ न केणइ ।। સર્વે જીવોને હું નમાવું છું. સર્વ જીવો મને ખમાવો. સર્વ ભૂતમાં મને મૈત્રી છે, કોઈ સાથે પણ મને વૈર નથી. Page #195 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૦-૯ પ્રબુદ્ધ જીવન શ્રી વિમલાબહેન ઠકારનું પ્રવચન (ગતાંકથી ચાલુ) મ્બરમાં એમના પ્રતિનિધિઓ આવવાના છે. તે આ એક નાની શી પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પ્રગટ થયેલી . વિમલાબહેનના વાત થશે. ભારતનાં ચાર ખૂણામાં સે સે એકરનાં ખેતરો બનાવાશે. કેટલાંક પ્રવચનને શેષભાગ અહિ નીચે પ્રગટ કરવામાં આવે છે. આ સાથે યુવકો ત્યાં ઓજારો બનાવવાનું શીખશે, અને પછી ગામડામાં બનાવશે. જણાવતા આનંદ થાય છે કે વિમલાબહેન જાહેર જીવનમાં પુન: બીજી વાત ત્યાં એ જોઈ કે ઈઝરાઈલમાં જેવી રીતે રેતાળ પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ૧૯ ઑકટોબરથી ૮ નવેમ્બર સુધી ગુજ- જમીનને એ લોકોએ ખેડવાને લાયક બનાવી છે એવી રીતે હોલેન્ડમાં રાત તેમ જ કચ્છમાં પ્રવાસ કરશે અને મતદાતા શિક્ષણ, લોકશાહીનું સંર- સમુદ્રમાંથી જમીન મેળવીને ખેતીને લાયક બનાવીને ત્યાં લોકો ક્ષણ અને વિકાસમાં નાગરિકનું કર્તવ્ય વગેરે લોકનીતિ અંગેના વિષયો ખેતી કરે છે. નેધરલેન્ડ સેઈલ સેસાયટીના પ્રતિનિધિ રાજસ્થાનની ઉપર, નક્કી થયેલા કાર્યક્રમ મુજબ, ભિન્ન ભિન્ન સ્થળોએ, તેઓ સરકાર સાથે વાત કરવાના છે. આશા છે કે, એક નમૂને ત્યાં સર્જાય. ચર્ચાવાર્તાલાપ કરશે. ત્યાર બાદ રાજસ્થાનમાં પ્રવાસ કરશે. આના હવે પછીના દસ વર્ષમાં આ એક સમસ્યા હલ કરવાની દિશામાં અનુસંધાનમાં વિશેષ જણાવવાનું કે એક પ્રાતીય સ્તર ઉપર નિષ્પક્ષી આપણાં પગલાં આગળ વધી શકે તેમ છે. વિચારકોની એક પરિષદ નવેમ્બરની મધ્યમાં શ્રી સિદ્ધરાજ ઢટ્ટા નોર્વે ગઈ હતી. આપ જાણો છો કે, ઈન્ડો - નર્વેજીયન ફીશીંગ આયોજિત કરી રહ્યા છે. તે પરિષદ પતાવીને તેઓ આબુ જશે અને પ્રોજેકટ કેરલમાં લગભગ ૧૫૬થી કામ કરતી આવી છે અને એક ડીસેમ્બર ૧થી ૧૦ સુધી તેઓ મુંબઈ આવીને રહેશે. તંત્રી) મોટા પાયા પર આ પેજનાનું કામ થઈ રહ્યું છે. મારી ઈચ્છા હતી પહેલી જે વાત શ્રી પરમાનંદભાઈએ આપની સમક્ષ રજુ કરી છે, જે ગામડામાં ગ્રામદાન થયા છે અને જે પશ્ચિમ અને પૂર્વનાં હતી કે આજની દુનિયાની પરિસ્થિતિના સંદર્ભમાં ભારતની ખાસ કિનારા ઉપર આવેલાં છે તે ગામડાઓમાં નાના પાયા ઉપર આ બાબત કરીને રાજકારણી પરિસ્થિતિને હું શી રીતે સમજું છું તે અંગે મારે અંગે શાસ્ત્રીય શિક્ષણ આપી શકાય. આપણા રાજદૂત અપ્પાસાહેબ વિવેચન કરવું, તે બાબત મેં અહિં સંક્ષિપ્તમાં આપની પંત ત્યાં હતા. આજ સુધીમાં મારા ભ્રમણમાં મેં ભારતના આવા સમક્ષ રજુ કરી છે. આ સાંભળીને આપ કદાચ પ્રશ્ન કરશે કે એ રાજદૂત જોયા નથી. ખરેખર ભારતનું પ્રતિનિધિત્ત્વ રજુ કરી શકે બધી સમસ્યાઓ આપના ધ્યાનમાં હતી તે આપે શું કર્યું? મારાં એવી વ્યકિતનાં અપ્પાસાહેબમાં મને દર્શન થયાં. ભારતની સમતે પ્રવચનો યુરોપમાં થતાં હતાં. તે સિવાય જે કાંઈ કામ મેં કર્યું તે સ્યાઓ માટે તેમની લગની જોઈ, તેમનું ચિંતન જોયું, અધ્યયન જોયું. આપને ટૂંકાણમાં જણાવું. મને બરાબર લાગી રહ્યું છે અને એ હું માનું છું કે, વિનોબાજી એમણે મને પૂરતી મદદ કરી. મારી સાથે ફરતા રહ્યા. નેર્વેનું જે અને એમના ગ્રામદાન આંદોલનને મારા વૈચારિક જીવનમાં ઘણા ફેડરેશન છે તે કદાચ આ દિશામાં કોઈક પગલાં ભરશે એવું લાગે છે. ફાળે છે. એમણે શીખવ્યું કે, ભારતની આર્થિક સમસ્યા, જયાં સુધી ચેથી વાત મારા મનમાં હતી કે જલ્દીમાં જલ્દી ગામડામાં ખેતી અને ખેડૂતની સમશ્યાઓ હલ ના થાય ત્યાં સુધી ઉકેલાશે નહીં. પીવાના પાણીની વ્યવસ્થા થવી જોઈએ, કૂવા બનાવવા જોઈએ. આ મૂળભૂત દર્શન એમણે મને કરાવ્યું છે અને તેથી ભારતના કિસા કૂવા બનાવવા હોય, ટયુબવેલ કરવા હોય તે બેરીંગ મશીન કયાંથી નને કેવા પ્રકારની મદદ જોઈએ એના પર મારું બરાબર ચિન્તન લાવીએ? જયાં જયાં હું ગઈ છું ત્યાં ત્યાંના લોકોએ પૂછ્યું કે ભારતને સતત ચાલતું રહ્યું છે. આના અનુસંધાનમાં “હું” અહિ જે કહીશ તે, શી મદદ કરીએ? મેં કહ્યું કે, “++રતને એક પાઈ પણ ના આપશે.” આ મેં કર્યું’ એમ કહેવું પડશે. આ રીતે હું ને મારે ઉપગ કરવો પૂછયું “શા માટે?” મેં કહ્યું, “નહિ, ભૂખ્યા લોકોના હાથમાં પૈસે જાય પડશે. આ માટે મને ક્ષમા કરશે અને જે થયું છે એને ધ્યાનમાં છે તે દુ:ખ અને ભ્રષ્ટાચારનાં બીજ વવાય છે. ભારત સરકાર પૈસા રાખશે. યુરોપમાં ખેતીવિષયક યંત્ર બનાવવાની એક મોટી ફેકટરી માંગે તે પણ નહિ આપવા. ટેકનીશયન મેકલે, મશીનરી જોઈએ છે. તેનું નામ “ફીકાન” છે. એના ડાયરેકટર સાથે મારે વાત થઈ. તે મશીનરી મેકલે, મશીનરીને ઉપયોગ શી રીતે કરવો તે શીખવવા મેં કહ્યું કે ભાઈ, ભારતના ખેડૂત માટે આ તમારો મોટામેટાં ટ્રેકટરો, માણસે મેકલે. મનુષ્યશકિત મોકલે. જે નિષ્ણાતે હોય તેમને મેકલે, અને કંપાઉન્ડ હાર્વેસ્ટરે કામનાં નથી. આપ મદદ તરીકે મફતમાં પણ પૈસા ન મોકલે.” એ લોકોને ભારે આશ્ચર્ય થતું હતું. મેં કહ્યું, આપી પણ દે, પણ એનો સ્ટ્ર નીકળતાં એને બદલી પણ ન શકાય. મેં જોઈ લીધું છે કે, પૈસા માણસની વૃત્તિ, શકિત અને પ્રેરણાને વિકેન્દ્રિત પદ્ધતિથી ખેડતને મદદ કરવી હોય તે નાનાં નાનાં સાધને નષ્ટ કરે છે. તે કારણે માણસો જેવા ને તેવા નિષ્ક્રિય બેસી રહે છે. બનાવવાં જોઈએ. આના માટેની વર્કશોપ પણ ગામડામાં ઊભી ઈચ્છા વધે છે. આકાંક્ષા વધે છે પરંતુ લોકોની વિચારવાની શકિત થવી જોઈએ. જયાં એમને તાલીમ મળી શકે. આપ લેક એમાં વધતી નથી, જવાબદારીનું ભાન વધતું નથી.” મેં કહ્યું, “આફ્રિકા કાંઈક મદદ કરવા માગતા હો તે વાત કરીએ. ત્યાં એમની કંપ- અને એશિયામાં પૈસા જેટલી સરળતાથી આવે છે તેટલે એ ભૂખ્યા નીના બધા જ ડાયરેકટરો અને સંચાલકોની કમિટીએ મારી સાથે દેશમાં બ્રણચાર વધશે, આથિક વિષમતા વધશે.’ બેસીને બે અઢી કલાક વાત કરી અને એ વસ્તુ મંજૂર થઈ કે, વાત તે કડવી લાગે છે અને મારે કહેવું છે પણ ટૂંકમાં, પરંતુ ભારતમાં જો ચાર જગ્યાએ એમને પ્રોજેકટ કરવાની સંમતિ મળે, સાચું કહું છું કે, આ દેશની જનતા અને સરકાર જે દિવસે ઓળખશે તે ત્યાં એ રીતના પ્રોજેકટ બનાવવા તે તૈયાર છે. આ પ્રોજેકટ કે આપણી પાસે જે મનુષ્યબળ અને પશુબળ છે તે આપણી તાકાત અનુસાર ત્યાં એમના ઈજનેરે આવશે. મેં વિચાર્યું છે કે, ગ્રામદાન છે, આપણી શકિત છે, તે આપણી કમજાર નથી, ત્યારે એ દિવસ આંદોલનને, રાઈ સેવા સંઘને, સર્વોદય સમાજને કહ્યું કે, તેઓ કેટ- આવશે કે જ્યારે આપણી આર્થિક યોજના પૈસા ઉપર નહિ મનુષ્યબળ લાક જવાનને આ પ્રોજેકટમાં જોડાવા માટે મોકલવાનું સૂચવે કે ઉપર આધારિત થશે. એ ન દષ્ટિકોણ જે દિવસે પ્લાનીંગ કમિ- } જેથી તેમને પણ તાલીમ મળે. એમણે એક દોઢ વર્ષ અભ્યાસ કરીને શનમાં આવશે તે દિવસે હું સમજીશ કે ભારતની સમસ્યા ઉકેજે સાધન બનાવ્યા હતાં તેને પણ હું જોઈ આવી છું. એમાંથી કાંઈ લવાને સાચે રસ્તો આપણને મળ્યો છે. બીજા દેશે પાસે ભીખ માંગત્રણ ચાર સાધન હું સમજી શકી અને એના વિષે હું માહિતી લાવી વામાં જયાં સુધી ગૌરવ માનવામાં આવે છે, કેટલી ભીખ હું માંગી છું. રાજસ્થાનમાં કે જયાં હું રહું છું, ત્યાંની સરકાર સાથે, ગુજરાતની લાવી છું અને કેટલી ભીખ તમે માંગી લાવ્યા તેના ઉપર જ દેશ સરકાર સાથે, સર્વ સેવા સંઘના નેતાઓ સાથે વાતચીત થશે. સપ્ટે- પ્રત્યેની સેવાનું મૂલ્યાંકન થાય છે, ત્યાં સુધી સ્વાભિમાન, સ્વમાન Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ૧૦ આ દેશમાં કોઈ દિવસ જાગશે નહિં. દેશ એ ભીખારીને દેશ કહેવાશે, એમ કહેવાયું ૪ છે. હવે આ કોણ કહે? જનતા કહે કે, “અમારે આવી મેોટી મોટી યોજનાઓ નથી જોઈતી, અમારા મનુષ્યબળનો ઉપયોગ થવા જોઈએ. અમારે નાના પાયા ઉપર નાના નાના યંત્રો જોઈએ, જે અમાર ખેડૂત પણ વાપરી શકે. બહુ જ થોડા શિક્ષણમાં અમારે આવી જાતની યોજનાઓ જોઈએ છીએ.” જયાં સુધી નાગરિક આ અવાજ ોરશેરથી નહિ ઉપાડે, કોઈ પણ રાજનૈતિક પક્ષમાં પેાતાનું સ્થાપિત હિત નથી એવા નાગરિક જયાં સુધી પોતાના અવાજ ના ઉઠાવે ત્યાં સુધી આ બધું આમ જ ચાલવાનું છે. હું આજે નાગરિકોને અપીલ કરવા આવી છું કે, ભાઈ આપનામાં મનુષ્યનું જે બળ છે તેને વિનિયોગ થવો જોઈએ, હિંમત કરીને એના ઉપયોગ તમારે અને મારે કરવા જોઈએ. એક વાત વધુ કહું. આ ત ઉન્મુકત સહચિંતન છે, તો એક વાત જે મારા મનમાં આવે છે તે કહી દઉં, વાત મનમાં એવી આવે છે કે, મતદાન સંબંધે નાગરિકના જે અધિકાર છે તે અધિકારના ઉચિત ઉપયોગ આપણે કરવા રહ્યો. સજાગ થઈને, સાવધાન થઈને એના ઉપયોગ કરવા જોઈએ. ખબર નથી કે પાંચ વર્ષ પછી લોકશાહી ચૂંટણી આ દેશમાં થશે કે નહીં? ઘણી તકો મળી. હજુ પણ પાંચ વર્ષની એક વધારે તક આપણને મળે છે. આ દેશમાં જે લોકશાહી છે તે હજુ કાગળ ઉપર છે. વ્યવહારમાં કેટલું છે એ તે આપણે બધા જાણીએ છીએ. પરંતુ જે કાંઈ બચ્યું છે તે હવે પછીનાં વર્ષોમાં બચશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. આવી સલાહ આપનામાં નિરાશા પેદા કરવા માટે હું નથી આપતી, પણ વસ્તુસ્થિતિ આ છે. લાકશાહી સંસ્થાઓ) જેટલી છે તેમાંથી એક પણ સંસ્થામાં કોઈને શ્રાદ્ધા નથી. આપ જાણો છે કે બંગાળની વિધાનસભા હોય કે ઉત્તર પ્રદેશની, બીજી વિધાન સભાની વાત દૂર રહી. આપ આ સભામાં જૂઓ શું વ્યવહાર ચાલે છે? વિરવાર માર્શલને બાલાવીને રાભ્યાને ઉઠાવીને બહાર લઈ જવા પડે છે. એ લોકશાહીની હાંસી છે, એ લોકશાહી સંસ્થાઓની હાંસી છે. બધી પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ છે. આથી અંદેશા રહે છે કે, ફરી અવસર મળવાના છે કે નહીં. પરંતુ હાલ એક તક ૧૯૬૭માં આવવાની છે. આ અવસરને ઉપયોગ દેશના નાગરિકો કેવી રીતે કરશે? રાજનૈતિક પક્ષ કેવી રીતે કરશે? એ એક સર્વવિદિત છૂપી વાત છે કે ચૂંટણીમાં વિજય મેળવવા માટે બધાં પ્રકારનાં સાધનો વાપરવામાં આવશે. એમાં કોઈ પણ વિવેક રાખનાર નથી. બધાં પ્રકારનાં સાધનાના ઉપયોગ થશે. તા. ૧-૧૧-૧ મત ના દેશી. લોકશાહીને જે ઢાંચો બચ્યા છે, તેને બચાવવાની જવાબદારી આપણી પોતાની છે, પક્ષની નહીં. હવે એ તમારે અને મારે જાવું જાઇએ કે જે વ્યકિતને આપણે મત આપશું તે લોકસભામાં મોકલવા યોગ્ય છે કે નહીં. વિધાનસભામાં મોકલવા યોગ્ય છે કે નહીં? જ્ઞાતિના નામે એની પાત્રતા ન ગણવી જોઈએ, ધર્મના નામે તેની પાત્રતા ન ગણવી જોઈએ, સંપત્તિના નામે પણ એની પાત્રતાનું માપ ન રાખવું જોઈએ અને આ હું ખૂબ જવાબદારી સાથે કહી રહી છું. હું જાણું છું કે સવાલ ઉઠાવવામાં આવશે કે પક્ષના નામે જો નહીં ચૂંટશું તે ટીમ કેવી રીતે બનશે? કામ કેવી રીતે થશે? સવાલોના જવાબ તો હોઈ શકે છે. પણ લાયક વ્યકિતઓને ચૂંટવાથી જે પરિસ્થિતિ નિર્માણ થશે તે આજની પરિસ્થિતિ કરતાં ખરાબ નહીં હાઈ શકે. આજે જેદશામાં રાજનૈતિક વાતાવરણ પહોંચી ગયું છે એનાથી વધુ ખરાબ હાલત કઈ પેદા થવાની છે? અરાજકતાની વાત કોઈ કરે છે તો આ દેશમાં અરાજકતા કર્યાં નથી ? શિક્ષણના ક્ષેત્રમાં નથી ? જઈને જૂઓ કે બનારસ યુનિવર્સિટીમાં શું ચાલી રહ્યું છે? રાજનૈતિક ક્ષેત્રમાં નથી? આર્થિક ક્ષેત્રમાં નથી? કયાં નથી ? અરાજકતામાં તો આપણે રહીએ જ છીએ. આનાથી બૂરી દશા બીજી કઈ કઈ હશે ? આથી કોઈ ‘પીપલ્સ નેશનલ ફોરમ” બનાવવું જોઈએ. એક “પીપલ્સ નેશનલ ફોરમ” બને. જે જવાબદાર વ્યકિતઓ છે જેવી કે હાઈ કોર્ટના ચીફ જસ્ટીસ, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, વિચારક– સાહિત્યકાર વગેરે લોકોએ એક મંચ ઉપરથી લોકોને અપીલ કરવી જોઈએ કે ભાઈઓ તમે ન્યાતજાત, ધર્મસંપ્રદાય અથવા પક્ષના નામે સરકારને આમ કહેવાવાળા નાગરિક ઊભા થવા જોઈએ અને એક મંચ ઉપરથી એમણે બાલવું જોઈએ. દેશમાં ચૂંટણીના ૪૫ મહિના પહેલાં જો આ હવા તૈયાર થાય તે સંભવ છે કે નાગરિકોને આજે પણ પોતાની જવાબદારીનું ભાન થાય. પછી તેને પૈસાના માહ કે દંડાનો ભય અ રસ્તા પરથી હઠાવી નહીં શકે. હવે તમે પૂછશો કે “એ દેશમાં જઈને આપ શું કહે છે?”’ યુરોપવાસી મને પૂછે છે કે “ભારતમાં આપ જાઓ છે ત્યારે મનના મનોવૈજ્ઞાનિક રેવોલ્યુશન ઉપર આપ બોલો છે. ખરા ?” મેં કહ્યું કે “ના, ત્યાં હું આ વિષય ઉપર નથી બોલતી.” તેઓ પૂછે છે કે “શા માટે નથી બોલતા ?' મેં કહ્યું કે, “આફ્રિકા અને એશિયાની સામે સવાલ છે જીવવાનો, ખાવાનો, કપડાં પહેરવાના. એ નાગાં છે, ભુખ્યાં છે તેમની સામે અધ્યાત્મની હું શું વાત કરૂ ? જેને સાંજનું ભાજન શું મળશે, કાલે ભાજન મળશે કે નહીં એની ફિકર છે, જેને ભૂખના કારણે પોતાના છે.કરો એક સીલીંગ ચાર પેન્સમાં વેચવા પડે છે એની સામે હું આધ્યાત્મિક શું બોલું ?” મેં કહ્યું કે “આ બધી યુરોપીયનોની દેણ છે. આફ્રિકા અને એશિયાના દેશોમાં આજે ભૂખ ભરેલી છે, આજે તંગી છે, એ જે લોકોએ ત્યાં કૉલોનીઓ બનાવ્યાં તેમની દેણ છે. આપની ઔદ્યોગિક ક્રાંતિ અને સમૃદ્ધ એશિયાના અને આફ્રિકાના લોકોને ભાગે મળી છે. તા અધ્યાત્મ આપે સમજવું જોઈએ.’' હું જાણું છું કે માનવમનના ટુકડા થઈ ગયા છે અને જયાં સુધી મન ભગ્ન છે ત્યાં સુધી માનવીય સમાજ આગળ પગલાં ભરી નહીં શકે. આથી યુરોપમાં આ વાત હું કહું છું. હું તેમને કહું છું કે “આ માનવીય મન છે. તેને લઈને દુનિયાના સવાલો ઉકેલવા જશો તો ઉકલવાના નથી. એને ઓળખવું એ આત્મદર્શનના પ્રારંભ છે. તેા ભાઈઓ! તમે લોકોએ સાયન્સ અને ટેકનોલાજીમાં ઘણા વિકાસ કર્યો છે. સુખસગવડનાં સાધનો મેળવ્યાં છે, હવે તમારું ખાવાપીવાની ચિંતા નથી. રાજનૈતિક અને આર્થિક સંરક્ષણ છે. હવે વિચારો તે ખરા કે તમારા માનવશરીરમાં મન છે તે મનુષ્યનું કે વાનરનું? શિવનું છે કે શિયાળનું? મતલબ કે આપ આકારમાં મનુષ્ય તે છે પણ આશયથી મનુષ્ય છે કે નહીં એ તે વિચારો,” આ વાત કહેવા માટે ત્યાં જાઉં છું, ત્યાં કહેવી પડે છે માનસશાસ્ત્રની આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થા સમક્ષ, ફિલાસાફીની સંશોધન સંસ્થા સમક્ષ. દરેક દેશમાં જ્યાં હું જાઉં છું ત્યાં હું કહું છું કે, જુઓ, આ મન અથવા બુદ્ધિ જે છે તે એક યંત્ર છે. જેવી રીતે શરીર યંત્ર છે તેવી રીતે મન યંત્ર છે. એના આપણે ગુલામ બન્યા છીએ. એની ગુલામીથી મુકત થવું એ જ માનવતા છે. મનની ગુલામીથી જે મુકત થાય તે ખરા માનવ કહેવાય. તે માનવી કેવી રીતે બનાય? તે એ વિચાર જુદી જુદી રીતે મૂકવો પડે છે. ચેતન મન શું છે? અચેતન અને ચેતનના શે. સંબંધ છે? માણરોએ આજ સુધી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, અનુભૂતિ પ્રાપ્ત કરી, એના સાર અચેતન મનમાં કેવી રીતે પડયો છે, જ્ઞાનના, અનુભૂતિના આધારથી અચેતન મન શી રીતે ચેતન મનને કાબુમાં રાખે છે, ચેન મનની ક્રિયા પર નિયંત્રણ કરે છે એ સમજો, વિચાર, ભાવના, પ્રતિક્રિયાઓ એ યાંત્રિક કર્મ છે. એને આપ કા છે. મારા વિચાર, મારી ભાવના, મારી પ્રતિક્રિયા. એમાં ગૌરવ પણ માના છે. તો પ્રતિક્રિયાઓ નથી મારી, નથી તમારી, એ સામૂહિક સંયોજનનું પરિણામ છે.” યુરોપમાં એ જ્ઞાન કરાવવું પડે છે કે મન એક યંત્ર છે, મન અને બુદ્ધિથી પર માનવતા છે; અને એ સમજવા માટે જિજ્ઞાસુ લોકો આવે છે. વિચાર પણ કરે છે. ૫૦ મિનિટમાં આપણે એ જોયું કે દુનિયાની નજરમાં ભારત કા દેખાય છે. એ જોયું કે ભારતની સમશ્યાઓમાં મુખ્ય સમશ્યા કઈ છે. આપણે જોયું કે જનતા યાં નંદ્રા, જડતા, નિક્રિષ્ણતામાં ફસાઈ જાય છે ત્યાં સરકાર બદલવાથી, નેતા બદલવાથી દેશનું ઉત્થાન નહીં થઈ શકે. અનું જેટલી વખત પુન: ઉચ્ચારણ કરું એટલું ઓછું છે. ઉઠેલા, જાગેલા નાગરિકોને કહેવાનું છે કે આ નાગરિક સંગઠન કેવી રીતે થઈ શકે? ‘પીપલ્સ નેશનલ ફોરમ’ થઈ શકે છે. આપણા અવાજને કેવી રીતે બુલંદ કરીએ એ તે યોજના ઘડવાનો સવાલ છે. કરવું હોય તો કઈ `અશકય નથી. પરંતુ એ નહીં થાય તો મને બીજો રસ્તો દેખાતા નથી. સમાપ્ત : વિમલાબહેન ઠકાર Page #197 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૦-* પ્રમુખ જીવન પશુસવર્ધન અને ડેરી જ્યારથી રૂપિયાની કિંમતમાં ઘટાડો થયો છે, ત્યારથી સરકાર અને સરકારી નિષ્ણાતોએ ભારતમાં જાનવરોની સંખ્યા અધિક હોઈ તેની કતલ કરી, ગામાંસની નિકાસ દ્રારા વધારે એકસ્ચે કમાવાના તથા રૂપિયાની કિંમત ઘટવાને કારણે વિદેશાનું દાટું થયેલું કરજ ફેડવા માટેની પૂર્વભૂમિકા સરજવાના પ્રયાસ ચાલુ કર્યા છે. પ્લાનીંગ કમિશન અને પ્રધાને નિકાસ વધારવાની મેાધમ વાતો કરે છે, પણ તેના સંદર્ભમાં કતલ વધારી, કતલ થયેલાં જનાવરોનાં માંસ અને અન્ય અંગઉપાંગોની નિકાસની તત્પરતા રહેલી છે. અહિંસામાં માનનાર જનતાએ અને પશુધન પર દેશની ખેતીના આધાર હોવાનું માનનાર નેતાઓએ જાગૃત રહી, પ્રસરી રહેલી ભારત–હિત–વિરોધી વિચારધારાને જડમૂળમાંથી ઉખેડી નાખવાનાં પ્રયત્નો આજથી જ કરવાં પડશે. રૂપિયાની કિંમત ઘટાડવાની પાછળ પણ વિદેશી રાષ્ટ્રોના—વિદેશી સહાયતાના ટુકડા ફેંકી ભારતને આર્થિક ક્ષેત્રે પરાધીન બનાવવાના કાવતરાને કમનશીબે ભારતીય નેતાઓ અને પ્રધાના સમજી શકયા નથી. અને પરિણામે સ્વરાજ્યના મૂળ હેતુ-સ્વાવલંબનને—નિષ્ફળ નિવડયો છે, એટલું જ નહિ પણ, પરાવલંબન એ શાસનની નીતિ બની છે એ ખેદની વાત છે. પી. એલ. ૪૮૦ અન્વયે ભારતને અન્નસહાયતા આપવાની સાથે વિદેશી સત્તાઓએ ભારતની લાગણી— પ્રધાન જનતા નકામાં જાનવરોને અનાજ ખવડાવી દે છે તેવા ખોટો ભ્રમ પ્રધાનોમાં પેદા કર્યો, અને પશુવિશેષજ્ઞેશ જેઓ પશુ સંવર્ધનમાં નિષ્ફળ નીવડયા છે, તેમના મનમાં—જ્યાં સુધી અનાર્થિક પશુઓની કતલ કરવામાં ન આવે ત્યાં સુધી ભારતના પશુધનની સુધારણા શકય નથી.—તેવા ભ્રામક ખ્યાલો પેદા કર્યા, ત્યારથી દેશના પશુવિશેષશેા નકામાં પશુઓની સંખ્યા ઘટાડવા અને તેને માટે જંગી કતલખાનાની યોજના કરવા તલસી રહ્યા છે. તાજેતરમાં નાપે સંસ્થાના ઉપક્રમે તા. ૩૦ જૂનના રોજ એલ ઈન્ડિયા ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રમુખ શ્રી કુરીઅનના ભાષણના પ્રગટ થયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ શ્રી કુરીઅને ખાસ કરીને દેશમાં જાનવરોની વધતી જતી સંખ્યાને ડામવાની અગત્ય પર ભાર મૂકી આખરે જણાવ્યું કે, “ભારતની વસ્તીને દૂધ પુરું પાડવા સારાં ઢોર હોય તો, માત્ર બે કરોડ ઢાર જોઈએ. આઠ કરોડ ઢોર તદ્દન નકામા છે. તેની કતલ કરી, વસ્તુઓ નિકાસ કરવામાં આવે તો, રૂ. ૧૫૦૦૦ કરોડ ઉપરાંત હૂડિયામણ મળે તેમ છે; અને બીજી બાજુ તેનું નિભાવણીનું ખર્ચ ઓછું થાય.” તેમણે વિશેષમાં જણાવ્યું કે, “શહેરમાં જાનવરનાં બચ્ચાંને ભૂખે મારી નાખવામાં આવે છે. આ રીતે ઉત્તર ગુજરાતમાંથી દર વષૅ જતાં એ શી હજાર દુધાળાં ઢોરનાં બચ્ચાંને મુંબઈમાં ભૂખથી મારી નાંખવામાં આવે એ રીત બરાબર નથી. કારણ કે સારાં જાનવરનાં બચ્ચાંની ઓલાદ સારી હોય છે. સિલાનની સરકારે મને ડેરીની ખીલવણી માટે આમંત્રણ આપતાં હું સિલાન જનાર છું અને તેમને આવાં ભેંસનાં બચ્ચાં આપવા માટે વાટાઘાટ કરવા માગું છું. આ વાટાઘાટ સફળ થતાં ભૂખથી મારી નખાતાં બચ્ચાં જીવતાં રહેશે અને સરકારને હૂંડિયામણ મળશે.” જો મી, કુરીઅને ભારતની અર્થવ્યવસ્થા અને વ્યવહારુ દષ્ટિએ આ પ્રશ્ન અંગે વિચાર કર્યો હોત તો તેઓ કદાચ આવા ભ્રામક ખ્યાલા રજૂ કરી શકત નહિ. વળી તેઓ જો અસલી ભારતનું હિત ચાહતા હોત તો, કતલના માર્ગને બદલે દેશની લાંબા ગાળાની હિતલક્ષી સુધારણાની કોઈ વ્યવહારુ યોજના સૂચવી શકત, પણ કમનસીબે તેઓ પણ આજે વિદેશી રાષ્ટ્રોની ભારતને હંમેશ માટે પરાવલંબી અને ભીખ માગતા રાખવાની નીતિના સમર્થક છે, એટલું જ નહિ પણ, તેમના એજન્ટ છે. તેથી એમના અભારતીય વિચારો અને સૂચનોથી નવાઈ પામવાને બદલે તેમને અમેરિકા કે તેવા દેશોમાં મોકલી આપવા જોઈએ કે, જેથી જાનવરોની અનિયંત્રિત કતલ કરાવી પેાતાના આત્માને તેઓ સંતોષી શકે. ૧૧૧ નિષ્ણાતાના મતિભ્રમ ✩ તેમણે કરેલાં વિધાનો સત્ય હકાકતથી તદૃન વેગળાં છે. બીજા દેશની સરખામણીમાં ભારતમાં પશુધન વધારે નથી એ હકીકત છે. માંસાહારી અને યંત્રવાદી દેશમાં ગાય માત્ર દૂધ અને માંસ માટે રાખવામાં આવે છે, જ્યારે ભારતમાં દૂધ માટે ગાયો અને ખેતી માટે બળદ, અને ઘેર ઘેર પેદા થતાં સેન્દ્રિય ખાતર માટે બન્ને અનિવાર્ય છે. ભારતમાં આજે ખેડાતી આશરે ૩૫ કરોડ એકર ભૂમિ માટે ઓછામાં ઓછા આશરે . ૭ થી ૮ કરોડ બળદોની આવશ્યકતા છે, જ્યારે આજે દેશમાં આશરે ૬ાા કરોડ બળદો ખેતી માટે ઉપલબ્ધ છે. વળી સરકાર અને નિષ્ણાતોની જમીન— વિષયક અને ડેરી—વિષયક વળી નીતિ અને જનતાની ઉદાસીનતા તથા ઘાસચારાની કમી અને ઓલાદ સુધારણાની નિષ્ફળતા—આ બધાં કારણોને લીધે જે બળદો છે તે પણ અગાઉના જેવા સશકત રહ્યા નથી. દર વરસે આશરે ૧૦ ટકા જેટલા બળદો થાકે કે વૃદ્ધ થાય તેના સ્થાને દર વરસે ૧૦ ટકા જેટલા નવા બળદો કામને લાયક ઉછેરવા માટે ઓછામાં ઓછી ૪ કરોડ પ્રજનન કરી શકે તેવી ગાયોની આવશ્યકતા છે કે, જેથી અરધી ગાયો નિયમિત બચ્ચાં આપે, અને તેમાં ૫૦ ટકા બચ્ચાં નર હોય તો જ દર વરસે થાકતા એક કરોડ બળદોને બદલે નવા જન્મેલા બળદો કામમાં લઈ શકાય. આજે ભારતમાં ૨૪ કરોડ પશુઓ ઓછામાં ઓછું દર વરસે ૪૦ કરોડ ટન છાણ, મૂત્ર વગેરે આપે છે. તેનાં ખાતરનાં તત્ત્વોના વિચાર કરતાં દર વરસે તેમાંથી ૪૦ કરોડ રતલ નાઈટ્રોજન, ૪૦૦ કરોડ રતલ પોટાશિયમ, ૨૦૦ કરોડ રતલ ફોસફરસ વગે૨ે સેન્દ્રીય સ્વરૂપનું ખાતર મળી શકે છે, જેની કિંમત બજાર ભાવે અબજો રૂપિયા થાય છે. તેમાં નથી નવી મૂડીનું રોકાણ, કે નથી હૂંડિયામણના પ્રશ્ન. આ સેન્દ્રીય ખાતર સીંદરીના ખાતરના કારખાનાની પેદાશ કરતાં નવગણું વધારે છે. છતાં વિદેશી પાશ્ચાત્ય દષ્ટિવાળા નિષ્ણાતો અને પ્રધાનોની સલાહથી દેશમાં કરોડો રૂપિયાની મૂડી નાંખી મશીનરી માટે હૂંડિયામણ ખર્ચ કરી, ખેડૂતો જેમની પાસે રોકડેથી ખાતર ખરીદવાના પૈસા હોતા નથી, તેને સબસીડી કે તગાવીથી મોંઘું ખાતર આપવામાં કર્યું ડહાપણ છે તે સમજી શકાતું નથી. ઉપર જણાવ્યા મુજબ ભારતના ગોવંશના આર્થિક મૂલ્યાંકનો કેવળ દૂધની દષ્ટિએ કરવાં એ અજ્ઞાનતા અને મૂર્ખાઈ છે. વિલાયતની ગાયો જેમ દૂધ અને માંસના વ્યવહારથી અર્થક્ષમ ગણાય છે. તેમ ભારતની ગાયો દૂધ, બળદ, ખેતીનું ઉત્પાદન અને ખાતરથી વિલાયતની ગાયા કરતાં પણ વધારે અર્થક્ષમતા ધરાવે છે, અને વધારામાં કુદરતી મોતે મરતાં આશરે એક કરોડથી વધારે પશુ ચામડાં, હાડકાં, ઈત્યાદિ આપી, દેશને ફાયદો આપે છે. મી. કુરીઅન અને તેમના જેવા પશ્ચિમી વિચારવાળા નિષ્ણાતો એ ભૂલી જાય છે કે તેઓ ભારતમાં છે, અને ભારતની અર્થવ્યવસ્થા, સાધનો, આબાહવા, અને જનમાનસનો વિચાર કરીને તેમણે પશુસંવર્ધન અને દૂધ વ્યવસાયના વિચાર કરવાના છે. કેવળ પશ્ચિમનું અનુકરણ કરી, અહીંની વિકાસ યોજના વિચારનારા ભારતના હિતશત્રુઓ છે. સને ૧૯૫૪માં ભારત સરકારે હ્યુમન ન્યુટ્રીશન વીસા—આ વીસ એનીમલ ન્યુટ્રીશન માટે સર્વોચ્ય તજજ્ઞનોની કમિટી નીમેલી. તેમણે બધી દષ્ટિએ વિચાર કરી, નીચેની મતલબની ડહાપણભરેલી ભલામણ કરી હતી. ભારતની ગાયોની દૂધ-ઉત્પાદનની શકિત સર્રેરાશ ગાય દીઠ બે પાઉંડની ગણતાં, તેરમા અનાર્થિક ગણાય. પણ આજે દેશમાં ૪૫ ટકા ગાયનું દૂધ અને ૫૫ ટકા ભેસનું દૂધ એવી જ ઓછી ઉત્પાદનવાળી ગાયો-ભે સામાંથી મળે છે. વળી દેશમાંથી ૬થી ૭ કરોડ બળદોને ખેતીના કામમાં રાખવા માટે દર વરસે થાકતા બળદોને બદલે દર વરસે એક કરોડ જેટલા નવા બળદો તૈયાર કરવા માટે પણ ઓછાં દૂધ દેવાવાળી પણ વાછરડા દેનારી ગાયોની આવશ્યકતા છે. કતલ દ્વારા અનાર્થિક પશુઓની સંખ્યા ઘટાડવાથી દેશનાં આજના દૂધના ઉત્પાદનમાં, બળદામાં, અને ખેતીના ઉત્પાદનમાં ઘટાડો થશે. વ્યવહારૂ માર્ગ એ જ છે કે હાલના ગોવંશને સંભાળી, Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રબુદ્ધ જીવન તેની ઓલાદ સુધારી, તેનું ઉત્પાદન વધારવાના તેમ જ નબળા સાંઢ અશકત અને અનુપયોગી ગાયોનું પ્રજનન બંધ કરવાના પ્રયાસે કરવા જોઈએ. દેશના સર્વોચ્ય નિષ્ણાતેના અભિપ્રાય પછી પણ, આપણા પાશ્ચાત્ય વિચારધારવાળા નવા નિષ્ણાતોએ એફ. એ. ઓ.ના નિષ્ણાતાની સલાહ અને દબાણથી કે લાભલાલચને વશ થઈ, તેમની ના- . થિંક પશુઓની હત્યાની નીતિ ચાલુ રાખી છે, એટલું જ નહિ પણ, તેમાં વધારો કર્યો છે. પરિણામે દેશ પહેલાં હતા, તેના કરતાં વધારે વિક્ટ સ્થિતિમાં આવ્યા છે. આમ નિષ્ણાતો પાછળ સરકારે કરેલા કરોડો રૂપિયાનો ખર્ચ નકામા ગયો છે, અને ગોવંશને બદલે કહેવાતા ભારતીય દૃષ્ટિવાળા નિષ્ણાતે જ અનાર્થિક બન્યા છે. તેઓએ બીજી બૅંકર ભૂલ એ કરી છે કે, ઓલાદ સુધારવા અને દૂધનું ઉત્પાદન વધારવાના પ્રયાસોથી પ્રારંભ કરવાને બદલે વિદેશી સહાયતાથી લેાભાઈને કરોડો રૂપિયાની ડેરી સામગ્રી મંગાવી, વિશાળ ડેરીઓ ઊભી કરી, કરોડો રૂપિયાના ચાલુ ખર્ચ વધાર્યો છે. ડેરીને રચલાવવા માટે જે દૂધ મળે તેનાથી ડેરી ચલાવવામાં તેમણે પોતાની “ગાડી આગળ અને ઘોડો પાછળ” જોડવાની ભૂલ ઢાંકવા, ભેસાને વધારે ઉત્તેજન આપી, ગાયને અનાર્થિક બનાવી છે. મી. કુરીઅને ગુજરાતના જાણીતા ભેંસભકત છે. તેમણે ગામડાંમાં પણ જોયું હશે કે ભેંસાના ૫૦ ટકા બચ્ચાં પાડાને પણ શહેરોની ભેંસની દશાની માફક અકાળે મારી નાંખવામાં આવે છે. અને માત્ર ૧૦થી ૧૫ ટકા પાડાઓ ઉછેરવામાં આવે છે. સરકારની કાફ્રીઅરિંગ સ્કીમના અનુભવથી જણાય છે કે, ભેસાની પાડીઓ ઉછેરવામાં પણ ૨૫ ટકા જેટલું મરણ પ્રમાણ આવે છે, જ્યારે ગાયાના બચ્ચામાં ભાગ્યે જ ૧-૨ ટકા જેટલું મરણ પ્રમાણ આવે છે. એટલે શહેરોમાં ગુજરાતમાંથી તેમ જ પંજાબમાંથી જતી ભેંસાના બચ્ચાંની આજે દયા ખાવી પડે છે. પણ જો મી. કુરીઅન જેવા નિષ્ણાતોએ ભારતીય દષ્ટિને અપનાવી, સને ૧૯૪૮-૪૯માં ભારત સરકારે નીમેલી કેટલ પ્રીઝર્વેશન એન્ડ ડેવલપમેન્ટ કમિટીના નિર્ણયા મુજબ બે હેતુ સિદ્ધ કરતી ગાયા નિર્માણ કરવી, ભે'સાને જ્યાં ચારાની વિપુલતા હોય, ત્યાં જ તેના દૂધનાં માખણ, ઘી, પાઉડર, આદિ બનાવટો તૈયાર કરવી, અને શહેરોમાં જાનવરો ન જવા દેતાં ગ્રામવિસ્તારોમાંથી દૂધ મોકલવા તથા ચારા આદિનું ઉત્પાદન વધારવું, અને સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવા તથા નકામા સાંઢને ખસી કરવી—આવા વિવિધલક્ષી હેતુ સિદ્ધ કરવા માટે પ્રમાણિકતાથી કામ કર્યું હોત તે, આજે તેમણે ભારતને દૂધ, ઘી માટે, ખાતર માટે, અને ખેતી અને અનાજ માટે સ્વાવલંબી બનાવ્યું હોત, મિ. કુરીયન કતલ દ્વારા ૧૧,૦૦૦ કરોડ રૂપીયાનું એકસ્ચે જ કમાવા, સરકાર તાળવે ગાળ ચોંટાડે છે. શું તેઓ એક જ વરસમાં તેમના મત મુજબનાં બધાં જ અનાર્થિક જાનવરોનો નીકાલ કરવાની હિંમત ધરાવે છે? શું એ જાનવરો કપાતાં સુધી હવા ઉપર રહેશે ? દૂધના ઉત્પાદનમાં પડનારી ઘટ તે ભીખ માંગીને પૂરી કરશે ? એ બધી બાબતાના ભારતીય દષ્ટિએ વિચાર કર્યા વગર મિ. કુરીયનની કતલ કરી હૂંડિયામણ કમાવાની સૂચના અવ્યવહારૂ જ નહિ, પણ એક નરી મૂર્ખાઈભરી છે. મિ. કુરીયન સીલેાન સરકાર પર ખુશી થઈને ભેંસના બચ્ચાં તેમને આપવાની ઉદારતા કરવા માગે છે. જો ભેસના બચ્ચાં ઉછેરી શકાતાં હોય તે, તેના ઉપયોગ તેએ ભારતમાં શા માટે નથી કરતાં કે જયાં તેમના કહેવા મુજબ સારાં દૂધાળાં જાનવરોની જરૂર છે. જો કતલ માટે તેઓ આપવા માંગતા હોય તો, તેમણે સમજી લેવું જોઈએ કે, ભારતીય જનતા તેમની એ મૂર્ખતા સહન નહિ કરે. એક બાજુથી સરકારી સલાહકાર મિ. કુરીયન ઘાસચારાની દષ્ટિએ જાનવરો અધિક હોવાની ફરિયાદ કરે છે, જયારે બીજી બાજુથી સરકાર મરઘાં, ડુક્કર, ભેંસાનો વધારો કરે છે, જેને પણ અનાજ, ખાણ આદિની આવશ્યકતા છે. તેના તેઓ કેમ વિરોધ કરતા નથી? સરકારનાં સલાહકારે સંતુલિત દષ્ટિએ વિચાર કરવા જોઈએ, અને જનતાની ભાવના, જેના કલ્યાણને નામે તે સૂચન કરે છે, તેમ જ દેશનાં સાધનાને તેમણે નિષ્પક્ષપાત રીતે વિચાર કરવા જોઈએ. તા. ૧૧૦ ભાવિને વધારે ગુંચવનાર નિષ્ણાતે આજે સરકારના સલાહકાર બો છે અને સરકાર અને જનતાની આંખે પાટા બંધાવી, દેશમાં હિંસા અને હિંસક વ્યાપાર વધારવા માગે છે, અને તે જ નીતિના નિર્માતા બને છે. જનતાએ સાવધાન રહેવાની જરૂર છે અને દરેક પ્રસંગે એવા અભારતીય વિચારો, સૂચનો, અને યોજનાઓનો સખ્ત વિરોધ કરવા ઘટ છે. જયન્તીલાલ એન. માકર મંત્રી, મુંબઈ જીવદયા મંડળી. સંઘ સમાચાર દેશની એ કમનસીબી છે કે, અભારતીય દૃષ્ટિવાળા અને ટૂંકા સમયમાં ચમત્કાર દેખાડી પેાતાનો ઉદય ચાહનારા, અને દેશના તા. ૨૫-૯-૬૬ સના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્ય વાહક સમિતિની એક સભા સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહના નિવાસ સ્થાને (સાગર-દર્શન, ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ) મળી હતી. આ સભામાં કા. વા. સમિતિના સભ્યો ઉપરાંત કેટલાક શુભેચ્છક મિત્રોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રાર ંભમાં થોડી વહીવટી બાબતોનો વિચાર પુરો થયા બાદ પ્રબુદ્ધ જીવનની ગ્રાહક સંખ્યા કેમ વધારવી અને પ્રબુદ્ધ જીવનના સંપાદન કાર્યને કેમ વધારે પુષ્ટ કરવું તે અંગે કેટલીક ચર્ચા વિચારણા થઈ હતી અને પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો વધારવાની દિશાએ કાર્યવાહક સમિતિના સભ્યોને સક્રિય બનવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સંઘ માટે પોતાનું મકાન અથવા ફ્લેટ પ્રાપ્ત કરવા અંગે પણ સારા પ્રમાણમાં ચર્ચા થઈ હતી અને જુદા જુદા સભ્યો તરફથી એ અંગે કેટલાક વિધાયક સૂચના રજુ થયાં હતાં અને હાજર રહેલા સભ્યોએ અને સ્વજનોએ આ બાબતમાં પૂરો સહકાર આપવાની ઉત્સુકતા દાખવી હતી. કામકાજ પૂરું થયા બાદ સભ્યોનું શ્રી સુબોધભાઈએ, બાદશાહી ઉપહાર વડે ભાવભર્યું આતિથ્ય કર્યું હતું. શ્રી મુંબઈ જૈન યુવક સંધની અસાધારણ સામાન્ય સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની એક અસાધારણ સામાન્ય સભા તા. ૮-૧૦-૯૬ શનિવારના રોજ સાંજના ૫-૩૦ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫, ૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩) ભરવામાં આવશે. જે વખતે, તા. ૨-૯-૬૬ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિએ આગામી ૧૯૬૭ના જાન્યુઆરી માસની પહેલી તારીખથી સંઘના સભ્યોનું ચાલુ વાર્ષિક લવાજમ રૂ. ૫ છે તે વધારીને રૂ. ૧૦ કરવું એ મુજબનો જે ઠરાવ કર્યો છે તે ઠરાવ સામાન્ય સભાની મંજુરી મેળવવા માટે કાર્યવાહક સમિતિ તરફથી રજુ કરવામાં આવશે. આ સભામાં વખતસર ઉપસ્થિત થવા સર્વ સભ્યોને વિનંતિ કરવામાં આવે છે. આચાર્ય રજનીશજીની આધ્યાત્મિક શિબિર શ્રી જીવન જાગૃતિ કેન્દ્ર તરફથી ઑકટોબર માસની ૨૩, ૨૪ તથા ૨૫ એમ ત્રણ દિવસ માટે માથેરાન ખાતે આચાર્ય રજનીશજીની નિશામાં એક શિબિર યોજવામાં આવેલ છે. આ શિબિરમાં જોડાવા ઈચ્છતા ભાઈ - બહેનોએ તેને લગતું પત્રક જીવન જાગૃતિ કેન્દ્રના કાર્યાલમાંથી (૫૦૫, કાલબાદેવી રોડ, એડવર્ડ સીનેના સામે, ટે. નં. ૨૨૩૩૧) મેળવીને તથા ઓકટોબર માસની તારીખ ૫ સુધીમાં ભરીને રૂ. ૫૫૦૦ સાથે એ સંસ્થાના કાર્યાલયમાં પહોંચાડવાનું છે. આ શિબિરાર્થીએ તા. ૨૨મી ઓકટોબર સાંજ પહેલાં માથેરાન પહોંચવાનું છે. અને માથેરાન જવા આવવાની વ્યવસ્થા પોતે જાતે કરવાની છે. જે ભાઈ બહેન માથેરાનમાં રહેવા ખાવાની સ્વતંત્ર વ્યવસ્થા કરવા માગતા હોય અને એ રીતે શિબિરમાં સામેલ થવા ઈચ્છતા હોય તેમના માટે રૂ. ૧૫–૦૦ પ્રવેશશુલ્ક રાખવામાં આવી છે. આચાર્ય રજનીશજીની આ પ્રકારે ગાઠવાતી શિબિર દ્વારા આપણા વિચારોનું પાયામાંથી સંમાર્જન થાય છે, આપણા મનન ચિન્તનને નવી તાજગી મળે છે, સામુદાયિક મિલનનો યોગ સહજ પ્રાપ્ત થાય છે અને સુખદ પર્યટનની તક પણ મળે છે. તે સંઘના સભ્યોને આ શિબિરનો લાભ લેવા અનુરોધ છે. આ શિબિરમાં જોડાવા માટેનાં પત્રકો સંઘના કાર્યાલયમાંથી પણ મળી શકશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ Page #199 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૦-૬૬ પ્રબુદ્ધ જીવન પ્રકી નોંધ ર મહાભારતના અન્તિમ પૂર્વનું પ્રકાશન: પચાસ વર્ષના સંશોધન કાર્યની પૂર્ણાહૂતિ પૂનાના ભાંડારકર ઓરિયેન્ટલ રીચર્સ ઈન્સ્ટીટયુટ તરફથી આજથી પચાસ વર્ષ પહેલાં મહાભારતની સંશોધિત અને સર્વગ્રાહી આવૃત્તિ. ૧૯ વિભાગમાં પ્રગટ કરવા માટે એક વિરાટ યોજના કરવામાં આવી હતી. આ કાર્યની સ્વ. ડૉ. સર રામકૃષ્ણ ભાંડારકરે શરૂઆત રેલી અને એ મહાન કાર્ય ડૉ. વી. એસ, સુખાંકર, ડૉ. એસ. કે. બેલવકર, ડૉ. પી. એલ. વૈદ્ય અને ડી. આર. એન. ડાંડેકર જેવા અનેક વિદ્વાન સંશોધકોના સહકાર વડે તાજેતરમાં પુરૂ કરવામાં આવ્યું છે. તેના ૧૯મા વિભાગ ‘અનુશાસન પર્વ’નું પ્રકાશન તા. ૨૨-૯-૬૬ ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના હાથે પૂના ખાતે યોજાયેલા એક ભવ્ય સંમેલનમાં જાહેર કરવામાં આવ્યું છે. આ ‘અનુશાસન પર્વ”નું સંપાદન ડૉ. આર. એન. ડાંડેકરે કર્યું છે. આ પ્રસંગને અનુલક્ષીને ડા. રાધાકૃષ્ણને જણાવ્યું છે કે “મહાભારત ભારતના ઈતિહાસના એક પ્રાણવાન તબક્કાની પ્રત્યક્ષ ચિરસ્મરણીય તવારીખ છે. પાર વિનાનાં પાત્રા અને ઘટનાઓને જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેવા આ મહાભારત ગ્રંથના એક પાયાન સિદ્ધાન્ત એ છે કે, દુનિયા ઉપર કોઈ એક મહાન શકિતનું શાસન પ્રવર્તે છે. તેના એ સંદેશ છે કે આ વિશ્વમાં ધર્મ જેવું એક તત્ત્વ છે અને આ સંસાર કોઈ પણ પ્રકારના અનુબંધ વિનાની હેતુશૂન્ય ઘટનાઓનું કોઈ આંધળું આકસ્મિક પરિણામ નથી. મહાભારત માનવજાતને કહી રહેલ છે કે અસત્યને પરાજય છે અને સત્યના આખરે વિજ્યું છે. મહાભારતના મુખ્ય બાધપાઠ એ છે કે, દુનિયાનું અસ્તિત્વ ટકાવવું હોય તો ધર્મની કોષ્ટતાનો અને તેને અનુસરતા શાસનના સ્વીકાર તેમ જ આદર કર્યા સિવાય ચાલશે જ નહિ. એ યાદ રાખવું અત્યન્ત જરૂરી છે કે તત્કાળ ગમે તે પરિણામેા આવે, પણ જેઓ ધર્મની અવજ્ઞા કરશે તેમને આખરે વિનાશ થશે, જયારે જેઓ ધર્મને અનુસરશે તેમને તેના બદલા જરૂર મળી રહેશે. આ ધર્મ સમાજને સુભાજિત તથા સુગ્રથિત કરે છે, જયારે અધર્મ સમાજને વિભાજિત અને વિચ્છિન્ન કરે છે. જેઓ નૈતિક કાનૂનને અને ધર્મને વળગી ને ચાલ્યા છે તેમને ધન્ય છે! “ભારતની આજની જનતા યારે દુન્યવી ભાગવિલાસ, ભૌતિક લાભ અને ઉપરછલ્લી સુખ–સગવડ પાછળ દોડી રહી છે, અને આ દોડના પરિણામે પેાતાના મૂળ સત્ત્વથી વિચ્છિન્ન બની રહી છે. ત્યારે આજની પરિસ્થિતિના આવા સંદર્ભમાં—મહાભારતમાંથી નીકળતા બાધપાઠોનું સવિશેષ મહત્ત્વ છે, તેમ જ પ્રસ્તુતતા છે. “આટલા મોટા ઐતિહાસિક કાર્ય પાછળ અને આટલા મેટા સાહસ પાછળ માત્ર ૧૬ લાખ રૂપિયાનો જ ખર્ચ થયા છે એ જાણીને મને ભારે આશ્ચર્ય થાય છે. કોઈ પણ અન્ય દેશમાં આટલું મોટું કામ આથી ચારગણી રકમ ખરચ્યા સિવાય નિર્માણ થઈ શક્યું જ નહેાત. મહાભારતની આટલી મોટી સંચેોધિત આવૃત્તિ નિર્માણ કરવા પાછળ જે વિદ્વાનો અને પંડિતાએ પાર વિનાના પરિશ્રામ ઉઠાવ્યો છે અને ભાગ આપ્યા છે તેમને અનેક ધન્યવાદ ઘટે છે. મહાભારત જેવા વિપુલ જ્ઞાનભંડાર સામાન્ય જનતાને આજે સુલભ બની શક્યો છે તે ઘટના તેમની વિદ્યુતા અને બલિદાનને આભારી છે. મને ખાત્રી છે કે, આ મહાભારત ગ્રંથમાંથી સૌકાઓ સુધી લોકોને પ્રેરણા અને સમાધાન મળતાં રહેશે.” આજથી પચ્ચાસ વર્ષ પહેલાં જે મહાનકાર્યની આચાર્ય ડો. રામકૃષ્ણ ભંડારકરની પ્રેરણા અને આયોજન-કુશળતા નીચે શરૂઆત થઈ હતી તે કાર્યની પૂર્ણાહુતિનો સમારોહ એમના જ સમક્ષી તત્ત્વવેત્તા ડૉ. રાધાકૃષ્ણનના હાથે ઉજવાય એ કાળના ભારે ઔચિત્યપૂર્ણ ૧૧૩ ✩ સંકેત લાગે છે અને તે કારણે ભારતની વિદ્ભુત જનતા પરમ આનંદ અને ધન્યતાનો અનુભવ કરે છે. શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાયને મળેલું મેગસેસે પારિતાષિક તા. ૩૧-૮-૬૬ ના રોજ ફીલીપાઈન્સની રાજધાની મનીલા ખાતે શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાયને, તેમણે ભારતના સામાજિક ક્ષેત્રે કરેલી અપૂર્વ સેવાની કદર તરીકે, ફીલીપાઈન્સના પ્રમુખ શ્રી.ફરડીનંડ માર્કેઝ તરફથી, જે પારિતોષિક શ્રી વિનોબા ભાવેને અને શ્રી જયપ્રકાશ નારાયણને આપવામાં આવેલ છે તેજ માન મેગસેસે' પારિતાષિક અર્પણ કરવામાં આવ્યું છે. શ્રીમતી કમલાદેવી ઈન્ડિયન કોઓપરેટીવ યુનિયનના સ્થાપક અને અધ્યક્ષ છે. આ પરિતાષિકના સ્વીકાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, “જયારે છાપાવાળાઓએ આ બાબતની મને પહેલી ખબર આપી ત્યારે હું એકાએક બાલી ઊઠી કે, આમ બને જ નહિ, આ સમાચારમાં કાંઈ ભૂલ હોવી જોઈએ, કારણ કે, આ પારિતોષિક માત્ર મહાપુરૂષોને જ આપવામાં આવે છે. “આમ છતાં આ પારિતોષિક માટે મારી પસંદગી કરવામાં આવી છે તે અંગે, એક કારણસર હું આનંદ અનુભવું છું, અને તે કારણ એ છે કે કોમ્યુનીટી સર્વીસ જેવું કશા પણ આડંબર, દેખાવ કે જાહેરાત વિનાનું કાર્ય કે જે તરફ ભાગ્યે જ જાહેર જનતાનું ધ્યાન ખેંચાય છે, તેની આ દુનિયાના કોઈ એક ખુણે પણ આવી કદર સંભવે છે.” શ્રીમતી કમલાદેવીએ આગળ બેાલતાં જણાવ્યું કે, “આ રોકેટ ઉડ્ડયનની અને અણુશસ્ત્રોના યુગની સતત વધતી જતી ગતિશીલતા સાથે આપણી જાતને સતત ગોઠવતા રહેવાની વિટંબણા વડે આપણુ જીવન વધારે ને વધારે ઘેરાતું રૂંધાતું જાય છે. પરિણામે આપણે જાણે કે હારી રહ્યા હોઈએ, નગણ્ય જેવા બની રહ્યા હોઈએ, અને ચોતરફ્થી ભીંસ અનુભવી રહ્યા હોઈએ—આવી લાગણી આપણા ચિત્ત ઉપર અવારનવાર અસવાર થતી આપણે અનુભવીએ છીએ. “જુના સામાજિક ચોગઠા તૂટી રહ્યા છે અને જુના રીતરિવાજો અને જુના ચીલાઓ આપણા માટે નકામા બની રહ્યા છે અને આજની જટિલ દુનિયા સાથે બંધ બેસે એમાં નવાં મૂલ્યો અને નવા માર્ગદર્શનની અપેક્ષા ખૂબ જ વધી રહી છે. “જયારે રાત્રીના અંધકાર આપણને ઘેરી લીધા હતા ત્યારે મહાત્મા ગાંધી અને અન્ય મહાન વ્યકિત દ્રારા જેવી રીતે આપણે ત્યાં પ્રકાશનું અવતરણ થયું હતું તેમ આજે પણ નવી સર્જનશીલ જાતિ પ્રગટ થવાની ખૂબ જ જરૂર છે. આજની માનવજાતના અસ્તિસ્વને ભયરૂપ બનેલી એવી નૈતિક કટોકટીના ભયાનક પ્રવાહથી માનવીના આધ્યાત્મિક વારસાને બચાવવા માટે કોઈ નવા સેતુ યોજાવાની અત્યન્ત આવશ્યકતા છે. “આજની કટોકટીની પળે, મહાત્મા ગાંધીએ જે કહેલું જ તેનું હું પુનર્ ઉચ્ચારણ કરીશ: “તરવારને બાજુએ ફેંકી દીધા બાદ માત્ર પ્રેમનો પ્યાલો જગતની સામે ધરવા સિવાય મારી પાસે બીજું કશું છે જ નહિ. એ પ્યાલા તેમની સામે ધરીને તેઓ મારી વધારે નજીક આવે એવી ઉત્સુકતા હું સેવું છું. માણસ માણસ વચ્ચે સ્થાયી શત્રુતા હું કદિ કલ્પી જ શકતા નથી. દુનિયા પાસે પ્રેમ જેટલી બળવાન બીજી કોઈ શકિત નથી, અને એમ છતાં તેમાં અપાર નમ્રતા રહેલી છે.” આવાં સેવામૂર્તિ કમલાદેવી ચટ્ટોપાધ્યાયને આ પારિતોષિક મળવા બદલ આપણા અન્તરના અભિનંદન હો! તેમના સ્વારથ્ય તથા ચિરાયુષ માટે આપણી પ્રાર્થના હા !. પરમાનંદ ! Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦-૧૬, ચૂંટણી ફડમાં અત્યારસુધીમાં વિવિધ ઉદ્યોગેએ કયા પક્ષને કેટલો ફાળે આપે? ચૂંટણી લોકશાહીને પ્રાણ છે, પણ એની પાછળ થતો અનર્ગળ જયારે રાજકીય પક્ષોનું નામ આપવામાં આવ્યું ન હોય તેવી રકમને ખર્ચ એના આત્માને ઘણી વખત ઝાંખપ લગાડનારો હોય છે. આવા આંકડા રૂા. ૮૦,૭૦૦ હતો. ગંજાવર ખર્ચથી અમેરિકા જેવા દેશના રાજકીય પક્ષો જેઓ અબજો આ આંકડાઓ તે “જાહેર લિમિટેડ” તરીકે નોંધાયેલી કંપની એના સરવૈયામાંથી જ લીધાં છે. ખાનગી રીતે કાળા બજારનાં નાણાં ડોલરના ફંડ ધરાવે છે, તેમને પણ આ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. આ રાજકીય પક્ષોના ફંડમાં કેટલા ગયા હશે તે તે ભગવાન જાણે સંજોગોમાં આપણા ગરીબ દેશના વિવિધ પક્ષને ચૂંટણી પાછળ સત્તાવાર ચૂંટણી ફંડ ઉપરાંત, ચૂંટણી માટે ઊભેલા ઉમેદવારના મિત્રો કેટલું ખર્ચ થાય છે, કોણ તે ખર્ચ આપે છે તે જાણવું રસપ્રદ થઈ અને શુભેચ્છકો તરફથી મળતી વધારાની આર્થિક મદદનો તે આમાં પડશે. એ અર્થે અહીં નીચે કેટલાક આંકડા - હકીકતે આપ્યાં છે:- સમાવેશ થતો જ નથી. - “વિકસતા સમાજના અભ્યાસ માટેનું કેન્દ્ર” નામક સંસ્થાના ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચ એક સંશોધન કાર્યકર, શ્રી ગોપાળકૃષ્ણ ઈન્ડિયન જર્નલ ઓફ પબ્લિક આ સંશોધન કાર્યકરે, ૧૯૬૨ની સાલમાં થયેલી ચૂંટણી માટે, એડમિનિસ્ટ્રેશન (જાહેર વહીવટ અંગેના ભારતીય સામયિક)ના જાન્યુ ચૂંટણી કમિશનર સમક્ષ જે હિસાબ રજૂ કરવામાં આવ્યો તેના રાજ કીય પક્ષ તરફથી આપવામાં આવેલા ખર્ચના આંકડાઓ પણ એકઠા માર્ચ ૧૯૬૬ ના અંકની પૂર્તિરૂપે, “એક પક્ષનું વર્ચસ્વ : વિકાસ અને કર્યા છે અને રજૂ કર્યા છે, જેમાં તેણે પ્રત્યેક ઉમેદવાર દીઠ, ચૂંટણી વલણે” નામક નિબંધ પ્રકટ કર્યો છે. લડનાર પ્રત્યેક રાજકીય પક્ષે કેટલાં નાણાં ખર્મા તેની સરેરાશ કાઢી આ સંશોધકે લોકોનાં નાણાંમાંથી ચાલતી ખાનગી પેઢીના છે. આંકડામાં ગેરસમજ ન થાય તે માટે ઉપરના વધારાના પૈસા હિસાબ સરવૈયાઓને અભ્યાસ કરીને, કઈ પેઢીઓ કયા રાજદ્વારી આ લેખમાં કાઢી નાખવામાં આવ્યા છે. પક્ષને કેટલા પૈસા ફંડમાં આપ્યા તેના આંકડાઓ એકઠા કર્યા છે. પક્ષ કુલ રકમ ઉમેદવાર દીઠ સરેરાશ આ આંકડાઓ ઘણા રસપ્રદ છે. તેમાં રાજકીય પક્ષોના ફંડમાં વ્યકિત- કેંગ્રેસ પક્ષ ૧,૫૮,૫૩,૨૩૧ ૪૭૬૯ ગત રીતે આપવામાં આવેલાં નાણાંનો સમાવેશ થતો નથી. આંકડા સ્વતંત્ર પક્ષ ૩૬,૩૧,૮૭૫ ૨૯૯૯ નીચે મુજબ છે: સામ્યવાદી પક્ષ ૧૯,૫૧,૨૭૧ ૨૦૧૧ કોંગ્રેસ અને સ્વતંત્ર પક્ષ પ્રજાસમાજવાદી પક્ષ ૩૧,૧૦,૦૫૧ ૧૫૯ જનસંધ ૨૧,૨૬,૩૧૭ ૧૯૧ ૧૯૬૨ની સાલમાં થયેલી ચૂંટણી પહેલાના વર્ષમાં એટલે કે, બીજા પક્ષો ૨૬,૩૮,૮૭૪ ૧૮૦૭. ૧૯૬૧-૬૨માં ૩૪૮ કરોડ રૂપિયાની મૂડી ધરાવતી ૧૪૪ પેઢીએ, સ્વતંત્ર રીતે ઊભેલાએ ૫૮,૨૯૧૦૧ ૧૩૩૪ કેંગ્રેસ તેમ જ સ્વતંત્ર પક્ષને નીચે મુજબની રકમ તેમના ફંડમાં આ આંકડાઓ પરથી જોઈ શકાશે કે, કેંગ્રેસ તેમ જ સ્વતંત્ર આપી હતી. પક્ષના ઉમેદવારો માટે સૌથી વધુ પૈસા ખરચવામાં આવ્યા છે. વર્ષ કોંગ્રેસ સ્વતંત્ર આ આંકડાઓ તે ચૂંટણીપંચ સમક્ષ નિયમ મુજબ ન છૂટકે આપ૧૯૬૧-૬૨. રૂ. ૭૯,૦૪,૧૯૭ ૨૦,૭૬,૧૫૧ વામાં આવેલા આંકડાઓ છે. હકીકતમાં ચૂંટણી પાછળ જે ખર્ચ ૧૯૬૨-૬૩ રૂ. થાય છે તે દરેક ઉમેદવારની પિતાની તેમ જ પોતાના વ્યકિતગત ૯,૮૧,૯૭૦ ૫૪,૨૦ ૦ ૧૯૬૩-૬૪ રૂા. ૩,૦૨,૫૯૩ ટેકેદારોની આર્થિક સ્થિતિ પર આધાર રાખે છે અને એ ખર્ચ ધારા સભાની ઉમેદવારી માટે આશરે પચીસ હજાર રૂપિયા અને લોકસભાની કુલ... રૂા. ૯૧,૮૮,૭૬૦ ૨૧,૩૮,૦૫૧ ઉમેદવારી માટે આશરે એક લાખ રૂપિયા જેટલું થાય છે તે હવે આ આંકડાઓ પરથી જોઈ શકાશે કે ૧૯૬૧-૬૨ના ચૂંટણી જાણીતી વાત છે. ઓના વર્ષ દરમ્યાન રકમ સૌથી વધુ છે તે પછીનાં વર્ષોમાં તેનું ચૂંટણીનું કુલ ખર્ચ કેટલું? પ્રમાણ ઓછું થતું જાય છે. ચૂંટણી પંચને આપવામાં આવેલા તમામ રાજકીય પક્ષે અને ચાર મેટાં જૂથો સ્વતંત્ર રીતે ઊભેલા ઉમેદવારોએ કરેલા કુલ ખર્ચને આંકડો ત્રણ આ ફાળો આપનારી, લોકોએ જેમનામાં પૈસા રેંકયા છે તેવી કરોડ એકાવન લાખ રૂપિયા પર પહોંચે છે. આ તે સત્તાવાર રીતે લોકોને પૈસે ચાલતી ખાનગી પેઢીમાં, ભારતીય ઈજારદાર મૂડી– સ્વીકારાયેલ આંકડો છે, જયારે ચૂંટણી ખર્ચ, આ આંકડા કરતાં વાદીઓના ચાર મેટા જથો મુખ્ય છે; જેમાં તાતા, ખટાઉ, માર્ટિન દસગણું વધારે થાય છે. આ દષ્ટિએ સામાન્ય ચૂંટણી પાછળ બર્ન અને બિરલા જૂથને સમાવેશ થાય છે. પાંત્રીસ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. પાંચથી છ ગાણું ગણીએ તે પણ વીસ કરોડ રૂપિયા તે થાય. આ ઉપરાંત ચૂંટણી વ્યવસ્થા, જૂથ કંપનીની સંખ્યા કેંગ્રેસ સ્વતંત્ર મતપત્ર, મતદારોની યાદીઓ વગેરે માટે સરકારી ધોરણે થતું ખર્ચ ૧ તાતા ૧૩ ૧૫,૫૬,૦૦૦ ૬,૫૮,૦૦૦ તે જુદુ.. ૨ ખટાઉ મકનજી ૩ ૬,૯૨,૫૦૦ ૫,૩૩, ૦ ૦ ૦ (તા. ૨૦-૯-૬૬ના ‘જન્મભૂમિ'માંથી સાભાર ઉધૃત) ૩ માર્ટિન બર્ન ૪ ૬૦,૭૦,૦૦૦ ૪,૫૫,૦૦૦ ભારત જૈન મહામંડળ ૪ બિરલા ૧૦ ૭,૭૮,૨૩૮ બિરલા જ ૧૯૬૧-૬૨માં વર્ષોમાં ફકત કેંગ્રેસને જ ફંડમાં વર્ધા ખાતે ભરાનાર અધિવેશન અંગે નાણાં આપ્યા હતાં. એકબર માસની તા. ૧૪ તથા ૧૫મીના રોજ વધુ ખાતે આ ચાર જૂથની ત્રીસ કંપનીઓ અને બીજી સત્તાવીસ કંપ- ભારત જૈન મહામંડળના ભરવામાં આવનાર અધિવેશનના અધ્યક્ષનીએ એટલે કે કુલ સત્તાવન કંપનીઓએ અનુક્રમે કેંગ્રેસને સ્થાન માટે જાણીતા ઉદ્યોગપતિ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીની ૬૯,૦૦,૦૦૦ ગણોસિતેર લાખ અને સ્વતંત્ર પક્ષને, ૧૯,૦૦,૦૦૦ વરણી કરવામાં આવી છે, અને અધિવેશનનું ઉદઘાટન શ્રી ચીમનલાલ ઓગણીસ લાખ રૂપિયા ફંડમાં આપ્યા હતા. કેંગ્રેસને મળેલાં નાણાંને ચકુભાઈ શાહ કરવાના છે. આ અધિવેશનમાં રાષ્ટ્રીય ક્ષેત્રમાં જૈનેના ૭૫ ટકા હિસ્સો અને સ્વતંત્ર પક્ષને મળેલાં નાણાંને ૯૦ ટકા કર્તવ્ય અંગે તથા ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવ હિસ્સો, આ રીતે વ્યાપારી આલમમાંથી લોકોને પૈસા ચાલતી લિમિટેડ અંગે ચર્ચા વિચારણા થવાની છે. આ અધિવેશનમાં દેશના સર્વપ્રાન્તકંપનીઓને વહીવટ કરતા મોટા મૂડીવાદીઓની પેઢીએ પૂરો ના પ્રમુખ જૈન નેતાઓ, વિદ્રાને તથા વિચારકો ઉપસ્થિત થશે એવી પાડયો હતો. આશા છે. આ અધિવેશનમાં હાજર રહેવા સમસ્ત જૈન સમાજને બીજા પક્ષોને નજીવી સહાય નિમંત્રણ આપવામાં આવે છે. પ્રજા સમાજવાદી પક્ષ અને રિપબ્લિકન પક્ષને અનુક્રમે, મંત્રીઓ, ભારત જૈન મહામંડળ, વ્યાપારી પેઢીઓ પાસેથી રૂા. ૨૭,૫૦૦ રૂપિયા પ્રાપ્ત થયા હતા. ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૦-૧૯ પ્રબુદ્ધ જીવન ૧૧૫ પથ્થરની તા હતા. કરવા રડતાં રડતાં આ મહાપ્રસ્થાનના પથ પર–૧૫ અંધારામાં શોધતાં શોધતાં ચટ્ટી મળી ગઈ. પાસે જ બાલખીલા શરીર સળગી જાય. પાસે જ ગોપેશ્વર હતું, સામે જ ગોપેશ્વરનું નદીની ક્ષીણધારા દેખાઈ નહિ. ફકત નદીની રેખા જ દેખાઈ. એક મોટું પત્થરનું મંદિર હતું. એ ગામ જાણે શહેરનું મામુલી અનુકરણ હતું. નાનું સરખું મંદિર હતું, પણ તેનાં દર્શન કરવાની હવે શકિત રહી બેએક દુકાને હતી. પાસે જ એક નાનું સરખું ગામડું હતું. ગામનાં નહોતી. ધર્મશાળામાં જગ્યા હતી નહિ. એટલે અમે ડાંખળીઓ ને છોકરા છોકરીઓ પૈસાની ભીખ માંગવા યાત્રાળુઓની પાસે દોડી પાંદડાંથી બાંધેલી ચટ્ટીમાં જ આશ્રય લીધો. એનું નામ ચંડલચટ્ટી આવ્યાં. શિવમંદિરની સામે એક વિરાટ ત્રિશૂલ ઊભું હતું. એના હતું, પણ એને ઘણા જંગલચટ્ટી નામથી પણ ઓળખતા. આજે તે લેખંડી શરીર પર બારમી સદીના મહારાજા અનેકમલ્લની વિજયવાર્તા અહીં જ મારી યાત્રા પૂરી થઈ. ગોપાલદાએ ધામધૂમથી ચલમ. કોઈ દુર્બોધ ભાષામાં લખી હતી. યાત્રીઓ અહીં વૈતરણીકુંડમાં સળગાવવા માંડી. સ્નાન કરતા હતા. કરવા દો એમને સ્નાન. એક દુકાનની પાસે - થોડી રાત વીતી હશે, ત્યાં તે, અમે સૂવાની તૈયાર કરતા હતા, પથ્થરને ટેકો દઈને હું બેસી પડયો. માથું ફરતું હતું, શરીર દુ:ખતું હતું, એટલામાં બે ઉત્તર પ્રદેશની સ્ત્રીઓ ને એક પુરુષ રડતાં રડતાં આવીને એકાએક છાતીમાં દુ:ખાવો થયો ને એ પત્થરની ધાર પર મેં ઉલટી ચટ્ટીને આંગણે ઊભાં રહ્યાં. એ લોકોનું કેટલું હૃદય ફાડી નાંખે એવું કરી. ભગવાન આ શું થયું? જરા શ્વાસ લેવા બેઠો ત્યાં ઉલટી? આઝંદ, કેવી આકુળવ્યાકુળતા? એમણે કહ્યું, “મહારાજજી! તમને લોકો પાસેથી જ પસાર થતા હતા. એ લોકો મારી તરફ જોતા પણ પગે લાગીએ, એક ફાનસ અમને આપે. અમારો એક માણસ નહોતા, આવી એમની બેદરકારી હતી. જંગલમાં રહી ગયો છે. ઘો બાબા ઘો.” કોઈ એક માણસ ત્યાંથી પસાર થતો હતો. એણે કહ્યું, “એક આવી ઘનઘોર રાતે કયાં કયાં જંગલમાં એ લોકોને માણસ કંડી કર લે યાર. જય બદરીવિશાલ લાલ કી” પડયો હશે? એ શું હજી જીવતો હશે? ખબર પડી કે એ સ્ત્રી હતી, ના, ના, હવે વખત નહોતે. બધા આગળ જતા રહ્યા હતા. ને સાથે આવતાં આવતાં પાછળ પડી ગઈ હતી. ઘણી વાર રાહ ઓરે ગ્રાન્ત, ઓરે ભાન, આરે ભગ્ન, પાછો એકવાર ઉઠીને ઊભે. જોયા પછી પણ એ આવી પહોંચી નહિ, એટલે હાથમાં ફાનસ લઈને થા. ખભા પર ઝોળે લઈ લે. હાથમાં લાકડી ને લોટો લઈ લે. ભૂતઆ દુર્ગમ અને પ્રાણધાતક માર્ગમાં એને શોધવાનું એ લોકોએ કાળની શકિત પાછી પ્રાપ્ત કરી લે. વિદીર્ણ કંઠે ચિત્કાર કરી ઉઠ, કે નક્કી તો કર્યું, પણ એમની પાસે ફાનસ નહોતું. નિર્મળા તો હવે વ્યાઘાત આવે ભલે નવાનવા, સાથે રહી નહોતી, એટલે એનું ફાનસ એ લોકોને આપી દીધું. એ આઘાત ખમીને અચલ રહેવું, લોકો ગાંડાની જેમ પાછે એ જ માર્ગે ખેવાયેલી સ્ત્રીની શોધમાં તારે દુ:ખે વાગશે મારા ગયા. એ લોકોએ જણાવ્યું કે એઓ લાલસાંગા પહોંચીને ફાનસ ઉરમાંહી જયડંકો. પાછું મોકલી દેશે. આપી બધી શકિત, લઈશ હું એ લોકો તો ગયા, પણ સાથે લઈ ગયા મારી એ રાત્રીની અભય તવ શંખ. શાંતિભરી નિદ્રા. મારું વ્યાકુળ મન અને સજાગ દષ્ટિ પેલી નિરુદિષ્ટ હું શરૂઆતમાં તે ધીમે ધીમે ચાલ્યો. પછી ચાલ્યો ઉતાવળે, સ્ત્રીની પાછળ પાછળ એને શોધતી ભમવા લાગી. કદાચ એમ પણ મરણ આગળ આગળ આવતું હતું, ને વળી પાછળથી જાણે ધક્કા બને કે એના માણસો એને શોધી શકે, પણ હું એને શોધી નહિ શકું. મારતું હતું. ઉજજવળ દિવસને પ્રકાશ લુપ્ત થઈ ગયો હતો. મારી કલ્પનામાં જે મનુષ્ય ખોવાઈ જાય છે ને જેને પત્તો લાગતે. ફકત ભૂરા, અંધકાર હતે. આકાશ ઝૂલતું હતું. અર્ધમિચેલી, ને ખાડા નથી, તે કદિ પાછું મળતું નથી. પડી ગયેલી આંખોથી ઉનાં આંસુંની ધારા પડતી હતી. હું શું ગાંડે બધાને ઊંઘ આવી, પણ મને વિધાતાએ સખત સજા કરી. થઈ ગયો હતો? શું મારું મગજ ખસી ગયું છે? કેમ મારા પગ આ શરીર પર કામળાના ડંખ વાગ્યા હતા, આખા શરીરમાં પીડા થતી હતી. મારી નાંખે એવી અશાંતિ હતી. આખી રાત નદી તરફ નિ:શબ્દ રીતે ધૂ જે છે? શા માટે મારું મન આવા પ્રચંડ પ્રતિવાદથી અકળાઈ દષ્ટિ ફેંકતા જાગતો રહ્યો, પણ ઊંઘ ન આવી. ઊઠે છે? મને ખબર નથી કે કઈ આશા અંતરમાં લઈને હું આ ચાલ ' ગઈ કાલની વાત ભૂલી ગયો હતો. જેમ દિવસે જતા હતા, ચાલ કરું છું. ત્યાં જઈને હું શું મેળવવાને હતે? ત્યાં શું મારી તેમ સ્મૃતિ શિથિલ ને શિથિલ થતી હતી. કાલે રાત્રે જે બનેલું તે બધી આશાની પરિસમાપ્તિ છે? મારી બધી ઈચ્છાઓને અંત છે? - એ તે સ્વપ્ન હતું, એ હતી માયા. આજની સવાર એ જ સાચી જેની આશાથી આ અકાલમૃત્યુના હાથની પકડને છોડાવીને હું ચાલ્ય વસ્તુ છે. આ ભૂરું આકાશ, આ નિર્મળ તડકો, વસન્તના દિવસને છું, ને જે મારી પ્રતીક્ષા કરે છે, તેની પાસેથી હું મારું બધું લેણું આ અપ્રતિમ રૂપસંભાર. ગઈ કાલનું પ્રકૃતિનું રૂદ્ર સ્વરૂપ, પ્રલયાંધકાર, ચૂકવી લઈશ એમ મને લાગે છે. એ લેણું હશે: કંઠમાં પરમવાણી, વીજળી ને વ્રજપાત - એ બધું ગઈકાલનું ગત જન્મનું બની ગયું કાનમાં આત્મપ્રકાશને મૂળમંત્ર; સૌદર્યસૃષ્ટિના બંધમુખનું અનાવરણ હતું. મારા આખા શરીર પર એની છાપ હતી, પણ મન પર એને શકિત અને સાહસથી વિસ્તૃત બનેલું હૃદય; નિ:સીમ પ્રેમ અને જરા જેટલો પણ ડાઘ નહોતે. સ્મરણશકિતને પરીઘ અત્યંત સંકુલ અકૃપણ દાક્ષિણ્ય; આંખમાં અવર્ણનીય એવી સ્વપ્નભૂમિ: અને હૃદયમાં અનંત વહ્નિસુધા. બની ગયું હતું. આજને ઈતિહાસ આવતી કાલની નવલકથા બની ગયો મારી સામે પત્થરને પહાડ હતું, સૂર્યકિરણ પ્રતિબિંબિત થઈને હતું. મારા જ જીવનની ઘટના જ્યારે હું બીજાને મોઢે સાંભળું છું, અનેક રંગમાં ઝળહળતાં હતાં, પાસે જ જંગલી ગુલાબનું જંગલ ત્યારે અવાક્ થઈ જાઉં છું. પાછું મેં ચાલવા માંડયું. સવારથી જ હતું, ને દાડમ તથા અખરોટનું વન હતું. ત્યાંથી ડાબી તરફ રસ્તાને ચઢાઈ હતી. જીવડાંની જેમ જમીનને વળગીને યાત્રીનું દિલ ચાલતું વળાંક હતો. વળાંક લીધો ત્યાં જ ચમોલી શહેર ને લાલસાંગા દષ્ટિએ હતું. જીવડાંની જેમ થાકથી પર, જીવડાંની જેમ અબેલ. પડયાં. એની નીચે અલકનંદા નદીની પેલી તરફ સફેદ સૂતરના ' સટાના ચઢી ધીરે ધીરે મેં પાર કરી. હવે ચલાતું નહોતું. પ્રબળ જે ક્ષીણ એ જ મહાપ્રસ્થાનને પુરાતન પંથ કર્ણપ્રયાગથી જઈ દર્દથી હું થરથર કંપતો હતો. આંખમાં ઝાળ બળતી હતી. હાથની લાલસાંગાને મળતું હતું. આ રસતે યાત્રીઓ પાછા જતા લાકડી હવે જોરથી પકડાતી નહોતી. ઝાળે ને કામળા ખભા પર હતા. કલાકેક ચાલ્યા પછી અલકનંદાને પૂલ પાર કરીને લાલસાંગાની દુશમનની જેમ વળગ્યાં હતાં. એને આટલે બધે ભાર ને પીડા ધર્મશાળામાં આવી પહોંચ્યો. તે વખતે ધોમ ધખતા હતા. હવે હું સહન કરી શકતા નહોતે. આવી સ્થિતિમાં જ દોઢેક માઈલ કેદાર, બદરી ને કર્ણપ્રયાગનું કેન્દ્રસ્થાન આ ચમોલી છે. શહેર તે ચાલ્યો. તડકો અત્યંત તીવ્ર બનતો જતો હતો, એટલે સખ્ત કે નાનું છે પણ સમૃદ્ધ છે. અહીં ગઢવાલ જિલ્લાની અદાલત, જંગલ Page #202 -------------------------------------------------------------------------- ________________ (90 ૧૧૬ પ્રબુદ્ધ જીવન ખાતાનું કાર્યાલય, કલેકટર, મજૂરોની એજન્સી, હોસ્પીટલ, વિદ્યાલય, બજાર, સદાવ્રત, પાલીસ ને પેસ્ટઓફિસ વગેરે શહેરની નિત્ય પ્રયોજનીય વસ્તુઓ જોવા મળી. અશકિતમાન યાત્રીઓ અહીંથી બદરીનાથ સુધી પૈસા આપીને ઘેાડો ભાડે કરી શકે. ધર્મશાળામાં ડોશી અને ગેાપાલદાનો ભેટો થયો, પણ એમની જોડે વાત કરવાની રૂચિ થઈ નહિ. તેણે ફકત એકવાર મારી તરફ જોઈને પૂછ્યું, “તમને શું થાય છે દાદા’ હું બાલી શક્યા નહિ. ફકત કામળા ગમે એમ પાથરીને હું સૂતા. આંખ બંધ કરીને કશું બાલ્યા વિના હું પડયો રહ્યો. મને એમ લાગતું હતું, કે માટીની અંદર હું ઊંડો ઉતરતા જાઉં છું. ગોપાલદા મારી પાસે આવ્યા ને શરીર પર ને માથા પર થોડો સમય હાથ ફેરવીને બાલ્યા, “હું ધારતા હતા એમ જ થયું છે. આ કઈ તડકાની ગરમી નથી. તમારું શરીર તે તાવથી ધખી ઊઠયું છે. શું થશે. હવે?" શું થશે તેની બધાને ખબર હતી, ગાપાલદાને પણ એની ખબર હતી. એનાં સ્નેહભર્યા વચનો શૂળની જેમ શરીરમાં વાગ્યાં. પણ જવાબ આપવાની શકિત મારામાં નહોતી, માથું ઊંચું કરવાની પણ શિકત નહોતી. અમારો મોટો યાત્રીઓના સમૂહ એક દિવસ હૃષિકેશથી યાત્રા કરતા દેવપ્રયાગ સુધી પહોંચ્યા હતા, તે અમારો સમૂહ આજે છિન્નભિન્ન થઈ ગયા હતા. કોઈ પાછા ગયા હતા, કોઈ રસ્તામાં જ અટકી ગયા હતા, કોઈ શકિતહીન બનીને રસ્તામાં કર્યાંક પાછળ ખાવાઈ ગયા હતાં, કોઈ મરી ગયા હતા. અમારા સમૂહના ત્રણ જણ નહોતા, આજે મારે પણ અટકી જવું પડ્યું. બાવીશ દિવસમાં અમે અત્યાર સુધીની બધી યાત્રા પૂરી કરી હતી. હવે માત્ર સામાન્ય રસ્તા જ વટાવવાના હતા. બહુ સામાન્ય રસ્તા, ફકત અડતાલીસ માઈલ. એક જ દોટમાં આ અડતાલીશ માઈલ પૂરાં કરી શકત, પણ તે હવે બની શકે એમ નહાતું. તાવથી પીડાતા, પંગુ થઈને આ રસ્તા પર અનિર્દિષ્ટ કાળ સુધી હું પડી રહેવાના. ગોપાલદાએ તે ફકત હોસ્પિટલ બતાવી દીધી. ગમે એમ કરીને અમારા પ્રિય યાત્રીસમૂહે ભાજનાદિથી પરવારી આગળ યાત્રા શરૂ કરી. મને એ લાકોએ બાલાવ્યો નહિ, મારામાં બાલવાની શકિત રહી નહોતી. એમને વિદાય આપવાન ઉત્સાહ પણ મારામાં નહોતો. ફક્ત કાંઈ બાલ્યા વિના હું પડયા રહ્યો. જતી વખતે ચારૂની માએ પાણી પાયું ને ગેાપાલદાએ સહાનુ ભૂતિ અને શુભકામના આપી. એણે કહ્યું, “દુ:ખી થશેા નહિ. જેવી ભગવાનની ઈચ્છા. પાછા ફરતી વખતે આ જ રસ્તે આવવાનું થશે, ત્યારે આવીને અમે જોઈશું કે તમે તદ્ન સારા થઈ ગયા હશે. તાવ જરા નરમ પડે પછી જ ખાવાના વિચાર કરો આટલું પણ મળવાની આશા નહોતી, આ સામાન્ય મમતાભર્યા શબ્દોના સ્પર્શથી મારું હૃદય ભરાઈ આવ્યું. આ માણસ મને કયારેય ગમ્યો નહોતા, પણ આજે મને એમ લાગ્યું કે આ માણસ મારા ભલામાં રાજી હશે. કામળામાંથી મોઢું બહાર કાઢીને હું સૂઈ જરહ્યો, એણે ધીરે ધીરે વિદાય લીધી, ને જતી વખતે પાછા મને કહેતા ગયા, “ત્રણ ચાર દિવસથી તમારો મિજાજ જે પ્રકારે ગરમ થઈ જતા હતા, ત્યારથી જ મને લાગેલું કે તમારું શરીર સારું નથી.” નિર્જન ધર્મશાળા, મારા માથા તરફ નીચે અલકનંદાના ક્લકલ અવાજ મને સંભળાતા હતા, પાસે જ કોણ જાણે ક્યાંથી સ્પષ્ટ અસ્પષ્ટ માણસનો અવાજ કાને સંભળાતા હતા. જોતજોતામાં માથા આગળ નમતી બપારના તડકો આવ્યા. હૂ હૂ કરતા વસન્તના પવન વાતા હતા, સામે જ લાલ અને સફેદ પત્થરના બે પહાડ હતા. તે સૂર્યનાં કિરણો એની પર પડવાથી અત્યંત સુંદર રૂપ ધારણ કરતા હતા. નદીની પેલી પારથી જે રસ્તે અમે આવ્યા હતા તે પથરેખા સ્વપ્નલોક જેવી દેખાતી હતી. ધીરે ધીરે મારી લાહીયાળ, બીમાર ને રુંધાયેલી ચેતના પાછી સતેજ બની. આખા શરીરમાં તાવની અસહ્ય જવાળા ને દર્દ થતાં હતાં, હવે મારે જીવવાની કોઈ આશા રહી નહોતી. મનમાં ને મનમાં મેં બધાની વિદાય લીધી. ને જન્મભૂમિની દિશા તરફ દષ્ટિ સ્થિર કરીને મે એને વંદન કર્યા . તા. ૧-૧૦-૧૯ સન્યાસી અહીં ત્યાં આસન જમાવીને બેસી રહ્યા હતા. હિતાહિનજ્ઞાન ન હોવાથી હું પાણીમાં ઉતર્યો, પ્રવાહ અત્યંત વેગીલા હતા, થોડે દૂર પાણીમાં જઈને એક મેટા પથ્થરને પકડીને મે' પાણીમાં ડૂબકી મારી, લગભગ અર્ધો કલાક કશીય પરવાહ રાખ્યા વિના નાહીને જ્યારે ધર્મશાળામાં પાછા આવ્યા ત્યારે શરીર થોડું સ્વસ્થ થયું હતું. વિષથી વિષ દૂર થયું હતું. હવે કોઈ પણ દિશા તરફ જોયા વિના ઝાળા ને લાઠી લઈને એકલા રસ્તા પર આવી પહોંચ્યા. સાંજ પડવા આવી હતી. ભલે સાંજ પડતી, પણ થોડો રસ્તો તે પાર કરું જ. હું આમ તો મરેલા જ હતા. કેટલીવાર પડયો રહ્યો હાઈશ તે યાદ નથી. પણ હું ઊઠીને ગાંડાની જેમ દોડતા ધર્મશાળાના પાછળને રસ્તે ઉતરી પડયા, ત્યારે ઢળતા બપોર હતા. હવે બહુ સમય બાકી નહોતા. રેતી અને પત્થરના કઠણ માર્ગે થી સીધા ઉતરીને હું નદીને કિનારે આવી પહોંચ્યા. બે ચાર સાધુ શી રીતે કેટલીક ચટ્ટીઓ વટાવી આજે મને એ સ્પષ્ટ રીતે યાદ નથી, રાત્રે એક જગ્યાએ આશરો લીધા. બીજે દિવસે સવારે પીપળકોટી વટાવી. રસ્તાની એક બાજુએ કેટલાક ગુલમહારનાં વૃક્ષા જોવામાં આવ્યાં. લાલફ લની મહેફિલ ઉપર ઉગતા સૂર્યનાં કિરણે પડતાં હતાં. અહીં વાઘ ને રીંછનાં ચામડાં ખૂબ સસ્તે ભાવે મળતાં હતાં. પીપળકોટીમાં ગઢવાળી સ્ત્રીઓ કામળાના વેપાર કરવા આવે છે. બપોરે ગરૂડગંગાની ચટ્ટીમાં આવી પહોંચ્યા. અહીં ગરૂડગંગાને અલકનંદાના સંગમ છે. અહીં ગરૂડનું મંદિર છે ને સામાન્ય ગામ છે. જ્યારે અજવાળું દિશા બદલતું હોય ત્યારે ગરૂડગંગામાં એક ડૂબકી મારીને અંદરથી એક પત્થરનો ટુકડો કાઢો હોય, ને ઘેર લઈ જઈએ, એની પૂજા કરીએ તો સાપનો ડર રહે નિહ. ગરૂડગંગાથી પાતાલગંગાના ચાર માઈલના ચઢાણના રસ્તો છે. રસ્તો ચીડ ને પાઈનનાં જંગલાથી વીંટળાયલા છે, તે રસ્તા પર એ વૃક્ષોની ઘેરી છાયા પથરાયેલી રહે છે. સાંજને સમયે પાતાળગંગાની ચટ્ટીમાં આવીને મે આરામ લીધા. પાસે જ ગણપતિનું મંદિર હતું. ત્યાં અલકનંદામાં પાતાળગંગા સમાઈ જતી હતી. બીજે દિવસે સવારથી જ રસ્તો કાપવા માંડયો. મારી જોડે કેટલાક અપરિચિત યાત્રીઓ ચાલતા હતા. ગોપાલકુટી વટાવીને બપોરે અમે કુમારચટ્ટીમાં આવી પહોંચ્યાં. સમતલ માર્ગ હતા. પ્રાકૃતિક શાભાથી ચટ્ટી સમૃદ્ધ હતી, પાસે જ કર્મનાશા નદી વહેતી હતી. જમીને થોડી ક્ષણ આરામ લઈને હું બહાર નીકળી પડયો. કોઈ પણ સ્થળે વધારે વખત રહેવાનું મને ગમતું નહિ. રસ્તે જ આરામ લઈ લેવા. રસ્તા જ મારું સર્વસ્વ થઈ પડયો હતો. (fo ઝડકુલા ને સિંહદ્ગાર વટાવીને સાંજ પહેલાં જ્યાં આવી પહોંચ્યો તે સ્થાન મારું નાનપણનું સ્વપ્નસ્થાન જોશીમઠ હતું. થોડો થોડો વરસાદ વરસતા હતા. પાછું ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. આ નાનું સરખું શહેર જોશીમઠ નામે ઓળખાતું હતું. એનું સંસ્કૃત નામ જ્યોતિર્મઠ હતું. અહીંથી શંકરાચાર્યનું ઉત્તરધામ શરૂ થાય છે. બદરીનાથના પૂજારી રાવળજી અહીં જ રહે છે. શિયાળામાં અહીંથી જ તે બદરીનાથની પૂજા કરે છે. નૃસિંહ દેવ ઈત્યાદિ અનેક દેવાનાં મંદિર પણ અહીં જ છે. બધાં મંદિરો એક મોટા ચોતરાની આસપાસ જ આવેલાં છે. અહીં નભાગંગાના સ્નાન કરતાં દંતધારાનું સ્નાન વધારે પુણ્યદાયી ગણાય છે. ખરૂ જોતાં તે બેમાંથી એકમાં ન્હાવા જેવું નથી. જોશીમઠ શહેર તા નાનું છે, પણ ઉખીમઠ કરતાં મોટું. બજાર, ટપાલફિસ, છાપખાનું, સદાવ્રત શું ત્યાં નથી? ઘણા અહીંથી કૈલાસ અને માનસરોવર જાય છે. ત્રણેક માઈલ જઇએ ત્યાં ભવિષ્યબદરીનાં દર્શન થાય. ધર્મશાળામાં જઈને થોડો આરામ લીધા ત્યાં તે, ઠંડીની ધ્રૂજારી શરૂ થઈ. પાસે જ પર્વતશિખર પર સફેદ બરફ દેખાવા માંડયો. બરફ વિષે મારા મનમાં બીક પેસી ગઈ હતી. જોશીમઠનું કુદરતી દશ્ય અત્યંત સુંદર હતું. રાત પૂરી થઈ, એટલે ઠંડીથી થરથરતા એકલા જ જોશીમઠની વિદાય લઈને હું ઉતરાણને માર્ગે ચાલ્યા, ત્રણ માઈલનું ઉતરાણ હતું. પગમાં વેદના પાછી શરૂ થઈ. ત્રણ માઈલનો રસ્તો વટાવી નદીને પૂલ પાર કરીને જ્યારે હું વિષ્ણુપ્રયાગ પહોંચ્યો ત્યારે સવાર પડી ગઈ હતી. ત્યાં વિષ્ણુગંગા, અથવા અલકનંદા ને ધવલી ગંગાના સંગમ છે. પુરાણકાળમાં વિષ્ણુની આરાધના કરીને નારદમુનિએ સર્વજ્ઞતાનું વરદાન અહિં પ્રાપ્ત કર્યું હતું. નીલવસના અલકનંદાના ખોળામાં ગેરૂઆવાધારી ગંગાનું આત્મસમર્પણ આ સ્થળમાં એક અત્યંત રોમાંચકર નયનાભિરામ દૃશ્ય છે. અહીંથી બદરીનાથ ફકત સાળ માઈલ દૂર છે. ક્રમશ : મૂળ બંગાલી : શ્રી. પ્રબોધક માર સંન્યાલ અનુવાદક : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા માલિક શ્રી સુખઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાન કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુ ંબઇ-૩. મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઇ Page #203 -------------------------------------------------------------------------- ________________ Re...No. MIH. In વાર્ષિક લવાજમ રૂ.૧૭ પ્રબુદ્ધ નનું નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૨ બુદ્ધ જીવને મુંબઈ, ઓકટોબર ૧૯, ૧૯૧૬, રવિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૯ : છૂટક નકલ ૪૦ પૈસા તીપરમાનંદ કુંવરજી કાપડિયા પ્રકીર્ણ નોંધ આગામી ચૂંટણી અંગે વિમલાબહેન ઠકારનું નિવેદન બથી કામ ચાલતું નથી તેવી જ રીતે વિશ્વ પરિવારમાં હિસાબથી આ અંમાં અન્યત્ર શ્રી વિમળાબહેન ઠકારે દેશભરમાં પ્રચાર મારું વ્યવહાર–કાર્ય ચાલતું નથી. એટલા માટે જ મારા નિવેદનનું માટે તૈયાર કરેલું નિવેદન ‘Call of Love ’–‘પ્રેમનું આધ્યાહન'- શિર્ષક છે: “call of love vમનું આવાહન. પ્રગટ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં આપણે બે ચૂંટણીઓ પ્રસ્તુત નિવેદનમાં કરવામાં આવેલા સૂચને, આજની પરિજોઈ છે. આવતા વર્ષના ફે આરી માસમાં થનારી ત્રીજી ચૂંટણી સ્થિતિ અને આપણી લોકશાહીને લગતી સમજણના સંદર્ભમાં, સમીપ આવી રહી છે. આગળની બે ચૂંટણીઓ દ્વારા આપણે જોયું કે વ્યવહાર નથી એમ ઘણાને લાગવા સંભવ છે, પણ આજની આ ચૂંટણીમાં પાછળ પાર વિનાને દ્રવ્યવ્યય થાય છે, સત્તાલક્ષી ચૂંટણીનું સંશોધન કરવાને, તેને આજના હીન સ્તર ઉપરથી રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી જીતવા અંગે કતાભરી સ્પર્ધા ચાલે છે ઊંચ લેવાને અને અઘટિત સ્પર્ધા અને અનર્ગળ દ્રવ્યવ્યયમાંથી અને એ સમય દરમિયાન થતાં પ્રચારલક્ષી ભાષણ સભ્યતા, વિવેક, બચાવવાની દષ્ટિએ કોઈ માર્ગ સૂચવવાને વિમળાબહેનને સંયમ અને ઔચિત્યની બધી સીમાઓ ઓળંગીને વહેવા લાગે છે. આ પ્રમાણીક પ્રયાસ છે એ સૌ કોઈ કબુલ કરશે. જો ચૂંટણીની જ્યાં જ્યાં લોકશાહી પ્રવર્તે છે ત્યાં ત્યાં ચૂંટણી અંગે એાછા વધતા પદ્ધતિ અને રીતરસમ પાયાની સુધારણા માગે આટલી વાત પ્રમાણમાં આવી પરિસ્થિતિ પ્રવર્તતી માલમ પડે છે. ચૂંટણી આવે છે. સર્વસ્વીકાર્ય બનશે તો તે સુધારણાના વ્યવહાર માર્ગે લોકોને અને જાય છે, પણ પાછળ પક્ષે વચ્ચે અને વ્યક્તિઓ વચ્ચે રાગ આપમેળે સુઝી આવશે. આ દષ્ટિએ વિમળાબહેનના આ નિવેદનને અને મન્સરનાં ઝેરી સંસ્કારો-મરણે મૂકી જાય છે. આ દુ:સ્થિતિ કેમ હું આવકારું છું. ટળે એ વિચાર–મંથનમાંથી વિમળાબહેનનું પ્રસ્તુત નિવેદન જન્મ આજ અમલા બનેલી લાકડી આજે અમલી બનેલી લોકશાહી વિષે થેડીકવિચારણા પામ્યું હોય એમ લાગે છે. આજે આપણે ત્યાં અમલી બનેલી લોકશાહીમાં રહેલાં અમુક ' આ નિવેદન વાંચીને મેં વિમળાબહેનને જણાવેલું કે “આજની દૂષણે દા. ત. પુખ્તવય મતાધિકારના સંદર્ભમાં જાતી જંગી પાયા લેકશાહીના માળખામાં રહીને થનારી ચૂંટણી... સંદર્ભમાં એ તમારે ઉપરની આજની ચૂંટણી અને તે પાછળ થતો અનર્ગળ પ્રયાસ અને તે અંગે તમે કરવા ધારેલે પ્રવાસ, આજે જ્યારે ચૂંટણીનાં દ્રવ્યવ્યય અને આ ચૂંટણી અંગે નિર્માણ થતી સત્તાલક્ષી પક્ષઢોલનગારાં અને પડઘમ વાગવા શરૂ થઈ ચૂકાં છે અને એક રચના અને તેના અનર્થો-લોકશાહીના ગર્ભમાં રહેલાં આ દૂષણ અને રાજકીય પક્ષ પોતપોતાની વ્યુહરચનામાં મશગુલ છે ત્યારે, અરણ્ય- લોકશાહીના લાભ જેમ કે પ્રજાના અને પ્રજામદ્વારા ચૂંટાતા પ્રતિરૂદન જે નિવડવા સંભવ છે અને ચૂંટણીના ઘોંઘા માં તમારી તનુડી નિધિએ અને તે દ્વારા થતું લેકશાસન અને તેમાં પડતું લોકમતનું બહુ ઓછાં કાનને સ્પર્શશે એ મને ભય રહે છે.” આના જવાબમાં પ્રતિબિંબ–આ બન્ને અનિવાર્યપણે જોડાયેલાં છે. એકને ટાળીને બીજાને વિમળાબહેન તા. ૨૯-૬૬ના પત્રમાં જણાવે છે કે “મારા જીવનનું વધારે સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનું શક્ય જ લાગતું નથી. સત્વ અને પ્રેરણા માનવપ્રેમ છે. સમૂળી ક્રાન્તિ વગર તરણાપાય કિશાહીની આજની રચના અને કલ્પના કરતાં વધારે સારી અને નથી એનું મને પૂરેપુરું ભાન છે; પરંતુ સમૂળી કાન્તિની વાત એમ છતાં વ્યવહારુ બની શકે તેવી રચના અને કલ્પના હજુ જનતાને કહી શકું તે માટે પણ જનતંત્રને બચાવવું આવશ્યક છે. અન્ય કોઈ પણ દેશમાં મૂર્તિમન થઈ જાણી કે સાંભળી નથી. આખરે જો જનતંત્ર નાશ પામશે અને ભારતમાં ઈવેનેશિયા, ચીન કે બમ મૂળમાં માનવી સત્તાલક્ષી છે અને તેમાં સત્તાલક્ષી પક્ષે જન્મે છે જેવી સરમુખત્યારશાહી સ્થાપિત થશે તો સમૂળી ક્રાન્તિ લાવવી તે અને મોટા પાયા ઉપરની ચૂંટણીના માધ્યમ દ્વારા કોઈ એક પક્ષ સત્તા દૂર રહી, પણ લોકોની સાથે ઉત્સુકતા વાર્તાલાપ પણ થઈ શકશે નહિ. ઉપર આવે છે અને અન્ય પક્ષ વિરોધમાં ગોઠવાય છે અને રાજ્ય તોફાન, વિધ્વંસક પ્રવૃત્તિ અને હિસા તરફ લોકોનું આક- નિષ્ઠાનું સ્થાન પક્ષનિષ્ઠા લે છે. આમાંથી અનેક અનર્થે જમે છે. ર્ષણ વધતું જ જશે તે લોકતંત્રને કોઈ બચાવી શકશે નહિ. તે માટે લોકશાહીનાં આ દૂષણની અનિવાર્યતા સ્વીકારવી એને અર્થ જનતા સામે વસ્તુસ્થિતિનું નિવેદન હું પ્રેમથી રજુ કરવા માંગું છું. લોકશાહીના સ્થાને સરમુખત્યારશાહી લાવવી એ નથી, મારા મનમાં એ કોઈ ભ્રમ નથી કે સમીપ આવી રહેલી ચૂંટણી કારણ કે સરમુખત્યારશાહી વળી બીજા અનેક દૂષણ લાવશે અને ઉપર મારી તનૂડીનું કોઈ તાત્કાલિક પરિણામ આવશે. મારું આપને સૂકા સાથે ઘણું લીલું બાળી નાંખશે. તે આ દૂષણે નિવારવાને નમ્ર નિવેદન છે કે મારી તનુડી કોઈ પ્રયોજનથી કયારેય વાગી ખર ઉપાય તો માનવીને પાયામાંથી સુધારવાનો અને તેના નૈતિક નથી. આ તે પ્રેમને કારણે વાગે છે અને પ્રેમના કારણે વાગતી સ્તરને ઊંચે લાવવાનો છે. પણ આ ઉપાય લાંબદાર ઉપાય છે. રહેશે. પરિણામને હિસાબ કરીને હું કર્મ કરવાનું શીખી નથી. તત્કાળ ભિન્ન ભિન્ન પક્ષ વચ્ચે અને તે તે પક્ષના ઉમેદવારે કુટુંબમાં જેવી રીતે પિતા-પુત્ર, ભાઈ-બહેન, પતિ-પત્ની વચ્ચે હિસા- વચ્ચેની સ્પર્ધાના કારણે કટુતા ન જન્મ અને સમગ્ર પ્રચારકાર્ય થિંચા Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ૧૧૮ સ્તર ઉપર ચાલે તે માટે બધા રાજકીય પક્ષાને સ્વીકાર્ય એવી એક આચારસંહિતા ઊભી થવાની જરૂર છે. અને બીજું ચૂંટણીના પરિણામે પક્ષતંત્રની રચના થયા બાદ કેવળ બહુમતીના જોરે રાજ્ય નહિ ચલાવતાં, જે પક્ષા અલ્પમતીમાં હોય તેમને વહીવટી સર્વ કાર્યમાં બને તેટલા સાથે રાખવાનો પ્રયત્ન શાસક પક્ષે કરતા રહેવું-આવા સંકેત ઊભા થવાની અથવા તો ઊભા કરવાની ખાસ જરૂર છે. આમ બનતાં, આપણે ત્યાં આજે અમલી બનેલી લાકશાહી વધારે સાચા અર્થની લોકશાહીમાં પરિણત થવાની શકયતા ઊભી થશે. “તીર્થનું ઘર્પ મિટાવવાનો સાચો માર્ગ"? આ અંકમાં અન્યત્ર અધ્યાપક શ્રી દલસુખભાઈ માલવિણયાના ઉપર જણાવેલ મથાળા નીચેના એક લેખના અનુવાદ પ્રગટ કરવામાં આવ્યો છે. જો દિગ્બર મૂર્તિપૂજક જૈનેાની અને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની જૈન મૂર્તિ અને મૂર્તિપૂજા અંગેની પરંપરા તથા પૂજાપદ્ધતિ એકસરખી હોત તે તેમણે તીર્થોના સંઘર્ષ મિટાવવા માટે સૂચવેલા માર્ગ કદાચ વ્યવહારુ લેખાત, પણ આ જૈન મૂર્તિ અને પૂતિપૂજા અંગે પ્રત્યેકની માન્યતા ભિન્ન ભિન્ન હોઈને અને તેની જડ પ્રત્યેક સમુદાયમાં ઘણી ઊંડી હાઈને શ્રી દલસુખભાઈએ સૂચવેલા ઉપાય નથી વ્યવહારુ લાગતો કે નથી વાસ્તવિકતાલક્ષી લાગતો. આ માટે પ્રસ્તુત સમસ્યાને વધારે ઊંડાણથી જોવા-તપાસવાની જરૂર છે. જ્યાં કેવળ એક જ સમુદાયનું મંદિર અથવા તો તીર્થ હોય અને તેનો વહીવટ તે જ સમુદાયના પ્રતિનિધિઓના હાથમાં હોય ત્યાં પરસ્પર સંઘર્ષના કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. દા. ત. શત્રુંજય, અથવા તો શ્રાવણ બેલગોડા. જ્યાં ઉભયમાન્ય તીર્થ હોય પણ પ્રત્યેકનાં દેવસ્થાનો અને વહીવટ અલગ અલગ હોય ત્યાં પણ આવા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. દા. ત. તારંગાજી અથવા પાવાપુરી, પણ જ્યાં તીર્થ ઉભયમાન્ય હોય અને દેવસ્થાન—પછી તે દેરી હોય કે મંદિર હોય—અલગ અલગ ન હોય ત્યાં જ આ પ્રશ્ન ઉભા થાય છે. દા.ત. શિખરજી, કેશરિયાજી, મક્ષીજી, અન્તરિક્ષજી. આા તીર્થોમાં વહીવટ ગમે તેના હાથમાં હોય, તમારે તે પૂજા ઉપાસના કરવી છે ને, તેમાં કોઈ આડે આવતું ન હોય તો પછી વહીવટની બાબતમાં તકરાર કર્યા કરવી એ યોગ્ય નથી.” એમ જે સમુદાયને પ્રસ્તુત તીર્થના વહીવટથી અલગ રાખવામાં આવ્યો હોય તે સમુદાયને કહેવાથી તે સમુદાયનું કોઈ કાળે સમાધાન થઈ શકવાનું નથી. આનું કારણ બન્ને વચ્ચે રહેલા પાયાના માન્યતાભેદ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનાની મૂર્તિ કચ્છધારી હાય છે અને દિગમ્બરોથી પેાતાની મૂર્તિને અલગ દેખાડવાના હેતુથી મુખાકૃતિ ઉપર સ્ફટિક કે કોડીનાં ચક્ષુએ ચોડવામાં આવે છે, જ્યારે દિગમ્બરોની મૂતિ નગ્ન હોય છે અને તેનાં અર્ધનિમીલિત ચક્ષુ મૂળ મૂતિમાં કોરેલાં હાય છે. બીજું શ્વેતાંબરો મૂર્તિ ઉપર ટીલાં ટપકાં કરે છે, ઢગલાબંધ પુષ્પા ચઢાવે છે, આંગી રચે છે અને મુગટ, બાજુબંધ, મેાતીની માળા, રત્નજડિત હાર વગેરે આભૂષણા મૂર્તિને પહેરાવે છે, જ્યારે દિગંબરો પેાતાની મૂર્તિ ઉપર કોઈ પણ જાતના શાભાશણગાર કરતા નથી કે ફ્લાના ઢગલા કરતા નથી. હવે કોઈ પણ ઉભંગમાન્ય તીર્થ યા મંદિર ઉપર કોઈ એક જ સમુદાયના પ્રતિનિધિઓના વહીવટ હોય તે તેઓ પોતપોતાની માન્યતા મુજબની મૂર્તિઓ બેસાડવાની તથા જૂની મૂતિઓમાં જ્યારે શકય હાય ત્યારે પોતાની માન્યતા મુજબના ફેરફારો લાદવાની પેરવીમાં રહેવાના અને મૂર્તિપૂજા અંગે પણ પોતપોતાની માન્યતા મુજબની રીતરસમ અને પદ્ધતિને દાખલ કરવાની વૃત્તિ ધરાવવાના, અને તે કારણે બન્ને વચ્ચે અવારનવાર સંઘર્ષોનાં નિમિત્તા પેદા થતાં રહેવાનાં. આમાંથી કોઈને પણ પોતાની માન્યતા છેડવાના આગ્રહ કરવાના કોઈ અર્થ જ નથી. જેમને મૂર્તિપૂજાનો જ આગ્રહ ન હોય અથવા તો જે મૂર્તિ અને મૂર્તિપૂજા અંગેના માન્યતાભેદો અંગે ઉદાસીન હોય તેમને દલસુખભાઈના માર્ગદર્શનમાં જરા પણ અનૌચિત્ય કે અવ્યવહારુપણા જેવું નહિ તા. ૧૬-૧૭** લાગવાનું, પણ આપણે તો કામ લેવાનું છે પોતપોતાની માન્યતાના આગ્રહને વળગી રહેવા માગતા બન્ને સમુદાયો સાથે અને તેના આગેવાન પ્રતિનિધિઓ સાથે. તે પછી આજના સંઘર્ષો ટાળવાના ઉપાય, આ પ્રતિનિધિઓને પોતપોતાના માન્યતાભેદો બાજુએ મૂકવાનું કહેવામાં નથી રહેલા, પણ જ્યાં જ્યાં ઉભયમાન્ય તીર્થ કે મંદિર હોય ત્યાં ત્યાં બન્ને સમુદાયની સંમુકત વહીવટી રચના ઊભી કરવામાં અને શકય હોય ત્યાં સમાન પૂજાપદ્ધતિ નિર્માણ કરવામાં અને એ શકય ન હોય ત્યાં પ્રત્યેકની પૂજાપદ્ધતિને પૂરો અવકાશ મળે એવી ગાઠવણ ઊભી કરવામાં રહેલા છે. આ કામ છે જેઓ જૈને જૈને વચ્ચે અથડામણના સંયોગે ઘટે અને પરસ્પર એકતા અને સંન્ડ્રુગન વધે એવી ભાવના ધરાવતા જૈન આગેવાનોનું અને એવી ભાવનાને વેગ આપવા એ જેનું મુખ્ય ધ્યેય છે એવી ભારત જૈન મહામંડળ જેવી સંસ્થાનું. આ પ્રશ્નોના ઉકેલ વાસ્તવિકતા સામે આંખમીંચામણા કરવામાં નહિ પણ વાસ્તવિકતાના સાચા સ્વીકારમાં રહેલા છે. શ્રી દલસુખભાઈએ પોતાના લેખના પ્રારંભમાં જે દાખલા આપ્યો છે કે થાઈલેન્ડ લાઓસ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, થાઈલેન્ડના લશ્કરે લાસમાં રહેલી સ્ફટિકની એક ભવ્ય બૌદ્ધ મૂર્તિનું અપહરણ કર્યું અને તે મૂર્તિને પોતાની રાજ્યાની બે કોમાં અમુક બૌદ્ધ મંદિરમાં પધરાવી અને અમુક વ્યકિતએ લાસવાસીઓને પૂછ્યું કે “શું આપ સૌ મૂર્તિ પાછી લાવવાના પ્રયત્ન કરવાના ?” તેના જવાબમાં એ મૂર્તિ અહીં હોય તે પણ શું અને ત્યાં હોય તા પણ શું ?? એમ જણાવીને લાગ્ગેાસવાસીએ તે વિષે તદૃન ઉદાસીનતા દાખવી. —આ દાખલાનો અર્થ જો એમ થતા હોય કે “એ મૂર્તિ પાછી લાવવા ખાતર અમે લાઓસવાસીએ થાઈલેન્ડ સામે યુદ્ધ નોતરવા માગતા નથી.” તા એ વલણ તદૃન વ્યાજબી અને બરોબર છે, પણ જો એન અર્થ એમ થતો હોય કે “એ બાબતનો અમને લેશ માત્ર રંજ નથી” જે સૂચવવાના દલસુખભાઈના આશય છે, તે તેમ બનવું અશક્ય છે અને તેવું તેમનું અનુમાન કોઈને પણ સ્વીકાર્ય બની શકે તેવું નથી. સામાન્યત: બન્ને સમુદાયના લોકોને ગળે ન ઊતરે એવી વાત ગળે ઊતરાવવા માટે તેમણે ઉપરની ઘટનાનો ઉપયોગ કર્યો છે અને આ તેમનું બુદ્ધિચાતુર્ય સૂચવે છે. આખી ચર્ચાના સાર એ છે કે કોઈ પણ તીર્થના વહીવટ કોઈ પણ કરે તેનું કોઈ મહત્ત્વ જ નથી એ વિચાર જ ભૂલભરેલા છે. શ્વેતાંબરના સુવાંગ લેખાતા તીર્થના વહીવટ દિગંબર કરે એ જેમ કલ્પનામાં આવતું નથી એટલા જ કઢંગા દિગંબરના તીર્થનો વહીવટ શ્વેતાંબરો કરે એ વિચાર છે. તો પછી જે ઉભયમાન્ય તીર્થ હાય તેના વહીવટ ઉભયસાન્ય પ્રતિનિધિઓ વડે જ થવા ઘટે એ સ્વત: ફલિત છે અને તેથી જ્યાં જ્યાં તીર્થોના કારણે સંઘર્યાં પેદા થાય ત્યાં ત્યાં વાટાઘાટ કરીને બન્ને સમુદાય વચ્ચે સમાધાનના માર્ગો શોધવા એજ એકતાલક્ષી સૌ કોઈ જૈનના અનિવાર્ય ધર્મ બને છે. શેખ અબદુલ્લાના છૂટકારાનો પ્રશ્ન શેખ અબ્દુલ્લાને છૂટા કરવાની માગણી શ્રી જયપ્રકાશજી કેટલાય સમયથી કરી રહ્યા છે. શ્રી વિમલાબહેન કારે પણ પેાતાના પ્રવ ચનમાં (જે પ્રબુદ્ધ જીવનના આગળના બે અંકમાં પ્રગટ થઈ ચૂકેલ છે) આ જ બાબતની વધારે આગ્રહપૂર્વક માગણી કરી છે. થોડા સમય પહેલાં શ્રી મનુભાઈ પંચાળીએ પણ આ જ વિચારની ‘જન્મભૂમિ’માં દર સેામવારે પ્રગટ થતી તેમની એક નોંધમાં હિમાયત કરી હતી અને એ નોંધમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રી જયપ્રકાશજીના કહેવા મુજબ શેખ અબદુલ્લાને, પ્રારંભમાં કાશ્મીર ભારત સાથે જે સંબંધથી જોડાયલું હતું તે સંબંધથી, સંતાપ રહેશે અને આ રીતે કાશ્મીર ભારતનાં બીજા રાજ્યો કરતાં વિશેષ સ્વાયત્તતા ધરાવતું હશે, એમ છતાં, ભારતના અન્તરભાગ તરીકે ભારતીય સાર્વભૌમત્વ નીચે રહે એ શેખ અબદુલ્લાને સ્વીકાર્ય રહેશે. આ મુજબ સ્પષ્ટ શબ્દોમાં શેખ અબદુલ્લા ભારત સરકારને જણાવે તે તેમના છુટકારા અંગે તેમની અને ભારત સરકાર વચ્ચે વાટાઘાટો શરૂ કરવાની શક્યતા જરૂર ઊભી થાય એમ લાગે છે. આમ છતાં શેખ અબદુલ્લા પક્ષે આટલી સ્પષ્ટતા કદાચ પૂરતી માલુમ ન પડે એમ પણ બનવાજોગ Page #205 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૦-૧૧ છે. કારણ કે તેમને ફરીવાર પરહેજ કરવાનું કારણ તે એ હતું કે તેઓ હજના બહાને ભારત બહાર ગયા હતા અને પાકિસ્તાનની દરમ્યાનગીરી દ્વારા તેઓ ચાલુ-એન-લાઈને મળ્યા હતા. આ તેમનું વર્તન તરેહતરેહની શંકા ઉપજાવે તેવું હતું. તેથી આ બાબતમાં જ્યાં સુધી સ્પષ્ટતા ન થાય અથવા તો ન કરવામાં આવે ત્યાં સુધી શેખ અબ્દુલ્લાને મુકત કરવામાં અમુક જોખમ રહેલું છે એમ મારા જેવા અનેકને લાગવા ભવ છે. બુદ્ધ જીવન શ્રી જયપ્રકાશજી નાગાલેન્ડના પ્રશ્નના સંદર્ભમાં ડા. માઈકલ સ્કાટ અંગે કેવી રીતે છેતરાયા એ બાબત આપણા સ્મરણમાં હજુ તાજી છે. ડા. માઈકલ સ્કોટને તેમણે નાગાલેન્ડ અને ભારતના સાચા મિત્ર તરીકે લેખ્યા અને બન્ને વિભાગ વચ્ચે સમાધાની થાય અને સ્વાભાવિક સંબંધાની સ્થાપના થાય એમ ડૅા. માઈકલ સ્કોટ અન્તરથી ઈચ્છે છે એમ શ્રી જયપ્રકાશજી માનતા રહ્યા અને તેમની સાથેના પીસ મિશનમાં તેઓ લાંબા વખત સુધી જોડાયલા રહ્યા. પણ સમય જતાં શ્રી જયપ્રકાશજીને આ પીસ મિશનથી છૂટા થવું પડયું અને ડૅ. માઈલ ર્કેટને તેમના ભારતિવરોધી વર્તનના કારણે ભારત છેાડી જવાની ફરજ પડી. આ બધી ગઈ કાલની હકીકત છે. શ્રી જયપ્રકાશજી શેખ અબદુલ્લાની ઉપર જણાવ્યા મુજબની ભારતનિષ્ઠા અંગે પૂરી પ્રતીતિ ધરાવતા હોય, એમ છતાં પણ, રખેને જયપ્રકાશજી શેખસાહેબ સંબંધમાં પણ છેતરાતા હોય એવો વિચાર આવે છે. શેખ અબદુલ્લા એક ગૂઢ વ્યકિત છે અને તેમના અંગેના ઉપરના ખુલાસા હોવા છતાં પણ, શેખસાહેબના મનમાં અનેક reservations અપ્રગટ ધારણાઓ–હોવા સંભવ છે. અને તેથી કાશ્મીરના અન્તિમ સમાધાનમાં શેખ અબદુલ્લાના સાથ અને સહકાર ગમે તેટલા ઈષ્ટ હોય તો પણ “તેમને છૂટા કરો કશી પણ સ્પષ્ટતાની અપેક્ષા રાખ્યા સિવાય તેમને સત્વર છૂટા કરો.” એમ મુકત મનથી કહી શકાતું નથી. શ્રી મનુભાઈ પંચાળી પણ પેાતાના નિવેદનમાં આ પાયાની સ્પષ્ટતા ઉપર એટલા જ ભાર મૂકે છે. પણ સાથે સાથે જયપ્રકાશજીની શેખ અબદુલ્લા સાથેની મુલાકાતે આ અણુઉકેલ આંટીમાંથી નીકળવાની કેડી નિર્માણ કરી છે એમ તેઓ માને છે અને આ તકનો આપણા રાજપુરુષો લાભ લેશે એવી તેઓ આશા સેવે છે. શેખ અબદુલ્લાને છૂટા કરવામાં જેખમ નથી એવી પરિસ્થિતિ અને આપણા દિલમાં એવી પ્રતીતિ ઉભી થાય એમ આપણે પણ ઈચ્છીએ છીએ. પુનર્જન્મ અને વૈજ્ઞાનિક સંશોધન ગઈ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રાજસ્થાન યુનિવર્સિટીના પેરસાઈકૉલાજીના અધ્યાપક ડૅ. એચ. એન. બેનરજી અતીન્દ્રિય અનુભૂતિ’ એ વિષય ઉપર બે વ્યાખ્યાનો આપી ગયા અને તેમાં બીજું વ્યાખ્યાન ‘પુનર્જન્મ’ એ વિષય ઉપર હતું. આ વ્યાખ્યાન દરમિયાન તેમણે એ મતલબનું જણાવેલું કે આજ સુધી પુનર્જન્મ એ ધાર્મિક માન્યતાનો વિષય રહ્યો છે. અને તેનું કોઈ વૈજ્ઞાનિક સંશોધન થયું નથી, એટલે કે તે માન્યતાને લગતા સત્યાસત્યની આજ સુધી કોઈ ચકાસણી વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવામાં આવી નથી. આજે હિન્દુધર્મ જેમાં વૈદિક, જૈન તથા બૌદ્ધ ધર્મના સમાવેશ થાય છે તેના પાયામાં પુનર્જન્મને લગતી માન્યતા રહેલી હોઈને માત્ર હિન્દુઓ જ આ પુનર્જન્મના સિદ્ધાન્તને સ્વીકારે છે, જ્યારે અન્ય ધર્મના અનુયાયીઓ આવા કોઈ સિદ્ધાન્તને સ્વીકારતા નથી. પરિણામે, હિન્દુ સમુદાયમાં જ્યારે કોઈ અલૌકિક સ્મરણજાગૃતિની ઘટના બને છે ત્યારે તેને તેઓ પૂર્વજન્મ સાથે જોડી દે છે, જ્યારે હિન્દુ એ નહિ એવા જનસમુદાયમાં અને ભારત સિવાયુના અન્ય દેશમાં જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે તે ઘટનાઓના એક યા અન્ય પ્રકારના મનોવૈજ્ઞાનિક વિભ્રમ તરીકે અથવા તે એકના અનુભવનો અન્યના ચિત્તમાં થતા સંક્રમણ તરીકે તે તે સ્થળના મનોવૈજ્ઞાનિકો ખુલાસો કરે છે. આમ બનવાનું એક એ પણ કારણ છે કે જેમ આપણા જન્મજાત સંસ્કારના કારણે આપણી સામે પુનર્જન્મની કલ્પનાના વિકલ્પ ઊભેલા જ હાય છે તેવા કોઈ 3 ૧૧૯ વિકલ્પ તે લોકોની સામે હોતો જ નથી. આ પરિસ્થિતિમાં પ્રશ્ન થાય છે કે પુનર્જન્મનું વૈજ્ઞાનિક સંશાધન એટલે શું? પુનર્જન્મના વૈજ્ઞાનિક સંશાધનનો અર્થ એ છેકે પુનર્જન્મના વિચારને કોઈ વાસ્તવિક પાયો છે કે નહિ અને જો હોય તો તેવા સ્મરણને કારણકાર્યના કોઈ નિયમ સાથે જોડી શકાય તેમ છે કે નહિ તેની તટસ્થ તપાસ કરવી. આ માટે સૌથી પહેલાં પુનર્જન્મ-મરણની ઘટનાએ જ્યાં જ્યાં બનતી હોય ત્યાં ત્યાં તેની વિગતે સંબંધમાં આ વિષયના સંશોધકે પોતે જાતે અથવા તો પેાતાના વિશ્વાસપાત્ર પ્રતિનિધિ મારફતે તપાસ કરવાની રહે છે અને જેકાંઈ વિગતો મળે તેના સાચાખોટાપણા વિષે પૂરી ચકાસણી કરવાની અને તેમાંથી પૂરી વિશ્વસનીય હોય એવી વિગતો તેણે તારવવાની રહે છે. આ રીતે તૈયાર થયેલા કિસ્સાની મનાવૈજ્ઞાનિક ધારણે વધારે ઝીણવટથી તપાસ કરવી અને આવા પૂર્વજન્મની કલ્પના સાથે સંક ળાયેલા કિસ્સાના ખુલાસા અંગે પુનર્જન્મ સિવાયના અન્ય જે કોઈ વિકલ્પો વિચારવામાં કે રજૂ કરવામાં આવતા હોય તેમાંના કોઈ પણ એક વિકલ્પ લાગુ પાડવાથી આવા અતીન્દ્રિય અનુભવના ખુલાસા થઈ શકે તેમ છે કે નહિ તેના પૂરી તટસ્થ દષ્ટિથી વિચાર કરવા એ પ્રસ્તુત સંશાધન અંગેનું બીજું પગલું છે. આ દુનિયામાં પુર્વજન્મસ્મરણના કિસ્સાએ માત્ર ભાતરમાં જ બને છે એમ નથી. શ્રી બેનરજીએ દેશ દેશમાં બનતા આવા કિસ્સાઓ તેને લગતી પ્રમાણભૂત વિગતો સાથે આશરે ૫૦૦ ની સંખ્યામાં એકઠા કર્યા છે, અને હજુ પણ જ્યારે પણ દુનિયાના જે કોઈ ખૂણેથી આવા સ્મરણના સમાચાર આવે છે તો તેઓ પોતે ત્યાં દોડી જાય છે, તે સ્મરણાની વિગતા હકીકત સાથે બંધબેસતી આવે છે કે નહિ તેની પૂરી તપાસ કરે છેઅને તેના case—history ચોક્કસ કિસ્સાની પ્રમાણભૂત વિગતોની વ્યવસ્થિત નોંધ તેઓ તૈયાર કરે છે. આવી નોંધા દ્વારા કઈ વ્યકિતને કઈ ઉમ્મરે કેવા સંયોગામાં આવા પૂર્વસ્મરણાની જાગૃતિ થાય છે તેનું તેઓ સંશાધન કરે છે.અને એને લગતા કોઈ નિયમા હોય તે તેની તારવણી કરવાના પ્રયત્ન કરે છે. દેશ—દેશના અને ધર્મ-ધર્મના લોકો સાથે સંબંધ ધરાવતા આ બધા કિસ્સાઓનો ખુલાસો પુનર્જન્મના સ્વીકાર સિવાય બીજી કોઈ રીતે થતા જ નથી એવા અનુમાન ઉપર જ્યારે આ વિષયના સંશેાધક આવે ત્યારે જ તે સંશાધક પૂર્વજન્મને એક હકીકત રૂપે દનિયા આગળ રજૂ કરી શકે છે. ડા. બેનરજીના કહેવા પ્રમાણે હજુ સુધી તેઓ આ સ્થિતિએ એટલે કે પૂર્વજન્મને એક નિશ્ચિત હકીકત તરીકે જાહેર કરવાની સ્થિતિએ પહોંચ્યા નથી. પણ ધારો કે ઉપર જણાવેલા સંશોધનની સર્વ પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ પુનર્જન્મનો એક હકીકત રૂપે સ્વીકાર કર્યા સિવાય બીજો વિકલ્પ ન રહે તો એ સ્થિતિએ પહોંચાયું તો પછી પ્રસ્તુત સંશોધનનું પછીનું પગલું કોઈ પણ વ્યકિતમાં તેના પુનર્જન્મનું સ્મરણ જાગૃત કરવાનું શક્ય છે કે નહિ તેને લગતું રહેવાનું. આજે કોઈ પણ વ્યકિત ઉપર મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા પ્રયોગ કરીને તેને અમુક ‘હિપ્નોટિક ’પરિસ્થિતિમાં મૂકીને તેનાં ભૂતકાળનાં સ્મરણા જાગૃત કરી શકાય છે અને આ અસર નીચે તેના અજાગૃત મનમાં રહેલી અનેક બાબતે જાગૃત મનમાં ઉપર લાવી શકાય છે અને પ્રયોગપાત્ર વ્યકિત તે બાબતે એક પછી એક કહેવા માંડે છે. પચ્ચાસ વર્ષની વ્યકિતને તેના ભૂતકાળમાં ૪૦-૩૦ ૨૦–૧૦ વર્ષ અને એમ છેક બાળપણ સુધીના ભૂતકાળમાં—પ્રસ્તુત મનોવૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા લઈ જઈ શકાય છે અને જાગૃત સ્થિતિમાં જેનું સ્મરણ સર્વથા લુપ્ત થઈ ગયું હોય એવી અનેક બાબતો તે એક પછી એક ક્રમસર કહેવા માંડે છે. આવી જ રીતે જો પુનર્જન્મ એક હકીકત રૂપે પુરવાર થાય તો અમુક પ્રકારના મનોવૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા—હિપ્નોટીઝમ દ્રારા પુનર્જન્મનાં સ્મરણાને પણ જાગૃત કરી શકાય—આવી કલ્પના પ્રસ્તુત પુનર્જન્મના વિષયના સંશોધન પાછળ રહેલી છે અને પૂર્વજન્મનું સ્મરણ જાગૃત કરવાને લગતી આવી કોઈ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા શોધી કાઢવી—આવા કોઈ નિયમ તારવવા—એ આ સંશોધન પાછળ રહેલા મનોરથ છે. આનું નામ છે પુનર્જન્મ અંગેનું વૈજ્ઞાનિક સંશોધન. પરમાનંદ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રબુદ્ધ જીવન પ્રેમનું આન્હાહન : CALL OF LOVE ☆ [આ નિવેદન એક પ્રેમની હાકલ છે. ભારતના જાગૃત અને સંવેદનશીલ નાગરિકોને ઉદ્દેશીને તે કરવામાં આવી છે. આ એક એવ વ્યકિતની હાલ છે, જે તીવ્રપણે એમ અનુભવી રહી છે કે ભારતમાં રહેતા વિરાટ માનવસમુદાયના જીવનમાંની આ કટોકટી વેળાએ આપણે સહુએ આપણા સામૂહિક અવાજ ઊઠાવવાની તાકીદની જરૂર છે. વિમલા ] ત્યારે કરીશું શું? આપણા અવાજ આપણે કઈ રીતે બુલંદ કરીશું? આપણે પહેલું કામ તે એ કરવાનું છે કે આ દેશમાં પાર્લામેન્ટરી લોકશાહીના રક્ષણ માટે આપણે શપથ લઈએ; ચાતરફ મુકતકંઠે આપણે એવી ઘોષણા કરીએ કે આપણે આપણા વાણી-સ્વાતંત્ર્ય અને વિચાર - સ્વાતંત્ર્યના ઉપયોગ એક એવી યથાર્થ અને જીવંત લેાકશાહીના નિર્માણ માટે કરવા માગીએ છીએ, જેમાં ખરેખર લોકો રાજ્ય ચલાવતા હોય; વિશિષ્ટ વર્ગ તેમ જ સમગ્ર જનસમુદાયનો અભિક્રમ જગાડવા આપણે ક્મર કસીને ભારોભાર પુરુષાર્થ કરીએ. આવતી સામાન્ય ચૂંટણીના પ્રસંગનો લાભ લઈને આપણે નીચેની બાબતો વિશે આપણા અવાજ ઊઠાવીએ :– ચૂંટણી વખતે બધા રાજકીય પક્ષ દ્વારા થતા નાણાંનો ગુનાહિત દુર્વ્યય અમે કદાપિ સાંખી લઈશું નહીં. ચૂંટણીમાં ભાગ લેતા બધા ઉમેદવારોને વાહનવ્યવહાર તેમ જ સંદેશાવ્યવહારની સગવડ સરકાર જ પૂરી પાડે, અને ચૂંટણીપ્રચાર માટે વાહનવ્યવહાર તેમ જ સંદેશાવ્યવહારનાં ખાનગી સાધનોના ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવે. આમ કરવાથી દરેકે દરેક ઉમેદવારને એકસરખી તક મળશે, પછી ભલે તે કોઈ પણ રાજકીય પક્ષના હોય કે ન પણ હોય. આજે તે ચૂંટણી એ સત્તા કબજે કરવા માટેની એક હોડ બની ગઈ છે, જેમાં ભાગ લેવાનું ધનાઢય, નામના પામેલાઓ કે ગુંડાઓને જ પાલવી શકે તેમ છે. કોઈ પણ પ્રામાણિક, ગરીબ અને સાદા–સીધા માણસ ઉમેદવાર તરીકે ઊભા રહેવાના કદી વિચાર પણ કરી શકે તેમ નથી. આમ, .ખીતું છે કે જેઓ ચૂંટાઈને આવે તેઓ પ્રજાના અને પાની ચેતનાના પ્રતિનિધિ હોય ? એમ ન કહી શકાય. આ સ્થિતિ દૂર થવી જ જોઈએ, અને તે દૂર ન થાય ત્યાં સુધી આપણે – ભારતની જનતા – કદી જંપીશું નહીં. આપણે આપણેા અવાજ બુલંદ કરીને બધા રાજકીય પક્ષાને જણાવી દઈશું કે: (૧) સાભૂખ્યા રાજકીય પક્ષના હેતુ પાર પાડવા માટે જ્ઞાતિવાદના લાભ લેવાવા જોઈએ નહીં. જ્ઞાતિ, જાતિ કે ધર્મના નામે અમે મતદાન કરીશું નહીં. (૨) બધા પક્ષાના નેતાઓએ પોતાનો ચૂંટણી - પ્રચાર એવી રીતે ગોઠવવા જોઈએ કે જેથી કોઈ પણ એક મતદાર વિભાગના બધા જ ઉમેદવારો એક સાથે તે વિભાગના પ્રવાસ કરે અને એક જ મંચ પરથી એફી વખતે ચૂંટણી – સભાઓને સંબાધે, આને પરિણામે સમય, શકિત અને પૈસાના મુળ બચાવ થશે. ઉમેદવારો એક્બીજા સામે ચારિત્ર્યના આક્ષેપ, ગાળાગાળી, બદનક્ષી ને નિદા નહીં કરે, ખોટા ગપગોળા નહીં ઉડાવે, નાહકનાં ખોટાં વચના નહીં આપે, તથા સંકીર્ણ પ્રાદેશિક લાગણીઓ, તુચ્છ મહત્વાકાંક્ષાઓ અને જૂથવાદી ઈર્ષાખોરીને નહીં ઉશ્કેરે. ✩ રાજકીય પક્ષા તરફથી શિક્ષણસંસ્થાઓને પ્રચારનાં કેન્દ્રો બનાવી મૂક્વાની જે કમનસીબ પ્રણાલી શરૂ થઈ છે તેની સામે આપણે ભારપૂર્વક આપણા અવાજ ઊઠાવવાનો છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આજે તા. ૧૬-૧૦-૧ > સત્તાની સ્પર્ધામાં પડેલા રાજકીય પક્ષાના હાથમાં પ્રચારનાં સાધન બની ગયા છે. આને લીધે શિક્ષણસંસ્થાઓના ગૌરવ તેમજ પવિત્રતાનું ખંડન થયું છે. આપણે તમામ શિક્ષણસંસ્થાઓને વિનંતી કરીએ કે તેઓ પ્રલાભનો કે ડરામણીઓના શિકાર ન બને, પેાતાની સંસ્થાનાં મકાન અને પટાંગણાના વિભિન્ન રાજકીય પક્ષાના પ્રચાર- કેન્દ્રો તરીકે ઉપયોગ કરવા દેવાના તે ઈનકાર કરી દે, કોઈ પણ રાજકીય પક્ષ તરફથી કોઈ ચૂંટણી ઝુંબેશ ચલાવવાની તેઓ ના પાડી દેં, અને નિર્દોષ યુવાનોનું માનસ પક્ષાપક્ષીના વિષથી કલુષિત ન થવા દે. શિક્ષણસંસ્થાઓ વિદ્યાની પવિત્ર ભાવના જાળવી રાખે અને સત્તાના રાજકારણ તેમ જ પક્ષાપક્ષીના રાજકારણથી દૂર રહે. ✩ અખબારો, જાહેર સભાઓ તેમ જ પરિપત્રો દ્વારા આપણે જાહેર કરવું જોઈએ કે: કોઈ પણ પક્ષને નામે અમે મતદાન નહીં કરીએ. અમે તો એ જોઈશું કે ઉમેદવાર અમારું પ્રતિનિધિત્વિ ધરાવવા સારું ‘યોગ્ય માણસ છે કે નહીં. > ‘યોગ્ય માણસ' કહેવા પાછળ અમારી મતલબ છે - (અ) લેાકોનું પ્રતિનિધિત્વ કરવું એટલે શું એ સમજવાને તે ઉમેદવાર સમર્થ હોવા જોઈએ. (બ) પોતાની જવાબદારી અદા કરવા માટે તે ઉમેદવાર શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ભાવાત્મક દષ્ટિએ સુસજ્જ હોવા જોઈએ. (ક) પોતાના વ્યકિતગત જીવનમાં ગેરરીતિઓ માટે, પાતાના સામાજિક સંબંધામાં ગેરશિસ્ત માટે, તથા આંતરજાતીય, આંતરપ્રાંતીય અને આંતરધર્મીય સંબંધામાં અવરોધ નાખવા માટે તે ઉમેદવાર નામચીન ન હેાવા જોઈએ. ઉપરની યોગ્યતા ધરાવતો એક પણ ઉમેદવાર જો અમને નહીં જડે, તો અમે ‘મત ન આપવાના 'અમારા અધિકારને ઉપયોગ કરીશું, અર્થાત અમે મતદાન નહીં કરીએ. ચૂંટણી થઈ ગયા પછી ચૂંટાયેલા પ્રતિનિધિએ પણ તકેદારી રાખવા દરેકે દરેક ગામ, કસબા અને શહેરમાં આપણે ‘જાગરૂક સમિતિઓ ’ ( વિજિલન્સ કમિટી ) ની રચના કરીએ. આ રચનાત્મક ક્રાંતિમાં કસબાઓ અને શહેરોએ પહેલ કરવી જોઈએ. એમણે ધારાસભા અને લાકસભામાંના પોતાના પ્રતિનિધિએને એવી સૂચના આપી દેવી જોઈએ કે દરેકે દરેક ધારાસભ્ય તથા દરેકે દરેક લેાકસભાના સભ્ય વરસમાં ત્રણ વાર જાગરૂક સમિતિને પેાતાના અહેવાલ આપવા, અને ધારાસભામાં કે લોકસભામાં જ્યારે કોઈ વિવાદાસ્પદ બાબત ઉપસ્થિત થાય ત્યારે તેમણે જાગરૂક સમિતિની સલાહ લેવી. . ઉમેદવાર એક વાર ચૂંટાયો કે લોકોનો પ્રતિનિધિ બની જાય છે. આપણે ધારાસભ્યો અને લોકસભાના સભ્યોને એવી કેળવણી આપી પડશે કે જેથી રાષ્ટ્રીય પ્રશ્નો વિશે તે પક્ષાપક્ષીની દષ્ટિએ ન વિચારે તથા લોકોના હિત કરતાં પેાતાના પક્ષની પ્રતિષ્ઠાને વધારે મહત્ત્વની ન માને. જાગરૂક સમિતિઓ દ્વારા આ સિદ્ધ કરવું પડશે, આ બધું કરશે કોણ? તમે અને હું. ચાલો આપણે દરેક વોર્ડમાં આ પત્રિકા પહોંચાડી દેવા નાનાં નાનાં મંડળા ચીએ. ચાલો આપણે આ સંદેશા આપણા વાર્ડના એકેએક મતદાતા સુધી પહોંચાડી દઈએ, ચાલે! આપણે પોતાના ગામ કે શહેરથી જ આરંભ કરીએ, મ Page #207 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૧-૧૦-૯૬ લોકશિક્ષણના આ પવિત્ર કાર્યમાં ભાગ લેવા માંગતા હોય, તેઓ નાની સભાઓ યોજી લાકોને આ હાકલનો મર્મ સમજાવે. જે પેાતાના સમય, શકિત અને નાણાંને કંઈક ભેગ આપવા ઈચ્છતા હોય, તે અસપાસનાં ગામડાંઓમાં જઈને લોકો પ્રત્યેની આ હાકલ ગ્રામજનોને સમજાવે. હું બહેનેા એમની સંસ્થાઓમાં આ હાકલને પ્રચાર કરે. દુનિયાની કોઈ પણ તાકાત માતાના અવાજને દબાવી શકે તેમ નથી. બહેન પ્રેમના આ પયગામ દેશના ખૂણેખૂણે પહોંચાડવાનું પોતાના માથે લે. અંતમાં સામૂહિક પુરુષાર્થની આવશ્યકતા ઉપર મને ભાર મૂકવા દા. વ્યકિતગત જીવનના વ્યકિતગત આચરણના વ્યાપક પ્રભાવ વિશે મને ખૂબ શ્રદ્ધા છે. એ પ્રભાવનો પૂરેપૂરો ખ્યાલ આપણને આવ્યો નથી. તેમાં જબરદસ્ત સંભાવનાઓ પડી છે. મુઠ્ઠીભર પ્રબુદ્ધ, તત્પર અને જાગરૂક વ્યકિતઓ જે દઢ નિશ્ચય કરે તો આખાયે રાષ્ટ્રના ગૂંગળાવનારા વાતાવરણને પલટાવી શકે. જાગા! ઉઠો ! કાર્યરત બના! વિમલાબહેનના ગુજરાતના કાર્યક્રમ ૧૯ ઑકટોબર २० ૨૧ ૨૨ ૨૩૨૪. ૨૫ ૨૬ 11 39 39 પાલણપુર પાટણ મહેસાણા મોડાસા - પ્રાંતિજ અમદાવાદ વાડાશિનાર આણંદ પ્રબુદ્ધ જીવન ૨૭ ઑકટોબર વલસાડ ૨૮ ૨૯ ૩૦૩૧ ૧ ૨ થી ૬ 6 39 93 નવેમ્બર સુરત ભરૂચ વડોદરા નડિયાદ - સૌરાષ્ટ્ર ભુજ શ્રી વિજ પટનાયક [આજે જ્યારે. ઓરિસ્સાના કોંગ્રેસી મંત્રીમંડળમાં પરસ્પર ઊભા થયેલા વિખવાદના સંદર્ભમાં શ્રી વિજ પટનાયકનું નામ આજના સામિયકોમાં અવારનવાર જોવામાં આવે છે ત્યારે તા. ૧૯-૯-૬૬ના જન્મભૂમિ-પ્રવાસીમાં પ્રગટ થયેલા તેમના રેખાચિત્રનું અહિં નીચે કરવામાં આવતું અવતરણ અત્યંત પ્રસ્તુત બન્ને છે. આજે આવી વ્યક્તિ કાગ્રેસની કારોબારીમાં છે અને કોંગ્રેસ પ્રમુખ : કામરાજ આવી વ્યક્તિને ઓરિસ્સામાં કોંગ્રેસની ગુંથાયેલી પરિસ્થિતિને, આગામી ચૂંટણીના સંદર્ભમાં, સરખી કરવાની જવાબદારી સોંપે છે, જ્યારે શ્રી નવકૃષ્ણબાબુ અને શ્રી હરેકૃષ્ણ મહેતાબ જેવી ઉચ્ચ કોટિની વ્યકિતઓ કૉંગ્રેસ સામે વિદ્રોહ જગાવી રહેલ છે—આ હકીકત આપણી કૉંગ્રેસનું નૈતિક સ્તર. કેટલું. નીચે ઉતરી ગયું છે તેને ખ્યાલ આપવા માટે પૂરતી છે. પરમાનંદ] વિજયાનંદ પટનાયકે હમણાં ઓરિસ્સામાં અભૂતપૂર્વ રાજકીય કટોકટી સર્જી હતી. તેમના દોરીસંચારથી ઓરિસ્સાના ૧૩ પ્રધાનામાંથી ૧૨ પ્રધાનોએ રાજીનામાં આપ્યાં, અને મુખ્ય પ્રધાન સદાશિવ ત્રિપાઠીની ઝાટકણી કાઢી નાખી. આખરે ગયે અઠવાડિયે કોંગ્રેસપ્રમુખ કામરાજે જયારે વિજુને બાલાવીને તેમની ખબર લઈ નાખી ત્યારે બારે પ્રધાનોએ સીધાદાર બનીને રાજીનામાં ખેંચી લીધાં. આપણી કેંગ્રેસની લીલા પણ અજબ છે ! તે સમાજવાદનું ધ્યેય ધરાવે છે, પણ કરોડપતિએ અને કરોડપતિઓના ટેકેદારો પણ કૉંગ્રેસના થાંભલા છે. વિજુ પટનાયક એક મોટા ઉદ્યોગપતિ છે, અથવા એમ કહો કે તેમની પત્ની ઉદ્યોગ-પતિ છે. તેઓ એરિસ્સાના મુખ્ય પ્રધાન હતા, અને તેમની પત્નીના નામે ચાલતી પેઢી તેમની સરકારને માલ પૂરો પાડતી હતી ! કાગ્રેસપ્રમુખને લાગ્યું કે આવતી ચૂંટણીમાં સૌથી ગરીબ ઓરિસ્સામાં કાગ્રેસે જીતવું હોય તે સૌથી ધનવાન અને સાહસિક પટનાયકને ચૂંટણી જંગના નાયક બનાવવા જોઈએ. આથી તેમણે આ જવાબદારીના ભાર નાખતો પત્ર વિજુ પટનાયકને લખી નાખ્યો. ૧ વિજને લાગ્યું કે આવી મોટી જવાબદારી મારે ઉઠાવવી હોય તે મારે મુખ્ય પ્રધાનની ખુરશી ઉપર બેસવું જોઈએ, આથી તેમણે મુખ્ય પ્રધાન સદાશિવ ત્રિપાઠીના સિંહાસનના તેર પાયામાંથી બારને ખસેડી નાખ્યા. માંદા માંદા ત્રિપાઠીએ પણ એક પાયા પર ટકી રહીને કામકારાજને 'આધાર લઈ લીધા. વિવેકબુદ્ધિનું ઉલ્લંઘન કરવું એ પટનાયકની પ્રકૃતિમાં છે. ૧૯૬૩માં પંડિત નહેરુએ તેમને વોશિંગ્ટન મોકલ્યા હતા તે પહેલાં તેઓ હોળી પ્રસંગે મૂર્ખાઓની પરિષદના અધ્યક્ષ બન્યા હતા.. પણ જયારે તેઓ વાશિંગ્ટન ગયા ત્યારે તેમના મગજમાંથી મૂર્ખાઓના પ્રમુખ હોવાનો ખ્યાલ હજી ખસી ગયા ન હતો. પરિણામે તેમણે વોશિંગ્ટનમાં ઓરિસ્સાના મુખ્ય પ્રધાન અને પંડિતજીના પ્રતિનિધિ તરીકે વર્તવાને બદલે મૂર્ખાઓની પરિષદના પ્રમુખ જેવા છબરડા વાળ્યા ! નહેરુને પટનાયકનાં સાહસો માટે માન હતું; પરંતુ તેમનાં દુ:સાહસે જયારે વધી ગયાં ત્યારે તેમને “કામરાજ યોજના’ વડે સંભાળથી લપેટી લઈને ખુરશી પરથી ટોપલીમાં મૂકી દીધા. (બીજે વર્ષે વિજુએ કહ્યું કે કામરાજ યોજન! દયાજનક રીતે નિષ્ફળ ગઈ છે!) ત્રણ વર્ષ અને એક માસ પછી ખુદ કામરાજે જ તેમને ટોપલીમાંથી બહાર કાઢયા તો, વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ ન ભૂલે તેમ, હજી વયથી કે અનુભવથી વૃદ્ધ નહિ થયેલા વિજુએ ખુરશી પર ચડી જવા છલાંગ મારી ! વિજુએ નહેરુના જમાનામાં ત્રિવિધ પાઠ ભજવ્યો હતોઓરિસ્સાના મુખ્ય પ્રધાન તરીકે, નેહરુના બિનસત્તાવાર સંરક્ષણપ્રધાન તરીકે અને બિનસત્તાવાર વિદેશપ્રધાન તરીકે ! જયારે સંરક્ષણ સહાય માટે વાટાઘાટ કરવા નેહરુએ તેમને અમેરિકા મોકલ્યા ત્યારે અમેરિકન પત્રકારોએ તેમને શીશામાં ઉતાર્યા. લેક્સભાના અધ્યક્ષ હુકમસિંહે પણ કહેવું પડયું કે સંરક્ષણને લગતી જે વાતો સસંદમાં ન થઈ શકે તે અમેરિકામાં પણ ન કરવી જોઈએ. કગાળ એરિસ્સાએ એક નહિ બે કરોડપતિ પંત પ્રધાન જોયા છે. બીજા હરેકૃષ્ણ મહેતાબ—વિજુના ગુરુ અને હવે શત્રુ! વિજુ માટે પંડિતજીને આકર્ષણ થવાનાં કારણેા છે. નેહરુ શૌર્ય અને સાહસના પ્રશંસક હતા. વિજ એક બાહોશ વિમાની છે. ૧૯૪૫ માં સુકર્ણ ઈન્ડોનેશિયાના સ્વાતંત્ર્ય સંગ્રામ લડી રહ્યા હતા. ત્યારે ડચ સૈન્યથી ઘેરાયેલા સુકર્ણને અને તેમના સાથી ડો. શેરીઅરને પટનાયક વિમાનમાર્ગે ઉઠાવી જઈને દિલ્હીમાં નેહરુ સમક્ષ હેમખેમ રજૂ કર્યા હતા! ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર પર ચડાઈ કરી ત્યારે શ્રીનગરમાં પહેલું વિમાન ઉતારનાર પટનાયક હતી. વિજયાનંદ અને તેમના બે ભાઈઓ (એક હવાઈ સેનામાં છે, બીજા ડૉકટર છે.) ઉડિયા સ્ત્રીઓને નથી પરણ્યા. વિજુ પંજાબીને પરણ્યા છે. વિજયાનંદ પ્રકૃતિથી સાહસવીર છે, પણ રાજકારણમાં તેમણે દુ:સાહસ ન કર્યાં હોત તો વધુ લોકપ્રિય હોત. વિષયસૂચિ સેહમ . પ્રકીર્ણ નોંધ : આગામી ચૂંટણી અંગે વિમલાબહેન ઠકારનું નિવેદન, આજે અમલી બનેલી લોકશાહી વિષે થોડીક વિચારણા, તીથેના સંઘર્ષ મિટાવવાના સાચા માર્ગ? શેખ અબદુલ્લાના છૂટકારાના પ્રશ્ન, પુનર્જન્મ અને વૈજ્ઞાનિક સંશોધન. પ્રેમનું આવ્યાહન શ્રી વિજા પટનાયક હિમાલયની વિભૂતિ સમન્વયસાધક સન્ત વિનાબા તીર્થોના સંઘર્ષ મીટાવવાના સાચા માર્ગ થોડાંક અવલોકન : ‘વેળુ અને ફીણ : ’ ખલિલ જિબ્રાનના પરિચય, પાનખર અને વસંત, સમર્પણના ય. એ દેશની ખાશે દયા (કાવ્ય) The Sept પરમાનંદ વિમલા ઠકાર - સાહમ કિશનસિંહ ચાવડા અમૃત મોદી દલસુખ માલવણિયા પરમાનંદ મકરન્દ દવે.. પૃષ્ઠ ૧૧૭ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ :: ૧૨૬ Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૧૧ - હિમાલયની વિભૂતિ હિ થાય છે અને કે પણ અનુભવ હિમાલયની શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી કિસનસિંહ ચાવડાનું ‘હિમાલયની વિભૂતિ’ એ વિષય ઉપર એક વ્યાખ્યાન, શનિવાર, તા. ૨૭-૮-૬૬ નાં સાંજના ઓઈલ સીડઝ મરચન્ટ્સ એસોસીએશનનાં સભાગૃહમાં રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે શ્રી કિસનસિંહને આવકાર આપ્યો અને કહ્યું “જૈન યુવક સંઘ વતી શ્રી કિસનસિંહભાઈને આવકાર આપતાં હું આનંદ અનુભવું છું. શ્રી કિસનસિંહ ચાવડાને પરિચય આપવાની જરૂર નથી. તેઓ જાણીતા સાહિત્યકાર, વિવેચક અને સાધક છે અને પરમાનંદભાઈ આજે અમદાવાદથી આવી શકયા નથી–એ પણ પુરવાર કરે છે કે એમનાં પરિચયની જરૂર નથી– આમ છતાં ય જે શી પરમાનંદભાઈ ઉપસ્થિત હોત તે શ્રી કિસનસિંહભાઈને તેમણે વિશિષ્ટ પરિચય આપ્યો હોત. લગભગ દોઢ વર્ષ પહેલા મેં શ્રી રસિકભાઈ ઝવેરીને ત્યાં તેમને પ્રથમ વાર સાંભળ્યા- લગભગ દોઢ કલાક સુધી તેઓ બેલેલા અને ત્યારે મને ખૂબ મઝા આવેલી – આવી જ મઝા માણવા આપણે સૌ અત્યારે ભેગા થયા છીએ. મઝાની સાંજ છે– મઝાનું વાતાવરણ છેમઝાનાં વકતા છે અને મઝાનો વિષય છે. હું શ્રી ક્સિનસિહભાઈને એમનો આનંદરસ વહેતો મૂક્વા વિનંતી કરું છું.” શ્રી સિનસિંહે એમના વકતવ્યમાં કહ્યું “હિમાલયની વિભૂતિ એ ભાવાત્મક વિષય છે. પરમાનંદભાઈને વાસ્તવિક વિષય ગમે છે. એટલે તેમણે મને જણાવેલું કે મારે હિમાલયને મનુષ્યનાં સંદર્ભમાં ગોઠવીને એનાં વિષે પૂરેપૂરું કહેવું. હવે હિમાલય આમ તે એક મોટો પથ્થર – બરફને પહાડ છે. એને માણસનાં હૃદય સુધી હું કેવી રીતે પહોંચાડું? હિમાલયની વિભૂતિ ઉપર બોલતા વારંવાર ભાવાત્મક થઈ જવાશે. હિમાલયનું વર્ણન હું કયા શબ્દોમાં કરું?મેં અમેરિકા-યુરોપઆફ્રિકામાં ય બરફના પર્વતે જોયા છે, પણ હિમાલયમાં જે આત્મીયતા હું અનુભવી શકો છું તે મેં ક્યાંય અનુભવી નથી. જ્યાં મનુષ્યને બહુ વસવાટ થાય છે ત્યાં આત્મીયતા સધાતી નથી. પરદેશના પર્વતેમાં આત્મીયતા નહિ સધાવાનું આ પણ એક કારણ હોઈ શકે. તમે હિમાલય આઠ દશ હજાર ફીટ ઉપર ચઢવા માંડે એટલે તમને એમ થશે કે માણસ કેટલો મહાન અને નાને પણ છે. માણસ પાસે સ્વપ્ન છે, બુદ્ધિ છે, પ્રતિભા છે, અલ્પતા અને મહત્તા બંને પ્રકટ કરવાની શક્તિ છે, પણ પ્રકૃતિ ઉપર વિજય મેળવતાં તે ડરે છે....તે ચઢતાં ચઢતાં પણ ડરે છે અને પ્રકૃતિ -- તે તે એનાં એક પછી એક સતરો ઉઘાડતી જાય છે, માણસને તે કેટલું નાનું છે એને અનુભવ કરાવતી જાય છે. આપણે પ્રકૃતિથી ડરીએ છીએ, કારણ એની સાથે આપણે સમાગમ મેળવાળે નથી. હાથ મિલાવવામાં અને આલિગનમાં ફરક છે. પ્રકૃતિ સાથે હાથ ન મિલાવવાના હોય. એની રડાથે તે આલિંગન જ હોય. અને એમાં આખા અસ્તિત્વનું મિલન હોય પ્રકાશની પૂરેપૂરી વ્યવસ્થા હોય તે જ અરિસામાં પૂરેપૂરું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય. એવું જ પ્રકૃતિનું છે. પ્રકૃત્તિને તમે એક અંશી ન જોઈ શકે, પણ મનુષ્યને પોતાનો અહંકાર છે. એ હિમાલયની મહત્તા-ઓળખવાને સમજવાને-પ્રયત્ન કરે છે, પણ પછી એને જેટલું સમજાય તેટલું જ એ સ્વીકારે છે. ઘરના પ્રકાશને બહારના સમસ્ત સૂર્યના પ્રકાશને એ મેળવતો નથી. ખરી રીતે તે માણસે આખે આખા ઉઘડી જવું જોઈએ. તે જ એને પ્રકૃતિનું અભિનવ લાવણ્ય, ચાર તા, આકૃતિ અને નવું સ્વરૂપ દેખાય. બાકી, માણસને એનું પોતાનું અભિમાન એટલું બધું છે કે એ એમ માને છે કે એને બધું જ સમજાય છે. એને વસ્તુની પૂર્વભૂમિકા ખબર નથી. આથી એ જ્ઞાનને સ્પર્શ પામી શકતો નથી. એ વસ્તુને અંશથી અંડે છે અને સમગ્ર ખ્યાલ કરે છે. આપણાં કાટલાં ખોટાં છે તે સ્વીકારવા આપણે તૈયાર નથી. ગાંધીજીએ એક વાર કહેલું કે મને અહિ યાદ આવે છે કે “હું અજ્ઞાન માણસ સામે ઊભા રહેવા તૈયાર છું, પણ જ્ઞાનના અભિમાનવાળા માણસ સામે ઊભા રહેવા તૈયાર નથી.” હિમાલયમાં અમારે ત્યાં એક મિત્ર આવ્યા. મને કહે “I am frightfully confused.” મેં કહ્યું:“confusion કાઢવા પ્રયત્ન કરો.” તમે અપૂર્ણતાનો ખ્યાલ કરો. તમારામાં જ contradictions છે. માણસ પિતાની અજ્ઞાનની શૈયામાં સૂતો છે અને વળી પાછું અભિમાન કરે છે. એટલે અજ્ઞાન - અભિમાન ભેગા મળીને આ લીલા રચાય છે અને પ્રકૃતિને સીધો સંપર્ક એને થવા જે પામત નથી. “હિમાલયમાં માણસને બે લાગણી થાય છે (૧) મારામાંથી છૂટું – (૨) હિમાલય કેવળ સ્થળ નથી. “પહેલી લાગણી માણસ હિમાલયમાં લાંબા સમય વસે છે ત્યારે થાય છે. સંસારનો ભાર, કામ - વાસનાઓ, વિચારે ડાળીમાંથી પાંદડાં ઊગે તેમ પાંખાં થઈ જાય છે–thin -પાતળાં થાય છે. પોતા તરફનું દર્શન બદલાય છે. “પહેલા હુ” પહેલા હું” વર્ષો સુધીનું આપણું આ ગીત ત્યાં સંભળાતું બંધ થાય છે અને કોઈ માટી, વિરાટ વસ્તુને જાણે અનુભવ થતો હોય તેમ લાગે છે. આ છે હિમાલયની વિભૂતિના સંપર્કનું પ્રથમ પરિણામ. હિમાલયમાં ઋષિઓ અને ઋષિપત્નીએ નિર્મળ પ્રેમની નદીઓ વહેવરાવી છે. આ બધું પિલા જેમ કહે છે“હશે - હશે” એમ હું નથી કહેવા માંગતા.” છે – છે” એમ હું કહેવા માંગું છું. આજે શહેરનાં અવાજમાં પ્રકૃતિને જે સૂર- શબ્દ- અવાજે ઊઠે છે તે કોઈ દિવસ શું સંભળાય છે? ત્યારે ત્યાં વિરાટ પિતાસાગર–સમુદ્ર છે. તમે કદિય એનાં કિનારે મધરાતે બેઠા છે? અલી અકબરખાનના પિતા અલાઉદ્દીનખાંએ સમુદ્રના કિનારે ત્રણ કલાક બેસીને સમુદ્રતરંગનાં સૂરનું સર્જન કર્યું હતું. હું કહું છું કે તમે ગર્જનને શ્રુતિ સુધી લઈ જાઓ. તમે એટલા શાંત થાઓ. બાકી આજે આ બધે ઘોંઘાટ બહાર દેખાય છે તે અંદરના ઘોંઘાટનું Projection છેબહારના ઘોંઘાટ એ બીજું કશું જ નહિ અંદરનો Noises છેઈચ્છાઓની પાછળની આપણી આ બધી દોડધામ છે. જે દિવસે ઘોંઘાટ ઓછો લેશો...શાંત થશે ત્યારે એક સૂર–એક શબ્દ સંભળાશે– અને આ છે હિમાલયની બીજી લાગણી – હિમાલયની શાંતિની તે તમને શું વાત કરું ! કેટલાક મિત્રો અમારે ત્યાં આવેલા. તેઓ મને કહે કે અહિની શાંતિ અમને અશાંત કરી દે છે. આની પાછળ આપણું અસ્તવ્યસ્ત, અવ્યવસ્થિત, અરાજકતાવાળું જીવન છે. પેલી શાંતિમય અશાંતિ સાથે પ્રવેશે છે. માણસને એમ થાય છે કે હું સાચે કે સ્થળ સાચું. માણસ પોતાની અંદરની ભયંકરતાને સહન કરી શકતા નથી. માણસ ચાર સ્વરૂપે જીવે છે. શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ. હિમાલયમાં ક્ષુદ્ર સ્વરૂપે આવે તો નમસ્કાર કરી ‘બરાબર છે કહી ચાલ્યો જાય. વૈશ્ય સ્વરૂપે સમાધાન કરીને માંડ બે ચાર દિવસ રહે. ક્ષત્રિય સ્વરૂપે એ થોડું મથન કરે, પણ બ્રાહ્મણ સ્વરૂપે એ આ શાંતિમાં વધારે અકળાય છે, પણ અંતે સંઘર્ષમાંથી સંવાદિતા જન્માવે છે. આમ આપણે અંદરથી બ્રાહ્મણ થવાની જરૂર છે, અંદરથી ઊંચે ચઢવાનું છે. હિમાલય ચઢવાનો અર્થ પણ આ જ છે. ગંગાના મુખને મળવું હશે તો એના પ્રવાહ સાથે નહિ, પણ પ્રવાહની વિરુદ્ધ જવું પડશે. તે જ ગંગોત્રીનું દર્શન થશે. અંતમાં જે દી બૂઝાવાની તૈયારીમાં છે અને પ્રક્ટાવવાની શક્યતા હિમાલયની વિભૂતિ બતાવે છે. અને એક વાત આપણે સમજી લઈએ. મનુષ્ય માત્ર મરવાના છે. મૃત્યુ સૌનું ચોક્સ છે. છતાં મૃત્યુ વિશે જ મનુષ્ય બેદરકાર છે અને જે મૃત્યુ વિષે બેદરકાર છે એ જીવન વિશે પણ બેદરકાર છે. આપણે એકલતા, એકાંત અને શાંતિસાથે મૈત્રી કરીએ તો શ્રુતિ તેજ થશે, આંખે નિર્મળ થશે, ખરાબ વિચારો દૂર થશે.” આમ જણાવીને શ્રી મુંબઈ જૈન યુવક સંઘે તેમને પિતાને અનુભવ રજૂ કરવાની જે તક આપી તે બદલ શ્રી કિસનસિહભાઈએ સંઘને આભાર માન્યો અને ત્યાર બાદ સંઘના અન્ય મંત્રી શ્રી સુબોધભાઈએ લાભારદર્શન કર્યું અને આવા વ્યાખ્યાનને લાભ શ્રી કિસનસિંહભાઈ અવારનવાર આપતા રહે એ માટે તેમને અનુરોધ કર્યો. : - સંપાદક: ચીમનલાલ જે. શાહ Page #209 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૦-૧ પ્રબુદ્ધ જીવન ૧૨૩ સમન્વય-સાધક સન્ત વિનોબા [ગયા સપ્ટેમ્બર માસની ૧૧મી તારીખે પૂજ્ય વિનોબાજીએ બંધ અને ભાગવતને સાર પણ આપણને સાંપડે છે. આની ૭૧ વર્ષ પૂરાં કરીને ૭૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પુણ્યતિથિને પાછળની દષ્ટિ સમજાવતાં વિનોબા કહે છે. ' લક્ષમાં રાખીને ગુજરાત સર્વોદય મંડળના મંત્રી શ્રી અમૃત મોદી ' “વિજ્ઞાને દુનિયાને નાની બનાવી, અને બધા ધર્મોનિ એ તરફથી વિનબાના સમગ્ર વ્યકિતત્વને ખ્યાલ આપતો એક લેખ નજીક લાવવા ચાહે છે એવી હાલતમાં માનવસમાજ વાડાઓમાં મળ્યું છે, જે પ્રગટ કરતાં ઊંડી પ્રસન્નતા અનુભવું છું. આ પ્રસંગે વહેંચાયેલું રહે, દરેક જમાત પિતાને ઊંચી અને બીજાને હલકી વિનોબાજી પ્રત્યે આપણ સર્વના હાર્દિક અભિનંદન હો અને સુર- માને તે કેમ ચાલે? એકબીજાને આપણે સારી રીતે સમજવા જોઈએ. ક્ષિત આરોગ્યપૂર્વક તેઓ દીર્ઘકાળ સુધી આપણી વચ્ચે વચ્ચે અને એકમેકના સગુણા હાંસલ કરવા જોઈએ. વર્ષોથી ભૂદાન નિમિત્તે વિચરે અને તેમની કલ્યાણમય - મંગળયય ચિન્તનધારાનું આપણા મારી પદયાત્રા ચાલી રહી છે, જેનો મુખ્ય આશય દિલોને જોડજીવન ઉપર સતત સિંચન થતું રહે એવી આપણી પ્રાર્થના હો ! વાને છે. બલ્ક મારી જિંદગીના બધાં ય કામ દિલને જોડવાના પરમાનંદ] મુખ્ય આશયથી પ્રેરિત છે.” વસુંધરાના બાગમાં ભાતભાતનાં ને જાતજાતનાં ફલો ખીલે વિનેબાની આવી સમન્વયની દષ્ટિ છે, તેમ ધર્મ અને છે. એક એકથી નીરાળાં ને વિવિધતાવાળાં. કોઈ મહાજ્ઞાની હોય છે કર્મને સુમેળ પણ તેમના જીવનમાં પાને પાનામાં દેખાય છે. એને તે કોઈ પરમ ભકત તો કોઈ કર્મવીર. ભારત પર પરમેશ્વરની. આવિષ્કાર જ ભૂદાન-ગ્રામદાનમાં થયેલું છે. જો કે વિનેબાની પ્રવૃત્તિ ભૂમિના દાનમાં નથી સમાતી, પણ સામાજિક, આર્થિક ખૂબ કૃપા રહી છે કે આપણા જમાનામાં પોતપોતાના ક્ષેત્રમાં અને રાજકીય એમ બધાં ક્ષેત્રે માનવીયે સમતા સ્થાપવાને ક્રાંતિકેટલાયે અદ્રિતીય પુરુષો પાકયા. અનેક જ્ઞાની, કર્મવીર તથા ભકતો. નાદ ગજવી રહી છે. ગાંધીજીની અહિંસાની સર્વાગિતા, તેને વિકાસ ભારતમાં પ્રગટ થયા. પરંતુ જ્ઞાન, કર્મ અને ભકિત એ ત્રણેમાં જેણે અને વિસ્તાર વિનેબાના આ યજ્ઞમાર્ગમાં દેખાઈ રહ્યો છે. સમન્વય સાધ્યું હોય અને ત્રણેયનું સરખું ઊંડાણ સાધ્યું હોય તેવી તેથી તો વિનોબા કોઈ આ કે તે પક્ષના વાડામાં પુરાઈ શકતા નથી, સમાતા નથી. ઉલટાનું, એમની પ્રવૃત્તિ બધા જ પક્ષોના અવિરોવિરલ વ્યકિતઓમાં વિનોબા છે, જેઓ આજે એમની જીવનયાત્રાનાં ધને પાયો નાખી રહી છે. વિનોબા અને તેમની પ્રવૃત્તિ પણાતીત ૭૧ વર્ષ પૂરાં કરીને ૭૨મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. રહે છે, એટલું જ નહિ પણ, સર્વપક્ષસંગ્રહી બની રહે છે, શાને લીધે? વિનોબાના જીવનમાં જ્ઞાન, કર્મ, અને ભકિત ત્રિવેણી- વિનોબાના ચિતનની સમન્વયની પદ્ધતિના પરિણામે જ. ' સંગમ થઈ શકે છે, કેમકે એમના ચિંતનની પદ્ધતિ સમન્વયની જો કે વિનેબા રાજનીતિને ગૌણ અને લોકનીતિને પ્રધાન છે અને લક્ષ્ય સામ્યયોગનું છે. જ્ઞાન, કર્મ અને ભકિતના સમન્વય- તે સ્થાન આપવા માગે છે. વિજ્ઞાનના આ યુગમાં દુનિયાએ અધ્યામાંથી જ ભૂદાન-ગ્રામદાનની ક્રાંતિને વિચાર પ્રગટ છે. સમન્વથી ત્મનો રસ્તો અપનાવવો જોઈશે. તેથી એમણે સૂત્ર રચ્યું છે : . ક્રાંતિના પ્રણેતા વિનોબા અતના ઉપાસક છે. સિયાસત : રાજનીતિ + વિજ્ઞાન = સર્વનાશ. - ૧૯૧૬માં વિનેબાજી બ્રહ્મની ખોજમાં ઘર છોડીને કાશી રૂહાનિયત: અધ્યાત્મ + વિજ્ઞાન = સ્વર્ગ. પહોંચ્યા હતા. ગંગા કિનારે દ્રત-અદ્વૈતવાદી વિદ્રાને ચર્ચાઓ કરી વિજ્ઞાનને ફાયદો ઉઠાવ હશે તો તેની સાથે અધ્યાત્મને રહ્યા હતા. યુવાન બિબા બેઠા બેઠા ચર્ચા સાંભળતા હતા. આખરે જોડવું જોઈશે. પણ રાજનીતિ અને વિજ્ઞાન ભેગાં થશે તે દૈત-અદ્ર તવાદના વિદ્વાનની જીતમાં ચર્ચાની સમાપ્તિ થઈ, - દુનિયાની તારાજી નેતરશે. ત્યારે વિનોબાએ માર્મિક વાત કહી કે તમાં માનનારા દ્રતી અધ્યાત્મ એટલે શું? ભૂતમાત્ર પ્રત્યે સમભાવ. સહુમાં સાથે ચર્ચામાં ઊતરે છે. તેનો અર્થ એ જ કે તેઓ પહેલેથી જ “સ્વ”નું સ્વરૂપ જોવું. પરમાં સ્વનો “રામ”નું દર્શન કરવું તે અધ્યાહારી ચૂકેલા છે.” – દષ્ટિ. તે કયારે લાધે? “મમતા”ને ટાળી “સમતા” સધાય ત્યારે.. .. આમ, વિનોબા પહેલેથી દ્રતને સ્થાને અદ્રતની, ભેદને બદલે જો કે મમતા અને સમતા બન્નેના મૂળમાં પ્રેમતત્વ છે. જયારે માણ સને પ્રેમ સંકીર્ણ હોય ત્યારે મમતા, અને તે પ્રેમ નિર્બન્ધન વિકસે અભેદની, વિરોધમાં અવિરોધની શકયતા શોધે છે. તેના મૂળમાં ત્યારે તે સમતા. સંકુચિત મટી મમતા વ્યાપક બને ત્યારે તે સમતા તેમની સમન્વયની સાધના રહેલી છે. રૂપે ઓળખાય છે. આ સમતા ધર્મમાત્રનું અંતિમ સાધ્ય છે. અને વિનોબાની આ સાધનાની દષ્ટિ શું છે? સમન્વયની પદ્ધતિથી વિનોબાનાં ભૂદાન-ગ્રામદાનના આંદોલનના મૂળમાં આ મહાન સામ્યયોગ સુધી પહોંચવાનું એમનું લક્ષ્ય છે. વિવિધ ધર્મોના મૂળ વિચારનું ખાતર પડેલું છે. આ ચૂંથેના પરિશીલન-સંત-સાહિત્યના સેવન–પાછળ એમની આ જ સ્વરાજને આત્મા પ્રજામાં પ્રગટાવવા માટે યુગપુરુષ વિનોબા દષ્ટિ રહી છે એમ કહી શકાય. વિનોબાની આ સાધનાનું રહસ્ય ભૂદાન-ગ્રામદાનયજ્ઞના અધ્વર્યુ તરીકે દેશમાં પગપાળા ધુમ્યા અને શું છે? એક શબ્દમાં કહેવું હોય તો કહી શકાય “સમન્વય” યાને એકમેકને જોડવાની સાધના, વ્યકિતગત રીતે પોતાના અંતર એમણે ક્રાંતિને શાંતિના ધાગે બાંધી, શાંતિને ક્રાંતિકારી ભાવનાને બાહ્ય જીવનને જોડવું, “બહાર ભીતર એક હી જાણે એની સાધના પુટ પાયો, પિતાને પરમેશ્વરનું ઓજાર માનીને, રામ બાણ માનીને કરવી. ત્યારે સામાજિક ક્ષેત્રે માનવ-માનવમાં દિલને જોડવાની તેઓ આ યુગકાર્યમાં પડયા. સતત જાગરૂક અને વિકાસશીલ વિનેએમની પ્રવૃત્તિ રહી છે. છેલ્લાં પંદર વર્ષની ભૂદાન-ગ્રામદાનની બાનાં વિચાર, વાણી અને આચારમાં જેટલે મેળ છે તેટલે બહુ યાત્રાને જે અલખ તેમણે જણાવ્યા છે, તેમાં એક વાત કહેતાં એ કયારેય થાક્યા નથી. “મારું કામ જમીન વહેંચવાનું નથી, પણ ઓછા લોકોમાં હશે. અને તેથી તેમનું જીવન એક મધુર સંગીતસમું દિલને જોડવાનું છે.” સુસંવાદી બન્યું છે. આ દિલને જોડવાની દષ્ટિએ વિનોબાએ યાત્રા દરમિયાન . ૧૯૫૮માં પશ્ચિમ ખાનદેશના દાબ ગામે પોતાના ૬૪મા એક મોટું કામ કર્યું. વિવિધ ધર્મોના મૂળ ગ્રંથેનો સાર કાઢીને નવ જન્મદિને આત્મચિંતન કરતાં વિનોબાએ પિતાની ભૂમિકા બતાવતાં નીત રૂપે જગત આગળ તેમણે ધરી દીધું છે. માનવ-સમાજ એક કહ્યું હતું કે “હું જ્યારે મારા વિશે વિચારું છું કે હું કોણ છું ને મારું ભાગ્ય શું છે, ત્યારે કેટલાક સ્થળ ભાગ્ય પણ યાદ આવી જાય છે, મેકના ધર્મની ખૂબીઓ સમજે, ગુણગ્રાહી બને અને ધર્મ-સંપ્રદાયના અને એનો મોટો ગંજ ખડકાય છે. મને જે માબાપ મળ્યા તે કંઈક સાંકડા વાડાના ચિંતનમાંથી મુકત થાય એવો વિનેબાને આ સમ- વિશેષ જ હતાં એમ લોકો માને છે. મને જે ભાઈ મળ્યા તે તે વ્યલક્ષી પ્રયત્ન છે. એમણે કુરાને શરીફને સાર તૈયાર કર્યો, ધમ્મુ નિ:સંશય લોકદષ્ટિમાં “મહાત્મા” જ મનાયા. મને જે સ્નેહી-મિત્રો મળ્યા તે પણ એકે એક લોકોને પ્રેમપાત્ર થયા. મને જે વિદ્યાર્થી પદનું સંકલન કર્યું, જપુજીનું ભાષ્ય કર્યું, અને ગીતાને મર્મ સમ મળ્યા તેમના પર તો હું જાતે જ, આશક છું. તો આવાં બધાં જાવ્યું. બાઈબલનાં “યુ ટેસ્ટામેન્ટ”નું પરિશીલન ચાલુ છે. ગુરુ- ભાગ્યને ગંજ ખડકાઈ જાય છે. તેમાં કે મને અનેક ભાષાઓનું Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૧-૧૦-૧૧ જ્ઞાન મળ્યું તે કારણે અનેક મહાપુરુષ અને ધર્મપુ૨- ના વિચારરસનું સેવન કરવાને મને નિરંતર મોકો મળ્યો, અને હજુએ મળતો રહે છેઆ રીતે ભાગ્યરાશિ બનતું જાય છે. પણ તે આખીયે કાલ્પનિક છે. મુખ્ય ભાગ્ય તો એક જ છે અને તે મારું, તમારું, સહુનું છે. તે એ છે કે આપણે પરમેશ્વરનાં અંગ છીએ, અવયવ છીએ, એના તરંગછીએ, એની ચિનગારીઓ છીએ. આ જ એક માત્ર ભાગ્ય છે, જે સહુ કોઈને મળેલું છે, અને જે આ એક ભાગ્યને અનુભવશે નહીં, એને બીજા સેંકડો ભાગ્યો મળ્યા હશે તો પણ તે એળે જશે.” આ છે વિનોબાની જીવન પ્રત્યેની દષ્ટિ, એ દષ્ટિમાંથી જ વિનોબાના જીવન-વિકાસનું છેલ્લું સંપાન જોવા મળે છે–સૂક્ષ્મ કર્મયોગના પ્રવેશનું. એ સ્વરૂપ છે બહુ આદુંલાદક. આમ તે એ વિનોબાની ચિંતન-સેરને જ મણકો છે, જૂનો વિચાર છે. મનથી ઉપર ઉઠવાની તેમની જીવનની સાધના છે. પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિમાં-નિવૃત્તિપરાયણ પ્રવૃતિમાં-ગીતાની પરિભાષામાં “વિકર્મ”માં–તેમને વધારે શકિત દેખાઇ છે. વાણી કરતાં મૌનને તે વધારે સમર્થ માને છે, અને એમના એ ચિંતનને જ સૂક્ષમ-કર્મયોગની વાત અનુસરે છે. ૭ જૂન, ૧૯૧૬ના રોજ ગાંધીજીનાં વિનેબાએ પહેલીવાર દર્શન કરેલાં. તેને આ વર્ષે ૫૦ વર્ષ પૂરાં થયાં. ત્યારે વિનોબાએ વિચાર્યું કે “૫૦ વર્ષ સુધી સ્થૂળ કર્મપગ રૂપ સેવા ભગવાનને સમર્પિત કરીને તેમાંથી સૂક્ષ્મ કર્મયોગમાં પ્રવેશું. સમાજને છોડી દેવાને આમાં ખ્યાલ નથી. બલકે સમાજને અભિમુખ રહીને આ કરવાનું છે.”આવી છે વિકાસશિલ વિનબાના જીવનની વિલક્ષણ શકિત. અમૃત મોદી તીર્થોના સંઘર્ષ મિટાવવાનો સાચો માર્ગ [‘ તીર્થંકા સંઘર્ષ કો મિટાને કા સહિ માર્ગ' એ મથાળા નીચે પ્રગટ થયેલ હિંદી લેખને અનુવાદ ‘જૈન પ્રકાશમાંથી સાભાર ઉદધૃત કરવામાં આવે છે. તંત્રી. તીર્થોની માલિકી અથવા અધિકાર માટે ઝગડતાં જૈન સમક્ષ લાઓસની પ્રજાએ એક અનુકરણીય ઉદાહરણ રજ કર્યું છે. જુલાઈ - ઓગસ્ટનાં ‘મહાબધિ'ના અંકમાં બહાદુન ધગરાના લેખ વાંચ્યા, લાઓસની બૌદ્ધ જનતા પ્રસન્નચિત્ત છે અને ઘન તથા ઉત્સ- વિને કેવું પ્રાધાન્ય આપે છે તેનું એમાં સુંદર વર્ણન છે. એ લેખમાં લેખકે બતાવ્યું છે કે જનતા સાચા અર્થમાં ધાર્મિક છે; તેમનામાં બીજા પ્રતિ અનાદર કે તિરસ્કાર માટે સ્થાન નથી. થાઈલેન્ડ લાઓસ પર વિજય પ્રાપ્ત કર્યો ત્યારે તેઓ ટિકની બૌદ્ધ મૂર્તિ લાઓસથી બેંકોક લેતા આવ્યાં અને તે ત્યારથી આજ સુધી ત્યાં જ છે. શ્રી ધીંગરાએ લાસવાસીઓને પૂછયું : “શું આપ એ મૂર્તિ પાછી લાવવાને પ્રયત્ન કરશે?' આને ઉત્તાર જે લાસવાસીઓએ આપ્યું તે તીના માલિકીપણા માટે ઝગડનારાઓ માટે બેધપ્રદ છે. એમણે કહ્યું }, "What does it matter whether it here or there. It is there for all to pay homage." Al Hararlaud sell કે મૂતિ અમારે ત્યાં હોય કે એને ત્યાં. જ્યાં હોય ત્યાં અમારે માટે પૂજનીય છે.” સાચા ધાર્મિક પુરુષ જેના હૃદયમાં ભગવાનની પૂજાનું મહત્વ છે અને આ જ ઉત્તર હોઈ શકે, જે લાઓસના સાચા ધામિકોએ આપ્યો છે! પરંતુ ખેદની વાત એ છે કે આપણે આપણી જાતને સાચા ધાર્મિક કહેવડાવવાવાળા છતાં, આપણે સૌ ધાર્મિકતાથી કેટલા દૂર છીએ! અગર જો એમ ન હોય તે આ તીર્થો માટેના ઝઘડા કેમ હોઈ શકે? જે વીતરાગ ભગવાને આપણને અપરિગ્રહને પાઠ ભણા વ્યો છે, આપણે એને જ પરિગ્રહની વસ્તુ બનાવી, આપસમાં એ માટે લડીને સંસાર સમક્ષ આપણી સંકુચિતતા અને અધાર્મિક્તાને પ્રક્ટ કરી છે. શું મૈત્રીને પાઠ પઢાવતા પર્યુષણ પર્વ પર આપણે એ નિર્ણય ન કરી શકીએ કે જે તીર્થની વ્યવસ્થા જે કરી રહ્યા છે, એમાં આપત્તિઓ ઉભી કરવામાં ન આવે. આખરે ત્યાં તે ભગવાનની પૂજા કરવી છે, એને અપમાન યા અનાદર તે કરવા નથી ને? પરંતુ આ પ્રકારના ઝઘડા ઉભા કરીને આપણે વાસ્તવમાં ભગવાનનું અપમાન કરીએ છીએ - અનાદર કરીએ છીએ અને ભગવાનના બતાવેલા અપરિગ્રહના સિદ્ધાંત વિરુદ્ધનું આચરણ કરીએ છીએ. કવેતામ્બર અને દિમ્બર બન્નેએ કમસેક્સ એટલું તો કરવું જોઈએ કે ભગવાનની પૂજા થાય, પરંતુ ભગવાનને અનાદર યા અપમાન ન થાય. શું શ્વેતામ્બર મંદિરમાં દિગમ્બર પૂજા કરવા ચાહે તે એ ચહ્યું હટાવીને પૂજા કરે તે જ શું સાચી પૂજા થઈ શકશે? અથવા દિમ્બર મંદિરમાં શ્વેતામ્બર ચક્ષુ લગાવે તે જ સાચી પૂજા કરી શકશે? અથવા શું અમુક રીતની મૂર્તિ અને એની જ પૂજાનું વિશેષ મહત્વ છે? મહત્ત્વ તે ભાવનું છે. સામેની મૂર્તિ તે નિમિત્તિ માત્ર છે. એનું અવલબન લઈને આપણા દિલમાં ભગવાનની પાષાણ મૂર્તિનું નહિ પરંતુ ગુણમયી મૂર્તિનું ચિત્ર ખડું કરવું જોઈએ. શું આ ચિતન માટે આખા કાઢી નાખવી કે લગાવવી જરૂરી છે? અગર મંદિરની વ્યવસ્થા અમુક સંપ્રદાયની વ્યકિત કરતી હોય તે, એ ગુણમૂતિના સંવેદનમાં બાધા આવે છે? એમ માનનારા ધર્મથી બહુ દૂર છે અને કેવળ બાહ્ય પૂજામાં લાગેલા છે. ભાવપૂજા જે વાસ્તવીક પૂજા છે એનાથી બહુ દૂર છે. એથી જ જેઓ પિતાને તટસ્થ માને છે, તેમનું કર્તવ્ય થઈ જ જાય છે કે જનતાને સાચી પુજાનું મહત્ત્વ સમજાવે અને આ સાચી પૂજાનું મહત્ત્વ વધારે. એને આ મંદિરની વ્યવસ્થા કોણ કરે એ માટે પ્રયત્ન ન હોવા જોઈએ. કારણ કે આ ઝગડાને કદિ અંત નહિ આવે. આથી ઉત્તમ માર્ગ એ છે કે આપણે એ પ્રબન્ધના ઝગડામાં નહિ પડતાં, જન તો અનુસાર સાચી પૂજા કઈ છે એ જનતાને બતાવવાને પયુર્ષણ પર્વ જેવા આત્મશોધનના પર્વ પર સંકલ્પ કરીએ. લાંબા સમયથી ચાલ્યા આવતા તીર્થોના આ ઝગડાથી આપણે એ બોધપાઠ લેવો જોઈએ કે કોર્ટે તો કોઈ એકના પક્ષમાં ફેંસલ કરશે યા કરી શકે. બન્ને પક્ષને સંતોષ મળે એવો નિર્ણય સંભવી શકે નહિ. આવી સ્થિતિમાં ભારત જન મહામંડળ જેવી સંસ્થાનું એ કર્તવ્ય હોવું જોઈએ કે એ લોકોને સમજાવે કે તેઓ કોઈ ઝઘડામાં ન પડે, વ્યવસ્થા તમારા હાથમાં હોય યા નહિ, સાચી પૂજા કરવાનું તમારા હાથમાં છે. બીજો માર્ગ અપનાવવામાં કડવાશ વધશે. બન્ને સંપ્રદાયમાં સમજુતી થાય અને સમજતીની વાત આગળ કરીને જેના પક્ષમાં કોર્ટને ફેંસલે ન હોય, એને ન્યાય મળવો જોઈએ એવી વાત ભારત જૈન મહામંડળ જેવી સંસ્થા કરે એ ઉચિત માર્ગ નથી, પરંતુ પિતાને તે જ કોઈ એક પક્ષમાં બાંધી લ્ય છે એમ મને લાગે છે. આથી એનું કર્તવ્ય એ છે કે એ જેને સાચી પૂજાનું મહત્ત્વ સમજાવે અને પ્રબન્ધના પ્રશ્નને ગૌણ સ્થાન આપે ત્યારે જ સાચી ધાર્મિકતાને વિકાસ થઈ શકે. અન્યથા આગળ જઈને એ પણ કહેવું પડશે કે મુસ્લિમોએ હિન્દુ અને જૈન મંદિરોની મજિદો બનાવી છે એ મજિદો પાછી આપે. પણ જો આપણે અહિ ઉદાર બનીએ છીએ અને લેકશાહી રાજ્યને હવાલે આપી લડવાનું પસંદ કરતાં નથી અને અહીં આપણે સમજૂતી અને ન્યાયની વાત કરતાં નથી. તે આપણે અહિ સાચી ધાર્મિકતાને હવાલે આપી ઉદાર કેમ ન બની શકીએ? આપણે જાહેર કરીએ કે તીર્થોને પ્રબંધ ભલે ગમે તે હાથમાં હોય, અમારી પૂજામાં બાધા પહોંચતી નથી. | સામ્પ્રદાયિકતાના કદાગ્રહને દૂર કરવાને આ જ માર્ગ છે અને એ અપનાવો આવશ્યક છે. - દલસુખ માલવણિયા Page #211 -------------------------------------------------------------------------- ________________ તા.૧૬-૧૦-૧૬ 骤 પ્રબુદ્ધ જીવન ઘેાડાંક અવલાકના ‘વેળુ અને ફીણ ” ખલિલ જિબ્રાનના પરિચય શ્રી રાજેન્દ્ર મયાભાઈ શાહ તરફથી (પ્રકાશ પ્રીન્ટર્સ, જાંબુલવાડી વૅસ્ટ, મુંબઈ-૨.) ખલિલ જિબ્રાન રચિત · Sand and Foam' એ પુસ્તકના ‘ વેળુ અને ફીણ' એ નામે ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવ્યો છે. તે પુસ્તકના અનુવાદ કરનાર છે શ્રી લક્ષ્મીનારાયણ પંડયા અને શ્રી કાન્તિ ઉપાધ્યાય અને આ પુસ્તકના પાને પાને સૂચક ચિત્રા આપવામાં આવ્યાં છે. તેના દોરનાર છે, શ્રી યુસુફભાઈ ધાલા મરચન્ટ, આ પુસ્તકમાં શ્રી ધીરૂબહેન પટેલે ખલિલ જિબ્રાનના અત્યન્ત મિતાક્ષરી પરિચય આપ્યો છે જે નીચે મુજબ છે: “૧૮૮૩માં પયગંબરોની પુણ્યભૂમિ લેબેનોનમાં જન્મ. માબાપ મધ્યમ વર્ગનાં, આર્થિક ભીંસ અને કૌટુંબિક ઘર્ષણના બચપણથી પરિચય. પિતાની દિલેરી અને માતાની સંસ્કારિતા. આ જીવન-કયારીમાં જિબ્રાનનો ઉછેર થયો. વર્તનની પહાડી પ્રકૃતિના પ્રેમે એના રખડુ જીવનને અન્તર્મુખતા અર્પી. “પ્રેમ અને મૃત્યુ-જીવનનાં આ બે મહાન શિક્ષકોએ યુવાન જિબ્રાનનું ઘડતર કર્યું. લાડકી નાની બહેન સુલતાનાના અવસાને તેના અંતરને હચમચાવી નાખ્યું. મમતાળુ માતાએ પણ એ જ માર્ગ લીધેા, અને સૌથી અદકા પ્રેમાળ સાવકાભાઈ પિટરના મરણે જીવન અને મૃત્યુના મર્મનું મંથન જગાડયું. આમ આ કવિ, ચિન્તક અને ચિત્રકારના તરશિલ્પને આકાર મળ્યો. આ કપરી કસોટીમાં બાકી રહેલી બહેન મેરિઆનાએ એને હૂંફ અને હૈયાધારણ આપ્યાં. “એના પ્રથમ ચિત્રપ્રદર્શને એને મિસ મેરી - હેસ્કેલના પરિચયમાં આણ્યો. આ કલાપારખુ સહૃદયી મહિલા પાછળથી એના જીવનની ધ્ર ુવતારક બની, આધ્યાત્મિક એકલતા અનુભવતા જિબ્રાનને એણે અનુભવ કરાવ્યો કે સ્ત્રી-પુરુષ વચ્ચે શારીરિક આકર્ષણ વિના પણ ઊંડી લાગણી સંભવી શકે છે. પણ મેરીની મદદનીશ શિક્ષિકા મિશેલનમાં એનું મન મોહ્યું. ોય અને પ્રેયની દ્વિધાના આ વલાણામાંથી વિચારનવનીત પ્રગટયું. “એનાં ચિત્રાનાં પ્રદર્શન યુરોપનાં તમામ પાટનગરોમાં યોજાયાં. દુનિયાને ધિક્કારનાર આ કલાકારનું અંતર દુનિયાની વાહ વાહ માટે ઝંખતુ. એના વ્યકિતત્વની આ વિભકત વિચિત્રતાથી એનું વર્તન વિસંવાદી અને અગમ્ય બની જતું. પહેલી અરબ્બી નવલ ધ બ્રોકન વિંગ્ઝ’ અને નિત્નેની સ્પષ્ટ અસર દાખવતા ધ ગ્રેવ ડિગર' પછી એણે અંગ્રેજીમાં લખવાનું વિચાર્યું અને ‘ધ મેડ મેન’ નામની પહેલી જ કૃતિએ એને કીતિ અને કલદાર કમાવી આપ્યાં. મૂળ અરબ્બીમાં લખેલી વિચારકળીઓના ‘સેન્ડ એન્ડ ફોમ ’ના નામે એણે અંગ્રેજીમાં અનુવાદ કર્યા. ધી ટેમ્પેસ્ટ, ધી ફોરરનર, ધી વન્ડરર, સ્પીરીટ રિબેલિયસ, ટિચર્સ એન્ડ લાફ્ટર, સિર ધ સન ઓફ મેન, ધ અર્થ ગડઝ જેવી કૃતિઓ તેની કલમમાંથી સરજાઈ. પરંતુ વિશ્વસાહિત્યમાં એના કિતિધ્વજ તો “ધ પ્રોફેટ’ (અલમુસ્તફા)એ લહેરાવ્યો. એની અન્તસૃષ્ટિનું આ નિષ્ઠાભર્યું કલાત્મક નિરૂપણ આપણને રવિ ઠાકુરની ‘ગીતાંજલિ’ની તો એનાં ચિત્ર વિલિયમ બ્લેઈકની યાદ આપે છે. પ્રશંસા અને નજરાણું લઈ દુનિયા એને દ્વારે આવી ત્યારે એના શરીરે એને સાથ ન આપ્યો અને ૪૮ વર્ષની વયે ૧૯૩૧ની સાલમાં એ ચિરનિદ્રામાં પોઢી ગયો.” જિબ્રાનની ભાષા વિષે આ પુસ્તકનાં અનુવાદકો યર્થાથપણે જણાવે છે કે “તેની ભાષા સમાધિભાષા છે. એનામાં પૌર્વાત્ય પ્રતિભાનાં વિવિધ પાસાં એકત્ર થયેલાં જોવા મળે છે. . એ સમર્થ ચિન્તક અને કવિ તો છેજ, પણ તેથીયે વધુ તો એ એક મોટો મહર્ષિ છે. એ નિષ્ઠાવાન સાધકના સ્વાનુભવના રણકા એની - ૧૨૫ વાણીમાંથી ઊઠે છે. એમાં સંતાની અકળ અને અવળ વાણી પણ દેખા દે છે. '' ખલિલ જિબ્રાનના લખાણને ગુજરાતીમાં ઉતારવું એ સહેલું કામ નથી. ઘણી વખત ખૂબ જ દુધિ હોય છે. અને તેથી અનુન વાદકની ઠીક ઠીક કસોટી થાય છે. આવી સ્થિતિમાં પ્રસ્તુત અનુવાદ કોઈ કોઈ ઠેકાણે દુર્ગંધ બની ગયો છે, પણ એ ક્ષતિ પ્રસ્તુત પરિસ્થિતિમાં ક્ષમ્ય લેખાવ ઘટે છે. આ પુસ્તકની છાપણી અને ઉઠાવ બન્ને બહુ આકર્ષક છે. વળી પાને પાને આપેલ ચિત્રો વડે પુસ્તક વધારે માહક બન્યું છે. ખલિલનાં વાકયો સૂત્રાત્મક અને વેધક હોય છે અને વાચનારની બુદ્ધિ અને કલ્પના બન્નેને પકડે છે. આવું પુસ્તક શરૂ કર્યા બાદ તેની પકડના કારણે અન્ત સુધી પહોંચ્યા સિવાય ચેન પડતું નથી. કોઈ પણ શુભ પ્રસંગે અથવા પ્રેમસ્મરણ નિમિત્તે ભેટ આપવા લાયક એવી સુન્દર આ નાના સરખા ગ્રંથની રચના છે. આ પુસ્તક મેસર્સ એન. એમ. ત્રિપાઠીની કંપની, કાલબાદેવી રોડ, મુંબઈ-૨ ઉપરથી મળી શકે તેમ છે. પાનખર અને વસન્ત 4 ' અમદાવાદના એક જાણીતા સામાજિક કાર્યકર શ્રી સત્યવતી બહેન શાહના આ વાર્તાસંગ્રહ વાંચીને પ્રસન્નતા અનુભવી. આ વાર્તાઓ આપણા સામાજિક પ્રશ્નોને સ્પર્શતી હોય છે. કલ્પના સાથે અનુભવનું મિશ્રણ હોઈને આ વાર્તાઓ આજની સામાજિક પરિસ્થિતિનું સુન્દર અને સ્વચ્છ પ્રતિબિંબ રજુ કરે છે. સત્યવતી બહેન અદ્યતન જીવનદષ્ટિથી સંપન્ન છે અને ઉન્માર્ગે ઘસડાઈ જતી બહેન પ્રત્યે તેમના દિલમાં ઊંડી સહાનુભૂતિ છે અને તેથી ઉન્માર્ગને વખોડી કાઢવાને બદલે ઉન્માર્ગના ઊંડાણમાં જવા તેઓ પ્રયત્ન કરે છે. તેમના વાર્તાદેહ બે રીતે કાચા લાગે છે. ઘણી વાર વાર્તાની શરૂઆતમાં જ તેઓ આપણને કયા મુદ્દા ઉપર લઈ જવા માગે છે. તેની એકદમ ખબર પડી જાય છે. બીજું પાત્રાની વાણી કદિ કદિ પ્રચારાત્મક બની જાય છે. ધ્વનિ અથવા વ્યંજના દ્વારા સૂચન અને મિતાક્ષરી નિરૂપણ એ બે તત્ત્વો વાર્તાનિર્માણ માટે બહુ મહત્ત્વનાં છે. સત્યવતીબહેન આશાસ્પદ લેખિકા છે. અનુભવની એરણ ઉપર તેમનું ચિન્તન ઘડાતું જાય છે. તેમની લેખનશૈલીના વિકાસ સાથે તેમની વાર્તાઓ અધિકતર કલામય બનતી જશે એવી આશા રહે છે. ભાષા ઉપર તેમણે સારું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. નિરૂપણ પણ સુંદર લાગે છે. આ પુસ્તક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે (ગાંધી રસ્તા, અમદાવાદ), પ્રગટ કર્યું છે અને તેની કિંમત ગ઼. ૩-૫૦ છે. 4 ‘સમર્પણના જય ’ શ્રી જીવન-મણી સદ્ વાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રગટ થયેલ ‘સમર્પણની જય’ નામના વાર્તાસંગ્રહના લેખક છે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ. આ જ ટ્રસ્ટ તરફથી આ જ લેખકની બીજી ચાર કૃતિઓ પ્રગટ કરવામાં આવી છે. ૧. કામવિજેતા, ૨. રચિત્રાકુમારી, ૩. અદ્વૈત, ૪. પ્રભાતનાં પુષ્પો. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ સિદ્ધ વાર્તાલેખક છે. તેઓ અત્યન્ત ભાવુક પ્રકૃતિનાં છે અને તીવ્ર સંવેદનશીલ તેમનું હૃદય છે. આ વાર્તાઓમાં તેમની આ ભાવુકતા અને સંવેદનશીલતા સારા પ્રમાણમાં પ્રતિબિંબિત થઈ છે અને સમર્પણની ભાવનાને મુખ્યતા આપીને બધી વાર્તાઓની વસ્તુઓ નિર્માણ થઈ છે, સિવાય કે ‘કુડું અને કથરોટ–કોણ કોને હસે ?' આ વાર્તા આજની રાષ્ટ્રીય તેમ જ સામાજિક પરિસ્થિતિ અંગેનું એક કટાક્ષચિત્ર રજુ કરે છે. આ ભાવનાત્મક વાર્તાસંગ્રહમાં આ વાર્તા અસ્થાને લાગે છે. આ સંગ્રહની કિંમત રૂા. ૧-૫૦ છે અને ઉપર જણાવેલ ટ્રસ્ટ ઉપર હઠીભાઈના દેરા સામે, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ એ 5 સરનામે લખવાથી મળી શકે તેમ છે. પરમાનંદ G Page #212 -------------------------------------------------------------------------- ________________ મજ જીવન તા. ૧૧-૧૦-૬ એ દેશની ખાજે દયા! સભ્યોના વધારેલા લવાજમને મળેલી મંજુરી (સમર્પણુમાંથી સાભાર ઉધૂત) તા. ૮-૧૦-૯૬ ના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની અસાધારણ સામાન્ય સભાએ, તા. ૨-૯૬૬ ના રોજ મળેલી સંઘની દોસ્ત, સફરના સાથીએ, એ દેશની ખાશે દયા, કાર્યવાહક સમિતિએ આગામી ૧૯૬૭ના જાન્યુઆરી માસની પહેલી જ્યાં ધર્મને છાંટો નહીં, ફિકા છતાં ફાલી રહ્યા. તારીખથી સંઘના સભ્યોનું ચાલુ વાર્ધિક લવાજમ રૂા. ૫-૦૦ છે તે વધારીને રૂા. ૧૦-૦૦ કરવું એ મુજબને જેઠરાવ કર્યો છે તેને મંજૂરી સૂત સફર અંગ છે, પોતે ન પણ કાંતે વણે, આપી છે. આ રીતે આવતા વર્ષથી સંઘના સભ્યોએ વાર્ષિક લવાજમ જ્યાફત માણે, ન ભૂમિ પાક પિતાને લણે, પેટે રૂ. ૧૦-૦૦ ભરવાના રહેશે. આ બાબત તરફ સંઘના સર્વે સભ્યોનું લોક જે ઘરૂ વિદેશી રોજ ઢીચે ખંતથી ધ્યાન ખેંચવામાં આવે છે. વતન કે મધ પરંતુ જેમણે ચાખ્યું નથી; પ્રબુદ્ધ જીવનના લવાજમમાં વધારે રંગ છે બહાદુર! બિરદાવી લેકે ફેરવે, તા. ર૯-૬૬ ના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ કરેલા ઠરાવ અનુસાર “પ્રબુદ્ધ જીવનનું વાર્ષિક જે પ્રજા નાચી રહે ગુંડા કણકને ટેરવે, લવાજમ રૂ.૪ને બદલે ૭ કરવામાં આવ્યું છે. આ બાબતની જુના -ને દમામે જીતનાશને ગણે દાનેશરી, તેમ જ હવે પછી થનારા નવા ગ્રાહકોને નોંધ લેવા વિનંતિ છે. હાય, એવા દેશના જાણે, ગયા છે દી ફરી. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં, અન્યત્ર યાજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં, શ્રી ગુજરાતી કેળવણી મંડળ-માટુંગા, દ્વારા તા. ૧૧-૯-૬૬થી તા. ૧૬-૯-૬૬ સુધી જાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ ભરશિયા વિણ મેકવ્યું ગળું ના મૂકતાં, નીચે મુજબ હત:એકલી ડંફાસ ખંડેર મહીં જઈ ફકત. પ્રવચનકાર વિષય ભાંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે, શ્રી અમૃતલાલ બી. યાજ્ઞિક વર્તમાન સામાજિક પ્રશ્ન એ વિના જે હરફ હોઠે કાઢતાંયે થરથરે છે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ માનવી માનવ રહેશે? જણો એ લેકને કાજે રહ્યાં છે છાજ્યિાં શ્રી ગુલાબદાસ બ્રેકર સેવા અને શેષણ શ્રીમતી પૈર્યબાળા વેરા અમેરિકી સમાજનું દર્શન દોસ્ત સફરના સાથીએ, એ દેશની ખાજે દયા શ્રી હરિભાઈ વેલજી કોઠારી વ્યવહાર અને ધર્મ લોકનેતા લાંકડી શા જ્યાં પટના કાંધિયા, શ્રી કરસનદાસ માણેક રવીન્દ્રનાથ ટાગોર ભૂર ભાષાના મદારી હેય પંડિત વેદિયા, વેદાંતાચાર્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી માનવધર્મ નામ કૂટીને કળાનું થીંગડાં મારી ફરે, શ્રી અમદાવાદ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાતી “પર્યુષણ વ્યાખ્યાનમાળા” આ વર્ષે તા. ૧૧-૯-'૬૬ને રવિવારથી તા. ૧૮-૯-૬૬ જ્યાં જવાનું નક્ક નખરામાં ય ફિસિયારી કરે ! રવિવાર સુધી જવામાં આવી હતી. આ આઠ દિવસને કાર્યક્રમ નીચે પ્રમાણે હતે. નવા રાજને કહે વાજ વગાડીને, જિ ! વ્યાખ્યાતા વિષય જાય તો પાછળ ઉડાડી ધૂળ બેલે હૂરિ છે. ભોગીલાલ સાંડેસરા જૈન સાહિત્યના ભારતીય સંશોધક તે છતાં એ કોઈ બીજને ફરી સત્કારતા, આચાર્યશ્રી યશવંત શુકલ બન્ડ રસેલ અને લોકશાસન એ જ નેજા, એ જ વાં, એ જ ખમ્મા વાહવા! સાથ્વશ્રી નિર્મળાજી અપરિગ્રહ શ્રી કેશવરામ કા. શાસ્ત્રી સંસ્કૃતિનું સંકટ જાણએ એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પ્રાર્થના દોસ્ત, સફરના સાથીએ, એ દેશની ખાજે દયા! શ્રી બી. એન. આલોક યુદ્ધ અને ધર્મ શ્રી નવલભાઈ શાહ સમૃદ્ધ જીવન મૂક જર્જર જ્યાં મધ અવસ્થા કારણે, આચાર્ય શ્રી પુરુષોત્તમ માવળંકર વાસ્તyવતે જેમના શૂરા જ પઢયા હજી છે પારણે, આચાર્ય શ્રી એસ. વી. દેસાઈ જૈન ધર્મના બે સિદ્ધાંત: ભાગલા પાડી ઉડડે બનાખી જે ધજા અહિંસા અને અપરિગ્રહ ને બધા એ ભાગ પિતાને ગણે આખી પ્રજા ! છે. હીરાબહેન પાઠક શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ઝીણાભાઈ દેસાઈ આજનું શિક્ષણ - મારી દષ્ટિએ જશે એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં- શ્રી રવિશંકર મહારાજ વાર્તાલાપ દે, સફરના સાથીઓ, એ દેશની ખાશે દયા આચાર્ય શ્રી યશવંત શુકલ અન્યાશ્રય શ્રી એચ. એમ. પટેલ કેળવણીના સળગતા જૈન ખિલિલ જિબ્રાનના “પિટી ધ નેશન' કાવ્યને અનુવાદ શ્રી મનુભાઈ પંચોળી શિક્ષણમાં ધર્મ મકરન્દ દવે, ' આચાર્ય શ્રી એસ. આર. ભટ્ટ સર્વાર્થ માલિક શ્રી મુંબઈ જન યુવક સંધઃ મુદ્રકપ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ–8. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કટ, મુંબઈ Page #213 -------------------------------------------------------------------------- ________________ ) - -- Regd. No. MR. Ing ", ' વાર્ષિક લવાજમ રૂટ ૭ - 'પ્રબુદ્ધ જેનનું નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૩ પ્રબુદ્ધ જીવન - “ મુંબઇ, નવેમ્બર ૧, ૧૯૬૦, મંગળવાર આફ્રિકા માટે શિલિંગ ૯ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ' . કે સર્વોદય વિચારધારાનું સમ્યક્ સ્વરૂપ સાથે મતભેદને પ્રસંગ આવે ત્યારે એ મતભેદ જાહેર કરવાનું નીતિદૌર્યું તે બતાવે છે- એ અભિનંદનીય અને સ્વાગતાë છે.” આ બાબત હું પણ તમારી સાથે સહમત છું. શરૂઆતમાં આપે સ્પષ્ટ કર્યું છે તેમ સર્વશ્રી આચાર્ય તુલસી, રતનલાલ જોષી અને યજ્ઞેશ્વર દત્ત વચ્ચે જે ચર્ચા થઈ તે ગાંધીજી અને વિનેબાજીના વિચારો અને અણુવ્રતવિચારધારા એ બે વચ્ચે ભેદ સ્પષ્ટ કરે એવી છે, અને અણુવ્રત વિચારધારાને બરાબર સમજવાની દષ્ટિએ વિચારપ્રેરક છે એ સાચું છતાં, આ સંદર્ભમાં હું નમ્રતાપૂર્વક એક સ્પષ્ટતા કરવા " (શ્રી શંકરરાવ દેવના નામ અને કામથી પ્રબુદ્ધ જીવનના વાચકો અપરિચિત છે. આજથી સાડાત્રણ વર્ષ પહેલાં તેમની આગેવાની નીચે આતરરાષ્ટ્રીય આકારની એક મંડળી દિલ્હી–પેકીંગ યાત્રાનું આયેજન કરીને તા. ૧-૩-૬૩ના રોજ દિલ્હીથી પગપાળા રવાના થયેલ અને ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળા વટાવીને આસામમાં આવેલા મૈત્રી–આકામે તા. ૧-૧૧-૬૩ના રોજ પહોંચેલી. અહીંથી આગળ વધવા માટે ચીન–બર્માની પરવાનગી મેળવવી રહી. આ પ્રયત્ન પાછળ ત્રણ મહિના પસાર થયા પછી એક પણ બાજુએથી સરહદ ઓળંગવાની પરવાનગી ન મળતાં તા. ૩૦-૧-૬૪ના રોજ પ્રસ્તૃત મૈત્રીયાત્રા વિસર્જન કરવામાં આવી હતી. . આ ઘટનાને શ્રી શંકરરાવ દેવને ઘણા સખ્ત આઘાત લાગ્યો અને પરિણામે ઘણા લાંબા સમય તેમણે લગભગ નિષ્ટ દશામાં પસાર કર્યો. ઘણેખર સમય તેમણે શ્રી પ્રેમાબહેન કંટકની સંભાળ નીચે સાંસવડે આશ્રમમાં ગાળ્યો. ધીમે ધીમે તેમણે શારીરિક–વિશેથત: માનસિક-આરોગ્ય-સ્વાથ્ય પ્રાપ્ત કરવા માંડયું, જાણે કે બુઝાયલી ન હોય એવી તેમની ચેતના પુન: પ્રજજવલિત થવા લાગી. આ દરમિયાન દોઢેક વર્ષ પહેલાં તેમને આબુમાં મળવાનું બનેલું. તાજેતરમાં ગયા જુલાઈ મહિનામાં તેઓ મુંબઈ આવેલા ત્યારે તેમને ફરીથી મળવાનું બન્યું અને તેમની સાથે આશરે એક કલાક સુધી આજની રાજકીય પરિસ્થિતિ તથા ચાલી રહેલા સર્વોદય આન્દોલન વિષે ચર્ચા થઈ અને તેમનામાં પહેલાના શંકરરાવ દેવ પુનર્જીવિત થઈ રહ્યા હોય એ આનંદ તેમની સાથેના આ મિલનથી મને થશે. ત્યાર બાદ ઑગસ્ટ માસની શરૂઆતમાં તેમના તરફથી એક લાંબો ટાઈપ કરેલે પત્ર મને મળ્યું. એ પત્રમૂળ મરાઠીમાં છે તેને ગુજરાતી અનુવાદ અમુક સંક્ષેપપૂર્વક સૌ. મૃણાલિનીબહેને કરી આપ્યો, જે નીચે પ્રગટ કરતાં હું ખૂબ પ્રસન્નતા અનુભવું છું. આ પત્ર તેમના માનસિક સ્વાથ્યની પુનઃપ્રાપ્તિને ધોતક છે.' . શ્રી શંકરરાવ દેવ આજે પણ સાંસવડ આશ્રમમાં જ રહે છે; શરીર ઉપર હવે વૃદ્ધત્વની સારા પ્રમાણમાં અસર દેખાય છે, પણ માનસિક રીતે તેઓ પૂરા સ્વસ્થ અને જાગૃત બન્યા છે અને તેમનું ચિન્તન પણ વેગપૂર્વક ચાલી રહ્યું છે. પરમાનંદ) ' ' સર્વોદય વિચારધારાનું સન્મ સ્વરૂપ તા. ૧લી જુલાઈના પ્રબુદ્ધ જીવનમાં ‘અણુવ્રતવિચારધારા : સર્વોદય વિચારધારાના સંદર્ભમાં” આ વિશે આપે પ્રકીર્ણ નોંધમાં જે લખ્યું છે તેમાંના કેટલાક મુદ્દાઓ પ્રત્યે આ૫નું હું ધ્યાન ખેંચવા ઈચ્છું છું.' - ' નિધિમાં આપે છેલ્લે લખ્યું છે “આચાર્ય તુલસી વ્યાપક પ્રશ્નને વિચાર ગંભીરતાથી કરે છે–અને એમાં જયારે કોઈ અધિકારી વ્યકિત- ' 'આ ચર્ચાદ્રારા આJવ્રતી વિચારધારા અને ગાંધી-વિનેબાના વિચારો વચ્ચે ભેદ સ્પષ્ટ થાય છે એ બરાબર, છતાં આચાર્યશ્રીનાં કેટલાંક વિધાનથી ‘સર્વોદયવિચાર આવ્યવહારુ છે.’ એવી કાંઈક છાપ પડે છે–એમના મનમાં એ હેતુ ના પણ હોય–અને આ ચર્ચામાં સર્વોદય વિચાર અને સાધન બાબતે વિરતારથી વિચાર થાય એવી અપેક્ષા પણ નથી, છતાં એ વિશે કોઈ પણ ગેરસમજુતી થઈ શકે એવી સંભાવ્યતા ટાળવા માટે આ લખું છું. ' . ' - આચાર્યશ્રી કહે છે તેમ મહાવ્રતી હૃદયપરિવર્તનદ્રારા અન્યાય દૂર કરવાનો પ્રયત્ન કરે છે, છતાં વ્યવસ્થાને પણ માન્ય રાખે છે. અણુવ્રતી. પોતે આક્રમણ ના કરે પણ એના પર કોઈ આક્રમણ કરે તે એ પ્રતિકારને નિષેધાણં નહીં માને. એવા પ્રતિકારમાં શસ્ત્રોને ઉપયોગ કરવો પડે એ હિંસા છે. પ્રતિકારાત્મક પ્રક્રિયાને અહિંસાત્મક માનવી એ ભ્રમ છે. વળી વ્યકિત આદર્શોનું પૂર્ણાશે પાલન કરી શકે, રાષ્ટ્ર અથવા સમાજને માટે એ શકય નથી. રાષ્ટ્ર પાસે સૈન્ય ના હોવું જોઈએ એવી સર્વોદયની માન્યતા હોઈ શકે, પણ અણુવ્રતી. વ્યવહારની દષ્ટિએ જુએ છે. સર્વોદય શાસનવિહીન સમાજની કલ્પ નામાં રાચે છે ત્યારે અણુવ્રતી વ્યવસ્થાપ્રધાન સમાજને આદર્શ રાખે છે. મહાવ્રત એ સમાજ માટે નથી, 31 માટે છે. લાખોમાં એકાદ બે જ મહાવ્રત સ્વીકારે છે. મહાવ્રતી પદયાત્રા કરે, સમાજ ના કરી શકે. મહાવ્રતીની ક્રિયામાંથી સમાજને પ્રેરણા મળે. એવી પ્રેરણા વડે લોકો સમાજમાં રહી શુદ્ધતા સાચવી શકશે. અણુવ્રત આંદોલન વડે સાધુઓ, મુનિ અને ગૃહસ્થને એકબીજા સાથે સાંધે એવી કડીઓ નિર્માણ થશે અને અત્યાર સુધી એવી કેટલીક વ્યકિતઓ તૈયાર થઈ પણ છે. અણુવ્રત વિષેની ચર્ચામાં આ મુદ્દાઓ મુખ્યત્વે ચર્ચાયા છે.? ' ' , ' , , , , અન્યાયી વ્યકિતનું મહાતી હૃદયપરિવર્તન કેવી રીતે કરે એ અહીં સ્પષ્ટ રીતે કહ્યું નથી. સામાન્ય ગૃહસ્થ હૃદયપરિવર્તન કરી શકે એવું એ માનતા હશે એવું લાગતું નથી. કારણ પ્રતિકાર માટે ગૃહસ્થને શસ્ત્ર વાપરવું પડે, તેનું તેઓ સમર્થન કરે છે, અને Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રબુદ્ધ જીવન ' આ વાત પૂરી કરવાની દૂર કરવાનો માનું આવરણ-આર એને વ્યવહારુ ગણી અજાણતા સર્વોદયને “અવ્યવહારુ’ ઠરાવે છે! એ હકીકત છે. સામ્યવાદમાં (૧) ઉત્પાદન, વિભાજન અને વિનિ જગતના બધાં જ ધર્મપંથમાં અનુયાયી-અનુયાયી વચ્ચે ભેદ મયનાં સાધન પર સમાજની માલિકી હોવી જોઈએ. (૨) દરેક માનવામાં આવ્યા છે. સંન્યાસી તથા સંસારી, સાધુ તથા સામાન્ય, વ્યકિતએ પોતાની શકિત પ્રમાણે સમાજની સેવા કરવી અને સમાજે ભિક્ષુ તથા ગૃહસ્થ એવા વર્ગોમાં સંન્યાસી અને ભિક્ષુઓને શ્રેષ્ઠ વ્યકિતની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવી - આ બે મુખ્ય પાયાનાં માન્યા છે, એમને માર્યા ગણી એમને માટે નિશ્ચિત આચાર સંહિતા તત્ત્વ છે. છેલ્લાં ચાળીસ વર્ષમાં આપણે જોઈ શકયા કે સામ્યવાદ બતાવી છે અને બાકીને સમાજ પેટ ભરવા પાછળ પડવાને એવું આ તો પ્રત્યક્ષમાં લાવી શકયો નથી. કારણ એ વિચારપદ્ધતિમાં ધારી એમને માટે ધર્મપ્રણીત પરંતુ બીજા જ આચારવિચારો બતાવ્યા માનવનું સ્થાન ‘એક ભૌતિક પ્રાણી જેવું છે. માનવીની નૈતિક કે છે એ ઠીક, પરંતુ જેઓ મોક્ષાર્થી છે એમને પણ પેટ છે અને આધ્યાત્મિક શકિતને એમાં વિચાર જ નથી. માની કલ્પનામાં રમતો આદર્શ સમાજ માનવ નિર્માણ કરી શકશે, જ્યારે માનવીએને ભરવું પણ પડે છે એ હકીકત છે, અને એ મોક્ષાર્થી વર્ગના મનનું અધ્યાત્મીકરણ થઈ નવમાનવીનું સર્જન થશે ત્યારે. યોગક્ષેમની જવાબદારી આખરે સામાન્ય સમાજને જ સોંપવામાં આવે - સર્વોદય આ આખી વસ્તુને જુદી રીતે વિચારે છે. ભૌતિકતા. છે. મેક્ષાર્થીના યોગક્ષેમ માટે જે અર્થાર્જન કરવું પડે તે અધર્મથી એ માનવતાનું એક અંગ છે, છતાં નૈતિકતા અને આધ્યાત્મિકતા ના કરવું એવી આજ્ઞા આ બધા ધર્મો કરે છે; સત્ય અહિંસા, અપરિ એ માનવતાના પ્રધાન અંગે છે એવી સર્વોદયની માન્યતા છે. ગ્રહ એવાં વ્રતોનો ઉપદેશ પણ કરે છે; છતાં વ્યવહારમાં સામાન્ય માનવના વિકાસ અને કલ્યાણ અર્થે આ બે અંગોને વિકાસ સાધવ માણસે આ ઉપદેશ અને વ્રત બાજુ પર મૂકી પિતાને અને પડશે એવી સર્વોદયની ધારણા છે. પિતાની જરૂરિયાતો પૂરી કરવા સંતોને યોગક્ષેમ કરવા માટે ભાગે અધાર્મિક અને અનૈતિક ગણાય માટે માનવ જ્યારે ભૌતિક સાધનો સ્વીકારે છે ત્યારે પરિણામરૂપે એવા માગે સ્વીકારે છે. છતાં અત્યાર સુધી કોઈ પણ ધર્મમાં સંસારી ઈર્ષ્યા, અસૂયા, હિંસા અને સંઘર્ષ નિર્માણ થાય છે. સ્વાભાવિક એવા ગૃહસ્થ ધર્મમાર્ગથી અર્થોત્પાદન શી રીતે કરવું તે બદલ કશું નિશ્ચિત આ આધ્યાત્મિક, નૈતિક માનસ પર આ ભૌતિકતાનું આવરણ-આચ્છામાર્ગદર્શન કરાવવામાં આવ્યું નથી તથા સાધુઓએ પિતાના દેન ચડે છે એ આચ્છાદન દૂર કરવાનો માર્ગ એક જ છે. પિતાની જીવનમાં એવા પ્રયોગો કરી એવાં આદર્શ નિર્માણ કર્યા નથી–આ. જરૂરિયાત પૂરી કરવાનાં સાધને નૈતિક અને આધ્યાત્મિક રાખવાં. હકીકત છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થો છે એમ આ તત્વને પ્રથમ ઉચ્ચાર ગાંધીજીએ કર્યો અને એવી શાસ્ત્રશુદ્ધ કહેનાર હિંદુ ધર્મ પણ આ ક્ષતિ ધરાવે છે. કારણ સાચા અર્થમાં મેક્ષ જીવનપદ્ધતિ શોધી કાઢવા માટે સમાજજીવનના વિવિધ ક્ષેત્રમાં એ એક જ પુરુષાર્થ માની એ વિશે વિસ્તૃત વિવેચન સર્વત્ર કર્યું છે. પ્રયોગો પણ કર્યા. અર્થ અને કામ એ આ અંતિમ સિદ્ધિની આડે આવે છે—ધર્મથી - ગાંધીજીના મંત્ર અને તંત્ર તથા વિજ્ઞાન એકબીજા સાથે એમનું નિવારણ કરવું એવી ભૂમિકા લેવામાં આવી છે. એમાં પણ સુસંગત છે. અધ્યાત્મવાદ જે અંતિમ સત્યની શોધમાં રહે છે ધર્મમાર્ગે અર્થ અને કામને પ્રાપ્ત અથવા તૃપ્ત કેવી રીતે કરવા તે જ સત્ય–વર્ણ, જાતિ, ધર્મ, રાષ્ટ્ર વિ.ના ભેદના પડ નીચે પડેલો એની તર્કશુદ્ધ શાસ્ત્રીય પદ્ધતિ કોઈ વ્યકિતએ, પંથે કે સમાજે માનવમાત્ર એક છે-વિજ્ઞાન પણ સિદ્ધ કરે છે. આ સત્યશોધનમાં બતાવી નથી. ખરું જોતાં એવી શાસ્ત્રશુદ્ધ પદ્ધતી શોધી, એ અંગેના નિસર્ગનિયમોનું જ્ઞાન માનવને મળ્યું છે. તેથી એના હાથમાં પ્રયોગ કરી, સમાજ અને વ્યકિત માટે એને સ્વીકાર્ય બનાવી સમા અસીમ શકિતઓ પણ આવી છે. આ શકિતઓ વડે ભૌતિક સુખ જને એ સ્વીકારવા માટે શિક્ષણ આપવું એ મેક્ષાર્થી સાધુઓની મેળવવા પાછળ એ પડે છે ત્યારે આત્મશોધન બાજુ પર મૂકી ધર્મસાધનાનું એક અનિવાર્ય કર્તવ્ય હોવું જોઈએ. જગતના ધર્મોમાં સિદ્ધિઓની જાળમાં ફસાયેલા સાધક જેવી એની દશા થાય છે. આ અક્ષમ્ય એવી ક્ષતિ રહી ગઈ છે, તેથી જ આજે બધા ધર્મો શાસ્ત્રો વડે સત્ય પ્રાપ્ત કરી, સત્યથી નૈતિક અને આધ્યાત્મિક વિકાસ સાધ્યા વગર ભૌતિક સુખ માટે એ સિદ્ધિઓને ઉપયોગ કરવામાં નિષ્ણાણ બની ગયા છે. આજના વિજ્ઞાન યુગમાં ધર્મને માટે - વિવેક રહેતો નથી, સંયમ રહેતો નથી. કોઈ સ્થાન રહ્યું નથી. સાધુ કે ગૃહસ્થ કોઈના જ જીવનમાં શુદ્ધ - વિજ્ઞાન અને યંત્રને વિચાર ગાંધીજી આ રીતે કરતા હતા: ધર્મ પ્રવેશી જ શકય નથી. કારણ યોગક્ષેમ ચલાવવા માટે જે અધ ગાંધીજી વિજ્ઞાન અથવા યંત્રની વિરુદ્ધ હતા એવી માન્યતા ભૂલમચરણ થાય એ જાણ્યા છતાં એનું નિરાકરણ કરવાને રસ્તે સંતોએ ભરેલી છે. એમની જીવનદષ્ટિ વિજ્ઞાનશુદ્ધ જ હતી. યંત્ર એ સાધન જગતને બતાવ્યો નથી. એટલે એ અધર્માચરણની જવાબદારી એમને છે. એનો ઉપયોગ કરવામાં વિવેક રાખવો, ભેગલાલસાથી પ્રેરાશિરે પણ છે. જગતના સંતોએ જીવનને, એના સંપૂર્ણ સ્વરૂપને ઈને યંત્રના ગુલામ ન બનવું એવી એમની ભૂમિકા હતી. વિનોવિચાર કર્યો હોત તે સમાજમાં સંત અને રાંસારી આ ભેદ જ રહ્યો બાજીના વિચારો તે એનાથી પણ વધારે સ્પષ્ટ છે. માનવીની નૈતિક ન હોત. માનવમાત્રને મોક્ષના માર્ગને અધિકાર મળત. ઈર્ષા, હિંસા અને સંઘર્ષને ટાળી માનવમાત્રને સમૃદ્ધિ, સંતોષ અને કૃતાર્થતા અને આધ્યાત્મિક શક્તિનો વિકાસ સાધવા માટે આણુશકિતને ઉપપામવાનો માર્ગ સાંપડયો હોત. ગ પણ કરવામાં પ્રત્યાય નથી- ભૌતિક સુખ માટે એ શકિત ના * હિંદુ ધર્મમાં સત યુગનું ભવ્ય ચિત્ર છે. પરંતુ એમાં જે શાન્તિ, વાપરવી એવું એમનું માનવું છે. ગાંધીજીએ આર્થિક ઉત્પાદનમાં સુખ, સંતોષનું વર્ણન કર્યું છે તે માનવ પિતાના પુરુષાર્થથી શી વિકેદ્રીકરણ કરવાનું કહ્યું ત્યારે વિનોબાજી સમાજવ્યવસ્થામાં જ વિકેદ્રીકરણ લાવવા માગે છે. ઉત્પાદન, વિભાજન, માનવીને પરસ્પર રીતે પ્રાપ્ત કરી શકે તે બદલ કશું કહ્યું નથી. સત્ય, કૃત, દ્વાપર અને સંબંધ એ બધાં વચ્ચેની સંગતિની પ્રક્રિયાઓ વિનોબાજીએ સ્પષ્ટ કલિ આ એક કાળચક્ર છે—સત યુગના નિર્માણમાં અથવા હતિમાં રીતે બતાવી છે. માનવી-કર્તુત્વને ફાળે- સમાજને કે વ્યકિતને-હોવાની કાંઈ પણ જરૂર - ગાંધીજી ઘણા નમ્ર બની એમ કહે છે કે હું કશું નવું નથી એમાં લાગતી નથી. . અર્વાચીન ઈતિહાસમાં કાલ માકર્સે ધર્મને બાજુપર મૂકી, ' કહતે; મેં કોઈ નવું સત્ય શોધ્યું નથી, પણ સનાતન સત્ય ઉપર ન પ્રકાશ પાડવા હું મથું છું. એ એમને વિવેક છે, છતાં એમને સત્યનું સમતા અને ન્યાય એ તનું અવલંબન લઈ માનવમાત્રને સમૃદ્ધિ, એક નવું જ પાસું મળ્યું છે અને એમણે એ જગત સમક્ષ મૂક્યું છે સંતેષ અને શાન્તિ મળી શકે અને શાસનરહિત, વર્ગવિહીન સમાજ નિર્માણ થાય એવી કલ્પના દુનિયા સમક્ષ રજુ કરી છે. અર્થ અને એ હકીકત છે. સત્યનું સ્વરૂપ નિત્યનૂતન છે. એમની પોતાની કામપ્રાપ્તિની એક સંહિતા અથવા તે શાસ્ત્રીય પદ્ધતિ એણે તૈયાર એ અનુભૂતિમાંથી સત્યાગ્રહ, રચનાત્મક કાર્યક્રમ, નવસમાજનિર્મિતી કરી છે. પણ માકર્સવાદમાં હિંસાને માન્યતા આપી છે; તેથી સામ્ય- સમાજના વિશ્વસ્તરની કલ્પના–આ અભિનવ જીવનદષ્ટિ તે આપી વાદ પણ સમાજમાંથી ઈર્ષ્યા, સંઘર્ષ કે અશાંતિ દૂર કરી શકી નથી શકયા. સત્ય અહિંસાદી મહાવ્રત જીવનમાં ઉતારી સત્યયુગનું સર્જન Page #215 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧-\ માનવી પાતાના પુરુષાર્થથી કરે... એ પુરુષાર્થના તર્કશુદ્ધ માર્ગ સર્વોદય વિચા૨ે બતાવ્યો છે. એવા સત્યયુગને ગાંધીજી રામરાજ્ય કહે છે. રામરાજ્યમાં સાધુ, સંન્યાસી, ગૃહસ્થ એવા કોઈ ભેદભાવ નથી. સુખ, સંતોષ અને શાંતિના અધિકાર માનવ માત્રને છે. સત્ય અને અહિંસાના પાલનથી જીવનસાધના કરવાથી માનવને એ પ્રાપ્ત થશે એવી એમની માન્યતા છે. અર્થ અને કામ એ બંનેની પ્રાપ્તિ ધર્મમાર્ગથી કેમ થઈ શકે એ વિશે વિચાર અને સંશોધન કરી વ્યકિતગત અને સમાજજીવનમાં એ પ્રત્યક્ષ કેમ લાવી શકાય એના પ્રયોગો કરવામાં ગાંધીજી અને વિનોબાજી બંનેએ પેાતાનું જીવન વ્યતીત કર્યું છે. યુદ્ધના નૈતિક પર્યાય તરીકે ગાંધીજીએ સત્યાગ્રહ શોધી કાઢ્યો. સત્યાગ્રહમાં અહિંસાત્મક અસહકાર પણ અભિપ્રેત છે. આક્રમણ અને અરાજક બંનેનો સામનો કરવાની શકિત સત્યાગ્રહમાં છે. સત્યાગ્રહથી બે શત્રુઓ વચ્ચે વેરાગ્નિ સળગતા નથી, પણ શાંત થઈ બંને મિત્ર બની જાય છે. અરાજક મટી સુવ્યવસ્થિત શાંતિપ્રિય સમાજનું સર્જન સત્યાગ્રહ કરે છે એવા ગાંધીજીના દાવા હતા. ગાંધીજીના નિર્વાણ પછી વિનોબાજીએ આ જ તત્વને આધારે શાંતિસેના સ્થાપન કરી છે. શસ્ત્રસજજ સૈન્યની માફક શાંતિસેનાની કલ્પના Standing army જેવી ના હોય, પણ રાષ્ટ્રના દરેક નાગરિક શાંતિસૈનિક હાય... અહિંસાનું પાલન કરી નિગ્રહથી પેાતાનું સ્વાતંત્ર્ય રક્ષે એ શાંતિસૈનિક. આવી શાંતિસેનાને તાલીમ આપવી એ સર્વોદય વિચારનું કાર્ય છે. આ કાર્યની પરિણતી એ સેના પણ વિરામ પામે અને માત્ર શાંતિનું અસ્તિત્વ જગતમાં રહે-એવી હોય. યુદ્ધ અવન આજે સમતા અને ન્યાય પર આધારિત સમૃદ્ધ, શાંત અને સંતોષી સમાજ એ એક સુંદર આભાસ-સ્વપ્ન લાગે. કારણ અર્થ અને કામની પ્રાપ્તિ માટે ધર્મવિહિત માર્ગ હોઈ શકે એ જ અશકય લાગે છે—એની શકયતા કોઈએ સિદ્ધ કરી બતાવી નહોતી, અને એટલે જ સમતા અને ન્યાય મેળવવા માકર્સે પણ હિંસાનું અવલંબન સ્વીકાર્યું, જેથી અમુક અંશે ભૌતિક સમૃદ્ધિ માનવીને મળી, છતાં ઈર્ષ્યા, સંઘર્ષ અને અશાંતિનું વર્ચસ્વ જીવનમાં વધતું ગયું. મારુંતારું—એ ભાવમાંથી ભય નિર્માણ થાય—અને એ ભયથી જ દંડનીતિ પર આધારિત એવી રાજનીતિ જન્મે. અવિશ્વાસ અને હિંસા પ્રબળ થાય. માનવની નૈતિક અને આધ્યાત્મિક શકિત વધે ત્યારે એ નિર્ભય બને. માનવમાત્ર સમાન છે એ સત્ય સમજ્યા પછી મારાતારાના ભાવ નષ્ટ થાય અને રાજનીતિને બદલે લોકનીતિની સત્તા સ્થાપિત થાય. વ્યવહારનું શુદ્ધ સ્વરૂપ પ્રેમ, વિશ્વાસ ને સહકારની ભાવનાથી લોકો પોતે જ ઘડશે. આ સાચી લોકશાહી. આ જે માત્ર સ્વપ્ન લાગતું હોય તો ‘સત્યુગ’ એ પણ સ્વપ્ન જ છે. એવું કહેવું પડશે. ગાંધીજીનું સત્યાગ્રહ એ શસ્ત્ર. એ શસ્રના પણ આજે દુરુપયોગ થાય છે. એનો અર્થ જ બદલાઈ ગયો છે. આગ્રહ' બલિષ્ઠ થઈ ‘સત્ય’ને દાબી નાંખે છે. આ વૃત્તિને અટકાવવા વિનાબાજી સત્યાગ્રહને અહિંસાત્મક સહકાર તરીકે ઓળખાવે છે અને એમણે પેાતાની જીવનસાધના તરીકે સત્યાગ્રહને સ્વીકાર કર્યો છે. ગાંધીજીએ પ્રથમ ‘સત્યાગ્રહ' શબ્દ વાપર્યો ત્યારે નિ:શસ્ત્ર પ્રતિકાર' એવા અર્થ એમાંથી અભિપ્રેત થયા હતા. છતાં ગાંધીજીને પોતાને નિશસ્ત્ર પ્રતિકારમાં અપ્રત્યક્ષ હિંસાને જે સ્થાન મળી શકે એમ છે તે માન્ય ના હાવાથી એમણે ‘સત્યાગ્રહ' શબ્દ વાપર્યો. પ્રતિકાર હોય કે સહકાર હાય પણ નમ્રતા, તટસ્થતા, અને અનાગ્રહી વૃત્તિ આ ગુણો સત્યાગ્રહીને માટે તો શું પણ વૈજ્ઞાનિકને માટે પણ આવશ્યક છે. આ વિવેચનના સાર તરીકે કહેવાય કે ‘સત્ય’–ધર્મનું આચરણ કરવાથી માનવી જીવનમાં અમૂલાગ્ર ક્રાન્તિ થશે અને નવમાનવનું નિર્માણ થશે. આ નવમાનવનાં જીવનવ્યવહારનાં મૂલ્યો પણ નવાં હશે. એમાં અસૂયા, હિંસા, ઈર્ષ્યા, અશાંતિને સ્થાન નહીં હોય. પ્રેમ, વિશ્વાસ, સહકાર એ એનાં જીવનમૂલ્યોના માનદંડ હશે. સર્વોદય વિચારને જે રીતે હું સમજ્યો છું તે સંક્ષેપમાં આ પત્રમાં રજુ કરવા મેં પ્રયત્ન કર્યો છે. અનુવાદ : સૌ. મૃણાલિનીબહેન દેસાઈ મૂળ મરાઠી: શ્રી શંકરરાવ દેવ પ પણ ટ ૧૯ વ્યાખ્યાનમાળા: સમાલાચના પ્રાસ્તાવિક ગાંધીજીના અવસાન પછીના લગભગ બે દાયકા જેટલા ગાળામ આપણું પ્રજાજીવન (વૈયકિતક અને સામૂહિક) ધારી ન શકાય તેટલી સ્વરાથી અને તેટલી હદ સુધી વિકૃત થઈ ગયું છે એમ તટસ્થ નિરૂપણકારને લાગ્યા વિના નહિ રહે. વિજ્ઞાન વિષે કહેવાય છેઅને તે સાચું છે—કે સામાન્ય સંજોગામાં વિજ્ઞાનને જે પ્રગતિ કરતાં ચારસો વર્ષ લાગે તે પ્રગતિ તેણે છેલ્લાં ચાલીસ વર્ષમાં કરી છે. આપણું પ્રજાજીવન પણ પ્રધાનપણે વિજ્ઞાનની સિદ્ધિઓ, બુદ્ધિવાદ અને પ્રત્યક્ષવાદના પ્રબળ પ્રભાવને લીધે છેલ્લાં વીસેક વર્ષમાં જે વિકૃતિ પામ્યું છે તે અન્ય સામાન્ય સંજોગામાં પામતાં સૌ વર્ષ નીકળી જાય. વિકૃતિ શબ્દ હું અહીં વાપરું છું તે તેના બંને અર્થમાં: વિકૃતિ એટલે કેવળ પરિવર્તન, ફેરફાર - જે ઉન્નતિ કે અવનતિ તરફ લઈ જાય. અને વિકૃતિનો બીજો અર્થ છે સડો, હ્રાસ, અવતિ, અધોગિત. એટલે આપણા પ્રજાજીવનમાં આમૂલ પરિવર્તન થયું છે અને વિનેં બાજી, જયપ્રકાશ નારાયણ, રવિશંકર મહારાજ, વિમલા ઠકાર વગેરે અનેક જીવન દષ્ટાઓના અવિરત પરિશ્રમ છતાં એ પરિવર્તન સરવાળે પ્રજાજીવનને અવનતિ તરફ લઈ જતું રહ્યું છે એ કટુ સત્ય સ્વીકારવું જ રહ્યું. ગાંધીજીના નેતૃત્ત્વના ત્રીસેક વર્ષના ગાળામાં અને તે પહેલાંના કોઈ પણ કાળમાં—પ્રજાજીવન સર્વથા દૂષણમુકત કે આદર્શરૂપનું તે નહોતું જ. આપણી સમાજવ્યવસ્થા, આચાર, વ્યવહાર, ધર્મ, નીતિ વગેરે જીવન - ક્ષેત્રામાં અનેક ઊણપો અને દૂષણો હતાં; છતાં જીવનના દરેક ક્ષેત્રમાં પાયારૂપે સ્વીકારાયેલા કોઈ આદર્શ હતા, સિદ્ધાન્તો હતા, મર્યાદાઓ અને આમન્યાઓ હતી. ગાંધીજીએ પ્રજાજીવનને સર્વથા વિશુદ્ધ બનાવવાના હેતુથી સાધ્યશુદ્ધિની સાથેાસાથ સાધનશુદ્ધિના આગ્રહ રાખ્યો. “End justifies the means; nothing succeeds like success”.- જેવાં જીવનસૂત્રેામાં પ્રતીત થતી સ્વાઈપરાયણ અને હિંસાપ્રધાન જીવનદષ્ટિથી દૂર રહેવા પ્રજાને ચેતવી, એટલું જ નહીં પણ, ખટપટ, છળ, કપટ, સ્વાર્થ, હિંસા વગેરે તત્ત્વોથી ઊભરાતા રાજકારણને સત્ય અને નીતિ સાથે સાંકળવાન ભગીરથ પ્રયત્ન પણ તેમણે કર્યો. અને આજે? આપણું વૈયકિતક અને સામૂહિક પ્રજાજીવન અપ્રતિષ્ઠ (પાયા વિનાનું) અને કેન્દ્રત (de–centred) થઈ ગયું છે. આજે આપણા જીવનવ્યવહારમાં કોઈ આદર્શ, કોઈ સિદ્ધાંત, કોઈ મર્યાદાઓ કે આમન્યાઓ નજરે આવતી નથી. કેવળ સ્વાર્થપરાયણતા અને ભાગવાસનાને ઘ્રુવતારક ગણીને જીવનવ્યવહાર કરીએ છીએ. આજે માત્ર રાજકારણને નહીં પણ ધંધારોજગાર, વેપાર વગેરેને પણ સિદ્ધાન્તો કે નીતિ - ધર્મ સાથે કઈ સંબન્ધ નથી એમ આપણે માનતા થયા છીએ. ભગવદ્ગીતામાં માનવીની હીન – આસુરી – વૃત્તિનું વર્ણન કરતાં કહ્યું છે કે આસુરીવૃતિવાળા માણસ માને છે કે કામેાપભાગ અને તેને માટે ધનસંચય એ જ પરમ પુ ુષાર્થ છે; તે અનેક ઝ ંખનાઓ કરે છે; અન્યાયથી પણ પોતાના સુખચેન માટે ધન એકઠું કરવા મથે છે અને માહથી સાચાં ખાટાંના ભેદ ભૂલી જઈને પ્રવૃત્તિઓ કરે છે. આ વર્ણનમાં આપણી આજની પરિસ્થિતિનું હૂબહૂ પ્રતિબિમ્બ નજરે નથી આવતું? કશા પણ સાચા કારણ વિના વસ્તુઓના ભાવ વધારી દેવા, કૃત્રિમ રીતે વસ્તુની અછત - તંગી - ઉપજાવવી, નકલી માલ સાચા માલ તરીકે ખપાવવા, પહેરવા ઓઢવાની જ નહીં પણ ખાવાપીવાની ચીજોમાં પણ સેળભેળ કરવી અને તે પણ માનવજીવનને હાનિ પહોંચાડે - ઈજા કરે તેવા પદાર્થોની, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા માંદગીને બિછાને પડેલા માણસને જોઈતી મોંઘી દવાઓમાં ચાકના ભૂકા જેવી Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-4. ભેળસેળ કરી પાંચ પૈસા કમાવાની તક લેવી - આ બધી પ્રવૃત્તિઓની પાછળ રહેલી મનોવૃત્તિ કેટલી માનવતાવિહોણી, કેટલી આસુરી છે? આ વૃત્તિની પરાકાષ્ઠા તે આપણા જ કોઈ પ્રતિષ્ઠિત વેપારીએ થોડા સમય પહેલાં પશ્ચિમ જર્મનીની એક યંત્ર - સામગ્રી બનાવનાર પેઢીને કરેલી પૂછપરછમાં વ્યકત થાય છે. આ વેપારીભાઈએ જર્મન પેઢીને પૂછાવ્યું હતું કે ચેખાના દાણા જેવા અને જેવડા પત્થરના દાણા પાડવાનું મશીન તમે બનાવી આપશે કે કેમ? જર્મન પેઢીવાળાને આ પૂછપરછથી આશ્ચર્ય નહીં પણ તેની પાછળ રહેલી માનવતાવિહોણી દૂર વૃત્તિ પ્રત્યે તિરસ્કાર ઉપજો; તેણે જર્મન સરકારને કાને આ વાત નાખી અને જર્મન સરકારે આપણા દેશની સરકારને આની જાણ કરી. લોભને નહીં થોભ ! ' - આ હકીકતને ઈન્કાર તે થઈ શકે તેમ નથી. પણ તે તે વર્ગના કોઈ કોઈ પ્રતિનિધિ તરફથી બચાવરૂપે કહેવાતું સાંભળીએ છીએ કે દરેક ધંધામાં કે ક્ષેત્રમાં બે પાંચ ટકા વ્યકિતઓ જ આવું કરતી હોય છે. તેને વાંકે એ આખા વર્ગને જવાબદાર ન ગણવો જોઈએ. દલીલ ખાતર આ બચાવ સ્વીકારી લઈને આપણે પૂછી શકીએ કે આજના સમયમાં દરેકે દરેક ધંધા કે વેપારના ક્ષેત્રમાં સંઘે (Council Chamber Association Corporation) સ્થપાયાં છે અને દરેક વર્ગના હિત સાચવવાના એ દ્વારા પ્રયને થાય છે. તે આ સંઘ પિતાના સભ્યોમાંના જે પાંચ સાત ટકા જેટલા સભ્ય ગેરરીતિઓ યોજતા હોય તેને તેમ કરતાં અટકાવવા માટે કેમ કંઈ પ્રવૃત્તિ કરતા નથી ? કોઈ પણ વેપારક્ષેત્રના આવા સંઘે નફાખોરી, ભેળસેળ વગેરે કરતા એક પણ સભ્યને કોઈ પણ પ્રકારે સજા કરી હોય કે વડો હોય એવો એક પણ દાખલો આપણે સાંભળ્યો નથી. હકીકતમાં તે આ અનાચાર માટે જવાબદાર સ્વાર્થવૃત્તિ કેટલી પ્રબળ બની છે અને આ અનાચાર કેટલો વ્યાપક બન્યો છે તેને ખ્યાલ આપતે એક પ્રસંગ હમણાં જ બન્યો છે. શ્રી જે. આર. ડી. તાતા અને શ્રી અરવીંદ મફતલાલ જેવા સાધનશુદ્ધિને આગ્રહ રાખનારા અગ્રણી ઉદ્યોગપતિએ.ને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ અને ધંધાદારીઓ માટે આ ર-સંહિતાની આવશ્યકતા જણાઈ છે અને થોડા દિવસ પહેલાં જ એ કાર્ય માટે એક સંસ્થાની સ્થાપના પણ કરાઈ છે. આ અત્યન્ત સ્તુત્ય અને અધમવૃત્તિ અને પ્રવૃત્તિ માંથી પાછા ફરવાની હાક્લ કરતી સંસ્થાને કેટલો અને કેવો સહકાર મળે છે એ જાણવું પણ રસપ્રદ થઈ પડશે. . આવી સંસ્થાઓની સફળતા અંતે તો તેના સભ્યોના સહકાર અને નિષ્ઠા ઉપર જ અવલંબે છે. That government is the best, which governs the least (એ સરકાર કોષ્ઠ ગણાય જેમાં શાસન ઓછામાં ઓછું હોય.—આ વિધાનને પણ મર્મ પણ એ જ છે. જે દેશમાં દરેક વ્યકિત પોતાના ધર્મ, કર્તવ્ય, મર્યાદાઓ વગેરેને આપોઆપ અનુસરે તે દેશમાં સરકાર જેવી બાહ્ય સંસ્થાએ બહુ ઓછું જ અથવા ન જેવું–શાસન કરવાનું હોય. બીજા શબ્દોમાં કહીએ તે સ્વશાસન એ જ વ્યકિત અને સમષ્ટિના યોગક્ષેમને સાચે માર્ગ છે. આ સ્વ–શાસન આપણે કઈ રીતે સિદ્ધ કરી શકીએ તેના અનેક ઉપાયો પર્યુષણ વ્યાખ્યાનમાળામાં નિરૂપાતા વિષયોમાંથી આપણને મળી રહે છે. માગે અનેક હોય ' અન્તિમ લક્ષ્ય એક જ છેમાનવ થવું તે. પ્રસ્તુત સમાલોચના '' આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા સપ્ટેમ્બરની ૧૧મીથી ૧૮ મી સુધી ‘બિરલા કીડા કેન્દ્રમાં યોજાઈ હતી. આ વર્ષે પણ શ્રી પરમાનંદભાઈ તથા શ્રી જૈન યુવક સંઘના નિમન્ત્રણથી આઠેય દિવસની 'સભામાં હાજર રહેવાની તક મને મળી હતી. આ વ્યાખ્યાનમાળાનું સ્વરૂપ આજે તે નિશ્ચિત થઈ ચૂકયું છે, સાચા અર્થમાં - એ જ્ઞાનસત્ર બની રહેલ છે. વિષયોમાં કે વકતાઓમાં કોઈ નિયન્ત્રણ નહિ, સંસારના વિશાળ પટમાંથી જેને જે કંઈ ઉદ્ધારક કે પાવક તત્ત્વ લાધ્યું હોય તે એ તત્વ શ્રોતાઓ સમક્ષ રજૂ કરે. સરવાળે, ઊર્ધ્વમુખ જયોતવાળી દીપમાળાની પેઠે આ વ્યાખ્યાનમાળા પણ ઊધ્વભિમુખ જ્યોતિપુંજ બની રહેશે. પહેલા દિવસનાં બે વ્યાખ્યામાં હું બહારગામથી આવતાં ટ્રેન ખૂબ મોડી થવાથી હાજર ન રહી શકયો. આમ શ્રી ગગનવિહારી મહેતાનું “થર અને ગાંધીજી વિશેનું અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું ‘શું માનવી સ્વત્વવંચિત બની રહ્યો છે?” વિષેનું – એમ આપણા બે અભ્યાસનિષ્ઠ અને વિચારનિષ્ઠ વકતાઓનાં વ્યાખ્યાનને લાભ ન લઈ શકયો. શ્રી સૌદામિનીબહેન મહેતાએ ‘માર્ટીન લ્યુથર કીંગ’ વિષેના વ્યાખ્યાનમાં એ પ્રસિદ્ધ અમેરિકન હબસીને નાના જીવનનું નિરૂપણ કરતાં તેના બાલ્યકાળના કેટલાક પ્રસંગો, ધાર્મિક વૃત્તિ, હબસીઓને ગોરા તરફથી થતા અન્યાય સામે બળવાની વૃત્તિ વગેરેનું વિવેચન કર્યું હતું, એના ઉપર ગાંધીજીની અને થ ારોની કેવી અસર થઈ હતી અને અહિંસક માર્ગ સ્વીકારીને હબસીઓના રાજકીય અને સામાજિક જીવનમાં થતા અન્યાયને દૂર કરવામાં તેણે કેવાં કષ્ટો વેઠયાં અને સિદ્ધિ મેળવી તે દર્શાવ્યું હતું. શ્રી ગોકુળભાઈ ભટ્ટના વ્યાખ્યાનને વિષય હતો ‘સત્યશોધક જ્યોતિરાવ ફુલે.” સતારામાં માળીના કુટુંબમાં જન્મેલા જયોતિરાવ પૂના આવીને વસે છે. તેના ઘરમાં પાંચ છ નાના મોટાં બાળકો છે–પણ એ પોતાનાં સંતાન નથી: ત્યજાએલાં બાળકને સ્વીકારીને ઊછેરવાની તેણે હામ ભીડી. સમાજને પુણ્યપ્રકોપ અને વિરોધ સહન કર્યો. જાગ્રુતિવશ્વ પૂરુંની સ્થાપના કરી; મહાર અને અસ્પૃશ્યોનાં બાળકો માટે શાળા શરુ કરી. સત્યશોધ સંસ્થા સ્થાપી. એ જમાનામાં આ પ્રકારનું સામાજિક સેવાનું કામ કરનાર નિર્ભય જ્યોતિરાવનું રાણી વિકટોરિયાએ સન્માન કર્યું. જયોતિરાવને જીવનમંત્ર : સત્યાનેં વર્તાવ કે શ્રી ઉષા મહેતાના વ્યાખ્યાનને વિષય હતો હેલન કેલર’ -હેલન કેલરના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગે. ઉલ્લેખ કરીને આંધળા અને બહેશ, માનવીઓનાં જીવનને હળવું અને ઉપયોગી બનાવવા માટે હેલને કરેલા પ્રયત્નનું તેમણે નિરૂપણ કર્યું. હેલનના જીવનમાં એની સલીવાનની ચીવટ અને રસ, સપર્શદ્વારા જ્ઞાનવિતરણના કરાયેલા પ્રયોગ, કેળવણી, કલા વગેરે અનેક વિષયો વિષે હેલને વ્યકત કરેલા વિચારો વગેરેનું તેમણે વિગતવાર વિવરણ કર્યું. ભારતમાં પણ આવા ભગીરથ પ્રયત્નની ઘણી જરૂર છે એમ એમણે અન્તમાં કહ્યું હતું. શ્રી હર્ષિદા પંડિતે હેલન કેલર જેવી જ પણ બહુ ઓછી જાણીતી અમેરિકન મહિલા ડોરોથી પિકસને પિતાના વ્યાખ્યાનમાં પરિચય આપ્યો. ૧૮૦૨માં જન્મેલી ડોરોથી દસ વર્ષની ઉંમરે ઘર છોડીને ચાલી ગઈ અને દાદીની સંપત્તિને અને વિશાળ મકાનને ઉપયોગ ગરીબ બાળકોની શાળા ચલાવવા માટે કર્યો. તેને જેલમાં કેદીઓની સ્થિતિ નિહાળવાને પ્રસંગ મળ્યો ત્યાં ગાંડી થઈ ગયેલી એક બાઈ જોઈ. તેની સાથે જેલ અધિકારીઓને અમાનુષી વર્તાવ જોયો. તેને આત્મા કકળી ઊઠયો. ૧૮૪૨થી ૧૮૬૧ સુધી અવિરત પ્રયત્ન કરી પ્રજાને જાગ્રત કરી, કોંગ્રેસના સભ્યોને સહકાર મેળવ્યો: ૧૯૬૧માં કોંગ્રેસે ગાંડા ને પ્રત્યેની ડોરોથીએ સૂચવેલી નીતિને સ્વીકાર કર્યો. માર્ટિન લ્યુથર કિંગ, હેલન કેલર, જ્યોતીરાવ ફૂલે અને ડો. પી પિકસના જીવન અને કાર્યના પરિચયથી માનવસંકલ્પ અને મા વશકિતના પ્રભાવને ખ્યાલ આવે છે. સંજોગો માનવને ઘડે છે કે માનવ સંજોગે ને ઘડે છે. “Man makes the age of the age makes the man?”– એ પ્રશ્ન નિત્ય ચર્ચાત રહ્યો છે, છતાં જયોતિરાવ, ફલે, ડોરોથી પિટ્સ વગેરે સામાન્ય નહીં પણ તદૃન શુદ્ર પરિસ્થિતિમાં જન્મેલા માનવીઓ સંજોગેના કોટલામાં પુરાઈ ન રહેતાં સંકલ્પબળથી અને અવિરત પરિશ્રમથી કેવા મહાકાય જીવનઘડવૈયાઓ બની શકે છે એ જાણીએ ત્યારે માનવનાં દર્શન ત થઈ શકશે " આ વ્યાખ્યાન બની રહેલ છે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મયુર જીવન કરી ધન્યતા અનુભવીએ છીએ. વીરતા દરેક માનવીના હૃદયમાં પડી એ સૂત્ર રજૂ કરતાં, વ્યાખ્યાન દરમ્યાન, તેમણે કેટલાક પ્રસંગા છે, માત્ર તેણે તેને સેવવી જોઈએ. અને ઉદાહરણા આપ્યાં હતાં. શ્રી ઉછરંગરાય ઢેબરના વ્યાખ્યાનનો વિષય હતો ‘ગાંધીજી અને વિનોબા.’ શ્રી ઢેબરભાઈએ આરંભ કરતાં કહ્યું કે થારોના ઉત્તરાધિકારી ગાંધીજી અને ગાંધીજીના ઉત્તરાધિકારી વિનાબા; વિવેકાનંદ, ટિળક અને ગાંધીજી ન હોય તો આજના વિનેાબાજી ન હોય. વિનૅબા કાશીમાં વ્યાકરણના અભ્યાસ કરતા હતા ત્યારે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ગાંધીજીએ કરેલા પ્રવચનના પ્રબળ પ્રભાવ તેના ઉપર પૉ. વિનોબા સાબરમતી આશ્રમમાં આવ્યા, ચાર વર્ષ રહ્યા. ગાંધીજી અને વિનોબાના સંબંધ પિતા–પુત્ર જેવા, ગુરુ-શિષ્ય જેવા, રામહનુમાન જેવા. બંનેમાં અદ્ભુત પ્રેમભાવ, ઉદારતા અને વિનય. બંનેમાં સામ્ય છતાં વૈષમ્ય પણ ખરું. ગાંધીજી રાજકારણમાં નિરત એવા કુટુંબમાં જન્મેલા, તેમની અહિંસા સક્રિય. વિનેબા સંતકુળમાં જન્મેલા અને વેદાન્તના અભ્યાસી : તેની અહિંસા શાન્ત, સૌમ્ય, રાજકારણથી અલિપ્ત-ભૂદાન-ગ્રામદાન જેવી પ્રવૃત્તિઓમાં વ્યકત થાય. બંનેને અહિંસા સત્યમાંથી ઉદ્ભવતી દેખાઈ. આમ આ બન્ને વચ્ચે મૂલગત ઐક્ય છતાં વૈવિધ્ય. શ્રી ઢેબરભાઈનું વ્યાખ્યાન વસ્તુને કારણે, વિવેચનાત્મક પદ્ધતિને કારણે અને પ્રસંગાના ઉલ્લેખાને કારણે ઘોતક અને રસપ્રદ નીવડયું હતું. શ્રી એચ. એમ. પટેલે ‘કેળવણી વિષેના વ્યાપક અસંતષનું વિશ્લેષણ' વિષે વ્યાખ્યાન આપ્યું હતું. કેળવણીનું ધ્યેય શું છે અને પ્રજા જીવનમાં કેળવણીનું શું સ્થાન છે એ પણ આપણે નક્કી કર્યું નથી. અનેક કમિશન નીમાયા, તેમના રિપોર્ટો આવ્યા છતાં, કેળવણીનો પ્રશ્ન એવા ને એવા જટીલ રહ્યો છે એમ જણાવીને તેમણે કહ્યું કે સાચી કેળવણીના પાયા પ્રાથમિક કેળવણી છે. પ્રાથમિક કેળવણીને સત્ત્વશીલ બનાવવી હાય તો શાળાઓ માટે સારાં મકાનો, સારા ક્ષિશકો અને ઊંચું વેતનધારણ આવશ્યક છે. આ જ ધારણે માધ્યમિક અને ઉચ્ચ કેળવણીના પ્રશ્નમાં ઉકેલ આણવા જોઈએ. શાળામાં જેમ શિક્ષકના પ્રભાવ બાળક ઉપર પડે છે તેમ ઘરમાં માતા પિતાના પ્રભાવ તેના જીવનને ઘડે છે. શ્રી પટેલના આ વિવરણને સંપૂર્ણ બનાવવા માટે ઉમેરવું જોઈએ કે શિક્ષક અને માતાપિતા ઉપરાંત આજના સમાજવાદી લાકશાહીના યુગમાં લોકનેતાઓના વર્તનનો પણ પ્રભાવ બાળમાનસ ઉપર પડે છે. સંસદ, વિધાનસભા, નગરપાલિકા વગેરે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં નેતાઓના સભ્ય – અસભ્ય વર્તનની અસર નાનીસૂની નથી એ ધ્યાનમાં રાખવું આવશ્યક છે. શ્રી મૃણાલિની દેસાઈએ ‘ભકિતયોગ’નું નિરૂપણ કરતાં કહ્યું કે બાળપણમાં જે જીવન અને જગત-સુંદર લાગ્યું હતું તેમાં મેટી ઉંમરે અસુન્દરતા દેખાઈ. આનું કારણ અહમ ્, આ અહમ્ જીવનના કલેશે અને ભેદોના કારણરૂપ છે. એથી ઊલટું, ભકિત એટલે પ્રભુપ્રેમ અને સર્વસમર્પણ, ત્યાં સમન્વય અને ઐક્યની ભાવના. પ્રભુ પ્રેમની સાથે જ્ઞાનની આવશ્યકતા. સુંદર શૈલી અને ઉદાહરણોને લીધે વ્યાખ્યાન રોચક બન્યું હતું. શ્રી નવલભાઈ શાહના વ્યાખ્યાનનો વિષય હતા ‘સમૃદ્ધજીવન.' શરૂઆતમાં તેમણે આજના શહેરી જીવનનું નિરૂપણ કરતાં કહ્યું કે આજનું જીવન ઈન્દ્રિયપ્રધાન છે, માનવચેતનાના ઉપલા સ્તરનું જીવન છે. જીવનનું ધ્યેય ધનસંચય અને વાસનાના સંતાષ છે. આ જીવનદૃષ્ટિને સંપત્તિ હોવા છતાં જીવન ખાલીખમ લાગે છે, પોતાના કામમાં રસ કે તાદાત્મ્ય અનુભવાતું નથી. આનું કારણ છે. ઊંડા ચિન્તનનો અભાવ. માનવચેતનાના ઊંડાણને સ્પર્શાય, સર્વ જીવ પ્રત્યે પ્રેમ અને બન્ધુભાવ સેવાય તે માનવજીવન સમૃદ્ધ અને સંતૃપ્ત બને, કામમાં રસ પડે અને જીવન સાર્થક લાગે, જીવન જીવનું પણ સ્વાર્થ માટે નહીં-વ્યાપક ચૈતન્ય અનુભવવા માટે શ્રી કાકાસાહેબ કાલેલકરનું વ્યાખ્યાન ‘સંઘર્ષ અને સમન્વય વિષે હતું. કાકાસાહેબે સામાજિક અને રાજકીય ક્ષેત્રે આપણા દેશમાં અને અન્ય દેશામાં આજ સુધી જે સંઘર્ષ ચાલતો આવ્યો છે તેનું વર્ણન કરીને કહ્યું કે આજના વિજ્ઞાનયુગમાં માનવે જીવવું હશે તા સમન્વય સ્વીકાર્યા વિના ચાલશે નહીં. સંધર્ષ જરા પણ લાંબા ચાલશે તો સમન્વયનું આચરણ કરવાની ક્ષણ પણ નહીં આવે. . કાકાસાહેબની વાણીમાં સામાન્ય રીતે નજરે આવતા ઘોતકતા અને રોચકતાનાં તત્ત્વો આ વ્યાખ્યાનમાં પણ અનુભવાયા. શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો વિષય સાહિત્ય-ક્ષેત્રના હતા : ‘ભાવકની જવાબદારી.’ ભાવક એટલે પ્રેક્ષક, કોાતા અને વાચક એવી સ્પષ્ટતા કરીને તેમણે આજે સાહિત્યસર્જનમાં જે અધિકારચેષ્ટા ચાલી રહી છેવિશેષત : નવલક્થા અને ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં, તેને માટે ભાવકની વિવેકહીન વૃત્તિને જવાબદાર ગણી હતી. કાવ્યની વ્યંજનાઓને અને તેથી કાવ્યને સમજવા માટે ભાવકને પક્ષે પણ પરિશ્રામની જરૂર છે એ વિધાનનું ‘મંદિરના ઘાંટ ઉપર પ્રસુપ્ત એક પતંગિયું' એ હાઈકુનુ અર્થવિવરણ કરી સમર્થન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સારા ભાવક હોય તો સારા સર્જનને આપેાઆપ ઉત્તેજન મળે છે. શ્રી બ્રહ્મભટ્ટ શ્રોતૃવર્ગને ધ્યાનમાં રાખીને પશ્ચિમમાંથી આપણે ત્યાં આવેલા આજના કેટલાક વાદોનો પોતાના વ્યાખ્યાનમાં ઉલ્લેખ ન કર્યાં તે યોગ્ય જ હતું. આ વર્ષની વ્યાખ્યાનમાળામાં સૌથી વધારે જિજ્ઞાસા અને રસ જગાડયાં હતાં ડૉ. એચ. એન, બેનરજીનાં અતીન્દ્રિય અનુભૂતિઓ' વિષેનાં બે વ્યાખ્યાનોએ પેરાસાઈકોલોજીનું વિજ્ઞાન ભૂતપ્રેતનું કે ભવિષ્ય ભાખવાનું શાસ્ત્ર નથી એમ સ્પષ્ટતા કરીને તેમણે સમજાવ્યું કે આજે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ત્રણ પ્રકારના ઉપાય શક્ય છે: હિનેસીસ, યોગ–સમાધિ અને ઔષધોપચાર. જગતમાં ઈન્દ્રિયગમ્ય જ્ઞાન ઉપરાંત ઈન્દ્રિયથી પર હોય એવા અનુભવો થતા આવ્યા છે. આ અતીન્દ્રિીય અનુભવાની વૈજ્ઞાનિક પદ્ધતિએ ચિકિત્સા— નિરૂપણ—કરવું એ પેરાસાઈકોલોજીનું ધ્યેય છે. આવા અતીન્દ્રિય અનુભવાને વૈજ્ઞાનિકો કાં તો આકસ્મિક અને કાં તો યોગાનુયોગે થતા ગણે છે. પણ એ નિરાકરણ વૈજ્ઞાનિક નથી. આવા અતીન્દ્રિય અનુભવા ત્રણ પ્રકારના છે: ટેલીપથી, કલ૨ વાયન્સ અને ભવિષ્યકથન. 'ડા. બેનરજીએ અનેક દૃષ્ટાંતો આપી પોતાના વકતવ્યની સ્પષ્ટતા કરી હતી. બીજા વ્યાખ્યાનમાં પુનર્જન્મના પ્રશ્નને સ્પર્શતા કેટલાક દાખલાઓ રજ કર્યાં હતા. વૈજ્ઞાનિકને છાજે તેવી નિખાલસતાથી તેમણે કહ્યું કે “આ વૈજ્ઞાનિક સંશોધનનો ઉપયોગ શું ?’· એમ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય : અને એના ઉત્તર આપ્યો કે માનવમાત્ર યન્ત્ર-પંચમહાભૂતનું પૂતળુ' જ—છે કે તેથી વધારે ઊંડુ અને ગહનતત્ત્વ તેમાં રહ્યું છે તે શેાધવું એ આ સંશાધનનું લક્ષ્ય છે. આ તત્ત્વનો નિર્ણય થાય તે તેને આધારે જીવન દર્શન અને જીવન—વિધાન યોજી શકાય. અને અન્તે હતું આચાર્ય રજનીશનું વ્યાખ્યાન “ધર્મ શું છે..” એ વિષયનું વિવરણ શ્રી રજનીશજીએ પેાતાની આકર્ષક અને અલ્પ્સલિત વાશૈલિમાં કર્યું. રામ, કૃષ્ણ કે મહાવીરનું અનુકરણ શક્ય નથી. દરેક વ્યકિતએ પોતે પોતાનું સ્વરૂપ જાણવું અને પામવું એજ પ્રધાન પુરુષાર્થ છે—અન્તિમ ધ્યેય છે. શ્રી રજનીશજીની વિષયનિરૂપણ શૈલી અને અખંડ વાપ્રવાહ શ્રોતાઓને મુગ્ધ કરી દે છે એ તે જાણીતી વાત છે. ગૌરીપ્રસાદ ઝાલા Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન પ્રકીર્ણ નોંધ ✩ ભાઈ ઉમાશંકરને અનેક ધન્યવાદ ! થોડા સમય પહેલાં ભાઈ ઉમાશંકર જોશી અને શ્રી મગનભાઈ દેસાઈ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીની “ફેકલ્ટી ઑઑફ આર્ટસ ”ના ડીનના પદ અંગે સ્પર્ધા થઈ હતી, અને તેમાં મગનભાઈના પરાજ્ય થયો હતો. ગયા ઑકટોબર માસની ૧૫મી તારીખે ગુજરાત યુનિવસિટીના વાઈસ ચેર્ન્સલર - ઉપકુલપતિ - ના પદ માટે એ જ બન્ને વ્યકિત વિશેષો વચ્ચે સ્પર્ધા થઈ અને ૧૧૮ વિરુદ્ધ ૧૦૭ મતે ભાઈ ઉમાશંકરના વય થયો. આ ઘટના અનેક રીતે સૂચક છે અને આગ મહત્ત્વ ધરાવે છે. ભાઈ ઉમાશંકર માત્ર કવિ નથી, વિવેચક છે, કેળવણીકાર છે, સાહિત્યકાર છે, ગુજરાતની અસ્મિતાના અજોડ પુરસ્કર્તા છે, ભારતીય સંસ્કૃતિના એક પ્રતિનિધિ છે. આ રીતે જે પદ ઉપર તેમની નિમણુંક થઈ છે તે માટે તેઓ સર્વ પ્રકારે યોગ્ય છે અને તેથી આ પદ ઉપર આવવા માટે આપણા સર્વના અભિનંદનના તેએ અધિકારી બને છે. આમ છતાં તેઓ સામાન્ય ક્રમમાં આ પદ ઉપર બીનહરિફ ચુંટાઈને આવ્યા હોત તો આ ઘટના સમગ્ર ગુજરાતનું આટલું ધ્યાન ખેંચત નહિ, શ્રી મગનભાઈ દેસાઈને બદલે બીજા કોઈ હરીફ હોત તો પણ આ ઘટનાને આટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું ન હાત. પણ મગનભાઈને કોંગ્રેસનો પૂરો ટેકો હતા; રાજકારણી નેતાઓનું તેમને પુરૂં પીઠબળ હતું; એક શિક્ષણકાર, સાહિત્યકાર અને પત્રકાર તરીકે પણ તેમની કારકીર્દિ ઉજ્જવળ હતી. આમ છતાં તેઓ હાર્યા અને ઉમાશંકર જીત્યા એ ઘટનાનો અર્થ એ છે કે આજ સુધી ગુજરાતના આવા વિશિષ્ટ અધિકારો ઉપર કોંગ્રેસ અને કૉંગ્રેસી રાજકારણનું સવિશેષ પ્રભુત્વ હતું અને ગુણવત્તા ગૌણ સ્થાને હતી. આજે આ ચૂંટણીદ્રારા રાજકારણ ઉપરકગ્રેસી પ્રભુ ત્વ ઉપર – ગુણવત્તાના—સંસ્કારીતાના – વિજય થયો છે. ઉમાશંકરને ગુજ રાતે ઉપકુલપતિપદ ઉપર સ્થાપીને નવા પ્રસ્થાનના આરંભ કર્યો છે. બન્ને વિદ્નાન, બન્ને શિક્ષણપ્રિય, બન્ને નિડર તથા સ્પષ્ટવકતા ~ આમ છતાં ઉખાશંકરને વધારે મત કેમ મળ્યા અને મગનભાઈને ઓછા મત કેમ મળ્યા ? કારણ કે એકે ગુજરાતને અમૃત પિરસ્યું છે; બીજાએ ગુજરાતને સુદર્શન પિરસ્યું છે. એકમાં વિનમ્રતા છે; બીજામાં સચ્ચાઈની શેખી અને તાળુડાઈ છે. એકમાં અહંની માત્રા ઓછી છે; અન્યમાં અહંની માત્રા વધારે પ્રમાણમાં છે. આના પરિણામે એક અત્યન્ત લાકપ્રિય બન્યા છે; અન્ય એટલા જ અપ્રિય બન્યાં છે. આ ચૂંટણી ઉપરથી નિષ્પન્ન થતા બોધપાઠ ગુજરાતના રાજકારણ ઉપર પ્રભુત્વ ભાગવતા શ્રી મેરારજીભાઈ અને શ્રી ઠાકોરભાઈ દેસાઈ પણ અંતરમાં ઉતારે એવી સૂચના અહીં અસ્થાને નહિં ગણાય. કારણ કેઆ બન્ને વ્યકિતવિશેષાએ ગુજરાતને ઘણી સેવા આપી છે. એમ છતાં, પોતાની કડવી વાણીના કારણે, સચ્ચાઈની શેખીના કારણે અને નાના લેખાતા માનવીઓ સાથેની તોછડાઈના કારણે તેમણે' આજ સુધી લોકોની નારાજી અને અપ્રિયતાની ખૂબ કમાણી કરી છે. તેઓ સમજી લે કે લોકો હજુ સત્તા સામે માથું ઊંચકતા નથી, પણ તેમના કટ્ વર્તનના કારણે અંદરથી લોકો ખૂબ જ નારાજ છે. કટુતાને સત્યના તેમણે સહચારી ગુણ માન્યો છે; પથ્ય પ્રિય અને મિત એવાં સત્યનાં બીજાં લક્ષણાની અવારનવાર ઉપેક્ષા કરવામાં આવી છે. આ ચૂંટણીનું પરિણામ તેમની ત્રિપુટીના આ સ્વભાવને પડકારરૂપ છે. ભાઈ ઉમાશંકર જે પદ ઉપર આવ્યા છે તેને, શિક્ષણના ક્ષેત્રમાં નવા અભિક્રમ દાખવીને, ખૂબ શોભાવે, ઉજ્જવલ કરે, ગુજરાતને આજનો વિદ્યાર્થી ભારતમાં તેમ જ ભારતની બહાર અપ્રતિષ્ઠિત બન્યો તા. ૧-૧૧-૧૯ ✩ છે તેનાં કારણામાં ઊંડા ઉતરીને, તથા આજની શિક્ષણપદ્ધતિ અને નીતિમાં જરૂરી ફેરફારો કરીને તેને પુન: પ્રતિષ્ઠિત બનાવે–ઉમાશંકર વિષે આવી આકાંક્ષા આશા રાખીએ તે તે વધારે પડતી નહિ ગણાય. ભારત જૈન મહામંડળના અધિવેશનમાં પસાર કરવામાં આવેલ પ્રસ્તાવા તા. ૧૪ તથા ૧૫ મી ઓક્ટોબરના રોજ વર્ધા ખાતે મળેલા ભારત જૈન મહામંડળના ૩૯મા અધિવેશનમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવા નીચે મુજબ છે: પ્રસ્તાવ ૧ આહાર - વિશેષજ્ઞોનું માનવું છેકે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય તથા માન્યતાની દષ્ટિથી શાકાહાર સર્વોત્તમ છે. આમ છતાં પણમાંસાહારની પ્રવૃત્તિ દિનપ્રતિદિન વધતી રહી છે, અને અનેક કારણાથી માંસાહારને ઉત્તેજન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં નિરામિષાહારીઓને એ કર્તવ્ય પ્રાત્પ થાય છે કે શાકાહાર પ્રતિ લોકોની રુચિ વધે એવું સાહિત્ય જનતાને તે ઉપલબ્ધ કરેં. શાકાન હાર પ્રતિ જ્યાં સરકારની ઉપેક્ષા જોવામાં આવે અને માંસાહારને ઉત્તેજન આપવાની સરકારની નીતિ જયાં જયાં નજરે પડે ત્યાં ત્યાં ભારત જૈન મહામંડળે જનતાનું તેમ જ સરકારનું ધ્યાન ખેંચવું તથા તેને લગતા પ્રચાર કરવા ઘટે છે અને યોગ્ય સરકારી અધિ કારીઓ સમક્ષ ઉચિત પ્રતિનિધિત્ત્વદ્રારા નિવેદનો કરીને એ રીતે શાકાહાર પ્રતિ અનુકૂળ વાતાવરણ નિર્માણ કરવાનું રહે છે. પ્રસ્તાવ ૨ ભારત જૈન મહામંડળ સર્વ સંપ્રદાયને તથા તેના પ્રમુખ લોકોને પ્રાર્થના કરે છે કે પોતપોતાની માન્યતાઓ પ્રતિ આસ્થા રાખવા છતાં, ભિન્ન સંપ્રદાયોની માન્યતાઓ પ્રત્યે તેઓ આદર રાખે તથા કોઈ એવા પ્રકારની ટીકા - ટીપણી તથા આલેાચના ન કરે, કે જેથી પ્રેમ ન વધતાં પરસ્પર કટુતા વધે. આ રીતે પારસ્પરિક કટુતા દર થશે. પરસ્પરના વિવાદોને ઉકેલ લાવવા માટે આ દિશામાં જરૂરી પ્રયત્ન કરે એવી એક સમિતિની નિમણૂક કરવાનું પ્રમુ ખને સૂચવવામાં આવે છે. પ્રસ્તાવ–૩ સાત વર્ષ પછી ભગવાન મહાવીરના નિર્વાણને ૨૫૦૦ વર્ષ પૂરાં થવાનાં છે. આ નિર્વાણ મહોત્સવ એવી રીતે ઊજવવામાં આવે કે જેથી ભગવાન મહાવીરના ઉપદેશ તથા સિદ્ધાન્તોનો જનતાને સમ્યક પરિચય થાય. આ માટે સર્વ સંપ્રદાયના વિધાનો, નેતાઓ, તથા કાર્યકર્તાઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ આ મહાન કાર્યને સંપન્ન કરવા માટે ભારત જૈન મહામંડળના પ્રયત્નોમાં સહયોગ આપે. મંડળ વિભિન્ન સંસ્થાઓ સાથે સંપર્ક સાધીને આની રૂપરેખા તૈયાર કરે. પ્રસ્તાવ ૪ ભારત જૈન મહામંડળનું આ અધિવેશન મદ્યપાનને સામાજિક દષ્ટિથી અત્યંત હાનિકાર લેખે છે, તથા આ માટે જે મદ્યપાનવરોધી પ્રયત્નો ચાલી રહ્યા છે તેનું સમર્થન કરે છે તથા આ બદી દૂર કરવામાં જૈન સમાજને યોગ દેવા અનુરોધ કરે છે. ભારત જૈન મહામંડળનું અધિવેશન; એક આવાચના ઑકટોબર માસની તા. ૧૪મી તથા ૧૫મીના રોજ વર્ષી ખાતે ભારત જૈન મહામંડળનું ૩૯મું અધિવેશન મુંબઈ નિવાસી શેઠ અમૃતલાલ કાળીદાસ દોશીના પ્રમુખપણા નીચે ભરવામાં આવ્યું હતું. વર્ષાનિવાસી શ્રી ચિરંજીલાલ બડજાતે ભારત જૈન મહામંડળના ઘણા જૂના એક અગ્રગણ્ય કાર્યકર્તા છે, તેઓ વૃદ્ધાવસ્થાને પામ્યા છે અને • પક્ષઘાતની આછી અસરથી તેમનું હલનચલન અવરૂદ્ધ બન્યું છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ સબુદ્ધ જીવન - તેમની ખાસ ઈચ્છા અને આગ્રહને માન આપીને આ અધિવેશન વર્ધા વાતાવરણમાં નવી ચેતનાં પેદા કરી હતી અને જે ઝઘડાએ જેને જેનો ખાતે ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અધિવેશનના પ્રારંભમાં શ્રી વચ્ચે અંતર અને જુદાઈ પેદા કરી રહ્યા છે તે ઝગડાઓને આવા ચિરંજીલાલજીએ પોતાના જીવનની સંધ્યાટાણે અધિવેશનના કારણે અભિગમપૂર્વક બહુ જહિદથી નિકાલ લાવવામાં આવશે એવી આશાનાં ઉપસ્થિત થયેલા જૈન સમાજના આગેવાનોનાં દર્શનથી પિતાને કિરણે વહેતાં કર્યાં હતાં. થયેલ અત્યાનંદ પિતાના મુદ્રિત નિવેદનમાં વ્યકત કર્યો હતો. આ ગયા વર્ષે ભરાયેલા સાંગલી અધિવેશનની સરખામણીમાં આ અધિવેશનનું શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ઉદ્ ઘાટન કર્યું હતું. સ્વા- અધિવેશનમાં પ્રતિનિધિઓ અને પ્રેક્ષકોની હાજરી પ્રમાણમાં બહુ ઓછી ગત પ્રમુખનું ભાષણ, અધિવેશન પ્રમુખનું ભાષણ, વિષયવિચારિણી હતી, પણ જુદા જુદા વિભાગના આગેવાનોની હાજરી ઘણા સારા સમિતિની કાર્યવાહી, તેમાં નક્કી કરવામાં આવેલા ઠરાવો ઉપર વિવે- પ્રમાણમાં હતી અને તેમાં પણ જૈન શ્વે. મૂ. વિભાગના આગેવાનોની ચો- આ બધું ચાલુ ચીલા મુજબ યથાક્રમ રજૂ થયું હતું અને પાર હાજરી આ વખતે ઘણા મોટા પ્રમાણમાં હતી. પ્રમુખ પોતે તે શ્વે. પડયું હતું. અધિવેશનના ઠરાવો આ અંકમાં ઉપર આપવામાં આવ્યા મૂ. જૈન હતા જ, પણ એ ઉપરાંત શેઠ કુલચંદ શામજી, શેઠ ભેગીલાલ છે. આ ઠરાવો કે પ્રમુખના ભાષણમાં કોઈ નવો વિચાર નજરે પડતે લહેરચંદ, શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, જૈન શ્વે. કૅફરન્સના પ્રમુખ નથી કે કોઈ એવી વસ્તુ જોવા મળતી નથી કે જેની ખાસ નોંધ લેવાની તથા મંત્રી, પૂનાવાસી શ્રી પોપટલાલ રામચંદ શાહ, માલેગાંવવાસી ઉરોજના અનુભવાય. આખરે ભારત જૈન મહામંડળ પાસે કોઈ શ્રી મોતીલાલ વીરચંદ વગેરે ઉપસ્થિત થયા હતા અને આ એવી ક્રાન્તિનું સ્વપ્ન નથી. તે એક સીમિત ઉદેશથી કાર્ય કરી રહેલી સંસ્થા વ્યકિતઓ છે કે જેઓ ધારે તે જૈન સમાજમાં એકતા સ્થાપવાની છે અને તેને ઉદ્દેશ છે જૈન સમાજમાં ઐકયને પ્રસ્થાપિત દિશાએ છે. મૂ. સમુદાય પૂરત ગણે મહત્ત્વનો ફાળો આપી શકે. - કરવું અને એ ઐકયને પિષક એવી પ્રવૃત્તિઓ હાથ આમ સમગ્રપણે વિચારતાં, ભારત જૈન મહામંડળના આ અધિધરવી અને કોઈ પણ તકરારી યા વિવાદાસ્પદ બાબતથી વેશને જૈન સમાજની એકતા સિદ્ધ કરવાની દિશાએ બે ડગલાં જરૂર બને તેટલું દૂર રહેવું. વિશેષમાં આ વખતે મંડળના પ્રમુખ કાર્યકર્તાઓ આગળ ભર્યા છે. વસ્તુત: પ્રસ્તુત એકતાનો વિચાર સૌ કોઈને ગમે છે, અને અધિવેશનના નિમાયેલા પ્રમુખ વચ્ચે એવી કોઈ સમજુતી થયેલી પણ તે વિચાર, માત્ર શુભેચ્છાશી-શુભ કામનાથી-હજુ આગળ ચાલતે હોવાનું અનુમાન થાય છે કે તીર્થો જેવા ઝગડાળુ પ્રશ્નને પ્રમુખના નથી. મોટા ભાગના દિલમાં હું આ સંપ્રદાયનું છું કે તે સંપ્રદાયને છું ભાષણમાં કે કાર્યવાહી તરફથી રજૂ કરવામાં આવનાર ઠરાવમાં કશે એટલે જૈન છું–આમ સંપ્રદાયવિચાર પ્રધાન સ્થાને છે, જૈન હોવાને ઉલ્લેખ જ ન કરો. આ કારણે તીર્થોના વિવાદાસ્પદ પ્રશ્ન ઉપર વિચાર ગૌણ સ્થાને છે. એકતાની લગની બહુ ઓછાને છે, જયારે પ્રમુખે મૌન સેવવાનું ઉચિત વિચાર્યું હોય એમ લાગે છે. વળી મંડ- આ લગની મોટા પ્રમાણમાં પેદા થશે, પરસ્પર વચ્ચે રહેલા માન્યતાળની કાર્યવાહી તરફથી આ બાબતને લગતા કોઈ ઠરાવ વિષયવિચારણી સામ્ય ઉપર વધારે ને વધારે ભાર મૂકાતે જશે. અને માન્યતાભેદ ગૌણ સમક્ષ રજુ કરવામાં આવ્યો નહોતે. પરિણામે નક્કી કરવામાં સ્થાનને પામશે ત્યારે સાચી એકતાની જૈન સમાજમાં પ્રતિષ્ઠા થશે. આવેલા ઠરાવ ચાલુ વાતનું રટણ કરતાં પ્રેરણાવિહોણાં લાગે છે. આવી લગની ભાઈ રિષભાદાસ રાંકામાં છે. તેવી લગની જૈનના નામે આમ છતાં પણ, સંભવિત છે કે ઉપર સૂચવેલી સમજૂતી અંગેના ઓળખાતા આપણ સર્વમાં પેદા થવી ઘટે છે. એમ થતાં આપણી અજાણપણાના કારણે, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે પોતાના ઉદ્ઘાટન વચ્ચે સંઘર્ષો પેદા થશે નહિ અને કદિ થશે તો પણ તે લાંબા વખત પ્રવચનમાં ઉભયમાન્ય તીર્થોના ઝગડાને ઉલ્લેખ કર્યો હતો અને ટકશે નહિ. અને એ રીતે આખે જૈન સમાજ સંગઠિત બનીને પિતાને જણાવ્યું હતું કે ઉભયમાન્ય તીર્થોને વહીવટ સંયુકત હોવો જોઈએ જે ઉદાત્ત વિચારસરણીને ભગવાન મહાવીરદ્રારા વારસો મળ્યો છે તેનું અને આજે જેવી જ્યાં સ્થિતિ છે તેવી સ્થિતિ ત્યાં કાયમ રહે આ માનવ જાતમાં વિતરણ કરી શકહૈ.' ' : ભૂમિકા બન્ને પક્ષ સ્વીકારે તે આ ઝગડાઓને નિકાલ લાવવાનું મને એક ચર્ચા પત્ર જરા પણ મુશ્કેલ નથી લાગતું.” આ જ વિચારનું પિતાના પ્રાસંગિક તા. ૧૬-૧૦-'૬૬ ના પ્રબુદ્ધ જીવનમાં તીર્થોને સંધર્ષ મિટાવવિવેચનમાં શેઠ લાલચંદ હીરાચંદે સમર્થન કર્યું હતું. અધિવેશન ઉપર વાનો સાથે માર્ગ” એ મથાળા નીચે પ્રગટ થયેલ પ્રાધ્યાપક દલસુખઉપસ્થિત આગેવાનોના યજમાનસમાં શ્રી રામકૃષ્ણ બજાજે જેને ભાઈ માલવણિયાને લેખ અને તે ઉપર કરવામાં આવેલી મારી જેવી શાણી કોમના ભિન્ન ભિન્ન સમુદાયો વચ્ચે તીર્થો અંગે આવા નોંધને લક્ષમાં લઈને જાણીતા જૈન વિદ્વાન શ્રી કસ્તુરમલ બાંઠિયાએ ઝઘડાએ ચાલ્યા કરે છે એ સાંભળીને ભારે આશ્ચર્ય વ્યકત કર્યું હતું અને મારી ઉપર એક પત્ર લખી મોકલ્યો છે. તે પત્ર મૂળ હિંદીમાં છે. સૂચવ્યું હતું કે “જેવી રીતે પાપની પસંદગી કરવા માટે કાર્ટીનલોને “પ્રબુદ્ધ જીવનના વાચકોની જાણકારી માટે તે પત્રને નીચે અનુવાદ એક ઓરડામાં પૂરવામાં આવે છે અને નિર્ણય કર્યા પહેલાં કોઈ કાર્ડ- આપવામાં આવે છે. આ પત્રમાં જે ઐતિહાસિક વિધાન અને નલને બહાર નીકળવા દેવામાં આવતો નથી એમ મારી આપને અનુમાને રજૂ કરવામાં આવ્યા છે તેની જવાબદારી તેમની છે. વિનમ્રભાવે સૂચના છે કે બન્ને વિભાગના જવાબદાર આગેવાનોને આ વિષય અંગેનું મારું જ્ઞાન અને સમજણ બહુ જ પરિમિત છે. આપે એકઠા કરવા અને જ્યાં સુધી બધા વિવાદોનો તેઓ નિકાલ ન - નેપાનગર, ૨૦-૧૦-૬૬ લાવે ત્યાં સુધી તેમને પુરી રાખવા – આમ કરવાથી આપના ઝગ- સુલ પરમાનંદભાઈ, ડાઓને જરૂર નિકાલ આવી જશે એવી મારી શ્રદ્ધા છે.” આ વિચા- પ્રણામ, ૧૫-૧૦-૬૬ ના પ્રબુદ્ધ જીવનમાં પં. માલવણિયાને રને પકડી લઈને, સંપ્રદાયો વચ્ચે આદર વધે અને કટુતાન વધે એ બાબ- લેખ અને તેના ઉપર લખેલી આપની ટિપ્પણી વાંચી. હું આપના તને અનુરોધ કરતા ઠરાવનું અનુમોદન કરતાં માલેગાંવવાસી અને વિચારો સાથે સંપૂર્ણપણે સહમત છું. સમેતશિખરને ઝગડો પૂજા 9. મૂર્તિપૂજક સમુદાયના આગેવાન શ્રી મોતીલાલ વીરચંદે એ મત- સંબંધી નહિ પણ સંપત્તિના અધિકાર છે. કાનૂની અધિકારી શ્વેતાંલિબનું જણાવ્યું કે “શ્રી ચીમનભાઈએ જે ભૂમિકા રજૂ કરી છે તે બને હતે. સરકારે કાયદો બનાવી જયારે એ અધિકારી શ્વેતાંબરો ભૂમિકા સ્વીકારીને અહીં એકત્ર થયેલા બધા સમુદાયના આગેવાન પાસેથી ઝૂંટવી લીધો ત્યારે દિગબરે રાજી થયા. અધિકાર ઝૂંટવી જો પૂરા દિલથી પ્રયત્ન કરે તે આપણને જુદા પાડતા ઝઘડાઓના લીધા પછી સરકારે ફરીથી શ્વેતાંબર સાથે પહાડના ભવિષ્ય સંબંધમાં | નિકાલ લાવવાનું જરા પણ મુશ્કેલ નથી અને આ ભૂમિકા એગ્રીમેન્ટ કર્યું ત્યારે દિગંબરેએ રોષ પ્રગટ કરી આંદોલન કર્યું અને સ્વીકારીને બનતા પ્રયત્ન કરવાની હું મારા તરફથી પૂરી ખાતરી આપું બિહાર સરકાર સામે એવી સ્થિતિ ઉત્પન્ન કરી કે શ્વેતાંબરની અવર - - છું.” શ્રી મોતીલાલભાઈના આ તેજસ્વી અને પ્રાણવાન વકતવ્ય ગણના કરીને તેમની સાથે બિહાર સરકારને એગ્રીમેન્ટ કરવું પડયું. સુલ પરમાનંદ ના પ્રબળ પણ વાંચી. હું અને Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ જીવન આથી દિગંબરે રાજી થયા કારણ કે સંપત્તિ ઉપર તેમને પણ અધિકાર આ કાર્યક્રમ દરમિયાન યુનેના સેક્રેટરી જનરલ શ્રી યુ થાને શ્રીમતી માન્ય થયો. શ્વેતાંબર શાન્ત છે, પરંતુ બે જુદા જુદા એગ્રીમેન્ટો શુભાલક્ષમીના સંગીતની મુકતકંઠે પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે કરીને સરકારે બન્ને માટે લડવાનો અવસર ઊભો કર્યો છે. દિગંબરોને “શુભાલક્ષ્મીને અત્યારે જે ઉમળકાભર્યો આવકાર મળી રહ્યો છે તે દર્શાવે છે કે સંગીતને કોઈ ભૌગોલિક મર્યાદા નથી. તે સર્વવ્યાપી અધિકાર હતો નહિ, પણ તેમને અધિકાર મળી ગયો છે એટલે તેઓ અને સર્વગ્રાહી ભાષામાં વ્યકત થાય છે.” આ નશામાં શ્વેતાંબરેની પજવણી ન કરે તે એ વાત પ્રકૃતિની - આ પ્રસંગે ભારતના અગ્રગણ્ય રાજપુરુષ શ્રી ચક્રવર્તી રાજવિરુદ્ધ હશે. જેટલા સંમિલિત તીર્થો છે તે બધા ઉપર અધિકારના ગોપાલાચારીએ ખાસ રચેલું અને અંગ્રેજી સ્વરમાં નિબદ્ધ કરેલું સ્તોત્ર ઝગડાઓ છે અને સરકારે બન્નેને સમાન અધિકાર સ્વીકારીને શ્રીમતી શુભાલક્ષમીઓ ગાઈ સંભળાવ્યું હતું. તા. ૨૪-૧૦-૬૬ ના ! બન્નેને પોતપોતાની માન્યતા અનુસાર પૂજા કરવાનો સમય નક્કી ‘જભૂમિ'માં પ્રગટ થયેલો આ સ્તોત્રને ગુજરાતી અનુવાદ નીચે મુજબ છે:કરી દીધું છે, એમ છતાં ‘બિનમુતિ ના સરી ' માનવાવાળે તે મૂર્તિની વિડંબના કરવામાં જરા પણ સંકોચ કરતે મહિમન નથી. જે પાર્શ્વનાથ ભગવાનની એવી વિડંબના થતી હોય, હે પ્રભુ! કરજે ક્ષમા અમ પાપને, તેઓ મેક્ષમાં બેસી આપણી એમના પ્રત્યેની શ્રદ્ધાભકિત જોઈ અવશ્ય સર્વ રાષ્ટ્રો સંપથી એકત્ર છે, દુ:ખી થતા હશે.. . રાણસંસ્થાનું અહીં સુખ છત્ર છે. *. - આ સંબંધમાં આપે નેત્રોની વાત કરી છે. આમ તે બધા માને રાષ્ટ્રસંસ્થાના સુશીતલ છત્ર નીચે, છે કે જેના મૂતિઓમાં આ ભેદ, આઠમી શતાબ્દીમાં થઈ ગયેલા વિશ્વશાંતિના શિવંકર સત્ર નીચે. -બપ્પટસૂરિએ કરાવ્યો છે. ત્યારથી શ્વેતાંબરો પિતાની મૂર્તિઓની ધિક્કાર કે ભયભીત વૃત્તિ ત્યાગવા, કમરમાં કંદોરો અને લંગોટ અંકિત કરવા લાગ્યા છે. આપને એ અન્યના હૈયાની ઉષ્મા પામવા પણ ખબર હશે કે વિક્રમની અગિયારમી શતાબ્દીમાં થઈ ગયેલા સર્વ રાષ્ટ્રો સંપથી એકત્ર છે, ધનપાલ કવિર ભગવાનની સ્તુતિ કરતી વખતે એમનાં “પ્રશમરસ રાષ્ટ્રસંસ્થાનું અહીં સુખ છત્ર છે. નિમગ્ન” નેત્રની વાત કહી છે. એવા પ્રશમરનિમગ્ન” નેત્રોને. રાષ્ટ્રસંસ્થાના સુશીતલ છત્ર નીચે અનુભવ સ્ફટિક અને કોડીવાળા નેત્રોમાં કેવી રીતે થઈ શકે? આ વિશ્વશાંતિના શિવંકર સત્ર નીચે, ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે, મૂર્તિ ઉપર નેત્રો ચૂંટાડવાની શ્વેતાંબરોની યુદ્ધને સંહારનાં સાહસ કરી ચૂકયા પછી, *પ્રથા ૧૧મી શતાબ્દા પછીની છે, પુરાતનકાળની નથી. ઘેડ શાંતિ કાજે ભદ્ર સાહસને રહ્યાં આજે ભજી. મહિના પહેલા “શ્રી જિનપૂજા વિધિ સંગ્રહ’ નામનું પુસ્તક પ્રસિદ્ધ સર્વ રાષ્ટ્રો સંઘથી એકત્ર છે. ઈતિહાસવેત્તા મુનિ લ્યાણવિજયજીએ પ્રકાશિત કર્યું છે. આ રાણસંસ્થાનું અહીં સુખ છત્ર છે. એમનું વિ. સં. ૨૦૧૨માં પ્રકાશિત જનપૂજા પદ્ધતિ’નું પરિવધિત રાષ્ટ્રસંસ્થાના સુશીતલ છત્ર નીચે બીજું સંસ્કરણ છે. આપે નહિ જોયું હોય તે એ એક કૃતિ મંગાવી વિશ્વશાંતિના શિવંકર સત્ર નીચે અવશ્ય જોઈ જશે. એમાંથી શ્વેતાંબર સંપ્રદાયની પૂજાવિધિની -વિકૃતિને પ્રમાણસહિત ઈતિહાસ આપને વાંચવા મળશે. તે ઉપરથી પરમાણુની વર ચેતના તે છે જ માનવમાત્રમાં, આપને જણાશે કે “વત્થયુગલની અવેજીમાં ‘ચાયગલ’ કરીને “શ્રાદ્ધ એપ્રભા પરમાણુની પ્રચ્છન્ન કિન્તુ અમાપ છે, વિધિ કૌમુદી'ના લેખકે બારમી શતાબ્દીમાં આ વિકારને પ્રવેશ પરમાણુમાં પરમાર્થલક્ષીનવ્ય ભવ્ય પ્રતાપ છે, કરાવી દીધો છે, જે મુનિ કલ્યાણવિજયજીના મતાનુસાર અનામિક એ પ્રભાના દર્શનાર્થે દૂર દુરિતેને કરી છે. પરંતુ કોઈ ગીતાર્થે આ અનાગમિક વિકારનું સંશોધન કરવું એ પ્રભાનાં કિરણથી મઢીએ ચિરંજીવ શાંતિને : - તે દૂર રહ્યાં, પરંતુ પેઢી દર પેઢી સૌ. કોઈ આનું સમર્થન કરતા જ રાષ્ટ્રસંસ્થાના સુશીતલ છત્ર નીચે આવ્યા છે. આજે પણ આ અનાગમિક વિકારને વિરોધ થાય તે વિશ્વશાંતિના શિવંકર સત્ર નીચે. તે તે નાબુદ થતાં દિગંબર શ્વેતાંબરોનું મનમાલિને તે દૂર થશે જ, હે પ્રભુ! કરજે ક્ષમા અમ પરંતુ આના લીધે થતી ભગવાનની મૂતિની વિડંબના પણ દૂર પાપને થઈ આશાતનાના પાપથી આપણે સૌ બચી જઈj. જો કે રૂઢિપંથી - જગત્મગલ શાંતિની શુભ પ્રેરણા નું આપને! મુનિઓ તે આ વિકારનું સમર્થન કરશે જ, પરંતુ સત્યનું સંશોધન રાષ્ટ્રસંસ્થાની ધજાના છત્ર નીચે કરનારાઓ મુનિ લ્યાણવિજ્યજીનું સમર્થન કરશે. રૂઢિપંથીઓની વિશ્વશાંતિના પ્રજાના સત્ર નીચે. દષ્ટિએ કલ્યાણવિજયજી માં છે, કારણ કે તેઓ જેવું સત્ય દેખાય આ રીતે સંયુકત રાષ્ટ્રસંસ્થા સમક્ષ યુનદિન ઉત્સવ નિમિત્તે તેનું પ્રકાશિત કરવાનું સાહસ કરી શકે છે. આપણી જેવાઓએ મુનિ ભારતીય સંગીતને ભવ્ય કાર્યક્રમ રજુ કરીને શ્રીમતી ભાલક્ષમીએ કલ્યાણવિજ્યજીના મતને પ્રચાર કરીને લોકમત કેળવવો જોઈએ. ભારતના ગૌરવમાં વધારો કર્યો છે અને તેમણે પોતે આંતરરાષ્ટ્રીય '. આ રીતે કેળવાયેલા લોકમતને અનાદર કયાં સુધી થઈ શકશે ? કલ્યાણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વિજયજી આજે પણ પિતાના કથનનું તટસ્થ ન્યાયાધીશના સમક્ષ વિનોબાજીને મળેલો ગૌરવપ્રદ પુરસ્કાર પ્રમાણપુર:સર સમર્થન કરવા માટે તૈયાર છે. આપને - તા. ૨૫-૧૦-૬૬ ના રોજ ન્યૂ ખાતે માનવ સંબંધોના ક્ષેત્રે-જગતના માનવીઓ વચ્ચે પ્રેમ અને બભાવની ભાવના સ્થાકરનુરમેલ બાંઠિયા પવા અર્થે આચાર્ય વિનોબા ભાવેએ જે કામ કર્યું છે તેની કદર તરીકે સંયુકત રાષ્ટ્રસંસ્થા સમક્ષ રજૂ કરવામાં આવે Society for the Family of Men' – “માનવી કુટુંબ ભારતીય સંગીતનો કાર્યક્રમ માટેની સંસ્થા’ તરફથી ૫,૦૦૦ ડૅલરને પુરસ્કાર અપાયેલે જાહેર કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર વિનોબાજી ઉપરાંત બીજા છે વિશેષ * * ૨૪ મી ઓક્ટોબર યુનાઈટેડ નેશન્સને સ્થાપનાદિન હતો. વ્યકિતઓને આપવામાં આવ્યો છે, જેમાં યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ તેના અનુસંધાનમાં યોજાયેલા સમારંભમાં તા. ૨૩-૧૦-૬૬ના રોજ જોનસનનો સમાવેશ થાય છે. વિનોબાજીનાં મહાન કાર્ય અને સેવાની - યુનાઈટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્રસંસ્થા સમક્ષ યુનેની મહાસમિતિના આ પ્રમાણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કદર થતી જોઈને આપણે ભારતહૉલમાં ભારતની મશહુર ગાયિકા શ્રીમતી એમ. એસ. શુભાલક્ષ્મીએ વાસી ગૌરવ અનુભવીએ એ સ્વાભાવિક છે. વિનોબાજીને આપણા પિતાના ગાયનેને એક અત્યંત મનોરંજક કાર્યક્રમ રજૂ કર્યો હતો. : હાર્દિક ધન્યવાદ અને અભિનંદન.. . . નાદ અને અભિનંદન!• • • • પરમાનંદ Page #221 -------------------------------------------------------------------------- ________________ ત, ૧-૧૧- ૧૩પ : સંતતિ-નિયમનની મહાન પુરસ્કર્તા: મિસિસ માર્ગરેટ સેંગર (તા. ૧૯-૯-૬૦ ના “ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માંથી સાભાર ઉધ્ધત અને અનુવાદિત). શ્રીમતી માર્ગરેટ સેંગર જેમનું તાજેતરમાં ગયા સપ્ટેમ્બર પેદા કર્યા કરશે ત્યાં સુધી ગરીબ હંમેશા ગરીબ જ રહેવાનાં. માસની છઠ્ઠી તારીખે ૮૩ વર્ષની ઉંમરે અવસાન થયું તેમને ભારત આવી પ્રતીતિ થતાં મિસિસ સેંગરને એ હકીકતજ ખૂબ ઘણા કાળ સુધી સંભારતું રહેશે. એ મિસિસ સેંગર હતાં કે જેમણે પજવવા લાગી કે આ માતાઓને જે માહિતી આપવી ઘટે તે ‘Birth control’–‘સંતતિનિયમન’ શબ્દને સૌથી પહેલા માહિતી પહોંચાડવા માટે કોઈ કાયદેસરને રસ્તો જ નથી. ર્ડોકટરો પ્રયોગ કર્યો હતો, અને ૧૯૨૧માં જેમણે ન્યુ ચૅર્ક ખાતે સૌથી પહેલી એમ કહીને તેમને ટાળતા હતા કે આ તો કેવળ સામાજિક પ્રશ્ન સંતતિનિયમન પરિષદ ભરી હતી. દુનિયાના પ્રવાસે નીકળેલાં છે; સામાજિક કાર્યો કાં તો ઈશ્વરેચ્છાની વાત કરતા અથવા તો તેઓ ૧૯૩૫ ની સાલમાં ભારત ખાતે આવ્યાં હતાં અને ગાંધીજીને આવી બાબતમાં પોતાના હાથ ખંખેરી નાંખતા. પણ તેઓ એ દિવસે માં મળ્યાં હતાં. ગાંધીજી સાથેના મેળાપનું વર્ષો સુધી વિચાર કર્યા બાદ આ પ્રશ્ન તેમણે પોતાના હાથમાં વર્ણન કરતાં તેમણે શ્રી ભંવરમલ સિંધીને જણાવેલું કે “દુનિયાના લેવાને નિરધાર કર્યો અને વિરોધીઓના હુમલાને સામનો કરવાનું એ મહાન પુરૂષને મળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું એને તેમણે શરૂ કર્યું. તેમણે કશી પણ ધાંધલધમાલ કર્યા સિવાય ગર્ભધારણ મારા જીવનની એક મોટી ઘટના તરીકે લેખું છું. એ મેળાપની વાત અટકાવવાની બાબતમાં સ્ત્રીઓને ખાનગી સલાહ આપવાનું શરૂ કર્યું. જ્યારે પણ હું યાદ કરું છું ત્યારે આજે પણ મારા ભાગ્ય વિશે આ છુપા આંદોલનમાં તેમને મળેલી સફળતાથી તેમને એટલે બધા હું ગર્વ અનુભવું છું. એ બરાબર છે કે સંતતિ–નિયમનના વિષય ઉત્સાહ આવ્યો કે તેમણે “The women rebel’ એ નામના અંગે ને હું ગાંધીજીને મત બદલી શકી કે ન તેઓ મને નિરૂત્તર સામયિકની શરૂઆત કરી અને તેના પહે અંક ૧૯ ૧૪ માં બહાર પડયો. કરી શકયા. પરંતુ તેમના પ્રત્યેની મારી શ્રદ્ધામાં ન તે તે વખતે કોઈ પણ કમીપણું આવ્યું હતું, નથી આજે કોઈ કમીપણું આવ્યું.” - કામદાર સ્ત્રીઓ પિતાને પ્રશ્ન જાતે જ વિચારતી થાય અને કોઈ અન્યાય કે અઘટિત વર્તાવને તેઓ પ્રગટપણે હિંમતપૂર્વક સામનો તેમણે એ વખતે ૧૮ દેશની મુલાકાત લીધી હતી અને શહેરના રાજ્યાધિકારીઓને, મૅડિકલ સાયટીઓને અને સામાજિક કાર્યકરોને મળ્યા કરતી થાય – એ ઉદ્દેશ આ સામયિકને જાહેર કરવામાં આવ્યો. હતા અને તેમની સાથે પોતાના વિષયની ચર્ચાવિચારણા કરી હતી, સ્ત્રીઓના હક્કો શું છે એની જાહેરાત કરવી, એટલું જ નહિ પણ, મર્યાઅને ભારતમાં સંતતિનિયમનની હીલચાલને વેગ આપવામાં તેમણે દિત ગધારણની પદ્ધતિ વિશે કાયદેસર રીતે સલાહ આપવાની જરૂરિખૂબ મદદ કરી હતી. યાતને લોકો સમક્ષ આગળ ધરવી- આ બાબતની આ પત્ર દ્વારા માર્ગરેટ સેંગરે નાની ઉમ્મરથી પિતાની ભાવી મહત્તાનાં ચિહને જોસભેર હીત.ચાલ ચલાવવામાં આવી. આ પત્રને સરકાર તરફથી પ્રગટ કર્યા હતાં. તેઓ અગિયાર ભાંડુઓમાંના એક હતાં અને એ ટપાલમાં લઈ જવાની કે પહોંચાડવાની મના ફરમાવવામાં આવી. કારણે અનિશ્ચિત આવકવાળાં કુટુંબોમાં બહુ ઝડપથી પેદા થતાં ટપાલ મારફત સંતતિનિયમન કરવાને પ્રેરતી પત્રિકાઓ મેકસંખ્યાબંધ બાળકની સમસ્યાને બહુ નાની ઉમ્મરથી તેમના દિલ ઉપર લવા માટે ૧૯૧૫ માં મિસિસ સેંગર ઉપર કેસ કરવામાં આવ્યું. પણ ચાંટ લાગી હતી. મિસિસ સેંગરની હીલચાલના પક્ષકાર એવા કેટલાક જાણીતા મિત્રોએ તેમની માતા ક્ષયરેગમાં મરણ પામી અને લોકોની સેવા કર- પ્રાગુખ વિલ્સન તરફ આવા કેસને વિરોધ કરતા પત્રો લખ્યા અને વાની ઈચ્છાને વશ થઈને આ નાની ઉમ્મરની માર્ગરેટ ‘નસિંગ’ના પરિણામે કેસ પાછા ખેંચી લેવામાં આવ્યો. વ્યવસાય તરફ આકર્ષાઈ. આગળ જતાં ન્યુ ર્ક સીટીના લેઅર ૧૯૧૬ માં બ્ર કલીનમાં બર્થકન્ટ્રોલ કલીનીક ચલાવવા માટે ઈસ્ટ સાઈડમાં આવેલી ચાલેમાં વીઝીટીંગ નર્સ તરીકે કામ કરતાં મિસિસ સેંગરની ધરપકડ કરવામાં આવી. અને તેને ૩૦ દિવસની • સતત ગર્ભધારણના માઠાં પરિણામે તેમને બહુ નજીકથી જોવા મળ્યાં સજા ફરમાવવામાં આવી, પણ આ સજા સામે કરવામાં આવેલી અપીહતાં અને તેની તેમના મન ઉપર ખૂબ ગંભીર અસર પડતી ગઈ. લનું પરિણામ યુ. એસ . કોર્ટ ઑફ અપીલના એવા ચૂકાદામાં આવ્યું કે તેમના દર્દીઓમાં એવી સ્ત્રીઓ હતી કે જેઓ ચાલુ સુવાવડની જેના પરિણામે અમુક દર્દના ઉપાય અને અટકાયત માટે સંતતિનિયભાગ બનતી હતી. આ જુવાન નર્મને માલુમ પડયું કે આ સ્ત્રીઓ ભાંગી મનને લગતાં સાધનો વાપરવા સંબંધે સ્ત્રીઓને સલાહ આપવાની ડોક્ટરોને છૂટ આપવામાં આવી. ગઈ છે, ૩૫ વર્ષની ઉમરે ઘરડી જેવી લાગે છે અને અવારનવાર ગર્ભપાતને અાય લે છે જેમાંથી કેટલીકનું મરણ નીપજતું હોય છે. પિતાના જેલનિવાસ દરમિયાન મિસિસ સેંગર એવા નિર્ણય આ અત્યન્ત દરિદ્ર-દુ:ખી સ્ત્રીઓ કે જેમની સારવાર કરવાનું ઉપર આવ્યો કે કેળવ જોસભેર આન્દોલન ચલાવવાને બદલે શિક્ષણ, તેમના ભાગે આવતું હતું તેમની કેવળ નિરાશાજનક દશા જોઈને સંચાલન અને કાનૂનનિર્માણને લગતા ના કાર્યક્રમ હવે હાથ ધરતેમની ઉંઘ ઊડી જતી અને ઊંઘતા તે તેનાં જ તેમને સપનાં વાની જરૂર ઊભી થઈ છે. આ પ્રકારના શિક્ષણના ક્ષેત્રે પહેલું પગલું આવતાં. આખરે આ બહેનની દયાજનક દશા જોઈને ઘેલી ૧૯૧૭ માં “બ કન્ટ્રોલ રિવ્યુ' શરૂ કરવાને લગતું હતું - એ સમયે જેવી બની ગયેલી સેંગરે, તેમને પોતે કોઈ પણ રીતે મદદરૂપ થઈ કે જ્યારે તેનાં તંત્રી હજી જેલમાં હતાં. શકે તેમ નથી કે સલાહ આપી શકે તેમ નથી- આવી વસ્તુસ્થિતિનું ' ૧૯૨૧માં પહેલી નેશનલ બર્થ ટ્રોલ કંફ્રન્સ ન્યુ યૉર્કમાં ભાન થતાં, ૧૯૧૨ માં નસિંગને વ્યવસાય છોડ્યો. ભરવામાં આવી. જાહેર મત કેળવવા માટે મિસિસ સેંગરે ધી અમે. તેમણે લખ્યું છે કે, “મને એકાએક ભાન થયું કે નર્સ તરીકેનું રિકન બર્થ કન્ટ્રોલ લીગની સ્થાપના કરી- એ હેતુથી કે સ્ત્રીઓ ડાક્ટરે પાસેથી માર્ગદર્શન મેળવતી થાય, વૈજ્ઞાનિકોના સંશોધનોનું સમીકરણ મારું કામ અને સામાજિક ક્ષેત્રને લગતી મારી પ્રવૃત્તિઓ ઉપરછલી કરવામાં આવે, સંતતિનિયમનને અવરોધ કરતા કાયદાકાનુન રદ રાહત આપનારી અને અર્થવિનાની છે અને જે દુ:ખ હું મારી ચારે કરવામાં આવે અને કાર્યકરોને એવા રાજ્યોમાં મેલવામાં આવે કે જ્યાં બાજુએ જોઈ રહી હતી તેમાં કોઈ સંગીન રાહત આપી શકાય તેમ વસતિના પ્રશ્નને અભ્યાસ કરવામાં સ્થાનિક સંસ્થાઓને સહાર છે જ નહિ. * આપતાં ક્લીનીકોને કાયદાથી અટકાયત કરવામાં ન આવે. આ અનિષ્ટનું મૂળ શોધવાના મંથનદ્વારા તેમને માલુમ પડયું સંતતિનિયમનની હીલચાલનાં શરૂઆતનાં વર્ષો દરમિયાન બીજું કે પુરુષના પગાર અને આર્થિક વળતર વધારવાને લગતી લડત પૂરતી મહત્ત્વનું પગલું એ લેવાયું કે ૧૯૨૩માં ન્યૂ પૅર્ક સીટીમાં કલીનિથી. જ્યાં સુધી આ દુનિયામાં ગરીબ લો ઢગલાબંધ બાળકો નિકલ રીસર્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું - આ એ સંસ્થા કે જ્યાં Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ડોકટરો સંતતિઅવરોધનાં સાધનાની જાહેર રીતે ભલામણ કરવા લાગ્યા. આ સંસ્થામાં કેસ – હીસ્ટ્રીઝ સંગ્રહિત કરવામાં આવ્યા અને એ રીતે સંતતિનિયમનના સમર્થનમાં વૈજ્ઞાનિક ભૂમિકા તૈયાર કરવામાં આવી. આગળ જતાં આ સંસ્થા ‘બર્થ કન્ટ્રોલ કલીનીકલ રીસર્ચ બ્યૂરો’માં પરિવર્તિત થઈ. ૧૯૨૯માં આ સંસ્થાના મકાન ઉપર પોલીસની ધાડ આવી, પણ ત્યાર પછી તે સામેના આરોપો પાછા ખેંચી લેવામાં રમાવ્યા. પ્રમુર, જીવન. અર્થશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ, પ્રાણીવિજ્ઞાનશાસ્ત્રીએ અને અન્ય વૈજ્ઞાનિકો હવે આ સંતતિનિયમનને લગતી જેહાદમાં ભળવા લાગ્યા. ૧૯૨૫માં ન્યુ યોર્ક સીટીમાં ભરવામાં આવેલી ધી ઈન્ટરનેશનલ બર્થ કન્ટ્રોલ કોન્ફરન્સમાં ૧૭ દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધા. ૧૯૩૦ માં મિસિસ સેંગરે દુનિયાના જુદા જુદા દેશાના પ્રયાસા વચ્ચે અનુસંધાન ઊભું કરવા માટે પૂરીચ ખાતે વર્લ્ડ કોન્ટ્રાસેપ્ટીવ કાન્ફરન્સનું આયોજન કર્યું. ૧૯૬૨ માં મિસિસ સેંગરે બર્થ કન્ટ્રોલને લગતો કાયદો કરવા સંબંધે કાગ્રેસી સભ્યોના અભિપ્રાયો સંગડ્ડિત કરવા માંડયા અને ૧૯૩૧માં બર્થ કન્ટ્રોલ અંગે ફેડરલ લેજીસ્લેશન (રાષ્ટ્રવ્યાપી કાનૂન) કરવા માટે એક નેશનલ કમિટીની સ્થાપના કરી. આજે બર્થ કન્ટ્રોલની હીલચાલે યુનાઈટેડ સ્ટેટ્સમાં સન્માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ૧૯૩૯ માં જૂની અમેરિકન બર્થ કન્ટ્રોલ લીગ અને બન્ને કન્ટ્રોલ કલીનીકલ રીસર્ચ બુરી—આ બન્ને સંસ્થાનું વિલીનીકરણ કરવામાં આવ્યું અને એમાંથી ‘બર્થ કન્ટ્રોલ ફેડરેશન ઑફ અમેરિકા નામની સંસ્થાનું નિર્માણ થયું અને મિસિસ સેંગર તેના આનરરી ચેરમેન બન્યાં. ૧૯૪૨માં આ નવા ફેડરેશને પેાતાનું નામ બદલી *પ્લાન્ડ પેરન્ટહુડ ફેડરેશન ઑફ અમેરિકા' એવું નામ ધારણ કર્યું અને ન્યુ યાર્કને તેનું મથક બનાવવામાં આવ્યું. મિસિસ સગરને તેમની સિદ્ધિ બદલ અનેક પારિતોષિકો આપવામાં આવ્યા અને આનરરી ડિગ્રીએ અર્પણ કરવામાં આવી. ૧૯૩૧માં ‘Integrity, vision and valour ’~‘પ્રમાણિકતા, દર્શન અને વીરતા' માટે મિસિસ સંગરને ધી અમેરિકન વીમેન્સ અવોર્ડ' મળ્યો અને ૧૯૩૬માં માનવી જીવનના વિકાસ અને ઉત્કર્ષમાં મહત્ત્વનો ફાળો આપવા માટે તેમને ‘ધી ટાઉન હૉલ એવાર્ડ ઑફ નર' મળ્યો. ધી આલ્બર્ટ ઍન્ડ મેરી લાસ્કર ફાઉન્ડેશને બર્થ કન્ટ્રોલને લગતા આંદોલનના અનુસંધાનમાં ડહાપણભર્યા આયોજનના શિક્ષણપ્રદાનમાં સૌથી આગળ પડતો ભાગ લેવા માટે અને દુનિયાના દેશનું વસ્તીના સમધારણના પ્રશ્ન તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં અગ્રણી બનવા માટે મિસિસ સંગરનું બહુમાન કર્યું. ૧૯૪૯માં મેસેચ્યુસેટ્સમાં આવેલ સ્મીથ કૅલેજે તેમને ડૉકટર ઑફ લાઝ'ની ડિગ્રી આપી; અને ૧૯૬૫માં યુનિવર્સિટી ઑફ એરીઝાના તરફથી તેમને ‘ડૉકટર ઑફ હયુમેઈન લેટર્સ'ની પદવી મળી, આગળ જતાં મિસિસ સગરને, ‘Humanist of the year' અને ‘Woman of the Century' તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં અને ૧૯૬૫માં ‘વીમેન્સ હાલ આફ ફેઈમ'માં ૨૦મી સદીની ૨૦ આગળ પડતી સન્નારીઓમાંનાં એક તરીકે તેમનું નામ અંકિત કરવામાં આવ્યું હતું. તેમણે ‘The Pivot of Civilisatlon' (૧૯૨૨); Women and the New Races’(૧૯૨૩); Happiness in Marriage' (૧૯૨૬); અને બે આત્મચરિત્ર; ‘My Fight for BirthControl (૧૯૩૧); અને ‘Margaret Sanger-an Autobiography' (૧૯૩૮) અને એ ઉપરાંત બર્ન ક-ટ્રોલ અને જાતીય શિક્ષણ ઉપર ઘણાં પુસ્તકો લખ્યાં છે. અનુવાદક: પરમાનંદ :મૂળ અંગ્રેજી: યુ. જી. સિફ્ર 10 તા. ૧૧ કે ઉમાશકર જોષી (‘જન્મભૂમિ—પ્રવાસી’માંથી સાભાર ઉષ્કૃત) ત્રણ અઠવાડિયામાં બે ‘યુદ્ધ' જીતવાં એ એક મેાટી સિદ્ધિ છે, તેમાં પણ પ્રતિસ્પર્ધી જયારે શ્રી મગનભાઈ દેસાઈ જેવા જાજરમાન રાજપુરુષ હાય, સરકાર અને કૉંગ્રેસનું પીઠબળ ધરાવતા હોય ત્યારે એવા યાદ્ધાને હરાવવા એ કઈ જેવી તેવી સિદ્ધિ નથી. વિદ્યાના ક્ષેત્રે શ્રી ઉમાશંકર જોશીએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેના કરતાં આ વિજય કઈ વધુ મોટા નથી અને ઉમાશંકરને એવા વિજયની જરૂર પણ નથી. પરંતુ સરસ્વતીને રાજકારણના તાપથી બચાવવી હોય તો આ સ્પર્ધાની જરૂર હતી. વિદ્વાનો અને કેળવણીકારો પાતાના ક્ષેત્રમાં રહે અને રાજકરણના કાદવમાં ન પડે એ જરૂરી છે. કારણ કે આપણે ત્યાં રાજકારણનો અતિરેક થયો છે, ને રાજકારણમાં ગંદકી તો બધે હોય છે. આ કઈ ગાંધીજીનું રાજકારણ નથી. ગાંધીજીનું તત્ત્વજ્ઞાન તા ગાંધીજીની સાથે ગયું. ઉમાશંકરને કોઈ રાજકીય મહત્ત્વકાંક્ષા નથી. એ સારસ્વત સરસ્વતીની ભકિતમાં તલ્લીન રહીને સુખી છે. તેમ છતાં તેમને શાસ્ત્ર મૂકીને શસ્ત્ર ઉપાડવું પડયું, કારણ કે વિદ્યા અને કેળવણી પર રાજકારણનું આક્રમણ થયું હતું. થાડાક માસ પહેલાં આ મહાકવિની સાથે ત્રણ ચાર દિવસ ગાળવાને મને પ્રસંગ આવ્યો ત્યારે જાણવામાં આવ્યું હતું કે, તેમના અંતરાત્મા બળવા કરી રહ્યો છે. ‘સંસ્કૃતિ’ ના સંપાદક અને સંસ્કૃત વિદ્રાન પુણ્યપ્રકોપ અનુભવે તો પણ કટુતાથી મુકત છે. એમને હાદાની ભૂખ નથી, પ્રશંસાના મેહ નથી. અમદાવાદમાં સરદાર પટેલ નગરમાં “સેતુ’ના પ્રસન્નચિત્ત શાંત વાતાવરણમાં કવિ અધ્યયનમાં મગ્ન હોય અથવા ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ આપવામાં તલ્લીન હાય--આ તેમનું જગત છે. જીવનની કરુણતાએ આ સાધુપુરુષને પણ છોડયા નથી, કારણ કે કાળે ઉમાશંકર પાસેથી ઉમાને અકાળે ખૂંચવી લીધી છે. ઉમાશંકર જેઠાલાલ જોષીના જન્મ તા. ૨૧મી જુલાઈ ૧૯૩૧ ના રોજ સાબરકાંઠાના બામણા ગામે થયો હતો. ગુજરાત વિદ્યાપીઠમાં અને મુંબઈની એલ્ફિન્સ્ટન કાલેજમાં ભણીને એમ. એ. થયા પછી એમણે કેળવણી અને સાહિત્યને પોતાનું જીવન અર્પણ કર્યું છે, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આ કવિ—પંડિતના ફાળા અમૂલ્ય છે. કવિતા માટે તેમને રણિજતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક તે મહિડા પારિતાષિક મળ્યાં છે, પરંતુ હવે તે તેમની કાવ્યપ્રતિભા અને તેમનું વિદ્યોતેજ પોતે જ એમના રાંદ્રક છે. એમની વ્યગંગાત્રીના પ્રસન્નચિત્ત પ્રવાહને ખરેખર તેા ગંગાવતરણના પ્રવાહ સાથે સરખાવી શકાય. તમે ભાગીરથી, મંદાકિની અને ગાક નંદાને હિમાલયમાંથી ઊતરતી અને ઉછળતી જુઓ, અને પછી હરિદ્વારથી પ્રગલ્ભ રીતે મેદાનમાં વહેતી જુએ ત્યારે જે સ્વરૂપ વિધ્ય તમે જોશે તે ઉમાશંકરની કાવ્યગંગામાં છે. ‘વિશ્વશાંતિ’ નામના ખંડકાવ્યની પાંખે અને ‘ગંગોત્રી’ની લહેરે ચડીને ઉમાશંકરે ગુજરાતી કાવ્ય - સાહિત્યમાં નાની વયે પ્રવેશ કર્યો, અને તરત જ પહેલી પંકિતના અધિકારી બની ગયા. તેમનું ‘સાપના ભારા’ વાંચનારને તેમની પાસેથી વધુ નાટકોની અને ‘ત્રણ અડધું બે’ તથા ‘શ્રાવણી મેળા’નું રસપાન કરનારને વધુ વાર્તાએની તૃષ્ણા જાગે છે. એક વિદ્વાન વિવેચક તરીકે તેમનું સ્થાન આગવું છે. ‘ઉત્તરરામચરિત' અને ‘શાકુન્તલ’ દ્વારા તેમણે સંસ્કૃત કાવ્યામૃતના ગુજરાતીમાં રસાસ્વાદ કરાવ્યો છે. કેળવણી રાજકારણથી અલિપ્ત અને અસ્પૃશ્ય રાખવી હોય તા મગનભાઈ અને ઉમાશંકરની વચ્ચે ઉમાશંકરની જ પસંદગી કરવાની હાય. એથી આગળ વધીને કહીએ તો કેળવણીકાર તરીકે ઉમાશંકરની જ પસંદગી યાગ્ય છે. નવા જમાનાને એવા સંસ્કારમૂર્તિ વિદ્વાનની જરૂર છે કે જેમની તાજગીભરી દષ્ટિને રાજકીય વિચારો ધૂંધળા બનાવી શકે નહિ. આજે ભારતમાં વિદ્યાથી જગત સંક્ષુબ્ધ છે, દિશાભાન ગુમાવી બેઠેલ છે, ક્રુદ્ધ બની ખંડનાત્મક પ્રવૃત્તિમાં પણ ઊતરી ગયેલ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આવતી કાલના ગુજરાતી ભાગ્યવિધાતાઓનું પોતાનું ભાગ્ય ઘઢવા ઉમાશંકર જેવા ભામિયા મળ્યા એ સૌનું સદ્ભાગ્ય છે. સાહમ Page #223 -------------------------------------------------------------------------- ________________ તા.૧-૧૨-૬૬ મહુવન IL. આધ્યાત્મિક સાધના શિબિર બહેનો માટે * શકિત દેલનાં પ્રમુખ શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસા તરફથી (મિશ્ર) મળેલ પત્રિકામાં એ મુજબની જાહેરાત કરવામાં આવી છે કે શકિતદલ અભ્યાસ કક્કા સમ જિંદગીને ,, - તરફથી નવેમ્બર માસની ૨૧, ૨૨ તથા ૨૩ મી તારીખ - એમ આરંભ કી “અ” થકી અહો મેં ત્રણ દિવસ માટે આચાર્ય રજનીશજીના સાનિધ્યમાં મુંબઈ અંતે પહોંચી ‘’ સુધી છતાં છે . ' મલાડ ખાતે આવેલા આદર્શ દુગ્ધાલયમાં બહેને માટે એક આધ્યા- ' સહી ખરા જીવનથી જ “અ”!, , , ; ત્મિક સાધના શિબિર યોજવામાં આવી છે. આ શિબિરમાં જોડાવા ' . ગીતા પરીખ" ઈચ્છતી બહેનેએ શિબિરને લગતું પ્રવેશપત્ર મેળવવાનું રહેશે અને ભુલ સુધારણા તા: ૧૦ મી નવેમ્બર સુધીમાં રૂા. ૫૦ સાથે તે પ્રવેશપત્ર ભરીને માનદ્ ' પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં “અને ફીણ ના અવલોકનમાં મંત્રી, શકિતદલ, ૨૧, ડુંગરશી રોડ, મુંબઈ-૬ એ ઠેકાણે પહોંચાડ- જણાવાયું છે કે આ પુસ્તક મેસર્સ એન. એમ. ત્રિપાઠીની કંપનીમાંથી વાનું રહેશે. આ શિબિરમાં જોડાવા ઈચ્છતી બહેનેએ તા. ૨૦ મી મળશે, પણ આ પુતિસ્કા વેચવા માટે કાઢી નથી, પણ ભેટ આપવા નવેમ્બરની રાત્રીના આઠ વાગ્યા સુધીમાં શિબિર સ્થળે પહોંચી પૂરતી અમુક નકલ કાઢવામાં આવી છે, એટલે સામાન્ય લોકોને જવાના રહેશે. શિબિરાર્થી બહેને માટે શિબિરના દિવસે દરમિયાન ' ' ' પસ્તિકાની પ્રાપ્તિ શક્ય નથી. ' ' ખાવા પીવા તથા રહેવાની જરૂરી બધી સગવડો કરવામાં આવશે. વિશેષ સૂચનાઓ શિબિરને લગતા પ્રવેશપત્રોમાંથી બહેનોએ મેળવી | ‘સમર્પણને જયના અવલોકનમાં શ્રી રતિલાલ દીપચંદ લેવી. આ પ્રવેશપત્ર મેળવવા તથા નાણાં ભરવા માટે નીચેનાં સ્થળોએ ' દેસાઈની અને કૃતિઓ તરીકે ૧. કામવિજેતા, ૨, ચિત્રાકમારી, પણ ગોઠવણ કરવામાં આવી છે: ૩. અદ્વૈત અને ૪. પ્રભાતનાં પુષ્પો એમ ચાર કૃતિઓ જણાવી છે. - (૧) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ કાર્યાલય, ૪૫/૪૭, ધનજી - આ વિધાન ભૂલભરેલું છે. તેમની ચાર કૃતિઓનાં નામ નીચે સ્ટ્રીટ, મુંબઈ -૩. મુજબ છે: સુવર્ણકંકણ, રાગ અને વિરાગ, કલ્યાણમૂર્તિ અને (૨) શ્રી જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, બઈ-૨. હિમગિરિની કન્યા. તંત્રી : ‘પ્રબુદ્ધ જીવન” ટે. નં. ૨૨૩૩૧ આ બન્ને કાર્યાલય તરફથી રૂ. ૫૦ ની કાચી પહોંચ આપવામાં વિષયસૂચિ આવશે. ', ' ' સર્વોદય વિચારધારાનું સમ્યકુ સ્વરૂ૫. - શંકરરાવ દેવ ૧૨૭ : “શ્રેયસને પરિચય પર્યુષણ વ્યાખ્યાનમાળા : " શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે મસ્જિદ બંદર સમાલોચના છે. ગૌરીપ્રસાદ યુ.ઝાલા ૧૨૯ પ્રકીર્ણ નોંધ : ભાઈ ઉમાશંકરને અનેક પરમાનંદ, રોડ ઉપર આવેલા ધી ગ્રેઈન ઍન્ડ ઑઈલ સીડઝ મરચન્ટસ ૧૩૨ ધન્યવાદ, ભારત જૈન મહાએસેસીએશનના હૅલમાં તા. ૫-૧૧-૬૬ શનિવાર સાંજના મંડળના અધિવેશનમાં પસાર કરવામાં છ વાગ્યે એક સભા યોજવામાં આવી છે, જેમાં અમદા આવેલ પ્રસ્તાવે, ભારત જૈન મહાવાદની સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા ‘ોયસ'ના સ્થાપક તથા મંડળનું અધિવેશન: એક સમાલોચના, મુખ્ય સંચાલક શ્રીમતી લીનાબહેન મંગળદાસ ‘શ્રેયસ'ની એક ચર્ચાપત્ર, સંયુકત રાષ્ટ્રસંસ્થા વિવિધ પ્રવૃત્તિઓને ચિત્રો તથા વિવિધ સાહિત્ય દ્વારા - સમક્ષ રજૂ કરવામાં આવેલ પરિચય આપશે. આ સભામાં ભાગ લેવા જિજ્ઞાસુ સર્વે ભારતીય સંગીતને કાર્યક્રમ, વિનેગા જીને મળેલો ગૌરવપ્રદ પુરસ્કાર. ભાઈબહેનેને વિનંતિ કરવામાં આવે છે. . સંતતિ-નિયમનની મહાન પુરસ્કર્તા : " મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ || મીસીસ માર્ગરેટ સંગર યુ. જી. સિરૂર..., ૧૩૫ વ્યાખ્યાનમાળાની યાદી - : , ૧૩૮ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘની વિવિધ પ્રવૃત્તિઓને થયેલું અર્થસિંચન શ્રી મુંબઈ જૈન યુવક સંધ ૨૦૧ , સ્વ. અંબાલાલ ચતુરભાઈના ૧૦૧ , અજમેરા એન્ડ કે. ૧૫૬૨-૬૬ ઝોળીમાં આવ્યા સ્મરણાર્થે તેમના કુટુંબીજને ૧૦૧ , એક તગૃહસ્થ ૫૦૧ એક સગૃહસ્થ, .. તરફથી મફતલાલ ભીખાચંદ શાહ ૫૦૦ શ્રી મધુરીબહેન અમૃતલાલ શાહ ૨૦૧ , ચીમનલાલ પી. શાહ ૧૦૧ , સેવંતીલાલ ખેમચંદ ૫૦૦ શ્રી નવલમલ કુંદનમલ ફીરોદીયા. ૨૦૦ ” વીશા પ્રીન્ટરી , એક સહસ્થ ૨૫૧ , રસિકલાલ મોહનલાલ ઝવેરી ૨૦૦ , નરેન્દ્ર શીવલાલ ગુપ્તા , નીરૂ એન્ડ કું.” ૨૫૧ , એક સદગૃહસ્થ , , તારાચંદ ધનજી ૧૦૧ , શાહ પટેલ એન્ડ કું. ૨૫૧ , ચીમનલાલ ચકુભાઈ શાહ ૦૦ , ગુલાબચંદ તલકચંદ શેઠ ૧૦૧ , રમણલાલ ચંદુલાલ શાહ ૨૫૧ , એક સદગૃહસ્થ ૨૦૦ , આર. સી. બરાર કે. ૧૦૧ , પી. વી. શાહ ૨૫૦ ” કમાણી બ્રધર્સ પ્રા. લી. ૧૫૧ ફત્તેહચંદ લલ્લુભાઈ શાહ ૧૦૧ , નૌતમલાલ દીપચંદ શાહ ૨૫૦ ” ખીમજી માડણ ભુજપુરીયા ૧૫૧ , સુબોધભાઈ એમ. શાહ , હીરાબહેન દીપચંદ સંઘવી ૨૫૦ , ચંદુલાલ મેહનલાલ ઝવેરી ૧૫૧ , જયંતિલાલ અંબાલાલ શાહ , રબ્બર ગુડઝ ટ્રેડીંગ કું. ૨૫૦ , અરજણ તથા દેવજી ખીમજી ' સાર્વજનિક ટ્રસ્ટ, ૧૫૧ , ઉર્મિલાબહેન જયંતિલાલ શાહ ૧૦૧ , એક શુભેચ્છક' , ૨૫૦ , પ્રમોદભાઈ વીરચંદ શાહ, ૧૫૦ , લીલાધર પાસુ શાહ ૧૦૧ , ડી. આર. વી., ટ્રેડીંગ ક. ૨૫૦ દુર્લભજી કેશવજી ખેતાણી ૧૦૧ .લખમશી નેણશી : : - ૧૦૧ , યુનિવર્સલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન # # Page #224 -------------------------------------------------------------------------- ________________ જ ક - પ્રબુદ્ધ જીવન ૧૦૧ , એમ. કિશોરભાઈ એન્ડ ક. ૨૫ , લવણપ્રસાદ કુલચંદ શાહ : ૧૧ , જયંતિલાલ એસ. ઓઝા , રીપભદાસજી રાંકા , દલપતલાલ કેશવલાલ , " . ૧૧ , વેણીબહેન વિનયરચંદ કાપડિયા ૧૦૧ , ધીરજલાલ અજમેરા : ૨૫ , ચીનુભાઈ નાથાલાલ શાહ ૧૧ , ગુણવંતીબહેન છોટાલાલ શાહ ૧૦૧ , શાન્તાબહેન જીવણલાલ લાખાણી ૨૫ , રમણલાલ પ્રભુદાસ શાહ ૧૧. , ડી. એમ. ભુજપુરીયા , મહાસુખલાલ ભાઈચંદ , રામજી ટાકરસી ઘરોડ , શાંતિલાલ સી. શાહ , મનુભાઈ ગુલાબચંદ કાપડિયા : , રાયચંદ હીરાચંદ ઝવેરી , કાંતિલાલ ભગવાનદાસ - કાન્તાબહેન કસ્તુરચંદ ઝવેરી , પ્રભાવતી જાદવજી મહેતા , શામજી ચનાભાઈ ૧૦૦ , એમ. બી. વિરાન : , ચંદબહેન પારેખ , ખીમજી માણેક વીરા - ૭૫ , રતિલાલ ચીમનલાલ કોઠારી ૨૫ , હસમુખલાલ ફોહચંદ , . ૧૦ , કેશવલાલ નગીનદાસ શાહ ૫૧ , વિજયાબહેન પરીખ : ૨૫, કુસુમચંદ્ર ડાહ્યાભાઈ ૧૦ , જયાબહેન પ્રવિચંદ્ર ૫૧ - ભગવાનદાસ પોપટલાલ A , સરસ્વતીબહેન કાંતિલાલ મહેતા ૫ર દસથી નીચેની રકમ ૫૧ , એન. જે. મહેતા , કુમુદબહેન અરવિન્દ પટવા ૧૩૧૪૭-૬૬ ૫૧ , મણિલાલ બી. નાણાવટી - ૨૫ , યશોધર હેમચંદ મોદી : શ્રી.મ.મ. શાહ સાર્વજનિક ૫૧ , મંગળજી ઝવેરચંદ મહેતા , જગજીવન પોપટલાલ : વાચનાલય અને પુસ્તકાલય ૫૧ , કે. પી. શાહ ૨૫ , ગણપતલાલ મગનલાલ કોઠારી - ૨૫૧ શ્રી જેઠાલાલ ડામરસીભાઈ: ૫૧ ઘેલા કુરપાલ ૨૫, હીરાલાલ હરગોવિંદદાસ ગાંધી ' ચંદ્રિકાબહેન વાડીલાલની દીક્ષા પ્રસંગે , મોંઘીબહેન હીરાલાલ શાહ ૨૫ , ચત્રભુજ નાગરદાસ ૨૫૧ , રસિકલાલ માણેકલાલ દલાલ , સુરજબહેન કોઠારી , ડે. નગીનદાસ પી. શાહ ૨૫૧ , કાંતિલાલ ન્યાલચંદ કોઠારી , પ્રવિણચંદ્ર હેમચંદ અમરચંદ , યંતિલાલ પોપટલાલ શાહ ૨૫૦ , કામાણી ફાઉન્ડેશન ડે. ચીમનલાલ શ્રોફ ૨૫ , શિવલાલ કે. મહેતા - ૧૦૯ , જે. પી. પારેખ , સુનિતાબહેન શેઠ ૨૫ , નાનજી વીરપાળ ૧૦૧ , આર. એલ. શાહ , બાલકૃષ્ણભાઈ ગાંધી - ૨૫, મોહનલાલ નગીનદાસ જરીવાલા ૧૦૧ ” પી. રતિલાલની કે.. ૫૧ , ચંદુલાલ સાકળચંદ શાહ ૨૧ , શાન્તિલાલ અમૃતલાલ શાહ ૫૧ , સુનિતાબહેન શેઠ , પ્રવિણભાઈ મંગળદાસ શાહ ", કપિલાબહેન શાસ્ત્રી ૫૦ , મોહનલાલ નગીનદાસ જરીવાલા - મહેતા એજીનિયરીંગ સ્ટોર્સ , અમૃતલાલ પટણી ૨૬ , વિદ્યાબહેન ચંપકલાલ દલાલ ૫૧ , દેવચંદ રવજી ગાલા - ૨૧ , સુશિલા બહેન કોઠારી , જમનાદાસ જે. શાહ ૫૧ , ચંદનબહેન ડાહ્યાભાઈ શાહ ૨૧ , કાંતિલાલ ભોળાભાઈ ઝવેરી ૨૫ , રમણિકલાલ પ્રભુદાસ શાહ , સ્વરૂપચંદ નેમચંદ શ્રોફ ૨૧ , સરસ્વતીબહેન ૨૫ , હસમુખલાલ ફત્તેહચંદ શાહ ૫૧ , ખેતસી માલસી સાવલા ૨૦ , હીરજી ટોકસી » કુસુમચંદ્ર ડાહ્યાભાઈ ૫૧ , ભૂપેન્દ્ર સી. શાહ.' ૧૬ ડે. હસમુખલાલ ચીમનલાલ કુવાડીયા , નંદલાલ છગનલાલ , લીનાબહેન જીતેન્દ્ર શેઠ . ૧૫ , જીતેન્દ્રકુમાર કાંતિલાલ શાહ ૨૫ , ચંદનબહેન ડાહ્યાભાઈ ૫૧ , ભગવાનદાસ સી. શાહ ' ૧૫ , આણંદજી ગોવિદજી ના ૧૧ , એક સહસ્થ ૫૧ , રમણલાલ લાલભાઈ લાકડાવાલા ૧૫ , મૂળચંદ નાનાલાલ શાહ , * ૧૦ , દલપતલાલ કેશવલાલ પરીખ ૫૧ , મણિલાલ દુર્લભઃ શાહ ૧૫ , હેમચંદ વીરજી મહેતા, ૫૧ , નરસી કોરસીની ક. - ૧૭ દસથી નીચેની રકમ ૧૫ , પ્રદિપ મહેતા , ૫૦ , અમીચંદ જે. શાહ , , ૧૫ , રમણિકલાલ વાડીલાલની ક. ૫૦' , એક " સહસ્થ " . ૧૫ , હા. શ્રી જયંતિલાલ સુંદરલાલ વિદ્યકીય રાહત A , એક સદગૃહસ્થ ૫૦૦ શ્રી રામજી શામજી વિરાણી , નરભેરામ મોરારજી ઝાટકીયા ૧૩ , મેહનલાલ ત્રીભુવનદાસ ૩૧ , રમણિકલાલ પ્રભુદાસ શાહ ૪૫ , એક સદગૃહસ્થ (૧૧ ,, પ્રે. રમણલાલ વી. શાહ ૨૫ , ચન્દનબહેન ડાહ્યાભાઈ શાહ ૨૫ , પરમાનંદ કુંવરજી કાપડિયા '' ૧૧ , મનસુખલાલ કલ્યાણજી શાહ , બાબુભાઈ કેશવલાલ , હરિલાલ ગુલાબચંદ શાહ ૧૧ , ઉત્તમચંદ ડોસાભાઈ દડીયા , લીલાબહેન મનુભાઈ શાહ શ્રી શિવલાલ હરિલાલ શાહ ૧૧ ,, દીનકરલાલ પારેખ ૧૧ , જી. ચીમનલાલ બ્રધર્સ -૧૦ , મોહનલાલ ત્રીભુવનદાસ , લીલાવતીબહેન દેવીદાસ ૧૧ , સુખલાલ મનસુખલાલ મહેતા ૧૦ / દલપતલાલ કેશવલાલ ૨૫ , મેનાબહેન નરોત્તમદાસ ૧૧ ,, પી. એચ. કામદાર ૧૫ દસથી નીચેની રકમ , મણિબહેન સવચંદ કાપડિયા , કુલીન કાંતિલાલ મોદી ૬૨૮ ૨૫ , લીનાબહેન નરેન્દ્ર શેઠ ૧૧ , ભાણજી ઠાકરસી દેઢીયા પ્રબુદ્ધ જીવન ૨૫ , ચંપકલાલ મુલરાંદ લાખાણી ૧૧ , તરૂણા વિપિન શાહ ૧૦૧ એક સદગૃહસ્થ ૨૫ , જયચંદ એમ. શાહ , , ધીરજલાલ મલુકચંદ દોશી ૧૧ શ્રી વનિતા જયંત શાહ ૨૫ , મણિબહેને શીવલાલ શાહ ( ૧૧ , રાજેન્દ્ર અમૃતલાલ ૧૧૨ ૧૬૨૯ કોઠારી માલિક: શ્રી મુંબઈ અને યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ Page #225 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પબુ જીવન પ્રબુદ્ધ જૈનતુ નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૪ મુંબઈ, નવેમ્બર ૧, ૧૯૯૬, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૯ તંત્રી: પરમાનદ કુંવરજી કાપડિયા પ્રકી નોંધ નૂતન વર્ષ પ્રવેશ નવેમ્બર માસની ૧૩મી તારીખે—કાર્તક શુદ ૧ થી—આપણે વિક્રમના ૨૦૨૩મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સાધારણ રીતે આ દિવસ આનંદ અને ઉત્સાહના પ્રેરક હોય છે, પણ આ વખતે નવા વર્ષના પ્રાર’ભ સાથે કોઈ આનંદ—ઉલ્લાસ જોડાયલા અનુભવાતા નથી. કારણ કે આખો દેશ એક પ્રકારની માનસિક બેચેની, અસહિષ્ણુતા, અસ્વસ્થતાના વ્યાપક ઉપદ્રવથી—‘એપીડેમીક’થી—ગ્રસ્ત થયા છે, અને કિંકર્તવ્યમૂઢતા સમગ્ર પ્રજાસમુદાયના માનસને ઘેરી વળી છે. વધતી જતી મોંધવારી, લોકોના જીવનને ભરડો દેતી હાડમારીઓ, કુદરતી દુર્ઘટનાઓ, ઊંચે ચઢતા જતા કરવેરા, જીવન - જરૂરિયાતની ચીજોની ઘેરી બનતી જતી અછત, ચોતરફ ઘેરી બનતી જતી નિરાશા— આવાં અનેક કારણોને લીધે સંભવ છે કે આવી પરિસ્થિતિ ઊભી થવા પામી હોય, પણ આજે આ પરિસ્થિતિ ભારે ચિન્તાનો વિષય બની રહી છે અને કોઈ પણ નિમિત્ત મળતાં દેશના એક યા બી.જે ખૂણે નાના - મોટો ભડકો થતાં વાર ન લાગે એવું ભયાનક રૂપ ધારણ કરી રહી છે. આ જ માનસિક ભારતવ્યાપી ઉપદ્રવના આજના વિદ્યાર્થીઓ પણ ભાગ બન્યા છે અને નાની મોટી બાબતને આગળ કરીને ભાંગફોડની પ્રવૃત્તિ તરફ તે ધસી જતા માલુમ પડે છે. શ્રી મુબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તાજેતરમાં વ્યતીત થયેલા ભૂતકાળનું સ્વરૂપ આવું ધૂંધળુ છે; ભાવી વધારે ધુંધળું અને અંધકારમય ભાસે છે. આવા વાતાવરણ વચ્ચે નવા વર્ષ અંગે શુભેચ્છાના, ઉત્સાહના કે ઉલ્લાસના શબ્દો ચિત્તમાં સહજપણે સ્ક્રૂ રતા નથી અને લેખિની સ્થગિત થઈ જાય છે. આવી વ્યાકુળ મનોદશામાં વિશેષ લખવાના પ્રયત્ન કરૂં તેના બદલે તાજેતરમાં હૈદરાબાદ ખાતે તા. ૧૨મી નવેમ્બરના રોજ સ્વ. શ્રી વિશ્વશ્વરૈયાની પ્રતિમાનું અનાવરણ કરતા ભારતના પ્રજાજનાને ઉદ્દેશીને રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને જે ઉદ્ગારો કાઢયા છે તે ઉદ્ગારો અહિં ઉદ્ધૃત કરૂં તે વધારે પ્રસ્તુત અને ઉચિત લાગે છે. તેમણે ઉપર જણાવેલ પ્રસંગે જણાવ્યું કે: “આજે દેશમાં દરેક જણ પોતાના માટે જેટલું બને તેટલું મેળવી લેવાની અને પેાતાનું ઘર ભરવાની ચિન્તામાં પડયા છે. દેશના વિશાળતર હિતની કોઈને જ પડી નથી. આપણામાં અપૂર્ણતાએ હોય એ સ્વાભાવિક છે, પણ પ્રમાણિકતામાં આપણે ઉણા ન જ ઉતરવું જોઈએ. આપણે સૌ પ્રમાણિક માણસ છીએ, ક્ષુદ્ર માણસા નથી એમ પ્રજા ઉપર ઠસાવવાના પ્રયાસે આપણે કરીએ તે જરૂરનું છે. દેશની અંદર અશાન્તિ અને અવ્યવસ્થા હોય તો આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આમાં આપણી પોતાની જવાબદારી કેટલી? જવાબદારીના ભાન વિના સત્તા માટેની લાલસા એ ખરેખર અત્યન્ત ધૃણાજનક છે. કોઈ પણ પ્રકારની રાજકીય ગુંડાગીરીથી રાષ્ટ્રનું નવવિધાન થઈ શકવાનું જ નથી. રાજકીય ગુંડાંગીરીથી દેશ પાયમાલ થઈ જશે, દરેક જણે પોતાની જાતને પ્રશ્ન પૂછવા જોઈએ કે, “હું મારા રાષ્ટ્રનું નવવિધાન કરવામાં મદદરૂપ થાઉં છું કે દેશનો વિનાશ કરવામાં સહાયક થાઉં છું?” નાના મોટા ઉચ્ચ સ્થાને બિરાજતા માટા લોકો કે સામાન્ય સ્થાને રહેલા નાના લોકો, ભણતા વિદ્યાર્થી કે ભણાવતો અધ્યાપક, વહીવટી અધિકારી કે સત્તાધીશ રાજપુરુષ–દરેક જણે પોતાના અંતરાત્માને પ્રશ્ન પૂછવા જોઈએ કે મારૂં કૃત્ય રાષ્ટ્રને માટે ઈષ્ટ છે ખરૂં? આ સમાજને સંગકૃિત રાખનાર તત્ત્વ તે ધર્મ છે. દરેક જણ પોતાનાં હિતા કરતાં રાષ્ટ્રના જ હિતને વિશેષ મહત્ત્વ આપે અને પોતાનાં અંગત સ્વાર્થ કરતાં લોકની સેવાનું ગૌરવ કરે તે જ મહત્ત્વનું છે. દરેક કાર્યના પ્રેરક ઉદ્દેશ આ જ ભાવના હોઈ શકે.” નવા વર્ષમાં આપણે આ પ્રકારની કર્તવ્યનિષ્ઠા, ધર્મપરાયણતા અને આજે જે અન દેશને અવનિત તરફ લઈ જઈ રહ્યા છે તે વિશે પૂરી સભાનતા - સગતા - પૂર્વક પ્રવેશ કરીએ, અને જયાં અંધકાર છે ત્યાં પ્રકાશનું અવતરણ કરીએ, નિરાશા છે ત્યાં આશાનું સીંચન કરીએ, દુ:ખ છે ત્યાં કાંઈક સુખનો સંચાર કરીએ અને દેશના ડહોળાયેલા માનસને સમધારણ ઉપર પ્રસ્થાપિત કરીએ ! આવી આપણી પ્રાર્થના હો અને આવા આપણા પુરુષાર્થ હા ! મહારાષ્ટ્રી–બિનમહારાષ્ટ્રી તા. ૩૦મી ઓક્ટોબર રવિવારે મુંબઈ ખાતે શિવાજી પાર્કમાં શિવસેનાની એક વિરાટ સભા યોજવામાં આવી હતી અને ત્યાં મુંબઈના પ્રજાજનોના મહારાષ્ટ્રી અને બિનંમહારાષ્ટ્રી—એવા મનાકલ્પિત ભેદને આગળ ધરીને બે વિભાગ વચ્ચે વૈમનસ્યને ઉત્તેજન મળે એવાં ઝેરીલા ભાષણા થયાં હતાં. તે સભા વિખરાતાં આશરે ૫,૦૦૦ માણસાના ટોળાએ દાદર વિભાગમાં મોટી ધાંધલ ઊભી કરી હતી., માલ મિલકતનું સારા પ્રમાણમાં નુકસાન કર્યું હતું, અને એ જ વિભાગમાં આવેલી પાંચ મદ્રાસી હોટેલોની સારા પ્રમાણમાં ભાંગફોડ કરી હતી. આ દુર્ઘટનાએ મુંબઈમાં વસતી પચરંગી પ્રજાના દિલમાં અસાધારણ બેચેની અને બિનસહીસલામતીની લાગણી પેદા કરી હતી અને ઉપર જણાવેલા વલણની વખતસર અટકાયત કરવામાં નહિ આવે તો વર્ષોથી આજ સુધી એક સાથે ભાઈભાંડુની માફક વસતા પ્રજાજને વચ્ચે મહારાષ્ટ્રી-બિનમહારાષ્ટ્રીના ભેદભાવ ઉપર આધારિત એવા સંઘર્ષો પેદા થશે એવી ભીતિ સર્વ કોઈના દિલને કંપાવી રહી હતી. આવી પરિસ્થિતિને લક્ષમાં લઈને મહારાષ્ટ્રના આજે સર્વોચ્ચ લેખાતા નેતા અને ભારતના ગૃહમંત્રી શ્રી યશવન્તરાવ ચવ્હાણે તા. ૭મી નવેમ્બરના રોજ શિવાજી પાર્કમાં ઊભી કરવામાં આવેલ શિવાજી મહારાજની મહાકાય અસ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કરતાં નીચે મુજબ જણાવ્યું હતું— પ્રાદેશિક ખ્યાલાના સ્થાને રાષ્ટ્રીય એકતાને વધારે મહત્ત્વનું સ્થાન અપાવું ઘટે છે. ‘મારો દેશ પહેલા’ એ આદર્શ લોકોએ હંમેશા પેાતાની સમક્ષ સૌથી આગળ રાખવાના રહે છે. આવી રાષ્ટ્રીય ભાવનાને ઉત્તેજન મળે એ લક્ષ્યપૂર્વક લોકોએ સર્વ કોઈ પ્રવૃત્તિએનું સંચાલન કરવું જોઈએ. શિવાજી મહારાજના જીવનચરિત્રમાંથી તેમણે આ પ્રકારની પ્રેરણા મેળવવાની છે. “શિવાજી મહારાજ આખા રાષ્ટ્રના નેતા હતા. તેઓ માત્ર કોઈ એક પ્રદેશ સાથે જોડાયેલા નહોતા. તેમની આ પ્રતિમા રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનવી જોઈએ. “જ્યારે મહારાષ્ટ્રનું ભાષાકીય રાજ્ય ઊભું કરવામાં આવ્યું ત્યારે મે સર્વ કોઈને ખાત્રી આપી હતી કે આ રાજ્યમાં વસતા Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૪s પ્રબુદ્ધ જીવન બધા લોકોને મહારાષ્ટ્રી ગણવાના છે. હું તમને ખાસ ભાર મૂકીને જણાવું છું કે આ મુદ્દો હંમેશાને માટે યાદ રાખવાનું છે. રાજ્યમાં કોઈ પણ ઠેકાણે અને ખાસ કરીને મુંબઈમાં કોઈ પણ પ્રકારના ભેદભાવની લાગણીને સ્થાન હોવું ન ઘટે કે ઉત્તેજના મળવી ન જોઈએ. મુંબઈના વિકાસમાં સર્વ પ્રજાજનોને સરખે હિસ્સો છે એ તરફ તમારું હું ખાસ ધ્યાન ખેંચું છું. “કેટલાક લોકોને આર્થિક અથવા તે અન્ય પ્રકારની મુશ્કેલીઓ હોવા સંભવ છે. પણ આ સમસ્યાઓ, માત્ર જ્યારે આખા દેશને એક ઘટક તરીકે વિચાર કરવામાં આવે ત્યારે જ, ઉકેલી શકાય તેમ છે. આવી સમસ્યાઓ લોકશાહીની રીતે અને બંધારણીય દષ્ટિએ ઉકેલવાની છે. મહારાષ્ટ્રી–બિન મહારાષ્ટ્રી એ પ્રકારનો વિવાદ ઊભે કરવાથી આ સમસ્યાનું નિરાકરણ થવાનું નથી. - “સ્વ. રાનડે, ગોખલે અને તિલક જેવા રાષ્ટ્રીય નેતાઓએ રાષ્ટ્રીય એકતાને સર્વોત્કૃષ્ટ સ્થાન આપ્યું હતું. જો રાષ્ટ્ર જીવિત હશે તે જ મહારાષ્ટ્રણ ટકી શકશે. જ્યારે પણ જરૂર હોય ત્યારે રાષ્ટ્રીય હેતુ માટે આત્મભાગ આપવામાં મહારાષ્ટ્ર સૌથી પહેલી હરોળમાં ઉભા રહેવાનું છે. એમાં જ મહારાષ્ટ્રની વિશેષતા અને ગૌરવ રહેલાં છે.” આપણે આશા રાખીએ કે શ્રી યશવન્તરાવ ચવ્હાણના આ ઉદ ગારો શિવસેના*, અગ્રેસર આગેવાન અને તેમની માફક વિચારતા અન્ય મહારાષ્ટ્ર બંધુઓના દિલને સ્પર્શે અને કહેવાતા બિનમહારાષ્ટ્રીઓ સામે એક પ્રકારના જાતિવાદનું ઝેર ફેલાવતા તેઓ અટકે. જો એમ નહીં બને તે તેમાંથી અનેક ભયંકર સંભાવનાઓ પેદા થવાની કલ્પના કરી શકાય છે. પરિણામે કોને કેટલું સહેવું પડશે એ વિચારને બાજુએ રાખીએ, પણ મુંબઈ તે મુંબઈ નહિ જ રહે, એટલું જ નહિ પણ આખા દેશમાં આ ઝેર ફેલાઈ જશે, ભાઈઓ ભાઈઓ વચ્ચે અથડામણ થશે, દેશની એકતા છિન્નભિન્ન થઈ જશે અને અનર્થોની–કલ્પનામાં ન આવે એવી–પરંપરા સરજાશે. આપણે આશા રાખીએ અને પ્રાર્થના કરીએ કે માનવી માનવી વચ્ચે ઝેર ફેલાવતા લોકોના દિલમાં સન્મતિને ઉદય થાય અને પરસ્પર બંધુભાવની પુન: પ્રતિષ્ઠા થાય. વિજ્ઞાન અને ધર્મ ‘વિજ્ઞાન અને સંસ્કૃતિ' એ મથાળા નીચે તા. ૨૬-૧૦-૬૬ના ભૂમિપુત્રોમાં દાદા ધર્માધિકારીએ ભાવનગર ખાતે તા. ૨૭-૮-૬૬ ના રોજ આપેલા વ્યાખ્યાનની સવિસ્તર નોંધ પ્રગટ થઈ છે. તેમાં વિજ્ઞાન અને ધર્મ વચ્ચે તફાવત સમજાવતાં દાદા ધર્માધિકારી નીચે મુજબ જણાવે છે' “વિજ્ઞાન અને ધર્મમાં એક બહુ મોટો ફરક છે. વિજ્ઞાનમાં સવાલ જ સવાલ છે, જ્યારે ધર્મમાં ઉત્તર જ ઉત્તર છે. તેને કારણે વિજ્ઞાન વસ્તુનિષ્ટ રહ્યું. જેમાં ઉત્તર જ ઉત્તર હોય ત્યાં વસ્તુનિષ્ટા જળવાઈ ન શકે. આમ તે અથાતો પજ્ઞાનિસાસા એમ કહેવાયું છે. તેથી ધર્મમાં એ સવાલ જ સવાલ હોવા જોઈતા હતા, જિજ્ઞાસા દેખાવી જોઈતી હતી. પણ તેને બદલે ધર્મમાં ઉત્તર જ ઉત્તર છે. છતાં લોકમાનસ ઉપર વિજ્ઞાન કરતાં ધર્મનો પ્રભાવ સૌકાઓથી અધિક જ રહ્યો છે. આનું કારણ બર્નાર્ડ શું એ સુંદર શબ્દોમાં કહ્યું છે. ધર્મ એક જ વાતને, એક જ અસત્યને રોજ ને રોજ દોહરાવતો રહે છે, જ્યારે વિજ્ઞાન પિતાના અસત્યને, ટેન્ટેટીવ ટૂ થને-કામચલાઉ સત્યને–બદલતું રહે છે. પોતે કઈ અપરિવર્તનીય સત્યની ખેજ કરે છે એવો વિજ્ઞાનનો દાવો નથી. એ નમ્રતા દાખવે છે. આને કારણે માણસની બુદ્ધિમાં બુદ્ધિનષ્ઠા, વસ્તુનિષ્ઠાને આવર્ભાવ થયો. ત્યાર બાદ વિજ્ઞાનની પ્રતિક્રિયા ધર્મ પર પણ થઈ, અને ધર્મમાં છે જિજ્ઞાસા અને વસ્તુનિષ્ઠા આવી. મેં હવે એટલું જ ન કહ્યું કે શ્રદ્ધા રાખે, પણ ઉમેર્યું કે તેની સાથે અનુભૂતિ પણ જોઈએ. આજના યુગમાં ધર્મ અને તત્ત્વ, દર્શન અને વિજ્ઞાન એકબીજા સાથે હસ્તધૂનન કરી રહ્યા છે. આજે આપણે સૌએ આવા એક નવયુગમાં પદાર્પણ કર્યું છે.” જંબુઢીપ નિર્માણ અને આજનું ખગોળશાસ્ત્ર તા. ૫-૧૨-૬૬ના જેન’માંથી જાણવા મળે છે કે પાલીતાણામાં જંબુદ્રીપની વિશાળ રચના માટે સવા લાખ રૂપિયાના ખર્ચે ૨૭,૦૦૦ વાર જમીન ખરીદવામાં આવી છે અને તે જમીન ઉપર પ્રસ્તુત રચના પાછળ પાંચ સાત લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. અને જંબુદ્વીપનું જૈન ધર્મ શાસ્ત્રોમાં જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ ૯ શાશ્વત રૌનું આ જગ્યા ઉપર નિર્માણ કરવામાં આવનાર છે. વિશ્વની રચના સમજાવવા માટે જૈન ધર્મ શાસ્ત્રોમાં ચૌદ રાજલોક અને તેમાં અઢી ટ્રીપની કલ્પના કરવામાં આવી છે, તેની મધ્યમાં જંબુદ્વીપ છે અને તેની મધ્યમાં ભરતક્ષેત્ર છે જેમાં આપણે વસીએ છીએ. આવી વિશાળ રચના ઊભી કરવા પાછળ તેના નિર્માતાઓને આશય જૈન મતાનુસાર પૃથ્વી થાળી જેવી સ્થિર અને સપાટ છે, મધ્યમાં મેરુ પર્વત છે અને તેની રાસપાસ સૂર્ય ચંદ્ર ફરે છે–આ માન્યતાની પ્રતિષ્ઠા કરવાને અને આજે ખગોળશાસ્ત્ર દ્વારા રજુ કરવામાં આવતી પૃથ્વી ગોળ અને ફરતી હોવાની માન્યતાને અપ્રતિષ્ઠિત કરવાને-અસત્ય ઠરાવવાને-- છે. જે આજે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થઈ ચૂકયું છે તે અસિદ્ધ કરવાના આ મિથ્યા પ્રયત્નની પાછળ કરવામાં આવનાર વિપુલ દ્રવ્યવ્યયને લગતી આ યોજના જાણીને ભારે આશ્ચર્ય તેમ જે દુ:ખ થાય છે. કેટલાંક વર્ષો પહેલાં પૃથ્વી ગોળ અને ફરતી હોવાની માન્યતા અનુમાન-આધારિત હતી અને તેથી તેના વિકલ્પમાં પૃથ્વી સ્થિર અને સપાટ હોવાની માન્યતાને ઊભી રહેવાનો થોડો સરખે પણ. અવકાશ હતો, પણ આજે તે એન્તરિક્ષમાં ઘણે ઊંચે ગયેલા અવકાશયાન દ્વારા પ્રાપ્ત થયેલી છબીઓના કારણે પૃથ્વી ગોળા જેવી ગોળ સિદ્ધ થઈ ચૂકી છે અને તેમાં કોઈ પણ શંકાને સ્થાન રહ્યું નથી. આમ છતાં જૈન સમાજની અંધશ્રદ્ધા ટકાવી રાખવા જેવું આ વ્યર્થ પ્રયત્ન શા માટે હાથ ધરવામાં આવે છે? તેનું કારણ એ છે કે જૈન ધર્મશાસ્ત્રમાં વિશ્વરચનાનું જે સ્વરૂપ પ્રરૂપાયેલું છે તે સર્વજ્ઞકથિત છે એવી માન્યતા છે અને આ સ્વરૂપ આજના ખગોળની ધારણા સાથે બંધબેસતું નથી અને હવે જો આજના ખગોળની પૃથ્વીને લગતી ધારણા સ્વીકારવામાં આવે-જે સ્વીકાર્યા સીવાય બીજો કોઈ માર્ગ નથી–તો તથાકથિત સર્વજ્ઞનું સર્વજ્ઞત્વ ખંડિત થાય છે અને તેથી ઉપર જણાવ્યું તેવા જંબુદ્વીપના સ્વરૂપને એટલે કે પૃથ્વીના આકારને લગતી ધાર્મિક માન્યતાને સાચી ઠરાવવાને હાસ્યાસ્પદ પ્રયત્ન થઈ રહ્યો છે. આમાંથી ઉગરવાને એક જ માર્ગ છે કે ધર્મતત્વની વિચારણા અને ધર્મશાસ્ત્ર સાથે જોડાયેલી વૈજ્ઞાનિક માન્યતાઓ–બન્નેને અલગ કરવી જોઈએ અને માત્ર ધર્મવિચારણા તથાકથિત સર્વજ્ઞપ્રરૂપિત છે, સનાતન છે, જયારે ધર્મ સાથે જોડાયેલી વૈજ્ઞાનિક માન્યતાઓને તથાકથિત સર્વજ્ઞ સાથે જોડવાની કોઈ જરૂર નથી, તેમ જ તેને કોઈ અર્થ નથી. તે માન્યતાઓ જે હોય તેને આજના વૈજ્ઞાનિક સંશોધનના સંદર્ભમાં ફેરવવાની જ રહી. આ રીતે વિચારવાથી એટલે કે વિજ્ઞાન અને ધર્મના ક્ષેત્ર અલગ અલગ છે એમ ગ્રહણ કરવાથી એકને અન્ય સાથે વિરોધ થવાને કે અથડામણમાં આવવાને કઈ સંભવ જ રહેતો નથી. - વિજ્ઞાન સંબંધમાં જેવી સ્થિતિ જૈન ધર્મની છે તેવી જ સ્થિતિ ખ્રિસ્તી ધર્મની છે. એક વખત એવું હતું કે ખ્રિસ્તી ધર્મપ્રરૂપિત માન્યતાથી અન્યથા માનનાર વૈજ્ઞાનિકોને દેહાંતદંડની સજા કરવામાં આવતી. આજે જેમ ખ્રિસ્તી ધર્મો વિજ્ઞાન સાથે સમાધાન સ્વીકાર્યું છે તેવી રીતે જૈન ધર્મો પણ વિજ્ઞાન સાથે સમાધાન સ્વીકારવું જ રહ્યું. શ્રી મેહનલાલ પ્રેમચંદ શાહના સ્વર્ગવાસ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહના પિતા શ્રી. મોહનલાલ પ્રેમચંદ શાહનું તા. ૮મી નવેમ્બરના રોજ ૮૦ વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે અવસાન થયું છે. છેલ્લા એક વર્ષથી તેઓ કેન્સરના દર્દથી પીડાતા હતા. અમદાવાદના તેઓ એક પ્રતિષ્ઠિત વેપારી અને જૈન ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા સચ્ચરિત્ર સજજન હતા. બહાળો કુટુંબ પરિવાર મૂકીને તેઓ વિદાય થયા છે. તેમના આત્માને શાશ્વત શાતિ પ્રાપ્ત થાઓ! પરમાનંદ Page #227 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧ મબુ જીવન તો આજની પરિસ્થિતિનું આ છું વિશ્લેષણ ક દેશમાં કેટલાક સમયથી અને તાજેતરમાં દિલ્હીમાં જે બનાવો - આ બધું જ બન્યું તે કોઈને બેગ તે માગે અને નન્દાજી બની ગયા તે ભારે કમનસીબ અને ઊંડી ચિતાને વિષય છે. તેને ભોગ બન્યા છે. ગૃહમંત્રી તરીકે નન્દાજી કોઈ શકિતશાળી શ્રી લાલબહાદુર શાસ્ત્રીના અવસાન પછી તેમના અનુગામી પસંદ કે કુશળ વ્યકિત હતા એમ નથી, ગોવધ પ્રતિબંધ આંદોલનને તે કરવાને પ્રશ્ન વિકટ હતું. કેંગ્રેસના આગેવાને અને રાજયના તેમણે કેટલેક દરજજે ટેકો આપ્યો હતો. પોતાની અંગત માન્યતાઓ મુખ્યમંત્રીઓએ મળીને એક એવી વ્યકિતને આગળ ધરી કે જેના અને પોતાની સરકારની નીતિ વચ્ચેનું મોટું અંતર તે જોઈ ન શકયા. વિશે એમના મનમાં એમ હતું કે તે પ્રજાના મેટા ભાગને વિશ્વાસ સરકારની આ નીતિ યોગ્ય છે તેમ નથી, પણ તેમાં નિ યાત્મક સંપાદન કરી શકશે અને કેંગ્રેસના તંત્રને ટકાવી રાખશે. આ પસં- સ્પષ્ટતા ન હતી, અને એક નન્દાને કાઢવાથી શું વળશે? પાયામાંથી દગી ગુણવત્તા ઉપર કે એમની શકિતના પરિચયથી થઈ ન હતી. સડો છે ત્યાં ઉપરથી થીગડાં માર્યો શું થાય? નન્દાને સ્થાને કોણ કેંગ્રેસના બધા આગેવાનો અને બધા રાજયના મુખ્ય મંત્રીઓએ આવે તેમાં વિવાદ થયો. આ તકનો લાભ લઈ થડા વધારે ફેરફાર નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી શ્રીમતી ઈન્દિરા ગાંધીને સહકાર અને કરવાની શ્રીમતી ઈન્દિરા ગાંધીએ કાંઈક હીંમત કરી તે તેમાં તેને ટેકો આપ્યા હોત તો કદાચ પરિસ્થિતિ આટલી બગડત નહિ. શ્રીમતી | નિષ્ફળતા મળી અને તેમની થોડી ઘણી પ્રતિષ્ઠા હતી તે પણ તેમણે ગાંધીને કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ગુમાવી. જે દાદાઓ થઈ બેઠા છે તેમને આવા ફેરફારો પોષાય અંતિ વિકટ પ્રશ્નને તેમણે સામનો કરવાનો હતો. એમનું તેમ ન હતું. શ્રી કામરાજ જે એક મજબૂત વ્યકિત ગણાય છે તે એવું પ્રતિભાશાળી વ્યકિતત્ત્વ નથી અથવા એમને એ અનુભવ કાંઈક ઉદાસીન થયા હોય તેમ લાગે છે. શ્રીમતી ઈન્દિરા નથી કે પિતાની જ શકિતથી પ્રજામાં પ્રભાવ પાડી શકે. કેંગ્રેસના ગાંધીને વડા પ્રધાન તરીકે પોતાના નિશ્ચિત વિચારો હોય અને તે આગેવાનો અને રાજયના મુખ્ય મંત્રીઓ પોતાના સ્વાર્થમાં અને પ્રમાણે વર્તવાને તેમને અધિકાર છે, પણ તે માટે શકિત જોઈએને? પોતાની રમતમાં રચ્યાપચ્યા છે. દરેક પોતાની સત્તા અને સ્થાન તે ન હોય તે જેના આધારે પોતે આ સ્થાન પર હોય તે આધાર પ્રાપ્ત કરવામાં પડયા છે. વીસ વર્ષ સુધી સતત સત્તા ભોગવ્યા પછી તજી દઈ, બીજાઓની સલાહ પર ચાલવું તે હિતાવહ ના લેખાય.' કેટલાક લોકોની દષ્ટિ સ્વાભાવિક રીતે શ્રી મોરારજીભાઈ તરફ કોઈ પણ રાજકીય પક્ષમાં જે શિથિલતા અને ભ્રષ્ટાચાર આવે તે વળે છે. કોંગ્રેસી આગેવાનેમાં એ જ એક બહાર છે. પીઢ, અનુબધા કેંગ્રેસમાં પેઠા છે. એવા સંજોગોમાં દેશમાં જે કાંઈ બની રહ્યું ભવી અને દઢનિશ્ચયી વ્યકિત તરીકે તેમની શકિતને લાભ પ્રજાને છે તે માટે કોઈ એક વ્યકિત દોષપાત્ર નથી. મળવો જોઈએ એમ કેટલાકને લાગે છે. પણ સૌ સાથે મળીને ' રાજ્યના મુખ્ય મંત્રીએ પોતે માની લીધેલા પોતાના પ્રદેશના અથવા સૌને સાથે રાખીને તેનો કામ કરી શકે તેવી પરિસ્થિતિ હોય હિતે માટે દેશના હિતને જાહેર રીતે અવગણે છે, હિંસક તે તેમની શકિતને ઉપયોગ થઈ શકે. મંત્રીમંડળમાં તેમના આંદોલનને ટેકો આપે છે, કેન્દ્રને ધમકીઓ આપે છે અને તેની આવવાથી અત્યારે જે સંધર્ષ છે અને પક્ષાપક્ષી છે તે ઘટશે કે વધશે અવગણના કરે છે. પછી તે માયસેર હોય, મહારાષ્ટ્ર હોય કે આંધ તે પ્રશ્ન છે. ગમે તેટલી શકિતશાળી વ્યકિત હોય તે પણ કેટલક સંજોગે એવા હોય છે કે જયારે એ શકિત કામયાબ નથી થઈ હોય, દરેક પિતાને સ્વાર્થ શોધે છે. પોલાદનું કારખાનું પિતાના શકતી. એ જ ધનુષ્ય એ જ બાણ! રાજયમાં થવું જોઈએ તેને માટે કોઈ વ્યકિત આમરણાંત ઉપવાસ હકીકતમાં વ્યકિતરોની ફેરબદલીથી સુધારે થાય એવી આ કરે તો તેને ટેકો આપે છે અને ઊપવાસ છોડે ત્યારે હાજર રહી પરિસ્થિતિ નથી. કેંગ્રેસના આગેવાનોની મનોવૃત્તિ ન પલટાય રસને ઘૂંટડો પાય છે. અને સાચી સેવાની ભાવના ન જાગે ત્યાં સુધી પ્રજાએ સહન પંજાબનું વિભાજન કરવું પડયું પણ તેથી સંત ફતેહસિંહને કરવું જ રહ્યું. This is a failure of leadership, તેમાં સંતોષ નથી અને વિશેષ આંદોલનની તે ધમકી આપે છે. બે રાજય કોઈ વ્યકિત દોષપાત્ર નથી. ચૂંટણી માથે આવી છે ત્યારે થયાં, તેના મોટા મંત્રીમંડળ રયાં, જરા પણ વગદાર હોય તેવી ટિકિટ મેળવવા માટે જે ખટપટ, અને પક્ષાપક્ષી દરેક રાજયમાં વ્યકિતને ખરીદી લેવા માટે. જોવા મળે છે અને જે પ્રકારના ઉમેદવારોની પસંદગી થાય છે તે આ વિદ્યાર્થીઓના વ્યાપક તોફાનેનાં કારણ શોધવામાં બધા પડયા જોતાં એમ લાગે છે કે હવે પછીને કેટલાક સમય ૨સ્થિરતામાં જ છે, પણ તેને ઉપાય કોઈને સૂઝત નથી અથવા સુઝતા હોય તે જવાને, કેંગ્રેસ એક શંભુમેળે છે. તેના સિદ્ધાંતો અને બાદશે તેને અમલમાં મૂકવાની શકિત નથી. અને તેના વ્યવહાર વચ્ચે મોટું અંતર છે. દુર્ભાગ્યે દેશમાં બીજો રૂપિયાનું અવમૂલ્યાંકન ઉતાવળે કર્યું. તેને માટે જોઈતી તૈયારી કોઈ રાજકીય પક્ષ સત્તાના સૂત્રો સંભાળી શકે તેમ નથી, સંભાળવાને ન હતી, તેમ તેને લાભદાયક બનાવવા જે પગલાં લેવા જોઈએ લાયક નથી. તે લેવામાં નથી. નાણાંપ્રધાન અને વ્યાપારપ્રધાનના ઉગ્ર મતભેદોને એમ કહેવાય છે કે, નેતાગીરી નિષ્ફળ ગઈ હોય ત્યારે સામાન્યકારણે આર્થિક તંત્ર વધારે વણસ્યું છે અને હજી તેમાં એકરાગે કામ જનોએ જાગ્રત થઈ, દોર પોતાના હાથમાં લેવું જોઈએ. વર્તમાન થવાની કોઈ શકયતા દેખાતી નથી. રાજતંત્રમાં આ બહુ શક્ય નથી. સામાન્ય જન અકળાય, મૂંઝાય દુર્ભાગ્યે ઈશ્વરની પણ દયા ઓછી છે અને વર્ષ નબળું થયું ત્યારે તોફાન કરી શકે, બળ કે ભડકો કરી શકે, પણ નિશ્ચિતનીતિછે. અન્નસ્થિતિ ભારે કફોડી અને ચિંતાજનક છે. વાળા સ્થિર રાજકીય પક્ષે ન હોય, ત્યાં અત્યારની ‘લેકશાહી'માં રાજવધતા જતા કુગાવા અને મોંઘવારીની ભીંસમાં પ્રજા દળાય છે. પલટો સહેલું નથી. ગ્રામપંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીની છેલ્લે ગોવધ પ્રતિબંધને નામે પાટનગરમાં તોફાનો થયાં અને ચૂંટણી પદ્ધતિએ કાંઈક અનિષ્ટ તત્ત્વોને જોર આપ્યું છે. અને રાજરાજકર્તાઓ ભડકી ઊઠયા. પ્રજાના પ્રતિનિધિઓએ પાર્લામેન્ટમાં કે સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં જેને રાખવા છે તેવા આગેવાને વિધાન સભાઓમાં શિસ્ત કે સંયમને તજી દીધા. નાગા બાવા આવા તને સાથ છૂટથી લે છે. અને જૈન સાધુઓ, ધર્મને નામે, રાજકીય અને હિંસક આંદોલનોની આપણા દેશની સ્થિતિ હદ બહારની વણસેલી છે એમ નથી. આગેવાની લઈ, પ્રજાની લાગણીઓને બહેકાવી રહ્યા છે. ગેરક્ષા એશિયા - આફ્રિકાના બીજા દેશોના પ્રમાણમાં ઘણી સારી છે તેમ - અને ગૌસંવર્ધન માટે સેવેલી ભયંકર બેદરકારીને જાણે ઢાંકવા માટે, કહેવામાં અતિશયોકિત નથી. અભાવ છે કુશળ પ્રમાણિક નેતાકાયદાના આધારે ગોધનને બચાવવાનો દાવો કરે છે. માંસાહાર વધી ગીરીને. દેશના ઈતિહાસમાં આવા સમયે આવે છે. આવી અસ્થિર રહ્યો છે તેને અટકાવવાની કોઈની શકિત નથી કે વૃત્તિ નથી, પણ પરિસ્થિતિ લાંબે વખત પણ ચાલે અને પ્રજાની ધીરજ ખૂટે અને ગેવધપ્રતિબંધ કાયદાથી કરીને અહિંસાને વિજય થશે એમ એવી આગેવાની ઉપર આવે અથવા એવી કોઈ ઘટના બની જાય તેમનું માનવું છે. તે એમાંથી એકાએક ક્રાંતિ થઈ જાય. ચીમનલાલ ચકુભાઈ શાહ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧ન % માથેરાનની શિબિર કk ગયા મહિનાની તા. ૨૩ થી ૨૫ એમ ત્રણ દિવસ જીવન દૂર સુધી લઈ જવાની શ્વાચ્છોશ્વાસને લયબદ્ધ બનાવવાનું અને જાગૃતિ કેન્દ્રના ઉપક્રમે માથેરાનમાં આચાર્ય રજનીશજીના સાંનિધ્યમાં શાંતિથી, સૂઈ જવાનું. જે નિદ્રા માણી શકે છે એ જ જાગૃતિ માણી એક અધ્યાત્મક શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં લગ- શકે છે–આચાર્યશ્રીનું આ કથન પણ કેટલું બધું કહી જાય છે. ભગ ત્રણસે ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આમાં ને તેમ જ આચાર્યશ્રીનાં પ્રવચનને મુખ્ય સાર એ હતો કે માણસે ત્રણ બેધ જૈનેતર સામેલ થયા હતા. ફકત મુંબઈથી જ નહિ પણ મહારાષ્ટ્ર લેવા જોઈએ. અજ્ઞાનને બોધ-રહસ્યને બોધ અને અભાવને બેધ. અને ગુજરાતનાં અન્ય શહેરોમાંથી પણ અનેક સુશિક્ષિત ભાઈ–બહેને અજ્ઞાનને બોધ : આ શિબિરમાં ઉપસ્થિત થયાં હતાં. આ અગાઉની શિબિરમાં જેમણે “મનુષ્યની ઉપર આજે ઉધાર ‘જ્ઞાનીની ધૂળ લાગી છે. અજ્ઞાની ભાગ લીધો હતો. તેમની હાજરી મોટા પ્રમાણમાં હતી, જયારે સત્યથી વંચિત હશે પણ ઉધાર–જ્ઞાની સત્ય ઉપલબ્ધ કરતો નથી. પ્રથમ વાર જે શિબિરમાં ભાગ લેનારાઓની સંખ્યા પણ સાવ નાની જ્ઞાન તે ઉધાર ભેગું કરી શકાય છે. આજે તો ઉધાર જ્ઞાન ભેગુ તે ન જ કહેવાય. કરવાના ઉપાયો વધતા જાય છે. ઉધાર જ્ઞાન લેવાનું બંધ થાય તે જ માથેરાન ફકત હવા ખાવાનું જ સ્થળ નથી. માનસિક ચિન્તાઓનું સાચું વાસ્તવિક જ્ઞાન મળે. અજ્ઞાની અજ્ઞાનની પીડાથી અકળાઈ મુકિતધામ પણ છે. શાંત અને સ્વસ્થ થવા માટે સ્થળનું પણ મહત્ત્વ જ્ઞાન ભેગું કરવા માંડે છે, વચને ભેગા કરવા માંડે છે, અને પિતાને છે. એટલે શિબિર માટેનું આ સ્થળ સર્વ રીતે ઉચિત હતું. આ જ્ઞાની કહેવડાવે છે. “આત્મા છે એમ કહે છે ત્યારે પણ એ જ્ઞાન દિવસમાં બહુ ઠંડી ન હતી, ઉકળાટ પણ ન હતો. આંખને ઠારતી આજુબાજુમાંથી, શાસ્ત્રોમાંથી આવેલું જ્ઞાન છે અને હજારો માણસ હરિયાળી, લીલાંછમ ખેતરો, સ્વચ્છ આકાશ, ગાઢ જંગલની આ ઉધાર જ્ઞાનના સહારાથી જીવે છે. ઉધાર જ્ઞાન એ મિથ્યા જ્ઞાન વચ્ચે સગવડોથી ભરેલી કુટિરે, એટલે કે રગ્બી હોટેલ, અને પંખી- છે, જયારે સમ્યગ જ્ઞાન એ તે સ્વમાંથી આવે. મહાવીરનું જ્ઞાન ને કલરવ, ચિત્તને પ્રસન્નતાનો અનુભવ કરાવતા હતા. કયાંક અન્ય માટે પરાયું છે એટલે એ મિથ્યા અને અસત્ય થઈ જાય કયાંક સૂકાં પર્ણો વન ગજવતાં હતાં અને ત્યારે પરમાનંદભાઈનાં છે અને સત્યના આગમનમાં દીવાલ ઊભી કરે છે. માણસને મન પુત્રી–ગીતાબહેને લખેલું પેલું મુકતક યાદ આવી જતું–‘સૂકાં - આત્મા એ કલ્પનાથી વધારે શું છે? આજે ભકતે ગુરુની ફજેતી પણે વન ગજવતાં . શાંત લીલાં સદાયે.’ ન થાય એ માટે લડે છે, મહાવીરની ફજેતી ન થાય એ માટે જેને શિબિરને રીતસરના કાર્યક્રમ તો રવિવાર તારીખ ૨૩મીથી લડે છે અને મહાવીરને મોટામાં મોટા, બીજાના ભગવાનથી પણ શરૂ થતું હતું. પરંતુ શનિવાર સાંજ સુધીમાં બધાએ માથેરાન મેટા બનાવવામાં સૌ લાગી પડયા છે. પહોંચી જવાનું હતું. એટલે, સૌ પ્રથમ બેઠક 'શનિવાર રાતે આપણું જ્ઞાન નિરાધાર છે–આમાં પ્રાણ નથી. જે જ્ઞાન મારું રગ્બી હોટેલના વિશાળ પ્રાંગણમાં ખુલ્લા આકાશ નીચે શશીનાં નથી અને મારું માનવામાં મેં મારી વંચના કરી છે. આ જ્ઞાન તે શિતલ કિરણાનાં પ્રકાશમાં મળી ત્યારે વાતાવરણમાં એક જાતની માનવીને બાંધે છે. એને તેડવાની જરૂર છે. ઈશ્વર નથી એમ કહેગંભીરતા, અને આત્મદર્શન માટેની પૂરી ઝંખના શિબિર–સભ્યમાં નાર ઈશ્વર છે ની સાબિતી આપે છે. જેમણે ઈશ્વરનું પ્રમાણ આપ્યું દેખાતી હતી. છે તેઓ સંભવ છે કે નાસ્તિક હોય. અનુભવ ઉપરનું જ્ઞાન જ સાચું - આચાર્ય રજનિશજીએ શિબિરનું મહત્ત્વ સમજાવતાં કહ્યું- જ્ઞાન છે. : “તમારે ભૂલી જવાનું છે તમે માથેરાનમાં છે. તમારે એ પણ ભૂલી આપણે કેમ જભ્યા-આપણે શું ડીએ-અને આપણું મૃત્યુ જવાનું છે કે, અહીં તમારે કોઈ મિત્ર છે-કોઈ અખબાર છે—કોઈ પછી શું થશે-આની કશી જ ખબર નથી. અને આ જ ખરી રાજનેતા કે અભિનેતા છે. બધા જ સંબંધોને શિથિલ કરી દો. ન. ખબર છે કે આપણને કશી જ ખબર નથી. સીધી સાફ વાત છે. ઘરને યાદ કરો, ન કોઈ આદતોને યાદ કરે. ત્રણ દિવસ બને તેટલું બધું જ અજ્ઞાન - અને એટલે જ અજ્ઞાનને બોધ એટલે કે તે અંગેની મૌન, બને તેટલા પ્રકૃતિ સાથે પ્રેમ અને તાદાભ્ય, બને તેટલી એક- સભાનતા જ્ઞાનની દિશાનું પહેલું પગથિયું છે. અજ્ઞાનને બેધ જીવલતા સાધો. ત્રણ દિવસમાં તમારે સજગતાનો અનુભવ કરવાના છે. નની ક્રાંતિ લાવે છે. અજ્ઞાનના બેધમાં બંધનું પહેલું બીજ રહેલું સ્પંદનને જગાડવાનું છે. સૂદ્ર અને વ્યર્થ વાતેમાંથી મુકત થવાનું છે જે વિક્સાવી શકાય છે. અજ્ઞાન આપણી ભૂમિકા છે અને શાસ્ત્રોએ છે. શિબિરનું ધ્યેય છે સાર્થક ચિંતન અને આત્મદર્શન.” આ ભૂમિકા નષ્ટ કરી છે. બાકી અજ્ઞાનને તે કોઈએ Divine lignorance પણ કહ્યું છે. શિબિરમાં નીચે મુજબ કાર્યક્રમ રહેતો: અને જે આ ‘બંધ થઈ જાય તે સવારના ૯ થી ૧૦ પ્રવચન અને ત્યાર બાદ ધ્યાન.' વ્યકિતનું પરિવર્તન શરૂ થઈ જાય_શિબિરમાંથી પાછા જાઓ ત્યારે જ્ઞાનનો ભાર અહિ મૂકીને સાંજના ૪ થી ૫ પ્રશ્નોત્તરી રાતે ૯ થી ૧૦ પ્રશ્નોતરી અને ધ્યાન. જાએ, અજ્ઞાની થઈને જાઓ, અને આમ કરશે તે તમારો દંભ ગળી જશે અને વિનમ્રતા આવશે. સત્યના અનુભવ માટે અજ્ઞાછેલ્લા દિવસે સાંજનું પ્રવચન રદ કરીને એ સમય અંગત મુલાકાતે માટે રાખવામાં આવ્યો હતો. સવારનું પ્રવચન સાંભળ્યા નના બોધની પહેલી જરૂરત છે. પછીના ધ્યાનમાં બધાએ દૂર દૂર–કોઈને સ્પર્શ કર્યા વિના–બેસી રહસ્યને બંધ જવાનું અને જાગરણને ઘટ્ટ કરવાનું એટલે કે શાંત બેસી, ભિતર પ્રતિ અજ્ઞાનના બંધની વાત કરી આચાર્યશ્રીએ જ્ઞાનનાં જૂઠા પ્રકાજાગવાનું–આમ છતાં ય, બહારની પ્રકૃતિથી પરિચિત રહેવાનું, અને શને બૂઝાવી દેવાનો અનુરોધ કર્યો અને પછી કહ્યું, ‘આજ્ઞાનના સમગ્ર જાગૃતિ Total Awareness કેળવવાની હતી. ધ્યાનમાં બેઠા બધથી જીવન રહસ્યથી ભરાઈ જશે. મિથ્યાજ્ઞાન હઠાવ્યું એટલે હોઈએ ત્યારે આચાર્યશ્રી પંદર મિનિટ સુધી, સમાધિમાં જવાની ક્રિયાનું જીવનમાં અભૂત રહસ્ય ઊભું થશે. જીવન ચારે ય બાજુ ધીમે ધીમે વર્ણન કરતા અને એમનાં શબ્દો કાને પડતા હૃદય રહસ્યમય છે, પરંતુ વચ્ચે ‘ઘેથા જ્ઞાન’ આવી જાય છે. દરેક વસ્તુની સુધી પહોંચી જતાં. આપણે વ્યાખ્યા બાંધી દીધી છે, આથી ચિત્તામાં રહસ્યની, આશ્ચરાત્રિનાં ધ્યાનમાં નિદ્રાને ઘટ્ટ બનાવવાની હતી એટલે કે નિદ્રા ઈની, સ્તબ્ધતાની લહેર ઉઠતી નથી. વ્યાખ્યા રહસ્ય ખલાસ કરી તરફ જવાને આ પ્રયોગ હતો. શરીરને શિથિલ બનાવી, શિથિલતાને દે છે. એટલે જ જયાં અજ્ઞાન છે ત્યાં રહસ્ય છે. આપણે છીએ તે Page #229 -------------------------------------------------------------------------- ________________ axr ક્ષુષ જીવન જૈન સમાજને એકત્ર બનવાનું આન્હાહન “આપણામાં માન્યતાભેદ અતિ અલ્પ છેઃ (ગત ઑઑકટોબર માસની ૧૮-૧૯મીના રોજ વર્લ્ડ ખાતે મળેલા ભારત જૈન મહામંડળના અધિવેશનના પ્રમુખસ્થાનેથી કરવામાં આવેલ શેઠ અમૃતલાલ કાળીદાસ દોશીના અધ્યક્ષીય અભિભાષણમાં જૈન સમાજની એકતાને અનુલક્ષીને રજૂ કરવામાં આવેલા વિચારો.) એકતાની આવશ્યકતા એમ વિચારવામાં આવ્યું હતું કે આઝાદી બાદ રાષ્ટ્રહિતના ખ્યાલ રાખીને રાષ્ટ્રનિર્માણનું કામ થશે અને દેશના લોકો સુખી થશે. પણ સ્વાર્થવૃત્તિના કારણે એમ બનવા પામ્યું નથી, અને પ્રાન્ત, ભાષા, જાતિ, વર્ગ અને ધર્મના ભેદોને જોર મળતાં રાષ્ટ્રીય હિતેાની અવગણના થઈ છે. જે રાષ્ટ્રીયવૃત્તિના લાક હોય તેમને સહજમાં અન્યાય થઈ જાય છે, કારણ કે બહુસંખ્ય લોકો જાતીયતાના બળ ઉપર અલ્પસંખ્ય લોકો ઉપર અન્યાય કરે છે. આપણે આ બાબતમાં જાગૃત રહેવું એ અત્યન્ત આવશ્યક છે. કારણ કે આપણે અલ્પસંખ્ય છીએ. જૈના હંમેશા રાષ્ટ્રીય તથા ઉદાર વૃત્તિના રહ્યા છે. પરંતુ જેમ જેમ જાતીયતાને ઉત્તેજન મળતું રહ્યું તેમ તેમ તેમની શકિત તથા યોગ્યતાના રાષ્ટ્રીય ક્ષેત્રમાં ઉપયોગ ઓછા થતા રહ્યો છે. આ આપણું સંગઠ્ઠન માત્ર જાતિહિત માટે નહિ પણ રાષ્ટ્રીય તેમ જ માનવહિત માટે છે. આપણે અન્યાયનાં હિતાનું અપહરણ ન કરતાં અન્યની સેવા કરીએ છીએ. એમ છતાં પણ અન્ય જનાની સેવાની સાથે સાથે આપણું અસ્તિત્ત્વ પણ આપણે કાયમ રાખવાનું છે અને સ્વાભિમાન પણ. જે સ્વાભિમાનની સાથે જીવવાનું નથી જાણતા તેમની સ્થિતિ એવી થશે કે જેવી યહુદીઆની થઈ. તેઓ બુદ્ધિમાન હતા, વૈજ્ઞાનિક હતા, વ્યાપારી હતા, પણ હિટલરની ગુંડાગીરી સામે કોઈ પણ પ્રકારના પ્રતિકાર કર્યા સિવાય તેઓ માથું નમાવતા રહ્યા. પરિણામ એ આવ્યું કે બકરાં ઘેટાંની માફક આઠ લાખ યહૂદીઓએ નાશને પ્રાપ્ત કર્યાં. આપણે ઈતિહાસની આ ઘટનામાંથી પાઠ શિખવાનો છે અને એક બનવાનું છે. આપણા મતભેદો આપણી વચ્ચે જે વિઘટન દેખાય છે, જુદાઈ દેખાય છે તેના મૂળમાં જયારે આપણે ઉતરીએ છીએ ત્યારે આશ્ચર્ય થયા વિના રહેતું નથી. જૈન સંપ્રદાયોનાં મૂળ તત્ત્વોમાં જરા પણ ભેદછે નહિ. જેઓ અનેકાન્ત દૃષ્ટિમાં નથી માનતા એવા હિન્દુઓમાં તાત્ત્વિક વાતોમાં મતભેદ હોવા છતાં પણ તેઓ હિન્દુના રૂપમાં એક છે. તેમનામાંના કોઈ સૃષ્ટિના કર્તાહર્તા ઈશ્વરને માને છે તે કોઈ ઈશ્વરને એ રૂપમાં નથી માનતા, પણ આપણે જૈનો તે ૨૪ તીર્થંકરોને એકસરખી રીતે માનીએ છીએ, અહિંસા, અનેકાન્ત, અપરિગ્રહ આદિ તત્ત્વોને એકસરખી રીતે સ્વીકારીએ છીએ, કર્મસિદ્ધાન્ત, સદ્ગુણાપાસના, ભકિતસ્વરૂપ-આ સર્વ વાતા આપણામાં એકસરખી છે. સર્વ જૈન કષાયામાંથી છૂટવાના અને વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવાના આદર્શમાં એકસરખી શ્રદ્ધા ધરાવે છે. ભેદ બહુ થોડો છે. કોઈ કહે છે કે સ્રીમુકિત થાય છે, કોઈ કહે છે થતી નથી, પણ એ માટે ઝગડવાની આજના વખતમાં કોઈ આવશ્યકતા નથી, કારણ કે આપણી માન્યતા મુજબ આ સમયમાં તે કોઈ જીવ મેક્ષ પ્રાપ્ત કરી શકે તેમ નથી. કોઈ મૂર્તિને અલંકાર પહેરાવે છે. કોઇ નથી પહેરાવતું; પણ આત્માના વિકાસમાં કે સાધનામાં કે તત્ત્વજ્ઞાનમાં કોઈ અન્તર નથી. જે થોડું સરખું અન્તર આચાર - વિચારોમાં કે વિધિવિધાનામાં છે તે સંબંધમાં વાદવિવાદ કરવા તે અનેકાન્તના ઉપાસકોને માટે યોગ્ય નથી. આપણે પોતપોતાની માન્યતાઓ પ્રત્યે આસ્થા રાખવા સાથે અન્ય પ્રત્યે ઉદારતા રાખી શકીએ છીએ અને તા. ૧૬-૧૧-61 માન્યતાનું સામ્ય અતિ વિશાળ છે” એ માટે પરસ્પર મળવું હળવું અને એક મંચ ઉપર એકઠા થવું એ અત્યન્ત જરૂરી છે. અને એ કાર્ય વર્ષોથી ભારત જૈન મહામંડળ કરતું આવ્યું છે. તે કહે છે કે આપ આપની માન્યતાઓ પ્રત્યે નિષ્ઠા રાખો, આપના આચાર વિચારોનું પાલન કરો, પણ જે પ્રશ્નો આખા સમાજને સ્પર્શે છે તેમાં તે એકત્ર બની. ધર્મ સંપ્રદાય ચા ગુચ્છથી ઉપર છે એ બાબતને ધ્યાનમાં રાખો. મતભેદ તો હર સંપ્રદાય, ગચ્છ એમ જ વ્યકિતમાં હાવાને, પણ તેનો આગ્રહ પરમ અનાગ્રહી ભગવાન મહાવીરના અનુયાયીએ માટે શેશભાસ્પદ નથી. આ ઉપરથી આશા રાખવામાં આવે છે કે જૈને મતભેદને મનભેદમાં પરિવર્તિત થવા નહિ દે. જે મતભેદ કે વિવાદ નજરે પડે છે એ મટવા જ જોઈએ, કારણ કે આપણે જીંદગીભર લડતા રહીએ એમાં કોઈને લાભ છે નહિ, હાનિ હાનિ જ છે અને આપણા સમાજના પ્રબુદ્ધ તેમ જ વિચારશીલ નેતાઓમાં આપણા વિશ્વાસ છે કે તેઓ જરૂર એવા માર્ગ કાઢશે કે જેથી જૈન સમાજ હળીમળીને સમાજ, રાષ્ટ્ર તથા માનવહિત સાધવામાં પેાતાની શકિત તેમ જ સાધનાને સંલગ્ન કરશે. આપણે એક જગ્યાએ એકઠા થઈએ ! આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાન્ત, રાજય, દેશ તેમ જ સંસા રમાં સર્વત્ર અસંતોષ તેમ જ અશકિત છે. એવી સ્ફોટક સ્થિતિ છે કે માલુમ પડતું નથી કે ક્યાં કયારૅ લડાઈ, વિદ્રોહ કે સંઘર્ષ ઊભા નહિ થાય. તેનાં દુષ્પરિણામોથી માનવજાતિ બચી શકે તેમ છે જ નહિ. પ્રેમ તેમ જ સમન્વય વિના, અહિંસા તેમ જ અનેકાન્ત વિના માનવજાતિની સમસ્યા ઉંલી શકે તેમ નથી. સમસ્યા ભલેને વ્યકિતની હોય કે રાષ્ટ્ર યા જગત ની હાય, તેના મૂળમાં આપણને માલુમ પડશે કે વિદ્રેષ, ધૃણા, ઈર્ષ્યા, આગ્રહ તેમ જ અહંકાર જ રહેલાં છે. આમ હાવાથી સર્વ ક્ષેત્રામાં અહિંસા તેમ જ અનેકાન્તના પ્રયોગ આવશ્યક છે. આ મહાન કાર્ય કરવાની જવાબદારી સહજ રૂપમાં જૈન ઉપર આવે છે. પ્રત્યેક ક્ષેત્રમાં-પછી આપણા સાંપ્રદાયિક મામલો ઉકેલવાના હોય અથવા તેા રાષ્ટ્રીય સંકુચિતતા દૂર કરવાની હાય—આના જ પ્રયોગ કરવાના રહેશે. આ ત્યારે થઈ શકે એમ છે કે જયારે આપણે એક જગ્યાએ એકઠા થઈએ અને સાથે બેસીને આપણી સમસ્યાઓના વિચાર કરીએ. અમૃતલાલ કાળીદાસ દોશી આચાર્ય રજનીશજીની સાધનાશિબિર પ્રબુદ્ધ જીવનના ગાંકમાં આ અંગે પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતમાં થોડો ફેરફાર કરવામાં આવ્યા છે. શક્તિદળના ઉપક્રમે યોજવા ધારેલી માત્ર બહેના માટેની તા. ૨૧ થી ૨૩ સુધીની શિબિર રદ કરવામાં આવી છે, પણ એના બદલે જીવન જાગૃતિ કેન્દ્ર તરફથી મલાડ પશ્ચિમ વિભાગમાં આવેલ આદર્શ દુગ્ધાલયના સ્થળે તા. ૧૯મી નવેમ્બર શનિવાર રાત્રીથી તા. ૨૨મી નવેમ્બર રાત્રિ સુધી–એમ સાડાત્રણ દિવસની સાધનાશિબિર ગાઠવવામાં આવી છે. આ શિબિરમાં હમેશાં રાત્રીના ૮થી ૯-૩૦ અને સવારના ૮ થી ૯ એમ આચાર્યશ્રીનાં કુલ સાત વ્યાખ્યાનો થશે. આ શિબિરમાં જીવન જાગૃતિ કેન્દ્ર કાર્યાલય, (એડવર્ડ સીનેમા સામે, '૫૦૫, કાલબાદેવી રોડ, ટે.નં. ૨૨૩૩૧)માં રૂ. ૫ ભરીને પ્રવેશપત્ર મેળવીને કોઈ પણ ભાઈબહેન ભાગ લઈ શકશે. એક વિશેષ પ્રસ્તાવ ભારત જૈન મહામંડળના વર્ષા ખાતે મળેલા અધિવેશનમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવાની યાદી પ્રબુદ્ધ જીવનના ગતાંમાં આપવામાં આવી છે તેમાં એક પ્રસ્તાવ પ્રગટ કર્યો રહી. ગયે હતેા તે પ્રસ્તાવ નીચે મુજબ છે:— ” “સામાજિક શિક્ષા, ઔષધીય સહાયતા, સાહિત્ય આદિ વિભિન્ન સેવાક્ષેત્રામાં કાર્ય કરતી સાંપ્રદાયિક સંસ્થાઓને ભારત જૈન મહામંડળ નિવેદન કરે છે કે તેમના કાર્યનું ક્ષેત્ર સમસ્ત જૈન સમાજ સુધી વ્યાપક બનાવે અને સમસ્ત જૈન સમાજને સ્પર્શ કરતા પ્રશ્નો તરફ વિશેષ ધ્યાન આપે.” Page #230 -------------------------------------------------------------------------- ________________ ત, ૧૧૧૧-૧૧ પ્રબુદ્ધ જીવન ૧૪૩ શા માટે? પક્ષીઓ ગીત ગાય છે તો શા માટે? બીજમાંથી વૃક્ષ શા માટે? વાદ:માંથી પાણી શા માટે? જેને રહસ્ય માલુમ નથી એને પરમાત્માનું રહસ્ય નહિ સમજાય. આપણી આંખે વ્યાખ્યાઓથી, સિદ્ધાંતથી આંધળી થઇ ગઈ છે. વ્યાખ્યાઓ નડતરરૂપ છે. આજે વિજ્ઞાન અને ધર્મ રહસ્ય નષ્ટ કરી રહ્યા છે. આપણે જીવીએ છીએ અજ્ઞાનના કારણે–જીવનનાં પ્રતિરહસ્યનો બોધ અનિવાર્ય છે - રહસ્ય પ્રત્યે આપણે અભિમુખ થવું જોઈએ. અને અસીમ અનંત પ્રતિ હૃદયને ખેલવું જોઈએ. ચારે તરફ ફેલાયેલી - પ્રકૃતિ એ પરમાત્માનું ઘર છે. એની પાસે જાઓ પ્રેમ કરો, કેમ કોઈ ઝાડપાન પક્ષી ઉદાસ નથી અને માણસ જ ઉદાસ છે? એને કેમ કાંટા જ કાંટા દેખાય છે અને ફુલ દેખાતું નથી? કારણ એના જીવનમાં કોઈ કાવ્ય નથી, કોઈ સંગીત નથી, કોઈ પ્રેમ નથી, એણે જીવનને કઈ પરિચય કર્યો નથી, ચિત્ત ઉપર નિરંતર સજાગ થવાની આજે જરૂર છે. જ્ઞાનને જવા દેશો તો રહસ્ય આવવા માંડશે.” અભાવને બોધ અજ્ઞાનને બોધ અને રહસ્યને બોધ - આ બે બિંદુઓ ઉપર વિચાર ક્ય પછી અભાવનાં બોધ ઉપર બેલતાં આચાર્યશ્રીએ કહ્યું- માણસમાં જો રાહસ્યનો બોધ ન હોય તે માણસ સીમિત બની જાય છે. માણસ જ્ઞાનથી શું ભરવા માંગે છે અને તે પ્રકૃતિથી મ દૂર રહ્યો છે અને આપણે વિચાર કરવો જોઈએ. માણસ માત્ર જીવનભર સંગ્રહ જ કરતો હોય છે. શું સંગ્રહ કરે છે એ જુદી વાત છે. ‘ત્યાગ’ ને પણ સંગ્રહ કરવામાં આવે છે– ઉપવાસની પણ ગણતરી થાય છે. એટલે જ્યાં ગણિત છે ત્યાં સંગ્રહ છે. કેટલું ધન તેમ કેટલો ત્યાગ એને પણ હિસાબ થાય છે અને આમ ત્યાગ પણ સંપત્તિ બની જાય છે. આનું કારણ અંદર કંઈકનો અભાવ છે. અનિવાર્ય શૂન્યતાથી-શૂન્યથી–તે ડરે છે અને એથી કંઈક ભર્યા કરે છે. એને Nothingness નો ભય છે. સંગ્રહની વૃત્તિ એ છટકબારી છે. Original emptiness એ આપણા સ્વભાવ છે. અભાવ એ સ્વભાવ છે. આજે દુ:ખને છોડવાની અને સુખને ભેગા કરવાની દોડ ચાલી છે. દુ:ખ સુખથી અલગ થોડું છે? સુખની છાયા દુઃખ છે. નવાં સુખે નવાં દુ:ખ લાવે છે. ભીતર સંપૂર્ણ અભાવ છે. આ અભાવના બોધ પ્રતિ જાગવાની જરૂર છે. બહાર એકઠું કરવાથી શું તે અંદર જઈ શકશે? “અંદરનો અર્થ જયાં કશું બહારથી ન જઈ શકે. આજે માણસને મોક્ષની ઈચ્છા થાય છે પણ એ ભૂલી જાય છે કે જયાં ઈચ્છા છે ત્યાં સંસાર છે. મોક્ષને શોધવાનો હોત નથી. ‘અભાવ” માં જીવવા માટે તૈયાર થવાની ક્ષણ જ મોક્ષ છે. જે તમે છે તે જ ઠીક છે - “ભીતરમાં છલાંગ , અભાવમાં છલાંગ ભરે, એથી ભાગો નહિ અને તમને આત્માનું દર્શન થશે. અભાવમાં જીવવાથી જ પરમાત્મા મળે છે. ભરવાની કોશીપ છોડી દેવી તે છે ત્યાગ. મંદિરમાં જવાની જરૂર નથી-અભાવમાં જાઓ. જયાં મહત્ત્વાકાંક્ષા છે ત્યાં અવસ્થા છે. જે કોઈને માનતો નથી એ જ સ્વને જાણ થાય છે.” આમ આચાર્યશ્રીનાં પ્રવચનમાંથી આપણને જીવનની એક ચોક્કસ દષ્ટિ મળે છે. ઉપરનાં ત્રણ સૂત્રો ઉપર જો દષ્ટિ આવી જાય તે ક્રાંતિ આવે, નવા મનુષ્યને જન્મ થાય. આ શિબિરમાં ભાગ લેનાર દરેક ભાઈ – બહેનને એટલી શ્રદ્ધા તો આવી જ હશે કે પ્રત્યેક વ્યકિતમાં અપાર શક્યતાઓ રહેલી છે અને ધાર્મિકતી ચાંદલામાં કે જોઈમાં નથી પણ આમૂલ પરિવર્તનમાં રહેલી છે. શિબિરનાં પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં ઘણાં બુદ્ધિગમ્ય પ્રશ્ન પૂછાતાં હતાં. શું જીવનમાં અનુશાસનની આવશ્યકતા નથી? આ પ્રશ્નને જવાબ આપતા આચાર્યશ્રીએ કહ્યું કે વિવેક, પ્રજ્ઞા, જાગરણ, બોધ નથી એટલે અનુશાસનની લાડીની જરૂર છે. માણસ અંદર અસંસ્કૃત છે. ઉપર સંસ્કૃત છે. આજે દેશમાં વિદ્યાર્થીઓના તોફાને અંગે આચાર્યશ્રીને અભિપ્રાય પૂછતાં તેઓશ્રીએ કહ્યું, ‘સત્ય માટે બાળકને મુકત કરવાની જરૂર છે. આજે સમાજ બાળકને વિવેક નથી દેતે, વિચાર દે છે, સમાજ મરેલાની પૂજા કરે છે. મૂડદાને સમાજ જીવિત માણસની પૂજા નથી કરતો. એટલે બાળકને આકાશ નથી દેખાતું, દીવાલ દેખાય છે. તેમને પોલીસ ચોકીને નુકસાન કરવાનું હું નથી કહેતો; હું તો કહું કે કોઈ મોટી બુનિયાદી ક્રાંતિ કરો. બાકી Disciplined માણસ એને હું મરેલે માણસ કહું છું. આ ઉપરાંત “મોક્ષ છે કે નહિ ?” “વૃત્તિઓ કેમ બદલાય? વિગેરે વિગેરે પ્રશ્નો આવ્યા હતા. માથેરાનની શિબિરે સૌનાં ચિત્તમાં એક નવા વિચારનું બીજ જરૂર રોયું છે. આશા રાખીયે આ બીજ લેફાલે. શિબિરમાં અન્ય ખાવાપીવારહેવા વિગેરેની વ્યવસ્થા સુંદર અને સંતોષકારક હતી. આ માટે રગ્બી હોટેલનાં માલિક શ્રી રમણલાલ ઠક્ક અને શિબિરની સમગ્ર જવાબદારી લેવા માટે “જીવન જાગૃતિ કેન્દ્રનાં કાર્યકરો અંતરનાં અભિનંદનનાં અધિકારી બને છે. ચીમનલાલ જે. શાહ મુંબઈ આવી રહેલાં શ્રીમતી વિમળાબહેન - જે ઠકારને કાર્યક્રમ શ્રીમતી વિમલાબહેન ઠકાર તા. ૨૦મી નવેમ્બર રવિવારના રોજ દશ દિવસ માટે મુંબઈ આવી રહ્યાં છે તે પ્રસંગે મુંબઈ સર્વોદય ' મંડળ તરફથી તેમનાં વ્યાખ્યાને અંગે નીચે મુજબને કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે:- તા. ૨૦મી રવિવાર સાંજના ૪ વાગે સાન્તાક્રુઝ સર્વોદય મિત્ર મંડળ દ્વારા સભા, સાન્તાક્રુઝ. તા. ૨૧ સોમવાર રાતના ૯ વાગ્યે બહેનોની સભા, બાલાસીનેર મંડળ દ્વારા, સી. સી. ટેક, મુંબઈ. તા. ૨૨ મંગળવાર રાતના ૯ વાગે બહેનની સભા, કાંદીવલી–બોરીવલી. - તા. ૨૩ બુધવાર બપોરે ૩ વાગે બહેનોની સભા, એસ. એન. ડી. ટી. કૅલેજ તથા સાંજના ૬ વાગ્યે નિમંત્રિતોની સભા, ઈન્ડિયન મરચન્ટસ ચેંબરના હોલમાં, મુંબઈ. તા. ૨૪ મી ગુરુવાર, સાંજે ૬-૧૫ રીનેસન્સ ક્લબ, સોશિયલ સર્વીસ લીગ, સરવન્ટ ઓફ ઈન્ડિય સેસાયટી, મુંબઈ. તા. ૨૫મી શુક્રવાર બપોરે ૩-૧૫ વાગ્યે મીઠીબાઈ કૅલેજ વિલેપાર્લે અને રાત્રીના ૯ વાગ્યે, જૈન ભવન, સાયન. તા. ૨૬મી શનિવાર, સાંજે ૪-૩૦ વાગ્યે સર્વોદય શિક્ષણ સંઘ, મુંબઈ તથા રાત્રે ૯ વાગ્યે જાહેર સભા, મલાડ. તા. ૨૭ મી રવિવાર સવારના ૬ વાગ્યાથી ૧૧-૨૫ સુધી યુથ રેલી તથા યુવક સંમેલન, વિલેપારલે અને રાત્રીના ૮-૩૦ વાગ્યે ગ્રુપ મિટિંગ, કાલબાદેવી રોડ, મુંબઈ. તા. ૨૮મી સમવાર, સાંજના ૪-૩૦ વાગ્યે જાહેર સભા, ખાદી ગ્રામોદ્યોગ કમિશન, વીલેપારલે અને રાત્રે ૯ વાગ્યે સભા, મુલુંડ, તા. ૨૯મી મંગળવારે બહેનની સભા હિંદુ સભા હૅલ, ઘાટકોપર અને રાત્રીના ૯ વાગ્યે જાહેર સભા હિંદુ સભા હોલ, ઘાટકોપર, તા. ૩૦મી બુધવાર બપોરે ૩ વાગ્યે બહેનોની સભા મણિબા હૈલ, સાયન પૂર્વ અને રાત્રે ૯ વાગ્યે જાહેર સભા, દાદર. તમને મળ્યોતિમયા. સંસારે સઘળે ભલે અસત છે, શું સત્ય છે કયાંય ના? જ્યાં ત્યાં દુઃખવિષાદ છે વરતતાં, શું ભદ્ર દેખાય ના? છે સર્વત્ર કુરૂપ ને મલિનતા સૌન્દર્ય તે યે લસે! રે રે જીવનમાં સદા નિરખિયે સત્યં શિવં સુન્દરમ્ | નટવર મ. દવે Page #231 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧ 不 બુદ્ધ જીવન બિનસાંપ્રદાયિકતા ભારત એક બિનસાંપ્રદાયિક રાજ્ય છે એમ આપણે કહીએ છીએ. બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે શું ? આ શબ્દ અંગ્રેજી Secular state ના પર્યાય છે. સેક્યુલર સ્ટેટને ખ્યાલ પશ્ચિમનાં દેશામાં વિશિષ્ઠ સંજોગામાં વિકસ્યો છે. એના એક અર્થ એ છે કે રાજસત્તા ધાર્મિક બાબતોમાં કોઈ અધિકાર ભાગવે નહિ અથવા દખલગીરી કરે નહીં. અહીં, વ્યકિતગત ધર્મ કરતાં સ્થાપિત ધાર્મિક સંસ્થા અથવા સંપ્રદાય Established church લક્ષમાં છે. રાજસત્તા અને ધાર્મિકસll (Ecclesiastical Power) એ બે વચ્ચે ઘર્ષણ ટાળવા આ કલ્પના ઊભી થઈ. ખ્રિસ્તીધર્મની શરૂઆતમાં નવા ધર્મના અનુયાયીએને તે સમયની રાજસત્તા તરફથી ભારે ત્રાસ અને હાડમારી વેઠવાં પડતાં હતાં. ક્રાઈસ્ટના વધ રોમન સામ્રાજ્યના પ્રતિનિધિના હુકમથી જ થયો. પોતાના ધર્મમાં સુદઢ રહેવા અને ધાર્મિક સ્વતંત્રતા જાળવી રાખવા, તે સમયે, ક્રાઈસ્ટ એવી સલાહ આપી કહેવાય છે કે : “Render unto ceasar the things that are ceasor's and unto God the things that are God's." સેક્યુલર સ્ટેટ જેને કહે છે તેના પાયા આ રીતે નખાયો. Seperation of State and Church, એક સમય એવા હતા કે રાજસત્તા તેના નાગરિકોના જીવનનાં બધા અંગો ઉપર અધિકાર ભાગવવાના દાવા કરતી હતી. બીજી કોઈ સત્તાધર્મને નામે, ધર્મગુરુઓની પણ—સ્વીકારવા રાજસત્તા તૈયાર ન હતી. Divine Right of Kings. ધાર્મિક સંસ્થાઓ, તેની પ્રણાલિકાઓ, વિધિવિધાનો, બધાને અધિકાર રાજસત્તા ભાગવતી અને સ્વીકારનાર ભારે દંડને પાત્ર થતા. કોઈ નવા અથવા ભિન્ન ધર્મના અનુયાયીઓને કોઈ રક્ષણ ન હતું. રાજધર્મ-સ્ટેટ રીલીજીયન—બધાએ સ્વીકારવા પડતા. ન સમય જતાં, ખ્રિસ્તી ધર્મના પ્રભાવ વધ્યા અને રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઈને ખ્રિસ્તીધર્મ સ્વીકાર્યો ત્યારે તે ધર્મ રાજધર્મ બન્યો અને ધર્મગુરુઓની સત્તા વધી, એટલી હદ સુધી કે, પોતે જે ધાર્મિક સ્વતંત્રતા માગતા હતા તે બીજાને આપવા તેઓ તૈયાર ન થયા અને અન્ય ધર્મીઓનું અનહદ પીડન શરૂ કર્યું. મધ્યકાલીન યુગમાં પાપનું સામ્રાજ્ય અને સત્તા કોઈ પણ રાજ્યની સત્તા કરતાં અતિવિશેષ હતાં. આવી પરિસ્થિતિ પણ લાંબા વખત ન નભે, નવા વિચારોને પવન ફૂંકાયો. માર્ટીન લ્યુથરે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય સ્થાપ્યો. વિજ્ઞાનયુગે માણસની દ્રષ્ટિ બદલાવી. રાજાએ પણ પાપની સત્તાથી ત્રાસ્યા. કાંઈક સંઘર્ષો થયા અને કાંઈક બાંધછોડ અને સમજૂતી થઈ. પણ ધીમે ધીમે ઉદારમતવાદી લોકશાહી વિચારો-Liberal Democratic Thought—પ્રબળ થતા ગયા અને દરેક વ્યકિતને ધાર્મિક સ્વતંત્રતા હોવી જોઈએ એ ભાવના વ્યાપક બની. બીજો વિશ્વધર્મ ઈસ્લામ—તેમાં પણ આવી જ સ્થિતિ હતી. Ottoman Empire સમ્રાટ એ જ ખલિફ, પયગમ્બરના પ્રતિનિધિ અને કુરાન એ જ કાયદો. પશ્ચિમના દેશોમાં સેકયુલર સ્ટેટની કલ્પનાનો વિકાસ થતો રહ્યો અને ધીમે ધીમે ધાર્મિક બાબતોમાં રાજસત્તાના અધિકાર કે દખલગીરી ઓછી થઈ. સેપરેશન ઓફ સ્ટેટ એન્ડ ચર્ચા-અમેરિકા આવા બિનસાંપ્રદાયિક રાજ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. ઈંગ્લે ન્ડમાં પણ હજી તેના રાજા પ્રોટેસ્ટન્ટ ધર્મના જ હોવા જોઈએ, તેના ધાર્મિક ગુરુએ આર્ચબિશપ વગેરેની નિયુકિત રાજ્ય તરફથી થાય છે, અને તેમાંના કેટલાક પ્રીવીકાઉન્સીલ કે ઉમરાવસભાના સભ્ય હોય છે. છતાં ધાર્મિક સહિષ્ણુતા મોટા પ્રમાણમાં છે. અમેરિકામાં પણ કોઈ રોમન કેથેાલીકને પ્રેસીડન્ટ થવું ભારે અઘરું છે. ૧૪૫ પણ ધીમે ધીમે સેક્યુલર સ્ટેટનો અર્થ બીજો જ થતો ગયે. -બિન મઝહબી—Irreligious રાજ્ય, માત્ર ભૌતિક અને ઐહિક બાબતાના વિચાર કરે અને ધર્મ સાથે તેને કોઈ સંબંધ નહીં અથવા ન હોવા જોઈએ એવી માન્યતા ઊભી થઈ છે. શું પ્રજાના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો જાળવવામાં રાજ્યની કાંઈ ફરજ નથી ? તે વિષે. રાજ્ય બેદરકાર રહી શકે ? પણ સેકયુલર સ્ટેટના અર્થ આથી પણ આગળ ગયો. રશિયા સેક્યુલર કહેવાય છે. પણ રશિયામાં રાજ્ય, ધાર્મિક બાબતમાં દખલગીરી ન કરે એટલું જ નહીં પણ ધર્મના જ સખ્ત વિરોધ કરે એમ મનાય છે. અહીં ધર્મ એટલે એસ્ટાબ્લીશ્ડ ચર્ચ. પણ એસ્ટાબ્લીશ્ડ ચર્ચના તો ટોલ્સ્ટોયે પણ સખત વિરોધ કર્યો હતો, પણ તે સાચા ધર્મની પ્રતિષ્ઠા કરવા. પણ સામ્યવાદીઓએ એસ્ટાબ્લીશ્ડ ચર્ચના વિરોધ સાથે જીવનમાં ધર્મને જ કોઈ સ્થાન નથી એવું વાતાવરણ અને માન્યતા ઊભાં કર્યાં છે. બિનસાંપ્રદાયિક રાજ્યના એક બીજાં પણ અર્થ છે અને તેના વિચાર કરીએ. બિનસાંપ્રદાયિક રાજ્યમાં, દરેક નાગરિકને પેાતાની ધાર્મિક માન્યતા અને વિચાર માટે સ્વતંત્રતા હોય, પોતાની ધાર્મિક સંસ્થાઓને પેાતાની માન્યતા પ્રમાણે વહીવટ કરવાના અધિકાર હોય, પોતાના ધર્મની આચારપ્રણાલિકાઓ પ્રમાણે વર્તવાનો અને પોતાના ધર્મના પ્રચાર કરવાનો હક્ક હોય. ટુંકમાં—Individual and Corporate Freedom of Religion. બીજું, કોઈ નાગરિકને પોતાના ધર્મને કારણે નાગરિક હક્કોથી વંચિત ન રખાય અને બધા ધર્મના નાગરિકોને સમાન અધિકાર હોય–રાજ્યના દરેક ક્ષેત્રમાં. ત્રીજું, રાજ્ય કોઈ એક ધર્મને રાજ્યધર્મ ગણ્ નહીં અને તેવા કોઈ એક ધર્મના પ્રચાર કરવા અથવા તેનો પ્રભાવ વધારવા પ્રયત્ન કરે નહિ. ભારતવર્ષ કાંઈક આવા અર્થમાં બિનસાંપ્રદાયિક રાજ્ય છે, તે હવે ટૂકમાં બતાવીશ. પશ્ચિમના દેશામાં બન્યું છે તેમ, ભારતવર્ષમાં રાજસત્તા અને ધર્મસત્તા વચ્ચે કોઈ મોટા સંઘર્ષો થયા નથી. ધર્મગુરુઓએ સ્વેચ્છાએ ગરીબાઈ સ્વીકારી અને સાના લાભ ન રાખ્યો. ક્ષત્રિઆને રાજસત્તા મળી પણ પ્રતિષ્ઠા ધર્મગુરુની રહી. રઘુવંશમાં દિલીપ રાજા પેાતાનું સર્વસ્વ - ગુરુને ચરણે ધરી દે, 'अदेयमासीत् त्रयमेच भूपतेः शशीप्रभम् छत्र मूभे च चामरे । રાજસત્તાનાં ચિહ્નો છત્ર અને ચામર સિવાય સર્વસ્વ સમર્પણ કરી દીધું. શિવાજી બધું રામદાસને ચરણે ધરી દે. સમ્રાટ અશોક, સાચા ધર્મના પ્રચાર માટે, યુદ્ધનો ત્યાગ કરી, પોતાની સર્વશકિત ધર્મને સમર્પે. મુસલમાન કાળ દરમિયાન પણ અકબર જેવા ઉદાર ચરિત રાજવી—દીન—ઈલાહી–વિશ્વધર્મની શોધમાં પડે. ઔરંગઝેબ જેવા અસહિષ્ણુતાનાં વિપરીત પરિણામ પોતે જ ભાગવે, બ્રિટિશ સમય દરમ્યાન ધર્મની બાબતમાં રાજ્યકર્તા તટસ્થ રહ્યા. રાજકીય કારણેએ કોમવાદ ઊભા કર્યો તે જુદી વાત છે. ભારતવર્ષમાં ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મસમભાવ પાયામાં છે. હિંદુધર્મ એક મહાસાગર છે, જેમાં અનેક મતમતાંતરો સ્થાન પામ્યા છે. ખરી રીતે હિંદુ ધર્મને કોઈ Organised church નથી કે રાજ્ય સાથે સંધર્ષના કોઈ અવકાશ રહે. તેને કોઈ પાપ કે ખલીફા નથી. ભારતના પુનરુત્થાનનો પાયો રાજા રામમોહનરાય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોએ નાખ્યો. રાષ્ટ્રીય કોંગ્રેસ ખરે જ રાષ્ટ્રીય હતી અને છે, બધા ધર્મોના Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અને બધી કોમના માણસાને તેમાં સ્થાન છે. કોમી એકતા તેના પાયામાં છે. ગાંધીજીએ તેને માટે પ્રાણ આપ્યા. પ્રબુદ્ધ જીવન આ સંજોગોમાં, દેશને પોતાનું બંધારણ ઘડવાનો સમય આવ્યો ત્યારે પાયાના આ પ્રશ્નોનો તેણે વિચાર કરવાના હતા. આપણા પડોશી રાજ્ય પાકિસ્તાને એક ઈસ્લામી રીપબ્લીક સ્થાપ્યું. આપણે લાકશાહી પ્રજાસ્તાક રાજ્યની સ્થાપના કરી. આ બાબતમાં બંધારણમાં શું પ્રબંધ કરવામાં આવ્યો છે તે હવે ટૂંકમાં જોઈએ. તેની પ્રસ્તાવના, કે જેમાં તેનું હાર્દ આવી જાય છે, તેમાં કહ્યું છે કે ભારતના દરેક નાગરિકને વિચાર, અભિવ્યકિત, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા તથા પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા મળે તે માટે અમે ભારતના લોક આ બંધારણ સ્વીકારીએ છીએ. નાગરિકના મૂળભૂત અધિકારો-Fundamonłal Rights--માં નીચે મુજબ અધિકારો છે : ૧. કેવળ ધર્મ, જાતિ કે જ્ઞાતિના આધાર પર રાજ્ય કોઈ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહીં અથવા રાજ્યની નોકરી કે હોદ્દા સંબંધે તેને અયોગ્ય ઠેરવી શકશે નહીં કે તેના ભેદભાવ કરશે નહીં. ૨. સાર્વજનિક વ્યવસ્થા, સદાચાર તથા સ્વાસ્થ્યના નિયમેને આધીન રહી, દરેક વ્યકિતને અંત:કરણની સ્વતંત્રતા તથા પોતાના ધર્મ માનવાનો, આચરવાના અને તેનો પ્રચાર કરવાનો અબાધિત હક્ક રહેશે. ૩. પ્રત્યેક ધાર્મિક સંપ્રદાયને પોતાની ધાર્મિક સંસ્થાઓ સ્થાપવાના અને નિભાવવાના, ધાર્મિક બાબતામાં પેાતાની પ્રવૃત્તિ કરવાના, અને પોતાની ધાર્મિક મિલકતના વહીવટ કરવાના અબાધિત હક્ક રહેશે. ૪. કોઈ પણ ખાસ ધર્મ કે ધાર્મિક સંપ્રદાયની ઉન્નતિ કે પાષણ માટે કોઈ વ્યકિત ઉપર કરવેરા નાખી શકાશે નહી. ૫. રાજ્યના ખર્ચે ચાલતી કોઈ શિક્ષણસંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. ૬. રાજ્ય તરફથી અથવા રાજ્યની મદદથી ચાલતી કોઈ પણ કેળવણીની સંસ્થામાં ધર્મ, જાતિ કે જ્ઞાતિના ભેદ વિના દરેક નાગરિકને પ્રવેશના અધિકાર રહેશે. ૭. દરેક ધાર્મિક લઘુમતિ કોમને પેાતાની શિક્ષણસંસ્થાઓ ચલાવવાના અધિકાર રહેશે. ધાર્મિક હક્કોને લગતા કેટલાક મૂળભૂત અધિકારો મેં ટૂંકમાં બતાવ્યા તે ઉપરથી જણાશે કે ધાર્મિક લઘુમતિઓને તેમ જ વ્યકિતને ધાર્મિક માન્યતા અને આચરણ માટે પૂર્ણ સ્વતંત્રતા છે. છતાં ધાર્મિક બાબતોમાં રાજ્યને કાંઈ અધિકાર નથી એમ નથી. ધર્મને નામે અનીતિ, અનાચાર કે અનિષ્ટ રીતરિવાજો નિભાવી ન લેવાય અને તે સંબંધે રાજ્ય કાયદા કરી શકે છે. અસ્પૃશ્યતા સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે. ધાર્મિક સંસ્થાઓના યોગ્ય વહીવટ માટે નિયમન કરતા કાયદા રાજ્યે કર્યા છે. ધાર્મિક બાબતોમાં તટસ્થતાના અર્થ એવા નથી કે સામાજિક પ્રગતિ રૂંધાય અને સ્થિતિચુસ્ત કે પ્રત્યાઘાતી બળાને છુટો દોર મળે, આવા કાંઈક અર્થમાં બિનસાંપ્રદાયિક રાજ્યની આપણી કલ્પના છે. પણ આ વિષયમાં ઘણી અસ્પષ્ટતા છે અને બિન સાંપ્રદાયિક એટલે બિનમઝહબી—Irrcligious—એવો લગભગ અર્થ કેટલેક સ્થળે થાય છે. જીવનનાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો વિષે રાજ્ય બેદરકાર રહી ન શકે. શિક્ષણસંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણના પ્રશ્ન પણ અનિશ્ચિત દશામાં પડયા છે. કોઈ ખાસ સંપ્રદાયનું શિક્ષણ ન અપાય, પણ વિશાળ અર્થમાં ધાર્મિક અને નૈતિક શિક્ષણની અવગણના ન થઈ શકે. બાબુ રાજેન્દ્રપ્રસાદ અને ડૉ. રાધાકૃષ્ણન જેવાએ ભારપૂર્વક જણાવ્યું છે કે બિનસાંપ્રદાયિક રાજ્યના અર્થ અધાર્મિક રાજ્ય નથી. ડો.. રાધાકૃષ્ણને કહ્યું છે : “I want to say authoritatively that sccularism does not mean irreligion. It means respect for all faiths and religions. Our state does not identify it-self with any particular religion." તા. ૧૬-૧૧-૧ દષ્ટિ સ્વીકારતા નથી અને ભારતને એક હિંદુરાજ્ય બનાવવું એવી તેમની કલ્પના છે. આ બળે દેશને કયાં લઈ જશે તે કહેવું મુશ્કેલ છે. ગાંધીજીએ કહ્યું હતું કે હિંદુધર્મ પોતાનું પ્રધાનલક્ષણ સર્વધર્મસમભાવ છેડી દેશે ત્યારે તે હિંદુધર્મ નહીં રહે. પણ રાજ્યકર્તા વર્ગમાં બધાની આવી દષ્ટિ નથી, એક બીજો પણ ભય છે કોમવાદનો, જનસંઘ, હિંદુમહાસભા જેવાં બળા આ આમ બિનસાંપ્રદાયિક રાજ્યની કલ્પના આ દેશમાં અને બીજા દેશમાં પણ સ્પષ્ટ છે અને અપૂર્ણ છે. વર્તમાન જગતમાં વિજ્ઞાને જે પરિસ્થિતિ સર્જી છે તેમાં One World Government કેટલાક વિચારકોને સંઘર્ષ ટાળવાનો એક જ ઉપાય લાગે છે. તે સાથે એક વિશ્વ સંસ્કૃતિ World Civilisatlon ની ભાવના જાગી છે. સંયુકત રાષ્ટ્રસંસ્થાએ Declaration of Human Rights જાહેર કર્યા છે તેનો પણ આ પાયો છે. સાચા ધાર્મિક મૂલ્યોને જીવનમાં યોગ્ય સ્થાન આપીએ તો જ સાચી બિનસાંપ્રદાયિકતા થાય. ચીમનલાલ ચકુભાઈ શાહ (આકાશવાણીના સૌજન્યથી) સાભાર—સ્વીકાર ધન કમાને કી કળા : લેખક : શ્રી રિષભદાસ રાંકા, પ્રકાશક: સંસ્કાર સાહિત્ય માળા, કૈલાસ ભવન, મુંબઈ - ૬૦, કિંમત રૂ. ૨-૫૦. Literary Evaluatian of Paumcharium: લેખક : ડૅાકટર કે. આર. ચંદ્ર; પ્રકાશક: જૈન કલ્ચરલ સેાસાયટી, વારાણસી, ૫, કિંમત: રૂા. ૧-૫ ૦. વિદ્યા વેચાય નહિ: લેખક શ્રી મનુ પંડિત, પ્રકાશક: વત્સલ પ્રકાશન—વાત્સલ્ય ધામ, મઢી (જિ. સુરત) કિંમત ૦-૬૦ પૈસા. પંચાયતી રાજ્યના કેટલાક અનુભવે : લેખક શ્રી રિખવદાસ જેસીંગલાલ, પ્રમુખ : જિલ્લા પંચાયત, મહેસાણા. ગાંધી, માર્કસ અને ક્રાન્તિનું વિજ્ઞાન : મૂળ અંગ્રેજી: આચાર્ય કૃપલાની; અનુવાદક: શ્રી ભોગીલાલ ગાંધી, પ્રકાશક: વિશ્વ માનવ, રામજી મંદિર પોળ, વડોદરા, કિંમત રૂા. ૫ જૈન ઈતિહાસની એક ઝલક લેખક: મુનિ જિનવિજયજી; સંપાદક રતિલાલ દીપચંદ દેસાઈ; પ્રકાશક: અશોક કાન્તિલાલ વેારા ૪૮, ગાવાલિયા ટેંક રોડ, મુંબઈ-૨૬, કિંમત રૂા. ૨. વીતરાગ સ્તવ : ‘કલિદાસ સર્વજ્ઞ' શ્રી હેમચંદ્રાચાર્ય રચિત; કાવ્યાનુવાદક તથા વિવેચક: ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા; પ્રકાશક: શ્રીમદ્ નિજભ્યાસ મંડપ ટ્રસ્ટ, ઠે. પંચભાઈની પાળ, અમદાવાદ, કિંમત રૂા. ૩. શ્રીમદ રાજચંદ વચનથ્થુત: કર વિચાર તો પામ: ભાગ-૧-૨; પ્રકાશક : શ્રી ત્રિકમલાલ મહાસુખલાલ શાહ, શ્રી રાજચંદ્રે પાઠશાળા, પંચભાઈની પાળ, અમદાવાદ. કિંમત ૬૦ પૈસા. ગામનો વિદ્રોહ : લેખક: આચાર્ય રામમૂર્તિ; પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, હુઝરાત પાગા, વડોદરા -૧, કિંમત રૂા. ૧-૨૫. વિચાર પોથી: લેખક: આચાર્ય વિનોબાજી, પ્રકાશક ઉપર મુજબ કિંમત રૂા. ૧. જ્ઞાનદેવ ચિન્તનિકા : (બીજી આવૃત્તિ) લેખક: આચાર્ય વિનોબાજી પ્રકાશક: ઉપર મુજબ કિંમત રૂા. ૧-૫૦, વિનોબા ચિન્તન : ૧ થી ૭ પુસ્તિકા, પ્રકાશક: મંત્રી, સર્વ સેવા સંઘ, રાજઘાટ, વારાણસી, પ્રત્યેકની કિંમત ૫૦ પૈસા. જૈન દર્શન ઔર સાંસ્કૃતિ પરિષદ્: (પ્રથમ અધિવેશન-૧૯૬૪ ની કાર્યવાહી), પ્રકાશક: શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા, ૩, પોર્ટુગીઝ ચર્ચ સ્ટ્રીટ, કલકત્તા -૧. અમૃત – કણ : મૂળ હિંદી: આચાર્ય રજનીશજી, અનુવાદક: પ્રા. પ્રતાપ જ. ટોલિયા, પ્રકાશક જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ ર. કિંમત ૪૦ પૈસા. પૂર્વી: (કાવ્ય સંગ્રહ) રચયિતા: બહેન ગીતા પરીખ, પ્રકાશક : મેસર્સ વારા એન્ડ કંપની, ૪ રાઉન્ડ બિલ્ડીંગ, કાલબાદેવી રોડ, કિંમત રૂા. ૩-૫૦. મિટ્ટી કે દિન: લેખક: આચાર્ય રજનીશજી: પ્રકાશક: જીવન જાગૃતિ સંઘ, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨, કિંમત રૂા. ૩-૦૦. દાયકાનું યાદગાર વાચન: (૧૯૫૧ થી ૧૯૬૦ સુધીનું) સંપાદક: શ્રી મહેન્દ્ર મેઘાણી, લોકમિલાપ કાર્યાલય, પો.બા. ૨૩, ભાવનગર-૧, કિંમત રૂા. ૧૦. મારવાડી સમાજ: લેખક : શ્રી ભંવરમલ સિંધી; પ્રકાશક : પ્રબુદ્ધ પ્રકાશન, ૧૨૬, ચિત્તરંજન એવેન્યુ, કલકત્તા—૭ કિંમત રૂ. ૩ ૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૧-૧૦ બબુ જીવન ૧૪૭ છે > મહાપ્રસ્થાનના પથ પર–૧૬ " ધવલી ગંગાને તીરે તીરે બહુ જ સાંકડે ને વિપદજનક રસ્તો હતા. નદી પ્રચંડ અવાજ કરતી નીચે ધરતી હતી. પથ્થરની. છે. થોડેક સમતલ છે તે થોડુંક ચઢાણ છે. ઊભા ઊભા દિવાલની જોડે નદીની રમત જોતાં જોતાં આંખે ધરાય નહિ. કેટલીય વાર આગળ ઉપર ચઢતા હોઈએ એવું સીધું ચઢાણ નથી, પણ ધીરે ધીરે ઊંચાઈ જતાં જતાં હું થોભ્યો. ધરાઈ ધરાઈને એ દશ્ય જોઈ મારા ચિત્તમાં વધતી જાય છે. ક્યાંક રસ્તો પૂર ખંડિત થાય છે ને નદીમાં અદશ્ય એની છબી દઢ રીતે અંકિત કરી, ને પછી નિસાસો મૂકીને આગળ થઈ જાય છે. કયાંક પથ્થરો પડેલા છે, એને ઓળંગવા એક અત્યંત ચાલવા માંડયું. નદીની અવિકાન્ત ગતિને જોતાં માણસનું મન કેમ તે મુશ્કેલ કામ છે. કયાંક રસ્તો નથી, ઝરણાંનાં પાણી પરથી ચાલવાનું છે, ભારે થઈ જાય છે તેની મને ખબર નથી, પણ તુરંત જલસ્રોત જે નામાં કયાંક રેતીને ઢગલે પડયો હોય, કયાંક ખાડો હોય. બહુ જ સાવધાનીથી લેહીને ઉછાળે છે તેની મને ખબર છે. એક જગ્યાએ આવીને પગ મૂકી મૂકીને ચાલવું પડે. કાલથી આરસના પહાડ જોવામાં આવ્યા, મારે અટકવું પડયું. એવો સાંકડો અને સીધો રસ્તો, કે બેઠાં બેઠાં કોઈ કોઈ તે હંસની પાંખના જેવા સફેદ હતા. કોઈ હતા ગુલાબી | ઉતર્યા સિવાય બીજો આરો નહોતે, બેઠા બેઠા જ નીચેની તરફ લાઠીને રંગના, કોઈ ભૂરા રંગના હતા, તો કોઈ પીળી હળદરના રંગના. બન્ને ટેકવી નદીને કિનારે હું ઉતરી આવ્યો. આ કિનારેથી પેલે કિનારે બાજ આરસના પહાડ હતા. ને વચ્ચેથી ગંગાને કલકલ નાદ કરતો જવાનું છે. વરચે દોરડાંને પુલ છે. આ દેરડાંને પૂલ પૂર્ણા શે સ્વદેશી, પ્રવાહ વહેતે હતે. ધીમે ધીમે ચઢાણને રસ્તે અમે ઉપર જતા હતા. આજના રસ્તાથી છાતીમાં દુ:ખાવો થતો નહોતો, પણ થાક પુરાણો ને અકૃત્રિમ છે. આ તરફના પહાડની સાથે પેલી તરફના લાગતું હતું. પગ દુ:ખતા હતા. તાવ તે ચાલી ગયો હતો, પણ પહાડના પથ્થરોને બાંધેલાં બે વળવાળાં જાડાં દોરડાં છે. તેની ઉપર શરીર હજી સ્વસ્થ થયું નહોતું. થોડા ખોરાકથી અને ઉપવાસથી શરીર થઈને ડરતા ડરતા માનવીએ હાથથી સમતુલા જાળવતા જાળવતા. નેતરની સોટી જેવું દુબળું બની ગયું હતું. ઘાટચટ્ટી પાર કરીને બે પેલી પાર જાય છે. બીજો આર નહતા. આંખ મીંચીને થથરતાં માઈલ ચઢાણ કર્યા પછી ઘણી વખત થાકેલા શરીરે પાડું કેશ્વર ગામમાં આવી પહોંચ્યો. કાળજાં થી, બીકથી ને સાવધાનીથી પુલ પાર કર્યો. પુલ પાર કરીને જે રસ્તાન મેં સ્પર્શ કર્યો તે જોઈને મારી આંખ ઠરી ગઈ. એ સીધે ગામ ખરાબ નહોતું, નદીને કિનારે જ હતું. પથ્થરથી જડેલા થાંભલે જ જોઈ લ્યોને ઉપર ચઢવા માટે કોઈ સીડી નહતી. હે ભગવાન રસ્તાવાળું ગામ, એને રસ્તો ઊંચનીચે હતો. ડાળ-પાંદડાથી અને બદરીનાથ ! હજી કેટલાં વિદન નાંખવા છે, હજી કેટલા માર્ગમાં અંતઝાડની ડાંખળીઓથી બાંધેલી ઘણી ચટ્ટીઓ હતી. એક નાનીશી ધર્મ રામે ઊભા કરવા છે? પણ હજી ભગવાન તે આઠનવ માઈલ દૂર હતા. શાળા હતી. પાસે જ જોગબદરી મંદિર હતું. ત્યાં એક દવાખાનું એ ભગવાનના હાથમાં પણ રસ્તા સુગમ કરવાનું નહોતું. હવે શું હતું. ત્યાં મૂળિયાં અને દેશી દવાદારૂની વ્યવસ્થા હતી. સામેના પર્વતશિખર પર પાંડુરાજા રહેતા હતા. મંદિરમાં તામ્રલેખ હતો. ત્યાંના થશે? પથ્થર અને માટીની દિવાલને જોરથી. વળગીને, નાકલીટી તાણતાં સ્થાનિક લોકોએ સમજાવવા માંડયું કે આ જ રસ્તેથી એક દિવસ તાણતાં, આડા પડી, સીધા થઈને, બદરીનાથના પૂર્વજોની ચૌદ પેઢીપાંચ પાંડવો અને દ્રૌપદીએ સ્વર્ગારોહણ કર્યું હતું, અને આપણને એનું શ્રાદ્ધ કરતાં કરતાં, લાઠીને દાંત કચકચાવીને જમીનમાં બેસી બેસીને આખરે ગમે એમ કરીને ઉપર પહોંચ્યો તે ખરે. ધન્યતીર્થ! એમની વાત પ્રમાણભૂત લાગે એવી કેટલીક નીશાની. પણ એમણે બતાવી. અમે સ્વર્ગદ્વાર સુધી જઈ શકીશું કે નહિ એવા અનેક હવે આ જ ભગવાનને મંદિરે જવાને રાજમાર્ગ જાન્ય: પંથr ! આટલું પ્રશ્ન અમે એમને પૂછયા. આ ઠંડીને પ્રદેશ છે તેથી અહીંના દર્ય ધારણ કરીને અને આટલું કષ્ટ વેઠીને જાઉં છું અને જઈને જોવા રહેવાસી સુંદર અને દેખાવડા છે. આજના રસ્તાની આસપાસ ઘણા મળશે–એક પત્થરને મોટે ટુકડે, અથવા તે કોણ જાણે કેવી. ભુજપત્રનાં ઝાડ હતાં, વચ્ચે વચ્ચે કોઈ કોઈ ચટ્ટીની જમીન પર દેવને નામે રચેલી કિંભૂત કિમાકાર એક ગેલમાલ. તીર્થકામીએની પણ ભુજપત્ર પાથર્યા હતાં. કોઈ કોઈ ઠેકાણે રાતાં જબાફ_લના શ્રાપમુકત કાતરતાથી બદરીનાથ હંમેશા ગૌરવાન્વિત બને છે. રંગના પહાડ હતા. કોઈ પહાડ ઉજળા કાળા રંગનાં હતાં, કોઈ ભૂરા રોગ-જરાહીન, આનંદજજવલ, સ્વસ્થ દેહવાળા અને તાકાતવાળા વાદળાં જેવાં હતાં, તે કોઈ પહાડ દૂધ જેવા સફેદ હતા. યાત્રી ઉપર બદરીનાથની દષ્ટિ કરતી નથી. મુમૂર્ખ, અકાળે ઘરડા વિસ્મયથી અવાક બનીને હું એ પહાડોને જેતે જોત ચાલ્યો જતે બની ગયેલા, દુ:ખથી હેરાન થયેલા, ચાલવાની શકિત વિનાના એવા હતા. જમી કરીને પાછું મેં ચાલવાનું શરૂ કર્યું. વરસવાને માટે વગર એને ચાલતું નથી. એ લોકોને લીધે જ તો એનું આટતત્પર એવાં વાંદળાઓ વચ્ચે વચ્ચે સૂર્યને ઢાંકી દેતાં હતાં, ને આગળ આટલું ગૌરવ છે, ને આટલો મહિમા છે, જે લોકો વિના એને ચાલે વધતાં હતાં. નદીને તીરે તીરે હું ચાલતો હતો. ગંગાની ધારા હવે નહિ. જે માર્ગે એના ભકતે આવે છે, ત્યાં એણે દુકાળ, રોગચાળે, ભૂરી નહોતી, પણ કોમળ માટીના રંગની હતી. નદી હજી સુધી સંકટ, અકાળમૃત્યુ ને મટે નહિ એ વ્યાધિ બિછાવી અમારી દક્ષિણે હતી. રસ્તામાં એકની એક નદીને બહુ વાર અમારે રાખ્યાં છે. આર્તને આર્તનાદ જ એની પૂજાનો મંત્ર છે. ઓળંગવી પડતી. જ્યાં સુધી નજર જાય, ફકત ગૂજ-કટિલ અનેક મનુષ્યનું બહારનું પાપ અને મલીનતાદ્રારા જ એના આનંદના પથ્થરમાંથી વહેતી ગંગા ગર્જન કરતી કરતી વેગપૂર્વક વહેતી હતી. આયોજન થાય છે. દુ:ખ, દુર્યોગ, અને પીડાંની વચમાં જઈને જે રસ્તો ઊતર્યો ત્યાં પત્થરને સમૂહ હતે. એને પાર કરીને નદીના યાત્રી પોતાના ભકિતભાવની કસોટી કરે છે. તેથી એમ લાગે છે કે પાણીને સ્પર્શ કરવાનું અસાધ્ય હતું. એ સંભવિત જ નહોતું. પાછા તેમની શારીરિક અસ્વચ્છતાથી બદરીનાથને માર્ગ ને મંદિર અપવિત્ર નદી કિનારાને સમતલ ભાગ છોડીને રસ્તા ઉપરની બાજુ ચઢતો હતો. થતાં નથી. ધીરેધીરે ચઢાય એવો રસ્તો હતો. ઘૂંટણમાં દર્દ થતું હતું. કયારેક હનુમાન ચટ્ટીએ પહોંચી તે દિવસની યાત્રા તો પૂરી કરી. કયારેક બદરીનાથથી પાછાં ફરતાં બે ચાર જણ પ્રસન્નમુખ યાત્રીઓ સૂસવાટા મારતા બરફ જેવા ઠંડા પવનથી મારું શરીર થરથર કાંપનું મળતાં હતાં. બધાનાં મોઢાં પર આનંદ હતો, ખુશાલી હતી. એમાં હતું. પાછા બરફમાં આવી લાગ્યું હતું. આકાશ વાદળાંથી છવાયલું. બદરીનાથનું કીર્તન કરતા હતા. કંગાળની જેમ મોટું ઊંચું કરીને હતું. ટપટપ કરતે વરસાદ વરસતો હતોચારે દિશામાં ઘોર અંધારું એમને હું જોત ને આગળ વધતે. છવાઈ ગયું હતું. કાલે સવારે હું બદરીનાથ પહોંચી જઈશ. મારી ' લામબગડ ચટ્ટીને મેં વટાવી. રસ્તે ધીરે ધીરે ઉપર ચઢતે હતા. યાત્રા પૂરી થશે. પાસે જ હનુમાનજીનું પ્રાચીન મંદિર હતું. પણ અંદર નદી પણ ઉપર હતી. એનો પ્રવાહ ગર્જના કરતે આગળ વધતો જઈને દર્શન કરવાની શકિત રહી નહોતી. ડાબે હાથે પાકી બાંધેલી Page #234 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રબુદ્ધ જીવન * તા. ૧૯-૧૧-૧૧ ધર્મશાળા હતી, તેમાં બીજે માળે પહોંચી ગયો. અંદર ને બહાર બનાવીને પગને તળિયે બાંધતા હતાં, ને પછી ખોડા ખડા ચાલતા ઘણા યાત્રીઓની ભીડ જામી હતી. હતા. હું થોડે દૂર જતે, થોડીવાર બેસતો ને પાછળ રસ્તો વારે“ઓ મા! મીઠાકુર! આવી પહોંચ્યા?” વારે જોયા કરતો. પણ કશાને પણ વિચાર કરવા માંડું કે માથું દુ:ખવા ફરીને જોઉં છું તે ચારૂની મા. મેં પૂછ્યું, “કેમ છો?” બધા માંડે. મગજની બિમારી આવે નહિ એટલે લાગલ જ ઊઠીને પાછા સાજાસારાં તો છો ને? ગોપાલદા ક્યાં છે?” અંદરથી આનંદભર્યો ઉત્તર આવ્યો” “આવો દાદા! તમાકુ આગળ આગળ ચાલવા માંડતે. ડોક સીધી થતી નહોતી, માથું ઊંચું તૈયાર કરું છું. આ રીતે તમારો જ વિચાર કરતાં કરતાં ....સારે થઈ શકતું નહોતું, ને મારા પિતાના પગ તરફ જતો ને પાછા નશીબે અમે આગળ વધ્યા નથી.” ચાલવા માંડતો. બીજા બધાએ કહ્યું, “તમે બાબા સંન્યાસી નથી. જે સન્યાસી “મેરે લાલ!” હોત તે અમને બધાને તમારું આકર્ષણ આટલું બધું ન હોત.” ઉદાસીન દષ્ટિથી મોઢું ફેરવતે, કેટલીયે વાર આવે જ અણઘડ તથાસ્તુ” બોલીને ગોપાલદાની પાસે જઈને કામળ બિછાવ્યો. યાત્રીઓને અવાજ હું સાંભળતા ને કશેય જવાબ આપ્યા વિના કાતીલ ઠંડીથી હાથપગ ઠરી જતા હતા. ચારેબાજુએ ઠંડીથી શરીરને પાછું મેઢું ફેરવીને ચાલવા માંડતે. ભાંગી નાંખે એવી સંધ્યા આવી પહોંચી હતી. “ઔર કિતના રાતા હૈ મેરે લાલ?” એક સ્ત્રી હાંફતી હાંફતી રડવા લાગી. એના મોઢામાંથી ફીણ નીકળતાં હતાં, ને એમાં કયાંક કયાંક લોહી પણ હતું. જે મારા હાથમાં પિસ્તોલ હોત તો એનું દુ:ખ યાત્રા કરે, યાત્રા કરો યાત્રીદલ, એક ક્ષણમાં મટાડી દેત. ' . આવ્યો છે. હુકમ, “થોડા હી હૈ માઈ” એમ કહીને હું આગળ ચાલ્યો. રસ્તો વિશ્રામને સમય હવે થયો છે ખતમ. કેટલા માઈલ હજી લાંબે હતા, તે ચક્કસ આંકડો મેં એને કહ્યો વહેલી પરોઢના અંધારામાં પૂજતા ધ્ર જતા અમે બધાએ નહિ. જો કહેત તો એ સાંભળીને એનું હૃદય ત્યાં જ બંધ પડી જાત. રસ્તો કેટલો દૂર છે તેને જરા સરખે પણ ઈશારે જે થાકેલા યાત્રીરસ્તો લીધે. ચારે દિશાઓ વાદળથી છવાયેલી હતી. વરસાદનાં ઝાપટાં ને કરીએ તે એમને ઉત્સાહને શકિત બન્ને ખલાસ થઈ જાય. ચાબુકની જેમ શરીર પર વાગતા હતા. ડાબી બાજુએ નદીના ઢળા અમે થોડા જણ એકબીજાની પાછળ પાછળ ચાલતા હતા. આજે વની ફરતે અર્ધચંદ્રાકાર રસ્તા ઉત્તર દિશા તરફ જતા હતા. બરફ રસ્તો બહુ મુશ્કેલ હતું. કયાંક કયાંક રેતાળ કિનારો હતો. રસ્તો નદી માંથી આવતા ઠંડા પવનથી શરીરનું લોહી પણ જાણે જામીને બરફ તરફ ધસીને જતો હતો. નીચે ખૂબ ઊંડાણમાં નદી હતી. બીકથી થઈ જતું હતું. દાંત ઠંડીથી ઉડતા હતા. પાછી કેદારનાથને રસ્તે મારા પગ ધ્ર જતા હતા. કયાંક કયાંક જ કિનારો હતો અને તે પણ થોડા ઈંચ પહોળે. સીધે થઈને, પહાડની જોડે પીઠ ઘસતા ઘસતે જતાં જે કુદરતી આફત નડેલી તેવી જ આફત આજે નડશે એમ હું જતો હતો. બીકને લીધે આંખો બંધ કરી હતી. પાછળથી કોઈ લાગતું હતું. વનબાલિકાની જેમ, લતા અને પુષ્પના અલંકારથી બીકના માર્યા ચીસો પાડતા હતા. એક જ વાર જરાક જ જો પગ શોભાયમાન ઝરણાં યાત્રીઓને સાદર અભિનંદન જણાવવા રસ્તા ફસકયો. તો પછી સ્થિરતા જળવાય નહિ ને બરફથી છવાયેલી નદીની પરથી વહેતાં હતાં. કયાંય હવે જંગલના દર્શન થતાં નહોતાં. આ અંદર રામબોલો ભાઈ રામ. તરફ જંગલને આશરો આપનારૂં કાંઈ હતું નહિ. એ તો રહ્યો બરફને થોડી ક્ષણ હાથપગ બંનેને ઉપયોગ કરતાં કરતાં એક સારી પ્રદેશ. ક્યાંક કયાંક દરિદ્રી જેવા થડાં ઝાડપાન સ્વદેશી નેતાની જગ્યાએ આવી પહોંચ્યો. પાસે જ એક સામાન્ય પહાડી લોકોની વસતી હતી. છોકરીઓ પીઠ પર લાકડાંને ભારો લઈને બદરીનાથ જેમ એકઠા થઈને બરફના અત્યાચારની વિરૂદ્ધ ભીરતાથી ફરિયાદ તરફ જતી હતી. કેદારનાથની જેમ બદરીનાથમાં પણ બાળવાનાં કરતા હોય એવાં દેખાતાં હતાં. એમની ઉપર જ આફતની ઝડીઓ લાકડાં મળતાં નથી. દક્ષિણ તરફના વનમાંથી લાકડાં ભેગાં કરીને વર્ષની હતી. નદીનો પ્રવાહ કયાંક લુપ્ત થઈ જતો, ને ઉપર બરફની સ્ત્રી-પુરુષની પીઠ પર લાદી ત્યાં લઈ જવામાં આવે છે. એક આનામાં શય્યા જાણે બિછાવેલી પડી હતી. બન્ને તરફના કાળા પહાડોમાંથી મોટી એક લાકડાંની ભારી વેચે. એ લોકોની ગતિ અને હાલચાલ સફેદ બરફની ધારા ઝરતી હતી, જાણે ઘનશ્યામ વનમાળીના ગળામાં જોઈને મને થયું કે હવે રસ્તો પૂરો થવા આવ્યો છે. ઝૂલતી મલ્લિકાની માળા. કહેવત છે કે ભૂત જાય, પણ જતાં જતાં છેવટે પોતાને પર પ્રભાત થયું, પણ સૂર્યનું તેજ નહોતું. એ સવાર હતી કે સાંજ તે બતાવતો જ જાય. પાછી પ્રાણઘાતક ચઢાઈ શરૂ થઈ. ચાલતાં ચાલતાં તે સમજાય. એમ નહોતું. જાણે સૃષ્ટિના આદિયુગમાં હું આવી વરચે ઊભે રહેતે, છાતીમાંથી જાણે કોઈ અવાજ આવતો હતો. કાનમાં જળ તરંગના અવાજ જેવો એક પ્રકારનો અવાજ સંભળાતે હતે. પડે હોઉં, કે જયારે સૂર્ય-ચંદ્ર, ગ્રહનક્ષત્ર કાંઈ હતું નહિ, એમ જ પછી ? અકુદરતી ઉજાસ નહિ, એવા પ્રકાશમાં બેસીને વિધાતા પોતાનું કામ પછી મેં સ્વપ્ન જોયું. અર્ધનિદ્રાના આવેગમાં એક રૂપસૃષ્ટિનું કરી ગયા હશે. આ પ્રકાશ જાણે જીવનના અંતિમ પ્રહરની જેમ નિર્માણ થયું. માયામય વિચિત્ર અમરાપુરી એ હતી. સામે જ ને દૂર શંભી ગયો હતો, મેળો હતો, અંતિમ દિવસની જેમ ઝાંખો અને દૂર સુધી એક વિપુલ વિસ્તૃત બરફમય પ્રદેશ હતો. એના એકાંતમાં આનંદ વિનાને હતો. આજે મારી છેવટની યાત્રા હતી, છેવટને ધુમ્મસથી ઢંકાયેલું એક કોઈ ગામડાનું અસ્પષ્ટ ચિત્ર હતું, ખેલ હતા, ને રસ્તાને હિસાબ પૂરો થવાનો હતે. જે મોટો સમૂહ વચમાં જ મંદિરનું સુવર્ણશિખર હતું ને પગ આગળ ગંગા હતી. લઈને એક દિવસ નીકળ્યો હતો, તે વાતનો વિચાર કરું છું, એમાંનાં જરૂર હું બચી ગયો છું. હજી હૃદયમાં જીવનનું ચિન્હ છે, હજી કેટલાયે નથી, કેટલાયે શંભી ગયા છે. એક જણ નાના સરખા ઘોડા નમાં લોહી વહે છે, હજી મારી આંખ હંમેશને માટે બંધ થઈ નથી. આ લકવાની જેની પર અસર થઈ છે એ હાથ, આ પીડાથી પર બેસીને જતો હતો. ત્યાં ઘોડાનો પગ લપસ્યો ને એ એક જર્જરિત થઈ ગયેલા પગ આ શુષ્ક નિરસ દેહ, આ ભગ્ન અને માઈલ નીચે નદીના પ્રવાહમાં પડીને હંમેશને માટે અદૃશ્ય થ. શોકભર્યું હૃદય—એ સહુ મારાં જ છે, હું જ છું. જેઓ આજે પણ મારી જોડે હતા, એમની તરફ જોઈએ તે રડવું દુર્જયની જયમાળા આવે. કેટલાકને પિત્તને વ્યાધિ થયું હતું, કોઈને તાવ આવ્યો હતો, ભરી દે મારી ફલની ડાલી. કોઈના કાન ખોટા પડી ગયા હતા, કોઈની આંખે ખરાબ થઈ ગઈ જય બદરી વિશાલકી જય ! હતી, કોઈ હવે વાત કરતું નહોતું, કોઈના મગજમાં વિકૃતિનાં લક્ષણો અનુવાદક: મૂળ બંગાલી : નજરે પડતાં હતાં, કોઈ પહેરવાનું કપડું ફાડી ફાડીને એને પાટો ડં. ચંદ્રકાન્ત મહેતા શ્રી. પ્રબોધકુમાર સન્યાલ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઈ–૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ Page #235 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ प्रजुद्ध भवन શ્રી મુ"બઇ જૈન ચુવક સ`ઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નક્લ ૪૦ પૈસા પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણુ વર્ષ ૨૮ : અંકું ૧૫ મુંબઈ, ડિસેમ્બર ૧, ૧૯૯૬, ગુરૂવાર આફ્રિકા માટે શિલિર્જીંગ ૯ તત્રી; પરમાનંદ કુંવરજી કાપડિયા અનેક માળ કાને જેણે અપનાવ્યા છે એવી એક સન્નારીના સ્વકથિત કહાણી (થાડા સમય પહેલાં આચાર્ય રજનીશજી ભીલાઈ ગયેલા અને મુનિશ્રી સંતબાલજીને મળેલા. તેમની સાથે નજીકના પ્રદેશમાં વસતી ત્રણ બહેને પણ મુનિશ્રીના દર્શનાર્થે ગયેલી. તેમાંના એક બહેન શ્રી મદનબહેન એક બાળસંસ્થા ચલાવે છે. એ બાળસંસ્થાની પ્રવૃત્તિ તરફ એ બહેન કેવા સંજોગોમાં અને કઈ રીતે આકર્ષાયાં તેની રોચક તેમજ શેમાંચક કહાણી તેમણે મુનિશ્રી સંતબાલજીને સંભળાવેલી. તે કહાણીને મુનિશ્રીએ તા. ૧-૧૧-૧૯૬૬ના’ ‘વિશ્વવાત્સલ્ય’માં પ્રગટ કરી છે, જે નીચે આપવામાં આવે છે. તંત્રી) “પૂજ્ય મહારાજશ્રી! પિયરપક્ષે હું સ્થાનકવાસી જૈન છું. કારણ કે મારી ‘મા’ એ જૈન ફિકાની છે. પિતા દેરાવાસી અને અહીં પતિ પણ દેરાવાસી છે અને મને પૂર્વજન્મના જે દીકરાને છ એક વર્ષ પહેલાં સુયોગ મળ્યો; તે દિગંબર જૈન છે. પણ આ સહજ ત્રિવેણીયોગે અમારા સૌમાંથી કટ્ટરતા સાવ કાઢી નાખી છે. એક સ્વપ્ન મને આવેલું અને એ સુયોગ મળતાં પહેલાં ત્રણેક માસ અગાઉ એક ‘બાલકદાસ’ નામના ભગવાધારી સાધુએ કહેલું: “...માતાજી ! તું જિસે ઢૂંઢ રહી હૈ, વહ તેરા લટકા તીન માસમે” મિલેગા...” મેં તે તે વાત પર કશું ધ્યાન નહોતું આપ્યું પણ ખરે જ તે અક્ષરશ: સાચું પડયું. એ પુત્રમિલન બાદ મને જીવનમાં સમાધાન સાંપડયું છે. બચપણથી જ સંસારમાં ચિત્ત લાગતું નહીં. હરિદ્વાર અને ઋષિકેશમાં પણ ભમી આવી. જૈનધર્મ અને દર્શનાને ભણી લીધાં. સાધ્વી—દીક્ષામાં ય મન ન માન્યું. શુષ્ક કર્મકાંડોમાં તે કદી રુચિ જ ન પ્રગટી. આખર સમજાયું : “...તું જ્યાં સ્વાભાવિક છે, ત્યાંથી સહજપણે જ આંતરિક વિરકિતથી આગળ વધ...” આ પ્રસ્તાવના સાથે તે વીર નારીએ પોતાના ટચૂકડો અનુભવપ્રયોગ આસ્તે આસ્તે કહેવા માંડયા : “આજથી અઢાર ઓગણીસ વર્ષ પહેલાંની વાત છે. મારા પતિને કોઈએ કહ્યું :- “...સાત માસે પેટ ચીરીને બે બાળકીઓને જીવતી કાઢી લીધી. પણ ‘મા’ બચી નહીં; મરી ગઈ: હવે આ તાજી જન્મેલી તેની છેકરીઓનું શું કરવું ?...” પતિશ્રીએ મને આ વાત કરી. મે” કહ્યું : “આપની ઈચ્છા હોય તો હું જરૂર એ બન્નેયને ઉછેરીશ. પણ ઘરમાં સૌનું મન જોઈને એ પગલું ભરાય.” મારા સસરાજી તો આ સાંભળીને ખૂબ ખુશી થયા. એટલે હું તે છેકરીઓને લેવા તેના બાપ પાસે ગઈ. તે વખતે હું ઘુંઘટ રાખતી હતી, જો કે પાછળથી સસરાની સમતિથી જાહેર રીતે એ કાઢી નાખ્યો છે, જેને બારેક વર્ષ વીતી ગયાં છે, પણ ત્યારે જેવી હું એ રાજસ્થાની ખાનદાન કુટુંબમાં ગઈ તો તરત એ બાળકીઓના પિતા મારા ચરણમાં ઝૂકી પડયા. હું શરમાઈ ગઈ. તેમણે કહ્યું :- “ન છૂટકે ઈસાઈને ત્યાં જતી બાળકીને સ્વધર્મદાન અને જીવનદાન બન્નેય આપનારને હું નમું છું. હું કોઈ વ્યકિતને કેવલ વ્યકિતત્વ ખાતર નમતો નથી. મારી સત્તરેક વર્ષની પરિણીત બાળાને તો અત્યારથી તેના સાસરિયાનું કહેણ આવ્યું છે કે “જો તારી તાજી જન્મેલી બહેનડીઓને લઈને આવવાની હોય તે હવે અહીં આવતી જ નહીં.” આવી ચોમેરની દુર્દશા વચ્ચે મૂંઝાયેલા માનવીને મદદ કરનાર એ મહાદેવી ! આપને પ્રણિપાત ન કરું, તે શું કરું ??' દુર્ભાગ્યે એક બાળા તે મારા ગયાં પહેલાં જ મરી ગઈ હતી. એટલે બીજીને હું ઘેર લઈ આવી. મારી સૌથી પહેલા ખેાળાની દીકરી તાજી જન્મેલી એટલે દૂધ મારી પાસે હતું. મેં મારા જીવ સાટે એ પરાઈ બાળાને પોતીકી બનાવીને રાખી, પણ સાચવી શકાઈ નહીં. પાંચેક માસે તે ચાલી નીકળી એટલે કે મરી ગઈ. “એક દિવસ મારા સસરા પાસે એક મજૂર આવ્યો. અને પોતાના દીકરો એમના ચરણે મૂકી કહે :- “મેં એક મહિઆરણ પાસેથી સાંભળ્યું છે :- ‘આપ આવાં નમાયાં બચ્ચાને રાખો છે.’તેથી હું કસબામાં દિવસો લગી ફરી ફરીને થાકયા પછી આપને શરણે આવ્યા છું. કૂતરાં બિલાડાંને રાખા છે, તો આનેય રાખો.' મારા સસરાએ તે શ્રામજીવી ભાઈને કહ્યું :- ‘ગભરામા ભાઈ ! કૂતરાં, બિલાડાંને કૂતરાં બિલાડાની જેમ ઉછેરાય, પણ, આ તે માનવબાળ છે. એને એવા જ ગૌરવ સાથે ઉછેરાશે.' એ તે હા...શ કહી ચાલને: યા. સસરાજીએ મને કહ્યું: “વહૂ બેટા! પરાણે નથી કહેતા. ઉલટ થાય તો આનેય ઉછેરશે.’હોંસમાં મેં લઈ લીધું. પણ આ બાળકે મારી પૂરી પરીક્ષા લેવા માંડી. એક રાતે ! નિદ્રા જ ન આવી. વિચારીએ જોર કર્યું: “અરેરે આત્મા! આ તેં શું માંડયું છે! તારા મનને આ કાળાં, આ ગેારાં એવી જુદાઈ શા માટે થાય છે ! ” વળી થયું :- “દુનિયામાં કેટલાંય નમાયાં જન્મે છે ને મરે છે. તેમાં તારે આટલી બધી શી પંચાત ? દઈ દે એના બાપને પાછું અથવા માકલ ઈસાઈ સંસ્થામાં.” મેં મારા પતિને ગાડી આ મારી અંતર્વ્યથા ખાલી કરી. તેમણે કહ્યું :- “તું થોડા દહાડા જવા દે. તારા જ હૈયામાંથી વાત્સલ્ય છૂટશે. શરૂઆતમાં નવું નવું છે ત્યાં લગી આ કાળું ! કદરૂપું ! મજુર સંતાન ! એમ લાગ્યા કરશે.” એમણે મારી ધૃતિને જગાડી દીધી. આજે તે એ જ બાળક ચૌદ પંદરેક વર્ષના મારા સગે દીકરા હોય તેવા બની ગયો છે. મારી સંસ્થાના એ પણ એક ભાગ બની ગયો છે. એ તે છે મારા મોંધેરી, યોગેશ’ એનું નામ પાડયું છે. * “મારા સસરાના સ્વર્ગવાસ પછી મારા પતિને થયું :- ‘મારે દાડોદપાડો કાંઈ કરવા નથી. એક આવાં જ બાળકોની સંસ્થા ખોલવી છે. જો તારો સહયોગ મળે તો.’ મને તો ભાવતું જ વૈદ્ય બતાવ્યા જેવું હતું. ત્યારથી અમારું ઘર બાલસંગે પન—સંસ્થા બની ગયું. મુસ્લિમ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૨-૧૬. બચ્યું પણ વીસ દિવસની બાળકી રૂપે આવ્યું. અરે ખ્રિસ્તી બાળકો વ્યકિતઓ શ્રી ઉમાશંકર જોષીએ તથા શ્રી વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીએ પણ આવ્યાં. મારા મનમાં પ્રથમ પ્રથમ હતું :- “આ બધાંને જૈન પણ પ્રસ્તુત કાવ્યસંગ્રહને પોતાની રીતે આવકાર્યો છે. આ કાવ્યબનાવું.” પણ એક મારા સ્થાનકવાસી ગુરુએ મને કહ્યું : “જૈન સંગ્રહની વિશેષતા આકરવામાં ઉપયોગી થશે એમ સમજીને આ બે મનિપીએનાં અભિપ્રાયસૂચક કથન નીચે ઉદધૃત કરવામાં આવે છે. ત્વરૂપી સંસ્કારથી સંતેષ માન. જો એક ફિરકાવાસી બનાવીશ, તે તંત્રી બીજા ફિરકાવાસી સહાય નહીં કરે.” આ વાત મને તરત ગળે ઊતરી આતમ-શરણાઈ ગઈ. અને મુસલમાન બાળકને કુરાન, ખ્રિસતી બાળકને બાઈબલ, ગુજરાતીને લાભ મળે ત્યારે મીરાંબાઈ જેવાને મળે, પણ વૈદિક બાળકને રામાયણ-ગીતા, બૌદ્ધ બાળકને ધમ્મપદ અને જૈન સામાન્ય રીતે આપણે ત્યાં કવયિત્રીઓના કંઠ ઓછા જ સાંભળવા બાળકને જૈન ગ્રંથ આપી મુખ્યપણે માનવતામય સંસ્કાર પાઉં છું. મળે છે ! ઉતારચઢાવ ઘણા આવ્યા. હજારે રૂપિયા ઘરનાં ખરચ્યા. હવે તે સંસ્થા : ' બેન ગીતાનું સ્થાન, મારે મન, સમ ખાવા જેવી એકની એક પણ સરકારમાન્ય થઈ ગઈ છે. બાળકે પણ નાનાં બાળકોને કવયિત્રી લેખે જ નથી, પણ પોતાને મળેલી શકિતની માવજત કરીને એનાં યથાશકય સુપરિણામે નિપજાવવા મથતી એક સદા ઉદયસંભાળતાં થયાં છે. મારાં માતાજી પણ ત્યાં જ રહે છે. મકાન ભુખે એવી ક્લા - વ્યાસંગિની તરીકે છે. એક નારીને અવાજ કે પણ અલગ બનાવ્યું છે. કેટલાક સરકારી કર્મચારીઓના કડવા અનુ જુદો જ તરી આવતું હોય છે! વાત્સલ્યનાં કાવ્યો લખાતાં હોય છે, ભવો થયા, તેમ અતિ મધુર પણ થયા છે. તેવા કેટલાકએ વિશિષ્ટ પણ ગીતાનું માતૃહૃદય કેવી સહજતાથી એ ભાવ આલાપે છે: રીતે અપવાદ કરીને મદદ અપાવી છે. બાળકો જ ભારતના ભાવિ આ મુઠ્ઠી જે હજીય પૂરી ખૂલી શકે ના, નાગરિકે છે. તેમને “એરકન્ડીશન’ રૂમમાં રાખવાં પડે અને પૂરતો તે માંહ્ય મારૂ ઉર શી રીત પવી દે? નિરવઘ છતાં પોષક ખોરાક ભરપુર આપવો પડે. એટલે સરકારી આવ- નવા જન્મેલા બાળકનું હૃદયભેર સ્વાગત કરનારી એની મોટી કમાં પૂરું ન થાય, ત્યાં ઘરનું કે સ્વૈચ્છિક મળેલા ફંડનું જોડીએ છીએ. બહેન એક નીકળી–એ વાત જનેતાની આંખ ભારે નાજુકતાથી પકડી આજે તો સિત્તેર ઉપરાંત બાળકો છે. સારી રીતે પલવાય તેટલાં જ પાડે છે : રાખીએ છીએ.” ના કિનું સ્ટેજ નવજાતથી દૂર જાયે આ તે થઈ એકમાંથી અનેક બાળકોની માતા બનવાની વાત. આશ્ચર્યમુગ્ધ નીરખંત અદમ્ય હર્ષે અને છતાં ય એ સંસ્થા છેડીને અહીં (ભિલાઈ) થોડા દિવસ માટે પલકારતી મૃદુલ હેનની નાની કીકી આવી શકે છે. સંસ્થાને અનુરાગ અવશ્ય છે, રાગ નથી. સાંપ્રદાયિક ઝુલાવતી પ્રતિછવી મહીં ભાઈ ના. મમતા છૂટી છે. માતૃમમતા છૂટી નથી. મેટા મેટા અમલદારે દામ્પત્યનાં–ખાસ કરીને વાત્સલ્યનાં – કાવ્યમાં ગીતાને પિતાને અવાજ સ્પષ્ટ સંભળાય છે. ગીતામાં ઊંડી અભીપ્સા છે. ‘તપોભૂમિ, સંસ્થાની હાજરી લેવા આવે ત્યારે પણ તેણી તે આ પતીકાં આ મત્યાગની’-એ શબ્દોમાં સંસારને એ ઓળખાવે છે. ગીતાના કરેલાં બાળકોમાં જ મગ્ન હોય છે એવી છાપ એણે ઊભી વિષયે પરિમિત છે. અને કોઈક વાર એ રચના – ચતુરાઈથી સંતુષ્ટ કરી છે. પોતાના ઘરને તેણીએ સંસ્થારૂપ બનાવ્યું છે કે સંસ્થાને જ થઈ જાય છે. પણ જીવનવાત્સલ્યનું એનું ભાન કયારેક ‘રે હીબકાં પિતાનું ઘર બનાવ્યું છે, તે ઘણાઓને સમજાતું નથી. રાજકીય લે અહીંની દીવાલે’ જેવા વેધક પ્રૌઢિભર્યા ઉદ્ગારમાં પ્રગટ આકાંક્ષાવાળાઓની ઈર્ષ્યાનું ભાન તેણીને બનવું પડયું છે, પણ થઈ જાય છે. તેણીને પૂછાય છે તે કહે છે: “મને કોઈ પક્ષની શિરતમાં ફાવે તેવું | ‘ધટના કોલાહલમાં સુણવી શે આતમશરણાઈ?—એ મૂંઝવણ ગાતી નથી. મને મારી સંસ્થાના કામમાં જ રહેવા દો. તેણીએ ઘણું વેઠયું બેન ગીતાને અવાજ ગુજરાતી કાવ્યરસિકોને સાંભળવો ગમશે જ. છે. ઝાડો પિશાબ આ બાળકોનાં કોણ ઉઠાવે? પણ તેણી નોકરાણીને તા. ૨૨-૭-૧૯૬૬. કહેતી :- “તમે બીજાં કામ કર હું મેલું ઉઠાવીશ.’ આખરે નેકરાણીમાં ઉમાશંકર જોશી પણ માનવતા હોય છે ને ! “જો આ શ્રીમંત અને ઉચ્ચ ગણાતા - તાજા કુસુમ જેવાં કાવ્ય વણિક કુટુંબની બાઈ મેલું ઉઠાવે, તે આપણને શે બાધ ?” | (શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને બહેન ગીતા ઉપરનો પત્ર) હજામે હજામત ન કરતા, તો તેય પોતે કરીને ચલાવ્યું. જો કે હવે તો સૂરત, તા. ૧-૧૧-૬૬ બધું ઠીક થઈ ગયું છે. પોતે નૃત્યકળા જાણે છે. નાટય લખી બાળ- શ્રીમતી સુજ્ઞ બહેન ગીતાબહેન, કોને ભજવાવી જાણે છે. ઘોડેસ્વારી પણ કરી જાણે છે અને મોટર તમારો કાવ્યસંગ્રહ “પૂર્વી” મને મળી ગયો તેથી આનંદ પણ ચલાવી જાણે છે. સાધુ પ્રેમ અપરંપાર છે. પણ જ્યાં નારી- થયો. હું આભારી છું. કેટલાંક કાવ્યો તે પહેલાં મેં કૌતુકથી વાંચ્યાં ગૌરવ હણાય ત્યાં ડોકાવાનું પણ મન થતું નથી. ધારે તે એક ગૃહસ્થ છે. તમને મારા અભિનંદન. કાવ્યપ્રવૃત્તિમાં તમને આટલે રસ છે. નારી પણ આટલું કરી શકે છે, તેને નમૂને એક નાની સરખી સ્વાભાવિક એ જ એક ખુશીને વિષય છે; તેમાંય તમને કાવ્યતત્ત્વની સૂઝ છે બાળસંસ્થા બનાવીને તેણીએ પૂરું પાડે છે. પણ એ તો કહે છે :- અને આગવું હી શકાય એવું આપી શક્યાં છે. તમે નાની ઉંમરમાં “મારાં ભાઈ, ભાભી, માતા, પતિ, સસરા, સેવકો, સરકારી શાણા પણ વૃદ્ધની લાગણી ચક્કસ પારખી છે. મારી બાજુમાં મારી પુત્રીની કર્મચારીઓ વ. અને મદદ કરી છે. એક માનવી કાંઈ જ કરી શકતો. બાળકી છે આઠ મહિનાની, અને મને ૬૭ થયાં. અમારી વાત તમે નથી.” સાથો સાથ તેણી કહે છે :- “મારે ત્યાં અનેક બાળકો આવે છે, જાણે કરી છે ! પણ મારી મર્યાદા હોઈ ના પાડવી પડે છે. એક વાંદરો પણ પોતાના જે કૌતુકે શિશુદગે નીરખું” નું વિશ્વ સંતાનને છોડતું નથી તે માનવ શા માટે મીશનરીઓ પાસે મોકલી એ કૌતુકે અવ અલૌકિક શોધતી દગ.” દે છે? કારણોમાં સૌએ ઊંડા ઊતરવું જોઈએ અને જેનાથી જે બને તમારાં તાજાં સુમન જેવાં કુટુંબભાવનાં કાવ્યો ચિ. સી. વસતે કરી છૂટવું જોઈએ.” “સંતબાલ’ ન્તિકાને વંચાવ્યાં. તેણે પણ ‘ક માર’માં થોડાંક વાંચ્યાં જ હતાં. સંસા રને સંયમી મધુર-રસ અને વિશ્વમાં વ્યકિતત્વને ભૂલવાની - ભાળવાની પવી? વૃત્તિ તમારી કવિતાનાં આકર્ષક પાસાં છે. તમારાં ગીતમાં પણ કાવ્ય‘પૂર્વી' એ નામને બહેન ગીતા પરીખને કાવ્યસંગ્રહ મેસર્સ ત્વ ને માધુર્ય સંયુક્ત છે. આટયું કહું: માત્ર મતિ (abstract thવંરા ઍન્ડ કંપની (ઠેરાઉન્ડ બિડીંગ, કાલબાદેવી રોડ, મુંબઈ- ught) કે તરંગચાતુરી (Fancy) કે વિસંવાદી અલંકરણ કે પ્રતિ૨) તરફથી તાજેતરમાં પ્રગટ કરવામાં આવ્યો છે. તેની કિંમત રૂ. રૂપથી ઉપલક ચમત્કાર સધાય છે, પણ કાવ્યચમત્કાર સધાતું નથી. ૩.૫૦ છે. કવિ શ્રી સુન્દરમે આ કાવ્યસંગ્રહને પ્રવેશક લખી આપ્યા ભ:વાનુપ્રવિટ ચમત્કાર તે જ સાચે ચમત્કાર - સંવાદ અને એકતા છે અને તેમાં તેમણે શ્રી ગીતાબહેનને અને તેમની કાવ્યશકિતને ' લાવનારી ચિત્તશકિત છે તેનું પ્રવર્તન હરેક કાવ્યમાં થવું જોઈએ. જુદાં જુદાં કાવ્યના અવતરણપૂર્વક પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત પ્રતિમા તે આ જ. કહેવાતા “અસ્તિત્વવાદ ” થી બચી જજો. ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં જેમનું અગ્રસ્થાન છે એવી બે વિશિષ્ઠ વિ. ૨. ત્રિવેદીના નમસ્કાર Page #237 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧ર- પ્રબુદ્ધ જીવન ૧૫૧ જગદ્ગુરૂ શંકરાચાર્યના ઉપવાસને અનુલક્ષીને જિગન્નાથપુરીના શ્રીમદ શંકરાચાર્ય ગૌવધનિષેધ આન્દોલનના અનુસંધાનમાં આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે એ સમાચારની જાણ થતાં તા. ૨૧-૧૧-૬૬ ના રોજ શ્રી ઢેબરભાઈએ અંગ્રેજીમાં એક છાપાજોગું નિવેદન બહાર પાડયું હતું. આ અંક પ્રગટ થતા સુધીમાં પ્રસ્તુત ઉપવાસ ચાલુ હોય કે ન હોય, તો પણ ગૌવધનિષેધ આન્દોલન અને તે સાથે જોડાયેલ અનશન વિચાર આજે એટલી જ ઉત્કટતાપૂર્વક દેશભરમાં ચેતરફ પ્રવર્તમાન છે. આવી આજની ચિન્તાજનક પરિસ્થિતિમાં શ્રી ઢેબરભાઈનું આ નિવેદન અત્યન્ત પ્રસ્તુત છે અને ઉચિત માર્ગદર્શન આપે છે એમ સમજીને તેને અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) આજના છાપાઓ જગન્નાથપુરીના શ્રીમદ્ જગદ્ગુરુ શંકરાચાર્યજીના ઉપવાસ વિશેના સમાચાર આપે છે. આ ઉપવાસના, તેઓશ્રી જે સ્થાન હિન્દુ સમાજમાં ધરાવે છે તે સ્થાનને અનુરૂપ, અનિવાર્યપણે ચક્કસ પ્રત્યાઘાત પેદા થવાના જ, મને ખાત્રી છે કે ખાસ કરીને પખવાડિયા પહેલાં એટલે નવેંબરથી ૭મી તારીખે દિલ્હીમાં જે કાંઈ બનાવો બન્યા છે તેની પશ્ચાદભૂમિકામાં આવું ગંભીર પગલું ભરતાં પહેલાં બધાં પરિણામે તેમણે પૂરી સાવધતાપૂર્વક વિચાર કર્યો જ હશે. લાગણીના સ્તર ઉપર જાહેર મતને સતેજ કરે એ પ્રમાણમાં વધારે સહેલું છે, તેનું નિયંત્રણ કરવું મુશ્કેલ છે; તેને બુદ્ધિપૂર્વકની દિશાએ વાળવો એ એથી પણ વધારે મુશ્કેલ છે. જ્યારે પણ સામાજિક-રાજકીય અથવા તે સામાજિક-આર્થિક પ્રશ્નને, ગુણવત્તા ઉપર તેની મુલવણી થવાને બદલે, ધાર્મિક લાગણીઓ ઉપર આધારિત અપીલોને અનુરોધોન-વિષય બનાવવામાં આવ્યો છે ત્યારે ત્યારે ભારતમાં લોહીનાં સીંચન થયાં છે. ૧૯૪૭માં આમ બન્યું હતું; પખવાડિયા પહેલાં પણ કાંઈક આવું જ બન્યું હતું. આવી દરેક ઘટનાના પ્રસંગે આપણા દેશે માનવી, મિલકત અને પ્રતિષ્ઠાની બાબતમાં ઘણી મોટી નુકસાની વેઠી છે. લાગણીમાંથી ઝનૂન એક પગલું છે અને ઝનુનને હિંસામાં પરિણમતાં એક પગલા જેટલી પણ વાર લાગતી નથી. આમ હોવાથી, વૈજ્ઞાનિક અને બુદ્ધિપૂર્વકના કાર્યક્રમ દ્વારા ગાયને ઉદ્ધાર થવો જોઈએ એવી માન્યતા ધરાવનાર એક વ્યકિત તરીકે, ગાયના રક્ષણ, ટકાવ અને વિકાસ અંગે આપણા રાજયબંધારણમાં જે જોગવાઈ છે તેના ઔચિત્ય અને શાણપણમાં શ્રદ્ધા ધરાવનાર એક દેશજન તરીકે, તેમ જ દેશની સુલેહ અને શાન્તિને ખતરનાક નીવડે એવા કશા પણ વર્તનથી આપણા લોકો દૂર રહે એવી ચિન્તા ધરાવનાર એક શુભચિન્તક તરીકે, પૂજય આચાર્યશ્રી અને તેમના સાથીઓને લેશમાત્ર સમય ગુમાવ્યા સિવાય આજની પરિસ્થિતિ અંગે પુન: વિચારણા કરવા માટે હું હાર્દિક અનુરોધ કરું છું. આપણા ભારતના બંધારણમાં ૪૮મી કલમ દાખલ કરનાર બંધારણના ઘડવૈયાઓએ પ્રજાના મોટા ભાગની આ વિષય અંગેની લાગણીને સ્વીકાર કર્યો છે. લેકશાહી જનસમુદાયની તીવ્ર લાગણીએને પ્રતિબિંબિત કરે છે. પણ એ જ બંધારણ બીજા બધા વિકલ્પથી દૂર રહેવાની અને બંધારણે અને તે પાછળ રહેલી ભાવનાએ જે માર્ગ અને ઉપાય સૂચવ્યું છે, તે સિવાય બીજા કોઈ પણ માર્ગનું અવલંબન નહિ લેવાની લેકોની જવાબદારી ઉપર એટલે જ ભાર મૂકે છે. આ રસ્તો છે મતદાન પદ્ધતિને માર્ગ. જે એક વખત સમાજની જવાબદાર વ્યકિતએ આ સિદ્ધાન્તને ત્યાગ કરશે તે પછી એાછા બુદ્ધિશાળી અને વધારે બીનજવાબદાર લોકો મતદાન પદ્ધતિના સર્વોત્કૃષ્ટ વર્ચસ્વના સિદ્ધાન્તને કચરાની ટોપલીમાં ફેંકી દેતા વાર નહિ લગાડે. આ કારણે મહામના શંકરાચાર્યજી જેવું અતિ મહત્વનું સ્થાન અને પ્રતિષ્ઠા ધરાવતી વ્યકિતની સામાજિક જવાબદારી ઘણી મોટી છે. લોકલાગણીઓ એટલી બધી ઉત્તેજિત થઈ બેસે કે તેનું નિયંત્રણ કરવાનું મુશ્કેલ બની જાય તે પહેલાં લોકોને સાચી અને સમજણભરી દોરવણી આપવા તેમને હું પ્રાર્થના કરું છું. સાથે સાથે ભારત સરકારને પણ પિતાની જવાબદારીને પૂરો ખ્યાલ કરવા હું પ્રાર્થના કરીશ. આ એક એવી સમસ્યા છે કે જેના નિરાકરણની દિશાએ સરકાર ઘણી આગળ વધી ચૂકી છે અને જે કાંઈ બાકી રહ્યું છે તે એટલું ડું છે કે તે કારણે સરકાર અને જનતાની સામાન્ય સમુદાય વચ્ચે કડવાશ પેદા થવી કે સંઘર્ષ નિર્માણ ન ઘટે. પાંચ રાજયો સિવાય આજે બાકીના લગભગ બધાં રાજયોમાં ગૌવધ સામે કાનૂની પ્રતિબંધ અસ્તિત્વ ધરાવે છે. મને એમ સમજવાને કારણ છે કે આ પાંચ રાજ્યોમાંથી ત્રણ રાજયે તે આ સંબંધમાં કાયદો કરવાને તૈયાર છે. ભારત સરકાર આસામના પહાડી પ્રદેશ અને ગોવા સિવાય બાકીના કેન્દ્રશાસિત પ્રદેશમાં ગૌવધનિષેધ અંગે કાનૂની પ્રબંધ જવાની તૈયારી કરી રહેલ છે. આમ છે તો પછી જે સમસ્યાનો ઉકેલ માત્ર સિદ્ધાંતમાં નહિ પણ આચરણમાં પંચોતેર ટકા જેટલે સ્વીકારાયેલું છે તે સમસ્યાને હજુ અદ્ધર ને અદ્ધર ઊભી રાખવામાં ડહાપણ છે કે નહિ એ બાબત ભારત સરકારે ગંભીરપણે વિચારવાની રહે છે. આ પશુઓની જાતિને સુધારવાના, વિકસાવવાના ઉપયોગી કાર્ય તરફ પોતાની તેમ જ વિરોધીઓની શકિતઓને વાળવા તરફ ભારત સરકાર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે એ શું વધારે ઈચ્છવા યોગ્ય નથી? અલબત્ત, જો ગૌરક્ષાને સિદ્ધાન્ત હજુ વિવાદાસ્પદ પ્રશ્નની સ્થિતિમાં હોત તે જુદી બાબત હતી. બંધારણે તેમ જ જુદા જુદા રાજની કાનૂની વ્યવસ્થાએ આ સવાલને એક નિર્ણાત સવાલ તરીકે સ્વીકારે છે, અને તે મુજબને વર્તાવ કર્યો છે. મારા અભિપ્રાય મુજબ ભારત સરકારે કાનૂની પ્રતિબંધની જવાબદારી સ્વીકારવી જોઈએ અને જેઓ આ પ્રશ્ન અંગે આન્દોલન ચલાવી રહ્યા છે તેમણે પણ, જે જાનવરો તેઓ બચાવવા માગે છે. તેમના રક્ષણ, ટકાવ અને વિકાસ માટે જોગવાઈ કરવાના હેતુથી સરકાર અને પંચાયતી રાજ સંસ્થાઓને સાધનસામગ્રી અને સંપત્તિ પૂરી પાડવાની દિશાએ પોતાની શકિતને અનુસંધિત કરવી ઘટે છે. એ ભૂલાવું ન જ જોઈએ કે માત્ર કાનૂની જોગવાઈથી ગાય બચાવી શકાય તેમ છે જ નહિ. આ માટે જયાંથી જે કાંઈ મળે તેમ હોય ત્યાંથી તે સર્વ સાધનસામગ્રી એકઠી કરવાની રહેશે. આ કામ એટલું મેટું છે કે માત્ર સરકાર કે માત્ર લોકો એકલા હાથે તેને પહોંચી શકે તેમ છે જ નહિ, જરૂર છે. પરસ્પરના સહકારી અભિગમની. હું આશા રાખું છું અને વિશ્વાસ ધરાવું છું કે સૌ કોઈની શકિતઓ આ પ્રશ્ન અંગે સહકારી ઉકેલ શોધી કાઢવાના કાર્ય તરફ કેન્દ્રિત કરવામાં આવશે. અનુવાદક: મૂળ અંગ્રેજી: પરમાનંદ શ્રી ઉછરંગરાય ન. ઢેબર પૂરક નેંધ ઉપવાસે બંધ કશે !: રાંદોલન સંકેલી લ્યો !! ગૌહત્યા પ્રતિબંધક આન્દોલનના સંદર્ભમાં આજકાલ તેને લગતી અખિલ ભારતવ્યાપી કાનૂની જોગવાઈ કરવાનું ભારત સરકાર ઉપર દબાણ લાવવા માટે જગન્નાથપુરીના જગદગુરુ શંકરાચાર્ય માફક અમુક સાધુ, સંન્યાસીઓ તેમજ દેશના આગેવાન હિન્દુ નેતાઓ સીમિત કે આમરણાન્ત ઉપવાસ પર ઉતર્યા છે અથવા ઉતરવાના છે-આવા સમાચારો આજના સામયિકોમાં ચારે બાજએથી સાંભળવામાં આવે છે. આખો દેશ આજે એક અસાધારણ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે; ગયું ચોમાસું કેટલેક ઠેકાણે નિષ્ફળ જવાથી દેશના અમુક ભાગ ઉપર દુકાળના–ભૂખમરાના–આળા ઉતરી રહ્યા છે; આર્થિક ભીંસ સરકારને મુંઝવી રહી છે; વધતી જતી મોંઘવારી લોકજીવનને રૂંધી રહી છે. લોકમાનસ અત્યન્ત આળું, અસહિષણુ અને ઉશ્કેરાટપરાયણ બની રહ્યાં છે અને કોઈ પણ Page #238 -------------------------------------------------------------------------- ________________ પર નિમિા તેને જોતજોતામાં બહેકાવી શકે છે. પરિણામે રાજ્ય સરકાર અને પ્રજાજને વચ્ચે અવારનવાર અથડામણ ઊભી થયા કરે છે અને જાનમાલની નાની મોટી ખુવારીમાં પરિણમે છે. દેશની આવી અત્યન્ત સ્ફોટક બનેલી પરિસ્થિતિમાં ગૌવધ નિષેધલક્ષી ઉપવાસે– પછી તે સીમિત હોય કે આમરણાતઊંબાડિયાનું કામ કરે છે; તેમાંથી ઠેકાણે ઠેકાણે રોષાગ્નિની જવાળાઓ ભભૂકી ઉઠે છે અને તરેહ તરેહના અનર્થ સરજાય છે. આ રીતે આ ઉપવાસે અહિંસાના સ્વાંગમાં હિંસાત્મક બની રહ્યા છે, હિંસાને નોતરી રહ્યા છે. આ રીતે આવા ઉપવાસા ઉપર ઊતરનાર વ્યકિત ગમે તેટલી મોટી હોય તો પણ તે એક પ્રકારને દેશદ્રોહ આચરી રહેલ છે—આ બાબત આપણે બરાબર સમજી લઈએ. બુર્દૂ જીવન આ ઉપવાસેા ગાયોને બચાવવાના નામે અને હિંદુધર્મને આગળ ધરીને કરવામાં આવે છે. તેના ઉપયોગ કેવળ લેાકલાગણીને સળગાવવા માટે અને કોમી ઝનુન પેદા કરવા માટે થઈ રહ્યો છે. આ ઉપરાન્ત પ્રસ્તુત આન્દોલન સાથે જોડાયેલા આ ઉપવાસને રાજકારણી રંગ લાગી ચૂક્યો છે અને કાગ્રેસ-વિરોધી રાજકીય પક્ષ તેને પૂરો લાભ ઉઠાવી રહ્યા છે. આમ જોખમી બનતા જતા ઉપવાસાની પ્રવૃત્તિને વખતસર બંધ કરવામાં કે અટકાવવામાં નહિ આવે તો તેમાંથી આખા આન્દોલનને કોમી વલણ મળવાનો અને તેના અતિરેકમાંથી “અમારે તે હવે હિન્દુ રાજ્ય જ જોઈએ, કારણ કે આ દેશમાં અમારી એટલે કે હિંદુઓની બહુમતી છે’”—આવી લોકશાહીને ભારે ખતરનાક માંગણી પેદા થવાના ખૂબ જ સંભવ છે. આ ભયંકર શક્યતાથી ભારત સરકાર અને ભારતના જવાબદાર પ્રજાજનો ચેતે અને તેને અટકાવવા માટે જે કાંઈ શય હાય તે પ્રત્યેક પક્ષ કરી છૂટે એ અત્યન્ત આવશ્યક છે. ભારત સરકાર ગૌવધ નિષેધ અંગે જે કોઈ કાનૂની પ્રબંધ શકય હોય તે વિના વિલંબે અમલમાં લાવે અને જવાબદાર પ્રજાજને સીમિત કે આમરણાન્ત ઉપવાસેાના ઉલ્કાપાતા નિર્માણ થતા કોઈ રીતે અટકાવે. વસ્તુત: આ સર્વદલીય ગૌરક્ષા અભિયાન આન્દોલન, તેના પાયાના વિચાર ગમે તેટલા સાચા હોય તો પણ, અત્યન્ત કવખતનું છે. આ આન્દોલને પરદેશમાં ખાસ કરીને અમેરિકામાં આપણા વિષે ભારે પ્રતિકૂળ છાપ પેદા કરી છે. “ભારતના લોકોને દુષ્કાળના ડાચામાં બેઠેલા પોતાના પ્રજાજનોની કશી પડી નથી અને ગાયોને તેઓ બચાવવા નીકળી પડયા છે. આવા લોકોને અન્નસહાય કોઈ પણ પ્રકારની સહાય આપવાનો શું અર્થ છે? '' આવો પ્રશ્ન તેઓ ઉઠાવી રહ્યા છે. આપણે તેમની નજરમાં હાંસીપાત્ર બની રહ્યા છીએ. આજે દેશના અમુક વિભાગોને ભૂખમરાથી બચાવવા માટે અમેરિકા તેમ જ અન્ય દેશોની અન્નસહાય અનિવાર્યપણે જરૂરી છે. ઉપર જણાવેલ ખ્યાલથી આપણને મદદરૂપ થવાના તેમના ઉત્સાહ આસરી રહ્યો છે, પરિણામે આપણને અનસહાય મળતી બંધ થાય અને લોકો ભૂખે મરવા માંડે તો તેની જવાબદારી કોની લેખાશે? આજની આવી કપરી વાસ્તવિકતા ધ્યાનમાં લઈને આ ગૌરક્ષા અભિયાન વિનાવિલંબે સંકેલી લેવામાં આવે એ અત્યન્ત ઈચ્છવાયોગ્ય છે. આવી સદબુદ્ધિ સન્મતિ—ગૌરક્ષાના ઝનુનને વશ બનેલા હિન્દુસમાજના ધર્મનેતાઓ અને અન્ય આગેવાનો દાખવશે ખરા ? પરમાનંદ “અદ્યતન રાજકારણી પરિસ્થિતિ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૬ ડિસે ંબર મંગળવાર સાંજના ૬ વાગ્યે સંધના કાર્યાલયમાં (૪૫ ૪૭, ધનજી સ્ટ્રીટ) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ અદ્યતન રાજકારણી પરિસ્થિતિ ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતાં ભાઈ બહેનોને નિમંત્રણ છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ 4 તા. ૧-૧૨-૧ ગાંધી-વિચારનું સાર-તત્ત્વ (આકાશવાણીના સૌજન્યથી-મૂળ અંગ્રેજી પરથી) ગાંધીજીની સર્વોદયની કે બીજી કોઈ વિચારસરણી અંગે કાંઈ કહેવું સહેલું નથી. ગાંધીજીના વિચારો એકી સાથે સરળ અને ગહન, સીધા અને સૂક્ષ્મ, સ્પષ્ટ અને અસ્પષ્ટ હતા. વળી, એમના “સત્યના પ્રયાગે”ની સાથેોસાથ એ વિચારો પાંગરતા અને વિકસતા ગયા. ગાંધીજીના મૃત્યુ બાદ ૧૯૪૮ના માર્ચમાં દેશભરના નેતાઓ સેવાગ્રામમાં ભેળા થયા હતા. ગાંધી-આંદોલનના ભાવિ અંગે તેઓએ વિચારણા કરી અને વિનાબાજીની સલાહથી સર્વોદય સમાજને નામે ગાંધી વિચારસરણીમાં રસ ધરાવનારાઓનો એક ભાઈચારો ઊભા કરવાનું નક્કી કર્યું. એ નિર્ણય સંમેલન સમક્ષ રજૂ કરતી વખતે રાજેન્દ્રબાબુએ પોતાના મહત્ત્વના ભાષણમાં જણાવેલું કે એક વાર ગાંધીજીને એવી વિનંતી કરવામાં આવી કે તેઓ એમના વિચારો પદ્ધતિસર કંઈક “સર્વાંગીણ પાઠય પુસ્તક” રૂપે લખી આપે. ત્યારે ગાંધીજીએ કહ્યું કે એમને માટે એ શકય જ નથી, કેમકે એમની પાસે તો કેટલાક મૂળભૂત સિદ્ધાંત છે, જેને તેઓ રોજબરોજની વ્યાવહારિક સમસ્યાઓને લાગુ પાડવાનો પ્રયત્ન કરતા રહે છે, અને તેથી સર્વસામાન્ય સૂત્રેાના પાઠય પુસ્તક રૂપે કાંઈ લખી જવાનું એમને માટે બિલકુલ શકય નથી. આના ઉપરથી ખ્યાલ આવશે કે ગાંધીજીનાં થોકબંધ લખાણા અને વ્યકતવ્યો તથા ત્રણ ખંડમાંની અડધી સદીની એમની પ્રવૃત્તિઓ પરથી એમના વિચારોના નિચોડ કાઢવાનું કેટલું અઘરું છે ! સાથેાસાથ આના ઉપરથી એ પણ સમજાય છે કે ગાંધીજીનું મગજ શા માટે નિરંતર તાજું રહેતું, અને એમના અનુયાયીઓને અવારનવાર નવાઈમાં ડુબાડી દેતું. ગાંધીજીનાં કેટલાંક પગલાં એમના અનુયાયીએને વિરોધાભાસી અને વિસંગત લાગતાં. ‘સર્વોદય ’શબ્દ ગાંધીજીને બનાવેલા નથી. આપણા પુરાતન ધાર્મિક સાહિત્યમાં તે ઘણી વાર જોવા મળે છે. ગાંધીજીએ માત્ર એ શબ્દનો ઉપયોગ પોતાની સમગ્ર વિચારધારા વ્યકત કરવા માટે કર્યા. પોતાની આત્મકથામાં તેઓ કહે છે એમના પ્રવૃત્તિમય જીવનને કારણે એમને વાચન માટે બહુ થોડો વખત મળતા, અને તેને લીધે જ તેઓ જે કાંઈ વાંચતા તેને પચાવી શકતા. એમાંનું એક પુસ્તક જેણે “મારા જીવનમાં તત્કાળ અને વ્યવહારુ પરિવર્તન આણ્યું,” તે રસ્કિનનું “અન્ટુ ધિસ લાસ્ટ.” પાછળથી એમણે એ પુસ્તક ગુજરાતીમાં ઉતાર્યું અને તેને નામ આપ્યું, “સર્વોદય,” જેનો એમણે અર્થ કર્યો- સહુનું કલ્યાણ, પાછળથી “હરિજન” (૧૦-૪-૪૯)માં લખતાં વિનેબાજીએ કહેલું કે “અન્ટુ ધિસ લાસ્ટ”ને સાચે અનુવાદ તો થાય “અંત્યોદય,’ પણ ગાંધીજીએ આપણને શીખવ્યું છે કે સર્વોદયને માર્ગે જવા માટે સૌ પ્રથમ સૌથી છેવાડે અને સૌથી નીચે પડેલાથી આરંભ કરવા જરૂરી છે. એટલે ‘“સર્વોદય” શબ્દ જ ચાલુ રહેવા જોઈએ. સર્વોદયના આ એક પાયાનો વિચાર છે. અલબત્ત, એ સ્વીકારવું જોઈએ કે તેથી સામાજિક-આર્થિક કાર્યપદ્ધતિ બાબતમાં હજી ઘણુ કરવાનું બાકી છે. એ જાણીતું છેકે આજની વિકાસની પ્રચલિત વિચારસરણીઓ અને પ્રયોગા આ પ્રશ્નની કેવી ઉપેક્ષા કરે છે ! તેઓ એવું અનુમાન કરીને ચાલે છે કે વિકાસના લાભા ધીરે ધીરે છેવાડે પડેલા અને સૌથી નીચે રહેલા સુધી પહોંચશે. વિનાબાજી આને માટે એક બહુ સારભિત શબ્દ વાપરે છે-પરકોલેટ, એટલે કે વિકાસના લાભા ઉપરથી ધીરે ધીરે ઝમી-ઝમીને નીચેના સુધી પહોંચશે. આજે આ દેશમાં જે આયોજન થઈ રહ્યું છે અને સર્વોદય જે જાતનું આયોજન કરવા માગે છે તે બેની દિશા વચ્ચેના મૂળભૂત ફરક આ જ છે. ગાંધીજીએ પોતાની આત્મકથામાં “અન્ટુ ધિસ લાસ્ટ”ના Page #239 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-૧૧ ૧૫૩ * * છે કી . ઉપદેશને, અર્થાત્ સર્વોદયના ઉપદેશોને સારા નીચેના ત્રણ મૂળભૂત ક્ષીણ કરનારી વેઠ તથા કામની નીરક્ષરતા કેમ દૂર કરવી તે સવાલ સિદ્ધાંતમાં આપ્યો છે : છે. પછી કામ કરનારને તેના કામ સાથે સંબંધ સુધરે તે માટેના - (૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. પ્રયત્ન કરવાનો છે, જેથી તેને માટે કામ અર્થપૂર્ણ અને આનંદ| (૨) વકીલ તેમ જ વાળંદ બંનેના કામની કિંમત એકસરખી દાયક બને. ત્રીજી વાત એ કે સમાજના માનસમાં પરિવર્તન કરવાનું હોવી જોઈએ, કેમ કે આજીવિકાને હક બધાને છે, જેથી શરીરામને એક નવું ગૌરવ પ્રાપ્ત થાય. આ ઉદ્દેશને એકસરખે છે. કારણે, અને તેમાં યે ખાસ કરીને શ્રમનું ગૌરવ વધારવાના ઉદ્દે શને . (૩) સાદું મજુરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. કારણે, ગાંધીજીએ એ વાત પર આટલે બધો ભાર મૂકેલો કે તેઓ આગળ લખે છે: “પહેલી વસ્તુ હું જાણતો હતે. બીજી રામાજમાં દરેક જણ નિયમિત કાંઈને કંઈ શરીરશ્રમ કરે, જેને તેઓ હું ઝાંખી જોતે હતે. ત્રીજીને મેં વિચાર જ નહોતો કર્યો. પહેલીમાં રોટી-શ્રમ કહેતા. બીજી બંને સમાયેલી છે, એ મને “અટુ ધિસ લાસ્ટ' દીવા જેવું સાધ્યની પ્રાપ્તિ માટેનાં સાધનો ગાંધીજીને મન સાધ્યનાં જેટલાં દેખાડયું.' પછી ઉમેરે છે અને અહીં આપણી સમક્ષ ગાંધીજીની જ મહત્ત્વનાં હતાં. “યંગ ઈન્ડિયા”માં એમણે લખેલું : ‘લાક કહે મહાનતાનું રહસ્ય છતું થાય છે–“સવાર થયું અને હું આ સિદ્ધાંતોને છે, સાધન આખરે માત્ર સાધન જ છે, પણ હું કહીશ કે સાધન જ અમલ કરવાના પ્રયત્નમાં પડે.” સર્વસ્વ છે. જેવું સાધન, તેવું સાધ્ય.” “હિંદ સ્વરાજ'માં એમણે લખ્યું, તરેહ-તરેહના સમાજવાદ અને સામ્યવાદના આ યુગમાં આ ‘સાધનને બીજા સાથે સરખાવી શકાય, અને સાધ્યને વૃક્ષ સાથે.’ મૂળભૂત સિદ્ધાંતને એ ભિન્ન ભિન્ન વાદોના મૂળભૂત સિદ્ધાંતે ' એક વાર એક પત્રમાં એમણે જણાવેલું : “સાધ્યની સ્પષ્ટમાં સ્પષ્ટ સાથે સરખાવવાનું રસપ્રદ થઈ પડશે. પહેલા સિદ્ધાંત કદાચ સમાજવાદ વ્યાખ્યા અને તેની આવશ્યકતાની પ્રતીતિયે આપણને ત્યાં સુધી પહસામ્યવાદના સામૂહીકરણના વિચાર સાથે બંધબેસતે થતું હોય ચાડી શકશે નહીં, જો તેને પ્રાપ્ત કરવાનાં સાધને આપણે જાણતા , એમ લાગશે, કેમ કે તે વિચારમાં યે સમૂહના ભલામાં વ્યકિતનું ભલું નહીં હોઈએ, અને તેને ઉપયોગ નહીં કરતા હોઈએ. તેથી જ મેં ' સમાયેલું છે એમ માનવામાં આવે છે. ઈતિહાસ છે કે એમ કહે છે. મુખ્યત્વે સાધનની શુદ્ધિ અને તેના પ્રગતિશિલ ઉપયોગ ઉપર મારું કે કાલ્પનિક સમૂહની વેદી પર વાસ્તવિક વ્યકિતનો હંમેશાં ભેગ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હું જાણું છું કે આપણે જો સાધનની સંભાળ દેવાયો છે, જ્યારે બીજી બાજુ ગાંધીજી અહિંસાને વળગી રહ્યા હતા લઈ શકીશું, તે સાધ્યની પ્રાપ્તિ નિશ્ચિત જ છે. પેતાના કથનની તેને કારણે એક એવી બાંયધરી મળતી હતી કે સમૂહના હિત માટે ટીકા થશે એમ કલ્પીને એમણે ઉમેર્યું : “આ માર્ગ ભલે લાંબે લાગત વ્યકિત ઉપર નૈતિક દબાણ સિવાયનું બીજું કોઈ પણ દબાણ આવશે હોય, કદાચ બહુ લાંબે, પણ મને ખાતરી છે કે એ ટૂંકામાં ટૂંક નહીં. ગાંધીજીની વિચારસરણી પ્રમાણે તે સહુનું કલ્યાણ પણ વ્યકિત માર્ગ છે.' ગત પુરુષાર્થ દ્વારા જ સાધી શકાશે. ગાંધીજીને મન આ “સ” એ કોઈ પક્ષ કે રાજ્યમાં મૂર્તિમંત થયેલ કલ્પના નહોતી. એમને “ઓછામાં ઓછું આ દેશની જનતાને તો જણાવવાની જરૂર માટે તે “સર્વ” એટલે શબ્દશ: સમાજમાં રહેતી બધી વ્યકિતને ન હોય કે રાદયનું રસાધ્ય સિદ્ધ કરવા માટે ગાંધીજી સ્વરાજ્યની સરવાળો, અને સર્વના ભલાને અર્થ દરેકે દરેક વ્યકિતનું ભલું. તેથી લડતમાં વપરાયેલ સત્ય અને અહિંસાના સાધનને જ ઉપયોગ કરવા જયારે એમણે એમ કહ્યું કે સર્વના ભલામાં વ્યકિતનું ભલું સમાયેલું માગતા હતા. ખરેખર એમણે કઈ રીતે આરંભ કર્યો હોત, તે કહેવું છે, ત્યારે એમને અર્થ સમૂહવાદીઓના અર્થ કરતાં સાવ જુદો હતે. મુશ્કેલ છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે. આ માટે રાજ્યના તંત્રને બીજા સિદ્ધાંતના સંદર્ભમાં આપણને યાદ આવશે કે “દરેકની ઉપયોગ કરવાનું તે વિચારતા નહોતા. બે હકીકત પરથી આ બાબત પાસેથી તેની શકિત અનુસાર લેવું અને દરેકને તેની જરૂરિયાત '' સ્પષ્ટ થાય છે. એક તો તેઓ પોતે સદાસ્થાનથી અળગા રહ્યા હતા, મુજબ આપવું,” એ દિવ્ય સિદ્ધાંતને ઉદ્ઘોષ કરનાર કાર્લ માકર્સ અને એમણે એવી સલાહ આપેલી કે સ્વાતંત્ર્ય સંગ્રામના સર્વોચ્ચ હતો. પરંતુ માકર્સની અન્ય માનવતાવાદી આંતરસૂઝની જેમ માકર્સ- નેતાઓમાંથી માત્ર થોડા જ સરકારમાં જાય, અને બાકીના જનવાદના આ માનવતાવાદી મહાન સિદ્ધાંતનીયે તેના અનુયાયીઓએ તાની અંદર પ્રત્યક્ષ કામ કરવા સારું બહાર રહે. બીજી હકીકત ઉપેક્ષા કરી છે. બધા જ સમાજવાદી તેમ જ સામ્યવાદી દેશોમાં પગા એ કે એમની હત્યાને આગલે દિવસે અખિલ ભારત કોંગ્રેસ સમિતિ રની ચૂકવણીને આધાર તે જ છે, જે મૂડીવાદમાં છે, અર્થાત્ જેટલું માટે એમણે એક પ્રસ્તાવ ઘડેલે કે કેંગ્રેસ–જે તે વખતે હજી એક કામ કર્યું હોય તે અનુસાર પગાર ચૂકવાય, અને કેટલાક પ્રકારના રાષ્ટ્રીય સંગઠન હતું અને નહીં કે એક પક્ષ—નું લેકસેવક સંઘમાં કામેની અન્ય કામ કરતાં વધુ કિંમત અંકાય. ગાંધીજીના માનવતા- રૂપાંતર કરી નાખવું જોઈએ. વાદથી આ વિરુદ્ધ હતું. તેઓ કામ કરનાર માણસને એક વ્યાપારી આવી જ એક બીજી મહત્ત્વની વાત પણ સ્પષ્ટ છે. ગાંધીજીના એકમ ગણવાને બદલે એક જીવતો જાગતે માનવ ગણતા, જેની સર્વોદયના કાર્યક્રમનું સ્વરૂપ ગમે તે હોત, પણ તેમાં ગ્રામરાજ અને શારીરિક અને આધ્યાત્મિક જરૂરિયાત પક્ષના નેતાઓ, ઑફિસરો, ટ્રસ્ટીશિપ એ બે મહત્ત્વની વાતને સમાવેશ તે અવશ્ય થયું હોત. મેનેજરો, વૈજ્ઞાનિકો, કળાકારો વગેરેના જેટલી જ છે. પિતાની કલ્પનાની લોકશાહીને પાયો નાખવા સારુ એમણે પહેલી ત્રીજા સિદ્ધાંતના સંદર્ભમાં કેવળ અમુક સામ્યવાદી સમાજોએ ચીજ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હોત. આજની સામંતવાદી જ શરીરામનું ગૌરવ વધારવાના અધકચરા પ્રયત્નો પ્રામાણિકપણે અને મૂડીવાદી વ્યવસ્થાનું એક સર્વોદયી સમાજ-વ્યવસ્થામાં પરિકર્યા છે. પરંતુ તેને વ્યવહારમાં ઉતારવાનો પ્રયત્ન ગંભીરપણે કયાંય વર્તન કરવા માટે એમણે બીજી ચીજનો ઉપયોગ કર્યો હોત. કરવામાં આવ્યો નથી. પરિણામે શરીરશ્રમનું કામ કરનારા અને આ સંક્ષિપ્ત છણાવટને અંતે એવો નિર્દેશ કરી દેવો ઉચિત બૌદ્ધિક કામ કરનાર વચ્ચેની ખાઈ પહોળી ને પહોળી થતી જાય છે અને બેંદ્ધિક કામ કરનારાઓને સમાજમાં ઊંચો દરજ્જો અપાય છે. ગણાશે કે વિનોબાજીએ એમની પોતાની રીતે ગાંધીજીના સંકેતેને પાર પાડવાનો પ્રયત્ન કર્યો છે–સર્વ સેવા સંઘની સ્થાપના કરીને, માનસશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે માણસ કષ્ટ ટાળવાને અને તેથી શરીરશ્રમ ટાળવાને પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. પરંતુ, આના પરથી ભૂદાન-ગ્રામદાન આંદોલન ઉપાડીને, અને નિકટના ભવિષ્યમાં ઉપાડનાર તે એ સ્પષ્ટ થાય છે કે શ્રમજીવીની મુકિતના પ્રશ્નના મૂળમાં શું છે. નગરદાન આંદોલનની કલ્પના રજૂ કરીને. સૌ પ્રથમ તે શારિરીક દષ્ટિએ અને આધ્યાત્મિક દષ્ટિએ માણસને “ભૂમિપુત્ર'માંથી સાભાર ઉધૃત. શ્રી જયપ્રકાશ નારાયણ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૨-૧ – સ્વ. પ્રજ્ઞાચક્ષુ પંડિત આણંદજીભાઈ , (ગયા વર્ષે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજવામાં આવેલ કચ્છના પ્રવાસ દરમિયાન ભુજપર ખાતેના અમારા થોડા કલાકના રોકાણ દરમિયાન પં. આણંદજીભાઈને અમને પરિચય થયો હતો અને તે પરિચયને વિગતવાર ઉલ્લેખ એ સમયના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવેલી કચ્છના પ્રવાસની નોંધમાં કરવામાં આવ્યો હતો. તેમનું તા. ૧૪-૧૦-૬૦ ના રોજ ૭૦ વર્ષની વયે અવસાન થયું, તે દુ:ખદ ઘટનાને અનુલક્ષીને તા. ૧૨-૧૧-૬૬ ના જૈનમાં પ્રગટ થયેલી સદ્ગતને ભાવભરી અંજલિ આપતી અવસાન નોંધ નીચે આપવામાં આવે છે. પરમાનંદ) કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન ભદ્રેશ્વરતીર્થની યાત્રાએ જઈએ ત્યારે અન્ય તીર્થસ્થાન કરતાં કંઈક અનોખું વાતાવરણ ત્યાં મઘમઘતું હોય એમ તરત જ જાણવા મળે છે. કચરાનું કયાંય નામ નહીં; ધૂળ સિવાયની જગ્યાએ ચપટી ધૂળ ન મળે, કાગળને નાનું સરખું ટુકડો પણ કયાંય રખડત ન દેખાય; કાપડના ડૂચા માટે તે શોધ કરવી પડે, બધી જ વસ્તુઓ પોતપોતાના સ્થાને યોગ્ય રીતે વ્યવસ્થાપૂર્વક ગોઠવેલી મળે: પૂજાનાં કપડાં જુઓ તો સ્વચ્છ અને ઘડી વાળેલાં. કેસર, ફૂલ, ધૂપ અને દીપ પણ જાણે પોતપોતાની જગ્યાને શેભાવી રહ્યા હોય. વિશાળ જિનપ્રાસાદમાં પરકમ્મા કરો; મંદિરની આસપાસના અંદરના ચોગાનમાં કે ધર્મશાળાઓમાં આંટા મારે, બહારના અતિવિશાળ આંગણામાં લટાર મારે – ગમે ત્યાં જાઓ, જાણે સ્વચ્છતા, સુંદરતા અને સુવ્યવસ્થાની દેવી જાતે એની ખડેપગે રખેવાળી કરતી હોય એવો અપૂર્વ આહ્વાદ અંતરમાં વ્યાપી રહે છે. અરે, ત્યાંની ભેજનશાળામાં જાઓ, ત્યાંની વ્યવસ્થા અને ખાઈ જોઈને મન આફરીન પોકારી ઊઠે છે. વાસણ, આસનિયાં, પાટલાં, ધરતી અને છત બધે જ સ્વચ્છતાને ઉજાસ વ્યાપેલે નજરે પડે છે! અવ્યવસ્થા કે અસ્વચ્છતા કરનાર આપમેળે જ શરમાઈ જાય એવી કામણગારી આ તીર્થની સર્વાગી સુંદર વ્યવસ્થા છે. શાંતિ તો ભદ્રેશ્વરતીર્થની જ ! એમ લાગે છે કે ભદ્રેશ્વર તીર્થની આવી અપૂર્વ સ્વચ્છતા અને આવી આદર્શ વ્યવસ્થાની પાછળ કોઈક ભાવિક ભકતપુરુષની ચકોર નજર સતત કામ કરી રહી છે, અખંડ રોકી રાખી રહી છે અને નિરંતર પ્રેરણા આપી રહી છે. એ ચકોર નજર હતી પ્રજ્ઞાચક્ષુ પંડિતરત્ન શ્રી આણંદજીભાઈ દેવશી શાહની. એ નજર તા. ૧૪-૧૦-૬૬, ને શુક્રવારના રોજ સદાને માટે સંકેલાઈ ગઈ! પંડિત આણંદજીભાઈ તે દિવસે એમના વતન ભુજપુરમાં સ્વર્ગવાસી બન્યા! તેઓ તે દેશ, ધર્મ અને સમાજને ચરણે પોતાની અવિશ્રાંત સેવાનાં પુષ્પો ચડાવીને કૃતકૃત્ય બની ગયા, પણ કચ્છને અને કચ્છના જૈન સંઘને એક સાચા નિષ્ઠાવાન અને વિચક્ષણ રાહબરની, સહેલાઈથી ન પૂરી શકાય એવી મોટી ખોટ પડી ! કુદરતે આંખોનાં તેજ તો એમનાં બાળપણમાં જ હરી લીધાં હતાં, પણ એમના અંતરમાં કેવા અજવાળાં પથરાયેલાં હતાં એ ભદ્રેશ્વર તીર્થની વ્યવસ્થા ઉપરથી પણ સહજપણે જોઈ શકાય છે. અલબત્ત, એમાં શ્રી આણંદજી ભાઈના શાણા અને આજ્ઞાંકિત સાથી અને એ તીર્થના ભાવનાશીલ ટ્રસ્ટીબંધુઓ તથા કચ્છના અન્ય ધર્માનુરાગી મહાનુભાવોના પણ ઘણે હિસ્સો છે એ વાતને સ્વીકાર કરતાં આનંદ થાય છે; અને શ્રી આણંદજીભાઈની પછી પણ આ તીર્થની વ્યવસ્થા આવી જ રીતે સચવાતી રહેશે એવી આશા અને શ્રદ્ધા અંતરમાં જાગે છે. - ભદ્રેશ્વર તીર્થ એ તે શ્રી આણંદજીભાઈના શ્વાસ અને પ્રાણ હતું. એની જાહોજલાલી અને ખ્યાતિ કેમ વધે, યાત્રાળુઓની પૂરેપૂરી સગવડ કેમ સચવાય અને તીર્થની વ્યવસ્થા નમૂનેદાર અને સર્વાગ સંપૂર્ણ કેવી રીતે બને એ જ એમની તીવ્ર ઝંખના હતી; અને એ માટે તેઓ ઊંઘ અને આરામને વીસરીને તન-મન-ધનથી રાત - દિવસ પ્રયત્ન અને પુરુષાર્થ કરતા રહેતા હતા. ભદ્રેશ્વરની ભેજનશાળા માટે પણ એમણે ખૂબ જહેમત ઉઠાવી હતી. એમ કહી શકાય કે આ ધર્મતીર્થ ચિરકાળ સુધી શ્રી આણંદજીભાઈની વિરલ તીર્થભકિત અને ઉત્કટ ધર્મભાવનાની યશોગાથા સંભળાવ્યા કરશે. ભદ્રેશ્વર તીર્થને પરિચય આપતું સરસ સુંદર પુસ્તક તૈયાર કરાવવાની તેઓની તીવ્ર ઝંખના હતી એ અધૂરી રહી ! ભુજપુર એ શ્રી આણંદજીભાઈનું મૂળ વતન; એમની ઉમર આશરે સિતેરેક વર્ષની. ઘડિયે ઝૂલતાં ઝૂલતાં, માત્ર અઢી વર્ષની ઉંમરે બળિયાના વ્યાધિમાં એમની આંખનાં તેજ સદાને માટે હરાઈ ગયાં; જીવન વિકાસની સામે મોટો અવરોધ ઊભા થઈ ગયા. પણ અંતરમાં હીર અને ખમીરને પ્રગટાવીને શ્રી આણંદજીભાઈએ એ અવરોધને જ પોતાના વિકાસનું સંપાન બનાવી દીધું; અને એમણે પોતાનું જીવન યશજજવલ અને ધન્ય બનાવી દીધું. ભાંગ્યા સંતાનના સાચા ભેરુ સમાં માતા સરસ્વતીનાં ચરણાની શ્રી આણંદજીભાઈએ દિલ દઈને ઉપાસના કરી; માતા સરસ્વતીએ એમને પંડિત બનાવ્યા - જાણે એમના અંતરમાં જ્ઞાનદીપિકાની જત ઝળહળી રહી, પંડિત આણંદજીભાઈએ અનેક સાધુ સાધ્વીઓ અને ગૃહસ્થો અને બાળકોને હેતપૂર્વક અભ્યાસ કરાવીને પોતાની વિદ્યાને ચરિતાર્થ કરી; અને અનેક વ્યકિતઓના આદર્શ ગુરુ બનીને એક પ્રજ્ઞાવાન ધર્મપુરુષ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી. ધર્મપુરુષ તરીકે તેઓ મધ્યમ વિચારસરણી ધરાવવા છતાં નવીન વિચારોને સજવાની અને ઝીલવાની એમની તત્પરતા હતી. તેઓ એક સાચા રાષ્ટ્રવાદી કાર્યકર્તા હતા. ગાંધીયુગમાં એમણે રાષ્ટ્રભાવનાની ચેતનાને કચ્છમાં પ્રસાર કરવામાં યાદગાર સેવાઓ બજાવી હતી. એ જ રીતે સમાજસેવાને પણ તેઓ સાચા દિલથી વરેલા હતા. આવા એક શાણા અને દેશ, ધર્મ અને સમાજની સેવામાં જ જીવનને કૃતાર્થ કરી જાણનાર પંડિત પુરુષના અવસાનની નોંધ લેતાં અમે ઊંડા દુ:ખ અને શોકની લાગણી અનુભવીએ છીએ અને શ્રી. આણંદજીભાઈનાં આત્માને અમારી હાર્દિક અંજલિ અર્પણ કરવા સાથે એમના સ્વજને અને સ્નેહીઓના દુ:ખમાં અમારી અંતરની સહાનુભૂતિ અને સમવેદના દર્શાવીએ છીએ. રતિલાલ દીપચંદ દેસાઈ નુતન વર્ષના મંગળ પ્રભાતેવર્ષ નહિ, વસુધાને પલટ, પલટો માનવ-ઉર; તંત્રે પલટે, મંત્રે પલટો, પલટો કાળનું પૂર. માનવ માનવ વચ્ચે ઉભા ઊંડા અણગણ ભેદ; એ ભેદોને છેદ ઉડાડી, જગ જગત અભેદ. પલટો યુગ યુગ કે ગાણું, આજ ઊગે નવા વર્ષનું વહાણું. ગજાનન ચિ. જોશી સંઘના સભ્ય શ્રી રજનીકાન્ત દલીચંદ શાહનું દુ:ખદ અવસાન શ્રી રજનીકાનત દલીચંદ શાહનું ૪૮ વર્ષની ઉમ્મરે હૃદયરોગના એકાએક હુમલાના પરિણામે તા. ૨૩-૧૧-૬૬ના રોજ મુંબઈ ખાતે અવસાન થયું છે. તેઓ મૂળ થાનગઢના રહેવાસી હતા; અશક ઑપ્ટીશિયન્સ કંપનીના માલિક હતા; મુંબઈ જૈન યુવક સંઘના વર્ષોથી સભ્ય હતા અને એક વર્ષ સંઘની કાર્યવાહક સમિતિના પણ સભ્ય હતા. સ્વભાવે સરળ, આનંદી અને માતાવડા હતા અને સંઘની પ્રવૃત્તિમાં સક્રિય રસ ધરાવતા હતા. તેમના આ અકાળ અને દુ:ખદ અવસાનથી સંઘને તેમ જ સમાજને એક શકિતશાળી સંસ્કારસંપન્ન વ્યકિતની ખોટ પડી છે. તેમના કુટુંબીજને પ્રત્યે સંઘ હાર્દિક સહાનુભૂતિ દાખવે છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ Page #241 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-હું બુદ્ધ જીવન મહાપ્રસ્થાનના પથ પર ૧૭ જેઠ સુદ બારસ ૧૯૮૯ (બંગાળી ૧૩૩૯, ઈ. સ. ૧૯૩૩) આજના દિવસ મહાકાલની માતાના જપ કરવાને નહિં રહે. આ હિમકણાથી ભરેલું ધૂમ્મસભર્યું પ્રભાત મારા આયુષ્યથી કાંઈક ભિન્ન લાગે છે. મૃત્યુના અંધકારને ઠેલતા ઠેલતા અમે એક નવા લાકમાં આવી પહોંચ્યા હતા. એથી જ તે પહેલાં તે મનમાં થયું કે અમે બચીશું નહિ, આ તો એક નિર્દય પ્રોભન છે, અમર્ત્ય મરીચિકા છે. દૂરથી જ્યારે બદરીનાથ ગામનાં પહેલવહેલાં દર્શન થયાં, ત્યારે જ આવા જ વિચારોમાં ડૂબ્યો હોવાથી હું કશું બેાલી શકયા નહિ, આનંદ અને ઉલ્લાસ કરી શકું એવી નહાતી શારીરિક સ્થિતિ કે નહોતી માનસિક, ક્યાંથી હાઈ શકે ? અમે તે! જલી - જલીને ક્ષીણ બની ગયા હતા. તેલના દીવાની વાટની જેમ. લાંબા પચીશ દિવસના એ દુ:ખમય . ઈતિહાસ પાછળ રહી ગયો. એને તે અમે ભૂલી ગયા હતા. આજે અમારી યાત્રા પૂર્ણ થઈ હતી. દુ:ખની જવાળામાંથી છૂટકારો હતા. જે કેડીએ એક દિવસ ગામની સીમા વટાવી હતી, અરણ્ય અને નદીને પાર કર્યા હતાં, દેશ અને મહાદેવમાં જે અવતીર્ણ થઈ હતી, આજે એ જ કેડી વિશ્વની તરફ ફેલાયલી હતી. મારી તે દિવસની સામાન્ય તીર્થયાત્રાએ આજે વિરાટના ચરણસ્પર્શ કર્યો હતો. મારા મને કહ્યું, “તું આ જ છે કે ? આ જ તારું રૂપ કે?” જેને માટે હું અહીં આવ્યો, તે કાંઈ મંદિરમા નથી. એ તો અમારા માર્ગમાં બધે જ છે. એ કાંઈ સામાન્ય મંદિરમાં પૂરાયલા બંદી નથી. ગંગાના પૂલ પાર કરીને હું ગામમાં આવી પહોંચ્યો. ગામનું નામ પણ બદરીકાશ્રમ હતું. કોઈ એને બદરીવિશાલા કહેતું તે કોઈ નારાયણાકામ કહેતું. પેસતાં જ ડાબે હાથે નાની પોસ્ટ ઑફિસ છે. ત્યાર પછી રસ્તાની બન્ને બાજુએ નાની નાની દુકાનો છે. આકાશવાદળોથી છવાયલું હતું, ટપટપ કરતા વરસાદ વરસતા હતા. પવનના વેગથી અને અત્યંત ઠંડીને લીધે કોઈ બાજુ મેઢુ ફેરવાય એવું હતું જ નહિ, ઝટપટ અમારે ઉતા૨ે હું ગયો. એ ઘર ખાસ્સું મોટું હતું. પાકું પથ્થરનું બાંધેલું બે માળનું મકાન હતું. બારણા, બારી, ઉપર જવા માટે દાદરો, ને સામે પાકો ચણેલા ચાતરો હતો. આ અમારા પંડાનું રહેઠાણ હતું. જે પંડાને ત્યાં અમે રહ્યા હતા તે અહીં ઘણા જાણીતા હતા, અને એની ઈજજત પણ ઘણી હતી. એ લોકો પાંચ ભાઈ હતા, સૂર્યપ્રસાદ, રામપ્રસાદ વગેરે. એના છેારાનું નામ પિયારીલાલ હતું. દેવપ્રયાગમાં પણ એમના પ્રતિનિધિએ અમારો સંપર્ક સાધ્યો હતો. શરૂઆતથી જ એના અતિથિસત્કારથી અમે અત્યંત પ્રસન્ન થયા. ભોંયતળિયાના ઓરડામાં એણે અમારા માટે થાડા કામળાં બીછાવી દીધા, અને લાકડાં લાવીને સળગાવ્યાં. એ આગે તથા કામળાંએ અમને ઠંડીના સંકટમાંથી બચાવ્યા ને જીવતદાન આપ્યું. સૂર્યપ્રસાદ અને રામપ્રસાદ જેવા સંસ્કારી અને મિષ્ટભાષી ખંડા તીર્થસ્થાનમાં ભાગ્યે જ મળે. ઘણું કરીને દરેક બંગાળી અને ઉત્તર હિંદના યાત્રીઓ એને ત્યાં જ ઉતરતા. થાક, પીડા, ઠંડી વગેરેને લીધે આખા દિવસ કશું પણ કર્યા વિના ઘરમાં બેસીને જ આરામમાં જ વીતાવ્યા. માખીના ઉપદ્રવ નહોતા, પણ કપડાં અને કામળામાં જીવાતના બહુ જબરો ત્રાસ હતા. આહાર વગેરેમાં પણ એ જ મુશ્કેલી હતી. રાંધવા કરવાની જગ્યા પણ નહોતી, સગવડ પણ નહાતી ને શકિત પણ નહોતી. એટલે અમે તા અમરાસિંહની મારફત પૂરીઓ મંગાવી. ધન્ય પૂરી. પૂરી જ આખા દેશમાં જેની કોઈ ગતિ જ નથી તેની ગતિ છે. બપેાર શી રીતે વીત્યો, સાંજ કયાંથી આવી તેની, કશી ખબર પડી નહિ. બહાર ટપટપ કરતા હજી વરસાદ પડતા હતા, પવનથી વચ્ચે વચ્ચે બારણાં બારી હાલી ઊઠતાં હતાં. બંધ ઓરડામાં આગની ચારે બાજુ અમે કેટલાક જણ વીંટળાઈને વાત કરતા હતા, ગોપાલદા ચૂના જોડે તમાકુ મસળતા હતા, બામણ ડોશી રસ્તામાંથી રોગ લઈને આવી હતી, તે એક ખૂણે ચૂંટીયું વાળીને નિર્જીવ જેવી ૧૫૫ પડી રહી હતી, અને એ તકના લાભ લઈને દુબળી, શકિતહીન, હાડિપંજર જેવી ચારૂની માએ પોતાના ઘરના ગાય વાછરડાંની વાતા શરૂ કરી દીધી હતી. ધીરે ધીરે રાત્રી વીતતી ગઈ. બીજે દિવસે સવારે અમે જ્યારે આકાશ સામે જોયું તે હેરત પામી ગયા. લાલ તડકાથી ચારેબાજુ છવાયેલી હતી અને જાણે હસતી હતી. આકાશ સ્વચ્છ ભૂરું હતું. આસપાસના પાડો પર જામેલા બરફ સૂર્યનાં કિરણ એની પર પડતાં હાવાથી ઝગમગતો હતો. નદીને સામે કિનારે સમતલ જગામાં ખેતીનું કામ ચાલતું હતું. કર્યાંક કયાંક સામાન્ય વૃક્ષલતા પવનને લીધે હિલાળા લેતી હતી. અમે પરમતૃપ્તિથી ધારીધારીને ચારે દિશામાં જોયું. આવા તડકાવાળા મધુર દિવસના ઉપભોગ કરવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થશે એનો તો અમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતા. મનુષ્યનું ભાગ્ય પલટાતાં જેવા સુખદ દિવસ આવે છે, આજના આ સુનિર્મલ તેજથી પ્રકાશતા દિવસ અમારી-ઉપર વિધાતાના આશીર્વાદ ઊતર્યા હોય એવો લાગતો હતો. આજે સવારના ઉઠીને ચાલવાનું નહાતું, એટલે શરીરના એકેએક અંગને આરામ મળતા હતા, કોમળ અને ગરમ તડકામાં આંખો બંધ કરીને બેસી રહ્યો. મંદિરમાં જવાના અને દેવનાં દર્શન કરવાને મારો આગ્રહ નથી એ સાંભળીને ઘણાએ કપાળ કૂટયું અને ફાવે તેમ બેલવા લાગ્યા. વળી જ્યારે સાંભળ્યું કે દેવની મૂર્તિ માટે મને જરાયે માલુ નથી કે બિન્દુમાત્ર કુતુહલ નથી, ને હું પૂજા પણ કરવાનો નથી, ને મુકિતની માગણી પણ કરવાના નથી, ત્યારે એમના મોઢાના ભાવ બદલાઈ ગયા. “ભલે બીજું કાંઈ નહિ કરે, તે પણ દેવને પ્રણામ તો કરશેને બેટા ? ” “ કોને પ્રણામ કરું ? “કોને ? બેટા! તારી વાત સાંભળીને તે હૃદય સળગી ઊઠેછે. તે શું બાપ, મા કે પિતૃઓને પડદાન પણ નહિ કરે ? ” અહીં બ્રહ્મકપાલીમાં પિતૃઓને પિંડદાન કરવાના મહિમા છે. એવી લાકવાયકા છે, કે સ્વર્ગીય પિતૃલોકવાસીએ સ્વર્ગદ્વારથી હાથ ફેલાવીને ખોબો ધરે છે, અને અહીં એમના ઉત્તરાધિકારીઓ પાસેથી પિડગ્રહણ કરે છે. ગૌરીકુંડની જેમ અહીં પણ ગરમ પાણીના ઝરા છે ને યાત્રીએ અત્યંત આરામથી એ પાણીમાં નહાય છે. રસ્તે જતાં એ સાધારણ ગરમ પાણીનું ઝરણું આવે છે, ત્યાં નાહવાથી શરીરમાં તેજી આવી જાય છે. એથી યાત્રીઓનો આગ્રહ એ ઝરણામાં નાહવાના વિશેષ પ્રમાણમાં હોય છે. ગંગામાં નહાતાં, અથવા એના પાણીને વાપરતાં એક પણ માણસને મેં જોયો નિહ. બરફથી છવાયલી, ભગવા રંગની ગંગાને સ્પર્શ કરવાનું ખોટું સાહસ કોઈ કરતા નહોતા. અકડાઈ ગયેલું શરીર, ઉઘાડા પગ, મેલાં કપડાં, કોઈ પણ જાતની સ્પૃહા વિનાનું ઉદાસીન મન એ બધું લઈને ધીરે ધીરે મંદિરમાં પગથિયાં ચઢીને હું અંદર ગયા. કોઈ પણ જાતના ભેદભાવ વિના યાત્રીઆના સમૂહે અંદર કોલાહલ શરૂ કરી દીધા હતા. આજ બધાએ પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યું હતું. બધાના મુખ પર તૃપ્તિનું હાસ્ય ફ્રૂટનું હતું. કોઈનું શરીર રોગગ્રસ્ત હતું, કોઈના શરીર પર ઘા હતા, કોઈ ખોડંગાતા ખોડંગાતા ચાલતા હતા, કોઈના અવાજ બેસી ગયા હતા, તેમ છતાં, બધાનાં કપાળે જય તિલક હતું. મંદિરની અંદર અંધારુંહતું. જાતજાતનાં અલંકાર અને વસ્ત્રથી ઢંકાયેલા બદરીનાથનાં બરાબર દર્શન કરવાં એ મુશ્કેલ વ્યાપાર હતો. શંખ, ચક્ર, ગદા પદ્મધારી વિષ્ણુની મૂર્તિ હતી, તે એની આસપાસ નાનાં દેવદેવીઓ હતાં. મૂતિ નાની હતી, સામે અંધારામાં ઘીના દીવા બળતા હતા, નિકટમાં અન્નકૂટની વાની સુંદર રીતે સજાવી હતી. શ્રી ક્ષેત્રની જેમ અહીં પણ અન્નની બાબતમાં ખ્રુશ્યાપૃશ્યતાના ભેદાભેદ નથી, આટલા દિવસને રસ્તાનો થાક આજ આવી સામાન્ય રીતે જ પૂરા થયા. દુ:ખ, પીડન, કાયરતા, ઉપવાસ ને રસ્તાનો થાક, આટલું Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઝબુક જીવન તા. ૧-૧૨-૧૬ કુતૂહલ, વ્યથા-વેદનાને આટઆટલી તૈયારી–આ બધું આવીને અટકી ગયું એક પત્થરની મૂર્તિનાં ચરણોમાં. કેટકેટલાં મરણ ને રોગ, કેટકેટલે કલેશ ને કેટકેટલી પીડ, રસ્તામાં બની ગયેલી કેટકેટલી ઘટનાઓ, ને સંઘર્ષો આજે શું એ બધાનું કશું મૂલ્ય નહિ? કોણ કહે છે કે મૂલ્ય નથી? કેટકેટલે યુગયુગાંતર, કાલકાલાંતરવ્યાપી લોકપ્રવાહ અવિકાન્ત વહેતે આવે છે આ વિરાટને તીરે, કોટિ કોટિ પિપાસાર્ત હૃદયો મુકિતની વાસનાથી વિગલિત અશ્રુથી આના ચરણમાં આવીને ઢળે છે. આજે મારા જેવા મામુલી માણસના શિથિલ સજોહ અને અવિશ્વાસથી શું કાંઈ એનું મૂલ્ય ઘટી જવાનું છે? એટલું બધું અભિમાન તો હું રાખતા નથી. ચારેતરફ એક વાર જોયું. મારા બધા સ્નાયુઓની અંદર કોઈ અદભુત પ્રકારનું આંદોલન જાગી ઊઠયું હતું, એનું નામ જ શું નાસ્તિકની આત્મગ્લાનિ ! આને જ શું અવિશ્વાસવાદીની અવચેતનાની પ્રતિક્રિયા કહેવી? પણ મારા સ્વાભાવિક અભિમાનને થવા દો લુપ્ત. મારા વ્યકિતસ્વાતંત્ર્યના નિષ્ફળ દંભને ભૂંસાઈ જવા દે. હું એ લોકોમાં જ એક જણ છું, આ લેકેની જેમ, ભકિતરસથી પ્લાવિત એવી ભરતીમાં હું પણ તણાઈ જવા ઈચ્છું છું, એ બધાની સંમીલિત પ્રાર્થનામાં હું પણ મારો સૂર મિલાવીને મને પણ કહેવાની ઈચ્છા થઈ કે, “હે દેવાધિદેવ, મારી શંકા ને અવિશ્વાસને દૂર કરે. મારી જે જંજાલ છે તેને હટાવી દો! હે પારસમણિ ! જે મલીનતા, જે કુરૂપતા, . જે વિરૂપતા, જે કાંઈ આવરણ એ બધાને તારા સ્પર્શથી સુંદર બનાવી દે, દૂર દૂરના પ્રાચીનકાળથી જે તારા દર્શનની કામનાથી, આ મુશ્કેલ ને દુર્ગમ રસ્તે અનેક સંખ્યામાં આવે છે, મહાકાળના પ્રવાહના વેગમાં, જે અદશ્ય થઈ ગયા છે, હે ભગવાન, યુગયુગાંતરના એ કોટિકોટ અગણ્ય અને નગણ્ય નરનારીની મેક્ષલાભની અતૃપ્ત વાસના મારા આ તૃષાતુર હૃદયમાં પણ રહેલી છે.. તું એને મુકિત દે. અવિશ્વાસ, સદેહ, ઢંદ્ર બધું જ ચાલ્યું જાય એવું કરી દે. હું એ જ પ્રાચીન કાળને હિન્દુ છું, એ જ ચિરંતન હિન્દુકુળમાં મારો જન્મ છે, મારી નસેનસમાં વહેતા લેહીમાં હિન્દુની એક આદિકાળની શુચિતા છે. તમારા ચરણતલમાં હું પણ આળેટું, ને ધન્ય બનું, કૃતાર્થ બનું એવું કરી દે.” ભારે મન લઈને હું બહાર નીકળીને પાછા અમારે ઉતારે આવી પહોંચ્યો. નીલ આકાશમાં તડકો ચમકતે હવે, બન્ને બાજુએ ફીણ જેવાં સફેદ બરફમય પર્વતશિખર પર સૂર્યકિરણ પ્રતિબિંબિત થઈને અપૂર્વ શેભા ફેલાવતું હતું. મહાયોગીની લટકતી જટાની જેમ બરફની ધારાઓ ઝરણાંનું રૂપ લઈને નીચે ઉતરી આવતી હતી. દૂર દૂર મંદિરમાં ઝાંઝ વાગતાં હતાં, પેલી તરફના પહાડની નીચે એક સરકારી બંગલો હતો. એની પાસે જ કમળ લીલી ખેતીની જમીન હતી. ત્રણચાર મહિનામાં જે કાંઈ ફસલ ઉત્પન્ન થઈ શકે તે જ, પછી તે શરદઋતુની શરૂઆતથી ધીરે ધીરે આખું રાજ્ય બરફમાં સમાધિ લઈ લે. ગ્રામવાસીઓને નીચે ઉતરી જવું પડે. બદરીનાથનું મંદિર અદશ્ય થઈ જશે, પુજારી રાવળ મહાશય જઈને જોશીમઠમાં રહેશે. ત્યાંથી જ. શિયાળામાં એ બદરીનાથની પૂજા કરે છે. દાદા !” મારા કાન પાસે કંપિત કંઠમાંથી અવાજ આવ્યો. મોઢું ફેરવીને જોયું. એ કંઠવર હું આજે પણ ભૂલ્યા નથી. તમે આવ્યા છો કે? મઝામાં તે છો ને?” બ્રહ્મચારીને હું તરત તો ઓળખી શકયો નહિ, ઓળખી શકાય એમ હતું પણ નહિ. સૂકાયેલને રૂક્ષ દેહ, ટાઢથી સૂકાઈ ગયેલું ફાટેલું મો, બને પગમાં પડેલા ચીરાડામાંથી વહેતું લેહી, સૂજી ગયેલા હાથ પગ–એ હું કરીને નિસાસા નાંખતે મારી પાસે આવીને બેઠો. એણે કહ્યું, “કેટલાય દિવસથી તાવ આવે છે, ને આ પગમાં તે પીડા એવી શાય છે કે મારું મન જ જાણે છે.” બોલતાં બોલતાં એની આંખમાં પાણી આવ્યાં. પગમાં આ થયું શી રીતે?” મધમાખી કરડી એની બધી મેકાણ છે. દાદા! તમારા મેં ઘણા ગુન્હા કર્યા છે. મેં તમને છોડી દીધા તેની આ સજ મારે ભેગવવી પડી. મને માફ કરે.” એના ડાબા પગમાં વાળથી કોડી બાંધેલી હતી. એ તરફ એકવાર મેં નજર કરી અને કહ્યું, “માફ કરવાનું વળી શું હોય? તમે મને એક વાર છોડીને આવેલા, એ વાત તે હું કયારને ય ભૂલી ગયો છું.” મારી આ વાત ખોટી નહોતી. જે બ્રહ્મચારી તરફ તે દિવસે મમતા અને સ્નેહથી હું આંધળો થઈ ગયો હતો, જેને છોડતાં મારું હૃદય ભાંગી પડતું હતું, આજે એને વિશે મારામાં કશી જ ભાવના નહેતી, મારા મનનું સ્તર ધોવાઈ, લૂછાઈને સાફ થઈ ગયું હતું. બ્રહ્મચારીને વિશે મારું હૃદય આજે તદૃન ઉદાસીન હતું. વિચાર કરું છું, કે આ પગને લઈને હું શી રીતે હિમાલય પાર કરી શકીશ—મને લાગે છે કે હું હવે નહિ જીવી શકું.” ' કહ્યું, “બધા એક દિવસ મરવાના તે છે, બ્રહ્મચારી.” બ્રહ્મચારી થોડી ક્ષણ કાંઈ બોલ્યો નહિ. પછી એણે કહ્યું “તમારી આશામાં ને આશામાં હું અહીંયાં ચાર દિવસથી રહ્યો છું. રોજ બે એક વાર તમને શોધવા નીકળું છું. આખરે તમે આવી પહોંચ્યાને? હું જાણું છું કે તમે મારી બધી માગણી પૂરી કરવાના જ છે.” તે પછી પાછું એણે કહ્યું, “ઉપવાસ કરતે કરતે આવ્યો છું. ઉપવાસ કરતે કરતે પાછો જઈશ. પણ રામનગરથી વૃન્દાવન સુધીનું જો ગાડીભાડું ન હોય તો ચાલે જ નહિ. હું ફક્ત તમારે ભરોસે જ ” મેટું ઊંચું કરીને મેં એની તરફ જોયું ત્યાં એ પાછો બેલ્યો. “જે મને તમે થોડા પૈસા આપે-” એક દિવસ મેં મારી જાતે જ બ્રહ્મચારીના ખરચાની જવાબદારી મારે માથે લઈ લીધી હતી, પણ મારું હૃદય જે તે વખતે હતું તે મરી પરવાર્યું હતું. એની કરૂણ વિનંતિને ઉત્તર નિર્દયતાથી આપતાં મેં કહ્યું, “હું કાંઈ મારી જોડે જમીનદારી તો બાંધી નથી લાવ્યને?” જોતજોતામાં તે એનું મોટું અપમાનથી, બીકથી, ભયથી ને નિ:સહાયપણાના ભાવથી, સફેદ પૂણી જેવું થઈ ગયું. એનું સુકલકડીને રોગી શરીર એને આ લાગેલે આઘાત સહન કરી શકયું નહિ, એણે પથ્થરને ટેક લીધે, મેં કહ્યું, “હું કાંઈ દાન કરવા અહીં આવ્યો નથી, પુણ્ય કરવાને પણ નહિ, મારી પાસેથી તને પૈસા નહિ મળે.” “ડાક પૈસા. આઠેક આના તો આપે......” સખ્ત અવાજે કહ્યું. “ના.” બ્રહ્મચારીએ બીજું કશું કહ્યું નહિ, કત મૂંગા મૂંગા જ એના નિષ્ક્રિય એવા પગમાં શકિત લાવીને એણે નીચાવળી મને નમસ્કાર કર્યા. પછી મહામહેનતે ઊઠીને ધીરે ધીરે ચાલી ગયે. બ્રહ્મચારીની કથાનું આ પરિશિષ્ટ. આ પણ જીવનનું એક પાસું છે. જે આપણને આઘાત અપે. જે આપણે તિરસ્કાર અને અપમાન કરે, તેને હાથ જોડીને નમસ્કાર કરવાની વૃત્તિ થાય એ પણ એક અજાયબી જ છે ને? ને બીજી તરફ જે મારી આગળ આત્મસમર્પણ કરે છે, મારો ટેકે લઈને જે જીવવા ઇરછે છે, તેની નિર્દયતાભરી અવગણના, નિષ્ફર ઉદાસીનતા એ પણ જીવનનું એક પાસું જ છે ને? જીવનની ગતિ સીધી દિશામાં નથી હતી. ઈશ્વર ઉદાસીન છે એટલે જ એને મેળવવા માટે આપણે આટલે આગ્રહ રાખીએ છીએ, ને આટલા વ્યાકુળ બનીએ છીએ. જો દેવે વાતવાતમાં આપણને મળતાં હોય, તો એમની કિંમત પણ ઘટી જાય ને આપણી કામના અને આપણું કુતૂહલ પણ લુપ્ત થઈ જાય. પ્રેમ બે પ્રકારના હોય છે. એક પ્રકારમાં એક જણનું અવલંબન લઈને હૃદય રંગ ને રસથી તરબળ બની જાય છે, પ્રેમને કેન્દ્રિત કરીને મનુષ્યને આત્મવિકાસ થાય છે તે બીજા પ્રકારમાં જેને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. પ્રાપ્ત થવું શક્ય નથી તેની પાછળ આપણે દોડીએ છીએ. અનેક મનુષ્યમાં આપણે લાંબા સમયથી જેની ઝંખના કરતા હોઈએ છીએ, તે આપણા મનના માનવીને, શોધતા શોધતા ચાલ્યા જઈએ છીએ, અનેક જીવનના ઘાઘાટે એને ઢુંઢીએ છીએ, અને ફોગટ વારાફેરા કરીએ છીએ. અનુવાદક: મૂળ બંગાલી : ડૉ. ચન્દ્રકાન્ત મહેતા શ્રી પ્રબોધકુમાર સન્યાલ Page #243 -------------------------------------------------------------------------- ________________ તા. ૧-૧૨-૧૬ 7 પ્રભુ જીવન કેળવણી અગેના વ્યાપક અસતાષનું વિશ્લેષણ (ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન અપાયેલા વ્યાખ્યાનની નોંધ) મારા ભાષણનો વિષય જ સૂચવે છે કે આખા દેશમાં કેળવણી *વિષે ખૂબ અસંતોષ છે, અને એ અસંતષ સૌને હૈયે વસી ગયેલા છે. આ અસંતષ સાચા છે. દરેક જણ સ્વીકારે છે કે આપણી કેળવણીની પદ્ધતિમાં ખામી છે. જેમણે પરિસ્થિતિના વધારે અભ્યાસ કર્યો છે, તેઓને સવિશેષ અસંતોષ રહે છે. એક તો આપણા યુવક અને યુવતીએ અભ્યાસને અંતે કોલેજ છેડે છે ત્યારે પણ પાતાના વિષયનું જ્ઞાન તેમને હોતું નથી. બીજું, જીવન પ્રત્યેની તેમની દ્રષ્ટિ તદૃન અપરિપકવ હોય છે. જ્યારે વિદ્યાર્થી એસ. એસ. સી. પાસ કરે છે, ત્યારે અપરિપકવ તા હોય જ છે, અને કોઈ કામ કરવાની – કોઈ પણ નોકરી સ્વીકારવાની—તેનામાં લાયકાત હોતી નથી. આમાંના ઘણા પ્રાથમિક શાળાના શિક્ષક બની જાય છે. એઓ પોતે જ અપરિપકવ હોય, એમનાં મન સ્થિર ન હોય, તો એ લોકો નાનાં બાળકોને કઈ રીતે ભણાવી શકે? અને પરિણામે જે વયમાં, બાળકોને સૌથી સારી તાલીમ મળવી જોઈએ, એ જ વયમાં એમને સૌથી ખરાબ તાલીમ મળે છે. આપણી કેળવણીની પદ્ધતિ તરફ નજર કરું છું ત્યારે આપણા કેળવણીના યાજકોએ દષ્ટિના કેવા અભાવ બતાવ્યા છે તે જોઈને છક થઈ જવાય છે. અભ્યાસક્રમ નક્કી કરવાનું કામ જેમને સોંપવામાં આવ્યું છે તેઓએ ક્યઃ આશયથી યા તે કયા સાધ્યની સિદ્ધિ માટે પ્રાથમિક, માધ્યમિક અને કાલેજના એમ ત્રણે અભ્યાસક્રમેા નક્કી કર્યા હશે? આપણે કઈ જાતના યુવક યુવતીએ તૈયાર કરવા છે તેની કશી દષ્ટિ અભ્યાસક્રમ ગોઠવનારાઓ સામે દેખાતી નથી. એમ લાગે છે કે આપણે માત્ર ભણેલાની સંખ્યા વધે એ જ * બાબત ઉપર ભાર મૂકયો છે. આપણે અનેક પ્રાથમિક શાળાઓ ઉઘાડી છે અને નિશાળે જતા છેકરાઓની સંખ્યા વધારી છે. પણ આપણે એ જોવાની તસ્દી નથી લીધી કે વિદ્યાર્થીઓ ખરેખર શાળામાં જાય છે કેમ, શું શીખે છે, અને તેમને શિખવવાને માટે યોગ્ય વ્યકિતઓ છે કે કેમ? આપણે એમ માની લીધું છે કે સમય વીતતાં બધું બરાબર થઈ જશે, અને વિદ્યાર્થી ઉપલાં ધારણામાં જશે એટલે નીચેની ખામીઓ આપોઆપ દૂર થઈ જશે. માધ્યમિક શાળામાં પણ આપણે યોગ્ય અભ્યાસક્રમ ઘડવાની કાળજી રાખી નથી. તે જ રીતે આપણે સારા શિક્ષકો શોધવાની તસ્દી લીધી નથી. ગુણવત્તા પ્રત્યેની આ બેદરકારી દરેક તબક્કો જોવા મળે છે. આપણે બિલકુલ બેજવાબદાર રીતે નવી નવી યુનિવર્સિટીઓ અને નવી નવી કાલેજો ઊભી કરતા આવ્યા છીએ. આ વેગને લીધે ગુણવત્તા પાતળી પડી ગઈ છે. એકવારની સારી સંસ્થાઓ પણ હવે સારી રહી નથી. કારણ કે તેના અધ્યાપકો વધુ પગાર મળતાં બીજી સંસ્થાએમાં ચાલ્યા ગયા છે. આ રીતે શિક્ષણનું ધારણ બધી દિશામાં નીચું ઉતરી ગયું છે. આપણે કેટલાંય ઍજ્યુકેશન કમિશન નીમ્યાં છે. એમના અહેવાલા સુંદર છે. પણ આપણે એમને કદી અમલમાં મૂકયા છે ખરા? આપણા રોજિંદા વહેવારમાં આપણે કેળવણી વિષે કોઈ નીતિ અપનાવી નથી. આ વસ્તુને ખ્યાલ આવ્યા એટલે આપણે છેલ્લું ઍજ્યુકેશન કમિશન નીમ્યું અને તેને અનેક બાબતોની વ્યાપક તપાસ કરવાનું કામ સોંપ્યું. તે કિમશને દળદાર અહેવાલ બહાર પાડયા છે, પણ એના અમલ તા કરીએ ત્યારે! એ અમલ થશે કે કેમ તે વિષે શંકા જ રહે છે. મને ભય છે કે આપણે આ જ રીતે કોઈ પણ નક્કી હેતુ વિના આમ તેમ ઘસડાયા કરીશું; કારણ કે આપણે આપણા ઉદ્દેશ નક્કી કરી લીધા નથી. કોઈ પણ સાચી કેળવણીની નીતિ સાચી જીવનપદ્ધતિ સાથે સંકળાયેલી હોવી જોઈએ. આપણે નિર્ણય કર્યો છે કેઆપણે લોક ૧૫૭ શાહી રીતે જીવવું છે. આથી લોકશાહી સમાજના મહત્ત્વના ગુણા આપણા બાળકોમાં ઉતરે તેનું ધ્યાન આપણી કેળવણીની નીતિમાં રાખવું જોઈએ. લોકશાહીમાં વ્યકિતઓના સૌથી વધુ ને સર્વાંગી વિકાસ થાય એવાં મૂલ્યોનો સમાવેશ થાય છે, કારણ કે લેાકશાહી સમાજમાં વ્યકિતનું સ્થાન મહત્ત્વનું ગણાય છે, ગણાવું જોઈએ. આપણે લોકશાહી બંધારણ ઘડી લોકશાહી રાજ્યવ્યવસ્થા સ્વીકારી છે. એનો અર્થ એ કે આપણે કેટલાંક ગુણા, કેટલાક ધ્યેય અને કેટલાંક મૂલ્યો સ્વીકારેલાં છે. લોકશાહી પ્રજાજન તરીકે લોકોએ નિ:સંશય પોતાની ફરજો બજાવવી જોઈએ, એટલે કે, તેમણે હંમેશાં શિસ્તપૂર્વક વર્તવું જોઈએ. આ શિસ્ત બહારથી લાદેલી ન હોય, પરંતુ તેમના અંતરના ઊંડાણમાંથી પ્રેરાયેલી હોવી જોઈએ. શિસ્ત એમના સ્વભાવમાં વણાઈ જવી જોઈએ, કારણ કે કોઈ પણ પ્રજા શિસ્ત વિના વર્તે તો પહેલાં અવ્યવસ્થા અને જોરજુલમ થાય અને પરિણામે સરમુખત્યારશાહી આવે. કોઈ પણ લોકશાહીમાં માનનારને આ વસ્તુ ન જ ગમે. લોકોએ સમજવું જોઈએ કે જૂથનાં હિતેા રાષ્ટ્રનાં હિતા આગળ સદા સર્વદા ગૌણ છે. આપણે સૌએ અંગત હિત કરતાં જાહેર કલ્યાણને વધારે ઊંચું સ્થાન આપવું જોઈએ. આપણા લોકોએ હકીકતલક્ષી દષ્ટિએ સ્પષ્ટતાથી તેમ જ વિવેકપૂર્વક વિચાર કરવા જોઈએ, આત્મવિશ્વાસ પણ રાખવા જોઈએ અનેએકંદરે સમતોલ દષ્ટિ-બિંદુ કેળવવું જોઈએ. કોઈ પણ સદ્ધર કેળવણીવિષયક નીતિનું પહેલું ધ્યેય એ હોવું જોઈએ. કે નિશાળ, કાલેજ અને યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીએ બહાર પડે તેમનામાં અમુક મૂલ્યો હોવા જ જોઈએ, જેથી તેઓ જીવનના ભરણપોષણ ને વ્યવહાર માટે ગમે તે વ્યવસાય સ્વીકારે, છતાં યે એમનામાં લોકશાહીના સાચા નાગરિક બનવાની યોગ્યતા આવેલી હોય. વહેવારમાં આના અર્થ એ કે કોઈ પણ તબક્કે આપણે કેળવણીની ગુણવત્તા ઘટવા દેવી ન જોઈએ. આ સાધવાને માટે કોઈ ટૂંકા રસ્તા છે જ નહિ. આપણે આપણી પ્રાથમિક નિશાળાને માટે સારાં મકાન બાંધવાં પડશે, અને સારી તાલીમ પામેલા અને કાબેલ શિક્ષકો રાખવા પડશે. આપણે હજી આ ક્ષેત્રે ઘણા પંથ કાપવાના બાકી છે. અને વળી આપણે પ્રાથમિક કેળવણી ફરજિયાત કરી છે, જેથી યોગ્ય તાલીમ પામેલ શિક્ષકો મેળવવાના વેગ આપણે ઘણા વધારવા જોઈએ. આ જ ખરી પ્રારંભની વાત છે. એટલે આપણે સૌ પ્રથમ તે સાચી કોટિના અને સાચી શકિતવાળા શિક્ષકો શોધી તેમને શરૂ આતથી જ સારો પગાર આપવો જોઈએ અને પગારનું ધારણ એવું બાંધવું જોઈએ કે એ વ્યવસાય સ્વીકારનાર કાયમને માટે એને વળગી રહે. બીજે વધુ પૈસા મળે ત્યારે ભાગી ન જાય. મારી આ દલીલમાંનું સત્ય સ્વીકારીને એજ્યુકેશન કમિશને શિક્ષકોના પગારમાં મેટો વધારો સૂચવેલા છે. આજે પટાવાળા કરતાં પણ પ્રાથમિક શાળાના શિક્ષકનો પગાર ઓછે છે. પણ કિંમશનની આ ભલામણોનો સ્વીકાર થાય તે એકે એક રાજ્યનાં કેળવણી—વિષયક બજેટ ઘણાં મોટાં થઈ જશે. કારણ કે નીચેના સ્તરે પગારના વધારા કરીએ, એટલે હાઈસ્કૂલ અને કોલેજોમાં પણ પગાર વધારવા જ પડે. આમ છતાં આ રીતે ખર્ચમાં જે મોટો વધારો થશે તે અનિવાર્ય ગણીને સ્વીકારી લેવા જોઈએ.એમ ન કરીએ તે આપણી કેળવણી આજે જે વિષચક્રમાં અટવાઈ ગઈ છે તેમાંથી કદી છૂટી થઈ નહીં શકે. પણ મને ભીતિ છે કે ખર્ચનું બજેટ ઘણું વધી જાય એટલા માટે જ એજ્યુકેશન કમિશનની આ ભલામણ અભરાઈએ ચડાવવામાં આવશે. આ ભલામણાના સ્વીકાર તો જ થશે, જો આખી પ્રજા એને ટેકો આપશે અને એને અમલમાં મૂકવાનું દબાણ કરશે. સરકાર જો આ ભલામણેા નહીં સ્વીકારે તે Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૨-૬૬ આપણી કેળવણીની પદ્ધતિમાં સારો અને સંગીન ફેરફાર કરવાની આપણી આશાઓ અને ઈચ્છાને રામરામ જ કરવા રહ્યા. પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવા માટે ખાસ ટ્રેનિંગ કૅલેજો સ્થાપવી જોઈએ અને એમાં સૌથી સારા અધ્યાપકે નિમવા જોઈએ, આપણે પ્રાથમિક અને માધ્યમિક તેમ જ હાઈસ્કૂલ ત્રણેય જાતની શાળાઓ માટેના શિક્ષકો તૈયાર કરવા એકજ સંસ્થા સ્થાપીએ તો ચાલે. એમ કરવાથી એક ખાસ લાભ છે. બન્ને પ્રકારના શિક્ષકોને કેટલીક મૂળભૂત તાલીમ એક જ જાતની આપવાની હોય છે. એક જ શિક્ષકસંસ્થા હોય તે બેવડાતી તાલીમમાં થતો ખરચ ને સમય બચે. બીજે લાભ એ થશે કે પ્રાથમિક શાળાના શિક્ષક સહેલાઈથી માધ્યમિક અને હાઈસ્કુલ કક્ષાની શાળામાં જઈ શકશે અને માધ્યમિક તેમ જ હાઈસ્કૂલ કક્ષાની શાળાના શિક્ષકો પ્રાથમિક શાળામાં જઈ શકશે. પ્રાથમિક શાળાના શિક્ષક માધ્યમિક શાળામાં જાય તેથી યે વધુ લાભ માધ્યમિક શાળાના શિક્ષક પ્રાથમિક શાળામાં જાય તેથી થશે. તેમ થવાથી પ્રાથમિક શાળાને ચડિયાતા શિક્ષક મળશે, જે વસ્તુ ઘણી મહત્વની છે, કારણ કે આપણને પ્રાથમિક શાળામાં કેળવણીના સારામાં સારા શિક્ષકોની ખાસ જરૂર છે. આપણા દેશમાં નિશાળના મકાનને કશું મહત્ત્વ અપાતું નથી. પ્રાથમિક શિક્ષણની નિશાળે- ખાસ કરીને ગામડામાં - શિક્ષણપ્રદાન માટે તદન અયોગ્ય એવાં મકાનમાં બેસે છે. તમને આ વાતની ખાતરી ન થતી હોય તે ગામડાની એક કે બે ઓરડાવાળી પ્રાથિમક શાળાઓ જઈ આવવા મારી વિનંતી છે. એમાં હવા આવવાની સગવડ ઓછી હોય છે અને અજવાળું પણ ઓછું જ આવતું હોય છે અને આવી નિશાળે એક બે નથી પણ સેંકડો અને હજારો છે. આપણે નિશાળનાં આદર્શ મકાનની ડીઝાઈન તૈયાર કરવા માટે કાબેલ અને કલ્પનાશીલ આર્કીટેકટ રોકવા જોઈએ. તેમને કહેવું જોઈએ કે તુ અને હવામાનના ફેરફારને અનુકૂળ આવે તેવાં મકાન તમારે તૈયાર કરવાનાં છે. તમે કહેશે કે આ પણ પૈસાની વાત થઈ. પણ સારાં મકાનમાં વાવેલા પૈસા પણ ઊગી જ નીકળવાના છે. એટલે આપણે એ પૈસા ખર્ચવા તૈયાર રહેવું જોઈએ. સારી કેળવણીને લાભ દામ કમાતા ઉદ્યોગે કરતાં પણ વધારે મોટો છે. આપણે છેલ્લા કેટલાંક વર્ષોથી આપણા કામદારોની સ્થિતિ કામ કરતી વખતે સારી અને અનુકુળ બને તે માટે કારખાનામાં હવાઉજાસ વગેરેના નિયમે કરેલા છે. આવા જ નિયમે નિશાળમાં સારું ભણતર મળે તે માટે નિશાળના - મકાન અંગે કરવાની જરૂર છે. ' માધ્યમિક શાળાનો પ્રશ્ન પણ આ જ છે. સારાં મકાને અને સારી તાલીમ પામેલા શિક્ષકોને અભાવ. અને પ્રાથમિક શાળાના પ્રશ્નને તાકીદને ગણીને ઉકેલવાને છે તે જ રીતે માધ્યમિક શાળાના આ પ્રશ્નને પણ એટલે જ તાકીદને ગણવું જોઈએ. સારા શિક્ષકોને પણ સારાં પાઠય પુસ્તકોની જરૂર પડવાની. વળી શિક્ષણ આપવાની સુવ્યવસ્થિત યોજના પણ તેમની સમક્ષ આપણે મૂકવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે કેળવણી માટે સારો અભ્યાસક્રમ નક્કી કરવાની ખૂબ જ આવશ્યકતા છે. આખા રાજ્યને દષ્ટિમાં રાખીને આવા અભ્યાસક્રમ ઘડવા જોઈએ. આમાં કોઈ ફેરફાર આવશ્યક લાગે તો તે તરત કરવા જોઈએ. પણ ખરી મહત્ત્વની વાત એ છે કે શીખવવાની તેમ જ નાનાં બાળકોનું માનસ સમજવાની પદ્ધતિમાં ઉત્તરોત્તર સુધારો થયા કરવો જોઈએ. પાઠયપુસ્તકો અને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આપણે આપણા અંતિમ હેતુ ધ્યાનમાં રાખવા જોઈએ. એ અંતિમ હેતુઓ આ છે: આપણે બાળકોને પોતાના પગ ઉપર ઊભા રહેતાં શીખવવું છે, પોતાની મેળે વિચારતાં શિખવવું છે, પોતે જ વિષયો પસંદ કરે છે તેમાં વધુ જ્ઞાન મેળવવા માટે મૂળભૂત બુદ્ધિશકિતવાળા બને અને સારા નાગિરક બની પોતાના કુટુંબ અને સમાજ સાથે સંપ, એકદિલી ને સહકારથી જીવનવ્યવહાર કરે તે જોવું છે. * એક બીજી વસ્તુને આપણે સ્વીકાર કરવો જોઈએ કે દરેક વિદ્યાર્થીમાં યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવા જેટલી બુદ્ધિશકિત નથી હોતી. વળી કેટલાક વિદ્યાર્થીઓ પોતાના હાથનો ઉપયોગ મગ- જના ઉપયોગ કરતાં વધારે સારી રીતે કરી શકતા હોય છે. એટલે આપણે દરેક વ્યકિતને વાંચતાં લખતાં અને વિચાર કરતાં આવડે એટલી પાયાની કેળવણી આપવી જોઈએ. પરંતુ દરેકને ઉચ્ચ શિક્ષણ આપવું જ જોઈએ અથવા તે મળવું જ જોઈએ એ જરૂરી નથી. અને આ દષ્ટિએ જ, આપણી કેળવણીની પદ્ધતિ, બાળકોની સાચી સેવા કરે એવી હોવી જોઈએ. જેમને ઉચ્ચ અભ્યાસ કરવા નથી અથવા જેમની એટલી બુદ્ધિશકિત નથી તેમને માટે આપણે ટેકનિકલ ટ્રેનિંગની વ્યવસ્થા કરવી જોઈએ, જેવડે તે કમાઈ શકે અને એ પોતાને જીવનવ્યવહાર ચલાવી શકે, આપણે યુનિવર્સિટીની ડિગ્રી ઉપર ઘણે ભાર મૂકી દીધા છે. આપણે એને જે મહત્ત્વ આપ્યું છે તે ધીરે ધીરે ઓછું કરવું પડશે. સરકારમાં અથવા ખાનગી સંસ્થાઓમાં મોટા ભાગની નોકરી માટે યુનિવસિટિની ડિગ્રી ખરું જોતાં જરૂરની નથી. પણ આ વસ્તુને અમલ આપણે કયારે કરી શકીએ? તે જ કે જો આપણે જે બાળકોને એસ. એસ. સી. સુધીનો અભ્યાસ કરાવીએ, તેમને પૂરતી ને ખરેખરી કેળવણી આપી હોય. પ્રાથમિક અને માધ્યમિક શાળાની તાલીમ ઉપર હું આટલો બધો ભાર મૂકું છું તેનું બીજું કારણ આ છે. જો એ કેળવણી બરાબર આપીએ અને રોજગારમાં જવા માટેની પાયાની તાલીમ બરાબર આપીએ તે વધારે જવાબદારીભર્યા કામ આ વિદ્યાર્થી જરૂર કરી શકશે. - જો આપણે આ રીતે મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ અને વિદ્યાથિનીઓને થોગ્ય તાલીમ આપીને બીજી દિશામાં વાળી શકીશું તો તેઓ સારા નાગરિકો બનશે; અને કોલેજો અને યુનિવર્સિટીમાં ધસારે ઓછા થતાં એ કક્ષાએ પણ સાચી કેળવણી આપવાને આપણને અવકાશ મળશે. આજે તે કૅલેજને નામે ઓળખાતી સંસ્થાઓમાં આપણે શિક્ષક તરીકે જુવાન ગ્રેજ્યુએટો ભરી દીધા છે. એમને શિખવવાને કોઈ જાતને અનુભવ નથી, કશી તાલીમ નથી અને ઘણી વાર તે એમને પ્રથમ કક્ષાની,-પહેલા વર્ગની - ડિગ્રી પણ હોતી નથી. આવા અધ્યાપકોનું શિક્ષણ અતિશય ખરાબ હોય તેમાં નવાઈ શું? એટલે જ એમ. એ. અને બી. એ. ના ઢગલાના ઢગલા બહાર પાડવા છતાં આપણને કોઈ પણ વ્યવસાયમાં શકિતવાળા યુવાનો શોધ્યા જડતા નથી. આને અર્થ એ નહીં કે આપણે ત્યાં બુદ્ધિશકિત અને આવડતવાળા માણસને અભાવ છે. આપણા દેશમાં એવા માણસે છે, પણ આપણે એમની આવડત અને શકિતઓને પુરેપુરી વિકસાવવાની તક જ આપતા નથી. જ્યાં સુધી આપણને કેળવણીને સંગીન અને સુવ્યવસ્થિત કરવાનું સૂઝશે નહીં ત્યાં સુધી આપણે મહાન વૈજ્ઞાનિક, ઈજનેરો, અર્થશાસ્ત્રીઓ, રાજકારણના નિષ્ણાતે, ઈતહાસકારો અને ફલસુફો ઉત્પન્ન કરી શકીશું નહીં. એ જ રીતે પાયાથી ઉચિત ને વ્યવસ્થિત કેળવણી નહિ આપીએ તે ઉદ્યોગીકરણવાળા સમાજમાં જાત જાતનાં જે કામે અને ફરજો પાર પાડવામાં આવે છે, તે પાર પાડવા માટે ટેકનિકલ જ્ઞાનવાળા માણસો પણ મેળવી શકીશું નહિ, હવે આપણે એટલું તે સમજી લઈએ કે કેળવણીને સૌથી વધારે મહત્ત્વ આપવું જરૂરી છે. કમભાગે આપણે હજુએ નક્કી કર્યું નથી કે આપણે ઉત્પાદક બાબતે કરતાં કેળવણીને વધારે અગ્ર આગળનું સ્થાન આપવું જોઈએ કે પાછળનું. જો આપણી પાસે મજબૂત શરીર, મન અને ઉત્સાહવાળા માણસો નહિ હોય, તે આપણે સારી રીતે ઉત્પાદન પણ નહીં જ કરી શકીએ. એટલે જો સાચા અર્થમાં સમજીએ તે આપણે આપણી દરેક પંચવર્ષીય યોજનામાં કેળવણીને ખૂબ મહત્ત્વનું સ્થાન આપવું જોઈએ, ખેતી અને ઉદ્યોગ કરતાં પણ વધારે મહત્ત્વનું. આપણે હિંમતપૂર્વક આપણી કેળવણીની પદ્ધતિ નવેસરથી ઘડવી જોઈએ. એને પાયો ખૂબ મજબૂત કરવા જોઈએ અને તે કોઈ પણ ભેગે. ટૂંકમાં આપણી કેળવણીની પદ્ધતિ એવી હોવી જોઈએ કે જે શારીરિક અને માનસિક બન્ને જાતની શકિતથી સંપન્ન યુવક – યુવતીઓ તૈયાર કરે, જે ઉત્પાદન ક્ષેત્રે તેમ જ અન્ય રાજય ને સમાજ વ્યવસ્થાના વહીવટ માટે જોઈતી વિવિધ આવડત ને કારીગીરીની જાણબુઝવાળા હોય, અને લોકશાહી તંત્રને શોભાવે એવા નાગરિક તરીકે પોતાના કુટુંબ ને સમાજમાં સહકારથી જીવન ગાળે એવા ચારિત્ર્યવાન હોય. એચ. એમ. પટેલ માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ , , Page #245 -------------------------------------------------------------------------- ________________ Regd. No. MR. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન'તુ નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૯ મુંબઈ, ડિસેમ્બર ૧, ૧૯૯૬, શુક્રવાર આફ્રિકા માટે શિલિંગ ૯ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા ખીજા છેડેથી પ્રજોત્પત્તિની સંખ્યા કાબુમાં લાવવા માટે જન્મપ્રમાણનું નિયોજન કરવાને લગતા અનેક પ્રકારો વિચારવામાં આવ્યા છે. કિન્તુ શું આ બાબતમાં બીજે છેડેથી વિચારી શકાય તેમ નથી? જન્મ લેવાવાળા અથવા તો જન્મ લેવાની શકયતાવાળા પ્રાણીઓના આગમન ઉપર જેવી રીતે આપણે અંકુશ રાખી શકીએ છીએ (એ પ્રાણીઓની સંમતિથી નહિ પરન્તુ માબાપ અને રામાજની સંમતિથી) તેવી રીતે લોકસંખ્યા ઓછી કરવા માટે મરણદ્વારા આ દુનિયામાંથી વિદાય લેવાવાળાની સંખ્યા શું આપણે વધારી શકતા નથી? આમાં માબાપ અથવા તો સમાજને અભિપ્રાય ગૌણ બને છે; મરણના ઉમેદવાર વૃદ્ધજનાની તેમની પોતાની સંમતિનો પ્રશ્ન જ પ્રધાન બની જાય છે. પોતાનું જીવનકાર્ય પરિપૂર્ણ થઈ ગયું એમ જોઈને જો મહારાષ્ટ્રના આદ્ય સન્ત શ્રી જ્ઞાનેશ્વર મહારાજ બાવીશ વર્ષની ઉમ્મરે ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાનું જીવન સમાપ્ત કરી શકે છે. તે સમાજહિતનો ખ્યાલ કરવાવાળા અને લોકસંખ્યાનું નિયમન કરવું કેટલું જરૂરી છે તેને જેમને સાક્ષાત્કાર થયો છે એવા પુખ્ત ઉમ્મરના સજ્જનો પોતાના જીવનને શું સમાપ્ત કરી ન શકે? જીવન-યાત્રામાં હારીને અથવા પરાસ્ત બનીને અથવા પ્રતિષ્ઠા ખાઈને જે આદમી કાયર બને છે અને આત્મહત્યા કરે છે તેની વાત આપણે નથી કરતા. એવી વ્યકિતના આત્મહત્યા કરવાના અધિકાર હોય યા ન હોય, જ્યારે તે આત્મહત્યા કરી બેસે છે ત્યારે સમાજ એને કશું કરી શકતા નથી. આત્મહત્યાની વિરૂદ્ધ આપણે ગમે તે બાલીએ, પ્રત્યક્ષ આત્મહત્યા કરી રહેલ વ્યકિતની વિરૂદ્ધ કાંઈ પણ કહેવું સમાજને સારું નથી લાગતું. જે રીતે એ મરી ચૂકેલ છે તેના સંબંધમાં કઠોર વચન આપણે શા માટે ઉચ્ચારીએ ? આવી સહાનુભૂતિપૂર્વક સમાજ તેવી આત્મહત્યા વિષે મૌન ધારણ કરવાનું પસંદ કરે છે. આપણે તો, સમાજ-હિતના માટે, ભૂમિના ભાર હળવા કરવા માટે, અને નિરુપયોગી જીવન નાહક ચલાવવાની મૂર્ખતાથી બચવા ખાતર જે લોકો જીવનથી નિવૃત્ત થાય છે, મરણની મદદ લે છે, તેની વાત કરી રહ્યા છીએ. તેઓ તે પોતાના જીવનને કૃતાર્થ જ કરે છે. એવા લોકોને સમાજ તરફથી ધન્યવાદ મળવા ઘટે છે. ગરીબોના અથવા અકાલ-ગ્રસ્તોના દુ:ખનુ નિવારણ કરવા માટે જે લોકો પોતાનું સર્વસ્વ દાન કરે છે તેમને આપણે દાનશૂર કહીએ છીએ તે સમાજના ભાર હળવા કરવા માટે જીવવા લાયક, જીવવા યોગ્ય લોકોને સગવડ કરી આપવાના હેતુથી જે કોઈ વ્યકિત પેાતાના જીવનને ખતમ કરે છે તેને જીવનવીર કહેવા જોઈએ. યુદ્ધશૂર, દાનશૂર અને જીવનશૂર-ત્રણેને એકસરખા આદરણીય ગણવા ઘટે. શ્રી મુ`ખઇ જૈન યુવક સ‘ઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા એટલું તો અહિં સ્પષ્ટ કરવાની જરૂર છે કે જ્યાં સુધી આ આદર્શ બીલકુલ નવા છે ત્યાં સુધી સ્વેચ્છાએ મરણ પસંદ કરવા વિચારીએ ! વાળા સના સુધી જ આ વિચાર સીમિત ગણવા ઘટે. છે. આજે આપણે સમાજ પાસેથી એટલી અપેક્ષા રાખીએ છીએ કે આ રીતે લાક–સંખ્યાના ભાર હળવો કરવા માટે જે વૃદ્ધજના જીવનને સમાપ્ત કરવા ઈચ્છે છે તેમને સમાજ તેના કાર્યમાં પ્રોત્સાહન આપે, તેમને પેાતાની માન્યતા આપે અને તેમના સિદ્ધાંતોનું અનુમાદન કરે. લડાઈના મેદાનમાં એક ઘાયલ સેનાપતિને તરસ લાગી. કોઈએ તેને પીવા માટે પાણી આપ્યું. પાણીના પ્યાલા માં પાસે લાવી રહ્યો હતા એટલામાં તેણે જોયું કે પાસેના બીજો એક સૈનિક પાણી વિના તરફડી રહ્યો છે. સેનાપતિએ તરત જ એ પાણી તે સૈનિકને આપ્યું એમ કહીને કે તમારી જરૂર મારાથી વધારે છે એટલે તમે જ આ પાણી પી જાઓ.” દુષ્કાળના દિવસેામાં આમ કરવું જ પડે છે. અને યુદ્ધના દિવસેામાં જ્યારે ખાદ્યપદાર્થોની તંગી હોય છે અને હીરા માણેક દેવા છતાં પણ રોટલી મળતી નથી, ત્યારે જેમની ઉપયોગીતા વધારે હાથ તેમને ખવરાવવામાં આવે છે. લોકો કહે છે કે જ્યારે બધાં જાનવરોને આપણે બચાવી શકીએ એમ નથી, ખવરાવી શકીએ એમ નથી, ત્યારે નકામાં જાનવરોને મરવા દેવા અથવા મારી નાખવા અને કામના જાનવરોને બચાવવા એ આપણા ધર્મ બને છે; શુદ્ધ નીતિ આ છે. અને એક બીજી બાબત પણ વિચારવા જેવી છે. જયારે કોઈ મોટું વહાણ દરિયામાં ડૂબવા માંડે છે ત્યારે તેની ઉપર રાખેલી બે ચાર હોડીઓ પાણીમાં ઉતારવામાં આવે છે અને જહાજ ઉપરના ખારવાઓ અને મુસાફરો પોતાનો જાન બચાવવા માટે આ હોડીઓમાં કૂદી પડે છે. હવે મોટા ભાગે એમ બને છે કે હોડીમાં હદથી વધારે પડતા આદમી જો એકઠા થાય તો હોડી ડૂબી જાય. આ માટે હોડીમાં હદથી વધારે મુસાફરોને ઉતરવા દેવામાં આવતા નથી અને જો જહાજ ઉપરથી મુસાફરો કૂદકા મારીને હોડીમાં ઉતરતા જાય, ઉતરતા જ જાય, તેા હાડીમાં બેઠેલા મુસાફો કઠોર બનીને નવા ઉતરનારાઓને તરવારથી કાપી નાખે છે. એમ ન કરવામાં આવે તો એક પણ પ્રવાસી બચી શકે નહિ, અને આખી હોડી ડૂબી જાય. હોડીમાં બેઠેલા આદમીઓને બચાવવા માટે નવા આવનારાઓને ખતમ કરવા જ પડે છે. વાત આટલેથી પૂરી થતી નથી. હોડીમાં ઉંતરવાવાળા લોકો પહેલાંથી પ્રબંધ કરે છે કે હોડીમાં ખાધાખોરાકી અને પીવાનું મીઠું પાણી પૂરા પ્રમાણમાં ભરવામાં આવે. ત્યાર બાદ જ હોડીને કિનારે લઈ જવાની તૈયારી કરવામાં આવે છે. પણ કિનાચે કદિ કદિ આઠ દશ દિવસ સુધી નજરે પડતા નથી, ખારવાનું કામ કરવાવાળા લોકો વારાફરતી હોડી ચલાવે છે, પણ જ્યારે તેમને માલુમ પડે છે કે કિનારો નજર પડતા નથી અને અન્નપાણી ખતમ થવાની તૈયારી Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ છે ત્યારે વિચારે છે કે હોડીમાં આ બધા લોકોને બચાવી શકાય તેમ નથી. હોડી ચલાવવાવાળા મજબૂત જુવાન તો જોઈએ જ. હાડી તૂટતા તેનું સમારકામ કરનાર એક સુતાર તો જોઈએ જ. આ રીતે જરૂરી ઉપયોગી લાકોને પસંદ કરીને બાકીના લોકોને સમુદ્રમાં ફેંકી દેવા જ પડે છે. એમાં પુષ્ટ શરીરવાળા લોકોને કોઈ મરવા દેતું નથી. ઘરડા-ધરડા અને બિમાર લાકો કે જેઓ હોડી ચલાવવામાં કોઈ કામના નથી હોતા તેમને સૌથી પહેલાં ફેંકી દેવામાં આવે છે. સંખ્યાનું વજન હળવું કર્યા સિવાય જ્યારે બીજો કોઈ ઉપાય રહેતો નથી ત્યારે કઠોર થઈને સાંખ્યા ઓછી કરવી જ પડે છે. પ્રબુદ્ધ જીવન આ જ નિયમ અંકટના સમયે સાર્વજનિક બનાવવા ઘટે છે. જો ખાવાનું અન્ન ઓછું હોય અને લોકસંખ્યા વધી જાય તે જેવી રીતે પ્રજોત્પત્તિ રોકવામાં આવે છે તેવી રીતે અનુપયોગી લોકોને પણ મૃત્યુને સોંપીને લોકસંખ્યાના ભાર હળવો કરવો રહ્યો. આ વાત કોઈ નવી અથવા તો દિ ન બનેલી એવી નથી. એક ડૂબી રહેલા જહાજના યાત્રીઓ જ્યારે હોડીમાં કૂદી પડયા ત્યારે તેમાં વધારે ગેારા હતા, ઓછી સંખ્યામાં ચીનાઓ હતા. ગારાએએ જ્યારે જોયું કે હોડીમાં ભાર વધી ગયો છે ત્યારે તેમણે ચીનાઆને ઉપાડીને ફેંકી દીધા અને ગારાઓને બચાવી લીધા. એક ચીના કોઈના આસનની નીચે છુપાઈ ગયેલા. તે ઉપર બેઠેલા લોકોના ભારથી દબાઈને મરી ગયો અને પછી તેની લાસને બહાર ફેકી દેવામાં આવી. ઉત્તર ધ્રુવની બાજુએ એસ્કિમો લોકો રહે છે, તેમની જીવન— યાત્રા કઠણ હોય છે. તેઓમાં એક નિયમ હોય છે કે તેમની પાસે જે કાંઈ ખાધાખારાકી હોય તે બધા વહેંચીને ખાય. કોણ કેટલું કમાઈને લાવ્યું છે તેને કોઈ હિસાબ જોતું નથી. કોઈ પુરુષાર્થી આદમી વધારે શિકાર લાવે છે; કોઈ આળસુ ઓછું લાવે છે; આના હિસાબ કોઈ કરતું નથી, પણ જ્યારે એ લોકો જુએ છે કે તેમનામાંના એક આદમી મહેનત જ કરતો નથી, અને મફતનું ખાય છે, ત્યારે બધા મળીને ઠરાવ કરે છે કે તે નકામા માણસને જીવવાના અધિકાર નથી, અને તેથી તેને ખતમ કરવા જોઈએ. પછી એ આદમી કાં તો ભાગી જાય છે અથવા તેને મેાતના કિનારે હડસેલી દેવામાં આવે છે. તો સવાલ એટલો જ છે કે આપણે બધા જીવતા આદમીએ એકમેકને બચાવવા ચાહીએ છીએ, અને એ માટે દુનિનામાં આવવાવાળા જીવાને રોકવાનો પ્રસ્તાવ કરીએ છીએ તો આપણે એમ કેમ ન વિચારીએ કે જીવવાવાળા લોકોમાં જેમનું જીવવું અનુપયુકત છે, ભારરૂપ છે એવા લોકોને લોકસંખ્યમાંથી કમી કરવામાં આવે. આ વિચાર ક્રાન્તિકારી છે. આજે આ વિચારને સાંભળવા માટે કઈ તૈયાર નહિ થાય. લોકો એમ કહેશે કે હજુ આવી કોઈ કઠણાઈ આપણી સામે આવીને ઊભી નથી. આપણે માની લઈએ કે સ્થિતિ એટલી વિધી. આમ છતાં પણ ન્યાયની વાત વિચારવી તા જોઈએ જ, આજે જે લાક જીવતા છે તેઓ પોતાને ગેારા લોક માને અને જેઓ આ દુનિયામાંથી જવાની તૈયારી કરી રહ્યા છે તેમને ચીની લોક માને અને પોતાની જાતીને બચાવવા માટે અસહાય જાતિને જીવનની હોડીમાં સ્થાન ન આપે તો આ કઠોરતાના આપણે ગંભીરતાપૂર્વક વિચાર તો કરવો જ જોઈએ. જેઓ જીવવાલાયક નથી તેમને બચાવવા, ખવરાવવું અને તેમની ઉમ્મર વધારતા જવું. કયાં સુધી યુક્તિસંગત છે એ વિચારવાની ઘડી આવી ગઈ છે. લેકસસંખ્યાના વિચાર જેમ જનતાના એક છેડેથી કરવામાં આવે છે તેમ જ મરણના બીજે છેડેથી પણ વિચારવા ઘરે છે. આપણી જિજીવિષા (જીવવાની ઈચ્છા) આપણને કાયર ન બનાવે. જેવી રીતે થાકેલા આદમી સેવાનિવૃત્ત થાય છે, તેવી રીતે જીવન માટે અનુપમુક્ત પ્રાણી જીવનનિવૃત્ત થઈ જાય તે યોગ્ય છે, ન્યાયમુકત છે. Àાભાસ્પદ છે. અનુવાદક: પરમાનંદ મૂળ હિંદી : કાકા કાલેલકર તા. ૧૬-૧૨-૬૬ પ્રકી નોંધ “બીજા છેડેથી વિચારીએ” એક વિલક્ષણ વિચારણા, જ્યારે કોઈ એક વિશિષ્ટ વ્યકિતનું કોઈ વિશેષ વિચાર રજૂ કરતું લખાણ મારા જોવામાં આવે છે અને તે વિશેષ વિચારને મારી વિવેકબુદ્ધિ અનુમત કરે છે ત્યારે તે લખાણને પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ રજૂ કરવા હું પ્રવૃત્ત થાઉં છું. પ્રસ્તુત લેખ કાકાસાહેબ કાલેલકર જેવી વિશિષ્ટ વ્યકિતના છે અને તેમાં આજ સુધી ભાગ્યે જ સાંભળ્યો હોય એવા વિશેષ વિચાર પણ રહેલા છે, પણ તે ઉપરથી તે વિશેષ વિચારને કોઈ અંશમાં મારૂ બૌદ્ધિક અનુમાદન કે સમર્થન છે એમ કોઈ ન સમજે. ઉલટું તે વિશેષ વિચાર અંગે મેં અત્યન્ત તીવ્ર પ્રતિકૂળ પ્રત્યાઘાત અનુભવ્યો છે. એમ છતાં તા. ૧-૧૨-૬૬ના ‘મંગળ પ્રભાત'માં પ્રગટ થયેલ આ લખાણ (મૂળ હિંદી)ના અનુવાદ હું પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરી રહ્યો છું. એમ સમજી તથા વિચારીને કે, આપણી દુનિયાના વૃદ્ધો વિષે આવી હદ સુધીનો વિચાર કોઈ એક માનવી કરી શકે છે-અને તે કાકાસાહેબ કાલેલકર જેવી અસાધારણ વિશિષ્ટ કોટિની અને ગાંધીવાદને વરેલી વ્યકિત—આ કદિ કલ્પનામાં ન આવે એવી એક ભારે આશ્ચર્યજનક ઘટના છે અને તેથી પ્રબુદ્ધ જીવનના વાચકો સમક્ષ રજૂ કરવા જેટલા મહત્વની મને લાગી છે. કાકાસાહેબ સાથે મારો વર્ષોજૂનાઆશરે ૫૫ વર્ષ પુરાણા--- સંબંધ છે અને તે પરસ્પર ઘનિષ્ટ સ્નેહથી સતત સિંચાતા રહેલા છે. મારે મન તેઓ એક માર્ગદર્શક વડિલ સમા રહ્યા છે. અમારી બન્ને વચ્ચે—જ્યારે પણ મળવાનું બને ત્યારે અને કદિ દિ પત્રો મારફત—–એકધારો વિચારવિનિમય ચાલતો રહ્યો છે. તેમના વિચાર અને વલણાથી ભાગ્યે જ જુદા પડવાનું બન્યું છે. પ્રબુદ્ધ જીવનના અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મારફત યોજાતી પર્યુપણ વ્યાખ્યાનમાળાના તેઓ આદ્યપ્રેરક પુરુષ જેવા છે અને જ્યારે માગ્યો ત્યારે તેમના તરફથી મને પૂરો હાર્દિક સહકાર મળતો રહ્યો છે. મારા વિચારઘડતરમાં તેમના ઘણા મોટા ફાળા છે. આ બધાના પરિણામે કાકાસાહેબની એક Image-પ્રતિમા––મારા ચિત્તમાં પ્રતિષ્ઠિત થઈ છે. તે Image ને કાકાસાહેબના આ લખાણે સખત આઘાત પહોંચાડયા છે અને મારા દિલમાં પ્રશ્ન ઊભા કર્યા છે કે શું આ એ જ અહિંસા, મૈત્રી, કરુણા, અને ગુરુજનસેવાના પ્રરૂપક કાકાસાહેબ છે કે જેમની કલમમાંથી આવે માનવતાઘાતક લેખ જન્મ પામ્યા છે? આ લખાણ ઉપયુકતતાવાદની ચરમ સીમા રજૂ કરે છે; લખાણના પદે પદે એક પ્રકારની નિષ્ઠુરતા-કઠોરતા-નીતરતી લાગે છે. તેમના વિચારના સમર્થનમાં આપેલા દષ્ટાન્તા કેટલા પ્રમાણભૂત કે વાસ્તવિકતાને વફાદાર છે એ વિષે મન શંકા અનુભવે છે. પ્રસ્તુત લખાણદ્રારા રજૂ થતી વિચારણાનાં implications સીધા તેમ જ આડકતરા સૂચનો—ભારે અનર્થજનક ભાસે છે, આજે કેવળ પોતાના સુખભાગમાં રાચનું યુવાન માનસ વૃદ્ધાવસ્થાને પહોંચેલા વડિલને પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા, કર્તવ્યશૂન્યતા, નફરત દાખવી રહેલ છે, તેને આ પ્રકારની વિચારણા કેટલી ટેકારૂપ બને તેમ છે એને વિચાર આવતાં દિલ કંપે છે. આવા તીવ્ર સંવેદનપૂર્વક અને અચકાતા ખચકાતા મનથી, ભારે હૈયે, આ નોંધ હું લખી રહ્યો છું. Fair Trade-Praetices Association: વ્યાઘારવિષયક સદ્વ્યવહાર મંડળ છેલ્લી ગાંધી જયંતીના શુભ દિને મુંબઈમાં એક નવી વ્યાપારી સંસ્થાનો જન્મ થયો છે. તે સંસ્થાનું નામ છે: “ Fair Trade Page #247 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૧ મબુક જીવન Practices Association” – વ્યાપાર વિષયક વ્યવહાર મંડળ. આ મંડળના પ્રણેતાઓનાં નામ નીચે મુજબ છે:૧. શ્રી એમ. એલ. આખે, ૧૦. શ્રી એસ. એલ. કિર્લોસ્કર ૨. શ્રી રામકૃષ્ણ જે. બજાજ, ૧૧. શ્રી અરવિંદ એન. મફતલાલ ૩. ડૅ. એસ. કે. બસુ, ૧૨. શ્રી કેશવ સી. મહીન્દ્ર ૪. શ્રી વસંતકુમાર બીરલા, ૧૩. શ્રી રામનાથ એ. પટ્ટાર ૫. ડૅ. આર. સી. ફૂપર, ૧૪. શ્રી પી. એલ. ટન્ડન ૬. શ્રી વાઈ. એ. ફઝલભાઈ, ૧૫. શ્રી જે. આર. ડી. તાતા ૭. શ્રી સી. એલ. ઘીવાળા, ૧૬. શ્રી નવલ એચ. તાતા ૮. શ્રી એસ. પી. ગોદરેજ, ૧૭. શ્રી એન. એમ. વાગલે, ૯. શ્રી ધરમશી એમ. ખટાઉ, આ સંસ્થાના નીચે મુજબ ઉદ્દેશ છે: ' (૧) વ્યાપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં વાપરનારના લાભમાં હોય એવા સદ્વ્યવહારને ઉત્તેજન આપવું અને વ્યાપારી કેમ વિશે સામાન્ય જનતામાં વધારે સદ્ભાવ અને વિશ્વાસ પેદા કર. (૨) વ્યાપારી કોમના સભ્યોને અનુસરવા માટે એક આચારસંહિતા નિર્માણ કરવી. (૩) આ આચારસંહિતાને બને તેટલી વ્યાપક જાહેરાત આપવી અને માલ પેદા કરવામાં અને પુરો પાડવાના વ્યવસાયમાં રોકાયેલા અને માલ વાપરનારાઓને સેવા આપતા વર્ગમાંથી બને તેટલા લકોને પ્રસ્તુત આચારસંહિતાને સ્વીકાર કરવા તરફ વાળવા. (૪) આ મંડળના હેતુઓને અમલ કરવા માટે યોગ્ય સારતએ નાણાં ઊભા કરવા, ઉછીનાં લેવાં અથવા તે પ્રાપ્ત કરવા. (૫) અને આ મંડળના ઉપર જણાવેલ હતુઓના સીધા કે આડકતરા અમલ માટે સામાન્ય રીતે જરૂરી હોય તેવી બધી પ્રવૃત્તિઓ હાથ ધરવી. આ મંડળમાં સભ્ય થવા માટે નીચે મુજબનું વાર્ષિક લવાજમ મુકરર કરવામાં આવ્યું છે: વ્યકિતઓ અને વ્યાપારી પેઢીઓ માટે રૂા. ૧૦૦, પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ માટે - રૂા. ૨૫૦, પબ્લીક લિમિટેડ કંપનીઓ માટે રૂ. ૫૦૦, આ મંડળના સભ્યો માટે નક્કી કરવામાં આવેલી આચારસંહિતા નીચે મુજબ છે: આચારસંહિતા (૧) હું માત્ર વ્યાજબી અને યોગ્ય ભાવ લઈશ અને આ ભાવ માલ ખરીદનારના પૂરા ધ્યાન ઉપર આવે એ માટે જરૂરી એવાં બધાં પગલાં ભરીશ. (૨) મારા નીમેલા આડતિયાઓ અથવા વ્યાપારી નક્કી કરેલા ભાવથી જરા પણે વધારે ભાવ ન લે એ પ્રકારની એકસાઈ માટે જરૂરી એવા બધાં પગલાં ભરીશ. (૩) અછતના વખતમાં નફાખોરી કે સંઘરાખોરી કરવાના આશયપૂર્વક કોઈ પણ માલના જથ્થાને હું સંઘરીશ કે છુપાવીશ નહિ. (૪) વેચાણ માટેની વસ્તુઓમાં હું કઈ પણ પ્રકારની ભેળસેળ કરીશ નહિ. " (૫) કોઈ પણ જાતના બનાવટી માલ અથવા તે જાહેર કરવામાં આવેલ હોય તેથી ઉતરતા ધોરણને માલ હું પેદા કરીશ નહિ અથવા તો તેવા માલને હું વેપાર કરીશ નહિ.. (૬) ગેરરસ્તે દોરે–ગેરસમજૂતી પેદા કરે–તેવી કોઈ જાહેરાત હું કરીશ નહિ. (૭) આયાત કરેલા કે નિકાસ કરવાના માલનું બીલ હું એના સાચા ભાવ પ્રમાણે બનાવીશ. (૮) વેચાણ માટેના માલના માપતેલની ચોક્કસાઇ હું બરોબર સાચવીશ, અને (૯) જાણી જોઈને દાણચોરી દ્વારા આના માલને હું વેપાર કરીશ નહિ. દેશભરમાં નફાખોરી, લાંચરૂશ્વત, કળાબજાર, સંયોગને ગેરલાભ ઉઠાવ વગેરે અનેક આક્ષેપે આજે વ્યાપારીઓ ઉપર થઈ રહ્યા છે. આ કલંકમાંથી વ્યાપારી સમાજને મુકત કરવાના અને ચેકસ સિદ્ધાંત ઉપર વ્યાપારી વ્યવસાયને સ્થિર અને સુદઢ . બનાવવાના હેતુથી આ મંડળની સ્થાપના કરવામાં આવી છે. આ દ્રવ્યોપાર્જન ઉપરાંત સમાજ પ્રત્યે પિતાની ચક્કસ જવાબદારી છે અને એ જવાબદારીની સભાનતાપૂર્વક સમગ્ર વ્યાપાર વ્યવસાયનું નિર્માણ થવું જોઈએ-આવી ભાવના ધરાવતા દરેક વ્યાપારીને અને ઉદ્યોગપતિને આ મંડળના સદસ્ય બનીને તેને બને તેટલું બળવાન અને સદ્ધર બનાવવાનો અનુરોધ કરવામાં આવે છે. આ વિષયમાં આગેવાની લેનાર વ્યાપારીઓને ધન્યવાદ ઘટે છે. દુકાળસંકટને મુકાબલે: આપણું કર્તવ્ય સર્વ સેવા સંઘના મંત્રી શ્રી રાધાકૃષ્ણન તરફથી નીચે મુજબને તા. ૨-૧૨-૬૬ને અંગ્રેજીમાં પરિપત્ર મળ્યું છે, જેને અનુવાદ નીચે મુજબ છે : “મને ખાત્રી છે કે બિહારમાં અને ઉત્તર પ્રદેશ તથા મધ્યપ્રદેશના કેટલાક વિભાગોમાં ઊભી થયેલી અતિ ગંભીર દુષ્કાળ-પરિસ્થિતિના સમાચાર તમારા ધ્યાન ઉપર આવી ચૂક્યા હશે. આ પ્રદેશ માટે હવે પછીના દશ મહિના ઘણી મોટી કટોકટીના હશે. આવી કટોકટી પિતાની જિંદગીમાં આજ સુધી કદિ નિહાળી નથી એ રીતે વિનોબાજી ત્યાંની અઘતન પરિસ્થિતિને વર્ણવી રહ્યા છે. ગ્રામદાન કટોકટીના વખતે સંરક્ષણ ઉપાય છે, સર્વ સમય માટે વિકાસ ઉપાય છે અને આ પ્રદેશમાં તે એક રાહત ઉપાય તરીકે પુરવાર થાય એવો પૂરો સંભવ છે.” તેમણે જણાવ્યું છે કે “આ વર્ષે બિહારને દુષ્કાળ ઘણા ગંભીર છે. તે કોઈ સાધારણ બાબત નથી. જો આ બાબતમાં પુરી સંભાળ લેવામાં નહિ આવે, દુષ્કાળને સામને કરવા માટે બિહારની બધી તાકાતને સુગ્રથિત કરવામાં નહિ આવે, ભારતના બીજા રાજ્ય તરફની બધી મદદને સુયોજિત કરવામાં નહિ આવે, કેન્દ્ર સરકાર તરફથી પૂરો ટેકે નહિ મળે અને ભારત–બહારના દેશોમાંથી જરૂરી મદદ હાથવગી કરવામાં નહિ આવે તે તમારે અને મારે અન્ન અનાવના કારણે લાખ માણસને મરતા જેવાના રહેશે. ૧૯૪૩માં કલકત્તામાં લગભગ ૩૦ લાખ માણસે ભૂખના કારણે મરણ ભેગા થયા હતા, પણ ત્યારની જવાબદારી કેવળ અંગ્રેજી હકુમતની હતી. આજે જોએ ભયાનક કરુણતાનું બિહારમાં પુનરાવર્તન થાય છે તે માટે આપણે બધા જવાબદાર અને ગુનેગાર લેખાઈશું. આ પ્રકારના સંગામાં દેશના નાગરિકોએ બીજી બધી બાબતેમાંથી પોતાના મનને વાળી લેવાનું રહેશે અને આ સમસ્યા ઉપર પોતાના સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.” બિહારમાં એક બિનસરકારી પ્રતિનિધિઓની રાહત સમિતિ ઊભી કરવામાં આવી છે અને શ્રી જયપ્રકાશ નારાયણ તેના પ્રમુખ છે. આ રાહત સમિતિ સરકારી રાહત પ્રવૃત્તિઓને પૂરી સાથ આપશે–ખાસ કરીને એ હેતુથી કે રાહતકાર્યમાં નકામી ઢીલ થવા ન પામે અને જેમને મદદ કરવાની છે તેમને વખતસર મદદ પહોંચે. જિલ્લા અને બ્લેકલેવલ એજન્ટે. અને નાગરિકોના પ્રતિનિધિઓની સમિતિઓ નીમાઈ ચૂકેલ છે અને આ વિષમ પરિસ્થિતિ ટાળવા માટે જરૂરી સહકાર અને ટેકો મળે તે હેતુથી દેશમાંથી તેમ જ દેશબહારથી જે કાંઈ સાધનસામગ્રી મેળવી શકાય તેમ હોય તેને એકઠી કરવાનું કાર્ય શરૂ થઈ ચૂકયું છે. દેશના સાત માણસે આજે લગભગ એક માણસ આ દુષ્કાળની અસરનો ભાગ બનેલ છે. બિહારના સર્વોદય કાર્યકરે આ પરિસ્થિતિમાં પિતાને જે ભાગ ભજવવાને છે તેને પૂરો ખ્યાલ કરી સધનપણે કામ કરવાને અને પરિસ્થિતિના પડકારને પહોંચી વળવાનો નિરધાર કરી ચુકયા છે. . પ્રશ્ન છે જે આ દુકાળગ્રસ્ત વિભાગોની બહાર વસે છે તેમનું આજની પરિસ્થિતિમાં શું કર્તવ્ય છે તેને લગત. તમે એક Page #248 -------------------------------------------------------------------------- ________________ # વ્યકિત તરીકે શું કરી શકો તેમ છે? સ્થાનિક સર્વોદય સંસ્થાના એક અંગભૂત સભ્ય તરીકે તમે શું ॰ી શકો તેમ છે? આપણી સંવેદનશીલતાને ટકાવી રાખીએ તો જ આપણે ક્રાંતિકારી માનસ વિકસાવી શકીએ. તમે અને તમારૂ મંડળ નીચેની બાબતો કરી શકો :– (૧) બિહારમાં અને બીજાં રાજ્યોમાં શું થઈ રહ્યું છે એ બાબતના પૂરા સંપર્કમાં રહો અને વ્યવસ્થિત અને જવાબદારીભર્યા ઐચ્છિક પ્રયત્ના દ્રારા આ પડકારને કેવી રીતે સામને થઈ રહ્યો છે તે વિષે પૂરી જાણકારી રાખે. (૨) બિહારમાં અને બીજા દુષ્કાળગ્રસ્ત પ્રદેશોમાં ઊભી થતી જતી પરિસ્થિતિ વિષે તમારા પ્રદેશમાંના લાકોને ખબરો પહોંચાડતા રહે. (૩) તમે પોતે થોડો આત્મ-નિરોધ કરો અને લોકોને તેમ કરવા કહ્યું અને આ રીતે બીજાને આપવા - પહેોંચાડવા માટે થોડું-થોડું બચાવતા રહો. (૪) જે પ્રકારના રાહતકાર્યમાં તમે અથવા તમારા મિત્ર મદદરૂપ થઈ શકે તેમ હોય તે પ્રકારના રાહતકાર્ય માટે ચાક્કસ પ્રદેશ અથવા વિભાગ પસંદ કરવા અંગે બિહાર રાહત સમિતિના સંપર્કમાં રહેા. (તમને બાલાવવામાં ન આવે ત્યાં બિહાર દોડી જવાની કૃપા કરીને ઉતાવળ ન કરી.) (૫) આ કટોકટીની મુદત સુધી દુકાળ - ગ્રસ્ત કુટુંબાને દત્તક લેવા માટે તમારા વિભાગમાંના લોકોને પ્રોત્સાહન આપે. (૬) દાન એકઠાં કરી અને રાહતકાર્ય કરતી સમુચિત એજન્સીઓ ઉપર તે રવાના કરશે. (૭) કાપડ, નવાં અને વાપરી શકાય એવાં જૂનાં વસ્ત્રો તેમ જ ધાબળા, ચાદર, ગરમ ગંજીફાક, બાળકોનાં કપડાં-આ ચીજોની ખૂબજ જરૂર છે. તો આમાંથી જે કાંઈ શક્ય હોય તે એકઠું કરીને યોગ્ય સ્થાને રવાના કરી. (૮) આ ગંભીર પરિસ્થિતિમાં દુકાળ - ગ્રસ્ત વિભાગોને મદદ કરી શકે એવા નાગરિકાની સ્થાયી સમિતિ ઊભી કરી. રાહત માટે જે કાંઈ સાધનસામગ્રી મોકલવાની હોય તે રેલ્વે દ્વારા મોકલવા માટે રેલ્વવાળાઓએ કન્સેશન—ચાલુ દરમાં અમુક રાહત આપવાની જાહેરાત કરી છે. બિહાર રીલીફ કમિટી (બિહાર રાહત સમિતિ)નું ઠેકાણુ' : નીચે મુજબ છે: Cottage Industries Emporium Building Gandhimaidan Patna-4, Bihar સત્વર સક્રિય બનવા તમને અમારો અનુરોધ છે અને અમને મદદ કરવા માટે તમે શું કરી શકો તેમ છે તે જણાવવા વિનંતિ છે.” આ અપીલ ખાસ કરીને સર્વોદય કાર્યકરોને ઉદ્દેશીને કરવામાં આવી છે, એમ છતાં પણ, તેનો અનુરોધ દુષ્કાળગ્રસ્ત વિભાગની બહાર વસતી સમાજસેવા કરતી સર્વ કોઈ વ્યકિતઓને અને મંડળાને છે. તે આ અસાધારણ સંકટમાં રાહત પહોંચાડવા અંગે જે કોઈ વ્યકિત અથવા મંડળથી જે કાંઈ શક્ય હોય તે કરી છૂટવામાં જરા પણ પ્રમાદ કે ઉદાસીનતા ન સેવે એવી સમગ્ર માનવતાપ્રેમી જનતાને પ્રાર્થના છે. બુદ્ધ જીવન બિહાર દુષ્કાળ રાહત માટે જૈનોના ઉદાર ફાળ ઉપરની નોંધના અનુસંધાનમાં જણાવતાં આનંદ થાય છે કે ચાતુર્માસ દરમિયાન જૈન મુનિએ આષાઢ સુદ ૧૪ થી કાર્તિક શુદ ૧૪ સુધી એક જ સ્થળે નિવાસ કરે છે અને કાર્તિક શુદ ૧૫ના રોજ સ્થાનાંતર - સ્થળાંતર કરે છે આ પરંપરાને અનુસરીને મુંબઈના કોટ વિભાગના ઉપાશ્રયમાં ચાતુર્માસ પૂરા કરીને જૈન શ્તે, મૂ. સમાજના તા. ૧k-૧૨-કુ એક આગેવાન શ્રી જયંતીલાલ રતનચંદના નિવાસસ્થાને મુનિશ્રી ચંદ્રપ્રભસાગર (ચિત્રભાનુ) પધાર્યા અને ત્યાં એકત્ર થયેલા જૈન સમાજ સમક્ષ કરવામાં આવેલા પ્રવચનના અન્તે બિહારની દુષ્કાળગ્રસ્ત પ્રજાને મદદ કરવા માટે મુનિશ્રીએ હૃદયસ્પર્શી અપીલ કરી જેના પરિણામે શ્રી જયંતીલાલ રતનચંદે રૂ!. ૫,૦૦૦ ની શરૂઆત કરી અને જોતજોતામાં કુલ રૂા. ૬૩,૦૦૦/- ના ફાળા ભરાઈ ગયો અને ત્યાર બાદ સાંભળવા મુજબ, આજ સુધીમાં તે ફાળાનો આંકડો લગભગ એક લાખ સુધી પહોંચાડવાની ધારણા છે. આ શુભ ઘટના જૈન સમાજના હાડમાં રહેલી સ્વાભાવિક ઉદારતા અને કરુણાપરાયણતાને પુરવાર કરે છે. આ ફાળા માટે પ્રેરણા આપનાર મુનિશ્રીને અને ઉદાર દિલથી ફાળામાં મોટી મોટી રકમ ભરાવનાર જૈન શ્રીમાનાને હાર્દિક ધન્યવાદ ઘટે છે. સાર્વજનિક આરોગ્ય-કેન્દ્રનું ઉદ્ઘાટન શ્રી ભારતીય આરોગ્ય નિધિ તથા શ્રી જૈન શ્વે. કોન્ફરન્સના સહ—યાજનથી થોડા સમય પહેલાં બાળકો માટે કોઈ પણ જાતના ભેદભાવ વિનાનું મફત દુધ કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. તાજેતરમાં તા. ૪-૧૨-૬૬ ના રોજ એ જ બે સંસ્થાના સહસંયોજનથી તબીબી રાહતને લગતી અનેક પ્રકારની સગવડો આપતું સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાલવામાં આવ્યું છે. આ યોજનામાં મફત અથવા તે નજીવી રકમ લઈને બાળકો, સ્ત્રીઓ, પુરુષો તથા સાધુ-સાધ્વીઓ માટે તબીબી સલાહની, વિટામીન - મિનરલ ધરાવતાં પોષણદ્રવ્ય પૂરાં પાડવાની, તથા એક્સરેની તેમ જ પડતરથી ઓછા ભાવે દવા - ઈન્જેકશનો પૂરા પાડવાની કશા પણ ભેદભાવ સિવાય સગવડો આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. સાધારણ સ્થિતિવાળા અને આર્થિક ભીંસ અનુ ભવતા કુટુંબ માટે આ પ્રકારની રાહતલક્ષી સગવડો એક મેટા આશીર્વાદ રૂપ નીવડે છે. ભારતીય આરોગ્ય નિધિ તો આ કાર્યવર્ષોથી કરતું આવ્યું છે અને ક્ષયનિવારણના ક્ષેત્રે તેણે અદ્ ભુત સેવા બજાવી છે. આ માનવતાલક્ષી શુભ કાર્યમાં જૈન શ્વે. કૉન્ફરન્સ જોડાય એ કાન્સને સજીવન બનાવવાની દિશાએ શુભસૂચક પગલું છે. આપણે આશા રાખીએ કે આવી તેમ જ અન્ય કલ્યાણકારી પ્રવૃત્તિએ દ્વારા કોન્ફરન્સમાં નવા પ્રાણ પુરાય અને જૈન શ્વે. મૂ. સમાજના અંગત પ્રશ્નો સ્પર્શવાની–ઉકેલવાની તાકાત કેળવાય. ઉપર જણાવેલ મફ્ત દુધ કેન્દ્ર તથા તબીબી રાહતને લગતા આરોગ્ય - કેન્દ્ર સંબંધી વધારે માહિતી મેળવવા માટે શ્રી જૈન શ્વે, કોન્ફરન્સ કાર્યાલયના (ગોડીજી બિલ્ડીંગ, બીજે માળે, ગુલાલવાડીના નાકે, મુંબઈ - ૨). અથવા ભારતી આરોગ્યનિધિ કાર્યાલયના (દયામંદિર, ૧૨૩, મુમ્બાદેવી રોડ, મુંબઈ-૩)ના સંપર્ક સા .વા. “નૂતન વર્ષના મંગળ પ્રભાતે ” ઉપરનાં મથાળા નીચે પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ થયેલ એક નાના સરખા કાવ્ય ની અે શ્રી ગજાનન જોશીનું નામ ભૂલથી મૂક વામાં આવ્યું છે. તેને બદલે તે કાવ્યના રચયિતા શ્રી કરસનદાસ માણે કનુ નામ મૂકવું જોઈએ. પરમાનંદ. સંધના સભ્યાને આગ્રહભરી વિનંતી ઈ. સ. ૧૯૬૬નું વર્ષ હવે પૂરું થવા આવ્યું છે. આમ છતાં પણ કેટલાક સભ્યોના ચાલુ વર્ષના લવામા હજુ સુધી ભારાયા નથી. તો જે જે સભ્યોના લવાજમ બાકી હોય તેમને લવાજમના ા. ૫-૦૦ સત્વર ભરી જવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ Page #249 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૯-૧૨-૧૪ * સબળ ઇન મા છે રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણે (શ્રીમદ્ રાજચંદ્ર ભારતની એક વિરલ આધ્યાત્મિક વિભૂતિ જન્મને ધર્મ મારે ન જ તજવી જોઈએ. તેથી મેં હિંદુ અને બીજાં હતા, તેમને જન્મ વિ. સં. ૧૯૨૪ની કાર્તિક સુદ પૂર્ણિમાને રોજ (ઈ.સ. ધર્મપુસ્તકો વાંચવા શરૂ કર્યા. ખ્રિસ્તી, મુસલમાની પુસ્તકો વાંચ્યાં.” ૧૮૬૭) થયો, અને ૩૩ વર્ષની ઉમ્મરે વિ.સં. ૧૯૫૭ના ચૈત્ર લંડનમાં થયેલ અંગ્રેજ મિત્રોની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમની વદ ૫ના રોજ (ઈ. સ. ૧૯૦૧) તેમનું અવસાન થયું. તેમના જન્મ આગળ મારી શંકાએ મૂકી, તેમ જ હિંદુસ્તાનમાં જેઓ ઉપર મારી દિવસના હિસાબે ગત કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે ૧૦૦ મું વર્ષ કંઈ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમાં શરૂ થયું. આ જન્મશતાબ્દિના અનુસંધાનમાં શ્રીમદ્જન્મશતાબ્દિ રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તે મને સરસ સંબંધ બંધાઈ મંડળ તરફથી ત્રણ પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે. (૧) શ્રી ચૂક હતા. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી મુકુલભાઈ કલાર્થીએ તૈયાર કરી આપેલું શ્રીમદ્ રાજચંદ્રનું જીવન- શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાંતિ ચરિત્ર “જીવન સાધના” નામથી બહાર પડેલ છે, જેની કિંમત છે. પામે. હિંદુધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે એ મનને રૂપિયા ૧-૨૫. (૨) શ્રીમનાં કાવ્યો ‘રાજપદના નામથી, કિંમત વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારૂ રાયચંદભાઈ જવાબદાર થયા. રૂપિયા ૦૦-૫૦ (૩) શ્રીમદ્ભા પત્રમાંથી તારવેલા વચનોને સંગ્રહ. એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેને કર વિચાર તે પામ'ના નામથી, કિંમત રૂા. ૦૦-૬૦. આ પુસ્તકો ખ્યાલ વાંચનારને આવશે. મેસર્સ એમ. વાડીલની કંપની, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–આ. એમ છતાં એમને મેં ધર્મગુરુ નથી માન્યો. ધર્મગુરુની તે શોધ ઠેકાણેથી મળી શકશે.. જ કર્યા કરું છું, અને હજુ સુધી મને બધાને વિષે “આ નહિ એમ જ શ્રીમદ્ રાજચંદ્રને જેમના વિચારઘડતરમાં ઘણા માટે ફાળે જવાબ મળ્યો છે. એવા સંપૂર્ણ ગુરુ મળવાને સારૂ અધિકાર જોઈએ, હતા એવા ગાંધીજીએ સંવત ૧૯૭૯માં–ઈ. સ. ૧૯૨૩માં-કેટલાક તે કયાંથી કાટું? , મિત્રોના આગ્રહને વશ થઈને કેટલાંક સ્મરણે લખી આપેલા. શ્રીમદ્ રાજચંદ્રના ઉત્કૃષ્ટ વ્યકિતત્વને સપ્રમાણ ખ્યાલ પ્રાપ્ત કરવા માટે આ . સ્મરણેનું અહિં પુન: પ્રકાશન અત્યન્ત સમયોચિત અને પ્રસંગે રાયચંદભાઈની સાથે મારી ઓળખાણ સન ૧૮૯૧ના જુલાઈ 'ચિત લાગે છે, તદુપરાંત આ સ્મરણમાં બન્નેના વ્યકિતત્વની પ્રતિભા માસમાં જે દિવસે હું વિલાયતથી પાછો ફરી મુંબઈ પહોંચ્યું તેજ અભૂત રીતે પ્રતિબિંબિત થાય છે અને તેથી તેનું અસાધારણ દિવસે થઈ. એ દિવસોમાં દરિયામાં તેફાન હોય છે, તેથી આગબેટ મહત્ત્વ છે. પરમાનંદ) મેડી પહોંચેલી ને રાત પડી ગઈ હતી. મારો ઉતારો દાકતર-બેરિસ્ટર જેનાં પવિત્ર સંસ્મરણો લખવાને હું આરંભ કરૂં છું તે સ્વ. અને હવે રંગૂનના પ્રખ્યાત ઝવેરી પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં શ્રીમદ્ રાજચંદ્રની જન્મતિથિને આ દિવસ છે, એટલે કાર્તિક પૂર્ણિમા. હતા. રાયચંદભાઈ તેમના વડીલ ભાઈના જમાઈ થાય. દાકતરે જ મારો પ્રયત્ન શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર લખવાને નથી. એ પરિચય કરાવેલું. તેમના બીજા વડીલભાઈ ઝવેરી રેવાશંકર જગજીવનની કાર્ય મારી શકિતની બહાર છે, મારી પાસે સામગ્રી નથી. જીવન ઓળખ પણ તે જ દિવસે થઈ. દાકતરે રાયચંદભાઈને “કવિ' કહી ચરિત્ર લખવું હોય તે હું તેમની જન્મભૂમિ વવાણિયા બંદર ઓળખાવ્યા, અને કહ્યું, મને કહ્યું, “કવિ છતાં યે અમારી સાથે વેપામાં કેટલેક વખત ગાળું, તેમનું રહેવાનું મકાન તપાસું, તેમના રમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.' કોઈએ સૂચના કરી કે, રમવા-ભમવાનાં સ્થાને જોઉં, તેમનાં બાળમિત્રોને મળું, તેમની મારે કેટલાક શબ્દો તેમને સંભળાવવા ને તેઓ તે શબ્દો ગમે તે ભાષાના નિશાળમાં જઈ આવું, તેમના મિત્રો-અનુયાયીઓ, સગાસંબંધીઓને હશે તે પણ જે ક્રમમાં હું બોલ્યો હઈશ તે જ ક્રમમાં પાછા કહી મળું, તેમની પાસે જાણવાનું જાણી લઉં ને પછી જ લખવાને આરંભ જશે. મને આ સાંભળીને આશ્ચર્ય થયું. હું તે જુવાનિયો, વિલાયતથી કરૂં.. આમાંની કોઈ વસ્તુને મને પરિચય નથી. આવેલે; મારા ભાષાજ્ઞાનને પણ ડોળ; મને વિલાયતને પવન ત્યારે પણ સ્મરણ લખવાની પણ મારી શકિત અથવા યોગ્યતા વિષે કંઈ ઓછો ન હતે. વિલાયતથી આવ્યા એટલે ઊંચેથી ઉતર્યા. એ મને શંકા ઉત્પન્ન થઈ છે. અવકાશ હોય તે તેમનાં સ્મરણો લખું. મારૂં બધું જ્ઞાન ઠાલવ્યું અને જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ તો એ ઉદ્ગાર મેં એકથી વધારે વખત કાઢેલે મને યાદ છે. તેમના મેં લખી કાઢયા–કેમકે મને ક્રમ કયાં યાદ રહેવાનો હતે? અને એક શિષ્ય કે જેમને સારૂ મારા મનમાં ઘણું માન છે, તેમણે પછી તે શબ્દ વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક તે સાંભળેલું અને આ આરંભ તેમને સંતોષવાને ખાતર છે. પછી એક બધા શબ્દો કહી દીધા. હું રાજી થયો, ચકિત થશે અને મારી ઉપર ત્રણ પુરૂષાએ ઊંડી છાપ પાડી છે. ટૅ ય, રસ્કિન કવિની સ્મરણશકિત વિશે મારો ઊંચો અભિપ્રાય બંધાય. વિલાયતને અને રાયચંદભાઈ. ટોલસ્ટોયની તેમના અમુક પુસ્તક દ્વારા અને પવન હળવો પાડવા સારૂ આ અનુભવ સરસ થયો ગણાય. ' ' તેમની સાથેના થડા પત્રવ્યવહારથી. રસ્કિન તેના એક જ પુસ્તક : કવિને અંગ્રેજી જ્ઞાન મુદ્દલ ન હતું, તેમની ઉંમર તે વખતે ‘અનટુ ધિસ લાઈટ” થી, જેનું ગુજરાતી નામ ‘સર્વોદય’ મેં રાખ્યું પચીસથી ઉપર ન હતી. ગુજરાતી નિશાળમાં પણ થોડો જ અભ્યાસ છે. અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી હિન્દુ કરેલે, છતાં આટલી સ્મરણશકિત, આટલું જ્ઞાન અને આટલું તેમની 'ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર આસપાસના તરફથી માન.. આથી હું મહાયો. સ્મરણશકિત . રાયચંદભાઈ હતા. સને ૧૮૯૩ની સાલમાં દક્ષિણ આફ્રિકાના હું નિશાળમાં નથી વેચાતી. જ્ઞાન પણ નિશાળની બહાર જે ઈચ્છા કેટલાક ખ્રિસ્તી સજજનેના ખાસ સંબંધમાં આવે. તેમનું જીવન થાય - જિજ્ઞાસા હોય - તે મળે અને માન પામવાને સારું. વિલાયત સ્વચ્છ હતું. તે ધર્મચુસ્ત હતા. બીજા ધર્મવાળાને ખ્રિસ્તી થવા સમ- કે કયાંયે જવું નથી પડતું, પણ ગુણને માન જોઈએ તે મળી રહે છે જાવવા એ તેમને મુખ્ય વ્યવસાય હતે. જો કે મારો તેમની સાથે એ પદાર્થપાઠ મને મુંબઈ ઉતરતાં જ મળ્યો. સંબંધ વ્યાવહારિક કાર્યને જ અંગે થયેલ, તે પણ તેમણે મારા કવિની સાથે આ પરિચય બહુ આગળ ચાલ્યા. સ્મરણશકિત આત્માના કલ્યાણ અર્થે ચિંતા કરવા માંડી. મારું એક કર્તવ્ય હું ઘણાની તીવ્ર હોય, તેથી અંજાવાની કશી જરૂર નથી. શાસ્ત્રજ્ઞાન પણ સમજી શકયા. જયાં સુધી હિંદુધર્મનું રહસ્ય હું પૂરું પાણી ન લઉ ઘણામાં જોવામાં આવે છે, પણ જો તે સંસ્કારી ન હોય તે તેમની અને તેનાથી .મારા. આત્માને અસંતોષ ન થાય, ત્યાં સુધી મારા * . .' પાસેથી .ટી બદામ પણ નથી મળતી. સંસ્કાર સારા હોય ત્યાં જ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પ્રભુ સ્મરણશકિત અને શાસ્ત્રજ્ઞાનના મેળાપ ભે અને જગતને ાભાવે કવિ સંસ્કારી જ્ઞાની હતા. * પૂર્વ અવસર એવે કયારે કયારે થઈશું બાહ્યાન્તર સર્વ બંધનનું ધન તિક્ષ્ણ છેદીને, વિચરીશું કવ મહપુરૂષને પંથ શ્વે ? સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહું તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહિ, દેહે પણ કિંચિત્ મૂર્છા ન હોય જો....અપૂર્વ” રાયચંદભાઈના ૧૮ વર્સની ઉંમરે નીકળેલા અપૂર્વ ઉદ્ગારની આ પહેલી બે કીઓ છે. જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલા. તેમનાં લખાણાની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ તેમણે લખ્યું છે. તેમાં કયાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારૂ એક લીટી સરખી પણ લખી હોય એમ મે નથી જોયું. તેમની પાસે હંમેશા કંઈક ધર્મપુસ્તક અને એક કોરી ચાપડી પડેલી જ હોય. એ ચાપડીમાં પોતાનાં મનમાં જે વિચાર આવે તે લખી નાખે. કોઈ વેળા ગદ્ય ને કોઈ વેળા પઘ. એવી રીતે જ ‘અપૂર્વ અવસર' પણ લખાયેલું હોવું જોઈએ. આવશે, નિ થજો, ખાતાં બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મેહ થયા હોય એમ મેં નથી જોયું. તેમની રહેણીકરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતા. ભાજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદા: પહેરણ, અંગરખું, ખેંસ, ગરભસૂતરો ફેંટો ને ધોતી. એ કંઈ બહુ સાફ કે ઈસ્રીબંધ રહેતા એમ મને સ્મરણ નથી. ભાંયે બેસવું - ખુરસીએ બેસવું–બન્ને તેમના માટે સરખાં હતા. સામાન્ય રીતે તેઓ પોતાની દુકાનમાં ગાર્દીએ બેસતાં. તેમની ચાલ ધીમી હતી. અને જેનાર સમજી શકે કે ચાલતાં પણ પાતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતા: અત્યંત તેજસ્વી; વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરો ગાળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર નહિ, ચપટું પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિના હતા. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે, તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરો હસમુખા ને પ્રફુલ્લિત હતા. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતો કોઈ દિવસ શબ્દ ગોતવા પડયા છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મે એમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે કાંય વિચાર અપૂર્ણ છે કે વાકયરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે. આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતા. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગાને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી. એમ મારી ઉપર છાપ પડી હતી. મેક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે. જયાં સુધી જગતની એક પણ વસ્તુમાં મન ખેંચેલું છે ત્યાં સુધી મેાક્ષની વાત કેમ ગમે? અથવા ગમે તો તે કેવળ કાનને જ - એટલે જેમ આપણને અર્થ જાણ્યા સમજયા વિના કોઈ સંગીતના કેવળ સૂર જ ગમી જાય તેમ. એવી માત્ર કર્ણપ્રિય ગમ્મતમાંથી મેાક્ષને અનુસાર વર્તન આવતાં તે ઘણાં કાળ વહી જાય. આંતરવૈરાગ્ય વિના મેક્ષની લગની ન થાય. એવી વૈરાગ્યલગની કવિની હતી. અપૂર્ણ ગાંધીજી જીવન તા. ૧૬-૧૨-૬૬ શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ (શ્રી રામકૃષ્ણ પરમહંસની ૧૧૪મી જન્મ જયંતીના પ્રસંગે ૧૯૪૯ ના માર્ચ માસની ૨૦મી તારીખે દિલ્હી ખાતેના રામકૃષ્ણ મીશનમાં પંડિત જવાહરલાલ નહેરુએ અંગ્રેજીમાં એક યાદગાર વ્યાખ્યાન આપેલું. તેની પ્રમાણભૂત નોંધ એક નાની પુસ્તિકાના આકારમાં માયાવતી—આમાારાના અદ્વૈતાશ્રમ તરફ્થી પ્રગટ કરવાંમાં આવી છે. તેના શ્રી મેનાબહેન નરોત્તમદાસે કરી આપેલા સરળ અને સુવાચ્ય અનુવાદ પ્રગટ કરતાં આનંદ થાય છે. પંડિત જવાહરલાલજી જેવા એક સમર્થ ચિંતક, વિચારક અને વિવેચકના હાથે થયેલું રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ જેવી મહાન વિભૂતિઓના જીવનકાર્યનું આ ભવ્ય મૂલ્ય કન‘ પ્રબુદ્ધ જીવન’ના વાચકો માટે જરૂર પ્રેરક તેમ જ પ્રબોધક નીવડશે. પરમ.નંદ) સ્વામીજી અને મિત્ર આ ઉત્સવ પ્રસ ંગે તમે મને આમંત્રણ આપ્યું તે માટે આભાર માનું છું. આ નિમિત્તે સ્વામી રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિને અંજલિ આપવાની તક મળી તે માટે હું મને સદ્ભાગી માનું છું. સ્વામી રામકૃષ્ણના જીવન અને કથન વિષે કંઈ કહેવાને હું લાયક છું કે નહિ તે હું નથી જાણતો. કે કે સ્વામીજી ઈશ્વરીય અંશના પુરુષ હતા, જયારે હું ઐહિક પ્રવૃત્તિઓથી ઘેરાએલા અને તેમાં જ મારી સઘળી શકિત ખર્ચનારો એક દુન્યવી માનવી છું. પણ જેમ દુન્યવી મનુષ્ય પણ દૈવી આત્માખાથી પ્રભાવિત થાય છે, અને તેમના પ્રત્યે પોતાનો આદર દર્શાવી શકે છે, તેમ હું પણ એ ઉચ્ચ આત્માઆને કદાચ બરાબર સમજી શક્યા ન હોઉં તા પણ આદર તા રાખું જ છું. આવા પુણ્યાત્માઓએ જે કહ્યું અને તેમના અનુયાયીઓએ જે લખ્યું તેમાંનું ઘણું મેં વાંચ્યું છે, અને તેની મારા મન ઉપર ઊંડી અસર પડી છે. આવા અસાધારણ પુરુષોએ તેમની સમકાલીન તેમ જ ભાવિ પેઢી ઉપર ઘણી માટી અસર પાડેલી હોય છે, મહાન સત્તા ઉપર તેમણે પ્રભાવ પાડયો છે અને પ્રજાનાં જીવન ધોરણ બદલી નાખ્યા છે. સ્વામી રામકૃષ્ણે આવા એક દિવ્ય આત્મા હતા તે સુવિખ્યાત છે. ભારતમાં જે અનેક મહાન ઋષિઓ થયા કે જેમણે જીવનના ઉચ્ચ તત્વ તરફ જનસમુદાયને વાળવા સમયે સમયે જન્મ લીધે છે, તેમાંના જ એક વારસ સમાન શ્રી રામકૃષ્ણ હતા. ભારતે તેના લાંબા કાળના ઇતિહાસ દરમિયાન અનેક વ્યવહારિક પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેવા છતાં આધ્યાત્મિક મૂલ્યો તરફ કદી ઉપેક્ષા કરી નથી. ભારતે હંમેશા સત્યની ખોજ ઉપર ભાર મૂકયા છે. એવા સત્યશોધકેને સન્માન્યા છે, પછી ભલે ગમે તે નામ ધારણ કરી આ દુનિયામાં અવતર્યા હોય. આમ ભારતે સાધકોની એક પરંપરા ઊભી કરી છે, એટલું જ નહિ પણ સાથે સાથે, સૂઝયો તે માર્ગ સાધકે અપનાવ્યો હોય તો પણ, ઈશ્વરની ખોજમાં પડનાર તે વ્યકિતને પોતામાં સમાવી લેવાની સહિષ્ણુતાની પણ એક પરંપરા ઊભી કરી છે. કમનસીબે હમણા હમણામાં આપણી એ સહિષ્ણુતા ઓછી થઈ ગઈ છે, અને કેટલીક વખત આને લીધે આપણે અવળા માર્ગે ચઢી જઈએ છીએ. આપણાં મન સંકુ ચિત થઈ ગયાં છે અને પણિ મે એવી માન્યતામાં આપણે જકડાઈ ગયા છીએ કે જે માર્ગે આપણે ચાલી રહ્યા છીએ તે જ સાચા છે અને બીજા બધા ખોટા છે. આજ દિવસ સુધીના ભારતની આ પ્રણાલી નહોતી. સર્વને સમાવી લેવાની હૃદયની ઉદાત્તતામાં તે ભારતની મહાનતા હતી. તે માનતું કે સત્યને ઘણાં પાસાં છે અને તે અનેક રીતે જાણી શકાય છે. કેઈ માણસ એમ કેમ કહી શકે કે મને એકને જ સત્ય લાધ્યું છે? જો તે અત્યંત તીવ્રતાથી સત્યની ખોજમાં પડયા હેોય તો તે ગેમ કહી શકે કે સત્યને અમુક અંશ મને પ્રાપ્ત થયા છે, પણ તે એમ કેમ કહી શકે કે બીજો જો મારા માર્ગે ન ચાલે તો તેણે સત્ય જાણ્યું જ નથી!! આમ ભારતે હંમેશાં સત્યશોધકોને, ચિન્તકોને અને Page #251 -------------------------------------------------------------------------- ________________ ત, ૧૬૧૨-૧ પ્રભુત્વ છવન નૈતિક મૂલ્યોને મહત્ત્વ આપ્યું છે. ભારતની સંસ્કૃતિનું આ એક જુદું તરી આવતું તત્ત્વ છે. તેના ઈતિહાસમાં કંઈક ચઢતી પડતીના પ્રસંગે આવી ગયા, પણ કાળના એ દીધ પ્રવાહમાં એ મૂળતત્ત્વ અફરપણે જળવાઈ રહ્યું છે. શ્રી રામકૃષ્ણના જીવનની એક એ વિશિષ્ટતા હતી કે જે કઈ એમના પરિચયમાં આવતું તે એમના તરફ ખેંચાઈ જતું. ઘણીવાર કેટલાક લોકો એમના સીધા પરિચયમાં ન આવ્યા હોય ત્યારે એમની મશ્કરી ઉડાવતા, પણ જયારે એમની નજીક આવતા કે થોડીવારમાં એ સંત પાસે એમનું માથું નમી પડતું અને નિદાના બદલે તેઓ એમની અનુતિ કરવા લાગતા. તેમાંના ઘણાયે પોતાનાં ઘરબાર, વેપારધંધા છોડી દીધા હતા અને એમના શિષ્ય સમુદાયમાં જોડાયા હતા. તેમાં અનેક શકિતશાળી પુરુષ હતા જેમાંના એક સ્વામી વિવેકાનંદ હતા, જે ભારતમાં જ નહિં પણ, દુનિયાના બધા દેશમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. આજની યુવા પેઢી સ્વામી વિવેકાનંદનાં લખાણ અને ભાષણે કેટલાં વાંચે છે તે હું જાણતો નથી, પણ એટલું ચોક્કસ કહું છું કે મારી પેઢીના ઘણા યુવાને ઉપર સ્વામી વિવેકાનંદને ખૂબ પ્રભાવ પડયો હતો, અને આજના યુવકો પણ એમના ભાષણો અને લખાણની ચોપડીઓ વાંચે તો એમને ઘણો ફાયદો થશે- ઘણું શીખશે અને અમારામાંનાં કેટલાકને એમ થયું તેમ તેઓ પણ સ્વામી વિવેકાનંદનાં દિલ અને દિમાગમાં જે આગ બળતી હતી (કે જે કારણે એમની જિંદગીને અંત વહેલો આવ્યો) તેની કંઈક ચીનગારી તેમને પણ લાગશે. કેમકે તેમના દિલને એ અગ્નિ એમની વાણીમાં પૂરા બળથી વહેતે. અને તે માત્ર વાતો જ નહોતી. તેમાં તેઓ એકરસ હતા. તેઓ જે બેલતા તેમાં તેના આત્માને જ જાણે કે વાણી દ્વારા તે પ્રગટ કરતા. તેથી જ તે મહાન વકતા બન્યા અને એ વકતા- પણું ઉપરછલ્લી ચમકદાર ભાષાનું નહોતું. તેની પાછળ ઊંડી વિચારણા અને ધગશ હતાં. તેથી જ એમણે દેશના કેટલાયે યુવાનનાં દિલ જીતી લીધાં, એટલું જ નહિં પણ, બેથી ત્રણ પેઢી સુધીની યુવાન , પ્રજા એમની પાછળ ઘેલી બની. તે પછી દેશમાં બીજા ઘણા બનાવે બન્યા. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી આવ્યા. આખા દેશને એમણે હલાવી મૂક્યા. ઋષિ પરંપરાના એ બીજા મહાપુરુષ હતા.' ' ગાંધીજીના સમયમાં ઘણું બધું બની ગયું. અને જે બન્યું તે એવું બન્યું કે તે એમની પહેલાં આવેલાઓએ એ મુશ્કેલીભર્યા દિવસામાં એમને આદેશ ઝીલવા માટે દેશને તૈયાર કરવાનું જે પાયાનું કામ કર્યું હતું તેને કદાચ ગૌણ બનાવી દેય. પણ જો તમે સ્વામી વિવેકાનંદનાં લખાણ અને ભાષણ વાંચશે તો તમને અજાયબી સાથે જણાશે કે એ લખાણ ગઈ સદીના નથી. છપ્પન વર્ષ પછી આજે તમને એવાં જ નાવીન્યભર્યા લાગશે. કેમકે તેઓ જે બેલતા તે આપણી અથવા સમગ્ર દુનિયાની જીવત સમસ્યાઓને તલસ્પર્શી વિચાર કરી બોલતા. તેથી તે આપણને જુનું પુરાણું લાગતું નથી. આજે પણ તમે વાંચે અને તે તમને આજના યુગને બંધબેસતું જણાશે. ' એમણે કંઈક એવું આપ્યું કે જેણે આપણામાં અને આપણી ભાવી પેઢીમાં એક ચોક્કસ પ્રકારનું સ્વમાન જગાડયું. વળી એમણે આપણી ખામીઓ તરફ પણ આંખમીંચામણા કર્યા નથી. આપણી નબળાઈઓ અને ભૂલોને પણ તેમણે ખુલ્લંખુલ્લા ફટકારી છે. તે કંઈ જ છુપાવવા માગતા નહોતા. છુપાવવું જોઈએ પણ નહીં. કેમકે એ ખામીરએ આપણે સુધારવાની છે. ક્યારેક આપણને તે ઘણા કડક લાગે છે, તે વળી કેટલીક વખત આપણી વિશિષ્ટતાઓ કે જેના લીધે દેશ પડતીના સમયમાં પણ પોતાની મહત્તા સાચવી શક્યો છે તેને . પણ તે બરાબર નિર્દેશ કરે છે. એટલે સ્વામીજીએ જે લખ્યું તેમાં આપણને રસ પડે તેવું છે. રસ પડવો જ જોઈએ, કેમકે ભવિષ્યમાં ઘણા વખત સુધી તેમાંથી પ્રેરણા મળી રહે તેવું ઘણું છે. સીધી રીતે રાજદ્વારી કહી શકાય તેવા તે પુરુષ નહોતા. છતાં આજે જે રાજદ્વારી ચળવળ ચાલી રહી છે તેને પાયો નાંખનારાઓમાંનાં એક તેઓ હતા. ઘણાએ એ ચળવળમાં પડવાની પ્રેરણા સ્વામી વિવેકાનંદમાંથી મેળવી છે. " કયાંક સીધી રીતે તો ક્યાંક પરોક્ષ રીતે, પણ આજના ભારત ઉપર સ્વામી વિવેકાનંદની ઘણી મોટી અસર છે. અને મને આશા રાખવાનું મન થાય છે કે સ્વામી વિવેકાનંદની વાણીમાંથી જે જોમ, ધગશ અને ડહાપણને કુવારો ઊડી રહ્યો છે તેને લાભ આજની યુવાન પેઢી પણ જરૂર ઉઠાવશે. આપણી સામે અને દુનિયાની સામે પણ અનેક વિક્ટ સમસ્યાઓ પડેલી છે. આપણે તેને ઉક્ત કેવી રીતે લાવીશું? રાજદ્વારી રીતે ઉકેલ લાવવાને એક માર્ગ છે. હું તકવાદી રાજદ્વારીઓની વાત નથી કરતે, જો કે કમનસીબે ગંભીર રાજદ્વારીરોને પણ જે વસ્તુસ્થિતિ છે, અને તેમની પાસે જે સાધને છે તે પ્રમાણે તેમને થોડુંક તકવાદી થવું પડે છે. પ્રજા જે વસ્તુને જીરવવાને કે સમજી શકવાને તૈયાર ન હોય તે વસ્તુ રાજ્યસત્તા અમલમાં મૂકી શકતી નથી. તેમને હંમેશા આવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. આ લોકશાહીના જમાનામાં ખાસ. લોકશાહી એ જ શ્રેષ્ઠ માર્ગ છે એમ હું માનું છું, પણ લોકશાહી સફળ ત્યારે કે જે તમે કશે તે પ્રજાને મોટે ભાગ સમજતો અને સ્વીકારતા હોય અને તેને આચારમાં મૂકવા ઉત્સાહી હોય. એમ ન હોય તે સાચી વાતને પણ પ્રજા સમક્ષ મૂકી શકાતી નથી. એટલે જ્યાં પ્રજા સાચું સમજવા કે સ્વીકારવા જેટલી તૈયાર ન હોય ત્યાં રાજ્યને સત્ય સામે પણ નમતું મૂકવું પડે છે. આમાં લાભ છે કે નુકસાન તેની મને ખબર નથી. પણ આવું બને છે અને રાજય પાસે બીજો કોઈ માગ હોતા નથી. કેમકે જ્યાં તેને જે સારું લાગ્યું છે તેને જ આગ્રહ ૨.ખે તે પ્રજા તેને માંથે દૂર ફેંકી દે, હવે સંત પુરુષો આવા પ્રસંગે જુદો માર્ગ અખત્યાર કરે છે. ગમે તેવી કઠીણાઈ આવે, પણ તેર સત્યને વળગી જ રહે છે. પછી ભલે તેમના ઉપર પથ્થર ફેંકવામાં આવે, તેમને ગોળીથી વિંધવામાં આવે, કે બીજી રીતે તેમની હત્યા કરવામાં આવે. એ સંતાનો માર્ગ છે અને રહેશે. ભલેને સંત પુરુષ કામ મૃત્યુને ભેટે, પણ તેમણે આગળ ધરેલું સત્ય મૃત્યુ પામતું નથી. સંત કરતાં પણ સત્ય મહાન છે અને કદાચ તે સત જીવિત રહેશે તે તે સત્યને વધારે ઉજજવળ કરીને જ જીવશે. અનુવાદક: મૂળ અંગ્રેજી: * શ્રી મેનાબહેન નરેમદાસ પંડિત જવાહરલાલ નહેરુ અદ્યતન રાજકીય પરિસ્થિતિ, | [ તા. ૬ ડિસેંબરના રોજ ઉપર જણાવેલ વિષય ઉપર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે એક જાહેર વ્યાખ્યાન આપ્યું હતું તેની શ્રી ચીમનલાલ જે. શાહે તૈયાર કરી આપેલી નોંધ નીચે પ્રગટ કરવામાં આવેલ છે. તંત્રી] આજની સમીક્ષા શરૂ કર્યું તે પહેલાં એક વાત મારા મનમાં હંમેશ રહે છે તે કહું. મને એમ લાગે છે કે રાજકારણી પુરુષને આપણે કદાચ વધારે પડતું મહત્વ આપીએ છીએ અને એમનું વર્તન એ જ જાણે કે આપણું સર્વસ્વ હોય એવું કોઈક વખત આપણે અનુભવીએ છીએ. રાજકારણી પુરુષોનું વર્તન પણ ઉપર, સદ્ભાગ્ય કે દુર્ભાગ્યે, ઊંડી અસર કરે છે. આજે પ્રજાનું જીવન એવું થઈ ગયું છે કે રાજકારણને તેમાં વધારે મહત્ત્વ મળે છે. રાજ્યોને માત્ર વ્યવસ્થા અને કાયદાને લગતી સત્તા નહિ પણ પ્રજાજીવનનો અંગેઅંગને સ્પર્શવાની જાણે કે સત્તા મળી છે. અને આપણે રાજકારણી પુર હોને લાયકાત કરતા વધારે મહત્ત્વ આપી રહ્યા છીએ. હમણાં એક પુસ્તક વાંચું છું- “INSPITE OF. લેખકને કહેવાનો આશય છે માણસ ઉપર બીજી અનેક બાબતોનું પ્રભુત્વ હોવા છતાં આ બધાથી અલગ એ હું પોતે કંઈક છું-I am something-એમ માને છે. . બીજું એક પુસ્તક વાંચું છું “TIDE OF FORTUNE' આમાં લેખકે ઈતિહાસનાં બાર પ્રસંગે લીધા છે જુલિયસ સીઝરથી માંડી અમેરિકન પ્રેસીડેન્ટ વિલ્સન સુધીના અને લેખક કહેવા માંગે છે કે ઈતિહાસમાં અવારનવાર એક એવો પ્રસંગ બને છે અને પ્રજનું આખું Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રબુજ જીવન તા. ૧૬-૧૨-૧૬ ભાવિ બદલાઈ જાય છે, જે પ્રસંગને માટે, જે સત્તાને માટે માણસ મરી પડે છે અને રપ રહે છે. ત્યારે એ જ એને સર્વસ્વ લાગે છે પણ કાળના ઈતિહાસમાં બધું ધૂળધાણી થઈ જાય છે. આ હું એટલા માટે કહું છું કે આપણે ઈતિહાસનું આખું દર્શન કરીએ ત્યારે અનેક ચિત્રો આપણી સમક્ષ આવે છે અને છતાંય માણસ એક જ વાકય બોલે છે Inspite of all this-I am what I am. મનમાં એમ થાય છે કે ગાંધીયુગ આવી ગયો. આમાંનાં કેટલાકે આ યુગ પૂરેપૂરો જોયે, કેટલાકે થોડે જોકે, કેટલાકે બીલકુલ ન જોયો. નવી પેઢીને માટે ગાંધીયુગ માત્ર ઈતિહાસ છે. જીવી ગયા એને માટે અનુભવ છે. એ પશ્ચાદભૂમિની સરખામણી કરતાં એમ થાય છે કે આપણે કયાં હતા અને આજે આપણે કયાં આવી પડયા છીએ? ગાંધી, સરદાર અને નહેરુની આપણને એક અજોડ નેતાગીરી મળી–આ ત્રિપુટીએ પ્રજાજીવનમાં એક મોટું આંદોલન ઊભું કર્યું. આ જોતાં મને એમ પ્રશ્ન થાય છે કે પ્રજા ઊંચી આવે છે. એ એના સત્ત્વથી કે નેતાગીરીથી? એક ત્રીજું પુસ્તક પણ હું વાંચું છું ‘CIVIL WAR IN CHINA', ને ૧. ૪૫થી ૧૯૪૯ સુધીના માઉ અને આગ કે શેક વચ્ચેના સંઘર્ષને ઈતિહાસ છે. ચીનનો એ જ ખેડૂત એક પક્ષે વીરતાથી લડે છે અને બીજે પક્ષે નિરૂત્સાહ થઈ પાછા પડે છે. ત્યારે એમ પ્રશ્ન થાય કે આ શાને લીધે ? એને જવાબ છે There was a leader who had faith in himself-who had will power-who was determined to fight the battlecome what may આજે આપણાં દેશમાં આપણે એ જ માણસ છીએ, ભાવનાના આદર્શના પૂરમાં પોતાનું સમર્પણ કરતાં એ જ પ્રજાજને છીએ. પણ આજે પ્રેમ નથી, ઉમળકો નથી, દેશ માટે મરી ફીટવાનો ઉત્સાહ નથી. આનું કારણ શું છે? આનું કારણ એ છે કે લોકોમાં જે સત્વશકિત હોય એને સક્યિ બનાવવા માટે એન્જિનનું જે જોશ જોઈએ-જે આપવાની નેતાગીરીની ફરજ છે–તે આજે નથી. અલબત્ત ગાંધીયુગનીય હજુ કેટલાક રાજપુરુષ આપણે ત્યાં છે તે કેટલાક નવા પણ છે. બીજુ પટ્ટનાયક અને અનુલ ઘોષ જેવા છે–અને રાજીભાઈ અને ઇંદિરા ગાંધી જેવા પણ છે. અદ્યતન રાજકારણી તખ્તાને પૂરા ખ્યાલ આપવા માટે મેં આટલી પૂર્વભૂમિકા તમારી સમક્ષ રજુ કરી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આજે આપણે શા માટે આટલી બધી નિરાશા અનુભવીએ છીએ? ચૂંટણી આવતાં જે બળ ભૂગર્ભમાં હતા તે આજે બહાર આવ્યા છે, ઘણાને એમ લાગે છે કે કોંગ્રેસ સફળ થશે કે કેમ? પણ કોઈ અન્ય વિરોધપક્ષે નેતાગીરી નથી કે નથી કોઈ કાર્યક્રમ. હજુ કંઈપણ રહ્યું હોય તો તે છે કોંગ્રેસમાંતે ક્યાં સુધી રહેશે. તે હું નથી કહી શકતો, પણ આજે તે હજ ચૂંટણીમાં કોંગ્રેસ જ સફળ થશે એમ મને લાગે છે. આપણને સ્વતંત્રતા મળ્યા પછીનાં ૧૯ વર્ષો સ્થિરતાના મળ્યાં, ઔદ્યોગિક વિકાસ ઘણા મોટા પાયા ઉપર થયો, આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા પણ ઘણી મળી, પણ આ બધું ઈતિહાસમાં સદાકાળ રહેતું નથી. મને આજે લાગે છે કે આપણે જે નિરાશા અને ગ્લાનિ અનુભવીએ છીએ એ મહઅંશે નેતાગીરીની નિષ્ફળતાને લીધે છે. અલબત્ત આપણામાં પણ ઘણા દોષ છે જ. મત-અધિકારને પ્રશ્ન આવે છે ત્યારે આપણી સમક્ષ સારી અને નરસી બન્ને વસ્તુઓ આવે છે. અને સત્તાપલટ કરવા માટે સબળ નેતાગીરી- વાળે વિરોધપક્ષ ન હોય તો સત્તાપલટ શકય નથી. કોંગ્રેસથી આપણને અસંતોષ હોય તો પણ સ્થિરપણે વિચારીશું તે પ્રશ્ન થશે કે કોંગ્રેસ સિવાય અપણે બીજા કોને મત આપીશું? શાસ્ત્રી અને નહેરુ વચ્ચે કોઈ સરખામણી ન થઈ શકે. નહેરુએ ચીની–હીંદી ભાઈ ભાઈ કહી ગફલત ખાધી અને ચીને ચઢાઈ કરી-એમ છતાંય નહેરુએ પ્રજામાં જે વિશ્વાસ અને વફાદારીને જગૃત કર્યા તે અદ્દભુત હતા. શાસ્ત્રી અને નહેરુ બંને શકિતશાળી નેતા હતા. શાસ્ત્રીજી થડા સમયમાં યશ લઈ ગયા, જ્યારે નહેરુની ભૂલે ભાષાકિય પ્રાંતના વગેરે કેટલું મોટું ભૂત લઈને ઉભી છે? ઇંદિરા ગાંધીને વડા પ્રધાનપદે મૂકયા ત્યારે તેમને અત્યંત અનુભવી પીઢ કે શકિતશાળી સમજીને નો'તા મૂકયા, આપણે માત્ર એક પ્રયોગ કર્યો હતો. આજે એમ લાગે છે કે જે વિકટ પ્રશ્ન ઊભા થયા છે એને પહોંચી વળવાની એમની શકિત નથી. આમ છતાંય એમનાં સ્થાને બીજો કોઈ હોત તે તે પણ આ પ્રશ્નને પહોંચી શકત. કે કેમ તે પણ સવાલ છે. નેતાગીરીએ પ્રજામાં વિશ્વાસ અને વફાદારી પેદા કરવાનાં હોય છે. આવી નેતાગીરી આપણે ત્યાં નથી. પણ અત્યારે કેવળ નિરાશ બની બેસવા જેવો સમય નથી. કેંગ્રેસની સિદ્ધિઓ વિશે મતભેદને અવકાશ છે, પણ જો આપણે ગામડાં તરફ જોઈએ તે આજે ગામડાઓની આખી સૂરત બદલાઈ ગઈ છે. ત્યાં કેટલી બધી સહકારી સેસાયટીઓ ચાલે છે? ખેડૂતોને કેટલું બધું ધિરાણ થાય છે? હા - ગામડાની અંદર કોમવાદ બહુ છે, પણ ત્યાં કેંગ્રેસે એક જુદા જ પ્રકારનું જીવન તૈયાર કર્યું છે એટલે કોંગ્રેસને ગામડાઓને સારો ટેકો રહેશે. આપણી મોટી ચિંતા છે આજની આર્થિક ભીંસને લગતી. આજના અસંતોષનું મૂળ કારણ છે ફગાવે, અને મોંઘવારી. આ અટકી શકે એમ નથી. અનસંકટ બતાવવામાં આવે છે એટલું અથવા ધારીએ એટલું મોટું નથી. Procurement અને Distribution જો બરાબર હોય તે આખી દુનિયામાં આજે જે ભીખ માંગવા નીકળવું પડયું છે તે ન નીકળવું પડત–આવી પરિસ્થિતિમાં દઢ નિશ્ચયવાળી નેતાગીરી હોય તો એમ કહે કે, અમે પેટે પાટા બાંધવા પડશે તો થોડા વખત બાંધીશું, પણ સ્વાવલંબી થઈશું, અને ભીખ તો. હરગીઝ નહિ માંગીએ. પરદેશી મદદ મર્યાદાબહાર જતાં ઝેરરૂપ બની જાય છે. આજે અવમૂલ્યાંકન કરવું પડયું, કારણ અમેરિકાને આપણે ખુશ કરવા માંગતા હતા. વાસ્તવમાં આપણે તે એમ કહેવું જોઈતું હતું કે મદદ કરવી હોય તો કરો, નહિતર, તમે તમારે રસતેઅમે અમારે રસ્તે. ઘણા માને છે કે, DON'T BITE THE HANDS THAT FEED. મારું આ વલણ નથી. આજે ગાંધી હોત તે કહી શકત કે અમારે તમારી શરતવાળી મદદ નથી જોઈતી. અમારું થવાનું હોય તે થાય. ગાંધીજીનું સ્મરણ છે એટલું બધું થાય છે. એમનામાં અંતર-પ્રેરણા હતી - એમનામાં આત્મશ્રદ્ધા, અડગતા અને દઢ મનોબળ હતાં. ૧૯૪૨માં તેમણે અંગ્રેજોને કહ્યું You Quit, અમે ભલે અંદર અંદર ઝઘડીને ખલાસ થઈ જઈએ. આ હતી સબળ અને સફળ નેતાગીરી. આજે આપણે ત્યાં આ નથી. અને એથી જ એક સર્વોદયનો માણસ સ્ટીલ પ્લાન્ટ માટે ઉપવાસ ઉપર તરી શકે છે. અને ધર્મગુરૂઓ ધર્મને નામે ગોવધ પ્રતિબંધ માટે ઉપવાસ કરે છે. આપણે તે ગવધ શું પણ પ્રાણી માત્રને વધ ન થાય એવું ઈચ્છીએ છીએ-પણ આ ઉપવાસે શું એને ઈલાજ છે? - સંત ફત્તેસિંગને પંજાબી સુબે મળ્યા છતાં પંજાબ અને હરિયાણા વચ્ચે વહીવટી સગવડ માટે કેટલીક સાંકળતી કડીઓ-એક ગર્વનર, એક હાઈકોર્ટ, એક સ્થળે રાજધાની—વગેરે રાખી છે તે તેવા ઉપવાસની ધમકી આપે છે, જાણે પંજાબનું વિભાજન થતાં બે રાજ્ય પરદેશી બન્યા હોય. સરકાર નિર્બળ છે અને દ્રઢતાથી એમ કહેવાની. તેનામાં હીંમત નથી કે નિર્ણય કર્યો છે તે જ રહેશે. જે કોઈ ધમકી આપે તેને પંપાળવા પડે છે–વિદ્યાર્થીઓ હોય, ધર્મગુરૂઓ હોય કે સર્વોદય કાર્યકર હોય. આવી પરિસ્થિતિમાં જેથી સામાન્ય ચૂંટણી થઈ રહી છે. પ્રજામાનસ અત્યંત સુબ્ધ છે તેમાં શું પરિણામ આવશે તે કહેવું મુશ્કેલ છે. - રીમનલાલ ચકુભાઈ શાહ Page #253 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬-૧૨-૬૬ પ્રબુદ્ધ જીવન બ્રહ્મવિદ્યામંદિરને પરિચય વિનાબાજીની ( વર્ધા બાજુએ આવેલા પવનારમાં પ્રેરણાથી આજથી સાત વર્ષ પહેલાં ઊભું કરવામાં આવેલ બ્રહ્મવિદ્યા મંદિરમાં જૉડાયલાં એક બહેને – ઉષાબહેને – ૧૯૬૬ ની સપ્ટેમ્બર માસના મૈત્રી'ના વિનાબા જયતી અંકની એક નકલ મારી ઉપર મોકલી અને તે અંગે સલાહસૂચના આપવા મને જણાવ્યું. આ હિંદી ભાષાનું માસિક છે અને ૧૯૬૪ના ફેબ્રુઆરી માસથી શરૂ કરવામાં આવેલ છે. પ્રસ્તુત અંક ત્રીજા વર્ષના આઠમા અંક હતો. તેનું વાર્ષિ ક લવાજમ રૂા. ૬ થી ૧૨ સુધીમાં જેની જે ઈચ્છા હોય એ મુજબ મોકલે એવા પ્રબંધ કરવામાં આવ્યા છે એમ તેને લાગતા વિજ્ઞાપન પત્ર ઉપરથી માલુમ પડે છે અને આ લવાજમ વ્યવસ્થાપક, પરધામ પ્રકાશન, વર્ધા (માહરાષ્ટ્ર) એ સરનામે મની આર્ડરથી મેાકલવાનું રહે છે. ઉપર જણાવેલ ઉષાબહેનને જવાબ લખતા બ્રહ્મવિદ્યા મંદિરનો પરિચય આપવા મેં તેમને વિનંતિ કરી. તેના જવાબમાં આવેલ ઉપાબહેનનો પત્ર નીચે પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું, અને જે સંસ્થા વિષે આપણી બાજુએ બહુ ઓછા લોકો જાણે છે તે સંસ્થા અંગેની નીચે આપેલી માહિતી પ્રબુદ્ધ જીવનના વાચકોને રસપ્રદ નીવડશે એવી હું આશા સેવું છું. પત્ર જેવા છે તેવા નીચે આપું છું. પરમાનંદ) મુ. પરમાનંદભાઈ, તા. ૧૬-૧૦-૬૬ તમારો તા. ૨૧-૯ ના પત્ર યથાસમય મળ્યો હતો. પ્રત્યક્ષમાં તો તમને મળવાનું થયું નથી. પણ ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા તમારે માટે એક આદરયુકત સ્થાન જીવનમાં નિર્માણ થયું છે. તમારા સપ્રેમ આશિષ પામીને એમાં આત્મીયતાની સુગંધ ભળી. પ્રવૃત્તિ અંગે આપે પૂછ્યું છે. અહીંની સમગ્ર પ્રવૃત્તિના ખ્યાલ આપવાથી ઠીક ચિત્ર રજૂ થશે. તો એ દષ્ટિએ જ ઉત્તર લખું છું. આ સ્થાનના પૂર્વ - ઈતિહાસ સુવિદિત છે. ૧૯૩૮ થી ૧૯૫૧ પૂ. વિનાબાજીની આ સાધના–ભૂમિ રહી. '૫૧માં તેઓ ભૂદાનમાં નીકળી પડયા. કેટલાંક સાધકવૃત્તિના ભાઈએ ત્યારબાદ પણ અહીં રહેતા હતા. ૧૯૫૯માં અજમેર સર્વોદય સંમેલનના દિવસેામાં, આજના જમાનાને અનુરૂપ બ્રહ્મવિદ્યાની સાધનાની દષ્ટિથી એક સ્થાન બહેનો માટે હોવું જોઈએ એ વિચારને મૂર્ત સ્વરૂપ અપાઈ રહ્યું હતું. ભૂદાન આંદોલનમાં કામ કરતી કેટલીક બહેને એ માટે અનુકૂળ માનસિક વૃત્તિ ધરાવતી હતી. ભારતના વિભિન્ન પ્રાંતામાંથી આવેલી બાર બહેને તેને માટે તૈયાર થઈ. ભૂદાન પ્રવૃત્તિ દ્વારા, કસ્તુરબા કેન્દ્રો દ્વારા સ્વતંત્ર રૂપથી સમાજ સેવાના કામમાં લાગેલી એ બહેન હતી. સને ૧૯૫૯ ના માર્ચ મહિનાથી અહીં ‘બ્રહ્મવિદ્યામંદિર’ના નામે બહેનોની સામૂહિક સાધનાના પ્રયોગનાં શ્રીગણેશ મંડાયાં. પૂ. વિનોબાજી તે યાત્રામાં ફરતા રહેતા, પણ પ્રારંભકાળથી માંડીને આજસુધી એમના માર્ગદર્શનના તથા વિશેષ અમીષ્ટિના અનન્ય લાભ આ સ્થાનને મળી રહ્યો છે. બહેના એમના પ્રત્યક્ષ પરિચયમાં આવેલી હોવાથી વ્યકિતગત માર્ગદર્શનના લાભ પણ મળી રહે છે. કર્મ-જ્ઞાન—ભકિતના સુભગ સમન્વયની એમની જીવન-દષ્ટિ છે. તો જીવનના સંર્ગી વિકાસને અનુલક્ષીને આશ્રમની પ્રવૃત્તિનું સહજ આયોજન થઈ ગયું છે. આજે સાત વરસ દરમ્યાન બહેનોની સંખ્યા ૨૩ થઈ છે. જર્મનીની એક બહેન પણ અમારામાં સામેલ છે. બ્રહ્મવિદ્યાની સાધના એ અહીંના મુખ્ય ઉદ્દેશ છે. તેને અનુરૂપ અને પોષક એવી પ્રવૃત્તિ સ્વીકારી છે પ્રેસ તથા ખેતી. પરધામ પ્રકાશનને નામે એક નાનકડું પ્રેસ ચાલે છે. બાબાનાં મરાઠી પ્રકાશના અહીંથી પ્રકાશિત કરીએ છીએ. તેમાં કમ્પોઝ, બાઈન્ડિંગ, પ્રીન્ટીંગ, ૧૭ વ્યવસ્થા સંપાદન, અનુવાદ આદિ સર્વ કામામાં અમે પ્રત્યક્ષ ભાગ લઈએ છીએ. ‘મેત્રી’ પત્રિકાનું સંપાદન - વ્યવસ્થાનું કામ પણ તેમાં આવી જાય છે. ‘મૈત્રી' અમારી પ્રવૃત્તિ - ચિંતન - મનનનું મુખપત્ર બને એવી ધારણા છે. વિચારોના માધ્યમ દ્વારા સમાજ-સંપર્કનું લક્ષ્ય પણ તેમાંઅનુસૂત છે. પ્રતિદિન પ્રત્યેક વ્યકિત ત્રણ કલાક પ્રેસકામ પાછળ આપે છે. એક કલાક ખેતીકામના માન્યો છે. ભાજી - ફળ ઠીક પ્રમાણમાં તૈયાર કરી લઈએ છીએ. તેમાં પ્રકૃતિનો સ્પર્શ પણ અનુભવાય છે. આમ ચાર કલાક ઉત્પાદક પરિશ્રમના માન્યા છે. એ ચાર કલાકના પરિશ્રમ દ્વારા સ્વાવલંબન સાધવાની નેમ છે. હજી અમે એ તેમને પૂર્ણતયા પહોંચ્યા નથી, પણ કોશાષ એ દિશામાં ચાલુ છે. આજના જમાનાની ભિક્ષાનું સ્વરૂપ ઉત્પાદક પરિશ્રમ એ વિચાર બાબાએ આપ્યો છે. ચાર કલાકના પરિશ્રમ દ્વારા મનુષ્યની સાદી જીવનજરૂરતાની પૂર્તિ થઈ રહેવી જોઈએ એ દષ્ટિ પણ આ પ્રયોગની પાછળ છે. મજુરીના ક્ષેત્રમાં બ્રહ્મવિદ્યાના પ્રયોગ - એ રીતે પણ તેઓ તેને વર્ણવે છે. ચાર કલાકના ઉત્પાદક પરિશ્રમ ઉપરાંત બે કલાક રસોઈ-સફાઈ જેવા ગૃહકૃત્યના કામ માટે માન્યા છે. છ કલાક કર્મયોગ અને એક કલાક બે સમયના ભાજન માટે એમ સાત કલાક સામૂહિક કાર્યક્રમ માટે રાખી બાકીનો સમય વ્યકિતગત અધ્યયન, ધ્યાન, ધારણા માટે મેાકળા રાખ્યો છે. પ્રાર્થના બે સમય નિયમિત થાય છે. તેમાં પણ સૌ સ્વેચ્છાએ એકઠા થાય છે. અધ્યયન માટે સામૂહિક વર્ગ પણ ચાલે છે. વિનોબાજીના નાનાભાઈ પૂ. બાળકોબાજી અમારી વચ્ચે વરસમાં છ મહિના રહે છે. બ્રહ્મસૂત્ર - શાંકરભાષ્ય એ ગ્રન્થની તેમને જીવન-સાધનામાં ખૂબ મદદ મળી છે. તો એ ગ્રન્થ પર તેમની ઊંડી શ્રાદ્ધા બેઠી છે. આ ગ્રંથના અધ્યયનના વર્ગ તેઓ લે છે. ગાંધીજીની નિકટ રહેવાને મોકો એમને મળ્યો હતો. વિનેાબાજીના જીવનને તે તેઓ નાનપણથી શ્વેતાં આવ્યા છે. તેમના પોતાના જીવન પર પણ ગાંધીજીની સ્પષ્ટ છાપ તરી આવે છે. શંકરાચાર્ય - ગાંધીજી - વિનોબાજી - સહુના વૈચારિક સત્સંગને એકત્ર લાભ તેમના દ્વારા અમને સૌને મળે છે. અમારી સૌની વચ્ચે ભાષા - માધ્યમ હિંદી છે. આપસમાં પણ એકબીજાની ભાષાઓનું અધ્યયન ચાલતું હોય છે. તદુપરાંત સૌ પોતપોતાની શકિત-રુચિ પ્રમાણે અધ્યયન કરતા હોય છે. નાનકડું પણ સુંદર પુસ્તકાલય અહીં છે. ભારતની બધી ભાષાઓનાં પુસ્તકોનો તેમાં સમાવેશ થાય છે. બ્રહ્મવિદ્યા મંદિરને અંતર્ગત સર્વ વ્યવહાર બહેનેા આપસના સહકારથી સંભાળે છે. તેમાં રસોઈ - સફાઈથી લઈને પ્રેસ, ખેતી, હિસાબ સઘળાં કામે આવી જાય છે. આ છે અમારી પ્રવૃત્તિઓનું ચિત્ર. એની પાછળનું ધ્યેય તે પ્રવૃત્તિ વચ્ચે રહીને પણ આંતરિક નિવૃત્તિ અનુભવવાનું છે. જેટલે અંશે તે સધાય છે તેટલે અંશે પ્રવૃત્તિમાં પણ જોમ આવે છે અને જીવનમાં પણ તેજ આવે છે. ત્યાર બાદનું પગલું હોઈ શકે નિવૃત્તિમાં પ્રવૃત્તિ. એના દર્શનની ઝાંખી વિનોબાજીના આજના સૂક્ષ્મ કર્મયોગ દ્રારા કદાચ આપણને સૌને થઈ શકે. બ્રહ્મવિદ્યા મંદિર વર્ધાથી છ માઈલ દૂર પરધામ નદીને કિનારે રળિયામણું સ્થાન છે. કયારેક આ તરફ આવવાનું થાય તો જરૂર આવશે.. સૌ બહેનોને આનંદ થશે. પ્રબુદ્ધ જીવન' મળે છે. ઉષાના સાદર પ્રણામ. Page #254 -------------------------------------------------------------------------- ________________ 68 પ્રબુદ્ધ જીવન તા. 16-12-16 “શ્રેયસ નો પરિચય તા. 5-11-66 ના રોજ, અમદાવાદની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા યણ’ના તેના સ્થાપક અને પ્રમુખ સંચાલક શ્રીમતી લીનાબહેન મંગળદાસે સેધી ગ્રેન એન્ડ ઑઈલ સીડઝ મરચર્સ એસોસિએશનના હોલમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજવામાં આવેલ જાહેર સભામાં પરિચય આપ્યો હતો. પ્રારંભમાં શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી લીનાબહેન મંગળદાસને પરિચય આપતાં જણાવ્યું હતું કે "19 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલી અને ત્યાર બાદ સતત વિકસતી અને વિસ્તરતી આ સંસ્થા માત્ર ગુજરાતમાં જ નહિ પણ આખા. ભારતમાં એક પ્રમુખ શિક્ષણ સંસ્થાનું સ્થાન ધરાવે છે અને તેની અનેક વિશેષતાઓના કારણે આજની અન્ય પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ આપતી ચીલાચાલુ શિક્ષણસંસ્થાઓથી ઘણી રીતે જુદી પડે છે. આ ‘ોયસ’ને ઉદ્દભવ અને વિકાસ આજના નાપણા આમંત્રિત બહેન લીનાબહેન મંગળદાસના અથાક પરિશ્રમ અને અસાધારણ શિક્ષણનિષ્ઠાને આભારી છે. શ્રેયસના કાર્ય સાથે તેઓ એક મીશનરીની માફક જોડાયેલા છે. આ સંસ્થા સરકારે નક્કી કરેલા અભ્યાસક્રમ મુજઇ માત્ર શિક્ષણ આપવાનું કાર્ય કરતી નથી, પણ શિક્ષણના ક્ષેત્રમાં આ સંસ્થા અનેક પ્રયોગ અને સંશોધન કરી રહેલ છે; આ માટે ઘણી મોટી જમીન આવરી લેવામાં આવી છે અને તે ઉપર એક મોટું કૅપસ ઊભું કરવામાં આવ્યું છે. આજથી છ વર્ષ પહેલાં લીનાબહેને આ જ વિષય ઉપર રખાપણ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપ્યું હતું. આ વખતે તેઓ દીવાળી સાથે સંબંધ ધરાવતી રજાઓમાંથી અઠડિ કાઢીને મુંબઈ આવવાના છે એમ ખબર મળતાં તેમની સાથે વાટાધાટ કરીને આપણે આજનું તેમનું ભાષણ અથવા તો વાર્તાલાપ ગોઠવ્યા છે. પિતાનાં ઘણાં રોકાણામાંથી સમય કાઢીને તેઓ અહીં આવ્યા છે તે માટે તેમને હું આભાર માનું છું અને સંઘ તરફથી તેમને હું આવકારું છું.” ત્યાર બાદ લીનાબહેને પોતાના બાળકના શિક્ષણના વિચારમાંથી શ્રેયસની સ્થાપના કરવાનો વિચાર આવ્યું એમ જણાવીને કેવા નાના પાયા ઉપર શ્રેયસની શરૂઆત કરવામાં આવી અને આજની ચાલુ ઢબની નિશાળોથી કઈ કઈ બાબતમાં તેમણે પોતાની આ સંસ્થામાં જોવા ચીલાઓ શરૂ કર્યા દાત. ચાલુ નિશાળોને સમય 11 થી 5 હોય છે તેને બદલે સવારના 8 થી ઘણું કરીને સાંજના 4 વાગ્યા સુધી એ શાળાનો સમય તેમણે નાહ, બપોરે બધા વિદ્યાર્થીઓ સાથે જમે એ પ્રબંધ ગોઠવ્યો, આ ભજનવ્યવસ્થા સંભાળવામાં વિદ્યાર્થીઓને ભાગીદાર અને જવાબદાર બનાવવામાં આવ્યા, અને સ્વાશ્રયના તત્ત્વને આ બધી પ્રવૃત્તિઓમાં તેમણે અમલી બનાવ્યું, ભાષાના પ્રશ્નને તેમણે અમુક ઉકેલ વિચાર્યો, ચાલુ અભ્યાસક્રમ ઉપરાંત બીજી કઈ કઈ આડપ્રવૃત્તિઓને દાખલ કરવામાં આવી–આવી શ્રેયસને લગતી અનેક બાબતો તેમણે રજૂ કરી, સમજાવી. તાજેતરમાં તેમણે શરૂ કરેલી નાની ઉંમરના અને માબાપના આધાર કે ટેકા વિનાનાં બાળકોને વસાવવાની બાલગ્રામની યોજના (જે તા. 16, જુલાઈ ૧૯૬૬ના પ્રબુદ્ધ જીવનમાં વિસ્તારથી આપવામાં આવી છે) ને તેમણે વિગતવારે ખ્યાલ આપ્યો. આ યોજના હાથ ધરવા પહેલાં પોતે યુરેપ ગયેલાં અને ત્યાંના જુદા જુદા દેશના અનેક બાલગૃહ તેમણે જાતે જોયેલાં તેને લગતો અનુભવ તેમણે રજૂ કર્યો. આમ લગભગ સવા કલાક સુધી લીનાબહેને શ્રેયસની અનેક બાજરનો પરિચય કરાવ્યો. ત્યાર બાદ કેટલીક પ્રશ્નોત્તરી થઈ. અંતમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે લીનાબહેનના સુન્દર, મધુર અને અખલિત નિરૂપણ અંગે પોતે અનુભવેલી ઊંડી પ્રસન્નતા વ્યકત કરતાં જણાવ્યું કે “આજે અત્યારે જ્યારે મહારાષ્ટ્રી -બિનમહારાષ્ટ્રના પ્રશ્ન આપણને બેચેન બનાવી મૂક્યા છે ત્યારે અરણ્યમાં મીઠી વીરડી જેવા લીનાબહેનના વાર્તાલાપે આપણી આ બેચેની બે ઘડી ભૂલાવી દીધી છે અને આપણને કોઈ જુદા જ પ્રદેશમાં. તેમણે સુખદ પ્રવાસ કરાવ્યો છે અને આપણને વારસામાં મળેલાં અનુપમ જીવનમૂલ્યો હજ એટલાં જ જીવતાં છે અને કોઈ એક ઠેકાણે તેને મૂર્ત કરવાને ગંભીર અને નિષ્ઠાયુકત પ્રયત્ન થઈ રહ્યો છે એવી શ્રદ્ધા અને પ્રતીતિ લીનાબહેનના વાર્તાલાપે આપણા દિલમાં જાગૃત કરી છે, અને કોયસને નજરે નિહાળવાની ઈચ્છા આપણામાં પેદા કરી છે. એક સુસ્થિત બહેન પિતાના સમયને, સંપત્તિ અને શકિતને કે સદુપયોગ કરે છે અને શિક્ષણ પ્રદાનના એક ભવ્ય આયોજન પાછળ પોતાના જીવનને કેવું ચરિતાર્થ કરે છે એ લીનાબહેનના આજના કથન ઉપરથી આપણને જાણવા મળે છે અને તેમના વિશે આપણું દિલ ઉંડે આદર અનુભવતું જાય છે. આજના તેમના વાર્તાલાપ માટે સંઘ તરફથી તેમ જ આપ સર્વ તર:કથી લીનાબહેનનો હું આભાર માનું છું.” પ્રમુખશ્રીના ઉપસંહાર બાદ સભા વિસર્જન કરવામાં આવી. અવકાશમાં અથડામણ (તા. 14-10-66 ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલા એક તંત્રીનોંધને અનુવાદ) અવકાશમાં ઘૂમી રહેલાં માનવસર્જિત ઉપગ્રહે વચ્ચે અથડામણ થઈ જવાની સંભાવના નહીંવત છે; તેમ છતાં પણ માડીડ (સ્પેન)માં ભરાયેલી એસ્ટ્રોનોટીકલ કંગ્રેસમાં જાહેર થયા પ્રમાણે ગયા વરસે. બે અમેરિકન ઉપગ્રહો એક બીજા સાથે અથડાઈ પડ્યાં હતાં. સ ભાગે આ એક નજીવી અથડામણ હતી અને ભૂમિમથકનાં જણાવ્યા પ્રમાણે બંને ઉપગ્રહ છૂટાં પડીને કશું પણ નુકસાન થયાં વિના. પેતપોતાની ભ્રમણકક્ષામાં ચાલી ગયાં હતાં. છેલ્લા થોડા વખતમાં વધી રહેલી અવકાશયાની પ્રવૃત્તિ જોતાં (માત્ર ગયા વરસમાં જ 160 ઉપગ્રહો છોડવામાં આવ્યાં હતાં.) અને એથીયે વિશેષ, નિષ્ફળ થયેલાં અને મૃતપ્રાય થયેલાં ગ્રહ-ઉપગ્રહોને ભંગાર હજી પણ અવકાશમાં ઘૂમી રહ્યો હશે તે ધ્યાનમાં લેતાં રશિયા અને અમેરિકા વચ્ચે કોઈ પણ જાતનું સ્વયંનયંત્રણ થવું જરૂરી છે. આ વખતે કોઈ મોટો અકસ્માત ન થયો એથી ભવિષ્યમાં પણ કોઈ સમયે બે અવકાશયાત્રીઓની એકબીજા સાથે અથડાઈ જવાની જોખમી સંભાવના દૂર થતી નથી. વાસ્તવમાં આ અથડામણ ગમે તેવી આકસ્મિક હોય તો પણ જો અમેરિકન ઉપગ્રહ રશિયન ઉપગ્રહ સાથે અથડાઈ પડે તો તેમાંથી ઘણું મેંટે રાજકીય ઘર્ષણ ઊભું થવાનો ભય રહે છે ને એટલા જ માટે અવકાશમાં છોડવામાં આવતાં તમામ ઉપગ્રહોની યુનાઈટેડ નેશન્સના દફતરમાં યાદી કરવામાં આવે છે. પરંતુ ભવિષ્યમાં આથી વધારે અસરકારક અંકુશ રાખવો જરૂરી થઈ પડશે. આ અઠવાડિયે જે અથડામણની જાહેરાત કરવામાં આવી તે અથડામણ આજથી દોઢ વર્ષ પહેલાં થઈ હતી - જે પરથી આવા બનાવ વિષેની લાગતીવળગતી સરકારોની મૂંઝવણ જણાઈ આવે છે. - ૧૯૬૫માં અમેરિકાએ 94 ઉપગ્રહો અવકાશમાં મોકલ્યાં હતાં, જેમાંથી 16 હજી પણ ઘૂમી રહ્યાં છે - ભૂતકાળમાં છોડેલાં ઉપગ્રહોને હજી પણ ધૂમી રહેલે ભંગાર તો જ. માડીડમાં ભરાઈ ગયેલી કેંગ્રેસ અવકાશવિજ્ઞાનને લગતાં આ પ્રશ્નને વધારે ઝીણવટથી તપાસી શકી હોત તો સારું થાત. અનુવાદક: સુબોધભાઈ એમ. શાહ પ વિષયસૂચિ બીજા છેડેથી વિચારીએ ! કાકા કાલેલકર ૧૫ર પ્રકીર્ણ નોંધ: “બીજા છેડેથી પરમાનંદ 16e વિચારીએ”: એક વિલક્ષણ વિચારણા, વ્યાપાર વિષયક સદ્વ્યવહાર મંડળ, દુષ્કાળસંકટને મુકાબલો : આપણું કર્તવ્ય, બિહાર દુષ્કાળ રાહત માટે જૈનોને ઉદાર ફાળે, નૂતન વર્ષના મંગળ પ્રભાતે. રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણ મહાત્મા ગાંધીજી 16.3 રામકૃષ્ણ પરમહંસ અને જવાહરલાલ નહેરુ 164 સ્વામી વિવેકાનંદ. અદ્યતન રાજકીય પરિસ્થિતિ ચીમનલાલ ચકુભાઈ શાહ 165 બ્રહ્મવિદ્યા મંદિર પરિચય ઉપા બહેન. 167 કોયસને પરિચય. અવકાશમાં અથડામણ. અનુ. સુબોધભાઈ એમ. શાહ 168 168 માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રકે પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: 45-47, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ