SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન E એક નાને ભાઈ હતું, તે તમારા જેવા જ હતે. એ આજે નથી. મા, છોકરા જોડે તમે જ વાત કરો.” માએ મોટું ઊંચું કરીને મારી સામે જોયું. એના કંઠમાં ને આચારમાં એક પ્રકારની જડતા મને દેખાઈ. મેં કહ્યું, “તમારું સરનામું આપે. જો કયારેક હું બંગાળ પાછા ફરે ......” “સરનામું તે આપવા જેવું છે નહિ. ભાઈ.” રાધારાણીએ જવાબ આપ્યો. ફરીથી આશ્ચર્યચકિત થઈને મેં પૂછ્યું “એમ કેમ?” અફટ સ્વરથી મા બોલી.” “જવા દે, તું જ સરનામું આપ રાધારાણી. ગમે તેટલું અનુચિત હોય પણ આખરે તે આપણે માબેન.” * આ બધા નાટક માટે મને વખત નહોતે. “વારૂ, તો રહેવા દો.” એમ કહીને નીચા વળીને નમસ્કાર કરવા પ્રયત્ન કરતા હતા, ત્યાં અઘોરબાબુની પત્નીએ મારો હાથ પકડ્યો. એણે મને કહ્યું, “મારાથી કહી શકાય એમ નથી. સ્ત્રીના અપમાનની વાત મોઢેથી નીકળતી નથી. તે એ તમારી આગળ કશું છુપાવવાનું નથી, નહિ તે અમારી બદરીનાથની યાત્રા ફોકટ જાય.” - અમે બધાએ એકબીજાના મોઢા સામે જોયું. મા અને દીકરીએ માથું નીચું ઢાળી દીધું, અને નીચે મોઢે જ અઘેરબાબુની પત્નીએ સજલનયને મને કહ્યું, “હું તમારી મોટી બહેન છું, પણ હું એ માનને લાયક નથી. મારે જાતધર્મ નથી. હું... હું વેશ્યા છું.” વેશ્યા! મારા બન્ને કાનમાં ઝણઝણાટી થઈ આવી. મેં કહ્યું, “શું કહે છે?” - કાંઈ જવાબ નહોતે. પણ જવાબ સાંભળતાં પૂર્વે જ, કોઈ વિચિત્ર ઉશ્કેરાટથી પ્રેરાઈ એ ઓર છોડીને પથ્થર એળંગીને હું કેવી રીતે રસ્તા પર આવી પડયો ને રસ્તે ચાલવા માંડયું, તેનું તે આજે પણ બહુ સ્પષ્ટ ચિત્ર મારી આંખ આગળ રમે છે. હું કાંઈ મટે નીતિને આગ્રહીં નથી. વેશ્યાને એ વેશ્યા છે એવું જાણતાં જ ભાગવા માંડું એમાંને હું નથી. સાહિત્યકારને આવશ્યક એવી ઉદારતા મારામાં પણ કાંઈ કમ નથી. પણ એ કે આકસ્મિક આઘાત હતો. મારા સમગ્ર જીવનમાં ધ્યાન ધારણા અને બુદ્ધિવિચારની ઉપર કોઈએ જાણે એક ચાબૂકને ફટકો લગાવ્યું. ખેડંગાતે પગ, ભાંગેલું શરીર, કાંધ પર ભાર, માથા પર સૂર્યની અગ્નિવૃષ્ટિ, પથરા ને કાંકરાવાળે ઊંચનીચે રસ્તે, સૂકાનું ગળુ, તોયે માઈલ સુધી હું ઝડપથી જતો હતો. કયાં ગયો બ્રહ્મચારી? એનું કયાંય નામનિશાન નહોતું. તે દિવસે શા માટે હું દેડી ગયું હતું, શા માટે નિશ્વાસ અંદર અંદર જ શમાવતો હતો, તે તે આજે પણ મારી આગળ વિસ્મયકર સ્થિતિ બની રહી છે. જીવ લઈને હું ભાગી છૂટયો હતો. મારા મનમાં થયું, પૃથ્વીના તેજ ને વાયુવિહીન કારાગારમાં હું બંદી હતા. હું જાણે રઘવાયો થઈ ગયો હતો. - ગળે ને સામાન એક જગ્યાએ રાખીને હું બેસી પડશે. પણ હવે તે બેસવાની જરાય શકિત રહી નહોતી. હું આડો પડીને સૂઈ 'ગ. જાણે ઉઠવું જ નહોતું. આ બધી જવાળાને અંતે જાણે શાંત મૃત્યુ આવવાનું હોય! કયાંય છાયા મહોતી, “મઢાની ઉપર સૂર્ય જાણે સળંગતા હતા. પાણી નહોતું. અંદરથી જાણે હાહાકાર ઊઠતો હતો. પણ આ તે કેવી અશાંતિ, કેવી ચંચળતા! મારું દુર્બળ ચિત્ત આજના બનાવને મનમાં સ્વીકારવા ઈચ્છતું નહોતું. આ શું સાચું હતું? શ્રદ્ધા અને સન્માનથી તેની પૂજા કરતો હતો, તે પ્રતિમા આજે ભાંગીને ભૂક્કો થઈને ધૂળમાં મળી ગઈ હતી. હે સત્યનારાયણ સૂર્યદેવ! તમે તે જાણે છે, કે એનામાં જરા જેટલી પણ મલીનતા નથી. ચત્નથી, સ્નેહથી, દાક્ષિણ્યથી, અને વ્યવહારમાં તે કોઈ ગૃહસ્થ ઘરની છોકરીથી કમ નહોતી, તો પણ એણે પોતાને - પરિચય વેશ્યાં કહીને શા માટે આપે? એનામાં જરાય છેતરપિંડી નથી, મોહજાળ નથી, લાલસાને કોઈ અસંસ્કારી ઈશારો નથી. એ તે જગતમાં કોઈનાથી હીન નહોતી, અયોગ્ય સ્ત્રી નહોતી. હે સૂર્યદેવ તમે કહી દે, તમે આજે જ કહી દો, રાધારાણી શું વેશ્યા છે? બપોર ઢળતાં તડકો ઓછા થયે હતે. સૂતાં સૂતાં સહાય અસ્થિરતાથી પેટમાં ગડગડ થવા લાગ્યું ને ઊલટી પણ થઈ ગઈ. તો પણ ધૂળમાં ને રેતીમાં ઊલટીને આંખમાં આંસુથી ધોઈ, ને જાણે કાંઈ થયું નથી એ ચહેરા કરીને, ઊઠીને મેં પાછું ચાલવા માંડયું. કોઈ અણજાણ મુનિના મંદિરને તથા સૌરી ચટ્ટીને હું વટાવી ગયે. ધીમે ધીમે સંધ્યા પ્રસરવા લાગી. રસ્તામાં કોઈ સાથી મળશે એમ લાગતું નહોતું. આકાશમાં ચંદ્ર પ્રગટવાની તૈયારી હતી. પણ જોતજોતામાં વાદળો છવાઈ ગયાં. ઠંડી હવા પ્રસરવા લાગી. મનમાં આશા હતી કે ચન્દ્રાપુરી ચટ્ટીમાં આજે હું સાજો સારે જઈ રહીશ. શરીર દુર્બળ હતું, પવનથી એ જાણે ઝેલા લેતું હતું. - ચારેબાજ ઘેરો અંધકાર છવાઈ ગયો. ઊંઘને લીધે જાણે રસ્તો ભૂલ્યો હોઉં એમ લાગતું હતું. પથની રેખા ઘેડે દૂર સુધી દેખાતી હતી. તે પછી બધું જ અદશ્ય હતું. કયાં ગયો બ્રહ્મચારી? હવે સાહસ રહ્યું નહોતું, ઉપર મેઘથી છવાયેલા આકાશમાં ચન્દ્રનું અજવાળું સંતાઈ ગયું હતું, ફકત અંધકારમાં. મેં ક્યારેય..રસ્તો કાપ્ય નહોતે, ડાબી તરફ નીચે વનથી વીંટળાયલી.નદી કલકલ વહેતી હતી, દક્ષિણમાં ને માથાની ઉપર પહાડના પહાડ અંધકારથી ઢંકાયેલા હતાં, શરીરકંપવા લાગ્યું. મારાં પોતાનાં પગ વિષે મને જ આશ્ચર્ય થતું હતું. લાઠી ઉપર જોર દેવાનું સાહસ રહ્યું નહોતું. શરીરે પરસેવો છૂટ હ. પગ કાપતા હતા. ' , ' , " , આ શું? એ કયાં છે? નદી આગળથી રસ્તે કયાં લુપ્ત થઈ ગયો? મંદાકિની ને ચન્દ્રા નદીના સંગમ હતો. પણ માર જ કઈ તરફ ? ભયાનક ગર્જનાથી નદી હુ હુ કરતી વહેતી હતી, જોતઃ જોતામાં રસ્તાનું નિશાન લોપ થઈ ગયું. મને થયું કે મોઢામાંથી કોઈ શબ્દ બહાર નીકળે. પણ જાણે મેટું કોઈ બીજાનું જ હોય એમ લાગતું હતું. શરીર કાંપતું હતું. શરીરનું લેહી બીકથી પ્રતિક્ષણ વેગથી વહેતું હતું. ગળું સૂકાઈને લાકડા જેવું થઈ ગયું હતું. મારાં બે ઘૂંટણ જાણે મારા જ ન હોય એમ લાગતું હતું. કેવળ દશ વર્ષના બાળકની જેમ, નિ:સહાય બનીને, આ રસ્તાની વાવ ઊભા રહીને હું આંસુ વર્ષાવતો હતો. મારી દષ્ટિ ઝાંખી બની ગઈ હતી. આ રીતે જંગલી પશુઓવાળા જંગલમાં, નદીની વચમાં, અસહાય બનીને મરવાની મારી જરાય ઈચ્છા નહોતી. દુ:ખમાં ભગવાનને સંભારવાનું પણ હું ભૂલી ગયો હતો અને આ જીવન તુચ્છ છે એ વાત પણ ભૂલી ગયા. સાચે ભય જે દિવસે સામે આવીને ઊભા રહે, ત્યારે સમજાય કે આ જીવનને આપણે કેવું દઢ બંધનમાં બાંધી રાખ્યું છે. હાય રે સન્યાસ - હાય રે નિષ્ફળ વૈરાગ્ય ! કૌન હય ?” “ ' . ' , ' ' - એકદમ બીકથી ને કાંઈ અવનવું બનશે એમ માનીને હુ કાંપી ઊઠો. આ અકસ્માત કોઈ માનવીના અવાજથી છાતી ધડક ધડક થવા લાગી. એક છાયામૂર્તિ પાસે આવીને ઊભી રહી, લાઠી જોરથી ઠોકવા કોશિષ કરી, પણ હાથમાં લાઠી ઢીલી પડી ગઈ. એના શ્વાસને શબ્દ સાંભળીને ખાતરી તે થઈ કે એ માણસ જ છે. મેં કાંપતા અવાજે પૂછયું “તુમ કૌન હય?” ',' '' . ' “ી જનાના.” . . . . . . . . . " , " , . . ', સ્ત્રી ! અંધારામાં એની પાસે જઈને એને જેવાને મેં પ્રયત્ન “કર્યો. ધીરે ધીરે લાઠી ઉપર હું જોર. દઈ શકો. ઠીક ઊભા રહેવાયું. કોણ કહે છે કે હું ગભરાઈ ઊઠો છું? હું જેટલું જોઈ શક્યો તે પરથી એટલું તે માલમ પડયું કે સ્ત્રી- પહાડી છે, ઉમરે પણ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy