SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ । પ્રબુદ્ધ જીવન ૨૧૪ બહુમતી મળવાની ખાત્રી થઈ ત્યારે જ તેમણે આ પદ માટેની હરીફાઈમાં ઊભા રહેવાની સંમતિ આપી જણાય છે. આ વખતે જેને કૉન્સેન્સસ પદ્ધતિ' કહેવામાં આવે છે માટેના આગ્રહને તે અવકાશ જ નહોતો, પણ સર્વાનુમતીથી જ ચૂંટણી થવી જોઈએ એવો આગ્રહ રાખવો જરૂરી છે એમ પણ મને લાગતું નથી. ઊલટું શ્રી મેરારજીભાઈએ હરીફ તરીકે ઊભા રહીને ચૂંટણી કરાવી અને એ રીતે લેાકશાહીની પરંપરાને જાળવી રાખી તે યોગ્ય જ થયું છે. તેમની સામે આટલી બધી પ્રતિકુળતા હોવા છતાં તેઓ ઈન્દિરા ગાંધીને મળેલા ૩૫૫ મત સામે ૧૬૯ મત પેાતાની તરફેણમાં મેળવી શકયા એથી મારારજીભાઈનું સ્થાન પક્ષમાં ઘણું મહત્ત્વનું છે અને ચૂંટણીમાં ઊભા રહેવાનો તેમનો આગ્રહ અસ્થાને ન હતા એમ જણાઈ આવે છે મતપ્રદાનમાં જે મત શ્રી મોરારજીભાઈને મળ્યા તે શ્રી મેારારજીભાઈને જ નજરમાં રાખીને આપવામાં આવ્યા છે એમ કદાચ ન પણ હોય. જેઓ કામરાજ અને તેમની દ્રારા સંચાલિત આજની કાગ્રેસના વિરોધી છે તેમણે પણ મારારજીભાઈના પક્ષમાં મત આપ્યા હોય એમ બનવા જોગ છે. ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ ખેલદિલીભર્યું મોરારજીભાઈએ ભાષણ કરેલું, જેમાં તેમણે ઈન્દિરા ગાંધીને પૂરો ટેકો આપવાની જાહેરાત કરી છે અને ત્યાર બાદ પોતે કોઈ જુદા પક્ષ સ્થાપવાના નથી એમ પણ જાહેર કર્યું છે. આ ભાષણ અને વલણ મોરારજીભાઈ વિષે આપણા દિલમાં સવિશેષ આદર પેદા કરે છે. આ ચૂંટણીમાં ઊભા રહીને મારારજીભાઈએ પોતાનું બળ માપી લીધું છે. આ રીતે ઊભી થયેલી પરિસ્થિતિનો આ ચૂંટણીના પરિણામ સાથે અન્ત આવે છે એમ હું માનતો નથી. આગામી ચૂંટણીના પ્રસંગે પણ મોરારજીભાઈ હરીફાઈમાં ઉતરે તો નવાઈ નહિ, ઈન્દિરા ગાંધી પોતાને મળેલી જવાબદારીને પહોંચી વળી શકશે કે નહિ તે અંગે આજે કશું કહી શકાય તેમ નથી. તેમની ઉંમર નાની છે, અનુભવ આછે છે, પણ પોતાના પિતાદ્નારા તેમને સારી કેળવણી મળી છે. કૉંગ્રેસના મોવડી મંડળના તેમને સાચે ટેકો છે. અલબત્ત, આજની અન્ન પરિસ્થિતિ જરૂર વિકટ છે અને કોઈની પણ કસાટી કરે તેવી છે, એમ છતાં પણ શાન્ત પડેલું યુદ્ધ ફરીથી સળગે એવા હાલ સંભવ નથી અને દુનિયાના દેશની, અન્ન પરિસ્થિતિને પહોંચી વળવાની દિશાએ, પૂરી સક્રિય સહાનુ" ભૂતિ છે. તેથી તેને પહોંચી વળવામાં મુશ્કેલી નહિ આવે એવી હું આશા સેવું છું. જયપુર કોંગ્રેસનું અધિવેશન હવે જયપુરમાં તાજેતરમાં મળેલા કૉંગ્રેસ અધિવેશન અંગે બે શબ્દો કહું, કામરાજનું પ્રમુખ તરીકેનું ભાષણ વાંચીને પ્રતીતિ થાય છે કે કામરાજ અન્તર્ગત તેમ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ વિષે પૂરા સભાન છે. તેમણે પેાતાના ભાષણમાં સમગ્ર પરિસ્થિતિનું સચોટ આકલન કર્યું છે. કામરાજની કાર્યપદ્ધતિ જોતાં સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે છે. બોલવું આછું પણ મક્કમપણે કામ કરવું અને કામ લેવું—આ બન્નેના વ્યકિતત્વમાં રહેલું સમાન તત્વ છે. કાગ્રેસમાં જે કાંઈ બન્યું તે વિષે એટલું જ કહેવાનું કે કેંગ્રેસના કારભાર વિષે લોકોના દિલમાં વધતા જતા અસંતાપ આ કાગ્રેસમાં સારા પ્રમાણમાં જાહેર થયા છે. હવે વાતો માત્ર કર્યું નહિ ચાલે, કાંઈ નક્કર કામ કરી બતાવવું જ પડશે એ આ વખતના કોન્ગ્રેસ અધિ વેશનની ફ્લભૂતિ છે. બજેટ માથા ઉપર છે, આવતું વર્ષ ચૂંટણીનું વર્ષ છે. હું ધારું છું કે આ બજેટમાં મોટા ફેરફારો નહિ આવે અને નક્કી કરાયલી રાજનીતિમાં પણ કોઈ મોટા ફેરફારો નહિ થાય. ઈંદિરા ગાંધી લેફ્ટીસ્ટ હોવાનું માનવામાં આવે છે; કામરાજ વિશે પણ એ જ માન્યતા પ્રવર્તે છે. ભૂવનેશ્વર કૉંગ્રેસના ઠરાવને વધારે ને વધારે અમલી બનાવવા તરફ બવી રાજ્ય રચના ઢળેળતી જશે એવી માન્યતા સર્વત્ર રાખવામાં વામાં આવે છે. ચીમનલાલ ચકુભાઈ શાહ તા. ૧-૩-૬૬ તુલસીશ્યામ સાધનાશિબિર સૌરાષ્ટ્રનાં સાર શિક્ષણ અને સંસ્કૃતિ સંઘ તથા તુલસીશ્યામ વિકાસ સમિતિના સંયુકત ઉપક્રમે આચાર્યશ્રી રજનીશજીનાં આધ્યાત્મિક પ્રવચનો અને ધ્યાનના કાર્યક્રમ માટે તા. ૪, ૫ અને ૬ ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૬૬ ના રોજ તુલસીશ્યામમાં એક સાધના શિબિર યોજવામાં આવી હતી. બિનસાંપ્રદાયિક ક્રાંતિકારી વિચારો, તત્ત્વના ગહન પરામર્શ, વિષયની વિશદ અને તર્કસંગત રજૂઆત, રોચક શૈલી અને પ્રસન્ન મધુર અસ્ખલિત વાક્--પ્રવાહને કારણે આચાર્ય શ્રી રજનીશજીનાં પ્રવચને જ્યાં જ્યાં થયાં છે ત્યાં ત્યાં લોકપ્રિય નીવડયાં છે. જબલપુરની મહાકોશલ વિદ્યાપીઠના દર્શન વિભાગના આચાર્ય શ્રી રજનીશજીનાં પ્રવચનોનો લાભ જુદા જુદા પ્રદેશના લોકોને પણ મળે એ માટે છેલ્લા કેટલાક સમયથી એમનાં પ્રવચનોના કાર્યક્રમ અથવા ધ્યાનના પ્રયોગા સાથે પ્રવચનો માટે શિબિરના કાર્યક્રમ ભિન્ન - ભિન્ન સ્થળે યોજવામાં આવે છે. શિબિર માટે પ્રકૃતિના કોઈ એકાંત અને રમણીય સ્થળની પસંદગી માટે આચાર્ય શ્રી રજનીશજી આગ્રહ રાખે છે, કારણ કે રોજિંદા જીવનની જંજાળ અને વ્યગ્રતાથી માણસ મુકત થાય તો જ તે અધ્યાત્મ જેવા ગહન વિષયને ગ્રહણ કરવા માટે અધિકારી બને. વળી શિબિરમાં વ્યાખ્યાનને અંતે ધ્યાનની તાલીમના પણ કાર્યક્રમ હોય છે, જે માટે નિસર્ગની શાંતિ અને રમણીયતા પણ સાનુકૂળ અને પ્રેરક બને. આથી આવી શિબિરનો અનુભવ પણ વિશિષ્ટ પ્રકારના, આહ્લાદક અને સ્મરણીય બની રહે છે અને વિચારશીલ વ્યકિતઓને તો ત્યાંથી કંઈક ચિત્તનું પાથેય પણ મળી રહે છે. આ વખતે શિબિરનો કાર્યક્રમ સૌરાષ્ટ્રમાં તુલસીશ્યામમાં યોજવામાં આવ્યો હતો. શિબિરની વ્યવસ્થા ઉપર જણાવેલ તુલસીશ્યામ વિકાસ સમિતિ અને સારઠ શિક્ષણ અને સંસ્કૃતિ સંઘ તરફથી કરવામાં આવી હતી અને તેના સંયોજનની મુખ્ય જવાબદારી શ્રી રતુભાઈ અદાણી અને તેમના અન્ય સહકાર્યકર્તાઓએ ઉપાડી લીધી હતી. શિબિરમાં જોડાનાર વ્યકિતએ માટે વિમાન, ટ્રેન, બસ વિગેરે દ્વારા જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવી હતી. અમારી મંડળી, જેમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો મુખ્યત્વે હતા) અમદાવાદથી ખાસ બસ દ્રારા તુલસીશ્યામ જવાની હતી. તા. ૩ જી ફેબ્રુ આરીએ સવારે લગભગ સવા આઠ વાગે, ધાર્યા કરતાં લગભગ પોણા કલાક મેાડા, અમે અમદાવાદ સ્ટેશનેથી રવાના થયા. શ્રી પરમાનંદભાઈ કાપડિયા, શ્રી બચુભાઈ રાવત (‘કુમાર’ના તંત્રી), શ્રી લવણપ્રસાદ શાહ, શ્રી મથુરાદાસ મિશ્રા ( બિહારના એમ. પી.), શ્રી માણેકલાલ દલાલ, શ્રી મફતલાલ શાહ, શ્રી ભાગીલાલ શાહ, શ્રી કમળાબહેન પટેલ, શ્રી શાન્તાબહેન પટેલ, શ્રી મધુરીબહેન શાહ, શ્રી શાંતાબહેન પાટડિયા વગેરે અમારી સાથે હતાં. શિયાળાની શીતળતાના ખુશનુમાભર્યા વાતાવરણમાં ઠીક ઠીક ઝડપે જતી બસે અમને લગભગ સાડા અગિયાર વાગે વળા (વલ્લભીપુર) પહોંચાડયા. અમે સૌ અમારી વાતામાં મગ્ન હતા, કોઈ પ્રવાસના આનંદ માણી રહ્યા હતા, કોઈ વાંચી રહ્યા હતા, કોઈ ચર્ચામાં મગ્ન હતા. શ્રી બચુભાઈ રાવત પાસે મને બેસવાનું મળવાથી સાહિત્યિક ગોષ્ઠીના ઠીક ઠીક લાભ મળતા હતા. સંયોજકો તરફ્થી અમારે માટે વળામાં ચા-પાણીના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધાર્યા કરતાં અમને લગભગ કલાકેક મેાડું થઈ ગયું હતું. વળાના ઠાકોર સાહેબ અમારી ઉત્સુકતાથી ચા - પાણી માટે રાહ જોઈ રહ્યા હતા. પહોંચ્યા કે તરત એમણે અમારું ભાવભીનું સ્વાગત કર્યું. અમારાં બધાંને એમને પરિચય કરાવવામાં આવ્યો. વળાના આ વયોવૃદ્ધ ઠાકોર સાહેબે પંડિત નહેરુ સાથે હેરોમાં અભ્યાસ કર્યો હતો. હેરોમાં તે વખતે હિંદી વિદ્યાર્થીઓમાં તેઓ જ હતા. એ સમયે હેરોમાં પડાવેલી એમના વર્ગની છબીએ પણ એમના દીવાન
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy