________________
(20
७४
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૧૬
નિર્મળા ચાલતાં. ચલાતાં થોડી થોડી વારે ઊભી રહે. એમ લાગતું હતું કે એ જાણે રડવાનો પ્રયત્ન કરે છે, પણ એ રડી શંકતી નહાતી જીભને તાળવાના સ્પર્શ કરી શકતી નહોતી, તેથી એ કોઈ વિચિત્ર અવાજ મેાઢામાંથી કાઢતી હતી, જાણે મૃત્યુને પથે જતા યાત્રી ડચકાં ખાતો હોય તેવા. ચાલતાં જતા કોઈ કોઈ યાત્રીઓ, યંત્રવત એના મેઢામાં પાણી રેડતા, એ પાણી ગળે ઉતારવાનો પ્રયત્ન કરે, ને પછી ઊભી ઊભી નિ:સહાય અવસ્થામાં જોયા કરે. કોઈ પણ એક શબ્દ બોલતું નહોતું. દાંતની જોડે જીભ અને તાળવું ચાંટી ગયાં હતાં. વાકય બોલવાની શકિત રહી નહોતી. એ લોકો તો ફકત એક જ વાત કહેતા હતા. “હજી રસ્તા કેટલા બાકી છે?”' રસ્તા હજી કેટલા બાકી છે તે શી રીતે ખબર પડે? અમે બધા એક પ્રકારના જ અણજાણ માર્ગના યાત્રીઓ હતા, કેમ કરીને કહી શકીએ કે, અમે જેની ઘણા વખતની ઝંખના કરીએ છીએ તે મંદિર હજી કેટલું દૂર છે? મનમાં તા એમને કહેવાની ઘણીય ઈચ્છા થતી હતી, કે તમે હવે આગળ ન વધશે, અહીં જ અટકી જાઓ. આ જ તમારી સીમા ને અહીં જ યાત્રાના અંત; પણ બાલું શી રીતે? અહીં કાંઈ રોકાવાય એમ હતું નહિ. આ બધું તે પસાર કરીને જવું પડશે, નહિ જવાથી કાંઈ વળવાનું નથી, પાછળ રહેલી હિમાલયની અનંતપર્વતમાળાની અંદર અમે ખુંચી ગયા હતા. જો અટકીએ તો હ ંમેશને માટે જ અટકી જવું પડે, આગળ ગતિ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. આ માર્ગમાં જેમ ક્ષમા નહોતી, તેમ સગવડને પણ અભાવ હતો.. જેઓ પગપાળા જાય છે, એની અવસ્થા ગમે તેટલી સારી હોય, પણ એને કાંઈ વિશેષ સગવડ મળી રહેતી નથી. આ જ બધા કરતાં મોટામાં મેટી કસોટી છે. નાનામોટાના સવાલ ઊભા થવાનો અહીં જરા જેટલા પણ અવકાશ નથી, ગરીબ ને પૈસાદાર એકબીજાથી જુદા પડે એવી પરિસ્થિતિ જ અહીં નથી. સમાજમાં રહેતા મનુષ્યની સ્વભાવસિદ્ધ અહમિકા, આત્મરતિ, વિદ્રેષ, ચિત્તની મલીનતા, સ્વાર્થને સંકુચિતતા એ બધાને પ્રગટ કરવાની અહીં કોઈ સગવડ નથી. અહીં તે જાતિવર્ણ બધું લુપ્ત થઈને બધા સમાન જ બની જાય છે. આહાર, વિહાર, વિકામ, શયન ને પરિશ્રમ બધાં એક પ્રકારનાં જ હોય છે. એક માણસે કયાંય પણ એકબીજા માણસના કરતાં વધારે સારું ખાવાનું ખાધું છે, એવી વાત કરવાની હોતી જ નથીને, જો કોઈ એમ કહે તો એ મિથ્યાવાદી છે. મૂળ બંગાળી : શ્રી પ્રબોધકુમાર સંન્યાલ. અવમૂલ્યન ! (અનુષ્ટુપ)
ક્રમશ :
“એક વ્હેલા પ્રભાતે કો છાપાના શ્રેષ્ઠ ‘પ્રીન્ટ ’માં ચમકયા હું, ફર્યો તુર્ત ફેરિયાના સ્વરે – સ્વરે લોકોના કાનકાને ને મુખે નામ જ માહરૂ ગાયું શું ! ત્યારથી નિત્યે લેખામાં, ભાષણા મહીં રેડિયો પર, સર્વત્ર –
કોઈ જો બહાદુરી પ્રગટ કરે, તેા રસ્તા એને બરાબર સ્વાદ ચખાડે, શકિતમાન અને ઝડપથી ચાલનાર માટે ભગવાન બદરીનાથને જરા જેટલા પણ પક્ષપાત નથી, દુર્બળ અને બળવાન બન્નેને તે એકસરખા બનાવીને પોતાની પાસે તાણી લે છે.
કાથાચટ્ટી અને ગાલિયાબગડ પસાર કરીને વળી એક માઈલ વધારે ચઢાણ પાર કરીને તે દિવસે બપારના તકડામાં અર્ધા મરેલા જેવા અમે દાપેડા ચટ્ટીમાં આવી પહોંચ્યા. આ બધી ચટ્ટીઓનો અંત કયારે આવશે, તે તો મને ખબર નથી. એ બધી ચટ્ટીએ જાણે રસ્તાની એક બાજુ બેસી રહે છે. અને યાત્રીઓને પકડી પકડીને ગળી જાય છે, અને પછી વખત જતાં એમને બહાર કાઢી નાંખે છે. આ ઉપમાને જરા ઉલટી રીતે રજૂ કરીએ તો આ ચટ્ટીના જેવા મિત્ર રસ્તામાં બીજો કોઈ નથી, જે માર્ગમાં રૂકાવટ નથી, જેમાં કોઈ બંધન નથી હોતું, જે માર્ગમાં મુકિતના અનાવૃત અવકાશ હોય છે, એ રસ્તા પર ચલાતું નથી. પથિકના પગને માટે એ માર્ગ ભયાનક બાધારૂપ થઈ પડે છે, એનું નામ મરુભૂમિ, તેથી જ થાકેલા વટેમાર્ગુને આદરથી આમંત્રણ આપે છે એ ડાળીએથી બાંધેલી લતા અને પાંદડાંઆથી ઘેરાયેલી ચટ્ટી. દરિદ્ર, દુ:ખીણી માતા જાણે કે રસ્તા પર ઊભી રહીને રસ્તે થાકેલા સંતાનની આશાભરી વાટ જુએ છે. એના એક હાથમાં ઝરણાંનું સુશીતલ પાણી છે, ને બીજા હાથમાં સામાન્ય વિદુરની ભાજી છે.
ભેજન નિદ્રા ઈત્યાદિથી પરવારી લગભગ ત્રણ વાગે પાછે આગળ યાત્રા માટે રસ્તા પર આવ્યા. બૂમ તડકો હતો. ક્યાંય વાદળની નિશાની નહોતી. ત્રણેક દિવસ પૂર્વે અમે બરફની અંદર ઠંડકમાં સમાધિસ્થ થઈને ચાલતા હતા, તે આજે પરસેવાથી નીગળતી સ્થિતિમાં ચાલતાં અમે વિસરી જ ગયા હતા. એ વખતે રસ્તામાં શિયાળા હતો, આજના રસ્તામાં વર્ષના આગમન પૂર્વેની પરિસ્થિતિ હતી. અહીં ઋતુઓના થોડી થોડી વારે પલટા થતા હતા. ગ્રીષ્મ પછી તરત જ પાછી વસન્ત તુ આવી પહોંચે. બપારના ઠંડીથી આખું શરીર ધ્રુજવા માંડે, તો રાત્રે અત્યંત ગરમીથી ઉઘાડા શરીરે ચટ્ટીના દરવાજા આગળ જ સૂઈ રહેવું પડે. એક જ દિવસમાં કયારેક તમને શરદ ઋતુનું નીલેજજવલ આકાશ, મલ્લિકા ને શેફાલીની પ્રચુરતા મળે તો કયારેક શ્રાવણ મહિનાના જેવા ધાધમાર વરસાદ, કદંબ ને ચંપાની શોભા મળે; વળી કયારેક ઋતુરાજના વસન્તવિલાસ પણ જોવા મળે, પૂર્ણિમાની મધુર રાત્રી મળે; તો કયારેક શિયાળાની શીર્ણતા, પ્રકૃતિના રૂક્ષ વૈધવ્યવેશ પણ જોવા મળે. રોજ રોજ વિચિત્ર ]ઉત્સવ નજરે જોવાને મળતો. હેરાન થયેલા અને જેમણે જીવનના બૈરાગ લીધા હતા તેઓ અર્ધી મીંચેલી આંખે એ પ્રકૃતિસ્વરૂપનું પરિવર્તન જોતાં જોતાં ઉદાસીન ભાવથી ચાલ્યા જતા હતા. અમે હવે કશાથી પણ મુગ્ધ થતા નહોતા.
આગલે દિવસે મંદાકિની પાર કરીને ઊખીમઠના માર્ગમાં જે ચઢાઈ શરૂ કરી હતી, એ જ ચઢાણ હજુ ચાલતું હતું. એના કર્યાંય અંત દેખાતો નહોતો, ને એમાં કર્યાંય આરામ નહોતો. આ પનો ઉદ્દેશ જ જાણે અમને શકિતહીન કરવાના અને અમારૂ લેાહી શોષી લેવાના હતા. આજે સવારે રૂઈદાસ શુકલ અને પંડિતજીને અકર્મણ્ય બનીને પાછળની ચટ્ટીમાં પડી રહેલા મે જોયા હતા. પેલી જાડી મહારાષ્ટ્રી ડોશીને પણ રસ્તા પર બેસીને ચીખતી મેં જોઈ હતી. મનસાતલાવાળી માસી ખૂબ પૈસા આપીને કાંડી ભાડે કરીને મજૂરોની પીઠ પર બેઠી હતી. માખીના ડંખથી, ને ફોલ્લાની વેદનાથી કાજે ઝૂરતી જિંદગી.....તણું છે અવમૂલ્યન !” બધાં દુ:ખથી ગાંડા જેવા બની ગયાં હતાં, તેમાં વળી પાછી આ ચઢાઈ. એથી જીવતા પાછા જઈશું એવી કોઈને આશા રહી નહિ. (તા. ૨૮-૬-’૬૬ ) ગીતા પરીખ માલિક : શ્રી મુખઈ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ
“આ તો મારૂના, કિંતુ રોટીને
અનુવાદક : ડૉ. ચંદ્રકાન્ત મહેતા,
વેપારીથી પ્રધાનો ને વડાપ્રધાનને ઉદ્દે બધે છે સ્થાન માહરૂં, વર્ચસ્વ મારૂ સર્વ પે! કેટલું મૂલ્ય તો માહરૂ વધ્યું છે, અવમૂલ્ય કર્યાં?” – રૂપિયો બોલતા,