________________
તા.1-૯
ચાલુ કાનૂન કાર્યદા મુજબ એવી રીતે કરવામાં આવશે કે જેથી બીજા વિભાગના પક્ષકારોને તેમની પૂજા ઉપાસના કરવામાં બાધ ન ન આવે અથવા તે તેમની ધાર્મિક ભાવનાઓ, માન્યતાઓ અને લાગણીઓને આઘાત ન પહોંચે અથવા તો તેમનાં મંદિરો વગેરેની માલેકીહક્કમાં ખલેલ ન પહોંચે.
પ્રમુખ જીવન
(૪) પહેલા વિભાગના પક્ષકાર આથી કબૂલ થાય છે કે ઉપર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ૧૯૬૫ના ફેબ્રુઆરી માસની પાંચમી તારીખના કરારનામાની પાંચમી કલમમાં સૂચવવામાં આવેલી એડવાઈઝરી કમિટી (સલાહકાર સમિતિ)માં પહેલા વિભાગના પક્ષકારને જે બે પ્રતિનિધિઓની નિમણુંક કરવાની છે તેમાંના એક પ્રતિનિધિ બીજા વિભાગના પક્ષકાર જેની ભલામણ કરે તે દિગંબર જૈન હશે.
સા
(૫) જંગલાના વહીવટ એવી રીતે કરવામાં આવશે કે જેથી આજનાં મંદિરો અને તે મંદિરો અને દેરીઓની આસપાસના અર્ધા માઈલના પ્રદેશ જો કે બિહાર રાજ્યની માલેકીન છે અને બિહાર રાજ્યને તેની માલેકી પ્રાપ્ત થયેલી છે એમ હકીકત હોવા છતાં, એ અર્ધા માઈલના પ્રદેશ જંગલખાતાના વહીવટથી . હંમેશાને માટે મુકત રહેશે. આ પહાડના કોઈ પણ ભાગ ઉપર, પછી તે - ભાગ જંગલખાતાના વહીવટ નીચે હોય કે ન હોય તો પણ, કોઈ પણ નવું મકાન કે બાંધકામ કરવા દેવામાં આવશે નહિ, પણ કોઈ પણ સમયે, બીજા વિભાગના પક્ષકારને કોઈ પણ ધાર્મિક કે સખાવતી હેતુ માટે અથવા તો યાત્રાળુઓની સગવડ માટે પહાડના કોઈ પણ ભાગ ઉપર બાંધકામ કરવાની ઈચ્છા થશે તો તે સામે રાજ્ય સરકાર કે જંગલખાતા તરફથી વાંધા ઉઠાવવામાં નહિ આવે, અને આ સંબંધમાં અરજી મળ્યાને પંદર દિવસની અંદર જંગલ ખાતા તરફથી તેમ જ રાજ્ય સરકાર તરફથી બધી જાતની સગવડો આપવામાં આવશે અને આથી જાહેર કરવામાં આવે છે કે આ ક્લેમ કે ઉપર જણાવેલ કરારનામાની એને મળતી કલમ વડે દિગંબર કે શ્વેતાંબર કોમના (પરસ્પરના) કોઈ પણ હક્કો અથવા તો હિતોને કોઈ પણ અંશમાં બદલવાનો કે તેમાં પ્રતિકૂળતા ઊભી કરવાનો આશય નથી.
(૬) શિકાર, શૂટીંગ, માછલી પકડવી, પક્ષીઓની કે પશુઓની હિંસા અથવા આ પહાડ ઉપર કે આસપાસ માંસાહાર–આ બધી
૮૯:
બાબતોની સખ્ત બંધી કરવામાં આવે છે.
ミリ起
(૭) સરકારના જંગલખાતાના અધિકારીએ અને નોકરી જૈન કોમની લાગણીઓને દરેક પ્રકારે માન આપશે અને પહાડ ઉપરના યાત્રાળુઓના માલેકી હક્કમાં કે ધાર્મિક ક્રિયાઓ કરવા કરાવવવામાં કોઈ પણ પ્રકારની દખલ કરવામાં નહિ આવે . તેમ જ યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની તક્લીફ આપવામાં નહિ આવે.'
: (૮) આથી જાહેર કરવામાં આવે છે કે આ કરારનામું કે ૧૯૬૫ના ફેબ્રુ આરીની પાંચમી તારાખ કરવામાં આવેલું કરારનામુંઆ બન્નેની એવી કોઈ અસર નહિ થાય કે જેથી શ્વેતાંબર કે દિગ્-બર સંપ્રદાયના મંદિરો વગેરેને લગતા, તેમ જ પૂજા ઉપાસના તથા ધાર્મિક ક્રિયાઓ કરવાને લગતા, પરસ્પરને પ્રાપ્ત થયેલા હક્કોમાં જરા પણ વધારો કે ઘટાડો થવા પામે.
(૯) આથી સર્ટિફાઈ કરવામાં આવે છે કે આ લખાણ મૂળ દસ્તાવેજની ખરી અને અક્ષરશ: ઉતારેલી નકલ છે. બન્ને પક્ષ વચ્ચે એ પણ કબૂલ કરવામાં આવ્યું છે કે આ કરારનામાના રજિસ્ટ્રેશનનો ખર્ચ રાજ્યસરકાર વહન કરશે.
આના સાક્ષી તરીકે બન્ને પક્ષકારોએ ઉપર જણાવેલ વર્ષે અને દિવસે પોતપોતાના હાથે આ કારારનામા ઉપર સહીઓ તથા સીલ સિક્કા કર્યા છે.
બિહારના રાજ્યપાલ જેમના આ કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમણે નીચેની વ્યકિતઓની હાજરીમાં પોતાના સહીસિક્કા કરીને આ કરારનામું સુપરત કર્યું છે.
(૧) સહી : એસ. એ. ઈમામ, રજીસ્ટ્રાર, વસુલાત ખાવું. (૨) સહી : આર. પી. સિંહા, હેડ એસિસ્ટન્ટ, વસુલાત ખાવું. સહી : જે. પી. શ્રીવાસ્તવ તા. ૫-૮-૬૬ સરકારી વસુલાત ખાતાના મંત્રી, બિહાર.
ભારતવર્ષીય દિગંબર જૈન તીર્થરક્ષા કમિટી વતી તેના પ્રમુખે નીચેની વ્યકિતઓની હાજરીમાં પોતાના સહીસીક્કા કરીને આ કરારનામું સુપરત કર્યું છે.
(૧) સહી : હરખચંદ જૈન તા. ૫-૮-૬૬, (૨) સહી : સીતારામ કેશરી તા. ૫-૮-૬૬, સહી : શાન્તિપ્રસાદ જૈન તા. ૫-૮-’૬૬.
અનુવાદક : પરમાનંદ
સમેતશિખરની સમસ્યામાં યુટેલા નવા ફણગા : દિગબરા સાથેના કરારનામાએ ઉભાકરેલી નવીપરિસ્થિતિ
ગત વર્ષ ૧૯૬૫ના ફેબ્રુઆરી માસની પાંચમી તારીખે બિહાર સરકાર અને શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાય વચ્ચે સમેતશિખર પહાડ અંગે જે કરારનામું થયું તેમાં શ્વે. મૂ. સમુદાયને જે કાંઈ અપેક્ષિત હતું તે લગભગ બધું મળી જવાથી, શ્વે. મૂ. સમુદાય તરફથી, જાણે કે પોતાના એક મહાન વિજય પ્રાપ્ત થયા હોય એ રીતે, આ કરારનામાને વધાવી લેવામાં આવ્યું હતું અને બિહાર સરકાર સાથેની વાટાઘાટોને પેાતાના પક્ષે આટલી બધી યશસ્વી બનાવનાર શ્વે. મૂ. સમુદાયના અગ્રણી પુરુષોનું તેમ જ આ કાર્યમાં પરોક્ષ રહીને સહાયક બનેલા અમુક કૉંગ્રેસી રાજપુરુષોનું બહુમાન કરવામાં આવ્યું હતું. બીજી બાજુએ આ કરારનામામાં દિગંબર સમુદાયના પરંપરાગત હકકોનો કશે! પણ ઉલ્લેખ કરવામાં આવેલા નહિ હોઈને તે સમુદાય ભારે હતાશ બન્યો હતા. આ અનિચ્છનીય પરિસ્થિતિનું નિવારણ કરવાના હેતુથી તા. ૧૬–૩–’૬૬નાં ‘પ્રબુદ્ધ જીવન’માં મે જણાવ્યું હતું કે “આપણે આશા રાખીએ અને નમ્રભાવે એમ છતાં આગ્રહપૂર્વક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને તેના વર્તમાન સૂત્રધાર શેઠ કસ્તુરભાઈ લાલભાઈને અનુરોધ કરીએ કે પ્રસ્તુત કરારનામાના પરિણામે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને અને તેના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ લાલાભાઈને સમેતિશખરની બાબતમાં
s
અસાધારણ વર્ચસ્ પ્રાપ્ત થયું છે તો તેઓ માત્ર શ્વે. મૂ. સમાજના સ્વાર્થના તેમ જ હિતના વિચાર ન કરતાં સમગ્ર જૈન સમાજની દૃષ્ટિએ આ બાબતનો વિચાર કરે અને આજના સમયમાં જૈન સમાજના આ બે પ્રમુખ વિભાગોમાં એકતા સ્થપાવાની તેમ જ તે સુદઢ થવાની કેટલી જરૂર છે તેનો પૂરો ખ્યાલ કરે, અને સમેતશિખરઃ તીર્થ પૂરતી દિગંબર સમાજની સ્થિતિ વારસાવંચિત ઓશિયાળા સાવકા ભાઈ જેવી છે–જો ૧૯૧૮ની સાલમાં સમેતશિખર પહાડખરીદવા અંગે દિગંબર સમાજ સાથે કરવામાં આવેલા સાદો કાયમ રહ્યો હોત તો શ્વે. મૂ. સમાજની સ્થિતિ પણ કદાચ આવી જ હોત— તે સ્થિતિનું નિવારણ કરીને મોટો ભાઈ નાના ભાઈને બાજુએ બેસાડે તેમ દિગંબર સમાજના સ્વમાનને અનુરૂપ સ્થાન નવી રચનામાં આપવાની ઉદારતા અને સમયસૂચકતા દાખવે.” આ મારા નમ્ર સૂચને જે સમાજનો હું છું એ શ્વે. મૂ. વિભાગમાં ભારે ઈતરાજી . પેદા કરી હતી અને મારી આ સાદી સીધી ન્યાયયુકત માગણીને હું કોઈ પણ અગ્રણીએ ધ્યાન ઉપર લીધી નહોતી,
124
એ અરસામાં ઉપર જણાવેલ દ્રિપક્ષી કરારનામા સામે દિગંબર é સમાજમાં તીવ્ર આંદોલન ઊભું થયું હતું અને એપ્રિલ કે મે માસના અરસામાં આ કરારનામાના વિરોધમાં એક લાખ દિગંબર જૈનોનું દિલ્હીમાં એક પ્રચંડ સરઘસ નીકળ્યું હતું અને તે સરઘસ શ્રીમાન શાહુ શાન્તિ